પરમ સમીપે/૧૧
૧૧
હે શુદ્ધ, હે ઉદાર, હે પ્રસિદ્ધ,
હે અખંડ આનંદના વરસાવનાર
તારો જય હો!
વાસનાની નાગચૂડમાં જે સપડાઈ જાય છે
તે ઊઠી શકતો નથી,
પણ તારી કૃપાદૃષ્ટિથી
વાસનાનો નાગ પણ નિર્વિષ બની જાય છે.
જ્યારે તું પ્રસાદ-રસ-કલ્લોલ જગાડી
મહાપ્રવાહની સાથે આવે છે, ત્યારે
તાપ કોને તપાવી શકે?
શોક કોને પ્રજાળી શકે?
સંતે જ્ઞાનેશ્વર