ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૩. ઇશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર | }} {{Poem2Open}} ઉમાશંકરે...")
 
No edit summary
Line 27: Line 27:
::“ઈશાન ભારત સાથેના પ્રત્યક્ષ સંબંધનો તાંતણો તૂટી રહ્યો હતો. એક સૂક્ષ્મ ગૂઢ બંધનથી હું બંધાઈ રહ્યો હતો.” (પૃ. ૧૦૯)
::“ઈશાન ભારત સાથેના પ્રત્યક્ષ સંબંધનો તાંતણો તૂટી રહ્યો હતો. એક સૂક્ષ્મ ગૂઢ બંધનથી હું બંધાઈ રહ્યો હતો.” (પૃ. ૧૦૯)
ઉમાશંકરનો આ પ્રવાસ વસ્તુત: એક ‘ગુર્જર ભારતવાસી’નો જ પ્રવાસ બની રહે છે. “સમાજજીવનનાં જુદાં જુદાં પાસાંઓના Confrontation – મુકાબલા – નો જીવતો આનંદ લેવો એ ભારતયાત્રા કે પૃથ્વીયાત્રાની એક મહત્ત્વની ફલશ્રુતિ” (પૃ. ૧૬૩) લેખતા ઉમાશંકરનું ઈશાન ભારત અને અંદામાન પ્રવાસમાંયે એક પ્રકારનું Confrontation જોઈ શકાય. વળી તેઓ પોતે વધુમાં વધુ આવા પ્રવાસોમાં ખુલ્લા મનના જણાય છે. આમેય “હું કોઈ પક્ષમાં જોડાઈ શકું એ કાંઈક મારા મનના બંધારણ સાથે મેળમાં નથી” એમ તેઓ જણાવે છે. (પૃ. ૧૧૭) તેમની નિષ્પક્ષ – ખુલ્લી મનોભૂમિકા જે તે પ્રદેશના ને લોકોના શ્રદ્ધેય ચિતારમાં સારી પેઠે ઉપયોગી થાય છે. એમની સમગ્ર પ્રવાસકથા એક જવાબદાર ભારતીય નાગરિકની સમ્યક સમજનો સબળ પ્રભાવ દાખવે છે.
ઉમાશંકરનો આ પ્રવાસ વસ્તુત: એક ‘ગુર્જર ભારતવાસી’નો જ પ્રવાસ બની રહે છે. “સમાજજીવનનાં જુદાં જુદાં પાસાંઓના Confrontation – મુકાબલા – નો જીવતો આનંદ લેવો એ ભારતયાત્રા કે પૃથ્વીયાત્રાની એક મહત્ત્વની ફલશ્રુતિ” (પૃ. ૧૬૩) લેખતા ઉમાશંકરનું ઈશાન ભારત અને અંદામાન પ્રવાસમાંયે એક પ્રકારનું Confrontation જોઈ શકાય. વળી તેઓ પોતે વધુમાં વધુ આવા પ્રવાસોમાં ખુલ્લા મનના જણાય છે. આમેય “હું કોઈ પક્ષમાં જોડાઈ શકું એ કાંઈક મારા મનના બંધારણ સાથે મેળમાં નથી” એમ તેઓ જણાવે છે. (પૃ. ૧૧૭) તેમની નિષ્પક્ષ – ખુલ્લી મનોભૂમિકા જે તે પ્રદેશના ને લોકોના શ્રદ્ધેય ચિતારમાં સારી પેઠે ઉપયોગી થાય છે. એમની સમગ્ર પ્રવાસકથા એક જવાબદાર ભારતીય નાગરિકની સમ્યક સમજનો સબળ પ્રભાવ દાખવે છે.
