શેખની કવિતા : શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોની સૃષ્ટિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
૧૯૮૩-માં દાહોદ-કૉલેજમાં ‘વિવિધ વિવેચનાત્મક અભિગમો’ વિષયક પરિસંવાદમાં મેં એમની ‘કબ્રસ્તાનમાં’ રચના વિશે વક્તવ્ય આપેલું. (મારા ‘સંરચના અને સંરચન’ પુસ્તકમાં સંઘરાયું છે --૧૯૮૬). ત્યારે મેં કહેલું કે શેખ અને એમની કવિતાસૃષ્ટિ સાથે આપણે ઘરોબાથી નહીં પણ એના અભાવથી સંકળાયેલા છીએ.  
૧૯૮૩-માં દાહોદ-કૉલેજમાં ‘વિવિધ વિવેચનાત્મક અભિગમો’ વિષયક પરિસંવાદમાં મેં એમની ‘કબ્રસ્તાનમાં’ રચના વિશે વક્તવ્ય આપેલું. (મારા ‘સંરચના અને સંરચન’ પુસ્તકમાં સંઘરાયું છે --૧૯૮૬). ત્યારે મેં કહેલું કે શેખ અને એમની કવિતાસૃષ્ટિ સાથે આપણે ઘરોબાથી નહીં પણ એના અભાવથી સંકળાયેલા છીએ.  
આજે તો એ અભાવ ઘણો દૃઢ થયો ભાસે છે. ૧૯૭૪-માં પ્રકાશિત ‘અથવા’-માં ‘અને’ ઉમેરીને ૩૯ વર્ષ પછી શેખ આ સંગ્રહ રૂપે રજૂ થયા છે ત્યારે ફરીથી તક જન્મી છે કે આપણે એમની કાવ્યસૃષ્ટિ સાથે ઘરોબો કેળવીએ અને એ પ્રકારે એ અભાવનું નિરસન કરીએ...
આજે તો એ અભાવ ઘણો દૃઢ થયો ભાસે છે. ૧૯૭૪-માં પ્રકાશિત ‘અથવા’-માં ‘અને’ ઉમેરીને ૩૯ વર્ષ પછી શેખ આ સંગ્રહ રૂપે રજૂ થયા છે ત્યારે ફરીથી તક જન્મી છે કે આપણે એમની કાવ્યસૃષ્ટિ સાથે ઘરોબો કેળવીએ અને એ પ્રકારે એ અભાવનું નિરસન કરીએ...
{{Center|♦ ♦ ♦}}
{{Center|♦ ♦ ♦}}
લેખ આ સ્થાનેથી બે ભાગમાં વહેંચાઇ જાય છે : પહેલામાં, મેં એમને એક આગવા આધુનિક કવિ તરીકે વર્ણવ્યા છે. બીજામાં, મેં એમને એક ચિત્રકાર-કવિ તરીકે વર્ણવ્યા છે.  
લેખ આ સ્થાનેથી બે ભાગમાં વહેંચાઇ જાય છે : પહેલામાં, મેં એમને એક આગવા આધુનિક કવિ તરીકે વર્ણવ્યા છે. બીજામાં, મેં એમને એક ચિત્રકાર-કવિ તરીકે વર્ણવ્યા છે.  
'''ભાગ : ૧'''
'''ભાગ : ૧'''
મેં જણાવ્યું એમ અછાન્દસને આપણે આધુનિક સંવેદનાનું કવિતા-સાહિત્ય ગણ્યું છે. શેખને આપણે એ દિશાના કવિ કહીએ છીએ. સૌ પહેલાં હું એ શેખની વાત કરું :
મેં જણાવ્યું એમ અછાન્દસને આપણે આધુનિક સંવેદનાનું કવિતા-સાહિત્ય ગણ્યું છે. શેખને આપણે એ દિશાના કવિ કહીએ છીએ. સૌ પહેલાં હું એ શેખની વાત કરું :
 '''૧ : ૧'''
 
'''૧ : ૧'''
સામાન્યપણે શેખની સૃષ્ટિમાં આ બધા સંકેતો અવારનવાર આવે છે : બપોર, શબ્દો, સાપ, પવન, ઘુવડ, મૃત્યુ, અન્ધકાર, ઇશ્વર, સેતાન, દેવદૂતો, કબ્રસ્તાન, પેગમ્બર, કયામત, વગેરે.  
સામાન્યપણે શેખની સૃષ્ટિમાં આ બધા સંકેતો અવારનવાર આવે છે : બપોર, શબ્દો, સાપ, પવન, ઘુવડ, મૃત્યુ, અન્ધકાર, ઇશ્વર, સેતાન, દેવદૂતો, કબ્રસ્તાન, પેગમ્બર, કયામત, વગેરે.  
આપણે જોયું છે કે એક સરેરાશ આધુનિકમાં આવા સંકેતોમાં છુપાયેલી પ્રતીકાત્મક સમ્પત્તિનો લાભ લેવાનું વલણ જોશપૂર્વક સ્થિર થયેલું. એક ચોક્કસ સમજથી આપણે આધુનિક કવિતાને પ્રતીકધર્મી ગણેલી. પણ શેખની સર્જકચેતના આ પરત્વે આગવી છે. એમની સૃષ્ટિમાં આવા બધા સંકેતોનું ફન્ક્શન, કાર્ય, સાવ જુદું છે :  
આપણે જોયું છે કે એક સરેરાશ આધુનિકમાં આવા સંકેતોમાં છુપાયેલી પ્રતીકાત્મક સમ્પત્તિનો લાભ લેવાનું વલણ જોશપૂર્વક સ્થિર થયેલું. એક ચોક્કસ સમજથી આપણે આધુનિક કવિતાને પ્રતીકધર્મી ગણેલી. પણ શેખની સર્જકચેતના આ પરત્વે આગવી છે. એમની સૃષ્ટિમાં આવા બધા સંકેતોનું ફન્ક્શન, કાર્ય, સાવ જુદું છે :  
Line 161: Line 165:


‘સ્મૃિત’-માં (૫૬), ખાંડના ગાંગડા પર પડેલ પાણીના ટીપાની ઘટ્ટતામાં મીઠાશ પી પીને એક કીડી મરી ગઇ હોય છે. એ જોઇને કાવ્યનાયકના મગજની પછવાડે ભરાઇ બેઠેલી અધકાચી સીમ એની હથેળીમાં ઊતરી આવે છે. એને આંગળે આંગળે આંબા ઊગે છે. પાંચ દિશાઓમાં પગદંડીઓ પથરાઇ જાય છે. એની આંખમાંથી એક પાતળું, મૉળું ટીપું નીચે પડે છે જેને એ ટાંકણીથી કોચી જુએ છે. પછી ગજબ થાય છે : કીડીઓ કીકીમાં કંટાળીનેય બેસી રહે છે. પણ ભાવક એમાં કંટાળ્યા વિના જોડાઇ ગયો છે.  
‘સ્મૃિત’-માં (૫૬), ખાંડના ગાંગડા પર પડેલ પાણીના ટીપાની ઘટ્ટતામાં મીઠાશ પી પીને એક કીડી મરી ગઇ હોય છે. એ જોઇને કાવ્યનાયકના મગજની પછવાડે ભરાઇ બેઠેલી અધકાચી સીમ એની હથેળીમાં ઊતરી આવે છે. એને આંગળે આંગળે આંબા ઊગે છે. પાંચ દિશાઓમાં પગદંડીઓ પથરાઇ જાય છે. એની આંખમાંથી એક પાતળું, મૉળું ટીપું નીચે પડે છે જેને એ ટાંકણીથી કોચી જુએ છે. પછી ગજબ થાય છે : કીડીઓ કીકીમાં કંટાળીનેય બેસી રહે છે. પણ ભાવક એમાં કંટાળ્યા વિના જોડાઇ ગયો છે.  
    ‘રોજ’ (૮૧) કે ‘છીપલાંની ઠરેલ...થી શરૂ થતી શીર્ષક વગરની રચના (૫૯) --માં, આ પ્રકારે શબ્દાર્થ અને લાલિત્યનું સાયુજ્ય કહેવા-સાંભળવાની તેમજ આલેખવા-જોવાની વસ્તુ રૂપે આકર્ષી રહે છે. ખાસ તો, આ રચનાઓ ભાવકને એક બનતા રહેતા બનાવની ઝાંખી કરાવે છે --જાણે કશું રમ્ય હૅપનિન્ગ.
    ‘કૌતુક’ (૭૩) આ સંગ્રહમાં સાવ જ જુદી રચના છે --વિરલ. કલ્પનો અહીં મનોરમ લયવિધાનથી સંકળાયાં છે. જોકે એના સગડ મળે છે, સંગ્રહના પરિશિષ્ટ ૨-માં મુકાયેલી ૧૯૫૬, ૧૯૫૭ અને ૧૯૫૮ જેટલા શરૂઆતના ગાળામાં લખાયેલી ત્રણ રચનાઓમાં. ત્રણેયનું કાવ્યમાધ્યમ પ્રાસ, લય, અને રે લોલ-જેવા લહેકાથી નીપજ્યું છે. એમાંની ‘ખોરડું’ (૧૫૭) અંગે શેખે પોતે કહ્યું છે : ‘ ‘ખોરડું’ લખ્યું ત્યારે ઓછીવત્તી માત્રાને આધારે એને અગેય કરવાની છૂટ લીધી હતી, પછી હરિગીત --પરંપરિત માંડ્યા. છેવટે લોકલઢણમાં ‘અમજીભાની ડેલીએ ઓલી સાબદા થાવા રાતડી ઘોડી નાખતી હાવળ’ જેવાં રવડતાં, દવડતાં કલ્પનોનો દોર હાથમાં લીધો...’ (૧૬૭). કલ્પનોના એ દોરનો અહીં ધીંગો વિલાસ જોઇ શકાશે. ભાવક અનુભવી શકે કે કૌતુક જેવો અમૂર્ત મનોભાવ લય-લીલા અને પ્રાસાનુપ્રાસીથી મૂર્ત થઇ ઊઠ્યો છે : સરુસળીના રણમાં ઝીણો સરપ ઝરપતો જાય... ચિતવન આંબી અધ્ધર ઊડે ચકચક આંખ ચિડૈયા... કેશસરોવર કીકી શું પહોળાય ભમરિયા ઊલટપલોટા ખાય... રણમાં મછલિયા લસે લસે બલખાય... ડમરીની ડમણી પર બેસી કયું જનાવર જાય... વગેરે વડે.
