અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૌમ્ય જોશી /બે મિત્રો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બે મિત્રો |સૌમ્ય જોશી}} <poem> <center>(સુખ-દુઃખની દોસ્તીનું અછાંદસ)...")
 
No edit summary
Line 50: Line 50:
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.
</poem>
</poem>
<br>
<center>&#9724;
<br>
<div class="toccolours mw-collapsible" style="width:400px; overflow:auto;">
<div style="font-weight:bold;line-height:1.6;">સુખ-દુઃખની દોસ્તીનું અછાંદસ – ઉદયન ઠક્કર</div>
<div class="mw-collapsible-content">
{{Poem2Open}}
શું નરસિંહ મહેતાનું ભજન કે શું સૌમ્ય જોશીની રચના — વિષય તો એનો એ જ છે. પરંતુ એક ભજન રહી જાય છે, જ્યારે બીજી કવિતા બને છે. એમ કેમ?
‘કદ ઠીંગણું, પાતળો બાંધો, રંગ ઘઉંવર્ણો, શરદીનો કોઠો…’ ‘ખોવાયા છે’ની જા. ખ. વાંચતા હો તેવું નથી લાગતું? એક તો સુખની હાડચામના માણસ તરીકેની કલ્પના, ઉપરથી આવી અરૂઢ શૈલી — આરંભ તો સ–રસ થાય છે.
અરધા કાવ્ય સુધી એકેય ક્રિયાપદ નથી આવતું. આને કારણે ગદ્યાળુતામાંથી ઊગરેલી એવી આગવી કાવ્યબાની રચાય છે. આ કાવ્ય લખાયું નથી, બોલાયું છે. નહીં ને સ્થાને ‘નઈં’, પટાવીને સ્થાને ‘પટાઈ’ સાંભળીને કાનને સુખ મળે છે, નઈં?
પહેલેથી જ દુઃખ સુખની ઉપર હાવી થતું દેખાય છે. (દુઃખ ટપકી પડે, ગમે ત્યારે, ગમે ત્યાં, એટલે જ તેની જોડણીમાં બે ટપકાં હશે?)
‘બધે ઘર જેવું’, ‘હાથ લાંબા હોવા’, ‘વાંકું પડવું’, જેવા રૂઢિપ્રયોગો આ કાવ્યની બોલચાલની બાનીને અનુરૂપ છે.
જનમ જનમના જિગરી, થોડે થોડે વખતે ઝઘડે, આંખમાં પાણી આવી જાય, વહાલથી ખભે હાથ મૂકે… વર્ણન એવું આબેહૂબ કે આ બે પાત્રો આંખ સામે ફરતાં લાગે. સુખદુઃખનું કવિએ સજીવારોપણ કર્યું છે.
વિષયવસ્તુ પ્રમાણે અહીં ભાષા બદલાય છે. જોડિયા ભાઈઓના બચપણની વાત ચાલતી હોય ત્યારે ‘લંગોટિયા દોસ્ત’, ‘કાચા પૂંઠાની નોટમાં કરેલું ત્રિકોણ’; કૉલેજની ઉપમા આવે ત્યાં અંગ્રેજી શબ્દો, ‘બંક’, ‘પિક્ચર’, ‘ટાઇપ’; રિક્ષાવાળાને ‘વરતી ટેમે’ ઘર બાજુનું ભાડું મળે; મિસ્ત્રી સમજે નહીં પણ ‘હમજે’ અને ડોશીના બારણે તડ કદી ન પડે, ‘તૈડ’ પડે.
સુખદુઃખનો પ્રાસ મળે છે; એક હોય ત્યાં બીજુંય હોવાનું. આ વાત દૃઢાવવા ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ વાળા પદમાં નરસિંહ મહેતા કેવાં કેવાં દૃષ્ટાંત આપે છે? નળ-દમયંતી, રામ-સીતા, રાવણ-મંદોદરી, પાંડવ-દ્રાૈપદી, હરિશ્ચંદ્ર-તારામતી… માત્ર નામાવલિથી ભક્તિરસ વહી શકે, કાવ્યરસ નહીં.
સૌમ્યને મોટા મોટા રાજાઓની કે ભગવાનોની જરૂર નથી પડી. તેના કાવ્યમાં ડોશી, ટાબરિયાં, કાછિયો, રિક્ષાવાળો, મિસ્ત્રી જેવાં નાનાં નાનાં માણસોને, નાની નાની વાતમાંથી, નાનું નાનું સુખ મળી જાય છે. સુખ બૅન્ડવાજાં વગાડતું ન આવે; છાયા પેઠે આપણી સાથે ચાલતું હોય, ચૂપચાપ.
પ્રસંગો નામ પાડીને કહેવાયા છે માટે ખરા લાગે છે. ટીંડોરાંનો ભાવ કરા’વાનું ભૂલી ગયેલા એ ‘કોઈ’ બહેન નહોતાં, રેખાબહેન હતાં; જેને દીકરાનો કાગળ મળ્યો એ ડોશી નહોતી, સવલી ડોશી હતી; ઘર બાજુનું ભાડું જેને મળી ગયું એ રિક્ષાવાળો નહોતો, જેંતી રિક્ષાવાળો હતો. (મિસ્ત્રી? એ તો હતો જ ભુલકણો. બીડીનું ભૂલી ગયેલો, નામ પણ ભૂલી ગયો હશે.)
સુખનું કદ ઠીંગણું, બાંધો પાતળો, સુખ અધધ ન મળે, સહેજ અમસ્તું મળે. છતાં આ સહેજ અમસ્તું પણ ક્યાં ઓછું છે? શીર્ષક છે ‘બે મિત્રો’. સુખ સાથે હળવુંમળવું હોય, તો દુઃખ સાથેય મૈત્રી કરવી પડે.
{{Right|‘(હસ્તધૂનન)’}}
{{Poem2Close}}
</div></div>

Navigation menu