34,174
edits
No edit summary |
(+1) |
||
| Line 6: | Line 6: | ||
આ લેખકને એક વાર સદ્ગત મણિશંકર ભટ્ટ જોડે કલાપી અને મણિભાઈ નભુભાઈનાં કાવ્યો સંબંધી ચર્ચા થયેલી ત્યારે તેમણે કહેલું કે કવિનું જીવન તેના કાવ્યમાં પ્રગટ થયા વિના રહે જ નહિ. આ વિધાન તેમનાં પોતાનાં કાવ્યોને બરાબર લાગુ પડે છે. પૂર્વાલાપનાં કાવ્યોને તેમના જીવન સાથે જીવંત સંબંધ છે. વિશેષ શું, પૂર્વાલાપ નામને પણ તેમના જીવન સાથે સંબંધ છે. | આ લેખકને એક વાર સદ્ગત મણિશંકર ભટ્ટ જોડે કલાપી અને મણિભાઈ નભુભાઈનાં કાવ્યો સંબંધી ચર્ચા થયેલી ત્યારે તેમણે કહેલું કે કવિનું જીવન તેના કાવ્યમાં પ્રગટ થયા વિના રહે જ નહિ. આ વિધાન તેમનાં પોતાનાં કાવ્યોને બરાબર લાગુ પડે છે. પૂર્વાલાપનાં કાવ્યોને તેમના જીવન સાથે જીવંત સંબંધ છે. વિશેષ શું, પૂર્વાલાપ નામને પણ તેમના જીવન સાથે સંબંધ છે. | ||
તેમ છતાં આ જગાએ કવિનું જીવનચરિત્ર આપવાનો ઉદ્દેશ નથી, તેને માટે લેખકની વ્યક્તિગત અને પ્રસંગગત મર્યાદાઓ ઘણી ટૂંકી પડે. માત્ર કાન્તના જીવનના જે જે મુખ્ય બનાવોને તેમના સાહિત્યજીવન સાથે ઓછોવત્તો સંબંધ છે તેના પરિચય પૂરતી રૂપરેખા આપવાનો ઉદ્દેશ છે. | તેમ છતાં આ જગાએ કવિનું જીવનચરિત્ર આપવાનો ઉદ્દેશ નથી, તેને માટે લેખકની વ્યક્તિગત અને પ્રસંગગત મર્યાદાઓ ઘણી ટૂંકી પડે. માત્ર કાન્તના જીવનના જે જે મુખ્ય બનાવોને તેમના સાહિત્યજીવન સાથે ઓછોવત્તો સંબંધ છે તેના પરિચય પૂરતી રૂપરેખા આપવાનો ઉદ્દેશ છે. | ||
સદ્ગત મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ ઈસવી સન ૧૮૬૮ના નવેમ્બરની | સદ્ગત મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ ઈસવી સન ૧૮૬૮ના નવેમ્બરની ૧૦મી<ref>તારીખો આપવામાં એક ધોરણ સાચવવા સર્વત્ર ઈસવી સનનો જ ઉપયોગ કર્યો છે - કોઈ કોઈ જગાએ કઢંગું લાગે છે છતાં.</ref> | ||
</ref> તારીખે કાઠિયાવાડમાં લાઠી પાસે ચાવંડ ગામમાં પ્રશ્નોરા જ્ઞાતિમાં થયો હતો. આ જ્ઞાતિ વિદ્યાવિલાસી છે. મણિભાઈના પ્રપિતામહ મુકુંદને કવિયશ પ્રાપ્ત થયેલો અને એમના પેઢીનામાં બીજા ગ્રંથકારો પણ દેખાય છે. | </ref> તારીખે કાઠિયાવાડમાં લાઠી પાસે ચાવંડ ગામમાં પ્રશ્નોરા જ્ઞાતિમાં થયો હતો. આ જ્ઞાતિ વિદ્યાવિલાસી છે. મણિભાઈના પ્રપિતામહ મુકુંદને કવિયશ પ્રાપ્ત થયેલો અને એમના પેઢીનામાં બીજા ગ્રંથકારો પણ દેખાય છે. | ||
મણિભાઈને બહુ નાની વયથી કવિતા કરવાનો શોખ હતો. એ અરસામાં ગુજરાતના સૌથી વધારે લોકપ્રિય અને ઉત્તમ કવિઓ બે જ ગણાતા : દલપતરામ અને નર્મદાશંકર. તેમાં વસ્તુ, ભાવ અને શૈલીથી તેમજ વાચનમાલામાં તેમની ઘણી કવિતાઓ આવેલી હોવાથી બાલમાનસને વધારે સુગ્રાહ્ય દલપતરામ હતા. આથી તે સમયમાં ઊગતા કવિઓનાં પ્રથમ કાવ્યો દલપતશૈલીનાં થાય એમાં નવાઈ નથી. મણિભાઈએ ૧૪–૧૫ વરસની વયે ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ નામનો ચારણી કિસ્સો લખ્યો હતો. તેમાંની થોડી લીટીઓ | મણિભાઈને બહુ નાની વયથી કવિતા કરવાનો શોખ હતો. એ અરસામાં ગુજરાતના સૌથી વધારે લોકપ્રિય અને ઉત્તમ કવિઓ બે જ ગણાતા : દલપતરામ અને નર્મદાશંકર. તેમાં વસ્તુ, ભાવ અને શૈલીથી તેમજ વાચનમાલામાં તેમની ઘણી કવિતાઓ આવેલી હોવાથી બાલમાનસને વધારે સુગ્રાહ્ય દલપતરામ હતા. આથી તે સમયમાં ઊગતા કવિઓનાં પ્રથમ કાવ્યો દલપતશૈલીનાં થાય એમાં નવાઈ નથી. મણિભાઈએ ૧૪–૧૫ વરસની વયે ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ નામનો ચારણી કિસ્સો લખ્યો હતો. તેમાંની થોડી લીટીઓ કાન્તમાલામાં<ref>પૃ. ૩૦૩.</ref> આપી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>અને મારા પ્રાણાધાર, મારા તો હૈયાના હાર, | {{Block center|<poem>અને મારા પ્રાણાધાર, મારા તો હૈયાના હાર, | ||
| Line 14: | Line 14: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તે ઉપરથી લાગે છે કે મણિભાઈએ દલપતરામની અસર નીચે જ કાવ્યો લખવાં શરૂ કરેલાં. એ કિસ્સો ૧૮૮૩માં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમના બીજા મિત્રોએ પણ કંઈક લખેલું અને એ કૃતિમાં મણિભાઈનું વિશિષ્ટત્વ ન હોવાથી તેની બીજી આવૃત્તિ થઈ નથી. આ શૈલીની અસર પ્રસિદ્ધ કાવ્યોમાં ક્યાંય નથી. ‘સ્મિતપ્રભાને’ અને ‘અદ્વૈત’ એ બંને કવિતો છે એટલું જ, પણ તેનો ભાવ, વસ્તુ, પ્રૌઢિ સર્વ કાન્તનાં જ છે. | તે ઉપરથી લાગે છે કે મણિભાઈએ દલપતરામની અસર નીચે જ કાવ્યો લખવાં શરૂ કરેલાં. એ કિસ્સો ૧૮૮૩માં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમના બીજા મિત્રોએ પણ કંઈક લખેલું અને એ કૃતિમાં મણિભાઈનું વિશિષ્ટત્વ ન હોવાથી તેની બીજી આવૃત્તિ થઈ નથી. આ શૈલીની અસર પ્રસિદ્ધ કાવ્યોમાં ક્યાંય નથી. ‘સ્મિતપ્રભાને’ અને ‘અદ્વૈત’ એ બંને કવિતો છે એટલું જ, પણ તેનો ભાવ, વસ્તુ, પ્રૌઢિ સર્વ કાન્તનાં જ છે. | ||
કવિત્વશક્તિની જેમ વિવેચકશક્તિ પણ ઘણી નાની ઉંમરથી જ તેમણે દાખવેલી જણાય છે. તેમની સાથેના પ્રથમ મેલાપ વિશે લખતાં રા. રા. વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય કહે | કવિત્વશક્તિની જેમ વિવેચકશક્તિ પણ ઘણી નાની ઉંમરથી જ તેમણે દાખવેલી જણાય છે. તેમની સાથેના પ્રથમ મેલાપ વિશે લખતાં રા. રા. વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય કહે છે<ref>કાન્તમાલા, પૃ. ૩૧૫.</ref> : | ||
“ત્યાં થોડે દૂર એક ૧૪ વર્ષનું બાલક કાંઈક શ્યામ રંગે બુદ્ધિમતાં ચક્ષુઓ સળવળ થતાં, ભરેલી નાસિકાવાળું પરંતુ સરલ ગોળ ઉત્સુક મુખવાળું. ચહેરા ઉપરથી ઓળખાણ પડ્યું કે માધવજીભાઈના ભાઈ મણિશંકર હોવા જોઈએ. અતિ શરમાળ બાળ ધીમે પગલે આવી બાજુના પથર ઉપર બેશી ગયું. એને બોલાવવાનું કાર્ય મારે શરૂ કરવું પડ્યું. | “ત્યાં થોડે દૂર એક ૧૪ વર્ષનું બાલક કાંઈક શ્યામ રંગે બુદ્ધિમતાં ચક્ષુઓ સળવળ થતાં, ભરેલી નાસિકાવાળું પરંતુ સરલ ગોળ ઉત્સુક મુખવાળું. ચહેરા ઉપરથી ઓળખાણ પડ્યું કે માધવજીભાઈના ભાઈ મણિશંકર હોવા જોઈએ. અતિ શરમાળ બાળ ધીમે પગલે આવી બાજુના પથર ઉપર બેશી ગયું. એને બોલાવવાનું કાર્ય મારે શરૂ કરવું પડ્યું. | ||
‘અહો, આવો ભાઈ, તમે મણિશંકર?’ | ‘અહો, આવો ભાઈ, તમે મણિશંકર?’ | ||
| Line 46: | Line 46: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મણિશંકરનાં કેટલાંક કાવ્ય મેં વાંચેલાં તે સંબંધે આ શ્લોકની છેલ્લી બે લીટીઓ લખી હતી. મણિશંકરની જ રીતે આ ઉત્તર મેં તેમને પહોંચાડ્યો. તેના પ્રત્યુત્તરમાં તેમણે સંસ્કૃત શ્લોક લખ્યો તેમાંના આટલા જ શબ્દો મને યાદ છે : `आत्मानं यदि अवमानयिष्ये सखे' | મણિશંકરનાં કેટલાંક કાવ્ય મેં વાંચેલાં તે સંબંધે આ શ્લોકની છેલ્લી બે લીટીઓ લખી હતી. મણિશંકરની જ રીતે આ ઉત્તર મેં તેમને પહોંચાડ્યો. તેના પ્રત્યુત્તરમાં તેમણે સંસ્કૃત શ્લોક લખ્યો તેમાંના આટલા જ શબ્દો મને યાદ છે : `आत्मानं यदि अवमानयिष्ये सखे' | ||
આ મૈત્રી આગળ વધતી જાય છે. ‘મારી કીસ્તી’ એ કાવ્ય સૌથી પ્રથમ બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થવા મોકલ્યું રા. બ. રમણભાઈએ. અને તે પછી ‘અતિજ્ઞાન’ ગુજરાત દર્પણમાં. ‘વસંતવિજય’ તો તેમણે પોતાની લાંબી ટીકા સાથે પ્રસિદ્ધ કરાવેલું. | આ મૈત્રી આગળ વધતી જાય છે. ‘મારી કીસ્તી’ એ કાવ્ય સૌથી પ્રથમ બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થવા મોકલ્યું રા. બ. રમણભાઈએ. અને તે પછી ‘અતિજ્ઞાન’ ગુજરાત દર્પણમાં. ‘વસંતવિજય’ તો તેમણે પોતાની લાંબી ટીકા સાથે પ્રસિદ્ધ કરાવેલું.<ref>યુગધર્મ, પુ. ૨, પૃ. ૪રર,</ref><ref>૫. પૃ. ૨૮૮થી ૨૯૭.</ref>તે પછી પણ બંને મિત્રો વચ્ચે આપણી સામાજિક સ્થિતિની, કાવ્યની, ધર્મની રસમય ચર્ચા પત્રો દ્વારા ચાલેલી છે. આ પત્રોમાંથી કેટલાક ઉતારા કાન્તમાલામાં૫ આપેલા છે જેથી મણિભાઈના વિચાર અને કેટલાક આશયો ઉપર ઘણો પ્રકાશ પડે છે. | ||
કૉલેજજીવનમાં થયેલી બીજી મૈત્રી પ્રો. બલવંતરાય કલ્યાણરાય ઠાકોરની. પિછાન તો જૂની હતી પણ મૈત્રી ૧૮૮૭ની આખરે જામી. તે સાલની ફર્સ્ટ બી.એ.ની પરીક્ષા આપીને પ્રો. ઠાકોર બહાર નીકળ્યા અને અનાયાસે મણિભાઈને મળ્યા. બંને લાંબે સુધી ફરવા ગયા અને માર્ગમાં પાલ્ગ્રેવની ગોલ્ડન ટ્રેઝરી. ચોથા ભાગની કવિતાઓ, કવિઓ, વિશે ખૂબ ચર્ચા કરી ત્યાં મૈત્રીનું બીજ રોપાયું. | કૉલેજજીવનમાં થયેલી બીજી મૈત્રી પ્રો. બલવંતરાય કલ્યાણરાય ઠાકોરની. પિછાન તો જૂની હતી પણ મૈત્રી ૧૮૮૭ની આખરે જામી. તે સાલની ફર્સ્ટ બી.એ.ની પરીક્ષા આપીને પ્રો. ઠાકોર બહાર નીકળ્યા અને અનાયાસે મણિભાઈને મળ્યા. બંને લાંબે સુધી ફરવા ગયા અને માર્ગમાં પાલ્ગ્રેવની ગોલ્ડન ટ્રેઝરી. ચોથા ભાગની કવિતાઓ, કવિઓ, વિશે ખૂબ ચર્ચા કરી ત્યાં મૈત્રીનું બીજ રોપાયું.<ref>આ પારિગ્રાફની હકીકત માટે જુઓ યુગધર્મ ૪, ૨૭૪ ઉપરનો લેખ</ref> | ||
બંનેના સ્વભાવમાં મૂલગત ભેદ હરકોઈ જોઈ શકે તેમ છે. પણ એ ભેદ બંને મિત્રોના સ્વતંત્ર વ્યક્તિવિકાસને લેશ પણ હાનિકારક નીવડવાને બદલે બંનેને ઉપકારક નીવડ્યો જણાય છે. આ મૈત્રી ઉત્તરોત્તર વધતી ગઈ, વધારે વિસ્તારી અને મર્મસ્પર્શી બની. રજાઓમાં એકબીજાને ત્યાં રજા ગાળવા જાય, સાથે મુસાફરી કરે અને જુદા હોય તે દરમિયાન પણ કાગળો ચર્ચા અને એકબીજાની કૃતિઓનો તેમ વાચન, વિચાર, મુશ્કેલીઓ વગેરેનો વિનિમય ચાલ્યા કરે. પાછા મળે ત્યારે એકબીજાની ખાનગીમાં ખાનગી નોંધો પણ જુએ. પ્રો. બલવંતરાય આ રીતે મણિભાઈની ઘણીખરી સાહિત્યપ્રવૃત્તિના સાક્ષી માત્ર નહિ પણ ઘણીમાં ટીકાકાર, સૂચનાકાર, કદરકાર, ઉત્તેજન આપનાર અને કેટલીકમાં તો પોતે જ કૃતિઓના વિષય કે નિમિત્ત પણ ખરા. | બંનેના સ્વભાવમાં મૂલગત ભેદ હરકોઈ જોઈ શકે તેમ છે. પણ એ ભેદ બંને મિત્રોના સ્વતંત્ર વ્યક્તિવિકાસને લેશ પણ હાનિકારક નીવડવાને બદલે બંનેને ઉપકારક નીવડ્યો જણાય છે. આ મૈત્રી ઉત્તરોત્તર વધતી ગઈ, વધારે વિસ્તારી અને મર્મસ્પર્શી બની. રજાઓમાં એકબીજાને ત્યાં રજા ગાળવા જાય, સાથે મુસાફરી કરે અને જુદા હોય તે દરમિયાન પણ કાગળો ચર્ચા અને એકબીજાની કૃતિઓનો તેમ વાચન, વિચાર, મુશ્કેલીઓ વગેરેનો વિનિમય ચાલ્યા કરે. પાછા મળે ત્યારે એકબીજાની ખાનગીમાં ખાનગી નોંધો પણ જુએ. પ્રો. બલવંતરાય આ રીતે મણિભાઈની ઘણીખરી સાહિત્યપ્રવૃત્તિના સાક્ષી માત્ર નહિ પણ ઘણીમાં ટીકાકાર, સૂચનાકાર, કદરકાર, ઉત્તેજન આપનાર અને કેટલીકમાં તો પોતે જ કૃતિઓના વિષય કે નિમિત્ત પણ ખરા. | ||
મણિભાઈનું ‘ચક્રવાકમિથુન’ પ્રો. ઠાકોરે ટીકા સાથે ૧૮૯૦માં બુદ્ધિપ્રકાશમાં પ્રગટ કર્યું. આ કાવ્યમાં સૌથી પ્રથમ મણિભાઈએ ‘કાન્ત’ તખલ્લુસ ધારણ કર્યું જે તેમણે પછીથી ઠેઠ સુધી રાખેલું છે. ‘ઉપહાર’ કાવ્ય તો પ્રો. ઠાકોરને જ ઉદ્દેશીને લખેલું અને પૂર્વાલાપ પ્રગટ થયો ત્યારે પણ એ કાવ્યથી તે પ્રો. ઠાકોરને અર્પણ થયો છે. એ ‘ઉપહાર’ અંગ્રેજી સૉનેટ નામની પદ્યરચનાને અનુસારે છે. આ પદ્યરચનાનો સૌથી પ્રથમ પ્રયત્ન પ્રો. ઠાકોરે કરેલો – ૧૮૮૮માં ‘ભણકારા’માં અને ૧૮૮૯માં ‘અદૃષ્ટિદર્શન’માં. | મણિભાઈનું ‘ચક્રવાકમિથુન’ પ્રો. ઠાકોરે ટીકા સાથે ૧૮૯૦માં બુદ્ધિપ્રકાશમાં પ્રગટ કર્યું. આ કાવ્યમાં સૌથી પ્રથમ મણિભાઈએ ‘કાન્ત’ તખલ્લુસ ધારણ કર્યું જે તેમણે પછીથી ઠેઠ સુધી રાખેલું છે. ‘ઉપહાર’ કાવ્ય તો પ્રો. ઠાકોરને જ ઉદ્દેશીને લખેલું અને પૂર્વાલાપ પ્રગટ થયો ત્યારે પણ એ કાવ્યથી તે પ્રો. ઠાકોરને અર્પણ થયો છે. એ ‘ઉપહાર’ અંગ્રેજી સૉનેટ નામની પદ્યરચનાને અનુસારે છે. આ પદ્યરચનાનો સૌથી પ્રથમ પ્રયત્ન પ્રો. ઠાકોરે કરેલો – ૧૮૮૮માં ‘ભણકારા’માં અને ૧૮૮૯માં ‘અદૃષ્ટિદર્શન’માં.<ref>આ લેખમાં આ અને આવી બીજી પ્રો. ઠાકોર વિશેની અને તેમના મણિભાઈ સાથેના સંબંધ વિશેની જે જે હકીકત મૂકેલી છે તેનો મુખ્ય આધાર ‘મણિભાઈની કવિતા વિશે અંગત માહિતી’ (યુગધર્મ પુ. ૪, પૃ. ૨૭૪)નો પ્રો. ઠાકોરનો લેખ, અને તે ઉપરાંત પ્રો. ઠાકોરના મારા ઉપરના ખાનગી પત્રો એ છે. કોઈ હકીકત તેમની સાથેની વાતચીતમાંથી પણ મળેલી છે.</ref> એ રચનાના વિશેષ પ્રયોગો મણિભાઈએ મિસિઝ બ્રાઉનિંગનાં સૉનેટોના અનુવાદમાં કરેલા છે, અને ‘અગતિગમન’ પણ મૂળ સૉનેટમાં લખાયું હતું. પણ આ રચના પછીથી લૂલી લાગવાથી આ બધાં કાવ્યો હાલ છે તે રૂપમાં મૂક્યાં. અખંડ કે સળંગ કે અભંગ પૃથ્વીનો ઉપયોગ પણ મણિભાઈએ પ્રો. બલવંતરાયના પ્રયોગો ઉપરથી કરેલો. ‘અગતિગમન’ પ્રો. ઠાકોરના ‘અદૃષ્ટિદર્શન’ ઉપરથી સૂચિત થયું છે. ‘પ્રણયમાં કાલક્ષેપ’ની પણ મૂળ સૂચના પ્રો. ઠાકોરે ‘ઉપહારનો પ્રત્યુત્તર<ref>પ્રત્યુત્તર કાવ્યરૂપે જ હતો તેનો પહેલો ખંડ નીચે પ્રમાણે હતો :<br> | ||
‘ગમે તો સ્વીકારે ગત સમય કેરાં સ્મરણમાં.’<br> | ‘ગમે તો સ્વીકારે ગત સમય કેરાં સ્મરણમાં.’<br> | ||
અરે આવાં વાક્યો, પ્રિયતમ સખે યાચું વદ યા!<br> | અરે આવાં વાક્યો, પ્રિયતમ સખે યાચું વદ યા!<br> | ||
| Line 68: | Line 68: | ||
‘રાજહંસને સંબોધન’ અને ‘રતિને પ્રાર્થના’ એ કાવ્યો પણ પ્રો. ઠાકોરને ઉદ્દેશીને જ લખાયાં છે. | ‘રાજહંસને સંબોધન’ અને ‘રતિને પ્રાર્થના’ એ કાવ્યો પણ પ્રો. ઠાકોરને ઉદ્દેશીને જ લખાયાં છે. | ||
આ રીતે આ સાહિત્યમિત્રોમાં પ્રો. ઠાકોરની અસર અવતરણોથી બતાવી તો મણિભાઈની અસર પ્રો. ઠાકોરનાં કાવ્યો ઉપર કશી ખરી કે નહિ? પ્રો. ઠાકોરે ‘અંજની ગીત’ અને ‘અભ્યસ્ત શિખરિણી’ વાપર્યા છે તે સિવાય અવતરણોથી બતાવાય તેવી અસર નથી કેમ કે કાન્તમાંથી કાંઈ ન લેવા તેમણે સાવચેતી રાખી છે. આનાં કારણો બે –વિનમ્રતા અને ટેક : | આ રીતે આ સાહિત્યમિત્રોમાં પ્રો. ઠાકોરની અસર અવતરણોથી બતાવી તો મણિભાઈની અસર પ્રો. ઠાકોરનાં કાવ્યો ઉપર કશી ખરી કે નહિ? પ્રો. ઠાકોરે ‘અંજની ગીત’ અને ‘અભ્યસ્ત શિખરિણી’ વાપર્યા છે તે સિવાય અવતરણોથી બતાવાય તેવી અસર નથી કેમ કે કાન્તમાંથી કાંઈ ન લેવા તેમણે સાવચેતી રાખી છે. આનાં કારણો બે –વિનમ્રતા અને ટેક : | ||
‘હું મણિભાઈની કૃતિઓને, એમની પંક્તિઓને, એમની શૈલીને, એમના કવિતાપ્રવાહના લયને, એમની કરામતની ઝીણામાં ઝીણી વિગતને... એટલી સુંદર, ઊંચી અને નમૂનેદાર ગણતો કે મને એમ જ વરસતું જે મારી પોતાની ખડબચડ રચનાના સ્પર્શથી તો એ અભડાય – એમાંનું કંઈયે મારામાં લઉં તો તુરત એ અવતરણની આસપાસનું મારું લખાણ છેક કાળું પડી જાય! મારા લખાણમાં મણિભાઈનો અંશ પણ નથી, તેનું એક કારણ આ હતું તો બીજું કારણ એથી છેક જ ઊલટી જાતનું હતું. મણિભાઈ તો આત્મીય, તથાપિ એમની પણ કંઈયે સુંદરતા ઉછીની લઈને હું આગળ ચાલું તો તેમાં મારું શું વળે?... એ કરતાં તો ન લખવું બહેતર. | ‘હું મણિભાઈની કૃતિઓને, એમની પંક્તિઓને, એમની શૈલીને, એમના કવિતાપ્રવાહના લયને, એમની કરામતની ઝીણામાં ઝીણી વિગતને... એટલી સુંદર, ઊંચી અને નમૂનેદાર ગણતો કે મને એમ જ વરસતું જે મારી પોતાની ખડબચડ રચનાના સ્પર્શથી તો એ અભડાય – એમાંનું કંઈયે મારામાં લઉં તો તુરત એ અવતરણની આસપાસનું મારું લખાણ છેક કાળું પડી જાય! મારા લખાણમાં મણિભાઈનો અંશ પણ નથી, તેનું એક કારણ આ હતું તો બીજું કારણ એથી છેક જ ઊલટી જાતનું હતું. મણિભાઈ તો આત્મીય, તથાપિ એમની પણ કંઈયે સુંદરતા ઉછીની લઈને હું આગળ ચાલું તો તેમાં મારું શું વળે?... એ કરતાં તો ન લખવું બહેતર.’<ref>યુગધર્મ ૪, ૨૭૮</ref> | ||
