ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. પ્રાચીના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. પ્રાચીના| }} {{Poem2Open}} ૧. પ્રાચીના ૧. કર્ણ-કૃષ્ણ આ કાવ્યનું વસ્...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧. પ્રાચીના| }}
{{Heading|૧. પ્રાચીના| }}
<center>'''<big>૧. કર્ણ-કૃષ્ણ</big>''' </center>


{{Poem2Open}}  
{{Poem2Open}}  
૧. પ્રાચીના
૧. કર્ણ-કૃષ્ણ
આ કાવ્યનું વસ્તુ મહાભારતના ઉદ્યોગપર્વમાંના કર્ણોપનિવાદપર્વમાંથી લેવામાં આવ્યું છે. આ વસ્તુ ઉદ્યોગપર્વના ૧૩૮થી ૧૪૦ સુધીના ત્રણ અધ્યાયોને આવરી લે છે. આમ તો ઉદ્યોગપર્વની અંતર્ગત ભગવદ્યાનપર્વમાં ૧૩૫મા અધ્યાયમાં જ પુરુષોત્તમ શ્રીકૃષ્ણે નગરમાંથી નીકળ્યા પછી કર્ણની સાથે લાંબા સમય સુધી મંત્રણા કરી એવો નિર્દેશ આવે છે. (શ્લોક ૨૭) એ અંગેની વીગતે વાત ૧૩૮થી ૧૪૦ અધ્યાય સુધીમાં આવે છે. ઉમાશંકરે ભટ્ટનારાયણનું ‘વેણીસંહાર’ પણ જોયું છે. એમાં કર્ણ અશ્વત્થામા સાથેની જીભાજોડીમાં ક્રોધપૂર્વક કહે છે 
આ કાવ્યનું વસ્તુ મહાભારતના ઉદ્યોગપર્વમાંના કર્ણોપનિવાદપર્વમાંથી લેવામાં આવ્યું છે. આ વસ્તુ ઉદ્યોગપર્વના ૧૩૮થી ૧૪૦ સુધીના ત્રણ અધ્યાયોને આવરી લે છે. આમ તો ઉદ્યોગપર્વની અંતર્ગત ભગવદ્યાનપર્વમાં ૧૩૫મા અધ્યાયમાં જ પુરુષોત્તમ શ્રીકૃષ્ણે નગરમાંથી નીકળ્યા પછી કર્ણની સાથે લાંબા સમય સુધી મંત્રણા કરી એવો નિર્દેશ આવે છે. (શ્લોક ૨૭) એ અંગેની વીગતે વાત ૧૩૮થી ૧૪૦ અધ્યાય સુધીમાં આવે છે. ઉમાશંકરે ભટ્ટનારાયણનું ‘વેણીસંહાર’ પણ જોયું છે. એમાં કર્ણ અશ્વત્થામા સાથેની જીભાજોડીમાં ક્રોધપૂર્વક કહે છે 
``सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यम् ।
दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम् ।।૩૭।।''
``सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यम् ।
दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम् ।।૩૭।।''
(વેણીસંહાર, અંક ત્રીજો)
{{Right}(વેણીસંહાર, અંક ત્રીજો)}}<br>
 
ઉમાશંકરે આ શ્લોકસ્થ ભાવનો પણ લાભ લીધો છે. એમણે આ કાવ્યમાં દુર્યોધન સાથેની વિષ્ટિમાં શ્રીકૃષ્ણ નિષ્ફળ નીવડ્યા પછી પાછા ફરતાં કર્ણને પાંડવ-પક્ષે આવી જવાનું સમજાવવા પોતાના રથમાં બેસાડે છે – એ ક્ષણ લીધી છે. આ ક્ષણ સ્વાભાવિક રીતે સંવાદની ક્ષણ છે. કાવ્યના આરંભે જ રથમાં બિરાજમાન કર્ણ અને કૃષ્ણ જોવાના મળે છે, અને જ્યાં કર્ણ રથમાંથી ઊતરે છે ત્યાં કાવ્ય પણ પૂરું થાય છે. ભાસના ‘કર્ણભાર’ નાટકમાં પણ નાટકનો ઠીક ઠીક ભાગ રથમાં ભજવાતો જોવા મળે છે. આ દૃશ્ય-કાવ્યમાં તો રથ-દૃશ્ય જ સાદ્યંત છે. આખા કાવ્યમાં રથની ગતિને અનુકૂળ આવે એવો ટૂંકી પંક્તિઓએ ઝડપથી વહેતો લાગતો મિશ્રોપજાતિ છંદ પ્રયોજાયો છે.
ઉમાશંકરે આ શ્લોકસ્થ ભાવનો પણ લાભ લીધો છે. એમણે આ કાવ્યમાં દુર્યોધન સાથેની વિષ્ટિમાં શ્રીકૃષ્ણ નિષ્ફળ નીવડ્યા પછી પાછા ફરતાં કર્ણને પાંડવ-પક્ષે આવી જવાનું સમજાવવા પોતાના રથમાં બેસાડે છે – એ ક્ષણ લીધી છે. આ ક્ષણ સ્વાભાવિક રીતે સંવાદની ક્ષણ છે. કાવ્યના આરંભે જ રથમાં બિરાજમાન કર્ણ અને કૃષ્ણ જોવાના મળે છે, અને જ્યાં કર્ણ રથમાંથી ઊતરે છે ત્યાં કાવ્ય પણ પૂરું થાય છે. ભાસના ‘કર્ણભાર’ નાટકમાં પણ નાટકનો ઠીક ઠીક ભાગ રથમાં ભજવાતો જોવા મળે છે. આ દૃશ્ય-કાવ્યમાં તો રથ-દૃશ્ય જ સાદ્યંત છે. આખા કાવ્યમાં રથની ગતિને અનુકૂળ આવે એવો ટૂંકી પંક્તિઓએ ઝડપથી વહેતો લાગતો મિશ્રોપજાતિ છંદ પ્રયોજાયો છે.
કાવ્યનો આરંભ કર્ણની ઉક્તિથી થાય છે. કર્ણ અનિચ્છાએ, કેવળ કૃષ્ણના આગ્રહને વશ થઈને રથમાં બેઠો જણાય છે. તેથી તે પ્રથમ ઉક્તિમાં જ સૂર્ય અને સોમ સાથે સાથે ન શોભે તેમ કૌરવ-પાંડવપક્ષના બે ‘પ્રવીરો’S કૃષ્ણ અને પોતે એક રથમાં ન શોભે એમ જણાવે છે. કવિએ કર્ણમુખે પદ્મ ને પોયણાંની અસરકારક ઉપમા પ્રયોજી છે. ‘ગાન્ધારીર આવેદન’માં રવીન્દ્રનાથે દુર્યોધનની ઉક્તિમાં યોજેલી ઉપમા, ‘કિન્તુ પ્રાતે એક પૂર્વ-ઉદયશિરે દુઇ ભ્રાતૃ–સૂર્યલોક કિછુતે ના ધરે.’ યાદ આવી જાય છે. કવિએ કાવ્યની શરૂઆત અસરકારક રીતે કરી હોવાનું કર્ણની ઉક્તિના સામર્થ્યથી પ્રતીત થાય છે. કર્ણ કૃષ્ણને રથ થોભાવવા વિનંતી કરે છે, પરંતુ કૃષ્ણ કર્ણને સમજાવવા – પાંડવપક્ષમાં ખેંચવા હજુયે પ્રયત્ન કરવા માગે છે. તેથી જ્યારે કર્ણ કૃષ્ણને કહે છે 
કાવ્યનો આરંભ કર્ણની ઉક્તિથી થાય છે. કર્ણ અનિચ્છાએ, કેવળ કૃષ્ણના આગ્રહને વશ થઈને રથમાં બેઠો જણાય છે. તેથી તે પ્રથમ ઉક્તિમાં જ સૂર્ય અને સોમ સાથે સાથે ન શોભે તેમ કૌરવ-પાંડવપક્ષના બે ‘પ્રવીરો’S કૃષ્ણ અને પોતે એક રથમાં ન શોભે એમ જણાવે છે. કવિએ કર્ણમુખે પદ્મ ને પોયણાંની અસરકારક ઉપમા પ્રયોજી છે. ‘ગાન્ધારીર આવેદન’માં રવીન્દ્રનાથે દુર્યોધનની ઉક્તિમાં યોજેલી ઉપમા, ‘કિન્તુ પ્રાતે એક પૂર્વ-ઉદયશિરે દુઇ ભ્રાતૃ–સૂર્યલોક કિછુતે ના ધરે.’ યાદ આવી જાય છે. કવિએ કાવ્યની શરૂઆત અસરકારક રીતે કરી હોવાનું કર્ણની ઉક્તિના સામર્થ્યથી પ્રતીત થાય છે. કર્ણ કૃષ્ણને રથ થોભાવવા વિનંતી કરે છે, પરંતુ કૃષ્ણ કર્ણને સમજાવવા – પાંડવપક્ષમાં ખેંચવા હજુયે પ્રયત્ન કરવા માગે છે. તેથી જ્યારે કર્ણ કૃષ્ણને કહે છે 
“આજ્ઞા કરો, કૃષ્ણ ઉતારવા મને
ક્ષણેક થંભે રથ, દો અનુજ્ઞા,
જાઉં, પ્રતીક્ષા કરતા હશે ત્યાં
કૈં વર્ષોથી શૌર્યઉન્માદવ્યાકુળા
સંગ્રામાર્થે જે ભુજા ખંજવાળતા
આજે લાધ્યે યુદ્ધનું પર્વ ધન્ય,
પ્રસન્ન સૌ કૌરવ હસ્તિનાપુરે,
અને કુરુજાંગલ – રે સમગ્ર
આર્યાવર્તે આણ જેની યશસ્વી,
એવા મહારાજ –”
“આજ્ઞા કરો, કૃષ્ણ ઉતારવા મને
ક્ષણેક થંભે રથ, દો અનુજ્ઞા,
જાઉં, પ્રતીક્ષા કરતા હશે ત્યાં
કૈં વર્ષોથી શૌર્યઉન્માદવ્યાકુળા
સંગ્રામાર્થે જે ભુજા ખંજવાળતા
આજે લાધ્યે યુદ્ધનું પર્વ ધન્ય,
પ્રસન્ન સૌ કૌરવ હસ્તિનાપુરે,
અને કુરુજાંગલ – રે સમગ્ર
આર્યાવર્તે આણ જેની યશસ્વી,
એવા મહારાજ –”
ત્યારે કૃષ્ણ એની ઉક્તિની સાથે પોતાની ઉક્તિ જોડી સંવાદને પોતાને ઇષ્ટ એવી દિશામાં ખેંચી જાય છે. કર્ણ – એવા મહારાજ –’ કહી ‘દુર્યોધન’ બોલે તે પહેલાં જ કૃષ્ણ ચતુરાઈથી
ત્યારે કૃષ્ણ એની ઉક્તિની સાથે પોતાની ઉક્તિ જોડી સંવાદને પોતાને ઇષ્ટ એવી દિશામાં ખેંચી જાય છે. કર્ણ – એવા મહારાજ –’ કહી ‘દુર્યોધન’ બોલે તે પહેલાં જ કૃષ્ણ ચતુરાઈથી “–ની ધર્મરાજને
આજે ભલી રીતથી ભેટ છો થતી,
ધર્મધ્વજાળા શિબિરે પાંડવોના.” – એમ કહી કર્ણનું ‘મહારાજ’S તરીકે સૂચન કરી, યુધિષ્ઠિર સાથેના તેના નૈકટ્યને ઉપસાવી આપે છે.
“–ની ધર્મરાજને
આજે ભલી રીતથી ભેટ છો થતી,
ધર્મધ્વજાળા શિબિરે પાંડવોના.”
– એમ કહી કર્ણનું ‘મહારાજ’S તરીકે સૂચન કરી, યુધિષ્ઠિર સાથેના તેના નૈકટ્યને ઉપસાવી આપે છે.
અહીં નાટ્યગત પતાકાયોજનાનો લાભ કવિએ લીધો જણાય છે. કૃષ્ણ કુશળતાથી – મનોવૈજ્ઞાનિક ઢબે કર્ણના ચિત્તમાં કૌરવોને બદલે પાંડવો પ્રત્યે પક્ષપાત જગાવવા મથે છે. કૃષ્ણ પાંડવોની ‘પ્રીતિપ્રતીક્ષા’નો નિર્દેશ કરે છે, કૌરવોના સહવાસને કારાગાર-નિવાસ જેવો વર્ણવે છે. વળી કર્ણની ‘શસ્ત્રે તેવો શાસ્ત્રમાંયે પ્રવીણ’ કહી પ્રશંસા કરે છે ને એમ કરતાં આસ્તેથી ‘કુન્તીજાયો પાટવીપુત્ર કર્ણ’ એમ કહી કર્ણના જન્મરહસ્યનો સ્ફોટ પણ કરી આપે છે. કર્ણના હૃદયમાં માતાએ પોતાનો ત્યાગ કર્યો એ ઘટનાથી ભારે વેદના છે. તેર વર્ષો હસ્તિનાપુરમાં રહેવા છતાં માતાને પોતાને મળવાની એક ઘડી – અર્ધઘડી પણ ન મળી તેનું કર્ણ સચોટ રીતે નિરૂપણ કરતાં કહે છે 
અહીં નાટ્યગત પતાકાયોજનાનો લાભ કવિએ લીધો જણાય છે. કૃષ્ણ કુશળતાથી – મનોવૈજ્ઞાનિક ઢબે કર્ણના ચિત્તમાં કૌરવોને બદલે પાંડવો પ્રત્યે પક્ષપાત જગાવવા મથે છે. કૃષ્ણ પાંડવોની ‘પ્રીતિપ્રતીક્ષા’નો નિર્દેશ કરે છે, કૌરવોના સહવાસને કારાગાર-નિવાસ જેવો વર્ણવે છે. વળી કર્ણની ‘શસ્ત્રે તેવો શાસ્ત્રમાંયે પ્રવીણ’ કહી પ્રશંસા કરે છે ને એમ કરતાં આસ્તેથી ‘કુન્તીજાયો પાટવીપુત્ર કર્ણ’ એમ કહી કર્ણના જન્મરહસ્યનો સ્ફોટ પણ કરી આપે છે. કર્ણના હૃદયમાં માતાએ પોતાનો ત્યાગ કર્યો એ ઘટનાથી ભારે વેદના છે. તેર વર્ષો હસ્તિનાપુરમાં રહેવા છતાં માતાને પોતાને મળવાની એક ઘડી – અર્ધઘડી પણ ન મળી તેનું કર્ણ સચોટ રીતે નિરૂપણ કરતાં કહે છે 
“અજ્ઞાત અન્યોન્યથી હસ્તિનાપુરે
વસ્યાં અમે મા-શિશુ વર્ષ તેર 
વર્ષે વર્ષે માસ તો બાર બાર,
માસેમાસે ને દિનો ત્રીસત્રીસ,
ને ત્રીસમાંથી દિન એક એક,
મૂકે ઘડી ગણિતી તેની સાઠ.
મળી ઘડી અર્ધઘડી ન માતને
વાત્સલ્યથી વંચિત બાલ કારણે ”
“અજ્ઞાત અન્યોન્યથી હસ્તિનાપુરે
વસ્યાં અમે મા-શિશુ વર્ષ તેર 
વર્ષે વર્ષે માસ તો બાર બાર,
માસેમાસે ને દિનો ત્રીસત્રીસ,
ને ત્રીસમાંથી દિન એક એક,
મૂકે ઘડી ગણિતી તેની સાઠ.
