પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવનું ભાષણ | બીજી ગુજરાતી સાહિ...")
 
No edit summary
Line 29: Line 29:
<Center>'''પરિષદ મળવાનાં સ્થાન'''</center>
<Center>'''પરિષદ મળવાનાં સ્થાન'''</center>
પરિષદનો પ્રથમ મેળાવડો બે વર્ષ ઉપર તેને જન્મ આપનારી સાહિત્યસભાના નિવાસસ્થાન અમદાવાદમાં મળ્યો હતો. પનોતા પ્રેમે ઉછેરેલા બાળકને તેની માતા આજે આ રત્નાકરની પુત્રી મુંબઈના ખોળે મૂકે છે. અહીં એક તરફ મહાસાગર ગંભીર ગાન કર્યા કરે છે, સદાગતિ કોઈ સમયે વાંસળીના તો કોઈ સમયે ભેરીના સૂર કાઢતો વહી જાય છે ને ઋતુઓ પ્રકૃતિનો રાસ રમ્યા કરે છે. અહીં સ્પર્ધામાં ધૂઆંપૂઆં થતા સંચાઓ વેગભેર ભમી રહ્યા છે, ઘાઈધેલી વરાળની અને વીજળીની ગાડીઓ એક છેડેથી બીજે છેડે દોડધામ કરી રહે છે ને વ્યાપારનાં શેતરંજનાં મહોરાંઓ સર્વત્ર ફેલાઈ જઈ, અનેકાનેક દાવ ખેલતા ચોપટનું ધાંધલ મચાવી રહ્યાં છે. એવા પ્રવૃત્તિના ધામમાં પરિષદનાં પગલાં વળવાં ઉચિત જ છે. મુંબઈનું વાતાવરણ વ્યાપારના કોલાહલોને તેમજ વિદ્યાનાં આંદોલનોને અવકાશ આપવા પૂરતું વિશાળ ને અનુકૂળ છે. અહીં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, ત્રૈમાસિક ને અન્ય સામયિક પત્રો સર્વદેશી ચર્ચા ચલાવ્યાં કરે છે. અનેક વિદ્યાપરાયણ સંસ્થાઓ લેખથી ને ભાષણથી શોધખોળને વિદ્યાવૃદ્ધિમાં આગળ ને આગળ પગદંડો કર્યે જાય છે. સંગીત, શિલ્પ, ચિત્ર, સ્થાપત્ય આદિ કળા, કોઈ વ્યક્તિના તો કોઈ સંયુક્ત મંડળના પ્રયત્નથી, વિકાસ પામવાનું કરે છે. આ પશ્ચિમ હિંદુસ્તાનનું પાટનગર દક્ષિણમાં આવ્યું છતાં આપણા દાક્ષિણાત્ય બંધુનું જ કંઈ નથી; આપણું પણ છે. ગુજરાતના પ્રબોધના ઇતિહાસમાં સ્થાન પામવા યોગ્ય બુદ્ધિવર્ધક સભાનું આ મુંબઈ જ કાર્યાલય હતું. ફાર્બસ સભાની સંચિત શક્તિના ભાવી વ્યાપારનું ક્ષેત્ર તે આ જ છે. મરાઠી ને કાનડીની સાથે ગુજરાતી સાહિત્યને એમ.એ. માં આવકાર આપનાર શારદાપીઠનું આ ધામ છે. પેશવાઈનું પૂના ભલે દક્ષિણીનું જ કહેવાઓ, સલ્તનતનું અમદાવાદ ભલે ગુજરાતીનું જ ગવાઓ અને અમીરાતનું હૈદ્રાબાદ સિંધી બાંધવોનું જ ભલે લેખાઓ. મુંબઈ તો સર્વનું જ છે ને આપણું તો છે જ. પારસી અને મુસલમાન બંધુઓ સાથે ગુજરાતી હિંદુઓએ જ મુંબઈને સોનાની મુંબઈ બનાવી છે. તેમના મધ્યમાં એટલે સ્વજનના મધ્યમાં – આપ્ત મંડળમાં – પરિષદ સાહિત્યની અભિવૃદ્ધિની ચર્ચા ચાલુ રાખવાને મળેલ છે.
પરિષદનો પ્રથમ મેળાવડો બે વર્ષ ઉપર તેને જન્મ આપનારી સાહિત્યસભાના નિવાસસ્થાન અમદાવાદમાં મળ્યો હતો. પનોતા પ્રેમે ઉછેરેલા બાળકને તેની માતા આજે આ રત્નાકરની પુત્રી મુંબઈના ખોળે મૂકે છે. અહીં એક તરફ મહાસાગર ગંભીર ગાન કર્યા કરે છે, સદાગતિ કોઈ સમયે વાંસળીના તો કોઈ સમયે ભેરીના સૂર કાઢતો વહી જાય છે ને ઋતુઓ પ્રકૃતિનો રાસ રમ્યા કરે છે. અહીં સ્પર્ધામાં ધૂઆંપૂઆં થતા સંચાઓ વેગભેર ભમી રહ્યા છે, ઘાઈધેલી વરાળની અને વીજળીની ગાડીઓ એક છેડેથી બીજે છેડે દોડધામ કરી રહે છે ને વ્યાપારનાં શેતરંજનાં મહોરાંઓ સર્વત્ર ફેલાઈ જઈ, અનેકાનેક દાવ ખેલતા ચોપટનું ધાંધલ મચાવી રહ્યાં છે. એવા પ્રવૃત્તિના ધામમાં પરિષદનાં પગલાં વળવાં ઉચિત જ છે. મુંબઈનું વાતાવરણ વ્યાપારના કોલાહલોને તેમજ વિદ્યાનાં આંદોલનોને અવકાશ આપવા પૂરતું વિશાળ ને અનુકૂળ છે. અહીં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, ત્રૈમાસિક ને અન્ય સામયિક પત્રો સર્વદેશી ચર્ચા ચલાવ્યાં કરે છે. અનેક વિદ્યાપરાયણ સંસ્થાઓ લેખથી ને ભાષણથી શોધખોળને વિદ્યાવૃદ્ધિમાં આગળ ને આગળ પગદંડો કર્યે જાય છે. સંગીત, શિલ્પ, ચિત્ર, સ્થાપત્ય આદિ કળા, કોઈ વ્યક્તિના તો કોઈ સંયુક્ત મંડળના પ્રયત્નથી, વિકાસ પામવાનું કરે છે. આ પશ્ચિમ હિંદુસ્તાનનું પાટનગર દક્ષિણમાં આવ્યું છતાં આપણા દાક્ષિણાત્ય બંધુનું જ કંઈ નથી; આપણું પણ છે. ગુજરાતના પ્રબોધના ઇતિહાસમાં સ્થાન પામવા યોગ્ય બુદ્ધિવર્ધક સભાનું આ મુંબઈ જ કાર્યાલય હતું. ફાર્બસ સભાની સંચિત શક્તિના ભાવી વ્યાપારનું ક્ષેત્ર તે આ જ છે. મરાઠી ને કાનડીની સાથે ગુજરાતી સાહિત્યને એમ.એ. માં આવકાર આપનાર શારદાપીઠનું આ ધામ છે. પેશવાઈનું પૂના ભલે દક્ષિણીનું જ કહેવાઓ, સલ્તનતનું અમદાવાદ ભલે ગુજરાતીનું જ ગવાઓ અને અમીરાતનું હૈદ્રાબાદ સિંધી બાંધવોનું જ ભલે લેખાઓ. મુંબઈ તો સર્વનું જ છે ને આપણું તો છે જ. પારસી અને મુસલમાન બંધુઓ સાથે ગુજરાતી હિંદુઓએ જ મુંબઈને સોનાની મુંબઈ બનાવી છે. તેમના મધ્યમાં એટલે સ્વજનના મધ્યમાં – આપ્ત મંડળમાં – પરિષદ સાહિત્યની અભિવૃદ્ધિની ચર્ચા ચાલુ રાખવાને મળેલ છે.
