ઉમાશંકરનો વાગ્વૈભવ/૨. ઉમાશંકરનું સર્જકવ્યક્તિત્વ-વિકાસ અને વિશેષતા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨ ઉમાશંકરનું સર્જક-વ્યક્તિત્વ : વિકાસ અને વિશેષતા|}} {{Poem2Open}}...")
 
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}  
{{Poem2Open}}  
ઉમાશંકરનો સર્જક-વિવેચક તરીકે પરિચય કરતાં પહેલાં જે દેશકાળમાં, જે પરંપરામાં ઉમાશંકરનું સર્જન-વિવેચનનું કાર્ય ચાલ્યું છે તેનો કંઈક પરિચય મેળવવાનો પ્રયત્ન આપણે કર્યો. સર્જક કે વિવેચક ગમે તેટલો પ્રયત્ન કરે, પણ તે તેના દેશ-કાળ ને પરંપરાથી છેડો ફાડીને વેગળો રહી શકતો નથી.જે દેશકાળે, જે પરંપરાએ અનેક સર્જકો-વિવેચકોના ઘડતરમાં પ્રત્યક્ષ-પરોક્ષ ભાગ ભજવ્યો હોય એ સર્જકો-વિવેચકોમાં જે ભિન્નતા વરતાય છે તેનું કારણ શું ? આ પ્રશ્નનો જવાબ આપવા માટે જે તે સર્જક-વિવેચકના વૈયક્તિક જીવનનો સંદર્ભ જોવો પડે. આ કામ કેટલીક રીતે જોખમી છે. કોઈ સર્જક કે વિવેચકના અમુકતમુક આવિષ્કાર માટે આ કે તે પરિસ્થિતિને જવાબદાર ગણાવવા જતાં એક યા બીજા પ્રકારની ન ઇચ્છેલી આરોપણ, પ્રક્ષેપણ આદિગત ભૂલો થવાનો સંભવ પણ રહે. વૈયક્તિક જીવનને આધારે કોઈ સર્જક-વિવેચકની ખૂબીઓ સમજવાના પ્રયત્નમાં મનોવૈજ્ઞાનિક અભિગમ આદિની અપેક્ષાઓ પણ રહે. આ પરિસ્થિતિમાં સાહિત્યના અભ્યાસીએ સર્જક-વિવેચકનો વૈયક્તિક પરિચય આપવામાં ભારે સાવધાની રાખવાની રહે. જે તે સર્જક યા વિવેચકના વિચારો, એનાં લખાણ તથા એની મુલાકાત ઇત્યાદિને આધારે જે કંઈ કહી શકાય તે કહી શકાય. સદ્ભાગ્યે, ઉમાશંકરે પોતાના સંદર્ભમાં છૂટકત્રુટક કેટલુંક લખ્યું છે. જાણવા પ્રમાણે એમની પાસે ડાયરી-નોધS, પત્રો ઇત્યાદિ અપ્રકાશિત પડ્યાં છે ને તેમના પ્રકાશિત લખાણમાંયે ક્યારેક ક્યારેક અત્રતત્ર એમના અંગત જીવનના અણસાર મળે છે. કેટલાક નિકટવર્તી મિત્રોએ એમના વિશેની પોતાની છાપ પ્રસંગોપાત્ત, રજૂ કરી છે. કેટલાક સાહિત્યપ્રેમીઓએ એમની મુલાકાતના અહેવાલ પણ છાપ્યા છે. વ્યાખ્યાનોમાં, રેડિયોવાર્તાલાપો વગેરેમાં થોડુંક આત્મ-કથનાત્મક બયાન એમણે આપ્યું છે.S કેટલુંક આત્મલક્ષી બયાન એમનાં કાવ્યોમાં પણ જોઈ શકાય. આ બધાંને આધારે ઉમાશંકરના શીલભદ્ર સારસ્વત૨ વ્યક્તિત્વનો પરિચય પામી શકાય છે.
ઉમાશંકરનો સર્જક-વિવેચક તરીકે પરિચય કરતાં પહેલાં જે દેશકાળમાં, જે પરંપરામાં ઉમાશંકરનું સર્જન-વિવેચનનું કાર્ય ચાલ્યું છે તેનો કંઈક પરિચય મેળવવાનો પ્રયત્ન આપણે કર્યો. સર્જક કે વિવેચક ગમે તેટલો પ્રયત્ન કરે, પણ તે તેના દેશ-કાળ ને પરંપરાથી છેડો ફાડીને વેગળો રહી શકતો નથી.<ref>“મને તો એમ લાગે છે કે કવિમાણસ એ કવિતા તો પ્રેરણાથી લખતો હોય છે. એ પોતે સાધન, વાહન, બને છે એ વાત સાચી, પણ કંઈક યુગબળ જેવું પણ છે. આખો ભાષાકીય, સાંસ્કૃતિક સંદર્ભ પણ હોય છે.”
આનંદશંકર જેવા સાક્ષરયુગીન પંડિતવર્ગે ૧૯૨૦ના અરસામાં છઠ્ઠી ગુજરાતી સાહિત્યપરિષદના સત્કારમંડળના પ્રમુખપદેથી ભાષણ આપતાં જણાવ્યું હતું કે “...... સઘળા મહાન યુગપરિવર્તમાં થાય છે તેમ હિન્દુસ્થાનમાં હાલ ચાલી રહેલા પરિવર્તનમાં પણ નવા યુગનું તત્ત્વ સમજનાર, એની ભાવનાઓને અને આકાંક્ષાઓને પોતાની વાણીમાં વ્યક્ત કરનાર, એના આંધળા જીવનને નેત્ર અર્પનાર કવિની જરૂર પડશે, એટલું જ નહિ, પણ એ યુગની ક્ષણિકતા ભેદી, એ યુગની પાર થઈ, જીવનનાં સનાતન સત્યો પ્રગટ કરનાર મહાકવિની પણ જરૂર પડશે.”૩ આનંદશંકરે આ પછી યુગને દ્રષ્ટા અને સ્રષ્ટા – યુગપ્રકાશક અને યુગપ્રવર્તક ઉભયવિધ કવિની જરૂરિયાત હોય છે તે દર્શાવી ઉમેર્યું કે “એક તો એ યુગને ‘આ હું’ એમ આત્મદર્શન કરાવનાર કવિ જોઈશે – જે વિના આપણે પણ આપણા યુગને પૂરો ઓળખી શકીશું નહિ, ભવિષ્યના ઇતિહાસકારે તો ઓળખવાની વાત જ શી ? બીજું – આ નવો યુગ બેસતાંની સાથે જનસમાજની વૃત્તિઓમાં ભારે ઉછાળો આવશે – અત્યારે એ શરૂ થઈ ચૂક્યો છે – એમાં વિશુદ્ધિ, સુંદરતા અને ઉચ્ચતાનાં તત્ત્વો પ્રવેશવાનું કર્તવ્ય સાહિત્યને શિર રહેશે, નહિ તો જીવન જાડું, કદ્રૂપું અને પ્રાકૃત બની જશે. ચોમાસું કોણ નથી ઇચ્છતું ? પણ તે માટે, એ ઋતુનાં ડહોળાયેલાં પાણી પીવાનું કોણ પસંદ કરશે ? એ નવા જીવનને સૂક્ષ્મ, સુંદર અને સંસ્કારી બનાવવા સારુ કવિ-પ્રતિભારૂપી નિર્મળી, બીજું રૂપક આપીએ તો શરદ ઋતુની ચાંદની, અવશ્ય જોઈશે. નવા જીવનનાં સૂક્ષ્મ ભયસ્થાન, અને એના તારની વિષમ ગૂંથણી બલ્કે ગૂંચવણો કવિ નહિ સમજાવે તો કોણ સમજાવશે ?”૪
– ઉમાશંકર (સંસ્કૃતિ, જૂન, ૧૯૬૮, પૃ. ૨૦૧)</ref> જે દેશકાળે, જે પરંપરાએ અનેક સર્જકો-વિવેચકોના ઘડતરમાં પ્રત્યક્ષ-પરોક્ષ ભાગ ભજવ્યો હોય એ સર્જકો-વિવેચકોમાં જે ભિન્નતા વરતાય છે તેનું કારણ શું ? આ પ્રશ્નનો જવાબ આપવા માટે જે તે સર્જક-વિવેચકના વૈયક્તિક જીવનનો સંદર્ભ જોવો પડે. આ કામ કેટલીક રીતે જોખમી છે. કોઈ સર્જક કે વિવેચકના અમુકતમુક આવિષ્કાર માટે આ કે તે પરિસ્થિતિને જવાબદાર ગણાવવા જતાં એક યા બીજા પ્રકારની ન ઇચ્છેલી આરોપણ, પ્રક્ષેપણ આદિગત ભૂલો થવાનો સંભવ પણ રહે. વૈયક્તિક જીવનને આધારે કોઈ સર્જક-વિવેચકની ખૂબીઓ સમજવાના પ્રયત્નમાં મનોવૈજ્ઞાનિક અભિગમ આદિની અપેક્ષાઓ પણ રહે. આ પરિસ્થિતિમાં સાહિત્યના અભ્યાસીએ સર્જક-વિવેચકનો વૈયક્તિક પરિચય આપવામાં ભારે સાવધાની રાખવાની રહે. જે તે સર્જક યા વિવેચકના વિચારો, એનાં લખાણ તથા એની મુલાકાત ઇત્યાદિને આધારે જે કંઈ કહી શકાય તે કહી શકાય. સદ્ભાગ્યે, ઉમાશંકરે પોતાના સંદર્ભમાં છૂટકત્રુટક કેટલુંક લખ્યું છે. જાણવા પ્રમાણે એમની પાસે ડાયરી-નોધS, પત્રો ઇત્યાદિ અપ્રકાશિત પડ્યાં છે ને તેમના પ્રકાશિત લખાણમાંયે ક્યારેક ક્યારેક અત્રતત્ર એમના અંગત જીવનના અણસાર મળે છે. કેટલાક નિકટવર્તી મિત્રોએ એમના વિશેની પોતાની છાપ પ્રસંગોપાત્ત, રજૂ કરી છે. કેટલાક સાહિત્યપ્રેમીઓએ એમની મુલાકાતના અહેવાલ પણ છાપ્યા છે. વ્યાખ્યાનોમાં, રેડિયોવાર્તાલાપો વગેરેમાં થોડુંક આત્મ-કથનાત્મક બયાન એમણે આપ્યું છે.S કેટલુંક આત્મલક્ષી બયાન એમનાં કાવ્યોમાં પણ જોઈ શકાય. આ બધાંને આધારે ઉમાશંકરના શીલભદ્ર સારસ્વત <ref>નિરંજન ભગત, ‘કુમાર’, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૪. </ref> વ્યક્તિત્વનો પરિચય પામી શકાય છે.
