નારીસંપદા : ટૂંકી વાર્તા/પ્રસ્તાવના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(10 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પ્રસ્તાવના :}}
{{Heading|પ્રસ્તાવના :}}


Line 13: Line 12:
વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતાની ઘણી વાર્તાઓના કેન્દ્રમાં નારી છે. રોજિંદી ઘટમાળમાં ફસાયેલી, પોતાની રીતે રસ્તો કરવા મથતી, શોષાતી સ્ત્રીઓની આસપાસ એમની ઘણી વાર્તાઓ લખાઈ છે. શોષણના, મૂંઝવણના પ્રકારો બદલાતા રહ્યા છે. અહીં લગ્નેતર સંબંધો છે, તૂટતાં ઘર પરિવાર છે, પણ લગ્નના તૂટવા સાથે જિંદગીનો અંત આવે છે એવું ઈલા આરબ મહેતાની ‘વિસ્તાર’ વાર્તાની નાયિકા નથી માનતી. ઉંબરાની બહાર પગ મૂકતી સ્ત્રીના સૂક્ષ્મ પ્રકારના જાતીય શોષણની, હલકી મજાક-મશ્કરી, દ્વિઅર્થી ભાષા, તક મળ્યે હાથને કે ગમે ત્યાં અડી લેવું... આ પ્રકારના ત્રાસ નોકરી કરતી સ્ત્રીને રસ્તામાં, જાહેર વાહનમાં કે ઑફિસમાં વેઠવાના થાય જ છે. ઈલા બહેનની ‘શમિક તું શું કહેશે?’ વાર્તામાં જોકે વર્ષોથી આ રીતે શોષાતી સ્ત્રી હવે વધુ વેઠી લેવા તૈયાર નથી એવો સૂર પ્રગટ થાય છે.  
વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતાની ઘણી વાર્તાઓના કેન્દ્રમાં નારી છે. રોજિંદી ઘટમાળમાં ફસાયેલી, પોતાની રીતે રસ્તો કરવા મથતી, શોષાતી સ્ત્રીઓની આસપાસ એમની ઘણી વાર્તાઓ લખાઈ છે. શોષણના, મૂંઝવણના પ્રકારો બદલાતા રહ્યા છે. અહીં લગ્નેતર સંબંધો છે, તૂટતાં ઘર પરિવાર છે, પણ લગ્નના તૂટવા સાથે જિંદગીનો અંત આવે છે એવું ઈલા આરબ મહેતાની ‘વિસ્તાર’ વાર્તાની નાયિકા નથી માનતી. ઉંબરાની બહાર પગ મૂકતી સ્ત્રીના સૂક્ષ્મ પ્રકારના જાતીય શોષણની, હલકી મજાક-મશ્કરી, દ્વિઅર્થી ભાષા, તક મળ્યે હાથને કે ગમે ત્યાં અડી લેવું... આ પ્રકારના ત્રાસ નોકરી કરતી સ્ત્રીને રસ્તામાં, જાહેર વાહનમાં કે ઑફિસમાં વેઠવાના થાય જ છે. ઈલા બહેનની ‘શમિક તું શું કહેશે?’ વાર્તામાં જોકે વર્ષોથી આ રીતે શોષાતી સ્ત્રી હવે વધુ વેઠી લેવા તૈયાર નથી એવો સૂર પ્રગટ થાય છે.  
અગિયાર વાર્તાસંગ્રહમાં 215થી વધારે વાર્તાઓ આપનાર વર્ષા અડાલજાની સારી, સત્ત્વશીલ વાર્તાઓ 1975 પછી મળે છે. પોતાને અનુકૂળ, પરિચિત હોમપીચ પર જ સર્જન કરનારાં વર્ષાબહેનની મોટાભાગની વાર્તાઓમાં નાગરી પરિવેશ છે. અર્ધાથી વધારે વાર્તાઓમાં નારીજીવનની વિવિધ સમસ્યાઓ આલેખતાં વર્ષાબહેનની વાર્તાઓમાં વિષયવૈવિધ્ય ખાસ્સું પણ રચનાપ્રયુક્તિના પ્રયોગો જ્વલ્લે જ જોવા મળે. સીધી, સાદી, સરળ શૈલીમાં રચાયેલી એમની વાર્તા વાચક અને ભાવક બંને માણી શકે એવી છે. એમની વાર્તાઓની પોતાની રીતે મથવા, ટકવા તૈયાર સ્ત્રી શાંતચિત્તે પતિનું ઘર છોડી શકે છે. આખા ઘરનો ભાર વેંઢારતી, અર્થ વગરની જોહુકમી વેઠતી વહુ કે દીકરી શોષકો સામે માથું ઊંચકે છે, વિદ્રોહ કરે છે, પણ તોડી નાખું-ફોડી નાખું પ્રકારનો વિદ્રોહ નથી એમનો. સાવ ટાઢોબોળ, શોષકને સ્તબ્ધ કરી દે તેવો વિરોધ છે. એમનાં વિરોધમાં દુનિયા બદલી નાખવાના ધખારા નથી. માત્ર દૃઢતાથી, પોતાના વજૂદને, પોતાની લાગણીને, પોતાની વાતને સામો પક્ષ સમજે, સ્વીકારે એવી આ સ્ત્રી કોશિશ કરે છે. દા.ત. ‘ઘંટી’, ‘શાંતિ’ કે ‘ગાંઠે બાંધ્યું આકાશ’ કે ‘નામ : નયના રસિક મહેતા’. આ સ્ત્રીઓના હળવા નકારથી કે જરાક અમસ્તા વિરોધથી શોષકવર્ગને ભારે અચંબો કે આઘાત લાગે છે કારણ કે, એમના માટે આવો નકાર કે વિરોધ બિલકુલ જ અપ્રત્યાશિત હતો. એમની પાસેથી લગ્નેતર સંબંધ વિશેની, બળાત્કાર વિશેની, મેન્ટલી ચેલેન્જ્ડ બાળકો વિશે સારી વાર્તાઓ મળી છે. કોઈ સાહિત્યિક વાદ કે વલણના વળગણ વગર મનની ચાલનાએ સતત વાર્તા લખતાં રહેલાં વર્ષા અડાલજાના નવલકથાલેખનને કારણે એમની ટૂંકી વાર્તાને જરાક વેઠવાનું ચોક્કસ જ થયું હશે.  
અગિયાર વાર્તાસંગ્રહમાં 215થી વધારે વાર્તાઓ આપનાર વર્ષા અડાલજાની સારી, સત્ત્વશીલ વાર્તાઓ 1975 પછી મળે છે. પોતાને અનુકૂળ, પરિચિત હોમપીચ પર જ સર્જન કરનારાં વર્ષાબહેનની મોટાભાગની વાર્તાઓમાં નાગરી પરિવેશ છે. અર્ધાથી વધારે વાર્તાઓમાં નારીજીવનની વિવિધ સમસ્યાઓ આલેખતાં વર્ષાબહેનની વાર્તાઓમાં વિષયવૈવિધ્ય ખાસ્સું પણ રચનાપ્રયુક્તિના પ્રયોગો જ્વલ્લે જ જોવા મળે. સીધી, સાદી, સરળ શૈલીમાં રચાયેલી એમની વાર્તા વાચક અને ભાવક બંને માણી શકે એવી છે. એમની વાર્તાઓની પોતાની રીતે મથવા, ટકવા તૈયાર સ્ત્રી શાંતચિત્તે પતિનું ઘર છોડી શકે છે. આખા ઘરનો ભાર વેંઢારતી, અર્થ વગરની જોહુકમી વેઠતી વહુ કે દીકરી શોષકો સામે માથું ઊંચકે છે, વિદ્રોહ કરે છે, પણ તોડી નાખું-ફોડી નાખું પ્રકારનો વિદ્રોહ નથી એમનો. સાવ ટાઢોબોળ, શોષકને સ્તબ્ધ કરી દે તેવો વિરોધ છે. એમનાં વિરોધમાં દુનિયા બદલી નાખવાના ધખારા નથી. માત્ર દૃઢતાથી, પોતાના વજૂદને, પોતાની લાગણીને, પોતાની વાતને સામો પક્ષ સમજે, સ્વીકારે એવી આ સ્ત્રી કોશિશ કરે છે. દા.ત. ‘ઘંટી’, ‘શાંતિ’ કે ‘ગાંઠે બાંધ્યું આકાશ’ કે ‘નામ : નયના રસિક મહેતા’. આ સ્ત્રીઓના હળવા નકારથી કે જરાક અમસ્તા વિરોધથી શોષકવર્ગને ભારે અચંબો કે આઘાત લાગે છે કારણ કે, એમના માટે આવો નકાર કે વિરોધ બિલકુલ જ અપ્રત્યાશિત હતો. એમની પાસેથી લગ્નેતર સંબંધ વિશેની, બળાત્કાર વિશેની, મેન્ટલી ચેલેન્જ્ડ બાળકો વિશે સારી વાર્તાઓ મળી છે. કોઈ સાહિત્યિક વાદ કે વલણના વળગણ વગર મનની ચાલનાએ સતત વાર્તા લખતાં રહેલાં વર્ષા અડાલજાના નવલકથાલેખનને કારણે એમની ટૂંકી વાર્તાને જરાક વેઠવાનું ચોક્કસ જ થયું હશે.  
