પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 112: Line 112:
આપણા પ્રયાસની સામે વાંધો ઉઠાવવામાં આવે કે તમે Putting the cart before the horse (“ગાડું આગળ અને બળદ પાછળ જોડવા”) એવું કામ કરો છો; પરિષદ પંડિતોની હોય. પંડિતપરિષદ માટે તમારામાં ખરા પંડિતો ક્યાં છે? પરિષદ તે કાંઈ પંડિતો બનાવવાનું કારખાનું નથી. પણ બનેલા પંડિતોનો સમુદાયસમાગમ છે. – ઉત્તર શો આપશું? સ્વીકારવું પડશે કે યુરોપની પરિષદની સ્થિતિ આપણે અહીં નથી; ત્યાં પ્રથમ પંડિતો અને પછી પરિષદ – એ સ્વાભાવિક ક્રમનું દર્શન થાય છે. પરંતુ આપણામાં શું થોડા ગણતર પંડિતો–નાના ઘાટના પણ ખરા પંડિતો–નહિ જડે? અને એવાની જોડે સમાગમ થવાથી આપણને આપણી અપંડિતતા, સુધારવાનો પ્રસંગ આવી પરિષદોમાં મળે એ પણ એક ઓછો લાભ નથી. વળી એ પણ વિચારવાનું છે કે દેશકાલની સ્થિતિ વિચારતાં પાશ્ચાત્ય પરિષદની સર્વાંશે સ્વરૂપસમાનતા માટે વાટ જોઈ બેસી રહેવું એ ઇષ્ટ નથી. આપણા દેશના હિતસાધન માટે અડધી સામગ્રી વડે પણ કામ ચલાવવાની જરૂર છે.
આપણા પ્રયાસની સામે વાંધો ઉઠાવવામાં આવે કે તમે Putting the cart before the horse (“ગાડું આગળ અને બળદ પાછળ જોડવા”) એવું કામ કરો છો; પરિષદ પંડિતોની હોય. પંડિતપરિષદ માટે તમારામાં ખરા પંડિતો ક્યાં છે? પરિષદ તે કાંઈ પંડિતો બનાવવાનું કારખાનું નથી. પણ બનેલા પંડિતોનો સમુદાયસમાગમ છે. – ઉત્તર શો આપશું? સ્વીકારવું પડશે કે યુરોપની પરિષદની સ્થિતિ આપણે અહીં નથી; ત્યાં પ્રથમ પંડિતો અને પછી પરિષદ – એ સ્વાભાવિક ક્રમનું દર્શન થાય છે. પરંતુ આપણામાં શું થોડા ગણતર પંડિતો–નાના ઘાટના પણ ખરા પંડિતો–નહિ જડે? અને એવાની જોડે સમાગમ થવાથી આપણને આપણી અપંડિતતા, સુધારવાનો પ્રસંગ આવી પરિષદોમાં મળે એ પણ એક ઓછો લાભ નથી. વળી એ પણ વિચારવાનું છે કે દેશકાલની સ્થિતિ વિચારતાં પાશ્ચાત્ય પરિષદની સર્વાંશે સ્વરૂપસમાનતા માટે વાટ જોઈ બેસી રહેવું એ ઇષ્ટ નથી. આપણા દેશના હિતસાધન માટે અડધી સામગ્રી વડે પણ કામ ચલાવવાની જરૂર છે.
તો આપણી પરિષદના હેતુ હાલ શા છે? મારી દૃષ્ટિએ તે આ પ્રમાણે હોવા જોઈએ અને છેઃ
તો આપણી પરિષદના હેતુ હાલ શા છે? મારી દૃષ્ટિએ તે આ પ્રમાણે હોવા જોઈએ અને છેઃ
<br>
<br>
<Center>'''આપણી પરિષદના હેતુ'''</Center>
(क) ગુર્જર સાહિત્યને તથા ભાષાને સમૃદ્ધ શી રીતે કરવાં તે વિશે તપાસ કરવીઃ
(ख) એ સમૃદ્ધિ કરવા માટે ઉપાયો યોજવા સાધનો મેળવવાંઃ
(ग) પ્રાચીનઅર્વાચીન ગુર્જર સાહિત્ય અને ભાષાનો અભ્યાસ કરી વિદ્વાનોએ જે શોધ કરી હોય તેનો વિચાર કરવોઃ
(घ) ગુર્જર ભાષા અને સાહિત્યની વિશુદ્ધિ જાળવવી, તેમનું જીવન પ્રવર્તાવવું, મરણમાંથી રક્ષણ કરવું.