આનંદશંકર જેવા સાક્ષરયુગીન પંડિતવર્ગે ૧૯૨૦ના અરસામાં છઠ્ઠી ગુજરાતી સાહિત્યપરિષદના સત્કારમંડળના પ્રમુખપદેથી ભાષણ આપતાં જણાવ્યું હતું કે “...... સઘળા મહાન યુગપરિવર્તમાં થાય છે તેમ હિન્દુસ્થાનમાં હાલ ચાલી રહેલા પરિવર્તનમાં પણ નવા યુગનું તત્ત્વ સમજનાર, એની ભાવનાઓને અને આકાંક્ષાઓને પોતાની વાણીમાં વ્યક્ત કરનાર, એના આંધળા જીવનને નેત્ર અર્પનાર કવિની જરૂર પડશે, એટલું જ નહિ, પણ એ યુગની ક્ષણિકતા ભેદી, એ યુગની પાર થઈ, જીવનનાં સનાતન સત્યો પ્રગટ કરનાર મહાકવિની પણ જરૂર પડશે.” <ref>સાહિત્યવિચાર, ૧૯૪૭, પૃ. ૮–૯. </ref> આનંદશંકરે આ પછી યુગને દ્રષ્ટા અને સ્રષ્ટા – યુગપ્રકાશક અને યુગપ્રવર્તક ઉભયવિધ કવિની જરૂરિયાત હોય છે તે દર્શાવી ઉમેર્યું કે “એક તો એ યુગને ‘આ હું’ એમ આત્મદર્શન કરાવનાર કવિ જોઈશે – જે વિના આપણે પણ આપણા યુગને પૂરો ઓળખી શકીશું નહિ, ભવિષ્યના ઇતિહાસકારે તો ઓળખવાની વાત જ શી ? બીજું – આ નવો યુગ બેસતાંની સાથે જનસમાજની વૃત્તિઓમાં ભારે ઉછાળો આવશે – અત્યારે એ શરૂ થઈ ચૂક્યો છે – એમાં વિશુદ્ધિ, સુંદરતા અને ઉચ્ચતાનાં તત્ત્વો પ્રવેશવાનું કર્તવ્ય સાહિત્યને શિર રહેશે, નહિ તો જીવન જાડું, કદ્રૂપું અને પ્રાકૃત બની જશે. ચોમાસું કોણ નથી ઇચ્છતું ? પણ તે માટે, એ ઋતુનાં ડહોળાયેલાં પાણી પીવાનું કોણ પસંદ કરશે ? એ નવા જીવનને સૂક્ષ્મ, સુંદર અને સંસ્કારી બનાવવા સારુ કવિ-પ્રતિભારૂપી નિર્મળી, બીજું રૂપક આપીએ તો શરદ ઋતુની ચાંદની, અવશ્ય જોઈશે. નવા જીવનનાં સૂક્ષ્મ ભયસ્થાન, અને એના તારની વિષમ ગૂંથણી બલ્કે ગૂંચવણો કવિ નહિ સમજાવે તો કોણ સમજાવશે ?” <ref>એજન, પૃ. ૯–૧૦. </ref>
આનંદશંકર ધ્રુવે જે વિચક્ષણતાથી શરૂ થયેલા યુગને – ગાંધીયુગને પારખીને તે કાળમાં આવનાર કવિ પાસેથી જે કેટલીક અપેક્ષાઓ રાખી છે તે ખાસ ઉલ્લેખપાત્ર છે. જે યુગમાં ઉમાશંકરે કવિકર્મ આરંભ્યું એ યુગમાં એમની જવાબદારીઓ અને મુશ્કેલીઓ કેવા પ્રકારની હતી તેનું સૂચન આનંદશંકરના ભાષણમાં છે જ. ઉમાશંકર યુગપ્રવર્તક કવિ થઈ શક્યા છે કે કેમ એ પ્રશ્નનો ઉત્તર ભલે ભવિષ્ય આપે, તો પણ એ યુગપ્રકાશક કવિ તરીકે તો તુરત જ ધ્યાન ખેંચે છે. સુન્દરમ્ અને ઉમાશંકરના કવિત્વનો પ્રભાવ સાહિત્યક્ષેત્રે સારો એવો પડ્યો છે; નહીંતર વિષ્ણુપ્રસાદ જેવા ગંભીર વિવેચકે ઉમાશંકર-સુન્દરમ્ માટે આવું લખ્યું હોત ? –
આનંદશંકર ધ્રુવે જે વિચક્ષણતાથી શરૂ થયેલા યુગને – ગાંધીયુગને પારખીને તે કાળમાં આવનાર કવિ પાસેથી જે કેટલીક અપેક્ષાઓ રાખી છે તે ખાસ ઉલ્લેખપાત્ર છે. જે યુગમાં ઉમાશંકરે કવિકર્મ આરંભ્યું એ યુગમાં એમની જવાબદારીઓ અને મુશ્કેલીઓ કેવા પ્રકારની હતી તેનું સૂચન આનંદશંકરના ભાષણમાં છે જ. ઉમાશંકર યુગપ્રવર્તક કવિ થઈ શક્યા છે કે કેમ એ પ્રશ્નનો ઉત્તર ભલે ભવિષ્ય આપે, તો પણ એ યુગપ્રકાશક કવિ તરીકે તો તુરત જ ધ્યાન ખેંચે છે. સુન્દરમ્ અને ઉમાશંકરના કવિત્વનો પ્રભાવ સાહિત્યક્ષેત્રે સારો એવો પડ્યો છે; નહીંતર વિષ્ણુપ્રસાદ જેવા ગંભીર વિવેચકે ઉમાશંકર-સુન્દરમ્ માટે આવું લખ્યું હોત ? –
“હું કવિને સ્મરણ કરાવું છું કે આ સો વર્ષનો ભારતનો ઇતિહાસ તો દસ મહાભારત લખાવે એવડો છે. આ ગાંધીજીનું ભવ્ય મૃત્યુ નગાધિરાજ ડોલે ને સાત સમુદ્ર ગાય એવું કવિતાભર્યું છે. બીભત્સતા, ભીષણતા, ભયાનકતા, ક્રૂરતા, નીચતા, સ્વાર્થ અને વિલાસ સામે ઉચ્ચ માનવતા, સત્ય ને સંયમ ઝઝૂમી રહ્યાં છે. એક ક્રૌંચ-યુગલના વધનિમિત્તે રામાયણ પ્રગટ્યું : લાખ લાખ કુટુંબ દાઝી રહ્યાં છે ને કોઈ મહાકવિનો કંઠ નહિ ખૂલે ? હું ચારે કોર જોઉં છું... ઉમાશંકર અને સુન્દરમ્ ઉપર હું મીટ માંડું છું. તેમનાં સત્ત્વ જો નકારશે તો મારે કદાચ એક આખી પેઢી વાટ જોવી પડશે.”
“હું કવિને સ્મરણ કરાવું છું કે આ સો વર્ષનો ભારતનો ઇતિહાસ તો દસ મહાભારત લખાવે એવડો છે. આ ગાંધીજીનું ભવ્ય મૃત્યુ નગાધિરાજ ડોલે ને સાત સમુદ્ર ગાય એવું કવિતાભર્યું છે. બીભત્સતા, ભીષણતા, ભયાનકતા, ક્રૂરતા, નીચતા, સ્વાર્થ અને વિલાસ સામે ઉચ્ચ માનવતા, સત્ય ને સંયમ ઝઝૂમી રહ્યાં છે. એક ક્રૌંચ-યુગલના વધનિમિત્તે રામાયણ પ્રગટ્યું : લાખ લાખ કુટુંબ દાઝી રહ્યાં છે ને કોઈ મહાકવિનો કંઠ નહિ ખૂલે ? હું ચારે કોર જોઉં છું... ઉમાશંકર અને સુન્દરમ્ ઉપર હું મીટ માંડું છું. તેમનાં સત્ત્વ જો નકારશે તો મારે કદાચ એક આખી પેઢી વાટ જોવી પડશે.”
(‘ઉપાયન’, ૧૯૬૧, પૃ. ૧૬)
(‘ઉપાયન’, ૧૯૬૧, પૃ. ૧૬)
આ અવાજમાં ભાવાવેગ છે, વાગ્મિતાનો અંશ છે, પણ એ બાદ કરતાંયે ઉમાશંકર-સુન્દરમાદિની કવિત્વશક્તિમાંની શ્રદ્ધા સ્પષ્ટ છે. આમેય ઉમાશંકરના સર્જન-વિવેચને પૂર્વકાલીન, સમકાલીન અને અનુકાલીન પેઢીઓને આકર્ષી છે. ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પ્રકાશિત થયું ત્યારે ‘ગાંધી-યુગ’ના સાહિત્યના અગ્રગણ્ય પ્રતિનિધિ’૫ કાકાસાહેબે તો એમને આવકાર્યા૬, પરંતુ સાક્ષરયુગના ‘દુરારાધ્ય’ મનાતા વિવેચક શ્રી નરસિંહરાવે પણ એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. સાક્ષરયુગનું ભાવિદર્શન ઉમાશંકરના ‘અસાધારણ ગુણવાળા’ ‘વિશ્વશાંતિ’ કાવ્યના ‘મંગલ શબ્દ’ નિમિત્તે એમણે કર્યું–કરાવ્યું.બ. ક. ઠાકોર જેવા નવીન કવિતાના પુરસ્કર્તાએ સુન્દરમ્-ઉમાશંકરના કવિતાક્ષેત્રે થયેલા ઉદયની નોંધ લેતાં કહ્યું કે “સુન્દરમ્ અને ઉમાશંકર જોષીમાં પણ કોઈ કોઈ કડી સાવિત્રી યમનો આશીર્વાદ પણ ખાટી ગઈ એવી સજીવનતાવાળી જણાશે.”૮ ઉમાશંકરને એમણે ‘શારદાપીઠ અને ગાંધીવાદ બેયના ચેલા’૯ તરીકે ઓળખાવ્યા. શ્રી વિજયરાય વૈદ્યે ઉમાશંકર અને સુન્દરમ્ને નવી જ પ્રણાલી અજમાવનાર શક્તિશાળી કવિઓના વર્ગના ‘સૌથી પ્રતિનિધિરૂપ કવિઓ’૧૦ તરીકે ઉલ્લેખ્યા. કોઈએ તેમને ‘ન્હાનાલાલ કવિના સીધા અને સમર્થ વારસ’૧૧ તરીકે ઓળખાવ્યા. ઉમાશંકરના જ સમકાલીન કવિ-વિવેચક શ્રી મનસુખલાલ ઝવેરીએ કન્નડ કવિ પુટપ્પા અને ઉમાશંકરને ભારતીય જ્ઞાનપીઠનું ૧૯૬૭નું એક લાખ રૂપિયાનું પારિતોષિક મળ્યું ત્યારે પ્રસંગને સાહજિક એવા ઉમળકાથી લખ્યું :