બાર વાર્તાસંગ્રહમાં લગભગ 185 ઉપર વાર્તાઓ આપનાર હિમાંશી શેલતની કલમ ટૂંકી ક્ષેત્રે હજુ આજે પણ સક્રિય છે એટલે આ સંખ્યા વધી શકે. સ્ત્રી સ્વાતંત્ર્ય કે એવી તેવી પ્રચારાત્મક વાતોથી દૂર રહીને લખતાં હિમાંશી શેલતની લગભગ 35 જેટલી વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી છે. નારી સંવેદનાનાં અને નારીની એકલતાનાં અનેક પરિમાણો આલેખતાં હિમાંશી શેલતની વાર્તાઓમાં સ્ત્રીની કેટલી તો વિવિધરંગી છબી ઝિલાયેલી છે! સ્ત્રીની ખમી ખાવાની, સમાધાન કરવાની, જતું કરવાની, વેઠવાની, ચાહવાની આંતરિક તાકાતને આલેખતાં આ વાર્તાકાર સ્ત્રીનાં નકારાત્મક પાસાંને પણ પૂરાં તાટસ્થ્યથી આલેખે છે. દા.ત. ‘સુવર્ણફળ’, ‘બળતરાનાં બીજ’, ‘દાહ’, ‘કોઈ એક દિવસ’, ‘સમજ’, ‘રેશમી રજાઈમાં બાકોરું’, ‘આક્રમણ’, ‘સામેવાળી સ્ત્રી’, ‘બે સ્ત્રીઓ’, ‘મુઠ્ઠીમાં’, ‘ગર્ભગાથા’, ‘વિભીષિકા’ ઉપરાંત બીજી કેટલીય વાર્તાઓમાં સ્ત્રીની વિવિધરંગી છબિ ઝિલાયેલી છે. જે સમયે હિમાંશી શેલતે વાર્તા લખવાનો આરંભ કર્યો ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિકતાથી સ્પષ્ટપણે છેડો ફાડી ચૂકી હતી. આઝાદી પછીનો આ સૌથી વિકટ અને સંકુલ સમયગાળો હતો. બબ્બે અનામત આંદોલનોએ ગુજરાતના સમાજજીવનને ખળભળાવી મૂકેલું. એમાં રામજન્મભૂમિ આંદોલને થાગડથીગડ કરી માંડ માંડ સાચવેલાં સમાજજીવનના લીરે લીરા કરી નાખ્યા. બાબરી ધ્વંસ અને મુંબઈના વિસ્ફોટ પછી સાવ વેરવિખેર થઈ ગયેલ સમાજજીવનને 2001નો ધરતીકંપ જરાક સાંધે એ પહેલાં 2002નાં વરવા કોમી તોફાનોએ એને સાવ જ તારતાર કરી નાખ્યું. આ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓની સમાંતરે બદલાઈ રહેલાં માનવમનને, સમૂહની બદલાયેલી માનસિકતાને, તંત્રની બધિરતાને હિમાંશી શેલતે કળાના ધોરણે આલેખવાની કોશિશ કરી છે. આ વાર્તાકાર વાર્તાકસબ વિશે બિલકુલ સભાન છે, પરંતુ કસબ જ એમના માટે સર્વેસર્વા નથી. ‘વાંચવાનો રસ સાવ સુકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટૅક̖નિકની વધુ પડતી ચિંતા અને આળપંપાળ કે ભાષાના આંજી દે એવા ઝગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી.’ એવું માનનારાં હિમાંશી શેલતે એમની લગભગ તમામ વાર્તાઓમાં આંતરબાહ્ય વાસ્તવને, સંકુલ સંવેદનને સરળ અને સાફ અભિવ્યક્તિથી નિરૂપ્યાં છે. બાહ્ય વાસ્તવને, પોતાના સાંપ્રત સમયને કલાના વાસ્તવમાં ફેરવતાં હિમાંશી શેલત સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની સમાંતરે કળા પ્રત્યેનું ઉત્તરદાયિત્વ જરાય નથી વિસર્યાં.  
બાર વાર્તાસંગ્રહમાં લગભગ 185 ઉપર વાર્તાઓ આપનાર હિમાંશી શેલતની કલમ ટૂંકી ક્ષેત્રે હજુ આજે પણ સક્રિય છે એટલે આ સંખ્યા વધી શકે. સ્ત્રી સ્વાતંત્ર્ય કે એવી તેવી પ્રચારાત્મક વાતોથી દૂર રહીને લખતાં હિમાંશી શેલતની લગભગ 35 જેટલી વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી છે. નારી સંવેદનાનાં અને નારીની એકલતાનાં અનેક પરિમાણો આલેખતાં હિમાંશી શેલતની વાર્તાઓમાં સ્ત્રીની કેટલી તો વિવિધરંગી છબી ઝિલાયેલી છે! સ્ત્રીની ખમી ખાવાની, સમાધાન કરવાની, જતું કરવાની, વેઠવાની, ચાહવાની આંતરિક તાકાતને આલેખતાં આ વાર્તાકાર સ્ત્રીનાં નકારાત્મક પાસાંને પણ પૂરાં તાટસ્થ્યથી આલેખે છે. દા.ત. ‘સુવર્ણફળ’, ‘બળતરાનાં બીજ’, ‘દાહ’, ‘કોઈ એક દિવસ’, ‘સમજ’, ‘રેશમી રજાઈમાં બાકોરું’, ‘આક્રમણ’, ‘સામેવાળી સ્ત્રી’, ‘બે સ્ત્રીઓ’, ‘મુઠ્ઠીમાં’, ‘ગર્ભગાથા’, ‘વિભીષિકા’ ઉપરાંત બીજી કેટલીય વાર્તાઓમાં સ્ત્રીની વિવિધરંગી છબિ ઝિલાયેલી છે. જે સમયે હિમાંશી શેલતે વાર્તા લખવાનો આરંભ કર્યો ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિકતાથી સ્પષ્ટપણે છેડો ફાડી ચૂકી હતી. આઝાદી પછીનો આ સૌથી વિકટ અને સંકુલ સમયગાળો હતો. બબ્બે અનામત આંદોલનોએ ગુજરાતના સમાજજીવનને ખળભળાવી મૂકેલું. એમાં રામજન્મભૂમિ આંદોલને થાગડથીગડ કરી માંડ માંડ સાચવેલાં સમાજજીવનના લીરે લીરા કરી નાખ્યા. બાબરી ધ્વંસ અને મુંબઈના વિસ્ફોટ પછી સાવ વેરવિખેર થઈ ગયેલ સમાજજીવનને 2001નો ધરતીકંપ જરાક સાંધે એ પહેલાં 2002નાં વરવા કોમી તોફાનોએ એને સાવ જ તારતાર કરી નાખ્યું. આ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓની સમાંતરે બદલાઈ રહેલાં માનવમનને, સમૂહની બદલાયેલી માનસિકતાને, તંત્રની બધિરતાને હિમાંશી શેલતે કળાના ધોરણે આલેખવાની કોશિશ કરી છે. આ વાર્તાકાર વાર્તાકસબ વિશે બિલકુલ સભાન છે, પરંતુ કસબ જ એમના માટે સર્વેસર્વા નથી. ‘વાંચવાનો રસ સાવ સુકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટૅકનિકની વધુ પડતી ચિંતા અને આળપંપાળ કે ભાષાના આંજી દે એવા ઝગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી.’ એવું માનનારાં હિમાંશી શેલતે એમની લગભગ તમામ વાર્તાઓમાં આંતરબાહ્ય વાસ્તવને, સંકુલ સંવેદનને સરળ અને સાફ અભિવ્યક્તિથી નિરૂપ્યાં છે. બાહ્ય વાસ્તવને, પોતાના સાંપ્રત સમયને કલાના વાસ્તવમાં ફેરવતાં હિમાંશી શેલત સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની સમાંતરે કળા પ્રત્યેનું ઉત્તરદાયિત્વ જરાય નથી વિસર્યાં.  