ગુર્જર સાહિત્ય તથા ભાષાની સમૃદ્ધિની તપાસ તથા ઉપાયયોજના
વૃથા ભાષાભિમાન અને દેશાભિમાનનો ત્યાગ કરીને ખરી આત્મપરીક્ષા કરશું તો જણાશે કે આપણી ભાષા તથા સાહિત્યની સ્થિતિ ખરેખર દરિદ્ર જ છે. અંગ્રેજી અને યુરોપની અન્ય સંસ્કારી ભાષાઓનાં સાહિત્ય જોડે સરખામણી કરીશું તો એમ જ ભાસ થશે કે એ દેશનાં ભાષાસાહિત્ય ઊંચા ઊંચા સૂર્યલોકમાં વિચરે છે, અને આપણી ભાષા અને સાહિત્ય પૃથ્વી ઉપર અંધકારમય પ્રદેશમાં ભટક્યા કરે છે. સાહિત્યના વિભાગો અંગ્રેજી ઇત્યાદિમાં કરીશું તો તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, વિજ્ઞાન, નીતિ, તત્ત્વશાસ્ત્ર, ઇત્યાદિ અનેક વિભાગમાં સંખ્યાબન્ધ પુસ્તકો જડશે, અનેક વિદ્વાનો તે તે વિષયના ખાસ અભ્યાસકો બની કર્તવ્યમાં પ્રવૃત્ત થયેલા જોઈશું; શુદ્ધ સાહિત્યમાં કવિતા, વાર્તા, નાટક, બાલસાહિત્ય, લોકગીત, ઇત્યાદિ ઇત્યાદિ અનેક શાખાઓમાં તે જ પ્રમાણે સમૃદ્ધ અવસ્થા નજરે પડશે. આ સર્વમાં આપણાથી એક શાખામાં પણ અભિમાન કરવા જેવી સમૃદ્ધિ બતાવી શકાય એમ નથી. આ ચિત્રથી ગ્લાનિ થાય ખરી, પણ નિરુત્સાહ થવાનું કારણ નથી. કેમ કે ભાષા અને સાહિત્ય તે પ્રજાજીવનનાં પ્રતિબિંબ છે. એ જીવનનો વાણીમય સાક્ષાત્કાર છે; અને આપણા પ્રજાજીવનમાં ઈશ્વરયોજનાથી પાશ્ચાત્ય સંપર્કને પરિણામે નવી જાગૃતિ આવી છે તેથી કાલક્રમે જીવનવિકાસ થયા વિના રહેવાનો નથી. આ વિકાસ જેમ જેમ સબળ રૂપ થશે, આપણા જીવનમાં તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, કવિત્વભાવના, ઇત્યાદિ વ્યાપારો ખરેખરા પ્રવેશ કરશે, પ્રજાની નાડીનાડીમાં જ્ઞાનનું રુધિર વહન કરશે, તેમ તેમ આપણી ભાષા અને સાહિત્ય અનુકૂલ રૂપ અવશ્યમેવ ધારણ કરશે.