મળી ઘડી અર્ધઘડી ન માતને
વાત્સલ્યથી વંચિત બાલ કારણે ”
Line 22: Line 21:
અને તે સાથે કર્ણ કુંતી-નેત્રની મૂંગી મૂંગી તોય હેતે હૂંફાળી એવી આશિષ પામ્યાનો નિર્દેશ પણ કરે છે. કર્ણની માતૃપ્રેમ માટેની ઉત્કટ ઝંખનાનું ચિત્ર પણ એમાંથી પ્રગટી આવે છે. ‘પ્રવીર’ કર્ણ – કઠોર કર્ણ કેવો કુસુમકોમળ છે તે પણ અહીં પ્રકટ થાય છે. કર્ણ પોતાની અર્જુન સાથેની સ્પર્ધા વેળાએ, દુર્યોધને પોતાને અંગરાજનું પદ દઈ માનહાનિમાંથી ઉગારી લીધો ત્યારે ‘સાધ્વી’ કુંતીનાં બે નેત્રોમાંથી કેવી દિવ્ય વાત્સલ્યધારા વહેલી – તેનું પવિત્ર સ્મરણ કરે છે. એ સ્મૃતિને પોતાના આયુષ્યના રણમાં મીઠી વીરડી સમાન લેખે છે. આમ છતાં એવે પ્રસંગે સગી માએ પુત્રની અવમાનના થતી રોકવા સામે ચાલીને કશુંયે ન કર્યું તેની વેદનાયે અનુભવે છે. કૃષ્ણ કર્ણને કુંતાના તેના માટેના ઊંડા સ્નેહની પ્રતીતિ આપવા અર્જુન-કર્ણની સ્પર્ધા વખતે તે મૂર્છાવશ થઈ હતી એ વાતની યાદ આપે છે ને ત્યાં કર્ણનું હૃદય ફરીથી હાલી ઊઠે છે. કર્ણ કૃષ્ણને ભાવપૂર્ણ વાણી નહિ પ્રેરવા વીનવે છે. કુંતીએ કર્ણનો ત્યાગ કર્યો તે માત્ર પંડને જ કલંકથી બચાવવા માટે નહિ, પરંતુ કર્ણને પણ કલંકથી બચાવવા માટે – એ વાત કૃષ્ણ કર્ણને સમજાવે છે. કૃષ્ણ કર્ણને અબોલ શિશુનો ત્યાગ કરતી માતાના હૃદયની વેદનાની કલ્પના કરવા જણાવે છે. કૃષ્ણ કુંતીનું લોહી, કુંતીનો ચહેરોમહોરો એનામાં ઊતર્યાનું જણાવી, યુધિષ્ઠિરાદિ સાથેની તેની સાહજિક ઘનિષ્ઠતાને ઉપસાવવા મથે છે, ને એમ કરતાં કર્ણ ભરી સભામાં એકાકિની દ્રુપદાત્મજાને જે કુવાક્યો સુણાવતો હતો તે પ્રસંગની યાદ આપે છે. કર્ણ દ્રૌપદીની યાદે વધુ ઉશ્કેરાય છે – એના અપમાનના વ્રણ ફરીથી તાજા થાય છે ને તે કટાક્ષથી ‘સૌભાગ્ય એ પંચવિધ પ્રશસ્ય | છો ભોગવે તે અભિજાત કન્યા’ – એમ કહી પોતાની કટુ લાગણીને પ્રગટ કરે છે. કવિ કુશળતાથી ‘અભિજાત કન્યા’નો નિર્દેશ કરાવી – આ કાવ્યના કેન્દ્રમાં રહેલા આભિજાત્યના ખ્યાલ તરફ સંવાદને વાળે છે. કર્ણ ‘અભિજાત કન્યા’, ‘અભિજાત અર્જુન’ એમ કટુતાયે ઠાલવે છે. આ વખતે કૃષ્ણ તેને કહે છે 
અને તે સાથે કર્ણ કુંતી-નેત્રની મૂંગી મૂંગી તોય હેતે હૂંફાળી એવી આશિષ પામ્યાનો નિર્દેશ પણ કરે છે. કર્ણની માતૃપ્રેમ માટેની ઉત્કટ ઝંખનાનું ચિત્ર પણ એમાંથી પ્રગટી આવે છે. ‘પ્રવીર’ કર્ણ – કઠોર કર્ણ કેવો કુસુમકોમળ છે તે પણ અહીં પ્રકટ થાય છે. કર્ણ પોતાની અર્જુન સાથેની સ્પર્ધા વેળાએ, દુર્યોધને પોતાને અંગરાજનું પદ દઈ માનહાનિમાંથી ઉગારી લીધો ત્યારે ‘સાધ્વી’ કુંતીનાં બે નેત્રોમાંથી કેવી દિવ્ય વાત્સલ્યધારા વહેલી – તેનું પવિત્ર સ્મરણ કરે છે. એ સ્મૃતિને પોતાના આયુષ્યના રણમાં મીઠી વીરડી સમાન લેખે છે. આમ છતાં એવે પ્રસંગે સગી માએ પુત્રની અવમાનના થતી રોકવા સામે ચાલીને કશુંયે ન કર્યું તેની વેદનાયે અનુભવે છે. કૃષ્ણ કર્ણને કુંતાના તેના માટેના ઊંડા સ્નેહની પ્રતીતિ આપવા અર્જુન-કર્ણની સ્પર્ધા વખતે તે મૂર્છાવશ થઈ હતી એ વાતની યાદ આપે છે ને ત્યાં કર્ણનું હૃદય ફરીથી હાલી ઊઠે છે. કર્ણ કૃષ્ણને ભાવપૂર્ણ વાણી નહિ પ્રેરવા વીનવે છે. કુંતીએ કર્ણનો ત્યાગ કર્યો તે માત્ર પંડને જ કલંકથી બચાવવા માટે નહિ, પરંતુ કર્ણને પણ કલંકથી બચાવવા માટે – એ વાત કૃષ્ણ કર્ણને સમજાવે છે. કૃષ્ણ કર્ણને અબોલ શિશુનો ત્યાગ કરતી માતાના હૃદયની વેદનાની કલ્પના કરવા જણાવે છે. કૃષ્ણ કુંતીનું લોહી, કુંતીનો ચહેરોમહોરો એનામાં ઊતર્યાનું જણાવી, યુધિષ્ઠિરાદિ સાથેની તેની સાહજિક ઘનિષ્ઠતાને ઉપસાવવા મથે છે, ને એમ કરતાં કર્ણ ભરી સભામાં એકાકિની દ્રુપદાત્મજાને જે કુવાક્યો સુણાવતો હતો તે પ્રસંગની યાદ આપે છે. કર્ણ દ્રૌપદીની યાદે વધુ ઉશ્કેરાય છે – એના અપમાનના વ્રણ ફરીથી તાજા થાય છે ને તે કટાક્ષથી ‘સૌભાગ્ય એ પંચવિધ પ્રશસ્ય | છો ભોગવે તે અભિજાત કન્યા’ – એમ કહી પોતાની કટુ લાગણીને પ્રગટ કરે છે. કવિ કુશળતાથી ‘અભિજાત કન્યા’નો નિર્દેશ કરાવી – આ કાવ્યના કેન્દ્રમાં રહેલા આભિજાત્યના ખ્યાલ તરફ સંવાદને વાળે છે. કર્ણ ‘અભિજાત કન્યા’, ‘અભિજાત અર્જુન’ એમ કટુતાયે ઠાલવે છે. આ વખતે કૃષ્ણ તેને કહે છે 
“એ ક્રોધ, એ ચિત્તનું કાલકૂટ,
સન્તોનું એ પેય પીયૂષ પુણ્ય,
પી જા, પી જા, કર્ણ, એ રોષ પી જા 
જણનારાંના, કર્ણ, બે દોષ પી જા ”
“એ ક્રોધ, એ ચિત્તનું કાલકૂટ,
સન્તોનું એ પેય પીયૂષ પુણ્ય,
પી જા, પી જા, કર્ણ, એ રોષ પી જા 
જણનારાંના, કર્ણ, બે દોષ પી જા ”
S આ સ્થળે રમણ કોઠારીનું તારણ કે ‘યાજ્ઞસેનીએ દ્રુપદની ભરસભામાં કર્ણનું એના કહેવાતા હીન જન્મને કારણે અપમાન કરેલું તેની સામે કૃષ્ણને વાંધો હોય તેમ લાગતું નથી.’ (અવલોકન, પૃ. ૧૬૮) એ અનિવાર્યપણે સ્વીકારવું પડે એવી સ્થિતિ નથી. વળી આગળ જતાં તેઓ ટીકાત્મક રીતે પૂછે છે કે ‘મહાભારત યુદ્ધમાં કૃષ્ણે દેખાડવાના અને ચાવવાના દાંત જુદા રાખ્યા હતા એમ નથી લાગતું ’ આપણો ઉત્તર છે  ના, કૃષ્ણના પાત્રને આટલી સાદી રીતે જોવું – ઘટાવવું બરોબર નથી.
આ સ્થળે રમણ કોઠારીનું તારણ કે ‘યાજ્ઞસેનીએ દ્રુપદની ભરસભામાં કર્ણનું એના કહેવાતા હીન જન્મને કારણે અપમાન કરેલું તેની સામે કૃષ્ણને વાંધો હોય તેમ લાગતું નથી.’ (અવલોકન, પૃ. ૧૬૮) એ અનિવાર્યપણે સ્વીકારવું પડે એવી સ્થિતિ નથી. વળી આગળ જતાં તેઓ ટીકાત્મક રીતે પૂછે છે કે ‘મહાભારત યુદ્ધમાં કૃષ્ણે દેખાડવાના અને ચાવવાના દાંત જુદા રાખ્યા હતા એમ નથી લાગતું ’ આપણો ઉત્તર છે  ના, કૃષ્ણના પાત્રને આટલી સાદી રીતે જોવું – ઘટાવવું બરોબર નથી.
