પરિષદ-પ્રમુખનાં ભાષણો/૬.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 188: Line 188:
‘ભક્તિવિજય’ ગ્રંથમાં ‘જગન્નાથપંડિતઆખ્યાન’માંના એ શ્લોકને માન આપીને જમતી વખતે કોઈ ‘બસ’ બોલે તો, શું તું મુસલમાન છે કે આવું બોલે છે કહી તેને વડિલો ધમકાવતા; પણ હાલમાં જમતાં ને વાતચિત કરતાં ફારસી અરબી તો શું, પણ અંગ્રેજી શબ્દો ઘણીવાર વપરાય છે, છતાં બોલનારને કોઈ અટકાવતું નથી. યાવની શબ્દોમાંના ઘણાક તો એવા ઘરગથુ ને રૂઢ થઈ ગયા છે, કે તે અજાણતાં પણ વપરાઈ જાય છે. તેમને આપણા આદ્યય ને પ્રત્યય લાગે છે, તેમ તેમના આદ્યય–પ્રત્યય ગુજરાતી તદ્ભવ શબ્દોને પણ લાગે છે. આવા શબ્દો દાખલ કરવાનું માન (કેટલાકને મતે અપમાન) નાગરિક લોકોને ઘટે છે; કેમકે તેઓ નોકરી કે વેપાર અર્થે યવનોના ગાઢા સંબંધમાં આવવાથી તેમણે તે ગ્રહણ કરેલા. ગામડાંમાં એવા શબ્દો થોડા જ વપરાય છે. કેટલાકને તો ગુજરાતી કરતાં એવા શબ્દોનો વાપર વધારે પસંદ પડે છે. દાખલા તરીકે વાળંદ, ગાંયજો, રાત, બાબર (કાઠિયાવાડમાં), દાવળ (ઉ.ગુજરાતમાં)ને બદલે હજામ શબ્દ, અને તુલના, સરખામણી, સરખાવટ, મેળવવું, મીઢવવું, પડતાલોને બદલે મુકાબલો શબ્દો ગમે છે. કોઈ ‘પોરો’ બોલે તો તે ગામડિયા લાગે અને ‘પેરો’ શબ્દ પસંદ પડે; પણ ‘પોરો’ એ સંસ્કૃત ‘પ્રહર’ ઉપરથી ને ‘પેરો’ એ ફારસી ‘પહર’ ઉપરથી થયો છે, તો બેમાંથી કયાને સારો ગણવો? કેટલીક વાર યાવની શબ્દોને સંસ્કૃતનું રૂપ આપવામાં આવે છે; જેમ કે પલંગ શબ્દ ફારસી છે, તે સંસ્કૃત પર્યેક ઉપરથી, મલાજો મર્યાદા ઉપરથી અસ્વાર અશ્વવાર ઉપરથી અને કોતલ કુંતલ (ઘોડો) ઉપરથી થયા છે એમ કહેવામાં આવે છે. અફીણ શબ્દ અરબી અફિયુમ (અફીમ) ઉપરથી થયો છતાં તેને અહિફેન, અહિફેણ એવાં સંસ્કૃતમાં નામ અપાયાં છે. કેટલાક શબ્દ બંનેમાં સામાન્ય કે મળતા આવતા હોય છે, તેથી વ્યુત્પતિ માટે શંકા પડે છે; જેમ ફા. આગ ને સં. અગ્નિ; ફા. અંદર ને સં. અંતર્; ફા. અંગુસ્ત ને સં. અંગુષ્ટ; ફા. માહ ને સં. માસ, રાજકાજના શબ્દો માટે એક તાલુકો લઈએ તો તાલુકો, મહાલ, પરગણું, તેહસિલ, કુમાવિસી, મામલતદાર, વહિવટદાર, મહાલકરી, કુમાવિસદાર, તેહસિલદાર, તજવીજદાર, અવલકારકુન, શિરસ્તેદાર, નાજર, હવાલદાર, સિપાઈ, ફોજદાર, મુનસફ, વકીલ, કચેરી, અદાલત, દફતર, ફેંસલો, તહોમતનામુ, હુકમનામુ એમાંનો કોઈ શબ્દ આપણો નથી! ઘણા યાવની શબ્દો ગુજરાતી જેવા જ બનીને સર્વત્ર ચાલે છે; જેમ કે, અસર, અસલ, અંદર, આબરુ, આરી (કરવત), ઈજત, ઈજા, ઇનામ, ઇરાદો, ઔરત, અંદેશો, અંબાડી, મહેનત, અક્કલ, આરામ, અજબ, અદબ, અરજ, ઇત્યાદિ.
‘ભક્તિવિજય’ ગ્રંથમાં ‘જગન્નાથપંડિતઆખ્યાન’માંના એ શ્લોકને માન આપીને જમતી વખતે કોઈ ‘બસ’ બોલે તો, શું તું મુસલમાન છે કે આવું બોલે છે કહી તેને વડિલો ધમકાવતા; પણ હાલમાં જમતાં ને વાતચિત કરતાં ફારસી અરબી તો શું, પણ અંગ્રેજી શબ્દો ઘણીવાર વપરાય છે, છતાં બોલનારને કોઈ અટકાવતું નથી. યાવની શબ્દોમાંના ઘણાક તો એવા ઘરગથુ ને રૂઢ થઈ ગયા છે, કે તે અજાણતાં પણ વપરાઈ જાય છે. તેમને આપણા આદ્યય ને પ્રત્યય લાગે છે, તેમ તેમના આદ્યય–પ્રત્યય ગુજરાતી તદ્ભવ શબ્દોને પણ લાગે છે. આવા શબ્દો દાખલ કરવાનું માન (કેટલાકને મતે અપમાન) નાગરિક લોકોને ઘટે છે; કેમકે તેઓ નોકરી કે વેપાર અર્થે યવનોના ગાઢા સંબંધમાં આવવાથી તેમણે તે ગ્રહણ કરેલા. ગામડાંમાં એવા શબ્દો થોડા જ વપરાય છે. કેટલાકને તો ગુજરાતી કરતાં એવા શબ્દોનો વાપર વધારે પસંદ પડે છે. દાખલા તરીકે વાળંદ, ગાંયજો, રાત, બાબર (કાઠિયાવાડમાં), દાવળ (ઉ.ગુજરાતમાં)ને બદલે હજામ શબ્દ, અને તુલના, સરખામણી, સરખાવટ, મેળવવું, મીઢવવું, પડતાલોને બદલે મુકાબલો શબ્દો ગમે છે. કોઈ ‘પોરો’ બોલે તો તે ગામડિયા લાગે અને ‘પેરો’ શબ્દ પસંદ પડે; પણ ‘પોરો’ એ સંસ્કૃત ‘પ્રહર’ ઉપરથી ને ‘પેરો’ એ ફારસી ‘પહર’ ઉપરથી થયો છે, તો બેમાંથી કયાને સારો ગણવો? કેટલીક વાર યાવની શબ્દોને સંસ્કૃતનું રૂપ આપવામાં આવે છે; જેમ કે પલંગ શબ્દ ફારસી છે, તે સંસ્કૃત પર્યેક ઉપરથી, મલાજો મર્યાદા ઉપરથી અસ્વાર અશ્વવાર ઉપરથી અને કોતલ કુંતલ (ઘોડો) ઉપરથી થયા છે એમ કહેવામાં આવે છે. અફીણ શબ્દ અરબી અફિયુમ (અફીમ) ઉપરથી થયો છતાં તેને અહિફેન, અહિફેણ એવાં સંસ્કૃતમાં નામ અપાયાં છે. કેટલાક શબ્દ બંનેમાં સામાન્ય કે મળતા આવતા હોય છે, તેથી વ્યુત્પતિ માટે શંકા પડે છે; જેમ ફા. આગ ને સં. અગ્નિ; ફા. અંદર ને સં. અંતર્; ફા. અંગુસ્ત ને સં. અંગુષ્ટ; ફા. માહ ને સં. માસ, રાજકાજના શબ્દો માટે એક તાલુકો લઈએ તો તાલુકો, મહાલ, પરગણું, તેહસિલ, કુમાવિસી, મામલતદાર, વહિવટદાર, મહાલકરી, કુમાવિસદાર, તેહસિલદાર, તજવીજદાર, અવલકારકુન, શિરસ્તેદાર, નાજર, હવાલદાર, સિપાઈ, ફોજદાર, મુનસફ, વકીલ, કચેરી, અદાલત, દફતર, ફેંસલો, તહોમતનામુ, હુકમનામુ એમાંનો કોઈ શબ્દ આપણો નથી! ઘણા યાવની શબ્દો ગુજરાતી જેવા જ બનીને સર્વત્ર ચાલે છે; જેમ કે, અસર, અસલ, અંદર, આબરુ, આરી (કરવત), ઈજત, ઈજા, ઇનામ, ઇરાદો, ઔરત, અંદેશો, અંબાડી, મહેનત, અક્કલ, આરામ, અજબ, અદબ, અરજ, ઇત્યાદિ.
પ્રજાઓમાં ભેળસેળ થવાથી, એક બીજાના પ્રસંગમાં આવવાથી, પદાર્થો, વિદ્યા વગેરે ગ્રહણ કરવાથી સઘળી ભાષાઓમાં થોડા ઘણા પરદેશી શબ્દો આવે છે જ (સંસ્કૃત સુદ્ધાં એથી બચી નથી.) અંગ્રેજી જેવી સૌથી મોટી આધુનિક ભાષામાં શું થયું છે? જોન્સને પ્રથમ કોશ રચ્યો, ત્યારે તેમાં પચીશેક હજાર શબ્દો સમાયા હતા. તે પછી તેમની સંખ્યા વધતાં વધતાં લાખ ઉપર ગઈ, અને હાલ અમેરિકામાં તેનો મોટો કોશ બને છે, તેમાં પાંચ લાખ શબ્દોનો સંગ્રહ થશે એમ કહેવાય છે. અંગ્રેજીમાં કોઈપણ ભાષાના શબ્દો દાખલ કરવામાં કોઈ હરકત લેતું નથી. પ્રશ્ન એ થાય છે કે આપણી ભાષામાં જે પરદેશી શબ્દોએ ઘર કરેલું છે, તેમનો બહિષ્કાર કરવો એ વાજબી છે? અથવા તેમને કાઢ્યા કાઢી શકાય એમ છે? કદી સામાન્ય નામોને બદલે આપણા શબ્દો વપરાય, પણ ગુલાબશંકર ને અવલબાઈ, મુનશી ને કાજી એવાં વિશેષ નામ અને ઉપનામનું શું કરીશું?
પ્રજાઓમાં ભેળસેળ થવાથી, એક બીજાના પ્રસંગમાં આવવાથી, પદાર્થો, વિદ્યા વગેરે ગ્રહણ કરવાથી સઘળી ભાષાઓમાં થોડા ઘણા પરદેશી શબ્દો આવે છે જ (સંસ્કૃત સુદ્ધાં એથી બચી નથી.) અંગ્રેજી જેવી સૌથી મોટી આધુનિક ભાષામાં શું થયું છે? જોન્સને પ્રથમ કોશ રચ્યો, ત્યારે તેમાં પચીશેક હજાર શબ્દો સમાયા હતા. તે પછી તેમની સંખ્યા વધતાં વધતાં લાખ ઉપર ગઈ, અને હાલ અમેરિકામાં તેનો મોટો કોશ બને છે, તેમાં પાંચ લાખ શબ્દોનો સંગ્રહ થશે એમ કહેવાય છે. અંગ્રેજીમાં કોઈપણ ભાષાના શબ્દો દાખલ કરવામાં કોઈ હરકત લેતું નથી. પ્રશ્ન એ થાય છે કે આપણી ભાષામાં જે પરદેશી શબ્દોએ ઘર કરેલું છે, તેમનો બહિષ્કાર કરવો એ વાજબી છે? અથવા તેમને કાઢ્યા કાઢી શકાય એમ છે? કદી સામાન્ય નામોને બદલે આપણા શબ્દો વપરાય, પણ ગુલાબશંકર ને અવલબાઈ, મુનશી ને કાજી એવાં વિશેષ નામ અને ઉપનામનું શું કરીશું?
