ચારણી સાહિત્ય/4.સોરઠી સાહિત્યની ધારાઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 249: Line 249:
</poem>
</poem>
[તારી નોબત અને તારાં નગારાં બજતાં બંધ થશે. આંહીં તો મુસલમાનો ટોળે વળશે. તે દિવસ તું મને સંભારીશ.]
[તારી નોબત અને તારાં નગારાં બજતાં બંધ થશે. આંહીં તો મુસલમાનો ટોળે વળશે. તે દિવસ તું મને સંભારીશ.]
<poem>
પોથી અને પુરાણ, ભાગવતે ભિળસો નહીં,  
પોથી અને પુરાણ, ભાગવતે ભિળસો નહીં,  
કલમાં અને કુરાણ મુલ્લાં પોકારશે માંડળિક
કલમાં અને કુરાણ મુલ્લાં પોકારશે માંડળિક
</poem>
[હિન્દુ ધર્મના શાસ્ત્રો વંચાતા બંધ પડશે. આંહીં, જૂનાગઢમાં તો કલ્મા પઢશે. કુરાન વંચાશે. મુલ્લાઓ બાંગ પોકારશે.]
[હિન્દુ ધર્મના શાસ્ત્રો વંચાતા બંધ પડશે. આંહીં, જૂનાગઢમાં તો કલ્મા પઢશે. કુરાન વંચાશે. મુલ્લાઓ બાંગ પોકારશે.]
એવી જ કોપ-શક્તિ કામબાઈના દુહાઓમાં ભરી છે. પુણ્યપ્રકોપ સદા ભવ્ય હોય છે, તેવી ભવ્યતા અને કલ્પનાથી ભરેલો કામબાઈનો દુહો :
એવી જ કોપ-શક્તિ કામબાઈના દુહાઓમાં ભરી છે. પુણ્યપ્રકોપ સદા ભવ્ય હોય છે, તેવી ભવ્યતા અને કલ્પનાથી ભરેલો કામબાઈનો દુહો :
<poem>
ચારણને ચકમક તણી, ઓછી મ ગણ્યે આગ,  
ચારણને ચકમક તણી, ઓછી મ ગણ્યે આગ,  
હાડી હોયે તાગ (તોય) લાગે લાખણશીવડા.
હાડી હોયે તાગ (તોય) લાગે લાખણશીવડા.
</poem>
[મારા પર કુદૃષ્ટિ કરનારા ઓ લાખાજી જામ! ચકમક જેમ ઠંડો હોય છતાં પણ એમાં અનંત અગ્નિ ભરેલો છે, તેમ ચારણોમાં પણ છૂપો અગ્નિ ભર્યો છે. તને ભસ્મ કરી નાખશે.]
[મારા પર કુદૃષ્ટિ કરનારા ઓ લાખાજી જામ! ચકમક જેમ ઠંડો હોય છતાં પણ એમાં અનંત અગ્નિ ભરેલો છે, તેમ ચારણોમાં પણ છૂપો અગ્નિ ભર્યો છે. તને ભસ્મ કરી નાખશે.]
<poem>
ચમકપાણ લોહ ઓખધી, પાતંગ વખ પરાં,  
ચમકપાણ લોહ ઓખધી, પાતંગ વખ પરાં,  
અમરત ખાધે ઉતરે (ઇથ્રી)ચારણ લોહી બુરાં.
અમરત ખાધે ઉતરે (ઇથ્રી)ચારણ લોહી બુરાં.
</poem>
[ઓ લાખા રાજા! લોહ ધાતુ ખાવાથી શરીરમાં રોગ ફૂટી નીકળે, તો તેનું ઔષધ ચમકપહાણ છે, સર્પનું વિષ ઉતારવાને ઇલાજ અમૃત છે. પણ ચારણનું લોહી તો એવું બૂરું છે કે એનું પાન કર્યા પછી કંઈ ઇલાજ નહીં રહે.]
[ઓ લાખા રાજા! લોહ ધાતુ ખાવાથી શરીરમાં રોગ ફૂટી નીકળે, તો તેનું ઔષધ ચમકપહાણ છે, સર્પનું વિષ ઉતારવાને ઇલાજ અમૃત છે. પણ ચારણનું લોહી તો એવું બૂરું છે કે એનું પાન કર્યા પછી કંઈ ઇલાજ નહીં રહે.]
ઊજળી, નાગબાઈ, કામબાઈ ઇત્યાદિના દુહાઓ, એ કાંઈ સળંગ આખ્યાનોના દુહાઓ નથી, પણ નોખનોખાં ઊર્મિકાવ્યોની અક્કેક કડી સરખા હોય છે. આખી વાર્તાના એકાદ મર્મવેધક બનાવમાંથી એ દુહાઓની પરંપરા છૂટે છે — કાળજામાં બરછી વાગે અને રાતાચોળ રક્ત-બિન્દુઓની ધાર ઊછળે તેવી રીતે ઊજળીના દુહાઓ વિરહ-કાવ્યનો નમૂનો છે. નાગબાઈના ત્રીસ દુહાઓનું કોપ-કાવ્ય છે અને શ્રાદ્ધ-કાવ્ય (‘એલિજિ’)નો આદર્શ પોરસા વાળાના દુહાઓ પૂરો પાડે છે. માંડણ નામનો ચારણ, પોતાની તાજી પરણેલી ચારણીની સાથે આજથી આશરે છસો વરસ પૂર્વે સોરઠના સગાળા ગામને પાદરે આવ્યો. સાથે પાડો હતો. પાડાની પીઠ ઉપર ઘરવખરી લાદી હતી. કોઈ પણ ભલા રાજાનો આશરો શોધતો હતો. ચારણી! હું ગામમાં બાપુ પાસે જઈ આવું. એની હેતપ્રીત દેખીશ તો હમણાં આવીને ગામમાં લબાચા લઈ જશું. નીકર ચાલી નીકળશું. તું આંહીં જ, નદીના વેકરામાં જ ઊભી રહેજે હો! ખસતી નહીં. ચારણી કહે, નહિ ખસું. પણ ક્યાંય જા તો તને મારા સમ છે, હો! અતિ પ્રેમને લીધે પાપશંકી બનેલો પતિ એવા સોગંદ દઈને ગામમાં પોરસા વાળા દરબારની ડેલીએ ગયો. ડાયરાની ઠઠ્ઠ લાગી હતી, રૂપેરી પ્યાલીઓમાં રાતા કસુંબા રેડાતા હતા, સામસામી અંજલિ ધરીને શૂરવીરો સૂરજને રંગ દેતા હતા એમાં ચારણ ઝૂકી ગયો. કસુંબાના કેફમાં આંખોને ખૂણેખૂણેથી રાતી ચોળ શેડ્યો છૂટતાં તો ચારણે વાર્તા ઉપાડી. ડાયરાની ચારેય દિશાઓમાંથી ભણકારા ઊઠવા લાગ્યા. છંદો-ગીતો દુહાઓની રમઝટ : વાયરા જાણે વાર્તા સાંભળવા થંભી ગયા. વીરોનાં હૈયાંના ધબકારા વિના બીજું કશું સંભળાતું નથી. એવી જમાવટ : ચારણ બીજું બધું ભાન ભૂલ્યો. આંહીં એની વાર્તાનું પૂર બંધાયું, અને ત્યાં, પાદરની નદીમાં ઉપરવાસથી આષાઢી મેઘનાં પાણી ગરજ્યાં. એ બાઈ, કાંઠે આવતી રહે! આવતી રહે! પૂર આવે છે! પણ બાઈ કેમ કરીને ડગલું દ્યે? ચારણ ‘મારા સમ’ દઈને ગયો હતો. ઘૂમટો ઊંચો કરીને ચારણી કાંઠે નજર કરે છે. ચારણ નથી દેખાતો. દરિયાપીરનાં દૂત જેવાં મોજાં આવી પહોંચ્યા, અને જળદેવને વહાલી એ માનવ-સુંદરીને ઉપાડી દરિયા તરફ રવાના થયાં. ત્યાં તો ચારણ આવી પહોંચ્યો. ચારણી! ચારણી! મારા સમ! પણ ચારણી તો ગઈ. ફક્ત એની કસુંબલ ચૂંદડી જ એકવાર પાણીના હૈયા ઉપર દેખાણી.
ઊજળી, નાગબાઈ, કામબાઈ ઇત્યાદિના દુહાઓ, એ કાંઈ સળંગ આખ્યાનોના દુહાઓ નથી, પણ નોખનોખાં ઊર્મિકાવ્યોની અક્કેક કડી સરખા હોય છે. આખી વાર્તાના એકાદ મર્મવેધક બનાવમાંથી એ દુહાઓની પરંપરા છૂટે છે — કાળજામાં બરછી વાગે અને રાતાચોળ રક્ત-બિન્દુઓની ધાર ઊછળે તેવી રીતે ઊજળીના દુહાઓ વિરહ-કાવ્યનો નમૂનો છે. નાગબાઈના ત્રીસ દુહાઓનું કોપ-કાવ્ય છે અને શ્રાદ્ધ-કાવ્ય (‘એલિજિ’)નો આદર્શ પોરસા વાળાના દુહાઓ પૂરો પાડે છે. માંડણ નામનો ચારણ, પોતાની તાજી પરણેલી ચારણીની સાથે આજથી આશરે છસો વરસ પૂર્વે સોરઠના સગાળા ગામને પાદરે આવ્યો. સાથે પાડો હતો. પાડાની પીઠ ઉપર ઘરવખરી લાદી હતી. કોઈ પણ ભલા રાજાનો આશરો શોધતો હતો. ચારણી! હું ગામમાં બાપુ પાસે જઈ આવું. એની હેતપ્રીત દેખીશ તો હમણાં આવીને ગામમાં લબાચા લઈ જશું. નીકર ચાલી નીકળશું. તું આંહીં જ, નદીના વેકરામાં જ ઊભી રહેજે હો! ખસતી નહીં. ચારણી કહે, નહિ ખસું. પણ ક્યાંય જા તો તને મારા સમ છે, હો! અતિ પ્રેમને લીધે પાપશંકી બનેલો પતિ એવા સોગંદ દઈને ગામમાં પોરસા વાળા દરબારની ડેલીએ ગયો. ડાયરાની ઠઠ્ઠ લાગી હતી, રૂપેરી પ્યાલીઓમાં રાતા કસુંબા રેડાતા હતા, સામસામી અંજલિ ધરીને શૂરવીરો સૂરજને રંગ દેતા હતા એમાં ચારણ ઝૂકી ગયો. કસુંબાના કેફમાં આંખોને ખૂણેખૂણેથી રાતી ચોળ શેડ્યો છૂટતાં તો ચારણે વાર્તા ઉપાડી. ડાયરાની ચારેય દિશાઓમાંથી ભણકારા ઊઠવા લાગ્યા. છંદો-ગીતો દુહાઓની રમઝટ : વાયરા જાણે વાર્તા સાંભળવા થંભી ગયા. વીરોનાં હૈયાંના ધબકારા વિના બીજું કશું સંભળાતું નથી. એવી જમાવટ : ચારણ બીજું બધું ભાન ભૂલ્યો. આંહીં એની વાર્તાનું પૂર બંધાયું, અને ત્યાં, પાદરની નદીમાં ઉપરવાસથી આષાઢી મેઘનાં પાણી ગરજ્યાં. એ બાઈ, કાંઠે આવતી રહે! આવતી રહે! પૂર આવે છે! પણ બાઈ કેમ કરીને ડગલું દ્યે? ચારણ ‘મારા સમ’ દઈને ગયો હતો. ઘૂમટો ઊંચો કરીને ચારણી કાંઠે નજર કરે છે. ચારણ નથી દેખાતો. દરિયાપીરનાં દૂત જેવાં મોજાં આવી પહોંચ્યા, અને જળદેવને વહાલી એ માનવ-સુંદરીને ઉપાડી દરિયા તરફ રવાના થયાં. ત્યાં તો ચારણ આવી પહોંચ્યો. ચારણી! ચારણી! મારા સમ! પણ ચારણી તો ગઈ. ફક્ત એની કસુંબલ ચૂંદડી જ એકવાર પાણીના હૈયા ઉપર દેખાણી.
ચારણ પાગલ બની ગયો. દિવસ-રાત દુહાઓ લવતો રહ્યો :
ચારણ પાગલ બની ગયો. દિવસ-રાત દુહાઓ લવતો રહ્યો :
<poem>
હુતુ કામળની કોર, છેડેથી છૂટી પીયું,  
હુતુ કામળની કોર, છેડેથી છૂટી પીયું,  
રતન ગિયું રોળ, પાદર તમાણે, પોરસા.
રતન ગિયું રોળ, પાદર તમાણે, પોરસા.
</poem>
[ઓ પોરસા વાળા! મારે ગરીબને એક રત્ન હતું. મેં મૂરખાએ એને મારી કામળીને છેડે બાંધ્યું. ખબરું ન રહી. રત્ન છૂટીને ક્યારે તૂટી પડ્યું! તારે જ પાદરે, ઓ પોરસા! મારું રત્ન રોળાઈ ગયું.]
[ઓ પોરસા વાળા! મારે ગરીબને એક રત્ન હતું. મેં મૂરખાએ એને મારી કામળીને છેડે બાંધ્યું. ખબરું ન રહી. રત્ન છૂટીને ક્યારે તૂટી પડ્યું! તારે જ પાદરે, ઓ પોરસા! મારું રત્ન રોળાઈ ગયું.]
હૂતું તે હારી ગયાં, ખજીનો બેઠાં ખોઈ,  
હૂતું તે હારી ગયાં, ખજીનો બેઠાં ખોઈ,  
કામણગારું કોઈ, પાદર તમાણું, પોરસા.
કામણગારું કોઈ, પાદર તમાણું, પોરસા.
[મારી ગરીબની મૂડી હતી તે બધીય હું તારે પાદરે જ ગુમાવી બેઠો. હે પોરસા! તારું પાદર એવું તે કેવું કામણગારું!]
[મારી ગરીબની મૂડી હતી તે બધીય હું તારે પાદરે જ ગુમાવી બેઠો. હે પોરસા! તારું પાદર એવું તે કેવું કામણગારું!]
<poem>
કાયા કંકુની લોળ, સોના જ્યું અમે સાંચવી,  
કાયા કંકુની લોળ, સોના જ્યું અમે સાંચવી,  
પડ્યાં રાંકને રોળ, પરવશ કીધાં, પોરસા.
પડ્યાં રાંકને રોળ, પરવશ કીધાં, પોરસા.