ઉમાશંકરે આ પ્રવાસ દરમિયાન અત્રતત્ર સમાજચિંતન, રાજકીય ચિંતન, સંસ્કૃતિચિંતન પણ આપ્યું છે. ભારતનો ‘રાજકર્તા પક્ષ સર્વસંગ્રાહક કોથળાપક્ષ’ (પૃ. ૧૬૭) તેમને જણાતો હોય, ‘અનુસૂચિત જનજાતિ’ (‘શિડ્યુલ્ડ ટ્રાઇબ્ઝ’) શબ્દને બદલે તેમને ‘જનસમાજ’ (‘કૉમ્યુનિટીઝ’) શબ્દ વધુ રુચિકર લાગતો હોય (પૃ. ૫૯), ગુજરાતીઓ ગુજરાતમાં સમાતા ન હોય (પૃ. ૧૫૨) એવું એમને જણાતું હોય – આ બધું અહીં પ્રગટ થતું હોય તે સાથે જ એમના શબ્દલોભી કવિચિત્ત દ્વારા નાગાઓની ભાષામાં અભિવ્યક્તિની કેટલીક આગવી નજાકતો ખીલેલી હોવાની નોંધ પણ પ્રગટ થાય છે (પૃ. ૭૨) એ સવિશેષ અગત્યનું છે. કામાખ્યાના મંદિરનું દર્શન તો કરે–કરાવે, પણ કબ્રસ્તાનની મુલાકાતનો અનુભવ રજૂ કરે છે તે અપૂર્વ છે. તેઓ પ્રવાસકથામાં કેવળ સંસ્કૃતિચિંતક રહ્યા નથી, તો પ્રવાસકાવ્યમાળામાં કેવળ શુદ્ધ કવિ રહ્યા નથી. ‘અંદામાન’ની વાત ઇન્દિરાશાસન દરમિયાનની કટોકટીનો ગાળો ન નિર્દેશે તો જ નવાઈ લાગે. તેઓ લખે છે :
ઉમાશંકરે આ પ્રવાસ દરમિયાન અત્રતત્ર સમાજચિંતન, રાજકીય ચિંતન, સંસ્કૃતિચિંતન પણ આપ્યું છે. ભારતનો ‘રાજકર્તા પક્ષ સર્વસંગ્રાહક કોથળાપક્ષ’ (પૃ. ૧૬૭) તેમને જણાતો હોય, ‘અનુસૂચિત જનજાતિ’ (‘શિડ્યુલ્ડ ટ્રાઇબ્ઝ’) શબ્દને બદલે તેમને ‘જનસમાજ’ (‘કૉમ્યુનિટીઝ’) શબ્દ વધુ રુચિકર લાગતો હોય (પૃ. ૫૯), ગુજરાતીઓ ગુજરાતમાં સમાતા ન હોય (પૃ. ૧૫૨) એવું એમને જણાતું હોય – આ બધું અહીં પ્રગટ થતું હોય તે સાથે જ એમના શબ્દલોભી કવિચિત્ત દ્વારા નાગાઓની ભાષામાં અભિવ્યક્તિની કેટલીક આગવી નજાકતો ખીલેલી હોવાની નોંધ પણ પ્રગટ થાય છે (પૃ. ૭૨) એ સવિશેષ અગત્યનું છે. કામાખ્યાના મંદિરનું દર્શન તો કરે–કરાવે, પણ કબ્રસ્તાનની મુલાકાતનો અનુભવ રજૂ કરે છે તે અપૂર્વ છે. તેઓ પ્રવાસકથામાં કેવળ સંસ્કૃતિચિંતક રહ્યા નથી, તો પ્રવાસકાવ્યમાળામાં કેવળ શુદ્ધ કવિ રહ્યા નથી. ‘અંદામાન’ની વાત ઇન્દિરાશાસન દરમિયાનની કટોકટીનો ગાળો ન નિર્દેશે તો જ નવાઈ લાગે. તેઓ લખે છે :{{Poem2Close}}
<poem>
‘અંદામાન’ની શોધમાં છે તું, યાત્રિક
‘અંદામાન’ની શોધમાં છે તું, યાત્રિક
– જે પહેલાં ‘અંદામાન’ હતું, જ્યારે
– જે પહેલાં ‘અંદામાન’ હતું, જ્યારે
ભારતનો મુખ્ય ભૂભાગ એક વધુ વિશાળ ‘અંદામાન’ હતો.
