સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 701: Line 701:
એ ઢબે રણગીત લંબાયું. પરંતુ વિષય રહ્યો કેવળ વિષ્ટિ અને યુદ્ધનો જ. અન્ય પ્રસંગો ન આવ્યા, લોકગીતોમાં રહેલા વિગતોના તત્ત્વને ચારણી ગીતોમાં અવકાશ ન મળ્યો. રચનારની દૃષ્ટિમાં ઝીણવટથી આખો ઇતિહાસ આલેખવાનું નિશાન નહોતું, કેવળ નાદની ને અમુક પ્રસંગની જમાવટ કરી શૂરાતન ચડાવવાનું હતું.
એ ઢબે રણગીત લંબાયું. પરંતુ વિષય રહ્યો કેવળ વિષ્ટિ અને યુદ્ધનો જ. અન્ય પ્રસંગો ન આવ્યા, લોકગીતોમાં રહેલા વિગતોના તત્ત્વને ચારણી ગીતોમાં અવકાશ ન મળ્યો. રચનારની દૃષ્ટિમાં ઝીણવટથી આખો ઇતિહાસ આલેખવાનું નિશાન નહોતું, કેવળ નાદની ને અમુક પ્રસંગની જમાવટ કરી શૂરાતન ચડાવવાનું હતું.
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>'''બહારવટિયા-કાવ્યનું પ્રેરક તત્ત્વ'''</center>
{{Poem2Open}}
પ્રશ્ન ઊઠે છે : શું કવિતા અંત:કરણની પ્રેરણામાંથી ઊઠેલી કે ફક્ત દ્રવ્યલાલસામાંથી? બહારવટિયાંનાં નિર્બલ તત્ત્વોને ન સ્પર્શતાં માત્ર શૂરાતન ને <ref>Treachery, then, the ballad-makers hated; cruelty they regretted; and to hurt a woman, to turn away from a fight, or to give in before the blood gave out, was to them dishonour. They did not think it necessary to keep the law, but then the law was not of their own making; it was either the bondage of convention or the rule of the rich. They cared little for comfort. Love and wine and gold they loved, but these are not comforts. The sleek sensual abbot with his ambling pad, his fat money-bags, was their abhorrence. The social order which the ballad-makers imagined for themselves, was a chaotic order, wild and blood-stained life, but as they saw it and sang of it, was a noble choice between two sets of evils. There are grave possibilities, no doubt, in the life of peace and comfort, and we must hope they may some day be realised, but perhaps there is something to be said yet for the ballad-life as an ideal. With all its crimes and sorrows, it was a life of the spirit. It was full of generosity, and sincerity and courage, and above all it set Death in his right place:</ref>  ટેક પર શબ્દોના વારિધિ ઢોળનારા ચારણો, રાવળો, નાથબાવાઓ કે કાફીગીરો — એ સર્વની વાસના ક્ષુદ્ર ને એની કવિતા હીન જ હોવી જોઈએ એવો મત ઘણાનો છે. ઘણી વાર અત્યુક્તિઓના ઓઘ ઠાલવીને અનેકે કવિતાઓ વેચી છે, ને આજે એ વેચાણ ચાલુ છે તે વાત સાચી. ભોજને દરબારે સંસ્કૃત કવિઓની પણ એ જ વલે થયેલી; અકબર ને શિવાજીની રાજસભા પણ એ કવિતાના વિક્રયથી મુક્ત નહોતી. છેલ્લાં સાતસો વર્ષથી મનુષ્યના ગુણગાન કરતી કવિતાએ એક જ પથ પર પગલાં દીધાં છે. એમાંથી ચારણો મુક્ત હોઈ શકે નહિ. છતાં એ મનોદશાને બીજી બાજુ છે. સર્વ ગ્રામ્ય કવિઓને એવી વૃત્તિ નહોતી. અનેક હૈયાંમાં લોકોની મરદાનગી, ટેક અને મૃત્યુંજય જિંદગી નિહાળી ઉછાળા દેતાં. એ ઉછાળનું ઝીણું પૃથક્કરણ એક અંગ્રેજ વિદ્વાન આ રીતે કરી ગયો છે :
{{Poem2Close}}
<center>'''પ્રશસ્તિકારની ભાવના'''</center>
{{Poem2Open}}
1વીરનરની મોજ મેળવવા માટે અથવા એ કશી વાંછના વિના, ગમે તે રીતે રચાયેલાં આ ગીતોના કર્તાઓએ દગલબાજીને ધિક્કાર દીધો છે; ક્રૂરતા પ્રતિ શોચ દાખવ્યો છે; સ્ત્રીને સંતાપવી, ધીંગાણેથી ભાગવું, માથું પડે તે પહેલાં માથું નમાવવું, એ તો ગીતકર્તાઓને મન બદનામી સમાન હતું. ભલે તેઓએ કાયદાનું પાલન જરૂરી ન ગણ્યું, પણ કાયદા ક્યાં તેઓના પોતાના કરેલા હતા? જે કાયદાનો ભંગ તેઓએ વખાણ્યો તે કાયદા તો શ્રીમંતોએ ને સત્તાધારીઓએ કરલા ને કાં પરાપૂર્વથી ચાલ્યા આવતા એ રૂઢિબંધો હતા. ઉપરાંત, મોજમજાને તેઓએ નથી ઉપાસી. બેશક બહારવટિયાનાં પ્રણયભુવન, સુરાપાન કે સોનાની પ્રાપ્તિ તેઓને ગમતી. પણ એ કાંઈ મોજમજા નહોતાં. કવિઓએ તો ચરબીભર્યાં શરીરવાળા મહંતોની ફાંદો તરફ અને રૂપિયાની થેલીઓ તરફ તિરસ્કાર દાખવ્યો છે, ત્યારે આ સંહારકોની સ્તુતિ કરનારા કવિઓને કેવી તરેહની સમાજવ્યવસ્થાની કલ્પનાઓ હતી? બેશક, અંધાધૂંધી અને મસ્તીખોર, લોહીથી ખરડાયેલી જીવનપ્રણાલી જ તેઓને પસંદ હતી. અને એ જીવનક્રમને જોઈ જોઈ એનાં ગાન ગાનારાઓએ એ રીતે બેમાંથી ઓછા અનિષ્ટવાળી સ્થિતિ જ પસંદ કરી લીધી હતી. શાંતિ અને આરામવાળી જીવનદશામાં અનેક ઇષ્ટ ફલો શક્ય છે, જગતના કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ તેમાં ખીલી શકે તેવું છે, અને કોઈક દિવસ એ ખીલે તેવી આપણે આશા રાખીએ. પરંતુ આ યુદ્ધલીલાની જીવનદશાને પણ આદર્શ હતો એવું થોડુંક બોલી શકાય તેમ છે. એની ચાહે તેટલી ક્રૂરતા અને શોક-વેદના વચ્ચે પણ એ જીવનદશા તે આત્મા (‘સ્પિરિટ’)ની જીવનદશા હતી. એ દિલાવરી સચ્ચાઈ અને હિંમતથી ભરપૂર હતી. એથીયે વધુ આકર્ષક તો તેમાં મૃત્યુનું ઉચિત સ્થાન હતું. તેઓ માનતા કે મૃત્યુ તો એક બાજી છે. એ બાજીમાં આખરે તો સહુએ હારવું જ સરજાયું છે. રમી રમીને ભલે છેવટે હારીએ પણ પાસા તો ફેંકી લઈએ. એ હારમાં પણ મસ્તી જ છે.” (સર હેન્રી ન્યુબોલ્ટ.)
{{Poem2Close}}
<center>'''સૌથી મીઠાં મરસિયા-ગીતો'''</center>
{{Poem2Open}}
માટે જ બહારવટિયાનાં કાવ્યોની મીઠામાં મીઠી પંક્તિઓ તેઓનાં મૃત્યુ વિશેની છે. મૃત્યુ પર એ કવિતાએ સુંદર અશ્રુ સાર્યાં છે. એ રુદન-સ્વરો પશ્ચાત્તાપના નથી, નિરાશાના કે સંતાપના નથી, એમાંથી તો ગુંજે છે કોઈ અગાધ મમતાના સ્વરો. એમાંથી તો વીરતાના ઘોષ ગાજે છે :
{{Poem2Close}}
<poem>
::નારિયું નત્ય રંડાય, નર કે દી રંડાય નહિ;
::ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો!
::ગોમતીએ ઘૂંઘટ તાણિયા, રોયા રણછોડરાય,
::મોતી હુતું તે રોળાઈ ગિયું, માણેક ડુંગરમાંય.
::ઇંદ્રલોકથી ઊતરિયું, રંભાઉં બોળે રૂપ;
::માણેક પરણે મૂળવો, જ્યાં ભેળા થિયા ભૂપ.
</poem>
26,604

edits

Navigation menu