સંવાદસંપદા/ડૉ નરેશ વેદ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 42: Line 42:


'''પ્રશ્ન:સાહિત્યની વાત કરીએ તો આપણે ત્યાં વિદ્વત્તા વિસારે પડી રહી છે. વાંચન, અધ્યયન, એ આપણી નવી પેઢીના રસના વિષયો નથી. એવા સમયમાં સર્જનાત્મકતા-મૌલિકતાની વ્યાખ્યા શું કરી શકાય?'''
'''પ્રશ્ન:સાહિત્યની વાત કરીએ તો આપણે ત્યાં વિદ્વત્તા વિસારે પડી રહી છે. વાંચન, અધ્યયન, એ આપણી નવી પેઢીના રસના વિષયો નથી. એવા સમયમાં સર્જનાત્મકતા-મૌલિકતાની વ્યાખ્યા શું કરી શકાય?'''
એનું મુખ્ય કારણ એ મીડિયાનો ઉપદ્રવ છે. તમે જુઓ કે બાળક રડે છે તો એને છાનું રાખવા માતા હાલરડું ગાતી નથી, એક વાર આ ખબર પડી કે એલેક્સા આ ગીત વગાડે છે તો બાળક છાનું રહી જાય છે. સુવડાવતી મા હાલરડાં-જોડકણા કરતી હતી એમાં સર્જનાત્મકતા-મૌલિકતા હતી. એના હૈયામાંથી ઉઠતો જે ભાવ હતો, જે સંવેદના હતી તે એ પ્રગટ કરતી હતી. એ તો આખું લોકસાહિત્ય છે. ‘નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો...’ કોઈકે એક પંક્તિ વહેતી મૂકી પછી જેને જે ઠીક લાગ્યું તે ઉમેરતા ગયા. એ એક પ્રકારની સ્વાભાવિક-નૈસર્ગિક સર્જનાત્મકતા હતી, એની ઉપર કુઠરાઘાત થઇ ગયો. એટલે શિક્ષણે જે કામ કરવાનું હતું એ નથી કર્યું, વ્યક્તિમાં રહેલી સર્ગશક્તિઅથવા પ્રતિભાશક્તિને એણે કુંઠિત કરી નાખી છે. આજના શિક્ષકને કે વિદ્યાર્થીને પોતાની અંદર કેટલી સર્જનશક્તિ પડેલી છે એની ખબર જ નથી. બધું કટિંગ-પેસ્ટીન્ગ થી ચાલે છે. પીએચડીની થીસિસ પણ એ જ રીતે થાય છે, અહીંથી લીધું અને અહીં જોડ્યું. પણ એમાં એક પરિસ્થિતિ કાયમ રહેવાની. કલ્પનાશીલતા ક્યારેય મરે નહીં, ક્યારેક જેમ ધરતી ફાડીને કુંપળ ફૂટે એમ એ નીકળે. આખો માહોલ છીછરાપણાનો છે. પણ એમાં પણ ક્યાંક અસલ મૌલિક પ્રગટે છે. વિનોદ જોશીનો દાખલો લો, એમની કવિતાઓ કેમ આટલી બધી બળકટ લાગે છે? એ લોકગીતોમાંથી કલ્પનો ઉપાડે છે, એ સંવેદનો પણ એમાંથી આવે છે. સોપારીના કટકાની વાત હોય કે બાઈજી સાથેનો સંવાદ હોય. કે પારુલ ખખ્ખરને જુઓ.એટલે હૃદયનો પાતાળકૂવો ફૂટે અને એની અંદરથી સરવાણીઓ નીકળવા માંડે ત્યારે એકેટલી તાકાત સાથે નીકળે છે. આપણા અનિલ જોશી, રમેશ પારેખ, માધવ રામાનુજ વગેરે બધા આ પ્રકારનાઉદાહરણો છે. અમરેલીના છોકરા પ્રણવે હજુ તો કોલેજનું પહેલું પગથિયું હશે ત્યાં એણે એક સરસ કાવ્ય રચી દીધું, ‘હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો, હું દ્વારે ઉભો બની સુદામો’. હવે તમે જુઓ કે આ ભાવ કેટલી સહજતાથી આવે છે. આવા ઉન્મેષો જ્યારે આવે ત્યારે આપણને સમજાય છે કે સર્જનાત્મકતા એ ઢાંકી ઢંકાય એમ નથી. એટલે આ વાતાવરણમાં પણ હું નિરુત્સાહી નથી.