<br>
<br>
<center>'''તુર્કી શબ્દો'''</Center>
તુર્કી ભાષા જેમ તુર્કસ્તાનમાં ચાલે છે, તેમ તે તાતાર ને મોંગોલિયામાં પણ ચાલે છે. તાતારના મોગલો હિંદમાં આવ્યા પછી આપણી ભાષામાં સેંકડો શબ્દ તુર્કીના ભળી ગયા છે, તેમાંના થોડાક નમૂના તરીકે નીચે આપ્યા છે –
તોપ, બંદુક, ચીક (ચક), બબરચી (બાવરચી), ખજાનચી, એલચી, વરક, વરખ, કોમ, કાનુન, કલમ, કાગળ (કાગઝ), નગારુ (નકારા), બાગ, બગીચા, શોખ, મુત્સદ્દી, કીમત, ફરક (ફર્ક), મગરુર, દરબાર, આચાર, રકાબી, ચમચા, શતરંજ, પિસ્તા, બદામ (બાદામ), અંજીર, લગામ, તરાજુ-ત્રાજવાં, જીન, તગં, નાલ, દલાલ (દલ્લાલ), મજૂર (મજદૂર), વકીલ, ચાદર, ચહેરા, શાહી (શિયાહિ–લખવાની), ગંજીફો (ગંજફા), તખતા, ચિરાગ, કૂચ (મુકામ ઉઠાવવો), લેબાસ (લિબાસ), મુરબ્બા, લાશ (શબ), અયાળ, બુલાખ (બુલાક), ચાકુ, કાબુ, કુલી (મજુર), બુચકો (ગાંસડી–જેને બચકો કહેવામાં આવે છે), જાજમ.
<br>
<br>
<center>'''પોર્તુગીઝ શબ્દો'''</Center>
(ટેલર વ્યાકરણમાં ઓપેલા)–
પાદરી, ગારદી, મેજ (મૂળ તુર્કીમાંથી ગયેલા),
તબેલા, ચાવી, પગાર, પોમ (રોટલી)
પ્રોફેસર કરકરિયાએ આપેલા શબ્દોમાંના ઘણાને આપણે અંગ્રેજીમાંથી આવ્યા હશે ધારી સુધારીએ છીએ; કે ગામડિયા ગણી કાઢીએ છીએ.
ઇજનેર, મૂળ ‘એનજીનહાયરો’, પણ અંગ્રેજી ઉપરથી તેને એનજીનીઅર કહેવામાં આવે છે.
કપતાન, મૂળ ‘કાપીટાઉં’ (અંગ્રેજી ઉપરથી નહિ.)
ગવન્ડર, મૂળ ‘ગવર્નડોર’ – પણ અંગ્રેજી પરથી તેને સુધારી ગવર્નર કહેવામાં આવે છે.
બિસકુટ, મૂળ ‘બિસકોટ’ (અંગ્રેજી બિસકિટ ઉપરથી નહિ)
બટન, મૂળ ‘બટાંઉ’ અંગ્રેજી બટન સાથે મળી રહે છે.
પાટલુન, મૂળ ‘પાનટાલુન’ (અંગ્રેજી પેન્ટેલુન ઉપરથી નહિ)
ટુવાલ, મૂળ ‘ટુવાલ’ (અંગ્રેજી ટોવેલ ઉપરથી નહિ)
સપાટ, મૂળ ‘સપાટો’ (અંગ્રેજી સ્લિપર ઉપરથી નહિ)
ઇસટાંપ, મૂળ ‘ઈસટાંપા’ (અંગ્રેજી સ્ટેમ્પ ઉપરથી નહિ)
બાંક, (બાંકડો) મૂળ ‘બાંકો’ (અંગ્રેજી બેંચ ઉપરથી નહિ)
ગેલેરી, મૂળ ‘ગેલેરિયા’ અંગ્રેજી ગેલેરી સાથે મળી રહે છે.
આ શિવાય અનાનસ, હાફુસ, પાયરી, બટાટા, પાઉં વગેરે શબ્દો પોર્ટુગીઝમાંથી દાખલ થયેલા છે.