આ દૃષ્ટિએ પ્રજાના સાંસારિક, ધાર્મિક અને રાષ્ટ્રીય જીવન અને ભાવનાઓ જોડે ભાષા અને સાહિત્યનો સંબંધ પ્રગટ થશે; સાક્ષાત્ તે તે જીવનમાં અંગનાં સાહિત્યથી ભિન્ન; પણ સંસાર, ધર્મ અને રાષ્ટ્રના પ્રાણથી અનુપ્રાણિત થઈને ભાષા તથા સાહિત્યનાં સ્વરૂપ ઘડાય છે તે રીતે સંબંધ આવશે. બાકી એ ત્રણ વિષયમાં સાહિત્યપરિષદના વ્યાપારને આતિક્રમણ કરવા દેવો ન જોઈએ; કેમ કે આપણી પરિષદ તે સાહિત્યપરિષદ છે, સાંસારિક, ધાર્મિક, કે રાષ્ટ્રીય પરિષદ નથી. અલબત્ત સાહિત્યનો સંબંધ આ ભાવનાઓ જોડે આવવાથી શુદ્ધ સાહિત્યની સ્વતંત્રતાનો કાંઈક લોપ થાય છે, કેમ કે શુદ્ધ સાહિત્યના અધિષ્ઠાતા મહાન નાયકોના ગ્રંથો તો માનવજીવનની વિશાળ ભૂમિ ઉપર વિસ્તીર્ણ મંદિર ચણીને સ્થિતિ કરે છે. શેક્સ્પીઅર, મિલ્ટન, ડૅન્ટી, વાલ્મીકિ, કાલિદાસ, ભવભૂતિ, ઇત્યાદિ આખી પૃથ્વીના કવિઓ – અમુક દેશકાલના નહિ પણ આખા જગતના કવિઓ – તે તો આ ઊંચા પાયા ઉપર જ ઊભા રહે છે. આ વિચારશું તો અમુક દેશકાલના સંકુચિત લક્ષણ વડે મર્યાદિત થયેલા વિષયની કવિતાને જ કવિતા તરીકે લેખનારાઓ સર્વકાલીન કવિતાનું સ્વરૂપ જ ભૂલી જાય છે તે સહજ જણાશે. આપણી સાહિત્યપરિષદે વિશિષ્ટકાળનું તેમ જ સર્વકાલીન સાહિત્ય એ બંને તરફ દૃષ્ટિ કરવાની છે; જો કે ઘણી વાર અમુક સાહિત્ય સર્વકાલીન થશે તે વાત થોડો વખત અગમ્ય રહે ખરી. છતાં, સર્વકાલીન અને સાર્વદેશિક સાહિત્યને પણ ભાષા તો કવિની – ગ્રન્થકર્તાની – પોતાના દેશની જ સાધન રૂપે વાપરવી પડે અને તેથી કરીને અમુક મર્યાદામાં દેશીય અંશ પ્રવેશ પામે જ, આ પક્ષે સ્વભાષાની શુદ્ધિ, વૃદ્ધિ, સમૃદ્ધિની તપાસ પ્રસ્તુત બનવાની જ.
ત્યારે આપણા સાહિત્યને અને આપણી ભાષાને સમૃદ્ધ કરવા માટે ઉપાયયોજના શી? પાશ્ચાત્ય જ્ઞાનના તેજઃપ્રવાહે આપણને માર્ગ દેખાડ્યો છે તે તરફ નજર કરીશું તો જણાશે કે આપણા પ્રાચીન સાહિત્યનો અભ્યાસ તેમ જ પાશ્ચાત્ય સાહિત્યનો અભ્યાસ જે રીતે વધારે પ્રસાર પામે અને વધારે દૃઢરૂપ થાય તે રીતે પ્રયાસ કરીએ એ એક મુખ્ય સાધન છે. આપણા પ્રાચીન સાહિત્યમાં સંસ્કૃત તેમ જ પ્રાકૃત સાહિત્યનો સમાવેશ થઈ જાય છે તે કહેવાની જરૂર નથી. આ સાહિત્યનો અભ્યાસ તે જાતે જ અન્તિમ લક્ષ્ય નથી – અલબત્ત્ત તેમ માનીને એ અભ્યાસ તીવ્ર વિદ્વત્તાથી થઈ શકે, તે જુદી વાત. પરંતુ એ અભ્યાસથી પ્રજાજીવનનો સાક્ષાત્કાર કરનારી ભાષાનો ને સાહિત્યસમૃદ્ધિનો ઇતિહાસ જોઈ એમાંથી કાલાનુસાર આપણી સમૃદ્ધિ વધવાના માર્ગ શોધવામાં એ અભ્યાસનું છેવટ સાર્થક્ય છે. તેમ ન થાય તો કેવળ પુસ્તકપંડિતોના નિષ્ફળ જીવનથી દેશને જે હાનિ થાય તે થવાની. પંડિતોના જ્ઞાનનો દેશસેવામાં વિનિયોગ થાય તે સાફલ્ય પ્રાપ્ત ન થવાનું.
માટે કાલાનુસાર આપણી ભાષાની સમૃદ્ધિ વધારવા માટે યોગ્ય મર્યાદામાં (ભાષાનું વ્યક્તિત્વ જાળવી રાખીને) ઉદારભાવથી શબ્દો, વચનો, વિચારો, ઇત્યાદિના ઉમેરાથી, અને સાહિત્યની સમૃદ્ધિ નવીન ભાવનાઓના યોગ્ય ઉમેરાથી–જે રીતે થાય તે તરફ આપણી પ્રયાસપ્રવૃત્તિ થવાની જરૂર છે. અલબત્ત્ત, આ ભાવનાઓ આપણા વ્યક્તિજીવનમાં તેમ જ પ્રજાજીવનમાં સ્વભાવસિદ્ધ જેવી બની હશે તો જ પરિણામી સાહિત્ય સજીવ, સત્ય, અને સમર્થ થશે. કવિતા લખનાર કવિ જે ભાવનાને પોતાની કૃતિમાં મૂર્ત રૂપ આપે છે, તે ભાવના તરફ કવિને અંતઃકરણમાંથી શ્રદ્ધા, પૂજ્યભાવ હોય તો એની કવિતા અકૃત્રિમ અને સત્ય ભાવવાળી થશે. અને એ સત્ય ભાવના ગુણ માટે તે તે ભાવના તરફની શ્રદ્ધા આત્મબલિદાનની પણ માગણી કરે છે. ઉદાહરણ તરીકે, દેવસેવાની ભાવના લ્યો. એ ભાવના માટે જ્યાં સુધી આત્મબલિદાનની તત્પરતા નહિ હોય ત્યાં સુધી એ ભાવનાના તરફ ખરી શ્રદ્ધાની ખામી જ રહેશે, અને ત્યાં સુધી એ ભાવનાનું સાહિત્ય કૃત્રિમ અને સત્યભાવ વિનાનું, નિર્જીવ, દામ્ભિક બનશે.
ભાષાસમૃદ્ધિ વધારવા માટે ઉદાસ ભાવ રાખી સર્વ સ્થળેથી શબ્દાદિકનો સ્વીકાર કરવો એ પક્ષને મર્યાદાની જરૂર તો છે જ: સર્વસ્વીકારની પદ્ધતિ એવી પણ ન થવી જોઈએ કે ભાષાની વિશુદ્ધિને હાનિ પહોંચે. ‘મોકલી આપવું’, ‘શું ચિન્તા’ ઇત્યાદિ દૂષિત પ્રયોગોને માટે, તેમ જ અંગ્રેજી ભાષારૂઢિના તરજૂમિયા ઉતારા, અંગ્રેજી વાક્યરચનાની કઢંગી નકલો, ઇત્યાદિ માટે, ભાષાના જીવનતત્ત્વની દૃષ્ટિએ જોતાં, કશો પણ બચાવ નથી. આવા પ્રયોગોની અશુદ્ધિનું બીજ તપાસવા જઈશું તો જણાશે કે પ્રજાજીવન સાથે વિરોધ એમાં કોઈ ને કોઈ રૂપે સમાયેલો હોય છે. પ્રજાજીવનમાંથી જે પ્રયોગો સ્વાભાવિક વિકાસક્રિયાથી પ્રગટ થતા નથી તે ભાષાની વિશુદ્ધિને ક્ષતિકર બને છે. અંગ્રેજીમાં ‘a storm in a tea-cup’ એ કહેવત છે તેના પ્રતિબિંબરૂપે આપણી ભાષામાં કોઈ કહેવત ન જડે તે માટે “ચાના પ્યાલામાં તોફાન” એમ કહેવત ઘડી કાઢીશું તો તે પ્રજાજીવનનું પ્રતિબિમ્બ તો નહિ જ બને એ જ રીતે ગુજરાતી કહેવત “સો દહાડા વહુના” એનું અંગ્રેજીમાં રૂપાન્તર કરવા જતાં તેવી જ વિફલતા થવાની. પ્રજાના નિત્યજીવનમાં ચાનો પ્રવેશ સંપૂર્ણ ઓતપ્રોત થઈને એ પ્રકારની કહેવત આપોઆપ ભવિષ્યમાં સ્વાભાવિક વિકાસથી ઉદ્ભવ પામે તો જુદી વાત. પરંતુ ચાનો પ્યાલો નગરવાસીમાં તેમ જ ગ્રામવાસીમાં પણ પ્રવેશ પામ્યો છે છતાં જીવનમાં ઓતપ્રોત નથી, અને જીવનાંશ નથી, જીવનને બહારથી વળગાડેલો પ્રકાર છે. ભાષાનો વિકાસ પ્રજાજીવનમાંથી થાય છે એ તત્ત્વ અહીં આકસ્મિક રીતે સૂચિત થાય છે.
