સોરઠી સંતવાણી/સાધુની સંગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાધુની સંગત

શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ!
જેનાં બદલે નહીં વ્રતમાન રે
ચિત્તની વરતી જેની સદાય નિરમાળી
જેને મા’રાજ થયા મે’રબાન રે —
ભાઈ રે! શત્રુ ને મિત્ર રે એકે નહીં ઉરમાં
જેને પરમારથમાં પ્રીત રે,
મન ક્રમ વાણીએ વચનુંમાં ચાલે ને
રૂડી પાળે એવી રીત રે — શીલવંત.
ભાઈ રે! આઠે પો’ર મનમસ્ત થઈ રે’વે
જેને જાગી ગયો તુરિયાનો તાર રે
નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને
સદાય ભજનનો આહાર રે — શીલવંત.
ભાઈ રે સંગત્યું તમે જ્યારે એવાની કરશો ને
ત્યારે ઊતરશો ભવપાર રે
ગંગા સતી એમ બોલિયાં ને
જેને વચનુંની સાથે વેવાર રે — શીલવંત.

[ગંગાસતી]