સ્વાધ્યાયલોક—૩/યુજેનિઓ મોન્તાલેની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|યુજેનિઓ મોન્તાલેની કવિતા}} {{Poem2Open}} મોન્તાલેએ મિલાનમાં જાણ્...")
 
No edit summary
Line 109: Line 109:
આવશે વૃક્ષો, ઘરો, ટેકરીઓ, એ જ નિત્યની યુક્તિથી.
આવશે વૃક્ષો, ઘરો, ટેકરીઓ, એ જ નિત્યની યુક્તિથી.
પણ ત્યારે ઘણું મોડું થયું હશે. અને હું
પણ ત્યારે ઘણું મોડું થયું હશે. અને હું
{{space}}{{space}}{{space}}ચૂપચાપ ચાલતો રહીશ
{{space}}{{space}}ચૂપચાપ ચાલતો રહીશ
જે પાછું જોતા નથી એવા મનુષ્યોની વચ્ચે,
જે પાછું જોતા નથી એવા મનુષ્યોની વચ્ચે,
{{space}}{{space}}{{space}}મારા રહસ્ય સાથે.’
{{space}}{{space}}મારા રહસ્ય સાથે.’
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 130: Line 130:
આરંભથી જ મોન્તાલેની શૈલી સંકુલ છે. અને તે અંત લગી અનિવાર્ય સંકુલ જ રહી છે. એમાં અત્રતત્ર, આ કે તે અંગોપાંગમાં ક્વચિત્ ક્વચિત્ પરિવર્તન થયું છે, પણ તે ગૌણપણે. પ્રધાનપણે, તાત્ત્વિકપણે તો સાદ્યંત કોઈ પરિવર્તન થયું નથી. ૨૦મી સદીના સૌ મહાન કવિઓમાં એક મોન્તાલેની કવિતા જ જેને ગદ્યકથનમાં ભાગ્યે જ તારવી-સારવી શકાય એવી કવિતા છે. એથી વાચકોને એમાં પ્રથમ દૃષ્ટિએ દુર્બોધતાનો અનુભવ થાય છે. મોન્તાલે એ દુરારાધ્ય વાચકો માટેના દુરારાધ્ય કવિ છે. એમની કવિતામાં વાચકો પાસેથી એમને સંપૂર્ણ ધ્યાનની, એકાગ્રતાની અપેક્ષા છે. એમની કવિતાના વાચકો છે, પણ તે અલ્પસંખ્ય છે. સ્વયં ઇટલીમાં પણ અલ્પસંખ્ય છે. ઇટલી સિવાયના જગતમાં હમણાં એકાદ દાયકાથી જ એમની કવિતાનો પરિચય થયો છે. પણ જે કોઈ વાચકો છે એમનામાં એમની કવિતા પ્રત્યે અનન્ય નિષ્ઠા અને ભક્તિ છે. કોઈપણ કવિ જાણીબૂઝીને દુર્બોધ કે રહસ્યમય હોતો નથી અને કોઈપણ કવિ કેવળ સુબોધ થવાની મહત્ત્વાકાંક્ષાથી કવિતા રચતો નથી. વળી, કોઈ પણ કવિ શબ્દોમાં અભિવ્યક્તિની જે શક્તિ છે એથી યે વિશેષ અભિવ્યક્તિ માટે સતત મથતો-મચતો હોય છે. આરંભમાં મોન્તાલેનો ‘હર્મેટિક સ્કૂલ’ — રહસ્યમય રસાયણ દ્વારા સત્યની શોધના સાધકોના, કીમિયાગારોના પંથના નેતા તરીકે અને એમની કવિતાનો હર્મેટિક કવિતા તરીકે ઉલ્લેખ થતો હતો. પણ મોન્તાલેને મન ‘હર્મેટિસિઝમ’ એ માત્ર લેબલ ન હતું, માત્ર ફેશન ન હતી. એથી હવે આજે જ્યારે ઈટલીમાં હર્મેટિક સ્કૂલ અદૃશ્ય છે ત્યારે પણ મોન્તાલેની કવિતા હર્મેટિક છે. મોન્તાલે પ્રકૃતિમાંથી — જીવ, જંતુ, પશુ, પંખી, વનસ્પતિ, ધાતુ, પર્વત, સમુદ્ર આદિ — વૈશ્વિક તત્ત્વો, વૈશ્વિક પદાર્થો પ્રતીક તરીકે યોજે છે. કોઈ પણ ભાવ કે વિચારનું પદાર્થમાં, પ્રતીકમાં પરિવર્તન કરે છે. ભાવ, વિચાર અને પદાર્થ તથા પ્રતીક વચ્ચેની તાર્કિકતાનો એ લોપ કરે છે અને એ દ્વારા એ આ પરિવર્તન સિદ્ધ કરે છે એથી એમની કવિતા ‘લૉજિકલ’ નહિ, ‘એનોલૉજિકલ’ છે. એમાં ‘એલિપ્સિસ’ — શબ્દલોપ છે અને ‘ઓબ્જેક્ટિવ કોરીલેટિવ’–ભાવપ્રતીક છે. એથી એલિયટની કવિતા સાથે એનું સૌથી વિશેષ સામ્ય છે. આ સંદર્ભમાં વિવેચકોએ મોન્તાલેની કવિતા પર એલિયટની કવિતાની અસર છે એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ૧૯૨૯માં મોન્તાલેએ એલિયટની કવિતાનો ઇટાલિયન ભાષામાં અનુવાદ કર્યો હતો. પણ તે પૂર્વે ૧૯૨૮માં એલિયટે એમના સામયિક ‘ધ ક્રાઇટેરિઅન’માં મોન્તાલેના એક કાવ્ય ‘આર્સેનિઓ’નો મારિઓ પ્રાઝનો અનુવાદ પ્રગટ કર્યો હતો. તે પૂર્વે મોન્તાલેએ એલિયટનું નામ પણ શ્રવણગોચર નહોતું કર્યું ત્યારે મોન્તાલેની કવિતામાં એમની આ શૈલી સિદ્ધ-પ્રતિષ્ઠિત હતી. જોકે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ બન્નેની દૃષ્ટિએ આ બે કવિઓની સરખામણી એ એક રસપ્રદ વિષય છે.
આરંભથી જ મોન્તાલેની શૈલી સંકુલ છે. અને તે અંત લગી અનિવાર્ય સંકુલ જ રહી છે. એમાં અત્રતત્ર, આ કે તે અંગોપાંગમાં ક્વચિત્ ક્વચિત્ પરિવર્તન થયું છે, પણ તે ગૌણપણે. પ્રધાનપણે, તાત્ત્વિકપણે તો સાદ્યંત કોઈ પરિવર્તન થયું નથી. ૨૦મી સદીના સૌ મહાન કવિઓમાં એક મોન્તાલેની કવિતા જ જેને ગદ્યકથનમાં ભાગ્યે જ તારવી-સારવી શકાય એવી કવિતા છે. એથી વાચકોને એમાં પ્રથમ દૃષ્ટિએ દુર્બોધતાનો અનુભવ થાય છે. મોન્તાલે એ દુરારાધ્ય વાચકો માટેના દુરારાધ્ય કવિ છે. એમની કવિતામાં વાચકો પાસેથી એમને સંપૂર્ણ ધ્યાનની, એકાગ્રતાની અપેક્ષા છે. એમની કવિતાના વાચકો છે, પણ તે અલ્પસંખ્ય છે. સ્વયં ઇટલીમાં પણ અલ્પસંખ્ય છે. ઇટલી સિવાયના જગતમાં હમણાં એકાદ દાયકાથી જ એમની કવિતાનો પરિચય થયો છે. પણ જે કોઈ વાચકો છે એમનામાં એમની કવિતા પ્રત્યે અનન્ય નિષ્ઠા અને ભક્તિ છે. કોઈપણ કવિ જાણીબૂઝીને દુર્બોધ કે રહસ્યમય હોતો નથી અને કોઈપણ કવિ કેવળ સુબોધ થવાની મહત્ત્વાકાંક્ષાથી કવિતા રચતો નથી. વળી, કોઈ પણ કવિ શબ્દોમાં અભિવ્યક્તિની જે શક્તિ છે એથી યે વિશેષ અભિવ્યક્તિ માટે સતત મથતો-મચતો હોય છે. આરંભમાં મોન્તાલેનો ‘હર્મેટિક સ્કૂલ’ — રહસ્યમય રસાયણ દ્વારા સત્યની શોધના સાધકોના, કીમિયાગારોના પંથના નેતા તરીકે અને એમની કવિતાનો હર્મેટિક કવિતા તરીકે ઉલ્લેખ થતો હતો. પણ મોન્તાલેને મન ‘હર્મેટિસિઝમ’ એ માત્ર લેબલ ન હતું, માત્ર ફેશન ન હતી. એથી હવે આજે જ્યારે ઈટલીમાં હર્મેટિક સ્કૂલ અદૃશ્ય છે ત્યારે પણ મોન્તાલેની કવિતા હર્મેટિક છે. મોન્તાલે પ્રકૃતિમાંથી — જીવ, જંતુ, પશુ, પંખી, વનસ્પતિ, ધાતુ, પર્વત, સમુદ્ર આદિ — વૈશ્વિક તત્ત્વો, વૈશ્વિક પદાર્થો પ્રતીક તરીકે યોજે છે. કોઈ પણ ભાવ કે વિચારનું પદાર્થમાં, પ્રતીકમાં પરિવર્તન કરે છે. ભાવ, વિચાર અને પદાર્થ તથા પ્રતીક વચ્ચેની તાર્કિકતાનો એ લોપ કરે છે અને એ દ્વારા એ આ પરિવર્તન સિદ્ધ કરે છે એથી એમની કવિતા ‘લૉજિકલ’ નહિ, ‘એનોલૉજિકલ’ છે. એમાં ‘એલિપ્સિસ’ — શબ્દલોપ છે અને ‘ઓબ્જેક્ટિવ કોરીલેટિવ’–ભાવપ્રતીક છે. એથી એલિયટની કવિતા સાથે એનું સૌથી વિશેષ સામ્ય છે. આ સંદર્ભમાં વિવેચકોએ મોન્તાલેની કવિતા પર એલિયટની કવિતાની અસર છે એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ૧૯૨૯માં મોન્તાલેએ એલિયટની કવિતાનો ઇટાલિયન ભાષામાં અનુવાદ કર્યો હતો. પણ તે પૂર્વે ૧૯૨૮માં એલિયટે એમના સામયિક ‘ધ ક્રાઇટેરિઅન’માં મોન્તાલેના એક કાવ્ય ‘આર્સેનિઓ’નો મારિઓ પ્રાઝનો અનુવાદ પ્રગટ કર્યો હતો. તે પૂર્વે મોન્તાલેએ એલિયટનું નામ પણ શ્રવણગોચર નહોતું કર્યું ત્યારે મોન્તાલેની કવિતામાં એમની આ શૈલી સિદ્ધ-પ્રતિષ્ઠિત હતી. જોકે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ બન્નેની દૃષ્ટિએ આ બે કવિઓની સરખામણી એ એક રસપ્રદ વિષય છે.
