કુંવરબાઈનું મામેરું/સ્વાદ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહ મહેતા પ્રેમાનંદથી બસો-સવા બસો વર્ષ પહેલાં થઈ ગયેલા ભક્ત કવિ. એમની કવિતા તો ઊંચી કોટિની હતી જ – પણ શિવ અને વિષ્ણુ બંનેની કૃપા પામેલા, દૃઢ શ્રદ્ધાવાળા એક પરમ ભક્ત તરીકેનું એમનું ચરિત્ર ઘણું વધારે ખ્યાત હતું. એવા ચરિત્રનો મહિમા વધારવા પ્રજાસમુદાય ઈશ્વરી ચમત્કારના કેટલાક કલ્પિત પ્રસંગો પણ ઉમેરતો ગયેલો ને પ્રેમાનંદ ઉપરાંતના એમના પૂર્વ કવિઓ નાકર, વિષ્ણુદાસ, વગેરેએ પણ નરસિંહના જીવનપ્રસંગો – હૂંડીસ્વીકાર, પુત્ર શામળશાનો વિવાહ અને પુત્રી કુંવરનું મામેરું વિશે આખ્યાનાત્મક કથાકાવ્યો લખેલાં. એ સર્વ પ્રસંગોમાં આ મોસાળું કે મામેરું વધુ રસપ્રદ છે કેમ કે એમાં ભક્તની ઈશ્વર-પ્રાર્થના ઉપરાંત મનુષ્યોના વ્યવહારજીવનની ઘટનાઓ પણ એવી જ કથા-રસિકતા ધરાવે છે.
નરસિંહ મહેતા પ્રેમાનંદથી બસો-સવા બસો વર્ષ પહેલાં થઈ ગયેલા ભક્ત કવિ. એમની કવિતા તો ઊંચી કોટિની હતી જ – પણ શિવ અને વિષ્ણુ બંનેની કૃપા પામેલા, દૃઢ શ્રદ્ધાવાળા એક પરમ ભક્ત તરીકેનું એમનું ચરિત્ર ઘણું વધારે ખ્યાત હતું. એવા ચરિત્રનો મહિમા વધારવા પ્રજાસમુદાય ઈશ્વરી ચમત્કારના કેટલાક કલ્પિત પ્રસંગો પણ ઉમેરતો ગયેલો ને પ્રેમાનંદ ઉપરાંતના એમના પૂર્વ કવિઓ નાકર, વિષ્ણુદાસ, વગેરેએ પણ નરસિંહના જીવનપ્રસંગો – હૂંડીસ્વીકાર, પુત્ર શામળશાનો વિવાહ અને પુત્રી કુંવરનું મામેરું વિશે આખ્યાનાત્મક કથાકાવ્યો લખેલાં. એ સર્વ પ્રસંગોમાં આ મોસાળું કે મામેરું વધુ રસપ્રદ છે કેમ કે એમાં ભક્તની ઈશ્વર-પ્રાર્થના ઉપરાંત મનુષ્યોના વ્યવહારજીવનની ઘટનાઓ પણ એવી જ કથા-રસિકતા ધરાવે છે.
'''પ્રેમાનંદનું આ નમણું આખ્યાન
'''પ્રેમાનંદનું આ નમણું આખ્યાન'''
'''પ્રેમાનંદે પુરાણો અને મહાકાવ્યોના જાણીતા પ્રસંગો પર ‘સુદામાચરિત’, ‘ચંદ્રહાઆખ્યાન’, ‘નળાખ્યાન’ જેવાં ઘણાં મહત્ત્વનાં આખ્યાનો લખેલાં છે પણ એ સૌમાં ‘કુંવરબાઈનું મામેરું’ કે ટૂંકમાં ‘મામેરું’  કે ‘મોસાળું’ નાનું અને નમણું આખ્યાન છે. એમાં જુદાજુદા પ્રસંગોનાં ખૂબ સુઘડ ને સુંદર ચિત્રો છે, વિવિધ પાત્રોની રેખાઓ બહુ ઉઠાવવાળી ને વાચકના ચિત્રમાં કાયમ રહી જાય એવી છે. વર્ણનો બિલકુલ લાંબાં નથી ને મામેરું કરવાનું નિમંત્રણ નરસિંહને મળે છે ત્યાંથી માંડીને એ ઈશ્વરકૃપાએ મોસાળું ખૂબ ઉત્તમ રીતે કરે છે ત્યાં સુધીનો ટૂંકો કથાપ્રવાહ, નાનાનાના સરસ કથાવળાંકો લેતોલેતો, એકધારી રીતે વહે છે. એમાં પ્રસંગોને રસાળ રીતે આલેખવાની પ્રેમાનંદની કથનકળા, તથા એનું ઝીણા નકશીકામવાળું કવિત્વ – બંને ઘણાં મનભાવન છે.
પ્રેમાનંદે પુરાણો અને મહાકાવ્યોના જાણીતા પ્રસંગો પર ‘સુદામાચરિત’, ‘ચંદ્રહાઆખ્યાન’, ‘નળાખ્યાન’ જેવાં ઘણાં મહત્ત્વનાં આખ્યાનો લખેલાં છે પણ એ સૌમાં ‘કુંવરબાઈનું મામેરું’ કે ટૂંકમાં ‘મામેરું’  કે ‘મોસાળું’ નાનું અને નમણું આખ્યાન છે. એમાં જુદાજુદા પ્રસંગોનાં ખૂબ સુઘડ ને સુંદર ચિત્રો છે, વિવિધ પાત્રોની રેખાઓ બહુ ઉઠાવવાળી ને વાચકના ચિત્રમાં કાયમ રહી જાય એવી છે. વર્ણનો બિલકુલ લાંબાં નથી ને મામેરું કરવાનું નિમંત્રણ નરસિંહને મળે છે ત્યાંથી માંડીને એ ઈશ્વરકૃપાએ મોસાળું ખૂબ ઉત્તમ રીતે કરે છે ત્યાં સુધીનો ટૂંકો કથાપ્રવાહ, નાનાનાના સરસ કથાવળાંકો લેતોલેતો, એકધારી રીતે વહે છે. એમાં પ્રસંગોને રસાળ રીતે આલેખવાની પ્રેમાનંદની કથનકળા, તથા એનું ઝીણા નકશીકામવાળું કવિત્વ – બંને ઘણાં મનભાવન છે.
'''સહજ ને સીધો કથાપ્રવેશ'''
'''સહજ ને સીધો કથાપ્રવેશ'''
ભાભીના કડવા વચનથી ઘર તજીને વનમાં જતા નરસિંહ આકરા તપથી શિવને રીઝવે છે ને પ્રસન્ન થયેલા શિવ એમને કૃષ્ણની રાસલીલાનો સાક્ષાત્કાર કરાવે છે; એ પછી ‘દુખવેળા સંભારજે, હું ધાઈ આવીશ તત્કાળ’ – એવુું કૃષ્ણવચન પામીને, તથા કવિવાણી અને ભક્તિનું વરદાન પામીને ઘરે પાછા ફરતા, ગૃહસ્થાશ્રમ માંડતા ને ઘરભંગ થતાં ફરી કેવળ ભક્તિમાં લીન થતા નરસિંહનું ચિત્ર ઝડપથી આલેખીને કવિ પ્રેમાનંદ સીધી મોસાળાની કથા આરંભે છે.
ભાભીના કડવા વચનથી ઘર તજીને વનમાં જતા નરસિંહ આકરા તપથી શિવને રીઝવે છે ને પ્રસન્ન થયેલા શિવ એમને કૃષ્ણની રાસલીલાનો સાક્ષાત્કાર કરાવે છે; એ પછી ‘દુખવેળા સંભારજે, હું ધાઈ આવીશ તત્કાળ’ – એવુું કૃષ્ણવચન પામીને, તથા કવિવાણી અને ભક્તિનું વરદાન પામીને ઘરે પાછા ફરતા, ગૃહસ્થાશ્રમ માંડતા ને ઘરભંગ થતાં ફરી કેવળ ભક્તિમાં લીન થતા નરસિંહનું ચિત્ર ઝડપથી આલેખીને કવિ પ્રેમાનંદ સીધી મોસાળાની કથા આરંભે છે.
Line 31: Line 31:
શ્રદ્ધા-અશ્રદ્ધા વચ્ચે ઝૂલતી કુંવર વળી પાછી આશ્વાસન પામે છે ને એનામાં વિશ્વાસ પ્રગટે છે.
શ્રદ્ધા-અશ્રદ્ધા વચ્ચે ઝૂલતી કુંવર વળી પાછી આશ્વાસન પામે છે ને એનામાં વિશ્વાસ પ્રગટે છે.
કથાનક તો જાણીતું છે પણ માનવમનની, એના ઉદ્‌ગારોમાં વ્યક્ત થતી ભાષાની પ્રેમાનંદની જે સૂઝ છે એ સર્જક કથાકારની છે. વડસાસુની ભાષા, કુંવરબાઈની ભાષા ને સ્વસ્થ નરસિંહની ભાષા  એકેએક ઉક્તિમાં, ક્યારેક શબ્દની માર્મિકતામાં કેવી ઉત્તમ રીતે પ્રગટે છે એ  આ કડવામાં જોઈ શકાશે.
કથાનક તો જાણીતું છે પણ માનવમનની, એના ઉદ્‌ગારોમાં વ્યક્ત થતી ભાષાની પ્રેમાનંદની જે સૂઝ છે એ સર્જક કથાકારની છે. વડસાસુની ભાષા, કુંવરબાઈની ભાષા ને સ્વસ્થ નરસિંહની ભાષા  એકેએક ઉક્તિમાં, ક્યારેક શબ્દની માર્મિકતામાં કેવી ઉત્તમ રીતે પ્રગટે છે એ  આ કડવામાં જોઈ શકાશે.
ભક્તની વધુ કસોટી
'''ભક્તની વધુ કસોટી'''
અત્યંત જીર્ણ ઉતારો આપીને અપમાન કર્યું એ ઓછું હોય એમ હવે, આંગણે આવેલા નરસિંહને સ્નાન કરવા માટે ‘શ્રીફળ ફાટી જાય’ એવું ઊકળતું પાણી આપ્યું! નમ્રતાથી નરસિંહે સમોવણ માટેનું ઠંડુ પાણી માગ્યું ત્યારે વેવાણે ઠઠ્ઠો કર્યો કે, ભગવાનના તમે પરમ ભક્ત, એટલે ‘માગ્યો મેહ વરસે મહેતાજી, તે અમ પાસે શું માગો જી?’ નરસિંહ ચમત્કાર કરવા માટે નહીં પણ ભક્તનો ઉપહાસ થાય એમાં ભગવાનનો મહિમા ઘટશે – એમ સમજીને મલ્હાર ગાય છે, વરસાદ વરસે છે.  
અત્યંત જીર્ણ ઉતારો આપીને અપમાન કર્યું એ ઓછું હોય એમ હવે, આંગણે આવેલા નરસિંહને સ્નાન કરવા માટે ‘શ્રીફળ ફાટી જાય’ એવું ઊકળતું પાણી આપ્યું! નમ્રતાથી નરસિંહે સમોવણ માટેનું ઠંડુ પાણી માગ્યું ત્યારે વેવાણે ઠઠ્ઠો કર્યો કે, ભગવાનના તમે પરમ ભક્ત, એટલે ‘માગ્યો મેહ વરસે મહેતાજી, તે અમ પાસે શું માગો જી?’ નરસિંહ ચમત્કાર કરવા માટે નહીં પણ ભક્તનો ઉપહાસ થાય એમાં ભગવાનનો મહિમા ઘટશે – એમ સમજીને મલ્હાર ગાય છે, વરસાદ વરસે છે.  
પણ હવે કથાકારની ખરી કુશળતાનો એક ઉદ્‌ગાર છે. પ્રેમાનંદ કહે છે, ‘વેવાઈના ઘરમાં જળ ધસ્યું’ એવો મૂશળધાર વરસાદ વરસ્યો, તેમ છતાં, વરસાદ બંધ થતાં જ – ‘ઠગ નાગર કહ,ે થયું માવઠું, એમ વરસે છે કંઈવાર રે...’ પ્રેમાનંદ અહીં પહેલીવાર આ ધનિક ને ગર્વિષ્ઠ નાગરો માટે ‘ઠગ’ શબ્દ વાપરે છે. – જુઠ્ઠા, દેખીતા સત્ય સામે અસત્ય બોલનાર, વંચક! શ્રોતાઓ હવે નાગરો પર હસે છે.
પણ હવે કથાકારની ખરી કુશળતાનો એક ઉદ્‌ગાર છે. પ્રેમાનંદ કહે છે, ‘વેવાઈના ઘરમાં જળ ધસ્યું’ એવો મૂશળધાર વરસાદ વરસ્યો, તેમ છતાં, વરસાદ બંધ થતાં જ – ‘ઠગ નાગર કહ,ે થયું માવઠું, એમ વરસે છે કંઈવાર રે...’ પ્રેમાનંદ અહીં પહેલીવાર આ ધનિક ને ગર્વિષ્ઠ નાગરો માટે ‘ઠગ’ શબ્દ વાપરે છે. – જુઠ્ઠા, દેખીતા સત્ય સામે અસત્ય બોલનાર, વંચક! શ્રોતાઓ હવે નાગરો પર હસે છે.
નાગર સ્ત્રીઓની મજાક-મશ્કરી ચાલુ જ છે – દાઢમાં દબાવી દબાવીને, થાય એટલા કટાક્ષો ને થાય એવાં આકરાં અપમાન એ કર્યે જ જાય છે પણ નરસિંહ તો હવે ઈશ્વરકીર્તન શરૂ કરે છે. (  કડવું-૧૨).
