બાળનાટકો/1 વડલો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 150: Line 150:
{{Poem2Close}}
{{Poem2Close}}


<poem>વડલો : (આશીર્વાદ આપવા ડાળો નમાવતો) કલ્યાણ, બેટાંઓ!  
<poem>
વડલો : (આશીર્વાદ આપવા ડાળો નમાવતો) કલ્યાણ, બેટાંઓ!  
(બાકી રહેલાં પણ ઊડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.)  
(બાકી રહેલાં પણ ઊડી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.)  
પંખી વિના મારી ઘટા કેવી સૂની લાગે છે? જાણે બાળકો વિનાનું ઘર!</poem>
પંખી વિના મારી ઘટા કેવી સૂની લાગે છે? જાણે બાળકો વિનાનું ઘર!</poem>
Line 165: Line 166:
ચૂમું ચંબેલડી સુંવાળી રે ...એકo</poem>
ચૂમું ચંબેલડી સુંવાળી રે ...એકo</poem>


 
{{Poem2Open}}
(પૂર્વમાં સૂર્ય ઊગે છે. કમલિની અને સૂર્યમુખીનાં મોઢાં મલકે છે. એક કિરણ ગાતુંગાતું પ્રવેશે છે.)
ઝરણી : (વચમાં, સરોષ) કિરણરાય! આ જ તમારો ન્યાય કે? વડલાને પાંદડેપાંદડે દીવા પ્રગટાવ્યા; અને મારી કમનિનીએ તમારા એ મશાલીના વિરહમાં આખી રાત આંસુ સાર્યા તોય તેને સંભારી પણ નહિ?{{Poem2Close}}
<poem>
કિરણ : (સાંભળ્યું ન હોય તેમ)
ઝરણીના અંકમાં મદભર નાચે,
સવિતા પ્રભુની એક રાણી;
નીચા નમીનમી કમિલની કાનમાં (2)
પૂછું હું વાત એ કાલી ...એકo</poem>
{{Poem2Open}}કમલિની : (ગાલે શરમના શેરડા પથરાય છે. ઝરણીને પ્રેમભર્યા રોષથી છાનીછાની) તું કેવી ઉતાવળી છે, બા? કિરણરાયને કેટલું ખોટ લાગ્યું હશે?{{Poem2Close}}
<poem>
કિરણ : (કમલિનીની વાત છાનીછાની સાંભળીને)
ભાનુની રાણીને સોને મઢે હું,
હીરાની એક દઉં વાળી;
રાણીની માતાને રૂપે નવરાવું (2)
રૂપાની રેલ જાય ચાલી રે...એકo</poem>
{{Poem2Open}}
વડલો : (કટાક્ષ કરતો) ઝરણીબહેન  સવિતાદેવે મારે પાંદડેપાંદડે દીવા પ્રગટાવ્યા; પણ તમારી કમલિનીને તો સોને મઢી અને તમને રૂપે નવરાવ્યાં. હવે તો સંતોષાયાં ને? (ઝરણી શરમાય છે.)
કિરણ : વડલાભાઈ! તમે એમને શરમાવો નહિ. એમાં એમનો વાંક નથી. જગતની તમામ સાસુઓ અધીરી હોય છે. પ્રેમીનો સંદેશો સૌથી પાછળ હોય એ પ્રીતિની રીતિની એ બિચારીને સ્મૃતિ ક્યાંથી રહે? હોય એ તો; ચાલો હું જાઉં. ચાર પ્રહરમાં તો મારે ફલડે ફૂલડે અડી આવવાનું હોય છે. કમલિનીદેવી! દૈવ માટે કાંઈ સંદેશો?
કમલિની : (શરમાઈને) શું કહું?
કિરણ : એ બે શબ્દોમાં તો તમે આખું બ્રહ્માંડ બોલી નાખ્યું, બહેન! હું બધું પહોંચાડીશ. પ્રણામ, દેવી! (સૂરજ ઊંચે ચડે છે, અને કિરણ સરવા લાગે છે.)
સૂર્યમુખી : (સૂર્યના ફરવાની સાથે મોઢું ફેરવતું) કિરણરાય! સવિતા પ્રભુને ભક્તની વંદના પહોંચાડશો?
કિરણ : જરૂર, જરૂર; કેમ નહિ? પ્રણામ, વડલાભાઈ! ફરી કાલે મળશું.
વડલો : કાલની કોને ખબર છે? આવજો, કિરણરાય (કિરણ અદૃશ્ય થાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.  
ઝરણી : (મલકતી, સૂર્યમુખીની ટોળ કરતી) પુષ્પરાજ! સવિતાએ મારી કમલિનીને સોને મઢી, મને રૂપે નવરાવી અને વડદાદાની ઘટમાં દીપમાળ પ્રગટાવી; તોય તમારી તરફ તો એક નજ2 સરખી પણ ન કરી?
સૂર્યમુખી : કાંઈ નહિ, ઝરણીબહેન! મને એવી આશા જ નથી થતી.
ઝરણી : તમે તો બહુ શરમાળ, સૂર્યમુખી! મારી જેમ મોઢે ચડીને માગી લો તો શું ન મળે?
સૂર્યમુખી : (ટોળ કરતાં) એ તો સાસુને શોભે! ભક્ત અને પ્રેમીનો ભેદ તમે ભૂલો છો, ઝરણીબહેન! ભક્તને મન સામા પ્રેમની અપેક્ષા નથી હોતી. ભક્તો તો પ્રભુ તરફના પોતાના પ્રેમથી જ ભરેલા હોય છે. પ્રેમી પ્રતિપ્રેમ વિના કરમાઈ જાય, બહેન! હું તો ભાસ્કરનું ભક્ત રહ્યું.
ઝરણી : (પોરસથી) એ તો તમે એવા! બાકી અમે કાંઈ વ્યાજ વિના નાણાં ધીરીએ એવાં નથી તો! પ્રેમ તે કાંઈ નિર્વ્યાજ હોતો હશે? મારી કમલિનીને જો એ વીસરે તો હું એની સામે પણ ન જોઉં.
વડલો : એ ગમે તેમ હો. બાકી અપેક્ષા વિનાનો પ્રેમ મેં પણ જોયોજાણ્યો છે.{{Poem2Close}}
26,604

edits