એમની પાસેથી લગ્નેતર સંબંધોની સંકુલતા અને પીડાના વિવિધ આયામ પ્રગટાવતી લગભગ 6-7 વાર્તા મળી છે. દા.ત. ‘ઈતરા’, ‘અવલંબન’, ‘ખાંડણિયામાં માથું’, ‘સાંજનો સમય’, ‘અગિયારમો પત્ર’, ‘એ નામ’, ‘જોગણી’, ‘ગૂંચ’ વગેરે. થોડાક અંશે વણસ્પર્શ્યું રહી ગયેલું ગુજરાતી વાર્તાનું ક્ષેત્ર એટલે વેશ્યાજીવનને લગતી વાતો. દરેક વેશ્યા પહેલાં સ્ત્રી હોય છે અને એનું વેશ્યા હોવું મોટાભાગે એની લાચારી હોય છે એ વાત સમાજ કદી નથી સ્વીકારતો. હિમાંશી શેલતે ‘કિંમત’, ‘શાપ’, ‘ખરીદી’, ‘મોત’, ‘એ સવાર’ જેવી વાર્તાઓમાં આવી સ્ત્રીઓની વેદનાને સાવ નજીકથી જોઈ છે અને આલેખી છે. 2002નાં કોમી તોફાનોમાં કોમી વૈમનસ્યને પરિણામે પ્રજાકીય સ્તરે જે પ્રશ્નો થયા તેના વિશે સમૂહની માનસિકતા સામે સંવેદનશીલ વ્યક્તિઓની લાચારી વિશે, તરડાઈ ગયેલા સહજીવન વિશે હિમાંશી શેલતે સ્વસ્થ, તટસ્થ દૃષ્ટિકોણથી વાર્તાઓ લખી છે. દા.ત. ‘આજે રાતે’, ‘વામન’, ‘વળતી મુસાફરી’, ‘સજા’, ‘સાતમો મહિનો’, ‘વહેમ’ વગેરે. છેલ્લાં પંદર-વીસ વર્ષથી વાર્તાઓમાં એમને જે કહેવું છે તે પીડાની ચીસરૂપે વિસ્ફોટની જેમ પ્રગટ થાય છે. ગૂંગળાવી દેનારી પરિસ્થિતિ, લોકશાહી મૂલ્યોનાં સતત ધોવાણ સામે વકરતી જતી ટોળાંશાહી, સમજાય નહીં એવાં રાજકીય દબાણો, સ્ત્રીઓની બદહાલી, વિરોધી વિચારોનો ગોળીથી થતો ફેંસલો, ઘેટાંનાં ટોળાંની જેમ દોરવાતી પ્રજા... આપણાં સમયની આ કારમી સમસ્યાઓને એમની વાર્તાઓ ઊંડળમાં લે છે. ગુજરાતી સર્જક ભાગ્યે જ સ્પર્શતો હોય તેવા વિષયવસ્તુ પર એમની વાર્તાઓ મળે છે. દા.ત. વિધવાઓનાં જીવનને આલેખતી ફિલ્મનો ટોળાં દ્વારા હિંસક વિરોધ (‘એકાવનમો એપિસોડ’), પોલીસ કસ્ટડીમાં કોઈનું મરી જવું (‘ઑન ડ્યૂટી’), સાવ નાનકડી બાળકી પર થતો બળાત્કાર (‘કોઈ બીજો માણસ’), કારગિલ યુદ્ધ પછી પાકિસ્તાની નેતાના આગમન સમયે ભારતનું વરસી પડવું (‘વરસી’), ધરતીકંપ (‘ઘર ઊભેલાં અને પડેલાં’ તથા ‘ભંગુર’), કોમી તોફાનો (‘આજે રાતે’, ‘સજા’, ‘વામન’ વગેરે), ગેંગ રેઈપ અને પછી કોઈને સજા જ નહીં (‘કમ્પાસ બૉક્સમાં પડેલી પાંખો’ અને ‘મુઠ્ઠીભર હવા’), ગાંધીને બદલે ગોડસેની પૂજા (‘વીરપૂજા’), ગૌરી લંકેશ કે કલબુર્ગીની હત્યા (‘ધારો કે આ વાર્તા નથી’), ઑનર કિલિંગ (‘નગર ઢિંઢોરા’), સત્યને ગૂંગળાવનાર માહોલ (‘ધુમ્મસિયા સવારનો સૂરજ’), ભ્રૂણહત્યા (‘ગર્ભગાથા’) વગેરે... આપણા સમયની મોટાભાગની જાણીતી સમસ્યાઓને હિમાંશી શેલત કળાના ધોરણે આલેખે છે. આ ટોળાંશાહી, આ પરિસ્થિતિ એક સ્વસ્થ નાગરિકસમાજને ક્યાં લઈ જશે? એવું વિચારવા આ વાર્તાઓ આપણને મજબૂર કરે છે. સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરતાં આ સર્જકની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા અને કલાત્મકતાનું વિરલ મિશ્રણ જોવા મળે છે. વણખેડાયેલાં વિષયવસ્તુ સાથે કામ પાડતાં હિમાંશી શેલત વાર્તાકાર તરીકે સતત વિકસતાં રહ્યાં છે. એમની વાર્તાઓ સંવેદનશીલ ભાવકને દિવસો સુધી અજંપ બનાવી શકે છે. જ્યાં લખવા, બોલવા પર જાતજાતના અદૃશ્ય પ્રતિબંધો લદાયેલા હોય એવા ગૂંગળાવતા, બરછટ અને નીંભર સાંપ્રતમાં, અનેક વાડાઓમાં વહેંચાયેલી, ખુશામતખોર, ડરપોક, નિર્માલ્ય પ્રજા વચ્ચે આ પ્રકારની વાર્તાઓ લખવી એ જરાય ઓછી હિંમતનું કામ નથી. સરળ, ગળચટ્ટા શીરા જેવાં સાહિત્ય અને એવું જ માણતા વાચકોની વચ્ચે આવી વાર્તાઓ લખાય એનો આનંદ. ગુજરાતી સાહિત્યમાં બહુમુખી પ્રદાન કરનાર હિમાંશી શેલત ગુજરાતી ટૂંકી વાર્તાનું જ નહીં, પણ ભારતીય ટૂંકી વાર્તાનું એક અતિ મહત્ત્વનું નામ છે એ આપણે સ્વીકારવું જ રહ્યું.
