ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઉમાશંકરની પૂર્વવર્તી ગુજરાતની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 16: Line 16:
{{Right|(નવીન કવિતા વિષે વ્યાખ્યાનો, ૧૯૧૪, પૃ. ૮)}}
{{Right|(નવીન કવિતા વિષે વ્યાખ્યાનો, ૧૯૧૪, પૃ. ૮)}}
<br>
<br>
સુન્દરમે પણ દલપતરામની આ “નવી શૈલીની પ્રથમ ઉપલબ્ધ કૃતિ ‘બાપાની પીંપર’ ૧૮૪૫થી અર્વાચીન ગુજરાતી કવિતાનો પ્રથમ સ્તબક પ્રારંભાયાનો નિર્દેશ કર્યો છે.બ. ક. ઠાકોર૨ જેનો ‘નવીન’ તરીકે નિર્દેશ કરે છે; રા. વિ. પાઠક,૩ સુન્દરમ્ અને મનસુખલાલ ઝવેરી૪ જેનો ‘અર્વાચીન’ તરીકે નિર્દેશ કરે છે, જયંત પાઠક૫ જેનો ‘આધુનિક’ તરીકે અને ઉમાશંકર પોતે જેનો ‘અદ્યતન’૬ તરીકે નિર્દેશ કરે છે તે ગાંધીયુગની કવિતા – સુન્દરમ્-ઉમાશંકર આદિની કવિતા બ. ક. ઠાકોરની ઐતિહાસિક દૃષ્ટિ સ્વીકારીને કહીએ તો સંક્રાંતિકાલીન કવિતા જ છે. દલપત-નર્મદથી માંડીને આજ દિન સુધીની કવિતાને સંક્રાંતિકાલીન કવિતા કહેવામાં વાંધો હોઈ ન શકે. ઉમાશંકર આદિની આ સંક્રાંતિકાલીન કવિતા ‘ગાંધીયુગીન’ મટી જતી નથી એ તો દેખીતું છે.
સુન્દરમે પણ દલપતરામની આ “નવી શૈલીની પ્રથમ ઉપલબ્ધ કૃતિ ‘બાપાની પીંપર’ ૧૮૪૫થી અર્વાચીન ગુજરાતી કવિતાનો પ્રથમ સ્તબક પ્રારંભાયાનો નિર્દેશ કર્યો છે.<ref> અર્વાચીન કવિતા, ૧૯૫૩, પૃ. ૨.</ref> બ. ક. ઠાકોર૨ જેનો ‘નવીન’ તરીકે નિર્દેશ કરે છે; રા. વિ. પાઠક,૩ સુન્દરમ્ અને મનસુખલાલ ઝવેરી૪ જેનો ‘અર્વાચીન’ તરીકે નિર્દેશ કરે છે, જયંત પાઠક૫ જેનો ‘આધુનિક’ તરીકે અને ઉમાશંકર પોતે જેનો ‘અદ્યતન’૬ તરીકે નિર્દેશ કરે છે તે ગાંધીયુગની કવિતા – સુન્દરમ્-ઉમાશંકર આદિની કવિતા બ. ક. ઠાકોરની ઐતિહાસિક દૃષ્ટિ સ્વીકારીને કહીએ તો સંક્રાંતિકાલીન કવિતા જ છે. દલપત-નર્મદથી માંડીને આજ દિન સુધીની કવિતાને સંક્રાંતિકાલીન કવિતા કહેવામાં વાંધો હોઈ ન શકે. ઉમાશંકર આદિની આ સંક્રાંતિકાલીન કવિતા ‘ગાંધીયુગીન’ મટી જતી નથી એ તો દેખીતું છે.
ઉમાશંકર મુખ્યત્વે કવિ હોઈ, એમની કવિતાસૃષ્ટિના સંદર્ભમાં જે વિચાર થયો છે તે એમની સમગ્ર સર્જકતાના સંદર્ભે પણ ઉપયોગી છે. ઉમાશંકરની કવિતા – એમનું સાહિત્યસર્જન, એમનું સાહિત્યવિવેચન પણ સંક્રાન્તિકાળનું; તો એને જોવા-સમજવા માટે સંક્રાન્તિકાળની સંસ્કારભૂમિકાનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ઉપયોગ કરવો રહ્યો.
ઉમાશંકર મુખ્યત્વે કવિ હોઈ, એમની કવિતાસૃષ્ટિના સંદર્ભમાં જે વિચાર થયો છે તે એમની સમગ્ર સર્જકતાના સંદર્ભે પણ ઉપયોગી છે. ઉમાશંકરની કવિતા – એમનું સાહિત્યસર્જન, એમનું સાહિત્યવિવેચન પણ સંક્રાન્તિકાળનું; તો એને જોવા-સમજવા માટે સંક્રાન્તિકાળની સંસ્કારભૂમિકાનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ઉપયોગ કરવો રહ્યો.
જેમ બંગાળી, મરાઠી, હિન્દી, તમિળ, મળયાળમ આદિ ભારતની પ્રાદેશિક ભાષાઓમાં તેમ ગુજરાતીમાં પણ અર્વાચીન સાહિત્યનો યુગ અંગ્રેજોના સંપર્કથી શરૂ થયો. બ. ક. ઠાકોર અંગ્રેજોના સંપર્કે જે યુગ આપણે ત્યાં શરૂ થયો તેનાં સાંસ્કૃતિક વલણો તપાસી તેને ‘સંક્રાન્તિયુગ’ (Age of Transition) અને ‘પુનર્જીવનયુગ’ (Age of Renascence or New Birth) જેવાં સૌથી ઓછાં પક્ષિલ અને સૌથી વ્યાપક નામોથી ઓળખાવવાનો પ્રયત્ન કરે છે.૭ ‘પ્રયોગયુગ’, ‘ઉદ્ધતિયુગ’, ‘બંડયુગ’, ‘ધ્વંસયુગ’, ‘ઉચ્છેદયુગ’ જેવાં નામો તેઓ નાપસંદ કરે છે. આ સંક્રાંતિ પાશ્ચાત્ય અને ભારતીય સંસ્કૃતિઓના સંઘટને જન્મેલી છે અને એ સંઘટનને પરિણામે જે ઊથલપાથલો સ્થૂલ-સૂક્ષ્મ રૂપની થઈ તેમાંથી આપણું ગુજરાતી સાહિત્ય બાકાત રહી શક્યું નથી. ‘સુધારાયુગનું સાહિત્ય’, ‘સંરક્ષક પક્ષના લેખકો અને ઉચ્છેદક પક્ષના લેખકો’, ‘સંગમયુગના દ્રષ્ટા’૮, ‘મધુદર્શી સમન્વયકાર આનંદશંકર’૯ ઇત્યાદિ સાહિત્યગત ઉક્તિપ્રયોગોની ભૂમિકા સંક્રાન્તિની જ રહી છે એ સ્પષ્ટ છે. દલપત-નર્મદથી, યથાતથ રીતે કહીએ તો અંગ્રેજોના સંપર્ક પછી જે સંક્રાન્તિની પ્રક્રિયા શરૂ થઈ તેનું સાતત્ય સાક્ષરયુગ, ગાંધીયુગમાં જ નહિ, સ્વાતંત્ર્યોત્તર યુગમાં પણ જોઈ શકાય એવી સ્થિતિમાં આપણે છીએ. ‘નર્મદજન્મસમયનો જમાનો એટલે જડતા, અજ્ઞાન, વહેમ અંધશ્રદ્ધા ને ભીરુતાનો જમાનો.’૧૦ એ જમાનાનાં કેટલાંક માર્મિક ચિત્રો વિનાયક નંદશંકરે ‘નંદશંકર જીવનચિત્ર’(પૃ. ૨૮-૨૯)માં આપેલાં છે. હીરાલાલ પારેખે ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન–૧’માં આ સમયની કેટલીક દસ્તાવેજી માહિતી આપી છે. રાજકીય ઊથલપાથલો, ટંટાફિસાદો ને પ્રજાકીય બિનસલામતીના પ્રશ્નો ઓછા નહોતા.૧૧ ‘ભરૂચ શહેરનો ઇતિહાસ’(પૃ. ૪૫૮)માંથી હીરાલાલ પારેખે જે ઘટના ટાંકી છે તે આ સમયની રાજકીય પરિસ્થિતિનું સચોટ રીતે સૂચન કરે છે. સન્ ૧૭૭૯માં વડગામ આગળ થયેલી સંધિ મુજબ ભરૂચ શહેર પાછું સિંધિયાને સોંપવાનો કરાર થયો ત્યારે “......ભરૂચી પ્રજા ઘણી દિલગીર થઈ. ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી કે અંગ્રેજી અમલ અમારા ઉપર હંમેશાં રહો. રાજ્ય અંગ્રેજોનું કાયમ રહે માટે યજ્ઞો, હોમ, બલિદાન વગેરે શરૂ થયાં. કેટલાક લોકોએ અમુક અમુક બાધાઓ પણ લીધી. આ વાતમાં ઢીલ થઈ એટલે પ્રજાએ જાણ્યું કે ઈશ્વરે સામું જોયું, તેથી લોકો ખુશી થયા.”૧૨ આવું વલણ અપનાવનારી પ્રજા દેશી શાસકોથી કેટલી ત્રાસી હશે એની તો કલ્પના જ કરવાની રહી. તે જમાનાના સંસ્કારક્ષેત્રના અગ્રણીઓ દલપતરામ, નર્મદ, મહીપતરામ વગેરેએ અંગ્રેજી શાસનને આવકાર્યું તેમાં એમની સ્વદેશ પ્રત્યેની બેવફાઈ નહિ પણ દાઝ જ કારણભૂત હતી ! ‘ઝેર ગયાં ને વેર ગયાં’નો આનંદ વ્યક્ત કરી વિક્ટોરિયાના રાજ્ય-અમલને ઈશ્વરનો ઉપકાર ગણી, સ્વીકારી ‘હરખ હવે તું હિન્દુસ્તાન’૧૩ એમ હિન્દુસ્તાન આખાને હરખાવાનું કહેવાનું થયું એમાં કેવળ દલપતરામનો જ નહિ, એમના સમગ્ર જમાનાનો અવાજ હતો. નર્મદે પણ વિક્ટોરિયાના રાજ્યઅમલને વધાવ્યો જ હતો.૧૪ અરે ! છેક ન્હાનાલાલ સુધી આ વલણ દેખાતું રહ્યું છે. ન્હાનાલાલે લખેલ ‘રાજયુવરાજને સત્કાર’૧૫માં આમ તો આર્ય રાજભાવના અને આર્યસંસ્કૃતિની ફોરમ હતી, છતાં તે હતું તો અંગ્રેજ શહેનશાહની બિરદાવલિરૂપ કાવ્ય. દલપત-નર્મદથી માંડી, ગોવર્ધનરામ ઇત્યાદિ સાક્ષરો – અરે છેક ગાંધીજી સુધી અંગ્રેજોનો ભારત સાથેનો સંબંધ એક યા બીજા કારણે અનેક મહાનુભાવોને આવકાર્ય લાગ્યો હતો. અંગ્રેજોનો સંપર્ક ગાંધીયુગને લાગ્યો તેટલો વાંધાજનક દલપત-નર્મદયુગને, પંડિતયુગને કે ગાંધીયુગ પ્રવર્તનાર ગાંધીજીને પણ એક તબક્કે લાગ્યો નહોતો !૧૬ ‘સંગમયુગના દ્રષ્ટા’ સરસ્વતીચંદ્રકારને અંગ્રેજોની શુભનિષ્ઠામાં વિશ્વાસ હતો.૧૭ બીજી બાજુ એ પણ હકીકત છે કે છેક ૧૮૪૪માં દાદોબા અને દુર્ગારામને અંગ્રેજી અમલથી પૈસેટકે દેશની ખરાબી થયાનું ભાન હતું. મહેતાજીએ તો જણાવેલું કે ‘કેટલાએક કામમાં અંગ્રેજીનું રાજ્ય સારું છે. પણ એ રાજા પરદેશનો છે, માટે એને જેટલી પ્રીતિ પોતાના દેશના લોકો પર છે તેટલી આ દેશના લોકો ઉપર નથી, માટે ઇહાંની પ્રજા દુ:ખી છે.’ આગળ ચાલતાં તેઓ જણાવે છે કે ‘એ જે થયું છે તે હિન્દુ લોકોના નિર્બળપણાથી તથા વિદ્યારહિતપણાથી થયું છે... માટે હવે તો એ જ ઉપાય છે કે વિદ્યાકલામાં જાણીતા થવું. નીતિમાન થઈને સરકાર પાસે પોતાનો ખરો હક માગવો.’ (‘દુર્ગારામચરિત’, પૃ. ૧૦૬–૧૦૭–૧૦૮)૧૮ દલપત-નર્મદયુગે, સાક્ષરયુગે વિદ્યાકલા પરત્વે, ધર્મનીતિ પરત્વે ઠીક ઊહાપોહ કર્યો અને ગાંધીયુગે એ ઊહાપોહને ખરા હકની લડતમાં ઢાળ્યો. જેમણે અંગ્રેજ સરકારનું સ્વાગત કર્યું તે દલપતરામ, નર્મદ વગેરેએ અંગ્રેજ સરકારની ટીકા પણ પ્રસંગોપાત્ત, કરી જ હતી. ‘ફાર્બસવિલાસ’માં દલપતરામે કંઈક કડકાઈથી કહેલું :{{Poem2Close}}
જેમ બંગાળી, મરાઠી, હિન્દી, તમિળ, મળયાળમ આદિ ભારતની પ્રાદેશિક ભાષાઓમાં તેમ ગુજરાતીમાં પણ અર્વાચીન સાહિત્યનો યુગ અંગ્રેજોના સંપર્કથી શરૂ થયો. બ. ક. ઠાકોર અંગ્રેજોના સંપર્કે જે યુગ આપણે ત્યાં શરૂ થયો તેનાં સાંસ્કૃતિક વલણો તપાસી તેને ‘સંક્રાન્તિયુગ’ (Age of Transition) અને ‘પુનર્જીવનયુગ’ (Age of Renascence or New Birth) જેવાં સૌથી ઓછાં પક્ષિલ અને સૌથી વ્યાપક નામોથી ઓળખાવવાનો પ્રયત્ન કરે છે.૭ ‘પ્રયોગયુગ’, ‘ઉદ્ધતિયુગ’, ‘બંડયુગ’, ‘ધ્વંસયુગ’, ‘ઉચ્છેદયુગ’ જેવાં નામો તેઓ નાપસંદ કરે છે. આ સંક્રાંતિ પાશ્ચાત્ય અને ભારતીય સંસ્કૃતિઓના સંઘટને જન્મેલી છે અને એ સંઘટનને પરિણામે જે ઊથલપાથલો સ્થૂલ-સૂક્ષ્મ રૂપની થઈ તેમાંથી આપણું ગુજરાતી સાહિત્ય બાકાત રહી શક્યું નથી. ‘સુધારાયુગનું સાહિત્ય’, ‘સંરક્ષક પક્ષના લેખકો અને ઉચ્છેદક પક્ષના લેખકો’, ‘સંગમયુગના દ્રષ્ટા’૮, ‘મધુદર્શી સમન્વયકાર આનંદશંકર’૯ ઇત્યાદિ સાહિત્યગત ઉક્તિપ્રયોગોની ભૂમિકા સંક્રાન્તિની જ રહી છે એ સ્પષ્ટ છે. દલપત-નર્મદથી, યથાતથ રીતે કહીએ તો અંગ્રેજોના સંપર્ક પછી જે સંક્રાન્તિની પ્રક્રિયા શરૂ થઈ તેનું સાતત્ય સાક્ષરયુગ, ગાંધીયુગમાં જ નહિ, સ્વાતંત્ર્યોત્તર યુગમાં પણ જોઈ શકાય એવી સ્થિતિમાં આપણે છીએ. ‘નર્મદજન્મસમયનો જમાનો એટલે જડતા, અજ્ઞાન, વહેમ અંધશ્રદ્ધા ને ભીરુતાનો જમાનો.’૧૦ એ જમાનાનાં કેટલાંક માર્મિક ચિત્રો વિનાયક નંદશંકરે ‘નંદશંકર જીવનચિત્ર’(પૃ. ૨૮-૨૯)માં આપેલાં છે. હીરાલાલ પારેખે ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન–૧’માં આ સમયની કેટલીક દસ્તાવેજી માહિતી આપી છે. રાજકીય ઊથલપાથલો, ટંટાફિસાદો ને પ્રજાકીય બિનસલામતીના પ્રશ્નો ઓછા નહોતા.૧૧ ‘ભરૂચ શહેરનો ઇતિહાસ’(પૃ. ૪૫૮)માંથી હીરાલાલ પારેખે જે ઘટના ટાંકી છે તે આ સમયની રાજકીય પરિસ્થિતિનું સચોટ રીતે સૂચન કરે છે. સન્ ૧૭૭૯માં વડગામ આગળ થયેલી સંધિ મુજબ ભરૂચ શહેર પાછું સિંધિયાને સોંપવાનો કરાર થયો ત્યારે “......ભરૂચી પ્રજા ઘણી દિલગીર થઈ. ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી કે અંગ્રેજી અમલ અમારા ઉપર હંમેશાં રહો. રાજ્ય અંગ્રેજોનું કાયમ રહે માટે યજ્ઞો, હોમ, બલિદાન વગેરે શરૂ થયાં. કેટલાક લોકોએ અમુક અમુક બાધાઓ પણ લીધી. આ વાતમાં ઢીલ થઈ એટલે પ્રજાએ જાણ્યું કે ઈશ્વરે સામું જોયું, તેથી લોકો ખુશી થયા.”૧૨ આવું વલણ અપનાવનારી પ્રજા દેશી શાસકોથી કેટલી ત્રાસી હશે એની તો કલ્પના જ કરવાની રહી. તે જમાનાના સંસ્કારક્ષેત્રના અગ્રણીઓ દલપતરામ, નર્મદ, મહીપતરામ વગેરેએ અંગ્રેજી શાસનને આવકાર્યું તેમાં એમની સ્વદેશ પ્રત્યેની બેવફાઈ નહિ પણ દાઝ જ કારણભૂત હતી ! ‘ઝેર ગયાં ને વેર ગયાં’નો આનંદ વ્યક્ત કરી વિક્ટોરિયાના રાજ્ય-અમલને ઈશ્વરનો ઉપકાર ગણી, સ્વીકારી ‘હરખ હવે તું હિન્દુસ્તાન’૧૩ એમ હિન્દુસ્તાન આખાને હરખાવાનું કહેવાનું થયું એમાં કેવળ દલપતરામનો જ નહિ, એમના સમગ્ર જમાનાનો અવાજ હતો. નર્મદે પણ વિક્ટોરિયાના રાજ્યઅમલને વધાવ્યો જ હતો.૧૪ અરે ! છેક ન્હાનાલાલ સુધી આ વલણ દેખાતું રહ્યું છે. ન્હાનાલાલે લખેલ ‘રાજયુવરાજને સત્કાર’૧૫માં આમ તો આર્ય રાજભાવના અને આર્યસંસ્કૃતિની ફોરમ હતી, છતાં તે હતું તો અંગ્રેજ શહેનશાહની બિરદાવલિરૂપ કાવ્ય. દલપત-નર્મદથી માંડી, ગોવર્ધનરામ ઇત્યાદિ સાક્ષરો – અરે છેક ગાંધીજી સુધી અંગ્રેજોનો ભારત સાથેનો સંબંધ એક યા બીજા કારણે અનેક મહાનુભાવોને આવકાર્ય લાગ્યો હતો. અંગ્રેજોનો સંપર્ક ગાંધીયુગને લાગ્યો તેટલો વાંધાજનક દલપત-નર્મદયુગને, પંડિતયુગને કે ગાંધીયુગ પ્રવર્તનાર ગાંધીજીને પણ એક તબક્કે લાગ્યો નહોતો !૧૬ ‘સંગમયુગના દ્રષ્ટા’ સરસ્વતીચંદ્રકારને અંગ્રેજોની શુભનિષ્ઠામાં વિશ્વાસ હતો.૧૭ બીજી બાજુ એ પણ હકીકત છે કે છેક ૧૮૪૪માં દાદોબા અને દુર્ગારામને અંગ્રેજી અમલથી પૈસેટકે દેશની ખરાબી થયાનું ભાન હતું. મહેતાજીએ તો જણાવેલું કે ‘કેટલાએક કામમાં અંગ્રેજીનું રાજ્ય સારું છે. પણ એ રાજા પરદેશનો છે, માટે એને જેટલી પ્રીતિ પોતાના દેશના લોકો પર છે તેટલી આ દેશના લોકો ઉપર નથી, માટે ઇહાંની પ્રજા દુ:ખી છે.’ આગળ ચાલતાં તેઓ જણાવે છે કે ‘એ જે થયું છે તે હિન્દુ લોકોના નિર્બળપણાથી તથા વિદ્યારહિતપણાથી થયું છે... માટે હવે તો એ જ ઉપાય છે કે વિદ્યાકલામાં જાણીતા થવું. નીતિમાન થઈને સરકાર પાસે પોતાનો ખરો હક માગવો.’ (‘દુર્ગારામચરિત’, પૃ. ૧૦૬–૧૦૭–૧૦૮)૧૮ દલપત-નર્મદયુગે, સાક્ષરયુગે વિદ્યાકલા પરત્વે, ધર્મનીતિ પરત્વે ઠીક ઊહાપોહ કર્યો અને ગાંધીયુગે એ ઊહાપોહને ખરા હકની લડતમાં ઢાળ્યો. જેમણે અંગ્રેજ સરકારનું સ્વાગત કર્યું તે દલપતરામ, નર્મદ વગેરેએ અંગ્રેજ સરકારની ટીકા પણ પ્રસંગોપાત્ત, કરી જ હતી. ‘ફાર્બસવિલાસ’માં દલપતરામે કંઈક કડકાઈથી કહેલું :{{Poem2Close}}