<br>
<br>
<center>'''અંગ્રેજી શબ્દો'''</Center>
અંગ્રજી રાજ્ય આવ્યા પછી અંગ્રેજોના સંસર્ગથી, નોકરાચાકરીના સંબંધથી, વેપારરોજગારના કારણથી, અનેક વસ્તુઓ અને વિદ્યાકળા પ્રાપ્ત થવાથી અંગ્રેજી પાઠશાળાઓ અને મહાપાઠશાળાઓનું સ્થાપન થવાથી તેમના પુષ્કળ શબ્દો દાખલ થયા છે, અને તેમાં ઝપાટાબંધ વધારો થયા જ કરે છે. તેમને ઠેકાણે સંસ્કૃત ને યાવની શબ્દો કે નવા ઉપજાવી કાઢેલા શબ્દો વાપરવાના યત્ન થાય છે. પરંતુ તે ફળીભૂત થશે કે કેમ તે વિષે ભારે શંકા રહે છે. જો તેમને ઠેકાણે સહેલા ને સમજાય એવા ચાલતા કે નવા યોજેલા શબ્દો વપરાય તો ચાલી શકે. આપણી ભાષામાં શબ્દો હોય છતાં અંગ્રેજી શબ્દો વાપરવા એ તો ઠીક નથી જ. કેટલાક ટાઇમ, સ્કૂલ, પેપર, કવર, ટીચર, પ્રેસિડંટ, મેનેજીંગ કમિટિ, સ્પીચ જેવા શબ્દો વારે વારે વાપરે છે. વરાળયંત્ર (‘સ્ટીમ એનજીન’), દુર્બીન (‘ટેલીસ્કોપ’), પ્રાણવાયુ (‘ઓક્સિજન’), ઉચ્ચાલન (‘લીવર’), ભલામણી (‘સ્કૂલ ફી’), પ્રમાણપત્ર (‘સર્ટિફિકેટ’), શિષ્યવૃત્તિ (‘સ્કોલરશિપ’) જેવા શબ્દો મજેથી ચાલી શકે; પરંતુ અંગ્રેજી પારિભાષિક કે બીજા શબ્દોને માટે કઠિન ને ન સમજાય એવા શબ્દો યોજવામાં આવે, તો તે ચાલવા મુશ્કેલ થાય. નવા શબ્દો યોજવામાં ઘણું અંધેર ચાલે છે, એકજ શબ્દને માટે જુદા જુદા લેખકો પોતાને ફાવે તેવા તેવા શબ્દો ઘડી કાઢે છે તેમ જુદી જુદી દેશી ભાષાઓમાં તેનાં જુદાં જુદાં નામ હોય છે. કેટલીકવાર તો પારસી ભાઈઓ કહે છે તેમ જડબાતોડ ને ન સમજી શકાય એવા શબ્દોને જન્મ આપવામાં આવે છે. વિજ્ઞાનના એક શબ્દ માટે પાડેલું નામ તે વિદ્યા જાણનાર બીજો વિદ્વાન પણ સાથે અંગ્રેજી શબ્દ ન મૂક્યો હોય તો તેનો અર્થ સમજાવી શકતો નથી. આવો ગોટાળો બંધ પડવો જોઈએ. અને એવા નવા શબ્દો આપવા કરતાં તો વખતે અંગ્રેજી શબ્દ અર્થ સાથે આપવાથી વધારે ઠીક પડે.
<br>
<br>
<center>'''સંકરસમાસો ને ભ્રષ્ટ શબ્દો'''</Center>
એક વાત યાદ રાખવા જેવી છે. તે એ કે આપણા લોકો ખપ પડે ત્યારે અન્ય ભાષાના શબ્દોનાં શુદ્ધ નામ પડાવવા સારુ સાક્ષરો પાસે જતા નથી. તેઓ પોતે જ મરજીમાં આવે એવાં નામ પાડી દે છે, અને તે કાળે કરીને ભાષામાં રૂઢ થઈ જાય છે. ફારસી ને અંગ્રેજી મળીને થએલો આગબોટ શબ્દ ઘણી ખરી દેશી ભાષાઓમાં દાખલ થઈ ગયો છે. હાલમાં વળી સત્કારકમિટી, કેળવણીકોન્ફરન્સ, રેલચંબુ, રેલગાડી, પથ્થરપેન, મુનસફ કોર્ટ, સીસાપેન, જેવા સંકર સમાસ ચાલવા લાગ્યા છે. વળી પહેલેથી દાખલ થએલા ફારસી-સંસ્કૃત સમાસ ઘણા ચાલે છે; જેવા કે અંદાજપત્રક, અંગમહેનત, અણમાહિતગાર, અણવાકેફ, અણહદ, કમભાગ્ય.
કેટલીવાર મૂળના અંગ્રેજી શબ્દોને ભ્રષ્ટ કરીને લોકો વાપરે છે; જેવા કે ‘લ્યુસર્ન ગ્રાસ’ના લચકો ઘાસ; ‘કેબેજ’ના કોબીજ-કોબી-કરમકલ્લો; ‘વાઉચર્સ’ના વોચરિયાં; ‘ફેઇમ’ના ફરામ, ‘ડ્રોઇંગ’ના ડરામ; ‘ ગ્યારેન્ટીડ’ના ગિરિમિટિયા. એમ છતાં કેટલીકવાર લોકોએ પાડેલા શબ્દો સાર્થ કે પસંદ કરવા જોગ હોય છે; જેમ કે ‘રિટર્ન ટિકેટ’ને ઠામે જતવળતની ટિકેટ, ‘લગેજ’માં જે ઠામે તૈયારીમાં, ‘લ્યુસર્ન ગ્રાસ’ને ઠેકાણે મેથીઓ ઘાસ (મેથીની ભાજી જેવો હોવાથી) ‘વેગન’ને ઠામે ડબ્બા, ‘ગુડસટ્રેન’ને ઠામે ભારખાનું, ‘બ્લોટિંગ’ની જગાએ શાહીચૂસ, ‘ડ્રોપિંગ’નું કણિઉં, ‘ક્લેટસ્ટ્રિપ’નું કટલી, ‘રીલ’નું અટેરો, ‘કોક’નું ચકલી, ‘બીટર’નું પંખો, ‘ઇંડીકેટર’નું ઘડિયાળ, ‘ઝિંક ક્લોરાઇડ’નું જલદ ખાર, ‘હ્યુમિડિફાયર’નું ફુઆરો.
છસોસાતસો વર્ષ થયાં મુસલમાનો આ દેશમાં આવી વસ્યા. તેમના સમાગમ વડે ફારસી, અરબી, વગેરે શબ્દોનો પ્રવેશ આસ્તે આસ્તે થયો છે; પરંતુ અંગ્રેજી રાજ્ય સ્થાપન થયાને ગુજરાતમાં તો માત્ર સોએક વર્ષ થયાં છતાં અંગ્રેજી શબ્દો ભાષામાં ઝપાટાબંધ દાખલ થતા ચાલે છે. તેનાં કારણ પૂર્વે દર્શાવ્યાં છે તે શિવાય બીજાં એ કે અંગ્રેજી ભણેલા હીંડતાંચાલતાં અંગ્રેજી શબ્દો ઘણા વાપરે છે. સહેજ ચિઠ્ઠીપત્રી લખવી હોય તે પણ અંગ્રેજીમાં. શહેરોમાં ને ખાસ કરીને મુંબાઈમાં તો ગુજરાતી ભાષા ખીચડિયા થઈ ગઈ છે. શ્રીમંત ગાયકવાડ સરકારે દેશી ભાષાના લખાણમાં કોઈ અંગ્રેજી શબ્દો વાપરે તો તેને સજા કરવાનું ઠરાવ્યું છે, તે સારું છે; પણ તે બધે ઠોકાણે બની શકે નહિ. સૌથી સારો માર્ગ એ છે કે આપણે અંગ્રેજી ભણેલાઓએ બનતા સુધી અંગ્રેજી શબ્દો બોલવાચાલવામાં ને લખવામાં ન વાપરવાનો દૃઢ નિશ્ચય કરવો જોઈએ.
<br>
<br>
<center>'''ગુજરાતી સાહિત્ય'''</Center>
મારા પોતાના કાર્ય માટે સ્થૂળ માને આપણા સાહિત્યના હું બે ભાગે પાડીશ; ૧. જૂનું એટલે મૂળથી માંડીને અંગ્રેજી પદ્ધતિની કેળવણી શરૂ થઈ ત્યાં સુધીનું, અર્થાત્ છેક મહાકવિ દયારામના વખત સુધીનું; અને ૨. તે પછીનું તે નવું સાહિત્ય. મારા માનવા પ્રમાણે જૂનું સાહિત્ય એટલું વિશાળ છે કે તે બીજી ઘણી દેશી ભાષાઓને પાછળ હઠાવે.
<br>
<br>
<center>'''જૂનું સાહિત્ય'''</Center>
ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને તેના યુગો પ્રસિદ્ધ કરવાનું પ્રથમ માન શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસને ઘટે છે. તેમની પછી વિદ્વાનોનું લક્ષ તે ભણી દોરાયું, અને રા. કેશવલાલ, રા. નરસિંહરાવ અને રા. બા. રમણભાઈ એમણે એ વિષય ઉપર પ્રશંસનીય પ્રકાશ પાડ્યો છે.
આપણે જોયું કે ગ્રિઅર્સન ગુજરાતી અપભ્રંશ ઉપરથી ગુજરાતી થઈ ગણે છે, અને શૌરસેની અપભ્રંશ એ અવંતી (રાજસ્થાનીની માતા) સાથે નિકટનો સંબંધ રાખે છે; પણ ટેસિટોરી જૂની પશ્ચિમ રાજસ્થાનીને ગુજરાતી (હાલની)ની માતા ગણે છે, અર્થાત્ તે જૂની ગુજરાતીને જૂની પશ્ચિમ રાજસ્થાનીનું નામ આપે છે. તેમણે ‘મુગ્ધાવબોધઔક્તિક’ અને જૈન ગ્રંથોનો મુખ્યત્વે આધાર લીધો છે. ‘પ્રાકૃતપિંગળ’ના આધાર સંબંધે તો તેમણે પોતે જ શંકા બતાવી છે. પશ્ચિમ રાજસ્થાનીનો પ્રદેશ તેમણે સ્પષ્ટ કર્યો નથી. જો અવંતીમાંથી તે ઉત્પન્ન થઈ હોય, તો તે માળવાની ભાષા કહેવાય. ઈ.સ.ના પ્રથક શતકમાં5 શક રાજાઓએ પોતાનો અમલ માળવામાં સ્થાપ્યો, અને તેઓએ લાટ દેશ, સૌરાષ્ટ્ર અને અનુપ6 દેશ ઉપર સત્તા ચલાવી હતી (મુખ્ય ગુજરાત ઉપર નહિ) તે પછી માળવાની સત્તા ગુજરાત ઉપર થઈ નથી. એથી ઊલટું ૧૫-૧૬ના સેંકડામાં માળવાનો કેટલોક ભાગ ગુજરાતે જીતી લીધો હતો.7 પૂર્વે ગુજરાતનો વિસ્તાર બહોળો હતો, એટલે દક્ષિણ કોંકણની ઉત્તર હદ સુધી તેમ ખાનદેશ અને ઝાલોર સુધી તેની હદ હતી. એવા મોટા પ્રદેશની ભાષાને પશ્ચિમ રાજસ્થાન જેવા નાના મુલકની ભાષા ઉપર આધાર રાખવો પડે એ શક્ય નથી. ઈ.સ.ના પ્રથમ શતકમાં ગુજરાતમાં અપભ્રંશ ને માળવામાં અવંતી ભાષા ચાલતી હશે. અવંતીની દીકરી જેમ રાજસ્થાની છે, તેમ અપભ્રંશની દીકરી જૂની ગુજરાતી છે. મતલબ કે રાજસ્થાનીની દીકરી ગુજરાતી હોય એ માનવું સંશય8 પડતું છે. જૈન કે બીજા હિંદુ લેખકોએ જૂની ગુજરાતીને રાજસ્થાની કહી નથી. ‘મુગ્ધાવબોધ’ ગુજરાતમાં રચાયો હતો. અને તેમાં આપેલાં ઉદાહરણ પ્રાચીન ગુજરાતીનાં છે. વળી સંવત ૧૪૬૬માં શ્રી. ગુણરત્નસૂરિએ ‘ક્રિયારત્નસમુચ્ચય’ નામક ગ્રંથ ઇડરમાં રહીને રચ્યો હતો, તેમાં સંસ્કૃત ધાતુના રૂપોના સંગ્રહ સાથે તે કાળે ચાલતી ભાષાના રૂપોનો પણ સંક્ષિપ્ત પરિચય કરાવ્યો છે. તેમાંથી પંડિત બહેચરદાસે થોડાંક ટાંકી બતાવેલાં રૂપ જુઓઃ
એઉ કરાઇ (એ કરે), લિઅઇ9 (લે), દિઅઇ9 (દે), જાયઇ (જાય), આવઇ (આવે), જાગઈ (જાગે), સુઅઈ (સુએ), એ ઘણાં કરઈ (એ ઘણાં કરે), લિઈ (લે), તૂં કરઁ, લિઅઁ, દિઅઁ, (તું કર, લે, દે), તુમ્હે કરઉ, લિઅઉ, દિઅઉ, (તમે કરો, લ્યો, દ્યો), હું કરઉં, લિઉં, દિઉં (હું કરું, લઉં, દઉં), અમે કરઉં (અમે કરીએ). આ રૂપો સ્પષ્ટ ગુજરાતીનાં છે.
વળી ટેસિટોરી કહે છે કે જૂની પશ્ચિમ રાજસ્થાની (જૂની ગુજરાતી) સોળમી સદીના અંત સુધી કદાચ તેથી પણ આગળ ચાલ્યાનો સંભવ છે. (રા. નરસિંહરાવ સોળમી સદીના મધ્યકાળ સુધીની ભાષાને અંતિમ અપભ્રંશ એવું નામ આપે છે.) નરસિંહ મહેતાનાં પદોની ભાષામાં ફેરફાર થયો છે. એટલે તેની ભાષા ‘કાન્હડદે’ પ્રબંધના જેવી તે માને છે, મુખપાઠ કરવાની પરંપરાથી પદોમાં ઘણો ફેરફાર થવાનો સંભવ છે; પરંતુ જે હજારો લેખી પદ હાથ લાગેલાં છે, તેમાં એટલો ફેરફાર ન થાય. “જાગને જાદવા કૃષ્ણ ગોવાળીઆ, તુજ વિના ધેનમાં કોણ ધાશે.” એ નરસૈયાની કે “સોનું રૂપું પહેર્યે શું સુધરે છે, મેલી છાંડોની ડાકડમાળ” એ મીરાંની કડીમાં કેટલો ફેરફાર થયો હોય? વળી ‘સુરતસંગ્રામ’ ને ‘ગોવિંદગમન’ જેવાં નરસિંહ મહેતાનાં કાવ્યોનાં લેખી પુસ્તકોમાં બહુ ફેરફાર ન પડે. એ વાત ખરી છે કે સુશિક્ષિત લહિયા ન હોય, તો જે ન સમજાય એવું હોય, તેને ફેરવી નાંખે.
અંગ્રેજી વિદ્વાનોએ ગુજરાતીની ઉત્પત્તિ સુમારે નવસો વર્ષ પર થઈ એમ માનેલું છે, એટલે તેની શરૂઆત સંવત ૧૧મા શતકમાં થયેલી ગણાય. જૂની ગુજરાતીનાં જે પુસ્તકો પ્રથમ હાથ લાગેલાં તે ઘણાં ખરાં ૧૫મા શતકનાં ને કોઈક ૧૪મા શતકનાં હતાં. રા. ચીમનલાલ દલાલ, જેમનું અકાળે અવસાન ખેદકારક છે, તેમણે પાટણના ભંડારમાંથી જે નવા ગ્રંથ શોધી કાઢ્યા છે, તે ઉપરથી તેમણે જણાવ્યું છે કે “વિક્રમના ૧૧મા શતકથી ગુજરાતી ભાષાનો ઇતિહાસ યથાર્થરીતે લખી શકાય.” એ ઉપરથી એવું અનુમાન થઈ શકે કે તે અગાઉ કેટલાંક સૈકાથી લોક-ભાષા (બોલી) ચાલુ થાય. રા. દલાલ જૂની ગુજરાતીનો સૌથી પહેલો ગ્રંથ ‘જંબુસ્વામીરાસ’ માને છે. તેની સાલ ૧૨૬૬ની છે. પરંતુ તે અગાઉ ૧૨૫૦માં ‘અંબડકથાનક’ લખાયો હતો. ‘સદયવત્સચરિત્ર’ એ જૂનામાં જૂનો ગ્રંથ ગણાય છે, પણ તેની સાલ નક્કી થઈ શકતી નથી. વળી પરમપૂજ્ય મુનિશ્રી સિદ્ધિમુનિને ખંભાતના ભંડારમાંથી તાડપત્ર ઉપર લખેલું ‘મહાવીરસ્તોત્ર’ હમણાં જ હાથ લાગ્યું છે, તેની સાલ ૧૨૦૯ની છે. તે ‘સાહિત્ય’ માસિકમાં છપાવાનું હોવાથી અહીં હું નમૂનો આપતો નથી; પરંતુ મુનિશ્રી લખે છે કે “આ સ્તોત્રની ભાષા તે પંદરમી સદીમાં લખયેલો ‘ગોયમરાસ’, સત્તરમી સદીમાં લખાયેલા રૂષભદાસ શ્રાવકના રાસાઓ, ઓગણીસમી સદીની પં. વિરવિજયની કૃતિઓ અને આ સ્તોત્રના લેખનસમયથી આગળ વધતાં બસેં બસેં વર્ષના આંતરામાં થયલા સપ્તક્ષેત્રીરાસકાર મુનિ સુંદરસૂરિ, નરસિંહ મહેતા, ભલણ, લાવણ્યસમય અને પ્રેમાનંદ, વગેરે અનેક જૈન જૈનેતર કવિઓની ભાષા સાથે સરખાવી, હાલ ગુજરાત નામથી ઓળખાતા દેશના વતનીઓની ભાષાનો વિકાસ કેવી રીતે થયો છે, તે વિચારવાને રસ પડશે.”
ગુજરાતીના ઇતિહાસને માટે નીચેના પુરાવા મહત્ત્વના થઈ પડશે.
પાટણના જૂના ગણપતિના દહેરામાં એક માતાની મૂર્તિ નીચેનો જે શિલાલેખ છપાઈ ગયો છે તેની સાલ સંવત ૮૦૨ની છે. તેમાં છઠ્ઠીનો ‘ની’ પ્રત્યય, ‘અણહિલવાડઈ’ (વાડે) ‘પાટણિ’ (પાટણે) એવાં રૂપ છે.
એક તામ્રલેખ સં. ૧૧૫૬નો હળવદ ગામ બ્રાહ્મણોને મહારાજ સિદ્ધરાજે ઇનામ આપ્યું તે સમયનો મેં ‘વસંત’માં છપાવ્યો છે, તેથી તે અહીં આપતો નથી. (ભાષા આધુનિક હોવાથી તેના ખરાપણા વિષે શંકા લેવાય, પણ તેને આધારે પેશવા અને મુસલમાન સૂબાઓએ ફરીથી પટ્ટા કરી આપ્યા છે, તેથી તે પૂર્વે ઘણાં વર્ષ પર તે થયો હશે, એમ તો ધારી શકાય.) વળી હળવદ વગેરે ઘણાં ગામ સિદ્ધરાજે દાનમાં આપેલાં એવી હકીકત સૌરાષ્ટ્ર દેશના ઇતિહાસમાંથી પણ નીકળી આવે છે.
સંવત ૧૧૯૨નો એક શિલાલેખ વઢવાણ પાસે ભોગાવા નદીની રેતીમાં દાટાવા આવ્યો છે, તેમાં संवत ११९२ श्रावण वदि ११ बुधि श्री जयसिंह राजि कुमर वाहड इटा ।। એમ લખેલું છે.
ભાવનગર તાબે રાજુલાની આથમણી બાજુએ કુંભનાથમાં શિલાલેખ ગુજરાતી લિપિમાં બોડિયા અક્ષરનો છે તેઃ સંવત ૧૨૦૧ ન મહ સુદ ૩ શ્રી. કમનથ જત દરૂ ચવડા નગ ભટ અખદા વઉસે જામન વાઘ ૩૦૦) માદેવન જાલ કરશનરે મહા રશેય દર કલઅ થાશે.
મારા મિત્ર રા.રા. કુડાલકરે એક પુસ્તકની પ્રતના છેલ્લા પૃષ્ઠે લખેલું મને પૂરું પાડ્યું તે આ પ્રમાણેઃ संवत १३६३ रत्नादेवीये मुल्ये ल्येइ साघुने ओरावी.
સદર લેખો નવમી સદીની શરૂઆતથી ચૌદમી સદીના મધ્યભાગ ઉપરાંતની કડીવાર સાંકળ ખડી કરે છે; અને તેમાં ભાષા અપભ્રંશ જેવી કે ૧૫મા સૈકાને મળતી નથી.
વળી પંદરમા શતકના ગ્રંથોમાં સમારિસું, પેખી, દેવી, સોહામણું, (‘ત્રિભુવનદીપકપ્રબંધ’ સં. ૧૪૬૦) અને નમીએ, રચિલું રળિયામણું, જાણીએ, વખાણીએ (‘દર્શાર્ણભદ્રરાસ’ સં. ૧૪૮૬) એવાં રૂપો છે; તેવાં તે સમયના બીજા ગ્રંથોમાં ભાગ્યે જ દેખા દે છે.
રા.રા. કુડાલકરે લીમડીના એક બ્રાહ્મણ પાસેથી મળી આવેલો એક ગુટકો મને મોકલી આપ્યો, તેમાં બ્રાહ્મણધર્મી ગોવર્દ્ધનકૃત ‘ગરુડપુરાણ’ સંવત ૧૩૨૪ની સાલનું બાળબોધ અક્ષરે લખેલું છે. લખ્યા સાલ સં. ૧૮૬૫ની છે. ‘ગરુડપુરાણ’ની ભાષા અપભ્રંશ કે તે વખતના જૈનગ્રંથોના જેવી નથી; જુઓ નમૂનોઃ
एवी कृष्ण बोल्या वाण्य ।। पुरु कीधुं गरुड पुराण ।।
संवत तेर ने चोवीसे (સ હશે) ।। जम कायामां शिरोमण शीश ।।
पुराण मध्ये शीरोमण सार ।। जे मुखे कविये देर मोरारय ।।
गोवर्द्धन कथानो कवी ।। संवश्य रहतो त्यां वैभवी ।।
रसवट राखो हरीशुं रीझ ।। जेवे मोस (માસ હશે) अजुवाली बीज ।।
આથી ઊલટું ‘સદયવત્સવીરચરિત્ર’ (સંદેવંતસાવલિંગાનું જૂનું કાવ્ય) બ્રાહ્મણધર્મી ભીમે સોળમા શતકના આરંભમાં રચ્યાનું રા. દલાલ જણાવે છે, તેની ભાષા સમકાલીન જૈન અને જૈનેતર ગ્રંથકારોની ભાષાથી જુદી પડે છે, એટલે તે અંતિમ અપભ્રંશ નહિ પણ પ્રાકૃત ને જૂની ગુજરાતી બતાવે છે. જુઓઃ
माइ महा माइ मझे बावन वन्नस्स जो सारो ।
सो बिंदु ओक्कारो ओंकारेण नमोक्कारो ।।१।।
जिणइ रचीय निगम आगम पुराण सर अक्खराण वित्थारो ।
सा बह्माणी वाणी पय पणमविसु पयमग्गोसु ।।
उज्जेणी अवणि वाणि मझ्झे नयरी नयरसयल सिंगारो ।।
तिखि पहू पहु पहु वच्छो पत्थं तय पूरए अत्थ ।।
આ ભાષા સોળમા શતકમાં ક્યાંથી આવી? અનુમાન તો એ થાય કે લેખકે પોતાના પ્રાકૃત આદિના જ્ઞાનનો ઉપયોગ કર્યો હશે.
સંવત ૧૬૬૦ના અરસામાં સંઘવી ઋષભદાસે ‘પુણ્યપ્રશંસારાસ’ રચેલો પરમપૂજ્ય મુનિશ્રી સિદ્ધિમુનિએ કૃપા કરી મને જોવા આપ્યો. તે ઋષભદાસના સ્વહસ્તે લખેલો છે. એટલે તેમાં નકલ કરનારના પ્રમાદને અવકાશ નથી. તે બાળબોધ લિપિમાં માથાં બાંધીને લખેલ છે, છતાં તેમાં ગુજરાતી10 અક્ષર ઘણા આવે છે. ત્રણ પાંખડાં વાળો ‘અ’, વચમાં પાંખું નહિ પણ ‘ચ’ની પેઠે કરીને નીચે ગાંઠ જેવું જરાક વાળીને તેને કાનો કરેલો એવો ‘સ’ (એ બંને પૂર્વે પ્રચારમાં હતા) તેના બીબાં ન મળવાથી હાલના જેવા અને ગુજરાતી અક્ષરોને માથાં દોર્યા વગર લખીને બાકી સર્વ અસલ પ્રમાણે આપું છુંઃ
આसो रे मुझ આज फली मन આसा । सरसति । ऋषमादे (પડી માત્રા) व नमि कीधो । पुण्य प्रसंसा रासो रे । मुझ पोहोती मननि આसो।। આचसी ।। मेर मही । तब લગ રइहइज्यो रासो रे ।। मु ।। सुणी सांभલી जे नर चेत्या । છુटा भवनो पासो । रीषभ कहई ए रास सुणंता । અनत सुष મ્હા वासोर (रे) मुज पोहोती मननी આसो ।।
ईति श्री पूण्य प्रसंसारास पूरण । ગાથા ૩૨૮ ।। लखीतं संघवी ।। ऋषभदास साગણ (પિતાનું નામ)
ઋષભદાસ પછી ૧૦૦ વર્ષે એટલે સંવત ૧૭૫૫માં શ્રીમાન જિનહર્ષપ્રણીત ‘શંત્રુજયમહાત્મ્ય’ સ્વહસ્તે લખાયું છે, તેના એક પૃષ્ઠની આબેહૂબ નકલ (ફોટોગ્રાફથી) છપાઈ છે, તેમાંથી ઉતારોઃ
ते आठिम चउदिशि राजेसर । पर्व दिवस तप भावइ रे । निश्चयथी नव चलइ ते किमें हि । जउ सुर तास चलवइ रे । पूर्व तणी दिशि जउ छोडी नइ । पछिम दिशि रवि जायइ रे । सायर मर्यादा तजइ । सुर गिरि कांपइ वायइं रे ।।
दूहा
नादई तूसइ देवता । धर्मनादथी धारी ।।
सुष पामइ नृप नादथी । नादह वशि हुइ नारि ।।
नादक पकडावइ सरप । रहइ रोतउ लघु बाल ।।
शिर आपइ मृग नादथी । एहवउ नाद रसाल ।।
આ બે છેલ્લી કવિતા ઉપરથી શું સમજવું? ઋષભદાસની ૧૭મા શતકની ગુજરાતી કે જિનહર્ષની અઢારમા શતકની જૂની જૈન ઢબની ગુજરાતી, કે તે અંતિમ અપભ્રંશ છેક અઢારમા શતક સુધી જઈ લાગી છે એમ ગણવું? વળી અહીં સંવત ૧૭૪૬નો મહોરછાપ વાળો ફારસી સાથેનો ગુજરાતી લેખ અસલ પ્રમાણે જિનહર્ષની ભાષા સાથે તથા હાલ ચાલતી ભાષા સાથે સરખાવવા માટે આપું છું.
‘શ્રી દીવાન પ્રગણે મહમદનગર અરક હલવદ જગીરખાંન શ્રી. આદેશાત કશબે મેહેમદનગરનાં બ્રાહ્મણ સમસ્ત જોગ જત તમારા પસાયતા ધરતી જે પહેલાં હતી તે પોતાની ખાતર જમે રાખી ખેડજો. તેનો ગવતની હકીકત વગત સંવત ૧૭૪૬ ચૈત્ર સુદ ૩ સોમે.’
ઋષભદાસના સમયમાં ખંભાતના કવિ શિવદાસે ‘હંસાચારખંડી’ નામની વાર્તા કવિતાબદ્ધ રચી છે. તેની ભાષા શામળભટની વાર્તાઓ સાથે લગભગ મળી રહે છે. એ વાર્તા ‘સાહિત્ય’ માસિકમાં હું છપાવું છું, તેથી તેમાંના નમૂના આપવાની જરૂર નથી.
આટલું લંબાણ કરવાનું કારણ એ કે ભાષાના ઇતિહાસ ને યુગો સંબંધે વિદ્વાનોને વિશેષ વિચાર કરવાનાં સાધનો મળી આવે.
જૂની ગુજરાતીનાં નિદાન છેલ્લાં બે શતકના સાહિત્યમાં જે ભાષા વપરાએલી જોવામાં આવે છે, તે નવી ગુજરાતી સાથે ઘણી મળતી આવે છે; તેથી તે નવી ગુજરાતીની જોડણી આદિ માટે ઉપયોગી થઈ પડશે. શામળશાહના મોટા વિવાહની એક તૂટક દેવનાગરી અક્ષરે લખેલી જૂની પ્રત મારી પાસે છે, તેમાંના થોડાં વાક્ય વાનગી તરીકે આપું છું.
26,604

edits

Navigation menu