આ અવાજમાં ભાવાવેગ છે, વાગ્મિતાનો અંશ છે, પણ એ બાદ કરતાંયે ઉમાશંકર-સુન્દરમાદિની કવિત્વશક્તિમાંની શ્રદ્ધા સ્પષ્ટ છે. આમેય ઉમાશંકરના સર્જન-વિવેચને પૂર્વકાલીન, સમકાલીન અને અનુકાલીન પેઢીઓને આકર્ષી છે. ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પ્રકાશિત થયું ત્યારે ‘ગાંધી-યુગ’ના સાહિત્યના અગ્રગણ્ય પ્રતિનિધિ’<ref>નરસિંહરાવ, ‘મનોમુકુર’ – ગ્રંથ બીજો, ૧૯૩૬, પૃ. ૩૧૫. </ref> કાકાસાહેબે તો એમને આવકાર્યા <ref>જુઓ ‘વિશ્વશાંતિ’(૧૯૭૦)માં ‘આમંત્રણ’.</ref>, પરંતુ સાક્ષરયુગના ‘દુરારાધ્ય’ મનાતા વિવેચક શ્રી નરસિંહરાવે પણ એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. સાક્ષરયુગનું ભાવિદર્શન ઉમાશંકરના ‘અસાધારણ ગુણવાળા’ ‘વિશ્વશાંતિ’ કાવ્યના ‘મંગલ શબ્દ’ નિમિત્તે એમણે કર્યું–કરાવ્યું.<ref>મનોમુકુર – ગ્રંથ બીજો, ૧૯૩૬, પૃ. ૩૦૨–૩૧૫. </ref> બ. ક. ઠાકોર જેવા નવીન કવિતાના પુરસ્કર્તાએ સુન્દરમ્-ઉમાશંકરના કવિતાક્ષેત્રે થયેલા ઉદયની નોંધ લેતાં કહ્યું કે “સુન્દરમ્ અને ઉમાશંકર જોષીમાં પણ કોઈ કોઈ કડી સાવિત્રી યમનો આશીર્વાદ પણ ખાટી ગઈ એવી સજીવનતાવાળી જણાશે.”<ref>વિવિધ વ્યાખ્યાનો – ગુચ્છ ત્રીજો, ૧૯૫૬, પૃ. ૫૨. </ref> ઉમાશંકરને એમણે ‘શારદાપીઠ અને ગાંધીવાદ બેયના ચેલા’<ref>નવીન કવિતા વિષે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૧૩. </ref> તરીકે ઓળખાવ્યા. શ્રી વિજયરાય વૈદ્યે ઉમાશંકર અને સુન્દરમ્ને નવી જ પ્રણાલી અજમાવનાર શક્તિશાળી કવિઓના વર્ગના ‘સૌથી પ્રતિનિધિરૂપ કવિઓ’<ref>ગુજરાતી સાહિત્યની રૂપરેખા, બીજી આવૃત્તિ, ૧૯૪૯, પૃ. ૩૩૫. </ref> તરીકે ઉલ્લેખ્યા. કોઈએ તેમને ‘ન્હાનાલાલ કવિના સીધા અને સમર્થ વારસ’<ref>હીરાબહેન પાઠક, ‘કાવ્યભાવન’, ૧૯૬૮, પૃ. ૨૨૬. </ref> તરીકે ઓળખાવ્યા. ઉમાશંકરના જ સમકાલીન કવિ-વિવેચક શ્રી મનસુખલાલ ઝવેરીએ કન્નડ કવિ પુટપ્પા અને ઉમાશંકરને ભારતીય જ્ઞાનપીઠનું ૧૯૬૭નું એક લાખ રૂપિયાનું પારિતોષિક મળ્યું ત્યારે પ્રસંગને સાહજિક એવા ઉમળકાથી લખ્યું :
“ઉમાશંકર માત્ર ગાંધીયુગના જ અગ્રણી કવિ નથી : એમનું સ્થાન ગુજરાતી ભાષાના સર્વકાલીન કવિઓમાં છે. પણ ઉમાશંકર માત્ર મૂર્ધન્ય સાહિત્યકાર જ નથી : એક જીવંત સંસ્થા પણ છે. કવિ, વિદ્વાન, વિવરણકાર, વિવેચક, વિચારક, વિદ્યાગુરુ, તંત્રી, કાર્યપુરુષ અને સૌમ્યાશયી સજ્જન : ઉમાશંકર ઘણાં ઘણાં માણસોને મન ઘણી ઘણી વસ્તુઓ છે.”
“ઉમાશંકર માત્ર ગાંધીયુગના જ અગ્રણી કવિ નથી : એમનું સ્થાન ગુજરાતી ભાષાના સર્વકાલીન કવિઓમાં છે. પણ ઉમાશંકર માત્ર મૂર્ધન્ય સાહિત્યકાર જ નથી : એક જીવંત સંસ્થા પણ છે. કવિ, વિદ્વાન, વિવરણકાર, વિવેચક, વિચારક, વિદ્યાગુરુ, તંત્રી, કાર્યપુરુષ અને સૌમ્યાશયી સજ્જન : ઉમાશંકર ઘણાં ઘણાં માણસોને મન ઘણી ઘણી વસ્તુઓ છે.”
(‘ઉમાશંકર જોશી’, ૧૯૭૧, પૃ. ૯–૧૦)
(‘ઉમાશંકર જોશી’, ૧૯૭૧, પૃ. ૯–૧૦)
Line 15: Line 16:
“.....મને ઉમાશંકર પ્રિય છે કારણ કે એ ઉમાશંકર છે. એટલે કે એમની સર્જનપ્રવૃત્તિ – જે મનુષ્યમાત્રની સાચામાં સાચી આધ્યાત્મિક પ્રવૃત્તિ છે – તેમાં એક પ્રકારની અનન્યતા છે, મૌલિકતા છે. એમાં અન્યત્ર ક્યાંય નથી એવાં તત્ત્વોનું દર્શન થાય છે. એ પ્રવૃત્તિ એક પરમ પુરુષાર્થથી પ્રેરિત અને અલબત્ત, અનેક મથામણો અને મુસીબતોથી સભર એવા અખંડ પ્રયોગ જેવી છે.”
“.....મને ઉમાશંકર પ્રિય છે કારણ કે એ ઉમાશંકર છે. એટલે કે એમની સર્જનપ્રવૃત્તિ – જે મનુષ્યમાત્રની સાચામાં સાચી આધ્યાત્મિક પ્રવૃત્તિ છે – તેમાં એક પ્રકારની અનન્યતા છે, મૌલિકતા છે. એમાં અન્યત્ર ક્યાંય નથી એવાં તત્ત્વોનું દર્શન થાય છે. એ પ્રવૃત્તિ એક પરમ પુરુષાર્થથી પ્રેરિત અને અલબત્ત, અનેક મથામણો અને મુસીબતોથી સભર એવા અખંડ પ્રયોગ જેવી છે.”
(કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૮૪)
(કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૮૪)
ઉમાશંકર પ્રથમ સર્જક છે, ત્યાર પછી વિવેચકાદિ અન્ય બધું છે. ‘જ્યોતિષ્કલિકા જેવા’ (‘like a bud of flame’) શબ્દના બંદા તરીકે તેઓ પોતાને ઓળખાવે છે.૧૨ તેઓ સાહિત્યકાર તરીકે શબ્દને શોધે છે; એટલું જ નહિ, શબ્દ દ્વારા, શબ્દરૂપે પોતાને શોધે છે.૧૨–૧ એમની શબ્દખોજ આત્મખોજના પર્યાયરૂપ બની રહે છે અને જે શબ્દનો કલાકાર છે તેને શબ્દનો પૂર્ણ સાક્ષાત્કાર સર્જનની લીલાભૂમિ પર ન થાય તો અન્યત્ર ક્યાં થવાનો હતો ? ઉમાશંકરનું ચિત્ર સર્જનક્રિયાન્વિત શબ્દથી હમેશાં ખેંચાય છે. એમણે જ એક ઠેકાણે કહ્યું છે કે “મારા મગજનું બંધારણ કંઈક એવું છે કે હું રચું તે કરતાં તદ્દન જુદી – વિપરીત પણ – જાતની કૃતિઓનો આનંદ લઈ શકું છું. બધે શોધું છું બુલંદ સર્જકતાને અને જ્યાં જરીક પણ એ સાંપડે ત્યાં ઓશિંગણભાવે એને હૃદય વધાવે છે.” (કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૫૭) ઉમાશંકરે પોતાના આંતરવિકાસમાં શબ્દનો જે સર્જનાત્મક ફાળો છે તેનું બયાન આપતાં જણાવ્યું છે કે “મને પૂરો ખ્યાલ પણ આવે તે પહેલાં શબ્દ મને માનવજીવનમાં જે કંઈ અભિવ્યક્તિ માટે તલસી રહ્યું છે તે પ્રતિ દોરી ગયો. વસ્તુજગત અને પ્રાણીજગત સાથે એણે આત્મીયતાનો એક સેતુ રચી દીધો. શબ્દ એક એવી કૂંચી હતી, જેને લીધે વસ્તુઓ પોતાનું અંતર મારી સમક્ષ ખોલતી અને અંતે, શબ્દના જ રૂડા પ્રતાપે, ભૂતકાળમાં જે કંઈ અર્થસંપન્ન હતું તે એક જીવંત વર્તમાનરૂપે પ્રત્યક્ષ થયું અને અણદીઠ ભવિષ્યના મહાર્ણવ ઉપર શબ્દે પથરેખાઓ આંકી, અને એ રીતે મારે માટે સુસમૃદ્ધ એવી ભીતરતા રચી દીધી.” (કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૩૮–૯) ઉમાશંકરની શબ્દસાધનાએ – એમની શબ્દસર્જકતાએ સાક્ષરપેઢી, ગાંધીયુગીન પેઢી અને અનુગાંધીયુગીન પેઢીને પ્રભાવિત કરી છે. અનુગાંધીયુગીન પેઢી પર એમની સર્જકતાનો પ્રભાવ કેટલો – એ પ્રશ્ન ચર્ચાવિચારણા માગી લે એવો છે, એની વાત પ્રસંગોપાત્ત, કરીશું. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ઉમાશંકરનું ‘વિશ્વશાંતિ’ સાક્ષરપેઢી અને ગાંધીયુગીન પેઢીને, તો એમનું ‘અભિજ્ઞા’ ગાંધીયુગીન પેઢી અને અનુગાંધીયુગીન પેઢી વચ્ચે સેતુરૂપ છે. શબ્દની રાહબરી નીચે ચાલતી એમની આ યાત્રા – એમની શબ્દરૂપ કર્મની સાધના સાક્ષરપેઢી, ગાંધીપેઢી અને અનુગાંધીપેઢીનાં વિલક્ષણ તત્ત્વોના રમણીય સમન્વયનું પ્રસન્ન દર્શન કરાવી રહે છે. એ સાધના સર્જન-વિવેચનમાં કેમ પ્રગટ થઈ છે એ જોવાનું સહેજેય રસપ્રદ થઈ પડે એમ છે.
ઉમાશંકર પ્રથમ સર્જક છે, ત્યાર પછી વિવેચકાદિ અન્ય બધું છે. ‘જ્યોતિષ્કલિકા જેવા’ (‘like a bud of flame’) શબ્દના બંદા તરીકે તેઓ પોતાને ઓળખાવે છે.<ref>કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૩૮.</ref> તેઓ સાહિત્યકાર તરીકે શબ્દને શોધે છે; એટલું જ નહિ, શબ્દ દ્વારા, શબ્દરૂપે પોતાને શોધે છે.<ref> જુઓ ઉમાશંકરનો “સાહિત્યકાર શું શોધે છે ?” લેખ. (‘સંસ્કૃતિ’, સપ્ટેમ્બર, ૧૯૬૫, પૃ. ૩૨૩–૩૨૪) ઉમાશંકર આ લેખમાં સાહિત્યકારની શોધની બાબતમાં કહે છે :
ઉમાશંકરની શબ્દ-સર્જકતાનું નિશાન સદા ઊંચું રહ્યું છે. ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) લખાયું ત્યારે પણ એમની સિસૃક્ષા કોઈ મહાન નાટક માટેની હતી; જેના આડ-સર્જનરૂપે, ‘વિશ્વશાંતિ’ હતું. પછી પણ ઉમાશંકરના ‘પ્રાચીના’ (૧૯૪૪) તથા ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫)ના પ્રયોગો કોઈ પદ્યનાટક સિદ્ધ કરવાની દિશામાં ચાલતા રહ્યા છે. સર્જનના આરંભકાળે જે નાટક સર્જવાની મનમાં અભીપ્સા જાગેલી તેની જાણે પરિપૂર્તિ માટેનો વણથંભ પુરુષાર્થ સુધી ચાલ્યાં કર્યો હોય તેવો વહેમ ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫) જગાવે છે. ઉમાશંકરે અર્બુદાચલ પાસેથી ‘સૌન્દર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’ (નિશીથ, ૧૯૬૨, પૃ. ૧૧૦) એવો ‘સૌન્દર્યમંત્ર’ મેળવ્યો પણ બીજી રીતે જોઈએ તો વ્યાસ ને વાલ્મીકિ, કાલિદાસ ને ભવભૂતિ, શેક્સપિયર અને ગ્યુઇથે, ટાગોર ને શ્રીઅરવિંદ — આવા આવા અનેક સર્જક મનીષિઓના ઉન્નત આત્માની અમૃતકલાનું રસપાન કરવાનો સૌન્દર્યમંત્ર પણ કવિએ ઝીલ્યો જણાય છે. સર્જક ઉમાશંકરને પ્રકૃતિ અને મનુષ્ય – ઉભય અમૃત-તીર્થો જણાયાં છે. એનું સૌન્દર્યદર્શન અને સૌન્દર્યગાન કરતાં તેમની હૃદયકળા અબાધિત રીતે પ્રગટે છે – વિકસે છે. ‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા’ લખી એક બાજુ પ્રકૃતિને તો ‘વિશ્વશાંતિ’ લખી ‘જીવનના કલાધર’ એવા એક મહામાનવને હૃદયનો અર્ઘ્ય સમર્પતાં ઉમાશંકરે ધન્યતાનો અનુભવ કર્યો છે. મૂળમાં ડુંગરોના એવા૧૩ ઉમાશંકરને એક ડુંગરાએ – અર્બુદાચલે કાવ્યજીવનની દીક્ષા આપી. એ પ્રસંગનું વિવરણ કરતાં ઉમાશંકર લખે છે :
“સાહિત્યકાર શબ્દ શોધે છે, શબ્દરૂપે સ્વ-રૂપ શોધે છે. અને જો, શબ્દને પામે છે તો સ્વરૂપને પણ પામે છે.” (પૃ. ૩૨૪) સાહિત્યકારના સંદર્ભે કહેલી વાત ‘ક્યાં છે કવિતા ?’ એમ પ્રશ્ન કરી કાવ્યની ‘શોધ’ કરનાર ઉમાશંકરને લાગુ પાડવામાં જ ઔચિત્ય છે.
ઉમાશંકરે ‘જર્નલ ઑફ સાઉથ એશિયન લિટરેચર’માં MAHFIL તરફથી લેવાયેલી મુલાકાતમાં એક પ્રશ્નના જવાબમાં કહેલું આ સંદર્ભે નોંધવા જેવું છે. તેમણે જણાવેલું કે ``The new beginnings in my poetic writings and the phrasing of my criticical utterences were, I think, not lost on my younger contemporaries. My poetry and criticism must have contributed. to the creating of a critical climate in which newer writing flourishes. I know I am an adept at provoking sharp reactions and open oppositions. This is exactly what I would cherish more than founding a school.'' (P. ૭) (૭ માર્ચ, ૧૯૭૩, નવી દિલ્હી) </ref> એમની શબ્દખોજ આત્મખોજના પર્યાયરૂપ બની રહે છે અને જે શબ્દનો કલાકાર છે તેને શબ્દનો પૂર્ણ સાક્ષાત્કાર સર્જનની લીલાભૂમિ પર ન થાય તો અન્યત્ર ક્યાં થવાનો હતો ? ઉમાશંકરનું ચિત્ર સર્જનક્રિયાન્વિત શબ્દથી હમેશાં ખેંચાય છે. એમણે જ એક ઠેકાણે કહ્યું છે કે “મારા મગજનું બંધારણ કંઈક એવું છે કે હું રચું તે કરતાં તદ્દન જુદી – વિપરીત પણ – જાતની કૃતિઓનો આનંદ લઈ શકું છું. બધે શોધું છું બુલંદ સર્જકતાને અને જ્યાં જરીક પણ એ સાંપડે ત્યાં ઓશિંગણભાવે એને હૃદય વધાવે છે.” (કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૫૭) ઉમાશંકરે પોતાના આંતરવિકાસમાં શબ્દનો જે સર્જનાત્મક ફાળો છે તેનું બયાન આપતાં જણાવ્યું છે કે “મને પૂરો ખ્યાલ પણ આવે તે પહેલાં શબ્દ મને માનવજીવનમાં જે કંઈ અભિવ્યક્તિ માટે તલસી રહ્યું છે તે પ્રતિ દોરી ગયો. વસ્તુજગત અને પ્રાણીજગત સાથે એણે આત્મીયતાનો એક સેતુ રચી દીધો. શબ્દ એક એવી કૂંચી હતી, જેને લીધે વસ્તુઓ પોતાનું અંતર મારી સમક્ષ ખોલતી અને અંતે, શબ્દના જ રૂડા પ્રતાપે, ભૂતકાળમાં જે કંઈ અર્થસંપન્ન હતું તે એક જીવંત વર્તમાનરૂપે પ્રત્યક્ષ થયું અને અણદીઠ ભવિષ્યના મહાર્ણવ ઉપર શબ્દે પથરેખાઓ આંકી, અને એ રીતે મારે માટે સુસમૃદ્ધ એવી ભીતરતા રચી દીધી.” (કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૩૮–૯) ઉમાશંકરની શબ્દસાધનાએ – એમની શબ્દસર્જકતાએ સાક્ષરપેઢી, ગાંધીયુગીન પેઢી અને અનુગાંધીયુગીન પેઢીને પ્રભાવિત કરી છે. અનુગાંધીયુગીન પેઢી પર એમની સર્જકતાનો પ્રભાવ કેટલો – એ પ્રશ્ન ચર્ચાવિચારણા માગી લે એવો છે, એની વાત પ્રસંગોપાત્ત, કરીશું. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ઉમાશંકરનું ‘વિશ્વશાંતિ’ સાક્ષરપેઢી અને ગાંધીયુગીન પેઢીને, તો એમનું ‘અભિજ્ઞા’ ગાંધીયુગીન પેઢી અને અનુગાંધીયુગીન પેઢી વચ્ચે સેતુરૂપ છે. શબ્દની રાહબરી નીચે ચાલતી એમની આ યાત્રા – એમની શબ્દરૂપ કર્મની સાધના સાક્ષરપેઢી, ગાંધીપેઢી અને અનુગાંધીપેઢીનાં વિલક્ષણ તત્ત્વોના રમણીય સમન્વયનું પ્રસન્ન દર્શન કરાવી રહે છે. એ સાધના સર્જન-વિવેચનમાં કેમ પ્રગટ થઈ છે એ જોવાનું સહેજેય રસપ્રદ થઈ પડે એમ છે.
ઉમાશંકરની શબ્દ-સર્જકતાનું નિશાન સદા ઊંચું રહ્યું છે. ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) લખાયું ત્યારે પણ એમની સિસૃક્ષા કોઈ મહાન નાટક માટેની હતી; જેના આડ-સર્જનરૂપે, ‘વિશ્વશાંતિ’ હતું. પછી પણ ઉમાશંકરના ‘પ્રાચીના’ (૧૯૪૪) તથા ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫)ના પ્રયોગો કોઈ પદ્યનાટક સિદ્ધ કરવાની દિશામાં ચાલતા રહ્યા છે. સર્જનના આરંભકાળે જે નાટક સર્જવાની મનમાં અભીપ્સા જાગેલી તેની જાણે પરિપૂર્તિ માટેનો વણથંભ પુરુષાર્થ સુધી ચાલ્યાં કર્યો હોય તેવો વહેમ ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫) જગાવે છે. ઉમાશંકરે અર્બુદાચલ પાસેથી ‘સૌન્દર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’ (નિશીથ, ૧૯૬૨, પૃ. ૧૧૦) એવો ‘સૌન્દર્યમંત્ર’ મેળવ્યો પણ બીજી રીતે જોઈએ તો વ્યાસ ને વાલ્મીકિ, કાલિદાસ ને ભવભૂતિ, શેક્સપિયર અને ગ્યુઇથે, ટાગોર ને શ્રીઅરવિંદ — આવા આવા અનેક સર્જક મનીષિઓના ઉન્નત આત્માની અમૃતકલાનું રસપાન કરવાનો સૌન્દર્યમંત્ર પણ કવિએ ઝીલ્યો જણાય છે. સર્જક ઉમાશંકરને પ્રકૃતિ અને મનુષ્ય – ઉભય અમૃત-તીર્થો જણાયાં છે. એનું સૌન્દર્યદર્શન અને સૌન્દર્યગાન કરતાં તેમની હૃદયકળા અબાધિત રીતે પ્રગટે છે – વિકસે છે. ‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા’ લખી એક બાજુ પ્રકૃતિને તો ‘વિશ્વશાંતિ’ લખી ‘જીવનના કલાધર’ એવા એક મહામાનવને હૃદયનો અર્ઘ્ય સમર્પતાં ઉમાશંકરે ધન્યતાનો અનુભવ કર્યો છે. મૂળમાં ડુંગરોના એવા<ref>‘मूलमें मैं डुंगरोंका । उमाशंकर, ‘निशीथ एवं अन्य कविताएं’, ૧૯૬૮, पृ. ૧૧. </ref> ઉમાશંકરને એક ડુંગરાએ – અર્બુદાચલે કાવ્યજીવનની દીક્ષા આપી. એ પ્રસંગનું વિવરણ કરતાં ઉમાશંકર લખે છે :
“લેખક તરીકે જેને અનુભૂતિ – અનુભવ કહેવાય એવા મને થોડાક જ થયા છે. એક તો નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા જોઈને થયેલો અનુભવ. સત્તર વર્ષની ઉંમર, જગતમાંથી ખાસ કરીને પ્રકૃતિ પાસેથી કાવ્યદીક્ષા મેળવવા મન તલસતું હતું. અર્બુદગિરિની પર્વતશ્રીએ શરત્પૂર્ણિમાના પ્રફુલ્લ આલોકમાં એ રાત્રિએ ધન્ય મંત્ર આપ્યો : ‘સૌન્દર્યો પી : ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ અમે પર્વતો મોં ખોલીને પાણી પીતા દેખાતા નથી, અમારી ઉપરથી પાણી પડ્યું એવું દડી જતું દેખાય છે, તેમ છતાં ચૂપચાપ અમે અમારી અંદર પાણી લેતા રહીએ છીએ. અંદર પાણીનો બરોબર સંચય થયો એટલે પછી ગમે તેવી શિલાઓનાં દ્વાર તોડીને પણ ઝરણ આપોઆપ બહાર ધસી આવે છે. જાણે અમારું – કઠોર પર્વતોનું – હૃદય જ ગાવા મંડ્યું ન હોય ! કવિ, વિશ્વમાં સૌન્દર્યની સતત ધારાવર્ષા થઈ રહી છે. તેં જો તારી અંદર એને ઉતારીને એનો પૂરો સંચય કર્યો હશે, તો તારું ઉરઝરણ પછી આપમેળે ગાવા મંડી પડશે. એ વખતે જીવનનો આરંભ કરવા માટે આ મંત્ર બસ હતો.”
