પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ચાર કવિઓ – થોડીક રેખાઓ| રમણ સોની}} મુખ્યત્વે વિવેચક-અધ્યાપ...")
 
No edit summary
Line 14: Line 14:
અહીં ચાર કવિઓની કવિતા આપણે એકસાથે સાંભળી છે. દરેકની મુદ્રા અલબત્ત અલગ છે. પણ ક્યાંક આછીપાતળી સ્થૂળસૂક્ષ્મ સરખામણીને અવકાશ છે. કમલ વોરા અને જયદેવ શુક્લની મુખ્ય પીઠિકા નગરનિવાસની છે. પતંગિયું ને પુષ્પ, એનાં રંગ અને ગંધ, વૃક્ષો-પર્વતો-નદી-સમુદ્ર, અજવાસ અને અંધકાર, ને એનાં આદિમ ઊંડાણ – એ બધું એમની કવિચેતનામાં છે જ પણ એને નિતાન્ત વનસંદર્ભ નથી, એનો સંવેદનસ્પર્શ ને એનાં શબ્દરૂપો જુદાં છે. જ્યારે દલપત પઢિયાર અને કાનજી પટેલમાં જનપદ અને તળપદ છે. છેક તળિયે રહી ગયેલા આનંદની સાથે જ એમાં વિચ્છેદની વેદના છે, કાનજીમાં તો ચીસની સાથે એક આક્રોશ પણ છે. એટલે એ બંનેની કવિતાનો સંવેદનસ્પર્શ અને એનાં શબ્દરૂપો નોખાં છે. આ કારણે, આપણને તો એક મોટા ફલક પરના કવિતા-આલેખો મળે છે. આ ચારેમાં, કવિતા તરફ લઈ જતી ગતિમાં જે સરખું તત્ત્વ છે તે છે કલ્પનોનું, કલ્પનના વિવિધ રૂપોની હાજરીનું – અને ચારેમાં ગઝલની ગેરહાજરીનું.
અહીં ચાર કવિઓની કવિતા આપણે એકસાથે સાંભળી છે. દરેકની મુદ્રા અલબત્ત અલગ છે. પણ ક્યાંક આછીપાતળી સ્થૂળસૂક્ષ્મ સરખામણીને અવકાશ છે. કમલ વોરા અને જયદેવ શુક્લની મુખ્ય પીઠિકા નગરનિવાસની છે. પતંગિયું ને પુષ્પ, એનાં રંગ અને ગંધ, વૃક્ષો-પર્વતો-નદી-સમુદ્ર, અજવાસ અને અંધકાર, ને એનાં આદિમ ઊંડાણ – એ બધું એમની કવિચેતનામાં છે જ પણ એને નિતાન્ત વનસંદર્ભ નથી, એનો સંવેદનસ્પર્શ ને એનાં શબ્દરૂપો જુદાં છે. જ્યારે દલપત પઢિયાર અને કાનજી પટેલમાં જનપદ અને તળપદ છે. છેક તળિયે રહી ગયેલા આનંદની સાથે જ એમાં વિચ્છેદની વેદના છે, કાનજીમાં તો ચીસની સાથે એક આક્રોશ પણ છે. એટલે એ બંનેની કવિતાનો સંવેદનસ્પર્શ અને એનાં શબ્દરૂપો નોખાં છે. આ કારણે, આપણને તો એક મોટા ફલક પરના કવિતા-આલેખો મળે છે. આ ચારેમાં, કવિતા તરફ લઈ જતી ગતિમાં જે સરખું તત્ત્વ છે તે છે કલ્પનોનું, કલ્પનના વિવિધ રૂપોની હાજરીનું – અને ચારેમાં ગઝલની ગેરહાજરીનું.
દરેક વિશે અલગ વાત કરીએ.{{Poem2Close}}
દરેક વિશે અલગ વાત કરીએ.{{Poem2Close}}
'''દલપત પઢિયાર'''
{{Poem2Open}}ચારેમાં ગીત કવિતા દલપત પઢિયારમાં છે. દલપતભાઈ અચ્છા લોકગાયક છે ને ગાંધીયુગીન ગદ્યના સારા અભ્યાસી પણ છે. જાણીતા લોકગીતમાં પ્રવેશીને પોતીકી કવિતા સાથે બહાર આવવું એ ન્હાનાલાલીય લક્ષણ પણ એમનામાં જોવા મળશે. લોકગીતની લયલીલા તો એમનાં ગીતોમાં છે જ – ‘ઝીલણ ઝીલવાને’, ‘રાજગરો’ એવાં ગીતોમાં એ લયહિલ્લોળ છે. જૂની રંગભૂમિની યાદ કરાવતું ‘એંશી વરહનો ટેંટોડો’ કે લગ્નગીતનાં ફટાણાંને યાદ કરાવતું ‘હોંચી રે હોંચી’ લયહિલ્લોળની સાથે સાથે જ વિડંબનના તત્ત્વને ઊંચકે છે ને આજના કવિ તરીકે એમને પ્રસ્તુત રાખે છે. જુઓ ‘એંશી વરહનો ટેંટોડો’માં આ અભિવ્યક્તિ-તરાહો : ‘એનો રેશમિયો રુમાલ, ચડતો વેંછૂડો’ કે પછી ‘કાળે ઉનાળે કરા પડ્યા’લી, ટેંટોડો’ અને ‘હોંચી રે હોંચી’માં ફટાણાની મજાક તેમજ શેખીની વિડંબના તો આવે જ, પણ અહીં એક પંક્તિ પરંપરામાં રહીને પણ પરંપરાથી બહાર ઉંચકાઈ આવે છે : ‘મારે લીધે આખી અરવલ્લી ઊંચી, હોંચી રે હોંચી’ એકદમ રમેશ પારેખ યાદ આવી જાય, જરાક જુદી રીતેઃ ‘અમરેલી ગામ જેવું અમરેલી ગામ, મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ, મને ખમ્મા.’