<br>
<br>
<Center>'''સાહિત્ય તે શું?'''</center>
જેની અભિવૃદ્ધિ પરિષદને ઇષ્ટ છે તે સાહિત્ય તે શું? કેટલાક કાવ્ય–નાટકને સાહિત્ય કહે છે. બીજા નવલકથાને સાહિત્યમાં ઉમેરે છે. ત્રીજા ચરિત્રગ્રંથને ભેગા ગણે છે. ચોથા નીતિ નિબંધની સાહિત્ય કોટીમાં ગણના કરે છે. પાંચમા પ્રવાસનાં વર્ણનોનો સાહિત્યમાં સમાસ કરવા માગે છે. છઠ્ઠા ગિબનકૃત રોમના સામ્રાજ્યની પડતી ને પાયમાલીની તવારીખને સાહિત્યમાં ઊંચું સ્થાન આપે છે. એમ સાહિત્યની મર્યાદા મુસાફરની દૃષ્ટિમર્યાદાની પેઠે આઘી ને આઘી જાય છે. આપણા પૂર્વજોએ તો સાહિત્યને વાઙ્મય નામ આપી તેમાં સર્વનો સમાવેશ કર્યો છે. જે કંઈ સંસ્કારી સ્થાયી ભાષામાં લોકોત્તર લેખ કે કથન તે સાહિત્યસંજ્ઞાને પાત્ર છે. વાણી, જંગલી મનુષ્યને ભરતમુનિ જેને વાચિક અભિનય કહે છે, તેની જ ગરજ સારે છે. તિર્યગજાતિમાં અવ્યક્ત ધ્વનિ જે કામ બજાવે છે, તેના જેવું જ કામ જંગલી મનુષ્યમાં વ્યક્ત વાણી બજાવે છે. વ્યક્તિની જ લાગણીનો તે યાદૃચ્છિક ઉદ્ગાર બને છે. અન્યને બોધ, તે માત્ર આનુષંગિક છે. સુધરેલા મનુષ્યમાં, જેમ નાણું દ્રવ્યના વિનિમયને માટે અને મૂલ્યના સંતોલનને માટે લેખાય છે, તેમ વાણી વિચારના વિનિમયને માટે અને ભાવના સંવિભાગને અર્થે, વ્યવહારનું મુખ્ય અને મહત્ત્વનું સાધન બને છે. કેળવાયલા મનુષ્યને વાણી આવા લૌકિક વ્યવહાર કરતાં લોકોત્તર પ્રયોગને માટે વધારે ઇષ્ટ છે. સામાન્ય મનુષ્ય જ્યારે બોલીને બોલવાને માટે જ શુકવત વાપરે છે, ત્યારે બોલી બોલાતાં આપોઆપ પળાતા ઉચ્ચારણના નિયમોનું શાબ્દિક તેમાંથી દોહન કરે છે. બોલીના બોલોને બોલાતા કરી તેમની સાત પેઢીનો ઇતિહાસ કઢાવે છે. વળી વૈયાકરણી એક વાક્યમાં શબ્દો કૌટુંબિક બની શી રીતે પરસ્પર સંકળાય છે તેના નિયમો સાધે છે, બોલીફેરનું સ્વરૂપ નોંધે છે અને શબ્દસિદ્ધિની સાથે શબ્દશુદ્ધિ નિર્ધારે છે; તથા એક રાષ્ટ્રને માટે એક લિપિનો અને એક ભાષાનો પ્રશ્ન આડકતરી રીતે વિચારે છે. વાણીનાં વર્ણબદ્ધ મૂળતત્ત્વોને એક વર્ગ જ્યારે ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ નિહાળે છે, ત્યારે અન્ય વર્ગ શબ્દોના ભાવપ્રદર્શક સામર્થ્યને જ પકડી લઈ, લોકોત્તર ભાવચિત્રનાં કાવ્ય રચે છે, બુદ્ધિસંવાદી અલંકારથી શણગારે છે, હૃદયસંવાદી છંદોમાં ગોઠવે છે ને શ્રોત્રસંવાદી સંગીતમાં ઉતારે છે. ત્રીજો વર્ગ, સંસ્કારી હૃદયના ઉચ્ચ વિશુદ્ધ સંસ્કારો જે ધાર્મિક અને તાત્ત્વિક ચિંતનમાં તથા આધ્યાત્મિક ને નૈતિક પરીક્ષણમાં પરિણામ પામે છે, તેના ઉલ્લેખથી સાહિત્યને બળત્તર બનાવે છે ચોથો વર્ગ, જેના જીવનની એક પણ કળા રાષ્ટ્રના ઉત્કર્ષને માટે પ્રકાશી હોય, તેવી વ્યક્તિનાં ચરિત્રને ચારિત્રની ચિત્રાવળીથી અને નિજમંડળ તથા અન્યમંડળના સામાજિક અને રાજકીય ઇતિહાસના સંદર્ભની સાહિત્યને શણગારે છે. પાંચમો વર્ગ ઇતિહાસની પતાકા ને પ્રકરીરૂપ સંસારશાસ્ત્રનાં વિવિધ અંગો ખિલાવે છે. એવી રીતે મનુષ્યજીવન ઉચ્ચ કરવાને; દુઃખનો ભાર હલકો કરવાને અને સાત્ત્વિક સુખની સંપત્તિ વધારવાને અભિનયકળા, ગાનકળા, ચિત્રકળા, શિલ્પકળા, સ્થાપત્યકળા અને મોટાઈનો દેખાવ ન કરનારી સાદી ગૃહ-કળાઓનું વિવેચન વળી અન્ય વર્ગો કરે છે. આ ઉપરાંત આવો જ આડકતરાતો સંબંધ ઊંચી કેળવણીમાં સર્વત્ર દેશી સાહિત્યને સ્થાન આપવાની અને સામાન્યવર્ગમાં ઉપયોગી રસાયાનાદિ વિદ્યાનું સામાન્ય જ્ઞાન ફેરવવાની ચર્ચા સાહિત્ય સાથે ધરાવે છે.