એ સિવાય પણ એક કારણ છે. પ્રો. ઠાકોરના વિચારો કાવ્યશૈલી વગેરે માત્ર કાન્તથી જ નહિ પણ અત્યાર સુધીના સર્વ સાહિત્યકારોથી કંઈક જુદાં છે. એ લેવા ધારે તોપણ પોતાની સામગ્રી સાથે મેળ ખાય એવું ઘણું ઓછું લઈ શકે. પણ એક બાબત પ્રો. ઠાકોર પોતે વાતચીતમાં અને પત્રમાં વારંવાર કહે છે, તે એ કે કલ્પના સિવાય કાવ્યના બીજા કોઈ પણ સંસ્કારો તેમનામાં સહજ નહોતા. તે સર્વ સંસ્કારો તેમને મણિભાઈની મૈત્રીથી મળ્યા, જેને પરિણામે પોતે કાવ્યમાર્ગમાં કંઈ પણ પ્રવૃત્તિ કરવા પ્રેરાયા. | એ સિવાય પણ એક કારણ છે. પ્રો. ઠાકોરના વિચારો કાવ્યશૈલી વગેરે માત્ર કાન્તથી જ નહિ પણ અત્યાર સુધીના સર્વ સાહિત્યકારોથી કંઈક જુદાં છે. એ લેવા ધારે તોપણ પોતાની સામગ્રી સાથે મેળ ખાય એવું ઘણું ઓછું લઈ શકે. પણ એક બાબત પ્રો. ઠાકોર પોતે વાતચીતમાં અને પત્રમાં વારંવાર કહે છે, તે એ કે કલ્પના સિવાય કાવ્યના બીજા કોઈ પણ સંસ્કારો તેમનામાં સહજ નહોતા. તે સર્વ સંસ્કારો તેમને મણિભાઈની મૈત્રીથી મળ્યા, જેને પરિણામે પોતે કાવ્યમાર્ગમાં કંઈ પણ પ્રવૃત્તિ કરવા પ્રેરાયા. | ||
આ સાહિત્યમિત્રોનો સંબંધ આપણે આગળ જોઈશું તેમ મણિભાઈ ક્રિશ્ચન ધર્મ સ્વીકારે છે તે પછીના મર્મવેધી મંથનમાં તૂટે છે, લુપ્ત થાય છે. એ ફરી નહિ જ સંધાય એમ લાગે છે. પ્રો. ઠાકોરના ‘આરોહણ’ના ત્રયી શમી જશે અભંગુર શું ક્ષીરસિન્ધુ વિશે? | આ સાહિત્યમિત્રોનો સંબંધ આપણે આગળ જોઈશું તેમ મણિભાઈ ક્રિશ્ચન ધર્મ સ્વીકારે છે તે પછીના મર્મવેધી મંથનમાં તૂટે છે, લુપ્ત થાય છે. એ ફરી નહિ જ સંધાય એમ લાગે છે. પ્રો. ઠાકોરના ‘આરોહણ’ના ત્રયી શમી જશે અભંગુર શું ક્ષીરસિન્ધુ વિશે? | ||
| Line 76: | Line 76: | ||
‘કામાઠી બાગમાં સવારે, સાંઝે, બપોરે, મધરાતે – ધૂન આવવી જોઈએ કે બસ ડંડો લેતાકને ચાલ્યા જાય, અને પાછાં ફરતાં જ જે કાંઈ રચાયું હોય તે કાગળ ઉપર ઉતારી લે.’ | ‘કામાઠી બાગમાં સવારે, સાંઝે, બપોરે, મધરાતે – ધૂન આવવી જોઈએ કે બસ ડંડો લેતાકને ચાલ્યા જાય, અને પાછાં ફરતાં જ જે કાંઈ રચાયું હોય તે કાગળ ઉપર ઉતારી લે.’ | ||
૧૮૯૮માં તેમને વડોદરા છોડવું પડ્યું. પ્રો. ગજજર નીકળી ગયા તે પછી કલાભવનનું સ્વરૂપ બદલાયું. મણિભાઈને ઇન્સ્પેક્ટરના ગ્રેડમાં મૂકતા હતા; તે ગ્રેડ હલકો હોવાથી તેમણે વડોદરાની નોકરી છોડી અને ભાવનગર સ્ટેટમાં કેળવણી ખાતામાં નોકરી લીધી, ૧૮૯૮ નવેમ્બર. | ૧૮૯૮માં તેમને વડોદરા છોડવું પડ્યું. પ્રો. ગજજર નીકળી ગયા તે પછી કલાભવનનું સ્વરૂપ બદલાયું. મણિભાઈને ઇન્સ્પેક્ટરના ગ્રેડમાં મૂકતા હતા; તે ગ્રેડ હલકો હોવાથી તેમણે વડોદરાની નોકરી છોડી અને ભાવનગર સ્ટેટમાં કેળવણી ખાતામાં નોકરી લીધી, ૧૮૯૮ નવેમ્બર. | ||
તેમના વડોદરાના જીવન વિશે શ્રી લાભશંકર ભટ્ટ લખે છે : ‘એ જીવનની ઘણી વાતો મુ. ભાભી પાસેથી તેમજ બીજાંઓ પાસેથી જાણી છે ત્યારે મને લાગ્યું છે કે મણિભાઈએ જો જીવનમાં સુખ ભોગવ્યું હોય તો તે વડોદરાના જ જીવનમાં. બુદ્ધિવિષયક આનંદને પણ તેમણે ત્યાં જ ભોગવ્યો. ભાવનગર આવ્યા પછીથી એમનાથી નથી એ શિક્ષણશાસ્ત્રની આલોચના થઈ શકી કે નથી એ બુદ્ધિવિષયક આનંદો ભોગવાયા. | તેમના વડોદરાના જીવન વિશે શ્રી લાભશંકર ભટ્ટ લખે છે : ‘એ જીવનની ઘણી વાતો મુ. ભાભી પાસેથી તેમજ બીજાંઓ પાસેથી જાણી છે ત્યારે મને લાગ્યું છે કે મણિભાઈએ જો જીવનમાં સુખ ભોગવ્યું હોય તો તે વડોદરાના જ જીવનમાં. બુદ્ધિવિષયક આનંદને પણ તેમણે ત્યાં જ ભોગવ્યો. ભાવનગર આવ્યા પછીથી એમનાથી નથી એ શિક્ષણશાસ્ત્રની આલોચના થઈ શકી કે નથી એ બુદ્ધિવિષયક આનંદો ભોગવાયા.’<ref>કાન્તમાલા, પૃ. ૩૦૨</ref> | ||
આ માનસિક ફેરફાર થવાનાં અનેક કારણો છે. તેમાં મણિભાઈની ધાર્મિક માન્યતામાં થયેલા ફેરફારો અને તેથી નિકટમાં નિકટનાં સ્વજનોમાં થયેલો ક્ષોભ એ મુખ્ય છે. | આ માનસિક ફેરફાર થવાનાં અનેક કારણો છે. તેમાં મણિભાઈની ધાર્મિક માન્યતામાં થયેલા ફેરફારો અને તેથી નિકટમાં નિકટનાં સ્વજનોમાં થયેલો ક્ષોભ એ મુખ્ય છે. | ||
મણિભાઈનું જીવન સમજવાને એ સમજવું જોઈએ કે તેમનું હૃદય વેગીલું, આવેશમય, કોમલ, વિશાળ, સમસ્ત જનતા સાથે સમભાવ રાખનારું, ગંભીર, દુનિયાના ઉપર-ઉપર દેખાતા ચળકાટથી મોહ ન પામતાં ઊંડાં ઊતરી તલસ્પર્શ કરનારું અને તેથી સત્યાન્વેષણમાં મચી રહેલું હતું. આવા હૃદયને જગતનો અન્યાય, અવ્યવસ્થા, જગતની યોજનાની વિષમતા અસહ્ય લાગે એ સ્વાભાવિક છે. આવાં હૃદયો ખોજનો સતત અંતસ્તાપ તપ્યા કરે છે. સાધારણ માણસને તો આ તાપનો અનુભવ જ હોતો નથી, અને હોય તો તે સહી પણ ન શકે. પણ મણિભાઈને આ સર્વ તાપમાં એક ઊંડું સાંત્વન હતું – તેમનાં પત્નીનો પ્રેમ અને પ્રભાવ. ‘મણિભાઈનું પહેલું લગ્ન નાની ઉંમરે થયું હતું અને સાથે-સાથે મોટાં થતાં પતિ-પત્નીમાં કેટલીક વાર અવર્ણનીય સુંદર મેળ જામે છે તેમ મણિશંકર નર્મદાના જોડાને બન્યું હતું. નર્મદા સુંદર, હસમુખી, લહેરી, ઘરકામમાં કુશળ, ચકોર, તેજસ્વી, સાહસિક, હઠીલી માનિની હતી. ઢીંગલા-ઢીંગલી ગંઠાય એવી રીતના લગ્નમાંથી આવી લાયક પ્રતાપી સહચરી મળી ગઈ એ મણિભાઈનું મોટું સદ્ભાગ્ય હતું. | મણિભાઈનું જીવન સમજવાને એ સમજવું જોઈએ કે તેમનું હૃદય વેગીલું, આવેશમય, કોમલ, વિશાળ, સમસ્ત જનતા સાથે સમભાવ રાખનારું, ગંભીર, દુનિયાના ઉપર-ઉપર દેખાતા ચળકાટથી મોહ ન પામતાં ઊંડાં ઊતરી તલસ્પર્શ કરનારું અને તેથી સત્યાન્વેષણમાં મચી રહેલું હતું. આવા હૃદયને જગતનો અન્યાય, અવ્યવસ્થા, જગતની યોજનાની વિષમતા અસહ્ય લાગે એ સ્વાભાવિક છે. આવાં હૃદયો ખોજનો સતત અંતસ્તાપ તપ્યા કરે છે. સાધારણ માણસને તો આ તાપનો અનુભવ જ હોતો નથી, અને હોય તો તે સહી પણ ન શકે. પણ મણિભાઈને આ સર્વ તાપમાં એક ઊંડું સાંત્વન હતું – તેમનાં પત્નીનો પ્રેમ અને પ્રભાવ. ‘મણિભાઈનું પહેલું લગ્ન નાની ઉંમરે થયું હતું અને સાથે-સાથે મોટાં થતાં પતિ-પત્નીમાં કેટલીક વાર અવર્ણનીય સુંદર મેળ જામે છે તેમ મણિશંકર નર્મદાના જોડાને બન્યું હતું. નર્મદા સુંદર, હસમુખી, લહેરી, ઘરકામમાં કુશળ, ચકોર, તેજસ્વી, સાહસિક, હઠીલી માનિની હતી. ઢીંગલા-ઢીંગલી ગંઠાય એવી રીતના લગ્નમાંથી આવી લાયક પ્રતાપી સહચરી મળી ગઈ એ મણિભાઈનું મોટું સદ્ભાગ્ય હતું.’<ref>યુગધર્મ ૪, ૨૭૯</ref> તેમણે તેમના જીવન ઉપર વિરલ અધિકાર અને તેથી તેમનાં કાવ્યોમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું. ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’માં | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> મુજ નયનની સાથે યોગ્ય જોડું રચાય, | {{Block center|<poem> મુજ નયનની સાથે યોગ્ય જોડું રચાય, | ||
| Line 110: | Line 110: | ||
તેમ અંત સુધી આ નર્મદા માટેના કાવ્યમાં રુદન હતું અને રુદનમાં કાવ્ય હતું. ‘ગાન વિમાન’ અને ‘ચંદાને સંબોધન’ પણ એમને જ ઉદ્દેશીને લખાયેલું. એ ‘ગાન વિમાન’નો કલહંસ તે આ પ્રથમ નર્મદાનો પુત્ર ચિ. પ્રાણલાલ જે થોડા વરસ રહી ૧૮૯૯માં મૃત્યુ પામ્યો. ‘વિધુર કુરંગ’માં એનો જ શાવરૂપે ઉલ્લેખ છે. | તેમ અંત સુધી આ નર્મદા માટેના કાવ્યમાં રુદન હતું અને રુદનમાં કાવ્ય હતું. ‘ગાન વિમાન’ અને ‘ચંદાને સંબોધન’ પણ એમને જ ઉદ્દેશીને લખાયેલું. એ ‘ગાન વિમાન’નો કલહંસ તે આ પ્રથમ નર્મદાનો પુત્ર ચિ. પ્રાણલાલ જે થોડા વરસ રહી ૧૮૯૯માં મૃત્યુ પામ્યો. ‘વિધુર કુરંગ’માં એનો જ શાવરૂપે ઉલ્લેખ છે. | ||
આવી સ્થિતિમાં, પ્રો. બલવંતરાય ઠાકોર માત્ર તેમના સાહિત્યમિત્ર નહોતા. ઉપર અવતરણ કરેલી ‘વિધુર કુરંગ’ની પંક્તિઓના સ્વજન પણ હતા. ‘પરંતુ’ પ્રો. ઠાકોર કહે છે – | આવી સ્થિતિમાં, પ્રો. બલવંતરાય ઠાકોર માત્ર તેમના સાહિત્યમિત્ર નહોતા. ઉપર અવતરણ કરેલી ‘વિધુર કુરંગ’ની પંક્તિઓના સ્વજન પણ હતા. ‘પરંતુ’ પ્રો. ઠાકોર કહે છે – | ||
‘પરંતુ ખરાં સ્વજન તો મારી બા નીવડ્યાં. મણિભાઈએ રાજકોટ આવીને એક બે દિવસમાં આ કવિતા લખી. મારાં બા જેટલી વાર એ વાંચે તેટલી વાર એમને રોવું આવે. મણિશંકર પણ રોજ એક બે વાર નર્મદાને સંભારીને રુએ. પછી એ જવા તૈયાર થયા ત્યારે મારાં બાએ સમ દીધા. ‘જવું હોય તો અહીંથી સીધા એક ઠેકાણે જાઓ, બીજે કશે જાઓ તો મારા સમ.’ થોડી હકીકત મારાથી જાણે, એટલે એમણે મણિશંકરને પ્રથમ વચનથી બાંધી લીધા અને પછી તે ઠેકાણું એમને જણાવ્યું, – ‘જામનગર, શંકરલાલ માસ્તરને ત્યાં.’ મણિશંકર પણ એ જ ઝમાનાના માણસ તે જમનાબાને વડીલ ગણીને એમનો બોલ પાળ્યો, અને બન્યું પણ એમ કે મણિશંકર નવો સંબંધ લગભગ બાંધીને જ પાછા ફર્યા. | ‘પરંતુ ખરાં સ્વજન તો મારી બા નીવડ્યાં. મણિભાઈએ રાજકોટ આવીને એક બે દિવસમાં આ કવિતા લખી. મારાં બા જેટલી વાર એ વાંચે તેટલી વાર એમને રોવું આવે. મણિશંકર પણ રોજ એક બે વાર નર્મદાને સંભારીને રુએ. પછી એ જવા તૈયાર થયા ત્યારે મારાં બાએ સમ દીધા. ‘જવું હોય તો અહીંથી સીધા એક ઠેકાણે જાઓ, બીજે કશે જાઓ તો મારા સમ.’ થોડી હકીકત મારાથી જાણે, એટલે એમણે મણિશંકરને પ્રથમ વચનથી બાંધી લીધા અને પછી તે ઠેકાણું એમને જણાવ્યું, – ‘જામનગર, શંકરલાલ માસ્તરને ત્યાં.’ મણિશંકર પણ એ જ ઝમાનાના માણસ તે જમનાબાને વડીલ ગણીને એમનો બોલ પાળ્યો, અને બન્યું પણ એમ કે મણિશંકર નવો સંબંધ લગભગ બાંધીને જ પાછા ફર્યા.’<ref>યુગધર્મ ૪, ૨૭૯</ref> | ||
૧૮૯૨માં તેમનું બીજું લગ્ન થયું. તેમનાં બીજાં પત્નીનું નામ પણ નર્મદા હતું. તેમને નાની પણ કહેતા. ‘મુગ્ધાને સંબોધન’ એ ‘નાની’ નામથી થયું છે. ‘પ્રિયાને પ્રાર્થના’ પણ તેમને ઉદ્દેશીને જ લખાયું છે. આ રીતે મણિભાઈનું સ્નેહાળ અંતઃકરણ સરલતાથી નવી દિશાએ વળ્યું પણ જૂનો સ્નેહ ભુલાય એવો છીછરો નહોતો. અને એ જખમ આખી જિંદગી કદી રુઝાયો નથી. એ નર્મદાના મૃત્યુ પછી વીસ એકવીસ વરસે જૂની કવિતાઓ તપાસતાં ‘નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું’ એ પંક્તિઓ વાંચતાં ‘તેમની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં અને અમે જેઓ તેમની પાસે બેઠા હતા અને નર્મદાને કદી નહિ જોયેલાં, તેમને મોઢે તેમના સૌંદર્યનું અને તેમના સદ્ગુણોનું વર્ણન કરવા લાગ્યા; જાણે હજી તેમનો વિયોગ ગઈ કાલે જ થયો હોય! | ૧૮૯૨માં તેમનું બીજું લગ્ન થયું. તેમનાં બીજાં પત્નીનું નામ પણ નર્મદા હતું. તેમને નાની પણ કહેતા. ‘મુગ્ધાને સંબોધન’ એ ‘નાની’ નામથી થયું છે. ‘પ્રિયાને પ્રાર્થના’ પણ તેમને ઉદ્દેશીને જ લખાયું છે. આ રીતે મણિભાઈનું સ્નેહાળ અંતઃકરણ સરલતાથી નવી દિશાએ વળ્યું પણ જૂનો સ્નેહ ભુલાય એવો છીછરો નહોતો. અને એ જખમ આખી જિંદગી કદી રુઝાયો નથી. એ નર્મદાના મૃત્યુ પછી વીસ એકવીસ વરસે જૂની કવિતાઓ તપાસતાં ‘નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું’ એ પંક્તિઓ વાંચતાં ‘તેમની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં અને અમે જેઓ તેમની પાસે બેઠા હતા અને નર્મદાને કદી નહિ જોયેલાં, તેમને મોઢે તેમના સૌંદર્યનું અને તેમના સદ્ગુણોનું વર્ણન કરવા લાગ્યા; જાણે હજી તેમનો વિયોગ ગઈ કાલે જ થયો હોય!’<ref>કાન્તમાલા, પૃ. ૩૦૦</ref> | ||
મણિભાઈના બચપણના ધર્મસંસ્કારો એક સંસ્કારી ઉચ્ચ બ્રાહ્મણજ્ઞાતિના કુટુંબના હતા. તેમ છતાં સ્વતંત્ર નિર્ણય કરવાની વયે આપણે પ્રથમ તેમને નાસ્તિક નહિ તો અજ્ઞેયવાદી જોઈએ છીએ. તેમનાં કાવ્યો અને તેમના પત્રો આ હકીકત સ્પષ્ટ દર્શાવે છે. શ્રીયુત નરસિંહરાવે મણિભાઈ વિશેના સ્મરણાંકમાં કંઈક આવી હકીકત નોંધી છે. | મણિભાઈના બચપણના ધર્મસંસ્કારો એક સંસ્કારી ઉચ્ચ બ્રાહ્મણજ્ઞાતિના કુટુંબના હતા. તેમ છતાં સ્વતંત્ર નિર્ણય કરવાની વયે આપણે પ્રથમ તેમને નાસ્તિક નહિ તો અજ્ઞેયવાદી જોઈએ છીએ. તેમનાં કાવ્યો અને તેમના પત્રો આ હકીકત સ્પષ્ટ દર્શાવે છે. શ્રીયુત નરસિંહરાવે મણિભાઈ વિશેના સ્મરણાંકમાં કંઈક આવી હકીકત નોંધી છે.<ref>સ્મરણમુકુર, પૃ. ૧૫૩</ref> આ અનાસ્થા જડ ઔદાસીન્યની નહોતી પણ સતત ખોજ કરનારની અતૃપ્તિની હતી. ફિલસૂફીના અભ્યાસથી તેમની ખોજમાં ઊંડાણ, ચિંતન અને તર્કશીલતા આવ્યાં હશે. તેમની ધર્મજિજ્ઞાસા પહેલેથી જ તીવ્ર હતી પણ તેમના લાગણીવાળા સૌંદર્યપરીક્ષક અને તલસ્પર્શી અંતઃકરણને કોઈ પણ ધર્મસંપ્રદાય ચાલુ સ્વરૂપમાં ગ્રાહ્ય ન લાગ્યો. પ્રથમ પત્ની નર્મદાના અવસાનના મર્મવેધી શોકથી એક તરફથી મનોબળ વિહ્વલ થતી ગઈ. વળી શિક્ષણના ઇતિહાસ જેવો મહાન ગ્રંથ લખવાનો થાક પણ લાગેલો.<ref>તે સમયના એક પત્રમાં લખે છે : ‘મારો ઇતિહાસ પૂરો થયો છે પણ એણે મને ભોંય ભેગો કરી દીધો છે. કવિતા હું મુદ્દલ વાંચતો નથી. વાંચી શકતો જ નથી. માત્ર કેળવણીવિષયક થોથાં વાંચી શકું છું.’ પ્રો. ઠાકોર ઠીક કહે છે કે આ પ્રસંગે એમને છ માસની ફર્લો મળી હોત તો કદાચ એમના જીવનનો આખોયે ઇતિહાસ બદલાઈ જાત. કાન્તમાલા પૃ. ૩૩૨–૩૩૩.</ref> અધૂરામાં પૂરું વડોદરાની નોકરીની ચિંતા ઉત્પન્ન થઈ. ‘વડોદરા છોડવું પડશે એમ લાગે. એલએલ. બી. થઈને વકીલ તરીકે નવો આરંભ કરીશ એમ કહેતા તથાપિ હૃદયનાં ઊંડાણોમાં એમ પાર ઊતરવા વિશે પૂરેપૂરી અશ્રદ્ધા લાગે અને બીજું શું કરવું તે ન સૂઝે એવી દશા અને ગ્લાનિ તેમને ૧૮૯૩થી થયા કરતી.’<ref>યુગધર્મ. ૪, ૨૭૬</ref> આ ગ્લાનિ ‘મિત્રને નિવેદન’ અને ‘વત્સલનાં નયનો’માં પ્રગટ થઈ છે. | ||
મણિભાઈને ઘણા લાંબા વખતથી બાઈબલનું વાચન અને સેવન હતું. ૧૮૯૭ના અરસામાં સ્વીડનબોર્ગના સંપ્રદાયનાં પુસ્તકો વાંચવામાં આવ્યાં અને એકદમ તેમનું સમસ્ત મન તે તરફ ઘણા વેગથી ધસ્યું. તેમનામાં સત્યાન્વેષક વૃત્તિ હતી પણ એ વૃત્તિને માટે જે વિવેક અને અંકુશ જોઈએ તે તાત્કાલિક રુચિના વેગમાં ઘણી વાર ઘસડાઈ જતો એવો તેમનો સ્વભાવ હતો. લાંબા અભ્યાસથી જેમનું સાંભળવાની તેમને ટેવ હતી તે નર્મદાને વિધિએ ખસેડી લીધાં હતાં. પ્રો. ઠાકોર અજમેર હતા અને તેમની હાજરી જે કંઈ અસર કરી શકે તે અલભ્ય હતી. બીજા કોઈ સ્વજનોનું, મિત્રોનું. હિતસ્વીઓનું, મણિભાઈએ માન્યું નહિ તે નહિ જ. એ નહિ માનવામાં પણ આપણે તેમના મનની સત્યપ્રિયતા, ઉદાત્તતા, નિર્ભયતા જોઈ શકીએ છીએ. પોતાને ‘પરમ સત્ય મળ્યું છે.’ ‘સ્વીડનબોર્ગ કહે છે કે જીસસ ક્રાઈસ્ટ વગર સ્વર્ગનો બીજો કોઈ ઈશ્વર નથી,’ એવી એમની દૃઢ પ્રતીતિ હતી. ‘હું કાંઈ અભિમાનથી આમ કહેતો નથી પણ મને જે મળ્યું છે તે જણાવું છું. એટલે બેધડક કહું છું કે મારે જે વાતો કહેવાની છે તે ઈશ્વરી છે. દેશના લોકો જો સાંભળશે તો તેમનું કલ્યાણ થશે.’ તેઓ જાણતા હતા કે આ તેમના કાર્યથી તેમને ઘણું સહન કરવું પડશે પણ તે તેઓ સત્યની ખાતર સહન કરવા તૈયાર હતા. અને સહન કરવામાં પણ ‘જ્ઞાતિનાં મનુષ્યો મને મૂર્ખ, દુષ્ટ, દીવાનો વગેરે ઉપનામો આપશે એ હું જાણું છું. તે પણ હું સહન કરીશ; પણ જેથી મને અતિશય ખેદ થાય છે તે તો એ છે કે મારા બધા સ્નેહીઓ અને મિત્રો પણ મારો ત્યાગ કરશે. | મણિભાઈને ઘણા લાંબા વખતથી બાઈબલનું વાચન અને સેવન હતું. ૧૮૯૭ના અરસામાં સ્વીડનબોર્ગના સંપ્રદાયનાં પુસ્તકો વાંચવામાં આવ્યાં અને એકદમ તેમનું સમસ્ત મન તે તરફ ઘણા વેગથી ધસ્યું. તેમનામાં સત્યાન્વેષક વૃત્તિ હતી પણ એ વૃત્તિને માટે જે વિવેક અને અંકુશ જોઈએ તે તાત્કાલિક રુચિના વેગમાં ઘણી વાર ઘસડાઈ જતો એવો તેમનો સ્વભાવ હતો. લાંબા અભ્યાસથી જેમનું સાંભળવાની તેમને ટેવ હતી તે નર્મદાને વિધિએ ખસેડી લીધાં હતાં. પ્રો. ઠાકોર અજમેર હતા અને તેમની હાજરી જે કંઈ અસર કરી શકે તે અલભ્ય હતી. બીજા કોઈ સ્વજનોનું, મિત્રોનું. હિતસ્વીઓનું, મણિભાઈએ માન્યું નહિ તે નહિ જ. એ નહિ માનવામાં પણ આપણે તેમના મનની સત્યપ્રિયતા, ઉદાત્તતા, નિર્ભયતા જોઈ શકીએ છીએ. પોતાને ‘પરમ સત્ય મળ્યું છે.’ ‘સ્વીડનબોર્ગ કહે છે કે જીસસ ક્રાઈસ્ટ વગર સ્વર્ગનો બીજો કોઈ ઈશ્વર નથી,’ એવી એમની દૃઢ પ્રતીતિ હતી. ‘હું કાંઈ અભિમાનથી આમ કહેતો નથી પણ મને જે મળ્યું છે તે જણાવું છું. એટલે બેધડક કહું છું કે મારે જે વાતો કહેવાની છે તે ઈશ્વરી છે. દેશના લોકો જો સાંભળશે તો તેમનું કલ્યાણ થશે.’ તેઓ જાણતા હતા કે આ તેમના કાર્યથી તેમને ઘણું સહન કરવું પડશે પણ તે તેઓ સત્યની ખાતર સહન કરવા તૈયાર હતા. અને સહન કરવામાં પણ ‘જ્ઞાતિનાં મનુષ્યો મને મૂર્ખ, દુષ્ટ, દીવાનો વગેરે ઉપનામો આપશે એ હું જાણું છું. તે પણ હું સહન કરીશ; પણ જેથી મને અતિશય ખેદ થાય છે તે તો એ છે કે મારા બધા સ્નેહીઓ અને મિત્રો પણ મારો ત્યાગ કરશે.’<ref>કાન્તમાલા, પૃ. ૩૦૪, ૩૦૫</ref> મહાનુભાવ અંતઃકરણોનાં દુઃખો પણ અસાધારણ છે. ચારુદત્તને અનેક વિપત્તિમાં દુઃખ એ જ લાગતું હતું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>यत् सौहृदादपि जनाः शिथिलीभवन्ति | {{Block center|<poem>यत् सौहृदादपि जनाः शिथिलीभवन्ति ।<ref>કે જનો મૈત્રીથી પણ શિથિલ થાય છે. મૃચ્છકટી.</ref></poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મનનો આ વેગ કોઈથી અટકાવાયો નહિ. ૭-૪-૯૮ના પત્રમાં લખે છે કે ‘મેં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે. | મનનો આ વેગ કોઈથી અટકાવાયો નહિ. ૭-૪-૯૮ના પત્રમાં લખે છે કે ‘મેં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે.’<ref>કાન્તમાલા, પૃ. ૩૪૬</ref> ૧૭-૬-૯૮ના પત્રમાં લખે છે કે ‘મેં બ્રાહ્મણનું ચિહ્ન ઉપનયન દૂર કીધું છે. અને થોડા વખત પછી હું જાહેર રીતે ક્રિશ્ચિયન મંડળીમાં પ્રવેશ કરીશ.’<ref>કાનનમાલા, પૃ. ૩૦૪</ref> ૨-૩-૧૯૦૦ના પત્રમાં લખે છે કે ‘સૌ. નર્મદા મને ‘પવિત્ર ભોજન’ ન લેવાને આગ્રહ કરે છે.’ અને ૨૬-૩-૧૯૦૦માં લખે છે કે ‘મેં ગઈ કાલે ‘સ્વામીના ભોજન’માં ભાગ લીધો છે.’<ref>કાન્તમાલા, પૃ. ૩૪૯</ref> | ||