ભારતનો મુખ્ય ભૂભાગ એક વધુ વિશાળ ‘અંદામાન’ હતો.
(પૃ. ૧૭૩)
(પૃ. ૧૭૩)
</poem>
{{Poem2Open}}
‘પીપળો’ કાવ્યમાં અંદામાનના એકાકી બંદીવાનનું ચિત્ર છે : “છાતીએ તાળું, સ્વપ્નોથી મગજ ફાટફાટ” (પૃ. ૧૭૫) – આ ચિત્ર કેવળ અંદામાનના કેદી પૂરતું જ મર્યાદિત છે ? ઉમાશંકર એમની કવિતામાં પણ વ્યાપક ભારતદર્શનથી ઉત્પ્રેરિત જણાય છે ! ‘મેઘધર’ કાવ્યમાં મેઘાલયને ‘ભારતનું સદાલીલું ઘર’ કહીને વર્ણવે છે. (પૃ. ૧૧૫) ‘વીંધાયેલો અવાજ’ કાવ્યમાં કવિ ઉઝરડાયેલી સ્થિતિમાંથી મુક્તિની અમૃતાવસ્થાના ઉત્સ્ફુરણનો ખ્યાલ ઘવાયેલા પ્રાણીના કલ્પન-સંદર્ભથી રજૂ કરે છે :
‘પીપળો’ કાવ્યમાં અંદામાનના એકાકી બંદીવાનનું ચિત્ર છે : “છાતીએ તાળું, સ્વપ્નોથી મગજ ફાટફાટ” (પૃ. ૧૭૫) – આ ચિત્ર કેવળ અંદામાનના કેદી પૂરતું જ મર્યાદિત છે ? ઉમાશંકર એમની કવિતામાં પણ વ્યાપક ભારતદર્શનથી ઉત્પ્રેરિત જણાય છે ! ‘મેઘધર’ કાવ્યમાં મેઘાલયને ‘ભારતનું સદાલીલું ઘર’ કહીને વર્ણવે છે. (પૃ. ૧૧૫) ‘વીંધાયેલો અવાજ’ કાવ્યમાં કવિ ઉઝરડાયેલી સ્થિતિમાંથી મુક્તિની અમૃતાવસ્થાના ઉત્સ્ફુરણનો ખ્યાલ ઘવાયેલા પ્રાણીના કલ્પન-સંદર્ભથી રજૂ કરે છે :
{{Poem2Close}}
<poem>
“બને કે ઉઝરડાવું જખમોનું ઊંડા જવું
“બને કે ઉઝરડાવું જખમોનું ઊંડા જવું
એ જ ઉગાર હશે, ઉપાય હશે
એ જ ઉગાર હશે, ઉપાય હશે
Line 38: Line 43:
અમૃતના રેલા સમા
અમૃતના રેલા સમા
મુક્ત અંતરતમ અવાજને સ્ફુરવાનો.” (પૃ. ૧૧૬)
મુક્ત અંતરતમ અવાજને સ્ફુરવાનો.” (પૃ. ૧૧૬)
</poem>
{{Poem2Open}}
આ ઉમાશંકર વિમાનની ‘તેજમાછલી’ની કલ્પનામાં ને ગંગાસાગરના ‘અજબગજબના વૃક્ષ’ની કલ્પનામાંય આનંદ લે છે. ગંગાસાગરને મૂળિયાંના મહાસંકુલરૂપે સાક્ષાત્કરવામાં જ કવિની ઊંડી સંવેદના પ્રતીત થાય છે.
આ ઉમાશંકર વિમાનની ‘તેજમાછલી’ની કલ્પનામાં ને ગંગાસાગરના ‘અજબગજબના વૃક્ષ’ની કલ્પનામાંય આનંદ લે છે. ગંગાસાગરને મૂળિયાંના મહાસંકુલરૂપે સાક્ષાત્કરવામાં જ કવિની ઊંડી સંવેદના પ્રતીત થાય છે.
એમની આ ઉભય પ્રવાસકથાઓ અનુક્રમે ઈશાન ભારત અને અંદામાનના વ્યક્તિત્વનો સુરેખ પરિચય આપી રહે છે. આ પરિચયમાં કેટલુંક ઝડપી નોંધ જેવું લાગે, કેટલુંક કેવળ મુલાકાતો ને વાતચીત કે કાર્યક્રમના અહેવાલમાં જ રજૂ થતું જણાય, પણ ધીરજથી – સમભાવથી જોનારને આ પ્રવાસકથાઓની મર્મસ્પર્શી ઉન્મેષાત્મક રમ્યતા ને સાંસ્કૃતિક અર્થસભરતા વરતાયા વિના નહીં રહે.
એમની આ ઉભય પ્રવાસકથાઓ અનુક્રમે ઈશાન ભારત અને અંદામાનના વ્યક્તિત્વનો સુરેખ પરિચય આપી રહે છે. આ પરિચયમાં કેટલુંક ઝડપી નોંધ જેવું લાગે, કેટલુંક કેવળ મુલાકાતો ને વાતચીત કે કાર્યક્રમના અહેવાલમાં જ રજૂ થતું જણાય, પણ ધીરજથી – સમભાવથી જોનારને આ પ્રવાસકથાઓની મર્મસ્પર્શી ઉન્મેષાત્મક રમ્યતા ને સાંસ્કૃતિક અર્થસભરતા વરતાયા વિના નહીં રહે.
ઉમાશંકર આ કથામાં ‘ભાગતા’ – ભાગેડુ દેખાતા હોય તોપણ ‘મુકામ’ પર પહોંચવાની મથામણમાં જ પડેલા જણાય છે. એ મથામણ જેમ જીવન-પ્રવાસ દ્વારા તેમ તદન્તર્ગત આવા આવા પ્રદેશ-પ્રવાસો દ્વારાય પ્રગટ થતી હોય છે. ઉમાશંકરને સકળ યાત્રાઓનું કેન્દ્રબિન્દુ જે ‘મુકામ’, તે સંભવ છે પ્રત્યેક પ્રવાસમાં પ્રચ્છન્ન છતાં, ‘तदन्तिके' છતાં `तद्‌दूरे' જ જણાયાં કરે ને આમ પ્રવાસો ને એની રસપ્રદ કથાઓ ચાલ્યાં કરે. સાહિત્યસર્જક પ્રવાસીનો ‘મુકામ’ સર્જનાત્મક પ્રવાસને પ્રત્યક્ષ કરતા શબ્દની બહાર તે ક્યાં હોઈ શકે ?
ઉમાશંકર આ કથામાં ‘ભાગતા’ – ભાગેડુ દેખાતા હોય તોપણ ‘મુકામ’ પર પહોંચવાની મથામણમાં જ પડેલા જણાય છે. એ મથામણ જેમ જીવન-પ્રવાસ દ્વારા તેમ તદન્તર્ગત આવા આવા પ્રદેશ-પ્રવાસો દ્વારાય પ્રગટ થતી હોય છે. ઉમાશંકરને સકળ યાત્રાઓનું કેન્દ્રબિન્દુ જે ‘મુકામ’, તે સંભવ છે પ્રત્યેક પ્રવાસમાં પ્રચ્છન્ન છતાં, ‘तदन्तिके' છતાં `तद्‌दूरे' જ જણાયાં કરે ને આમ પ્રવાસો ને એની રસપ્રદ કથાઓ ચાલ્યાં કરે. સાહિત્યસર્જક પ્રવાસીનો ‘મુકામ’ સર્જનાત્મક પ્રવાસને પ્રત્યક્ષ કરતા શબ્દની બહાર તે ક્યાં હોઈ શકે ?
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu