વિશ્વપરિચય/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 84: Line 84:
આ ચોપડીમાં એક વસ્તુ ધ્યાનમાં આવશે—એની નૌકા એટલે કે એની ભાષા સહેલાઈથી ચાલે એવો પ્રયત્ન એમાં કરેલો છે, પરંતુ માલ ખૂબ ઓછો કરી નાખી એને હલકી કરવાનું મેં યોગ્ય ધાર્યું નથી. દયાને લીધે વંચિત રાખવું એ દયા ન કહેવાય. મારો મત એવો છે કે, જેઓનું મન કાચું હોય છે, તેઓ જેટલું સ્વાભાવિક રીતે શકય હશે તેટલું લેશે, બાકીનું આપોઆપ છોડી દેશે, પણ તેટલા ખાતર તેમના ભાણાને લગભગ ખાલી જ રાખવાં એ સદ્વ્યવહાર નથી. જે વિષય શીખવાની વસ્તુ છે, તે કેવળ ભોગવવાની વસ્તુ નથી તેના ઉપર થઈને સડસડાટ આંખ ફેરવી જવી એ કંઈ વાંચ્યું ન કહેવાય. ધ્યાન દેવું અને પ્રયત્ન કરીને સમજવું એ પણ શિક્ષણનું અંગ છે, તે આનંદનું જ સહચર છે. નાનપણમાં પોતાને હાથે પ્રયત્ન કરીને હું જે શિક્ષણ પામ્યો હતો તેમાંથી મને આ અનુભવ મળ્યો છે. એક ઉંમરે જ્યારે મને દૂધ ભાવતું નહતું, ત્યારે વડીલોને છેતરવાને માટે દૂધને લગભગ પૂરેપૂરું ફીણ બનાવી દઈને વાટકી ભરી દેવાનું કાવતરું હું કરતો હતો. બાળકોને વાંચવાની ચોપડીઓ જેઓ લખે છે, તેઓ હું જોઉં છું કે પુષ્કળ પ્રમાણમાં ફીણ નાખે છે. તેઓ એ વાત ભૂલી જાય છે કે જ્ઞાનનો જેમ આનંદ હોય છે તેમ તેનું મૂલ્ય પણ હોય છે. બાળપણથી મૂલ્ય ચોરવાની ટેવ પડી જાય તો ખરા આનંદના અધિકાર પણ ખોઈ બેસવો પડે છે. ચાવીને ખાવાથી જ એક તરફથી દાંત મજબૂત થાય છે અને બીજી તરફથી ખાવાનો પૂરો સ્વાદ મળે છે; આ પુસ્તક લખતી વખતે એ વાત યથાશક્તિ ભૂલ્યા નથી.
આ ચોપડીમાં એક વસ્તુ ધ્યાનમાં આવશે—એની નૌકા એટલે કે એની ભાષા સહેલાઈથી ચાલે એવો પ્રયત્ન એમાં કરેલો છે, પરંતુ માલ ખૂબ ઓછો કરી નાખી એને હલકી કરવાનું મેં યોગ્ય ધાર્યું નથી. દયાને લીધે વંચિત રાખવું એ દયા ન કહેવાય. મારો મત એવો છે કે, જેઓનું મન કાચું હોય છે, તેઓ જેટલું સ્વાભાવિક રીતે શકય હશે તેટલું લેશે, બાકીનું આપોઆપ છોડી દેશે, પણ તેટલા ખાતર તેમના ભાણાને લગભગ ખાલી જ રાખવાં એ સદ્વ્યવહાર નથી. જે વિષય શીખવાની વસ્તુ છે, તે કેવળ ભોગવવાની વસ્તુ નથી તેના ઉપર થઈને સડસડાટ આંખ ફેરવી જવી એ કંઈ વાંચ્યું ન કહેવાય. ધ્યાન દેવું અને પ્રયત્ન કરીને સમજવું એ પણ શિક્ષણનું અંગ છે, તે આનંદનું જ સહચર છે. નાનપણમાં પોતાને હાથે પ્રયત્ન કરીને હું જે શિક્ષણ પામ્યો હતો તેમાંથી મને આ અનુભવ મળ્યો છે. એક ઉંમરે જ્યારે મને દૂધ ભાવતું નહતું, ત્યારે વડીલોને છેતરવાને માટે દૂધને લગભગ પૂરેપૂરું ફીણ બનાવી દઈને વાટકી ભરી દેવાનું કાવતરું હું કરતો હતો. બાળકોને વાંચવાની ચોપડીઓ જેઓ લખે છે, તેઓ હું જોઉં છું કે પુષ્કળ પ્રમાણમાં ફીણ નાખે છે. તેઓ એ વાત ભૂલી જાય છે કે જ્ઞાનનો જેમ આનંદ હોય છે તેમ તેનું મૂલ્ય પણ હોય છે. બાળપણથી મૂલ્ય ચોરવાની ટેવ પડી જાય તો ખરા આનંદના અધિકાર પણ ખોઈ બેસવો પડે છે. ચાવીને ખાવાથી જ એક તરફથી દાંત મજબૂત થાય છે અને બીજી તરફથી ખાવાનો પૂરો સ્વાદ મળે છે; આ પુસ્તક લખતી વખતે એ વાત યથાશક્તિ ભૂલ્યા નથી.
શાંતિનિકેતન ૨ આશ્વિન, ૧૩૪૪{{Right|રવીન્દ્રનાથ ઠાકુર}}
શાંતિનિકેતન ૨ આશ્વિન, ૧૩૪૪{{Right|રવીન્દ્રનાથ ઠાકુર}}
{{Poem2Close}}
<hr>
<br>
<br>
<center>ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના</center>
{{Poem2Open}}
જે ઉંમરે શરીરની અશક્તિ અને ધ્યાનશક્તિના સ્વાભાવિક શૈથિલ્યને કારણે સાધારણ સુપરિચિત વિષયની આલોચનામાં પણ સ્ખલન થાય છે તે ઉંમરે જ અલ્પપરિચિત વિષયની રચનામાં હસ્તક્ષેપ કર્યો હતો. તેનું એક માત્ર કારણ સહેલી ભાષામાં વિજ્ઞાનની સમજૂતીનું એક બીજું તૈયાર કરી આપવાની મારા મનમાં ઇચ્છા હતી. મને આશા હતી કે વિષયવસ્તુની ત્રુટિઓ તદ્વિદોની મદદથી સુધરી જશે. થોડા દિવસ રાહ જોયા પછી મારી તે આશા પૂર્ણ થઈ છે. કૃષ્ણનગર કૉલેજના અધ્યાપક શ્રીયુત વિભૂતિભૂષણ સેને અને મુંબઈથી શ્રીયુત ઈન્દ્રમોહન સોમે ખાસ મહેનત લઈને ભૂલ બતાવવાથી તે બધી સુધારવાની તક મળી. તેમણે વગરમાગ્યે એ ઉપકાર કર્યો તે માટે હું તેમને અત્યંત કૃતજ્ઞ છું. સાથે સાથે આગલી આવૃત્તિઓના વાચકોની હું ક્ષમા યાચું છું.
{{Right|કાલિંગ – ર૭-૬-૩૮ }}<br>
{{Right|'''રવીન્દ્રનાથ ઠાકુર'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
{{HeaderNav2
|next = કવિની સામાજિક ભૂમિકા
|next = કવિની સામાજિક ભૂમિકા
}}
}}
18,450

edits

Navigation menu