નાગર સ્ત્રીઓની મજાક-મશ્કરી ચાલુ જ છે – દાઢમાં દબાવી દબાવીને, થાય એટલા કટાક્ષો ને થાય એવાં આકરાં અપમાન એ કર્યે જ જાય છે પણ નરસિંહ તો હવે ઈશ્વરકીર્તન શરૂ કરે છે. (  કડવું-૧૨).
હવે વળાંક લેતી કથા
'''હવે વળાંક લેતી કથા'''
કરુણરસ અને હાસ્યરસના પટમાંથી હવે ભક્તિના શાન્તરસ તરફ વળતું આ આખું (૧૨મું) કડવું ભક્તિ-કીર્તનનું છે. કેવાકેવા ભક્તોને ઈશ્વરે કેવાકેવા સંયોગોમાં કેવી સહાય કરેલી એની પુરાણ-પ્રોક્ત કથા કવિએ આ કીર્તન-ગાનમાં ગૂંથી લીધી છે. ઈશ્વરમહિમા ના ગાન ને ઈશ્વરપ્રાર્થનાને અંતે નરસિંહ ભગવાનને  વિનીતભાવે જાણે ચેતવણી આપે છે –
કરુણરસ અને હાસ્યરસના પટમાંથી હવે ભક્તિના શાન્તરસ તરફ વળતું આ આખું (૧૨મું) કડવું ભક્તિ-કીર્તનનું છે. કેવાકેવા ભક્તોને ઈશ્વરે કેવાકેવા સંયોગોમાં કેવી સહાય કરેલી એની પુરાણ-પ્રોક્ત કથા કવિએ આ કીર્તન-ગાનમાં ગૂંથી લીધી છે. ઈશ્વરમહિમા ના ગાન ને ઈશ્વરપ્રાર્થનાને અંતે નરસિંહ ભગવાનને  વિનીતભાવે જાણે ચેતવણી આપે છે –
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 44: Line 44:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સુંદર’ અને ‘નાગર’ નો વિરોધ તથા ‘શ્યામ’ અને ‘કામ’નો પ્રાસ પંક્તિને મરમાળી બનાવે છે. નાગર ઊજળા ને શ્રેષ્ઠી ને પ્રતિષ્ઠિત ગણાય, એમનું નરસિંહ પ્રત્યેનું વર્તન સ્હેજ પણ પ્રતિષ્ઠા અપાવનારું નથી – એટલે ‘સુંદર’ની સામે હવે આ મનથી ‘અસુંદર’ એવા નાગર!
‘સુંદર’ અને ‘નાગર’ નો વિરોધ તથા ‘શ્યામ’ અને ‘કામ’નો પ્રાસ પંક્તિને મરમાળી બનાવે છે. નાગર ઊજળા ને શ્રેષ્ઠી ને પ્રતિષ્ઠિત ગણાય, એમનું નરસિંહ પ્રત્યેનું વર્તન સ્હેજ પણ પ્રતિષ્ઠા અપાવનારું નથી – એટલે ‘સુંદર’ની સામે હવે આ મનથી ‘અસુંદર’ એવા નાગર!
સુંદર રૂપે સાક્ષાત્કાર
'''સુંદર રૂપે સાક્ષાત્કાર'''
સાક્ષાત્કાર કોઈ તેજ-વલય રચનારો કે આંજી નાખનારો હોય એ આધ્યાત્મિક અનુભવ ગણાયો હશે. પણ અહીં કવિએ સાક્ષાત્કારને
સાક્ષાત્કાર કોઈ તેજ-વલય રચનારો કે આંજી નાખનારો હોય એ આધ્યાત્મિક અનુભવ ગણાયો હશે. પણ અહીં કવિએ સાક્ષાત્કારને
સૌંદર્ય રૂપે પ્રગટાવ્યો છે. મામેરા પ્રસંગે શણગાર સજીને આવેલી ભદ્ર-સુંદર નાગરી નાતને ઝાંખી પાડી નાખે એવી મનોહર દામોદર દોશી અને જાજરમાન કમળા શેઠાણીના જોડીના રૂપમાં વિષ્ણુ (કૃષ્ણ) અને લક્ષ્મી મામેરું કરવા માટે આવે છે. વિષ્ણુનું આ નવીન રૂપ જુઓ :
સૌંદર્ય રૂપે પ્રગટાવ્યો છે. મામેરા પ્રસંગે શણગાર સજીને આવેલી ભદ્ર-સુંદર નાગરી નાતને ઝાંખી પાડી નાખે એવી મનોહર દામોદર દોશી અને જાજરમાન કમળા શેઠાણીના જોડીના રૂપમાં વિષ્ણુ (કૃષ્ણ) અને લક્ષ્મી મામેરું કરવા માટે આવે છે. વિષ્ણુનું આ નવીન રૂપ જુઓ :