મોન્તાલેએ પ્રકૃતિમાંથી પદાર્થો અને પ્રતીકો યોજ્યાં છે એનું કારણ એ છે કે પ્રકૃતિમાં પણ એમણે મનુષ્યજીવનમાં કર્યું છે એવું જ હ્રાસ, નાશ, મૃત્યુ અને નિર્વાણનું, શૂન્યનું દર્શન કર્યું છે. અને આ પદાર્થો અને પ્રતીકોને એમણે એમની કવિતામાં વાગ્મિતા વિના, ઊર્મિલતા અને લાગણીવશતા વિના શુષ્ક, કઠોર, રુક્ષ, નઠોર રૂપે યોજ્યાં છે; અસ્થિઓ — રુધિર-માંસ, મજ્જા વિનાના અસ્થિઓ રૂપે યોજ્યાં છે. મોન્તાલે જાણે કે એમાં સાગરીત નથી, માત્ર મૂક સાક્ષી છે. આ કાવ્યસંગ્રહમાં સર્વશ્રેષ્ઠ પ્રતીક છે સમુદ્ર. સમુદ્ર એ સમગ્ર જીવનનું, સમગ્ર અસ્તિત્વનું આદિ સ્વરૂપ છે અને સનાતન સ્વરૂપ છે. એ નિરાકાર અને નિઃસીમ છે. મોન્તાલેની કવિતામાં બાહ્ય જગતની ઐતિહાસિક ઘટનાઓ નથી, તો અંગત જીવનની વૈયક્તિક ઘટનાઓ પણ નથી. એમાં સનાતન ઘટનાઓ છે. એથી એમની કવિતામાં કોઈ યોજના કે કાર્યક્રમ નથી, કોઈ સિદ્ધાંત કે સંદેશ નથી. કોઈ તત્કાલીનતા નથી. છે કેવળ સર્વકાલીનતા, વૈશ્વિકતા, તાત્ત્વિકતા.
મોન્તાલેએ પ્રકૃતિમાંથી પદાર્થો અને પ્રતીકો યોજ્યાં છે એનું કારણ એ છે કે પ્રકૃતિમાં પણ એમણે મનુષ્યજીવનમાં કર્યું છે એવું જ હ્રાસ, નાશ, મૃત્યુ અને નિર્વાણનું, શૂન્યનું દર્શન કર્યું છે. અને આ પદાર્થો અને પ્રતીકોને એમણે એમની કવિતામાં વાગ્મિતા વિના, ઊર્મિલતા અને લાગણીવશતા વિના શુષ્ક, કઠોર, રુક્ષ, નઠોર રૂપે યોજ્યાં છે; અસ્થિઓ — રુધિર-માંસ, મજ્જા વિનાના અસ્થિઓ રૂપે યોજ્યાં છે. મોન્તાલે જાણે કે એમાં સાગરીત નથી, માત્ર મૂક સાક્ષી છે. આ કાવ્યસંગ્રહમાં સર્વશ્રેષ્ઠ પ્રતીક છે સમુદ્ર. સમુદ્ર એ સમગ્ર જીવનનું, સમગ્ર અસ્તિત્વનું આદિ સ્વરૂપ છે અને સનાતન સ્વરૂપ છે. એ નિરાકાર અને નિઃસીમ છે. મોન્તાલેની કવિતામાં બાહ્ય જગતની ઐતિહાસિક ઘટનાઓ નથી, તો અંગત જીવનની વૈયક્તિક ઘટનાઓ પણ નથી. એમાં સનાતન ઘટનાઓ છે. એથી એમની કવિતામાં કોઈ યોજના કે કાર્યક્રમ નથી, કોઈ સિદ્ધાંત કે સંદેશ નથી. કોઈ તત્કાલીનતા નથી. છે કેવળ સર્વકાલીનતા, વૈશ્વિકતા, તાત્ત્વિકતા.
‘અસ્થિ’માં ત્રણ વિભાગો છે. ‘કટલ-મત્સ્યનાં અસ્થિ’, ‘મેડિટરેનિયન’ તથા ‘મધ્યાહ્ન અને પડછાયા.’ એમાં વસ્તુવિષયમાં બે બિન્દુઓ છે, એક ‘કઠોર વાસ્તવિકતા’નું, ‘નઠોર નામહીન વેદના’નું અને બીજું ‘સંકેત’ની આશાનું, ‘રહસ્યોદ્ઘાટન’ની શક્યતાનું. અને એથી એમાં શૈલીસ્વરૂપમાં બે પ્રકારો છે ‘મેડિટરેનિયન’ તથા ‘મધ્યાહ્ન અને પડછાયા’નાં કાવ્યોમાં મુખ્યત્વે ‘કઠોર વાસ્તવિકતા’નું અને ‘નઠોર, નામહીન વેદના’નું બિંદુ છે. ત્યાં એને અનુકૂળ અને અનુરૂપ તાર્કિકતા, વાગ્મિતા, વિસ્તીર્ણ લયો (પણ મુખ્યત્વે પ્રાસયોજનાનો અભાવ), સ્પષ્ટતા અને તીવ્રતાયુક્ત પદાવલિ તથા પુનરાવર્તનો છે. ‘કટલ-મત્સ્યના અસ્થિ’નાં કાવ્યોમાં મુખ્યત્વે ‘સંકેત’ની આશાનું અને ‘રહસ્યોદ્ઘાટન’ની શક્યતાનું બિંદુ છે. ત્યાં એને અનુકૂળ અને અનુરૂપ સૂક્ષ્મ સંગીતમયતા, ભારયુક્ત લઘુ લયો, વર્ણસગાઈ, પ્રાસ, આંતરપ્રાસ, અર્ધપ્રાસ, પ્રાસાભાસ છે. આ કાવ્યોમાં અંગત અનુભવો પણ બિનઅંગત સ્વરૂપે પ્રગટ થાય છે. મોન્તાલેના હવે પછીના કાવ્યસંગ્રહોમાં પ્રથમ પ્રકારના શૈલીસ્વરૂપનો ‘પવિત્ર શબ્દો’, ‘ઝબકારા અને અર્પણો’ આદિ વિભાગનાં કાવ્યોમાં ઉત્તરોત્તર વિકાસ થયો છે. ‘અસ્થિ’ને અંતે ‘આર્સેનિ’, ‘ડેલ્ટા’, ‘મિલન’ આદિ જે કાવ્યો છે, એનું, અલબત્ત, વિભિન્ન વાતાવરણમાં, સહજસરલ અનુસંધાન આ પછીના બીજા કાવ્યસંગ્રહ ‘ક્ષણો’માં છે.
‘અસ્થિ’માં ત્રણ વિભાગો છે. ‘કટલ-મત્સ્યનાં અસ્થિ’, ‘મેડિટરેનિયન’ તથા ‘મધ્યાહ્ન અને પડછાયા.’ એમાં વસ્તુવિષયમાં બે બિન્દુઓ છે, એક ‘કઠોર વાસ્તવિકતા’નું, ‘નઠોર નામહીન વેદના’નું અને બીજું ‘સંકેત’ની આશાનું, ‘રહસ્યોદ્ઘાટન’ની શક્યતાનું. અને એથી એમાં શૈલીસ્વરૂપમાં બે પ્રકારો છે: ‘મેડિટરેનિયન’ તથા ‘મધ્યાહ્ન અને પડછાયા’નાં કાવ્યોમાં મુખ્યત્વે ‘કઠોર વાસ્તવિકતા’નું અને ‘નઠોર, નામહીન વેદના’નું બિંદુ છે. ત્યાં એને અનુકૂળ અને અનુરૂપ તાર્કિકતા, વાગ્મિતા, વિસ્તીર્ણ લયો (પણ મુખ્યત્વે પ્રાસયોજનાનો અભાવ), સ્પષ્ટતા અને તીવ્રતાયુક્ત પદાવલિ તથા પુનરાવર્તનો છે. ‘કટલ-મત્સ્યના અસ્થિ’નાં કાવ્યોમાં મુખ્યત્વે ‘સંકેત’ની આશાનું અને ‘રહસ્યોદ્ઘાટન’ની શક્યતાનું બિંદુ છે. ત્યાં એને અનુકૂળ અને અનુરૂપ સૂક્ષ્મ સંગીતમયતા, ભારયુક્ત લઘુ લયો, વર્ણસગાઈ, પ્રાસ, આંતરપ્રાસ, અર્ધપ્રાસ, પ્રાસાભાસ છે. આ કાવ્યોમાં અંગત અનુભવો પણ બિનઅંગત સ્વરૂપે પ્રગટ થાય છે. મોન્તાલેના હવે પછીના કાવ્યસંગ્રહોમાં પ્રથમ પ્રકારના શૈલીસ્વરૂપનો ‘પવિત્ર શબ્દો’, ‘ઝબકારા અને અર્પણો’ આદિ વિભાગનાં કાવ્યોમાં ઉત્તરોત્તર વિકાસ થયો છે. ‘અસ્થિ’ને અંતે ‘આર્સેનિ’, ‘ડેલ્ટા’, ‘મિલન’ આદિ જે કાવ્યો છે, એનું, અલબત્ત, વિભિન્ન વાતાવરણમાં, સહજસરલ અનુસંધાન આ પછીના બીજા કાવ્યસંગ્રહ ‘ક્ષણો’માં છે.
મોન્તાલે ૧૯૨૬માં તુરિનમાંથી ફ્લોરેન્સમાં વસ્યા. આરંભમાં એક પ્રકાશનગૃહમાં કાર્ય કર્યું. પછી ૧૯૨૯માં ફ્લોરેન્સની પ્રસિદ્ધ લાઇબ્રેરી– ગાબિનેત્તો વીસો–વૈજ્ઞાનિક સાહિત્યિક મંડળ–માં લાઇબ્રેરિયનપદે નિયુક્ત થયા. ૧૯૩૨માં એમનો બીજો કાવ્યસંગ્રહ ‘કસ્ટમ હાઉસ અને અન્ય કાવ્યો’ — લા કાસા દી દોગાનિએરિ એ આલ્તિ વેર્સિ — પ્રસિદ્ધ થયો. આ વરસમાં એમને ‘દેલાન્તિકો ફાતોરે’ પુરસ્કાર અર્પણ થયો. ફાસિસ્ટ પક્ષમાં સભ્ય થવું એમને માટે અશક્ય હતું એથી એમને એમના લાઇબ્રેરિયનપદેથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી ત્યારે ૧૯૩૮માં એમણે એ પદેથી રાજીનામું આપ્યું. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધની પૂર્વસંધ્યાએ ૧૯૩૨ના કાવ્યસંગ્રહનાં કાવ્યો સમેતનો એમનો ત્રીજો કાવ્યસંગ્રહ ‘ક્ષણો’ — લ ઓકાસિઓનિ — પ્રસિદ્ધ થયો. ‘ક્ષણો’ બીજા વિશ્વયુદ્ધની પૂર્વસંધ્યાએ પ્રગટ થયો છે એથી એમાં બીજા વિશ્વયુદ્ધ પૂર્વેના દાયકાનું વાતાવરણ છે. જગત જાણે કે સર્વનાશને આરે ઊભું છે. પ્રલય જાણે કે હાથવેંતમાં છે. અને મનુષ્યજાતિનું અસ્તિત્વ જાણે કે ભયમાં છે. ‘ક્ષણો’માં મોન્તાલેએ જાણે કે દાયકાનો ઇતિહાસ આલેખ્યો છે, અસંખ્ય મનુષ્યોના હૃદય-મનમાં જે વાત હતી એને જાણે કે વાચા આપી છે. ‘પવિત્ર શબ્દો’ — મોત્તેત્તિ — એક અર્થમાં પ્રેમનાં કાવ્યોનો વિભાગ છે પણ એ દાયકામાં પૃથ્વી પર નરકની જે નિયતિતા હતી અને મનુષ્યોનું જે જીવન હતું એનો અનુભવ છે
મોન્તાલે ૧૯૨૬માં તુરિનમાંથી ફ્લોરેન્સમાં વસ્યા. આરંભમાં એક પ્રકાશનગૃહમાં કાર્ય કર્યું. પછી ૧૯૨૯માં ફ્લોરેન્સની પ્રસિદ્ધ લાઇબ્રેરી– ગાબિનેત્તો વીસો–વૈજ્ઞાનિક સાહિત્યિક મંડળ–માં લાઇબ્રેરિયનપદે નિયુક્ત થયા. ૧૯૩૨માં એમનો બીજો કાવ્યસંગ્રહ ‘કસ્ટમ હાઉસ અને અન્ય કાવ્યો’ — લા કાસા દી દોગાનિએરિ એ આલ્તિ વેર્સિ — પ્રસિદ્ધ થયો. આ વરસમાં એમને ‘દેલાન્તિકો ફાતોરે’ પુરસ્કાર અર્પણ થયો. ફાસિસ્ટ પક્ષમાં સભ્ય થવું એમને માટે અશક્ય હતું એથી એમને એમના લાઇબ્રેરિયનપદેથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી ત્યારે ૧૯૩૮માં એમણે એ પદેથી રાજીનામું આપ્યું. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધની પૂર્વસંધ્યાએ ૧૯૩૨ના કાવ્યસંગ્રહનાં કાવ્યો સમેતનો એમનો ત્રીજો કાવ્યસંગ્રહ ‘ક્ષણો’ — લ ઓકાસિઓનિ — પ્રસિદ્ધ થયો. ‘ક્ષણો’ બીજા વિશ્વયુદ્ધની પૂર્વસંધ્યાએ પ્રગટ થયો છે એથી એમાં બીજા વિશ્વયુદ્ધ પૂર્વેના દાયકાનું વાતાવરણ છે. જગત જાણે કે સર્વનાશને આરે ઊભું છે. પ્રલય જાણે કે હાથવેંતમાં છે. અને મનુષ્યજાતિનું અસ્તિત્વ જાણે કે ભયમાં છે. ‘ક્ષણો’માં મોન્તાલેએ જાણે કે દાયકાનો ઇતિહાસ આલેખ્યો છે, અસંખ્ય મનુષ્યોના હૃદય-મનમાં જે વાત હતી એને જાણે કે વાચા આપી છે. ‘પવિત્ર શબ્દો’ — મોત્તેત્તિ — એક અર્થમાં પ્રેમનાં કાવ્યોનો વિભાગ છે પણ એ દાયકામાં પૃથ્વી પર નરકની જે નિયતિતા હતી અને મનુષ્યોનું જે જીવન હતું એનો અનુભવ છે:
‘… હું સંકેત શોધું છું 
જે લુપ્ત થયો છે, મારો એ એકમાત્ર શ્રદ્ધાશબ્દ હતો, મુક્તપણે 
મને મળ્યો હતો તારી પાસેથી. અને નરક નિશ્ચિત છે. 