આ અને આ પછીનાં ઘણાં વરસો મણિભાઈને તીવ્ર ઉદ્વેગ અને મંથનમાં ગયાં. એક તરફથી સ્વીડનબોર્ગનો શબ્દેશબ્દ ખરો છે માટે તેને અનુકૂળ જ સમસ્ત જીવન ઘડવું એમ થાય. એ એક જ આ સંસારમાં ખરું સત્ય છે અને સ્વર્ગના સ્નેહજીવનનો પંથ છે માટે એ લાભ પોતાનાં સ્વજનોને પણ મળે એવી તીવ્ર અભિલાષા, તો બીજી તરફથી સ્વજનો તે સ્વીકારતાં નથી તેની નિરાશા, એટલું જ નહિ પણ પોતાના આચરણથી તેમને દુઃખ થાય છે એ દર્દ. જેમના સુખનો માત્ર પોતે જ આધાર છે, જેઓ પોતા પાસેથી સર્વ સુખની અપેક્ષા રાખે છે, તેમના દુઃખનું પોતે નિમિત્ત થાય છે એ પશ્ચાત્તાપ. જ્ઞાતિજનો, મિત્રો વગેરેના સ્નેહનું વૈપરીત્ય. તેમના હિતસ્વીઓએ તેમના હિતને માટે જ લીધેલાં પગલાં પણ તે મણિભાઈ ઉપર તો જુલમનાં જ ગણાય એવાં. સૌથી વધારે અસહ્ય તો તેમને પોતાનાં પત્નીથી, પોતાના કુટુંબથી અને વહાલાં પુસ્તકોથી પણ વિયોગમાં રહેવું પડ્યું એ. પ્રો. બલવંતરાય સાથેની જીવનમૈત્રી પણ તૂટી. સત્યનો માર્ગ જનતાને બતાવવો એ જ જીવનનો ખરો ઉદ્દેશ લાગે પણ જનતા નથી જ સાંભળવાની એવી ખાતરી થતી જાય. સમસ્ત જીવનમાં પોતે એકલા, હેતુ વિનાના, થઈ ગયા લાગે. | આ અને આ પછીનાં ઘણાં વરસો મણિભાઈને તીવ્ર ઉદ્વેગ અને મંથનમાં ગયાં. એક તરફથી સ્વીડનબોર્ગનો શબ્દેશબ્દ ખરો છે માટે તેને અનુકૂળ જ સમસ્ત જીવન ઘડવું એમ થાય. એ એક જ આ સંસારમાં ખરું સત્ય છે અને સ્વર્ગના સ્નેહજીવનનો પંથ છે માટે એ લાભ પોતાનાં સ્વજનોને પણ મળે એવી તીવ્ર અભિલાષા, તો બીજી તરફથી સ્વજનો તે સ્વીકારતાં નથી તેની નિરાશા, એટલું જ નહિ પણ પોતાના આચરણથી તેમને દુઃખ થાય છે એ દર્દ. જેમના સુખનો માત્ર પોતે જ આધાર છે, જેઓ પોતા પાસેથી સર્વ સુખની અપેક્ષા રાખે છે, તેમના દુઃખનું પોતે નિમિત્ત થાય છે એ પશ્ચાત્તાપ. જ્ઞાતિજનો, મિત્રો વગેરેના સ્નેહનું વૈપરીત્ય. તેમના હિતસ્વીઓએ તેમના હિતને માટે જ લીધેલાં પગલાં પણ તે મણિભાઈ ઉપર તો જુલમનાં જ ગણાય એવાં. સૌથી વધારે અસહ્ય તો તેમને પોતાનાં પત્નીથી, પોતાના કુટુંબથી અને વહાલાં પુસ્તકોથી પણ વિયોગમાં રહેવું પડ્યું એ. પ્રો. બલવંતરાય સાથેની જીવનમૈત્રી પણ તૂટી. સત્યનો માર્ગ જનતાને બતાવવો એ જ જીવનનો ખરો ઉદ્દેશ લાગે પણ જનતા નથી જ સાંભળવાની એવી ખાતરી થતી જાય. સમસ્ત જીવનમાં પોતે એકલા, હેતુ વિનાના, થઈ ગયા લાગે. | ||
‘કેટલાક માણસો સ્વભાવથી જ તત્ત્વચિંતનમાં નિરાશાવાદી અને હદપાર લાગણીવાળા હોય છે. પ્રેમ કરવો અને અન્યના પ્રેમપાત્ર થવું એ તેમના ઉત્સાહના નિર્વાહ માટે આવશ્યક હોય છે. આસપાસના માણસોનો તેમના પ્રત્યે જોઈએ તેટલો પ્રેમ નથી હોતો એ કારણથી તેમની ખિન્નતા ઉદ્ભવે છે.’ મણિભાઈ, એક | ‘કેટલાક માણસો સ્વભાવથી જ તત્ત્વચિંતનમાં નિરાશાવાદી અને હદપાર લાગણીવાળા હોય છે. પ્રેમ કરવો અને અન્યના પ્રેમપાત્ર થવું એ તેમના ઉત્સાહના નિર્વાહ માટે આવશ્યક હોય છે. આસપાસના માણસોનો તેમના પ્રત્યે જોઈએ તેટલો પ્રેમ નથી હોતો એ કારણથી તેમની ખિન્નતા ઉદ્ભવે છે.’ મણિભાઈ, એક પત્રમાં<ref>કાન્તમાલા, પૃ. ૨૮૮</ref> લખે છે તેમ, આવા પ્રકારના માણસ હતા. આ ધર્માંતરના ક્ષોભથી તેમના સર્વ પ્રેમતંતુઓ વિષમ ખેંચતાણોમાં છિન્નભિન્ન થઈ ગયા. આખું જીવન જાણે અંધકારમય ગ્લાનિના ગર્તમાં તેમણે ગાળ્યું. જે જીવનની આશા રાખેલી, તેનો અનુભવ ન થાય; નહિ ધારેલી એવી હૃદયમાં દુર્બલતાઓ જણાય; પહેલાંની અદૃઢતા દોષોથી વધી છે, હૃદય વિકસિત થવાને બદલે સંકુચિત થયેલું છે એવું આત્મપરીક્ષણ ઊતરે. સ્વામીએ આપેલી સર્વ સામગ્રી લૂંટાઈ ગઈ, યૌવન ગયું, નવું યૌવન મળ્યું નહિ, એમ થાય. હૃદય ઉત્સાહશૂન્ય અને શીત થતું લાગે; શક્તિઓના અનુપયોગની, અપ્રવૃત્તિની વેદના, નિરાશા, નિર્વેદ, કર્તવ્યમાં વ્યામોહ, બધાથી જીવન અસહ્ય થઈ પડે. કોઈ વાર વળી આવેશ કે ઉત્સાહનો જુવાળ આવે પણ તે એવો કે તેથી બુદ્ધિને ફેર ચડે, જૂના સંબંધતંતુઓ તણાય, તૂટે. એક પત્રમાં<ref>કાન્તમાલા. પૃ. ૩૭૯</ref>પોતે લખે છે તેમ ‘પ્રકૃતિ ઠામ ન’ રહે, સ્નેહીઓ પ્રતિ અનુચિત, અઘટિત કહેવાઈ જાય અને પછી એ જુવાળના પ્રત્યાઘાતરૂપે જ ઓટ આવે, તેની નિર્બળતામાં પશ્ચાત્તાપ વધારો કરે. કાન્તમાલામાં છપાયેલા પત્રોમાં હૃદયનો આ ઇતિહાસ પારદર્શક રીતે લખાયો છે. | ||
આ સ્થિતિમાં પહેલાં કરેલા અનેક નિશ્ચયો પણ ફેરવવા પડ્યા. ઉપનયન તોડેલું, બાપ્તિસ્મા લીધેલું પણ પછી લાગ્યું કે કુટુંબજનોના સંબંધ વિના પોતે રહી શકે એમ નથી. જ્ઞાતિબંધન તોડનારના સમવાયમાં પત્ની અને બાળકોને પરાણે દાખલ કરવાં એ પાપ જેવું છે, બાપ્તિસ્મા લીધું એ ભૂલ છે, તે કરતાં આર્યમંડળમાં રહીને જ સત્યનો પ્રવેશ કરાવવો એ વધારે શક્ય અને ડહાપણભરેલું છે. પ્રાયશ્ચિત્ત કરી નાતમાં ગયા અને પત્નીની ઇચ્છાને અનુકૂળ થઈ પાછો જ્ઞાતિસંબંધ શરૂ કર્યો. ધર્મજિજ્ઞાસાથી ઇસ્લામ અને શીખ ધર્મનો અભ્યાસ કર્યો અને આર્યસમાજમાં તો ભળ્યા પણ ખરા. પણ આ સઘળા ફેરફારોમાં ખ્રિસ્તી ધર્મ ઉપરની તેમની શ્રદ્ધા ચલિત થઈ નહોતી. સ્વીડનબોર્ગે કહેલું કે પ્રાચીન શબ્દ તાર્તરીમાં સચવાઈ રહ્યો છે તે ઉપરથી એ શબ્દ તે જ ઋગ્વેદ એવો તર્ક આવ્યો અને તર્ક ખરો સાબિત કરવા અથાગ પ્રયત્ન કર્યો. સ્વીડનબોર્ગના મતપ્રચાર માટે ‘હાર્ટ ઑફ ઇન્ડિયા’ શરૂ કર્યું. પણ છેવટ કબૂલ કર્યું કે ઋગ્વેદ વિશેનો તર્ક અનુપપન્ન હતો. પ્રો. ઠાકોર કહે છે કે ત્યારથી ખ્રિરતી ધર્મ માટેની તેમની ઉષ્માની માત્રા ઘટી અથવા તેમનું વાર્ધક્ય શરૂ થયું ગણવું | આ સ્થિતિમાં પહેલાં કરેલા અનેક નિશ્ચયો પણ ફેરવવા પડ્યા. ઉપનયન તોડેલું, બાપ્તિસ્મા લીધેલું પણ પછી લાગ્યું કે કુટુંબજનોના સંબંધ વિના પોતે રહી શકે એમ નથી. જ્ઞાતિબંધન તોડનારના સમવાયમાં પત્ની અને બાળકોને પરાણે દાખલ કરવાં એ પાપ જેવું છે, બાપ્તિસ્મા લીધું એ ભૂલ છે, તે કરતાં આર્યમંડળમાં રહીને જ સત્યનો પ્રવેશ કરાવવો એ વધારે શક્ય અને ડહાપણભરેલું છે. પ્રાયશ્ચિત્ત કરી નાતમાં ગયા અને પત્નીની ઇચ્છાને અનુકૂળ થઈ પાછો જ્ઞાતિસંબંધ શરૂ કર્યો. ધર્મજિજ્ઞાસાથી ઇસ્લામ અને શીખ ધર્મનો અભ્યાસ કર્યો અને આર્યસમાજમાં તો ભળ્યા પણ ખરા. પણ આ સઘળા ફેરફારોમાં ખ્રિસ્તી ધર્મ ઉપરની તેમની શ્રદ્ધા ચલિત થઈ નહોતી. સ્વીડનબોર્ગે કહેલું કે પ્રાચીન શબ્દ તાર્તરીમાં સચવાઈ રહ્યો છે તે ઉપરથી એ શબ્દ તે જ ઋગ્વેદ એવો તર્ક આવ્યો અને તર્ક ખરો સાબિત કરવા અથાગ પ્રયત્ન કર્યો. સ્વીડનબોર્ગના મતપ્રચાર માટે ‘હાર્ટ ઑફ ઇન્ડિયા’ શરૂ કર્યું. પણ છેવટ કબૂલ કર્યું કે ઋગ્વેદ વિશેનો તર્ક અનુપપન્ન હતો. પ્રો. ઠાકોર કહે છે કે ત્યારથી ખ્રિરતી ધર્મ માટેની તેમની ઉષ્માની માત્રા ઘટી અથવા તેમનું વાર્ધક્ય શરૂ થયું ગણવું જોઈએ<ref>કાન્તમાલા, પૃ. ૩૫૧</ref> એ હશે, પણ અંત સુધી તેમની શ્રદ્ધા ખ્રિસ્તી ધર્મ ઉપરથી ખસી જણાતી નથી. | ||
આ અરસામાં જ્યારે જૂના સ્નેહીઓનો સંબંધ અસ્તવ્યસ્ત થઈ ગયો ત્યારે પણ તેમનું સ્નેહાળ અંતઃકરણ બીજાં પાત્રો મેળવી શકેલું. તેમાં પ્રથમ રાજવી કવિ કલાપીને ગણવા જોઈએ. ખ્રિસ્તી સંપ્રદાય તરફ મણિશંકરનું ચિત્ત આકર્ષાયું ત્યારથી એટલે ૧૮૯૭થી બંનેનો સંબંધ શરૂ થયો અને તે કલાપીના મરણ પર્યંત પહોંચ્યો. પહેલે જ પરિચયે બંનેને જાણે ઘણો જૂનો સંબંધ હોય એમ લાગેલું. બંને વચ્ચે ધર્મ અને કાવ્ય સંબંધી ચર્ચાના પુષ્કળ પત્રો લખાયા છે. ૧૮૯૭માં ‘અજ્ઞાન સખા પ્રતિ’ કલાપીના એક પત્રના પ્રત્યુત્તરમાં લખાયું છે. પણ કલાપીની ખાસ અસર મણિભાઈના સાહિત્યજીવન ઉપર થઈ લાગતી નથી. બંનેની ઉંમર અને બંનેનો સંબંધ જોતાં પણ વિશેષ અસર કાન્તની કલાપી ઉપર થયેલી જણાય છે. કલાપીના મૃત્યુ બાદ મણિભાઈએ ‘કલાપીનો કેકારવ’ અને ‘હમીર કાવ્ય’ પ્રકટ કરી મિત્ર તરફનું બંધુકૃત્ય કર્યું. કેકારવમાં કરેલું ‘કલાપીને સંબોધન’ તેમને માટેની મણિભાઈની લાગણીને વ્યક્ત કરે છે. | આ અરસામાં જ્યારે જૂના સ્નેહીઓનો સંબંધ અસ્તવ્યસ્ત થઈ ગયો ત્યારે પણ તેમનું સ્નેહાળ અંતઃકરણ બીજાં પાત્રો મેળવી શકેલું. તેમાં પ્રથમ રાજવી કવિ કલાપીને ગણવા જોઈએ. ખ્રિસ્તી સંપ્રદાય તરફ મણિશંકરનું ચિત્ત આકર્ષાયું ત્યારથી એટલે ૧૮૯૭થી બંનેનો સંબંધ શરૂ થયો અને તે કલાપીના મરણ પર્યંત પહોંચ્યો. પહેલે જ પરિચયે બંનેને જાણે ઘણો જૂનો સંબંધ હોય એમ લાગેલું. બંને વચ્ચે ધર્મ અને કાવ્ય સંબંધી ચર્ચાના પુષ્કળ પત્રો લખાયા છે. ૧૮૯૭માં ‘અજ્ઞાન સખા પ્રતિ’ કલાપીના એક પત્રના પ્રત્યુત્તરમાં લખાયું છે. પણ કલાપીની ખાસ અસર મણિભાઈના સાહિત્યજીવન ઉપર થઈ લાગતી નથી. બંનેની ઉંમર અને બંનેનો સંબંધ જોતાં પણ વિશેષ અસર કાન્તની કલાપી ઉપર થયેલી જણાય છે. કલાપીના મૃત્યુ બાદ મણિભાઈએ ‘કલાપીનો કેકારવ’ અને ‘હમીર કાવ્ય’ પ્રકટ કરી મિત્ર તરફનું બંધુકૃત્ય કર્યું. કેકારવમાં કરેલું ‘કલાપીને સંબોધન’ તેમને માટેની મણિભાઈની લાગણીને વ્યક્ત કરે છે. | ||
બીજો આવો સંબંધ કવિ નાનાલાલ સાથેનો. બંને એકબીજાનાં કાવ્યોથી પ્રથમ એકબીજાનું ઓળખાણ કરવા ઉત્સુક થયેલા, પત્રવ્યવહાર પણ શરૂ થયેલો પણ મેળાપ સૌથી પ્રથમ પ્રો. ગજ્જરને ત્યાં મુંબઈમાં થયો. તે પછી બંનેની વચ્ચે મૈત્રી જોતજોતામાં ગાઢ થઈ ગઈ. બંને વચ્ચે થોડાં વરસો અવિચ્છિન્ન પત્રવ્યવહાર ચાલ્યો. કવિ પોતાનાં કાવ્યોની નકલો વખતોવખત મણિભાઈને મોકલતા રહે, મણિભાઈ તે પર ટીકા કરે, કવિ સુધારાવધારા કરે, વળી ચર્ચા થાય એમ ચાલ્યા કરે. કૌટુંબિક આપત્તિમાં પણ એકબીજાએ એકબીજાને મદદ કરેલી અને ‘મહેમાનોને સંબોધન’ સૌથી પ્રથમ કવિના કુટુંબને થયું હતું. બંનેને પછીથી કંઈક ઉચક મન થયેલું. પત્રવ્યવહાર બંધ પડેલો, પણ કદી ખાસ વિખવાદ થયો જાણમાં નથી. | બીજો આવો સંબંધ કવિ નાનાલાલ સાથેનો. બંને એકબીજાનાં કાવ્યોથી પ્રથમ એકબીજાનું ઓળખાણ કરવા ઉત્સુક થયેલા, પત્રવ્યવહાર પણ શરૂ થયેલો પણ મેળાપ સૌથી પ્રથમ પ્રો. ગજ્જરને ત્યાં મુંબઈમાં થયો. તે પછી બંનેની વચ્ચે મૈત્રી જોતજોતામાં ગાઢ થઈ ગઈ. બંને વચ્ચે થોડાં વરસો અવિચ્છિન્ન પત્રવ્યવહાર ચાલ્યો. કવિ પોતાનાં કાવ્યોની નકલો વખતોવખત મણિભાઈને મોકલતા રહે, મણિભાઈ તે પર ટીકા કરે, કવિ સુધારાવધારા કરે, વળી ચર્ચા થાય એમ ચાલ્યા કરે. કૌટુંબિક આપત્તિમાં પણ એકબીજાએ એકબીજાને મદદ કરેલી અને ‘મહેમાનોને સંબોધન’ સૌથી પ્રથમ કવિના કુટુંબને થયું હતું. બંનેને પછીથી કંઈક ઉચક મન થયેલું. પત્રવ્યવહાર બંધ પડેલો, પણ કદી ખાસ વિખવાદ થયો જાણમાં નથી. | ||
ઠેઠ સુધી એવો ને એવો સંબંધ રહેલો, તે હાલ માસ્તર તરીકે સુપ્રસિદ્ધ શ્રી કરુણાશંકર અને તેમના મિત્ર શિવાભાઈ સાથે. આ સંબંધ શરૂ થયેલો વડોદરામાં. બંને મણિભાઈના પ્રિય શિષ્યો હતા અને પછીથી એ જ ભાવે રહેલા. શ્રી શિવાભાઈ તો તેમના નવા સંપ્રદાયમાં પણ જોડાયા હતા. આ સંબંધને મણિભાઈના સાહિત્યજીવન સાથે બહુ સંબંધ ન કહી શકાય પણ એટલું તો કહેવું જોઈએ કે મણિભાઈના પ્રેમભૂખ્યા હૃદયને આ બંનેનાં શ્રદ્ધા, આદર, પ્રેમથી અનન્ય સાંત્વન અને આશ્વાસન મળતું. | ઠેઠ સુધી એવો ને એવો સંબંધ રહેલો, તે હાલ માસ્તર તરીકે સુપ્રસિદ્ધ શ્રી કરુણાશંકર અને તેમના મિત્ર શિવાભાઈ સાથે. આ સંબંધ શરૂ થયેલો વડોદરામાં. બંને મણિભાઈના પ્રિય શિષ્યો હતા અને પછીથી એ જ ભાવે રહેલા. શ્રી શિવાભાઈ તો તેમના નવા સંપ્રદાયમાં પણ જોડાયા હતા. આ સંબંધને મણિભાઈના સાહિત્યજીવન સાથે બહુ સંબંધ ન કહી શકાય પણ એટલું તો કહેવું જોઈએ કે મણિભાઈના પ્રેમભૂખ્યા હૃદયને આ બંનેનાં શ્રદ્ધા, આદર, પ્રેમથી અનન્ય સાંત્વન અને આશ્વાસન મળતું. | ||
આ લાંબા અરસામાં સાહિત્ય કાંઈ છેક બંધ પડ્યું નથી. ખ્રિસ્તી ધર્મની અસર શરૂ થઈ તે ૧૮૯૬–૯૭નાં બે વરસોમાં ટૂંકા-ટૂંકા ગેય ઊર્મિકાવ્યો અનેક ઉદ્ભવ્યાં છે. પણ પછી અવ્યવસ્થા અને દર્દના સમયમાં કાવ્યસ્રોત ઓસરી ગયું છે. કાવ્યના ‘મસ્ત ધોધવા’ને બદલે ‘શાંત સદાશિવ નીર’ વહેવા માંડે છે. આ સમયનાં ઘણાંખરાં કાવ્યો ઈશ્વરપ્રાર્થનાનાં, પશ્ચાત્તાપનાં, ધર્મથી ઉદય પામતી આશાનાં છે. કેટલાંક અપવાદરૂપ છે. આમાં તેમનાં પત્ની સૌ. નર્મદા (નાની)ને ઉદ્દેશેલાં કાવ્યો મહત્ત્વનાં છે. ‘પ્રિયાને પ્રાર્થના’ અને ‘મુગ્ધાને સંબોધન એમને ઉદ્દેશેલાં હતાં તે આપણે જોઈ ગયા છીએ. તે પછી ‘રજાની માગણી’, ‘પુરાની પ્રીત’ અને ‘વત્સલનાં નયનો’માં પણ તેઓ જ કાવ્યનો વિષય છે. તેમના જીવન દરમિયાન તેમને છેલ્લું ઉદ્દેશેલું કાવ્ય ‘મનોહર મૂર્તિ.’ ૧૯૧૮માં એ ગુજરી ગયાં. મણિભાઈના હૃદય ઉપર ફરી વજ્રપાત ઊતર્યો. આ સમયના એક પત્રમાં તેઓ લખે છે : ‘ગમે તે કામ કરતો હોઉ ત્યાં દિલમાં વારંવાર ચરચરાટી થઈ આવે છે, અને ફટાકાની વાટ બળી જાય તેટલી ઝડપથી બળતરા થઈ જાય છે. | આ લાંબા અરસામાં સાહિત્ય કાંઈ છેક બંધ પડ્યું નથી. ખ્રિસ્તી ધર્મની અસર શરૂ થઈ તે ૧૮૯૬–૯૭નાં બે વરસોમાં ટૂંકા-ટૂંકા ગેય ઊર્મિકાવ્યો અનેક ઉદ્ભવ્યાં છે. પણ પછી અવ્યવસ્થા અને દર્દના સમયમાં કાવ્યસ્રોત ઓસરી ગયું છે. કાવ્યના ‘મસ્ત ધોધવા’ને બદલે ‘શાંત સદાશિવ નીર’ વહેવા માંડે છે. આ સમયનાં ઘણાંખરાં કાવ્યો ઈશ્વરપ્રાર્થનાનાં, પશ્ચાત્તાપનાં, ધર્મથી ઉદય પામતી આશાનાં છે. કેટલાંક અપવાદરૂપ છે. આમાં તેમનાં પત્ની સૌ. નર્મદા (નાની)ને ઉદ્દેશેલાં કાવ્યો મહત્ત્વનાં છે. ‘પ્રિયાને પ્રાર્થના’ અને ‘મુગ્ધાને સંબોધન એમને ઉદ્દેશેલાં હતાં તે આપણે જોઈ ગયા છીએ. તે પછી ‘રજાની માગણી’, ‘પુરાની પ્રીત’ અને ‘વત્સલનાં નયનો’માં પણ તેઓ જ કાવ્યનો વિષય છે. તેમના જીવન દરમિયાન તેમને છેલ્લું ઉદ્દેશેલું કાવ્ય ‘મનોહર મૂર્તિ.’ ૧૯૧૮માં એ ગુજરી ગયાં. મણિભાઈના હૃદય ઉપર ફરી વજ્રપાત ઊતર્યો. આ સમયના એક પત્રમાં તેઓ લખે છે : ‘ગમે તે કામ કરતો હોઉ ત્યાં દિલમાં વારંવાર ચરચરાટી થઈ આવે છે, અને ફટાકાની વાટ બળી જાય તેટલી ઝડપથી બળતરા થઈ જાય છે.<ref>કાન્તમાલા, પૃ. ૩૭૫.</ref> મહિના પછી લખે છે : ‘કવિતાનો પ્રવાહ શરૂ થાય તો સારી શાંતિ મળે. હાલ તો તે માટે જોઈએ તે કરતાં વધારે ક્ષોભ છે.’<ref>કાન્તમાલા, પૃ. ૩૭૬</ref> છેવટે એ પ્રવાહ શરૂ થાય છે અને તેમાંથી ‘આપણી રાત’ જન્મે છે. | ||
૧૮૯૮થી ભાવનગર સ્ટેટમાં તેમણે નોકરી લીધી ત્યારથી ત્યાં જ રહ્યા. ૧૯૨૨માં તેઓ પેન્શન લઈ નિવૃત્ત થયા અને કાશ્મીરની યાત્રાએ નીકળ્યા. તેમને મુસાફરી કરવાનો અને કુદરતમાં અને જનતામાં બંધનરહિત થઈ વિહરવાનો ઘણો શોખ હતો. આ પહેલાં પણ નર્મદાની ઉપરવાસ થઈ કાશી સુધી તેઓ યાત્રા કરી આવેલા, | ૧૮૯૮થી ભાવનગર સ્ટેટમાં તેમણે નોકરી લીધી ત્યારથી ત્યાં જ રહ્યા. ૧૯૨૨માં તેઓ પેન્શન લઈ નિવૃત્ત થયા અને કાશ્મીરની યાત્રાએ નીકળ્યા. તેમને મુસાફરી કરવાનો અને કુદરતમાં અને જનતામાં બંધનરહિત થઈ વિહરવાનો ઘણો શોખ હતો. આ પહેલાં પણ નર્મદાની ઉપરવાસ થઈ કાશી સુધી તેઓ યાત્રા કરી આવેલા,<ref>એજન, પૃ. ૩૬૬</ref> બાવાઓને મળેલા, પ્રવચનો કરેલાં અને ખૂબ ઉત્સાહથી ફરેલા; જોકે તેથી, શંકા સિવાય કશું નહિ સમજનાર સરકારને વહેમ આવેલો અને તેમની સ્ટેટની નોકરી જોખમમાં આવી પડેલી આ યાત્રાથી પણ તેમનામાં ઉત્સાહ આવતો હતો. પણ ત્યાં માંદા પડ્યા અને પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં ૧૬મી જૂનના રોજ તેમનો દેહ પડ્યો. તે જ દિવસે અમદાવાદમાં ‘પૂર્વાલાપ’ની પહેલી આવૃત્તિ બહાર પડી – ક્ષર દેહ નાશ પામ્યો અને અક્ષરદેહે તેઓ અમર થયા. | ||
આ પહેલાં ઘણી વાર પોતાનો કાવ્યસંગ્રહ છપાવવાની તેમને ઇચ્છા થયેલી પણ કોઈ ને કોઈ કારણથી કામ અટકી પડતું. ૨૧-૫-૦૯ના | આ પહેલાં ઘણી વાર પોતાનો કાવ્યસંગ્રહ છપાવવાની તેમને ઇચ્છા થયેલી પણ કોઈ ને કોઈ કારણથી કામ અટકી પડતું. ૨૧-૫-૦૯ના પત્રમાં<ref>કાન્તમાલા, પૃ. ૩૬૫</ref> લખે છે : “મારાં કાવ્યો પ્રસિદ્ધિ માટે તૈયાર કરું છું. ‘પૂર્વાલાપ’ નામ આપવા ધાર્યું છે.” એ વરસમાં ‘પૂર્વાલાપ’માં શરૂઆતમાં મૂકવાની ‘ઈશ્વરપ્રાર્થના’ લખાઈ અને કાવ્યો ભેગાં કરવા માંડ્યાં. ‘પૂર્વાલાપ’માં બહાર પડ્યું છે તે ઉપરાંત મણિભાઈએ કેટલુંક કાવ્યસાહિત્ય લખેલું હતું. પણ ડૅન્ટી વાંચ્યો ત્યારે તેમને પોતાનાં કાવ્યો જોડકણાં જેવાં લાગ્યાં અને પાંચસો સાતસો લીટીનો નાશ કર્યો. આ નાશ કરેલી કવિતામાંથી ‘રમા‘ પ્રો. ઠાકોર પાસેથી મળી તે ‘પૂર્વાલાપ’માં પ્રકટ થઈ છે. આમ કેટલુંક સાહિત્ય મળી શક્યું. ઘણુંખરું તેમણે સ્મરણમાંથી જ ફરી લખ્યું.<ref>પ્રસ્થાન પુ. ૪, ૧૩૫</ref> તેમનું સ્મરણબળ ઘણું સારું હતું, તોપણ કેટલુંક ફરી ન આવી શક્યું. તેમાંથી જે કાંઈ જૂના કાગળોમાંથી મળી આવ્યું તે ‘પૂર્વાલાપ’ના પરિશિષ્ટ રૂપે મૂકેલ છે. | ||
તે પછી ૧૯૧૯માં પાછો સંગ્રહ બહાર પાડવા વિચાર કરે છે. તે વખતે ‘કાન્તકાવ્યકલાપ’ નામ રાખવાની યોજના જણાય છે અને તેમાં ‘પૂર્વાલાપ’ અને ‘ઉત્તરાલાપ’ એ પ્રમાણે બે ભાગ થવાનું જણાવે છે. | તે પછી ૧૯૧૯માં પાછો સંગ્રહ બહાર પાડવા વિચાર કરે છે. તે વખતે ‘કાન્તકાવ્યકલાપ’ નામ રાખવાની યોજના જણાય છે અને તેમાં ‘પૂર્વાલાપ’ અને ‘ઉત્તરાલાપ’ એ પ્રમાણે બે ભાગ થવાનું જણાવે છે.<ref>કાન્તમાલા, પૃ. ૩૭૯</ref> એ વખતે પણ કશું પ્રગટ ન થયું. | ||
આ સિવાય ૧૯૧૧માં મણિભાઈના શિષ્યોએ ‘પ્રાર્થનાઓ’ જ સંગ્રહીને ‘શિષ્યોના ઉપયોગ માટે’ છાપવાનો વિચાર કર્યો હતો : તેમાં કઈ પ્રાર્થના લેવી અને કઈ ન લેવી તે સંબંધી ચર્ચાના કાગળો છે પણ તેનું પણ કશું પરિણામ ન આવ્યું. | આ સિવાય ૧૯૧૧માં મણિભાઈના શિષ્યોએ ‘પ્રાર્થનાઓ’ જ સંગ્રહીને ‘શિષ્યોના ઉપયોગ માટે’ છાપવાનો વિચાર કર્યો હતો : તેમાં કઈ પ્રાર્થના લેવી અને કઈ ન લેવી તે સંબંધી ચર્ચાના કાગળો છે પણ તેનું પણ કશું પરિણામ ન આવ્યું. | ||
‘પૂર્વાલાપ’ નામ શાથી પડ્યું એ સંબંધી અનેક તર્કો થયા છે. કર્તાએ પોતે કશો ખુલાસો કર્યો નથી એટલે એ સંબંધી તર્કથી વિશેષ થઈ શકે તેમ નથી. એટલું તો ચોક્કસ કે કર્તાએ પોતે પોતાનાં કાવ્યોને પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગમાં વહેંચવા ધારેલાં હતાં. આ રીતે એમના જીવન અને કાવ્યોને બે સમયમાં વહેંચી શકે એવું સીમાચિહ્ન ખ્રિસ્તી ધર્મનો અંગીકાર જ છે. ક્રાઈસ્ટના જીવન અને શબ્દના લાભથી જ તેઓ ડૅન્ટીને હોમર અને વિર્જિલથી વધારે મહત્ત્વનો ગણે છે. | ‘પૂર્વાલાપ’ નામ શાથી પડ્યું એ સંબંધી અનેક તર્કો થયા છે. કર્તાએ પોતે કશો ખુલાસો કર્યો નથી એટલે એ સંબંધી તર્કથી વિશેષ થઈ શકે તેમ નથી. એટલું તો ચોક્કસ કે કર્તાએ પોતે પોતાનાં કાવ્યોને પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગમાં વહેંચવા ધારેલાં હતાં. આ રીતે એમના જીવન અને કાવ્યોને બે સમયમાં વહેંચી શકે એવું સીમાચિહ્ન ખ્રિસ્તી ધર્મનો અંગીકાર જ છે. ક્રાઈસ્ટના જીવન અને શબ્દના લાભથી જ તેઓ ડૅન્ટીને હોમર અને વિર્જિલથી વધારે મહત્ત્વનો ગણે છે.<ref>કાન્તમાલા, પૃ. ૩૫૬.</ref> તેમનાં કાવ્યો, પત્રો, સર્વમાં આ એક જ વસ્તુ પ્રતીત થાય છે. નવા ધર્મના અંગીકાર પછીનાં કાવ્યો ઘણાંખરાં એ ધર્મશ્રદ્ધાનાં જ છે. એટલું જ નહિ પણ એ શ્રદ્ધાથી અસંગત ભાવનાં જૂનાં કાવ્યો તેમણે ફેરફાર કરી નવી શ્રદ્ધાને અનુકૂળ કર્યાં છે (‘ચક્રવાકમિથુન’ અને ‘વિપ્રયોગ’ ઉપરનું ટિપ્પણ). માટે પૂર્વાલાપ એટલે આ નવા જ્ઞાનના પ્રાદુર્ભાવ પહેલાંનાં કાવ્યો એટલું ચોક્કસ. અને તેથી ઉત્તરાલાપ એટલે એ નવા ધર્મનાં મંતવ્યો જેમાં પ્રગટ થયાં હોય તે. ૧૮૯૭ પછીનાં પણ જે કાવ્યોને આ મંતવ્ય સાથે સંબંધ ન હોય તે પૂર્વાલાપમાં જ ગણાય. પણ પછીથી ‘કાન્તકાવ્યકલાપ’ને પૂર્વાલાપ અને ઉત્તરાલાપના વિભાગોમાં પ્રગટ કરવાનો વિચાર બંધ કર્યો એટલે ઉત્તરાલાપનાં પણ જે કાવ્યો આપણા જનસમાજને દુર્ગાહ્ય થાય એટલાં સાંપ્રદાયિક ન હોય તેનો પણ ‘પૂર્વાલાપ’માં સમાવેશ કર્યો છે એમ જણાય છે. | ||
આલાપ એટલે કાવ્ય એટલો સાદામાં સાદો અર્થ કરીએ તોપણ ચાલે. પણ પ્રો. ઠાકોર વધારે ઊંડા ઊતરીને કહે છે : ‘અને આ નામોમાં એ પણ ગર્ભિત ખરું કે બેય આલાપ માત્ર છે : ગાન શી વસ્તુ છે તે કર્તા જાણે છે; અને આ તો તે માટેની તૈયારી માત્ર છે, આ માનવ દેહે આ મર્ત્યલોકની સ્થિતિમાં થઈ શકે એવી; ખરું ગાન તો સ્વામીનો બંદો કરશે. સ્વામીનો હુકમ હશે તો સ્વામીના સાંનિધ્યમાં, સ્વામી જ્યારે તેને અહીંથી લઈને પોતાના સ્વર્ગમાં સ્થાપશે ત્યારે! | આલાપ એટલે કાવ્ય એટલો સાદામાં સાદો અર્થ કરીએ તોપણ ચાલે. પણ પ્રો. ઠાકોર વધારે ઊંડા ઊતરીને કહે છે : ‘અને આ નામોમાં એ પણ ગર્ભિત ખરું કે બેય આલાપ માત્ર છે : ગાન શી વસ્તુ છે તે કર્તા જાણે છે; અને આ તો તે માટેની તૈયારી માત્ર છે, આ માનવ દેહે આ મર્ત્યલોકની સ્થિતિમાં થઈ શકે એવી; ખરું ગાન તો સ્વામીનો બંદો કરશે. સ્વામીનો હુકમ હશે તો સ્વામીના સાંનિધ્યમાં, સ્વામી જ્યારે તેને અહીંથી લઈને પોતાના સ્વર્ગમાં સ્થાપશે ત્યારે!’<ref>કાન્તમાલા, પૃ. ૩૮૦.</ref> | ||
કેટલાક સારા | કેટલાક સારા કવિઓની<ref>સરખાવો મિલ્ટનનું વાક્ય : ‘...that by labour and intense study (which I take to be my portion in this life) joined with the strong propensity of nature, I might perhaps leave something to aftertimes as they should not willingly let die.’</ref> પેઠે મણિશંકરને જુવાન વયથી જ સમજાયેલું કે કાવ્ય એ જ પોતાના જીવનનો ખરો માર્ગ છે. તેમણે ઘણી નાની વયથી કાવ્ય લખવાં શરૂ કરેલાં છે. દરેક કલાકાર પોતાનો માર્ગ પોતે જ નક્કી કરે છે પણ પોતાની શક્તિનો ખરેખર પરિચય ઘણાને મોડો થાય છે. પોતાની શક્તિને અનુકૂળ માર્ગ જડ્યા પહેલાં ઘણા અનુકરણો કરે છે, નિષ્ફળ પ્રયાસો કરે છે. મણિભાઈએ પણ દલપતરામની શૈલીના અનુકરણથી કાવ્યના શ્રી ગણેશાય કરેલા પણ તેમને પોતાની શક્તિની શ્રદ્ધા અને તેના વિશિષ્ટ સ્વરૂપનું ભાન, બીજાની સરખામણીમાં બહુ વહેલું થયું હતું એમ જણાય છે. ૧૮૮૯ના એક પત્રમાં એટલે બાવીસ વરસની ઉંમરે તેઓ લખે છે : | ||
‘ખરા આવેશથી લખનાર માણસ બીજાના મત ઉપર બહુ આધાર કદી નથી રાખતો. મને મારા હૃદય ઉપર આસ્થા છે, અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષરમંડળના ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહીં જાય. આ વૃત્તિ મને ઘણા દિવસની છે. ‘ઉભય મળી મને ખુશી કરો છો, પર પરવા શિદ અંતરે ધરો છો?’ એ વાક્ય મેં ઘણા દિવસ પહેલાં લખેલું છે. આ વૃત્તિને હું Confidence [વિશ્વાસ] કહું છું તે અભિમાનથી જુદી જ ચીજ છે. આત્મજ્ઞાનને કદાચ મળતી ગણી શકાય. મેં મારી ચોપડી ઉપર આ જ motto [સૂત્રવાક્ય) લખી રાખેલ છે કે | ‘ખરા આવેશથી લખનાર માણસ બીજાના મત ઉપર બહુ આધાર કદી નથી રાખતો. મને મારા હૃદય ઉપર આસ્થા છે, અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષરમંડળના ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહીં જાય. આ વૃત્તિ મને ઘણા દિવસની છે. ‘ઉભય મળી મને ખુશી કરો છો, પર પરવા શિદ અંતરે ધરો છો?’ એ વાક્ય મેં ઘણા દિવસ પહેલાં લખેલું છે. આ વૃત્તિને હું Confidence [વિશ્વાસ] કહું છું તે અભિમાનથી જુદી જ ચીજ છે. આત્મજ્ઞાનને કદાચ મળતી ગણી શકાય. મેં મારી ચોપડી ઉપર આ જ motto [સૂત્રવાક્ય) લખી રાખેલ છે કે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>The field is universal and allows | {{Block center|<poem>The field is universal and allows | ||
Scope to all such as feel the inherent glow. | Scope to all such as feel the inherent glow. | ||
{{right|Lord Byron. | {{right|Lord Byron.’<ref>ક્ષેત્ર સર્વે માટે ખુલ્લું છે અને છૂટ છે.<br> | ||
તેવા સૌનેય અંદર પેસવાની જેઓને પ્રત્યક્ષ અનુભવથી વિશ્વાસ હોય,<br> | તેવા સૌનેય અંદર પેસવાની જેઓને પ્રત્યક્ષ અનુભવથી વિશ્વાસ હોય,<br> | ||
કે પોતાનામાં સ્વયંભૂ તેજ વિલસે છે.<br> | કે પોતાનામાં સ્વયંભૂ તેજ વિલસે છે.<br> | ||
| Line 142: | Line 142: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને આ આત્મશ્રદ્ધા અજ્ઞાનની નહોતી. ગુજરાતીમાં કવિતા લખવી કેટલી અઘરી છે, – અત્યારે છે તે કરતાં તે વખતે લખવી અનેકગણી વધારે અઘરી હતી – તે તે સમજતા હતા. તેમણે સંસ્કૃત કાવ્યસાહિત્ય સારી પેઠે વાંચેલું જણાય છે. ગુજરાતી સાહિત્ય શું શું વાંચ્યું હશે તે જાણવા સાધન નથી પણ પ્રેમાનંદનાં ઉત્તમ કાવ્યો તો જરૂર વાંચ્યાં જણાય છે. તેમની સાહિત્યની જિજ્ઞાસા તીવ્ર હતી. પણ તેમની રસવૃત્તિ અને તેમના હૃદયના પ્રવર્તક સંસ્કારો અંગ્રેજી કાવ્યના છે. પ્રિન્સિપલ વડ્ર્ઝવર્થ જેવા ઉત્તમ અધ્યાપકના હાથ નીચે તેમણે અભ્યાસ કરેલો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિની નવીનતા, બલ, સજીવતાના પ્રબલ ધસારાનો એ સમય હતો. એ સંસ્કારો નીચે મણિભાઈની કાવ્યરસિકતા ઘડાઈ અને કેળવાઈ હતી. એ ઝીલેલા સંસ્કારોના નવા ભાવો તેઓ પોતાની ભાષામાં પહેલવહેલા જ મૂર્ત કરવા ઇચ્છતા હતા. અને તેમાં પણ તેમના કેટલાક ભાવો તો આપણા કાવ્યસાહિત્યમાં હજી પ્રથમ જ અવતરવા પ્રયત્ન કરતા હતા. આપણી ભાષા એ વખતે બિલકુલ કેળવાયેલી નહિ જ. આવા ભાવોને માટે તો નહિ જ, એમ કહીએ તો ચાલે. મણિભાઈ આ સર્વ મુશ્કેલીઓ બરાબર સમજતા હતા. ૧૮૯૧ના એક અંગ્રેજી પત્રમાં તેઓ લખે છે : | અને આ આત્મશ્રદ્ધા અજ્ઞાનની નહોતી. ગુજરાતીમાં કવિતા લખવી કેટલી અઘરી છે, – અત્યારે છે તે કરતાં તે વખતે લખવી અનેકગણી વધારે અઘરી હતી – તે તે સમજતા હતા. તેમણે સંસ્કૃત કાવ્યસાહિત્ય સારી પેઠે વાંચેલું જણાય છે. ગુજરાતી સાહિત્ય શું શું વાંચ્યું હશે તે જાણવા સાધન નથી પણ પ્રેમાનંદનાં ઉત્તમ કાવ્યો તો જરૂર વાંચ્યાં જણાય છે. તેમની સાહિત્યની જિજ્ઞાસા તીવ્ર હતી. પણ તેમની રસવૃત્તિ અને તેમના હૃદયના પ્રવર્તક સંસ્કારો અંગ્રેજી કાવ્યના છે. પ્રિન્સિપલ વડ્ર્ઝવર્થ જેવા ઉત્તમ અધ્યાપકના હાથ નીચે તેમણે અભ્યાસ કરેલો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિની નવીનતા, બલ, સજીવતાના પ્રબલ ધસારાનો એ સમય હતો. એ સંસ્કારો નીચે મણિભાઈની કાવ્યરસિકતા ઘડાઈ અને કેળવાઈ હતી. એ ઝીલેલા સંસ્કારોના નવા ભાવો તેઓ પોતાની ભાષામાં પહેલવહેલા જ મૂર્ત કરવા ઇચ્છતા હતા. અને તેમાં પણ તેમના કેટલાક ભાવો તો આપણા કાવ્યસાહિત્યમાં હજી પ્રથમ જ અવતરવા પ્રયત્ન કરતા હતા. આપણી ભાષા એ વખતે બિલકુલ કેળવાયેલી નહિ જ. આવા ભાવોને માટે તો નહિ જ, એમ કહીએ તો ચાલે. મણિભાઈ આ સર્વ મુશ્કેલીઓ બરાબર સમજતા હતા. ૧૮૯૧ના એક અંગ્રેજી પત્રમાં તેઓ લખે છે : | ||
‘આ આપણી હજી બાલ્યાવસ્થા ચાલે છે. તેમાં કવિતા લખવી કેટલી તો મુશ્કેલ છે તે હું જાણું છું. હું પોતે છેક આશાહીન છું. મારું યત્કિંચિત્ લખાણ કશી આશા આપે એવું નથી, પણ અંગ્રેજી કવિતાનો અભ્યાસ જે આટઆટલો અવિશ્વાસ ઉપજાવે છે, તે કવિતાપરીક્ષણના કેટલાક અતિ કડક નિયમો પણ શીખવે છે. અને એ કસોટીએ તપાસી જોતાં ગુજરાતી કવિતાઓમાંથી બહુ જ થોડી મને સારી લાગે છે. ખરેખર, સંસ્કૃત કવિતાના પણ મોટા ભાગને કચરો જ ગણતો થયો છું, અને હું ધારું છું કે પ્રેમાનંદ કંઈ કવિ નહીં, માત્ર પદ્ય જોડનારો હતો એમ બહુ સહેલાઈથી સાબિત થઈ શકે. | ‘આ આપણી હજી બાલ્યાવસ્થા ચાલે છે. તેમાં કવિતા લખવી કેટલી તો મુશ્કેલ છે તે હું જાણું છું. હું પોતે છેક આશાહીન છું. મારું યત્કિંચિત્ લખાણ કશી આશા આપે એવું નથી, પણ અંગ્રેજી કવિતાનો અભ્યાસ જે આટઆટલો અવિશ્વાસ ઉપજાવે છે, તે કવિતાપરીક્ષણના કેટલાક અતિ કડક નિયમો પણ શીખવે છે. અને એ કસોટીએ તપાસી જોતાં ગુજરાતી કવિતાઓમાંથી બહુ જ થોડી મને સારી લાગે છે. ખરેખર, સંસ્કૃત કવિતાના પણ મોટા ભાગને કચરો જ ગણતો થયો છું, અને હું ધારું છું કે પ્રેમાનંદ કંઈ કવિ નહીં, માત્ર પદ્ય જોડનારો હતો એમ બહુ સહેલાઈથી સાબિત થઈ શકે.<ref>કાન્તમાલા, પૃ. ૩૨૮</ref> | ||
ભાષાના વિકાસમાં તે સમયે આપણે કેવી સ્થિતિમાં હતા તે મણિભાઈ વિશેના જ બે દાખલાથી સમજાશે. તેમનું પ્રથમ પ્રસિદ્ધ થયેલું કાવ્ય ‘મારી કીસ્તી’ કીસ્તી શબ્દ નહિ સમજાયેલો હોવાથી ‘મારી કીરતી’ના મથાળાથી ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયું હતું, અને નીચે ટીપ હતી કે નવીન લાગવાથી પ્રગટ કરી છે. ‘કિસ્તી’ને બદલે ‘કીરતી’ કરીને કાવ્ય છાપે તેને એ પ્રગટ કરવાને નવીનતા સિવાય બીજું કંઈ ન દેખાય એ સ્વાભાવિક છે. બીજો દાખલો તેમના મિત્ર પ્રો. ઠાકોર આપે છે : | ભાષાના વિકાસમાં તે સમયે આપણે કેવી સ્થિતિમાં હતા તે મણિભાઈ વિશેના જ બે દાખલાથી સમજાશે. તેમનું પ્રથમ પ્રસિદ્ધ થયેલું કાવ્ય ‘મારી કીસ્તી’ કીસ્તી શબ્દ નહિ સમજાયેલો હોવાથી ‘મારી કીરતી’ના મથાળાથી ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયું હતું, અને નીચે ટીપ હતી કે નવીન લાગવાથી પ્રગટ કરી છે. ‘કિસ્તી’ને બદલે ‘કીરતી’ કરીને કાવ્ય છાપે તેને એ પ્રગટ કરવાને નવીનતા સિવાય બીજું કંઈ ન દેખાય એ સ્વાભાવિક છે. બીજો દાખલો તેમના મિત્ર પ્રો. ઠાકોર આપે છે : | ||