કૃષ્ણની આ ઉક્તિમાં ભાષા અને છંદ ભાવની સાથે એકાકાર થતાં, રંગભૂમિના પદ્યની એમનાં આ કાવ્યોમાં ઓછી જોવા મળતી એવી એક છટા દર્શાવે છે. કૃષ્ણ દ્રૌપદી ને અર્જુન તરફનાં અસૂયા ને રોષને કુંતી તરફ – જેની તરફ કર્ણને ઊંડે ઊંડી પ્રીતિ છે. – વાળી લેવા મથે છે. ને એમ કરતાં દ્રૌપદી જે પહેલાં ન મળી તે હવે જ્યારે કર્ણ કૌન્તેયે કે પાંડવ તરીકે પ્રગટ થશે ત્યારે તો અધિકારપૂર્વક તે પણ દ્રૌપદીના પાંડવલગ્નનો ભાગીદાર બનશે ને એમ દ્રૌપદીને પણ પામશે એ બતાવે છે. આ સૂચનમાં કવિએ મૂળ મહાભારતની ઉક્તિનો પણ થોડોક આધાર લીધો છે. મૂળમાં કૃષ્ણ કહે છે  `षष्ठे च त्वां तथा काले द्रौपद्युपमिष्यति ।। ૫, ૧૩૮, ૧૫ ।। ઉમાશંકરે આ સંદર્ભને વધુ કલાત્મક રીતે અહીં ઉપયોગમાં લીધો છે. આમ છતાં રામપ્રસાદ બક્ષી કૃષ્ણની આ ઉક્તિમાં સૂક્ષ્મ રીતે ઔચિત્યનો ભંગ જુએ છે. તેઓ લખે છે. ‘...કૃષ્ણમુખે કરાવાયેલું આ સૂચન અસુભગ છે, અશોભાકર છે, એને અર્વાચીન દૃષ્ટિના સંસ્કારથી પ્રાચીન વસ્તુને ઓપાવનારા આ કવિએ કેમ રહેવા દીધું એ આશ્ચર્યકર છે.’ (‘ગુજરાતી’, ૨૪, ફેબ્રુઆરી, ૧૯૫૨, પૃ. ૧૪૯) એ વાત ખરી છે  કૃષ્ણ જેવા ધર્મગોપ્તા કર્ણને દ્રૌપદીની લાલચ આપે તે ઠીક નથી, પરંતુ એમ તો કર્ણ જેવા કૌરવો પ્રત્યે કૃતજ્ઞ એવા મહારથીને કૃષ્ણ સામ, દામ કે ભેદ – ગમે તે ઉપાયે પાંડવોના પક્ષે ખેંચવા માગે તેય અનુચિત લાગે છે. કૃષ્ણનો સફળ પ્રયત્ન એક દૃષ્ટિએ કૃષ્ણને એના સ્વધર્મમાંથી ચ્યુત કરાવનારોય લાગે. પરંતુ આવે વખતે ઔચિત્યના આગ્રહોમાંય વિવેક કરવાનો રહે. કૃષ્ણ છેવટે તો ધર્મપક્ષ હોવાથી જ પાંડવપક્ષને જિતાડવા મથે છે ને એમ કરતાં ક્યારેક ચાહીને વ્યાવહારિક ભૂમિકાએ કંઈક બાંધછોડ જેવું પણ કરી લેતા હોય છે. આ સંબંધમાં ‘મહાપ્રસ્થાન’માંની યુધિષ્ઠિરની ઉક્તિ અત્રે યાદ કરવા જેવી છે. યુધિષ્ઠિર કહે છે  ‘સુવર્ણ જે | શુદ્ધ, તેના અલંકાર ઘડી નથી શકાતા, જો | ભેળ જરી હોય તો તે શક્ય બને.’ ધર્મ-ચાલના અર્થેની કાર્યઝંઝા  તેની તો વાત જ જુદી. તેથી જ કૃષ્ણના કાર્યનું ઔચિત્ય તપાસતાં એક બાજુ આદર્શ ધર્મની વિભાવના, અને ધર્મને વ્યાવહારિક ભૂમિકાએ અવતારવામાં જરૂરી દક્ષતા – એ બેયનો યુગપત્ રીતે વિચાર કરવાનો રહે. કર્ણને દ્રૌપદીની લાલચ આપવી એ વિશુદ્ધ ધર્મની દૃષ્ટિએ દોષ જ કહેવાય; પરંતુ એ દોષ ધર્મના વ્યાવહારિક સંદર્ભમાં નિર્વાહ્ય પણ લાગે કદાચ. તત્કાલીન સામાજિક સંદર્ભે કૃષ્ણનું કર્ણને દ્રૌપદીના ઉપભોગ અર્થેનું સૂચન સૂક્ષ્મ ધર્મદૃષ્ટિએ અનુચિત છતાં અસાધારણ નહિ લેખાય. વળી કર્ણ પોતે કૃષ્ણને દ્રૌપદીના ઉપભોગ અંગેનું સૂચન કરવા બદલ ઉપાલંભ આપતાં કહે છે  ‘ને શક્ય એ હોય તથાપિ શોભે | ધર્મિષ્ઠને આપણને શું એવું !’ કર્ણ વિવેકી હોઈ ‘તમને’ ને બદલે ‘આપણને’ સર્વનામ યોજે છે. આ કર્ણની ઉક્તિમાંથી જ રામપ્રસાદને સંતોષ ન મળી શકે 
કૃષ્ણની આ ઉક્તિમાં ભાષા અને છંદ ભાવની સાથે એકાકાર થતાં, રંગભૂમિના પદ્યની એમનાં આ કાવ્યોમાં ઓછી જોવા મળતી એવી એક છટા દર્શાવે છે. કૃષ્ણ દ્રૌપદી ને અર્જુન તરફનાં અસૂયા ને રોષને કુંતી તરફ – જેની તરફ કર્ણને ઊંડે ઊંડી પ્રીતિ છે. – વાળી લેવા મથે છે. ને એમ કરતાં દ્રૌપદી જે પહેલાં ન મળી તે હવે જ્યારે કર્ણ કૌન્તેયે કે પાંડવ તરીકે પ્રગટ થશે ત્યારે તો અધિકારપૂર્વક તે પણ દ્રૌપદીના પાંડવલગ્નનો ભાગીદાર બનશે ને એમ દ્રૌપદીને પણ પામશે એ બતાવે છે. આ સૂચનમાં કવિએ મૂળ મહાભારતની ઉક્તિનો પણ થોડોક આધાર લીધો છે. મૂળમાં કૃષ્ણ કહે છે  `षष्ठे च त्वां तथा काले द्रौपद्युपमिष्यति ।। ૫, ૧૩૮, ૧૫ ।। ઉમાશંકરે આ સંદર્ભને વધુ કલાત્મક રીતે અહીં ઉપયોગમાં લીધો છે. આમ છતાં રામપ્રસાદ બક્ષી કૃષ્ણની આ ઉક્તિમાં સૂક્ષ્મ રીતે ઔચિત્યનો ભંગ જુએ છે. તેઓ લખે છે. ‘...કૃષ્ણમુખે કરાવાયેલું આ સૂચન અસુભગ છે, અશોભાકર છે, એને અર્વાચીન દૃષ્ટિના સંસ્કારથી પ્રાચીન વસ્તુને ઓપાવનારા આ કવિએ કેમ રહેવા દીધું એ આશ્ચર્યકર છે.’ (‘ગુજરાતી’, ૨૪, ફેબ્રુઆરી, ૧૯૫૨, પૃ. ૧૪૯) એ વાત ખરી છે  કૃષ્ણ જેવા ધર્મગોપ્તા કર્ણને દ્રૌપદીની લાલચ આપે તે ઠીક નથી, પરંતુ એમ તો કર્ણ જેવા કૌરવો પ્રત્યે કૃતજ્ઞ એવા મહારથીને કૃષ્ણ સામ, દામ કે ભેદ – ગમે તે ઉપાયે પાંડવોના પક્ષે ખેંચવા માગે તેય અનુચિત લાગે છે. કૃષ્ણનો સફળ પ્રયત્ન એક દૃષ્ટિએ કૃષ્ણને એના સ્વધર્મમાંથી ચ્યુત કરાવનારોય લાગે. પરંતુ આવે વખતે ઔચિત્યના આગ્રહોમાંય વિવેક કરવાનો રહે. કૃષ્ણ છેવટે તો ધર્મપક્ષ હોવાથી જ પાંડવપક્ષને જિતાડવા મથે છે ને એમ કરતાં ક્યારેક ચાહીને વ્યાવહારિક ભૂમિકાએ કંઈક બાંધછોડ જેવું પણ કરી લેતા હોય છે. આ સંબંધમાં ‘મહાપ્રસ્થાન’માંની યુધિષ્ઠિરની ઉક્તિ અત્રે યાદ કરવા જેવી છે. યુધિષ્ઠિર કહે છે  ‘સુવર્ણ જે | શુદ્ધ, તેના અલંકાર ઘડી નથી શકાતા, જો | ભેળ જરી હોય તો તે શક્ય બને.’ ધર્મ-ચાલના અર્થેની કાર્યઝંઝા  તેની તો વાત જ જુદી. તેથી જ કૃષ્ણના કાર્યનું ઔચિત્ય તપાસતાં એક બાજુ આદર્શ ધર્મની વિભાવના, અને ધર્મને વ્યાવહારિક ભૂમિકાએ અવતારવામાં જરૂરી દક્ષતા – એ બેયનો યુગપત્ રીતે વિચાર કરવાનો રહે. કર્ણને દ્રૌપદીની લાલચ આપવી એ વિશુદ્ધ ધર્મની દૃષ્ટિએ દોષ જ કહેવાય; પરંતુ એ દોષ ધર્મના વ્યાવહારિક સંદર્ભમાં નિર્વાહ્ય પણ લાગે કદાચ. તત્કાલીન સામાજિક સંદર્ભે કૃષ્ણનું કર્ણને દ્રૌપદીના ઉપભોગ અર્થેનું સૂચન સૂક્ષ્મ ધર્મદૃષ્ટિએ અનુચિત છતાં અસાધારણ નહિ લેખાય. વળી કર્ણ પોતે કૃષ્ણને દ્રૌપદીના ઉપભોગ અંગેનું સૂચન કરવા બદલ ઉપાલંભ આપતાં કહે છે  ‘ને શક્ય એ હોય તથાપિ શોભે | ધર્મિષ્ઠને આપણને શું એવું !’ કર્ણ વિવેકી હોઈ ‘તમને’ ને બદલે ‘આપણને’ સર્વનામ યોજે છે. આ કર્ણની ઉક્તિમાંથી જ રામપ્રસાદને સંતોષ ન મળી શકે 
આ કર્ણ દ્રૌપદીના ભર્તાસ્થાને એકસાથે પોતે અને કિરીટ ન શોભી શકે એમ જણાવે છે અને ‘વિધિના ધનુષ્યથી છૂટી ચૂકેલાં શર’ની સાથે પોતાને અને અર્જુનને સરખાવે છે. કર્ણ અર્જુન સાથે યુદ્ધ કરવા દૃઢસંકલ્પ છે અને તેથી કૃષ્ણ ‘અહો  જનોની ચિર યુદ્ધશ્રદ્ધા ’ – એવો ઉદ્ગાર કાઢે છે. કૃષ્ણ કર્ણને ‘મહારથી’ શબ્દથી સંબોધી, ભૂતકાળમાં દ્રૌણ, ભીષ્મ જેવાથી તેની જે અવમાનના થયેલી તેની યાદ આપે છે અને એ રીતે ભેદના ઉપાયથી ભીષ્મથી કર્ણને છૂટો પાડવા મથે છે. એ પ્રયત્ન પણ નિષ્ફળ જાય છે. એ પ્રયત્ન કર્ણને હીણા કુલ અંગેની પોતાની પરિસ્થિતિ પ્રત્યે સભાન કરે છે. કર્ણ કહે છે 
આ કર્ણ દ્રૌપદીના ભર્તાસ્થાને એકસાથે પોતે અને કિરીટ ન શોભી શકે એમ જણાવે છે અને ‘વિધિના ધનુષ્યથી છૂટી ચૂકેલાં શર’ની સાથે પોતાને અને અર્જુનને સરખાવે છે. કર્ણ અર્જુન સાથે યુદ્ધ કરવા દૃઢસંકલ્પ છે અને તેથી કૃષ્ણ ‘અહો  જનોની ચિર યુદ્ધશ્રદ્ધા ’ – એવો ઉદ્ગાર કાઢે છે. કૃષ્ણ કર્ણને ‘મહારથી’ શબ્દથી સંબોધી, ભૂતકાળમાં દ્રૌણ, ભીષ્મ જેવાથી તેની જે અવમાનના થયેલી તેની યાદ આપે છે અને એ રીતે ભેદના ઉપાયથી ભીષ્મથી કર્ણને છૂટો પાડવા મથે છે. એ પ્રયત્ન પણ નિષ્ફળ જાય છે. એ પ્રયત્ન કર્ણને હીણા કુલ અંગેની પોતાની પરિસ્થિતિ પ્રત્યે સભાન કરે છે. કર્ણ કહે છે 
Line 28: Line 27:
કર્ણ આ કુજન્મના કલંકને ભૂંસી નાખવા માગે છે. એ માટે એને ‘પાંડવ’ થવું મંજૂર નથી. એ કર્ણ રહીને ભીષ્મથીયે અદકું પરાક્રમ કરી પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા મથે છે. એ કહે છે 
કર્ણ આ કુજન્મના કલંકને ભૂંસી નાખવા માગે છે. એ માટે એને ‘પાંડવ’ થવું મંજૂર નથી. એ કર્ણ રહીને ભીષ્મથીયે અદકું પરાક્રમ કરી પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા મથે છે. એ કહે છે 
“હું કર્ણ, હું કર્ણ, ન પાંડુપુત્ર,
સ્વીકારવું પ્હેલું ઘટે જ એહ,
સ્થાપીશ વ્યક્તિત્વની વીરતા હું
સુજન્મના પૈતૃક લાભ માથે.”
“હું કર્ણ, હું કર્ણ, ન પાંડુપુત્ર,
સ્વીકારવું પ્હેલું ઘટે જ એહ,
સ્થાપીશ વ્યક્તિત્વની વીરતા હું
સુજન્મના પૈતૃક લાભ માથે.”
*  
<center> *  </center> 
“તો, કૃષ્ણ, હુંયે મુજ જન્મસિદ્ધ
મથી રહ્યો છું અધિકાર પામવા 
કે હીન જન્મે નવ હીન માનવ,
કે હીન કર્મે કરી હીન માનવ.
લડી રહ્યો હુંય સમષ્ટિ કાજ.”
“તો, કૃષ્ણ, હુંયે મુજ જન્મસિદ્ધ
મથી રહ્યો છું અધિકાર પામવા 
કે હીન જન્મે નવ હીન માનવ,
કે હીન કર્મે કરી હીન માનવ.
લડી રહ્યો હુંય સમષ્ટિ કાજ.”
કૃષ્ણ કર્ણની સંકલ્પદૃઢતા જુએ છે, એની સ્વત્વ માટેની સજાગતા જુએ છે. એની વ્યક્તિત્વનિષ્ઠા સામે કૃષ્ણ સમષ્ટિનો પ્રશ્ન ખડો કરે છે. તેઓ કર્ણને કહે છે  ‘તું વ્યક્તિ આડે ન જુએ સમષ્ટિને.’ કર્ણ આ અભિપ્રાયનો સચોટ રીતે પ્રતિકાર કરતાં કહે છે કે ‘હું તો પાંડવોની જેમ મારો જન્મસિદ્ધ – મારો ન્યાયપુર:સરનો અધિકાર પામવા ઇચ્છું છું. જો પાંડવોનું પગલું ધર્મ્ય છે તો મારું પણ છે.’ વળી કર્ણ પોતાના સ્વત્વસ્થાપન માટેના સંકલ્પમાં સમષ્ટિહિત પણ જુએ છે. તે આગળ ઉચ્ચારે છે 
કૃષ્ણ કર્ણની સંકલ્પદૃઢતા જુએ છે, એની સ્વત્વ માટેની સજાગતા જુએ છે. એની વ્યક્તિત્વનિષ્ઠા સામે કૃષ્ણ સમષ્ટિનો પ્રશ્ન ખડો કરે છે. તેઓ કર્ણને કહે છે  ‘તું વ્યક્તિ આડે ન જુએ સમષ્ટિને.’ કર્ણ આ અભિપ્રાયનો સચોટ રીતે પ્રતિકાર કરતાં કહે છે કે ‘હું તો પાંડવોની જેમ મારો જન્મસિદ્ધ – મારો ન્યાયપુર:સરનો અધિકાર પામવા ઇચ્છું છું. જો પાંડવોનું પગલું ધર્મ્ય છે તો મારું પણ છે.’ વળી કર્ણ પોતાના સ્વત્વસ્થાપન માટેના સંકલ્પમાં સમષ્ટિહિત પણ જુએ છે. તે આગળ ઉચ્ચારે છે 
Line 42: Line 41:
આ કાવ્યમાં કવિએ જે ક્ષણ લીધી છે એ સંવાદની ક્ષણ છે અને તેથી તેમાંથી રંગભૂમિયોગ્ય પૂર્ણ નાટ્યની અપેક્ષા રાખવી વધુ પડતી છે. અથવા કવિનો પદ્યનો વિનિયોગ કરતા નાટ્યસ્વરૂપ વિશેનો ખ્યાલ કદાચ વિશિષ્ટ છે. નાટ્ય માટે અનિવાર્ય ક્રિયાનું તત્ત્વ અથવા સંઘર્ષનું તત્ત્વ સૂક્ષ્મ રૂપમાં તો અહીં છે જ, કર્ણ સમજશે એવી સંભાવનાથી આરંભાયેલો સંવાદ કર્ણ હવે નહિ સમજે એ પરિણામ સુધી – એટલા વિકાસક્રમ સુધી પહોંચે છે.S કર્ણના સંકલ્પના કોટને તોડવાના – ડગાવવાના કૃષ્ણના એકાગ્ર પ્રયત્નો સમગ્ર કૃતિમાં રસપ્રદ રીતે નિરૂપાયેલા છે ને એ સામે કર્ણની અડગતા વધુ ને વધુ પ્રતીત થતી જાય છે. એટલે સૂક્ષ્મવેદી – કાવ્યકલ્પનાભ્યાસી પ્રેક્ષકો કદાચ ક્રિયાના આ સૂક્ષ્મ રૂપને દૃશ્ય–કાવ્યમાં માન્ય પણ કરે અને ભાષા પદ્યાત્મક હોવાથી એની આવા કાવ્યમાં, સામાન્ય રીતે ગદ્યની દૃશ્યકાવ્યમાં હોય તેથી વિશિષ્ટ કદાચ બીજાં તત્ત્વોથી કંઈક વધુ ધ્યાન ખેંચતી ભૂમિકાયે હોવાની. ને આ બધામાં એક વાત તો સ્પષ્ટ છે કે ‘કર્ણ-કૃષ્ણે’ પદ્યનાટક કે એકાંકી તરીકે સિદ્ધ થતાં પૂર્વે રંગભૂમિની કસોટીમાંથી પાર ઊતરવું જ પડે.
આ કાવ્યમાં કવિએ જે ક્ષણ લીધી છે એ સંવાદની ક્ષણ છે અને તેથી તેમાંથી રંગભૂમિયોગ્ય પૂર્ણ નાટ્યની અપેક્ષા રાખવી વધુ પડતી છે. અથવા કવિનો પદ્યનો વિનિયોગ કરતા નાટ્યસ્વરૂપ વિશેનો ખ્યાલ કદાચ વિશિષ્ટ છે. નાટ્ય માટે અનિવાર્ય ક્રિયાનું તત્ત્વ અથવા સંઘર્ષનું તત્ત્વ સૂક્ષ્મ રૂપમાં તો અહીં છે જ, કર્ણ સમજશે એવી સંભાવનાથી આરંભાયેલો સંવાદ કર્ણ હવે નહિ સમજે એ પરિણામ સુધી – એટલા વિકાસક્રમ સુધી પહોંચે છે.S કર્ણના સંકલ્પના કોટને તોડવાના – ડગાવવાના કૃષ્ણના એકાગ્ર પ્રયત્નો સમગ્ર કૃતિમાં રસપ્રદ રીતે નિરૂપાયેલા છે ને એ સામે કર્ણની અડગતા વધુ ને વધુ પ્રતીત થતી જાય છે. એટલે સૂક્ષ્મવેદી – કાવ્યકલ્પનાભ્યાસી પ્રેક્ષકો કદાચ ક્રિયાના આ સૂક્ષ્મ રૂપને દૃશ્ય–કાવ્યમાં માન્ય પણ કરે અને ભાષા પદ્યાત્મક હોવાથી એની આવા કાવ્યમાં, સામાન્ય રીતે ગદ્યની દૃશ્યકાવ્યમાં હોય તેથી વિશિષ્ટ કદાચ બીજાં તત્ત્વોથી કંઈક વધુ ધ્યાન ખેંચતી ભૂમિકાયે હોવાની. ને આ બધામાં એક વાત તો સ્પષ્ટ છે કે ‘કર્ણ-કૃષ્ણે’ પદ્યનાટક કે એકાંકી તરીકે સિદ્ધ થતાં પૂર્વે રંગભૂમિની કસોટીમાંથી પાર ઊતરવું જ પડે.
‘કર્ણ-કૃષ્ણ’ની આપણા અનેક આલોચકોએ ‘પ્રાચીના’નું અવલોકન કરતાં ચર્ચા કરી છે. રામપ્રસાદ શુક્લે ‘કર્ણનો નાશ એની વિકાસેચ્છાને જ આધીન છે’ એમ જણાવી પ્રાકૃત અંશોના વિનાશરૂપ સ્વાર્પણ વડે જ સ્વપરનો સમુલ્લાસ હોવાનું રહસ્ય આ કૃતિમાંથી તારવી બતાવ્યું છે. (રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૮) રામપ્રસાદ બક્ષીએ ‘કર્ણ-કૃષ્ણ’ વિશે લખતાં ‘સમષ્ટિના સત્યના રશ્મિ’ તરીકે પોતાનું અભિજ્ઞાન આપતો કર્ણ મહાભારતના ને વેણીસંહારના કર્ણથી આગળ છે એમ જે જણાવ્યું છે તે યોગ્ય છે. મહાભારતકારે કૃષ્ણ દ્વારા કર્ણને સમજાવવામાં સામ, દામ અને દંડનો વિનિયોગ કરેલો તો ઉમાશંકરે એમાં ચોથો ઉપાય ભેદ ઉમેર્યો છે તે રામપ્રસાદ બક્ષીએ જણાવ્યું છે. ભેદના ઉપાયરૂપે કૃષ્ણ કર્ણને ભીષ્મે તેનો તિરસ્કાર કર્યાની ઘટનાની યાદ આપે છે, પરંતુ આ ઘટના મહાભારતમાં તો આ પ્રસંગ બાદ બને છે, અને એ ઘટનામાં કર્ણનું અપમાન કરનાર અન્ય હતા એટલે મહાભારતનો ઘટનાક્રમ જાણનારને અહીં કાલવ્યુત્ક્રમનો દોષ દેખાય. કર્ણ કૃષ્ણને ‘પાર્થસારથિ’ કહીને સંબોધતો હોય એવી પંક્તિ (‘હા યુદ્ધભોમે ફરી, પાર્થસારથિ’) પહેલી આવૃત્તિમાં ‘કર્ણ-કૃષ્ણ’માં હતી, પરંતુ પાંચમી આવૃત્તિમાં એ પંક્તિમાં ‘પાર્થસારથિ’ને બદલે ‘પાર્થબંધુ હે’ મળે છે – જે યોગ્ય જ થયું છે.
‘કર્ણ-કૃષ્ણ’ની આપણા અનેક આલોચકોએ ‘પ્રાચીના’નું અવલોકન કરતાં ચર્ચા કરી છે. રામપ્રસાદ શુક્લે ‘કર્ણનો નાશ એની વિકાસેચ્છાને જ આધીન છે’ એમ જણાવી પ્રાકૃત અંશોના વિનાશરૂપ સ્વાર્પણ વડે જ સ્વપરનો સમુલ્લાસ હોવાનું રહસ્ય આ કૃતિમાંથી તારવી બતાવ્યું છે. (રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૮) રામપ્રસાદ બક્ષીએ ‘કર્ણ-કૃષ્ણ’ વિશે લખતાં ‘સમષ્ટિના સત્યના રશ્મિ’ તરીકે પોતાનું અભિજ્ઞાન આપતો કર્ણ મહાભારતના ને વેણીસંહારના કર્ણથી આગળ છે એમ જે જણાવ્યું છે તે યોગ્ય છે. મહાભારતકારે કૃષ્ણ દ્વારા કર્ણને સમજાવવામાં સામ, દામ અને દંડનો વિનિયોગ કરેલો તો ઉમાશંકરે એમાં ચોથો ઉપાય ભેદ ઉમેર્યો છે તે રામપ્રસાદ બક્ષીએ જણાવ્યું છે. ભેદના ઉપાયરૂપે કૃષ્ણ કર્ણને ભીષ્મે તેનો તિરસ્કાર કર્યાની ઘટનાની યાદ આપે છે, પરંતુ આ ઘટના મહાભારતમાં તો આ પ્રસંગ બાદ બને છે, અને એ ઘટનામાં કર્ણનું અપમાન કરનાર અન્ય હતા એટલે મહાભારતનો ઘટનાક્રમ જાણનારને અહીં કાલવ્યુત્ક્રમનો દોષ દેખાય. કર્ણ કૃષ્ણને ‘પાર્થસારથિ’ કહીને સંબોધતો હોય એવી પંક્તિ (‘હા યુદ્ધભોમે ફરી, પાર્થસારથિ’) પહેલી આવૃત્તિમાં ‘કર્ણ-કૃષ્ણ’માં હતી, પરંતુ પાંચમી આવૃત્તિમાં એ પંક્તિમાં ‘પાર્થસારથિ’ને બદલે ‘પાર્થબંધુ હે’ મળે છે – જે યોગ્ય જ થયું છે.
ડોલરરાયે ‘કર્ણ-કૃષ્ણ’ની સંવાદ-કળાની પ્રશંસા કરી છે, તે સાથે એ કાવ્યમાંના કેટલાક દોષ પણ બતાવ્યા છે. કર્ણે યુદ્ધકળાપરીક્ષાના પ્રસંગે કુંતીની આંખોમાં દિવ્ય વાત્સલ્યધારા નિહાળી હતી અને તેથી કર્ણને કુંતી પોતાની માતા હોય તેવી લાગણીયે થઈ હતી. તેથી કર્ણ કૃષ્ણને કહે છે કે ‘એ જાણું છું કૈંક રહસ્ય, જ્યારથી | પામ્યો છું હું આશિષ કુંતીનેત્રની | મૂંગી મૂંગી તોય હેતે હૂંફાળી...’ ડોલરરાય આ સંદર્ભે ટીકા કરતાં લખે છે  ‘સંભવની દૃષ્ટિએ, કર્ણ આવી રીતે અનુમાન કરીને પોતાના જન્મની બધી હકીકત સમજી શકે એ વાત મને જરા દુરાકૃષ્ટ લાગે છે.’૨૩૩ ઉમાશંકરે મૂળમાં કર્ણમુખે ‘કૈંક રહસ્ય’ એમ કહ્યું છે ત્યાં બધી હકીકત સમજવાનો પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી અને તેથી ડોલરરાયની આ વિધાનગત લાગણી બરોબર જણાતી નથી. વળી ડોલરરાય કર્ણમુખે ઉચ્ચારાતા ‘સમષ્ટિમાં જે સહુ જન્મહીણાં | જીવે, વળી ભાવિ વિશેય જીવશે, | એ સર્વના જન્મકલંક કેરો | અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી’ – આવાં વચનોમાં ઔચિત્યભંગ જુએ છે. તેઓ લખે છે  “કવિએ પોતે, પોતાના શબ્દોમાં આવી દલીલ વાપરી હોત તો એ મહાભારતનાં આ પ્રસંગનું અર્થઘટન (‘ઇન્ટરપ્રીટેશન’) છે એ દૃષ્ટિએ આવકાર્ય બનત. પણ કવિએ આને સંવાદકાવ્ય બનાવ્યું છે તેથી પોતાનું અર્થઘટન પણ એ પાત્રના મુખેથી કરાવે છે, અને તેથી કવિનાં મંતવ્યો પાત્રનાં સંપ્રજ્ઞાત મન્તવ્યો બની જાય છે એટલા પૂરતું મને આ વિષયમાં અનૌચિત્ય જણાય છે.” અહીં ડોલરરાયને કર્ણના પાત્રવિકાસની નાટ્યદૃષ્ટિએ ઊણપ ચીંધવી હશે કદાચ. જોકે કર્ણ ‘હું કર્ણ, હું કર્ણ, ન પાંડુપુત્ર, | – સ્વીકારવું પ્હેલું ઘટે જ એહ.’ – આવાં વચનો ઉચ્ચારી શકતો હોય, ‘મારેય હૈયે હિત છે સમષ્ટિનું’ આવી વાત કહી શકતો હોય, ‘સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ’ એ રીતે પોતાનું અભિજ્ઞાન આપતો હોય (ને આ બધા સામે જો ડોલરરાયને વાંધો ન હોય) તો પછી આવાં વચન કહેનાર કર્ણના મુખમાં ડોલરરાયનિર્દિષ્ટ વચનો હોય તો એમાં વાંધો લેવાપણું રહેતું નથી. વળી ડોલરરાય કાવ્યના અંત સંબંધે ટીકા કરે છે તે પણ જોવા જેવી છે. તેઓ ‘જાઉં હવે... કૃષ્ણ... અહીં કારમો ’ – એ પંક્તિઓમાં કર્ણ ભારતનો મહારથ ખોટકાઈ પડવાની વાત કરે છે. ડોલરરાય કહે છે કે ‘આ વચનોનું ઔચિત્ય કે ધ્વનિ મને સમજાતો નથી. પોતે લીધેલાં પગલાંથી ભારતનો રથ ખોટકાઈ જશે એટલે ભારતનો વિકાસ અટકી પડશે એમ કર્ણ જાણે છે છતાં, પોતે આવો નિશ્ચય કરે છે એમ નિરૂપવાથી કર્ણના પાત્રની મહત્તા વધે છે કે ઘટે છે  કે પછી કર્ણનાં આ વચનો મોંમાં મૂકવામાં કવિને કોઈ બીજો ભાવાર્થ ઉદિૃષ્ટ હશે ૨૩૪ એક વાત તો સ્પષ્ટ છે કે વેગથી જતાં રથ જે રીતે અટક્યો તેનું સૂચન કર્ણને કરવું છે. તેમ કરતાં કર્ણ અને કૃષ્ણ ભેગા ન થઈ શક્યાથી કેવી દારુણ પરિસ્થિતિ ભારત માટે થઈ તે સૂચવવાનો કવિનો લોભ પણ જોર કરી જાય છે અને તેથી વિધિવશાત્ એક જ રથનાં બે ચક્રો બે વિરોધી દિશામાં જતાં રથની જે દશા થાય તે બતાવી કર્ણ-કૃષ્ણના જ નહિ, તેમના સમયની ભારતનીયે કરુણતા બતાવાય છે. વળી આ ઉક્તિ દ્વારા કૃષ્ણ જેટલી કર્ણની મહત્તા – ને તેય પાછી કર્ણમુખે જ  – સૂચવાય છે ને તેમાં કંઈક અનૌચિત્ય લાગવાનો સંભવ જરૂર છે, જોકે કર્ણ પોતાની મહત્તા સૂચવવા કરતાં, નિયતિપ્રેરિત કરુણતા દર્શાવવા માગતો હોય એવું વધારે જણાય છે.
ડોલરરાયે ‘કર્ણ-કૃષ્ણ’ની સંવાદ-કળાની પ્રશંસા કરી છે, તે સાથે એ કાવ્યમાંના કેટલાક દોષ પણ બતાવ્યા છે. કર્ણે યુદ્ધકળાપરીક્ષાના પ્રસંગે કુંતીની આંખોમાં દિવ્ય વાત્સલ્યધારા નિહાળી હતી અને તેથી કર્ણને કુંતી પોતાની માતા હોય તેવી લાગણીયે થઈ હતી. તેથી કર્ણ કૃષ્ણને કહે છે કે ‘એ જાણું છું કૈંક રહસ્ય, જ્યારથી | પામ્યો છું હું આશિષ કુંતીનેત્રની | મૂંગી મૂંગી તોય હેતે હૂંફાળી...’ ડોલરરાય આ સંદર્ભે ટીકા કરતાં લખે છે  ‘સંભવની દૃષ્ટિએ, કર્ણ આવી રીતે અનુમાન કરીને પોતાના જન્મની બધી હકીકત સમજી શકે એ વાત મને જરા દુરાકૃષ્ટ લાગે છે.’૨૩૩ ઉમાશંકરે મૂળમાં કર્ણમુખે ‘કૈંક રહસ્ય’ એમ કહ્યું છે ત્યાં બધી હકીકત સમજવાનો પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી અને તેથી ડોલરરાયની આ વિધાનગત લાગણી બરોબર જણાતી નથી. વળી ડોલરરાય કર્ણમુખે ઉચ્ચારાતા ‘સમષ્ટિમાં જે સહુ જન્મહીણાં | જીવે, વળી ભાવિ વિશેય જીવશે, | એ સર્વના જન્મકલંક કેરો | અન્યાય ધોવા મથું છું સ્વરક્તથી’ – આવાં વચનોમાં ઔચિત્યભંગ જુએ છે. તેઓ લખે છે  “કવિએ પોતે, પોતાના શબ્દોમાં આવી દલીલ વાપરી હોત તો એ મહાભારતનાં આ પ્રસંગનું અર્થઘટન (‘ઇન્ટરપ્રીટેશન’) છે એ દૃષ્ટિએ આવકાર્ય બનત. પણ કવિએ આને સંવાદકાવ્ય બનાવ્યું છે તેથી પોતાનું અર્થઘટન પણ એ પાત્રના મુખેથી કરાવે છે, અને તેથી કવિનાં મંતવ્યો પાત્રનાં સંપ્રજ્ઞાત મન્તવ્યો બની જાય છે એટલા પૂરતું મને આ વિષયમાં અનૌચિત્ય જણાય છે.” અહીં ડોલરરાયને કર્ણના પાત્રવિકાસની નાટ્યદૃષ્ટિએ ઊણપ ચીંધવી હશે કદાચ. જોકે કર્ણ ‘હું કર્ણ, હું કર્ણ, ન પાંડુપુત્ર, | – સ્વીકારવું પ્હેલું ઘટે જ એહ.’ – આવાં વચનો ઉચ્ચારી શકતો હોય, ‘મારેય હૈયે હિત છે સમષ્ટિનું’ આવી વાત કહી શકતો હોય, ‘સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ’ એ રીતે પોતાનું અભિજ્ઞાન આપતો હોય (ને આ બધા સામે જો ડોલરરાયને વાંધો ન હોય) તો પછી આવાં વચન કહેનાર કર્ણના મુખમાં ડોલરરાયનિર્દિષ્ટ વચનો હોય તો એમાં વાંધો લેવાપણું રહેતું નથી. વળી ડોલરરાય કાવ્યના અંત સંબંધે ટીકા કરે છે તે પણ જોવા જેવી છે. તેઓ ‘જાઉં હવે... કૃષ્ણ... અહીં કારમો ’ – એ પંક્તિઓમાં કર્ણ ભારતનો મહારથ ખોટકાઈ પડવાની વાત કરે છે. ડોલરરાય કહે છે કે ‘આ વચનોનું ઔચિત્ય કે ધ્વનિ મને સમજાતો નથી. પોતે લીધેલાં પગલાંથી ભારતનો રથ ખોટકાઈ જશે એટલે ભારતનો વિકાસ અટકી પડશે એમ કર્ણ જાણે છે છતાં, પોતે આવો નિશ્ચય કરે છે એમ નિરૂપવાથી કર્ણના પાત્રની મહત્તા વધે છે કે ઘટે છે  કે પછી કર્ણનાં આ વચનો મોંમાં મૂકવામાં કવિને કોઈ બીજો ભાવાર્થ ઉદિૃષ્ટ હશે ૨૩૪ એક વાત તો સ્પષ્ટ છે કે વેગથી જતાં રથ જે રીતે અટક્યો તેનું સૂચન કર્ણને કરવું છે. તેમ કરતાં કર્ણ અને કૃષ્ણ ભેગા ન થઈ શક્યાથી કેવી દારુણ પરિસ્થિતિ ભારત માટે થઈ તે સૂચવવાનો કવિનો લોભ પણ જોર કરી જાય છે અને તેથી વિધિવશાત્ એક જ રથનાં બે ચક્રો બે વિરોધી દિશામાં જતાં રથની જે દશા થાય તે બતાવી કર્ણ-કૃષ્ણના જ નહિ, તેમના સમયની ભારતનીયે કરુણતા બતાવાય છે. વળી આ ઉક્તિ દ્વારા કૃષ્ણ જેટલી કર્ણની મહત્તા – ને તેય પાછી કર્ણમુખે જ  – સૂચવાય છે ને તેમાં કંઈક અનૌચિત્ય લાગવાનો સંભવ જરૂર છે, જોકે કર્ણ પોતાની મહત્તા સૂચવવા કરતાં, નિયતિપ્રેરિત કરુણતા દર્શાવવા માગતો હોય એવું વધારે જણાય છે. રામપ્રસાદ શુક્લે કૃષ્ણને મળેલા શાપ વડે જ એમની મહત્તા સત્સ્વરૂપે ઝળહળી રહી હોવાનું નિરીક્ષણ કર્યું જ છે. (રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૮)
S રામપ્રસાદ શુક્લે કૃષ્ણને મળેલા શાપ વડે જ એમની મહત્તા સત્સ્વરૂપે ઝળહળી રહી હોવાનું નિરીક્ષણ કર્યું જ છે. (રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૮)
ભૃગુરાય અંજારિયાએ કર્ણના પાત્ર પરત્વે લખતાં જણાવ્યું છે કે ‘લેખક ખૂબ સિફતથી કર્ણના જીવનપ્રસંગોને લગતી વીગતો જોઈતી દલીલો રૂપે લાવી શક્યા છે, કૃષ્ણને મુખે પણ એ મુત્સદ્દીની અદાથી શોભે એવી દલીલો મૂકે છે, છતાં અહીં કર્ણના પાત્રની સમગ્રતાને પડતી મૂકવી પડી છે એ ચોક્કસ.’૨૩૫ મહાભારતમાં કર્ણના જે કંઈ સંદર્ભો આવે છે તે બધા ધ્યાનમાં લઈને વાત કરવાની હોય તો ભૃગુરાયને લાગ્યું છે એવું લાગે જરૂર. પણ આવો અભિગમ સ્વયંસંપૂર્ણ અથવા આત્મપર્યાપ્ત એવી કલાકૃતિનું રહસ્ય સમજવામાં અનિવાર્ય નથી. એમ તો દુર્યોધન સુયોધન રૂપે – ભદ્ર પાત્ર તરીકે ભાસના ‘ઊરુભંગ’માં આવે જ છે. એ દુર્યોધનના મહાભારતગત બધા સંદર્ભો લઈને ‘ઊરુભંગ’ના દુર્યોધનની વાત કરવાથી કલાનો અર્થ કેટલો સરે  ઉમાશંકરની કર્ણ વિશેની વિભાવનાના સંદર્ભમાં કાવ્યગત પાત્રોચિત્ય તપાસવું એ જ કલાકૃતિની સ્વાયત્તતાના ને કલાના હિતમાં લેખાય. આ ભૃગુરાયે ‘કર્ણ-કૃષ્ણ’ના સંવાદમાં ઊતરી આવેલા શાંત ગૌરવની સરસ નોંધ લીધી છે. તેઓ લખે છે  ‘જ્યાં લાગણીનાં બહુ મોટાં ચઢાણ કે ઉતરાણ ન બતાવવાં હોય ત્યાં જ ઉમાશંકર સર્વાંશે સફળ થયા છે. ‘કર્ણ-કૃષ્ણ’ના સંવાદમાં શાંત ગૌરવ આવી શક્યું છે. શાંત, સંયમિત સૂરે વહેતી વાતચીતના સ્વરોચ્ચાર છે, અને દરેક કથનને નિરૂપવા, રંગના લપેડા નહીં, વીગતોનાં ઝૂમખાંથી લચી જતાં વર્ણનો નહીં, પણ અજબ સ્વચ્છતાભર્યા, આછા માત્ર આવશ્યક ઉપસાટથી મોહક બનતાં ભાવભીનાં નખચિત્રો છે.’૨૩૬
ભૃગુરાય અંજારિયાએ કર્ણના પાત્ર પરત્વે લખતાં જણાવ્યું છે કે ‘લેખક ખૂબ સિફતથી કર્ણના જીવનપ્રસંગોને લગતી વીગતો જોઈતી દલીલો રૂપે લાવી શક્યા છે, કૃષ્ણને મુખે પણ એ મુત્સદ્દીની અદાથી શોભે એવી દલીલો મૂકે છે, છતાં અહીં કર્ણના પાત્રની સમગ્રતાને પડતી મૂકવી પડી છે એ ચોક્કસ.’૨૩૫ મહાભારતમાં કર્ણના જે કંઈ સંદર્ભો આવે છે તે બધા ધ્યાનમાં લઈને વાત કરવાની હોય તો ભૃગુરાયને લાગ્યું છે એવું લાગે જરૂર. પણ આવો અભિગમ સ્વયંસંપૂર્ણ અથવા આત્મપર્યાપ્ત એવી કલાકૃતિનું રહસ્ય સમજવામાં અનિવાર્ય નથી. એમ તો દુર્યોધન સુયોધન રૂપે – ભદ્ર પાત્ર તરીકે ભાસના ‘ઊરુભંગ’માં આવે જ છે. એ દુર્યોધનના મહાભારતગત બધા સંદર્ભો લઈને ‘ઊરુભંગ’ના દુર્યોધનની વાત કરવાથી કલાનો અર્થ કેટલો સરે  ઉમાશંકરની કર્ણ વિશેની વિભાવનાના સંદર્ભમાં કાવ્યગત પાત્રોચિત્ય તપાસવું એ જ કલાકૃતિની સ્વાયત્તતાના ને કલાના હિતમાં લેખાય. આ ભૃગુરાયે ‘કર્ણ-કૃષ્ણ’ના સંવાદમાં ઊતરી આવેલા શાંત ગૌરવની સરસ નોંધ લીધી છે. તેઓ લખે છે  ‘જ્યાં લાગણીનાં બહુ મોટાં ચઢાણ કે ઉતરાણ ન બતાવવાં હોય ત્યાં જ ઉમાશંકર સર્વાંશે સફળ થયા છે. ‘કર્ણ-કૃષ્ણ’ના સંવાદમાં શાંત ગૌરવ આવી શક્યું છે. શાંત, સંયમિત સૂરે વહેતી વાતચીતના સ્વરોચ્ચાર છે, અને દરેક કથનને નિરૂપવા, રંગના લપેડા નહીં, વીગતોનાં ઝૂમખાંથી લચી જતાં વર્ણનો નહીં, પણ અજબ સ્વચ્છતાભર્યા, આછા માત્ર આવશ્યક ઉપસાટથી મોહક બનતાં ભાવભીનાં નખચિત્રો છે.’૨૩૬
S ‘મમત્વ’ ને ‘મહત્ત્વ’ – એ બે પદોનો વિનિયોગ નોંધવા જેવો છે. ઉમાશંકર આ રીતના પદપ્રયોગોથી પંક્તિને સૂત્રાત્મકતા અર્પી તેની અવતરણક્ષમતા સિદ્ધ કરે છે. આવાં અનેક દૃષ્ટાંતો ‘પ્રાચીના’માં મળે એમ છે. – ચં૰
S ‘મમત્વ’ ને ‘મહત્ત્વ’ – એ બે પદોનો વિનિયોગ નોંધવા જેવો છે. ઉમાશંકર આ રીતના પદપ્રયોગોથી પંક્તિને સૂત્રાત્મકતા અર્પી તેની અવતરણક્ષમતા સિદ્ધ કરે છે. આવાં અનેક દૃષ્ટાંતો ‘પ્રાચીના’માં મળે એમ છે. – ચં૰