માટે ભાષાના જીવનનું રક્ષણ કરવું એ પણ આપણું કર્તવ્ય છે; બહારના અંશોનો સ્વીકાર, પોતાના વ્યક્તિસ્વરૂપને બાધક ન થાય તે રીતે કરવો એ જેમ ઇષ્ટ છે તેમ, અન્ય પક્ષે, ભાષાના જીવનસ્વરૂપને અનિષ્ટ આક્રમણોથી અસ્પૃષ્ટ રાખી રક્ષણ કરવું તે પણ કર્તવ્ય છે. આમ ભાષાના વ્યક્તિજીવનના રક્ષણરૂપી કર્તવ્યને લીધે જ હિન્દી અથવા અન્ય ભાષા ભરતખંડ માટે (સમાન ભાષા નહિ, પણ) એક ભાષા – અનન્ય ભાષા – બનાવવાનો પક્ષ આપણી સાહિત્ય પરિષદના વ્યક્ત ઉદ્દેશને બાધક બનવાનો રહે છે. આ વિશે અન્ય પ્રસંગે હું સવિસ્તર સ્થિતિપરીક્ષા કરી ચૂક્યો છું.2 અહીં પ્રસંગોપાત્ત આટલું દિગ્દર્શન બસ છે.
પ્રજાજીવનનો સાક્ષાત્કાર ભાષામાં છે તો તો ભારત રાષ્ટ્રીય ભાવના માટે આખા ભરતખંડ માટે એક ભાષાની આવશ્યકતા ઉત્પન્ન થઈ જ એમ શંકા નીકળે. પરંતુ જરાક ઊંડો વિચાર કરીએ. પ્રજાજીવન અને રાષ્ટ્રીય જીવન એ સમાન વ્યાપ્તિના શબ્દો નથી; પ્રજાજીવનનો વ્યાપાર રાષ્ટ્રીય જીવનમાં પર્યાપ્ત નથી થતો. સાંસારિક જીવન, ધાર્મિક જીવન, ઇત્યાદિ જીવનના વિવિધ પ્રદેશનો સંગ્રહ એમાં થાય છે. તે દૃષ્ટિથી પ્રાન્તિક રીતરિવાજ ઇત્યાદિમાં ભિન્નતા અનિવાર્ય છે. ઊંચી ભાવનાઓ સર્વપ્રાન્તોને સમાન હોય તે ખરું. પણ ભાષા કાંઈ ઘડી ઘડાતી નથી, કે ભાંગી ભંગાતી પણ નથી. એ તો પ્રકૃતિના નિયમોને વશ ઊગનારું વૃક્ષ છે. બીજું, રાષ્ટ્રીય ભાવના હજી આદિમ બંધાવાની હાલતમાં છે, તેનો સાક્ષાત્કાર હજી પ્રજાજીવનમાં આભ્યન્તર વિકાસમાંથી નથી થયો, બાહ્ય સંસ્કારના રૂપમાં જ છે, – ઇત્યાદિ સ્થિતિ વિચારીશું તો ઉપર કાઢેલી શઙ્કાનો નિરાસ થઈ જશે.