‘એક દિવસ અમે સૌ બેઠા હતા ત્યાંથી ઊઠીને મણિશંકર જોડેના ઓરડામાં ગયા, સાંકળ વાસી દીધી અને પાએક કલાકમાં ‘ચક્રવાકમિથુન’ના બે શ્લોક, ૧૧મો અને ૧૨મો, નવા રચીને પાછા બહાર આવ્યા. અમે બીજાઓથી છૂટીને ફરવા ચાલ્યા ગયા, ત્યાં આ શ્લોક સંભળાવ્યા, અને કહે, હવે પછીના ચિત્રનો આરંભ મંદાક્રાન્તા વૃત્તમાં કરવાનો, અને તેમાં એક વાત નડે છે. હમણાં, હવે, now, next એ અર્થનો ગુજરાતીમાં એક બે ગુરુના માપનો શબ્દ જ નથી. મેં કહ્યું કેમ નહીં, હમણાં હવે એનું કવિતાયોગ્ય રૂપ ‘હાવાં.’ એમણે એ શબ્દ ઉથલાવી ઉથલાવીને ઉચ્ચારી જોયો, મંદાક્રાન્તાના ચાર ગુરુના ચોસલામાં આરંભે, મધ્યે અને અંતે ગોઠવી જોયો; પ્રથમ તો તેમને એ શબ્દનો સ્વાદ એરંડિયાના જેવો જ લાગ્યો. બે-ત્રણ દિવસ પછી એમણે શ્લોક ૧૩થી ૧૬ સંભળાવ્યા, ત્યારે મેં પૂછ્યું એરંડિયું ભાવ્યું કે શું – ઉપરાઉપર બે ચમચી લીધી? એ કહે, હું પુસ્તકાલયમાં જોઈ આવ્યો; સારા કવિઓએ વાપર્યો છે. | ‘એક દિવસ અમે સૌ બેઠા હતા ત્યાંથી ઊઠીને મણિશંકર જોડેના ઓરડામાં ગયા, સાંકળ વાસી દીધી અને પાએક કલાકમાં ‘ચક્રવાકમિથુન’ના બે શ્લોક, ૧૧મો અને ૧૨મો, નવા રચીને પાછા બહાર આવ્યા. અમે બીજાઓથી છૂટીને ફરવા ચાલ્યા ગયા, ત્યાં આ શ્લોક સંભળાવ્યા, અને કહે, હવે પછીના ચિત્રનો આરંભ મંદાક્રાન્તા વૃત્તમાં કરવાનો, અને તેમાં એક વાત નડે છે. હમણાં, હવે, now, next એ અર્થનો ગુજરાતીમાં એક બે ગુરુના માપનો શબ્દ જ નથી. મેં કહ્યું કેમ નહીં, હમણાં હવે એનું કવિતાયોગ્ય રૂપ ‘હાવાં.’ એમણે એ શબ્દ ઉથલાવી ઉથલાવીને ઉચ્ચારી જોયો, મંદાક્રાન્તાના ચાર ગુરુના ચોસલામાં આરંભે, મધ્યે અને અંતે ગોઠવી જોયો; પ્રથમ તો તેમને એ શબ્દનો સ્વાદ એરંડિયાના જેવો જ લાગ્યો. બે-ત્રણ દિવસ પછી એમણે શ્લોક ૧૩થી ૧૬ સંભળાવ્યા, ત્યારે મેં પૂછ્યું એરંડિયું ભાવ્યું કે શું – ઉપરાઉપર બે ચમચી લીધી? એ કહે, હું પુસ્તકાલયમાં જોઈ આવ્યો; સારા કવિઓએ વાપર્યો છે.’<ref>યુગધર્મ, ૪, ૨૭૬</ref> અત્યારે ગમે તે શિખાઉ પણ કવિતામાં ‘હાવાં’ લખતાં જરા પણ અચકાશે નહિ. તેવા શબ્દો માટે તે દિવસોમાં પ્રમાણ શોધવાં પડતાં! | ||
૧૪મે વર્ષે આપણે મણિશંકરને દલપતશૈલીનાં અનુકરણો કરતા જોઈએ છીએ. ૧૮૮૪માં રમણભાઈને આપેલી ગીતિમાં એની ગંધ પણ નથી. ૧૮૮૬નું ‘મારી કીસ્તી’ કાવ્ય નહિ સમજીને પણ નવીન તો ગણાયું. અને ૧૮૮૯માં ‘વસંતવિજય’ કાન્તની નવી જ શૈલીમાં પ્રગટ થયું. અને આ પહેલાંનાં મૃગતૃષ્ણા’, ‘રમા’ આદિ એ જ નવી શૈલીમાં તેમણે લખેલાં; અર્થાત્ ૧૯-૨૦ વર્ષની વયે આપણા સાહિત્યની એવી બાલ્યાવસ્થામાં તેમણે નવું જ પ્રસ્થાન કર્યું. | ૧૪મે વર્ષે આપણે મણિશંકરને દલપતશૈલીનાં અનુકરણો કરતા જોઈએ છીએ. ૧૮૮૪માં રમણભાઈને આપેલી ગીતિમાં એની ગંધ પણ નથી. ૧૮૮૬નું ‘મારી કીસ્તી’ કાવ્ય નહિ સમજીને પણ નવીન તો ગણાયું. અને ૧૮૮૯માં ‘વસંતવિજય’ કાન્તની નવી જ શૈલીમાં પ્રગટ થયું. અને આ પહેલાંનાં મૃગતૃષ્ણા’, ‘રમા’ આદિ એ જ નવી શૈલીમાં તેમણે લખેલાં; અર્થાત્ ૧૯-૨૦ વર્ષની વયે આપણા સાહિત્યની એવી બાલ્યાવસ્થામાં તેમણે નવું જ પ્રસ્થાન કર્યું. | ||
ખંડકાવ્યમાં તેમણે સંસ્કૃત વૃત્તોનું વૈવિધ્ય દાખલ કર્યું. પ્રથમ તો કદાચ માત્ર રચનાવૈચિત્ર્ય માટે જ એમ કર્યું હશે પણ એક-બે અજમાયશ પછી કાવ્યમાં વારંવાર બદલાતા ભાવોને તેમાં અનુકૂળ રૂપ મળ્યું. આ રીતિ તરત જ સફળ થઈ, તે જ રીતિનું શ્રી નરસિંહરાવે ‘ઉત્તરા અને અભિમન્યુ’ લખ્યું. સદ્ગત નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટે ‘શાપસંભ્રમ’ લખ્યું, કલાપીએ અનેક કાવ્યો એ શૈલીમાં લખ્યાં અને અત્યારે તો એ શૈલી સર્વત્ર પ્રચલિત છે. પણ હજી આ શૈલીમાં એમનું ‘વસંતવિજય’ જ અપૂર્વ સ્થાન ભોગવે છે. | ખંડકાવ્યમાં તેમણે સંસ્કૃત વૃત્તોનું વૈવિધ્ય દાખલ કર્યું. પ્રથમ તો કદાચ માત્ર રચનાવૈચિત્ર્ય માટે જ એમ કર્યું હશે પણ એક-બે અજમાયશ પછી કાવ્યમાં વારંવાર બદલાતા ભાવોને તેમાં અનુકૂળ રૂપ મળ્યું. આ રીતિ તરત જ સફળ થઈ, તે જ રીતિનું શ્રી નરસિંહરાવે ‘ઉત્તરા અને અભિમન્યુ’ લખ્યું. સદ્ગત નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટે ‘શાપસંભ્રમ’ લખ્યું, કલાપીએ અનેક કાવ્યો એ શૈલીમાં લખ્યાં અને અત્યારે તો એ શૈલી સર્વત્ર પ્રચલિત છે. પણ હજી આ શૈલીમાં એમનું ‘વસંતવિજય’ જ અપૂર્વ સ્થાન ભોગવે છે. | ||
શૈલીની દૃષ્ટિએ કાન્તની વિશેષતાઓ અનેક છે. વ્યક્ત થવા મથતા નવા જમાનાના નવીન ભાવો નવા છંદો માગતા હતા અને તેને માફક આવે તેવાં પદ્યરચનાનાં સ્વરૂપો પણ યોજાતાં હતાં. કાન્તે આ વિષયમાં કરેલા બીજા પ્રયોગો પણ એટલા જ સફળ થયા છે. ખંડ શિખરિણી સૌથી પ્રથમ કાન્તે યોજ્યો. કોઈ સૌભાગ્યવતી લલનાને હૃદયે લટકતા પારદર્શક હીરા જેવું એ કાવ્ય છે. હીરાને હાથમાં લઈ આપણે ફેરવીને બધી બાજુ જોઈએ અને બધી બાજુ સુંદર પાસા પડેલા હોય, એક દોરાવા પણ ક્યાંઈ વધુ ઓછું ન હોય, તેવું એ કાવ્ય પણ, તેના ખંડોમાં, ખંડોના પ્રાસોમાં, તેની પંક્તિઓમાં, ચરણોની સંખ્યામાં, તેના ધ્વનિમાં અનવદ્ય છે. શબ્દો બધા જ પારદર્શક, જેની સોંસરાં અર્થ બરાબર જોઈ શકાય તેવા છે. ખંડ શિખરિણીનું પણ અનુકરણ શ્રી નાનાલાલ કવિએ અને શ્રી નરસિંહરાવે કરેલું છે અને અનુકરણો હોવાનો સ્વાભાવિક ગેરલાભ બાદ કરતાં પણ એક્કેય ‘ઉદ્ગાર’ની ઉપર મુકાય તેવું તો નથી જ. | શૈલીની દૃષ્ટિએ કાન્તની વિશેષતાઓ અનેક છે. વ્યક્ત થવા મથતા નવા જમાનાના નવીન ભાવો નવા છંદો માગતા હતા અને તેને માફક આવે તેવાં પદ્યરચનાનાં સ્વરૂપો પણ યોજાતાં હતાં. કાન્તે આ વિષયમાં કરેલા બીજા પ્રયોગો પણ એટલા જ સફળ થયા છે. ખંડ શિખરિણી સૌથી પ્રથમ કાન્તે યોજ્યો. કોઈ સૌભાગ્યવતી લલનાને હૃદયે લટકતા પારદર્શક હીરા જેવું એ કાવ્ય છે. હીરાને હાથમાં લઈ આપણે ફેરવીને બધી બાજુ જોઈએ અને બધી બાજુ સુંદર પાસા પડેલા હોય, એક દોરાવા પણ ક્યાંઈ વધુ ઓછું ન હોય, તેવું એ કાવ્ય પણ, તેના ખંડોમાં, ખંડોના પ્રાસોમાં, તેની પંક્તિઓમાં, ચરણોની સંખ્યામાં, તેના ધ્વનિમાં અનવદ્ય છે. શબ્દો બધા જ પારદર્શક, જેની સોંસરાં અર્થ બરાબર જોઈ શકાય તેવા છે. ખંડ શિખરિણીનું પણ અનુકરણ શ્રી નાનાલાલ કવિએ અને શ્રી નરસિંહરાવે કરેલું છે અને અનુકરણો હોવાનો સ્વાભાવિક ગેરલાભ બાદ કરતાં પણ એક્કેય ‘ઉદ્ગાર’ની ઉપર મુકાય તેવું તો નથી જ. | ||
મરાઠી ભાષામાંથી જેમ સરલ-ગંભીર અભંગ ગુજરાતીમાં લાવવાનું માન સદ્ગત ભોળાનાથને છે તેમ સરલ-મધુર અંજનીગીત લાવવાનું માન મણિભાઈને છે. ‘વિપ્રયોગ’, ‘સ્થિતિભેદ’ વગેરે ગીતોનું સંગીત અને અર્થનો રણકાર જાણે ઘણી વાર સુધી મનમાંથી ખસતો નથી. એમનાં ગીતો ઉપરથી કલાપીએ અંજનીગીતો લખ્યાં છે તે સંબંધી તે કહે છે : | મરાઠી ભાષામાંથી જેમ સરલ-ગંભીર અભંગ ગુજરાતીમાં લાવવાનું માન સદ્ગત ભોળાનાથને છે તેમ સરલ-મધુર અંજનીગીત લાવવાનું માન મણિભાઈને છે. ‘વિપ્રયોગ’, ‘સ્થિતિભેદ’ વગેરે ગીતોનું સંગીત અને અર્થનો રણકાર જાણે ઘણી વાર સુધી મનમાંથી ખસતો નથી. એમનાં ગીતો ઉપરથી કલાપીએ અંજનીગીતો લખ્યાં છે તે સંબંધી તે કહે છે : | ||
“ ‘આકાશે એની એ તારા’ એ એક દિવસ કોણ જાણે હું કેટલી વખત બોલ્યો હઈશ અને બીજે જ દિવસે એ રાગમાં લખવા જેવી જ કેટલીક લાગણીઓ આવતાં મેં એવા કેટલાક કટકા લખ્યા છે. | “ ‘આકાશે એની એ તારા’ એ એક દિવસ કોણ જાણે હું કેટલી વખત બોલ્યો હઈશ અને બીજે જ દિવસે એ રાગમાં લખવા જેવી જ કેટલીક લાગણીઓ આવતાં મેં એવા કેટલાક કટકા લખ્યા છે.”<ref>કલાપીના પત્રો, પત્ર ૧૨, ૫</ref> | ||
અને કાન્તનાં અંજનીગીતોનો એવો પ્રભાવ છે, કે કલાપીનાં કેટલાંય ગીતોમાં કાન્તનાં જ ગીતોનો રણકાર, શબ્દોનું અનુકરણ, અર્થની છાયા દેખાયા કરે છે. સળંગ વાક્યરચનાવાળો પૃથ્વી અને તોટક લખવામાં પણ તેઓ રસફળ થયા છે. જોકે એવાં બબ્બે કાવ્યો જ છે : પૃથ્વીમાં ‘પ્રમાદી નાવિક’ અને ‘વિધુર કુરંગ’ અને તોટકમાં ‘મિત્રને નિવેદન’ અને ‘વત્સલનાં નયનો’ અલબત્ત, તે સિવાય શિખરિણીમાં પણ સળંગ વાક્યરચના આવે છે. | અને કાન્તનાં અંજનીગીતોનો એવો પ્રભાવ છે, કે કલાપીનાં કેટલાંય ગીતોમાં કાન્તનાં જ ગીતોનો રણકાર, શબ્દોનું અનુકરણ, અર્થની છાયા દેખાયા કરે છે. સળંગ વાક્યરચનાવાળો પૃથ્વી અને તોટક લખવામાં પણ તેઓ રસફળ થયા છે. જોકે એવાં બબ્બે કાવ્યો જ છે : પૃથ્વીમાં ‘પ્રમાદી નાવિક’ અને ‘વિધુર કુરંગ’ અને તોટકમાં ‘મિત્રને નિવેદન’ અને ‘વત્સલનાં નયનો’ અલબત્ત, તે સિવાય શિખરિણીમાં પણ સળંગ વાક્યરચના આવે છે. | ||
કાન્તની એક વિશેષતા તેના વાંચનારને સુપરિચિત છે – સંસ્કૃત શબ્દોમાં હ્રસ્વ દીર્ઘની છૂટ લેવાનો અસ્વીકાર. આપણી ભાષામાં કાવ્યમાં હ્રસ્વ દીર્ઘની છૂટ લેવાની પ્રથા ઘણા લાંબા સમયની છે. મરાઠીમાં પણ પ્રથમ આમ હતું પણ ત્યાંના લેખકોએ એ છૂટ ઓછી કરતાં કરતાં લગભગ બંધ કરી દીધી છે. પણ આપણા લેખકો તો એ નિર્વાહ્ય છૂટને પણ કવિતાનો હક ગણવા લાગ્યા છે. હમણાં જ માત્ર શ્રી કે. હ. ધ્રુવે આ છૂટ છોડી દેવાનો માર્ગ શરૂ કરેલો છે. આ સ્થિતિમાં પણ કાન્તે પ્રથમથી જ જાણે એ છૂટ ન લેવાનો સંકલ્પ કર્યો હોય એમ જણાય છે. તેમને એ છૂટનો જાણે તિરસ્કાર હોય એમ લાગે છે. અને આનું કારણ એ છે કે શબ્દના ઉચ્ચારનું માધુર્ય તેમનો કાન બરાબર પારખતો. જેમણે તેમને ભાષણ કરતા કે વાતચીત કરતા સાંભળ્યા હશે તેમણે જોયું હશે કે તેમના ઉચ્ચાર હંમેશાં અણિશુદ્ધ સ્પષ્ટ હતા. તેમાં પણ સંસ્કૃત શબ્દોના ઉચ્ચારોમાં જરા પણ પ્રમાદ તેમને અસહ્ય લાગતો. આ ઉચ્ચારસૌષ્ઠવની પરીક્ષાને લીધે – અને કાવ્ય શ્રાવ્ય છે એટલે અંશે એ જ મહત્ત્વનું છે – સંસ્કૃત શબ્દોને તેમનાં કાવ્યોમાં પ્રકૃતિવિરુદ્ધ હ્રસ્વ દીર્ઘ થવું પડતું નથી. શબ્દો – ગમે તેવા લાંબા સંસ્કૃત શબ્દો પણ, જાણે એમના કાવ્યમાં ત્યાં ત્યાં સ્થાન લેવા જન્મ્યા હોય એમ લાગે છે. જરા જોડાક્ષરનો થડકારો પણ ક્યાંઈ વ્યર્થ જતો નથી, ક્યાંઈ છોડી દેવો પડતો નથી. કોઈ જગાએ છૂટ લેવી પડે છે ત્યાં પણ તે ભાષાને અનુકૂળ જ હોય છે અને પણ કર્ણકટુ નથી લાગતી. | કાન્તની એક વિશેષતા તેના વાંચનારને સુપરિચિત છે – સંસ્કૃત શબ્દોમાં હ્રસ્વ દીર્ઘની છૂટ લેવાનો અસ્વીકાર. આપણી ભાષામાં કાવ્યમાં હ્રસ્વ દીર્ઘની છૂટ લેવાની પ્રથા ઘણા લાંબા સમયની છે. મરાઠીમાં પણ પ્રથમ આમ હતું પણ ત્યાંના લેખકોએ એ છૂટ ઓછી કરતાં કરતાં લગભગ બંધ કરી દીધી છે. પણ આપણા લેખકો તો એ નિર્વાહ્ય છૂટને પણ કવિતાનો હક ગણવા લાગ્યા છે. હમણાં જ માત્ર શ્રી કે. હ. ધ્રુવે આ છૂટ છોડી દેવાનો માર્ગ શરૂ કરેલો છે. આ સ્થિતિમાં પણ કાન્તે પ્રથમથી જ જાણે એ છૂટ ન લેવાનો સંકલ્પ કર્યો હોય એમ જણાય છે. તેમને એ છૂટનો જાણે તિરસ્કાર હોય એમ લાગે છે. અને આનું કારણ એ છે કે શબ્દના ઉચ્ચારનું માધુર્ય તેમનો કાન બરાબર પારખતો. જેમણે તેમને ભાષણ કરતા કે વાતચીત કરતા સાંભળ્યા હશે તેમણે જોયું હશે કે તેમના ઉચ્ચાર હંમેશાં અણિશુદ્ધ સ્પષ્ટ હતા. તેમાં પણ સંસ્કૃત શબ્દોના ઉચ્ચારોમાં જરા પણ પ્રમાદ તેમને અસહ્ય લાગતો. આ ઉચ્ચારસૌષ્ઠવની પરીક્ષાને લીધે – અને કાવ્ય શ્રાવ્ય છે એટલે અંશે એ જ મહત્ત્વનું છે – સંસ્કૃત શબ્દોને તેમનાં કાવ્યોમાં પ્રકૃતિવિરુદ્ધ હ્રસ્વ દીર્ઘ થવું પડતું નથી. શબ્દો – ગમે તેવા લાંબા સંસ્કૃત શબ્દો પણ, જાણે એમના કાવ્યમાં ત્યાં ત્યાં સ્થાન લેવા જન્મ્યા હોય એમ લાગે છે. જરા જોડાક્ષરનો થડકારો પણ ક્યાંઈ વ્યર્થ જતો નથી, ક્યાંઈ છોડી દેવો પડતો નથી. કોઈ જગાએ છૂટ લેવી પડે છે ત્યાં પણ તે ભાષાને અનુકૂળ જ હોય છે અને પણ કર્ણકટુ નથી લાગતી. | ||
| Line 179: | Line 179: | ||
{{right|રમા}}</poem>}} | {{right|રમા}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ આ ક્રિયાપદે ક્રિયાપદના પ્રાસો બાદ કરતાં પણ જે બીજા પ્રાસો આવે છે તે કર્તાનું અપૂર્વ કૌશલ બતાવે છે. જો તેમના પ્રાસો જ માત્ર ભેગા કરીએ અને બીજા કવિઓના પ્રાસો સાથે સરખાવીએ તો કેવળ નવીન પ્રાસો કાન્તના ઘણા નીકળે. | પણ આ ક્રિયાપદે ક્રિયાપદના પ્રાસો બાદ કરતાં પણ જે બીજા પ્રાસો આવે છે તે કર્તાનું અપૂર્વ કૌશલ બતાવે છે. જો તેમના પ્રાસો જ માત્ર ભેગા કરીએ અને બીજા કવિઓના પ્રાસો સાથે સરખાવીએ તો કેવળ નવીન પ્રાસો કાન્તના ઘણા નીકળે.<ref>કાવ્યના અભ્યાસમાં પણ અમુક-અમુક દૃષ્ટિએ ગણિત કરીએ તો તેથી ઘણા નિયમો અને પ્રશ્નો ઉપર નવો જ પ્રકાશ પડે; જોકે આપણે કોઈ તે કરતા નથી.</ref> પ્રથમનાં કાવ્યોમાં કાન્તના પ્રાસો સાદા છે. કેટલાક નવીન છે પણ એટલા સુંદર નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap}}દેખી નહીં શકું ચંદર : | {{Block center|<poem>{{gap}}દેખી નહીં શકું ચંદર : | ||
| Line 236: | Line 236: | ||
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં. | મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં. | ||
x | x | ||
અને ત્યાં પાસેના | અને ત્યાં પાસેના તરુવર<ref>‘તરુવર’નો પુંલિંગ વધારે સારો છે.</ref> રહ્યા ઉત્સુક બની.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ આખું ‘ઉપહાર’ કાવ્ય જ શ્લેષનો સુંદર દાખલો છે. | આ આખું ‘ઉપહાર’ કાવ્ય જ શ્લેષનો સુંદર દાખલો છે. | ||
| Line 282: | Line 282: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પછી તેનાથી પાંડુની વૃત્તિ દાબ બહાર જાય છે તે વર્ણન ૫૩મા શ્લોક સુધી ધીમે ધીમે કવિ કરે છે. પાંડુ અધીરો થાય છે, પણ કવિ ક્યાંઈ અધીર નથી થતો. પોતાના ભાવમાં એવો જ એકાગ્ર લીલામગ્ન રહે છે. ૨૯ શ્લોકના ‘ચક્રવાક મિથુન’માં કરુણની પરાકાષ્ઠા ૨૬મા શ્લોકમાં થાય છે. લગભગ દરેક કાવ્યમાં કરુણની સામગ્રી ભેગી થતી હોય ત્યાં વાંચનારને એ કરુણમાંથી બચવાનો કોઈ આશાતંતુ દેખાય છે, અને એ તંતુ તૂટતાં કરુણ વધારે ઘેરો અને નિરાશામય બને છે. તૃષાતુર મૃગબાલાને થોડી વાર વાદળાની છાયા મળે છે, પણ તે વાદળાની જ છાયા છે – ક્ષણિક છે. ‘અતિજ્ઞાન’માં આંતર કરુણ વ્યથાને સાંત્વન આપવા સહદેવ દ્રૌપદીને આલિંગવા જાય છે. ‘વસંતવિજય’માં પાંડુ અસહાય થાય છે તે પહેલાં સ્નાનથી તેની વૃત્તિ વિમલ ને સાત્ત્વિક થાય છે. પણ એ વૃત્તિને લીધે જ તે નિર્ભય બની માદ્રી પાસે જાય છે, એ વૃત્તિને લીધે જ માદ્રી પણ મોડી સાવચેત બને છે. અને સાવચેત બને છે ત્યારે માત્ર પાંડુની કરુણ દશામાં વધારો કરે છે. વળી દરેક કાવ્યમાં ભાવની પરાકાષ્ઠા થયા પછી તેનાં પરિણામો – તેના અનુભાવો એકાએક વેગથી વહી કોઈ વજ્રપાતથી કાવ્ય પૂરું થાય છે. | પછી તેનાથી પાંડુની વૃત્તિ દાબ બહાર જાય છે તે વર્ણન ૫૩મા શ્લોક સુધી ધીમે ધીમે કવિ કરે છે. પાંડુ અધીરો થાય છે, પણ કવિ ક્યાંઈ અધીર નથી થતો. પોતાના ભાવમાં એવો જ એકાગ્ર લીલામગ્ન રહે છે. ૨૯ શ્લોકના ‘ચક્રવાક મિથુન’માં કરુણની પરાકાષ્ઠા ૨૬મા શ્લોકમાં થાય છે. લગભગ દરેક કાવ્યમાં કરુણની સામગ્રી ભેગી થતી હોય ત્યાં વાંચનારને એ કરુણમાંથી બચવાનો કોઈ આશાતંતુ દેખાય છે, અને એ તંતુ તૂટતાં કરુણ વધારે ઘેરો અને નિરાશામય બને છે. તૃષાતુર મૃગબાલાને થોડી વાર વાદળાની છાયા મળે છે, પણ તે વાદળાની જ છાયા છે – ક્ષણિક છે. ‘અતિજ્ઞાન’માં આંતર કરુણ વ્યથાને સાંત્વન આપવા સહદેવ દ્રૌપદીને આલિંગવા જાય છે. ‘વસંતવિજય’માં પાંડુ અસહાય થાય છે તે પહેલાં સ્નાનથી તેની વૃત્તિ વિમલ ને સાત્ત્વિક થાય છે. પણ એ વૃત્તિને લીધે જ તે નિર્ભય બની માદ્રી પાસે જાય છે, એ વૃત્તિને લીધે જ માદ્રી પણ મોડી સાવચેત બને છે. અને સાવચેત બને છે ત્યારે માત્ર પાંડુની કરુણ દશામાં વધારો કરે છે. વળી દરેક કાવ્યમાં ભાવની પરાકાષ્ઠા થયા પછી તેનાં પરિણામો – તેના અનુભાવો એકાએક વેગથી વહી કોઈ વજ્રપાતથી કાવ્ય પૂરું થાય છે. | ||