      દાખલા તરીકે, કેટલાંક ચિરસ્મરણીય કલ્પનો :
    ‘વાવના પગથિયે કામરત શૃગાલયુગલના શ્વાસનું દ્વન્દ્વ / ઉપર લીમડાનાં પાનમાં પેસી તેને ગલી કરે છે’ (૧૬). ‘ઉકરડે નાખેલા એંઠવાડના ગોટલામાંથી ઊગેલા આંબાને / કૂકડા કોચે છે’ (૧૭). ‘વન જેવું મન રાની ફૂલે તનમાં વાતો રાતોચટ અંબાર’ (૭૩). ‘ચકલીનાં બચ્ચાં સમા કંપિત ખસકતાં જાય / ચાંદરણાં / અનેકાનેક’ (૭૮). ‘તડકાની ધારે ધારે રમે, મૂતરે નિશાળિયા’ (૧૧૯). ‘મોટરોના મર્ડગાર્ડને ચાટતા ભિખારીઓ’ (૧૨૦). ‘ખાંડના ગાંગડા પર પડેલ પાણીના ટીપાની ઘટ્ટતામાં / મીઠાશ પી પીને મરી ગઇ એક કીડી’ (૫૬). ‘હા-ના વચ્ચેની ફાડમાં / થઇને નીકળ્યો અશ્રુજાત ચહેરો’ (૬૬). ‘દરેક વાર કરવા ઇચ્છેલી વાત / પાછી ગડી કરી મૂકી ખિસ્સામાં (૯૪). ‘એકાન્તમાં અવાવરુ પડેલી વાત / પાટલૂનમાં ગરોળીની જેમ ચડી ગઇ છે (૯૪). ‘પાછો ફર્યો / ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર / મને વીંટળાઇ વળ્યું (૮૦).
    પ્રત્યેક કલ્પનને ભાવક જેટલું કલ્પી શકે એટલી એની પણ સર્જકતા ખીલે...એટલે લગી કે આ દરેકથી પ્રગ્રટતા ઇન્દ્રિયપ્રત્યક્ષ જોડે એની મનોમયી રમણા શરૂ થઇ જાય...
      દાખલા તરીકે, કેટલીક અનવદ્ય ઉપમાઓ :
    ‘બપોરના સૂરજ જેવી અસ્વસ્થતા’ (૬૯); મારા વિચારોને બંધ મુઠ્ઠીમાં ઝાલેલા કાચની જેમ ભીંસું છું’ (૧૨૩); ‘ઘણી વાર શબ્દો હાથમાં ઝાલેલ ફટાકડાની જેમ / ફૂટી પડે છે’ (૧૩૫); ‘...થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદની’ (૧૫); ‘ભીંજાયેલી રોટલી જેવો આત્મવિશ્વાસ’ (૨૯); ‘(અંધકાર) લીલાં પાંદડાંની પછવાડે જર્જરિત તંબૂ જેવો’ (૩૨); ‘પાણીની જેમ / તમને ખોબામાં ઝીલ્યાં હતાં / સાચવ્યાં હતાં’ (૫૮); ‘તું વહાણા સમી વાઇ / વાંભવાંભ વનમાં / હવાની હેલી સમી / આ ઊઠી, આ ઊડી / આ ઢળી, ભળી ભોંયમાં (૬૭); ‘સહિષ્ણુતા શેમ્પૂ સમી...’ (૮૬). પ્રત્યેક ઉપમેયને અને તેના ઉપમાનને ભાવક અલગ પાડીને વિચારે તો પણ એને ઘણો તોષ થાય...પોતાની રીતે જોડે ત્યારે એ તોષનો ચોકક્સ વિકાસ અનુભવે.
  દાખલા તરીકે, ઇન્દ્રિયપ્રત્યક્ષ થતી પ્રતીતિઓની તો આ સૃષ્ટિમાંથી જેટલી પંક્તિઓ બતાવી શકીએ એટલી ઓછી છે. ઇન્દ્રિયવ્યત્યયોથી સરજાતી આ રમણીય રચના ‘દિનચર્યા’ (૮૩) જુઓ :
  રાતના કાળા કળણમાં દાડમના દાણા --દૃશ્ય. એ ડૂબું ડૂબું થતા હોય --દૃશ્યવિસ્તાર. ગજા ઉપરવટ સૂરજ ગળચીને આંખો આંધળીભીંત --દૃશ્ય, સ્વાદ અને સ્પર્શનું મિશ્રણ. ઘાસ ખાઇ ખાઇને કીધા પીળા પોદળા તેની ગંધના બેય કાને પૂમડાં --સ્વાદ-દૃશ્ય-ગન્ધ-નો શ્રવણ માટેના કાને કેટલો તો સાચકલો વિરામ. ચગળવી રોટલાના બટકા જેવી જીભ--માં, કોણ કોને ચગળે છે એ અસમંજસતા તો ખરી જ પણ આશ્વાસન એ કે રોટલો ચગળાય છે. આટલું ફાવી ગયા પછી ભાવકને કાવ્યનાયકની ‘સળગતું સાપોલિયું પાળવું પેટમાં’ કે ‘બપોરનું બળતણ બાળી તડકાની તલવારો ઝીલી ઝૂઝવું’ વગેરે બિલકુલ ગળે ઊતરી જાય છે. રાતના કૂવે એ છાતીનાં છોતરાં ચૂસતો પેલા કળણમાં વરસે, તે સારું લાગે છે --કેમકે કાવ્યનાયકને એ કળણમાં ભલે રાતાં પણ બીજ ધરબવાં હોય છે ! વગેરે.
૨ : ૮
    પણ શબ્દાર્થ અને લાલિત્યનાં સાયુજ્યો કોઇ કોઇ સ્થાનોએ, ભાવક માટે તો ખાસ, સવિશેષ ભાવે, સંક્રમણભોગ્ય નથી નીવડ્યાં :
    ‘પિત્તળની ચામડીનો બોદો રણકાર ચૈત્રની હવામાં ડૂસકાં ખાય છે’ (૧૬) --માં પિત્તળ અને ચામડી વચ્ચેના તેમજ બોદો અને રણકાર વચ્ચેના વદતોવ્યાઘાતને, સૅલ્ફ-કૉન્ટ્રાડિક્શનને, સ્વીકાર્યા પછી પણ ખયાલ નથી આવતો કે એથી શું સમજવાનું છે. કદાચ ત્યાં કશું સમજવાનું નથી.
  ‘બારી બહારના અંધકારની યોનિમાં / રાતા નાગના ફૂંફાડા’ (૨૦) --એ કેવા ફૂંફાડા ? ‘રાતા નાગ’-થી શું સમજવાનું ?
    ‘તે રાત્રે પશ્ચિમનો ચન્દ્ર હસી શક્યો નહિ. મોડેથી એના પેટમાં કાણું પાડી પવન પસાર થયો.’ (૨૩) --કેમ હસી શક્યો નહીં ? એના પેટમાં કાણું શું લેવા ? ભલે; ‘એણે પોતાની જાતને સળી જેવી ઝીણી થઇ ત્યાં સુધી / છોલાવા દીધી’ --પણ પોતાની સાથે એણે એવું કૃત્ય થવા દીધું તે શું કામ ?
    ‘ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન’ (૨૬) સમજાય; એ ‘પર કાલે જે ઘુવડે વાસો કર્યો હતો’ એ પણ સમજાય; પણ એની ‘પાંખોનો ભૂરો પડછાયો હજી ત્યાં પડ્યો’ હોય અને ‘આજે અજાણતાં જ’ કાવ્યનાયકને ‘જડી જાય’ એવું કેવી રીતે અને શું કરવા ?
    આવાં સ્થાનોએ કલ્પના તરંગની રીતે ફસકી પડી હોય છે ને તેથી અપ-અસરો જન્માવે છે. જ્યારે, ‘સવારના તડકે ભોળપણમાં / સીમના થોરની વાડને બાથ ભરી લીધી અને એનાં રૂંવેરૂંવાં છેદાઇ ગયાં’ (૨૭) --માં ભાવકને તરત સમજાય છે કે કલ્પના કેટલી તો ફળદાયક નીવડી છે !
    ‘આછરેલા પાણીનો અરીસો’ (૩૫); ‘સૂવરની આંખોની કરુણ ગુફાઓ’ (૩૩); જેવા પ્રયોગો રસપ્રદ નીવડે છે પણ એની સરખામણીએ ‘સ્ત્રીના ચર્માણુ વચ્ચેના ખાબોચિયામાં મોઝેઇકની કપચીઓ’ (૪૧) જેવા, બહુ દૂર પડી જાય છે. ‘અંધારે બોળેલ અંબાર’-ને કલ્પવાની મજા આવે (૪૩) પણ ‘મરેલા આકાશનું ખોળિયું’ (૪૫) વિચારતાં થાકી પડાય. ‘નગ્ન સુન્દરીના સ્તનના પડછાયામાં માથું’ (૪૯) સૌને ગમે. ‘ગોફણે ફંગોળેલી આંખ ચળકે બપોરનાં સૂકાં તૃણમાં’ (૫૨) એને જોઇ રહેવાનું પણ ગમે.
    પણ ‘ભવિષ્યની લાલ આંખોનાં પાણી’ (૨૮); ‘સમુદ્રના મસ્તકની સીધી લીટી’, ‘પગના અંગૂઠાનો છાપરિયો વળાંક (૩૧); ‘સમુદ્રની પીઠનું અંદરનું ચામડું’ (૩૩); ‘ધૂળને લીલનો લાગ’ (૮૪) મુશ્કેલ પડે છે. એના કરતાં, ‘સાંજની ટાઢીબોળ ઝાંયનું અજવાળું’ (૮૫) કે ‘નખથી નક્ષત્ર લગીનો ઝણઝણાટ’ (૮૯) સુગમ પડે છે. એ જ રીતે, ‘ગગનઘોડિયું’ (૭૭), ‘ધૂળતડકાલીમડાપીપળ’ (૭૯), ‘તડકાની તલવારો’ (૮૩), ‘બસોબકરાંકૂતરાંગાયકારકુનોગંદવાડ’ ( ૧૨૦) તાદૃશ છે એટલે સ-રસ જ છે.