આ ગીતોમાં, ઊંડે ઉતારતો એક અધ્યાત્મસંદર્ભ પણ પડેલો છે. લગ્નગીતના લયમાં આવેલું ‘પુણ્યસ્મરણ’ (‘અમને કોની રે સગાયું...’) ગીત ‘ઊંડે તળિયાં તૂટેે ને સમદર ઊમટે.’ એવી વેધક અભિવ્યક્તિ સાથેે આવે છે ત્યારે એક જુદો સ્પંદ જગાડે છે. આત્મવિડંબન પણ દલપતભાઈનાં ગીતોની – ને એમનાં થોડાંક બીજાં કાવ્યોની પણ – એક ખાસિયત છે. ‘મેલો દલપત, ડા’પણ મેલો’ એવા માત્રામેળી ગીતમાં ‘જાતર ક્યાં અઘરી છે જીવણ, થકવી નાખે થેલો’ – એવી સૂચનક્ષમ અભિવ્યક્તિ પણ છે. પરંતુ,  દલપતભાઈનાં ગીતો ક્યારેક વહેણના ધસારામાં ઊછળીને મુખર પણ બની જાય છે, એમાં વધી જતા અંતરા અંતરાયરૂપ બની જાય છે. ત્યારે એમના કાનમાં આપણાથી કહેવાઈ જાય છે : ‘છોગાળા, હવે તો છોડો!’
પાત્રલક્ષી વિડંબનાનાં કાવ્યોની પરંપરામાં દલપતભાઈએ પણ બેચાર કાવ્યો આપ્યાં છે. એમાં કેટલુંક માર્મિક બન્યું છે. ગુજરાતી કવિતામાં મગન, લઘરો, ચંદુડિયો, હુંશીલાલ, અમથાલાલ,  બાપુ આલા ખાચર, ધ્રિબાંગસુંદર એવાં સુંદરસુંદર પાત્ર-વિડંબન કાવ્યો છે એની સાથે જ દલપત પઢિયારનું ‘શ્રી છકેલાજી’ પણ ઘડીક બેસે એવુું છે. બેત્રણ પંક્તિઓ જોઈએ :
::છકેલાજી અમથા અમથા ય છકે
::::છોેડ ઊગ્યોય ના હોય ને છકે
::::::છાંટો પડ્યો ય ના હોય ને છકે
::::::::છીંક ખાય છોડીઓ ને છકે છકેલાજી.
અને એથી વધારે સારું આ :
::ફેંકે એટલે કેવું?
::::બંદા હાથ ઊંચો કરે ને વાદળમાંથી પડતી વીજળી
::::::કંદોરો થઈ જાય. (ભોંયબદલો, પૃ. ૬૦)
‘બાપુ બહારવટે’માંની બે’ક પંક્તિઓમાંની વિડંબના જોઈને આગળ ચાલીએ 
::આંખ એંસી વર્ષની, પણ અમળાટનો પાર નહીં!
::::કાનનું પણ એટલું જ કહ્યાગરું
::::::ગમે તેટલા ઘોંઘાટમાંથી લગનની લીટીઓ ભેગી કરી લે. (પૃ.૬૪)
પરંતુ દલપત પઢિયારની મહત્ત્વની કવિતા જનપદની, એના વિચ્છેદની વેદનાની તેમજ નગરનિવાસના એટલે કે ભોંયબદલાના અપરાધભાવની છે. એમનો કવિતાપ્રવેશ હૉટેલપોએટ્સ અને ઓમિસિયમ મંડળી દ્વારા થયેલો પણ એમની મુખ્ય સંવેદના ગ્રામચેતનાની – વન અને કૃષિચેતનાની. એ કારણે, પહેલા સંગ્રહ ‘ભોંયબદલો’ની મોટાભાગની કૃતિઓ અછાંદસ રૂપની અને આધુનિક રીતિની છે, પરંતુ એની શબ્દાવલી તળપદમાંથી આવેલી છે. એમાં કલ્પનો જ નહીં, એનાં સાદૃશ્યો, અને સાદૃશ્યો જ નહીં, એમાંનાં દૃશ્યો ને વર્ણનો પણ પોતાના મૂળ સમયનાં છે – ને એ પૂરી પારદર્શકતાથી ને અસરકારક રીતે ઊતર્યાં છે. પહેલું જ કાવ્ય જોઈએ :
::હું
::::અહીં કાગળના વિસ્તાર પર
::::::રોજ રઝળપાટ કરું છું.
એ આધુનિક રીતિની પીઠિકામાં સાદૃશ્ય કેવું છે તે જુઓ. કાવ્ય આમ શરૂ થાય છે –
::ધણથી છૂટા પડેલા ઢોર જેવો
::::હું
::::::અહીં કાગળના વિસ્તાર પર
::::::::રોજ રઝળપાટ કરું છું.
એટલે, એક જુદું જ પરિમાણ આકાર લે છે. અને એ આવું અસરકારક છે :
::આ શબ્દોની ભીડમાં
::::મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં.
::::::એક જ કમાડમાં આટલા બધા શબ્દો વસાઈ જશે એની
::::::::ખબર નહીં’ (પૃ. ૧, ૨)
પણ આ વિદાય પામેલા લોક, જાણે કે પેલા વસાઈ ગયેલા કમાડની તિરાડમાંથી બહાર ધસી આવે છે અને એ, વેદના પૂર્વે, થોડોક રોમાંચ પણ જગવે છે :
અંદરથી કશુંક એવું પજવ્યા કરે છે કે
મહુડાના ફૂલની જેમ એ થોકબંધ ફૂટ્યા જ કરે છે!
ભૂલેચૂકે પણ
જો સડક ઉપર ગાડું ખખડે
તો મારાથી ઊંચુંનીચું થઈ જવાય છે. (૫૪)
એટલે કે ઊંચુંનીચું થઈ જવાયાનો આ આનંદ એ અંદરનો લય છે ને એ પેલા મૂળથી, મૂળ સમયથી નિયંત્રિત થયેલો છે.
અપરાધબોધનાં ત્રણચાર કાવ્યોમાં સંવેદનની તીવ્રતા અને હતાશાથી દુઃસ્વપ્ન સુધી પ્રસરતો કંપ – વર્ણન-કથનમાં પણ ઘૂંટાઈને આવ્યાં છે. સોસાયટીમાં લીમડા કપાય છે એની વેદના નિરૂપતા કાવ્ય (તો કહેજો..)માં; એક નવો ઓરડો બાંધવા આંગણામાંનો સરગવો ‘સગે હાથે’ કાપ્યો છે એ અપરાધબોધના કાવ્ય(સરગવો)માં; તેમ જ, જ્યાં તુવેર વાવેલી હતી ત્યાં હવે ગાલીચા-ટાઈલ્સ પથરાઈ ગઈ છે એ વિડંબના આલેખતા કાવ્ય(પડતર)માં – ખેતર અને નગરને વિરોધાવતાં ઘટકો એક મૂગી ચીસ રૂપે અંકિત થયાં છે. રાજેન્દ્ર શાહના ‘વનખંડન’ કાવ્યગુચ્છમાં કપાઈને-ચિરાઈને ઢળી પડતાં વૃક્ષોનો વિદારક અવાજ ‘સંભળાય’ છે; અહીં તો –
ભરેલી હાથણી ફસડાઈ પડે એમ,
આખું ઝાડ ભોંય ઉપર ઢગલો..’  (સરગવો)
– એવું મૂગું મૃત્યુ વધુ વિદારક અનુભવ કરાવે છે. મનમાં પડતા સતત ટચકા ‘એક અપરાધ કુહાડી થઈ ગયો છે’ એવા રૂપે મૂર્ત થઈ ઊઠે છે. ‘પડતર’ કાવ્યના અંતમાં મને નરી હતાશા સાથેનો એક આક્રોશ પણ સંભળાય છે. જેમાં કશું જ વાવી શકાતુુંં નથી એવા પડતર જેવા, આ ગાલીચા-ટાઈલ્સવાળા ઓરડા માટે કવિ કહે છે – ‘આ પડતરમાં હવે તીડ પણ પડે એમ નથી!’ – એમાં જાણે કે એક ગર્ભિત શાપવાણી છે.
દલપત પઢિયારનું આ અનુભવવિશ્વ એમની કવિતામાં બહુ જ પારદર્શક રીતે, માર્મિકતાથી છતાં ખાસ્સી મુખરતાથી આલેખાયું છે જ્યારે કાનજી પટેલમાં એ સંગોપનથી, ક્યારેક અતિસંગોપનથી આલેખાયું છે.{{Poem2Close}}
26,604

edits

Navigation menu