<br>
<br>
<Center>'''આરંભ ક્યારથી?'''</center>
પરિષદ જે સાહિત્યના વિકાસ માટે ઉદ્યુક્ત છે, તે ગુજરાતી સાહિત્યનો આરંભ પાંચસો વર્ષ ઉપર થયો એમ સામાન્ય રીતે મનાય છે. સર્વે ભાષામાં કાવ્ય સાહિત્ય જ પહેલવહેલું ખેડાય છે, તે પ્રમાણે આપણી ભાષામાં પ્રથમ કવિતા જ લખાયલી બહુધા મળી આવે છે. ગુજરાતી ભાષામાં આદિ કવિનું માન નરસિંહ મહેતાને સર્વાનુમતે અપાય છે. વિશેષમાં એમ પણ માનવું છે કે, એ રસિક નાગરકવિના સમય પહેલાંનું સાહિત્ય તે प्राकृत કે अपभ्रंश સાહિત્ય, ગુજરાતી સાહિત્ય નહિ. આ રીતે એ ભક્તરાજનું નામ કવિઓની કાલાનુપૂર્વી દર્શાવવામાં જ નહિ, પણ ભાષાઓની મર્યાદા બાંધવામાં પણ કામે લગાડાય છે. અત્યાર સુધીમાં જે જૂજ શોધખોળ થઈ છે, તેમાં નરસિંહ મહેતાની પૂર્વ થયેલા કોઈ સમર્થ કવિનું નામ મળી આવ્યું નથી, કે જે એમને આદિકવિના સ્થાનથી ઉથલાવી પાડે. પરંતુ ભાષાની બાબતમાં તો કહેવું જોઈએ કે ઈસવીસનના પંદરમા શતકની મર્યાદા જે બંધાયલી છે તે ચારસો–પાંચસો વર્ષ અથવા કદાચ તેથી પણ બેએક સદી વધારે પાછી હઠાવવી પડશે. કોઈ કહેશે કે, તમે તો ભીમદેવ અને સિદ્ધરાજના સમયની વાતો કરો છો; પણ હેમચંદ્રાચાર્ય જ તે સમયની ભાષાને એમની અષ્ટાધ્યાયીમાં अपभ्रंश નામ આપે છે. એ કહેવું ખરું છે. પણ अपभ्रंश નામથી ભુલાવો ખાવાનો નથી. જો નામથી જ દોરાઈએ, તો અખાની વાણીને ગુજરાતી ય નહિ, अपभ्रंश નહિ, પણ प्राकृत કહેવી પડશે; કેમ કે વેદાંતી કવિ પોતે જ તેને प्राकृत નામ આપે છે. ભાલણ ને પદ્મનાભ પણ કાદંબરી અને કાન્હડદેપ્રબંધ प्राकृतમાં લખ્યાનું જણાવે છે. એ કાવ્યોની ભાષા महाराष्ट्री, शौरसेनी, मागधी के पैशाची નથી, પણ ગુજરાતી જ છે. કેવળ નામ ઉપર આધાર રહેતો હોય, તો નરસિંહ મહેતાને ગુજરાતીના આદિ કવિ કહી શકાશે નહિ; કેમ કે તેમના પોતાના જ શબ્દોમાં કહીએ, તો તેમનું સુરતસંગ્રામ કાવ્ય ‘अपभ्रष्ट गिरा’માં એટલે કે अपभ्रंशમાં છે. જેવી રીતે આપણા આ આદિ કવિના ઉત્તમ કાવ્યની ભાષા अपभ्रंश નામે ઓળખાવ્યા છતાં ગુજરાતી જ છે, તેવી રીતે હેમચન્દ્રાચાર્યની अष्टाघ्यायीનો अपभ्रंश તે ગુજરાતી જ છે. જેટલે દરજ્જે વૈદિક ભાષા જે સામાન્ય રીતે संस्कृत નામથી ઓળખાય છે, તે લૌકિક संस्कृतથી ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ભિન્ન છે, તેટલે દરજ્જે અથવા તેથી પણ વિશેષ अपभ्रंश, જે प्राकृत નામથી પ્રસિદ્ધ છે તે महाराष्ट्री આદિ प्राकृतથી ભિન્ન છે. प्राकृतનું વ્યાકરણ-કલેવર संस्कृत વ્યાકરણનાં મૂળતત્ત્વોનું બંધાયલું છે. જે Synthetical stage એટલે સમસ્ત દશામાં संस्कृत છે, તે જ દિશામાં નિર્દિષ્ટ प्राकृत છે. संस्कृतના જ રૂપાખ્યાનના પ્રત્યયો ઘસાયલા ઘસાયલા प्राकृतમાં કાયમ રહ્યા છે. अपभ्रंशમાં એ પ્રત્યયો છેકાછેક ઘસાઈ જઈ, તેમની જગા નવા પ્રત્યયોથી પૂરવામાં આવે છે. નામનું પ્રથમના એકવચનનું प्राकृत રૂપ અને ક્રિયાપદનું વર્તમાનકાળનું અંગ, એ अपभ्रंशમાં મૂળ બને છે ને તેના ઉપર સમગ્ર રૂપાખ્યાનની ઇમારત બંધાય છે. એ રીતે જેને Analytical stage એટલે વ્યસ્તદશા કહે છે; તેમાં अपभ्रंश ભાષાને પ્રવેશ કરતી આપણી જોઈએ છીએ.
<br>
<br>
<center>'''ગુજરાતી ભાષાના ત્રણ યુગ'''</center>
વાસ્તવિક રીતે ગુજરાતી ભાષાના ત્રણ યુગ છે. ઈસવીસનના દસમા અગિયારમા શતકથી ચૌદમા શતક સુધીનો પહેલો યુગઃ પંદરમા શતકથી સત્તરમા શતક સુધીનો બીજો અને તે પછીનાં શતકોનો ત્રીજો. પહેલા યુગની ભાષાને अपभ्रंश કે પ્રાચીન ગૂજરાતી નામ આપવું ઘટે છે. બીજા યુગની ગૂજરાતી જે સામાન્ય રીતે હાલમાં જૂની ગૂજરાતીના નામથી ઓળખાય છે, તેને મધ્યકાલીન ગૂજરાતી કહેવી યોગ્ય છે. ત્રીજા યુગની ગૂજરાતીને અર્વાચીન ગૂજરાતી સંજ્ઞા આપવામાં મતભેદ હોય જ નહિ. પહેલાં પાંચ શતકોની ભાષા ગુજરાતી છે તેની પ્રતીતિ સારુ કાલક્ષેપનો ઉપાલંભ વહોરીને પણ, શતકવાર ઉદાહરણ આપવાની જરૂર છે. એ પાંચ શતકના સાહિત્યને ગેરઇન્સાફ થયો છે. કેમ કે મધ્યકાલીન ગૂજરાતીને જ પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અને પ્રાચીન કાવ્યમાલાના અભિમત તંત્રી ગૂજરાતી ગણવા ના પાડે છે, ત્યાં પ્રાચીન ગૂજરાતીનો તો ધડો જ થવો કેવો! માતાપિતા મોટાં છોકરાંને ઇનકાર કરી નાવારસ ઠેરવે ને નાના બાળકને જ કબૂલ રાખે તેના જેવું આ તો થાય છે. અવમાનિત સાહિત્યની શોધખોળ થતી નથી, અભ્યાસ થતો નથી, ચર્ચા થતી નથી ને તેને ન્યાય મળતો નથી. આંધળે બહેરું કુટાય છે ને ગૂજરાતી અગૂજરાતીની યોગ્યતા તપાસાયા વગર અવળું વેતરાયે જાય છે. વગર ઓળખ્યે અથવા ભૂલમાં અથડાઈ અજ્ઞાનના અંધારામાં પ્રકાશની રાહ જોયા વગર આપણે આપણા સાહિત્યવડની જમીનમાં ઊંડી ઊતરેલી વડવાઈઓ વાઢી નાંખવા પ્રવૃત્ત થઈએ છીએ. આ સાહસ અટકાવવા તે તે શતકની ભાષાનાં ઉદાહરણ નીચે આપવામાં આવે છે.