ભાવનિરૂપણની રીતિની ચર્ચા અહીં પૂરી થાય છે, તો રસનું પ્રકરણ હાથ લેતાં એક પ્રશ્નને અહીં સ્પર્શ કરવો પડશે. અંગ્રેજી સાહિત્યમાં કાવ્યની બે રીતિઓ સ્વીકારાય છે : ક્લાસિકલ (classical) અને રોમૅન્ટિક (romantic). હજી આ અંગ્રેજી શબ્દોના સમાનાર્થ ગુજરાતી શબ્દો યોજાયા નથી. કોઈ બંનેનો રૂપરંગથી નિર્દેશ કરે છે : કોઈ શિષ્ટ અને જીવનના ઉલ્લાસવાળી એમ કહે છે અને કોઈ શિષ્ટ અને આનંદલક્ષી કે એવા શબ્દો યોજે છે. હું સમજું છું ત્યાં સુધી અંગ્રેજ ટીકાકારોમાં પણ આના લક્ષણ સંબંધી સ્પષ્ટ વિચારો નથી. કયા કયા કવિઓ કઈ રીતિના છે તે સંબંધી પણ મતભેદ છે. | ભાવનિરૂપણની રીતિની ચર્ચા અહીં પૂરી થાય છે, તો રસનું પ્રકરણ હાથ લેતાં એક પ્રશ્નને અહીં સ્પર્શ કરવો પડશે. અંગ્રેજી સાહિત્યમાં કાવ્યની બે રીતિઓ સ્વીકારાય છે : ક્લાસિકલ (classical) અને રોમૅન્ટિક (romantic). હજી આ અંગ્રેજી શબ્દોના સમાનાર્થ ગુજરાતી શબ્દો યોજાયા નથી. કોઈ બંનેનો રૂપરંગથી નિર્દેશ કરે છે : કોઈ શિષ્ટ અને જીવનના ઉલ્લાસવાળી એમ કહે છે અને કોઈ શિષ્ટ અને આનંદલક્ષી કે એવા શબ્દો યોજે છે. હું સમજું છું ત્યાં સુધી અંગ્રેજ ટીકાકારોમાં પણ આના લક્ષણ સંબંધી સ્પષ્ટ વિચારો નથી. કયા કયા કવિઓ કઈ રીતિના છે તે સંબંધી પણ મતભેદ છે.<ref>The Nation and Atheneum, September ૪th. ૧૯૨૬. p. ૬૪૪.</ref> એક પ્રસિદ્ધ અને બલવાન ટીકાકાર તો, આ વસ્તુથી દૂર અપસરતી શબ્દાનુપાતી વિવરણપદ્ધતિનો પુષ્કળ ઉપહાસ કરે છે.<ref>Sir Arthur Quiller – Couch, On the terms ‘Classical’ and ‘Romantic.’ ‘Studies in Literature.’</ref> એવી સ્થિતિમાં પશ્ચિમના શબ્દો વાપરવા મને યોગ્ય લાગતા નથી. હું માત્ર એટલું કહી શકું કે ક્લાસિકલ એટલે જો કાવ્યના આકાર – બાહ્યરૂપ માટેનો આદર, એવો અર્થ કરીએ તો તે કાન્તમાં છે. પણ આકારને લીધે ક્યાંય નીરસતા નથી આવી અને તેમણે જૂનાં રૂપોમાં ફેરફાર કરી નવાં સંવાદી રૂપોનો સફળ ઉપયોગ પણ કર્યો છે. જો રોમૅન્ટિકનો અર્થ રંગ, રંગનું તેજ એમ કરતા હોઈએ – અને આ શબ્દ અહીંથી જ અસ્ફુટાર્થ લાગે છે – તો કાન્તમાં રંગ છે અને તે તેજસ્વી છે, પણ રૂપ વિનાનો નથી. વળી ક્લાસિકલનો અર્થ એવો કરતા હોઈએ કે શબ્દેશબ્દનો બરાબર અર્થ થઈ રહે, તો કાન્તની શૈલી ક્લાસિકલ છે. રોમૅન્ટિકનો જો એવો અર્થ કરતા હોઈએ કે અર્થ, બધાનો એક સમગ્રરૂપે, બરાબર સ્ફુટ ન થાય, પણ તેમાંથી અસ્ફુટ મધુર વ્યંજના નીકળે તો કાન્તનાં ‘ઉપહાર’, ‘કલાપીને સંબોધન’ વગેરે થોડાંક જ કાવ્યો એવાં નીકળે. બાકી કાન્તનું વિશિષ્ટત્વ એ છે કે તેમાં દરેક શબ્દનો, પદનો, વાક્યનો અર્થ થાય છે અને તે સમગ્ર કાવ્યના વ્યંગ્યને પુષ્ટ કરે છે. પણ રોમૅન્ટિકનો માત્ર એટલો જ અર્થ કરીએ કે આપણે સાધારણ રીતે કરી ન શકીએ એવા ઊછળતા કલ્પનાતરંગો, તો કાન્તમાંથી એવું ઘણું મળી શકે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 308: | Line 308: | ||
‘માનસસર’ અને કદાચ ‘મારી કીસ્તી’ પણ એ વર્ગમાં જાય. | ‘માનસસર’ અને કદાચ ‘મારી કીસ્તી’ પણ એ વર્ગમાં જાય. | ||
આથી વિશેષ હું આની ચર્ચા કરવા માગતો નથી. એમ કરવામાં કદાચ આધુનિક વાચકોની જિજ્ઞાસા પૂરી નહિ પાડતો હોઉં પણ કાન્તના પોતાના અભિપ્રાયની તો વધારે અનુકૂળ થાઉં છું જ. આ શબ્દોની એક વાર ચર્ચા થતાં તેમનાં કાવ્યો કઈ રીતિમાં ગણાય એ પ્રશ્નના સંબંધમાં તેમણે એમ કહેલું સ્મરણમાં છે કે આપણાં કાવ્યો પશ્ચિમનાં બધાં વર્ગીકરણમાં નાખવાં બિલકુલ આવશ્યક નથી. | આથી વિશેષ હું આની ચર્ચા કરવા માગતો નથી. એમ કરવામાં કદાચ આધુનિક વાચકોની જિજ્ઞાસા પૂરી નહિ પાડતો હોઉં પણ કાન્તના પોતાના અભિપ્રાયની તો વધારે અનુકૂળ થાઉં છું જ. આ શબ્દોની એક વાર ચર્ચા થતાં તેમનાં કાવ્યો કઈ રીતિમાં ગણાય એ પ્રશ્નના સંબંધમાં તેમણે એમ કહેલું સ્મરણમાં છે કે આપણાં કાવ્યો પશ્ચિમનાં બધાં વર્ગીકરણમાં નાખવાં બિલકુલ આવશ્યક નથી. | ||
કવિએ અનેક ભાવોનાં કાવ્યો લખ્યાં છે. મૈત્રીનાં અનેક સ્વરૂપોના ભાવોનાં કાવ્યો ઘણાં છે, કદાચ બીજા કવિઓ સાથે સરખાવતાં પ્રમાણમાં સૌથી વધારે છે. તે સિવાય પણ ‘મારી કિસ્તી’ અને ‘માનસસર’ જેવાં કાવ્યોમાં હૃદયનો અદમ્ય ઊભરો, ઉત્સાહ અને વેગ પ્રતીત થાય છે. ‘અગતિગમન’માં હૃદયની નિગૂઢ વૃત્તિઓ અને વ્યાપારો સ્ફુટ થાય છે. સામાન્ય રીતે કહી શકાય કે આ બધા ભાવો પહેલાં આપણા કાવ્યમાં પ્રગટ નહિ થયેલા એવા જ છે. પશ્ચિમના સાહિત્યના પરિચયથી જ કવિને આવા ભાવો વ્યક્ત કરવાની પ્રેરણા થઈ છે. તેમનાં કાવ્યોમાં કેવળ પ્રકૃતિવર્ણનનાં કાવ્યો નથી. તેમનાં કાવ્યોમાં પ્રકૃતિનું અચ્છું વર્ણન વારંવાર આવે છે પણ તે દરેક જગાએ માનવભાવને વધારે વ્યક્ત કરવા અથવા માનવભાવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ બતાવવા. ‘ચંદાને સંબોધન’ છે પણ ત્યાં વિષય દૂરસ્થ સ્વજન, જેનું ચંદાથી સ્મરણ થયું છે, તે છે. ‘સાગર અને શશી’ પિતાની ભવ્યતાનાં જ ગાન ગાય છે. કલાને માટે કાન્ત કેવળ પ્રકૃતિ કરતાં માનવસ્વભાવને વધારે ઉચિત ગણતા જણાય છે અને માનવભાવ સાથે વિશાલ સમભાવવાળા હૃદયમાં એમ જ બને એ સ્વાભાવિક છે. | કવિએ અનેક ભાવોનાં કાવ્યો લખ્યાં છે. મૈત્રીનાં અનેક સ્વરૂપોના ભાવોનાં કાવ્યો ઘણાં છે, કદાચ બીજા કવિઓ સાથે સરખાવતાં પ્રમાણમાં સૌથી વધારે છે. તે સિવાય પણ ‘મારી કિસ્તી’ અને ‘માનસસર’ જેવાં કાવ્યોમાં હૃદયનો અદમ્ય ઊભરો, ઉત્સાહ અને વેગ પ્રતીત થાય છે. ‘અગતિગમન’માં હૃદયની નિગૂઢ વૃત્તિઓ અને વ્યાપારો સ્ફુટ થાય છે. સામાન્ય રીતે કહી શકાય કે આ બધા ભાવો પહેલાં આપણા કાવ્યમાં પ્રગટ નહિ થયેલા એવા જ છે. પશ્ચિમના સાહિત્યના પરિચયથી જ કવિને આવા ભાવો વ્યક્ત કરવાની પ્રેરણા થઈ છે. તેમનાં કાવ્યોમાં કેવળ પ્રકૃતિવર્ણનનાં કાવ્યો નથી. તેમનાં કાવ્યોમાં પ્રકૃતિનું અચ્છું વર્ણન વારંવાર આવે છે પણ તે દરેક જગાએ માનવભાવને વધારે વ્યક્ત કરવા અથવા માનવભાવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ બતાવવા. ‘ચંદાને સંબોધન’ છે પણ ત્યાં વિષય દૂરસ્થ સ્વજન, જેનું ચંદાથી સ્મરણ થયું છે, તે છે. ‘સાગર અને શશી’ પિતાની ભવ્યતાનાં જ ગાન ગાય છે. કલાને માટે કાન્ત કેવળ પ્રકૃતિ કરતાં માનવસ્વભાવને વધારે ઉચિત ગણતા જણાય છે અને માનવભાવ સાથે વિશાલ સમભાવવાળા હૃદયમાં એમ જ બને એ સ્વાભાવિક છે.<ref>સરખાવો કીટ્સ (Keats)નું વાક્ય : ‘Scenery is fine but human nature is finer.’ Oxford Lectures on Poetry. P. ૨૩૨.<br> | ||
આ કવિની સાથે અમને કાન્ત ઘણી બાબતમાં મળતા આવતા લાગ્યા છે.</ref> | આ કવિની સાથે અમને કાન્ત ઘણી બાબતમાં મળતા આવતા લાગ્યા છે.</ref> | ||
બીજા ભાવો વિશે અહીં વિશેષ નહિ લખીએ. માત્ર કાન્તના પ્રેમ ઉપરના વિચારો જોઈશું. મૈત્રીભાવ પણ એક પ્રેમનું જ સ્વરૂપ છે. પણ અહીં દંપતીપ્રેમ તરફ જ લક્ષ આપીશું. | બીજા ભાવો વિશે અહીં વિશેષ નહિ લખીએ. માત્ર કાન્તના પ્રેમ ઉપરના વિચારો જોઈશું. મૈત્રીભાવ પણ એક પ્રેમનું જ સ્વરૂપ છે. પણ અહીં દંપતીપ્રેમ તરફ જ લક્ષ આપીશું. | ||
| Line 411: | Line 411: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નિરાશાનો ઉપાય માત્ર એક રહ્યો છે. એ જ્ઞાનને જ બેશુદ્ધિમાં ડુબાવી દેવું. અંતે આ ત્રિકાલજ્ઞાની જ્યોતિષી કોઈ જલદ ઘેન લઈ પી જાય છે. આ અતિજ્ઞાનની દશા! | નિરાશાનો ઉપાય માત્ર એક રહ્યો છે. એ જ્ઞાનને જ બેશુદ્ધિમાં ડુબાવી દેવું. અંતે આ ત્રિકાલજ્ઞાની જ્યોતિષી કોઈ જલદ ઘેન લઈ પી જાય છે. આ અતિજ્ઞાનની દશા! | ||
‘અતિજ્ઞાન’માં આપણને કાન્તના કરુણની ગહનતાનું પ્રથમ દર્શન થાય છે. તે સાથે કાન્તનું જીવનદર્શન વધારે સ્ફુટ પણ થાય છે. ‘અતિજ્ઞાન’ના કરુણની ગહનતા શેમાં રહેલી છે? ‘અતિજ્ઞાન’ વાંચતાં આપણને સમજાય છે કે કવિની દૃષ્ટિએ પ્રેમ અને તેમાં પણ દાંપત્યપ્રેમ એ જીવનનો ઇષ્ટતમ અનુભવ છે. જગતનાં અનેક દુઃખોમાં એ એક સાંત્વન છે, એટલું જ નહિ એનો એકનો પૂર્ણ અનુભવ હોય તો જગતનાં ગમે તેવાં દુઃખો માણસ સહી લે, અરે એ દુઃખોની તિરસ્કારભરી ઉપેક્ષા કરી શકે. પણ એ પ્રેમાનુભવમાં જ અંતરાય આવે છે, એ અનુભવને જગતની આ વિષમતા અશક્ય બનાવે છે. એ એ કરુણની ગહનતા છે. સહદેવ રસિક છે. પ્રેમી છે, પોતાની વલ્લભાના સાંનિધ્યમાં છે, અને છતાં એ પ્રેમ ભોગવી નથી શકતો, અરે એ સાંનિધ્ય અને પ્રેમ બંનેને ઘેનમાં ડુબાડી દેવાં પડે છે એવી વિષમાવસ્થામાં એ આવી પડ્યો છે. ‘અતિજ્ઞાન’ પછીનાં કાન્તનાં ખંડકાવ્યોમાં પ્રેમની આ જ કરુણતા જુદીજુદી અવસ્થામાં વ્યક્ત થાય છે. | ‘અતિજ્ઞાન’માં આપણને કાન્તના કરુણની ગહનતાનું પ્રથમ દર્શન થાય છે. તે સાથે કાન્તનું જીવનદર્શન વધારે સ્ફુટ પણ થાય છે. ‘અતિજ્ઞાન’ના કરુણની ગહનતા શેમાં રહેલી છે? ‘અતિજ્ઞાન’ વાંચતાં આપણને સમજાય છે કે કવિની દૃષ્ટિએ પ્રેમ અને તેમાં પણ દાંપત્યપ્રેમ એ જીવનનો ઇષ્ટતમ અનુભવ છે. જગતનાં અનેક દુઃખોમાં એ એક સાંત્વન છે, એટલું જ નહિ એનો એકનો પૂર્ણ અનુભવ હોય તો જગતનાં ગમે તેવાં દુઃખો માણસ સહી લે, અરે એ દુઃખોની તિરસ્કારભરી ઉપેક્ષા કરી શકે. પણ એ પ્રેમાનુભવમાં જ અંતરાય આવે છે, એ અનુભવને જગતની આ વિષમતા અશક્ય બનાવે છે. એ એ કરુણની ગહનતા છે. સહદેવ રસિક છે. પ્રેમી છે, પોતાની વલ્લભાના સાંનિધ્યમાં છે, અને છતાં એ પ્રેમ ભોગવી નથી શકતો, અરે એ સાંનિધ્ય અને પ્રેમ બંનેને ઘેનમાં ડુબાડી દેવાં પડે છે એવી વિષમાવસ્થામાં એ આવી પડ્યો છે. ‘અતિજ્ઞાન’ પછીનાં કાન્તનાં ખંડકાવ્યોમાં પ્રેમની આ જ કરુણતા જુદીજુદી અવસ્થામાં વ્યક્ત થાય છે.<ref>આ વિધાન ‘વસંતવિજય’ અને ‘ચક્રવાકમિથુન’ને લાગુ પડે છે એ સ્પષ્ટ છે, અને આ લેખમાં એ બંનેનાં વિવેચનમાં મેં એ સ્ફુટ કરવા પ્રયત્ન કર્યો છે. પણ તે ઉપરાંત એ કચદેવયાનીને પણ લાગુ પડે છે. એમ તર્ક કરી શકાય. અલબત્ત, અહીં માત્ર તર્કને જ અવકાશ છે, કારણ કે ‘દેવયાની’ કાવ્ય કર્તાએ ત્રણ ખંડમાં યોજેલું, જેમાંનો એક જ ખંડ તેમણે લખી પ્રસિદ્ધ કર્યો છે. પણ એની વસ્તુપસંદગી ઉપરના વિધાનને ટેકો આપે છે. ‘અતિજ્ઞાન’ અને ‘વસંતવિજય’ના નાયકો જેમ રસિક હોવા છતાં અમુક પરિસ્થિતિને લઈને પોતાની પ્રેમભાવનાને કૃતાર્થ કરી શકતા નથી. તેમ કચદેવયાની કોઈ જુદાં જ કારણોને લીધે પ્રેમભાવના જીવનમાં ચરિતાર્થ કરી શકતાં નથી. મૂળ પુરાણમાં દેવયાની એકલી જ કચના પ્રેમની યાચના કરે છે અને કચ તો તેનું અનૌચિત્ય અને એ શક્યતા દર્શાવતો તેનાથી ઊર્ધ્વ રહે છે. પણ અહીં કાન્તના પ્રસિદ્ધ પહેલા ખંડમાં કાવ્યના અંત આગળ બંને વચ્ચે શૃંગારપ્રેમ ઉદય પામતો બતાવ્યો છે એ મૂળ વસ્તુમાં કરેલો ફેરફાર મારા તર્કને પુષ્ટિ આપે છે. કારણ કે બંને વચ્ચે પ્રેમ હોય તો જ પ્રેમના અંતરાયનો ગહન કરુણ શક્ય બને. અને આગળ વિચારતાં એમ પણ જણાવાય છે કે બંને વચ્ચે પ્રેમનો ઉદય બતાવ્યા પછી. એને એ પુરાણવસ્તુમાંથી પ્રેમનો અંતરાય દર્શાવવો કદાચ વધારે કઠિન બને! કાન્ત આ કાવ્ય પૂરું ન કરી શક્યા તેનું એક કારણ કદાચ આ વસ્તુના ગર્ભમાં જ રહેલી મુશ્કેલી પણ હોય! | ||
</ref> ‘વસંતવિજય’નો નાયક પાંડુ પણ રસિક છે, યુવાન છે, પોતાની પત્ની તરફ પ્રેમાસક્ત છે, અને કાવ્યની નાયિકા માદ્રી પણ એવી જ રસિક છે. બંને સંપૂર્ણ પ્રેમાનુભવને માટે યોગ્ય છે. છતાં ‘અતિજ્ઞાન’ કરતાં કોઈ જુદાં જ કારણોથી તેઓ પ્રેમાનુભવ કરી શકતાં નથી, – પ્રેમાનુભવ કરી શકતાં નથી એટલું જ નહિ, એ પ્રેમાનુભવને સંપૂર્ણ કરવા જતી વૃત્તિને બંનેએ દમવી પડે છે; એ પ્રેમાનુભવ તરફ જતી સ્વાભાવિક વૃત્તિ અને કૃત્રિમ રીતે તેનું દમન કરવાની આવશ્યકતા, એ બેનાં વિરુદ્ધ ખેંચાણો વચ્ચે તરફડવું પડે છે; અને દંપતીજીવનના જે મિલનમાં પ્રેમનો ઉત્કર્ષ મનાય, વસંતનો વિજય ગણાય, એ મિલનમાં જ, નાયકનું મૃત્યુ થાય છે – માદ્રી અને કુન્તા વિધવા થાય છે! | </ref> ‘વસંતવિજય’નો નાયક પાંડુ પણ રસિક છે, યુવાન છે, પોતાની પત્ની તરફ પ્રેમાસક્ત છે, અને કાવ્યની નાયિકા માદ્રી પણ એવી જ રસિક છે. બંને સંપૂર્ણ પ્રેમાનુભવને માટે યોગ્ય છે. છતાં ‘અતિજ્ઞાન’ કરતાં કોઈ જુદાં જ કારણોથી તેઓ પ્રેમાનુભવ કરી શકતાં નથી, – પ્રેમાનુભવ કરી શકતાં નથી એટલું જ નહિ, એ પ્રેમાનુભવને સંપૂર્ણ કરવા જતી વૃત્તિને બંનેએ દમવી પડે છે; એ પ્રેમાનુભવ તરફ જતી સ્વાભાવિક વૃત્તિ અને કૃત્રિમ રીતે તેનું દમન કરવાની આવશ્યકતા, એ બેનાં વિરુદ્ધ ખેંચાણો વચ્ચે તરફડવું પડે છે; અને દંપતીજીવનના જે મિલનમાં પ્રેમનો ઉત્કર્ષ મનાય, વસંતનો વિજય ગણાય, એ મિલનમાં જ, નાયકનું મૃત્યુ થાય છે – માદ્રી અને કુન્તા વિધવા થાય છે! | ||
‘અતિજ્ઞાન’ની પેઠે ‘વસંતવિજય’નું વસ્તુ પણ કવિએ મહાભારતમાંથી લીધેલું છે. પાંડુને યુવાન અવસ્થામાં જ એવો શાપ લાગ્યો છે કે પત્નીમિલનથી તેનું મૃત્યુ થાય. આથી દાંપત્યજીવનનો રસવિરોધી વનવાસ, સંન્યાસ તેણે ગ્રહણ કર્યો છે. રસિક માદ્રીને તેની સાથે તાપસી થવું પડ્યું છેઃ | ‘અતિજ્ઞાન’ની પેઠે ‘વસંતવિજય’નું વસ્તુ પણ કવિએ મહાભારતમાંથી લીધેલું છે. પાંડુને યુવાન અવસ્થામાં જ એવો શાપ લાગ્યો છે કે પત્નીમિલનથી તેનું મૃત્યુ થાય. આથી દાંપત્યજીવનનો રસવિરોધી વનવાસ, સંન્યાસ તેણે ગ્રહણ કર્યો છે. રસિક માદ્રીને તેની સાથે તાપસી થવું પડ્યું છેઃ | ||
| Line 451: | Line 451: | ||
{{Block center|<poem>ઝંપલાવી પડે માદ્રી નરેન્દ્રભુજની મહીં.</poem>}} | {{Block center|<poem>ઝંપલાવી પડે માદ્રી નરેન્દ્રભુજની મહીં.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ જ આ કાવ્યનો કરુણ. જેને પ્રેમની કૃતાર્થતા, પ્રેમાનુભવની સ્વાભાવિક પરાકોટિ ગણીએ, એનો જ પાંડુને નિષેધ, એ જ એનું મૃત્યુ, એની સામે થવા માટે એને તરફડિયાં મારવાં પડે, એ એ પરાકોટિનો અનુભવ ન કરી શકે, માત્ર તેની સામે થવાનાં તરફડિયાંનો અનુભવ કરી મૃત્યુ પામે, એવું નિર્માણ!! | આ જ આ કાવ્યનો કરુણ. જેને પ્રેમની કૃતાર્થતા, પ્રેમાનુભવની સ્વાભાવિક પરાકોટિ ગણીએ, એનો જ પાંડુને નિષેધ, એ જ એનું મૃત્યુ, એની સામે થવા માટે એને તરફડિયાં મારવાં પડે, એ એ પરાકોટિનો અનુભવ ન કરી શકે, માત્ર તેની સામે થવાનાં તરફડિયાંનો અનુભવ કરી મૃત્યુ પામે, એવું નિર્માણ!!<ref>આ લેખનું પરિશિષ્ટ ૧ જુઓ.</ref> | ||
‘ચક્રવાકમિથુન’નું વસ્તુ ‘મૃગતૃષ્ણા’ અને ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’ની પેઠે કવિસમયમાંથી લીધું છે. ચક્રવાક અને ચક્રવાકીને અત્યંત પ્રેમ છે પણ રાત્રિએ બંનેને વિયોગમાં રહેવું પડે છે એવો કવિઓનો સમય છે. કાન્ત આ જ સમયમાંથી એક જોડું કલ્પે છે. તેમની વચ્ચે પહેલેથી પ્રેમ શરૂ થાય છે, અને વખત જતાં તે ગાઢ થતો જાય છે. | ‘ચક્રવાકમિથુન’નું વસ્તુ ‘મૃગતૃષ્ણા’ અને ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’ની પેઠે કવિસમયમાંથી લીધું છે. ચક્રવાક અને ચક્રવાકીને અત્યંત પ્રેમ છે પણ રાત્રિએ બંનેને વિયોગમાં રહેવું પડે છે એવો કવિઓનો સમય છે. કાન્ત આ જ સમયમાંથી એક જોડું કલ્પે છે. તેમની વચ્ચે પહેલેથી પ્રેમ શરૂ થાય છે, અને વખત જતાં તે ગાઢ થતો જાય છે. | ||
પણ પ્રેમ શરૂ થયો ત્યારથી જ રાત્રિવિયોગ પણ શરૂ થયો હોવો જોઈએ. ત્યારે કાલ જતાં એ વિયોગ સહન કરવાની ટેવ ન પડી જાય? કવિ કહે છે. ના, પ્રેમ વધતો જાય તેમતેમ એ વિયોગ વધારે અસહ્ય લાગતો જાય. પ્રેમ અનંતકાલમાં વિહરનાર ભાવ છે. | પણ પ્રેમ શરૂ થયો ત્યારથી જ રાત્રિવિયોગ પણ શરૂ થયો હોવો જોઈએ. ત્યારે કાલ જતાં એ વિયોગ સહન કરવાની ટેવ ન પડી જાય? કવિ કહે છે. ના, પ્રેમ વધતો જાય તેમતેમ એ વિયોગ વધારે અસહ્ય લાગતો જાય. પ્રેમ અનંતકાલમાં વિહરનાર ભાવ છે. | ||
| Line 472: | Line 472: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> અમિત એ અવકાશતણી મહીં, | {{Block center|<poem> અમિત એ અવકાશતણી મહીં, | ||
ક્યહીંય ચેતન એક દીસે નહીં. | ક્યહીંય ચેતન એક દીસે નહીં.<ref>આ લેખનું પરિશિષ્ટ ૨ જુઓ.</ref></poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કરુણરસ નિષ્પન્ન કરવાની કાન્તની રીતિ અભ્યાસ કરવા યોગ્ય છે. તેમના કરુણમાં માત્ર ઇષ્ટ વસ્તુનો નાશ એ જ વિભાવ, રસનું કારણ નથી. કવિ જગતમાં રહેલી કોઈ ગૂઢ પણ વ્યાપક વિષમતાનું આપણને ભાન કરાવે છે. ઇષ્ટનાશ પણ વિષમ તો છે. ‘વિષમ’ જ તેનું તદ્ભવ ‘વસમું’ લાગે છે. કોઈ વસમી આપત્તિથી હૃદય ઘાયલ થાય ત્યારે મૃદુ થઈ દ્રવે. પણ કાન્તનાં કાવ્યોમાં માત્ર આમ થતું નથી. તેમનાં કાવ્યમાં માત્ર અસહ્ય વિષમતા એ વિભાવ નથી પણ એ વિષમતામાં અન્યાય છે, તેમાં જગતની યોજનાની અપૂર્ણતા છે એ સામે કવિમાનસની ફરિયાદ છે, પોકાર છે, અને એ અન્યાય સામે કવિમાનસ લડતું લડતું કરુણ નિષ્પન્ન કરે છે. તેનો નાયક એ વિષમતા સામે યુદ્ધ કરતો સહૃદયમાં સમભાવ, આદર, બલ અને આશ્ચર્ય ઉત્પન્ન કરતો વિપત્તિ પામે છે. કરુણમાં વીર અને અદ્ભુતના મિશ્રણથી ભવ્યતા આવે છે. ચક્રવાક અને ચક્રવાકી રાત્રિવિરહમાં દીન થઈ જો માત્ર કલ્પાંત કરતાં ચીતર્યાં હોત તો તેથી પણ કરુણ નિષ્પન્ન થાત, પણ આ યુગલ એમ ન કરતાં વિષમતા – અન્યાયની સામે સર્વાત્મથી લડે છે અને એમાં પોતાના ઐહિક જીવનનો ભોગ આપે છે. ‘વસંતવિજય’માં પાંડુના મરણથી માદ્રીને કલ્પાંત કરતી ચીતરી હોત તો મૃદુ કરુણ નિષ્પન્ન થાત પણ કાવ્યમાં પાંડુને, કોઈ નિયતિની વિષમતાનો ભોગ બનતો અને અંતે માનવમર્યાદાને વશ થઈ મૃત્યુને ભેટતો આપણે જોઈએ છીએ. ‘અતિજ્ઞાન’માં સહદેવ એ જ રીતે પોતાના જ્ઞાનની વિષમ મર્યાદા સામે લડતો અને વ્યર્થ પ્રયત્નો કરતો કરુણ અવસ્થામાં ડૂબે છે. ‘મૃગતૃષ્ણા’ અને ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’માં મૃગ વસ્તુસ્થિતિની સામે થઈ શકે તેમ નથી પણ એ સ્થિતિના અન્યાય સામે કવિમાનસ એવો જ ક્ષોભ અને તડફડાટ અનુભવે છે. આ રીતિ આપણા કાવ્યશાસ્ત્રમાં સ્ફુટરૂપે સ્વીકારાઈ જણાતી નથી. આ કરુણ, નિયતિની વિષમતા સામેના કવિના પ્રકોપના મિશ્રણથી સામાન્ય રીતે ‘કરુણ’ ગણાતા કરુણથી ભિન્ન રસાસ્વાદ આપે છે અને પશ્ચિમમાં tragic ગણાતા રસને વધારે મળતો આવે છે. પણ આ પ્રકારનો ક્ષોભ આપણાં કાવ્યોમાં કોઈ રીતે અસંગત નથી. સ્ફુટ સ્વીકારાયા વિના પણ તેની ઝાંખી ઘણી જગાએ થાય છે. બીજા દાખલા ન શોધતાં કહી શકીએ કે કૌંચમિથુનમાંના એકના વધથી આદ્યકવિ વાલ્મીકિનો શોક શ્લોકત્વને પામ્યો તેમાં આવો જ ક્ષોભ અને પુણ્યપ્રકોપ હતો. | કરુણરસ નિષ્પન્ન કરવાની કાન્તની રીતિ અભ્યાસ કરવા યોગ્ય છે. તેમના કરુણમાં માત્ર ઇષ્ટ વસ્તુનો નાશ એ જ વિભાવ, રસનું કારણ નથી. કવિ જગતમાં રહેલી કોઈ ગૂઢ પણ વ્યાપક વિષમતાનું આપણને ભાન કરાવે છે. ઇષ્ટનાશ પણ વિષમ તો છે. ‘વિષમ’ જ તેનું તદ્ભવ ‘વસમું’ લાગે છે. કોઈ વસમી આપત્તિથી હૃદય ઘાયલ થાય ત્યારે મૃદુ થઈ દ્રવે. પણ કાન્તનાં કાવ્યોમાં માત્ર આમ થતું નથી. તેમનાં કાવ્યમાં માત્ર અસહ્ય વિષમતા એ વિભાવ નથી પણ એ વિષમતામાં અન્યાય છે, તેમાં જગતની યોજનાની અપૂર્ણતા છે એ સામે કવિમાનસની ફરિયાદ છે, પોકાર છે, અને એ અન્યાય સામે કવિમાનસ લડતું લડતું કરુણ નિષ્પન્ન કરે છે. તેનો નાયક એ વિષમતા સામે યુદ્ધ કરતો સહૃદયમાં સમભાવ, આદર, બલ અને આશ્ચર્ય ઉત્પન્ન કરતો વિપત્તિ પામે છે. કરુણમાં વીર અને અદ્ભુતના મિશ્રણથી ભવ્યતા આવે છે. ચક્રવાક અને ચક્રવાકી રાત્રિવિરહમાં દીન થઈ જો માત્ર કલ્પાંત કરતાં ચીતર્યાં હોત તો તેથી પણ કરુણ નિષ્પન્ન થાત, પણ આ યુગલ એમ ન કરતાં વિષમતા – અન્યાયની સામે સર્વાત્મથી લડે છે અને એમાં પોતાના ઐહિક જીવનનો ભોગ આપે છે. ‘વસંતવિજય’માં પાંડુના મરણથી માદ્રીને કલ્પાંત કરતી ચીતરી હોત તો મૃદુ કરુણ નિષ્પન્ન થાત પણ કાવ્યમાં પાંડુને, કોઈ નિયતિની વિષમતાનો ભોગ બનતો અને અંતે માનવમર્યાદાને વશ થઈ મૃત્યુને ભેટતો આપણે જોઈએ છીએ. ‘અતિજ્ઞાન’માં સહદેવ એ જ રીતે પોતાના જ્ઞાનની વિષમ મર્યાદા સામે લડતો અને વ્યર્થ પ્રયત્નો કરતો કરુણ અવસ્થામાં ડૂબે છે. ‘મૃગતૃષ્ણા’ અને ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’માં મૃગ વસ્તુસ્થિતિની સામે થઈ શકે તેમ નથી પણ એ સ્થિતિના અન્યાય સામે કવિમાનસ એવો જ ક્ષોભ અને તડફડાટ અનુભવે છે. આ રીતિ આપણા કાવ્યશાસ્ત્રમાં સ્ફુટરૂપે સ્વીકારાઈ જણાતી નથી. આ કરુણ, નિયતિની વિષમતા સામેના કવિના પ્રકોપના મિશ્રણથી સામાન્ય રીતે ‘કરુણ’ ગણાતા કરુણથી ભિન્ન રસાસ્વાદ આપે છે અને પશ્ચિમમાં tragic ગણાતા રસને વધારે મળતો આવે છે. પણ આ પ્રકારનો ક્ષોભ આપણાં કાવ્યોમાં કોઈ રીતે અસંગત નથી. સ્ફુટ સ્વીકારાયા વિના પણ તેની ઝાંખી ઘણી જગાએ થાય છે. બીજા દાખલા ન શોધતાં કહી શકીએ કે કૌંચમિથુનમાંના એકના વધથી આદ્યકવિ વાલ્મીકિનો શોક શ્લોકત્વને પામ્યો તેમાં આવો જ ક્ષોભ અને પુણ્યપ્રકોપ હતો. | ||
કરુણનો શામક શાંત છે. શોકથી ક્ષુબ્ધ થયેલું હૃદય કોઈ મહાન સત્યમાં સાંત્વન શોધે છે. જગતની વિષમતાથી ક્ષુબ્ધ થયેલું હૃદય વધારે ઊંચે ચડે છે અથવા આત્માના ગહનમાં વધારે ઊંડે ઊતરે છે અને એવું કોઈ વિશાલ સત્ય શોધી કાઢે છે જેમાં વિષમતાના બંને વિરોધી અંશોનું સમાધાન થઈ જાય. | કરુણનો શામક શાંત છે. શોકથી ક્ષુબ્ધ થયેલું હૃદય કોઈ મહાન સત્યમાં સાંત્વન શોધે છે. જગતની વિષમતાથી ક્ષુબ્ધ થયેલું હૃદય વધારે ઊંચે ચડે છે અથવા આત્માના ગહનમાં વધારે ઊંડે ઊતરે છે અને એવું કોઈ વિશાલ સત્ય શોધી કાઢે છે જેમાં વિષમતાના બંને વિરોધી અંશોનું સમાધાન થઈ જાય. | ||
કાન્તમાં પણ એ જ રીતે શાંત પ્રગટે છે. તેમને વિરોધનું સમાધાન થાય છે. જગત પરની અપૂર્ણતાઓ સ્વામીના ધામમાં પૂર્ણ થવાની છે એવી એમને અચલ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ શ્રદ્ધામાંથી કાવ્યનાં ‘સ્ફટિકવિશદ’ ‘શાંત સદાશિવ નીર’ અવતરે છે. પણ હવે એ નીર ઓસરી ગયાં છે. મંથનના તાપમાં તેનાં બલ-વિપુલતા સોસાઈ ગયાં છે. કાવ્યની મધુરતા એની એ જ છે પણ સંગીતનું પ્રાધાન્ય, વિસ્તારની અલ્પતા, પંક્તિઓનાં પુનરાવર્તનો વગેરે સ્રોતની ક્ષીણતાનાં ચિહ્નો જણાવા લાગે છે. વળી ક્રિશ્ચન સંપ્રદાયના વિચારો અને ભાવનાઓને બને ત્યાં સુધી મૂળ રૂપમાં જ રાખવાના આગ્રહથી અને ક્રિશ્ચન ધર્મશાસ્ત્રની કથાના અંતર્ગત ઉલ્લેખથી કેટલાંક કાવ્યો સામાન્ય ગુજરાતી વાચકને રસોદ્બોધક થઈ શકે એવાં નથી. ‘કાર્ડિનલ ન્યૂમૅનની પ્રાર્થના’ કે ‘સખીને આમંત્રણ’ જેવાં કેટલાંક સંગીત-કાવ્યોમાં અદ્ભુત સફળતા મળી છે. પણ રસનું અધિકરણ અનેક સૈકાથી સિદ્ધ થયેલું વાચકનું હૃદય છે અને ગુજરાતમાં ક્રિશ્ચન સંપ્રદાયના વિચારો અને ભાવનાઓ એના એ સ્વરૂપમાં હજી રસોદ્બોધક થયાં નથી. | કાન્તમાં પણ એ જ રીતે શાંત પ્રગટે છે. તેમને વિરોધનું સમાધાન થાય છે. જગત પરની અપૂર્ણતાઓ સ્વામીના ધામમાં પૂર્ણ થવાની છે એવી એમને અચલ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ શ્રદ્ધામાંથી કાવ્યનાં ‘સ્ફટિકવિશદ’ ‘શાંત સદાશિવ નીર’ અવતરે છે. પણ હવે એ નીર ઓસરી ગયાં છે. મંથનના તાપમાં તેનાં બલ-વિપુલતા સોસાઈ ગયાં છે. કાવ્યની મધુરતા એની એ જ છે પણ સંગીતનું પ્રાધાન્ય, વિસ્તારની અલ્પતા, પંક્તિઓનાં પુનરાવર્તનો વગેરે સ્રોતની ક્ષીણતાનાં ચિહ્નો જણાવા લાગે છે. વળી ક્રિશ્ચન સંપ્રદાયના વિચારો અને ભાવનાઓને બને ત્યાં સુધી મૂળ રૂપમાં જ રાખવાના આગ્રહથી અને ક્રિશ્ચન ધર્મશાસ્ત્રની કથાના અંતર્ગત ઉલ્લેખથી કેટલાંક કાવ્યો સામાન્ય ગુજરાતી વાચકને રસોદ્બોધક થઈ શકે એવાં નથી. ‘કાર્ડિનલ ન્યૂમૅનની પ્રાર્થના’ કે ‘સખીને આમંત્રણ’ જેવાં કેટલાંક સંગીત-કાવ્યોમાં અદ્ભુત સફળતા મળી છે. પણ રસનું અધિકરણ અનેક સૈકાથી સિદ્ધ થયેલું વાચકનું હૃદય છે અને ગુજરાતમાં ક્રિશ્ચન સંપ્રદાયના વિચારો અને ભાવનાઓ એના એ સ્વરૂપમાં હજી રસોદ્બોધક થયાં નથી. | ||
કાન્તની એ ગહન સરસ્વતી એકાએક કેમ લુપ્ત થઈ ગઈ! – ગહન શબ્દ એમનાં કાવ્યોને બરાબર યોગ્ય છે. એમના અનુભવો ગહન છે. એમનાં મંથનદુઃખો ગહન છે. એમનાં કાવ્યોના ભાવો ગહન છે અને એમનાં કાવ્યોમાં એ શબ્દ વારંવાર આવે છે – એ ગહન જલો એકાએક કેમ અટકી પડ્યાં! ‘એ માગ્યા વગર સ્તોત્રો ઉપર સ્તોત્રો વરસાવતો’ મેઘ કેમ અદૃશ્ય થયો! કાન્તના કાવ્યરસનું વિશેષ પાન કરવાની ઇચ્છાના જ આ ઉદ્ગારો હોય તો તેને માટે કંઈ કહેવાનું નથી. એટલું જ કે એ ઉદ્ગારો સ્વાભાવિક છે. પણ જો એના ગર્ભમાં કાન્ત ઉપર જરા પણ આક્ષેપ હોય તો તેનો ઉત્તર આપવો જોઈએ. | કાન્તની એ ગહન સરસ્વતી એકાએક કેમ લુપ્ત થઈ ગઈ! – ગહન શબ્દ એમનાં કાવ્યોને બરાબર યોગ્ય છે. એમના અનુભવો ગહન છે. એમનાં મંથનદુઃખો ગહન છે. એમનાં કાવ્યોના ભાવો ગહન છે અને એમનાં કાવ્યોમાં એ શબ્દ વારંવાર આવે છે – એ ગહન જલો એકાએક કેમ અટકી પડ્યાં! ‘એ માગ્યા વગર સ્તોત્રો ઉપર સ્તોત્રો વરસાવતો’ મેઘ કેમ અદૃશ્ય થયો! કાન્તના કાવ્યરસનું વિશેષ પાન કરવાની ઇચ્છાના જ આ ઉદ્ગારો હોય તો તેને માટે કંઈ કહેવાનું નથી. એટલું જ કે એ ઉદ્ગારો સ્વાભાવિક છે. પણ જો એના ગર્ભમાં કાન્ત ઉપર જરા પણ આક્ષેપ હોય તો તેનો ઉત્તર આપવો જોઈએ.<ref>આવો પ્રશ્ન અંગ્રેજ કવિ કોલરિજ વિશે પુછાયો છે. તેથી તેને વિશે જરા વિશેષ લખવું અપ્રસ્તુત નહિ ગણાય. તેણે The Ancient Mariner કરીને એક અદ્વિતીય કાવ્ય લખ્યું જેનો જાદુ શેક્સપિયરથી પણ વધારે ચમત્કારી ગણાય છે. તે પછી Christabel અને Kubla Khan બે કાવ્યો આરંભ્યાં પણ તે કદી પૂરાં કરી શક્યો નહિ. કેટલાક વાચકો તેના કાવ્યની સ્તુતિ કરી પછી તરત જ પ્રશ્ન પૂછે છે : ‘પણ તેણે વધારે કેમ ન લખ્યું? જો તેણે વરસોવરસ એવું એકાદ કાવ્ય જ આપ્યું હોત તો અંગ્રેજી સાહિત્ય કેટલું સમૃદ્ધ થાત? આ અણસમજના પ્રશ્નને અણસમજનો ઉત્તર મળી રહે છે. કોલરિજે પછીની વયમાં અફીણનું સેવન આરંભ્યું. તેની કર્તવ્યબુદ્ધિ નિર્બળ થઈ ગઈ. તેની કલ્પનાની પાંખ નબળી પડી ગઈ. અને કાવ્યના પ્રયત્નો બધા નિષ્ફળ ગયા. કોલરિજનો મિત્ર વડ્ર્ઝવર્થ મહાન કવિ થઈ ગયો અને કોલરિજે પોતે કાવ્ય છોડી તત્ત્વજ્ઞાન હાથમાં લીધું. પછી તેની લાંબી જીવનસંધ્યામાં અફીણનું સેવન, મિત્રો સાથે ઝઘડા અને વળી પુનઃસંબંધ, દેશાંતરમાં રખડપટ્ટી અને પાછું સ્વદેશગમન, વ્રતો અને વ્રતભંગો, થોડી સ્વસ્થતા અને પાછા ઊથલા, નિરાશા સિવાય કશું રહ્યું નથી. પણ કવિમાનસને સમજનાર ટીકાકારે તેને ન્યાય આપ્યો છે. તે કહે છે કે એ એક નવું કાવ્ય લખવામાં જ કોલરિજને શ્રમ પડ્યો તે એટલો બધો હતો કે તેની બધી શક્તિ તેમાં જ ખપી ગઈ. અને માણસની શક્તિને મર્યાદા ન હોય એવું કદી બન્યું છે?<br> | ||
આ આખો પારિગ્રાફ ઉતારવો ઉચિત ધારું છું :<br> | આ આખો પારિગ્રાફ ઉતારવો ઉચિત ધારું છું :<br> | ||
‘All this is true enongh, or at least can be made convinc-ing by any one who sets forth the story of Coleride’s subsequent aberrations. But before we blame his weakness let us ask ourselves if it be conceivably within one man’s measure to produce a succession of poems on the plane of the Ancient Mariner; and, next, if – the magic granted, as it must be granted – it would not almost necessarily exhaust a man. In other words, let us enquire if, in a man who performed that miracle, his failure to perform others may not be more charitably set down to a divine exhaustion than charged upon his frailties... In his struggles to finish it (Christabel) he was fighting against stronger adversaries than opium; against fate and a providence under which things being what they are, their consequences will be what they will be.’ Sir Arthur Quiller-Couch. ‘Studies in Literature’, P. ૨૨૨, ૨૨૩.</ref> | ‘All this is true enongh, or at least can be made convinc-ing by any one who sets forth the story of Coleride’s subsequent aberrations. But before we blame his weakness let us ask ourselves if it be conceivably within one man’s measure to produce a succession of poems on the plane of the Ancient Mariner; and, next, if – the magic granted, as it must be granted – it would not almost necessarily exhaust a man. In other words, let us enquire if, in a man who performed that miracle, his failure to perform others may not be more charitably set down to a divine exhaustion than charged upon his frailties... In his struggles to finish it (Christabel) he was fighting against stronger adversaries than opium; against fate and a providence under which things being what they are, their consequences will be what they will be.’ Sir Arthur Quiller-Couch. ‘Studies in Literature’, P. ૨૨૨, ૨૨૩.</ref> | ||
મણિભાઈના જીવનના બનાવો ટાંકીને એમ કહેવું સહેલું છે કે તેમણે ફિલસૂફી અને ધર્મની શોધમાં ન પડતાં કાવ્યમાર્ગે જ પ્રગતિ કરી હોત તો વધારે સારું. પણ આપણે જાણવું જોઈએ કે એ કાવ્યો પણ, જે સત્યની ખોજ તેઓ કરતા હતા તેમાંથી જ ઉદ્ભવતાં હતાં, અને એ સત્યની ખોજે જ ધર્મમંથનનું રૂપ પકડ્યું. મણિભાઈના પત્રોમાંથી સાબિત કરી આપવું સહેલું છે કે કેવળ આવેશમય ન બની જતાં તટસ્થ રહી વસ્તુઓની પરીક્ષા કરવાની તેમણે ટેવ પાડી હોત તો તેમને અને ગુજરાતી સાહિત્યને ઘણો લાભ થાત. પણ વસ્તુઓ સાથે સર્વાત્મથી સમભાવ કરવાની ટેવથી જ તેમનું હૃદય સમૃદ્ધ બનતું. જેનાથી તેમનાં કાવ્યો વિશાળ સમભાવવાળાં અને માત્ર પરલક્ષી જ નહિ પણ જગલ્લક્ષી થયાં છે. | મણિભાઈના જીવનના બનાવો ટાંકીને એમ કહેવું સહેલું છે કે તેમણે ફિલસૂફી અને ધર્મની શોધમાં ન પડતાં કાવ્યમાર્ગે જ પ્રગતિ કરી હોત તો વધારે સારું. પણ આપણે જાણવું જોઈએ કે એ કાવ્યો પણ, જે સત્યની ખોજ તેઓ કરતા હતા તેમાંથી જ ઉદ્ભવતાં હતાં, અને એ સત્યની ખોજે જ ધર્મમંથનનું રૂપ પકડ્યું. મણિભાઈના પત્રોમાંથી સાબિત કરી આપવું સહેલું છે કે કેવળ આવેશમય ન બની જતાં તટસ્થ રહી વસ્તુઓની પરીક્ષા કરવાની તેમણે ટેવ પાડી હોત તો તેમને અને ગુજરાતી સાહિત્યને ઘણો લાભ થાત. પણ વસ્તુઓ સાથે સર્વાત્મથી સમભાવ કરવાની ટેવથી જ તેમનું હૃદય સમૃદ્ધ બનતું. જેનાથી તેમનાં કાવ્યો વિશાળ સમભાવવાળાં અને માત્ર પરલક્ષી જ નહિ પણ જગલ્લક્ષી થયાં છે.<ref>કાન્ત પોતે જ એક પત્રમાં લખે છે :<br> | ||
‘I have told you in self – disparagement that I was very impressible. Many and various things attract me and sometimes I might be admiring contradictory things. But this I think is a gain that I can sympathetically view more things than some of my friends can. And besides it gives richness to one’s feelings when he hears agreeable responses in various quarters.’<br> | ‘I have told you in self – disparagement that I was very impressible. Many and various things attract me and sometimes I might be admiring contradictory things. But this I think is a gain that I can sympathetically view more things than some of my friends can. And besides it gives richness to one’s feelings when he hears agreeable responses in various quarters.’<br> | ||