</poem>
[કંકુની બનાવેલી પૂતળી જેવી એ ચારણીની કાયા હતી. સોનાની માફક અમૂલ્ય ગણીને હું સાચવતો હતો. ત્યાં તો રંકની લક્ષ્મી રોળાઈ ગઈ. હે પોરસા, તેં મને નિરાધાર કરી મૂક્યો.]
[કંકુની બનાવેલી પૂતળી જેવી એ ચારણીની કાયા હતી. સોનાની માફક અમૂલ્ય ગણીને હું સાચવતો હતો. ત્યાં તો રંકની લક્ષ્મી રોળાઈ ગઈ. હે પોરસા, તેં મને નિરાધાર કરી મૂક્યો.]
આવી આવી કરુણ દુહા-ધારા, એ વિયોગીની અશ્રુધારાની સાથોસાથ આખા વરસ સુધી ચાલુ રહી. બીજો આષાઢ આવ્યો. મરી ગયેલી ચારણીને એક બહેન હતી તેને, તેવાં જ વસ્ત્રો પહેરાવીને પાડા સહિત, દરબારે નદી વચ્ચે ઊભી રાખી. ‘પૂર આવ્યું! પૂર આવ્યું!’ એવા પોકાર કરાવ્યા. પાગલ ચારણ નદી કાંઠે દોડ્યો. ચારણી અને પાડો ઊભેલાં જોયાં. ભેટી પડ્યો. ચિત્તભ્રમ ચાલ્યો ગયો. જાણે કે કાંઈ બન્યું જ નથી.
આવી આવી કરુણ દુહા-ધારા, એ વિયોગીની અશ્રુધારાની સાથોસાથ આખા વરસ સુધી ચાલુ રહી. બીજો આષાઢ આવ્યો. મરી ગયેલી ચારણીને એક બહેન હતી તેને, તેવાં જ વસ્ત્રો પહેરાવીને પાડા સહિત, દરબારે નદી વચ્ચે ઊભી રાખી. ‘પૂર આવ્યું! પૂર આવ્યું!’ એવા પોકાર કરાવ્યા. પાગલ ચારણ નદી કાંઠે દોડ્યો. ચારણી અને પાડો ઊભેલાં જોયાં. ભેટી પડ્યો. ચિત્તભ્રમ ચાલ્યો ગયો. જાણે કે કાંઈ બન્યું જ નથી.
એ ઘટનાઓને પુરવાર કરનાર કોઈ દુહો નથી. દુહા કેવળ કલ્પાંતના જ છે. આવાં જ કલ્પાંત-કાવ્યો રાખાયત અને સોન કંસારીનાં છે. તાત્કાલિક તો આ બધા ઉદ્ગારો કદાચ ભાંગીતૂટી ભાષામાં ઊતર્યા હશે. પણ પછી તો એક મુખેથી બીજે મુખે, અને બીજેથી ત્રીજે, એમ હજારો મુખે દુહાઓ રમતા ગયા. હજારો જીભની સરાણે ચડતા ગયા. તેમ તેમ કંઠસ્થપણાને આવશ્યક પદલાલિત્ય અને પ્રાસાનુપ્રાસનાં પાનાં એને ચડતાં ગયાં. કારણ? કારણ કે નાદ-વૈભવ તો કંઠસ્થ સાહિત્યનો પ્રાણ ગણાય. નાદનો સાચો ખ્યાલ તો એ દુહા કરુણ હલકે ગવાતા સાંભળવાથી જ આવે. છતાં એ નાદનું આસ્વાદન વાચનથી પણ લગાર મળશે. માંગડાની પ્રેમિકાનો એક સ્વર લઈએ :
એ ઘટનાઓને પુરવાર કરનાર કોઈ દુહો નથી. દુહા કેવળ કલ્પાંતના જ છે. આવાં જ કલ્પાંત-કાવ્યો રાખાયત અને સોન કંસારીનાં છે. તાત્કાલિક તો આ બધા ઉદ્ગારો કદાચ ભાંગીતૂટી ભાષામાં ઊતર્યા હશે. પણ પછી તો એક મુખેથી બીજે મુખે, અને બીજેથી ત્રીજે, એમ હજારો મુખે દુહાઓ રમતા ગયા. હજારો જીભની સરાણે ચડતા ગયા. તેમ તેમ કંઠસ્થપણાને આવશ્યક પદલાલિત્ય અને પ્રાસાનુપ્રાસનાં પાનાં એને ચડતાં ગયાં. કારણ? કારણ કે નાદ-વૈભવ તો કંઠસ્થ સાહિત્યનો પ્રાણ ગણાય. નાદનો સાચો ખ્યાલ તો એ દુહા કરુણ હલકે ગવાતા સાંભળવાથી જ આવે. છતાં એ નાદનું આસ્વાદન વાચનથી પણ લગાર મળશે. માંગડાની પ્રેમિકાનો એક સ્વર લઈએ :
<poem>
વડલા, તારી વરાળ પાને પાને પરઝળી,  
વડલા, તારી વરાળ પાને પાને પરઝળી,  
(હું) કીસેં ઝંપાવું ઝાળ, મને ભડકા લાગે ભૂતના.
(હું) કીસેં ઝંપાવું ઝાળ, મને ભડકા લાગે ભૂતના.
</poem>
[હે વડલા! તારે પાને પાને માંગડા ભૂતના ભડાકાઓની વરાળ ધગધગી રહી છે. હું આ આગ શી રીતે બુઝાવું? મને ય દેહને રૂંવે રૂંવે એ પ્રીતમના પ્રેતે જ્વાળા મેલી છે.]
[હે વડલા! તારે પાને પાને માંગડા ભૂતના ભડાકાઓની વરાળ ધગધગી રહી છે. હું આ આગ શી રીતે બુઝાવું? મને ય દેહને રૂંવે રૂંવે એ પ્રીતમના પ્રેતે જ્વાળા મેલી છે.]
એકાકિની પ્રિયતમાનું આ ઘોર રુદન અધરાતે કોઈ સળગી ઊઠેલા ભૂત-નિવાસનું ભાન એના માત્ર નાદથી જ કરાવી શકે છે. અને એના ઉત્તરમાં વડલાના પોલાણમાંથી પ્રેત બોલે છે;
એકાકિની પ્રિયતમાનું આ ઘોર રુદન અધરાતે કોઈ સળગી ઊઠેલા ભૂત-નિવાસનું ભાન એના માત્ર નાદથી જ કરાવી શકે છે. અને એના ઉત્તરમાં વડલાના પોલાણમાંથી પ્રેત બોલે છે;
<poem>
સહુ રોતો સંસાર, (એને) પાંપણિયે પાણી ઝરે,  
સહુ રોતો સંસાર, (એને) પાંપણિયે પાણી ઝરે,  
(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.
(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.
</poem>
[હે પદ્મા! તારા જેવાં સંસારી રડે તેને તો પાંપણે પાણીનાં આંસુ પડે. પણ અમે ભૂત રડીએ તે તો દારુણ રુદન : અમારે આંસુ ન હોય, આંખેથી લોહી જ ઝરે.]
[હે પદ્મા! તારા જેવાં સંસારી રડે તેને તો પાંપણે પાણીનાં આંસુ પડે. પણ અમે ભૂત રડીએ તે તો દારુણ રુદન : અમારે આંસુ ન હોય, આંખેથી લોહી જ ઝરે.]
આ બે પંક્તિમાંથી નીકળતા નાદને હૅમલેટના પિતૃ-પ્રેતના પચાસ પંક્તિના રુદન-ધ્વનિ સાથે સરખાવી ન શકાય? બેમાંથી કયું ચડે?
આ બે પંક્તિમાંથી નીકળતા નાદને હૅમલેટના પિતૃ-પ્રેતના પચાસ પંક્તિના રુદન-ધ્વનિ સાથે સરખાવી ન શકાય? બેમાંથી કયું ચડે?
Line 284: Line 298:
અને આ સાહિત્યની ભાષા તો ‘જાંગડી’ નામથી ઓળખાય છે. કચ્છી, મારવાડી અને ગુજરાતીનું મિશ્રણ. ચારણો, કાઠીઓ, આયરો વગેરે આ ભાષા બોલતાં. બીજી ભાષાઓના પુટ પણ દરેક દુહાના દેહ પર ચડતા આવ્યા હશે. હવે એને શિષ્ટ ગુજરાતીનો સ્વાંગ પહેરાવવા પ્રયત્ન થાય છે.
અને આ સાહિત્યની ભાષા તો ‘જાંગડી’ નામથી ઓળખાય છે. કચ્છી, મારવાડી અને ગુજરાતીનું મિશ્રણ. ચારણો, કાઠીઓ, આયરો વગેરે આ ભાષા બોલતાં. બીજી ભાષાઓના પુટ પણ દરેક દુહાના દેહ પર ચડતા આવ્યા હશે. હવે એને શિષ્ટ ગુજરાતીનો સ્વાંગ પહેરાવવા પ્રયત્ન થાય છે.
આ આખો વિભાગ લોકસાહિત્યની — લોકગીતની — સૃષ્ટિનો છે. સાગરમાં ટાપુઓ ઊભા થાય, કે ધરતીમાંથી જ્વાળામુખી ફાટે, તેવા સ્વયંભૂ સુરમ્ય ને સળગતા આ દુહાઓ છે.
આ આખો વિભાગ લોકસાહિત્યની — લોકગીતની — સૃષ્ટિનો છે. સાગરમાં ટાપુઓ ઊભા થાય, કે ધરતીમાંથી જ્વાળામુખી ફાટે, તેવા સ્વયંભૂ સુરમ્ય ને સળગતા આ દુહાઓ છે.
j
 
ધારા બીજી
<center>'''ધારા બીજી'''</center>
શીરીં-ફરહાદ, યુસુફ-ઝુલેખાં, લૈલા-મઝનૂ અને રોમિયો-જુલિયેટ નામનાં ચાર-આઠ યુગલોની કબરો ઉપર આખી દુનિયાના સાહિત્યકારોએ કવિતાનાં ફૂલો વેર્યાં છે. એ ચાર પ્રેમ-કથાઓ અજોડ મનાયલી છે. પ્રેમીઓના એ આદર્શો થઈ પડ્યા છે. પરંતુ સોરઠનાં એવાં કૈંક શીરીં-ફરહાદોની દેરીઓ ઉપર તો ખુદ ગુજરાતની યે માત્ર તીરછી જ નજર પડી છે. એ રાણો-કુંવર, લાખો-માણેકદે, મેહ-ઊજળી, અને ઓઢો-હોથલ જેવાં પ્રેમિકોની સમાધિઓ ઉપર અર્વાચીન કવિતાએ ધૂપ-દીપક પ્રગટાવ્યા નથી. એ સોરઠી યુગલોનાં વિસરાયલા સ્મશાનની અંદર એ દુહા-જડિત સ્નેહકથાઓની ધારા પૂરી કરીને નવી ધારાઓનું દર્શન કરાવાય છે.
શીરીં-ફરહાદ, યુસુફ-ઝુલેખાં, લૈલા-મઝનૂ અને રોમિયો-જુલિયેટ નામનાં ચાર-આઠ યુગલોની કબરો ઉપર આખી દુનિયાના સાહિત્યકારોએ કવિતાનાં ફૂલો વેર્યાં છે. એ ચાર પ્રેમ-કથાઓ અજોડ મનાયલી છે. પ્રેમીઓના એ આદર્શો થઈ પડ્યા છે. પરંતુ સોરઠનાં એવાં કૈંક શીરીં-ફરહાદોની દેરીઓ ઉપર તો ખુદ ગુજરાતની યે માત્ર તીરછી જ નજર પડી છે. એ રાણો-કુંવર, લાખો-માણેકદે, મેહ-ઊજળી, અને ઓઢો-હોથલ જેવાં પ્રેમિકોની સમાધિઓ ઉપર અર્વાચીન કવિતાએ ધૂપ-દીપક પ્રગટાવ્યા નથી. એ સોરઠી યુગલોનાં વિસરાયલા સ્મશાનની અંદર એ દુહા-જડિત સ્નેહકથાઓની ધારા પૂરી કરીને નવી ધારાઓનું દર્શન કરાવાય છે.
ઐતિહાસિક પુરુષોની તેમજ ઐતિહાસિક પ્રસંગોની  
 
દુહાગીતો કે છંદો વાટે પ્રશસ્તિઓ
<center>'''ઐતિહાસિક પુરુષોની તેમજ ઐતિહાસિક પ્રસંગોની'''</center>
<center>'''દુહાગીતો કે છંદો વાટે પ્રશસ્તિઓ'''</center>
આંહીં આખો રસ બદલે છે. સોરઠી કાવ્ય-કલા કેવળ ચારણોના હાથમાં જ ચાલી જાય છે. અને તે ‘કોન્શિયસ આર્ટ’ (જ્ઞાનપૂર્વક રચાયેલી કલા) બને છે. કવિના રાજ-દરબારમાં આવતી-જતી થાય છે. પ્રેમસૃષ્ટિમાંની કવિતા શૌર્ય-સૃષ્ટિમાં પ્રવેશ કરે છે. લોક-ઉદ્ગાર બને છે. ઘટનાઓ જન્માવી શૂરવીરોએ કે સત્તાવાદીઓએ અને એને આલેખી બીજાઓએ — શૌર્યપૂજક સત્યપૂજક ચારણોએ. બે હજાર વર્ષ પૂર્વેના નાગાજણ જેઠવાના મસ્તકદાનથી માંડીને આજકાલના બહારવટિયાની લોંઠકાઈ (શરીરબળનાં પરાક્રમો) સુધીના બનાવો એ રીતે સંઘરાયા છે. અને કેવું છે એનું રૂપ?
આંહીં આખો રસ બદલે છે. સોરઠી કાવ્ય-કલા કેવળ ચારણોના હાથમાં જ ચાલી જાય છે. અને તે ‘કોન્શિયસ આર્ટ’ (જ્ઞાનપૂર્વક રચાયેલી કલા) બને છે. કવિના રાજ-દરબારમાં આવતી-જતી થાય છે. પ્રેમસૃષ્ટિમાંની કવિતા શૌર્ય-સૃષ્ટિમાં પ્રવેશ કરે છે. લોક-ઉદ્ગાર બને છે. ઘટનાઓ જન્માવી શૂરવીરોએ કે સત્તાવાદીઓએ અને એને આલેખી બીજાઓએ — શૌર્યપૂજક સત્યપૂજક ચારણોએ. બે હજાર વર્ષ પૂર્વેના નાગાજણ જેઠવાના મસ્તકદાનથી માંડીને આજકાલના બહારવટિયાની લોંઠકાઈ (શરીરબળનાં પરાક્રમો) સુધીના બનાવો એ રીતે સંઘરાયા છે. અને કેવું છે એનું રૂપ?
<poem>
કમળ વણ ભારથ કીયો, દેહ વણ દીધાં દાન;  
કમળ વણ ભારથ કીયો, દેહ વણ દીધાં દાન;  
વાળા એ વિધાન, ચાંપા કેને ચડાવીએ.
વાળા એ વિધાન, ચાંપા કેને ચડાવીએ.
</poem>
આ દુહામાં જેતપુરના કાઠી વીર ચાંપરાજ વાળાનાં બે પરાક્રમો અમર થયાં. એ તો મસ્તક પડ્યા પછી પણ ધડે બાદશાહના સૈન્ય સામે યુદ્ધ કર્યું તે; અને બીજું સ્મશાનમાંથી સૂક્ષ્મ શરીરે આવીને, પોતે જીવતાં આપેલા કોલ પ્રમાણે ચારણને સ્વહસ્તે ઘોડો સમર્પ્યો તે. હવે બીજો દુહો :
આ દુહામાં જેતપુરના કાઠી વીર ચાંપરાજ વાળાનાં બે પરાક્રમો અમર થયાં. એ તો મસ્તક પડ્યા પછી પણ ધડે બાદશાહના સૈન્ય સામે યુદ્ધ કર્યું તે; અને બીજું સ્મશાનમાંથી સૂક્ષ્મ શરીરે આવીને, પોતે જીવતાં આપેલા કોલ પ્રમાણે ચારણને સ્વહસ્તે ઘોડો સમર્પ્યો તે. હવે બીજો દુહો :
<poem>
પતશાએ પતગરિયાં નહીં, પોહપ પાછાં જાય;  
પતશાએ પતગરિયાં નહીં, પોહપ પાછાં જાય;  
ચાંપો છાબાંમાંય, ઊઠે એભલરાઉત.
ચાંપો છાબાંમાંય, ઊઠે એભલરાઉત.
</poem>
[પુષ્પોની છાબડી લઈને માળી બાદશાહ પાસે ગયો; બાદશાહે પોતાના શત્રુ ચાંપરાજ વાળાનાં નામેરી ચંપા પુષ્પો જોયાં. જોઈને ડર્યો કે રખેને ચંપા પુષ્પોમાંથી ચાંપો (ચાંપરાજ) ઊભો થાય! ડરીને એણે પુષ્પની છાબડી પાછી વાળી.]
[પુષ્પોની છાબડી લઈને માળી બાદશાહ પાસે ગયો; બાદશાહે પોતાના શત્રુ ચાંપરાજ વાળાનાં નામેરી ચંપા પુષ્પો જોયાં. જોઈને ડર્યો કે રખેને ચંપા પુષ્પોમાંથી ચાંપો (ચાંપરાજ) ઊભો થાય! ડરીને એણે પુષ્પની છાબડી પાછી વાળી.]
ત્રીજો દુહો :
ત્રીજો દુહો :
<poem>
ખાંડા તણો ખડે, પોહવ પારીસો કીયો;  
ખાંડા તણો ખડે, પોહવ પારીસો કીયો;  
કર દીધાં કલબે, આડા એભલ રાઉત.
કર દીધાં કલબે, આડા એભલ રાઉત.
</poem>
[હે એભલના પુત્ર ચાંપરાજ! તેં યુદ્ધરૂપી જમણવારમાં, ખડ્ગરૂપી મિષ્ટાન્ન પીરસ્યું, આગ્રહ કરી કરીને પીરસ્યું; તૃપ્ત થયેલા મુસલમાનોએ વિશેષ ન સહાયથી આડા હાથ ધર્યા.]
[હે એભલના પુત્ર ચાંપરાજ! તેં યુદ્ધરૂપી જમણવારમાં, ખડ્ગરૂપી મિષ્ટાન્ન પીરસ્યું, આગ્રહ કરી કરીને પીરસ્યું; તૃપ્ત થયેલા મુસલમાનોએ વિશેષ ન સહાયથી આડા હાથ ધર્યા.]
આ બન્ને દુહાઓમાં કોઈ ઐતિહાસિક હકીકત (‘ફૅક્ટ’) નથી. પણ ઊંચી સંસ્કૃત કૃતિને સ્મરાવે તેવી ધ્વન્યાત્મક ચમત્કૃતિ ભરી છે. એવો જ એક બહારવટિયાનો દુહો લઈએ :
આ બન્ને દુહાઓમાં કોઈ ઐતિહાસિક હકીકત (‘ફૅક્ટ’) નથી. પણ ઊંચી સંસ્કૃત કૃતિને સ્મરાવે તેવી ધ્વન્યાત્મક ચમત્કૃતિ ભરી છે. એવો જ એક બહારવટિયાનો દુહો લઈએ :
<poem>
આવછ દરવાજે અભંગ, ભડ રમવા ભાલે;  
આવછ દરવાજે અભંગ, ભડ રમવા ભાલે;  
(ત્યાં તો) મરેઠીઉં રંગમોલે, ચાંપાને જોવા ચડે.
(ત્યાં તો) મરેઠીઉં રંગમોલે, ચાંપાને જોવા ચડે.
</poem>
[હે વીર ચાંપરાજ! તું જ્યારે અમરેલી શહેરને દરવાજે ભાલાંની રમત રમવા (લૂંટવા) આવે છે, ત્યારે તને જોવા માટે, મોટા મોટા મરેઠા અધિકારીઓની રમણીઓ બંગલાની બારીએ ચડીને બેસે છે.]
[હે વીર ચાંપરાજ! તું જ્યારે અમરેલી શહેરને દરવાજે ભાલાંની રમત રમવા (લૂંટવા) આવે છે, ત્યારે તને જોવા માટે, મોટા મોટા મરેઠા અધિકારીઓની રમણીઓ બંગલાની બારીએ ચડીને બેસે છે.]
શૌર્યનું આ વર્ણન અત્યંત લાક્ષણિક છે. એ રીતે ઐતિહાસિક પુરુષોની તેમજ ઐતિહાસિક ઘટનાઓની પ્રશસ્તિમાં (1) વીરત્વનો ઇતિહાસ, (2) વીર-પૂજા અને (3) કાવ્ય-કલા — એ ત્રણ તત્ત્વો ગૂંથાતાં ગયાં. કાળા મરમલ2 નામના એક કાઠીના યુદ્ધનું વર્ણન થયું. તેમાં યુદ્ધને એક સાથે પાંચ રૂપક અપાયાં.
શૌર્યનું આ વર્ણન અત્યંત લાક્ષણિક છે. એ રીતે ઐતિહાસિક પુરુષોની તેમજ ઐતિહાસિક ઘટનાઓની પ્રશસ્તિમાં (1) વીરત્વનો ઇતિહાસ, (2) વીર-પૂજા અને (3) કાવ્ય-કલા — એ ત્રણ તત્ત્વો ગૂંથાતાં ગયાં. કાળા મરમલ2 નામના એક કાઠીના યુદ્ધનું વર્ણન થયું. તેમાં યુદ્ધને એક સાથે પાંચ રૂપક અપાયાં.
<poem>
ભૂખાળુ ભાલા તણો, કળકળતો કટકે,  
ભૂખાળુ ભાલા તણો, કળકળતો કટકે,  
ભોજન ખગ ભાળ્યે (હવે) ક્યાંથી આવે કાળિયો?
ભોજન ખગ ભાળ્યે (હવે) ક્યાંથી આવે કાળિયો?
</poem>
[ભાલાં અને તરવાર રૂપી ભોજનને માટે વલખાં મારતો એ કાળો, હવે એ મિષ્ટાન્ન જોયા પછી ક્યાંથી પાછો આવે?]
[ભાલાં અને તરવાર રૂપી ભોજનને માટે વલખાં મારતો એ કાળો, હવે એ મિષ્ટાન્ન જોયા પછી ક્યાંથી પાછો આવે?]
<poem>
કુંતારી હોળી કરી, (ઉપર) ઘર હર રંભા ઘેર;  
કુંતારી હોળી કરી, (ઉપર) ઘર હર રંભા ઘેર;  
(એમાં) નાખ્યા વણ નાળિયેર, ક્યાંથી આવે કાળિયો?
(એમાં) નાખ્યા વણ નાળિયેર, ક્યાંથી આવે કાળિયો?
</poem>
[ભાલાં રૂપી અગ્નિ-શિખાઓની હોળી પ્રગટી, અને તે ઉપર રંભાઓ રૂપી રમણીઓ ઘેરો વળીને ઊભી હતી. એવી હુતાશનીમાં શ્રીફળ (મસ્તક) હોમ્યા વિના કાળો ક્યાંથી પાછો ફરે?]
[ભાલાં રૂપી અગ્નિ-શિખાઓની હોળી પ્રગટી, અને તે ઉપર રંભાઓ રૂપી રમણીઓ ઘેરો વળીને ઊભી હતી. એવી હુતાશનીમાં શ્રીફળ (મસ્તક) હોમ્યા વિના કાળો ક્યાંથી પાછો ફરે?]
<poem>
આવે ગાતી અપસરા, સૂરા સામૈયે;  
આવે ગાતી અપસરા, સૂરા સામૈયે;  
પાછો વણપરણ્યે, ક્યાંથી આવે કાળિયો?
પાછો વણપરણ્યે, ક્યાંથી આવે કાળિયો?
</poem>
[એ તો યુદ્ધરૂપી લગ્ન થતાં હતાં. દેવલોકો અને અપ્સરાઓ સામૈયું કરીને કાળારૂપી વરરાજાને તેડવા આવતાં હતાં. એવા સુંદર વિવાહમાંથી કાળો વિનાપરણ્યે પાછો ક્યાંથી આવે?]
[એ તો યુદ્ધરૂપી લગ્ન થતાં હતાં. દેવલોકો અને અપ્સરાઓ સામૈયું કરીને કાળારૂપી વરરાજાને તેડવા આવતાં હતાં. એવા સુંદર વિવાહમાંથી કાળો વિનાપરણ્યે પાછો ક્યાંથી આવે?]
<poem>
ભેળ્યું ખેત્ર ભડ્યે, રોરવ રાંક વારે;  
ભેળ્યું ખેત્ર ભડ્યે, રોરવ રાંક વારે;  
નસીઅર નીંઘલતે, ક્યાંથી આવે કાળિયો?
નસીઅર નીંઘલતે, ક્યાંથી આવે કાળિયો?
</poem>
[આ યુદ્ધ નહોતું, પણ દુષ્કાળમાં શૂરવીરો રૂપી ભિખારીઓએ લૂંટવા માંડેલું અનાજનું ખેતર હતું. એવા ખેતરમાં કાળ રૂપી નીંઘલે કોડ ઊભો હતો. એને ભિખારીઓ ક્યાંથી છોડે?]
[આ યુદ્ધ નહોતું, પણ દુષ્કાળમાં શૂરવીરો રૂપી ભિખારીઓએ લૂંટવા માંડેલું અનાજનું ખેતર હતું. એવા ખેતરમાં કાળ રૂપી નીંઘલે કોડ ઊભો હતો. એને ભિખારીઓ ક્યાંથી છોડે?]
<poem>
કાળાનું સર કોય, કાલીનો કુંભ વારે,  
કાળાનું સર કોય, કાલીનો કુંભ વારે,  
વણફૂટ્યું વસળોય, ક્યાંથી લાવે કાળિયો?
વણફૂટ્યું વસળોય, ક્યાંથી લાવે કાળિયો?
</poem>
[કાળાનું માથું તો ગાંડીને માથે બેડા જેવું હતું. એ ફૂટ્યા વિના પાછું ક્યાંથી આવે?]
[કાળાનું માથું તો ગાંડીને માથે બેડા જેવું હતું. એ ફૂટ્યા વિના પાછું ક્યાંથી આવે?]
આ પાંચેય રૂપકો અપૂર્વ પરિપૂર્ણતાએ પહોંચેલા કલાવિધાનની કૃતિઓ છે.
આ પાંચેય રૂપકો અપૂર્વ પરિપૂર્ણતાએ પહોંચેલા કલાવિધાનની કૃતિઓ છે.
આ વિભાગમાં દુહાનું શુદ્ધ સ્વરૂપ (‘ફૉર્મેશન’) પૂર્ણતાએ પહોંચ્યું; રચનારે માત્રામેળ, પ્રાસાનુપ્રાસ, ઝડઝમક અને અન્ય અલંકારરૂપી પાસાઓ પાડીને જાતજાતના હીરા વેર્યા. એ પાસા પાડનાર કારીગરો અલંકારશાસ્ત્રો કે કાવ્યશાસ્ત્ર નહોતા શીખ્યા. ડીંગળી સાહિત્યનાં એવાં પુસ્તકો તો ત્યાર પછી રચાયાં.
આ વિભાગમાં દુહાનું શુદ્ધ સ્વરૂપ (‘ફૉર્મેશન’) પૂર્ણતાએ પહોંચ્યું; રચનારે માત્રામેળ, પ્રાસાનુપ્રાસ, ઝડઝમક અને અન્ય અલંકારરૂપી પાસાઓ પાડીને જાતજાતના હીરા વેર્યા. એ પાસા પાડનાર કારીગરો અલંકારશાસ્ત્રો કે કાવ્યશાસ્ત્ર નહોતા શીખ્યા. ડીંગળી સાહિત્યનાં એવાં પુસ્તકો તો ત્યાર પછી રચાયાં.
આ રીતે એની નૈસર્ગિક ઊર્મિમયતા ઓછી થઈ, પણ નાદવૈભવ વધ્યો. કારણ કે પછી તો એ વાડીઓ કે ઝૂંપડામાં વ્યક્તિગત રસાસ્વાદનું સાધન મટીને એક સો શૂરવીરોના ડાયરાને ડોલાવવાનું સાધન બન્યું. એવી તાત્કાલિક અસર પાડવા ખાતર એનું પદલાલિત્ય જોરથી ખીલ્યું. શબ્દો વાજીંત્રના તારના ઝંકાર સરીખા બન્યા; ઉદાહરણ :
આ રીતે એની નૈસર્ગિક ઊર્મિમયતા ઓછી થઈ, પણ નાદવૈભવ વધ્યો. કારણ કે પછી તો એ વાડીઓ કે ઝૂંપડામાં વ્યક્તિગત રસાસ્વાદનું સાધન મટીને એક સો શૂરવીરોના ડાયરાને ડોલાવવાનું સાધન બન્યું. એવી તાત્કાલિક અસર પાડવા ખાતર એનું પદલાલિત્ય જોરથી ખીલ્યું. શબ્દો વાજીંત્રના તારના ઝંકાર સરીખા બન્યા; ઉદાહરણ :
<poem>
કડકે જમીંનું પીઠ, વ્રેમંડ પડ ધડકે, વજા;  
કડકે જમીંનું પીઠ, વ્રેમંડ પડ ધડકે, વજા;  
નાળ્યું છલકે નત્રીઠ, ધુબાકે પેરંભના ધણી.
નાળ્યું છલકે નત્રીઠ, ધુબાકે પેરંભના ધણી.
</poem>
[હે પેરંભપતિ વજેસિંહજી! જ્યારે તારી તોપોના ધડાકા થાય છે, ત્યારે પૃથ્વીની પીઠ કડાકા કરે છે, અને આકાશનું પડ ધડકી ઊઠે છે.]
[હે પેરંભપતિ વજેસિંહજી! જ્યારે તારી તોપોના ધડાકા થાય છે, ત્યારે પૃથ્વીની પીઠ કડાકા કરે છે, અને આકાશનું પડ ધડકી ઊઠે છે.]
આ શબ્દ-રચનામાંથી અર્થાનુકૂલ શોર ગાજે છે.
આ શબ્દ-રચનામાંથી અર્થાનુકૂલ શોર ગાજે છે.
<poem>
પાટણ આયાં પૂર, ખળહળતાં ખાંડાં તણાં;  
પાટણ આયાં પૂર, ખળહળતાં ખાંડાં તણાં;  
શેલે માંહી શૂર, ભેંસાસણ શો ભીમાઉત.
શેલે માંહી શૂર, ભેંસાસણ શો ભીમાઉત.
</poem>
[પાટણમાં તરવારોનાં પૂર છલક્યાં. એ પૂરમાં પાડા સરીખો શૂરવીર હમીરજી (ભીમજીનો પુત્ર) સેલી રહ્યો છે — તરે છે.]
[પાટણમાં તરવારોનાં પૂર છલક્યાં. એ પૂરમાં પાડા સરીખો શૂરવીર હમીરજી (ભીમજીનો પુત્ર) સેલી રહ્યો છે — તરે છે.]
આ શબ્દોચ્ચારણમાંથી પૂરના ઘુઘવાટાનો રવ ઊઠે છે. છતાં એનું અર્થ-રહસ્ય ઓછું થતું નથી. શબ્દોની બહુલતા, કે કલ્પનાઓનો અતિરેક નથી. ‘બ્યૂટી ઑફ આર્ટ લાઇઝ ઇન ઇટ્સ કન્સીલમેન્ટ ઑફ આર્ટ’ એ લક્ષણ આ પ્રશસ્તિના દુહાઓમાં ઝલકે છે. આગળ ચાલતાં આપણે જ્યારે બીજાં કાવ્યરૂપો-ગીતો, કવિતો, છંદો-નો વિચાર કરશું ત્યારે આ ઐશ્વર્યનો પૂરો ખ્યાલ આવશે.
આ શબ્દોચ્ચારણમાંથી પૂરના ઘુઘવાટાનો રવ ઊઠે છે. છતાં એનું અર્થ-રહસ્ય ઓછું થતું નથી. શબ્દોની બહુલતા, કે કલ્પનાઓનો અતિરેક નથી. ‘બ્યૂટી ઑફ આર્ટ લાઇઝ ઇન ઇટ્સ કન્સીલમેન્ટ ઑફ આર્ટ’ એ લક્ષણ આ પ્રશસ્તિના દુહાઓમાં ઝલકે છે. આગળ ચાલતાં આપણે જ્યારે બીજાં કાવ્યરૂપો-ગીતો, કવિતો, છંદો-નો વિચાર કરશું ત્યારે આ ઐશ્વર્યનો પૂરો ખ્યાલ આવશે.
આ સાહિત્ય-ધારા અતિ વિશાળ પ્રદેશ પર રેલાએલી છે. કારણ કે સૌરાષ્ટ્ર દેશ કૈં કૈં શતકો થયાં સમરાંગણ જેવો બની રહ્યો હતો. દિવસ-રાત ઘમસાણો જ ચાલતાં. પરંતુ એ ઘમસાણમાં માત્ર દેહબળ જ નહોતું. રજપૂતોનું એકવચનીપણું, અભયદાન, શિયળ અને કાવ્યરસિકત્વ; એ બધા સંસ્કારોનાં પડેપડમાંથી ગળાઈને જે શૌર્ય નીતરતું, તેના પ્રસંગે પ્રસંગમાં પ્રેમ-શૌર્યની વિરલ સંસ્કૃતિ આ ભૂમિ પર સીંચાતી હતી. લૂંટારુઓ પણ તપસ્વી હતા. નહીં તો આખા દેશને લૂંટવા નીકળેલ બહારવટિયો જોગીદાસ કોઈ પરનારી સામે સરતચૂકથી પણ જોવાઈ જતાં પોતાની આંખમાં મરચાં આંજીને શા માટે સૂએ? અને પોતાના જ શત્રુ વજેસિંહજીની દીકરીનું ગામડું લૂંટ્યા વિના કેમ છોડે? રાજપૂતોની આ ચારિત્ર્ય-નીતિ આખા લોક-સમાજને તરબોળ કરી રહી હતી. ઢેઢ-ભંગિયાથી માંડીને વાણિયા-બ્રાહ્મણ સુધી એ સંસ્કારો તેજ કરતા હતા. એટલા માટે જ એવા ઢેઢ-ભંગિયાને પણ ચારણોએ કશા ભેદભાવ વિના કાવ્યમાં અમર કર્યા છે. જેતપુરના ચાંપરાજ વાળાનો માનીતો યોદ્ધો જોગડો ઢેઢ કોઠા પરથી કૂદીને યુદ્ધમાં સહુ શૂરવીરોની પહેલાં મરાયો. કેટલી કોમળતાથી અને માનભરી રીતે ચારણોની વીણાએ એ ચમારનો પણ યશ ગાયો છે! ચારણો એના દંપતી-જીવનને એક દુહામાં જ ભવ્ય બનાવી દે છે. યુદ્ધની આગલી રાતે એની સ્ત્રી એને શું કહેતી હશે? ચારણોએ ચમારણના મોંમાં ઉદ્ગાર મૂક્યો :
આ સાહિત્ય-ધારા અતિ વિશાળ પ્રદેશ પર રેલાએલી છે. કારણ કે સૌરાષ્ટ્ર દેશ કૈં કૈં શતકો થયાં સમરાંગણ જેવો બની રહ્યો હતો. દિવસ-રાત ઘમસાણો જ ચાલતાં. પરંતુ એ ઘમસાણમાં માત્ર દેહબળ જ નહોતું. રજપૂતોનું એકવચનીપણું, અભયદાન, શિયળ અને કાવ્યરસિકત્વ; એ બધા સંસ્કારોનાં પડેપડમાંથી ગળાઈને જે શૌર્ય નીતરતું, તેના પ્રસંગે પ્રસંગમાં પ્રેમ-શૌર્યની વિરલ સંસ્કૃતિ આ ભૂમિ પર સીંચાતી હતી. લૂંટારુઓ પણ તપસ્વી હતા. નહીં તો આખા દેશને લૂંટવા નીકળેલ બહારવટિયો જોગીદાસ કોઈ પરનારી સામે સરતચૂકથી પણ જોવાઈ જતાં પોતાની આંખમાં મરચાં આંજીને શા માટે સૂએ? અને પોતાના જ શત્રુ વજેસિંહજીની દીકરીનું ગામડું લૂંટ્યા વિના કેમ છોડે? રાજપૂતોની આ ચારિત્ર્ય-નીતિ આખા લોક-સમાજને તરબોળ કરી રહી હતી. ઢેઢ-ભંગિયાથી માંડીને વાણિયા-બ્રાહ્મણ સુધી એ સંસ્કારો તેજ કરતા હતા. એટલા માટે જ એવા ઢેઢ-ભંગિયાને પણ ચારણોએ કશા ભેદભાવ વિના કાવ્યમાં અમર કર્યા છે. જેતપુરના ચાંપરાજ વાળાનો માનીતો યોદ્ધો જોગડો ઢેઢ કોઠા પરથી કૂદીને યુદ્ધમાં સહુ શૂરવીરોની પહેલાં મરાયો. કેટલી કોમળતાથી અને માનભરી રીતે ચારણોની વીણાએ એ ચમારનો પણ યશ ગાયો છે! ચારણો એના દંપતી-જીવનને એક દુહામાં જ ભવ્ય બનાવી દે છે. યુદ્ધની આગલી રાતે એની સ્ત્રી એને શું કહેતી હશે? ચારણોએ ચમારણના મોંમાં ઉદ્ગાર મૂક્યો :
<poem>
સારસ સાજી રાત, વલખે વાલમ જ્યું;  
સારસ સાજી રાત, વલખે વાલમ જ્યું;  
રહોની આજુ રાત, (અમારી) જોડે વછોડો મા, જોગડા.
રહોની આજુ રાત, (અમારી) જોડે વછોડો મા, જોગડા.
</poem>
[હે સ્વામી જોગડા! સારસી (ચક્રવાકી)ની માફક મારે પણ આખી રાત ઝૂરવાનું રહેશે. આજની રાત તો રહી જાઓ! મારી જોડલી કાં વિછોડો?]
[હે સ્વામી જોગડા! સારસી (ચક્રવાકી)ની માફક મારે પણ આખી રાત ઝૂરવાનું રહેશે. આજની રાત તો રહી જાઓ! મારી જોડલી કાં વિછોડો?]
પ્રેમ-શૌર્યના એ યુગમાં રજપૂતોને વંશે વંશે અને અન્ય લોકોની કોમે કોમે એવા અપૂર્વ કિસ્સાઓ બન્યા પણ કોઈ ઇતિહાસમાં નોંધાયા નહીં. સાહિત્યના કલેજામાં જ એના કીર્તિલેખો સંઘરાઈ રહ્યા છે, ને લોક-સમાજમાં વાયુની પેરે ફૂંકાયા છે. એ વાયુ ચારણોની બંસીમાં વહ્યો. વહીને રાગિણી જગાવી.
પ્રેમ-શૌર્યના એ યુગમાં રજપૂતોને વંશે વંશે અને અન્ય લોકોની કોમે કોમે એવા અપૂર્વ કિસ્સાઓ બન્યા પણ કોઈ ઇતિહાસમાં નોંધાયા નહીં. સાહિત્યના કલેજામાં જ એના કીર્તિલેખો સંઘરાઈ રહ્યા છે, ને લોક-સમાજમાં વાયુની પેરે ફૂંકાયા છે. એ વાયુ ચારણોની બંસીમાં વહ્યો. વહીને રાગિણી જગાવી.
જોશીના ભૂલભર્યા જોશને કારણે જન્મતાં જ અરણ્યમાં ફેંકાઈ ગયેલાં રાજ-બાળકો સિંહણને ધાવી ઊઝર્યાં. એવા બનાવો પ્રાચીન રોમની માફક આંહીં પણ બન્યા હોવાનું ગૌરવ લોક-કલ્પનાએ સૌરાષ્ટ્રને આરોપ્યું છે. અને સ્વધર્મની સંકડામણનું એક દૃષ્ટાન્ત : લાખા ફુલાણીએ પોતાના સગા બનેવીને હણ્યો, ને ભાણેજને ઉછેરી મોટો કર્યો. તરુણાવસ્થાએ પહોંચતાં ભાણેજને ખબર પડી. બાપનું વેર પોકારી ઊઠ્યું. રાતમાં આટકોટથી વઢવાણ જઈને પોતાના સાવકા ભાઈને બાપના મારનારનું લોહી લેવા નોતરું દઈ આવ્યો. પણ પોતે તો મામાનો આશ્રિત : રોમે રોમમાં મામાનું નિમક : યુદ્ધમાં મામાથી બે ડગલાં આગળ ઊભો રહીને સગા ભાઈની સામે ઝૂઝ્યો. મામાને બચાવાય ત્યાં સુધી બચાવી મામાની પડખે જ ભાઈની તરવારને ઘાએ પડ્યો. બંનેના છેલ્લા શ્વાસ બોલતા હતા. ભાણેજે જોયું તો સમળી મામાની આંખો ઠોલવા આવી. હાય! હાય! જીવતા મામાની આંખોને સમળી અડકે તો મામાને અપ્સરા નહીં વરે! કટાર કાઢીને સમળીને મારવા માટે કમર ઉપર હાથ લંબાવ્યો ત્યાં તો —
જોશીના ભૂલભર્યા જોશને કારણે જન્મતાં જ અરણ્યમાં ફેંકાઈ ગયેલાં રાજ-બાળકો સિંહણને ધાવી ઊઝર્યાં. એવા બનાવો પ્રાચીન રોમની માફક આંહીં પણ બન્યા હોવાનું ગૌરવ લોક-કલ્પનાએ સૌરાષ્ટ્રને આરોપ્યું છે. અને સ્વધર્મની સંકડામણનું એક દૃષ્ટાન્ત : લાખા ફુલાણીએ પોતાના સગા બનેવીને હણ્યો, ને ભાણેજને ઉછેરી મોટો કર્યો. તરુણાવસ્થાએ પહોંચતાં ભાણેજને ખબર પડી. બાપનું વેર પોકારી ઊઠ્યું. રાતમાં આટકોટથી વઢવાણ જઈને પોતાના સાવકા ભાઈને બાપના મારનારનું લોહી લેવા નોતરું દઈ આવ્યો. પણ પોતે તો મામાનો આશ્રિત : રોમે રોમમાં મામાનું નિમક : યુદ્ધમાં મામાથી બે ડગલાં આગળ ઊભો રહીને સગા ભાઈની સામે ઝૂઝ્યો. મામાને બચાવાય ત્યાં સુધી બચાવી મામાની પડખે જ ભાઈની તરવારને ઘાએ પડ્યો. બંનેના છેલ્લા શ્વાસ બોલતા હતા. ભાણેજે જોયું તો સમળી મામાની આંખો ઠોલવા આવી. હાય! હાય! જીવતા મામાની આંખોને સમળી અડકે તો મામાને અપ્સરા નહીં વરે! કટાર કાઢીને સમળીને મારવા માટે કમર ઉપર હાથ લંબાવ્યો ત્યાં તો —
<poem>
કર ગો’ કટારી, કર ગો’ કાચોળાં ભણી;  
કર ગો’ કટારી, કર ગો’ કાચોળાં ભણી;  
વગ કોઈ ના વણસી, રણ ભડતે રાખાશની.
વગ કોઈ ના વણસી, રણ ભડતે રાખાશની.
</poem>
[કટારી ઉપર હાથ ગયો. પણ કટારી હતી જ ક્યાં? હાથમાં શું આવ્યું? આંતરડાનો લોચો. ઓ રાખાશ! લોચો ઝોંટીને તેં સમળી ઉપર ફેંક્યો. સમળી ગઈ. આવી રીતે રણમાં મરતાં સુધી પણ તારા માતૃપક્ષ અને પિતૃપક્ષ — બંને પક્ષને કલંક લગાડે તેવું તેં થવા ન દીધું.]
[કટારી ઉપર હાથ ગયો. પણ કટારી હતી જ ક્યાં? હાથમાં શું આવ્યું? આંતરડાનો લોચો. ઓ રાખાશ! લોચો ઝોંટીને તેં સમળી ઉપર ફેંક્યો. સમળી ગઈ. આવી રીતે રણમાં મરતાં સુધી પણ તારા માતૃપક્ષ અને પિતૃપક્ષ — બંને પક્ષને કલંક લગાડે તેવું તેં થવા ન દીધું.]
પોતાનાં આંતરડાંનો લોચો પેટની બહાર લબડતો હતો. ઝોંટ મારીને આંતરડાં તોડ્યાં. તોડીને સમળી પર ઘા કર્યો. લોચો ઝીલીને સમળી ઊડી ગઈ. આબાદ આંખો સાથે મામાના પ્રાણ છૂટ્યા, ને સીધા અપ્સર-લોકમાં સીધાવ્યા માનીને ભાણેજ સુખથી મર્યો. આવાં વૃત્તાંતો સાંગોપાંગ દુહામાં નથી ઊતર્યા. પણ મુખસ્થ ઇતિહાસરૂપે રહ્યાં. અને તે સાથે પ્રશસ્તિનાં કાવ્યો જોડાયાં. ઉપરની વાત ફક્ત ત્રણ-ચાર દુહાઓને આધારે જ લટકી રહી છે.
પોતાનાં આંતરડાંનો લોચો પેટની બહાર લબડતો હતો. ઝોંટ મારીને આંતરડાં તોડ્યાં. તોડીને સમળી પર ઘા કર્યો. લોચો ઝીલીને સમળી ઊડી ગઈ. આબાદ આંખો સાથે મામાના પ્રાણ છૂટ્યા, ને સીધા અપ્સર-લોકમાં સીધાવ્યા માનીને ભાણેજ સુખથી મર્યો. આવાં વૃત્તાંતો સાંગોપાંગ દુહામાં નથી ઊતર્યા. પણ મુખસ્થ ઇતિહાસરૂપે રહ્યાં. અને તે સાથે પ્રશસ્તિનાં કાવ્યો જોડાયાં. ઉપરની વાત ફક્ત ત્રણ-ચાર દુહાઓને આધારે જ લટકી રહી છે.
ઇસરદાન ચારણને ચરણે લાખોનાં દાન ધરવામાં રાજાઓ માન સમજતા. પણ પ્રભુભક્ત ચારણ આખા વર્ષમાં એક જ વખત હાથ ધરવાનું નીમ રાખતો. નાગડચાળા ગામના એક ગરીબ રજપૂતની કને એણે માત્ર એક કાળી કામળીનો સવાલ નાખ્યો. કરોડોનાં દાન મેલીને કવિનું મન એક મેલી કામળીમાં વસ્યું. કારણ કે એ કામળી પર બેસીને પ્રભુની પૂજા કરવાના કોડ જાગ્યા. દ્વારકાથી કવિ પાછા વળે ત્યારે નવી કામળી બનાવીને તૈયાર રાખવાનું રજપૂતે વચન દીધું. કામળી બનાવીને પટારામાં મૂકી. ચોમાસું આવ્યું. કવિની રોજ રાહ જોવાતી હતી. ત્યાં એક દિવસ રજપૂત નદીના ભયાનક પૂરમાં તણાયો. ઉગરવાની આશા છોડી. મૃત્યુકાળે કાંઠે ઊભેલાં ગામલોકોને સાંગો રજપૂત શી આજીજી કરે છે? ઇસર બારોટે સાંગાના અંતિમ શબ્દોને એક દુહામાં અમર કર્યા :
ઇસરદાન ચારણને ચરણે લાખોનાં દાન ધરવામાં રાજાઓ માન સમજતા. પણ પ્રભુભક્ત ચારણ આખા વર્ષમાં એક જ વખત હાથ ધરવાનું નીમ રાખતો. નાગડચાળા ગામના એક ગરીબ રજપૂતની કને એણે માત્ર એક કાળી કામળીનો સવાલ નાખ્યો. કરોડોનાં દાન મેલીને કવિનું મન એક મેલી કામળીમાં વસ્યું. કારણ કે એ કામળી પર બેસીને પ્રભુની પૂજા કરવાના કોડ જાગ્યા. દ્વારકાથી કવિ પાછા વળે ત્યારે નવી કામળી બનાવીને તૈયાર રાખવાનું રજપૂતે વચન દીધું. કામળી બનાવીને પટારામાં મૂકી. ચોમાસું આવ્યું. કવિની રોજ રાહ જોવાતી હતી. ત્યાં એક દિવસ રજપૂત નદીના ભયાનક પૂરમાં તણાયો. ઉગરવાની આશા છોડી. મૃત્યુકાળે કાંઠે ઊભેલાં ગામલોકોને સાંગો રજપૂત શી આજીજી કરે છે? ઇસર બારોટે સાંગાના અંતિમ શબ્દોને એક દુહામાં અમર કર્યા :
<poem>
જળ ડૂબન્તે જાય, સાંગરીએ સાદ જ દિયા;  
જળ ડૂબન્તે જાય, સાંગરીએ સાદ જ દિયા;  
કે’જો મોરી માય, કવિને દીજો કામળી.
કે’જો મોરી માય, કવિને દીજો કામળી.
</poem>
[પાણીમાં ડૂબતાં ડૂબતાં સાંગે સાદ તર્યો કે એ ભાઈઓ! મારી માતાને કહેજો કે કવિ આવે ત્યારે એને પેલી કામળી આપવાનું ન ભૂલે.]
[પાણીમાં ડૂબતાં ડૂબતાં સાંગે સાદ તર્યો કે એ ભાઈઓ! મારી માતાને કહેજો કે કવિ આવે ત્યારે એને પેલી કામળી આપવાનું ન ભૂલે.]
અને પછી એ દાતાને સહુ દાતાનો શિરોમણિ કહીને સ્તુતિના દુહા છેડ્યા.
અને પછી એ દાતાને સહુ દાતાનો શિરોમણિ કહીને સ્તુતિના દુહા છેડ્યા.
<poem>
નાગડચાળાં ઠાકરાં, નવ કોઈ રીસ કરે;  
નાગડચાળાં ઠાકરાં, નવ કોઈ રીસ કરે;  
દેતલની દેવળ ચડે, સાંગો ગોડ સરે.
દેતલની દેવળ ચડે, સાંગો ગોડ સરે.
</poem>
[નાગડચાળા ગામના હે ઠાકોરો! રીસ ન ચડાવશો. ગમે તેવું નાનું દાન પણ વચને બંધાયા પછી જે મૃત્યુની ઘડીએ પણ દીધા વિના ન રહે તેની જ કીર્તિનું ઇંડું દાતારોના મંદિરને શિખરે ચડે છે.]
[નાગડચાળા ગામના હે ઠાકોરો! રીસ ન ચડાવશો. ગમે તેવું નાનું દાન પણ વચને બંધાયા પછી જે મૃત્યુની ઘડીએ પણ દીધા વિના ન રહે તેની જ કીર્તિનું ઇંડું દાતારોના મંદિરને શિખરે ચડે છે.]
આ બધી વાતોમાં ચારણોની પ્રશસ્તિ અને અમુક મહિમામય સુકૃત્યનું કાવ્યમાં ગૂંથણ એ બબ્બે પ્રકારના દુહાઓ ચાલ્યા આવે છે.
આ બધી વાતોમાં ચારણોની પ્રશસ્તિ અને અમુક મહિમામય સુકૃત્યનું કાવ્યમાં ગૂંથણ એ બબ્બે પ્રકારના દુહાઓ ચાલ્યા આવે છે.
આ વાર્તા-સાહિત્યમાં કંઠસ્થ સાહિત્યનું એક અતિ નાજુક તત્ત્વ વહ્યું જ આવે છે. તે કયું? વાર્તાઓ કહેતાં કહેતાં જે અમુક ઘટનાને લગતો કશા કાવ્યનો આધાર ન હોય, તેને કાઠિયાવાડી ગદ્ય-વાણીમાં જ અમુક અમર સ્વરૂપો અપાતાં આવ્યાં છે. તે સ્વરૂપ પણ કાવ્યના જેટલું જ નિશ્ચલ ને રણકારમય છે. એને બદલી શકાય નહીં. ઉદાહરણ : ભોજા કામળિયાને ઘેર પીઠાત હાટી નામનો મિત્ર મહેમાન આવ્યો. ભોજો ઘેર નહીં. એની પત્ની વેજીએ મહેમાનનું હેતભર્યું આતિથ્ય કર્યું. ગોખમાંથી મહેમાનનું રૂપ ભાળ્યું. મહેમાન તો ગયો. પતિ ઘેર આવ્યો. બધી વાત કહી. રાત્રિએ બંને પલંગ પર સૂતેલાં. ઊંઘમાં વેજી લવતી હતી કે ‘વાહ પીઠો! વાહ પીઠો!’ ભોજો ઝબક્યો. કાન માંડીને સાંભળી રહ્યો. સંદેહ પેઠો. પલંગ પરથી નીચે ઊતરીને આઘે ઊભો રહ્યો. પડખું ખાલી થતાં જ વેજી જાગી. પૂછ્યું, કાં?
આ વાર્તા-સાહિત્યમાં કંઠસ્થ સાહિત્યનું એક અતિ નાજુક તત્ત્વ વહ્યું જ આવે છે. તે કયું? વાર્તાઓ કહેતાં કહેતાં જે અમુક ઘટનાને લગતો કશા કાવ્યનો આધાર ન હોય, તેને કાઠિયાવાડી ગદ્ય-વાણીમાં જ અમુક અમર સ્વરૂપો અપાતાં આવ્યાં છે. તે સ્વરૂપ પણ કાવ્યના જેટલું જ નિશ્ચલ ને રણકારમય છે. એને બદલી શકાય નહીં. ઉદાહરણ : ભોજા કામળિયાને ઘેર પીઠાત હાટી નામનો મિત્ર મહેમાન આવ્યો. ભોજો ઘેર નહીં. એની પત્ની વેજીએ મહેમાનનું હેતભર્યું આતિથ્ય કર્યું. ગોખમાંથી મહેમાનનું રૂપ ભાળ્યું. મહેમાન તો ગયો. પતિ ઘેર આવ્યો. બધી વાત કહી. રાત્રિએ બંને પલંગ પર સૂતેલાં. ઊંઘમાં વેજી લવતી હતી કે ‘વાહ પીઠો! વાહ પીઠો!’ ભોજો ઝબક્યો. કાન માંડીને સાંભળી રહ્યો. સંદેહ પેઠો. પલંગ પરથી નીચે ઊતરીને આઘે ઊભો રહ્યો. પડખું ખાલી થતાં જ વેજી જાગી. પૂછ્યું, કાં?
<poem>
ભોજો : વેજી, ઢોલિયો ત્રણ જણાંનો ભાર નહીં ઝીલે!
ભોજો : વેજી, ઢોલિયો ત્રણ જણાંનો ભાર નહીં ઝીલે!
વેજી : ત્રીજો કોણ?
વેજી : ત્રીજો કોણ?
ભોજો : પીઠો!
ભોજો : પીઠો!
</poem>
આવા મર્મોચ્ચારોનાં મોતી સોરઠી કથાઓમાં પરોવાતાં જ આવ્યાં છે. સોરઠી સાહિત્યના દેહની એ જાણે એક ધબકતી નાડી છે : વિનાકાવ્યે કાવ્ય સરીખાં એનાં લક્ષણો છે.
આવા મર્મોચ્ચારોનાં મોતી સોરઠી કથાઓમાં પરોવાતાં જ આવ્યાં છે. સોરઠી સાહિત્યના દેહની એ જાણે એક ધબકતી નાડી છે : વિનાકાવ્યે કાવ્ય સરીખાં એનાં લક્ષણો છે.
j
 
ધારા ત્રીજી
<center>'''ધારા ત્રીજી'''</center>
ભોજ અને વિક્રમના દરબારમાં જે દશા સંસ્કૃત સાહિત્યની થઈ તે જ દશા સૌરાષ્ટ્રના દરબારોમાં સોરઠી કવિતાની થઈ. ચારણો કવિરાજો બન્યા. કવિઓને પાદપૂર્તિઓ, અમુક વર્ણનો, અમુક વિષય પરની કવિતાઓ વગેરેની સ્પર્ધામાં ઉતારીને શ્રેષ્ઠ કાવ્ય-સૃષ્ટાને ઘોડા બક્ષવામાં, લાખ લાખ સિક્કાનાં દાન કરવામાં અને હાથીની અંબાડીએ બેસાડી લાખપસાવ (લાખ સિક્કાનો સરપાવ) સમર્પવામાં રજવાડાંની કીર્તિ મનાવા લાગી. એટલે કવિતા બુદ્ધિના ખેલમાં ઊતરી. અલબત્ત, એ બુદ્ધિના ખેલ પણ ચમત્કારો સરીખા, અને ઉચ્ચ સાહિત્યને સુયશ ચડાવે તેવા હતા. ઉદાહરણ : રાવળ જામ નામનો રાજા મોટો કવિ-પૂજક થઈ ગયો. એની કચેરી ચારણ કવિઓનું પરીક્ષાલય હતી. એક મેલોઘેલો ચારણ આવી ચડ્યો. ઈર્ષ્યાળુ કવિ-સભા હસી. પુણ્યપ્રકોપ દબાવીને નવા આવનારે પાદપૂર્તિ મૂકી :
ભોજ અને વિક્રમના દરબારમાં જે દશા સંસ્કૃત સાહિત્યની થઈ તે જ દશા સૌરાષ્ટ્રના દરબારોમાં સોરઠી કવિતાની થઈ. ચારણો કવિરાજો બન્યા. કવિઓને પાદપૂર્તિઓ, અમુક વર્ણનો, અમુક વિષય પરની કવિતાઓ વગેરેની સ્પર્ધામાં ઉતારીને શ્રેષ્ઠ કાવ્ય-સૃષ્ટાને ઘોડા બક્ષવામાં, લાખ લાખ સિક્કાનાં દાન કરવામાં અને હાથીની અંબાડીએ બેસાડી લાખપસાવ (લાખ સિક્કાનો સરપાવ) સમર્પવામાં રજવાડાંની કીર્તિ મનાવા લાગી. એટલે કવિતા બુદ્ધિના ખેલમાં ઊતરી. અલબત્ત, એ બુદ્ધિના ખેલ પણ ચમત્કારો સરીખા, અને ઉચ્ચ સાહિત્યને સુયશ ચડાવે તેવા હતા. ઉદાહરણ : રાવળ જામ નામનો રાજા મોટો કવિ-પૂજક થઈ ગયો. એની કચેરી ચારણ કવિઓનું પરીક્ષાલય હતી. એક મેલોઘેલો ચારણ આવી ચડ્યો. ઈર્ષ્યાળુ કવિ-સભા હસી. પુણ્યપ્રકોપ દબાવીને નવા આવનારે પાદપૂર્તિ મૂકી :
આધ ગીયણ વલંભ રહી —
આધ ગીયણ વલંભ રહી —
[અરધી પૃથ્વી આકાશમાં લટકી રહી...]
[અરધી પૃથ્વી આકાશમાં લટકી રહી...]
‘રાવળ જામ! તમારા કવિરાજોને આટલું ચરણ આપીને હું દ્વારિકા જાઉં છું. પાછો વળું ત્યારે બાકીનાં ત્રણ ચરણો તૈયાર કરાવી રાખજો : એમ કહીને ચારણ ગયો. વિકટ પાદપૂર્તિ : ચારણો મુંઝાયા : યુક્તિ સૂઝી : ચારણ-જાતિનો નિયમ કે તીર્થ-ક્ષેત્રમાં સ્નાન કરતી વખતે પોતાની નવી કાવ્ય-કૃતિને પ્રગટપણે ગાઈને પ્રભુ-ચરણે ધરે. લુચ્ચા ચારણોએ પોતાના એક ચતુર નાના છોકરાને હજામનો વેશ સજાવી પેલા યાત્રિક ચારણની પાછળ મોકલ્યો. ગોમતીજીના ઘાટ ઉપર એકાન્ત શોધીને ચારણે સ્નાનની તૈયારી કરી. હજામ વેશધારી છોકરો આવી ચડ્યો. ચારણે મુંડન કરાવ્યું. ગોમતીજીનાં છાતી સમાણાં જળમાં ઊભા રહીને ચારણે પોતાનો દુહો લલકાર્યો :
‘રાવળ જામ! તમારા કવિરાજોને આટલું ચરણ આપીને હું દ્વારિકા જાઉં છું. પાછો વળું ત્યારે બાકીનાં ત્રણ ચરણો તૈયાર કરાવી રાખજો : એમ કહીને ચારણ ગયો. વિકટ પાદપૂર્તિ : ચારણો મુંઝાયા : યુક્તિ સૂઝી : ચારણ-જાતિનો નિયમ કે તીર્થ-ક્ષેત્રમાં સ્નાન કરતી વખતે પોતાની નવી કાવ્ય-કૃતિને પ્રગટપણે ગાઈને પ્રભુ-ચરણે ધરે. લુચ્ચા ચારણોએ પોતાના એક ચતુર નાના છોકરાને હજામનો વેશ સજાવી પેલા યાત્રિક ચારણની પાછળ મોકલ્યો. ગોમતીજીના ઘાટ ઉપર એકાન્ત શોધીને ચારણે સ્નાનની તૈયારી કરી. હજામ વેશધારી છોકરો આવી ચડ્યો. ચારણે મુંડન કરાવ્યું. ગોમતીજીનાં છાતી સમાણાં જળમાં ઊભા રહીને ચારણે પોતાનો દુહો લલકાર્યો :
<poem>
આધ ગીયણ વલંભ રહી, કવ્ય ચડિયા તોખાર;  
આધ ગીયણ વલંભ રહી, કવ્ય ચડિયા તોખાર;  
તેં ઉતાર્યો લખધીર રા, ભોરીંગ-સરથી ભાર.
તેં ઉતાર્યો લખધીર રા, ભોરીંગ-સરથી ભાર.
</poem>
[હે લખધીર જામના પુત્ર રાવળ જામ! કવિઓને તેં એટલા બધા ઘોડા બક્ષ્યા, કે એ ઘોડા ચાલ્યા ત્યારે બહુ ધૂળ ઊડી. કેટલી ધૂળ? અરધી પૃથ્વીની ધૂળ ઊડીને આકાશે ચડી; શેષનાગના શિર પરથી, હે રાજા, તેં અરધી પૃથ્વીનો ભાર ઉતાર્યો.]
[હે લખધીર જામના પુત્ર રાવળ જામ! કવિઓને તેં એટલા બધા ઘોડા બક્ષ્યા, કે એ ઘોડા ચાલ્યા ત્યારે બહુ ધૂળ ઊડી. કેટલી ધૂળ? અરધી પૃથ્વીની ધૂળ ઊડીને આકાશે ચડી; શેષનાગના શિર પરથી, હે રાજા, તેં અરધી પૃથ્વીનો ભાર ઉતાર્યો.]
હજામવેશધારી બાળકે પલકમાં જ એ પંક્તિઓ કંઠે કરી નાખી. એ નાઠો. નગર ગયો. પાદપૂર્તિ હાથ આવી ગઈ. યાત્રાળુ ચારણ પાછો આવ્યો. કચેરીમાં એણે પોતાનો દુહો ચોરાઈ ગયેલો માલૂમ પડ્યો, ચારણોનાં છોકરાંમાંથી પેલા હજામવેશધારી બાળકને એણે ઓળખ્યો. સભામાં વિનોદ થઈ રહ્યો. ઊંચા સરપાવ અપાયા.
હજામવેશધારી બાળકે પલકમાં જ એ પંક્તિઓ કંઠે કરી નાખી. એ નાઠો. નગર ગયો. પાદપૂર્તિ હાથ આવી ગઈ. યાત્રાળુ ચારણ પાછો આવ્યો. કચેરીમાં એણે પોતાનો દુહો ચોરાઈ ગયેલો માલૂમ પડ્યો, ચારણોનાં છોકરાંમાંથી પેલા હજામવેશધારી બાળકને એણે ઓળખ્યો. સભામાં વિનોદ થઈ રહ્યો. ઊંચા સરપાવ અપાયા.
કોંઢ રાજ્યના રાજા દીપસિંહજી વાઘેલાના સમયમાં, જોગાજી નામના એક રજપૂત સામંતને સ્વપ્નું આવ્યું કે પોતે હાથી દેખી પાછો હઠ્યો! રજપૂત કહે કે હું આપઘાત કરું. અન્ન-જળનો ત્યાગ કર્યો. રાજાએ બહુ સમજાવ્યો. આખરે એમ ઠર્યું કે રાજાના ગાંડા હાથીને છૂટો મૂકવો. જોગાજી એની સામે યુદ્ધ કરીને જીતે તો જીવે. જોગાજીને હાથીએ સૂંઢમાં લઈ ઉછાળ્યો. રજપૂત હાથમાં ખુલ્લી કટારી સાથે ચેથી હાથી પર પડ્યો, ને હાથીનું કુંભસ્થળ વીંધી નાખ્યું. હર્ષાવેશમાં આવેલ રાજાના મોંમાંથી કાવ્ય છૂટ્યું :
કોંઢ રાજ્યના રાજા દીપસિંહજી વાઘેલાના સમયમાં, જોગાજી નામના એક રજપૂત સામંતને સ્વપ્નું આવ્યું કે પોતે હાથી દેખી પાછો હઠ્યો! રજપૂત કહે કે હું આપઘાત કરું. અન્ન-જળનો ત્યાગ કર્યો. રાજાએ બહુ સમજાવ્યો. આખરે એમ ઠર્યું કે રાજાના ગાંડા હાથીને છૂટો મૂકવો. જોગાજી એની સામે યુદ્ધ કરીને જીતે તો જીવે. જોગાજીને હાથીએ સૂંઢમાં લઈ ઉછાળ્યો. રજપૂત હાથમાં ખુલ્લી કટારી સાથે ચેથી હાથી પર પડ્યો, ને હાથીનું કુંભસ્થળ વીંધી નાખ્યું. હર્ષાવેશમાં આવેલ રાજાના મોંમાંથી કાવ્ય છૂટ્યું :
કુંભાથળ વાઈ કસી, જોગારી જમદ..
 
:::કુંભાથળ વાઈ કસી, જોગારી જમદ..
[જોગાજીની જમ-દાઢ જેવી કટારીએ હાથીના કુંભ-સ્થળને વિદાર્યું.]
[જોગાજીની જમ-દાઢ જેવી કટારીએ હાથીના કુંભ-સ્થળને વિદાર્યું.]
બસ, એક જ ચરણ! બીજું ચરણ પૂરું ન થયું. રાજા દુહો પૂરો કરવા તલપે પણ નિષ્ફળ! બીજી વાર અવાજ દીધો :
બસ, એક જ ચરણ! બીજું ચરણ પૂરું ન થયું. રાજા દુહો પૂરો કરવા તલપે પણ નિષ્ફળ! બીજી વાર અવાજ દીધો :
કુંભાથળ વાઈ કસી, જોગારી જમદ..
:::કુંભાથળ વાઈ કસી, જોગારી જમદ..
પણ છેલ્લું ચરણ ન સૂઝે! લોક-મેદિનીમાંથી કોઈ પાદપૂર્તિ ન કરે! રાજા તલસી રહ્યા છે. ત્રીજી વાર સાદ દીધો :
પણ છેલ્લું ચરણ ન સૂઝે! લોક-મેદિનીમાંથી કોઈ પાદપૂર્તિ ન કરે! રાજા તલસી રહ્યા છે. ત્રીજી વાર સાદ દીધો :
કુંભાથળ વાઈ કસી, જોગારી જમદ.
:::કુંભાથળ વાઈ કસી, જોગારી જમદ.
મેદનીમાંથી કોઈએ પ્રતિ-શબ્દ કર્યો :
મેદનીમાંથી કોઈએ પ્રતિ-શબ્દ કર્યો :
જાણ અષાઢી બીજળી, કાઢે વાદળ કઢ્ઢ.
:::જાણ અષાઢી બીજળી, કાઢે વાદળ કઢ્ઢ.
[જાણે કાળા વાદળને ભેદીને આષાઢી વીજળી નીકળી.]
[જાણે કાળા વાદળને ભેદીને આષાઢી વીજળી નીકળી.]
શાબાશ! શાબાશ! શાબાશ! રાજા પોકારી ઊઠ્યા. એ કોણ? એ કોણ? શોધ થઈ. એક ચારણનો છોકરો હાથ લાગ્યો. રાજાએ એને નવાજવામાં ઉણપ ન રાખી. આવી રીતે પાદપૂર્તિઓ રચાતી.
શાબાશ! શાબાશ! શાબાશ! રાજા પોકારી ઊઠ્યા. એ કોણ? એ કોણ? શોધ થઈ. એક ચારણનો છોકરો હાથ લાગ્યો. રાજાએ એને નવાજવામાં ઉણપ ન રાખી. આવી રીતે પાદપૂર્તિઓ રચાતી.
લગભગ બધી કલ્પના ને વિદ્વત્તા ચારણો પોતાના આશ્રયદાતાની સ્તુતિની અંદર ગૂંથતા. રાજા કેવળ પોતાની સ્તુતિથી જ મોહીને દાન દેતા એમ નહીં. એક તો ચારણોની ખોળાધરીથી રાજ્યનાં મહાન કાર્યો થતાં, અને એવી ખોળાધરી બદલ જરૂર પડ્યે ચારણો ત્રાગું કરી જીવ કાઢી દેતા. ચારણો દેવીપુત્રો ગણાતાં. એનાં સત્યવક્તૃત્વ, ડહાપણ, ને ત્યાગશક્તિએ એમની કીર્તિ સ્થાપી હતી. તેથી ચારણોની સ્તુતિ-નિંદા ઉપર રાજાની કીર્તિ-અપકીર્તિ અવલંબતી. બીજું, સુકીર્તિ-ભૂખ્યા રાજાઓને પોતાનું સ્તુતિકાવ્ય અન્ય રાજદરબારોમાં રટાય તે અભિલાષા હતી. અને એવું કાવ્ય ચોગમ ક્યારે બોલાય? ઉત્તમ કલ્પના, અલંકાર, ને રસ-લાલિત્ય ભર્યાં હોય ત્યારે; અને ત્રીજું, કાવ્યાસ્વાદનનો કુદરતી શોખ. જીવનમાં શૌર્ય હોય ને પ્રેમ હોય, તો પછી કાવ્યોપભાગની તરસ કેમ ન લાગે? કાવ્યોમાં રાજા સદા સૌંદર્ય શોધતો. એમ ન હોત તો હરકોઈ પુરુષ એની ખુશામદ કરીને સરપાવ લઈ જાત.
લગભગ બધી કલ્પના ને વિદ્વત્તા ચારણો પોતાના આશ્રયદાતાની સ્તુતિની અંદર ગૂંથતા. રાજા કેવળ પોતાની સ્તુતિથી જ મોહીને દાન દેતા એમ નહીં. એક તો ચારણોની ખોળાધરીથી રાજ્યનાં મહાન કાર્યો થતાં, અને એવી ખોળાધરી બદલ જરૂર પડ્યે ચારણો ત્રાગું કરી જીવ કાઢી દેતા. ચારણો દેવીપુત્રો ગણાતાં. એનાં સત્યવક્તૃત્વ, ડહાપણ, ને ત્યાગશક્તિએ એમની કીર્તિ સ્થાપી હતી. તેથી ચારણોની સ્તુતિ-નિંદા ઉપર રાજાની કીર્તિ-અપકીર્તિ અવલંબતી. બીજું, સુકીર્તિ-ભૂખ્યા રાજાઓને પોતાનું સ્તુતિકાવ્ય અન્ય રાજદરબારોમાં રટાય તે અભિલાષા હતી. અને એવું કાવ્ય ચોગમ ક્યારે બોલાય? ઉત્તમ કલ્પના, અલંકાર, ને રસ-લાલિત્ય ભર્યાં હોય ત્યારે; અને ત્રીજું, કાવ્યાસ્વાદનનો કુદરતી શોખ. જીવનમાં શૌર્ય હોય ને પ્રેમ હોય, તો પછી કાવ્યોપભાગની તરસ કેમ ન લાગે? કાવ્યોમાં રાજા સદા સૌંદર્ય શોધતો. એમ ન હોત તો હરકોઈ પુરુષ એની ખુશામદ કરીને સરપાવ લઈ જાત.
રાજા કાવ્ય વાટે કેવળ સ્તુતિ જ નહોતો માગતો. સત્કાર્યમાં પ્રોત્સાહન, તેમ જ દુષ્કાર્યમાં ઠપકો માગતો. પોતે કર્તવ્યભ્રષ્ટ થતો હોય ત્યારે ચારણની મર્મોક્તિ એને બરછીની માફક વીંધતી. રણવાસમાં પડ્યો પાથર્યો રાજા રાણજી પોતાની પાસે આવનાર રાજપુરુષને અપમાન કરી હાંકી કાઢતો. બીજી બાજુ સીમાડા પર શત્રુસૈન્યનાં ભાલાં ઝબક્યાં. ત્યારે —
રાજા કાવ્ય વાટે કેવળ સ્તુતિ જ નહોતો માગતો. સત્કાર્યમાં પ્રોત્સાહન, તેમ જ દુષ્કાર્યમાં ઠપકો માગતો. પોતે કર્તવ્યભ્રષ્ટ થતો હોય ત્યારે ચારણની મર્મોક્તિ એને બરછીની માફક વીંધતી. રણવાસમાં પડ્યો પાથર્યો રાજા રાણજી પોતાની પાસે આવનાર રાજપુરુષને અપમાન કરી હાંકી કાઢતો. બીજી બાજુ સીમાડા પર શત્રુસૈન્યનાં ભાલાં ઝબક્યાં. ત્યારે —
<center>
રાણા, રમતું મેલ્ય, કનારે ચડિયાં કટક,  
રાણા, રમતું મેલ્ય, કનારે ચડિયાં કટક,  
ક્ષત્રી ચોપડ-ખેલ, ગોહલ કાં લાગો ગળો?
ક્ષત્રી ચોપડ-ખેલ, ગોહલ કાં લાગો ગળો?
</center>
[હે રાણા, હવે તો રમતો મૂક! શત્રુનું સૈન્ય સામા ગામ ઉપર દેખાયું. હે ક્ષત્રી! ને ક્ષત્રીમાં પણ હે ગોહિલ વંશજ! ચોપાટનો ખેલ તને બહુ મીઠો લાગ્યો?]
[હે રાણા, હવે તો રમતો મૂક! શત્રુનું સૈન્ય સામા ગામ ઉપર દેખાયું. હે ક્ષત્રી! ને ક્ષત્રીમાં પણ હે ગોહિલ વંશજ! ચોપાટનો ખેલ તને બહુ મીઠો લાગ્યો?]
એ ચારણના સ્વરોએ રાજાને રણવાસમાં આત્મભાન કરાવ્યું. અને યશસ્વી મૃત્યુ અપાવ્યું.  એવા પ્રસંગો સેંકડો છે.
એ ચારણના સ્વરોએ રાજાને રણવાસમાં આત્મભાન કરાવ્યું. અને યશસ્વી મૃત્યુ અપાવ્યું.  એવા પ્રસંગો સેંકડો છે.
રાજાની માફી માગવામાં પણ ચારણ અતિ ઉચ્ચ કાવ્યાસ્ત્રો ફેંકતો. પાલીતાણાના ઠાકોર સૂરસિંહજીએ પ્રતિજ્ઞા કરેલી કે માણસૂર ચારણને જાનથી મારવો. એક દિવસ એક ગામમાં બંનેનો ભેટો થઈ ગયો. રોષેભર્યા રાજાએ ચારણને બોલાવ્યો. ચારણના હૃદયમાં રામ પ્રગટ્યા. દાદર પર ચડીને મેડીમાં માત્ર ડોકું જ કાઢતાં ચારેય આંખો એક થઈ. રાજાનાં નેત્રોમાં તો અંગાર ઝરે છે.
રાજાની માફી માગવામાં પણ ચારણ અતિ ઉચ્ચ કાવ્યાસ્ત્રો ફેંકતો. પાલીતાણાના ઠાકોર સૂરસિંહજીએ પ્રતિજ્ઞા કરેલી કે માણસૂર ચારણને જાનથી મારવો. એક દિવસ એક ગામમાં બંનેનો ભેટો થઈ ગયો. રોષેભર્યા રાજાએ ચારણને બોલાવ્યો. ચારણના હૃદયમાં રામ પ્રગટ્યા. દાદર પર ચડીને મેડીમાં માત્ર ડોકું જ કાઢતાં ચારેય આંખો એક થઈ. રાજાનાં નેત્રોમાં તો અંગાર ઝરે છે.
ચતુર ચારણે દાદર પર ઊભાં ઊભાં દુહો ઉપાડ્યો —
ચતુર ચારણે દાદર પર ઊભાં ઊભાં દુહો ઉપાડ્યો —
<center>
જળ માછને જાળવે, અવગણ કરે અપાર,  
જળ માછને જાળવે, અવગણ કરે અપાર,  
(પણ) વડાને વકાર, સાયરને નોય સૂરિયા.
(પણ) વડાને વકાર, સાયરને નોય સૂરિયા.
</center>
[હે સૂરસિંહજી! માછલાં પાણીમાં અત્યંત ગંદકી કરે, છતાં પાણી એને ઉદાર ભાવે પાળે છે. સાગર જેવાં મહાન પુરુષોનાં મનમાં કદી ફેરફાર ન જ થાય.]
[હે સૂરસિંહજી! માછલાં પાણીમાં અત્યંત ગંદકી કરે, છતાં પાણી એને ઉદાર ભાવે પાળે છે. સાગર જેવાં મહાન પુરુષોનાં મનમાં કદી ફેરફાર ન જ થાય.]
બીજું પગથિયું ચડીને બીજો દોહો —
બીજું પગથિયું ચડીને બીજો દોહો —
<poem>
નાગમગાંને નાગ, ક્રોધેથી કરડે નહીં;  
નાગમગાંને નાગ, ક્રોધેથી કરડે નહીં;  
પડે અજાણે પાગ, સર પર સૂરજમાલિયા!
પડે અજાણે પાગ, સર પર સૂરજમાલિયા!
</poem>
[હે સૂરજમલ રાજા! નાગોના જે માંગણીઆતો હોય છે, તેનો પગ અજાણ્યે કદાચ નાગના માથા પર પડી જાય. તોય નાગ એને ક્રોધ કરીને કદી ન કરડે.]
[હે સૂરજમલ રાજા! નાગોના જે માંગણીઆતો હોય છે, તેનો પગ અજાણ્યે કદાચ નાગના માથા પર પડી જાય. તોય નાગ એને ક્રોધ કરીને કદી ન કરડે.]
ત્રીજે પગથિયે પગ દીધો, ને શીતળ દુહો છાંટ્યો —
ત્રીજે પગથિયે પગ દીધો, ને શીતળ દુહો છાંટ્યો —
<poem>
નાગને કંડિયે નાખીએ, હાથી કબજે હોય;  
નાગને કંડિયે નાખીએ, હાથી કબજે હોય;  
(પણ) કીડી પાંજર કોય, સાંભળ્યું નો’તું સૂરિયા.
(પણ) કીડી પાંજર કોય, સાંભળ્યું નો’તું સૂરિયા.
</poem>
[હે સૂરસિંહ, નાગને તો કરંડિયામાં પુરાય. હાથીને પણ સાંકળ બાંધી કેદ કરાય. પણ કીડીને કદી કેદખાને નખાય? ચારણ તો કીડી જેવું કમજોર પ્રાણી છે.]
[હે સૂરસિંહ, નાગને તો કરંડિયામાં પુરાય. હાથીને પણ સાંકળ બાંધી કેદ કરાય. પણ કીડીને કદી કેદખાને નખાય? ચારણ તો કીડી જેવું કમજોર પ્રાણી છે.]
અને છેલ્લે પગથિયેથી —
અને છેલ્લે પગથિયેથી —
<poem>
ગાયે ખડ વ્રાંહે ગળ્યું, મોતી મારૂ રા;  
ગાયે ખડ વ્રાંહે ગળ્યું, મોતી મારૂ રા;  
(તોય) હિન્દુ હાલે ના, (એનું) પેટ કરેવા પાતાઉત.
(તોય) હિન્દુ હાલે ના, (એનું) પેટ કરેવા પાતાઉત.
</poem>
[હે મારુ રાજા! હે પ્રતાપસિંહજીના પુત્ર! ઘાસ ખાતાં ખાતાં માંહે પડી ગયેલું સાચું મોતી પણ ગાય ગળી ગઈ હોય, તો શું હિન્દુ હશે તે કદી એ મોતીને ખાતર ગાયનું પેટ ચીરશે ખરો?]
[હે મારુ રાજા! હે પ્રતાપસિંહજીના પુત્ર! ઘાસ ખાતાં ખાતાં માંહે પડી ગયેલું સાચું મોતી પણ ગાય ગળી ગઈ હોય, તો શું હિન્દુ હશે તે કદી એ મોતીને ખાતર ગાયનું પેટ ચીરશે ખરો?]
રાજાનાં નેત્રોમાંથી પ્રેમના ફુવારા છૂટ્યા. પ્રફુલ્લિત મોં ખડ! ખડ! હસી પડ્યું. રાજા ઊભો થયો, સામે દોડ્યો : ચારણને ભેટી પડ્યો.
રાજાનાં નેત્રોમાંથી પ્રેમના ફુવારા છૂટ્યા. પ્રફુલ્લિત મોં ખડ! ખડ! હસી પડ્યું. રાજા ઊભો થયો, સામે દોડ્યો : ચારણને ભેટી પડ્યો.
આ માફી-કાવ્યમાં પણ અપૂર્વ કલ્પનાનો ઉપયોગ થયો છે. અપૂર્વ, છતાં અબુધને પણ ગળે ઊતરી જાય તેવી. સાચી ચમત્કૃતિ જ એ છે. સોરઠી કવિતા પંડિતાઈમાં અને સ્તુતિ-ગાનમાં સરી પડી, છતાં એણે લોકજીવનનું તત્ત્વ નહોતું ગુમાવ્યું.
આ માફી-કાવ્યમાં પણ અપૂર્વ કલ્પનાનો ઉપયોગ થયો છે. અપૂર્વ, છતાં અબુધને પણ ગળે ઊતરી જાય તેવી. સાચી ચમત્કૃતિ જ એ છે. સોરઠી કવિતા પંડિતાઈમાં અને સ્તુતિ-ગાનમાં સરી પડી, છતાં એણે લોકજીવનનું તત્ત્વ નહોતું ગુમાવ્યું.
ધીરે ધીરે આ સ્તુતિવશ કાવ્ય-શક્તિ પણ ભ્રષ્ટ થઈ. એણે વેશ્યાનો વ્યવસાય આદર્યો. કાંતિ ગુમાવી. અત્યારે લગભગ આખો ચારણસમુદાય પોતાની સર્જન-શક્તિ ગુમાવી બેઠો છે.
ધીરે ધીરે આ સ્તુતિવશ કાવ્ય-શક્તિ પણ ભ્રષ્ટ થઈ. એણે વેશ્યાનો વ્યવસાય આદર્યો. કાંતિ ગુમાવી. અત્યારે લગભગ આખો ચારણસમુદાય પોતાની સર્જન-શક્તિ ગુમાવી બેઠો છે.
j
 
ધારા ચોથી
<center>'''ધારા ચોથી'''</center>
પેલી પ્રેમ-કથાઓના દુહા જેટલી જ નિસર્ગ-રમણીયતા આ ઝરણના નીરમાં ડોલી રહી છે. એ નીતિવિષયક, ભક્તિવિષયક બોધાત્મક (‘ડાઈડેક્ટીક’) કાવ્ય-ધારા. સોરઠિયો, ભભૂતિયો, જટિયો, ભેરિયો, મોડિયો અને આણંદ-કરમાણંદ નામના મામા-ભાણેજની મિત્ર-બેલડી : સંસારમાંથી એક યા બીજે કારણે વિરક્ત થયેલા આવા અનુભવીઓએ સ્વનામયુક્ત સુભાષિતો સેંકડોની સંખ્યામાં લલકાર્યા છે. એક કવિએ પોતાના ચાકર રાજિયાને અમર કરવા એના નામથી દુહા કર્યા. ઉદાહરણો :
પેલી પ્રેમ-કથાઓના દુહા જેટલી જ નિસર્ગ-રમણીયતા આ ઝરણના નીરમાં ડોલી રહી છે. એ નીતિવિષયક, ભક્તિવિષયક બોધાત્મક (‘ડાઈડેક્ટીક’) કાવ્ય-ધારા. સોરઠિયો, ભભૂતિયો, જટિયો, ભેરિયો, મોડિયો અને આણંદ-કરમાણંદ નામના મામા-ભાણેજની મિત્ર-બેલડી : સંસારમાંથી એક યા બીજે કારણે વિરક્ત થયેલા આવા અનુભવીઓએ સ્વનામયુક્ત સુભાષિતો સેંકડોની સંખ્યામાં લલકાર્યા છે. એક કવિએ પોતાના ચાકર રાજિયાને અમર કરવા એના નામથી દુહા કર્યા. ઉદાહરણો :
<poem>
મતલબની મનવાર, જગત જમાડે ચૂરમાં;  
મતલબની મનવાર, જગત જમાડે ચૂરમાં;  
(પણ) વણમતલબ એક વાર, રાબ ન પીરસે, રાજિયા.
(પણ) વણમતલબ એક વાર, રાબ ન પીરસે, રાજિયા.
Line 411: Line 472:
ભરતા ફૂટ્યો ભાલિયો, રહી સરોવર રોક;  
ભરતા ફૂટ્યો ભાલિયો, રહી સરોવર રોક;  
સાસુ થઈ છે શોક્ય, ભવ ઓલ્યાના, ભભૂતિયા.
સાસુ થઈ છે શોક્ય, ભવ ઓલ્યાના, ભભૂતિયા.
</poem>
[હે ભભૂતિયા! મનુષ્યની આ જગતમાં કેવી હાલત છે! પૂર્વ જન્મની શોક્ય આ જન્મે જે સ્ત્રીની સાસુ થઈ હોય અને સરોવરકાંઠે પાણી ભરવા જતાં જેનો ઘડો ફૂટી ગયો હોય, તેના જેવી : ન ઘેર જવાય, કે ન તો સરોવરકાંઠે રહેવાય.]
[હે ભભૂતિયા! મનુષ્યની આ જગતમાં કેવી હાલત છે! પૂર્વ જન્મની શોક્ય આ જન્મે જે સ્ત્રીની સાસુ થઈ હોય અને સરોવરકાંઠે પાણી ભરવા જતાં જેનો ઘડો ફૂટી ગયો હોય, તેના જેવી : ન ઘેર જવાય, કે ન તો સરોવરકાંઠે રહેવાય.]
<poem>
સફરાં પે’રે સૂત, ઓઢે પણ આપે નહીં;  
સફરાં પે’રે સૂત, ઓઢે પણ આપે નહીં;  
તે ગણતાં તાબૂત, સાચું સોરઠિયો ભણે.
તે ગણતાં તાબૂત, સાચું સોરઠિયો ભણે.
</poem>
[સોરઠિયો કહે છે કે જે મનુષ્યો સુંદર વસ્ત્રો પહેરે, પણ અન્ય વસ્ત્રહીનોને એકેય વસ્ત્ર ન આપે, તે મનુષ્યોને તાબૂત જેવાં જ ગણવાં. તાબૂતનો પોશાક કાગળનો : કોઈને ખપમાં ન આવે.]
[સોરઠિયો કહે છે કે જે મનુષ્યો સુંદર વસ્ત્રો પહેરે, પણ અન્ય વસ્ત્રહીનોને એકેય વસ્ત્ર ન આપે, તે મનુષ્યોને તાબૂત જેવાં જ ગણવાં. તાબૂતનો પોશાક કાગળનો : કોઈને ખપમાં ન આવે.]
<poem>
મેમાનુંને માન, દલ ભરી દીધાં નહીં;  
મેમાનુંને માન, દલ ભરી દીધાં નહીં;  
(એ) મંદિર નહીં, મસાણ; સાચું સોરઠિયો ભણે.
(એ) મંદિર નહીં, મસાણ; સાચું સોરઠિયો ભણે.
</poem>
[જે ઘરમાં હૃદયપૂર્વક મહેમાનોને આદર ન દેવાતા હોય, તે ઘર મ્હેલ જેવું હોય તો પણ સ્મશાન જ સમજવું.]
[જે ઘરમાં હૃદયપૂર્વક મહેમાનોને આદર ન દેવાતા હોય, તે ઘર મ્હેલ જેવું હોય તો પણ સ્મશાન જ સમજવું.]
આણંદ-કરમાણંદની જોડલીમાં એક વિશિષ્ટતા હતી : દુહાની પહેલી પંક્તિ પ્રશ્નરૂપે આણંદ રચે, અને બીજી પંક્તિમાં કરમાણંદ એનો ઉત્તર આપે :
આણંદ-કરમાણંદની જોડલીમાં એક વિશિષ્ટતા હતી : દુહાની પહેલી પંક્તિ પ્રશ્નરૂપે આણંદ રચે, અને બીજી પંક્તિમાં કરમાણંદ એનો ઉત્તર આપે :
Line 422: Line 488:
પે’લાં આવે પાટુએ, (પીછે) ગડદે પેટ ભરંત.
પે’લાં આવે પાટુએ, (પીછે) ગડદે પેટ ભરંત.
[આણંદ પૂછે છે કે હે પરમાણંદ, હલકાં મનુષ્યો કેવો આનંદ કરે? કરમાણંદ ઉત્તર આપે છે કે પ્રથમ લાતો મારે, પછી ગડદા મારે.]
[આણંદ પૂછે છે કે હે પરમાણંદ, હલકાં મનુષ્યો કેવો આનંદ કરે? કરમાણંદ ઉત્તર આપે છે કે પ્રથમ લાતો મારે, પછી ગડદા મારે.]
<poem>
આણંદ કહે કરમાણંદા, માણસે માણસે ફેર?  
આણંદ કહે કરમાણંદા, માણસે માણસે ફેર?  
એક લખ દેતાં નવ મળે, એક ટકાનાં તેર.
એક લખ દેતાં નવ મળે, એક ટકાનાં તેર.
</poem>
[આણંદ પૂછે છે કે માણસ માણસમાં શો ફેર? કરમાણંદ ઉત્તર આપે છે કે એક પ્રકારનાં માણસ એક લાખ રૂપિયા દેતાં પણ ન મળે, જ્યારે બીજા પ્રકારનાં ટકાનાં તેર લેખે મળે.]
[આણંદ પૂછે છે કે માણસ માણસમાં શો ફેર? કરમાણંદ ઉત્તર આપે છે કે એક પ્રકારનાં માણસ એક લાખ રૂપિયા દેતાં પણ ન મળે, જ્યારે બીજા પ્રકારનાં ટકાનાં તેર લેખે મળે.]
આ બંને જણા, અને બીજાઓ પણ જગતના પાપાચાર, શિષ્ટાચાર અને દંભ ઉપર હસનાર ‘સિનીક’ હતા. બબ્બે પંક્તિના દુહામાં ડહાપણનાં હજારો રત્નો વેર્યાં છે. ને એ બધાં લગભગ કહેવતો કે ઉખાણાંને રૂપે લોકસમુદાયમાં ઊંડા પ્રસરી ગયા છે. દુહાઓમાં રચનારનું નામ જોડવાની પ્રથા આ સુભાષિતોમાં જ જોવાય છે. સ્વાનુભવનાં વેણ હોઈને, સાથે નામ દીપે છે. વળી તદ્દન નામ વિનાનાં સુભાષિતો સમુદ્રમાં ભાંગેલા વહાણનાં લાકડાંની પેઠે કંઈ કાળથી તરતાં આવે છે.
આ બંને જણા, અને બીજાઓ પણ જગતના પાપાચાર, શિષ્ટાચાર અને દંભ ઉપર હસનાર ‘સિનીક’ હતા. બબ્બે પંક્તિના દુહામાં ડહાપણનાં હજારો રત્નો વેર્યાં છે. ને એ બધાં લગભગ કહેવતો કે ઉખાણાંને રૂપે લોકસમુદાયમાં ઊંડા પ્રસરી ગયા છે. દુહાઓમાં રચનારનું નામ જોડવાની પ્રથા આ સુભાષિતોમાં જ જોવાય છે. સ્વાનુભવનાં વેણ હોઈને, સાથે નામ દીપે છે. વળી તદ્દન નામ વિનાનાં સુભાષિતો સમુદ્રમાં ભાંગેલા વહાણનાં લાકડાંની પેઠે કંઈ કાળથી તરતાં આવે છે.
<poem>
ધરતી નિત્ય નવેલડી, કેની ન પૂરી આશ;  
ધરતી નિત્ય નવેલડી, કેની ન પૂરી આશ;  
કેતા રામ રમી ગયા, કેતાં ગયા નિરાશ.
કેતા રામ રમી ગયા, કેતાં ગયા નિરાશ.
</poem>
[આ ધરતી તો સદાય જોબનવંતી વેશ્યા જેવી છે. એણે કોઈની આશા પૂરી નથી. કેટકેટલા આત્માઓ રમત રમીરમીને નિરાશ થઈ ચાલ્યા ગયા છે.]
[આ ધરતી તો સદાય જોબનવંતી વેશ્યા જેવી છે. એણે કોઈની આશા પૂરી નથી. કેટકેટલા આત્માઓ રમત રમીરમીને નિરાશ થઈ ચાલ્યા ગયા છે.]
<poem>
જાગી હર જપિયા નહીં, રોજ ગળંતી રાત,  
જાગી હર જપિયા નહીં, રોજ ગળંતી રાત,  
તે નર સરજે કૂકડા, પોકારે પરભાત.
તે નર સરજે કૂકડા, પોકારે પરભાત.
</poem>
[પાછલી રાતે જે પુરુષોએ જાગીને પ્રભુને ન જપ્યા હોય તેઓને કૂકડાનો અવતાર પામીને પ્રભાતે વહેલાં ઊઠી પોકાર કરવો પડે છે.]
[પાછલી રાતે જે પુરુષોએ જાગીને પ્રભુને ન જપ્યા હોય તેઓને કૂકડાનો અવતાર પામીને પ્રભાતે વહેલાં ઊઠી પોકાર કરવો પડે છે.]
અને સ્વર્ગધામમાં ચડવાને માટે નીસરણી રચી હોય, તેવા ‘શામળાના દુહા’ની શ્રેણી અનેક જણા રચી ગયા છે. કોઈએ પ્રભુના પૃથક્ પૃથક્ ચમત્કારોની યશગાથા વીસ-વીસ દુહાઓમાં લખી છે :
અને સ્વર્ગધામમાં ચડવાને માટે નીસરણી રચી હોય, તેવા ‘શામળાના દુહા’ની શ્રેણી અનેક જણા રચી ગયા છે. કોઈએ પ્રભુના પૃથક્ પૃથક્ ચમત્કારોની યશગાથા વીસ-વીસ દુહાઓમાં લખી છે :
<poem>
એકે મન ઉચાટ, રાખો નવ સજણાં રૂદે;  
એકે મન ઉચાટ, રાખો નવ સજણાં રૂદે;  
વસમી ટાળી વાટ, સવળી કરશે શામળો.
વસમી ટાળી વાટ, સવળી કરશે શામળો.
</poem>
[હે સજ્જનો! પ્રથમ તો મનમાં ઉચાટ ન રાખો. આપણી વિપરીત ગતિને પ્રભુ અનુકૂળ કરશે.]
[હે સજ્જનો! પ્રથમ તો મનમાં ઉચાટ ન રાખો. આપણી વિપરીત ગતિને પ્રભુ અનુકૂળ કરશે.]
<poem>
બીજે બલાડી તણાં, બળતાં રાખ્યાં બાળ;  
બીજે બલાડી તણાં, બળતાં રાખ્યાં બાળ;  
ચાડે ગ્રાહી ચાળ, સાચો બેલી શામળો.
ચાડે ગ્રાહી ચાળ, સાચો બેલી શામળો.
</poem>
[નીંભાડામાંથી બિલાડીનાં બચ્ચાં ઉગાર્યાં, એ સાચો રક્ષણહાર પ્રભુ આપણને પણ ઉગારશે.]
[નીંભાડામાંથી બિલાડીનાં બચ્ચાં ઉગાર્યાં, એ સાચો રક્ષણહાર પ્રભુ આપણને પણ ઉગારશે.]
<poem>
ત્રીજે પાંચાળી તણી, ટાણે રાખી ટેક;  
ત્રીજે પાંચાળી તણી, ટાણે રાખી ટેક;  
અપંગાં ટેકો એક, સાચો રાખે શામળો.
અપંગાં ટેકો એક, સાચો રાખે શામળો.
</poem>
[દ્રૌપદીની ટેક બરાબર કટ્ટાકટ્ટીને વખતે પ્રભુએ સાચવી. અસહાયનો આધાર એક પ્રભુ છે.]
[દ્રૌપદીની ટેક બરાબર કટ્ટાકટ્ટીને વખતે પ્રભુએ સાચવી. અસહાયનો આધાર એક પ્રભુ છે.]
<poem>
ગ્રાહેલો ગજરાજ, ચોથે તેં છોડાવિયો;  
ગ્રાહેલો ગજરાજ, ચોથે તેં છોડાવિયો;  
લટકાળા તેં લાજ, છેવટ રાખી, શામળા.
લટકાળા તેં લાજ, છેવટ રાખી, શામળા.
</poem>
એ રીતે પ્રભુનાં કીર્તન ગવાયાં છે. અને કવિઓએ કેવળ બાલ-ભાવે પ્રભુને ઢળકા રૂપે તે મેણાં રૂપે, દુહે દુહે ઊંડા આર્તનાદની આજીજીઓ સંભળાવી છે :
એ રીતે પ્રભુનાં કીર્તન ગવાયાં છે. અને કવિઓએ કેવળ બાલ-ભાવે પ્રભુને ઢળકા રૂપે તે મેણાં રૂપે, દુહે દુહે ઊંડા આર્તનાદની આજીજીઓ સંભળાવી છે :
<poem>
રાંકાંથી રૂઠો ફરછ, ધીંગાંને આપ છ ધાન;  
રાંકાંથી રૂઠો ફરછ, ધીંગાંને આપ છ ધાન;  
પાસે નહીં પરધાન (નકર) સમજાવત, શામળા.
પાસે નહીં પરધાન (નકર) સમજાવત, શામળા.
</poem>
[હે પ્રભુ! તું ગરીબો ઉપર રોષ કરે છે, અને અમીરોને સમૃદ્ધિ આપે છે. તારી પાસે કોઈ પ્રધાન હોત તો તને આ ભૂલ સમજાવત.]
[હે પ્રભુ! તું ગરીબો ઉપર રોષ કરે છે, અને અમીરોને સમૃદ્ધિ આપે છે. તારી પાસે કોઈ પ્રધાન હોત તો તને આ ભૂલ સમજાવત.]
<poem>
હારે કોઈ હાલે નહીં, ભગવો પે’રી ભેખ;  
હારે કોઈ હાલે નહીં, ભગવો પે’રી ભેખ;  
આંહીંથી એકાએક, સરગે જાવું, શામળા.
આંહીંથી એકાએક, સરગે જાવું, શામળા.
</poem>
[આંહીંથી સાથે કોઈ નહીં ચાલે. સંસારના વૈભવ છોડીને એકલાં યમપુરી તરફ ચાલવું પડશે.]
[આંહીંથી સાથે કોઈ નહીં ચાલે. સંસારના વૈભવ છોડીને એકલાં યમપુરી તરફ ચાલવું પડશે.]
<poem>
અસૂરાનો આતમા, ક્યાં જઈ રે’શે રાત;  
અસૂરાનો આતમા, ક્યાં જઈ રે’શે રાત;  
(ત્યાં) નથી અમારે નાત, સગું એકેય, શામળા.
(ત્યાં) નથી અમારે નાત, સગું એકેય, શામળા.
</poem>
[હે પ્રભુ! રસ્તે મોડું થઈ જશે, તો આ આત્મા રાત ક્યાં રહેશે? ત્યાં તો અમારું કોઈ સ્વજન પણ નથી.]
[હે પ્રભુ! રસ્તે મોડું થઈ જશે, તો આ આત્મા રાત ક્યાં રહેશે? ત્યાં તો અમારું કોઈ સ્વજન પણ નથી.]
[‘કૌમુદી’, પૌષ અને ચૈત્ર 1981 (ઈ. સ. 1925), પૌષ 1982 (ઈ. સ. 1926)]
[‘કૌમુદી’, પૌષ અને ચૈત્ર 1981 (ઈ. સ. 1925), પૌષ 1982 (ઈ. સ. 1926)]
18,450

edits

Navigation menu