એનું મુખ્ય કારણ એ મીડિયાનો ઉપદ્રવ છે. તમે જુઓ કે બાળક રડે છે તો એને છાનું રાખવા માતા હાલરડું ગાતી નથી, એક વાર આ ખબર પડી કે એલેક્સા આ ગીત વગાડે છે તો બાળક છાનું રહી જાય છે. સુવડાવતી મા હાલરડાં-જોડકણાં કરતી હતી એમાં સર્જનાત્મકતા-મૌલિકતા હતી. એના હૈયામાંથી ઉઠતો જે ભાવ હતો, જે સંવેદના હતી તે એ પ્રગટ કરતી હતી. એ તો આખું લોકસાહિત્ય છે. ‘નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો...’ કોઈકે એક પંક્તિ વહેતી મૂકી પછી જેને જે ઠીક લાગ્યું તે ઉમેરતા ગયા. એ એક પ્રકારની સ્વાભાવિક-નૈસર્ગિક સર્જનાત્મકતા હતી, એની ઉપર કુઠરાઘાત થઈ ગયો. એટલે શિક્ષણે જે કામ કરવાનું હતું એ નથી કર્યું, વ્યક્તિમાં રહેલી સર્ગશક્તિઅથવા પ્રતિભાશક્તિને એણે કુંઠિત કરી નાખી છે. આજના શિક્ષકને કે વિદ્યાર્થીને પોતાની અંદર કેટલી સર્જનશક્તિ પડેલી છે એની ખબર જ નથી. બધું કટિંગ-પેસ્ટીન્ગથી ચાલે છે. પીએચડીની થીસિસ પણ એ જ રીતે થાય છે, અહીંથી લીધું અને અહીં જોડ્યું. પણ એમાં એક પરિસ્થિતિ કાયમ રહેવાની. કલ્પનાશીલતા ક્યારેય મરે નહીં, ક્યારેક જેમ ધરતી ફાડીને કુંપળ ફૂટે એમ એ નીકળે. આખો માહોલ છીછરાપણાનો છે. પણ એમાં પણ ક્યાંક અસલ મૌલિક પ્રગટે છે. વિનોદ જોશીનો દાખલો લો, એમની કવિતાઓ કેમ આટલી બધી બળકટ લાગે છે? એ લોકગીતોમાંથી કલ્પનો ઉપાડે છે, એ સંવેદનો પણ એમાંથી આવે છે. સોપારીના કટકાની વાત હોય કે બાઈજી સાથેનો સંવાદ હોય. કે પારુલ ખખ્ખરને જુઓ. એટલે હૃદયનો પાતાળકૂવો ફૂટે અને એની અંદરથી સરવાણીઓ નીકળવા માંડે ત્યારે એ કેટલી તાકાત સાથે નીકળે છે. આપણા અનિલ જોશી, રમેશ પારેખ, માધવ રામાનુજ વગેરે બધા આ પ્રકારનાં ઉદાહરણો છે. અમરેલીના છોકરા પ્રણવે હજુ તો કોલેજનું પહેલું પગથિયું હશે ત્યાં એણે એક સરસ કાવ્ય રચી દીધું, ‘હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો, હું દ્વારે ઊભો બની સુદામો’. હવે તમે જુઓ કે આ ભાવ કેટલી સહજતાથી આવે છે. આવા ઉન્મેષો જ્યારે આવે ત્યારે આપણને સમજાય છે કે સર્જનાત્મકતા એ ઢાંકી ઢંકાય એમ નથી. એટલે આ વાતાવરણમાં પણ હું નિરુત્સાહી નથી.
'''પ્રશ્ન: ભારતીય સમાજ સામે આજે કયા મોટા પડકારો છે? શું આજે આપણા દેશને અને દૂનિયાને ગાંધી જેવા યુગપુરુષની જરૂર છે?'''
 
આ સવાલ કોઈના પણ મનમાં ઉઠે વ્યાજબી છે.આ સંસ્કૃતિની વિશેષતા જ એ છે કે યુગાવકાશે આપોઆપ એને યુગપુરુષની દેન મળતી રહી છે. પછી તમે એને રૂપ ગમે તે આપો, એને અવતાર કહો કે ન કહો. ગાંધીજીએ તો અવતારની વ્યાખ્યા આપી છે. એમણે કહ્યું કે એ એક એવો વ્યક્તિવિશેષ હોય જેને એના પછીની પેઢી યુગપ્રવર્તક તરીકે જુવે. તો કેટલા બધા અવતારી લોકો આપણી વચ્ચે આવતા રહ્યા. આપણા સમાજમાં આજે સંબંધો મરતા જાય છે, વહેવારો મરતા જાય છે, ભાષા ઘસાતી જાય છે, પ્રેમ ઘસાતો જાય છે. આપણા આચારો, આદર્શો, મૂલ્યો, પરંપરાઓ, આ બધામાં આપણે અવનતિ જોઈ રહ્યાં છીએ. સમાજ બિલકુલ સ્વાર્થપરત, અંગત, નિજી, બૌદ્ધિકઅને યાંત્રિક, સુખાકારીનું જીવન જીવતો થઇ ગયો છે. પણ સમાજમાં એક તરફ ઘસારો ચાલે છે તેમ બીજી બાજુ નવનિર્માણ પણ ચાલી રહ્યું છે. એટલે સમાજ જયારે પતનના માર્ગે જતો લાગે ત્યારે એની અંદરથી જ કેટલાક લોકો એવા જાગે છે જેમને એમ થાય કે આ અજુગતું થઇ રહ્યું છે. એવી કેટલી બધી સેવાભાવી સંસ્થાઓ છે જે લોકો માનવતાને વાવી રહ્યા છે, જીવનને ઉગાડીને એની માવજત કરી રહ્યા છે. એ જ સાચી ધાર્મિકતા અને આધ્યાત્મિકતા છે. માણસમાં રહેલી દૈવી સંપત્તિ ક્યારેય નાશ નથી પામતી. આપણી પાસે શંકરાચાર્ય જેવા બૌદ્ધિક, ગાંધીજી જેવા અધ્યાત્મવીર, વિવેકાનંદ જેવા પ્રાણપુરુષ,રમણ મહર્ષિ, શ્રી અરવિંદ, રામકૃષ્ણ પરમહંસ સમયે સમયે પ્રગટતા રહ્યા.સાહિત્યકારોએ પણ યુગપ્રવર્તકનો આવો જ ધર્મ નિભાવ્યો છે-ટાગોર રૂપે, કે શરદબાબુ રૂપે, કેગોવાર્ધારામરૂપે, કે વિશ્વનાથ સત્યનારાયણ રૂપે. આ બાબતમાં પણ હું નિરાશાવાદી નથી.
'''પ્રશ્ન: ભારતીય સમાજ સામે આજે કયા મોટા પડકારો છે? શું આજે આપણા દેશને અને દુનિયાને ગાંધી જેવા યુગપુરુષની જરૂર છે?'''
'''પ્રશ્ન: આપણા આ સંવાદનું સમાપન કરીએ ત્યારે- આપણા જીવનને આપણે બદલાતું જોઈ રહ્યાં છીએ, તોઆવા પરિવર્તનના સમયમાં આપણે જીવનને શું આપી શકીએ?'''
આ સવાલ કોઈના પણ મનમાં ઊઠે વાજબી છે.આ સંસ્કૃતિની વિશેષતા જ એ છે કે યુગાવકાશે આપોઆપ એને યુગપુરુષની દેન મળતી રહી છે. પછી તમે એને રૂપ ગમે તે આપો, એને અવતાર કહો કે ન કહો. ગાંધીજીએ તો અવતારની વ્યાખ્યા આપી છે. એમણે કહ્યું કે એ એક એવો વ્યક્તિવિશેષ હોય જેને એના પછીની પેઢી યુગપ્રવર્તક તરીકે જુએ. તો કેટલા બધા અવતારી લોકો આપણી વચ્ચે આવતા રહ્યા. આપણા સમાજમાં આજે સંબંધો મરતા જાય છે, વહેવારો મરતા જાય છે, ભાષા ઘસાતી જાય છે, પ્રેમ ઘસાતો જાય છે. આપણાં આચારો, આદર્શો, મૂલ્યો, પરંપરાઓ, આ બધાંમાં આપણે અવનતિ જોઈ રહ્યા છીએ. સમાજ બિલકુલ સ્વાર્થપરત, અંગત, નિજી, બૌદ્ધિક અને યાંત્રિક, સુખાકારીનું જીવન જીવતો થઈ ગયો છે. પણ સમાજમાં એક તરફ ઘસારો ચાલે છે તેમ બીજી બાજુ નવનિર્માણ પણ ચાલી રહ્યું છે. એટલે સમાજ જયારે પતનના માર્ગે જતો લાગે ત્યારે એની અંદરથી જ કેટલાક લોકો એવા જાગે છે જેમને એમ થાય કે આ અજુગતું થઈ રહ્યું છે. એવી કેટલી બધી સેવાભાવી સંસ્થાઓ છે જે લોકો માનવતાને વાવી રહ્યા છે, જીવનને ઉગાડીને એની માવજત કરી રહ્યા છે. એ જ સાચી ધાર્મિકતા અને આધ્યાત્મિકતા છે. માણસમાં રહેલી દૈવી સંપત્તિ ક્યારેય નાશ નથી પામતી. આપણી પાસે શંકરાચાર્ય જેવા બૌદ્ધિક, ગાંધીજી જેવા અધ્યાત્મવીર, વિવેકાનંદ જેવા પ્રાણપુરુષ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ, રામકૃષ્ણ પરમહંસ સમયે સમયે પ્રગટતા રહ્યા. સાહિત્યકારોએ પણ યુગપ્રવર્તકનો આવો જ ધર્મ નિભાવ્યો છે-ટાગોર રૂપે, કે શરદબાબુ રૂપે, કે ગોવાર્ધનરામ રૂપે, કે વિશ્વનાથ સત્યનારાયણ રૂપે. આ બાબતમાં પણ હું નિરાશાવાદી નથી.
તમે મને બહુ જ સુંદર મોકો આપ્યો. સૌથી મહત્વની વાત એ કે લોકોને એ ખબર હોવી જોઈએ કે પોતે શું આપી શકે એમ છે.અડધી દૂનિયા પર જેના શબ્દોની અસર પડતી હતી, જેની સત્તા ચાલતી હતી એવા બિલ ક્લીન્ટન પ્રમુખપદેથી નિવૃત્ત થયા કે તરત એમણે પહેલાં વિચાર કર્યો કે ગઈકાલ સુધી મારી પાસે આટલી સત્તા હતી, હવે મારે ખરેખર કશુંક કરવું છે, પણ મારી પાસે શું છે? હું શું કરી શકું? એ સમજવા માટે એમણે આખી દૂનિયાનો પ્રવાસ કર્યો અને એના પરથી એમણે પુસ્તક લખ્યું, ‘ધ ગિવીંગ’. એમણે બહુ સરસ રીતે વાત સમજાવી કે આપણી પાસે સત્તા અથવા સંપત્તિ ન હોય તો કંઈ નહીં, આપણી પાસે પ્રેમ, સમય, હિંમત, માનવતાતો છે ને. એ કોઈકને આપી શકીએ. કોઈને ટેકો, કોઈને ખભો, કોઈને આશ્વાસન, કોઈને માટે ઘસાઇ છૂટીએ, કોઈને હાથ આપીએ. ઘણું બધું થઇ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે હું ખાલી નથી એવું દરેકને ભાન થવું.એટલે જેને કરવું છે એ ગમે તે કરી શકે છે અને એ કરવું એ નાગરિક તરીકેની આપણી જવાબદારી અને ફરજ છે. એટલે કોઈને નડીએ નહીં, આપણા પૂર્વજોએ એક નાનકડા વાક્યમાં જીવનનો આ સંદેશ આપી દીધો છે. ‘સ્વમાં વાસ, આઘો ખસ, એટલું બસ.’ તારી જાતમાં વસતાંશીખ, પોતાનામાં આત્મશ્રદ્ધા રાખતાં શીખ. સમાજની બુરાઈઓથી તું આઘો ખસ. આટલું કરીશ તોય ઘણું છે. આવું કંઈક થાય તો મનુષ્યને સાર્થકતાનો અનુભવ થાય.
 
'''પ્રશ્ન: આપણા આ સંવાદનું સમાપન કરીએ ત્યારે- આપણા જીવનને આપણે બદલાતું જોઈ રહ્યા છીએ, તો આવા પરિવર્તનના સમયમાં આપણે જીવનને શું આપી શકીએ?'''
તમે મને બહુ જ સુંદર મોકો આપ્યો. સૌથી મહત્ત્વની વાત એ કે લોકોને એ ખબર હોવી જોઈએ કે પોતે શું આપી શકે એમ છે. અડધી દૂનિયા પર જેના શબ્દોની અસર પડતી હતી, જેની સત્તા ચાલતી હતી એવા બિલ ક્લીન્ટન પ્રમુખપદેથી નિવૃત્ત થયા કે તરત એમણે પહેલાં વિચાર કર્યો કે ગઈકાલ સુધી મારી પાસે આટલી સત્તા હતી, હવે મારે ખરેખર કશુંક કરવું છે, પણ મારી પાસે શું છે? હું શું કરી શકું? એ સમજવા માટે એમણે આખી દૂનિયાનો પ્રવાસ કર્યો અને એના પરથી એમણે પુસ્તક લખ્યું, ‘ધ ગિવીંગ’. એમણે બહુ સરસ રીતે વાત સમજાવી કે આપણી પાસે સત્તા અથવા સંપત્તિ ન હોય તો કંઈ નહીં, આપણી પાસે પ્રેમ, સમય, હિંમત, માનવતાતો છે ને. એ કોઈકને આપી શકીએ. કોઈને ટેકો, કોઈને ખભો, કોઈને આશ્વાસન, કોઈને માટે ઘસાઇ છૂટીએ, કોઈને હાથ આપીએ. ઘણું બધું થઇ શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે હું ખાલી નથી એવું દરેકને ભાન થવું. એટલે જેને કરવું છે એ ગમે તે કરી શકે છે અને એ કરવું એ નાગરિક તરીકેની આપણી જવાબદારી અને ફરજ છે. એટલે કોઈને નડીએ નહીં, આપણા પૂર્વજોએ એક નાનકડા વાક્યમાં જીવનનો આ સંદેશ આપી દીધો છે. ‘સ્વમાં વાસ, આઘો ખસ, એટલું બસ.’ તારી જાતમાં વસતાં શીખ, પોતાનામાં આત્મશ્રદ્ધા રાખતાં શીખ. સમાજની બુરાઈઓથી તું આઘો ખસ. આટલું કરીશ તોય ઘણું છે. આવું કંઈક થાય તો મનુષ્યને સાર્થકતાનો અનુભવ થાય.


{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu