સોરઠી સંતવાણી/સાંગોપાંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાંગોપાંગ

ધ્યાન ધારણા કાયમ રાખવી ને
કાયમ કરવો અભ્યાસ રે,
ભાળી ગયા પછી તરપત ન થાવું ને
વિશેષ રાખવો ઉલ્લાસ રે —
ભાઈ રે ગુરુનાં વચનુંમાં સાંગોપાંગ ઊતરવું ને
કાયમ કરવું ભજન રે,
આળસ કરીને સૂઈ ના રહેવું ને
ભલે કબજે કર્યું પોતાનું મન રે. — ધ્યાન.
ભાઈ રે આઠે પહોર રહેવું આનંદમાં ને
વધુ વધુ જાગે જેથી પ્રેમ રે,
હંમેશાં અભ્યાસ મૂકવો નહીં ને
છોડી દેવું નહીં નીમ રે. — ધ્યાન.
ભાઈ રે નિત્ય પવન ઉલટાવવો ને
રમવું સદા હરિની સંગ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
પછી ચડે નહીં દૂજો રંગ રે. — ધ્યાન.

[ગંગાસતી]