બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,136: Line 1,136:




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૦.<br>સામયિકોનું ભવિષ્ય?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૦.
સામયિકોનું ભવિષ્ય?
ઉપભોક્તાવાદના પ્રચંડ મોજાને કારણે આજે હિન્દી સામયિકો બંધ થઈ રહ્યાં છે. ‘કલ્પના’ અને ‘આલોચના’ જેવી સાહિત્યિક પત્રિકાઓ જ નથી. ‘દિનમાન’ અને ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’ જેવી મોટી પત્રિકાઓ પણ બંધ થઈ ગઇ. એમનું બંધ પડવાનું કારણ શું છે? શું હિન્દી લેખકો કહે છે તેમ ટેલિવિઝનના પ્રચાર-પ્રસારમાં હિન્દીના વાચકો ઘટી ગયા છે? પણ, આંકડાઓ એ તો નથી બતાવતા કે સંખ્યા ઘટી ગઈ છે કે ઘટી રહી છે. ઉલટું અંગ્રેજીમાંથી અનૂદિત થતી હિન્દી સમાચાર પત્રિકા તો પોતાનું વેચાણ ત્રણથી ચાર લાખની વચ્ચે દર્શાવે છે. ઉપભોક્તાવાદને કારણે મોટી કંપનીઓનું જાહેરાતનું વલણ બદલાયું છે જેની અસર સામયિકો પર પડી છે.
ઉપભોક્તાવાદના પ્રચંડ મોજાને કારણે આજે હિન્દી સામયિકો બંધ થઈ રહ્યાં છે. ‘કલ્પના’ અને ‘આલોચના’ જેવી સાહિત્યિક પત્રિકાઓ જ નથી. ‘દિનમાન’ અને ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’ જેવી મોટી પત્રિકાઓ પણ બંધ થઈ ગઇ. એમનું બંધ પડવાનું કારણ શું છે? શું હિન્દી લેખકો કહે છે તેમ ટેલિવિઝનના પ્રચાર-પ્રસારમાં હિન્દીના વાચકો ઘટી ગયા છે? પણ, આંકડાઓ એ તો નથી બતાવતા કે સંખ્યા ઘટી ગઈ છે કે ઘટી રહી છે. ઉલટું અંગ્રેજીમાંથી અનૂદિત થતી હિન્દી સમાચાર પત્રિકા તો પોતાનું વેચાણ ત્રણથી ચાર લાખની વચ્ચે દર્શાવે છે. ઉપભોક્તાવાદને કારણે મોટી કંપનીઓનું જાહેરાતનું વલણ બદલાયું છે જેની અસર સામયિકો પર પડી છે.
[સમકાલીન ભારતીય સાહિત્ય, અંક : ૪, ૧૯૯૩ ‘ઉપભોક્તાવાદ ઔર ઇલેકટ્રોનિક માધ્યમો કે યુગમેં લેખન કર્મ’ નો મુક્ત અનુવાદ] રવીન્દ્ર ત્રિપાઠી
{{સ-મ|[સમકાલીન ભારતીય સાહિત્ય, અંક : ૪, ૧૯૯૩ ‘ઉપભોક્તાવાદ ઔર ઇલેકટ્રોનિક માધ્યમો કે યુગમેં લેખન કર્મ’ નો મુક્ત અનુવાદ]||'''રવીન્દ્ર ત્રિપાઠી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૧.<br>સાહિત્યરંગી પત્રકારત્વ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૧.
સાહિત્યરંગી પત્રકારત્વ
સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ છાપાનું કે ચોપડીનું સાહિત્યરંગી બનશે તેટલી એની ચોટ વધશે. એની માર્મિકતાને નવી ધાર ચઢશે.
સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ છાપાનું કે ચોપડીનું સાહિત્યરંગી બનશે તેટલી એની ચોટ વધશે. એની માર્મિકતાને નવી ધાર ચઢશે.
મારી ઈચ્છા તો રાણપુરામાં પત્રકારત્વની શાળા ખોલવાની છે પણ નાણાં નથી, સાધન નથી.
મારી ઈચ્છા તો રાણપુરામાં પત્રકારત્વની શાળા ખોલવાની છે પણ નાણાં નથી, સાધન નથી.
[ઊર્મિ નવરચના, એપ્રિલ, ૧૯૪૭]       ઝવેરચંદ મેઘાણી
{{સ-મ|[ઊર્મિ નવરચના, એપ્રિલ, ૧૯૪૭]||'''ઝવેરચંદ મેઘાણી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૨.<br>કરકસરનો મહિમા'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૨.
કરકસરનો મહિમા
બ્રિટીશ સામયિકો શબ્દોની ભારે કરકસર કરતાં હોય છે. ભાષા અને શબ્દોનો અત્યંત સંયમપૂર્વક ઉપયોગ કરવા માટે ટી.એલ.એસ.(ટાઇમ્સ લિટરરી સપ્લીમેન્ટ) જાણીતું છે. પહેલાં ૭૦ વર્ષ સુધી તો ગ્રંથોના અવલોકનકારોની નામાવલિ છાપવામાં પણ તે સો ટકા કરકસર કરતું હતું. હેન્રી જેમ્સ અને વર્જિનિયા વુલ્ફ જેવી વ્યક્તિઓનાં અવલોકનો પણ તેમનાં નામ વગર છપાતાં. ટી.એલ.એસ.ના પહેલાં તંત્રી બ્રુસ રિચમંડે હેન્રી જેમ્સના લખાણમાંથી દોઢ વાક્ય પર કાતર ફેરવી તો લેખકે રિચમંડને ‘કસાઈ’ કહેલો. સ્ટેન્લી મોરીસન જેવો ટાઈપોગ્રાફર ટી.એલ.એસ. નો તંત્રી બન્યો અને સાપ્તાહિકની સિકલ બદલી નાખી.
બ્રિટીશ સામયિકો શબ્દોની ભારે કરકસર કરતાં હોય છે. ભાષા અને શબ્દોનો અત્યંત સંયમપૂર્વક ઉપયોગ કરવા માટે ટી.એલ.એસ.(ટાઇમ્સ લિટરરી સપ્લીમેન્ટ) જાણીતું છે. પહેલાં ૭૦ વર્ષ સુધી તો ગ્રંથોના અવલોકનકારોની નામાવલિ છાપવામાં પણ તે સો ટકા કરકસર કરતું હતું. હેન્રી જેમ્સ અને વર્જિનિયા વુલ્ફ જેવી વ્યક્તિઓનાં અવલોકનો પણ તેમનાં નામ વગર છપાતાં. ટી.એલ.એસ.ના પહેલાં તંત્રી બ્રુસ રિચમંડે હેન્રી જેમ્સના લખાણમાંથી દોઢ વાક્ય પર કાતર ફેરવી તો લેખકે રિચમંડને ‘કસાઈ’ કહેલો. સ્ટેન્લી મોરીસન જેવો ટાઈપોગ્રાફર ટી.એલ.એસ. નો તંત્રી બન્યો અને સાપ્તાહિકની સિકલ બદલી નાખી.
[નવનીત-સમર્પણ, ઓગસ્ટ-૧૯૯૩ ‘યાત્રા-અંદરની અને બહારની’ લેખમાંથી]                                         જયેન્દ્ર ત્રિવેદી
{{સ-મ|[નવનીત-સમર્પણ, ઓગસ્ટ-૧૯૯૩ ‘યાત્રા-અંદરની અને બહારની’ લેખમાંથી]||'''જયેન્દ્ર ત્રિવેદી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૩.<br>પાયામાં સાહિત્ય'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૩.
પાયામાં સાહિત્ય
જ્યાં સુધી ગુજરાતના તરુણ ચિત્રકારો સાહિત્યનો અભ્યાસ નહીં વધારે ત્યાં સુધી તેમના હાથથી ઘડાતી મૂર્તિઓ સાંગોપાંગ શુદ્ધ છતાં નિર્જીવ રહેશે. ચિત્રકલા, શિલ્પકલા, અભિનયકલા કે સંગીતકલા એ સર્વનો પાયો સાહિત્ય છે. બંગાળના ચિત્રકારો જે અદ્‌ભુત દર્શન કરાવી રહ્યા છે તેનું એક કારણ તેમનો સાહિત્યસંગ છે. આપણે ત્યાં કોઈપણ ઊગતો ચિત્રકાર નવચેતન કે ગુજરાતના પાનાથી વધારે આગળ વધવાનો સંભવ નથી કારણ કે સાહિત્યના તદ્દન અભ્યાસ વિના તે શાસ્રીય ગૂંચો ઉકેલવામાં જ ચિત્રકળાની અવધિ સમજે છે. આવી ચિત્રકળા નિર્જીવ ફોટોગ્રાફી કરતાં વધારે માનને લાયક નથી.
જ્યાં સુધી ગુજરાતના તરુણ ચિત્રકારો સાહિત્યનો અભ્યાસ નહીં વધારે ત્યાં સુધી તેમના હાથથી ઘડાતી મૂર્તિઓ સાંગોપાંગ શુદ્ધ છતાં નિર્જીવ રહેશે. ચિત્રકલા, શિલ્પકલા, અભિનયકલા કે સંગીતકલા એ સર્વનો પાયો સાહિત્ય છે. બંગાળના ચિત્રકારો જે અદ્‌ભુત દર્શન કરાવી રહ્યા છે તેનું એક કારણ તેમનો સાહિત્યસંગ છે. આપણે ત્યાં કોઈપણ ઊગતો ચિત્રકાર નવચેતન કે ગુજરાતના પાનાથી વધારે આગળ વધવાનો સંભવ નથી કારણ કે સાહિત્યના તદ્દન અભ્યાસ વિના તે શાસ્રીય ગૂંચો ઉકેલવામાં જ ચિત્રકળાની અવધિ સમજે છે. આવી ચિત્રકળા નિર્જીવ ફોટોગ્રાફી કરતાં વધારે માનને લાયક નથી.
[‘સાહિત્ય’, અંક : ૮, ૧૮૨૭ ‘વિચાર, વાતાવરણ અને મનોદશા’ નામના લેખમાંથી]                                     ધૂમકેતુ
{{સ-મ|[‘સાહિત્ય’, અંક : ૮, ૧૮૨૭ ‘વિચાર, વાતાવરણ અને મનોદશા’ નામના લેખમાંથી]||'''ધૂમકેતુ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૪.<br>વસંતની પ્રેરકતા'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૪.
વસંતની પ્રેરકતા
વસંત પ્રકટ થયું તે પૂર્વે અંગ્રેજીમાં કેળવાયેલો મોટો વર્ગ ગુજરાતી લેખન અને ગુજરાતી સાહિત્યના અભ્યાસ પ્રતિ બહુ બહુ બેદરકાર અને બેકદર રહેલો. સામાન્ય વાતચીત અને પત્રવ્યવહારમાં પણ રાજભાષાનો ઉપયોગ થતો. આ પરિસ્થિતિમાં વિપરિત અને અનિષ્ટ હતી. ઇંગ્રેજી કેળવણીની શરૂઆત કરી ત્યારે સર ચાર્લસ વુડે તેના ખાતરીમાં ચોખ્ખું માગી લીધેલું કે, આ નવીન કેળવયેલો વર્ગ પોતાને પ્રાપ્ત થયેલો પાશ્ચાત્ય જ્ઞાન અને વિદ્યાનો લાભ પોતાના અન્ય બંધુઓને માતૃભાષામાં ઉતારી આપશે. પણ એ આશા નિષ્ફળ નિવડેલી અને તેથી સર જેમ્સ પીલે તે વિશે ઉલ્લેખ કરતાં એ માતૃભાષાની અવગણનાને ‘સ્વદેશાભિમાનની ખામી’ છે એવું જણાવેલું. પ્રિ. ધ્રુવે એ ‘હૃદયવેધક’ શબ્દો ખરા છે એમ ‘વસન્ત’ ના પ્રથમ અંકમાં તેના ઉદ્દેશ, નામ તથા સૂત્રમાં લખતાં સ્વીકારેલું પણ તે પછી પરિસ્થિતિ સુધરી ગઈ છે અને અત્યારે સંખ્યાબંધ ગ્રેજ્યુએટો જુદીજુદી રીતે અને જુદાંજુદાં ક્ષેત્રોમાં પોતાના અભ્યાસ અને જ્ઞાનનો લાભ ગુજરાતી દ્વારા ગુજરાતી પ્રજાને આપી રહ્યાં છે અને એ રૂડું ચિહ્‌ન પણ તેને ઉત્તેજન આપી, બહાર આણી અન પોષવાનો યશ ખરું કહીએ તો વસ્નતના તંત્રીને ઘટે છે. વસન્તનાં બધાં પુસ્તકો જોઈ જાઓ. તેમાંથી અનેક પદવીદરોનાં નામો મળી આવશે તેમાંનાં કેટલાંક નામો તો એવાં મળી આવશે કે જેમની વિદ્વતાનો લાભ આપણને પ્રિ. ધ્રુવને લીધે જ મળી શક્યો છે કેટલાંક તો એવાં નામો મળી આવશે જેમણે કદી ગુજરાતીમાં પૂર્વે લખ્યું-વિચાર્યું નહીં હોય પણ તેઓએ ‘વસન્ત’ ખાતર વિજ્ઞાન અને અર્થશાસ્રના વિષય પર ગુજરાતીમાં લખવા પ્રયાસ કરેલો અને તેથી શરૂઆતમાં એવી એક સામાન્ય માન્યતા, ભ્રમ ફેલાયેલો કે એમાં તો માત્ર ગ્રેજ્યુએટોના જ લેખો લેવાય છે. એ ગ્રેજ્યુએટોનું માસિક છે. ખાસ કરીને સ્વ. ઉત્તમલાલ ત્રિવેદી અને નરસિંહરાવની કલમપ્રસાદી જે આટલા મોટા પ્રમાણમાં આપણને મળી તે પણ પ્રિ. ધ્રુવના અંગત સંબંધને આભારી છે. એટલે કે ગુર્જર યુવકોને ગુજરાતીમાં લખવા-દોરવાને અને તે પ્રતિ ખેંચવાને વસન્તની સેવા બેશક કિમતી કહી શકાય. અને ગુજરાતી સાહિત્યમાં અત્યારે જે ભરાવો થયો છે, જે વિવિધતા આવી છે, જે નવીનતા પ્રાપ્ત થઈ છે, જે સંગીનતા નજરે પડે છે એમાં ‘વસન્ત’નો ફાળો નાનોસૂનો નથી જ.
વસંત પ્રકટ થયું તે પૂર્વે અંગ્રેજીમાં કેળવાયેલો મોટો વર્ગ ગુજરાતી લેખન અને ગુજરાતી સાહિત્યના અભ્યાસ પ્રતિ બહુ બહુ બેદરકાર અને બેકદર રહેલો. સામાન્ય વાતચીત અને પત્રવ્યવહારમાં પણ રાજભાષાનો ઉપયોગ થતો. આ પરિસ્થિતિમાં વિપરિત અને અનિષ્ટ હતી. ઇંગ્રેજી કેળવણીની શરૂઆત કરી ત્યારે સર ચાર્લસ વુડે તેના ખાતરીમાં ચોખ્ખું માગી લીધેલું કે, આ નવીન કેળવયેલો વર્ગ પોતાને પ્રાપ્ત થયેલો પાશ્ચાત્ય જ્ઞાન અને વિદ્યાનો લાભ પોતાના અન્ય બંધુઓને માતૃભાષામાં ઉતારી આપશે. પણ એ આશા નિષ્ફળ નિવડેલી અને તેથી સર જેમ્સ પીલે તે વિશે ઉલ્લેખ કરતાં એ માતૃભાષાની અવગણનાને ‘સ્વદેશાભિમાનની ખામી’ છે એવું જણાવેલું. પ્રિ. ધ્રુવે એ ‘હૃદયવેધક’ શબ્દો ખરા છે એમ ‘વસન્ત’ ના પ્રથમ અંકમાં તેના ઉદ્દેશ, નામ તથા સૂત્રમાં લખતાં સ્વીકારેલું પણ તે પછી પરિસ્થિતિ સુધરી ગઈ છે અને અત્યારે સંખ્યાબંધ ગ્રેજ્યુએટો જુદીજુદી રીતે અને જુદાંજુદાં ક્ષેત્રોમાં પોતાના અભ્યાસ અને જ્ઞાનનો લાભ ગુજરાતી દ્વારા ગુજરાતી પ્રજાને આપી રહ્યાં છે અને એ રૂડું ચિહ્‌ન પણ તેને ઉત્તેજન આપી, બહાર આણી અન પોષવાનો યશ ખરું કહીએ તો વસ્નતના તંત્રીને ઘટે છે. વસન્તનાં બધાં પુસ્તકો જોઈ જાઓ. તેમાંથી અનેક પદવીદરોનાં નામો મળી આવશે તેમાંનાં કેટલાંક નામો તો એવાં મળી આવશે કે જેમની વિદ્વતાનો લાભ આપણને પ્રિ. ધ્રુવને લીધે જ મળી શક્યો છે કેટલાંક તો એવાં નામો મળી આવશે જેમણે કદી ગુજરાતીમાં પૂર્વે લખ્યું-વિચાર્યું નહીં હોય પણ તેઓએ ‘વસન્ત’ ખાતર વિજ્ઞાન અને અર્થશાસ્રના વિષય પર ગુજરાતીમાં લખવા પ્રયાસ કરેલો અને તેથી શરૂઆતમાં એવી એક સામાન્ય માન્યતા, ભ્રમ ફેલાયેલો કે એમાં તો માત્ર ગ્રેજ્યુએટોના જ લેખો લેવાય છે. એ ગ્રેજ્યુએટોનું માસિક છે. ખાસ કરીને સ્વ. ઉત્તમલાલ ત્રિવેદી અને નરસિંહરાવની કલમપ્રસાદી જે આટલા મોટા પ્રમાણમાં આપણને મળી તે પણ પ્રિ. ધ્રુવના અંગત સંબંધને આભારી છે. એટલે કે ગુર્જર યુવકોને ગુજરાતીમાં લખવા-દોરવાને અને તે પ્રતિ ખેંચવાને વસન્તની સેવા બેશક કિમતી કહી શકાય. અને ગુજરાતી સાહિત્યમાં અત્યારે જે ભરાવો થયો છે, જે વિવિધતા આવી છે, જે નવીનતા પ્રાપ્ત થઈ છે, જે સંગીનતા નજરે પડે છે એમાં ‘વસન્ત’નો ફાળો નાનોસૂનો નથી જ.
[વસન્ત ‘રજત મહોત્સવ સ્મારક ગ્રંથ’, ૧૯૨૭ પૃ. ૬]હીરાલાલ પારેખ
{{સ-મ|[વસન્ત ‘રજત મહોત્સવ સ્મારક ગ્રંથ’, ૧૯૨૭ પૃ. ૬]||'''હીરાલાલ પારેખ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૫.<br>અશુદ્ધ જોડણી, અશુદ્ધ મરોડ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૫.
અશુદ્ધ જોડણી, અશુદ્ધ મરોડ
આપણાં વર્તમાનપત્રોના સંચાલકોનો આપણી ભાષાના વિકાસમાં સહકાર મેળવવા પરિષદે બનતો પ્રયત્ન કરવો જોઈએ. પારસી  વર્તમાનપત્રોની વાત બાજુએ રાખતાં હજુ આપણાં દૈનિકો શુદ્ધ ગુજરાતી ભાષા છાપી શકતાં નથી. આપણી વિદ્યાપીઠનો જોડણીકોશ યુનિવર્સિટીએ પણ માન્ય રાખ્યો છે છતાં જોડણીના વિષયમાં હજી ઘણી અરાજકતા ચાલે છે. આપણાં દૈનિકોના તંત્રીઓ મન પર લે તો આ કંઈ મુશ્કેલીની વાત નથી પણ હજીપણ અશુદ્ધ જોડણી ને અશુદ્ધ મરોડ સાથેની ગુજરાતી ભાષા વર્તમાનપત્રોના હજારો વાચકો રોજ ને રોજ વાંચ્યા કરે તો તેની ભાષા સુધારવાની  આશા પડે નહીં. અંગ્રેજી પત્રોના મુકાબલે માણસોનો ને બીબાં ગોઠવનારાઓનો વાંક કાઢીને અશુદ્ધ જોડણી ને અશુદ્ધ ભાષા છાપ્યાં જ કરે છે. તે તેમને કોઈ રીતે શોભાસ્પદ નથી.
આપણાં વર્તમાનપત્રોના સંચાલકોનો આપણી ભાષાના વિકાસમાં સહકાર મેળવવા પરિષદે બનતો પ્રયત્ન કરવો જોઈએ. પારસી  વર્તમાનપત્રોની વાત બાજુએ રાખતાં હજુ આપણાં દૈનિકો શુદ્ધ ગુજરાતી ભાષા છાપી શકતાં નથી. આપણી વિદ્યાપીઠનો જોડણીકોશ યુનિવર્સિટીએ પણ માન્ય રાખ્યો છે છતાં જોડણીના વિષયમાં હજી ઘણી અરાજકતા ચાલે છે. આપણાં દૈનિકોના તંત્રીઓ મન પર લે તો આ કંઈ મુશ્કેલીની વાત નથી પણ હજીપણ અશુદ્ધ જોડણી ને અશુદ્ધ મરોડ સાથેની ગુજરાતી ભાષા વર્તમાનપત્રોના હજારો વાચકો રોજ ને રોજ વાંચ્યા કરે તો તેની ભાષા સુધારવાની  આશા પડે નહીં. અંગ્રેજી પત્રોના મુકાબલે માણસોનો ને બીબાં ગોઠવનારાઓનો વાંક કાઢીને અશુદ્ધ જોડણી ને અશુદ્ધ ભાષા છાપ્યાં જ કરે છે. તે તેમને કોઈ રીતે શોભાસ્પદ નથી.
[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’, ૧૪ થી ૨૭, ૧૯૭૪ પૃ. ૬૩]                                             ખબરદાર
{{સ-મ|[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’, ૧૪ થી ૨૭, ૧૯૭૪ પૃ. ૬૩]||'''ખબરદાર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૬.<br>સારા લેખોની અછત, પૂરતા ગ્રાહકોની અછત'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૬.
સારા લેખોની અછત, પૂરતા ગ્રાહકોની અછત
ઉચ્ચ સાહિત્યનાં માસિકોનો ઈતિહાસ તો શોકજનક છે. શિક્ષિત ગુજરાતી વર્ગે પણ આવાં સામયિકોને જોઈએ એટલું ઉત્તેજન આપ્યું નથી. વસન્ત, સુંદરી સુબોધ સાહિત્ય, ગુજરાતી, માનસી જેવાં સામયિકો ગ્રાહકોની ન્યૂનતાને લીધે બંધ કરવાં પડે તે આપણી સાહિત્યવૃત્તિને શોભાસ્પદ નથી. હજી પણ સારાં સામયિકોને પણ જોઈએ એટલો ગ્રાહકવર્ગ મળતો નથી તે ફરિયાદ સંભળાય છે.
ઉચ્ચ સાહિત્યનાં માસિકોનો ઈતિહાસ તો શોકજનક છે. શિક્ષિત ગુજરાતી વર્ગે પણ આવાં સામયિકોને જોઈએ એટલું ઉત્તેજન આપ્યું નથી. વસન્ત, સુંદરી સુબોધ સાહિત્ય, ગુજરાતી, માનસી જેવાં સામયિકો ગ્રાહકોની ન્યૂનતાને લીધે બંધ કરવાં પડે તે આપણી સાહિત્યવૃત્તિને શોભાસ્પદ નથી. હજી પણ સારાં સામયિકોને પણ જોઈએ એટલો ગ્રાહકવર્ગ મળતો નથી તે ફરિયાદ સંભળાય છે.
સંચાલકોની ફરિયાદ છે કે બહુ સારા લેખો ન મળવાથી તેમને સાધરણ લેખો પણ પ્રકટ કરવા પડે છે તે ઘણે અંશે ખરી છે.
સંચાલકોની ફરિયાદ છે કે બહુ સારા લેખો ન મળવાથી તેમને સાધરણ લેખો પણ પ્રકટ કરવા પડે છે તે ઘણે અંશે ખરી છે.
[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’ ૧૯૭૪ પૃ. ૧૩૯]                                         હરસિદ્ધભાઈ દિવેટીઆ
{{સ-મ|[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’ ૧૯૭૪ પૃ. ૧૩૯]||'''હરસિદ્ધભાઈ દિવેટીઆ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૭.<br>બંકીમચંદ્રનું બંગદર્શન'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૭.
બંકીમચંદ્રનું બંગદર્શન
સાહિત્યિક આંદોલન દ્વારા બંગાભાષી લોકોની વિચારશક્તિને પ્રોત્સાહિત કરવાનું અને એ રીતે એક સાંસ્કૃતિક પુનઃજાગૃતિનું નિર્માણ કરવાનું આ લક્ષ્યને નજરમાં રાખીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘બંગદર્શન’ નામના માસિકનો આરંભ કર્યો. તેમનાં મોટાભાગનાં લખાણો આ માસિકના પૃષ્ઠો પર પહેલવહેલાં પ્રકટ થયાં હતાં. આ લખાણોમાં નવલકથાઓ, નવલિકાઓ, હાસ્યપરક રેખાચિત્રો, ઐતિહાસિક અને વિવિધ નિબંધો, માહિતીપૂર્ણ લેખો, ધાર્મિક પ્રવચનો, સાહિત્યિક વિવેચનો અને પુસ્તકોનો અવલોકનનો સમાવેશ થાય છે. ‘વિષવૃક્ષ’(૧૮૭૩) ‘બંગદર્શન’માં હપ્તાવાર પ્રકટ થનારી એમની પહેલી નવલકથા હતી.
સાહિત્યિક આંદોલન દ્વારા બંગાભાષી લોકોની વિચારશક્તિને પ્રોત્સાહિત કરવાનું અને એ રીતે એક સાંસ્કૃતિક પુનઃજાગૃતિનું નિર્માણ કરવાનું આ લક્ષ્યને નજરમાં રાખીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘બંગદર્શન’ નામના માસિકનો આરંભ કર્યો. તેમનાં મોટાભાગનાં લખાણો આ માસિકના પૃષ્ઠો પર પહેલવહેલાં પ્રકટ થયાં હતાં. આ લખાણોમાં નવલકથાઓ, નવલિકાઓ, હાસ્યપરક રેખાચિત્રો, ઐતિહાસિક અને વિવિધ નિબંધો, માહિતીપૂર્ણ લેખો, ધાર્મિક પ્રવચનો, સાહિત્યિક વિવેચનો અને પુસ્તકોનો અવલોકનનો સમાવેશ થાય છે. ‘વિષવૃક્ષ’(૧૮૭૩) ‘બંગદર્શન’માં હપ્તાવાર પ્રકટ થનારી એમની પહેલી નવલકથા હતી.
[‘બંગાળી સાહિત્યના ઈતિહાસની’ રૂપરેખા, પૃ.૨૪૪]                                                     સુકુમાર સેન
{{સ-મ|[‘બંગાળી સાહિત્યના ઈતિહાસની’ રૂપરેખા, પૃ.૨૪૪]||'''સુકુમાર સેન'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૮.<br>માંહોમાંહ સ્પર્ધા ન કરો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૮.
માંહોમાંહ સ્પર્ધા ન કરો
માસિકોનું કાર્યક્ષેત્ર આપણા જીવનની પેઠે વ્યાપક અને સર્વદેશીય હોવું જોઈએ પણ આટલું જવાબદારીનું કાર્ય એક માસિકથી ન જ બની શકે. તેને યોગ્ય અને પૂરતો ન્યાય આપવાને સંખ્યાબંધ માસિકો જોઈએ, બની શકે તો વિષયવાર માસિકો નીકળવાં જોઈએ, નહિ તો જે માસિક પ્રસિદ્ધ થતાં હોય તેઓ માંહોમાંહ સ્પર્ધામાં નહિ ઊતરતાં જે-તે અમુક વિષયને પ્રાધાન્ય આપી પોતાનું વ્યક્તિત્વ ખીલવે એ પણ હિતાવહ છે.
માસિકોનું કાર્યક્ષેત્ર આપણા જીવનની પેઠે વ્યાપક અને સર્વદેશીય હોવું જોઈએ પણ આટલું જવાબદારીનું કાર્ય એક માસિકથી ન જ બની શકે. તેને યોગ્ય અને પૂરતો ન્યાય આપવાને સંખ્યાબંધ માસિકો જોઈએ, બની શકે તો વિષયવાર માસિકો નીકળવાં જોઈએ, નહિ તો જે માસિક પ્રસિદ્ધ થતાં હોય તેઓ માંહોમાંહ સ્પર્ધામાં નહિ ઊતરતાં જે-તે અમુક વિષયને પ્રાધાન્ય આપી પોતાનું વ્યક્તિત્વ ખીલવે એ પણ હિતાવહ છે.
[બુદ્ધિપ્રકાશ, નવેમ્બર, ૧૯૨૪]     હીરાલાલ પારેખ
{{સ-મ|[બુદ્ધિપ્રકાશ, નવેમ્બર, ૧૯૨૪]||'''હીરાલાલ પારેખ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૯.<br>સાહિત્યમાં ઉઠાંતરી રોકવાના ઉપાયો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૯.
સાહિત્યમાં ઉઠાંતરી રોકવાના ઉપાયો
છેતરપિંડીનો એક પ્રકાર એ છે કે એક ને એક લેખ ત્રણ-ચાર માસિકોમાં સાથે જ ધકેલી દેવો. પરિણામમાં એક જ મહિનામાં બે-ત્રણ ઠેકાણે તમે એ ને એ લેખ વાંચી શકો. દા.ત., અમારા ગયા અંકમાંનો ગજાનન પાઠકનો ‘કળા’ ઉપરનો નિબંધ.
છેતરપિંડીનો એક પ્રકાર એ છે કે એક ને એક લેખ ત્રણ-ચાર માસિકોમાં સાથે જ ધકેલી દેવો. પરિણામમાં એક જ મહિનામાં બે-ત્રણ ઠેકાણે તમે એ ને એ લેખ વાંચી શકો. દા.ત., અમારા ગયા અંકમાંનો ગજાનન પાઠકનો ‘કળા’ ઉપરનો નિબંધ.
અધિપતિને જરાકે વહેમ પડે કે વસ્તુ અવનવું છે, ગૂંથણી પરદેશી કે જૂની છે, અગર વસ્તુમાં એવી વિશેષતા પ્રતિભા ને સંસ્કાર છેકે એ સામાન્ય લેખકનું કામ ન હોય – તો એણે લેખકને સીધું જ પૂછવાનો આગ્રહ રાખવો. એક લખનારે એક વાતને ઐતિહાસિક કહી. અમને વહેમ પડતાં પુછાવ્યું તો કહે કે પાત્રો ઐતિહાસિક પણ વાત કપોળકલ્પિત!
અધિપતિને જરાકે વહેમ પડે કે વસ્તુ અવનવું છે, ગૂંથણી પરદેશી કે જૂની છે, અગર વસ્તુમાં એવી વિશેષતા પ્રતિભા ને સંસ્કાર છેકે એ સામાન્ય લેખકનું કામ ન હોય – તો એણે લેખકને સીધું જ પૂછવાનો આગ્રહ રાખવો. એક લખનારે એક વાતને ઐતિહાસિક કહી. અમને વહેમ પડતાં પુછાવ્યું તો કહે કે પાત્રો ઐતિહાસિક પણ વાત કપોળકલ્પિત!
દરેક અધિપતિએ દરેક લેખકને પૂછવું જોઈએ કે એનો આ લેખ બીજે ક્યાંય પ્રસિદ્ધ થયો છે કે કેમ?
દરેક અધિપતિએ દરેક લેખકને પૂછવું જોઈએ કે એનો આ લેખ બીજે ક્યાંય પ્રસિદ્ધ થયો છે કે કેમ?
છેલ્લો મત જાહેરમત કેળવવાનો અને સબળ બનાવવાનો છે. ચોરટિયાં લખાણોને જરાકે ઉત્તેજન વાંચનારી આલમે ન આપવું જોઈએ. સારા ને બહુશ્રુત વાચકોએ એમનું પોલ ઉઘાડું પાડવું જોઈએ.
છેલ્લો મત જાહેરમત કેળવવાનો અને સબળ બનાવવાનો છે. ચોરટિયાં લખાણોને જરાકે ઉત્તેજન વાંચનારી આલમે ન આપવું જોઈએ. સારા ને બહુશ્રુત વાચકોએ એમનું પોલ ઉઘાડું પાડવું જોઈએ.
[સાહિત્ય, અંક : ૮, ૬૩] મટુભાઈ કાંટાવાળા
{{સ-મ|[સાહિત્ય, અંક : ૮, ૬૩]||'''મટુભાઈ કાંટાવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૦.<br>ઠાકોરની શિખામણ ઝાંપા લગી!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૦.
ઠાકોરની શિખામણ ઝાંપા લગી!
સાક્ષરે છાપામાં અખબારી ઢબની કતારો સાહિત્યના વિષયોની વારંવાર, નિયમબદ્ધ રીતે લખવી જોઈએ નહિ, કેમકે એથી શક્તિ વેડફાય છે ને શૈલી બગડે છે – આવો તેમનો (બ. ક. ઠાકોરનો) આધીન મત. તેથી  હું ‘સંસ્કારમુકુર’ મથાળે મુંબઈના સાપ્તાહિક ગુજરાતીમાં સાહિત્ય તથા આનુષંગિક વિષયો પર દર અઠવાડિયે લખતો એ તેમને પસંદ નહોતું. એ કહેતા : ‘Why do yo waste your energy on that ephemeral thing? You are certainly capable of better things.’ એ જ પત્રના સહતંત્રી હતા એ સ્વ. અંબાલાલ જાની અસામાન્ય સંશોધક હતા તે પણ મારી જેમ ન કરવાનું કરે છે એમ બલુભાઈને લાગતું.
સાક્ષરે છાપામાં અખબારી ઢબની કતારો સાહિત્યના વિષયોની વારંવાર, નિયમબદ્ધ રીતે લખવી જોઈએ નહિ, કેમકે એથી શક્તિ વેડફાય છે ને શૈલી બગડે છે – આવો તેમનો (બ. ક. ઠાકોરનો) આધીન મત. તેથી  હું ‘સંસ્કારમુકુર’ મથાળે મુંબઈના સાપ્તાહિક ગુજરાતીમાં સાહિત્ય તથા આનુષંગિક વિષયો પર દર અઠવાડિયે લખતો એ તેમને પસંદ નહોતું. એ કહેતા : ‘Why do yo waste your energy on that ephemeral thing? You are certainly capable of better things.’ એ જ પત્રના સહતંત્રી હતા એ સ્વ. અંબાલાલ જાની અસામાન્ય સંશોધક હતા તે પણ મારી જેમ ન કરવાનું કરે છે એમ બલુભાઈને લાગતું.
[‘હીરા અને પન્ના’, ૧૯૮૪, પૃ. ૨૩૪-૩૫] વિજયરાય વૈદ્ય
{{સ-મ|[‘હીરા અને પન્ના’, ૧૯૮૪, પૃ. ૨૩૪-૩૫]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૧.<br>કાંધ પડે તો પડવા દો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૧.
કાંધ પડે તો પડવા દો
ગુજરાતમાં અનેક સામયિકો શરૂ થયાં છે પણ માંડ ભાંખોડિયાં ભરતાં થાય ન થાય ત્યાં તો કાળના પ્રવાહમાં વિલીન થઈ ગયાં છે. ગુજરાતમાં જ શા માટે? પરદેશમાં પણ સ્પષ્ટ ઉદ્દેશવાલાં ગંભીર વિવેચનાત્મક સામયિકો ઝાઝાં ચાલતાં નથી–એવી ફરિયાદ લીવીસે (એફ. આર. લીવિસ) Scrutiny ના પહેલા જ અંકમાં કરી છે. આ પરિસ્થિતિમાં સંસ્કૃતિ જેવું માસિક એક પચ્ચીસી ભાળે એને એક આશ્ચર્ય જ ગણવું જોઈએ. સંસ્કૃતિના બીજા જ અંકમાં શ્રી નાટ્યચરે સંસ્કૃતિના તંત્રીમહાશયને લખેલું : ‘આપે નવું માસિક કાઢ્યું : સારું કર્યું! ગુજરાતમાં પ્રતિષ્ઠિત એવા એક સાક્ષરે ગુજરાતમાં પ્રસિદ્ધ થયેલા એવા એક માસિકના હાલ નિવૃત્ત તંત્રીને માસિક કાઢતી વખતે કહેલું કે ‘કાંધ પડશે, કાંધ! પણ હવે કાઢ્યું છે તો કાંધ પડવા દો! હું યે કહું છું : ‘અસંજાત કિણસ્કન્ધ સુખં સ્વપિતિ ગૌર્ગલિઃ |’ કરતાં શકટવાહક બળદ સારો. કાંધ પડે તો પડવા દો.
ગુજરાતમાં અનેક સામયિકો શરૂ થયાં છે પણ માંડ ભાંખોડિયાં ભરતાં થાય ન થાય ત્યાં તો કાળના પ્રવાહમાં વિલીન થઈ ગયાં છે. ગુજરાતમાં જ શા માટે? પરદેશમાં પણ સ્પષ્ટ ઉદ્દેશવાલાં ગંભીર વિવેચનાત્મક સામયિકો ઝાઝાં ચાલતાં નથી–એવી ફરિયાદ લીવીસે (એફ. આર. લીવિસ) Scrutiny ના પહેલા જ અંકમાં કરી છે. આ પરિસ્થિતિમાં સંસ્કૃતિ જેવું માસિક એક પચ્ચીસી ભાળે એને એક આશ્ચર્ય જ ગણવું જોઈએ. સંસ્કૃતિના બીજા જ અંકમાં શ્રી નાટ્યચરે સંસ્કૃતિના તંત્રીમહાશયને લખેલું : ‘આપે નવું માસિક કાઢ્યું : સારું કર્યું! ગુજરાતમાં પ્રતિષ્ઠિત એવા એક સાક્ષરે ગુજરાતમાં પ્રસિદ્ધ થયેલા એવા એક માસિકના હાલ નિવૃત્ત તંત્રીને માસિક કાઢતી વખતે કહેલું કે ‘કાંધ પડશે, કાંધ! પણ હવે કાઢ્યું છે તો કાંધ પડવા દો! હું યે કહું છું : ‘અસંજાત કિણસ્કન્ધ સુખં સ્વપિતિ ગૌર્ગલિઃ |’ કરતાં શકટવાહક બળદ સારો. કાંધ પડે તો પડવા દો.
[‘સમાંતર’, (૧૯૭૬) પૃ. ૧૬૫]       રમણલાલ જોશી
{{સ-મ|[‘સમાંતર’, (૧૯૭૬) પૃ. ૧૬૫]||'''રમણલાલ જોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૨.<br>સાઠીના ત્રણ યુગોનું લાક્ષણિક સ્વરૂપ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૨.
સાઠીના ત્રણ યુગોનું લાક્ષણિક સ્વરૂપ
ગુજરાતના દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રૈમાસિકનો ઇતિહાસ લખવા બેસીએ તો એક પુસ્તક રચાય એટલી વસ્તુ છે. બીજા યુગમાં ગુજરાતીના તંત્રી ઈચ્છારામ સૂર્યરામે, પ્રજાબંધુ’ એ અને ગુજરાતી પંચે ઐતિહાસિક અને સાંસારિક નવચેતનનું બહોળું સાહિત્ય ઉત્પન્ન કર્યું છે. માસિક, ત્રૈમાસિકોએ સાહિત્ય, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન આદિશાખાઓમાં કરેલી સેવા જાણીતી છે. પ્રથમ યુગમાં બુદ્ધિપ્રકાશ, બુદ્ધિવર્ધક, વિજ્ઞાનવિલાસે બુદ્ધિનો પ્રકાશ કરવા માંડ્યો. આ સાંકડી કર્તવ્યભાવનાને બીજા યુગમાં પ્રિયંવદા, સુદર્શન અને જ્ઞાનસુધાએ વિસ્તારી. ત્રીજા યુગમાં સુદર્શન અને જ્ઞાનસુધાના વિવાદથી તટસ્થ એવો સાહિત્યસેવાનો માર્ગ સમાલોચકે લીધો. જતે દહાડે વીસમી સદીએ પશ્ચિમનાં લોકપ્રિય માસિકોની ઢબનો ગુજરાતને પરિચય કરાવ્યો, અને અત્યારે ગુજરાતી આશાનાં અસંખ્ય કિરણો ગુજરાત, શારદા, નવચેતન, સાહિત્ય, પ્રસ્થાન, કૌમુદી આદિ માસિકોમાંથી સમસ્ત ગુજરાતમાં પ્રસરી રહ્યાં છે. આ ત્રીજા યુગનું એક ખાસ લક્ષણ છે. સાઠીના ત્રણ યુગોનું લાક્ષણિક સ્વરૂપ તપાસીએ તો પ્રથમ યુગ અંગ્રેજી કેળવણીથી પ્રાપ્ત થયેલી સામન્ય વિદ્યા અને માહિતીનો, બીજો ધર્મ અને તત્ત્વજ્ઞાનનો અને ત્રીજો સાહિત્ય અને કાલનો વિશેષરૂપે માસિકોમાં જોવામાં આવશે.
ગુજરાતના દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રૈમાસિકનો ઇતિહાસ લખવા બેસીએ તો એક પુસ્તક રચાય એટલી વસ્તુ છે. બીજા યુગમાં ગુજરાતીના તંત્રી ઈચ્છારામ સૂર્યરામે, પ્રજાબંધુ’ એ અને ગુજરાતી પંચે ઐતિહાસિક અને સાંસારિક નવચેતનનું બહોળું સાહિત્ય ઉત્પન્ન કર્યું છે. માસિક, ત્રૈમાસિકોએ સાહિત્ય, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન આદિશાખાઓમાં કરેલી સેવા જાણીતી છે. પ્રથમ યુગમાં બુદ્ધિપ્રકાશ, બુદ્ધિવર્ધક, વિજ્ઞાનવિલાસે બુદ્ધિનો પ્રકાશ કરવા માંડ્યો. આ સાંકડી કર્તવ્યભાવનાને બીજા યુગમાં પ્રિયંવદા, સુદર્શન અને જ્ઞાનસુધાએ વિસ્તારી. ત્રીજા યુગમાં સુદર્શન અને જ્ઞાનસુધાના વિવાદથી તટસ્થ એવો સાહિત્યસેવાનો માર્ગ સમાલોચકે લીધો. જતે દહાડે વીસમી સદીએ પશ્ચિમનાં લોકપ્રિય માસિકોની ઢબનો ગુજરાતને પરિચય કરાવ્યો, અને અત્યારે ગુજરાતી આશાનાં અસંખ્ય કિરણો ગુજરાત, શારદા, નવચેતન, સાહિત્ય, પ્રસ્થાન, કૌમુદી આદિ માસિકોમાંથી સમસ્ત ગુજરાતમાં પ્રસરી રહ્યાં છે. આ ત્રીજા યુગનું એક ખાસ લક્ષણ છે. સાઠીના ત્રણ યુગોનું લાક્ષણિક સ્વરૂપ તપાસીએ તો પ્રથમ યુગ અંગ્રેજી કેળવણીથી પ્રાપ્ત થયેલી સામન્ય વિદ્યા અને માહિતીનો, બીજો ધર્મ અને તત્ત્વજ્ઞાનનો અને ત્રીજો સાહિત્ય અને કાલનો વિશેષરૂપે માસિકોમાં જોવામાં આવશે.
[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’, ૧ થી ૧૩ (૧૯૪૧) પૃ. ૩૯૩]         આનંદશંકર ધ્રુવ
{{સ-મ|[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’, ૧ થી ૧૩ (૧૯૪૧) પૃ. ૩૯૩]||'''આનંદશંકર ધ્રુવ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૩.<br>ગ્રેજ્યુએટોની શક્તિને ઓળખો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૩.
ગ્રેજ્યુએટોની શક્તિને ઓળખો
આપણા પુસ્તકપ્રકાશકો અને છાપખાનાંના અધિપતિઓ સેંકડો પુસ્તકો માત્ર નફો કરવાના જ ઉદ્દેશથી અર્ધદગ્ધ લેખકોને હાથે રચાવી પ્રજા ઉપર ફેંકે છે અને એ જ રીતે આપણા નાટક કંપનીના માલિકો પણ સ્વાર્થ ખાતર લોકરુચિને ભ્રષ્ટ કરે છે. આ સ્થિતિનો પ્રતિકાર – ગ્રેડ્યુએટો સાક્ષરજીવનમાં વ્યવસ્થિત જીવન જૂવે અને સાહિત્ય પ્રકાશકો અને સંવર્ધક સંસ્થાઓ એમને સત્કાર આપે, તો જ થાય. ગ્રેજ્યુએટ નિર્માલ્ય છે અને આ કાર્યમાં દેશને ઉપયોગી થાય એવા નથી એમ હું માની શકતો નથી. આપણાં વર્તમાનપત્રોની ઓફિસમાં સાધારણ જ્ઞાનથી કામ કરતા ઘણા અંડર ગ્રેડ્યુએટ્‌સ છે. તેઓ કેમ કરતા કરતા પોતાની શક્તિ બહાર દાખવી શક્યા છે અને ગુજરાતી, પ્રજાબંધુ, ગુજરાતી પંચ વગેરે વર્તમાનપત્રોએ એ વર્ગ દ્વારા સાહિત્યની ઘણી સેવા કરી છે તો તે જ પ્રમાણે સર્વ વર્તમાનપત્રો અને માસિકો ગ્રેજ્યુએટોની શક્તિને બહાર લાવવામાં કાંઈક પગલાં ન ભરી શકે?
આપણા પુસ્તકપ્રકાશકો અને છાપખાનાંના અધિપતિઓ સેંકડો પુસ્તકો માત્ર નફો કરવાના જ ઉદ્દેશથી અર્ધદગ્ધ લેખકોને હાથે રચાવી પ્રજા ઉપર ફેંકે છે અને એ જ રીતે આપણા નાટક કંપનીના માલિકો પણ સ્વાર્થ ખાતર લોકરુચિને ભ્રષ્ટ કરે છે. આ સ્થિતિનો પ્રતિકાર – ગ્રેડ્યુએટો સાક્ષરજીવનમાં વ્યવસ્થિત જીવન જૂવે અને સાહિત્ય પ્રકાશકો અને સંવર્ધક સંસ્થાઓ એમને સત્કાર આપે, તો જ થાય. ગ્રેજ્યુએટ નિર્માલ્ય છે અને આ કાર્યમાં દેશને ઉપયોગી થાય એવા નથી એમ હું માની શકતો નથી. આપણાં વર્તમાનપત્રોની ઓફિસમાં સાધારણ જ્ઞાનથી કામ કરતા ઘણા અંડર ગ્રેડ્યુએટ્‌સ છે. તેઓ કેમ કરતા કરતા પોતાની શક્તિ બહાર દાખવી શક્યા છે અને ગુજરાતી, પ્રજાબંધુ, ગુજરાતી પંચ વગેરે વર્તમાનપત્રોએ એ વર્ગ દ્વારા સાહિત્યની ઘણી સેવા કરી છે તો તે જ પ્રમાણે સર્વ વર્તમાનપત્રો અને માસિકો ગ્રેજ્યુએટોની શક્તિને બહાર લાવવામાં કાંઈક પગલાં ન ભરી શકે?
[‘કાવ્યતત્ત્વ વિચાર’, (૧૯૪૭) પૃ. ૯૨] આનંદશંકર ધ્રુવ
{{સ-મ|[‘કાવ્યતત્ત્વ વિચાર’, (૧૯૪૭) પૃ. ૯૨]||'''આનંદશંકર ધ્રુવ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૪.<br>સબ બંદરકે વેપારી!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૪.
સબ બંદરકે વેપારી!
વીસમી સદીની ઑફિસ ખોજાગલીમાં, છપાય કોટમાં ને પૂઠાં ભાયખલે તૈયાર થાય! આ બધા પર ધ્યાન રાખવા માટે મિયાંને ચારે તરફ દોડાદોડી કરવી પડતી. અધૂરામાં પૂરું એમની તબિયત અતિશય નાજૂક હતી. એવી તબિયતમાં પેદર રોડના આલીશાન બંગલાની મોજમાં ઊછરેલા એ ગર્ભશ્રીમંત યુવાનને મજૂરની પેઠે દોડધામ અને ધમાલ કરવી પડતી. નવા આવેલા લેખો તે ઘણે ભાગે ટ્રામમાં જ સુધારતા. વીસમી સદીના ટેબલ પર બેસી અધિપતિનું કામ એ જ કરે, અને ફોટોગ્રાફરને ત્યાં જઈ ઉઘરાણી પણ એ જ કરે. બ્લોક મેકરને ત્યાં પણ પોતે જ દોડે અને કાગળ કે શાહીની ખરીદી પણ જાતે જ કરી લાવે. કંપોઝિટરના ટેબલ પર બેસી પ્રૂફ પણ પોતે જ તપાસે અને પ્રેસમાં વખતે અધવચ મેટર ખૂટતું હોય અને કાગળ વધી પડતો હોય તો ત્યાં ઊભા ઊભા કે કંપોઝિટરના ઉંચા સ્ટૂલ ઉપર ચડી બેસી એકાદ નવા લેખનો તરજૂમો પણ એ જ કરી નાંખે.
વીસમી સદીની ઑફિસ ખોજાગલીમાં, છપાય કોટમાં ને પૂઠાં ભાયખલે તૈયાર થાય! આ બધા પર ધ્યાન રાખવા માટે મિયાંને ચારે તરફ દોડાદોડી કરવી પડતી. અધૂરામાં પૂરું એમની તબિયત અતિશય નાજૂક હતી. એવી તબિયતમાં પેદર રોડના આલીશાન બંગલાની મોજમાં ઊછરેલા એ ગર્ભશ્રીમંત યુવાનને મજૂરની પેઠે દોડધામ અને ધમાલ કરવી પડતી. નવા આવેલા લેખો તે ઘણે ભાગે ટ્રામમાં જ સુધારતા. વીસમી સદીના ટેબલ પર બેસી અધિપતિનું કામ એ જ કરે, અને ફોટોગ્રાફરને ત્યાં જઈ ઉઘરાણી પણ એ જ કરે. બ્લોક મેકરને ત્યાં પણ પોતે જ દોડે અને કાગળ કે શાહીની ખરીદી પણ જાતે જ કરી લાવે. કંપોઝિટરના ટેબલ પર બેસી પ્રૂફ પણ પોતે જ તપાસે અને પ્રેસમાં વખતે અધવચ મેટર ખૂટતું હોય અને કાગળ વધી પડતો હોય તો ત્યાં ઊભા ઊભા કે કંપોઝિટરના ઉંચા સ્ટૂલ ઉપર ચડી બેસી એકાદ નવા લેખનો તરજૂમો પણ એ જ કરી નાંખે.
[‘હાજી સ્મરાક ગ્રંથ’, પૃ. ૯] મસ્તફકીર
{{સ-મ|[‘હાજી સ્મરાક ગ્રંથ’, પૃ. ૯]||'''મસ્તફકીર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૫.<br>સદ્ય અનુવાદની શક્તિ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૫.
સદ્ય અનુવાદની શક્તિ
‘વીસમી સદી’માંના લેખો અને વાર્તાઓ જે હિંદી કે મરાઠી પરથી અનુવાદ છે તેમાંના ઘણા ખરા કંઈ પુસ્તકોમાંથી અનુવાદ કરેલા નથી પણ મૂળ ઉત્પાદકને મોઢેથી સાંભળીને અનુવાદ કરેલા છે. વિશ્વંભરનાથ જજ્જા હાજીની મંડળીમાં હિંદી વાર્તા મોઢેથી ચટચટ બોલતા જાય અને મિયાં તેનો પરબારો અનુવાદ ગુજરાતીમાં ઝપાટાબંધ લખતા જાય. ‘ઘુંઘટવાલી’ વગેરે કથાઓ આમ લખાયેલી. હરિશ્ચંદ્ર તાલચેરકર અમેરિકા જઈ આવ્યા. ત્યાંની નવીન સંસ્થાઓ અને બાબતોનો અહેવાલ વીસમી સદીમાં કેવી રીતે આવ્યો તે જાણવું રસપ્રદ છે. મરાઠી માસિક માટે એક બાજુ તાલચેરકર સાહેબ મ્હોડેથી બોલી મરાઠીમાં લખાવતા જાય અને બીજી બાજુ હાજી સદી માટે તેનો ગુજરાતી અનુવાદ સાથોસાથ જ સાંભળીને કરતા જાય! મિયાંની વિનંતીથી સાક્ષરવર્ય નરસિંહરાવ હકાર વગરની અચ્છી વાર્તા લખી શકે.
‘વીસમી સદી’માંના લેખો અને વાર્તાઓ જે હિંદી કે મરાઠી પરથી અનુવાદ છે તેમાંના ઘણા ખરા કંઈ પુસ્તકોમાંથી અનુવાદ કરેલા નથી પણ મૂળ ઉત્પાદકને મોઢેથી સાંભળીને અનુવાદ કરેલા છે. વિશ્વંભરનાથ જજ્જા હાજીની મંડળીમાં હિંદી વાર્તા મોઢેથી ચટચટ બોલતા જાય અને મિયાં તેનો પરબારો અનુવાદ ગુજરાતીમાં ઝપાટાબંધ લખતા જાય. ‘ઘુંઘટવાલી’ વગેરે કથાઓ આમ લખાયેલી. હરિશ્ચંદ્ર તાલચેરકર અમેરિકા જઈ આવ્યા. ત્યાંની નવીન સંસ્થાઓ અને બાબતોનો અહેવાલ વીસમી સદીમાં કેવી રીતે આવ્યો તે જાણવું રસપ્રદ છે. મરાઠી માસિક માટે એક બાજુ તાલચેરકર સાહેબ મ્હોડેથી બોલી મરાઠીમાં લખાવતા જાય અને બીજી બાજુ હાજી સદી માટે તેનો ગુજરાતી અનુવાદ સાથોસાથ જ સાંભળીને કરતા જાય! મિયાંની વિનંતીથી સાક્ષરવર્ય નરસિંહરાવ હકાર વગરની અચ્છી વાર્તા લખી શકે.
[‘હાજી સ્મારક’, પૃ. ૧૩] મસ્તફકીર
{{સ-મ|[‘હાજી સ્મારક’, પૃ. ૧૩]||'''મસ્તફકીર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૬.<br>સામયિકનું પરમ સદ્‌ભાગ્ય કે...'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૬.
સામયિકનું પરમ સદ્‌ભાગ્ય કે...
સાહિત્ય જેવા માત્ર સર્જનાત્મક સાહિત્યના સામયિકના તંત્રીઓનાં અનેક સદ્‌ભાગ્યો હોય છે. સમકાલીન સાહિત્યનાં, સરજાતા સાહિત્યનાં કેટલાંક લખાણો અથવા પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત થયાં હોય પણ પોતે એનો સ્વીકાર ન કર્યો હોય એવાં કેટલાંક લખાણો અન્યત્ર, અન્ય સામયિકોમાં પ્રગટ થાય ત્યારે એ લખાણોના દૂરથી સાક્ષી થવું, પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત થયાં હોય અને પોતે એનો સ્વીકાર કર્યો હોય એવાં લખાણો પોતાના સામયિકમાં પ્રસિદ્ધ થાય ત્યારે ભાવકોના તથા કેટલાંક અન્ય સામયિકોના તંત્રીઓના અનુકૂળ તેમજ પ્રતિકૂળ પ્રતિભાવોના તટસ્થતાથી સાક્ષી થવું. વળી જેની સહી પણ હજુ સુકાઈ ન હોય એવાં લખાણોના પ્રથમ વાચક થવું એ માત્ર સદ્‌ભાગ્ય નથી, એ તો એક વિશેષાધિકાર છે –  બલકે અનન્યાધિકાર છે, એકવ્યક્તિ-અધિકાર છે. પણ આવા સામયિકના આયુષ્યના અંતે ભરતવાક્યમાં નોંધવું કે : ‘ આ મહાન સર્જક અથવા આ-આ મહાન સર્જકોનું પ્રથમ લખાણ આ સામયિકમાં પ્રગટ થયું હતું–એ આ સદ્‌ભાગ્યોનું સદ્‌ભાગ્ય છે, શ્રેષ્ઠ સદ્‌ભાગ્ય છે, પરમ સદ્‌ભાગ્ય છે.
સાહિત્ય જેવા માત્ર સર્જનાત્મક સાહિત્યના સામયિકના તંત્રીઓનાં અનેક સદ્‌ભાગ્યો હોય છે. સમકાલીન સાહિત્યનાં, સરજાતા સાહિત્યનાં કેટલાંક લખાણો અથવા પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત થયાં હોય પણ પોતે એનો સ્વીકાર ન કર્યો હોય એવાં કેટલાંક લખાણો અન્યત્ર, અન્ય સામયિકોમાં પ્રગટ થાય ત્યારે એ લખાણોના દૂરથી સાક્ષી થવું, પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત થયાં હોય અને પોતે એનો સ્વીકાર કર્યો હોય એવાં લખાણો પોતાના સામયિકમાં પ્રસિદ્ધ થાય ત્યારે ભાવકોના તથા કેટલાંક અન્ય સામયિકોના તંત્રીઓના અનુકૂળ તેમજ પ્રતિકૂળ પ્રતિભાવોના તટસ્થતાથી સાક્ષી થવું. વળી જેની સહી પણ હજુ સુકાઈ ન હોય એવાં લખાણોના પ્રથમ વાચક થવું એ માત્ર સદ્‌ભાગ્ય નથી, એ તો એક વિશેષાધિકાર છે –  બલકે અનન્યાધિકાર છે, એકવ્યક્તિ-અધિકાર છે. પણ આવા સામયિકના આયુષ્યના અંતે ભરતવાક્યમાં નોંધવું કે : ‘ આ મહાન સર્જક અથવા આ-આ મહાન સર્જકોનું પ્રથમ લખાણ આ સામયિકમાં પ્રગટ થયું હતું–એ આ સદ્‌ભાગ્યોનું સદ્‌ભાગ્ય છે, શ્રેષ્ઠ સદ્‌ભાગ્ય છે, પરમ સદ્‌ભાગ્ય છે.
[સાહિત્ય, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૭૯] નિરંજન ભગત
{{સ-મ|[સાહિત્ય, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૭૯]||'''નિરંજન ભગત'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૭.<br>આકરું બોલવાની સજા!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૭.
આકરું બોલવાની સજા!
કૃષ્ણલાલ ઝવેરીના ‘માઈલસ્ટોન્સ ઈન ગુજરાતી લિટરેચર’ અંગ્રેજી પુસ્તક માટે માતૃભાષોદ્ધારના પવને ૧૯૨૫–૨૬ના કૌમુદી માં ચતુરભાઈ પટેલ જેવા નવોદિતે સવાલ ઉઠાવેલો કે ગુજરાતી કર્તા ઝવેરીએ ગુજરાતીમાં પુસ્તક કેમ ન લખ્યું? એટલાં સારું જ ને કે પેલી પારકી જણી અંગ્રેજી દ્વારા પોતે કીર્તિ કેરાં કોટડાં બાંધી શકે? એક જ પુસ્તકના નામ પર શ્લેષ કરીને ૧૯૩૨ કે ૩૩ ના કૌમુદીમાં ધૂમકેતુએ વળી એમાં (રસ નહીં પણ) પથરા (સ્ટોન્સ) ભર્યા છે એમ કહી નાંખ્યું હતું અને મારા તંત્રીપણા હેઠળ થયેલા આ બે (હવે લાગે છે એમ) અપરાધ ઓછા હોય એમ મેં પંડે એ વડીલ મુરબ્બીના ‘પ્રેઝંટ સ્ટે’વાળાં ઠક્કર વ્યાખ્યાનો વિશે ‘એમાં કંઈ નવું નથી. વ્યાખ્યાનકારની ઊંચી પ્રતિષ્ઠાને શોભે એવું નથી’ વગેરે કૌમુદીમાં જ ભરડી દીધું, એથી એમની સંસ્થા ફાર્બસ્‌  સભાના ઉપમંત્રી (અંબાલાલ બુ. જાની) થકી પ્રકાશનો અવલોકનો માટે એક બે વર્ષ મળ્યાં નહીં.
કૃષ્ણલાલ ઝવેરીના ‘માઈલસ્ટોન્સ ઈન ગુજરાતી લિટરેચર’ અંગ્રેજી પુસ્તક માટે માતૃભાષોદ્ધારના પવને ૧૯૨૫–૨૬ના કૌમુદી માં ચતુરભાઈ પટેલ જેવા નવોદિતે સવાલ ઉઠાવેલો કે ગુજરાતી કર્તા ઝવેરીએ ગુજરાતીમાં પુસ્તક કેમ ન લખ્યું? એટલાં સારું જ ને કે પેલી પારકી જણી અંગ્રેજી દ્વારા પોતે કીર્તિ કેરાં કોટડાં બાંધી શકે? એક જ પુસ્તકના નામ પર શ્લેષ કરીને ૧૯૩૨ કે ૩૩ ના કૌમુદીમાં ધૂમકેતુએ વળી એમાં (રસ નહીં પણ) પથરા (સ્ટોન્સ) ભર્યા છે એમ કહી નાંખ્યું હતું અને મારા તંત્રીપણા હેઠળ થયેલા આ બે (હવે લાગે છે એમ) અપરાધ ઓછા હોય એમ મેં પંડે એ વડીલ મુરબ્બીના ‘પ્રેઝંટ સ્ટે’વાળાં ઠક્કર વ્યાખ્યાનો વિશે ‘એમાં કંઈ નવું નથી. વ્યાખ્યાનકારની ઊંચી પ્રતિષ્ઠાને શોભે એવું નથી’ વગેરે કૌમુદીમાં જ ભરડી દીધું, એથી એમની સંસ્થા ફાર્બસ્‌  સભાના ઉપમંત્રી (અંબાલાલ બુ. જાની) થકી પ્રકાશનો અવલોકનો માટે એક બે વર્ષ મળ્યાં નહીં.
[‘નીલમ અને પોખરાજ’ (૧૯૬૨) પૃ. ૮૮]       વિજયરાય વૈદ્ય
{{સ-મ|[‘નીલમ અને પોખરાજ’ (૧૯૬૨) પૃ. ૮૮]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૮.<br>હું હવે વિવેચક કહેવાયો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૮.
હું હવે વિવેચક કહેવાયો
નિષ્ફળ સર્જક વિવેચન તરફ વળ્યો એમ પણ કહેવાય. પછી તો અધ્યાપક થયો એટલે વિવેચન કંઈક વ્યવસ્થિત બન્યું. નરસિંહરાવ અને આનંદશંકરે જે દિશા બતાવેલી તે દિશાએ જવાનું મન વર્ડઝ્‌વર્થ, કૉલરિજ, હેઝલીટ, થેકરે સેઈન્ટીબરી વગેરેથી વધુ ને વધુ થયું અને તેને વિજયરાયનું પ્રોત્સાહન અને કૌમુદી–માનસીનું ઘર મળી ગયું. હું હવે વિવેચક કહેવાયો.
નિષ્ફળ સર્જક વિવેચન તરફ વળ્યો એમ પણ કહેવાય. પછી તો અધ્યાપક થયો એટલે વિવેચન કંઈક વ્યવસ્થિત બન્યું. નરસિંહરાવ અને આનંદશંકરે જે દિશા બતાવેલી તે દિશાએ જવાનું મન વર્ડઝ્‌વર્થ, કૉલરિજ, હેઝલીટ, થેકરે સેઈન્ટીબરી વગેરેથી વધુ ને વધુ થયું અને તેને વિજયરાયનું પ્રોત્સાહન અને કૌમુદી–માનસીનું ઘર મળી ગયું. હું હવે વિવેચક કહેવાયો.
[‘દ્રુમપર્ણ’ (૧૯૮૨) પૃ. ૪] વિષ્ણુપ્રસાદ દ્વિવેદી
{{સ-મ|[‘દ્રુમપર્ણ’ (૧૯૮૨) પૃ. ૪]||'''વિષ્ણુપ્રસાદ દ્વિવેદી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૯.<br>તીખા તમતમતા લેખો!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૯.
તીખા તમતમતા લેખો!
ગુજરાત નવા નવા લેખો ને ચિત્રોથી આકર્ષક બનતું હતું. આજે પણ એ અંકો રસથી વાંચી શકાય એમ છે. બટુભાઈ ઉમરવાડિયાએ ‘સુંદરરામ  ત્રિપાઠી’ના ઉપનામથી ‘આપણા કેટલાક મહાજનો’ની તીખી તમતમતી લેખાવલી લખી. પહેલા લેખમાં પ્રચલિત ગાંધીભક્તિ ઘવાય એ રીતે ગાંધીજીના ચારિત્ર્યનું પૃથક્કરણ કર્યું. નાનાલાલ ને આનંદશંકર વિશે પણ સખ્ત લખ્યું. મારી પણ ઝાટકણી કાઢી. એ લેખાવલીને કારણે દુશ્મનો ઘણા થયા છતાં ગુજરાતી ગદ્યમાં એ લેખાવલી નિરીક્ષણશક્તિ અને સચોટ આક્ષેપાત્મક શૈલીનો સુંદર નમૂનો છે.
ગુજરાત નવા નવા લેખો ને ચિત્રોથી આકર્ષક બનતું હતું. આજે પણ એ અંકો રસથી વાંચી શકાય એમ છે. બટુભાઈ ઉમરવાડિયાએ ‘સુંદરરામ  ત્રિપાઠી’ના ઉપનામથી ‘આપણા કેટલાક મહાજનો’ની તીખી તમતમતી લેખાવલી લખી. પહેલા લેખમાં પ્રચલિત ગાંધીભક્તિ ઘવાય એ રીતે ગાંધીજીના ચારિત્ર્યનું પૃથક્કરણ કર્યું. નાનાલાલ ને આનંદશંકર વિશે પણ સખ્ત લખ્યું. મારી પણ ઝાટકણી કાઢી. એ લેખાવલીને કારણે દુશ્મનો ઘણા થયા છતાં ગુજરાતી ગદ્યમાં એ લેખાવલી નિરીક્ષણશક્તિ અને સચોટ આક્ષેપાત્મક શૈલીનો સુંદર નમૂનો છે.
[‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’, (૧૯૫૩) પૃ. ૩૬૬] ક. મા. મુનશી
{{સ-મ|[‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’, (૧૯૫૩) પૃ. ૩૬૬]||'''ક. મા. મુનશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨૦.<br>વાચકનું ભાગ્ય'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૦.
વાચકનું ભાગ્ય
અત્યારે તો વાંચનારનો એક વર્ગ છાપાંઓ ઉપજાવી શકે તેવી રસિકતામાં, તો બીજો (ગુજરાત, નવચેતન જેવાં) વાર્તામાસિકોની મીઠી મોહિનીમાં, તો ત્રીજો (વસન્ત જેવા અચિત્ર લેખ–માસિકોની ભારેખમ શુષ્કતામાં તો ચોથો (નારાયણ ઠક્કુર તથા ‘નીલમ અને માણેક’વાળા દેલવાડાકરના જેવા) અશિષ્ટ ગ્રંથોના કામણગારા રંગરાગમાં તો પાંચમો (નરસિંહરાવ, આણંદશંકર આદિ) કાલાતીત શિષ્ટ લેખકોના અમર્યાદિત સેવનમાં કાલનિર્ગમન કરે છે ને પોતપોતાના સાહિત્ય અવતારની ધન્યતા તેમાં માને છે.
અત્યારે તો વાંચનારનો એક વર્ગ છાપાંઓ ઉપજાવી શકે તેવી રસિકતામાં, તો બીજો (ગુજરાત, નવચેતન જેવાં) વાર્તામાસિકોની મીઠી મોહિનીમાં, તો ત્રીજો (વસન્ત જેવા અચિત્ર લેખ–માસિકોની ભારેખમ શુષ્કતામાં તો ચોથો (નારાયણ ઠક્કુર તથા ‘નીલમ અને માણેક’વાળા દેલવાડાકરના જેવા) અશિષ્ટ ગ્રંથોના કામણગારા રંગરાગમાં તો પાંચમો (નરસિંહરાવ, આણંદશંકર આદિ) કાલાતીત શિષ્ટ લેખકોના અમર્યાદિત સેવનમાં કાલનિર્ગમન કરે છે ને પોતપોતાના સાહિત્ય અવતારની ધન્યતા તેમાં માને છે.
[કૌમુદી, અંક : ૧, ૧૯૨૪] વિજયરાય વૈદ્ય
{{સ-મ|[કૌમુદી, અંક : ૧, ૧૯૨૪]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨૧.<br>નવા લેખકને ઓળખો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૧.
નવા લેખકને ઓળખો
છોટાલાલ જાગીરદારના ફૂલસ્કેપ કાગળોનો પેન્સિલથી લખેલો થોકડો હાજીએ મારા હાથમાં સોંપીને એનાં ચિત્રો કરવાનું કહ્યું ત્યારે આ લેખક બિલકુલ અજાણ્યા હતા. હાજીએ કહેલું : ‘લખનાર ગમે તે હોય, મારી ખાતરી થઈ છે કે એની કલમમાં આબાદ અસર કરવાની શક્તિ છે. કંઈક સંક્ષોભથી આ કામ મેં હાથમાં લીધું પરંતુ એ પછી તો ફઈબાનું પાત્ર મુંબઈમાં એવું લોકપ્રિય થઈ પડેલું કે લેખકને એ લેખ ધાર્યા કરતા ત્રણ ગણો લાંબો કરવો પડ્યો.
છોટાલાલ જાગીરદારના ફૂલસ્કેપ કાગળોનો પેન્સિલથી લખેલો થોકડો હાજીએ મારા હાથમાં સોંપીને એનાં ચિત્રો કરવાનું કહ્યું ત્યારે આ લેખક બિલકુલ અજાણ્યા હતા. હાજીએ કહેલું : ‘લખનાર ગમે તે હોય, મારી ખાતરી થઈ છે કે એની કલમમાં આબાદ અસર કરવાની શક્તિ છે. કંઈક સંક્ષોભથી આ કામ મેં હાથમાં લીધું પરંતુ એ પછી તો ફઈબાનું પાત્ર મુંબઈમાં એવું લોકપ્રિય થઈ પડેલું કે લેખકને એ લેખ ધાર્યા કરતા ત્રણ ગણો લાંબો કરવો પડ્યો.
[કુમાર, શ્રાવણ ૧૯૩૪ ‘મારી નજરે’ લેખમાળા ]   રવિશંકર રાવળ
{{સ-મ|[કુમાર, શ્રાવણ ૧૯૩૪ ‘મારી નજરે’ લેખમાળા]||'''રવિશંકર રાવળ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}

Navigation menu