સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 721: Line 721:
::માણેક પરણે મૂળવો, જ્યાં ભેળા થિયા ભૂપ.
::માણેક પરણે મૂળવો, જ્યાં ભેળા થિયા ભૂપ.
</poem>
</poem>
{{Poem2Open}}
એ શબ્દોમાં નુકસાનીના વિલાપ નથી, મૂળુ માણેક પાયમાલ થઈને ભૂંડે હાલે તેઓ મૂઓ તેનો કટાક્ષ નથી, એણે આમ કર્યું માટે એની આ વલે થઈ તે જાતનો ફેંસલો નથી. મૃત્યુમાં પણ મૂળુ તો ‘મોતી’ જ રહે છે. ઓખાભૂમિનો ભરથાર જ રહે છે. ગોમતીજીનો પણ પુત્ર જ રહે છે. રણછોડરાયને પણ રોવરાવે છે. એ જ ધ્વનિ આ રહ્યો :
{{Poem2Close}}
<poem>
::રામ વાળાનાં લગન આવ્યાં,
::લગનિયાંનો ઠાઠ ગોઝારો, બોરિયો ગાળો, ક્યાં રોકાણો
{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} રામ વાળો!
::અથવા તો
::ફાંસીએ ચડતાં કંથડજી બોલિયા,
::આમાંથી મુને એક વાર છૂટો મેલ્ય, બાલુભા ભુજના રાજા!
::છેતરીને છેલને નો’તો મારવો!
::ભોળવીને એનાં માથડાં નો’તાં વાઢવાં!
</poem>
<center>'''પ્રધાન સૂર'''</center>
{{Poem2Open}}
એ તમામ મૃત્યુ-ગીતોમાંથી એના એ જ સ્વરો ઊઠે છે :
1. They hated treachery. 2. It (Death) is but giving over of a game that all must lose. ફરી ફરીને એના એ સૂરો ગૂંજે છે : ફરી ફરી એનું એ ચિત્ર ઊઠે છે : મરસિયાના એ સ્વરોની અંદરથી મૃત્યુની બાજીમાં માનવજીવનની અનિવાર્ય હારના પાસા ખખડતા સંભળાય છે. સાંભળો :
{{Poem2Close}}
<poem>
::સંધાં શેત્રુંજા તણાં, ગાં’ ગરવે ગ્રીંધાણ,
::માંસનો ધ્રિવતલ મેરાણ, ગઢવી નાગ્રવડો ગિયો.
</poem>
{{Poem2Open}}
[શેત્રુંજા ડુંગર ઉપરથી ઊઠીને બધાં ગીધડાં ગિરનાર ચાલ્યાં ગયાં, કેમ કે આંહીં ગોહિલવાડમાં તો શત્રુઓનું માંસ ખવરાવી ધરવ કરાવનાર વીર નાગરવ મરી ગયો.]
{{Poem2Close}}
26,604

edits

Navigation menu