… 
જીવન લાગતું હતું 
વિરાટ, તે તારા રૂમાલથી પણ વધુ ટૂંકું છે.’
{{Poem2Close}}
‘ક્ષણો’માં મોન્તાલેએ સદ્-અસદ્‌ વચ્ચેનો સંઘર્ષ વધુ સ્પષ્ટપણે, વધુ અસંદિગ્ધપણે આલેખ્યો છે. ‘અસ્થિ’માં આ સંઘર્ષ પરોક્ષ રૂપે હતો તે ‘ક્ષણો’માં ‘પવિત્ર’ શબ્દો ઉપરાંત ‘દોરા માર્ક્સ’, ‘આમિઆતામાંથી સમાચાર’–નોતિઝી દાલામિઆતા–આદિ કાવ્યોમાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાય છે. ‘ઈસ્ટબોર્ન’ કાવ્યમાં અસદ્‌નો વિજય થાય છે અને સદ્-અસદ્‌નો સંઘર્ષ સનાતન છે, કદી શમવાનો નથી એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. ‘ક્ષણો’માં સર્વશ્રેષ્ઠ કાવ્ય છે ‘કસ્ટમ હાઉસ’ — લા કાસા દી દોગાનિએરિ. એમાં સદ્‌નું પ્રતીક કોમ્પાસ અને અસદ્‌નું પ્રતીક છે પાસો. કાવ્યમાં જીર્ણ કસ્ટમ હાઉસનું વર્ણન છે. એમાં જીર્ણ સ્મૃતિ અને જીર્ણ માનવસંબંધનો અનુભવ છે
<poem>
‘દક્ષિણના વાયુએ જીર્ણ ભીંતોને વર્ષોથી ઉઝરડી છે, 
તારા હાસ્યનો અવાજ હવે આનંદતો નથી, 
કોમ્પાસ ગમે તેવું વિચિત્ર રીતે વર્તે છે. 
અને પાસો આપણે પક્ષે પોબાર પડતો નથી, 
તને કશું યાદ નથી, અન્ય કોઈ સમયની વાત 
તારી સ્મૃતિને સતાવે છે, હાથમાંથી દોર સરકી રહ્યો છે.’
‘… હું સંકેત શોધું છું
જે લુપ્ત થયો છે, મારો એ એકમાત્ર શ્રદ્ધાશબ્દ
{{space}}{{space}}{{space}}હતો, મુક્તપણે
મને મળ્યો હતો તારી પાસેથી.
{{space}}{{space}}અને નરક નિશ્ચિત છે.
જીવન લાગતું હતું
વિરાટ, તે તારા રૂમાલથી પણ વધુ ટૂંકું છે.’
</poem>
{{Poem2Open}}
‘ક્ષણો’માં મોન્તાલેએ સદ્-અસદ્‌ વચ્ચેનો સંઘર્ષ વધુ સ્પષ્ટપણે, વધુ અસંદિગ્ધપણે આલેખ્યો છે. ‘અસ્થિ’માં આ સંઘર્ષ પરોક્ષ રૂપે હતો તે ‘ક્ષણો’માં ‘પવિત્ર’ શબ્દો ઉપરાંત ‘દોરા માર્ક્સ’, ‘આમિઆતામાંથી સમાચાર’–નોતિઝી દાલામિઆતા–આદિ કાવ્યોમાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાય છે. ‘ઈસ્ટબોર્ન’ કાવ્યમાં અસદ્‌નો વિજય થાય છે અને સદ્-અસદ્‌નો સંઘર્ષ સનાતન છે, કદી શમવાનો નથી એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. ‘ક્ષણો’માં સર્વશ્રેષ્ઠ કાવ્ય છે ‘કસ્ટમ હાઉસ’ — લા કાસા દી દોગાનિએરિ. એમાં સદ્‌નું પ્રતીક કોમ્પાસ અને અસદ્‌નું પ્રતીક છે પાસો. કાવ્યમાં જીર્ણ કસ્ટમ હાઉસનું વર્ણન છે. એમાં જીર્ણ સ્મૃતિ અને જીર્ણ માનવસંબંધનો અનુભવ છે:
{{Poem2Close}}
<poem>
‘દક્ષિણના વાયુએ જીર્ણ ભીંતોને વર્ષોથી ઉઝરડી છે,
તારા હાસ્યનો અવાજ હવે આનંદતો નથી,
કોમ્પાસ ગમે તેવું વિચિત્ર રીતે વર્તે છે.
અને પાસો આપણે પક્ષે પોબાર પડતો નથી,
તને કશું યાદ નથી, અન્ય કોઈ સમયની વાત
તારી સ્મૃતિને સતાવે છે, હાથમાંથી દોર સરકી રહ્યો છે.’
</poem>
{{Poem2Open}}
‘ક્ષણો’માં જે ક્ષણો છે તે રહસ્યોદ્ઘાટનની ક્ષણો છે, દર્શનની ક્ષણો છે. આ રહસ્યોદ્ઘાટન, આ દર્શન મોન્તાલે પરમેશ્વર પાસેથી નહિ, મનુષ્યો પાસેથી પામે છે. ‘ક્ષણો’માં આમ તો અંગત જીવનના અનુભવો છે. સૂચનો દ્વારા એને ગોપવવા, છુપાવવાના પ્રયત્નો દ્વારા એ પ્રગટ થાય છે. આ મનુષ્યો સાથે કવિ એકરૂપ છે છતાં અલગ છે. અને અલગ છે છતાં એકરૂપ છે. જેઇમ્સ જોઇસની જેમ એ અંગત જીવનના અનુભવથી પર અને પાર જાય છે, બહિર્મુખ થાય છે. ‘ક્ષણો’માં બાહ્યજીવન અને બાહ્યજગત, માત્ર લિગુરિયા જ નહિ, ઇટલીના અન્ય પ્રદેશો અને એ પ્રદેશોના જીવ, જંતુ, પશુ, પંખી, વનસ્પતિ, પર્વતો આદિ અન્ય પાત્રોનું અસ્તિત્વ છે. ‘અસ્થિ’માં મનુષ્ય માત્રની ગઈકાલના ભાગરૂપ જે પ્રદેશો અને પ્રસંગો હતા એ સૌને એમની વાસ્તવિકતા અને એની સાથેના વિસંવાદ સહિત ‘ક્ષણો’માં મોન્તાલે પોતાની સ્મૃતિમાં સજીવન કરે છે. એમાં સાક્ષાત્ અને નામરૂપે નક્કર અને નિશ્ચિત છે એ દ્વારા અસીમ માટેની ઝંખના, અનંત માટેની અભીપ્સા પ્રગટ થાય છે. એ દ્વારા મનુષ્ય જાણે કે અસીમ અને અનંત લોકમાંથી નિર્વાસિત થયો છે અને આ પૃથ્વી પર ક્ષણેક વસ્યો છે, આ જગત જાણે કે પરદેશ છે એવો અનુભવ પ્રગટ થાય છે. અહીં આ પૃથ્વી પર પરિવર્તનશીલ સંસારમાં બધું જ અનિશ્ચિત છે, અનિત્ય છે; સ્મૃતિનો નાશ છે, સંબંધોનો હ્રાસ છે. એથી મૃત્યુ અને નિર્વાણનો અસ્વીકાર એ જ આ પૃથ્વી પરનું નરક છે. મૃત્યુ અને નિર્વાણનો સ્વીકાર એ જ એકમાત્ર સંજીવની છે, સ્વર્ગ છે. ‘ક્ષણો’માં કેન્દ્રમાં વસ્તુવિષય છે કાળ. કાળ એટલે સમય અને કાળ એટલે મૃત્યુ. આ બન્ને અર્થમાં ‘અસ્થિ’ના અંતભાગનાં કાવ્યોમાં ‘તું’થી જેને સંબધોન કર્યું છે એવું એક પાત્ર હતું. આ પાત્રનો ‘ક્ષણો’માં વિકાસ થાય છે. આ પાત્રનાં અહીં વિવિધ અને વિભિન્ન સ્વરૂપો છે. આ સ્ત્રીપાત્ર છે. ક્યારેક આ ‘તું’ કવિ સ્વયં છે, ક્યારેક સંવાદમાં સામી વ્યક્તિ છે. ક્યારેક અનેક સ્ત્રીઓના સંમિશ્રણ જેવી, સરવાળા જેવી આદર્શ સ્ત્રી છે, ‘અસ્થિ’માં આ પાત્ર જાણે કે કોઈ પૂર્વ અનુભવનું પરિચિત વાસ્તવિક પાત્ર હતું. ‘ક્ષણો’માં આ પાત્ર એ જાણે કે આધુનિક રહસ્યમય પેર્ટ્રાકની અસ્પષ્ટ લોરા છે. આ ‘તું’ જેનું નામ ક્યારેક ગર્તિ છે, ક્યારેક લિયુબા છે, ક્યારેક દોરા માર્ક્સ છે, બહુધા અનામી છે — જાણે કે વાસ્તવિકતા અને પુરાકલ્પનના સંગમ પર એ બેની મિલનભૂમિ પર વસે છે, ક્યારેક એ દૈવી છે, કયારેક એ આસુરી છે. ‘પવિત્ર શબ્દો’માં આ ‘તું’ જાણે કે કવિના અંતસ્તલમાં, કવિના અસ્તિત્વના અતલમાં વસે છે. સ્મૃતિનો નાશ, સંબંધનો હ્રાસ, અને આ ‘તું’ — સૌ દ્વારા મોન્તાલેની જગપ્રસિદ્ધ અલગતા, એમનું અળગાપણું અનિવાર્ય છે એની પ્રતીતિ થાય છે. ‘ક્ષણો’માં જાણે કે ગૃહત્યાગની ક્ષણ છે. ‘વર્ષા’ — સોત્તો લા પિએગિઆ–માં જાણે કે બુદ્ધના ગૃહત્યાગમાં જે કરુણા હતી તે કરુણા છે. હવે પછી જોઈશું તેમ, ‘ઈલ’ કાવ્યમાં અતિવિસ્તારથી સમુદ્રયાત્રાનું વિગતે વર્ણન કર્યું છે. તે ‘ઈલ’ની જેમ ‘વર્ષા’માં કાવ્યને અંતે અતિલાઘવથી જેનું ઇટલીના હિમશૃંગોથી કેઇપ પ્રતિની નભયાત્રામાં મિતાક્ષરે વર્ણન કર્યું છે તે સ્ટોર્ક પંખી એ આ કરુણાનું પ્રતીક છે.
‘ક્ષણો’માં જે ક્ષણો છે તે રહસ્યોદ્ઘાટનની ક્ષણો છે, દર્શનની ક્ષણો છે. આ રહસ્યોદ્ઘાટન, આ દર્શન મોન્તાલે પરમેશ્વર પાસેથી નહિ, મનુષ્યો પાસેથી પામે છે. ‘ક્ષણો’માં આમ તો અંગત જીવનના અનુભવો છે. સૂચનો દ્વારા એને ગોપવવા, છુપાવવાના પ્રયત્નો દ્વારા એ પ્રગટ થાય છે. આ મનુષ્યો સાથે કવિ એકરૂપ છે છતાં અલગ છે. અને અલગ છે છતાં એકરૂપ છે. જેઇમ્સ જોઇસની જેમ એ અંગત જીવનના અનુભવથી પર અને પાર જાય છે, બહિર્મુખ થાય છે. ‘ક્ષણો’માં બાહ્યજીવન અને બાહ્યજગત, માત્ર લિગુરિયા જ નહિ, ઇટલીના અન્ય પ્રદેશો અને એ પ્રદેશોના જીવ, જંતુ, પશુ, પંખી, વનસ્પતિ, પર્વતો આદિ અન્ય પાત્રોનું અસ્તિત્વ છે. ‘અસ્થિ’માં મનુષ્ય માત્રની ગઈકાલના ભાગરૂપ જે પ્રદેશો અને પ્રસંગો હતા એ સૌને એમની વાસ્તવિકતા અને એની સાથેના વિસંવાદ સહિત ‘ક્ષણો’માં મોન્તાલે પોતાની સ્મૃતિમાં સજીવન કરે છે. એમાં સાક્ષાત્ અને નામરૂપે નક્કર અને નિશ્ચિત છે એ દ્વારા અસીમ માટેની ઝંખના, અનંત માટેની અભીપ્સા પ્રગટ થાય છે. એ દ્વારા મનુષ્ય જાણે કે અસીમ અને અનંત લોકમાંથી નિર્વાસિત થયો છે અને આ પૃથ્વી પર ક્ષણેક વસ્યો છે, આ જગત જાણે કે પરદેશ છે એવો અનુભવ પ્રગટ થાય છે. અહીં આ પૃથ્વી પર પરિવર્તનશીલ સંસારમાં બધું જ અનિશ્ચિત છે, અનિત્ય છે; સ્મૃતિનો નાશ છે, સંબંધોનો હ્રાસ છે. એથી મૃત્યુ અને નિર્વાણનો અસ્વીકાર એ જ આ પૃથ્વી પરનું નરક છે. મૃત્યુ અને નિર્વાણનો સ્વીકાર એ જ એકમાત્ર સંજીવની છે, સ્વર્ગ છે. ‘ક્ષણો’માં કેન્દ્રમાં વસ્તુવિષય છે કાળ. કાળ એટલે સમય અને કાળ એટલે મૃત્યુ. આ બન્ને અર્થમાં ‘અસ્થિ’ના અંતભાગનાં કાવ્યોમાં ‘તું’થી જેને સંબધોન કર્યું છે એવું એક પાત્ર હતું. આ પાત્રનો ‘ક્ષણો’માં વિકાસ થાય છે. આ પાત્રનાં અહીં વિવિધ અને વિભિન્ન સ્વરૂપો છે. આ સ્ત્રીપાત્ર છે. ક્યારેક આ ‘તું’ કવિ સ્વયં છે, ક્યારેક સંવાદમાં સામી વ્યક્તિ છે. ક્યારેક અનેક સ્ત્રીઓના સંમિશ્રણ જેવી, સરવાળા જેવી આદર્શ સ્ત્રી છે, ‘અસ્થિ’માં આ પાત્ર જાણે કે કોઈ પૂર્વ અનુભવનું પરિચિત વાસ્તવિક પાત્ર હતું. ‘ક્ષણો’માં આ પાત્ર એ જાણે કે આધુનિક રહસ્યમય પેર્ટ્રાકની અસ્પષ્ટ લોરા છે. આ ‘તું’ જેનું નામ ક્યારેક ગર્તિ છે, ક્યારેક લિયુબા છે, ક્યારેક દોરા માર્ક્સ છે, બહુધા અનામી છે — જાણે કે વાસ્તવિકતા અને પુરાકલ્પનના સંગમ પર એ બેની મિલનભૂમિ પર વસે છે, ક્યારેક એ દૈવી છે, કયારેક એ આસુરી છે. ‘પવિત્ર શબ્દો’માં આ ‘તું’ જાણે કે કવિના અંતસ્તલમાં, કવિના અસ્તિત્વના અતલમાં વસે છે. સ્મૃતિનો નાશ, સંબંધનો હ્રાસ, અને આ ‘તું’ — સૌ દ્વારા મોન્તાલેની જગપ્રસિદ્ધ અલગતા, એમનું અળગાપણું અનિવાર્ય છે એની પ્રતીતિ થાય છે. ‘ક્ષણો’માં જાણે કે ગૃહત્યાગની ક્ષણ છે. ‘વર્ષા’ — સોત્તો લા પિએગિઆ–માં જાણે કે બુદ્ધના ગૃહત્યાગમાં જે કરુણા હતી તે કરુણા છે. હવે પછી જોઈશું તેમ, ‘ઈલ’ કાવ્યમાં અતિવિસ્તારથી સમુદ્રયાત્રાનું વિગતે વર્ણન કર્યું છે. તે ‘ઈલ’ની જેમ ‘વર્ષા’માં કાવ્યને અંતે અતિલાઘવથી જેનું ઇટલીના હિમશૃંગોથી કેઇપ પ્રતિની નભયાત્રામાં મિતાક્ષરે વર્ણન કર્યું છે તે સ્ટોર્ક પંખી એ આ કરુણાનું પ્રતીક છે.
‘ક્ષણો’માં મોન્તાલેની ઊર્મિકવિતાની પરિપક્વતા છે, એમાં શૈલી- સ્વરૂપમાં પ્રતીકોથી વિશેષ તો ચિત્રસંજ્ઞાઓ — ideograms — છે. એમાં એલિયટની કવિતામાં છે તેવો પુરાગામી કવિઓની પંક્તિઓ અને પરભાષાના શબ્દોનો સર્જનાત્મક ઉપયોગ છે. અને એ દ્વારા બે કાળ અને બે સ્થળનું સૂચન છે, સ્મૃતિ અને સંબંધોના વસ્તુવિષયનાં આ કાવ્યોમાં સર્વત્ર વ્યાપ્ત એવી કાળની ગતિનું સૂચન છે. અનેક અર્થમાં આ કાવ્યસંગ્રહનું શીર્ષક ‘ક્ષણો’ સાર્થક થાય છે.
‘ક્ષણો’માં મોન્તાલેની ઊર્મિકવિતાની પરિપક્વતા છે, એમાં શૈલી- સ્વરૂપમાં પ્રતીકોથી વિશેષ તો ચિત્રસંજ્ઞાઓ — ideograms — છે. એમાં એલિયટની કવિતામાં છે તેવો પુરાગામી કવિઓની પંક્તિઓ અને પરભાષાના શબ્દોનો સર્જનાત્મક ઉપયોગ છે. અને એ દ્વારા બે કાળ અને બે સ્થળનું સૂચન છે, સ્મૃતિ અને સંબંધોના વસ્તુવિષયનાં આ કાવ્યોમાં સર્વત્ર વ્યાપ્ત એવી કાળની ગતિનું સૂચન છે. અનેક અર્થમાં આ કાવ્યસંગ્રહનું શીર્ષક ‘ક્ષણો’ સાર્થક થાય છે.
મોન્તાલેએ બીજા વિશ્વયુદ્ધના સમયમાં જ ૧૯૪૩માં હજુ તો યુદ્ધ ચાલતું હતું ત્યારે, મુસોલિનિના ઇટલીમાં રહીને કાવ્યસંગ્રહ પ્રગટ કરવામાં જાનનું જોખમ હતું છતાં, મૌનથી તો મોત ભલું એવી પ્રતીતિથી એમનો ચોથો કાવ્યસંગ્રહ સ્વિટ્ઝર્લેન્ડમાંથી પ્રસિદ્ધ કર્યો. બીજા વિશ્વયુદ્ધને અંતે ફ્લોરેન્સની મુક્તિ પછી એ પાક્ષિક ‘ઈલ મોન્દો’ના સહતંત્રી થયા. ૧૯૪૭માં એ ફલોરેન્સમાંથી મિલાનોમાં વસ્યા. ત્યારથી મિલાનો એમનું કાયમનું નિવાસસ્થાન રહ્યું છે.
મોન્તાલેએ બીજા વિશ્વયુદ્ધના સમયમાં જ ૧૯૪૩માં હજુ તો યુદ્ધ ચાલતું હતું ત્યારે, મુસોલિનિના ઇટલીમાં રહીને કાવ્યસંગ્રહ પ્રગટ કરવામાં જાનનું જોખમ હતું છતાં, મૌનથી તો મોત ભલું એવી પ્રતીતિથી એમનો ચોથો કાવ્યસંગ્રહ સ્વિટ્ઝર્લેન્ડમાંથી પ્રસિદ્ધ કર્યો. બીજા વિશ્વયુદ્ધને અંતે ફ્લોરેન્સની મુક્તિ પછી એ પાક્ષિક ‘ઈલ મોન્દો’ના સહતંત્રી થયા. ૧૯૪૭માં એ ફલોરેન્સમાંથી મિલાનોમાં વસ્યા. ત્યારથી મિલાનો એમનું કાયમનું નિવાસસ્થાન રહ્યું છે.
૧૯૪૮માં એમણે મિલાનોમાંથી ઇટાલીનું સૌથી વધુ લોકપ્રિય દૈનિક ‘ઇલ કોરિએરે દલા સરા’ શરૂ કર્યું. ત્યારથી એ એના ત્રીજા એટલે કે સાહિત્યના પાનાનું સંપાદન કરે છે. આ પાના માટે સાહિત્યનું વિવેચન કરે છે અને આ દૈનિકની સાંજની આવૃત્તિ માટે સંગીતનું વિવેચન કરે છે. આ ઉપરાંત એ અનુવાદનું કાર્ય પણ કરે છે. ૧૯૫૬માં ‘ફિનિસ્તેરે’ કાવ્યસંગ્રહમાંનાં કાવ્ય સમેતનો એમનો પાંચમો કાવ્યસંગ્રહ ‘ઝંઝા અને અન્ય’ — લા બુફેરાએ આર્લ્ત્રો — પ્રગટ થયો.