    તેમછતાં આ સાયુજ્ય-લીલાની નિતાન્ત ફલશ્રુતિ અંગે ભાવકની મૂંઝવણ સંભવિત છે. કેમ ? કેમકે એને આવા આવા પ્રશ્નો થવાના : લીલા કરનાર કવિ કોને સમ્બોધે છે ?  સમ્બોધનનો કશો કોઇ આશય ? આલેખન કે નૅરેશનનું છેવટનું લક્ષ્ય કે તેનું શીર્ષસ્થ સૂચન શું છે ? શું એટલે જ અમુક રચનાઓને શીર્ષક નથી અપાયાં ? સાયુજ્યો રચનાનાં આદિ મધ્ય અને અન્ત કાવ્યવસ્તુથી નક્કી થાય છે કે રચયિતાની મરજીથી ? સાયુજ્યસૂત્ર કયું ? : ટૂંકમાં, સર્જન સામેની ભાવન-ધરી પરથી હમેશાં ઊઠતા રહેતા ચિરકાલીન પ્રશ્નો...બીજા શબ્દોમાં કહું તો સર્જકનો કોઇ-ને-કોઇ સ્વરૂપનો પ્રોટૅગનિસ્ટ મળી જાય એ માટેનાં ખાંખાંખોળા...આ અંગે પણ પછીથી કહું છું. (જુઓ : ૨ : ૧૦).
૨ : ૯
      જોકે શેખમાં મને એ પ્રશ્નોના ઉત્તર જડ્યા છે : ઘણી રચનાઓમાં એ આલેખક, એ નૅરેટર, એ કર્તા, મને મળ્યો છે. એનો અવાજ મને સાંભળવા મળ્યો છે. ક્યારેક એનું લક્ષ્ય મને પકડાયું છે. આશય ક્યારેક સ્પષ્ટ, ક્યારેક ધૂંધળો કે સંદિગ્ધ પણ પકડાયો છે. એટલું જ નહીં, એનાં ક્રિયા-કર્મોની સોબત તેમજ નૅરેટિવ અને ડિસ્ક્રિપ્ટિવનાં બન્ને પરિમાણને કારણે રચનાઓ હૅપન થતાં હૅપનિન્ગ્સ રૂપે પણ અનુભવાઇ છે.
    જુઓ, ‘પિત્તળની ચામડીનો...થી શરૂ થયેલી રચનામાં કવિતાનો સ્વ-વાચક પહેલો અવાજ નથી સંભળાતો, અન્યપરક બીજો અવાજ સંભળાય છે. ‘સવારના તડકે...થી શરૂ થતી શીર્ષક વગરની રચનામાં (૨૭) પણ એમ બન્યું છે. પરિણામે રચનાઓ કાવ્યશીલ બયાન વધારે લાગે છે. પણ ભાવક જો એ રચનાઓનાં સાયુજ્યોને ધ્યાનમાં લે તો રચનાઓ બયાન હોવા છતાં કાવ્યમય વધારે લાગશે. કાવ્યશીલ-વિભાવની એની સમજણમાં વધારો થશે.
    પરન્તુ, ‘કબ્રસ્તાનમાં’ (૩૦), ‘એક ઘરગથ્થુ દૃશ્ય’ (૭૫), ‘બે ઘર’ (૭૬), ‘આમ દરવાજો’-થી શરૂ થયેલી શીર્ષક વગરની રચના (૭૮), ‘રોજ’ (૮૧), ‘બારણે સાપ’ (૮૫) કે ‘રેસિડેન્સીમાં વરસાદ’ (૮૭) કે ‘અંધારામાં...થી શરૂ થયેલી શીર્ષક વગરની રચનામાં (૨૧) નૅરેટરની પૂરેપૂરી હાજરી અનુભવાય છે.
    આ સંદર્ભમાં એકલી ‘કબ્રસ્તાનમાં’ (૩૦) રચનાને જોઇએ :
    સમજો, કવિ અહીં એક ચિત્રકારની અદાથી કાગળ પર કે અવકાશિત કૅન્વાસ પર સર્જના શરૂ કરે છે, જેને પણ પોર્ટ્રેઇટ કહી શકાય : આમ તો એ જુદી વાત છે કે કબ્રસ્તાન પોતે જ એક સ-શક્ત પ્રતીક છે. પણ કુલ ૧૦ વાક્યની આ રચનામાં કહી શકાય કે ૧૦ કલ્પનો છે --ચિત્રકારનું કામ કવિએ કર્યું છે. એમાં શબ્દ-પ્રતીકો વપરાયાં છે. દૃશ્ય વગેરે ઇન્દ્રિયપ્રત્યક્ષો અનુભવાય છે. રચના પોતે સમગ્રસ્વરૂપ પ્રતીક ભાસે છે --શાન્તિનું પ્રતીક. આલેખન અને ક્રિયાની રીતે આ સંયોગને જોતાં જણાશે કે એમાં કર્તાની સરખામણીએ ક્રિયાએ વધારે જગ્યા રોકી છે. જેમકે, રાક્ષસો, પવનો, કીડીઓ, પથરા, નામો, પાણી, વાદળ અને સીમાડા--ને રજૂ કરતાં કલ્પનો કર્તાલક્ષી છે પણ એ દરેકની ક્રિયાનું શાન્તિ બાબતે કથન થયું છે. જ્યારે, સૂઇ ગઇ, થાણાં કર્યાં છે, પથરાઇ ગઇ છે--ને રજૂ કરતાં કલ્પનો ક્રિયાલક્ષી છે અને દરેક વખતે શાન્તિનું આલેખન થયું છે.
    ભાવક જો સુસંગતતા, પ્રતીકપ્રવેશ અને તેની સંયોજનાને પકડવા ચાહે તો મહેનત લઇને પકડી શકે એમ છે. તો એની સામે કબ્રસ્તાનની એક સેન્દ્રિય છબિ ખડી થાય. પણ એ જો જિદ્દ કરે કે એ છબિનું છે શું --એ કહો, એથી કોને શું થયું --એ કહો, તો એ મુશ્કેલી તો ખરી જ.
    પણ ધ્યાનથી જોતાં એ જિદ્દનું સરસ નિરસન થાય છે. કેમકે ભલે છેલ્લે પણ અદૃશ્ય નૅરેટરનો અવાજ સંભળાય છે. કહે છે : ‘કાંઇ દેખાતું નથી, બસ કાદવ, કાદવ, કાદવ...’ કાદવની એની એવી પુનરુક્તિથી રચનાને છોડી દેવાઇ છે પણ એટલે જ એનું એક વિસ્તરતા રહેતા હૅપનિન્ગમાં રૂપાન્તરિત થઇ ગયું છે. એ વિસ્તૃિત ભાવકને કબ્રસ્તાન અને તેમાં પ્રવર્તતી શાન્તિનો અનેરો અહેસાસ આપે છે બલકે રચનાનું છેવટનું લક્ષ્ય કે તેનું શીર્ષસ્થ સૂચન કલ્પવાની મૉકળાશ આપે છે.
    એક રચના આ પણ છે, ‘લીલા ફ્લાવરવાઝવાળું સ્ટીલ લાઇફ’ (૫૩) :
    સમજો, કવિ અહીં પણ એક ચિત્રકારની અદાથી કાગળ પર કે અવકાશિત કૅન્વાસ પર સર્જના શરૂ કરે છે : સૌ પહેલાં હાથનું આલેખન --સિફતથી કોરેલો, કાગળના ફૂલ જેવો નમણો અને બિલ્લીની રુંવાટી જેવો નાજુક. આ હાથ માત્ર રેખાથી નથી એમાં કાવ્યકલાના ઉપમા નામના ઉપકરણનો યોગ થયો છે --કાગળના ફૂલની નમણાશ અને બિલ્લીની રુંવાટીની નાજુકતા. એ છે આલેખન અથવા એવી ન-ક્રિયા. હવે ક્રિયા : એ હાથ ટેબલ પરનો કપ ધીમે રહીને ઉપાડે છે : હવે આલેખન અને ક્રિયાનો સમાગમ : હાથ કપના ક્રીમ રંગમાં એવો ભળી જાય જાણે એનો જ ભાગ ન હોય ! : એમ થતાં, હાથના મૂળ આલેખનનું વિસ્તરણ. એવી ન-ક્રિયા. હવે એક વધુ આલેખન : કાચના વાસણ નીચે સફેદ રંગનું બાંયના કપડાના રંગ જેવું જ ટેબલક્લોથ. ઉપમાન દરજ્જાની સફેદ બાંય પેલા હાથની જ કે કેમ ? સફેદ રંગના એવા અટપટા સમાગમ પછી વળી એક આલેખન : ટેબલની બરાબર વચ્ચે લીલુંકચ ફ્લાવરવાઝ --ન-ક્રિયા.
    કવિએ ચિત્રકારની અદાથી દોરેલું સ્ટીલ લાઇફ એ પ્રકારે પૂરું થયું. કવિ અને ચિત્રકાર જુદા ન રહ્યા. આલેખન અથવા ન-ક્રિયા અને ક્રિયા પણ એક થઇ ગયાં.
  પણ જુઓ, નૅરેટર પ્રવેશ્યો --‘ઝેર આવા રંગનું હશે ?’ નામનો પ્રશ્ન કરી રહ્યો...પણ ‘એમાં રમતાં નારંગી ફૂલ’ વડે ઉત્તર અપાયો --એવી એક સૂક્ષ્મ આલેખન-ક્રિયા વડે. લીલો કચ અને નારંગી --એ બે રંગનું સાયુજ્ય ધ્યાનપાત્ર છે : રમતાં નારંગી ફૂલ, ઝેર આવા રંગનું હશે, પ્રશ્નનો ઉત્તર છે. રચના એક હૅપનિન્ગમાં રૂપાન્તરિત થઇ ગઇ. બને કે આ હૅપનિન્ગ વિચારક કોઇ ભાવકને લીલા-નારંગી જેવી કશી વિષમ-સમ ભાતમાં દૂરે ક્યાંય દોરી પણ જાય. જોકે એટલે જ એને એવી મોટી લબ્ધિનો તોષ પણ થાય. સાથોસાથ, એની કશી પણ જિદ્દનું નિરસન પણ થાય.
