સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 614: Line 614:
::દેવે જંજાળ્યું છોડિયું, ગો ઊડે એંધાણ.
::દેવે જંજાળ્યું છોડિયું, ગો ઊડે એંધાણ.
</poem>
</poem>
{{Poem2Open}}
એમાં રાજાબહાદુર જાલમસંગની કમરનો જમૈયો કેવા સંજોગોમાં વાઘેરોએ ઉડાવી મૂક્યો, તેનું બયાન નથી. એટલે આ દુહાઓ યુરોપી ‘બૅલડ’ને પદે બેસી શકે, છતાં એમાં રણગીતની નાદપ્રતિભા જામેલ છે. હવે બહારવટિયાનાં વિશિષ્ટ લક્ષણો દાખવતા દુહા વધુ બલવંત છે. જુઓ જોગીદાસના દુહા :
{{Poem2Close}}
<poem>
::પરનારી પેખી નહિ મીટે માણારા!
::શૃંગી રખ્ય ચળિયા, જુવણ જોગીદાસિયો!
</poem>
{{Poem2Open}}
એ બહારવટિયાનું ઉગ્ર શિયળવ્રત સચોટ શૈલીએ દાખવે છે. પછી
{{Poem2Close}}
<poem>
::ફૂંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ!
::ના’વે કંડિયે નાગ, ઝાંઝડ જોગીદાસિયો!
</poem>
{{Poem2Open}}
એ એનું ટેકીલાપણું બતાવે છે. એ વાઘેરોના બહારવટાનો મુખ્ય સૂર અંગ્રેજો સામે અણનમ મસ્તકનો હોવાથી કવિઓએ એ ભાવ વધુ જોરથી પકડ્યો :
{{Poem2Close}}
<poem>
::મૂળુ મૂછે હાથ, બીજે તરવારે તવાં,
::હત જો ત્રીજો હાથ, (તો) નર અંગ્રેજ આગળ નમત.
</poem>
{{Poem2Open}}
કોઈ કોઈ વાર કવિએ કાવ્યની વિલક્ષણ ચમત્કૃતિ પણ મૂકી દીધી :
{{Poem2Close}}
<poem>
::ચાવ્યો ચવાય નહિ, રાંધયો નો રંધાય,
::મામદના મુખમાંય થિયો કાંકરો કવટાઉત.
</poem>
{{Poem2Open}}
'''[કવાટજીનો પુત્ર જેસોજી બહારવટિયો તો મામદશાહ સૂબાના મોંમાં જમતાં જમતાં કાંકરો આવી ગયો હોય તેવો જાગ્યો : મુખમાંનો કોળિયોયે બહાર કઢાવ્યા વિના રહે જ નહિ.]'''
{{Poem2Close}}
26,604

edits

Navigation menu