૧૯૪૮માં એમણે મિલાનોમાંથી ઇટાલીનું સૌથી વધુ લોકપ્રિય દૈનિક ‘ઇલ કોરિએરે દલા સરા’ શરૂ કર્યું. ત્યારથી એ એના ત્રીજા એટલે કે સાહિત્યના પાનાનું સંપાદન કરે છે. આ પાના માટે સાહિત્યનું વિવેચન કરે છે અને આ દૈનિકની સાંજની આવૃત્તિ માટે સંગીતનું વિવેચન કરે છે. આ ઉપરાંત એ અનુવાદનું કાર્ય પણ કરે છે. ૧૯૫૬માં ‘ફિનિસ્તેરે’ કાવ્યસંગ્રહમાંનાં કાવ્ય સમેતનો એમનો પાંચમો કાવ્યસંગ્રહ ‘ઝંઝા અને અન્ય’ — લા બુફેરાએ આર્લ્ત્રો — પ્રગટ થયો.
ડેન્ટિએ ‘ઇન્ફર્નો’ (નરક)માં નરકની ઝંઝા માટે ‘બુફેરા’ શબ્દ યોજ્યો છે. એ જ શબ્દ મોન્તાલેએ આ કાવ્યસંગ્રહના શીર્ષકમાં યોજ્યો છે. પણ મોન્તાલેની ‘ઝંઝા’ એ પૃથ્વી પરની મનુષ્યસર્જિત બીજા વિશ્વયુદ્ધ અને એના દુરિતરૂપ ઝંઝા છે અને મોન્તાલેનું નરક એ પૃથ્વી પરનું નરક છે એવું એમાં સૂચન છે. મોન્તાલેએ એમના આઠ દાયકાના દીર્ઘાયુષ્યમાં અનેક ઊથલપાથલો અને આસમાનીસુલતાનીઓ, અંધાધૂંધીઓ અને અરાજકતાઓ જોઈ છે. હજારો વરસના પરંપરાગત મૂલ્યોનો હ્રાસ, અનેક માન્યતાઓ અને શ્રદ્ધાઓનો નાશ, ત્રણ ક્રાંતિઓ, બે વિશ્વયુદ્ધો, અનેક આંતરવિગ્રહો અને સંઘર્ષો, અનેક સિતમખોરીઓ અને સરમુખત્યારશાહીઓ, કોન્સન્ટ્રેશન કેમ્પ્સ અને ચેમ્બર્સમાં લાખો નિર્દોષ મનુષ્યોની યાતનાઓ અને કતલો, હિંસા, ક્રૂરતા, તિરસ્કાર, અમાનુષિતા વગેરેના મોન્તાલે સાક્ષી છે, છતાં એમણે એમાંથી કોઈ કહેતાં કોઈ વિશે સમ ખાવા પૂરતું એક કાવ્ય પણ રચ્યું નથી. ‘કસ્ટમ હાઉસ’માં બીજા વિશ્વયુદ્ધ પૂર્વેના દાયકામાં એમની અલગતાનું, એમના અળગાપણાનું સૂચન છે. કસ્ટમ હાઉસ જીર્ણ છે. ચોમેર બધું દિશાશૂન્ય છે, અર્થશૂન્ય છે, અન્ય પાત્રનું સ્મરણ સુધ્ધાં નથી. બીજા વિશ્વયુદ્ધના સમયમાં ‘ઝંઝા’નાં કાવ્યોમાંની એમની આ અલગતાની, એમના આ અળગાપણાની ચરમ સીમા છે. હમણાં દોઢેક દાયકા પહેલાં જ મોન્તાલેએ પોતાની અલગતા વિશે આમ કહ્યું હતું, ‘ફાસીવાદ અને યુદ્ધે આ મારી અલગતાની લાગણીને માટે કદાચ જે જરૂરી હતી એ — એની અન્યત્ર હોવા અંગેની સાબિતી — એલિબિનો સ્વીકાર કર્યો.’ જે સમયમાં યુરોપમાં અને ઇટલીમાં અસંખ્ય બુદ્ધિજીવીઓ અને કવિઓ-કલાકારો ડાબેરી કે જમણેરી પક્ષ, આ કે તે વાદ, આ કે તે ધર્મ, અને ખાસ તો નાઝીવાદ કે ફાસીવાદને શરણે ગયા એ સમયમાં મોન્તાલેએ શું કર્યું ? ન તો એમણે કોઈનું ઢોલ પીટ્યું, ન તો એમણે કોઈ સૂત્રોચ્ચાર કર્યો, ન તો એમણે કોઈ વાવટો ફરકાવ્યો, ન તો એમણે કોઈ વીરપૂજન કર્યું, કંઈ કહેતાં કંઈ ન કર્યું. ન કોઈ ઘોંઘાટ, ન કોઈ ઘોષણા, ન કોઈ ધાંધલ, ન કોઈ ધમાલ, કંઈ કહેતાં કંઈ નહિ, ઊલટાનું પછીથી ‘નાનકડું વસિયતનામું’ કાવ્યમાં કહ્યું
ડેન્ટિએ ‘ઇન્ફર્નો’ (નરક)માં નરકની ઝંઝા માટે ‘બુફેરા’ શબ્દ યોજ્યો છે. એ જ શબ્દ મોન્તાલેએ આ કાવ્યસંગ્રહના શીર્ષકમાં યોજ્યો છે. પણ મોન્તાલેની ‘ઝંઝા’ એ પૃથ્વી પરની મનુષ્યસર્જિત બીજા વિશ્વયુદ્ધ અને એના દુરિતરૂપ ઝંઝા છે અને મોન્તાલેનું નરક એ પૃથ્વી પરનું નરક છે એવું એમાં સૂચન છે. મોન્તાલેએ એમના આઠ દાયકાના દીર્ઘાયુષ્યમાં અનેક ઊથલપાથલો અને આસમાનીસુલતાનીઓ, અંધાધૂંધીઓ અને અરાજકતાઓ જોઈ છે. હજારો વરસના પરંપરાગત મૂલ્યોનો હ્રાસ, અનેક માન્યતાઓ અને શ્રદ્ધાઓનો નાશ, ત્રણ ક્રાંતિઓ, બે વિશ્વયુદ્ધો, અનેક આંતરવિગ્રહો અને સંઘર્ષો, અનેક સિતમખોરીઓ અને સરમુખત્યારશાહીઓ, કોન્સન્ટ્રેશન કેમ્પ્સ અને ચેમ્બર્સમાં લાખો નિર્દોષ મનુષ્યોની યાતનાઓ અને કતલો, હિંસા, ક્રૂરતા, તિરસ્કાર, અમાનુષિતા વગેરેના મોન્તાલે સાક્ષી છે, છતાં એમણે એમાંથી કોઈ કહેતાં કોઈ વિશે સમ ખાવા પૂરતું એક કાવ્ય પણ રચ્યું નથી. ‘કસ્ટમ હાઉસ’માં બીજા વિશ્વયુદ્ધ પૂર્વેના દાયકામાં એમની અલગતાનું, એમના અળગાપણાનું સૂચન છે. કસ્ટમ હાઉસ જીર્ણ છે. ચોમેર બધું દિશાશૂન્ય છે, અર્થશૂન્ય છે, અન્ય પાત્રનું સ્મરણ સુધ્ધાં નથી. બીજા વિશ્વયુદ્ધના સમયમાં ‘ઝંઝા’નાં કાવ્યોમાંની એમની આ અલગતાની, એમના આ અળગાપણાની ચરમ સીમા છે. હમણાં દોઢેક દાયકા પહેલાં જ મોન્તાલેએ પોતાની અલગતા વિશે આમ કહ્યું હતું, ‘ફાસીવાદ અને યુદ્ધે આ મારી અલગતાની લાગણીને માટે કદાચ જે જરૂરી હતી એ — એની અન્યત્ર હોવા અંગેની સાબિતી — એલિબિનો સ્વીકાર કર્યો.’ જે સમયમાં યુરોપમાં અને ઇટલીમાં અસંખ્ય બુદ્ધિજીવીઓ અને કવિઓ-કલાકારો ડાબેરી કે જમણેરી પક્ષ, આ કે તે વાદ, આ કે તે ધર્મ, અને ખાસ તો નાઝીવાદ કે ફાસીવાદને શરણે ગયા એ સમયમાં મોન્તાલેએ શું કર્યું ? ન તો એમણે કોઈનું ઢોલ પીટ્યું, ન તો એમણે કોઈ સૂત્રોચ્ચાર કર્યો, ન તો એમણે કોઈ વાવટો ફરકાવ્યો, ન તો એમણે કોઈ વીરપૂજન કર્યું, કંઈ કહેતાં કંઈ ન કર્યું. ન કોઈ ઘોંઘાટ, ન કોઈ ઘોષણા, ન કોઈ ધાંધલ, ન કોઈ ધમાલ, કંઈ કહેતાં કંઈ નહિ, ઊલટાનું પછીથી ‘નાનકડું વસિયતનામું’ કાવ્યમાં કહ્યું:
‘મારા ચિત્તમાં કોઈ પ્રકાશ દેવળનો કે કારખાનાનો પોષ્યો નથી 
કોઈ લાલ કે કાળા પાદરીએ…’
{{Poem2Close}}
<poem>
‘મારા ચિત્તમાં કોઈ પ્રકાશ દેવળનો કે કારખાનાનો પોષ્યો નથી
કોઈ લાલ કે કાળા પાદરીએ…’
</poem>
{{Poem2Open}}
અને એમણે કંઈ એવું કર્યું કે જેથી જ્યારે ૧૯૬૬માં એમના સિત્તેરમા જન્મદિવસનો ઉત્સવ ઊજવાયો ત્યારે અનેક સ્તુતિવચનોનો સમ હતો ઃ મોન્તાલે અમારે માટે એક બોધપાઠ સમાન છે. આ અલગતાના, અળગાપણાના કવિએ એવું તે શું કર્યું કે એમની પ્રજાના હૃદયમાં એક આદર્શ રૂપે વસી ગયા ? ‘ઝંઝામાં જ્યોત’ જેવા ઝગી ગયા ? એમણે, આગળ જોયું તેમ, ૧૯૩૭માં રાજીનામું આપ્યું, ચૂપચાપ. અને ૧૯૪૨માં કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો, તે પણ ચૂપચાપ, કોઈનું યે ધ્યાન ન જાય તેમ; કવિની જેમ. આ બે ઘટનાઓ આમ તો સામાન્ય ઘટનાઓ છે. પણ ૧૯૩૭માં અને ૧૪૪૨માં યુરોપમાં અને ઇટલીમાં જે માનસિક આબોહવા હતી એમાં એ અસામાન્ય ઘટનાઓ હતી એમ હવે આટલે વરસે આજે જગતને સમજાય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ ઘટનાઓમાં કેટલું તો શાંત બળ હતું એ જગતને વધુ ને વધુ સમજાય છે.
અને એમણે કંઈ એવું કર્યું કે જેથી જ્યારે ૧૯૬૬માં એમના સિત્તેરમા જન્મદિવસનો ઉત્સવ ઊજવાયો ત્યારે અનેક સ્તુતિવચનોનો સમ હતો ઃ મોન્તાલે અમારે માટે એક બોધપાઠ સમાન છે. આ અલગતાના, અળગાપણાના કવિએ એવું તે શું કર્યું કે એમની પ્રજાના હૃદયમાં એક આદર્શ રૂપે વસી ગયા ? ‘ઝંઝામાં જ્યોત’ જેવા ઝગી ગયા ? એમણે, આગળ જોયું તેમ, ૧૯૩૭માં રાજીનામું આપ્યું, ચૂપચાપ. અને ૧૯૪૨માં કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો, તે પણ ચૂપચાપ, કોઈનું યે ધ્યાન ન જાય તેમ; કવિની જેમ. આ બે ઘટનાઓ આમ તો સામાન્ય ઘટનાઓ છે. પણ ૧૯૩૭માં અને ૧૪૪૨માં યુરોપમાં અને ઇટલીમાં જે માનસિક આબોહવા હતી એમાં એ અસામાન્ય ઘટનાઓ હતી એમ હવે આટલે વરસે આજે જગતને સમજાય છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ ઘટનાઓમાં કેટલું તો શાંત બળ હતું એ જગતને વધુ ને વધુ સમજાય છે.
‘ઝંઝા’નાં કાવ્યોમાં મોન્તાલેએ જે સમાજને પોતે એક મહાન સંસ્કૃતિનો સર્જક છે એવું અભિમાન છે એને એ આધ્યાત્મિક નાદારી નોંધાવી શકે એવું એના જીવનવ્યાપારનું સરવૈયું કાઢી આપ્યું છે. કાવ્યે કાવ્યે એક અતિવિચિત્ર જગતને માથે ઝંઝા વીંઝાય છે. ‘વિરહીજનો’ — પેરસોની સેપારાતી–માં આ ઝંઝાનો પરોક્ષ પરિચય થાય છે
‘ઝંઝા’નાં કાવ્યોમાં મોન્તાલેએ જે સમાજને પોતે એક મહાન સંસ્કૃતિનો સર્જક છે એવું અભિમાન છે એને એ આધ્યાત્મિક નાદારી નોંધાવી શકે એવું એના જીવનવ્યાપારનું સરવૈયું કાઢી આપ્યું છે. કાવ્યે કાવ્યે એક અતિવિચિત્ર જગતને માથે ઝંઝા વીંઝાય છે. ‘વિરહીજનો’ — પેરસોની સેપારાતી–માં આ ઝંઝાનો પરોક્ષ પરિચય થાય છે:
{{Poem2Close}}
<poem>
‘છિન્નભિન્ન છે માનુષી અરણ્ય’
‘છિન્નભિન્ન છે માનુષી અરણ્ય’
આ ઝંઝામાં મનુષ્યો, સ્વશાપિત મનુષ્યો આમતેમ ભમે-ભટકે છે. કવિ એમની સાથે એકત્વ અનુભવે છે. એમની વેદનાને આત્મસાત્ કરે છે, પ્રેમ અને કરુણા દ્વારા. શીર્ષક કાવ્ય ‘ઝંઝા’માં જાણે કે મનુષ્યજાતિને સંબોધન છે
</poem>
‘તારા ભાગ્યમાં છે મૃત્યુ, 
પ્રેમથી યે વિશેષ તો એ તને મારી સાથે ગાંઠે છે, 
હે મારી વિચિત્ર સ્વસા…’
{{Poem2Open}}
મોન્તાલેએ ૧૯૪૦માં ‘હિટલર વસંત’ — લા પ્રિમાવેરા હિટલેરિઆના — કાવ્ય રચ્યું છે. જાણે કે જગતમાં અસદ્‌ની વસંત ફાલીફૂલી ન હોય ! એક નાનકડી નોંધમાં મોન્તાલેએ આ કાવ્યનો પ્રેરક પ્રસંગ નોંધ્યો છે ‘હિટલર અને મુસોલિની ફલોરેન્સમાં. નગરખંડમાં મહેફિલની રાત. આર્નો ઉપર જંતુઓની હિમવર્ષા.’
આ ઝંઝામાં મનુષ્યો, સ્વશાપિત મનુષ્યો આમતેમ ભમે-ભટકે છે. કવિ એમની સાથે એકત્વ અનુભવે છે. એમની વેદનાને આત્મસાત્ કરે છે, પ્રેમ અને કરુણા દ્વારા. શીર્ષક કાવ્ય ‘ઝંઝા’માં જાણે કે મનુષ્યજાતિને સંબોધન છે:
‘ગાઢું જંતુઓનું ધોળું વાદળ ગાંડું થતું જતું 
ઘૂમે છે ઝાંખા દીવાની આસપાસ નદીતટ પર, 
જમીન પર એક ચાદર પાથરે છે, 
જેની પર પગ જાણે કે સાકર પર દબાય છે; 
આવતી વસંત રાત્રિની ઠંડીને પ્રસારે છે 
આજ લગી જે બદ્ધ હતી 
મૃત ઋતુની છૂપી ગર્તાઓમાં તેને 
મેઈઆનોથી આ રેતી લગી પથરાયલી વાડીઓમાં.’
{{Poem2Close}}
આમ, આરંભમાં જંતુઓ અને ઠંડીનો ઉલ્લેખ છે. પછી ફલોરેન્સના ઝળાંહળાં થતા રાજમાર્ગોનું વર્ણન છે
<poem>
‘હમણાં જ રાજમાર્ગ પરથી નરકનો એક દૂત ધસ્યો 
હજુરિયાઓની ભાટાઈ વચ્ચે, 
અસંખ્ય અંકોડિયા ક્રૂસથી 
શણગારેલી અને અજવાળેલી 
એક રહસ્યમય ખાઈ એને વળગીને ગળી ગઈ.
‘તારા ભાગ્યમાં છે મૃત્યુ,
દુકાનોની બારીઓ બંધ છે, 
રંક અને નિર્દોષ, 
જોકે એ પણ તોપો અને યુદ્ધનાં રમકડાંઓથી સજ્જ છે. 
કસાઈએ એનાં બારણાં બંધ કર્યાં છે, 
એ ફૂલ લઈને કતલ પામેલાં બાળકોનાં માથાં શણગારશે,
પ્રેમથી યે વિશેષ તો એ તને મારી સાથે ગાંઠે છે,
જેમણે લોહી હજુ રેડ્યું નથી એવા ભલા ચાંડાલોનો ક્રિયાકાંડ 
પીંખાયેલી પાંખોના મિલન ચકરાવામાં 
નદીની ધાર પરનાં પ્રેતમાં પલટાઈ ગયો છે, 
નદીનાં જળ તટને કોરી રહ્યાં છે. 
હવે કોઈ નિર્દોષ નથી.’
હે મારી વિચિત્ર સ્વસા…’
એમાં વિજેતાના સ્વાગતમાં ભાટચારણોની ભાટાઈ જેવી પ્રશસ્તિઓ માટેનો પુરોગામી કવિ દાનન્ઝિઓનો શબ્દપ્રયોગ ‘આલાતા’ અને મનુષ્યના ચિત્તની જે અનિર્વચનીય અંધકારમય અતલ વાસનાઓ માટેનો પુરોગામી સંગીતકાર વાગ્નરનો શબ્દપ્રયોગ ‘ગોલ્ફો મિસ્તિકો’નો ઉલ્લેખ છે. એમાં હિટલર નરકનો દૂત છે. પણ મોન્તાલેએ અહીં એકલા હિટલરમાં જ દુરિત છે એવું દર્શન કર્યું નથી. પણ જે હિટલરનું પૂજન કરે છે અથવા કુતૂહલથી દર્શન કરે છે એવા અસંખ્ય મનુષ્યો અને પોતાના જેવા અનેક કવિઓ- કલાકારો પણ એ દુરિતના સહભાગી છે એનું પણ વર્ણન કર્યું છે. અહીં સીધું, સાદું, સરલ, અતિસરલ દર્શન નથી. એનાથી પર, એનાથી પારનું દર્શન છે. અહીં શ્યામ અને શ્વેત એવો ભેદ નથી, એથી જ એ કકળી ઊઠે છે ‘હવે કોઈ નિર્દોષ નથી.’ તીવ્ર વેદનાથી ઉચ્ચારેલા આ શબ્દો છે. મોન્તાલે અલગ છે, અળગા છે, છતાં એ સૌ મનુષ્યોની સાથે, મનુષ્ય માત્રની સાથે એક છે. એમના દોષમાં, અસદ્‌ના પાપમાં અને એમની વેદનામાં સહભાગી છે
</poem>
‘તો પછી આ બધું શું નિરર્થક થાય છે ? 
– આ ધીમે ધીમે ક્ષિતિજોને શ્વેત રંગતી 
સાન ગિઓવાનિની રોમન મીણબત્તીઓ, 
આ શપથો, આ પ્રતિજ્ઞાઓ જેવા પ્રબળ 
દીર્ઘ વિદાયવચનો…’
{{Poem2Open}}
મોન્તાલેએ ૧૯૪૦માં ‘હિટલર વસંત’ — લા પ્રિમાવેરા હિટલેરિઆના — કાવ્ય રચ્યું છે. જાણે કે જગતમાં અસદ્‌ની વસંત ફાલીફૂલી ન હોય ! એક નાનકડી નોંધમાં મોન્તાલેએ આ કાવ્યનો પ્રેરક પ્રસંગ નોંધ્યો છે: ‘હિટલર અને મુસોલિની ફલોરેન્સમાં. નગરખંડમાં મહેફિલની રાત. આર્નો ઉપર જંતુઓની હિમવર્ષા.’
{{Poem2Close}}
<poem>
‘ગાઢું જંતુઓનું ધોળું વાદળ ગાંડું થતું જતું
ઘૂમે છે ઝાંખા દીવાની આસપાસ નદીતટ પર,
જમીન પર એક ચાદર પાથરે છે,
જેની પર પગ જાણે કે સાકર પર દબાય છે;
આવતી વસંત રાત્રિની ઠંડીને પ્રસારે છે
આજ લગી જે બદ્ધ હતી
મૃત ઋતુની છૂપી ગર્તાઓમાં તેને
મેઈઆનોથી આ રેતી લગી પથરાયલી વાડીઓમાં.’
</poem>
{{Poem2Open}}
આમ, આરંભમાં જંતુઓ અને ઠંડીનો ઉલ્લેખ છે. પછી ફલોરેન્સના ઝળાંહળાં થતા રાજમાર્ગોનું વર્ણન છે:
{{Poem2Close}}
<poem>
‘હમણાં જ રાજમાર્ગ પરથી નરકનો એક દૂત ધસ્યો
હજુરિયાઓની ભાટાઈ વચ્ચે,
અસંખ્ય અંકોડિયા ક્રૂસથી
શણગારેલી અને અજવાળેલી
એક રહસ્યમય ખાઈ એને વળગીને ગળી ગઈ.
 
દુકાનોની બારીઓ બંધ છે,
રંક અને નિર્દોષ,
જોકે એ પણ તોપો અને યુદ્ધનાં રમકડાંઓથી સજ્જ છે.
કસાઈએ એનાં બારણાં બંધ કર્યાં છે,
ફૂલ લઈને કતલ પામેલાં બાળકોનાં માથાં શણગારશે,
 
જેમણે લોહી હજુ રેડ્યું નથી એવા ભલા ચાંડાલોનો ક્રિયાકાંડ
પીંખાયેલી પાંખોના મિલન ચકરાવામાં
નદીની ધાર પરનાં પ્રેતમાં પલટાઈ ગયો છે,
નદીનાં જળ તટને કોરી રહ્યાં છે.
હવે કોઈ નિર્દોષ નથી.’