“લેખક તરીકે જેને અનુભૂતિ – અનુભવ કહેવાય એવા મને થોડાક જ થયા છે. એક તો નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા જોઈને થયેલો અનુભવ. સત્તર વર્ષની ઉંમર, જગતમાંથી ખાસ કરીને પ્રકૃતિ પાસેથી કાવ્યદીક્ષા મેળવવા મન તલસતું હતું. અર્બુદગિરિની પર્વતશ્રીએ શરત્પૂર્ણિમાના પ્રફુલ્લ આલોકમાં એ રાત્રિએ ધન્ય મંત્ર આપ્યો : ‘સૌન્દર્યો પી : ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ અમે પર્વતો મોં ખોલીને પાણી પીતા દેખાતા નથી, અમારી ઉપરથી પાણી પડ્યું એવું દડી જતું દેખાય છે, તેમ છતાં ચૂપચાપ અમે અમારી અંદર પાણી લેતા રહીએ છીએ. અંદર પાણીનો બરોબર સંચય થયો એટલે પછી ગમે તેવી શિલાઓનાં દ્વાર તોડીને પણ ઝરણ આપોઆપ બહાર ધસી આવે છે. જાણે અમારું – કઠોર પર્વતોનું – હૃદય જ ગાવા મંડ્યું ન હોય ! કવિ, વિશ્વમાં સૌન્દર્યની સતત ધારાવર્ષા થઈ રહી છે. તેં જો તારી અંદર એને ઉતારીને એનો પૂરો સંચય કર્યો હશે, તો તારું ઉરઝરણ પછી આપમેળે ગાવા મંડી પડશે. એ વખતે જીવનનો આરંભ કરવા માટે આ મંત્ર બસ હતો.”
(‘કવિતાનો જન્મ’, નિરીક્ષા, ૧૯૬૦, પૃ. ૨૩૦–૧)
(‘કવિતાનો જન્મ’, નિરીક્ષા, ૧૯૬૦, પૃ. ૨૩૦–૧)
Line 31: Line 34:
— આ અભીપ્સામાં આબુ પાસેથી લાધેલો સૌન્દર્યમંત્ર અને જેલમાંથી લાધેલો જીવનમંત્ર – બંનેયની પ્રેરી શિવોર્મિ (શબ્દરૂપ કાર્યોર્મિ) વરતાય છે. ઉમાશંકરે સર્જકજીવનના આરંભે જ જે કેન્દ્ર પર રહીને વિશ્વશાંતિનું વર્તુળ દોર્યું છે એની ઊંડળમાં – એના પરિઘમાં ન્હાનાલાલનિર્દિષ્ટ બધા પ્રકારના પ્રેમનાં – પરમ પ્રેમ પરબ્રહ્મનાં બધાં જ સ્વરૂપો આવી જાય છે. ‘વિશ્વશાંતિ’ એમના વિશ્વપ્રેમનું ને તેથી જ બુલંદ માનવપ્રેમનું, સત્યપ્રેમ, સ્વાતંત્ર્યપ્રેમ, રાષ્ટ્રપ્રેમ ઇત્યાદિનું ભાવનાસભર ઉચ્ચારણ બની રહે છે.
— આ અભીપ્સામાં આબુ પાસેથી લાધેલો સૌન્દર્યમંત્ર અને જેલમાંથી લાધેલો જીવનમંત્ર – બંનેયની પ્રેરી શિવોર્મિ (શબ્દરૂપ કાર્યોર્મિ) વરતાય છે. ઉમાશંકરે સર્જકજીવનના આરંભે જ જે કેન્દ્ર પર રહીને વિશ્વશાંતિનું વર્તુળ દોર્યું છે એની ઊંડળમાં – એના પરિઘમાં ન્હાનાલાલનિર્દિષ્ટ બધા પ્રકારના પ્રેમનાં – પરમ પ્રેમ પરબ્રહ્મનાં બધાં જ સ્વરૂપો આવી જાય છે. ‘વિશ્વશાંતિ’ એમના વિશ્વપ્રેમનું ને તેથી જ બુલંદ માનવપ્રેમનું, સત્યપ્રેમ, સ્વાતંત્ર્યપ્રેમ, રાષ્ટ્રપ્રેમ ઇત્યાદિનું ભાવનાસભર ઉચ્ચારણ બની રહે છે.
+ ‘ગુજરાતના સાહિત્યસર્જકો’ (૧૯૫૯)માં ‘ઉમાશંકર જોષી’ લેખ (પૃ. ૧૦૬–૮)માં “ઈડરની રાજધાની હિંમતનગરની શાળામાં તો તેમણે નામના મેળવેલી જ” એમ જે વિધાન છે તે કંઈક સંદિગ્ધ છે. ઉમાશંકરે હિંમતનગરની શાળામાં અભ્યાસ નહિ કરેલો એટલું તો સ્પષ્ટ છે જ.
+ ‘ગુજરાતના સાહિત્યસર્જકો’ (૧૯૫૯)માં ‘ઉમાશંકર જોષી’ લેખ (પૃ. ૧૦૬–૮)માં “ઈડરની રાજધાની હિંમતનગરની શાળામાં તો તેમણે નામના મેળવેલી જ” એમ જે વિધાન છે તે કંઈક સંદિગ્ધ છે. ઉમાશંકરે હિંમતનગરની શાળામાં અભ્યાસ નહિ કરેલો એટલું તો સ્પષ્ટ છે જ.
જેમ ન્હાનાલાલનો પ્રિય શબ્દ ‘બ્રહ્મ’ છે, તેમ ઉમાશંકરનો પ્રિય શબ્દ ‘વિશ્વ’ છે.૧૪ ‘વિશ્વતોમુખી’૧૫ થવું, ‘વિશ્વમાનવી’૧૬ બનવું, ‘વિશ્વશાંતિ’ સિદ્ધ કરવી, વિશ્વહૈયાનાં સ્પંદનો લઘુ ઉરે ઝીલવાં,૧૭ વિશ્વના શુભ કેન્દ્રમાં જે લસી રહે છે, હસી રહે છે તે ‘મુદાભર શ્રી સ્વયં’ના મંગલ સ્વરૂપને સતત લક્ષ્યમાં રાખી સંવાદિતાની સારસ્વત-સાધનામાં લીન રહેવું૧૮ — આ એમની તીવ્ર અભીપ્સા છે. વળી વળીને ‘તેજના વારસ’૧૯ એવા મનુષ્યની દિવ્યતાનું – ‘માનુષ દિવ્યતા’૨૦નું એમને પ્રબળ આકર્ષણ છે. એમનો પ્રણય ‘સત્પ્રણય’ છે, ‘વિરાટ પ્રણય’ છે, એમની પ્રિયા માનવજાતિ છે, એમની શોધ કવિતાની છે. કવિતા એમને મન ‘વિશ્વકાવ્યજનની’૨૧ છે, મહા જનવિમર્દમાં પણ કવિશબ્દ એમને મન સંજીવનીરૂપ૨૨ છે અને તેથી જ જે સમયમાં છ કલાક ખાદીકામને આપતા હતા એ સમયમાં મગજની કોઢના પાછલા ભાગમાં તેઓ ‘વિશ્વશાંતિ’ને પણ ઘાટ આપતા રહ્યા હતા.૨૩
જેમ ન્હાનાલાલનો પ્રિય શબ્દ ‘બ્રહ્મ’ છે, તેમ ઉમાશંકરનો પ્રિય શબ્દ ‘વિશ્વ’ છે.<ref>ઉમાશંકર સમક્ષ પૃથ્વી નહીં, કિન્તુ વિશ્વ છે.’ રઘુવીર ચૌધરી (ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૨મું સંમેલન, હેવાલ, પૃ. ૪૨૦) </ref> ‘વિશ્વતોમુખી’<ref>ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૨૪.</ref>થવું, ‘વિશ્વમાનવી’<ref>એજન, પૃ. ૪૩.</ref> બનવું, ‘વિશ્વશાંતિ’ સિદ્ધ કરવી, વિશ્વહૈયાનાં સ્પંદનો લઘુ ઉરે ઝીલવાં,<ref વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૨૪.</ref> વિશ્વના શુભ કેન્દ્રમાં જે લસી રહે છે, હસી રહે છે તે ‘મુદાભર શ્રી સ્વયં’ના મંગલ સ્વરૂપને સતત લક્ષ્યમાં રાખી સંવાદિતાની સારસ્વત-સાધનામાં લીન રહેવું <ref>વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૫૫.</ref> — આ એમની તીવ્ર અભીપ્સા છે. વળી વળીને ‘તેજના વારસ’<ref> અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૦૪.</ref> એવા મનુષ્યની દિવ્યતાનું – ‘માનુષ દિવ્યતા’<ref>વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૮૧.</ref>નું એમને પ્રબળ આકર્ષણ છે. એમનો પ્રણય ‘સત્પ્રણય’ છે, ‘વિરાટ પ્રણય’ છે, એમની પ્રિયા માનવજાતિ છે, એમની શોધ કવિતાની છે. કવિતા એમને મન ‘વિશ્વકાવ્યજનની’<ref>ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૯૭.</ref>છે, મહા જનવિમર્દમાં પણ કવિશબ્દ એમને મન સંજીવનીરૂપ <ref>આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૬૨. </ref> છે અને તેથી જ જે સમયમાં છ કલાક ખાદીકામને આપતા હતા એ સમયમાં મગજની કોઢના પાછલા ભાગમાં તેઓ ‘વિશ્વશાંતિ’ને પણ ઘાટ આપતા રહ્યા હતા.<ref>પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૪૩.</ref>
ઉમાશંકર જે વાતાવરણમાં ઊછર્યા – ઘડાયા એ જોતાં એમના શીલભદ્ર વ્યક્તિત્વનો – એમના અભિજાત કવિત્વનો કંઈક તાગ પામી શકાય છે. ઉમાશંકરનો જન્મ બામણા ગામમાં, ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિમાં, જેઠાલાલ કમળજી જોષીને ત્યાં, નવલબહેન(તે ભાઈશંકર ઠાકરની પુત્રી)ની કૂખે, ૨૧-૭-૧૯૧૧ (સંવત ૧૯૬૭ના આષાઢ વદ ૧૦)ના રોજ થયો. પિતા જેઠાલાલ (અવસાન : ૧૯૩૪) ‘ડુંગરાવાળા’ તરીકે ઓળખાતા. લુસડિયાની મિશનની શાળામાં સાત ચોપડીનું ઉત્તમ શિક્ષણ પામેલા. લુસડિયા શામળાજી પાસેના ડુંગરોમાં આવેલું છે. મૂળ ત્યાંના, પણ ઉમાશંકરના જન્મ અગાઉ એમનું કુટુંબ છપ્પનિયા દુકાળમાં લુસડિયામાં લૂંટાયું. પછી બામણા ગામમાં આવીને વસેલું. પિતા તે તરફની બે જાગીર દેવની મોરી અને સામેરાના ‘કારભારી’ હતા. કેળવણીનો મહિમા તેઓ સમજતા હતા. સમગ્ર પરિવારના કેન્દ્રમાં તેઓ હતા. કુલ સાત ભાઈ ને બે બહેન [રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જસોદાબહેન (જોઈતી), કેસરબહેન (સોહ્યતી) ને દેવેન્દ્ર]. તેમાં ઉમાશંકર ત્રીજા. ઉમાશંકરને કુટુંબના વહાલભર્યા વાતાવરણનો સારો લાભ મળ્યો હતો. તેઓ લખે છે :