(કાન્તમાળા પૃ. ૨૯૩, ભાષાંતર માટે જુઓ પૃ. ૨૯૪) આની સાથે સરખાવો અંગ્રેજ કવિ કીટ્સ વિશે મિ. બ્રૅડલીનો અભિપ્રાય :<br> | (કાન્તમાળા પૃ. ૨૯૩, ભાષાંતર માટે જુઓ પૃ. ૨૯૪) આની સાથે સરખાવો અંગ્રેજ કવિ કીટ્સ વિશે મિ. બ્રૅડલીનો અભિપ્રાય :<br> | ||
‘Keats had the impulse to interest himself in everything he saw or heard of, to be curious about a thing, accept it, identify himself with it, without first asling whether it is better or worse than another, or how far it is from the ideal principle...’ ‘Oxford Lectures on Poetry’, P. ૨૩૭.</ref> | ‘Keats had the impulse to interest himself in everything he saw or heard of, to be curious about a thing, accept it, identify himself with it, without first asling whether it is better or worse than another, or how far it is from the ideal principle...’ ‘Oxford Lectures on Poetry’, P. ૨૩૭.</ref> | ||
તેમનો કાવ્યસંગ્રહ નાનો છે તેનું કારણ તેમના જીવનમાંથી ગમે તે શોધીને બતાવી શકાય. પણ આપણે જાણવું જોઈએ કે કવિની સર્જકશક્તિને પણ સીમા હોય છે. હરકોઈ ઉત્તમ સર્જનમાં તેની શક્તિનો કેટલો વ્યય થતો હશે તે આપણે શું જાણીએ? તેમાં પણ કાન્તને તો બધી બાબતમાં નવું જ પ્રસ્થાન કરવાનું હતું. તેમને જે ભાવો વ્યક્ત કરવાના હતા તે નવા જ હતા – હજી સુધી ગુજરાતી સાહિત્યમાં નહિ પ્રગટ થયેલા હતા. ભાષા વગેરે હજી તેને અનુકૂળ કરવાનાં હતાં. એ સર્વ જોતાં કાન્તે જે કર્યું છે તે કાંઈ ઓછું નથી. દલપતશૈલીના પ્રયત્નો જતા કરતાં. તેમણે પ્રથમ સ્વતંત્ર કાવ્ય ‘મારી કીસ્તી’ ૧૮૮૬માં લખ્યું. તે પછી ૧૮૮૯માં બાવીસ વરસની ઉંમરે તો સાહિત્યમાં નવો ચીલો પાડનારું ‘વસંતવિજય’ સર્વાંગસુંદર બહાર પડ્યું. તે પછી ૧૮૯૦માં ‘ચક્રવાકમિથુન’, એવું જ ભવ્ય. તે જ વરસમાં ‘ઉદ્ગાર’ – નવો જ ભાવ, નવી જ શૈલી. ‘દેવયાની’ એ જ અરસામાં આરંભાયું. ૧૮૯૧માં પ્રથમ પત્ની સૌ. નર્મદાનું અવસાન અને એ વરસે શ્રી નરસિંહરાવ સાથેની વાતચીતમાં મણિભાઈ કહે છે : ‘કોણ જાણે એ કાવ્ય હું પૂરું કરીશ કે નહિ?’ બસ અહીં જ કવિને સર્જનનો થાક લાગ્યો. કોઈ કોઈ કવિ અત્યંત મંથન, સંવેગ, દુઃખના અનુભવથી જ કાવ્ય લખી શકે છે. | તેમનો કાવ્યસંગ્રહ નાનો છે તેનું કારણ તેમના જીવનમાંથી ગમે તે શોધીને બતાવી શકાય. પણ આપણે જાણવું જોઈએ કે કવિની સર્જકશક્તિને પણ સીમા હોય છે. હરકોઈ ઉત્તમ સર્જનમાં તેની શક્તિનો કેટલો વ્યય થતો હશે તે આપણે શું જાણીએ? તેમાં પણ કાન્તને તો બધી બાબતમાં નવું જ પ્રસ્થાન કરવાનું હતું. તેમને જે ભાવો વ્યક્ત કરવાના હતા તે નવા જ હતા – હજી સુધી ગુજરાતી સાહિત્યમાં નહિ પ્રગટ થયેલા હતા. ભાષા વગેરે હજી તેને અનુકૂળ કરવાનાં હતાં. એ સર્વ જોતાં કાન્તે જે કર્યું છે તે કાંઈ ઓછું નથી. દલપતશૈલીના પ્રયત્નો જતા કરતાં. તેમણે પ્રથમ સ્વતંત્ર કાવ્ય ‘મારી કીસ્તી’ ૧૮૮૬માં લખ્યું. તે પછી ૧૮૮૯માં બાવીસ વરસની ઉંમરે તો સાહિત્યમાં નવો ચીલો પાડનારું ‘વસંતવિજય’ સર્વાંગસુંદર બહાર પડ્યું. તે પછી ૧૮૯૦માં ‘ચક્રવાકમિથુન’, એવું જ ભવ્ય. તે જ વરસમાં ‘ઉદ્ગાર’ – નવો જ ભાવ, નવી જ શૈલી. ‘દેવયાની’ એ જ અરસામાં આરંભાયું. ૧૮૯૧માં પ્રથમ પત્ની સૌ. નર્મદાનું અવસાન અને એ વરસે શ્રી નરસિંહરાવ સાથેની વાતચીતમાં મણિભાઈ કહે છે : ‘કોણ જાણે એ કાવ્ય હું પૂરું કરીશ કે નહિ?’ બસ અહીં જ કવિને સર્જનનો થાક લાગ્યો. કોઈ કોઈ કવિ અત્યંત મંથન, સંવેગ, દુઃખના અનુભવથી જ કાવ્ય લખી શકે છે.<ref>ફરી સરખાવો કીટ્સ વિશેનાં મિ. બ્રેડલીનાં વાક્યો :<br> | ||
‘But the other kind (of Beauty) is won through thought and also through pain. And this second and more beautiful kind is also the higher, the fuller, the nearer to the principle (of Beauty). That it is won through pain is doubly true. First, because the poet cannot reach it unless he consents to suffer painful sympathies... and in the second place, it has pain in itself. or at least appears in objects that are painful.’ ‘Oxford Lectures on Poetry’, pp. ૨૩૦-૩૧. | ‘But the other kind (of Beauty) is won through thought and also through pain. And this second and more beautiful kind is also the higher, the fuller, the nearer to the principle (of Beauty). That it is won through pain is doubly true. First, because the poet cannot reach it unless he consents to suffer painful sympathies... and in the second place, it has pain in itself. or at least appears in objects that are painful.’ ‘Oxford Lectures on Poetry’, pp. ૨૩૦-૩૧. | ||
</ref> જગતની વિષમતાના ચિંતનનાં મહામંથનો સિવાય સહદેવનું અને પાંડુનું દુઃખ સમભાવથી ભોગવ્યા સિવાય, એ કાવ્યો એટલાં ભવ્ય બન્યાં હોત? અને એ દુઃખો, એ મંથનો ભોગવવાની શક્તિને સીમા હોય તો તેમાં કોનો દોષ કાઢવો? એટલાં ગહન સુંદર કાવ્યો એટલાં ગહન દર્દો સિવાય નથી ઉદ્ભવતાં અને એ દર્દોનો થાક લાગે છે એ પણ, કાન્તે કરુણ કાવ્યોમાં નિરૂપેલી વિષમતા જેવી એક કરુણ વિષમતા છે. અને જેમ કાવ્યમાં તેમ જીવનમાં એ વિષમતા સામે પણ કાન્તે ભવ્ય પ્રયત્નો કર્યા છે એ તેમના જીવનમાં સ્પષ્ટ જણાય છે. | </ref> જગતની વિષમતાના ચિંતનનાં મહામંથનો સિવાય સહદેવનું અને પાંડુનું દુઃખ સમભાવથી ભોગવ્યા સિવાય, એ કાવ્યો એટલાં ભવ્ય બન્યાં હોત? અને એ દુઃખો, એ મંથનો ભોગવવાની શક્તિને સીમા હોય તો તેમાં કોનો દોષ કાઢવો? એટલાં ગહન સુંદર કાવ્યો એટલાં ગહન દર્દો સિવાય નથી ઉદ્ભવતાં અને એ દર્દોનો થાક લાગે છે એ પણ, કાન્તે કરુણ કાવ્યોમાં નિરૂપેલી વિષમતા જેવી એક કરુણ વિષમતા છે. અને જેમ કાવ્યમાં તેમ જીવનમાં એ વિષમતા સામે પણ કાન્તે ભવ્ય પ્રયત્નો કર્યા છે એ તેમના જીવનમાં સ્પષ્ટ જણાય છે. | ||
| Line 503: | Line 503: | ||
આ દૃષ્ટિએ ‘વસંતવિજય’ના રહસ્ય સંબંધી મેં જુદી કલ્પના કરી જે પૂર્વાલાપની છેલ્લી બે આવૃત્તિઓના ઉપોદ્ઘાતમાં છે. ‘અતિજ્ઞાન’ના અનુસંધાનમાં મેં ત્યાં લખ્યું હતું : ‘આ અપૂર્ણતા માત્ર અતિજ્ઞાનની નથી. માણસના જ્ઞાનમાત્રમાં કંઈક એવી અપૂર્ણતા છે કે તે બરાબર જીવનવિગ્રહમાં પડ્યો હોય ત્યાં, કર્ણનાં અસ્ત્રોની પેઠે, તે તેને કામ આપી શકતું નથી; દુનિયામાં એવું કૈંક છે જે માણસ જેટલું જ્ઞાનવાન નથી, છતાં જ્ઞાનવાન માણસને યુદ્ધમાં હરાવે છે. આ સત્ય ‘વસંતવિજય’માં પ્રતીત થાય છે. તેનું પણ વસ્તુ મહાભારતમાંથી લીધું છે. પાંડુ રસિક છે, પત્ની તરફ તેને ઘણો પ્રેમ છે છતાં તે પ્રેમનો રસાસ્વાદ એ જ એનું મૃત્યુ છે.... | આ દૃષ્ટિએ ‘વસંતવિજય’ના રહસ્ય સંબંધી મેં જુદી કલ્પના કરી જે પૂર્વાલાપની છેલ્લી બે આવૃત્તિઓના ઉપોદ્ઘાતમાં છે. ‘અતિજ્ઞાન’ના અનુસંધાનમાં મેં ત્યાં લખ્યું હતું : ‘આ અપૂર્ણતા માત્ર અતિજ્ઞાનની નથી. માણસના જ્ઞાનમાત્રમાં કંઈક એવી અપૂર્ણતા છે કે તે બરાબર જીવનવિગ્રહમાં પડ્યો હોય ત્યાં, કર્ણનાં અસ્ત્રોની પેઠે, તે તેને કામ આપી શકતું નથી; દુનિયામાં એવું કૈંક છે જે માણસ જેટલું જ્ઞાનવાન નથી, છતાં જ્ઞાનવાન માણસને યુદ્ધમાં હરાવે છે. આ સત્ય ‘વસંતવિજય’માં પ્રતીત થાય છે. તેનું પણ વસ્તુ મહાભારતમાંથી લીધું છે. પાંડુ રસિક છે, પત્ની તરફ તેને ઘણો પ્રેમ છે છતાં તે પ્રેમનો રસાસ્વાદ એ જ એનું મૃત્યુ છે.... | ||
‘નૈતિક મંથનમાં માણસ પોતાની અધમ વૃત્તિ સાથે લડતાં હારજીત મેળવતો જેમ કોઈ વાર છેવટે હારી જાય છે, તેમ અહીં પણ પાંડુ પોતાની વૃત્તિ સાથેના યુદ્ધમાં હારી જાય છે, અને એ વૃત્તિ જ એને ઉથલાવી પાડે છે. પણ નૈતિક યુદ્ધનો ચિતાર આપવો એટલું જ આ કાવ્યનું રહસ્ય નથી. તેમજ માણસનું જ્ઞાન એકલું માણસનું રક્ષણ કરવા સમર્થ નથી એટલું અહીં ઉદ્દિષ્ટ નથી. કવિને એ બતાવવું છે કે હારજીત કોની કોની વચ્ચે થઈ તે જુઓ. એક બાજુ રસિક પ્રણયી ચેતનવાળો પાંડુ છે અને બીજી બાજુ વસંત છે, જેને નથી ચેતન, નથી રસ, નથી પ્રેમ કે દ્વેષ. સૃષ્ટિની રચનામાં ક્યાંક એવું કોઈ ગૂઢ અચેતન બલ રહેલું છે જે માણસને, જ્ઞાનવાન પ્રણયી ચેતનવંતા માણસને હરાવી દે છે. જગતની યોજનાની જ આ વિચિત્રતા છે.’ | ‘નૈતિક મંથનમાં માણસ પોતાની અધમ વૃત્તિ સાથે લડતાં હારજીત મેળવતો જેમ કોઈ વાર છેવટે હારી જાય છે, તેમ અહીં પણ પાંડુ પોતાની વૃત્તિ સાથેના યુદ્ધમાં હારી જાય છે, અને એ વૃત્તિ જ એને ઉથલાવી પાડે છે. પણ નૈતિક યુદ્ધનો ચિતાર આપવો એટલું જ આ કાવ્યનું રહસ્ય નથી. તેમજ માણસનું જ્ઞાન એકલું માણસનું રક્ષણ કરવા સમર્થ નથી એટલું અહીં ઉદ્દિષ્ટ નથી. કવિને એ બતાવવું છે કે હારજીત કોની કોની વચ્ચે થઈ તે જુઓ. એક બાજુ રસિક પ્રણયી ચેતનવાળો પાંડુ છે અને બીજી બાજુ વસંત છે, જેને નથી ચેતન, નથી રસ, નથી પ્રેમ કે દ્વેષ. સૃષ્ટિની રચનામાં ક્યાંક એવું કોઈ ગૂઢ અચેતન બલ રહેલું છે જે માણસને, જ્ઞાનવાન પ્રણયી ચેતનવંતા માણસને હરાવી દે છે. જગતની યોજનાની જ આ વિચિત્રતા છે.’ | ||
આ મારો અભિપ્રાય | આ મારો અભિપ્રાય ‘વસંત’માં<ref>આ લેખ ‘સાહિત્યવિચારમાં પૃ. ૫૦૨–૫૦૯ પર પ્રસિદ્ધ થયો છે.</ref> આચાર્ય આનંદશંકરનો ‘વસંતવિજય (એનું સ્વલ્પ રસવિવેચન)’ લેખ વાંચતાં બદલાયો. તેઓ તેમાં લખે છે : | ||
“હવે ‘વસંતવિજય’ના કરુણરહસ્યનું સ્વરૂપ વધારે ઊંડા ઊતરીને જોઈએ. એનો કરુણરસ શેમાં રહેલો છે? પાંડુરાજાનો વાનપ્રસ્થધર્મ થકી ભ્રંશ થઈ એનું મરણ થયું એમાં? એ તો એક સાધારણ દૃષ્ટિ છે. મને લાગે છે કે ઉગ્ર રાજધર્મની જ્વાળામાં સુકુમાર પ્રેમની આહુતિ એ જેમ રામચંદ્રજીના મુખ્ય કરુણરસનું તત્ત્વ છે. તેમ અહીં ઉગ્ર વાનપ્રસ્થધર્મમાં ગૃહસ્થાશ્રમની આહુતિ આપવી પડી એ પાંડુ રાજાના જીવનનું કારુણ્ય છે અને અંતે સૌંદર્યભોગના યજ્ઞમાં વાનપ્રસ્થધર્મની આહુતિ થઈ એ એના મરણનું કારુણ્ય છે. આમ દ્વિવિધ કરુણરસ અને એ પણ જીવની એક બીજીથી વિરુદ્ધ ભાવનામાંથી નીકળતો આ કાવ્યમાંથી ઝરે છે. | “હવે ‘વસંતવિજય’ના કરુણરહસ્યનું સ્વરૂપ વધારે ઊંડા ઊતરીને જોઈએ. એનો કરુણરસ શેમાં રહેલો છે? પાંડુરાજાનો વાનપ્રસ્થધર્મ થકી ભ્રંશ થઈ એનું મરણ થયું એમાં? એ તો એક સાધારણ દૃષ્ટિ છે. મને લાગે છે કે ઉગ્ર રાજધર્મની જ્વાળામાં સુકુમાર પ્રેમની આહુતિ એ જેમ રામચંદ્રજીના મુખ્ય કરુણરસનું તત્ત્વ છે. તેમ અહીં ઉગ્ર વાનપ્રસ્થધર્મમાં ગૃહસ્થાશ્રમની આહુતિ આપવી પડી એ પાંડુ રાજાના જીવનનું કારુણ્ય છે અને અંતે સૌંદર્યભોગના યજ્ઞમાં વાનપ્રસ્થધર્મની આહુતિ થઈ એ એના મરણનું કારુણ્ય છે. આમ દ્વિવિધ કરુણરસ અને એ પણ જીવની એક બીજીથી વિરુદ્ધ ભાવનામાંથી નીકળતો આ કાવ્યમાંથી ઝરે છે. | ||
“વાચક જોશે કે ‘વસંતવિજય’ના કરુણરસની આ સમજણ ભાઈ રામનારાયણની આ સમજણથી કાંઈક જુદી છે. મારી સમજણ પ્રમાણે આ કાવ્યનો કરુણરસ ‘અંધ ચેતનહીન અર્થહીન’ પ્રકૃતિના બળ આગળ, પાંડુની નિર્બળતામાં જ સમાયેલો નથી. પણ એના નવીન આશ્રમધર્મના દેખીતા શાંતમાં જે ત્યાગ રહેલો છે એ ત્યાગમાં જ એક મહાન કરુણ વસેલો છે. | “વાચક જોશે કે ‘વસંતવિજય’ના કરુણરસની આ સમજણ ભાઈ રામનારાયણની આ સમજણથી કાંઈક જુદી છે. મારી સમજણ પ્રમાણે આ કાવ્યનો કરુણરસ ‘અંધ ચેતનહીન અર્થહીન’ પ્રકૃતિના બળ આગળ, પાંડુની નિર્બળતામાં જ સમાયેલો નથી. પણ એના નવીન આશ્રમધર્મના દેખીતા શાંતમાં જે ત્યાગ રહેલો છે એ ત્યાગમાં જ એક મહાન કરુણ વસેલો છે. | ||
“અહીં આપણી સામે રસાસ્વાદનો એક ઝીણો પ્રશ્ન આવીને ઊભો રહે છે. આ કાવ્યનું તત્ત્વ શું? પાંડુની હાર અને વસંતનો વિજય? કે મૃત્યુ ઉપર સૌંદર્યનો વિજય? ‘સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી?’ એ નિશ્ચય, ‘ઘણા દિવસનું પેલું યોગાન્ધત્વ’ નહિ?” ‘સૃષ્ટિ સૌંદર્યને જોતાં’ એ ‘યોગાન્ધત્વ ગયું’ – એ યોગી કે તાપસની દૃષ્ટિએ ભલે વિનિપાત હો પણ કવિની દૃષ્ટિએ તો એ યોગ્ય જ થયું એમ નહિ? કવિની દૃષ્ટિએ મનુષ્ય દેવ થાય એ સુંદર કે મનુષ્ય રહે એ સુંદર? ભલે મહાદેવ મદનને ભસ્માવશેષ કરે, પણ મનુજ પાંડુ તાપસ રહીને હજારો વર્ષ જીવ્યો હોત એ સારું થાત કે મૃત્યુથી ન બીતાં સૌંદર્યવશ થયો એ સારું થયું? ખરો કરુણરસ ક્યાં? આદિમાં કે અંતમાં? | “અહીં આપણી સામે રસાસ્વાદનો એક ઝીણો પ્રશ્ન આવીને ઊભો રહે છે. આ કાવ્યનું તત્ત્વ શું? પાંડુની હાર અને વસંતનો વિજય? કે મૃત્યુ ઉપર સૌંદર્યનો વિજય? ‘સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી?’ એ નિશ્ચય, ‘ઘણા દિવસનું પેલું યોગાન્ધત્વ’ નહિ?” ‘સૃષ્ટિ સૌંદર્યને જોતાં’ એ ‘યોગાન્ધત્વ ગયું’ – એ યોગી કે તાપસની દૃષ્ટિએ ભલે વિનિપાત હો પણ કવિની દૃષ્ટિએ તો એ યોગ્ય જ થયું એમ નહિ? કવિની દૃષ્ટિએ મનુષ્ય દેવ થાય એ સુંદર કે મનુષ્ય રહે એ સુંદર? ભલે મહાદેવ મદનને ભસ્માવશેષ કરે, પણ મનુજ પાંડુ તાપસ રહીને હજારો વર્ષ જીવ્યો હોત એ સારું થાત કે મૃત્યુથી ન બીતાં સૌંદર્યવશ થયો એ સારું થયું? ખરો કરુણરસ ક્યાં? આદિમાં કે અંતમાં? | ||
“મહાભારતની દૃષ્ટિએ આનો ઉત્તર ‘અંતમાં જ.’ મહાભારતકારે કિંદમ ઋષિના આખ્યાનથી પ્રાણીમાં કામવાસના કેવી પ્રબળ છે એ બતાવ્યું. તે સાથે ઋષિને મૃગ બનાવીને એ વાસનાની તૃપ્તિ એ પશુધર્મ છે એમ પણ સૂચવ્યું. | “મહાભારતની દૃષ્ટિએ આનો ઉત્તર ‘અંતમાં જ.’ મહાભારતકારે કિંદમ ઋષિના આખ્યાનથી પ્રાણીમાં કામવાસના કેવી પ્રબળ છે એ બતાવ્યું. તે સાથે ઋષિને મૃગ બનાવીને એ વાસનાની તૃપ્તિ એ પશુધર્મ છે એમ પણ સૂચવ્યું.<ref>આનું સૂચન મહાભારતમાં છે. બાણથી વીંધાયેલ મૃગ મનુષ્યવાચાથી કહે છે अहं हि किंदमी नाम तपसा भावितो मुनिः व्यपत्रपन्मुनुष्याणाम् मृग्यां मैथुनमाचरम्। આદિપર્વ, સંભવપર્વ, અધ્યાય ૧૧૮, શ્લો. ૨૮. હું તપથી મુનિ થયેલો કિંદમ નામનો મુનિ છું. મનુષ્યોની શરમ આવતાં મેં મૃગીમાં મૈથુન આચર્યું.<br> | ||
ક્ષત્રિયોને મૃગયા વિહિત હતી અને પાંડુ આ મૃગને ઋષિ છે એમ જાણતો નહોતો, તો મૃગની હિંસામાં પાંડુનો દોષ ન ગણાય એમ આપણને લાગે, અને તેમજ છે. કિંદમ પાંડુની મૃગયા માટે શાપ આપે છે એમ નથી. કિંદમ કહે છે :<br> | ક્ષત્રિયોને મૃગયા વિહિત હતી અને પાંડુ આ મૃગને ઋષિ છે એમ જાણતો નહોતો, તો મૃગની હિંસામાં પાંડુનો દોષ ન ગણાય એમ આપણને લાગે, અને તેમજ છે. કિંદમ પાંડુની મૃગયા માટે શાપ આપે છે એમ નથી. કિંદમ કહે છે :<br> | ||
नाहं ध्वन्तं मृगान् राजान् विगर्हे चात्मकारणात् ।<br> | नाहं ध्वन्तं मृगान् राजान् विगर्हे चात्मकारणात् ।<br> | ||
| Line 545: | Line 545: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘અમિત એ અવકાશ તણી મહીં | {{Block center|<poem> ‘અમિત એ અવકાશ તણી મહીં | ||
ક્યહીં જ૫૧<ref> | ક્યહીં જ૫૧<ref> ‘પૂર્વાલાપ’માં ‘ક્યહીં અચેતન એક દીસે નહીં’ એમ પાઠ છે. (મૂળ બુદ્ધિપ્રકાશમાં જ ‘ચેતન’ હતું.) આ નવો પાઠ વધારે સારો છે – સર્વત્ર ચેતનની રેલ હતી – એ અર્થ છે. | ||
</ref> ચેતન એક દીસે નહીં.’</poem>}} | </ref> ચેતન એક દીસે નહીં.’</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 551: | Line 551: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ના જ્યોતિથી ભિન્ન દીસે જ કાંઈ | {{Block center|<poem>ના જ્યોતિથી ભિન્ન દીસે જ કાંઈ | ||
આ પૅર જો! પ્રકૃતિ ડૂબી પુરુષ માંહી!૫૨<ref> | આ પૅર જો! પ્રકૃતિ ડૂબી પુરુષ માંહી!૫૨<ref>‘દિવ્ય ગાયકગણ’ છેલ્લો શ્લોક, ‘હૃદયવીણા’</ref> | ||
x</poem>}} | x</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||