    આના સામા છેડે, ‘સ્ટીલ લાઇફ’ (૫૫) રચના લીલા રૂપે જ બચી છે. નૅરેટર એમાં સાવ જ બૅક-ગ્રાઉણ્ડમાં રહી ગયો છે : પ્રકાશ અને રંગોનાં જુદાં જુદાં પરિમાણ વચ્ચે એમાં અનેક વસ્તુઓ એક પછી એક આલેખાતી ચાલી છે : દબાયેલ ઓશીકામાં પહોળા માથાનો ખાડો. પથારીની વચ્ચોવચ્ચ પોલાણ. પલંગના સ્થૂળ પાયે હાથીના કરચલિયાળ કાન જેવી ઝૂલતી ચાદર. અરીસા પર અધભૂંસેલી ધૂળ. કાળી કાર્પેટ પર ગુલાબી બ્રેસિયરના રેશમી પર્વતો પર ચડતી રડીખડી કીડી. કથ્થાઇ ટેબલ પર ચપોચપ પડેલી જામલી સાડીની પહોળી, આરદાર, લીલી કિનાર. કાળા મખમલની મોજડી પર પાંપણના વાળ જેવું ઝીણું સોનેરી ભરત. શરૂઆતમાં પૂર્વનો સૂર્ય અર્ધી ઊંઘમાં ઓરડામાં પ્રવેશેલો, ચારે બાજુ ઠેબાં ખાતો, એ હવે અદેખા પ્રેમી જેવો આંધળોભીંત છે અને ટેબલ પરના ગ્લાસ ફોડે છે, પડદા ચીરે છે. અને છેલ્લે, ફ્લાવરવાઝમાંથી નકલી દાંત જેવાં ફૂલ બાથરૂમની ટાઇલ સામે દાંતિયાં કરે છે. આ સમગ્રને શબ્દથી સરજાયેલા સ્ટીલ લાઇફ રૂપે માણી શકાય છે. પણ બસ એટલું જ ! ભાવકે સમજવું રહે કે કદાચ કાવ્યનાયકને પણ એથી વિશેષ કશું નથી કરવું.
    ‘ઘાસ લીલાશ...’--થી શરૂ થતી શીર્ષક વગરની રચના (૮૪) ‘ઘાસ લીલાશ / હાશ / શુક ઊડ્યાં તે ઝાડ લઇ / લીલોતરી પ્રસરી વ્યોમ / ને / પાછી વળી’ જેવા દૃશ્ય અને સ્પર્શના ગતિશીલ કલ્પન પછી એ નૅરેશન એ જ રાહે વિકસ્યું છે : ‘રોજ સાંજે / તડકો શમે / છકે લીલાશ / લેલાં, મેના, દેવચકલી / લીલાંતૂર / પાંદડે પાંદડે ચહેકે / ફરકે હરિત હવા / ધૂળને લીલનો લાગ / છલકાયું આકાશ જો / ઝમ્યું છાપરે / સાંજ થથરતી ઊતરી ગઇ.’ પણ બસ. કદાચ કાવ્યનાયકને પણ એથી વિશેષ નથી કરવું. સમજવું રહે.
૨ : ૧૦
      હવે પેલા ઉપકારોની વાત :
    સર્વસાધારણપણે ભાવકોને રચનાનો એકરૂપ સાર પકડવાની કે શોધવાની ટેવ પડેલી છે --જાણીતી વાત છે. અહીં મળતો રચનાનો અટપટો અર્થોપચય એમ નથી કરવા દેતો તેથી એને પોતાની એ ટેવથી છૂટવાની પ્રેરણા મળે છે. બીજું, અહીં િક્રયાઓથી કર્તાનું, કાવ્યનાયકનું, રચનામાંનું જી-વ-ન આગળ થયું છે. એથી ભાવક ક્રિયાઓના ઉપચયને પામે છે. હવે, ક્રિયાઓ કર્તાઓથી હોય અને કર્તા તો દેખીતું છે કે સામાન્યપણે કાવ્યનાયક જ હોય એટલે એ ક્રિયાઓથી ભાવક કાવ્યનાયકના જી-વ-નોને પામે છે. એટલે અવળું એ બને છે કે ત્યારે એ પ્રકારે પણ એને અર્થોપચયથી છૂટવાની પ્રેરણા મળે છે. હવે, કાવ્યનાયક તો કવિનું સર્જન એટલે સ્વાભાવિક છે કે એના અવાજમાં કવિનો અવાજ હોય અને એ અવાજ પાછો જો ‘પહેલો અવાજ’ હોય તો એમ અવશ્ય બને કે એમાં એને પેલો કોઇ-ને-કોઇ સ્વરૂપનો પ્રોટૅગનિસ્ટ મળી આવે. ધૈર્યવાન ભાવકને શેખમાં એ મળી આવે એમ છે. એને માટેના એના ખાંખાંખોળા ફળે એમ છે.
    આધુનિક કે પરમ્પરાગત, કોઇપણ સાહિત્યરચનામાં ભાવકને પ્રોટૅગનિસ્ટ મળી જાય એ મોટી સગવડ ગણાય છે. કેમકે એથી પછી એની આંગળી ઝાલીને સમગ્ર સૃષ્ટિમાં સુખેથી હરીફરી શકાય છે. પ્રોટૅગનિસ્ટમાં જ ભાવકને સમ્બોધક મળી આવે છે. રચનાના આશય લગી, લક્ષ્ય કે સૂચન લગી પહોંચી જવાય છે. સાવયવ હસ્તી કે સંયોજનસૂત્ર વિશેની એની પૃચ્છા કે જિજ્ઞાસાઓનું શમન થાય છે.
  પણ સમજવાનું એટલું જ છે કે શેખ જેવા આધુનિક અને ચિત્રકાર-કવિના દાખલામાં પ્રોટૅગનિસ્ટ મળી આવે ત્યારે એ પણ એટલો જ લાક્ષણિક હોય. અને એ એવા ભાવકને મળે જે પોતાની ટેવોથી મુક્ત થયો હોય, રચના દોરવે એમ દોરવાવાની જેની તત્પરતા ખીલી હોય, જેનું એમની સૃષ્ટિને છાજે એ પ્રકારનું ઓરિઍન્ટેશન થયું હોય. 
  પ્રોટૅગનિસ્ટ બાબતે બીજા શબ્દોમાં એમ કહેવાય કે એની જોડેના સમ્મિલનથી ભાવકનો સંભવિત કલાસૌન્દર્યાનુભવ બરાબરના પાટે ચડી જાય છે. કાવ્યશાસ્ત્રીઓ જેને રસચર્વણા કે પુન: પુન: અનુધાવન કહે છે એ જાણીતા મનોવ્યાપાર માટેની ભાવકની સૂઝબૂઝ એની સંગતમાં ઝટપટ ખીલી ઊઠે છે. સર્જક અને ભાવક વચ્ચે એ એવો ઉપકારક પુરવાર થાય છે. એટલે એ કલા અને જીવનને જોડનારો સેતુ પણ દીસે છે.
    આ સઘળાની પ્રાપ્તિ પછી ક્રમે ક્રમે ભાવક એવી સમજ ગાંઠે બાંધે છે કે સર્જકની છાયા સમા પ્રોટૅગનિસ્ટ પર શ્રદ્ધા રાખીને સર્જકની સૃષ્ટિમાં દોરવાતા રહેવું...બલકે ત્યાં જ રહેવું : બીઇન્ગ ધૅર : આધુનિક કલાઓના ભાવનને માટેનો જાણીતો શ્રદ્ધાધર્મ --બીઇન્ગ ધૅર... 
*** *** ***
    છેલ્લી વાત :
    ભાવકે ‘બીઇન્ગ ધૅર’-ને સમજી-સ્વીકારી લીધું હોય છે કેમકે એને સર્વ પ્રશ્નોના ઉત્તર જેવો પ્રોટૅગનિસ્ટ અંદરથી જ મળી ગયો હોય છે. પરન્તુ તે ઉપરાન્ત, એને જો બહારથી વિવેચનાત્મક મધ્યસ્થી મળી જાય --આસ્વાદક કે પૃથક્કરણકાર રૂપે-- તો પોતાના ભાવનકર્મમાં એ ઘણી પ્રગતિ કરી શકે. ‘કબ્રસ્તાનમાં’ વિશેના એ વ્યાખ્યાનમાં મેં આ વાતનો ઇશારો કરેલો :
    મેં દર્શાવેલું કે આવી રચના ‘કલાપ્રતીક’ બની રહે છે. એક ‘ક્લોઝ્ડ સિસ્ટમ’ તરીકે પોતાનામાં ‘બંધ’ રહે છે. દેરિદા-કથિત ‘ડિફઅરન્સ’ની, એટલે કે રૂપલીલા અને અર્થવિલમ્બનની, એનામાં તાકાત હોય છે. એટલે એ પોતાની ભાષાના કાવ્યસાહિત્યમાં, પોતાની સંસ્કૃિતમાં, કલા-પદાર્થ રૂપે પડી રહે છે. ક્યારેક સંસ્કૃિત-અવશેષ રૂપે કાળમાં દટાઇ પણ જાય છે.
    પણ એવી દુષ્કર કંઇ એની નિયતિ ન હોઇ શકે !  એ ‘બંધ’-ને ખોલી આપવો, એ ‘ડિફઅરન્સ’ને ઉકેલી બતાવવો, એ વિવેચન નામની ફૉલો-અપ ટૅક્સ્ટથી બિલકુલ સંભવી શકે એમ છે. અને જોવા જઇએ તો વિવેચક એવી ટૅક્સ્ટ રચીને ભાવકનો મદદગાર અને સર્જકનો સાચા અર્થનો સહભાગી બની શકે છે. તત્ત્વાર્થમાં આ સહભાગ શું છે ? સહ-સર્જન ! અરે, વિવેચકના અસ્તિત્વનો એ તો મૂળાધાર છે !
  જોકે પ્રોટૅગનિસ્ટ પછીનું આ, ભાવકને મદદગાર અને વિવેચકને સહભાગી  નીવડનારું ઉપકરણ ઘણું જોખમી છે --સહભાગમાં સિદ્ધાન્તો અને શાસ્ત્રાચારની ભેળ થયા કરે તો વાત ખાસ્સી વસ્તુલક્ષી બની જાય, એવો ભયસંભવ છે. પરન્તુ એમાં જો ભાવકને કલાને વિશેનાં સર્જકનાં પોતાનાં આત્મલક્ષી મન્તવ્યો મળી જાય તો બૅલેન્સ થઇ જાય --ભાવનને વિશેનો એનો વિભાવ સંતુલિત થઇ જાય. મજાની વાત એ છે કે શેખ એવાં મન્તવ્યો ધરાવે છે અને એમણે મારી એ મુલાકાતમાં એને વ્યક્ત પણ કર્યાં છે :
    આપણને ખબર છે કે શેખ ચિત્રકલાના વિદ્વાન પ્રોફેસર પરામર્શક અને સમીક્ષક રૂપે સુખ્યાત છે. પણ એ મુલાકાતમાં એઓ મને એક સર્જક કલાકાર અને કલાના સાચા મર્મજ્ઞ લાગ્યા હતા. લાગેલું કે એઓ આડમાર્ગી ચર્ચાઓથી અને વ્યાખ્યાઓથી  કેટલા તો ચેતેલા છે ! બલકે એમના ચિત્તમાં શાસ્ત્ર અને સર્જન વચ્ચેનો ફર્ક કેટલો તો સ્પષ્ટ છે ! એમણે કવિતા, ચિત્ર કે કલાને એકબીજાંથી જુદાં કરવાની વૃત્તિનો અથવા તો એ દરેકનું પોતાનું સ્વતન્ત્ર સ્વરૂપ ઉપસાવવાની કે તેની વ્યાખ્યા કરવાની આપણી ટેવનો ઉલ્લેખ કરીને  કહ્યું હતું કે એમાં ક્યાંક આપણે કલાપ્રવૃત્તિનાં મૂળ અને તેના સ્વરૂપની વિરુદ્ધ જઇએ છીએ. (સન્ધાન, પૃ --૧૮૬). ચિત્રની કવિતા પર કે કવિતાની ચિત્ર પર થનારી અસરની વાત એમણે સ્વીકારેલી. એને સર્જકની પસંદગીનું પરિણામ કહેલી. પણ એમ પણ પૂછેલું કે શું એ એટલા માટે એમ કરે છે કે એની પાસે એ બે જ વિકલ્પો હોય છે. એમની વાતનો સાર એમ આવેલો કે એની અંદર માટીનું કોઇ બળ હોવું જોઇએ, કોઇ એવો ડ્રાઇવ હોવો જોઇએ જે એને એ દિશા તરફ દોરતો હોય --જેમાં સર્જકનો જીવ પરોવાયેલો હોય. (સન્ધાન, પૃ --૧૮૭). મેં પૂછેલું કે માધ્યમ એકબીજાં પર પ્રભાવ પાડે કે કેમ. એમણે હા પાડીને કહેલું, એમ થાય અને તેમાં પોતાને રસ છે. કહેલું કે એકબીજાંમાં જેટલી અવરજવર થાય, તેટલું એ એકબીજાને પુષ્ટ કરે. બળ આપે. એમણે સ્વીકારેલું કે એની અંદરથી ચેતનાને શક્તિ મળે છે. જોકે એમને એમ લાગેલું કે એવું બધું કહેતાં પોતે ક્યાંક વ્યાખ્યા કરી નાખે છે ! (સન્ધાન, પૃ --૧૮૮).
    મુલાકાતના આ અંશોને અહીં યાદ કરવાનો આનુષંગિક આશય એ છે કે એથી વિવેચનને વિશેનો આપણો જે સર્વસાધારણ વિભાવ છે એ પણ સંતુલિત થઇ આવે.  બલકે એથી એમનામાં થયેલા સાહિત્યકલા અને ચિત્રકલાના મૂળગામી --રૅડિકલ-- સંયોગ-પ્રયોગને એના સ્વ-રૂપમાં પ્રમાણી શકાય એવા ઉપાયો સૂઝે.
    અછાન્દસ શીર્ષક હેઠળ જન્મેલી સર્જન-સમીક્ષાની જૅનેરિક ટૅક્સ્ટમાં અને એને અનુસરતા હાર્ડ-કોર ડિસ્કોર્સમાં આ તમામ કે એના જેવી બીજી વાતો ઉમેરી શકાશે તો મને શ્રદ્ધા છે કે આધુનિક સંવેદનાના કવિતા-સાહિત્યને પામવાના નવા નવા રસ્તા જરૂર ખૂલી આવશે. આપણે એવા પ્રફુલ્લ ડિસ્કોર્સની રાહ જોઇએ...
= = =


‘રોજ’ (૮૧) કે ‘છીપલાંની ઠરેલ...થી શરૂ થતી શીર્ષક વગરની રચના (૫૯) --માં, આ પ્રકારે શબ્દાર્થ અને લાલિત્યનું સાયુજ્ય કહેવા-સાંભળવાની તેમજ આલેખવા-જોવાની વસ્તુ રૂપે આકર્ષી રહે છે. ખાસ તો, આ રચનાઓ ભાવકને એક બનતા રહેતા બનાવની ઝાંખી કરાવે છે --જાણે કશું રમ્ય હૅપનિન્ગ.
‘કૌતુક’ (૭૩) આ સંગ્રહમાં સાવ જ જુદી રચના છે --વિરલ. કલ્પનો અહીં મનોરમ લયવિધાનથી સંકળાયાં છે. જોકે એના સગડ મળે છે, સંગ્રહના પરિશિષ્ટ ૨-માં મુકાયેલી ૧૯૫૬, ૧૯૫૭ અને ૧૯૫૮ જેટલા શરૂઆતના ગાળામાં લખાયેલી ત્રણ રચનાઓમાં. ત્રણેયનું કાવ્યમાધ્યમ પ્રાસ, લય, અને રે લોલ-જેવા લહેકાથી નીપજ્યું છે. એમાંની ‘ખોરડું’ (૧૫૭) અંગે શેખે પોતે કહ્યું છે : ‘ ‘ખોરડું’ લખ્યું ત્યારે ઓછીવત્તી માત્રાને આધારે એને અગેય કરવાની છૂટ લીધી હતી, પછી હરિગીત --પરંપરિત માંડ્યા. છેવટે લોકલઢણમાં ‘અમજીભાની ડેલીએ ઓલી સાબદા થાવા રાતડી ઘોડી નાખતી હાવળ’ જેવાં રવડતાં, દવડતાં કલ્પનોનો દોર હાથમાં લીધો...’ (૧૬૭). કલ્પનોના એ દોરનો અહીં ધીંગો વિલાસ જોઇ શકાશે. ભાવક અનુભવી શકે કે કૌતુક જેવો અમૂર્ત મનોભાવ લય-લીલા અને પ્રાસાનુપ્રાસીથી મૂર્ત થઇ ઊઠ્યો છે : સરુસળીના રણમાં ઝીણો સરપ ઝરપતો જાય... ચિતવન આંબી અધ્ધર ઊડે ચકચક આંખ ચિડૈયા... કેશસરોવર કીકી શું પહોળાય ભમરિયા ઊલટપલોટા ખાય... રણમાં મછલિયા લસે લસે બલખાય... ડમરીની ડમણી પર બેસી કયું જનાવર જાય... વગેરે વડે.
દાખલા તરીકે, કેટલાંક ચિરસ્મરણીય કલ્પનો :
‘વાવના પગથિયે કામરત શૃગાલયુગલના શ્વાસનું દ્વન્દ્વ / ઉપર લીમડાનાં પાનમાં પેસી તેને ગલી કરે છે’ (૧૬). ‘ઉકરડે નાખેલા એંઠવાડના ગોટલામાંથી ઊગેલા આંબાને / કૂકડા કોચે છે’ (૧૭). ‘વન જેવું મન રાની ફૂલે તનમાં વાતો રાતોચટ અંબાર’ (૭૩). ‘ચકલીનાં બચ્ચાં સમા કંપિત ખસકતાં જાય / ચાંદરણાં / અનેકાનેક’ (૭૮). ‘તડકાની ધારે ધારે રમે, મૂતરે નિશાળિયા’ (૧૧૯). ‘મોટરોના મર્ડગાર્ડને ચાટતા ભિખારીઓ’ (૧૨૦). ‘ખાંડના ગાંગડા પર પડેલ પાણીના ટીપાની ઘટ્ટતામાં / મીઠાશ પી પીને મરી ગઇ એક કીડી’ (૫૬). ‘હા-ના વચ્ચેની ફાડમાં / થઇને નીકળ્યો અશ્રુજાત ચહેરો’ (૬૬). ‘દરેક વાર કરવા ઇચ્છેલી વાત / પાછી ગડી કરી મૂકી ખિસ્સામાં (૯૪). ‘એકાન્તમાં અવાવરુ પડેલી વાત / પાટલૂનમાં ગરોળીની જેમ ચડી ગઇ છે (૯૪). ‘પાછો ફર્યો / ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર / મને વીંટળાઇ વળ્યું (૮૦).
પ્રત્યેક કલ્પનને ભાવક જેટલું કલ્પી શકે એટલી એની પણ સર્જકતા ખીલે...એટલે લગી કે આ દરેકથી પ્રગ્રટતા ઇન્દ્રિયપ્રત્યક્ષ જોડે એની મનોમયી રમણા શરૂ થઇ જાય...
દાખલા તરીકે, કેટલીક અનવદ્ય ઉપમાઓ :
‘બપોરના સૂરજ જેવી અસ્વસ્થતા’ (૬૯); મારા વિચારોને બંધ મુઠ્ઠીમાં ઝાલેલા કાચની જેમ ભીંસું છું’ (૧૨૩); ‘ઘણી વાર શબ્દો હાથમાં ઝાલેલ ફટાકડાની જેમ / ફૂટી પડે છે’ (૧૩૫); ‘...થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદની’ (૧૫); ‘ભીંજાયેલી રોટલી જેવો આત્મવિશ્વાસ’ (૨૯); ‘(અંધકાર) લીલાં પાંદડાંની પછવાડે જર્જરિત તંબૂ જેવો’ (૩૨); ‘પાણીની જેમ / તમને ખોબામાં ઝીલ્યાં હતાં / સાચવ્યાં હતાં’ (૫૮); ‘તું વહાણા સમી વાઇ / વાંભવાંભ વનમાં / હવાની હેલી સમી / આ ઊઠી, આ ઊડી / આ ઢળી, ભળી ભોંયમાં (૬૭); ‘સહિષ્ણુતા શેમ્પૂ સમી...’ (૮૬). પ્રત્યેક ઉપમેયને અને તેના ઉપમાનને ભાવક અલગ પાડીને વિચારે તો પણ એને ઘણો તોષ થાય...પોતાની રીતે જોડે ત્યારે એ તોષનો ચોકક્સ વિકાસ અનુભવે.
દાખલા તરીકે, ઇન્દ્રિયપ્રત્યક્ષ થતી પ્રતીતિઓની તો આ સૃષ્ટિમાંથી જેટલી પંક્તિઓ બતાવી શકીએ એટલી ઓછી છે. ઇન્દ્રિયવ્યત્યયોથી સરજાતી આ રમણીય રચના ‘દિનચર્યા’ (૮૩) જુઓ :
રાતના કાળા કળણમાં દાડમના દાણા --દૃશ્ય. એ ડૂબું ડૂબું થતા હોય --દૃશ્યવિસ્તાર. ગજા ઉપરવટ સૂરજ ગળચીને આંખો આંધળીભીંત --દૃશ્ય, સ્વાદ અને સ્પર્શનું મિશ્રણ. ઘાસ ખાઇ ખાઇને કીધા પીળા પોદળા તેની ગંધના બેય કાને પૂમડાં --સ્વાદ-દૃશ્ય-ગન્ધ-નો શ્રવણ માટેના કાને કેટલો તો સાચકલો વિરામ. ચગળવી રોટલાના બટકા જેવી જીભ--માં, કોણ કોને ચગળે છે એ અસમંજસતા તો ખરી જ પણ આશ્વાસન એ કે રોટલો ચગળાય છે. આટલું ફાવી ગયા પછી ભાવકને કાવ્યનાયકની ‘સળગતું સાપોલિયું પાળવું પેટમાં’ કે ‘બપોરનું બળતણ બાળી તડકાની તલવારો ઝીલી ઝૂઝવું’ વગેરે બિલકુલ ગળે ઊતરી જાય છે. રાતના કૂવે એ છાતીનાં છોતરાં ચૂસતો પેલા કળણમાં વરસે, તે સારું લાગે છે --કેમકે કાવ્યનાયકને એ કળણમાં ભલે રાતાં પણ બીજ ધરબવાં હોય છે ! વગેરે.
'''૨ : ૮'''
પણ શબ્દાર્થ અને લાલિત્યનાં સાયુજ્યો કોઇ કોઇ સ્થાનોએ, ભાવક માટે તો ખાસ, સવિશેષ ભાવે, સંક્રમણભોગ્ય નથી નીવડ્યાં :
‘પિત્તળની ચામડીનો બોદો રણકાર ચૈત્રની હવામાં ડૂસકાં ખાય છે’ (૧૬) --માં પિત્તળ અને ચામડી વચ્ચેના તેમજ બોદો અને રણકાર વચ્ચેના વદતોવ્યાઘાતને, સૅલ્ફ-કૉન્ટ્રાડિક્શનને, સ્વીકાર્યા પછી પણ ખયાલ નથી આવતો કે એથી શું સમજવાનું છે. કદાચ ત્યાં કશું સમજવાનું નથી.
‘બારી બહારના અંધકારની યોનિમાં / રાતા નાગના ફૂંફાડા’ (૨૦) --એ કેવા ફૂંફાડા ? ‘રાતા નાગ’-થી શું સમજવાનું ?
‘તે રાત્રે પશ્ચિમનો ચન્દ્ર હસી શક્યો નહિ. મોડેથી એના પેટમાં કાણું પાડી પવન પસાર થયો.’ (૨૩) --કેમ હસી શક્યો નહીં ? એના પેટમાં કાણું શું લેવા ? ભલે; ‘એણે પોતાની જાતને સળી જેવી ઝીણી થઇ ત્યાં સુધી / છોલાવા દીધી’ --પણ પોતાની સાથે એણે એવું કૃત્ય થવા દીધું તે શું કામ ?
‘ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન’ (૨૬) સમજાય; એ ‘પર કાલે જે ઘુવડે વાસો કર્યો હતો’ એ પણ સમજાય; પણ એની ‘પાંખોનો ભૂરો પડછાયો હજી ત્યાં પડ્યો’ હોય અને ‘આજે અજાણતાં જ’ કાવ્યનાયકને ‘જડી જાય’ એવું કેવી રીતે અને શું કરવા ?
આવાં સ્થાનોએ કલ્પના તરંગની રીતે ફસકી પડી હોય છે ને તેથી અપ-અસરો જન્માવે છે. જ્યારે, ‘સવારના તડકે ભોળપણમાં / સીમના થોરની વાડને બાથ ભરી લીધી અને એનાં રૂંવેરૂંવાં છેદાઇ ગયાં’ (૨૭) --માં ભાવકને તરત સમજાય છે કે કલ્પના કેટલી તો ફળદાયક નીવડી છે !
‘આછરેલા પાણીનો અરીસો’ (૩૫); ‘સૂવરની આંખોની કરુણ ગુફાઓ’ (૩૩); જેવા પ્રયોગો રસપ્રદ નીવડે છે પણ એની સરખામણીએ ‘સ્ત્રીના ચર્માણુ વચ્ચેના ખાબોચિયામાં મોઝેઇકની કપચીઓ’ (૪૧) જેવા, બહુ દૂર પડી જાય છે. ‘અંધારે બોળેલ અંબાર’-ને કલ્પવાની મજા આવે (૪૩) પણ ‘મરેલા આકાશનું ખોળિયું’ (૪૫) વિચારતાં થાકી પડાય. ‘નગ્ન સુન્દરીના સ્તનના પડછાયામાં માથું’ (૪૯) સૌને ગમે. ‘ગોફણે ફંગોળેલી આંખ ચળકે બપોરનાં સૂકાં તૃણમાં’ (૫૨) એને જોઇ રહેવાનું પણ ગમે.
પણ ‘ભવિષ્યની લાલ આંખોનાં પાણી’ (૨૮); ‘સમુદ્રના મસ્તકની સીધી લીટી’, ‘પગના અંગૂઠાનો છાપરિયો વળાંક (૩૧); ‘સમુદ્રની પીઠનું અંદરનું ચામડું’ (૩૩); ‘ધૂળને લીલનો લાગ’ (૮૪) મુશ્કેલ પડે છે. એના કરતાં, ‘સાંજની ટાઢીબોળ ઝાંયનું અજવાળું’ (૮૫) કે ‘નખથી નક્ષત્ર લગીનો ઝણઝણાટ’ (૮૯) સુગમ પડે છે. એ જ રીતે, ‘ગગનઘોડિયું’ (૭૭), ‘ધૂળતડકાલીમડાપીપળ’ (૭૯), ‘તડકાની તલવારો’ (૮૩), ‘બસોબકરાંકૂતરાંગાયકારકુનોગંદવાડ’ ( ૧૨૦) તાદૃશ છે એટલે સ-રસ જ છે.
તેમછતાં આ સાયુજ્ય-લીલાની નિતાન્ત ફલશ્રુતિ અંગે ભાવકની મૂંઝવણ સંભવિત છે. કેમ ? કેમકે એને આવા આવા પ્રશ્નો થવાના : લીલા કરનાર કવિ કોને સમ્બોધે છે ?  સમ્બોધનનો કશો કોઇ આશય ? આલેખન કે નૅરેશનનું છેવટનું લક્ષ્ય કે તેનું શીર્ષસ્થ સૂચન શું છે ? શું એટલે જ અમુક રચનાઓને શીર્ષક નથી અપાયાં ? સાયુજ્યો રચનાનાં આદિ મધ્ય અને અન્ત કાવ્યવસ્તુથી નક્કી થાય છે કે રચયિતાની મરજીથી ? સાયુજ્યસૂત્ર કયું ? : ટૂંકમાં, સર્જન સામેની ભાવન-ધરી પરથી હમેશાં ઊઠતા રહેતા ચિરકાલીન પ્રશ્નો...બીજા શબ્દોમાં કહું તો સર્જકનો કોઇ-ને-કોઇ સ્વરૂપનો પ્રોટૅગનિસ્ટ મળી જાય એ માટેનાં ખાંખાંખોળા...આ અંગે પણ પછીથી કહું છું. (જુઓ : ૨ : ૧૦).
'''૨ : ૯'''
જોકે શેખમાં મને એ પ્રશ્નોના ઉત્તર જડ્યા છે : ઘણી રચનાઓમાં એ આલેખક, એ નૅરેટર, એ કર્તા, મને મળ્યો છે. એનો અવાજ મને સાંભળવા મળ્યો છે. ક્યારેક એનું લક્ષ્ય મને પકડાયું છે. આશય ક્યારેક સ્પષ્ટ, ક્યારેક ધૂંધળો કે સંદિગ્ધ પણ પકડાયો છે. એટલું જ નહીં, એનાં ક્રિયા-કર્મોની સોબત તેમજ નૅરેટિવ અને ડિસ્ક્રિપ્ટિવનાં બન્ને પરિમાણને કારણે રચનાઓ હૅપન થતાં હૅપનિન્ગ્સ રૂપે પણ અનુભવાઇ છે.
જુઓ, ‘પિત્તળની ચામડીનો...થી શરૂ થયેલી રચનામાં કવિતાનો સ્વ-વાચક પહેલો અવાજ નથી સંભળાતો, અન્યપરક બીજો અવાજ સંભળાય છે. ‘સવારના તડકે...થી શરૂ થતી શીર્ષક વગરની રચનામાં (૨૭) પણ એમ બન્યું છે. પરિણામે રચનાઓ કાવ્યશીલ બયાન વધારે લાગે છે. પણ ભાવક જો એ રચનાઓનાં સાયુજ્યોને ધ્યાનમાં લે તો રચનાઓ બયાન હોવા છતાં કાવ્યમય વધારે લાગશે. કાવ્યશીલ-વિભાવની એની સમજણમાં વધારો થશે.
પરન્તુ, ‘કબ્રસ્તાનમાં’ (૩૦), ‘એક ઘરગથ્થુ દૃશ્ય’ (૭૫), ‘બે ઘર’ (૭૬), ‘આમ દરવાજો’-થી શરૂ થયેલી શીર્ષક વગરની રચના (૭૮), ‘રોજ’ (૮૧), ‘બારણે સાપ’ (૮૫) કે ‘રેસિડેન્સીમાં વરસાદ’ (૮૭) કે ‘અંધારામાં...થી શરૂ થયેલી શીર્ષક વગરની રચનામાં (૨૧) નૅરેટરની પૂરેપૂરી હાજરી અનુભવાય છે.
આ સંદર્ભમાં એકલી ‘કબ્રસ્તાનમાં’ (૩૦) રચનાને જોઇએ :
સમજો, કવિ અહીં એક ચિત્રકારની અદાથી કાગળ પર કે અવકાશિત કૅન્વાસ પર સર્જના શરૂ કરે છે, જેને પણ પોર્ટ્રેઇટ કહી શકાય : આમ તો એ જુદી વાત છે કે કબ્રસ્તાન પોતે જ એક સ-શક્ત પ્રતીક છે. પણ કુલ ૧૦ વાક્યની આ રચનામાં કહી શકાય કે ૧૦ કલ્પનો છે --ચિત્રકારનું કામ કવિએ કર્યું છે. એમાં શબ્દ-પ્રતીકો વપરાયાં છે. દૃશ્ય વગેરે ઇન્દ્રિયપ્રત્યક્ષો અનુભવાય છે. રચના પોતે સમગ્રસ્વરૂપ પ્રતીક ભાસે છે --શાન્તિનું પ્રતીક. આલેખન અને ક્રિયાની રીતે આ સંયોગને જોતાં જણાશે કે એમાં કર્તાની સરખામણીએ ક્રિયાએ વધારે જગ્યા રોકી છે. જેમકે, રાક્ષસો, પવનો, કીડીઓ, પથરા, નામો, પાણી, વાદળ અને સીમાડા--ને રજૂ કરતાં કલ્પનો કર્તાલક્ષી છે પણ એ દરેકની ક્રિયાનું શાન્તિ બાબતે કથન થયું છે. જ્યારે, સૂઇ ગઇ, થાણાં કર્યાં છે, પથરાઇ ગઇ છે--ને રજૂ કરતાં કલ્પનો ક્રિયાલક્ષી છે અને દરેક વખતે શાન્તિનું આલેખન થયું છે.
ભાવક જો સુસંગતતા, પ્રતીકપ્રવેશ અને તેની સંયોજનાને પકડવા ચાહે તો મહેનત લઇને પકડી શકે એમ છે. તો એની સામે કબ્રસ્તાનની એક સેન્દ્રિય છબિ ખડી થાય. પણ એ જો જિદ્દ કરે કે એ છબિનું છે શું --એ કહો, એથી કોને શું થયું --એ કહો, તો એ મુશ્કેલી તો ખરી જ.
પણ ધ્યાનથી જોતાં એ જિદ્દનું સરસ નિરસન થાય છે. કેમકે ભલે છેલ્લે પણ અદૃશ્ય નૅરેટરનો અવાજ સંભળાય છે. કહે છે : ‘કાંઇ દેખાતું નથી, બસ કાદવ, કાદવ, કાદવ...’ કાદવની એની એવી પુનરુક્તિથી રચનાને છોડી દેવાઇ છે પણ એટલે જ એનું એક વિસ્તરતા રહેતા હૅપનિન્ગમાં રૂપાન્તરિત થઇ ગયું છે. એ વિસ્તૃિત ભાવકને કબ્રસ્તાન અને તેમાં પ્રવર્તતી શાન્તિનો અનેરો અહેસાસ આપે છે બલકે રચનાનું છેવટનું લક્ષ્ય કે તેનું શીર્ષસ્થ સૂચન કલ્પવાની મૉકળાશ આપે છે.
એક રચના આ પણ છે, ‘લીલા ફ્લાવરવાઝવાળું સ્ટીલ લાઇફ’ (૫૩) :
સમજો, કવિ અહીં પણ એક ચિત્રકારની અદાથી કાગળ પર કે અવકાશિત કૅન્વાસ પર સર્જના શરૂ કરે છે : સૌ પહેલાં હાથનું આલેખન --સિફતથી કોરેલો, કાગળના ફૂલ જેવો નમણો અને બિલ્લીની રુંવાટી જેવો નાજુક. આ હાથ માત્ર રેખાથી નથી એમાં કાવ્યકલાના ઉપમા નામના ઉપકરણનો યોગ થયો છે --કાગળના ફૂલની નમણાશ અને બિલ્લીની રુંવાટીની નાજુકતા. એ છે આલેખન અથવા એવી ન-ક્રિયા. હવે ક્રિયા : એ હાથ ટેબલ પરનો કપ ધીમે રહીને ઉપાડે છે : હવે આલેખન અને ક્રિયાનો સમાગમ : હાથ કપના ક્રીમ રંગમાં એવો ભળી જાય જાણે એનો જ ભાગ ન હોય ! : એમ થતાં, હાથના મૂળ આલેખનનું વિસ્તરણ. એવી ન-ક્રિયા. હવે એક વધુ આલેખન : કાચના વાસણ નીચે સફેદ રંગનું બાંયના કપડાના રંગ જેવું જ ટેબલક્લોથ. ઉપમાન દરજ્જાની સફેદ બાંય પેલા હાથની જ કે કેમ ? સફેદ રંગના એવા અટપટા સમાગમ પછી વળી એક આલેખન : ટેબલની બરાબર વચ્ચે લીલુંકચ ફ્લાવરવાઝ --ન-ક્રિયા.
કવિએ ચિત્રકારની અદાથી દોરેલું સ્ટીલ લાઇફ એ પ્રકારે પૂરું થયું. કવિ અને ચિત્રકાર જુદા ન રહ્યા. આલેખન અથવા ન-ક્રિયા અને ક્રિયા પણ એક થઇ ગયાં.
પણ જુઓ, નૅરેટર પ્રવેશ્યો --‘ઝેર આવા રંગનું હશે ?’ નામનો પ્રશ્ન કરી રહ્યો...પણ ‘એમાં રમતાં નારંગી ફૂલ’ વડે ઉત્તર અપાયો --એવી એક સૂક્ષ્મ આલેખન-ક્રિયા વડે. લીલો કચ અને નારંગી --એ બે રંગનું સાયુજ્ય ધ્યાનપાત્ર છે : રમતાં નારંગી ફૂલ, ઝેર આવા રંગનું હશે, પ્રશ્નનો ઉત્તર છે. રચના એક હૅપનિન્ગમાં રૂપાન્તરિત થઇ ગઇ. બને કે આ હૅપનિન્ગ વિચારક કોઇ ભાવકને લીલા-નારંગી જેવી કશી વિષમ-સમ ભાતમાં દૂરે ક્યાંય દોરી પણ જાય. જોકે એટલે જ એને એવી મોટી લબ્ધિનો તોષ પણ થાય. સાથોસાથ, એની કશી પણ જિદ્દનું નિરસન પણ થાય.
આના સામા છેડે, ‘સ્ટીલ લાઇફ’ (૫૫) રચના લીલા રૂપે જ બચી છે. નૅરેટર એમાં સાવ જ બૅક-ગ્રાઉણ્ડમાં રહી ગયો છે : પ્રકાશ અને રંગોનાં જુદાં જુદાં પરિમાણ વચ્ચે એમાં અનેક વસ્તુઓ એક પછી એક આલેખાતી ચાલી છે : દબાયેલ ઓશીકામાં પહોળા માથાનો ખાડો. પથારીની વચ્ચોવચ્ચ પોલાણ. પલંગના સ્થૂળ પાયે હાથીના કરચલિયાળ કાન જેવી ઝૂલતી ચાદર. અરીસા પર અધભૂંસેલી ધૂળ. કાળી કાર્પેટ પર ગુલાબી બ્રેસિયરના રેશમી પર્વતો પર ચડતી રડીખડી કીડી. કથ્થાઇ ટેબલ પર ચપોચપ પડેલી જામલી સાડીની પહોળી, આરદાર, લીલી કિનાર. કાળા મખમલની મોજડી પર પાંપણના વાળ જેવું ઝીણું સોનેરી ભરત. શરૂઆતમાં પૂર્વનો સૂર્ય અર્ધી ઊંઘમાં ઓરડામાં પ્રવેશેલો, ચારે બાજુ ઠેબાં ખાતો, એ હવે અદેખા પ્રેમી જેવો આંધળોભીંત છે અને ટેબલ પરના ગ્લાસ ફોડે છે, પડદા ચીરે છે. અને છેલ્લે, ફ્લાવરવાઝમાંથી નકલી દાંત જેવાં ફૂલ બાથરૂમની ટાઇલ સામે દાંતિયાં કરે છે. આ સમગ્રને શબ્દથી સરજાયેલા સ્ટીલ લાઇફ રૂપે માણી શકાય છે. પણ બસ એટલું જ ! ભાવકે સમજવું રહે કે કદાચ કાવ્યનાયકને પણ એથી વિશેષ કશું નથી કરવું.
‘ઘાસ લીલાશ...’--થી શરૂ થતી શીર્ષક વગરની રચના (૮૪) ‘ઘાસ લીલાશ / હાશ / શુક ઊડ્યાં તે ઝાડ લઇ / લીલોતરી પ્રસરી વ્યોમ / ને / પાછી વળી’ જેવા દૃશ્ય અને સ્પર્શના ગતિશીલ કલ્પન પછી એ નૅરેશન એ જ રાહે વિકસ્યું છે : ‘રોજ સાંજે / તડકો શમે / છકે લીલાશ / લેલાં, મેના, દેવચકલી / લીલાંતૂર / પાંદડે પાંદડે ચહેકે / ફરકે હરિત હવા / ધૂળને લીલનો લાગ / છલકાયું આકાશ જો / ઝમ્યું છાપરે / સાંજ થથરતી ઊતરી ગઇ.’ પણ બસ. કદાચ કાવ્યનાયકને પણ એથી વિશેષ નથી કરવું. સમજવું રહે.
'''૨ : ૧૦'''
હવે પેલા ઉપકારોની વાત :
સર્વસાધારણપણે ભાવકોને રચનાનો એકરૂપ સાર પકડવાની કે શોધવાની ટેવ પડેલી છે --જાણીતી વાત છે. અહીં મળતો રચનાનો અટપટો અર્થોપચય એમ નથી કરવા દેતો તેથી એને પોતાની એ ટેવથી છૂટવાની પ્રેરણા મળે છે. બીજું, અહીં િક્રયાઓથી કર્તાનું, કાવ્યનાયકનું, રચનામાંનું જી-વ-ન આગળ થયું છે. એથી ભાવક ક્રિયાઓના ઉપચયને પામે છે. હવે, ક્રિયાઓ કર્તાઓથી હોય અને કર્તા તો દેખીતું છે કે સામાન્યપણે કાવ્યનાયક જ હોય એટલે એ ક્રિયાઓથી ભાવક કાવ્યનાયકના જી-વ-નોને પામે છે. એટલે અવળું એ બને છે કે ત્યારે એ પ્રકારે પણ એને અર્થોપચયથી છૂટવાની પ્રેરણા મળે છે. હવે, કાવ્યનાયક તો કવિનું સર્જન એટલે સ્વાભાવિક છે કે એના અવાજમાં કવિનો અવાજ હોય અને એ અવાજ પાછો જો ‘પહેલો અવાજ’ હોય તો એમ અવશ્ય બને કે એમાં એને પેલો કોઇ-ને-કોઇ સ્વરૂપનો પ્રોટૅગનિસ્ટ મળી આવે. ધૈર્યવાન ભાવકને શેખમાં એ મળી આવે એમ છે. એને માટેના એના ખાંખાંખોળા ફળે એમ છે.