<br>
<br>
<center>'''ચૌદમા–પંદરમા શતકનું ગૂજરાતી'''</center>
શ્રીકૃષ્ણના ભક્ત નરસિંહ મહેતાને જૂનાગઢના શિવભક્ત રા’મંડળિક સાથે વાદ પડ્યો, તે અરસામાં ઉતારાયલા वसन्तविलासમાંથી કેટલીક કડીઓ પ્રથમ આપીએ છીએ. એ કાવ્યની એક લિખિત પ્રત ડેક્કન કૉલેજના સરકારી સંગ્રહમાં પણ છે. જૂના ગૂજરાતશાળાપત્રમાં પૂર્વે એ કાવ્ય મારા તરફથી છપાયું હતું. એમાંથી દસ જ વૃત્ત અહીં ઉતારું છું.
खेलन वा वि सुखाली (जाली गूरव विश्राम) ।
मृगमदपूरि कपूररिहिं पूरि हिं जल अभिराम ।।
अभिनव परि शिणगारी नारी रमइं विसेसि ।
चन्दन भरइं कचोली, चोली मण्डन रेसि ।।
कामुक जन मन जीवन तों वन नगर सुरङ्ग ।
राजु करंइ अभङिगहिं रङिगहिं राउ अनङ्ग ।।
कुसुम तणूं करि धणह रे गुण ह भमरलामाल ।
लख लाघवि नवि चुकए मूकए सर सुकुमाल ।।
इम देखी रिद्धी कामनी कामनी किंनरकष्ठि ।
नेहगहेली माननी माननी मूकइं गण्ठि ।।
केसू कली अति वांकुडी आंकुडी मयणची जाणि ।
विरहिणीनां इणं कालि ज कालिज काढइ ताणि ।।
सकल कला तुं निशाकर शा करं सइरि संताप ।
अबला म मारि कलङ्की शङकी भ्या इवं पाप ।।
बहिन् रहि नहों मनमथ मन मथतु दीह राति ।
अङ्ग अनोपम शोषए पोषए वइरणि राति ।।
विरह सहू ते भागलु कागलु करलउ पेखि ।
वायसना गुण वरणए अरण ए त्यजइ विशेखि ।।
मुख आगलि तूं मलिनरे नलिन जई जलि नाहि ।
दन्तह बीज दिखाडि म दाडिम तूं मुख माहि ।।
ઉપરના ઉતારામાં નરસિંહ અને પદ્મનાભમાં મળી આવતો चो પ્રત્યય, ભાલણમાં મળી આવતું करं રૂપ ને પદ્મનાભમાં મળી આવતો लउ પ્રત્યય વિદ્યમાન છે. તે ઉપરાંત જેને બીજી કે ચોથી વિભક્તિ કહે છે તેના અર્થમાં प्राकृत દ્વિતીયા-ષષ્ઠીના दन्तह રૂપનો પ્રયોગ એમાં ધ્યાન ખેંચે છે. વળી અર્વાચીન હિંદી મરાઠીના સામાન્ય કૃદંતનું પૂર્વરૂપ खेळनहै. व्या. ૮-૪-૪૪૧ । तुम तवे मणाणहमणा हमणाहं च । સૂત્રની સ્મૃતિ આપે છે, તથા પ્રાચીન ગૂજરાતીનો रेसि પ્રત્યય है. व्या । ૮।૪।૪૨૫ । तादर्थ्ये केहिं-तेहिं-रेसि-रेसिं-तणेणाः । સૂત્ર યાદ દેવરાવે છે. આ રૂપ ને પ્રત્યય પંદરમા શતકથી જૂનાં હોવાથી આપેલો ઉતારો ચૌદમા શતકની ભાષાનું પણ ભાન કરાવવા સમર્થ છે. આથી તે શતકની ભાષાનાં દૃષ્ટાંત प्राकृत पिंगल सूत्रમાંથી શોધતા નથી. એ ગ્રન્થમાં લક્ષણ બાંધ્યાં છે તે મધ્યકાલીન ગૂજરાતીમાં છે; ને ઉદાહરણો પણ મોટે ભાગે તે જ ભાષામાં છે.
<br>
<br>
<center>તેરમા શતકનું ગૂજરાતી</center>
તેરમા શતકની લોકભાષાનાં ઉદાહરણ મેરુતુંગ પૂરાં પાડે છે. એણે प्रबन्ध चिन्तामणि રચ્યાની સાલ ઈ.સ. ૧૩૦૫ છે. તેથી મધ્યમ ગણતરીએ એના પ્રબંધોમાંનું अपभ्रंश સાહિત્ય તેરમા શતકનું લેખીએ છીએ. નીચેના દુહા मुङ्जराजप्रबन्धમાંથી લીધા છે.
मुञ्जु भणइ मुणाल वइ जुव्वणु गयउ म झूरि ।
जइ सक्कर सय खण्ड थिय तोइ सु मिट्टी चूरि ।।
जा मति पच्छइ संपजइ सा मति पहिली होइ ।
मुञ्जु भणइ मुणालवइ विधन न वेढइ कोइ ।।
झोली तुट्टिवि किंन मुअउ किं न हुउ छारह पुञ्ज ।
घरि घरि नच्चावी यइ जिम मक्कड त्तिम मुञ्ज ।।
सायरु खाई लङ्क गढ गढ वइ रावण राउ ।
भग्ग करवइ सवि भञ्जि गय मुञ्ज म करउ विसाउ ।।
નીચેનાં રાણકદેવીનાં વચનો ‘સિદ્ધરાજપ્રબંધ’માં ધ્યાન ખેંચનારાં છે.
तइं गढुआ गिरनार काहु मणि मच्छर धरिउ ।
मारितां खेंगार एकु वि सिहरु न ढालिउ ।।
जेसल मोडि म वाह वलि वलि विसूउ भावि यइ ।
नइ जिम नवा प्रवाह नवघण विणु आवइ नहि ।।
वाटी तउ वढवाण वीसारतां न वीसरइ ।
सोनासमा पराण भोगावह तइं भोगवइ ।।
નીચેનાં સુભાષિત પણ મન હરે એવાં છે.
जइआ रावणु जाइउ दहमुहु इक्कसरीउ ।
जणणी पीहली चिंतवइ कवणु पिया विह खीरु ।।
एहु जम्मु गयु नग्गउ भडसिरि खग्गु न भग्गु ।
तिक्खां तुरां न माणिआं गोरीगलइ न लग्गु ।।
कसु करु पुत्तकलत्तधी कसु करु करसण वाडि ।
आइवु जाइवु एकला हत्थ बिन्नि वि झाडि ।।
<br>
<br>
<center>'''અગિયારમા–બારમા શતકનું ગુજરાતી'''</center>
હવે अपभ्रंश કિંવા પ્રાચીન ગૂજરાતીનાં વ્યાકરણ આદિપ્રવર્તક અને प्राकृत બોલીઓના પાણિનિ હેમચંદ્રાચાર્ય તેમની अष्टाध्यायीમાંથી ઉદાહરણ ઉતારીએ છીએ. એ સમર્થ ગુર્જર ગ્રન્થકારનો સમય ઈ.સ. ૧૦૮૮–૧૧૭૨ છે. આથી એના अपभ्रंश ખંડમાં સંગ્રહેલું સાહિત્ય બારમા અને અગિયારમા શતકની લોકભાષાના દૃષ્ટાંત તરીકે લઈએ છીએ.
वायसु उड्डावन्ति अइ पिउ दिठ्ठउ सहसत्ति ।
अद्धा वलया महिहि गय अद्धा फुट्ट तडत्ति ।।
हिअडा फुट्टि तडत्ति करि काल क्खेंवें काइं ।
देक्खंउ हय विहि कहिं ठवइ पइ विणु दुक्खस याइं ।।
साहु वि लोउ तडप्फडइ वड्डत्तणह तणेण ।
वड्डप्पणु पुणु पाविअइ हत्थि मोकलडेण ।।
जइ न सु आवइ दुइ घर कांइ अहो मुहु तुज्झु ।
वयणु जु खण्डइ तउ सहिए सो पिउ होइन मुज्झु ।।
जइ स सणेही तो मुइअ अह जीवइ निन्नेह ।
विहिंवि पयारेहिं गइ अधण किं गज्जइ खल मेह ।।
बप्पीहा पिउ पिउ भणवि कित्तिउ रुअहि हयास ।
तुह जलि महु पुणु वल्लहइ विहुंवि न पूरिअ आस ।।
हिअइ खुडुक्कइ गोरडी गयणि धुडुइक्क मेहु  ।
वासारत्तिं पवासु अहं विसमा संकडु एहु ।।
तं तेत्तिउ जलु सायर हो सो तेवडु वित्थारु ।
तिसहे निवारणु पलु विनवि पर घुध्धुअइ असारु ।।
जं दिठ्ठउ सोमग्गहणु असइर्हि हासउ निसड्कु ।
पिअमाणु स बिच्छोहगरु गिलि मिलि राहु मयड्कु ।।
अन्ने ते दीहर णअण अन्नु तं मुअजु अलु ।
अन्नु सु घणथणहारु तं अन्नु जि मुहकमलु ।।
अन्नु जि केस कलावु सु अन्नु जि पाउविहि ।
जेण णिअम्बिणि घडिअ स गुणलावण्णनिहि ।।
पिअंसगमि कउ निद्दडी पिअहों परो कखहो केम्ब ।
मइं बिन्निबि विन्नासिआ निद्द न एम्व न तेम्व ।।
जाइज्जाइ तहिं देसडइ लब्भइ पियहो पमाणु ।
जइ आवइ तो आणिअइ अहवा तं जि निवाणु ।।
जइ पवसन्ते सहु न गय न मुअ विओए तस्सु ।
लज्जि ज्जइ संदेसडा दिन्तिहिं सुहय जणस्सु ।।
खज्जइ नउ कसरक्केहिं पिज्जइ नउ घुण्टेहिं ।
एम्वइ होइ सुहच्छडी पिएं दिठ्ठें नयणेहि ।।
सिरि जरखण्डी लोअडी गलि मणियडा नवीस ।
तोवि गोठ्ठडा कराविआ मुद्धए उठ्ठ वईस ।।
अबभा लग्गा डुङ्गरिहिं पठिउ रडन्तउ जाइ ।
जो एहा गिरि गिलणमणु सो किं धणहें धणइं ।।
सिरि चडिआ तोडन्ति फल पुणु डालइं मोडन्ति ।
तोवि महद्दुम सउणाहुं अवराहिउ न करन्ति ।।
નીચેના બે દુહા મુંજ રાજાને લગતી પ્રાચીનતર લોકકવિતાના હોઈ લક્ષ રોકે છે.
रक्खइ सा विसहारिणी ते कर चुम्बिवि जीउ ।
पडि बिम्बि अमुञ्जालु जलु जेहिं अडोहिउ पिउ ।।
वाह विछोडवि जाहि तुहुं हुउ तेम्बइ को दोसु  ।
हिअ अठ्ठिअ जइ नीसरहि जाणंउ मुञ्ज सरोसु ।।
હેમચંદ્રાચાર્યનો સંગ્રહ મોટો છે. મહાભારત ભાગવત આદિ કાવ્યો તેમના સમયમાં અથવા તે પહેલાં રચાયેલાં હતાં. અને अपभ्रंश સાહિત્ય એટલે કે પ્રાચીન ગૂજરાતી સાહિત્ય સારું ખેડાયલું હતું, તેની એમના ઉતારામાં આપણને ઝાંખી થાય છે. વળી, ગૌડમંડળમાં કવિ જયદેવે गीतगोविन्दથી રાધાકૃષ્ણની પ્રીતિ ગાઈ તે પહેલાં ગૂર્જરભૂમિમાં એ રસરાજના અધિષ્ઠાતાની અને એ રાસેશ્વરીની પ્રેમગાથા अपभ्रंश કવિઓ ગાઈ રહ્યા હતા, તેનું પણ સંગ્રહિત વચનોથી ભાન થાય છે. પરંતુ એ બધા ફકરા અહીં ઉતારવા જેટલો અવકાશ નથી. આ ટૂંકી નોંધ, ગૂજરાતી સાહિત્યના આરંભનો અવધિ અગિયારમા શતકની પણ પૂર્વે જાય છે, તેનો સહજ ખ્યાલ આપવા માટે છે.
<br>
<br>
<Center>'''બીજા અપભ્રંશ સાહિત્યનો સહજ નિર્દેશ'''</Center>
प्राकृतदुयाश्रयને પ્રસિદ્ધ कुमारपाळचरितના છેલ્લા સર્ગનો પાછલો ભાગ હેમચંદ્રાચાર્યે अपभ्रंशમાં રચેલો છે. મુંજરાજના સમયમાં થયેલા અમિતગતિના શિષ્યનો छक्कमोवएसो પણ अपभ्रंशમાં છે. વળી મહાકવિ કાલિદાસના विक्रमोर्वशीयના ચોથા અંકમાં જે પ્રક્ષિપ્ત ભાગ મળી આવે છે તે પણ अपभ्रंश છે. साहित्यदर्पणના કર્તા વિશ્વનાથ कर्णपराक्रम નામે कडवकबબદ્ધ મહાકાવ્ય अपभ्रंशમાં રચાયાનું લખે છે. જૈન ભંડારોમાં, બારીક તપાસ કરાશે તો ઘણાં અમૂલ્ય રત્નો નીકળી આવવાનો સંભવ છે. अपभ्रंश સાહિત્ય બહાર પડવાથી આપણી ભાષાની તેમજ બંગાળી, હિંદી, મરાઠી વગેરે બીજી પણ અર્વાચીન ભાષાની ઉત્પત્તિ ઉપર અપૂર્વ પ્રકાશ પડશે. બૌદ્ધોની पाली અને જૈનોની अर्धमागघी वैदिक महासंस्कृत સાથે જે સંબંધ ધરાવે છે, તેના કરતાં પણ વધારે નિકટનો સંબંધ આપણી अपभ्रंश ભાષા સાથે એ બધી ભાષાઓ ધરાવે છે.