ઉમાશંકર જે વાતાવરણમાં ઊછર્યા – ઘડાયા એ જોતાં એમના શીલભદ્ર વ્યક્તિત્વનો – એમના અભિજાત કવિત્વનો કંઈક તાગ પામી શકાય છે. ઉમાશંકરનો જન્મ બામણા ગામમાં, ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિમાં, જેઠાલાલ કમળજી જોષીને ત્યાં, નવલબહેન(તે ભાઈશંકર ઠાકરની પુત્રી)ની કૂખે, ૨૧-૭-૧૯૧૧ (સંવત ૧૯૬૭ના આષાઢ વદ ૧૦)ના રોજ થયો. પિતા જેઠાલાલ (અવસાન : ૧૯૩૪) ‘ડુંગરાવાળા’ તરીકે ઓળખાતા. લુસડિયાની મિશનની શાળામાં સાત ચોપડીનું ઉત્તમ શિક્ષણ પામેલા. લુસડિયા શામળાજી પાસેના ડુંગરોમાં આવેલું છે. મૂળ ત્યાંના, પણ ઉમાશંકરના જન્મ અગાઉ એમનું કુટુંબ છપ્પનિયા દુકાળમાં લુસડિયામાં લૂંટાયું. પછી બામણા ગામમાં આવીને વસેલું. પિતા તે તરફની બે જાગીર દેવની મોરી અને સામેરાના ‘કારભારી’ હતા. કેળવણીનો મહિમા તેઓ સમજતા હતા. સમગ્ર પરિવારના કેન્દ્રમાં તેઓ હતા. કુલ સાત ભાઈ ને બે બહેન [રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જસોદાબહેન (જોઈતી), કેસરબહેન (સોહ્યતી) ને દેવેન્દ્ર]. તેમાં ઉમાશંકર ત્રીજા. ઉમાશંકરને કુટુંબના વહાલભર્યા વાતાવરણનો સારો લાભ મળ્યો હતો. તેઓ લખે છે :
“ઈડર ભણવા ગયો ત્યાં સુધી મારા અનુભવમાં આવેલો સમાજ મુખ્યત્વે મારા ગામનો. સગાંવહાલાંઓને મળવા પાસેનાં બીજાં ગામોનો પ્રવાસ કરીએ – પણ તે પાંચ ગાઉની સીમમાં. દૂરમાં દૂર બિંદુ શામળાજી – લુસડિયાનું – દસબાર ગાઉને અંતરે. આટલા વર્તુળમાં દસ વર્ષ સુધીનું જીવન ચાલ્યું. ફોઈનું ગામ, મામાનું ગામ, શામળાજી, – એ મુખ્ય ભાવકેન્દ્રો હતાં. બાલચિત્ત ઉપર બ્રાહ્મણો સિવાયના સમાજના જીવનની અને સમગ્ર ગ્રામજીવનની – ખેતીપ્રધાન જીવનની અનેકવિધ છાપો પડ્યે જતી. પણ એ વખતે મજબૂત તંતુ તો કુટુંબનો જ.”
“ઈડર ભણવા ગયો ત્યાં સુધી મારા અનુભવમાં આવેલો સમાજ મુખ્યત્વે મારા ગામનો. સગાંવહાલાંઓને મળવા પાસેનાં બીજાં ગામોનો પ્રવાસ કરીએ – પણ તે પાંચ ગાઉની સીમમાં. દૂરમાં દૂર બિંદુ શામળાજી – લુસડિયાનું – દસબાર ગાઉને અંતરે. આટલા વર્તુળમાં દસ વર્ષ સુધીનું જીવન ચાલ્યું. ફોઈનું ગામ, મામાનું ગામ, શામળાજી, – એ મુખ્ય ભાવકેન્દ્રો હતાં. બાલચિત્ત ઉપર બ્રાહ્મણો સિવાયના સમાજના જીવનની અને સમગ્ર ગ્રામજીવનની – ખેતીપ્રધાન જીવનની અનેકવિધ છાપો પડ્યે જતી. પણ એ વખતે મજબૂત તંતુ તો કુટુંબનો જ.”
(કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૫)
(કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૫)
માતા નવલબહેન (અવસાન : ૫–૨–૧૯૬૭) આમ નિરક્ષર, પણ તેજસ્વી સ્મૃતિવાળાં ને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર સન્નારી હતાં. તેમના પિતાના મામા અધ્યાત્મસાધનામાં સારી પેઠે આગળ વધેલા સંન્યાસી હતા. તેઓ વડોદરામાં રહેતા. માતા નવલબાઈને બાળપણમાં એમની સાથે રહેતાં ઉચ્ચ જીવનના સંસ્કારો સહેજેય મળ્યા. વળી તે વખતે સારાયે ચરોતરનો પ્રવાસપરિચય પણ સંન્યાસી સાથે ફરતાં તેમણે મેળવેલો. તેથી તેમનામાં આત્મસમૃદ્ધિ ને આત્મવિશ્વાસ સારી પેઠે હતાં. પોતાનો દીકરો (ઉમાશંકર) ‘આજ’ને બદલે ‘અત્યારે’ બોલે તે પણ તેમની નોંધ બહાર જતું નહિ.
માતા નવલબહેન (અવસાન : ૫–૨–૧૯૬૭) આમ નિરક્ષર, પણ તેજસ્વી સ્મૃતિવાળાં ને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર સન્નારી હતાં. તેમના પિતાના મામા અધ્યાત્મસાધનામાં સારી પેઠે આગળ વધેલા સંન્યાસી હતા. તેઓ વડોદરામાં રહેતા. માતા નવલબાઈને બાળપણમાં એમની સાથે રહેતાં ઉચ્ચ જીવનના સંસ્કારો સહેજેય મળ્યા. વળી તે વખતે સારાયે ચરોતરનો પ્રવાસપરિચય પણ સંન્યાસી સાથે ફરતાં તેમણે મેળવેલો. તેથી તેમનામાં આત્મસમૃદ્ધિ ને આત્મવિશ્વાસ સારી પેઠે હતાં. પોતાનો દીકરો (ઉમાશંકર) ‘આજ’ને બદલે ‘અત્યારે’ બોલે તે પણ તેમની નોંધ બહાર જતું નહિ.
ઉમાશંકર વીસમી સદીનું ફરજંદ. જે દાયકામાં એ જન્મ્યા એ દાયકો મહાન વૈશ્વિક ઘટનાઓનો દાયકો હતો. એનો પ્રભાવ ગુજરાતના દૂરના એક ખૂણામાં, ‘નાની મારવાડ’ નામે ઓળખાતા ઈડર રાજ્યના બામણા ગામમાં ખાસ ન હોય એ સમજી શકાય એવું છે. આમ ઐહિક સગવડસમૃદ્ધિની દૃષ્ટિએ, અક્ષરજ્ઞાનની દૃષ્ટિએ પછાત એવો એમનો પ્રદેશ પ્રકૃતિની અઢળક કૃપા પામેલો પ્રદેશ હતો. ઉમાશંકરને બાળપણમાં શામળાજીના રળિયામણા પ્રદેશનો ઘનિષ્ઠ પરિચય થયો હતો. ડુંગરોથી વીંટાયેલું ને કમળોથી ભરેલું શામળાજીનું કરમા તળાવ એમનું બાળપણનું સાથી હતું. કેટલાય સૂર્યોદયો અને સૂર્યાસ્તો, કેટલીય સોનારસી બપોરો આ પહાડ અને પાણીની રમ્યશ્રી વચ્ચે પસાર કરેલી. ડુંગર સાથે અથડાઈને પૂર્વથી પશ્ચિમ ડુંગરની ધારે ધારે વહેતો તટપરની વૃક્ષરાજિથી શોભતો મેશ્વો – ‘પરુહ (પુરુષ)’ મેશ્વો પણ તેમનો બાળપણનો સાથી હતો. આ પ્રકૃતિસૌન્દર્યના સમુદાર અનુભવે એમના હૃદયને કવિતાદૃષ્ટિએ ઠીક ઠીક પુષ્ટિ આપી હશે.૨૪
ઉમાશંકર વીસમી સદીનું ફરજંદ. જે દાયકામાં એ જન્મ્યા એ દાયકો મહાન વૈશ્વિક ઘટનાઓનો દાયકો હતો. એનો પ્રભાવ ગુજરાતના દૂરના એક ખૂણામાં, ‘નાની મારવાડ’ નામે ઓળખાતા ઈડર રાજ્યના બામણા ગામમાં ખાસ ન હોય એ સમજી શકાય એવું છે. આમ ઐહિક સગવડસમૃદ્ધિની દૃષ્ટિએ, અક્ષરજ્ઞાનની દૃષ્ટિએ પછાત એવો એમનો પ્રદેશ પ્રકૃતિની અઢળક કૃપા પામેલો પ્રદેશ હતો. ઉમાશંકરને બાળપણમાં શામળાજીના રળિયામણા પ્રદેશનો ઘનિષ્ઠ પરિચય થયો હતો. ડુંગરોથી વીંટાયેલું ને કમળોથી ભરેલું શામળાજીનું કરમા તળાવ એમનું બાળપણનું સાથી હતું. કેટલાય સૂર્યોદયો અને સૂર્યાસ્તો, કેટલીય સોનારસી બપોરો આ પહાડ અને પાણીની રમ્યશ્રી વચ્ચે પસાર કરેલી. ડુંગર સાથે અથડાઈને પૂર્વથી પશ્ચિમ ડુંગરની ધારે ધારે વહેતો તટપરની વૃક્ષરાજિથી શોભતો મેશ્વો – ‘પરુહ (પુરુષ)’ મેશ્વો પણ તેમનો બાળપણનો સાથી હતો. આ પ્રકૃતિસૌન્દર્યના સમુદાર અનુભવે એમના હૃદયને કવિતાદૃષ્ટિએ ઠીક ઠીક પુષ્ટિ આપી હશે. <ref>કુમાર, મે, ૧૯૪૦, પૃ. ૧૭૨. </ref>
* આમ કહેનાર ઉમાશંકરે MAHFILને આપેલ મુલાકાતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પોતે ગાંધીપ્રેમી હતા, ગાંધીયન – ગાંધીવાદી નહીં. તેઓ કહે છે : “I am, by nature (may be by my artistic nature) a nonconformist and could permit myself to be sucked in by however a powerful force.