આધુનિક કે પરમ્પરાગત, કોઇપણ સાહિત્યરચનામાં ભાવકને પ્રોટૅગનિસ્ટ મળી જાય એ મોટી સગવડ ગણાય છે. કેમકે એથી પછી એની આંગળી ઝાલીને સમગ્ર સૃષ્ટિમાં સુખેથી હરીફરી શકાય છે. પ્રોટૅગનિસ્ટમાં જ ભાવકને સમ્બોધક મળી આવે છે. રચનાના આશય લગી, લક્ષ્ય કે સૂચન લગી પહોંચી જવાય છે. સાવયવ હસ્તી કે સંયોજનસૂત્ર વિશેની એની પૃચ્છા કે જિજ્ઞાસાઓનું શમન થાય છે.
પણ સમજવાનું એટલું જ છે કે શેખ જેવા આધુનિક અને ચિત્રકાર-કવિના દાખલામાં પ્રોટૅગનિસ્ટ મળી આવે ત્યારે એ પણ એટલો જ લાક્ષણિક હોય. અને એ એવા ભાવકને મળે જે પોતાની ટેવોથી મુક્ત થયો હોય, રચના દોરવે એમ દોરવાવાની જેની તત્પરતા ખીલી હોય, જેનું એમની સૃષ્ટિને છાજે એ પ્રકારનું ઓરિઍન્ટેશન થયું હોય. 
પ્રોટૅગનિસ્ટ બાબતે બીજા શબ્દોમાં એમ કહેવાય કે એની જોડેના સમ્મિલનથી ભાવકનો સંભવિત કલાસૌન્દર્યાનુભવ બરાબરના પાટે ચડી જાય છે. કાવ્યશાસ્ત્રીઓ જેને રસચર્વણા કે પુન: પુન: અનુધાવન કહે છે એ જાણીતા મનોવ્યાપાર માટેની ભાવકની સૂઝબૂઝ એની સંગતમાં ઝટપટ ખીલી ઊઠે છે. સર્જક અને ભાવક વચ્ચે એ એવો ઉપકારક પુરવાર થાય છે. એટલે એ કલા અને જીવનને જોડનારો સેતુ પણ દીસે છે.
આ સઘળાની પ્રાપ્તિ પછી ક્રમે ક્રમે ભાવક એવી સમજ ગાંઠે બાંધે છે કે સર્જકની છાયા સમા પ્રોટૅગનિસ્ટ પર શ્રદ્ધા રાખીને સર્જકની સૃષ્ટિમાં દોરવાતા રહેવું...બલકે ત્યાં જ રહેવું : બીઇન્ગ ધૅર : આધુનિક કલાઓના ભાવનને માટેનો જાણીતો શ્રદ્ધાધર્મ --બીઇન્ગ ધૅર... 
{{Center|♦ ♦ ♦}}
છેલ્લી વાત :
ભાવકે ‘બીઇન્ગ ધૅર’-ને સમજી-સ્વીકારી લીધું હોય છે કેમકે એને સર્વ પ્રશ્નોના ઉત્તર જેવો પ્રોટૅગનિસ્ટ અંદરથી જ મળી ગયો હોય છે. પરન્તુ તે ઉપરાન્ત, એને જો બહારથી વિવેચનાત્મક મધ્યસ્થી મળી જાય --આસ્વાદક કે પૃથક્કરણકાર રૂપે-- તો પોતાના ભાવનકર્મમાં એ ઘણી પ્રગતિ કરી શકે. ‘કબ્રસ્તાનમાં’ વિશેના એ વ્યાખ્યાનમાં મેં આ વાતનો ઇશારો કરેલો :
મેં દર્શાવેલું કે આવી રચના ‘કલાપ્રતીક’ બની રહે છે. એક ‘ક્લોઝ્ડ સિસ્ટમ’ તરીકે પોતાનામાં ‘બંધ’ રહે છે. દેરિદા-કથિત ‘ડિફઅરન્સ’ની, એટલે કે રૂપલીલા અને અર્થવિલમ્બનની, એનામાં તાકાત હોય છે. એટલે એ પોતાની ભાષાના કાવ્યસાહિત્યમાં, પોતાની સંસ્કૃિતમાં, કલા-પદાર્થ રૂપે પડી રહે છે. ક્યારેક સંસ્કૃિત-અવશેષ રૂપે કાળમાં દટાઇ પણ જાય છે.
પણ એવી દુષ્કર કંઇ એની નિયતિ ન હોઇ શકે !  એ ‘બંધ’-ને ખોલી આપવો, એ ‘ડિફઅરન્સ’ને ઉકેલી બતાવવો, એ વિવેચન નામની ફૉલો-અપ ટૅક્સ્ટથી બિલકુલ સંભવી શકે એમ છે. અને જોવા જઇએ તો વિવેચક એવી ટૅક્સ્ટ રચીને ભાવકનો મદદગાર અને સર્જકનો સાચા અર્થનો સહભાગી બની શકે છે. તત્ત્વાર્થમાં આ સહભાગ શું છે ? સહ-સર્જન ! અરે, વિવેચકના અસ્તિત્વનો એ તો મૂળાધાર છે !
જોકે પ્રોટૅગનિસ્ટ પછીનું આ, ભાવકને મદદગાર અને વિવેચકને સહભાગી  નીવડનારું ઉપકરણ ઘણું જોખમી છે --સહભાગમાં સિદ્ધાન્તો અને શાસ્ત્રાચારની ભેળ થયા કરે તો વાત ખાસ્સી વસ્તુલક્ષી બની જાય, એવો ભયસંભવ છે. પરન્તુ એમાં જો ભાવકને કલાને વિશેનાં સર્જકનાં પોતાનાં આત્મલક્ષી મન્તવ્યો મળી જાય તો બૅલેન્સ થઇ જાય --ભાવનને વિશેનો એનો વિભાવ સંતુલિત થઇ જાય. મજાની વાત એ છે કે શેખ એવાં મન્તવ્યો ધરાવે છે અને એમણે મારી એ મુલાકાતમાં એને વ્યક્ત પણ કર્યાં છે :
આપણને ખબર છે કે શેખ ચિત્રકલાના વિદ્વાન પ્રોફેસર પરામર્શક અને સમીક્ષક રૂપે સુખ્યાત છે. પણ એ મુલાકાતમાં એઓ મને એક સર્જક કલાકાર અને કલાના સાચા મર્મજ્ઞ લાગ્યા હતા. લાગેલું કે એઓ આડમાર્ગી ચર્ચાઓથી અને વ્યાખ્યાઓથી  કેટલા તો ચેતેલા છે ! બલકે એમના ચિત્તમાં શાસ્ત્ર અને સર્જન વચ્ચેનો ફર્ક કેટલો તો સ્પષ્ટ છે ! એમણે કવિતા, ચિત્ર કે કલાને એકબીજાંથી જુદાં કરવાની વૃત્તિનો અથવા તો એ દરેકનું પોતાનું સ્વતન્ત્ર સ્વરૂપ ઉપસાવવાની કે તેની વ્યાખ્યા કરવાની આપણી ટેવનો ઉલ્લેખ કરીને  કહ્યું હતું કે એમાં ક્યાંક આપણે કલાપ્રવૃત્તિનાં મૂળ અને તેના સ્વરૂપની વિરુદ્ધ જઇએ છીએ. (સન્ધાન, પૃ --૧૮૬). ચિત્રની કવિતા પર કે કવિતાની ચિત્ર પર થનારી અસરની વાત એમણે સ્વીકારેલી. એને સર્જકની પસંદગીનું પરિણામ કહેલી. પણ એમ પણ પૂછેલું કે શું એ એટલા માટે એમ કરે છે કે એની પાસે એ બે જ વિકલ્પો હોય છે. એમની વાતનો સાર એમ આવેલો કે એની અંદર માટીનું કોઇ બળ હોવું જોઇએ, કોઇ એવો ડ્રાઇવ હોવો જોઇએ જે એને એ દિશા તરફ દોરતો હોય --જેમાં સર્જકનો જીવ પરોવાયેલો હોય. (સન્ધાન, પૃ --૧૮૭). મેં પૂછેલું કે માધ્યમ એકબીજાં પર પ્રભાવ પાડે કે કેમ. એમણે હા પાડીને કહેલું, એમ થાય અને તેમાં પોતાને રસ છે. કહેલું કે એકબીજાંમાં જેટલી અવરજવર થાય, તેટલું એ એકબીજાને પુષ્ટ કરે. બળ આપે. એમણે સ્વીકારેલું કે એની અંદરથી ચેતનાને શક્તિ મળે છે. જોકે એમને એમ લાગેલું કે એવું બધું કહેતાં પોતે ક્યાંક વ્યાખ્યા કરી નાખે છે ! (સન્ધાન, પૃ --૧૮૮).
મુલાકાતના આ અંશોને અહીં યાદ કરવાનો આનુષંગિક આશય એ છે કે એથી વિવેચનને વિશેનો આપણો જે સર્વસાધારણ વિભાવ છે એ પણ સંતુલિત થઇ આવે.  બલકે એથી એમનામાં થયેલા સાહિત્યકલા અને ચિત્રકલાના મૂળગામી --રૅડિકલ-- સંયોગ-પ્રયોગને એના સ્વ-રૂપમાં પ્રમાણી શકાય એવા ઉપાયો સૂઝે.


અછાન્દસ શીર્ષક હેઠળ જન્મેલી સર્જન-સમીક્ષાની જૅનેરિક ટૅક્સ્ટમાં અને એને અનુસરતા હાર્ડ-કોર ડિસ્કોર્સમાં આ તમામ કે એના જેવી બીજી વાતો ઉમેરી શકાશે તો મને શ્રદ્ધા છે કે આધુનિક સંવેદનાના કવિતા-સાહિત્યને પામવાના નવા નવા રસ્તા જરૂર ખૂલી આવશે. આપણે એવા પ્રફુલ્લ ડિસ્કોર્સની રાહ જોઇએ...
{{Right|''સુમન શાહ''}}
{{Right|''સુમન શાહ''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu