પરમ સમીપે/૧૨
Jump to navigation
Jump to search
૧૨
નામ-સંકીર્તન કરતો જ્ઞાનદેવ
જ્યારે ગાઢ સમાધિ લગાવીને બેઠો
ત્યારે તેણે હૃદયમાં ધ્યાન ધરીને
પ્રભુ પાસે આવું વરદાન માગ્યું :
“વૃત્તિ સહિત મારો અહંકાર ઓગાળી દે
મારી પ્રત્યેક પ્રવૃત્તિમાં નિવૃત્તિની છાપ ઊઠવા દે
મારું મન તારાં ચરણોમાં રહેવા દે
મારાં દેહ-ઇન્દ્રિયાદિ સર્વ તારામય થાઓ
મારું નામ શેષ ન રહો.”
સંત જ્ઞાનેશ્વર