બાળ કાવ્ય સંપદા/પ્રશ્ન
Jump to navigation
Jump to search
પ્રશ્ન
લેખક : રાજેન્દ્ર શાહ
(1913-2010)
વાદળ વરસી જાય તે આભે
કેમ ચડે પૂર-પાણી ?
કોણ ક્યાંથી નિત સીંચતું ? એને
જોઈ નહીં, નહીં જાણી.
કૂવાને ૫૨થા૨ નહીં,
નહીં તળાવના કોઈ તીરે !
નદીએ બેસી નીરખું ત્યાં
જળ ઊછળે સ્હેજ સમીરે.
કોઈ ઝૂકે આકાશથી નહીં,
નહીં ગાગ૨ની એંધાણી,
વાદળ વ૨સી જાય તે આભે
કેમ ચડે પૂર-પાણી ?