* આમ કહેનાર ઉમાશંકરે MAHFILને આપેલ મુલાકાતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પોતે ગાંધીપ્રેમી હતા, ગાંધીયન – ગાંધીવાદી નહીં. તેઓ કહે છે : “I am, by nature (may be by my artistic nature) a nonconformist and could permit myself to be sucked in by however a powerful force.
(`Journal of South Asian Literature', P. ૩)
(`Journal of South Asian Literature', P. ૩)
Line 44: Line 47:
(‘મને સાંભરે રે’, ગોષ્ઠિ, ૧૯૫૭, પૃ. ૫૦–૫૨)
(‘મને સાંભરે રે’, ગોષ્ઠિ, ૧૯૫૭, પૃ. ૫૦–૫૨)
* ડૉ. ચંદ્રકાન્ત મહેતા (‘કવિતાની રમ્ય કેડીએ’, ૧૯૭૧, પૃ. ૧૯૫) લખે છે : “આજે એઓ વ્યક્તિ મટીને વિશ્વમાનવી બન્યા છે.” આ ઉદ્ગારોનો ઉમાશંકર પ્રત્યેના સદ્ભાવથી વિશેષ અર્થ કરવો જરૂરી ખરો ? એક અર્થમાં કવિમાત્ર ‘વિશ્વમાનવી’ હોય છે. અહીં એવો અર્થ લેવો રહ્યો.
* ડૉ. ચંદ્રકાન્ત મહેતા (‘કવિતાની રમ્ય કેડીએ’, ૧૯૭૧, પૃ. ૧૯૫) લખે છે : “આજે એઓ વ્યક્તિ મટીને વિશ્વમાનવી બન્યા છે.” આ ઉદ્ગારોનો ઉમાશંકર પ્રત્યેના સદ્ભાવથી વિશેષ અર્થ કરવો જરૂરી ખરો ? એક અર્થમાં કવિમાત્ર ‘વિશ્વમાનવી’ હોય છે. અહીં એવો અર્થ લેવો રહ્યો.
આ દીર્ઘ અવતરણ એમના બાળપણનું ચિત્રાત્મક દર્શન કરાવી રહે છે. ગુજરાતી ચાર ધોરણ બામણા ગામની શાળામાં કર્યા પછી, ૧૯૨૦માં આગળના ભણતર માટે તેઓ બાર ગાઉ છેટે આવેલા ઈડરના છાત્રાલયમાં રહ્યા. આ વખતે ઉમાશંકરની ભાળવણી મોટા ભાઈ રામશંકર દ્વારા પન્નાલાલને કરવામાં આવી હતી. આ છાત્રાલયનિવાસ દરમિયાન ઉમાશંકરની આંતરશક્તિઓ સારા પ્રમાણમાં વિકસી હતી. દસમા ધોરણમાં તેઓ વડાછાત્ર (હેડ બોર્ડર) બનેલા. કોઠારનો અને તમામ વિદ્યાર્થીઓનો હિસાબ પણ તેઓ રાખતા. આ છાત્રાલયજીવને દસબાર જિંદગી સુધી વાગોળ્યા કરીએ તોયે ન ખૂટે એટલો ઊંડો આનંદ અને દુનિયાનો મોંઘો અનુભવ૨૫ થોડાં વરસોમાં એમને આપ્યો.
આ દીર્ઘ અવતરણ એમના બાળપણનું ચિત્રાત્મક દર્શન કરાવી રહે છે. ગુજરાતી ચાર ધોરણ બામણા ગામની શાળામાં કર્યા પછી, ૧૯૨૦માં આગળના ભણતર માટે તેઓ બાર ગાઉ છેટે આવેલા ઈડરના છાત્રાલયમાં રહ્યા. આ વખતે ઉમાશંકરની ભાળવણી મોટા ભાઈ રામશંકર દ્વારા પન્નાલાલને કરવામાં આવી હતી. આ છાત્રાલયનિવાસ દરમિયાન ઉમાશંકરની આંતરશક્તિઓ સારા પ્રમાણમાં વિકસી હતી. દસમા ધોરણમાં તેઓ વડાછાત્ર (હેડ બોર્ડર) બનેલા. કોઠારનો અને તમામ વિદ્યાર્થીઓનો હિસાબ પણ તેઓ રાખતા. આ છાત્રાલયજીવને દસબાર જિંદગી સુધી વાગોળ્યા કરીએ તોયે ન ખૂટે એટલો ઊંડો આનંદ અને દુનિયાનો મોંઘો અનુભવ <ref>ગોષ્ઠિ, ૧૯૫૭, પૃ. ૫૨.</ref> થોડાં વરસોમાં એમને આપ્યો.
ઉમાશંકરે કવિતા તરફ પોતાને પ્રેરનાર પરિબળો વિશે વાત કરતાં કુટુંબના વહાલસોયા જીવનની, ગામડાંની સીમ ને ગિરિપ્રદેશનાં કુદરતી સૌન્દર્યની, તે બાજુના લોકમેળાઓ અને લોકોની ભાષાસ્વાદની શક્તિની ખાસ નોંધ કરી છે. તેઓ જણાવે છે :
ઉમાશંકરે કવિતા તરફ પોતાને પ્રેરનાર પરિબળો વિશે વાત કરતાં કુટુંબના વહાલસોયા જીવનની, ગામડાંની સીમ ને ગિરિપ્રદેશનાં કુદરતી સૌન્દર્યની, તે બાજુના લોકમેળાઓ અને લોકોની ભાષાસ્વાદની શક્તિની ખાસ નોંધ કરી છે. તેઓ જણાવે છે :
“ડુંગરની ભેખડે આવેલા ઉગમણા ઘરની સામે ક્ષિતિજ ઉપર ગિરિમાળાને મથાળે રમતા ઉષાના રંગો અને એમાં ક્યારેક તરવરતો સારસોનો ધ્વનિ, લીલાંછમ ખેતરો, ચોમાસાના ઉત્સવો, વધામણાં, ઉજાણી અને મેળા – આ બધાં દ્વારા કુદરતનો અને માનવજીવનનો સંસ્પર્શ અનુભવાતો. આવા અનુભવો ગામડામાં જાણે કે ગળથૂથીમાં જ મળી રહે. ખાસ કરીને મેળાઓની છાપ મને ખૂબ મહત્ત્વની લાગે છે. મેળો એકદમ આપણને આપણા સીમિત કુટુંબમાંથી ઉઠાવીને એક વિશાળ કુટુંબના બનાવી દે છે. મેળો આ શિક્ષણ આપે છે – બહુ ગૂઢ રીતે, રંગો, અવાજોની કૌતુકમયી એક આખી દુનિયાની અનુભૂતિ દ્વારા ચેતના ઉપર વિશાળતાની એક છાલક નાખીને.”
“ડુંગરની ભેખડે આવેલા ઉગમણા ઘરની સામે ક્ષિતિજ ઉપર ગિરિમાળાને મથાળે રમતા ઉષાના રંગો અને એમાં ક્યારેક તરવરતો સારસોનો ધ્વનિ, લીલાંછમ ખેતરો, ચોમાસાના ઉત્સવો, વધામણાં, ઉજાણી અને મેળા – આ બધાં દ્વારા કુદરતનો અને માનવજીવનનો સંસ્પર્શ અનુભવાતો. આવા અનુભવો ગામડામાં જાણે કે ગળથૂથીમાં જ મળી રહે. ખાસ કરીને મેળાઓની છાપ મને ખૂબ મહત્ત્વની લાગે છે. મેળો એકદમ આપણને આપણા સીમિત કુટુંબમાંથી ઉઠાવીને એક વિશાળ કુટુંબના બનાવી દે છે. મેળો આ શિક્ષણ આપે છે – બહુ ગૂઢ રીતે, રંગો, અવાજોની કૌતુકમયી એક આખી દુનિયાની અનુભૂતિ દ્વારા ચેતના ઉપર વિશાળતાની એક છાલક નાખીને.”
(કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૫–૬)
(કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૫–૬)
* ઉમાશંકરે એમની વિદ્યાપીઠ-વાસરીમાં ૨૨–૧૦–૧૯૩૧ની નોંધમાં ‘વિશ્વશાંતિ’ની કાકાસાહેબની પ્રસ્તાવનાના ‘ઊગતી સૃષ્ટિ સાથે જેમને... શોધી કાઢે છે’ – એ વિધાનના અહંલક્ષી અર્થઘટનના અનુષંગે તટસ્થ આત્મદર્શન કરતાં લખ્યું છે : “અહો ! હું !! ઓ અનંત સર્વવ્યાપી હું ! આ નાનકડા ‘હું’ને ગળી જા !”�(’૩૧માં ડોકિયું, ૧૯૭૭, પૃ. ૧૪૦)
* ઉમાશંકરે એમની વિદ્યાપીઠ-વાસરીમાં ૨૨–૧૦–૧૯૩૧ની નોંધમાં ‘વિશ્વશાંતિ’ની કાકાસાહેબની પ્રસ્તાવનાના ‘ઊગતી સૃષ્ટિ સાથે જેમને... શોધી કાઢે છે’ – એ વિધાનના અહંલક્ષી અર્થઘટનના અનુષંગે તટસ્થ આત્મદર્શન કરતાં લખ્યું છે : “અહો ! હું !! ઓ અનંત સર્વવ્યાપી હું ! આ નાનકડા ‘હું’ને ગળી જા !”�(’૩૧માં ડોકિયું, ૧૯૭૭, પૃ. ૧૪૦)
તેમણે શામળાજીના કાર્તિકી પૂનમના એક મેળાના સંદર્ભમાં જણાવ્યું છે કે “સમગ્ર શિક્ષણ–અધ્યયનમાંથી ગીતલેખન અંગે હું નહીં પામ્યો હોઉં એટલું એ એક રાત્રિના અને તે પણ એક મંડળીના અનુભવમાંથી પામ્યો છું. એમ કહું તો એમાં કશી જ અતિશયોક્તિ નથી. ગીતોનાં ઢાળ, લય, શબ્દાવલી, વિષય – અને અભિનય પણ – બધું જ ગમે તે ધોરણે તપાસીએ તો અત્યંત ઉચ્ચ કક્ષાનું હતું. મારા પૂરતી તો એને ગીતલેખનની યુનિવર્સિટી ગણું.”૨૬
તેમણે શામળાજીના કાર્તિકી પૂનમના એક મેળાના સંદર્ભમાં જણાવ્યું છે કે “સમગ્ર શિક્ષણ–અધ્યયનમાંથી ગીતલેખન અંગે હું નહીં પામ્યો હોઉં એટલું એ એક રાત્રિના અને તે પણ એક મંડળીના અનુભવમાંથી પામ્યો છું. એમ કહું તો એમાં કશી જ અતિશયોક્તિ નથી. ગીતોનાં ઢાળ, લય, શબ્દાવલી, વિષય – અને અભિનય પણ – બધું જ ગમે તે ધોરણે તપાસીએ તો અત્યંત ઉચ્ચ કક્ષાનું હતું. મારા પૂરતી તો એને ગીતલેખનની યુનિવર્સિટી ગણું.”<ref>કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૬. </ref>
આ સાથે તેમણે કવિતા તરફ પ્રેરનારી સૌથી મોટી વસ્તુ તે એમના સમાજના લોકોની ભાષાનો સ્વાદ લેવાની શક્તિ છે. ઉમાશંકરે જ એ જણાવ્યું છે : “મને એ વખતે અને પછીથી પણ લાગ્યું છે કે દરેક વ્યક્તિ શબ્દો બોલતાં એનો પૂરો સ્વાદ માણે છે.”૨૭
આ સાથે તેમણે કવિતા તરફ પ્રેરનારી સૌથી મોટી વસ્તુ તે એમના સમાજના લોકોની ભાષાનો સ્વાદ લેવાની શક્તિ છે. ઉમાશંકરે જ એ જણાવ્યું છે : “મને એ વખતે અને પછીથી પણ લાગ્યું છે કે દરેક વ્યક્તિ શબ્દો બોલતાં એનો પૂરો સ્વાદ માણે છે.” <ref>એજન, પૃ. ૨૧૭. </ref>
ઉમાશંકરની શબ્દાભિમુખવૃત્તિનો – ભાષાસ્વાદનો પરચો ‘સાપના ભારા’-માંથી મળી રહે છે; એટલું જ નહિ, એમના તે સિવાયના સર્જન અને વિવેચનમાંથી પણ ભાષા-સ્વાદનાં મનોહર દૃષ્ટાંતો મળી આવે છે, જેની વાત આગળ પર કરીશું.
ઉમાશંકરની શબ્દાભિમુખવૃત્તિનો – ભાષાસ્વાદનો પરચો ‘સાપના ભારા’-માંથી મળી રહે છે; એટલું જ નહિ, એમના તે સિવાયના સર્જન અને વિવેચનમાંથી પણ ભાષા-સ્વાદનાં મનોહર દૃષ્ટાંતો મળી આવે છે, જેની વાત આગળ પર કરીશું.
ઉમાશંકરની શબ્દને પામવાની, શબ્દમધુને અંતરમાં સારવી લેવાની વૃત્તિ પ્રબળ છે. જ્યાંથી મળે ત્યાંથી શબ્દને પામવાનો યોગ (એક પ્રકારનો સહજયોગ જ વળી !) ઉમાશંકરને સંસિદ્ધ છે. એમની આંખ જેમ મનુષ્ય અને પ્રકૃતિની ભાવરેખાઓ અને સૌન્દર્યરેખાઓને વાંચી લેવામાં પાવરધી હતી એમ એમનો કાન શબ્દ અને લયને પામી લેવામાં અત્યંત ચપળ હતા. ઉમાશંકરે ‘નિદ્રા મહીં નહીં હતું તનભાન જ્યારે’ એ ત્યારના પાઠ્યપુસ્તકમાંના વસંતતિલકાના છંદોઘોષના પોતાના અવિસ્મરણીય અનુભવની વાત કરી છે. આનર્તના આ બાળકને નાટ્યખેલોનું આકર્ષણ પણ રહ્યું છે ને પ્રસંગોપાત્ત, સૂત્રધારની જવાબદારી ભુજંગી છંદ વાંચીને અદા પણ કરી છે ! વળી હાર્મોનિયમ જાણનાર એક સહાધ્યાયી પાસેથી છંદની દીક્ષા મળ્યાનું પણ તેમણે નોંધ્યું છે.૨૮ ઉમાશંકર પોતાનો ઉછેર સરકારી વાચનમાળા પર થયાનું જણાવે છે.૨૯ પણ એમની વાચનભૂખ એટલી કે ‘વાચનયોગ’નો વિસ્તાર-વિકાસ કરવાની તક જ્યારે મળી છે ત્યારે તેમણે તે જતી કરી નથી. એમની સ્મરણશક્તિ પહેલેથી ખૂબ સતેજ રહી છે, શિક્ષકો પણ કુદરતનો શોખ પોષનારા અને ભાષા, વ્યાકરણ, ગણિત – બધા વિષયો અત્યંત ચીવટથી ભણાવનારા હતા. પરિણામે શરીરે નબળા દેખાતા ઉમાશંકર ભણવાની શક્તિ સારા પ્રમાણમાં વિકસાવી શક્યા.૩૦
ઉમાશંકરની શબ્દને પામવાની, શબ્દમધુને અંતરમાં સારવી લેવાની વૃત્તિ પ્રબળ છે. જ્યાંથી મળે ત્યાંથી શબ્દને પામવાનો યોગ (એક પ્રકારનો સહજયોગ જ વળી !) ઉમાશંકરને સંસિદ્ધ છે. એમની આંખ જેમ મનુષ્ય અને પ્રકૃતિની ભાવરેખાઓ અને સૌન્દર્યરેખાઓને વાંચી લેવામાં પાવરધી હતી એમ એમનો કાન શબ્દ અને લયને પામી લેવામાં અત્યંત ચપળ હતા. ઉમાશંકરે ‘નિદ્રા મહીં નહીં હતું તનભાન જ્યારે’ એ ત્યારના પાઠ્યપુસ્તકમાંના વસંતતિલકાના છંદોઘોષના પોતાના અવિસ્મરણીય અનુભવની વાત કરી છે. આનર્તના આ બાળકને નાટ્યખેલોનું આકર્ષણ પણ રહ્યું છે ને પ્રસંગોપાત્ત, સૂત્રધારની જવાબદારી ભુજંગી છંદ વાંચીને અદા પણ કરી છે ! વળી હાર્મોનિયમ જાણનાર એક સહાધ્યાયી પાસેથી છંદની દીક્ષા મળ્યાનું પણ તેમણે નોંધ્યું છે.<ref>એજન, પૃ. ૨૨૨.</ref> ઉમાશંકર પોતાનો ઉછેર સરકારી વાચનમાળા પર થયાનું જણાવે છે.<ref> કવિતા વાંચવાની કળા, ૧૯૭૧, પૃ. ૩. </ref> પણ એમની વાચનભૂખ એટલી કે ‘વાચનયોગ’નો વિસ્તાર-વિકાસ કરવાની તક જ્યારે મળી છે ત્યારે તેમણે તે જતી કરી નથી. એમની સ્મરણશક્તિ પહેલેથી ખૂબ સતેજ રહી છે, શિક્ષકો પણ કુદરતનો શોખ પોષનારા અને ભાષા, વ્યાકરણ, ગણિત – બધા વિષયો અત્યંત ચીવટથી ભણાવનારા હતા. પરિણામે શરીરે નબળા દેખાતા ઉમાશંકર ભણવાની શક્તિ સારા પ્રમાણમાં વિકસાવી શક્યા.<ref> કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૯–૨૦.</ref>
ઉમાશંકરે એમના ઘડતરકાળમાં ‘મણિકાન્તકાવ્યમાળા’, ‘દલપતકાવ્ય’, ‘કાવ્યમાધુર્ય’ વગેરેના વાચનથી કેવી અસર અનુભવેલી એનું બયાન કર્યું છે. લૉર્ડ ઓવેબરીના ‘પ્લેઝર્સ ઑવ લાઇફ’નો ડૉ. હરિપ્રસાદ દેસાઈકૃત અનુવાદ ‘સંસારનાં સુખ’ એમનું એક કાળે પ્રિય પુસ્તક હતું. ચાર્લ્સ અને મેરી લૅમ્બની શેક્સપિયર-કથાઓ એમણે વાંચી હતી. સાતમા ધોરણમાં હતા ત્યારે ‘સરસ્વતીચંદ્ર’ ભાગ પહેલો એમના સુધી પહોંચી ગયેલો અને તે વેળા એમના ચકોર શિક્ષક ખેમજીભાઈએ વત્સલ અવાજથી ટકોર પણ કરેલી : “ઉમાપતિ, ‘સરસ્વતીચંદ્ર’ વાંચવાની હજી વાર છે.”૩૧
ઉમાશંકરે એમના ઘડતરકાળમાં ‘મણિકાન્તકાવ્યમાળા’, ‘દલપતકાવ્ય’, ‘કાવ્યમાધુર્ય’ વગેરેના વાચનથી કેવી અસર અનુભવેલી એનું બયાન કર્યું છે. લૉર્ડ ઓવેબરીના ‘પ્લેઝર્સ ઑવ લાઇફ’નો ડૉ. હરિપ્રસાદ દેસાઈકૃત અનુવાદ ‘સંસારનાં સુખ’ એમનું એક કાળે પ્રિય પુસ્તક હતું. ચાર્લ્સ અને મેરી લૅમ્બની શેક્સપિયર-કથાઓ એમણે વાંચી હતી. સાતમા ધોરણમાં હતા ત્યારે ‘સરસ્વતીચંદ્ર’ ભાગ પહેલો એમના સુધી પહોંચી ગયેલો અને તે વેળા એમના ચકોર શિક્ષક ખેમજીભાઈએ વત્સલ અવાજથી ટકોર પણ કરેલી : “ઉમાપતિ, ‘સરસ્વતીચંદ્ર’ વાંચવાની હજી વાર છે.”૩૧
ઈડરમાં ઉમાશંકર હતા તે દરમ્યાન પુસ્તકો તો ઝાઝાં મળ્યાં નહિ, પણ એમની પુસ્તકો માટેની ભૂખ તીવ્ર હતી. તેઓ એ ગાળાને યાદ કરતાં કહે છે : “હેડમાસ્તરના ટેબલ પર પડી રહેતું એન. એમ. ત્રિપાઠીનું સૂચિપત્ર – એ મને કેટલું વહાલું હતું ! અમદાવાદ જાઉં અને હાથમાં પાંચ રૂપિયા હોય, દસ રૂપિયા હોય તો કયાં કયાં પુસ્તકો લઉં એની યાદી જિહ્વાગ્રે હતી. લેખકોનાં અને પુસ્તકોનાં નામોથી મન ભર્યું ભર્યું રહેતું.”૩૨ આ ઉમાશંકરને ‘પુસ્તકોનું પેટ ભરીને દર્શન’ કરવા મળ્યું, અમદાવાદ આવ્યા ત્યારે, ગૂજરાત વિદ્યાપીઠના ‘ઓપન-એક્સેસ’ ગ્રંથાલયમાં.
ઈડરમાં ઉમાશંકર હતા તે દરમ્યાન પુસ્તકો તો ઝાઝાં મળ્યાં નહિ, પણ એમની પુસ્તકો માટેની ભૂખ તીવ્ર હતી. તેઓ એ ગાળાને યાદ કરતાં કહે છે : “હેડમાસ્તરના ટેબલ પર પડી રહેતું એન. એમ. ત્રિપાઠીનું સૂચિપત્ર – એ મને કેટલું વહાલું હતું ! અમદાવાદ જાઉં અને હાથમાં પાંચ રૂપિયા હોય, દસ રૂપિયા હોય તો કયાં કયાં પુસ્તકો લઉં એની યાદી જિહ્વાગ્રે હતી. લેખકોનાં અને પુસ્તકોનાં નામોથી મન ભર્યું ભર્યું રહેતું.”૩૨ આ ઉમાશંકરને ‘પુસ્તકોનું પેટ ભરીને દર્શન’ કરવા મળ્યું, અમદાવાદ આવ્યા ત્યારે, ગૂજરાત વિદ્યાપીઠના ‘ઓપન-એક્સેસ’ ગ્રંથાલયમાં.
Line 182: Line 185:
૫૩. ગ્રંથ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૪૯.
૫૩. ગ્રંથ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૪૯.
૫૪. અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૫.
૫૪. અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૫.


{{Poem2Close}}
{{Poem2Close}}