એમની પાસેથી લગ્નેતર સંબંધોની સંકુલતા અને પીડાના વિવિધ આયામ પ્રગટાવતી લગભગ 6-7 વાર્તા મળી છે. દા.ત. ‘ઈતરા’, ‘અવલંબન’, ‘ખાંડણિયામાં માથું’, ‘સાંજનો સમય’, ‘અગિયારમો પત્ર’, ‘એ નામ’, ‘જોગણી’, ‘ગૂંચ’ વગેરે. થોડાક અંશે વણસ્પર્શ્યું રહી ગયેલું ગુજરાતી વાર્તાનું ક્ષેત્ર એટલે વેશ્યાજીવનને લગતી વાતો. દરેક વેશ્યા પહેલાં સ્ત્રી હોય છે અને એનું વેશ્યા હોવું મોટાભાગે એની લાચારી હોય છે એ વાત સમાજ કદી નથી સ્વીકારતો. હિમાંશી શેલતે ‘કિંમત’, ‘શાપ’, ‘ખરીદી’, ‘મોત’, ‘એ સવાર’ જેવી વાર્તાઓમાં આવી સ્ત્રીઓની વેદનાને સાવ નજીકથી જોઈ છે અને આલેખી છે. 2002નાં કોમી તોફાનોમાં કોમી વૈમનસ્યને પરિણામે પ્રજાકીય સ્તરે જે પ્રશ્નો થયા તેના વિશે સમૂહની માનસિકતા સામે સંવેદનશીલ વ્યક્તિઓની લાચારી વિશે, તરડાઈ ગયેલા સહજીવન વિશે હિમાંશી શેલતે સ્વસ્થ, તટસ્થ દૃષ્ટિકોણથી વાર્તાઓ લખી છે. દા.ત. ‘આજે રાતે’, ‘વામન’, ‘વળતી મુસાફરી’, ‘સજા’, ‘સાતમો મહિનો’, ‘વહેમ’ વગેરે. છેલ્લાં પંદર-વીસ વર્ષથી વાર્તાઓમાં એમને જે કહેવું છે તે પીડાની ચીસરૂપે વિસ્ફોટની જેમ પ્રગટ થાય છે. ગૂંગળાવી દેનારી પરિસ્થિતિ, લોકશાહી મૂલ્યોનાં સતત ધોવાણ સામે વકરતી જતી ટોળાંશાહી, સમજાય નહીં એવાં રાજકીય દબાણો, સ્ત્રીઓની બદહાલી, વિરોધી વિચારોનો ગોળીથી થતો ફેંસલો, ઘેટાંનાં ટોળાંની જેમ દોરવાતી પ્રજા... આપણાં સમયની આ કારમી સમસ્યાઓને એમની વાર્તાઓ ઊંડળમાં લે છે. ગુજરાતી સર્જક ભાગ્યે જ સ્પર્શતો હોય તેવા વિષયવસ્તુ પર એમની વાર્તાઓ મળે છે. દા.ત. વિધવાઓનાં જીવનને આલેખતી ફિલ્મનો ટોળાં દ્વારા હિંસક વિરોધ (‘એકાવનમો એપિસોડ’), પોલીસ કસ્ટડીમાં કોઈનું મરી જવું (‘ઑન ડ્યૂટી’), સાવ નાનકડી બાળકી પર થતો બળાત્કાર (‘કોઈ બીજો માણસ’), કારગિલ યુદ્ધ પછી પાકિસ્તાની નેતાના આગમન સમયે ભારતનું વરસી પડવું (‘વરસી’), ધરતીકંપ (‘ઘર ઊભેલાં અને પડેલાં’ તથા ‘ભંગુર’), કોમી તોફાનો (‘આજે રાતે’, ‘સજા’, ‘વામન’ વગેરે), ગેંગ રેઈપ અને પછી કોઈને સજા જ નહીં (‘કમ્પાસ બૉક્સમાં પડેલી પાંખો’ અને ‘મુઠ્ઠીભર હવા’), ગાંધીને બદલે ગોડસેની પૂજા (‘વીરપૂજા’), ગૌરી લંકેશ કે કલબુર્ગીની હત્યા (‘ધારો કે આ વાર્તા નથી’), ઑનર કિલિંગ (‘નગર ઢિંઢોરા’), સત્યને ગૂંગળાવનાર માહોલ (‘ધુમ્મસિયા સવારનો સૂરજ’), ભ્રૂણહત્યા (‘ગર્ભગાથા’) વગેરે... આપણા સમયની મોટાભાગની જાણીતી સમસ્યાઓને હિમાંશી શેલત કળાના ધોરણે આલેખે છે. આ ટોળાંશાહી, આ પરિસ્થિતિ એક સ્વસ્થ નાગરિકસમાજને ક્યાં લઈ જશે? એવું વિચારવા આ વાર્તાઓ આપણને મજબૂર કરે છે. સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરતાં આ સર્જકની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા અને કલાત્મકતાનું વિરલ મિશ્રણ જોવા મળે છે. વણખેડાયેલાં વિષયવસ્તુ સાથે કામ પાડતાં હિમાંશી શેલત વાર્તાકાર તરીકે સતત વિકસતાં રહ્યાં છે. એમની વાર્તાઓ સંવેદનશીલ ભાવકને દિવસો સુધી અજંપ બનાવી શકે છે. જ્યાં લખવા, બોલવા પર જાતજાતના અદૃશ્ય પ્રતિબંધો લદાયેલા હોય એવા ગૂંગળાવતા, બરછટ અને નીંભર સાંપ્રતમાં, અનેક વાડાઓમાં વહેંચાયેલી, ખુશામતખોર, ડરપોક, નિર્માલ્ય પ્રજા વચ્ચે આ પ્રકારની વાર્તાઓ લખવી એ જરાય ઓછી હિંમતનું કામ નથી. સરળ, ગળચટ્ટા શીરા જેવાં સાહિત્ય અને એવું જ માણતા વાચકોની વચ્ચે આવી વાર્તાઓ લખાય એનો આનંદ. ગુજરાતી સાહિત્યમાં બહુમુખી પ્રદાન કરનાર હિમાંશી શેલત ગુજરાતી ટૂંકી વાર્તાનું જ નહીં, પણ ભારતીય ટૂંકી વાર્તાનું એક અતિ મહત્ત્વનું નામ છે એ આપણે સ્વીકારવું જ રહ્યું.
મોના પાત્રાવાલા ગુજરાતી સ્ત્રીવાર્તાકારો વચ્ચે સાવ નોખો પડી જતો અવાજ છે એટલે એમની અલગથી નોંધ લેવી રહી. મોના પાત્રાવાલા ‘રાની બિલાડો’ની વાર્તાઓમાં વાંસદાની આસપાસ વસતા પારસીઓ અને દુબળાઓ, કોળીઓના પરસ્પર સંબંધોને, એમની પ્રાકૃત જીવનશૈલીને જંગલના આદિમ વર્ણનોની સમાંતરે આલેખે છે. આવું આદિમ જગત ગુજરાતી વાર્તામાં પહેલીવાર પ્રગટ્યું છે. નિશાચર જેવા રાતના ઓળા, કાળઝાળ દિવસ, જંગલી ફૂલોની ગંધ... અડાબીડ સાગ, સીસમ કે ખેરનાં વૃક્ષો, રાનીપશુની આંખ જેવો લબકારા મારતો પ્રકાશ, ભૂંજેલી કલેજીને મહુડાના દારૂમાં મસ્ત પારસી અને જાડી, માંસલ બદનની જંગાડ બાઈઓ વચ્ચેના પ્રાકૃત સંબંધો, ઝાકળના દદડતા રગેડા, અડધો તૂટેલો ને અડધો ખવાયેલો પીળા બરફના ગોળા જેવો ચાંદો, ચેંહુડોળા ને રાની બિલાડાના ટોળાં, વાગળાની આંખ જેવા ઝબકતા તારા... આ ગીચ જંગલ, એનું ભેજીલું વાતાવરણ, આ રાક્ષસી અંધારાં, આ ધુમાડાથી કાળા પડી ગયેલા, ભૂકી ખેરવતા લાકડાના તાઉદાન જેવા હવડ ઘર, અને એમાં રહેતા આ આદિમ લોકો અને એમની આદિમ વૃત્તિઓ... ગુજરાતી વાર્તાજગતમાં પહેલીવાર પ્રવેશે છે. નમ્ર, મીઠાબોલી અભિજાત પારસી કોમથી પરિચિત ગુજરાતી પ્રજાને મોના પાત્રાવાલાના આ પ્રાકૃત પારસીઓનો પરિચય જ ક્યાં હતો? સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રાકૃત અવસ્થાએ પહોંચતા જાતીય સંબંધોને નિરૂપતી ભાષા આપણા રૂઢ થઈ ગયેલા નીતિવિષયક સુષ્ઠુ ખ્યાલોને નથી ગાંઠતી. આ વાર્તાકારને વાંચવા-સમજવા માટે વાચકે રુચિનાં ધોરણોને જરાક ઉદાર કરવાં પડે. આ પ્રકારની વાર્તાઓ લખનાર અન્ય સ્ત્રીસર્જક આપણે ત્યાં તો નથી એ પણ નોંધવું રહ્યું.   
મોના પાત્રાવાલા ગુજરાતી સ્ત્રીવાર્તાકારો વચ્ચે સાવ નોખો પડી જતો અવાજ છે એટલે એમની અલગથી નોંધ લેવી રહી. મોના પાત્રાવાલા ‘રાની બિલાડો’ની વાર્તાઓમાં વાંસદાની આસપાસ વસતા પારસીઓ અને દુબળાઓ, કોળીઓના પરસ્પર સંબંધોને, એમની પ્રાકૃત જીવનશૈલીને જંગલના આદિમ વર્ણનોની સમાંતરે આલેખે છે. આવું આદિમ જગત ગુજરાતી વાર્તામાં પહેલીવાર પ્રગટ્યું છે. નિશાચર જેવા રાતના ઓળા, કાળઝાળ દિવસ, જંગલી ફૂલોની ગંધ... અડાબીડ સાગ, સીસમ કે ખેરનાં વૃક્ષો, રાનીપશુની આંખ જેવો લબકારા મારતો પ્રકાશ, ભૂંજેલી કલેજીને મહુડાના દારૂમાં મસ્ત પારસી અને જાડી, માંસલ બદનની જંગાડ બાઈઓ વચ્ચેના પ્રાકૃત સંબંધો, ઝાકળના દદડતા રગેડા, અડધો તૂટેલો ને અડધો ખવાયેલો પીળા બરફના ગોળા જેવો ચાંદો, ચેંહુડોળા ને રાની બિલાડાના ટોળાં, વાગળાની આંખ જેવા ઝબકતા તારા... આ ગીચ જંગલ, એનું ભેજીલું વાતાવરણ, આ રાક્ષસી અંધારાં, આ ધુમાડાથી કાળા પડી ગયેલા, ભૂકી ખેરવતા લાકડાના તાઉદાન જેવા હવડ ઘર, અને એમાં રહેતા આ આદિમ લોકો અને એમની આદિમ વૃત્તિઓ... ગુજરાતી વાર્તાજગતમાં પહેલીવાર પ્રવેશે છે. નમ્ર, મીઠાબોલી અભિજાત પારસી કોમથી પરિચિત ગુજરાતી પ્રજાને મોના પાત્રાવાલાના આ પ્રાકૃત પારસીઓનો પરિચય જ ક્યાં હતો? સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રાકૃત અવસ્થાએ પહોંચતા જાતીય સંબંધોને નિરૂપતી ભાષા આપણા રૂઢ થઈ ગયેલા નીતિવિષયક સુષ્ઠુ ખ્યાલોને નથી ગાંઠતી. આ વાર્તાકારને વાંચવા-સમજવા માટે વાચકે રુચિનાં ધોરણોને જરાક ઉદાર કરવાં પડે. આ પ્રકારની વાર્તાઓ લખનાર અન્ય સ્ત્રીસર્જક આપણે ત્યાં તો નથી એ પણ નોંધવું રહ્યું.   
હિમાંશી શેલત, વર્ષા અડાલજા કે ઈલા આરબ મહેતા પાસેથી 2024માં પણ સારી વાર્તાઓ મળે છે એની નોંધ સાથે હું 1990 આસપાસ લખતાં થયેલાં સ્ત્રીસર્જકોની વાત કરીશ. ભારતી દલાલ, અંજલિ ખાંડવાળા, સુવર્ણા, હેમાંગિની રાનડે, બિંદુ ભટ્ટ, અશ્વિની બાપટ વગેરે એવાં સર્જકો છે જેમણે સંખ્યાની દૃષ્ટિએ ઓછી વાર્તાઓ લખી છે પણ એમની પાસેથી વાર્તાસ્વરૂપ પ્રત્યેની પૂરી સભાનતા, કેળવાયેલી સજ્જતા સાથે ગુણવત્તાસભર વાર્તાઓ મળી છે. 2000 આસપાસ લખતાં થયેલાં મીનલ દવે, પારુલ દેસાઈ, દક્ષા સંઘવી, ગિરીમા ઘારેખાન, નીલમ દોશી, નીતા જોષી, સ્વાતિ નાયક વગેરેએ બિલકુલ પરિપક્વ કલમની પ્રસાદી જેવી પણ ઘણી ઓછી વાર્તાઓ લખી. 2000 પછી સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધારે વાર્તાઓ પન્ના ત્રિવેદી પાસેથી મળી છે.
હિમાંશી શેલત, વર્ષા અડાલજા કે ઈલા આરબ મહેતા પાસેથી 2024માં પણ સારી વાર્તાઓ મળે છે એની નોંધ સાથે હું 1990 આસપાસ લખતાં થયેલાં સ્ત્રીસર્જકોની વાત કરીશ. ભારતી દલાલ, અંજલિ ખાંડવાળા, સુવર્ણા, હેમાંગિની રાનડે, બિંદુ ભટ્ટ, અશ્વિની બાપટ વગેરે એવાં સર્જકો છે જેમણે સંખ્યાની દૃષ્ટિએ ઓછી વાર્તાઓ લખી છે પણ એમની પાસેથી વાર્તાસ્વરૂપ પ્રત્યેની પૂરી સભાનતા, કેળવાયેલી સજ્જતા સાથે ગુણવત્તાસભર વાર્તાઓ મળી છે. 2000 આસપાસ લખતાં થયેલાં મીનલ દવે, પારુલ દેસાઈ, પન્ના ત્રિવેદી, દક્ષા સંઘવી, ગિરીમા ઘારેખાન, નીલમ દોશી, નીતા જોષી, સ્વાતિ નાયક વગેરેએ બિલકુલ પરિપક્વ કલમની પ્રસાદી જેવી વાર્તાઓ લખી. 2000 પછી સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધારે વાર્તાઓ પન્ના ત્રિવેદી પાસેથી મળી છે.