<br>
<br>
<Center>'''પ્રથમ યુગનું ઉત્તેજક સાહિત્ય'''</Center>
ઉપરની હકીકત ધ્યાનમાં લેતાં ગુજરાતી સાહિત્યની કાલમર્યાદા હજારેક વર્ષની થવા જાય છે. આટલું જૂનું સાહિત્ય તેની ભગિનીઓના ભંડારમાં મળી આવતું નથી, તેને લીધે એ સવિશેષ મૂલ્યાવાન બને છે. એ સાહિત્યના આપણે ત્રણ યુગ પાડ્યા હતા. પ્રથમ યુગનું પ્રાચીન ગૂજરાતી સાહિત્ય નિર્મળ પ્રેમભાવના પોષતું ને ઉજ્જવળ દેશભક્તિથી ઊભરાતું ઉત્સાહપૂર્ણ છે. જે કાળમાં જેવી દેશની સ્થિતિ, તેવું તેનું તે કાળનું સાહિત્ય હોય છે. મહારાણી ઇલિઝાબેથના રાજ્યકવિથી આજ પર્યંત આપણા પ્રતાપી રાજકર્તાઓનો ઉત્તરોત્તર અધિકાધિક ઉદય થતો આવ્યો છે; તો તેમનું સાહિત્ય પણ એ સદીઓનું પરમ તેજસ્વી અને ઉત્કર્ષશાળી છે. ઈસવીસનની અગિયારમી, બારમી ને તેરમી સદી ગૂજરાતના પરમ અભ્યુદયની હતી. ચાંચિયા અને લૂંટારાને શાસન થતાં કરી વ્યાપાર જળમાર્ગે ને સ્થળમાર્ગે ધમધોકાર ચાલી રહ્યો હતો. દેશનો ઉદ્યોગ ખિલાવવાને માટે બહારથી શિલ્પીઓ તેડાવી વસાવ્યા હતા. કુરુક્ષેત્ર, પાંચાલ, શુરસેન, પ્રયાગ, અયોધ્યા આદિ સ્થળના શ્રોત્રિય બ્રાહ્મણોને આણી, દેશમાં જુદે જુદે સ્થાને સ્થાપ્યા હતા. વિદ્વાનોને સંપૂર્ણ આશ્રય મળી રહ્યો હતો; તે એટલે સુધી કે, હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ હાથીની અંબાડીમાં રાજદરબારી સવારીના ઠાઠથી મોટી ધામધૂમ સાથે મહારાજા સિદ્ધરાજના સરસ્વતી ભંડારમાં પધરાવવામાં આવ્યું હતું. સિંધ, માળવા, કનોજ, અયોધ્યા, ચેદિમંડળ, અપરાંત અને ચૌલમંડળપર્યંત દિગ્વિજયી ગુર્જરવીરોની વીરહાક ગાજી રહી હતી. આવા સમયના સાહિત્યમાં શૂરાતનની જ્વાળા અને સ્વદેશપ્રીતિની જ્યોતિ ભભૂકી રહે તે સ્વાભાવિક છે. સાહિત્યના ઉત્કર્ષ સાથે દેશનો ઉત્કર્ષ સંધાયલો જ છે. નાખી નજર ના પહોંચે એવા જે પ્રાચીનયુગમાં, પ્રકૃતિની વિવિધ વિભૂતિમાં પ્રકાશતા દિવ્ય સત્ત્વનો મહિમા ઋષિઓએ ગાયો, તે જ યુગમાં આર્યોના આધિપત્યે આર્યાવર્તને આર્યાવર્ત બનાવ્યો, જે સમયે ઉપનિષદ સાહિત્યની પરમોજ્જવળ બ્રહ્મભાવના પ્રગટી, તે સમયે ગાર્ગી, વિકન્વ આદિ મહિલાઓ પૂજાઈ અને અરુંધતી સપ્તર્ષિની પંક્તિમાં માન્યપદ પામી. જે જમાનાએ રામાયણ અને મહાભારત જેવી વિશ્વવિખ્યાત વીરસંહિતાઓને જન્મ આપ્યો, તેણે ભારતભૂમિની નૈતિક ને આધ્યાત્મિક ઉન્નતિ પણ જોઈ. જે વખતમાં બુદ્ધ ભગવાનનાં ઉદ્બોધક વચનોનાં ત્રિપીટક ગૂંથાયાં, તે વખતમાં વિશ્વવિજયી સિકંદરના સમર્થ અનુયાયીઓએ સાર્વભૌમ ચંદ્રગુપ્તની અને તેના મહાપ્રતાપી પૌત્ર અશોકની મૈત્રી શોધી, જે કાળમાં વિશુદ્ધ દાંપત્યપ્રીતિનું આદર્શ मेघदूत ઉદ્ભવ્યું, તે કાળમાં ભરતખંડે સ્વરાજ્ય પાછું મેળવ્યું. ઉત્કર્ષકાળનું સાહિત્ય આ રીતે ઉત્સાહપૂર્ણ હોય છે. ગૂજરાતી સાહિત્યનો પ્રથમ યુગ તે ગૂજરાતના ભવ્ય ઉદયનો હતો. તેથી તે યુગના સાહિત્યમાં પુરુષ-પરાક્રમનું ગંભીર ગાન છે. મહાન યતિ હેમચંદ્રાચાર્યના મૂલ્યવાન સંગ્રહમાં એક વાર ફરીને આપણે ચંચુપાત કરીએ, જ્યારે યદૃચ્છાએ સંગ્રહિત સુભાષિત આવાં શૂર પૂરનારાં છે, ત્યારે તે સમયનું ઉદ્દેશપૂર્વક રચેલું સાહિત્ય તો કેવું ઉત્તેજક હશે તે કલ્પનાગમ્ય છે. સંગ્રહમાંનાં થોડાંક વચન આપણે આપણા કાર્યસર ઉતારીએ છીએ.
धवलु विसूरह सामि अहो गरुआ भरु पिक्खेवि ।
हउं किं न जुत्त्कउ दुहुं दुसिहिं खण्डइं दोण्णि करेवि ।।
भल्ला हुआ जु मारिआ बहिणि महारा कन्तु ।
लज्जेज्जं तुं वअंसि अहु जइ भग्गा घरु एन्तु ।।
जीं विउ कासु न वल्लहउ घणु पुणु कासु न इट्ठु ।
दोण्णिवि अक्सर निवडि अहिं तिण सम गणइ विसिट्ठु ।।
अम्हे थोवा रिउ वहुअ कायर एम्व भणन्ति ।
मुद्धि निहालहि गयणयलु कइजण जोण्ह करन्ति ।।
महु कन्तह वे दोसडा हेल्लि म भड्खहि आल्लु ।
देन्तहो हउं पर उव्वरिअ जुज्झन्त हो करवालु ।।
जइ भग्गा पारक्कडा तो सहि मज्झु पिएण ।
अह भग्गा अम्हहं तणा तो तें मारि अडेण ।।
पुत्तें जाएं कवणुगुणु अवगुणु कवणु मुएण ।
जा बप्पीकी मूंहडी चम्पिज्जइ अवरेण ।।
महु कन्तह गुठ्ठाठ्ठिअहो कउ झुम्पडा बळन्ति ।
अह रिउरुहिरे उल्हवइ अह अप्पणें न भन्ति ।।
सरिहिं न सरेहिं न सरवरेहिं नहि उज्जाण वणेंहि ।
देस रवण्णा होन्ति वढ निवसन्तेहि सुअणेहिं ।।
हिअडा जइ वेरि अ घणा तो किं अब्मि चडाहुं ।
अम्हाहिं बे हत्थडा जइ पुणु मारि मराहुं ।।
पाइ विलग्गी अन्त्रडी सिरु ल्हसिउं खन्धस्सु ।
तो वि कटारइ हत्थइउ बलि किज्जउं कन्तस्सु ।।
<br>
<br>
<center>'''અલંકાર-પ્રસ્થાનની અસર'''</center>
આ યુગના પૂર્વભાગમાં સંસ્કૃત અલંકાર-પ્રસ્થાનની અસર अपभ्रंश સાહિત્ય ઉપર થતી જોવામાં આવે છે. સમસ્યાપૂર્તિ, શ્લેષ આદિ સભારંજની કવિતા અને સુભાષિતનાં મુક્તક આ સમયમાં संस्कृतની પેઠે अपभ्रंशમાં પણ રચાય છે. એ યુગના ઉત્તરભાગમાં રજપૂત રાજ્યની અવનતિ થાય છે ને મધ્યકાલીન ગુજરાતીના યુગમાં તો દેશ પરચક્ર નીચે કચરાય છે.
<br>
<br>
<center>'''મધ્યયુગમાં પૂર્વ યુગનાં આંદોલનો'''</center>
પેશવાઈ લોપ થયા છતાં પેશવાઈએ આપેલો વેગ મરાઠી સાહિત્યમાં જેમ ટકી રહેલો જોઈએ છીએ, તેમ રાજ્યની ઊથલપાથલ થયા છતાં પણ ગતરાજ્યના સમયનો વેગ આ મધ્યયુગના આરંભમાં કેટલોક વખત ટકી રહે છે અને નરસિંહ, ભાલણ અને પદ્મનાભ જેવાં કવિરત્ન પાકે છે, પરંતુ તેમની કવિતાનો પ્રવાહ જુદે માર્ગે વહે છે. સ્વતંત્ર નાગર કવિ નાતજાતની અને આલંકારિકની મર્યાદા ઉલ્લંઘી પ્રત્યગદૃષ્ટિથી રામલીલા અને દાણલીલામાં ભાગ લેતો ભક્તિશૃંગારના ઉન્નત પ્રદેશમાં સ્વચ્છંદ ઘૂમે છે. વિદ્વાન બ્રાહ્મણ કવિ कादम्बरी ને भागवत દેશીબદ્ધ ગૂજરાતીમાં संस्कृतમાંથી ઉતારી પોતાની રસવૃત્તિનો વેગ શમાવે છે; ને આશ્રિત નાગરકવિ આશ્રયદાતાના પૂર્વજનાં પરાક્રમનું યશોગાન ગાઈ હૃદયમાં ઠાલવે છે. મધ્યયુગના બીજા ગણાવવા જેવા સમર્થ લેખકો નથી. મોટા ભાગે સ્થૂળ ધર્મબુદ્ધિ તૃપ્ત કરવા મહાભારત રામાયણનાં અને નાનાંમોટાં આખ્યાનોનાં જોડકણાં જોડાયલાં આ સમયમાં મળી આવે છે, અથવા તો સામાન્ય જનસમાજની વિનોદવૃત્તિ સંતોષવા વાર્તાઓ ગદ્ય ને પદ્યમાં લખાયલી જોઈએ છીએ. ભાલણસુત ઉદ્ધવ વાલ્મીકિના रामायणનું પ્રતિબિંબ ઉતારે છે. વીહાસૂત નાકર પુરાણીના મુખે સંસ્કૃત કથા સાંભળી, માણગોળાવાળા ઉપર ઉપકાર અર્થે પુણ્યબુદ્ધિથી भारतનાં પર્વો ઘડે છે. એ ધર્મસંહિતા પાછળ યુગમાં ઘણાં કથાભટો મંડી પડે છે.
<br>
<br>
<center>'''મધ્યયુગનું ધર્મમંદ મૂલોપજીવક સાહિત્ય'''</center>
વિષ્ણુદાસ, શિવદાસ, દેવીદાસ, મુરારિ, શ્રીધર આદિ કથકોનાં આખ્યાનોની ને કથાઓની ધર્મમંદ નિઃસત્ત્વ પ્રજામાં ખપતી પુષ્કળ થાય છે. બોરસદ પરગણાનો વસ્તો આખ્યાનશૈલીમાં વાર્તાની વિનોદશૈલી મેળવી શુકદેવ-આખ્યાન રચે છે. નાગર વચ્છરાજ જેને પ્રેમાનંદનો શિષ્ય વીરજી સુરેખાહરણના આરંભમાં સ્મરે છે, તે સ્ત્રીચરિત્રની વાર્તામાં બ્રહ્મજ્ઞાનનું ગૂઢ રૂપક સમાવે છે. જૈન યતિ નેમવિજય ધર્મ અને આચારના ઉપદેશ અર્થે અદ્ભુત કથનનો ઉપયોગ કરે છે. એ લેખોની કૃતાર્થતા જમાનાની જરૂરિયાતો પૂરી પાડવાની સાથે સાહિત્યવૃક્ષનાં મૂળ સજીવન રાખવામાં સમાપ્ત થાય છે. સારસ્વત પ્રવાહ જે પંદરમા શતકમાં પવિત્ર દર્શન દઈ, સોળમા અને સત્તરમા શતકમાં શોષાઈ સુકાઈને ન છતો જેવો થઈ ગયો હતો, તે અઢારમા શતકમાં પાછો વિસ્તારથી જોસભેર પ્રગટ વહેવા માંડે છે.
<br>
<br>
<center>'''વ્યક્તિના પ્રતાપથી સજીવન રહેલાં મૂળ નવપલ્લવ થવાં'''</center>
આદિ કવિની રસદૃષ્ટિ ને તત્ત્વદૃષ્ટિ વિભક્ત થઈ પ્રેમાનંદ અને અખામાં સંક્રાંત થઈ. એકે પોતાની નવું જીવન પ્રેરનારી વાણીથી નૂતન રસિક મંડળ ઊભું કર્યું અને તેમાં પોતે તારામંડળમાં ચંદ્રવત્ સુધા સીંચતો પ્રકાશ્યો. નાગર ગુરુથી ભાષાભક્તિનો મંત્ર પામી, પ્રવૃત્તિનાં પ્રચંડ આંદોલને તેણે સાહિત્યને અનેક દિશામાં અપૂર્વ વેગથી બહલાવ્યું. સાંસારિક જીવોનાં પ્રપંચ અને ક્ષુદ્રતાથી સંસાર જેને નીરસ લાગ્યો હતો, એવો બીજો અકવિ મનાવામાં માન ગણતો જ્ઞાની કવિ નિઃસંગ રહી અચળ્યો રસ ચળાવવામાં ઉદ્યુક્ત રહ્યો.
