પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 117: Line 117:
કાનજીની કવિતાને પૂરા પ્રેમથી ને ક્ષમતાથી જોનાર અવલોકનકારોને પણ કાવ્યપ્રવેશના અઘરાપણાની મૂંઝવણ થઈ છે. કાનજી આમ ઘણે ઠેકાણે આવા અરીસાધારક બન્યા છે એને બદલે થોડાક સન્મુખરાય પણ બન્યા હોત ...{{Poem2Close}}
કાનજીની કવિતાને પૂરા પ્રેમથી ને ક્ષમતાથી જોનાર અવલોકનકારોને પણ કાવ્યપ્રવેશના અઘરાપણાની મૂંઝવણ થઈ છે. કાનજી આમ ઘણે ઠેકાણે આવા અરીસાધારક બન્યા છે એને બદલે થોડાક સન્મુખરાય પણ બન્યા હોત ...{{Poem2Close}}
<center>૦</center>
<center>૦</center>
'''કમલ વોરા'''
{{Poem2Open}}કલ્પનની આવી થોડીક અ-સુગમ ગલીઓ કમલ વોરાની કવિતામાં પણ દેખાય છે પરંતુ એમનામાં જે ગમ્ય અને રમણીય છે ત્યાંથી શરૂ કરીએ. કમલભાઈ પૂરા સૌમ્ય ને નમ્ર, એમની કવિતા જેવા જ મિતભાષી. (પણ એમની કલ્પનાવલી જેવા દુર્ગમ નહીં, સહજ અને સુગમ છે). વિદ્યાજગતમાંથી નહીં પણ વ્યવસાયજગતમાંથી આવે છે, છતાં – કદાચ એથી જ? – એ પારદર્શક વ્યક્તિત્વવાળા છે.
કમલ મુખ્યત્વે કલ્પનોના, દૃશ્ય કલ્પનોના કવિ છે. ક્યારેક કોઈ ઍબસ્ટ્રેક્ટ ચિત્રકૃતિના કળાકાર જેવા. કોઈ એક વસ્તુવિષયને કે પદાર્થને કે ઘટકને કેન્દ્રમાં રાખતી ગુચ્છવાહી કવિતા એમનો વિશેષ છે. એમ પણ કહી શકાય કે કલ્પનોની શિલ્પશ્રેણીથી રચાતાં કાવ્યસ્થાપત્યો એમની કવિતાનો વિશેષ છે. એમના પહેલા કાવ્યસંગ્રહ ‘અરવ’(૧૯૯૧)માંની ‘પતંગિયું’ ગુચ્છ, ‘કાગડો’ ગુચ્છ જેવી રચનાઓથી એ ધ્યાનપાત્ર બનેલા.
એમની આખી કૃતિ આપણને પકડાય નહીં કે આપણી ઊંડણમાં આવે નહીં તો પણ એમાંનું તરલ મૂર્તિકરણ તો આસ્વાદ્ય રહે જ છે. ‘પતંગિયું’ ગુચ્છમાં અમૂર્તનું પણ મૂર્તિકરણ છે ને જે મૂર્ત છે એનું નવેસર મૂર્તિકરણ છે. જુઓ : ‘પતંગિયાની રંગબેરંગી ઊડાઊડ’ રંગબેરંગી પતંગિયું એમ નહીં, પણ એની ઊડવાની ક્રિયા રંગબેરંગી – અવકાશના કૅન્વાસ પર તરલ રંગપટ્ટા-સ્ટ્રોક્સ-આલેખાય છે ને એટલે જ પવન પણ અમૂર્ત રહી શકતો નથી – ‘પવનના એક પછી એક દરવાજા ઊઘડતા જાય છે’. કોઈ વિદ્યાર્થી પૂછી બેસે કે આ ‘રાતું પતંગિયું’ કાવ્ય એ ઊઘડતા પ્રભાતનો સંકેત કરે છે? તો જવાબ આપ્યા વગર આગળ વધવાની છૂટ છે. કેમકે આગળ, સ્પર્શનો અનુભવ પણ દૃશ્ય રૂપે જ સાક્ષાત્‌ થયેલો જોવા મળવાનો છેઃ
::હું
::::પતંગિયું પકડું
::::::ને
::::::::મારા હાથમાં આવે છે
::::::::::તારી આંગળીઓ.      (ગુલાબી પતંગિયું)
પણ આ આખા કાવ્યગુચ્છની ગતિ જુઓ : રંગો લુપ્ત થવા માંડે છે, ક્રમશઃ શ્વેત પતંગિયું અને રંગ વગરનું પતંગિયું. એટલું જ નહીં, ગુચ્છના છેલ્લા કાવ્યનું શીર્ષક છે : ‘આ પતંગિયું નથી’ ને એ પછી કોઈ પંક્તિ વિનાનો નર્યો અવકાશ છે. કવિ આપણને રંગદૃશ્યવૈવિધ્યમાંથી આવી રંગદૃશ્યવિલુપ્તિમાં લઈ જાય છે. કવિતા પાસેથી આથી વધારે આપણે શું માંગીએ?
‘કાગડો’ ગુચ્છમાં પહેલો કાગડો તો બિલકુલ શિલ્પાવસ્થામાં છે :
::શ્વેત
::::હિમાચ્છાદિતશૈલમાળઉન્નત શિખરે
:::::::::: સ્થિર
:::::::::::::::::   નિષ્કંપ
:::::::::::::::::::::::     એક
::::::::::::::::::::::::::::::       કાળો
:::::::::::::::::::::::::::::::::કાગડો
– કેવું નક્કર નિષ્કંપ શિલ્પ. જે સકંપ છે તે તો આકાશ અને વાદળો છે, જે પેલા શ્વેત હિમશિખરને ‘શ્વેતનું ભૂરું થવું અને ભૂરાનું શ્વેત’ એવાં રૂપાંતરોમાં પલટે છે પણ કાગડો રંગ-નિર્લિપ્ત પણ છે – એટલે કાવ્યમાં એ પ્રભાવક કલ્પનરૂપે ઊપસે છે. પણ છેલ્લે જતાં એ પ્રવાહી બનીને ‘ઢોળાઈ રહ્યો છે.’ આ ક્રિયાપદ જ નહીં, રૂપાંતરની ગતિ પણ જુઓ : ‘કાગડો/ ઢોળાઈ ગયો છે કાગળમાં’ જાણે કે શાહીના ટીપા રૂપે, અક્ષર થઈને. પણ છેવટે તો ‘સફેદ ઉજાસે/ છેક છેલ્લું કાળું બુંદ/ ભૂંસી લીધું છે.’ નક્કર શિલ્પ જેવા દૃશ્યથી લઈને દૃશ્યવિલુપ્તિ સુધીની ગતિ – એ આ ગુચ્છની પણ ઓળખ બને છે, એ મારું વાચન છે.
એક બીજી વાત. કમલની સર્વાધિક કવિતામાં સંવેદનનો ઉદ્‌ગાર નથી પણ સંવેદનનો દૃશ્યાવતાર છે. જેમકે ‘કોરા કાગળ’ ગુચ્છની રચનાઓ. અહીં સર્જનેચ્છા અને સર્જનક્રિયાની એક તાણભરી – ટૅન્શન આલેખતી – કવિસંવેદના છે, એમાં સર્જનની અનિવાર્યતાની સાથે જ એની વિતથતા પણ નિરૂપણ પામી છે. એક તરફ, કવિ આલેખે છે કે જો ‘કાળ/ લુપ્ત કરે છે જ્ઞાનને/ અજ્ઞાનને/.../ નામને /.../ વસાહતોને’ તો પછી ‘હું કાગળ કોરો રાખું છું’ તો બીજી બાજુ સર્જનની અનિવાર્યતા આ રીતે આલેખન પામી છેઃ
::શ્વેત ઝંઝાવાતોને
::::સ્યાહીના ઉત્કંઠ ઉન્માદોને
::::::અંગુલિનાં અવશ કંપનોને આંતરી
::::::::હાથમાં લીધેલા કાગળને એવો ને એવો
::::::::::કોરો રાખવો
::::::::::::કપરું છે    (કૃતિ ૮)
અહીં કવિ તરીકે કમલની શોધ ‘તસુ કોરી જગા’ની, એટલે કે અવકાશની, સ્પેસની છે. જુઓ :
::શબ્દો ઘોંઘાટિયા અરાજક બેકાબૂ
::::ઊપસી આવ્યા છે કાગળમાં
::::::હું
::::::::ખચ્ચ્‌ ખેચું છું
::::::::::તસુ કોરી જગા મળી આવે.
પૂરાં વાક્યોનો તો શું, ક્યારેક તો વિશેષણો કે સંયોજકોનો પણ ઉપયોગ કર્યા વિના અર્ધવિલુપ્ત દૃશ્યરચના કે કલ્પનરચના જ આપણી સામે મૂકતા આ કવિ આપણને વાચક તરીકે ઘણીવાર મૂંઝવે છે – કાનજીથી જુદી રીતે પણ એટલી જ માત્રામાં પજવે છે. સંદિગ્ધ અને દુર્બોધનો આ વિકટ માર્ગ છે. ને એ રીતે કમલની કેટલીક કવિતા દુર્ગમ રહી જાય છે.
પણ એ બધાની વચ્ચે ‘બજારમાં’ કમલની વિલક્ષણ રચના છે – પૂરેપૂરાં વાક્યો જ નહીં, અહીં તો નિરાંતવું વર્ણન પણ છેઃ
::::    બોરાં લઈ બેઠો છું બજારમાં
::::::ગામ નાનું માણસ ઝાઝું
::::::::તે બોરીઓ ભરી ભરીને
::::::::::ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં.
પછી મરમાળી વાત પણ મુખર થઈને હારબંધ પંક્તિઓમાં આવી છે. એ બધી વાંચતો નથી – કેટલીક જ જોઈએ : ‘બૂમો પાડે તે વધુ બોર વેચે છે, / ગાઈવગાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે / [...] / કોઈ જોડકણાંનો શોર મચાવે છે / કોઈ ટુચકાઓ વેરે છે.’
પણ છેલ્લો અંશ જરાક લાક્ષણિક છે :
::હુંય મારાં બોર લઈ આવ્યો છું
::::ને ચાખી ચાખી
::::::એક એક બોર અલગ કરતો જતો
::::::::બેઠો છું બજારમાં
::::::::::ચૂપચાપ.
આ વાંચતાં કોઈને શબરીકથા મનમાં ધસી આવે કે કોઈને ભવભૂતિ યાદ આવે ‘ઉત્પસ્યતેઽસ્તિ મમ કોઽપિ સમાનધર્મા...’ તો એ સ્વાભાવિક છે. પણ મને લાગે છે કે, આવો પ્રતીક્ષાનો સંદર્ભ બાદ કરી નાખીએ તો ચૂપચાપ બોરનો જ સ્વાદ લેતા – અંતર્મુખ ને મનમસ્તીવાળા કોઈ વ્યક્તિનું, કહો કે કોઈ કવિનું ચિત્ર ઊભું થાય છે. ને એ મને વધુ આસ્વાદ્ય લાગે છે. 
‘વાર્ધક્યશતક’ નામે કવિનો આગામી સંગ્રહ આવે છે – એ વિષયનાં ઠીકઠીક કાવ્યો સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે પણ હજુ આ કાવ્યો વિશે કંઈ કહેવું એ વહેલું ગણાય. જો કે કમલની કવિતાનું આ કંઈક અલગ રૂપ છે – વૃદ્ધત્વ, એની મૂંઝવણો, વિતથતા, ભંગુરતા, મૃત્યુ એવાં એવાં સંવેદનોની કોઈ જટિલ કલ્પનરેખાઓને બદલે કવિએ અહીં હળવાશભરી કથાશૈલીનો ને કથનાત્મકતાનો આધાર લીધો છે. કવિ આલેખનની ચુસ્તીમાંથી કંઈક છૂટી રહ્યા છે કે શું? જુઓ :
::ડોશી કહેતી
::::એ સમજણી થઈ ત્યારથી
::::::કાળો સાડલો પહેરતી,
::::::::ઘોડિયાં લગ્ન લીધેલો વર,
::::::::::મૂછનો દોરો ફૂટે તે અગાઉ
::::::::::::મરકીમાં ખપી ગયો હતો એ કારણે.
::::::::::::::એને સાત રંગોનો સરવાળો
::::::::::::::::હંમેશાં કાળો
છેલ્લી બે પંક્તિઓ, ઉપરના નર્યા કથનને કવિતામાં પ્રવેશ કરાવે છે.
એક બીજી વાત. કમલની કવિતા વાંચતાં ક્યારેક ક્યારેક મને એમાં કોઈ રહસ્યમય વિશ્વનો અણસાર આવે છે – કોઈ આધિભૌતિક  કે ધાર્મિક કે આધ્યાત્મિક વિશ્વ, એવા અર્થમાં નહીં પણ અસ્તિત્વના સંદર્ભોને પામવાની કવિની મથામણના અર્થમાં, મને એ રહસ્યગર્ભ લાગે છે. એમની કલ્પનગૂંથણી વાળી રચનાઓમાં પરસ્પરવિરોધી જે દ્વંદ્વો છે ને એમાંથી દ્વંદ્વવિલુપ્તિ તરફની કવિની જે ગતિ છે : શ્વેત શિખરો અને કાળો કાગડો; પારદર્શક, હળવો કોરો કાગળ અને ધસી આવતા કાળા અક્ષરો, સર્જનેચ્છા અને અનિચ્છા – એ દ્વંદ્વોમાંથી કોઈ ત્રીજી સ્થિતિમાં ઊંડે ઊતરતી એક ખોજ પણ છે. જેમ કે : ‘કોરા કાગળ’ ગુચ્છની એક કૃતિમાં આવે છે એમ ‘શું છે આ નિર્મમ, ઠંડીગાર સફેદી હેઠળ?’ (કૃતિ ૧૦)
અને મારું વધારે ધ્યાન ગયું છે ‘અનેક એક’ એ સંગ્રહ(૨૦૧૨)માંની ‘દ્વિધા’ કૃતિ તરફ (પૃ. ૩૪-૩૫). એનો આરંભ સૂચક છે : ‘અક્ષરો અને કાગળની વચોવચ છું/ એકાકી.’ પછી કહે છે, કાગળનું આ કોરાપણું ‘અગાધ ઊંડાણમાં તાણી જવા જાય એવી ક્ષણે અક્ષરોને ઝાલી ઊગરી જાઉં છું.’ પણ વળી આ ‘અજવાળાની આકર્ષક કોતરણીમાંથી વહી જતો હોઉં ત્યારે/ વાદળોની પછીતે/ આકાશની નિર્લિપ્ત નીરવતાની ઝાંખી થઈ જાય/ અને અક્ષર-કાગળ અળગા થઈ જાય.’ કાવ્યાન્તે એક પ્રશાન્તિની ક્ષણ છે :
::અક્ષરો અને કાગળની વચ્ચેના આકાશમાં
::::નિઃશબ્દ રહી
::::::બેઉ તરફના આવેગને ખાળું છું.
મને એકાએક ‘શ્રાવણી મધ્યાહ્ને’(રાજેન્દ્ર શાહ)નો અંત યાદ આવે છે. કમલમાં દૃશ્ય કલ્પનોનું આધિક્ય છે, ને આધિપત્ય પણ છે, પરંતુ કવિનું ચિત્ત છેવટે તો અદૃશ્યમાં – ‘આકાશની નિર્લિપ્ત નીરવતા’માં ઢળે છે.
એમાંથી એમની કવિતાની દુર્બોધતા અંગે પણ એક સંકેત મળે છે. અલબત્ત, એનો કોઈ આખરી ઉકેલ તો નથી જ મળતો.{{Poem2Close}}
<center>૦</center>
જયદેવ શુક્લ
કવિ તરીકે કમલ વોરા ઝીણવટવાળા ચિત્રકલાકાર લાગે તો જયદેવ શુક્લ બહુકલાકાર. કેટલાક કહે છે કે બધી કળાઓ પી-પીને જ એમને પિત્ત થયો છે. કળાના સંસ્કારો બાળપણથી ને શાળાજીવનથી જ મળ્યા, પ્રાચીન પરંપરાના યજુર્વેદિક કર્મકાંડી બ્રાહ્મણ-સંસ્કારો ઘરમાંથી મળ્યા ને ભોજનના સ્વાદ-સંસ્કારો સૂરતમાંથી. એમની સૌંદર્યદૃષ્ટિનો વ્યાપ કલાત્મક કંકોતરી ચીતરવાથી માંડીને પ્રકૃતિની કમનીયતા માણવા સુધીનો. હા, જયદેવ અભ્યાસશીલ અધ્યાપક પણ છે.
જયદેવના કવિવ્યક્તિત્વની આ પીઠિકા છે. હવે કવિતા.
જયદેવે તાલકાવ્યો લખ્યાં એ દિવસોમાં કવિમુખે થતા એના પઠનથી રોમાંચ થતો ખરો પણ પછી બધાંથી એ કાવ્ય-કૃતિઓ તરીકે પૂરાં પકડાતાં નહીં. સિતાંશુના ‘ટૅન્ક તળે’ કરતાં આ જુદું છે એવું લાગ્યા કરતું પણ પરિણામમાં ફેર ન પડતો. હવે તો એ કાવ્યો ખુલ્લાં થયાં છે. (તાલકાવ્યો સાથે એમનું ‘જલસો’ પણ વાંચવું જોઈએ.) પણ ત્યારેય એનો નાદવૈભવ તો ધ્યાનપાત્ર બનેલો જ. એ પછી તો બીજા વૈભવો પણ – દર્શનના સ્પર્શના સ્વાદના ગંધના સઘન ઇન્દ્રિયાનુરાગી વૈભવો પણ એમની કવિતામાં ખૂલતા ગયા. પ્રફુલ્લ કામાવેગોના અને રતિક્રીડાના ધ્વન્યાર્થો આપતાં કલ્પનો એમની કાવ્યરચનાઓમાં, ક્યાંક દુર્બોધ રહીને પણ એક જીવંત સ્પર્શ તો આપતાં રહ્યાં જ – એટલે કે અચળ કે ઠંડાં ન રહ્યાં. આજેય એમ કહેવાય કે, આરંભકાળે એમના પર હતી એ કલ્પનવાદની ભૂરકી પણ ખાસ્સી લેખે લાગી છે.
જયદેવની કવિતામાં ચિત્રકળાની સાથે જ ચલત્‌ ચિત્રકળાના સંસ્કારો પણ ઝિલાયા છે. એટલે, ધ્વન્યાર્થ ઝિલાય એ પહેલાં પણ જેમકે, ‘બેઠેલો નંદી ઊછળે છે’ એવી અભિવ્યક્તિ રોમાંચક બને છે. ગોદારની ફિલ્મના પ્રભાવને આલેખતું કાવ્ય તો એક વિશિષ્ટ અનુભવના આલેખનરૂપ છે. પરંતુ સંગીત-ચિત્ર-ફિલ્માદિ કળાઓના જયદેવના આસ્વાદ-સંસ્કારો એમના ઇન્દ્રિયાનુભવો સાથે સંયોજિત થઈને જ, ક્યારેક તો કલવાઈને, કાવ્યરૂપે અવતર્યા છે અને એથી એક નોખો સંવેદના-વ્યાપ એમાં અનુભવાય છે.
બીજું, જયદેવની ઇન્દ્રિયાનુરાગી કવિતામાં કેવળ ઇન્દ્રિયવ્યત્યયને બદલે – એટલે કે કોઈ વૈકલ્પિક ઇન્દ્રિયસંચારને બદલે, વધુ તો, એક સાથે એકાધિક ઇન્દ્રિય-સંવેદનનો યુગપત્‌ સંચાર છે, એની નોંધ લેવી જોઈએ. તરત દૃષ્ટાંત આપીએ તો ‘પરોઢ’ કાવ્યમાં ‘કેસરિયા સ્વર જેવો શ્રાવણ’ એમ સાંભળીએ છીએ ત્યારે રંગ અને નાદ અને સ્પર્શનો યુગપત્‌ અનુભવ મળે છે. ‘ભૈરવી-મઢ્યું પરોઢ / પાંખો ફફડાવતું ઊડ્યું!’ એમ સાંભળતાં જ નાદ અને દૃશ્યનો તુલ્યબળ આસ્વાદ મળે છે. ‘વૈશાખ’ કાવ્યમાં ‘આંબા પર ઢોળાયેલો વેરાયેલો ખાટો લીલો’ એમાં પણ એ જ સંયોજિત ઇન્દ્રિયરાગલીલા છે. ‘ઢોળાયેલો’ એવા ક્રિયાપદ પર આપણું ધ્યાન જાય તો ખટાશ અને લીલાશની એકરૂપતા વધુ પરખાય. બધા ઇન્દ્રિય-અનુભવો જયદેવવમાં સહ-ચર બની રહે છે. એ પૂરેપૂરું વિરલ નહીં તો પણ ખાસ્સું વિશિષ્ટ છે, ને એમના કવિકર્મનો સ્પૃહણીય અંશ છે.
જયદેવની કવિતામાં, ખાસ કરીને પ્રથમ સંગ્રહ ‘પ્રાથમ્ય’-કાળની કવિતામાં એક ‘સડસડાટ’ પણ છે – એટલે કે વેગ છે, દ્રુતગતિ છે. તાલકાવ્યોમાં આ દ્રુતગતિ તરત પકડાય એવી મુખર છે, પણ અન્ય કાવ્યમાં પણ એ છે. ‘વ્રેહસૂત્ર’ જયદેવનું એકમાત્ર લાંબું કાવ્ય છે. (બીજું એક છે લાંબું : ‘હા ભઈ હા, બધે બધ પડે જ છે.’ (‘બીજરેખા૦’, પૃ.૧૪) પણ એ કાવ્ય થયા વિના જ લાંબું થઈ ગયેલું છે.) આ ‘વ્રેહસૂત્ર’ કાવ્યમાં નિરૂપણ પામેલા સમયના લાંબા અંતરાલને, વેગથી વટાવતી ગતિ છે એ કારણે લંબાણનો અનુભવ થતો નથી. વળી એમાં, ક્રિયારૂપો-કૃંદતોનો, અને પ્રશ્નોદ્‌ગારોનો ધસમતો આ-વેગ છે – કાવ્યારંભે જ એક લાંબું વાક્ય આવી કૃંદત-માળાથી, એકશ્વાસે ઉચ્ચારાય છે.
મૂળને સૂંઘતો સંવેદતો પ્રસરતો વરસતો તરસતો ટળવળતો ગાતો વાતો હસતો ભાગતો વાગતો ખાળતો ચાલી રહ્યો છું.
                              (પ્રાથમ્ય, ૮૧)
હવે એના તાજા કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’ [ટૂંકાં ટૂકાં કાવ્યો લખનારે પુસ્તકનું નામ લાંબું લાંબું રાખ્યું છે ને કંઈ!] એમાંનાં ત્રણ ગુચ્છકાવ્યોની વાત કરું :
પહેલું લઈએ સ્તનસૂક્ત. જયદેવે આ સ્તનકાવ્યો લખ્યાં એ પહેલાં રતિક્રીડાનાં કાવ્યો લખેલાં છે – એમાં કોઈને કદાચ વિપર્યય લાગે! પણ, એમાં પ્રગલ્ભતાનો અવળો ક્રમ નથી. સ્તનકાવ્યો શિલ્પાકૃતિઓ જેવાં રહીને પણ રતિકાવ્યો કરતાં વધુ પ્રગલ્ભ, વધુ ઇરોટિક બન્યાં છે. જોકે, કવિના ટેરવાંની અંદર ભલે લોહી ધસમસતું હોય પણ ટેરવાંની બહાર તો ટાંકણા પર બરફ મૂકીને જ કવિએ કોતરકામ કર્યું લાગે છે. એને લીધે વાચકોને આ કાવ્યોમાં – એમાંની જ પંક્તિ લઈને કહીએ તો : ‘ઝૂમખાંની રસદાર કાળી દ્રાક્ષ’નો સઘન સ્વાદાનુભવ મળશે એની સમાન્તરે જ સંયત કળાકૃતિ પામ્યાનો અનુભવ પણ મળવાનો.
આ ૧૨ કાવ્યોમાં એક આનુપૂર્વી, એક ક્રમ પણ વાંચી શકાય એમ છે – પહેલા કાવ્ય ‘હરિણનાં શિંગડાંની અણી જેવી / ઘાતક તામ્ર-શ્યામ ડીંટડીઓ / ખૂંપી ગઈ છાતીમાં / પ્હેલ્લી વાર!’-માં, પ્રથમ આલિંગનનો અનુભવ આલેખાયો છે, ત્યાંથી લઈને છેલ્લા કાવ્ય ‘રણઝણતી ટેકરીઓ પર, / સર્વત્ર / શરદપૂનમનો તોફાની ચાંદો આખ્ખેઆખ્ખો વરસ્યો.../ આકાશ / ભરપૂર ખાલીખાલી...’માંના પૂર્ણ સાયુજ્ય સુધીનાં ‘તસબસ’ અનુભવ-બિંદુઓ આ કાવ્ય-આકૃતિમાં ઝિલાયાં છે – એને કવિકર્મ ખાતે પણ જમા લેવાં જોઈએ.
આ કાવ્યોને હું સૌંદર્યમંડિત શિલ્પાવલી કહીશ કેમકે અહીં દૃશ્યો તો છે જ પણ એ ચિત્રકૃતિઓનાં નહીં, તરલ રહેતી શિલ્પકૃતિઓનાં છે. એક દૃષ્ટાંત લઈએ :
કાવ્યનાં
તંગ જળમાં
ડોલે છે
એ તો ફાટફાટ થતાં
કમળો જ!
અગાઉ કહ્યું તે, ‘એકાધિક ઇન્દ્રિય-સંવેદનના યુગપત્‌ સંચાર’ના દૃષ્ટાંતરૂપ એક કૃતિ સાથે ‘સ્તનસૂક્ત’ની વાત પૂરી કરું;
ચૈત્રી ચાંદની
અગાશીમાં
બંધ આંખે
સ્પર્શ્યા હતા હોઠ
તે તો ઝુમખાની
રસદાર
કાળી દ્રાક્ષ!  (બીજરેખા૦’, પૃ.૬૨)
હવે નાયિકાગુચ્છ. આપણા પ્રાચીન-મધ્યકાલીન સમયથી આજસુધીના કવિઓએ વિપ્રલંભની કવિતા કરી છે, એમાં ઉત્તમ કવિતા પણ છે. પરંતુ જયદેવના આ વિપ્રલંભના સંવેદનમાં કાવ્યો વિયોગ કે મિલન-સ્મરણનું કોઈ પૂર્ણરંગી ચિત્ર આલેખવાને બદલે વિવિધ સાહચર્યોનાં કેવળ રેખાંકનોથી કામનાનાં સંવેદન રેખાંકિત કરી આપે છે.
વિયોગ-સમયનાં ઘણાં લાક્ષણિક રૂપો આ દસ-બાર કૃતિઓમાં આલેખાયાં છે. અનુપસ્થિત નાયિકાની સતત યાદ આપ્યા કરે એવાં સાહચર્યોનો, ઘરમાંનો શૃંગાર-ઠાઠ પણ કેવો છે! – કોલ્ડ કૉફી, મોગરા-જૂઈનું સુગંધિત સ્નાનજળ, પુષ્પોની ભાતવાળી રેશમી, હા રેશમી ચાદર... રુચિર, અને ઉત્તેજક! સાવ સાદી લાગતી સામગ્રી પણ ક્યાંક તો કેવી ઉદ્દીપક બની જાય છે : નાયક દાઢી કરવા જાય છે ને સ્મરણમાં ઝબકે છે નાયિકાનો આલિંગન-ઇચ્છાને સંકેતતો ઉદ્‌ગાર : ‘આ આફ્ટર-શેવની સુગંધ / મને બઉ એટલે બઉ જ ગમે.’ નાયકની વ્યાકુળતાને કવિએ સતત મિલન-ઉત્કટતાથી ભરેલી રાખી છે.
નાયિકાના ઉદ્‌ગારવાળું ‘આગમન’ કાવ્ય ફિલ્મની ટૅકનીકને યોજે છે. એમાંના સંયોજિત તથા દૃશ્ય-અંશો, ઘરે પહોંચવાની નાયિકાની અધીરતાને અને પોતાની ગેરહાજરીમાં ઘરની કેવી તો દશા હશે એની ધારણાને ગતિ આપે છે :
ટેબલ-પલંગ પર ઊંધાં-ચત્તાં પુસ્તકોના ઢગલા...
ને સિગરેટની રાખથી
ઊભરાતું હશે ઘર
ઘરે પહોંચ્યા પછી નાયિકાનો અપેક્ષાભંગ કેવો પ્રહર્ષક બને છે :
તાળું ખોલું છું.
પગથિયાં ચડતાં જ
‘સ્વાગતમ્‌’નું ચિતરામણ.
ધૂપસળીની સુવાસ
ને ચાંદી જેવું ચોખ્ખું
ઘર...
‘લુ...ચ્ચો...’  (બીજરેખા૦, ૪૬)
એ અંત નાટ્યાત્મક છે એટલો જ વ્હાલ-ઉત્તેજક પણ છે.
પાત્રોદ્‌ગારો, સંવાદો અને કથનમાં હળવી ગતિએ વહેતાં આ કાવ્યો, કલ્પનોના કંઈક ચુસ્ત દોર પર ચાલતી જયદેવની પૂર્વકવિતામાં એક નવું પરિમાણ ઉમેરે છે.
એવી જ કથન-સંવાદની રીતિ જનાન્તિક ગુચ્છનાં કાવ્યોની પણ છે. આ કાવ્યોમાં પિતાનો ખાલીપો અને ઝુરાપો વર્તમાન-ભૂતકાળની સહોપસ્થિતિઓ થકી આલેખન પામ્યો છે – એમાં સરળ કાવ્યપ્રયુક્તિઓ પણ અસરકારક બની રહી છે. જો કે લાગણીનો કંપ અહીં ક્યારેક કવિ-સંવેદનને હલાવીને કૃતિની બહાર પણ નીકળી ગયો છે. જો કે લગભગ દરેક કાવ્યને અંતે ભાવાર્દ્રતાની નાજુક ક્ષણ આવી જતી હોવા છતાં એ વેદનાનું કાવ્યરૂપ તો બરાબર કંડારી શકાયું છે. ‘બૂટ પરથી ધૂળ રેલાય’ એ કાવ્ય તો ધ્વન્યાર્થની ચુસ્તીવાળું પણ બન્યું છે. આ કાવ્યો વિશે અલગ વિગતે લખવું જોઈએ.
કેટલાક બિનંગત સંદર્ભો-વિષયોનાં કાવ્યોમાં પણ અંગત સંવેદનનો સંચાર લાક્ષણિક બન્યો છે. ‘ગબડાવી દે, ફંગોળી દે...’  કાવ્યમાં, રૂઢ સંસ્કાર તળે દબાયેલી સંવેદના એકાએક જ બહાર ઊછળી આવે છે. પહેલાં એક સમજ પ્રગટે છે : ‘ગાય માટે કાઢેલું / ભૂંડને ખાતાં જોઈ / ઉગામેલો હાથ / અચાનક / હવામાં સ્થિર.’ પણ પછી કવિ-સંવેદના જ, ભૂંડ માટે પ્રગટતા વહાલ રૂપે સર્વોપરિ બનતી જાય છે –
ચૂંચી આંખે
લાંબા નાકે
ઊકરડા ચૂંથતા ભૂંડને
ઊંચકી લેવા
લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે?
અંતનો આક્રોશ પણ આ સંવેદનની જ તીવ્રતાને ધ્વનિત કરે છે.
જયદેવની કવિતામાં સંવેદનનાં રૂપો-પરિમાણો સ્પૃહણીય બને છે.
અનુ-આધુનિકતાં જે અનેકવિધ રૂપો આ ચારે કવિઓમાં, ને આ સમયના અન્ય કવિઓમાં પણ, પ્રગટતાં રહ્યાં છે એણે કોઈ એક મુખ્ય ધારાને કે કોઈ વાદના અગ્રણીપણાને કે મુખીપણાને બાજુએ રાખીને એક મોકળાશને, વૈવિધ્યની સમાન્તરતાને અવકાશ કરી આપ્યો છે. પરંતુ, એ અવકાશ જ આ સમયની કવિતા માટે પડકારરૂપ પણ છે; ને દરેક કવિએ જ નહીં, એની દરેક દરેક કૃતિએ, ‘કાવ્ય’કૃતિ તરીકે પોતાનું આગવાપણું અંકિત કરી આપવાનું થશે. એ અર્થમાં જ અનુ-આધુનિક કવિતા એક ઉત્સવ બની રહે.
૦૦૦
26,604

edits

Navigation menu