{{Poem2Open}}
</poem>
એમાં વિજેતાના સ્વાગતમાં ભાટચારણોની ભાટાઈ જેવી પ્રશસ્તિઓ માટેનો પુરોગામી કવિ દાનન્ઝિઓનો શબ્દપ્રયોગ ‘આલાતા’ અને મનુષ્યના ચિત્તની જે અનિર્વચનીય અંધકારમય અતલ વાસનાઓ માટેનો પુરોગામી સંગીતકાર વાગ્નરનો શબ્દપ્રયોગ ‘ગોલ્ફો મિસ્તિકો’નો ઉલ્લેખ છે. એમાં હિટલર નરકનો દૂત છે. પણ મોન્તાલેએ અહીં એકલા હિટલરમાં જ દુરિત છે એવું દર્શન કર્યું નથી. પણ જે હિટલરનું પૂજન કરે છે અથવા કુતૂહલથી દર્શન કરે છે એવા અસંખ્ય મનુષ્યો અને પોતાના જેવા અનેક કવિઓ- કલાકારો પણ એ દુરિતના સહભાગી છે એનું પણ વર્ણન કર્યું છે. અહીં સીધું, સાદું, સરલ, અતિસરલ દર્શન નથી. એનાથી પર, એનાથી પારનું દર્શન છે. અહીં શ્યામ અને શ્વેત એવો ભેદ નથી, એથી જ એ કકળી ઊઠે છે: ‘હવે કોઈ નિર્દોષ નથી.’ તીવ્ર વેદનાથી ઉચ્ચારેલા આ શબ્દો છે. મોન્તાલે અલગ છે, અળગા છે, છતાં એ સૌ મનુષ્યોની સાથે, મનુષ્ય માત્રની સાથે એક છે. એમના દોષમાં, અસદ્‌ના પાપમાં અને એમની વેદનામાં સહભાગી છે:
{{Poem2Close}}
<poem>
‘તો પછી આ બધું શું નિરર્થક થાય છે ?
આ ધીમે ધીમે ક્ષિતિજોને શ્વેત રંગતી
સાન ગિઓવાનિની રોમન મીણબત્તીઓ,
શપથો, આ પ્રતિજ્ઞાઓ જેવા પ્રબળ
દીર્ઘ વિદાયવચનો…’
</poem>
{{Poem2Open}}
આ અસદ્‌ની પછવાડે કોઈ હેતુ છે, એ અહેતુક નથી, અકારણ નથી.
આ અસદ્‌ની પછવાડે કોઈ હેતુ છે, એ અહેતુક નથી, અકારણ નથી.
‘આ આપણા મૃત્યુને જો મૃત્યુમાં થિજાવી શકે 
તો આ ભગ્ન વસંત હજુ પણ રસભર ઋતુ બની શકે. 
કદાચને મધુરકંઠી માયાવિનીઓનો, 
કાળરાત્રિમાં પાશવીઓને અભિવંદતી 
એમની પિશાચી વિધિઓનો ઊઠતો ધ્વનિ 
સ્વર્ગમાંથી વહી આવતા સ્વરોની સાથે 
દક્ષિણના ખડકોમાં પ્રજ્વલિત જલમાર્ગોની ઉપર 
આવતી કાલે જે મનુષ્ય માત્રને માટે કદાચને ફરીથી 
ઊગવાની છે તે શ્વેત પણ 
ભીષણતાની પાંખો વિનાની 
ઉષાના શ્વાસોચ્છ્વાસ સાથે જે ભળી રહ્યો છે; 
તે ઊતરે છે, વિજયી થાય છે.’
{{Poem2Close}}
<poem>
‘આ આપણા મૃત્યુને જો મૃત્યુમાં થિજાવી શકે
તો આ ભગ્ન વસંત હજુ પણ રસભર ઋતુ બની શકે.
કદાચને મધુરકંઠી માયાવિનીઓનો,
કાળરાત્રિમાં પાશવીઓને અભિવંદતી
એમની પિશાચી વિધિઓનો ઊઠતો ધ્વનિ
સ્વર્ગમાંથી વહી આવતા સ્વરોની સાથે
દક્ષિણના ખડકોમાં પ્રજ્વલિત જલમાર્ગોની ઉપર
આવતી કાલે જે મનુષ્ય માત્રને માટે કદાચને ફરીથી
ઊગવાની છે તે શ્વેત પણ
ભીષણતાની પાંખો વિનાની
ઉષાના શ્વાસોચ્છ્વાસ સાથે જે ભળી રહ્યો છે;
તે ઊતરે છે, વિજયી થાય છે.’
{{Poem2Open}}
</poem>
આમ, મનુષ્ય માત્રને માટે નવી ઉષાની શુભેચ્છા કરે છે. પણ આ પૃથ્વી પર સ્વર્ગ ઊતરી આવે તે પૂર્વે મૃત્યુ અને નરક નિશ્ચિત સરજાશે, અસદ્‌નો વિજય થશે એવું મોન્તાલેનું કાવ્યને અંતે સ્પષ્ટ દર્શન છે.
આમ, મનુષ્ય માત્રને માટે નવી ઉષાની શુભેચ્છા કરે છે. પણ આ પૃથ્વી પર સ્વર્ગ ઊતરી આવે તે પૂર્વે મૃત્યુ અને નરક નિશ્ચિત સરજાશે, અસદ્‌નો વિજય થશે એવું મોન્તાલેનું કાવ્યને અંતે સ્પષ્ટ દર્શન છે.
‘હિટલર વસંત’માં અસદ્‌ને કારણે મનુષ્યની વેદનાનું સંવેદનભર્યું, મનુષ્યની કરુણતાનું કરુણાભર્યું મોન્તાલેનું જે દર્શન અભિધા રૂપે પ્રગટ થાય છે તે એમનાં અન્ય સૌ કાવ્યોમાં વ્યંજના રૂપે પ્રગટ થાય છે. મોન્તાલેની કવિતામાં બુદ્ધના નિર્વાણ પ્રતિ ગતિ છે. આ દર્શન અને આ ગતિ મોન્તાલેને એમની અલગતામાંથી, એમના અળગાપણામાંથી પ્રાપ્ત થયાં છે.
‘હિટલર વસંત’માં અસદ્‌ને કારણે મનુષ્યની વેદનાનું સંવેદનભર્યું, મનુષ્યની કરુણતાનું કરુણાભર્યું મોન્તાલેનું જે દર્શન અભિધા રૂપે પ્રગટ થાય છે તે એમનાં અન્ય સૌ કાવ્યોમાં વ્યંજના રૂપે પ્રગટ થાય છે. મોન્તાલેની કવિતામાં બુદ્ધના નિર્વાણ પ્રતિ ગતિ છે. આ દર્શન અને આ ગતિ મોન્તાલેને એમની અલગતામાંથી, એમના અળગાપણામાંથી પ્રાપ્ત થયાં છે.
‘ઝંઝા’માં જ નહિ, મોન્તાલેની સમગ્ર કવિતામાં સર્વશ્રેષ્ઠ કાવ્ય છે ‘ઈલ’. ‘અસ્થિ’માં જેમ ‘મોસંબીનાં વૃક્ષ’ એક વિરલ કાવ્ય છે તેમ ‘ઝંઝા’માં અને મોન્તાલેની સમગ્ર કવિતામાં ‘ઈલ’ એક વિરલ કાવ્ય છે. જીવનની કોઈ ધન્ય ક્ષણે મોન્તાલેએ ‘ઈલ’ રચ્યું છે. ‘ઈલ’ એ અસ્તિત્વની આરતી છે, જીવનનું જયગાન છે, પુરુષાર્થની પ્રશસ્તિ છે, આત્મશ્રદ્ધા અને આનંદની સ્તુતિ છે. કાવ્યના પૂર્વાર્ધમાં ઇલની અર્જુનયાત્રા છે, વિદ્યુત જેવા વેગથી અને બળથી સ્થળમાં અને કાળમાં યાત્રા છે; બાલ્ટિક સમુદ્રમાં ઇટલીની નદીઓમાં, નદીઓમાંથી ખડકોમાં, ખડકોમાંથી કાદવમાં, જલમાં અને પૃથ્વીમાં સામે પૂર ઉપરવાસ સાહસયાત્રા છે. આરોહણયાત્રા છે. કાવ્યના ઉત્તરાર્ધમાં ઈલનાં રૂપાંતરો છે; જ્યોત, ચાબૂક, શર, આત્મા, સ્ફુલિંગ, યષ્ટિ, ઇન્દ્રધનુ અને અંતે સ્ત્રીમાં. ઈલ મૃત્યુ દ્વારા પુનર્જન્મની પ્રક્રિયાનું પ્રતીક છે, મૃત્યુ પર જીવનના વિજયનું પ્રતીક છે. ઈલ પૃથ્વી પર સ્વર્ગીય પ્રેમનું પ્રતીક છે, માનવતામાં દિવ્યતાનું પ્રતીક છે. કાવ્યમાં ત્રીસ પંક્તિનું એક જ વાક્ય છે. એમાં ઈલના જેવો જ નિશ્ચયાત્મક વેગ છે, ઈલના જેવી જ સોંસરી ગતિ છે. કાવ્યને અંતે જે સ્ત્રીપાત્ર છે એનું કવિના ચિત્તમાં પ્રારંભથી જ પ્રથમ પંક્તિથી જ અસ્તિત્વ હતું. ઈલમાંથી સાયરન — અર્ધ માછલી, અર્ધ સ્ત્રી અને સાયરનમાંથી સ્ત્રી એવું રૂપાંતર છે. ઈલ અને આ સ્ત્રીપાત્ર દ્વિદલ છે. પરસ્પરની સ્વસા છે. કાવ્યને અંતે જે પ્રશ્ન છે એના ઉત્તરરૂપ સમગ્ર કાવ્ય છે. કાવ્યના પ્રથમ શબ્દ ‘ઇલ’ની કાવ્યના અંતિમ શબ્દ ‘સ્વસા’ પ્રતિ કાવ્યની ઇલના જેવી જ વેગીલી અને સોંસરી ગતિ છે. આ ઈલ એ પૃથ્વી પર પ્રેમનું શર છે. મોન્તાલેએ એનું અર્થઘટન કર્યું છે કે ઈલ એ પૃથ્વી પર ધર્મનું અવતરણ છે. મોન્તાલેએ સ્ત્રીનું અર્થઘટન કર્યું નથી પણ ડેન્ટિએ એને વિશે ગાયું છે
‘ઝંઝા’માં જ નહિ, મોન્તાલેની સમગ્ર કવિતામાં સર્વશ્રેષ્ઠ કાવ્ય છે ‘ઈલ’. ‘અસ્થિ’માં જેમ ‘મોસંબીનાં વૃક્ષ’ એક વિરલ કાવ્ય છે તેમ ‘ઝંઝા’માં અને મોન્તાલેની સમગ્ર કવિતામાં ‘ઈલ’ એક વિરલ કાવ્ય છે. જીવનની કોઈ ધન્ય ક્ષણે મોન્તાલેએ ‘ઈલ’ રચ્યું છે. ‘ઈલ’ એ અસ્તિત્વની આરતી છે, જીવનનું જયગાન છે, પુરુષાર્થની પ્રશસ્તિ છે, આત્મશ્રદ્ધા અને આનંદની સ્તુતિ છે. કાવ્યના પૂર્વાર્ધમાં ઇલની અર્જુનયાત્રા છે, વિદ્યુત જેવા વેગથી અને બળથી સ્થળમાં અને કાળમાં યાત્રા છે; બાલ્ટિક સમુદ્રમાં ઇટલીની નદીઓમાં, નદીઓમાંથી ખડકોમાં, ખડકોમાંથી કાદવમાં, જલમાં અને પૃથ્વીમાં સામે પૂર ઉપરવાસ સાહસયાત્રા છે. આરોહણયાત્રા છે. કાવ્યના ઉત્તરાર્ધમાં ઈલનાં રૂપાંતરો છે; જ્યોત, ચાબૂક, શર, આત્મા, સ્ફુલિંગ, યષ્ટિ, ઇન્દ્રધનુ અને અંતે સ્ત્રીમાં. ઈલ મૃત્યુ દ્વારા પુનર્જન્મની પ્રક્રિયાનું પ્રતીક છે, મૃત્યુ પર જીવનના વિજયનું પ્રતીક છે. ઈલ પૃથ્વી પર સ્વર્ગીય પ્રેમનું પ્રતીક છે, માનવતામાં દિવ્યતાનું પ્રતીક છે. કાવ્યમાં ત્રીસ પંક્તિનું એક જ વાક્ય છે. એમાં ઈલના જેવો જ નિશ્ચયાત્મક વેગ છે, ઈલના જેવી જ સોંસરી ગતિ છે. કાવ્યને અંતે જે સ્ત્રીપાત્ર છે એનું કવિના ચિત્તમાં પ્રારંભથી જ પ્રથમ પંક્તિથી જ અસ્તિત્વ હતું. ઈલમાંથી સાયરન — અર્ધ માછલી, અર્ધ સ્ત્રી અને સાયરનમાંથી સ્ત્રી એવું રૂપાંતર છે. ઈલ અને આ સ્ત્રીપાત્ર દ્વિદલ છે. પરસ્પરની સ્વસા છે. કાવ્યને અંતે જે પ્રશ્ન છે એના ઉત્તરરૂપ સમગ્ર કાવ્ય છે. કાવ્યના પ્રથમ શબ્દ ‘ઇલ’ની કાવ્યના અંતિમ શબ્દ ‘સ્વસા’ પ્રતિ કાવ્યની ઇલના જેવી જ વેગીલી અને સોંસરી ગતિ છે. આ ઈલ એ પૃથ્વી પર પ્રેમનું શર છે. મોન્તાલેએ એનું અર્થઘટન કર્યું છે કે ઈલ એ પૃથ્વી પર ધર્મનું અવતરણ છે. મોન્તાલેએ સ્ત્રીનું અર્થઘટન કર્યું નથી પણ ડેન્ટિએ એને વિશે ગાયું છે:
“મારી પ્રિયા નયનમાં નિજ પ્રેમ ધારે, 
જે જે પરે ઢળત દૃષ્ટિ બધું જ તારે.”
{{Poem2Close}}
<poem>
“મારી પ્રિયા નયનમાં નિજ પ્રેમ ધારે,
જે જે પરે ઢળત દૃષ્ટિ બધું જ તારે.”
</poem>
{{Poem2Open}}
‘ઈલ’એ માત્ર ઇલ વિશેનું જ કાવ્ય નથી, પ્રેમ વિશેનું કાવ્ય પણ છે. મોન્તાલેએ આ યુગનાં કેટલાંક મહાન અને ઉત્તમ પ્રેમકાવ્યો રચ્યાં છે. ‘ઈલ’ એ જીવ માત્રની જિજીવિષાને અંજલિ છે. જીવનના સાતત્યનું સ્તોત્ર છે.
‘ઈલ’એ માત્ર ઇલ વિશેનું જ કાવ્ય નથી, પ્રેમ વિશેનું કાવ્ય પણ છે. મોન્તાલેએ આ યુગનાં કેટલાંક મહાન અને ઉત્તમ પ્રેમકાવ્યો રચ્યાં છે. ‘ઈલ’ એ જીવ માત્રની જિજીવિષાને અંજલિ છે. જીવનના સાતત્યનું સ્તોત્ર છે.
‘ઝંઝા’માં અંતિમ વિભાગ છે કામચલાઉ તારણો અથવા તાત્કાલિક નિર્ણયો. એમાં બે કાવ્યો છે ‘નાનકડું વસિયતનામું’ — પિકોલ્લો તેસ્તામેન્તો અને ‘કેદીનું સ્વપ્ન’ — ઈલ સોન્યો દેલ પ્રિગિઓનિએરો. મોન્તાલે ભલે આ તારણોને કામચલાઉ કહે, ભલે આ નિર્ણયોને તાત્કાલિક કહે પણ એ કાયમી છે, સર્વકાલીન છે. એમાં એમણે કવિ એટલે શું ? કવિનું મહત્ત્વ શું ? કવિનું સ્થાન શું ? જગતને કવિનો ખપ છે ? જગતને કવિતાનો ખપ છે ? વગેરે પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે, પ્રતિબદ્ધતાના યુગમાં આ અપ્રતિબદ્ધ કવિ આ કાવ્યોમાં પોતાનું પ્રમાણપત્ર રજૂ કરે છે. કવિ અસદ્‌નો સાગરીત કદી ન હોય. કવિ અસદ્‌નો, અસદ્‌ અંગેના સત્યનો માત્ર સાક્ષી જ હોય. ‘નાનકડું વસિયતનામું’માં એમણે મનુષ્યજાતિને આ વારસો–વ્હાલાસોયો વારસો ભેટ ધર્યો છે
‘ઝંઝા’માં અંતિમ વિભાગ છે: કામચલાઉ તારણો અથવા તાત્કાલિક નિર્ણયો. એમાં બે કાવ્યો છે: ‘નાનકડું વસિયતનામું’ — પિકોલ્લો તેસ્તામેન્તો અને ‘કેદીનું સ્વપ્ન’ — ઈલ સોન્યો દેલ પ્રિગિઓનિએરો. મોન્તાલે ભલે આ તારણોને કામચલાઉ કહે, ભલે આ નિર્ણયોને તાત્કાલિક કહે પણ એ કાયમી છે, સર્વકાલીન છે. એમાં એમણે કવિ એટલે શું ? કવિનું મહત્ત્વ શું ? કવિનું સ્થાન શું ? જગતને કવિનો ખપ છે ? જગતને કવિતાનો ખપ છે ? વગેરે પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે, પ્રતિબદ્ધતાના યુગમાં આ અપ્રતિબદ્ધ કવિ આ કાવ્યોમાં પોતાનું પ્રમાણપત્ર રજૂ કરે છે. કવિ અસદ્‌નો સાગરીત કદી ન હોય. કવિ અસદ્‌નો, અસદ્‌ અંગેના સત્યનો માત્ર સાક્ષી જ હોય. ‘નાનકડું વસિયતનામું’માં એમણે મનુષ્યજાતિને આ વારસો–વ્હાલાસોયો વારસો ભેટ ધર્યો છે:
‘આ વસ્તુ જે રાત્રિમાં ઝબકે છે 
મારા મસ્તકની છાલમાં – 
છીપલામાં ગોકળગાય – 
ચૂરાયેલો ખડબચડો કાચ –
{{Poem2Close}}
<poem>
‘આ વસ્તુ જે રાત્રિમાં ઝબકે છે
મારા મસ્તકની છાલમાં –
છીપલામાં ગોકળગાય – 
ચૂરાયેલો ખડબચડો કાચ –
એ કદી કોઈ દેવળને, ઑફિસના મેજને 
અજવાળી નહિ શકે, 
એ કદી દીવાની જેમ પેટાવી નહિ શકે 
કોઈ પણ લાલ કે કાળો પાદરી.
એ કદી કોઈ દેવળને, ઑફિસના મેજને 
અજવાળી નહિ શકે, 
એ કદી દીવાની જેમ પેટાવી નહિ શકે 
કોઈ પણ લાલ કે કાળો પાદરી.
માત્ર આ ઇન્દ્રધનુ 
હું આપતો જાઉં છું મારા પ્રમાણપત્ર તરીકે 
મારી પડકારાયેલી શ્રદ્ધાના 
ધીમે બહુ ધીમે બળતા કઠણ કાષ્ઠ જેવી 
મારી આશાના, 
સાચવજો એની રાખને તમારી મંજૂષામાં ! 
જ્યારે બધા જ દીવા બુઝાઈ જશે 
અને નૃત્યમાં નરકનો તાલ હશે
માત્ર આ ઇન્દ્રધનુ 
હું આપતો જાઉં છું મારા પ્રમાણપત્ર તરીકે 
મારી પડકારાયેલી શ્રદ્ધાના 
ધીમે બહુ ધીમે બળતા કઠણ કાષ્ઠ જેવી 
મારી આશાના, 
સાચવજો એની રાખને તમારી મંજૂષામાં ! 
જ્યારે બધા જ દીવા બુઝાઈ જશે 
અને નૃત્યમાં નરકનો તાલ હશે
Line 168: Line 264:
એ મંત્ર નથી, જે સ્મૃતિના ભાગ ઉપર 
લટકતી ઝંઝાને જાકારો આપી શકે. 
ઇતિહાસ ઊગે છે આથમે છે ભસ્મમાં, 
અને માત્ર નિર્વાણ જ શક્ય છે. 
સંકેત સદ્ભાગી હતો, જેણે પણ જોયો છે 
એ તમને ફરીથી શોધી કાઢવામાં નિષ્ફળ નહિ જાય,
એ મંત્ર નથી, જે સ્મૃતિના ભાગ ઉપર 
લટકતી ઝંઝાને જાકારો આપી શકે. 
ઇતિહાસ ઊગે છે આથમે છે ભસ્મમાં, 
અને માત્ર નિર્વાણ જ શક્ય છે. 
સંકેત સદ્ભાગી હતો, જેણે પણ જોયો છે 
એ તમને ફરીથી શોધી કાઢવામાં નિષ્ફળ નહિ જાય,
સૌ પોતાના જાતભાઈને જાણે છે, અમારો ગર્વ 
એ અમારું પલાયન ન હતું, તો અમારી નમ્રતા 
એ અમારી નામર્દાઈ ન હતી અને ઝીણી જ્યોત 
જલે છે તે અમે કોઈ દીવાસળીથી સળગાવી ન હતી.’
સૌ પોતાના જાતભાઈને જાણે છે, અમારો ગર્વ 
એ અમારું પલાયન ન હતું, તો અમારી નમ્રતા 
એ અમારી નામર્દાઈ ન હતી અને ઝીણી જ્યોત 
જલે છે તે અમે કોઈ દીવાસળીથી સળગાવી ન હતી.’
</poem>
{{Poem2Open}}
આમ, મોન્તાલે પાસે વિચારધારાના કે ઉપદેશધારાના કવિની જેમ કોઈ ઉકેલ કે ઉપાય નથી, કોઈ ઉત્તર નથી. એમની કવિતા માત્ર અસદ્‌ની — અસદ્‌ના અસ્તિત્વની સાખ પૂરે છે. ‘કેદીનું સ્વપ્ન’માં અંતે એ આત્મપરિચય આપે છે ઃ
આમ, મોન્તાલે પાસે વિચારધારાના કે ઉપદેશધારાના કવિની જેમ કોઈ ઉકેલ કે ઉપાય નથી, કોઈ ઉત્તર નથી. એમની કવિતા માત્ર અસદ્‌ની — અસદ્‌ના અસ્તિત્વની સાખ પૂરે છે. ‘કેદીનું સ્વપ્ન’માં અંતે એ આત્મપરિચય આપે છે ઃ
‘આદિકાળથી અર્થહીનપણે શોધન ચાલી રહ્યું છે. 
… … 
મેં આજુબાજુ જોયું છે, મેં સર્જ્યાં છે 
કરોળિયાના જાળાની ક્ષિતિજો પર મેઘધનુષ્યો, 
અગ્નિના સળિયા પર પુષ્પો, 
હું ઊઠ્યો છું, પાછો પડ્યો છું 
ગર્તામાં, જયાં સૈકો ક્ષણ જેવો હોય છે.
‘આદિકાળથી અર્થહીનપણે શોધન ચાલી રહ્યું છે. 
… … 
મેં આજુબાજુ જોયું છે, મેં સર્જ્યાં છે 
કરોળિયાના જાળાની ક્ષિતિજો પર મેઘધનુષ્યો, 
અગ્નિના સળિયા પર પુષ્પો, 
હું ઊઠ્યો છું, પાછો પડ્યો છું 
ગર્તામાં, જયાં સૈકો ક્ષણ જેવો હોય છે.

Navigation menu