<br>
<br>
<center>'''સાહિત્યના સુકવણામાં એક અમર વેલ'''</center>
અઢારમા શતકમાં ભાલણના સાહિત્યરસિક શ્રોતાને સ્થાને વાર્તાના ચમત્કારના ભોગી શ્રોતા જ હતા. એમની રુચિને પોષતું વાર્તાસાહિત્ય જેનાં મૂળ નેમવિજય વચ્છરાજ વગેરેએ સજીવન રાખ્યાં હતાં, તે રખીદાસના સીહુંજના ચોરામાં વિસ્તાર પામ્યું. ઓગણીસમું શતક શમમય દુર્બળ સાહિત્યનું છે. તેમાં ઘણે ભાગે ભજનિયાં ને વૈરાગ્યનાં પદ સાહિત્યની પાનખર ઋતુનાં શુષ્ક પત્રવત્ જ્યાં ત્યાં પથરાય છે. દેશમાં અવ્યવસ્થા એક છેડેથી બીજે છેડે મચી રહે છે. અશાંતિને લીધે વ્યાપાર અટકી પડે છે. લડાયક ધાડાંના ત્રાસથી ખેતીવાડીને ભારે ધક્કો પહોંચે છે. ઉન્નત ભાવના સમર્પનારું ધર્મચૈતન્ય ઉપશાંત છે. ગુરુકુળમાં કેળવણીનો પ્રચાર બંધ પડ્યો છે. એવા સંકટના સમયમાં કરતાલ વગાડી ભજનકીર્તન ગાઈ, આશ્વાસન આપનારા બુટિયો ભગત, નિરાંત ભગત, રણછોડ ભગત, તથા ઉત્સાહ અને પ્રવૃત્તિનાં મૂળ બાળી નાખનારા વેરાગ્યનો બોધ આપનાર નિષ્કુલાનંદ, કેશવદાસ, અલખ, બુલાખીરામ જેવાની પદરચનાનો જ વિકાસ થવો શક્ય છે. સાહિત્યના આ સુકવણામાં એક જ વેલી નવપલ્લવ રહી નયનને અને હૃદયને ઠારે છે. તે નર્મદાને તટે ઉદ્ભવી છતાં અન્ય દેશકાળનું પાણી પી ફૂલોફાલી જણાય છે. નરસિંહ, ભાલણ ને પ્રેમાનંદનો ઘટ્ટ પરિચય દયારામભાઈની વાણીમાં જોઈએ છીએ; પણ એ ફક્કડ કવિ કોઈનો દેવાદાર રહ્યો નથી. મહેતાને નામે નવાં પદ જોડીને, ભાલણની દશમલીલાનો પોતાની વાણીમાં ઉદ્ધાર કરીને અને પ્રેમાનંદના ઓખાહરણમાં ભારોભાર ઉમેરો કરીને, દયારામે બ્રહ્મોઋણ વાળી દીધું જણાય છે. પાછલા સાહિત્યનું સંક્ષિપ્ત સમાલોચન અહીં પૂરું થાય છે. શુક્લપક્ષની અષ્ટમીએ ચંદ્રનું અર્ધું બિમ્બ તેજપુંજથી અજવાળીને સુધાથી સીંચી પ્રકૃતિદેવી બાકીના મંડળની ઉજ્જવળ રૂપરેખા જ દોરે છે; તેમ, આ સાહિત્યના સુધાનિધિના બિમ્બનું પ્રતિબિમ્બ પણ અહીં અધૂરું જ દોર્યું છે. પહેલી પાંચ સદીનું સાહિત્ય સંગ્રહાયું નથી – શોધાયું જ નથી. બીજી પંચશતીના પણ ઉત્તમોત્તમ ગ્રન્થો હજુ પ્રકાશમાં આવવા બાકી છે. નરસિંહનો સહસ્રપદી રાસ પૂરો ઉપલબ્ધ નથી. ભાલણનું રામબાલચરિત ત્રુટિત જ મળ્યું છે. એનો દશમસ્કંધ પ્રકાશકની રાહ જુએ છે. પ્રેમાનંદનાં ત્રણ જ નાટકો છપાયાં છે. બીજાં આઠ ક્યાં છે? ક્યાં છે એનાં લાખ લાખ પૂરનાં ત્રણ કાવ્યો? ક્યાં છે प्रथीराज रासाને ટકોર મારતું વલ્લભે વખાણેલું કર્ણચરિત્ર? એ વલ્લભનાં નવે રસનાં નોખાં નોખાં કાવ્યો પણ બધાં પ્રસિદ્ધ થયાં નથી. પિતાને પરિતોષ પમાડનારી કૃષ્ણવિષ્ટિ પણ શોધી કઢાઈ નથી. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અત્યંત ઉપયોગી વલ્લભકૃત પ્રેમાનંદકથા પણ પ્રકાશમાં અણાઈ નથી. જેટલું સાહિત્ય બહાર પડ્યું છે, તે અપ્રસિદ્ધ સાહિત્યના મુકાબલામાં થોડું છતાં યે મગરૂરી ઉપજાવનારું છે. નરસિંહ મહેતાનાં ગોવિંદગમન, સુરતસંગ્રામ ને ચાતુરીમાં પર્યેષક હૃદય ગાઢ પણ આદ્રાર્દ્ર ભક્તિરસનાં પારદર્શક પડો ઉકેલે છે. ભાલણની રામકૃષ્ણની બાળલીલામાં રસિક હૃદય વાત્સલ્યભાવની સુઘડતા જુએ છે. પદ્મનાભના પ્રબંધની કવિતા વાંચી ઉત્સાહશીલ હૃદય ઊછળ્યા વગર રહેતું નથી. ભાષાભક્ત પ્રેમાનંદની વાણીની તો વાત જ શી કહેવી? એના અભિમન્યુ-આખ્યાનના વીરરસથી નાંદોર દરબારમાં રજપૂત સામંત વીરહાક કરી ઊઠયો હતો. એનાં નાટકો संस्कृत નાટકોની સમોવડી કરે એવાં છે. એનું માંધાતા-આખ્યાન વાંચી ઠાવકા મનુષ્યને પણ હસવું દાબી રાખવું મુશ્કેલ પડે એમ છે. એના પુત્ર વલ્લભની બાનીનો ઝોક કોઈ ઑર જ છે. પ્રેમાનંદના મંડળના વૃદ્ધ પ્રસાદ-કવિ દ્વારકાદાસનાં વચનો રોમેરોમ રસ ઉભરાવે છે. દયારામ આદિ શૃંગારી કવિની ગરબીઓ લાખોને આદ્યાપિ પણ ભક્તિમાં ને શૃંગારમાં લીન કરી નાખે છે.
{{Poem2Close}}
26,604

edits