આપણી ભાષાનું મરણ ન થવા દેવું – આ એક આપણે સંભાળવાનું છે. ડૉક્ટર ફ્લીટ જે વખતે શોલાપુર જિલ્લામાં કલેક્ટર હતા તે વખતે એમના પ્રસંગમાં હું આવ્યો હતો. તે અરસામાં વાતપ્રસંગે એમણે કહ્યું કે દેશી ભાષાઓના વિકાસ માટેના પ્રયાસો વ્યર્થ છે, વખત જતે અંગ્રેજી ભાષા તે જ હિન્દુસ્તાનની ભાષા થવાની છે. આ વિલક્ષણ મતનો ઉત્તર મેં અન્યત્ર3 આપ્યો છે. આપણી પ્રાન્તીય ભાષાનો ઇતિહાસવિકાસ એ મતને ખોટો પાડશે, એમ તે સ્થળે મેં દર્શાવ્યું છે. અહીં એટલું ઉમેરું છું કે હિન્દુસ્તાનના લોકોના પ્રાચીનકાળથી વિકાસ પામેલા સુધારાનો ઇતિહાસ ભૂલી જઈને એમને અમેરિકાના ઇંડિયનોની સાથે સમાન કક્ષામાં મૂકનારા કેટલાક એમ કહે છે કે એ અમેરિકાની જંગલી પ્રજાની પેઠે હિન્દુસ્તાનની પ્રજા પણ નાબૂદ થશે. તેના જેવો જ આ મતમાં ઇતિહાસ અને વસ્તુસ્થિતિનો અનાદર પ્રગટ થાય છે. જો ભરતખંડની પ્રજા અસ્તિત્વમાંથી લુપ્ત થશે, ભરતખંડમાંથી શુદ્ધ પ્રાચીન ધર્મનું સ્વરૂપ ભૂંસાઈ જઈ સર્વત્ર કિશ્ચિઆનિટી વ્યાપશે, તો બેશક પ્રાન્તીય ભાષાઓનો નાશ થશે. પણ હજી તે સમયને બહુ વાર છે.
પણ જે રીતે સંસ્કૃત ભાષા હાલના સમયમાં મરણ પામેલી જ ગણાય તેમ આપણી ભાષાઓનું મરણ થશે તો કેમ? સંસ્કૃત ભાષા તે હવે જીવનની ભાષા કોઈ પ્રદેશમાં નથી. (વસ્તીપત્રકના રિપોર્ટમાં વિરલ પ્રદેશમાં સંસ્કૃત ભાષા બોલાતી કહેલી છે ખરી, પરંતુ તે માત્ર ૭૧૬ જણા બોલે છે એમ કહેલું છે, અને એ જીવનભાષા તરીકે હોવા વિશે સંશય છે.) આ પરિણામ આપણી ભાષા ન પામે તે માટે સંસ્કૃત ભાષાના મરણનાં કારણો તપાસીશું તો આપણને બચાવનો રસ્તો જડશે. સંસ્કૃત ભાષાએ પોતાના સ્વરૂપમાં જોઈએ તેટલી સ્થિતિસ્થાપકતા જાળવી નહિ; પોતાનાં પરિવેષ્ટનો (‘એન્વીરોન્મેન્ટ્સ’) – આસપાસ વીંટાયલાં બળો – ની સાથે યોગ્ય અનુકૂળતા, સમયોચિત ફેરફાર કરવાની ક્રિયા, તરફ વલણ ન રાખ્યું, અને બહુધા અણવળકણી લોખંડ જેવી સ્થિતિ પકડી રાખી; પ્રજાના આંતરજીવનમાં પ્રચરિત થયેલાં રૂપાંતરોને મૂર્ત કરવા માટે તે તે પ્રમાણમાં ભાષામાં રૂપાંતરો ન થવા દીધાં; તેથી સંસ્કૃત ભાષા પરિણામે મરણ પામી. માટે આપણે મરણભય ટાળવા માટે આપણી ભાષાને એ આગ્રહી સ્થિતિમાં અકડાઈ જવા દેવી નહિ એ મુખ્ય પ્રતિબંધક ઉપાય છે. પરંતુ સામે એ પણ સંભાળ રાખવાની જરૂર છે કે આપણી ભાષાનું જીવનબિમ્બક અન્તઃસ્વરૂપ તજી દઈને વિદેશી સ્વરૂપો અવિચારથી સંઘરવાં ન જોઈએ. નવીન ભાવનાદિક આસપાસ આવીને અનુપ્રાણન કરે તો તે વખતે ભાષાનાં ઇન્દ્રિયદ્વારો બંધ પણ ન રાખવાં; પરિવેષ્ટનોમાંનાં પ્રતિકૂલ હોય તે જોડે યુદ્ધ કરવું અને અનુકૂલ હોય તે જોડે આલિંગન કરી એનો પ્રાણ ભેળવી દેવો. આમ सर्वनाशे समुत्पन्ने अर्घे त्यजाति पण्डितः એ બોધનો સારો ઉપયોગ કરવો, મૂર્ખ પંડિતોએ કર્યો હતો તેવો નહિ.
ભાષાને મરણમાંથી બચાવવા માટે આ સામાન્ય ધોરણ બસ છે. અલબત્ત, પરમ અંતે તો મરણ સર્વનું છે જ; ભાષા, શાસ્ત્ર, સાહિત્ય ઇત્યાદિ સર્વનું. પરંતુ તે પ્રલયકાળના સમયના વિનાશ માટે ખેદ પણ નથી કરવાનો, અને તેટલા માટે દુનિયા ચાલે છે ત્યાં સુધી તો ભાષાના રક્ષણ માટે પ્રયાસ કરતાં અટકવાનું પણ કારણ નથી. એ પ્રયાસ કરતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે દેહ કરતાં મનોવ્યાપાર અધિક પ્રભાવવાળી વસ્તુ છે, અને મનોવ્યાપારના વિચારમય રૂપને પૂર્ણ બળમાં પ્રગટ કરવાનું સામર્થ્ય કોઈ પણ માનવભાષામાં નથી; ભાષા તે વિચારપ્રકટનનું આખરે અલ્પબળ સાધન છે; છતાં તે સાધનમાં આપણાથી બને તેટલું સામર્થ્ય પૂરવું એ આપણું લક્ષ્ય જોઈએ. બીજું ધ્યાનમાં રાખવાનું એ છે કે આ યુગમાં, જગતના દૂર દૂર દેશનાં સ્થળો વચ્ચે પરસ્પર ગાઢ વ્યવહારસંબંધના યુગમાં, કોઈ પણ છૂટક પ્રજા જગતનાં ચાલક બળો (‘વર્લ્ડ ફૉર્સીઝ’)થી અસ્પૃષ્ટ રહી શકશે નહિ, તેથી ભાષા ઉપર પણ એ વ્યાપક બળોની અસર પહોંચવાની જ. તેટલે અંશે ભાષાને બાહ્ય સંસ્કારોથી બચાવવાનો વ્યર્થ પ્રયાસ ન કરવો તે ખરું છે. તથાપિ ભાષાનું વ્યક્તિરૂપ સાચવવાનો પ્રયાસ તે આ તત્ત્વને બાધક નહીં બને. મેં અન્ય પ્રસંગે4 દર્શાવ્યું છે તે પ્રમાણે યુરોપખંડમાં પંદર વર્ષ ઉપરાંતથી દેશદેશની ભાષાનું સ્વતંત્ર સાહિત્યમય બંધારણ થવાનું વલણ શરૂ થયેલું છે અને એનું પ્રાબલ્ય ચાલુ છે; અને વિશ્વનાં ચાલક બળોની વ્યાપકતા, ઉપર કહી તે, ધ્યાનમાં રાખતાં એ બળનો પ્રભાવ આપણા દેશની પ્રાન્ત ભાષાઓ ઉપર પણ થવાનો, અર્થાત્ ભાષાનું વ્યક્તિસ્વરૂપ બાંધવું તથા વિકસાવવું એને પણ વિશ્વનાં ચાલક બળોમાં સ્થાન છે. આમ છતાં બીજાં ચાલક બળોની પ્રવૃત્તિ પણ ભેગભેગી થવાની; – જેવાં કે માનવજાતિમાં બંધુતા સાધનારાં, એકીકરણ કરનારાં, આત્મિક બળો. આ બળો ભાષાના વ્યક્તિવિકાસને પોષક થાય એમ સમન્વય સાધવો, અને ભાષાને પણ એ એકીકરણ સાધનારાં આત્મિક બળોનું સાધન બનાવવું, એ તો પરમોત્તમ સેવા ગણાશે.
26,604

edits

Navigation menu