2010 પછી લખતાં થયેલાં સ્ત્રીસર્જકોની સંખ્યા એટલી મોટી છે કે નવાઈ પણ લાગે અને રાજી પણ થવાય. જે રીતે વીસમી સદીના આરંભે બહેનો લખતી-છપાવતી થઈ એની પાછળ ‘સ્ત્રીબોધ’, ‘સુંદરીસુબોધ’ જેવાં સામયિકો કારણરૂપ હતાં. એ જ રીતે એકવીસમી સદીના આરંભ પછી વાર્તા છાપનારાં સામયિકો વધ્યાં, વાર્તા હરીફાઈઓ પણ વધી. પ્રતિલિપિ કે બીજાં ઓનલાઇન માધ્યમો પણ વધ્યાં. વાર્તા છપાવવી સહેલી બની, વાર્તાસંગ્રહો છપાવવા પણ સહેલાં થઈ ગયાં. ટૂંકી વાર્તા વિશે કશું ન જાણતા નિર્ણાયકોની સંખ્યા પણ વધી. પ્રસ્તાવના લખનાર, વિમોચન કરનારની ખોટ તો ન પડી પણ અનુવાદ કરનારા પણ મળી આવ્યા ! પરિણામ એ આવ્યું કે છેલ્લાં દસ-બાર વર્ષમાં વાર્તા લખનારી બહેનોની સંખ્યા વધી પણ એમની પાસેથી મળતી સારી ટૂંકી વાર્તાની સંખ્યા ઘટી. જોડણી કે વાક્યરચના કશાનાં ઠેકાણાં ન હોય, વાર્તારસ સિવાય કંઈ જ ન હોય એવી છાપાળવી, ફિલ્મી વાર્તાઓના ઢગ ખડકાયા. આપણા સારાં ગણાતાં સામયિકો – પરબ, શબ્દસૃષ્ટિ કે નવનીત સમર્પણે – એટલી હદે નબળી વાર્તાઓ છાપી કે ‘મમતા’ કે ‘જલારામદીપ’ની શી ફરિયાદ કરવી? (અન્નપૂર્ણા મેકવાનની ‘શબ્દસૃષ્ટિ’ 2020ની ‘નમાલો’ કે 2022ના ‘પરબ’ની એમની વાર્તા ‘સરપ્રાઈઝ’. ડિસેમ્બર, 2023ના ‘પરબ’માં છપાયેલી ઉમા ચક્રવર્તીની વાર્તા કે ‘પરબ’ મે, 2022માં ઇંદુ જોશીની વાર્તા ‘અલય’ કે ‘નવનીત સમર્પણ’માં શ્રેયા શાહની 2006માં ‘એક અમસ્તો અમસ્તો માણસ’ કે નવનીત સમર્પણ 2023માં છપાયેલી ‘ચોરસનો પાંચમો ખૂણો’ કઈ રીતે છપાઈ હશે તેનું આશ્ચર્ય થાય. જાનકી શાહની કુમાર એપ્રિલ 2017માં છપાયેલી ‘નામ શું રાખું?’ કે ‘મમતા’ની ‘ડાયવર્ઝન’ વાર્તા માટે પણ એવો જ પ્રશ્ન થાય. મોના લિયાની ‘નવનીત સમર્પણ’માં છપાયેલી ‘નિરુત્તર’ વાર્તા માટે પણ પ્રશ્ન થાય.) અનેક છપાયેલી વાર્તાઓ પ્રશ્ન કરે છે કે જોડણીની, વાક્યરચનાની અરાજકતા સાથેની વાર્તા સર્જક તો મોકલે પણ સામયિક એને એમ ને એમ છાપે? લાગે છે કે આપણા સંપાદકો અતિશય ઉદાર થઈ ગયા છે !
2010 પછી લખતાં થયેલાં સ્ત્રીસર્જકોની સંખ્યા એટલી મોટી છે કે નવાઈ પણ લાગે અને રાજી પણ થવાય. જે રીતે વીસમી સદીના આરંભે બહેનો લખતી-છપાવતી થઈ એની પાછળ ‘સ્ત્રીબોધ’, ‘સુંદરીસુબોધ’ જેવાં સામયિકો કારણરૂપ હતાં. એ જ રીતે એકવીસમી સદીના આરંભ પછી વાર્તા છાપનારાં સામયિકો વધ્યાં, વાર્તા હરીફાઈઓ પણ વધી. પ્રતિલિપિ કે બીજાં ઓનલાઇન માધ્યમો પણ વધ્યાં. વાર્તા છપાવવી સહેલી બની, વાર્તાસંગ્રહો છપાવવા પણ સહેલાં થઈ ગયાં. ટૂંકી વાર્તા વિશે કશું ન જાણતા નિર્ણાયકોની સંખ્યા પણ વધી. પ્રસ્તાવના લખનાર, વિમોચન કરનારની ખોટ તો ન પડી પણ અનુવાદ કરનારા પણ મળી આવ્યા ! પરિણામ એ આવ્યું કે છેલ્લાં દસ-બાર વર્ષમાં વાર્તા લખનારી બહેનોની સંખ્યા વધી પણ એમની પાસેથી મળતી સારી ટૂંકી વાર્તાની સંખ્યા ઘટી. જોડણી કે વાક્યરચના કશાનાં ઠેકાણાં ન હોય, વાર્તારસ સિવાય કંઈ જ ન હોય એવી છાપાળવી, ફિલ્મી વાર્તાઓના ઢગ ખડકાયા. આપણા સારાં ગણાતાં સામયિકો – પરબ, શબ્દસૃષ્ટિ કે નવનીત સમર્પણે – એટલી હદે નબળી વાર્તાઓ છાપી કે ‘મમતા’ કે ‘જલારામદીપ’ની શી ફરિયાદ કરવી? (અન્નપૂર્ણા મેકવાનની ‘શબ્દસૃષ્ટિ’ 2020ની ‘નમાલો’ કે 2022ના ‘પરબ’ની એમની વાર્તા ‘સરપ્રાઈઝ’. ડિસેમ્બર, 2023ના ‘પરબ’માં છપાયેલી ઉમા ચક્રવર્તીની વાર્તા કે ‘પરબ’ મે, 2022માં ઇંદુ જોશીની વાર્તા ‘અલય’ કે ‘નવનીત સમર્પણ’માં શ્રેયા શાહની 2006માં ‘એક અમસ્તો અમસ્તો માણસ’ કે નવનીત સમર્પણ 2023માં છપાયેલી ‘ચોરસનો પાંચમો ખૂણો’ કઈ રીતે છપાઈ હશે તેનું આશ્ચર્ય થાય. જાનકી શાહની કુમાર એપ્રિલ 2017માં છપાયેલી ‘નામ શું રાખું?’ કે ‘મમતા’ની ‘ડાયવર્ઝન’ વાર્તા માટે પણ એવો જ પ્રશ્ન થાય. મોના લિયાની ‘નવનીત સમર્પણ’માં છપાયેલી ‘નિરુત્તર’ વાર્તા માટે પણ પ્રશ્ન થાય.) અનેક છપાયેલી વાર્તાઓ પ્રશ્ન કરે છે કે જોડણીની, વાક્યરચનાની અરાજકતા સાથેની વાર્તા સર્જક તો મોકલે પણ સામયિક એને એમ ને એમ છાપે? લાગે છે કે આપણા સંપાદકો અતિશય ઉદાર થઈ ગયા છે !
બધું જ કહી દેતી, સુવાક્યો કે ઉપદેશ આપવાની ચેષ્ટા કરતી, કંઈ પણ અગડમ્ બગડમ્ લખ્યે જતી, સંસ્કૃત પરિપાટીએ પ્રેમાનંદની જેમ – પરવાળા જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત, નાગણ જેવો ચોટલો – રૂપવર્ણન કરનારી, ‘ચીકણો દેહ’ જેવી ફિલ્મી અભિવ્યક્તિ કરતી બહેનોની સંખ્યા પણ ઓછી નથી. સરેરાશ વાર્તારસ, વાર્તાગૂંથણીની સમજ હોય પણ ટૂંકી વાર્તા એનાથી કંઈક વધારે માગે એવી સમજનો અભાવ હોય, ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરામાંથી પસાર જ ન થયાં હોય એવાં સ્ત્રીસર્જકોની સંખ્યા ઘણી મોટી છે.
બધું જ કહી દેતી, સુવાક્યો કે ઉપદેશ આપવાની ચેષ્ટા કરતી, કંઈ પણ અગડમ્ બગડમ્ લખ્યે જતી, સંસ્કૃત પરિપાટીએ પ્રેમાનંદની જેમ – પરવાળા જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત, નાગણ જેવો ચોટલો – રૂપવર્ણન કરનારી, ‘ચીકણો દેહ’ જેવી ફિલ્મી અભિવ્યક્તિ કરતી બહેનોની સંખ્યા પણ ઓછી નથી. સરેરાશ વાર્તારસ, વાર્તાગૂંથણીની સમજ હોય પણ ટૂંકી વાર્તા એનાથી કંઈક વધારે માગે એવી સમજનો અભાવ હોય, ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરામાંથી પસાર જ ન થયાં હોય એવાં સ્ત્રીસર્જકોની સંખ્યા ઘણી મોટી છે.
વીસમી સદીના આરંભે વાર્તાકારે પોતાની વાર્તાને ‘લેખ’ કહ્યો હોય એવું એક કરતાં વધારે વાર બન્યું હતું. મારા આશ્ચર્ય વચ્ચે 21મી સદીના બીજા દાયકામાં પણ પોતાની વાર્તાને ‘લેખ’ કહેનાર છે ! દા.ત. પલ્લવી મિસ્ત્રી એમની વાર્તા ‘તમે તો કશું બોલશો જ નહિ, પપ્પા’ના અંતે લખે છે : ‘આ લેખ ખાસ ભેટરૂપે.’ જે તે સ્પર્ધામાં વિજેતા થઈ હોય એવી અતિશય નબળી વાર્તાઓ પણ સ્ત્રીસર્જકોએ ઉત્સાહભેર મને મોકલી છે. આખેઆખા વાર્તાસંગ્રહમાંથી એકેય વાર્તા ન લઈ શકાઈ હોય એવું પણ બન્યું છે. ‘લેખિની’ના વાર્તા વિશેષાંકમાં 80% વાર્તાઓ એકદમ સરેરાશ કહી શકાય એવી કે ફિલ્મી કે છાપાળવી હોય ત્યારે કહેવાનું મન થાય કે જો આ લખનાર બહેનો ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરાને આત્મસાત્ કરે, જરાક શાસ્ત્ર સમજે તો કદાચ એમની પાસેથી સારી વાર્તાઓ મળી શકે. પોતીકી વાર્તા પરંપરામાંથી પસાર થવાનો સૌથી મોટો ફાયદો એ થાય કે પૂર્વસૂરિઓ લખી ગયા હોય એવા જ થીમની વાર્તા તેઓ ફરીથી ન લખે, અને જો લખે તો પૂર્વસૂરિની વાર્તાને અતિક્રમવાની સભાન કોશિશ કરે. મને આવી એક કરતાં વધારે વાર્તા મળી છે જે આપણા પૂર્વસૂરિઓએ વધારે સારી રીતે લખી હોય. દા.ત. ગીતા દેવદત્ત શુક્લની ‘રાજીમા’ ને જયંતિ દલાલની ‘સ્ત્રીનગર’ સાથે વાંચો કે ‘સિક્સટિન સિક્સટિ’ વાર્તાને વર્ષા અડાલજાની ‘ગાંઠે બાંધ્યું આકાશ’ની સાથે વાંચો, નીતા જોશીની ‘ડચૂરો’ વાર્તાને જયંતિ દલાલની ‘આ ઘેર પેલે ઘેર’ સાથે વાંચો, રાજુલ કૌશિકની ‘માટીપગો’ વાર્તાને સરોજિની મહેતાની ‘સુખ કે દુઃખ’ વાર્તા સાથે જુઓ, નીલમ જોશીની ‘સંજુ દોડ્યો’ વાર્તાને જયંતિ દલાલની ‘જીવન જાગ્યું’ વાર્તા સાથે તપાસો, પન્ના ત્રિવેદીની ‘નિકેતને માલૂમ થાય કે’ વાર્તાને હિમાંશી શેલતની ‘અકબંધ’ વાર્તા સાથે રાખીને જુઓ... હરીશ નાગ્રેચાની ‘કૂબો’ વાર્તાને માત્ર પાત્રનાં નામો બદલીને જેમ ની તેમ ‘ઘર’ વાર્તા લખનાર નયના સોલંકી પણ છે. જરાક સભાન રહે સર્જક, પરંપરામાંથી પસાર થાય તો કદાચ આવું ન થાય.
વીસમી સદીના આરંભે વાર્તાકારે પોતાની વાર્તાને ‘લેખ’ કહ્યો હોય એવું એક કરતાં વધારે વાર બન્યું હતું. મારા આશ્ચર્ય વચ્ચે 21મી સદીના બીજા દાયકામાં પણ પોતાની વાર્તાને ‘લેખ’ કહેનાર છે ! દા.ત. પલ્લવી મિસ્ત્રી એમની વાર્તા ‘તમે તો કશું બોલશો જ નહિ, પપ્પા’ના અંતે લખે છે : ‘આ લેખ ખાસ ભેટરૂપે.’ જે તે સ્પર્ધામાં વિજેતા થઈ હોય એવી અતિશય નબળી વાર્તાઓ પણ સ્ત્રીસર્જકોએ ઉત્સાહભેર મને મોકલી છે. આખેઆખા વાર્તાસંગ્રહમાંથી એકેય વાર્તા ન લઈ શકાઈ હોય એવું પણ બન્યું છે. ‘લેખિની’ના વાર્તા વિશેષાંકમાં 80% વાર્તાઓ એકદમ સરેરાશ કહી શકાય એવી કે ફિલ્મી કે છાપાળવી હોય ત્યારે કહેવાનું મન થાય કે જો આ લખનાર બહેનો ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરાને આત્મસાત્ કરે, જરાક શાસ્ત્ર સમજે તો કદાચ એમની પાસેથી સારી વાર્તાઓ મળી શકે. પોતીકી વાર્તા પરંપરામાંથી પસાર થવાનો સૌથી મોટો ફાયદો એ થાય કે પૂર્વસૂરિઓ લખી ગયા હોય એવા જ થીમની વાર્તા તેઓ ફરીથી ન લખે, અને જો લખે તો પૂર્વસૂરિની વાર્તાને અતિક્રમવાની સભાન કોશિશ કરે. મને આવી એક કરતાં વધારે વાર્તા મળી છે જે આપણા પૂર્વસૂરિઓએ વધારે સારી રીતે લખી હોય. દા.ત. ગીતા દેવદત્ત શુક્લની ‘રાજીમા’ ને જયંતિ દલાલની ‘સ્ત્રીનગર’ સાથે વાંચો કે ‘સિક્સટિન સિક્સટિ’ વાર્તાને વર્ષા અડાલજાની ‘ગાંઠે બાંધ્યું આકાશ’ની સાથે વાંચો, નીતા જોશીની ‘ડચૂરો’ વાર્તાને જયંતિ દલાલની ‘આ ઘેર પેલે ઘેર’ સાથે વાંચો, રાજુલ કૌશિકની ‘માટીપગો’ વાર્તાને સરોજિની મહેતાની ‘સુખ કે દુઃખ’ વાર્તા સાથે જુઓ, નીલમ દોશીની ‘સંજુ દોડ્યો’ વાર્તાને જયંતિ દલાલની ‘જીવન જાગ્યું’ વાર્તા સાથે તપાસો, પન્ના ત્રિવેદીની ‘નિકેતને માલૂમ થાય કે’ વાર્તાને હિમાંશી શેલતની ‘અકબંધ’ વાર્તા સાથે રાખીને જુઓ... હરીશ નાગ્રેચાની ‘કૂબો’ વાર્તાને માત્ર પાત્રનાં નામો બદલીને જેમ ની તેમ ‘ઘર’ વાર્તા લખનાર નયના સોલંકી પણ છે. જરાક સભાન રહે સર્જક, પરંપરામાંથી પસાર થાય તો કદાચ આવું ન થાય.
2010 પછી લખતી થનારી બહેનોમાંથી લગભગ 95 % બહેનોએ સ્ત્રીઓની જાણીતી સમસ્યાઓ વિશે વધારે વાર્તાઓ લખી. ખાસ કરીને જે કૌટુંબિક સમસ્યાઓ વિશે વીસમી સદીના આરંભે વાર્તાઓ લખાઈ એ જ સમસ્યાઓ વિશે 21મી સદીના બીજા દાયકામાં પણ લખાયું એ ન સમજાય એવી વાત છે કારણ કે, સ્ત્રીઓની સમસ્યાઓ બદલાઈ છે એ હકીકત છે. હા, કોરોના કાળમાં કદી કલ્પી ન હોય એવી સમસ્યાઓનો આપણે સામનો કર્યો. એને વિષય બનાવીને છાયા ત્રિવેદી, પારુલ દેસાઈ અને કોશા રાવલ પાસેથી સારી વાર્તાઓ મળી છે. છાયા ઉપાધ્યાય તથા યામિની પટેલ જરાક નોખા મિજાજની વાર્તાઓ આપે છે. દેશની અનેક સળગતી સાંપ્રત સમસ્યાઓ વિશે સૌથી સારી વાર્તાઓ આજે પણ હિમાંશી શેલત પાસેથી જ મળે છે. કોમી તોફાનો, બળાત્કાર, ભ્રષ્ટ થતું જતું તંત્ર, તંત્રની વધતી જતી ભીંસ વિશે હિમાંશી શેલત ઉપરાંત મીનલ દવે, વંદના ભટ્ટ પાસેથી પણ વાર્તાઓ મળી છે. મીનલ દવેની ‘ઓથાર’, વંદના ભટ્ટની ‘ઝાડીઝાંખરાં’ કે લતા હિરાણીની ‘જૂઈ’ જેવી વાર્તાઓ હકીકતે સામાજિક સૌહાર્દ વધારનારી વાર્તાઓ છે.
2010 પછી લખતી થનારી બહેનોમાંથી લગભગ 95 % બહેનોએ સ્ત્રીઓની જાણીતી સમસ્યાઓ વિશે વધારે વાર્તાઓ લખી. ખાસ કરીને જે કૌટુંબિક સમસ્યાઓ વિશે વીસમી સદીના આરંભે વાર્તાઓ લખાઈ એ જ સમસ્યાઓ વિશે 21મી સદીના બીજા દાયકામાં પણ લખાયું એ ન સમજાય એવી વાત છે કારણ કે, સ્ત્રીઓની સમસ્યાઓ બદલાઈ છે એ હકીકત છે. હા, કોરોના કાળમાં કદી કલ્પી ન હોય એવી સમસ્યાઓનો આપણે સામનો કર્યો. એને વિષય બનાવીને છાયા ત્રિવેદી, પારુલ દેસાઈ અને કોશા રાવલ પાસેથી સારી વાર્તાઓ મળી છે. છાયા ઉપાધ્યાય તથા યામિની પટેલ જરાક નોખા મિજાજની વાર્તાઓ આપે છે. દેશની અનેક સળગતી સાંપ્રત સમસ્યાઓ વિશે સૌથી સારી વાર્તાઓ આજે પણ હિમાંશી શેલત પાસેથી જ મળે છે. કોમી તોફાનો, બળાત્કાર, ભ્રષ્ટ થતું જતું તંત્ર, તંત્રની વધતી જતી ભીંસ વિશે હિમાંશી શેલત ઉપરાંત મીનલ દવે, વંદના ભટ્ટ પાસેથી પણ વાર્તાઓ મળી છે. મીનલ દવેની ‘ઓથાર’, વંદના ભટ્ટની ‘ઝાડીઝાંખરાં’ કે લતા હિરાણીની ‘જૂઈ’ જેવી વાર્તાઓ હકીકતે સામાજિક સૌહાર્દ વધારનારી વાર્તાઓ છે.
બીજી ભાષામાં આપણું સાહિત્ય પહોંચે તે આપણને ગમે જ પણ પહોંચનારું સાહિત્ય ઉત્તમ હોવું જોઈએ. પણ છેલ્લાં થોડાંક વર્ષોમાં હદ બહારની નબળી વાર્તાઓ અન્ય ભાષામાં પહોંચી છે. વાર્તાસ્પર્ધાઓમાં નબળા નિર્ણાયકોને કારણે સાવ નબળી વાર્તાઓ પોંખાઈ છે. પ્રસ્તાવનાકારોનો પણ વાર્તાની અવદશા કરવામાં પૂરો ફાળો છે. દા.ત. મીનાક્ષી ચંદારાણાના વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં હરીશ વટાવવાળા લખે છે : ‘ ‘ધુમ્મસનો જવાબ’ વાર્તા પત્રસ્વરૂપે પ્રગટ થતી વાર્તા છે. ટૂંકી વાર્તામાં આ પ્રયોગ મારી જાણ પ્રમાણે કદાચ સૌપ્રથમવાર થયો છે.’ આપણને પ્રશ્ન થાય કે એમને સ્ટેફાન ત્સ્વાઇકની ‘અજાણી સ્ત્રીનો પત્ર’ ન ખબર હોય પણ મેઘાણીની ‘વહુ અને ઘોડો’ કે હિમાંશી શેલતની ‘આજે રાતે’ કે ‘અગિયારમો પત્ર’ જેવી જાણીતી વાર્તાઓ તો ખબર હોય ને? તેઓ લખે છે ‘ ‘જીવતર’ નારીપ્રધાન વાર્તા છે અને બીજા પુરુષની કથનરીતિથી રજૂ થઈ છે.’ હકીકતે ન તો આ વાર્તા નારીપ્રધાન છે, ન બીજા પુરુષ કથનરીતિથી લખાઈ છે. ટૂંકી વાર્તાના તંદુરસ્ત વાતાવરણ માટે આવા પ્રમાણપત્રો આપનારા લોકો નબળા વાર્તાકાર કરતાં પણ વધારે જોખમી છે.
બીજી ભાષામાં આપણું સાહિત્ય પહોંચે તે આપણને ગમે જ પણ પહોંચનારું સાહિત્ય ઉત્તમ હોવું જોઈએ. પણ છેલ્લાં થોડાંક વર્ષોમાં હદ બહારની નબળી વાર્તાઓ અન્ય ભાષામાં પહોંચી છે. વાર્તાસ્પર્ધાઓમાં નબળા નિર્ણાયકોને કારણે સાવ નબળી વાર્તાઓ પોંખાઈ છે. પ્રસ્તાવનાકારોનો પણ વાર્તાની અવદશા કરવામાં પૂરો ફાળો છે. દા.ત. મીનાક્ષી ચંદારાણાના વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં હરીશ વટાવવાળા લખે છે : ‘ ‘ધુમ્મસનો જવાબ’ વાર્તા પત્રસ્વરૂપે પ્રગટ થતી વાર્તા છે. ટૂંકી વાર્તામાં આ પ્રયોગ મારી જાણ પ્રમાણે કદાચ સૌપ્રથમવાર થયો છે.’ આપણને પ્રશ્ન થાય કે એમને સ્ટેફાન ત્સ્વાઇકની ‘અજાણી સ્ત્રીનો પત્ર’ ન ખબર હોય પણ મેઘાણીની ‘વહુ અને ઘોડો’ કે હિમાંશી શેલતની ‘આજે રાતે’ કે ‘અગિયારમો પત્ર’ જેવી જાણીતી વાર્તાઓ તો ખબર હોય ને? તેઓ લખે છે ‘ ‘જીવતર’ નારીપ્રધાન વાર્તા છે અને બીજા પુરુષની કથનરીતિથી રજૂ થઈ છે.’ હકીકતે ન તો આ વાર્તા નારીપ્રધાન છે, ન બીજા પુરુષ કથનરીતિથી લખાઈ છે. ટૂંકી વાર્તાના તંદુરસ્ત વાતાવરણ માટે આવા પ્રમાણપત્રો આપનારા લોકો નબળા વાર્તાકાર કરતાં પણ વધારે જોખમી છે.
‘લેખિની’ ઑક્ટોબર, 2023નો વાર્તા વિશેષાંક અને બીજી સો-દોઢસો વાર્તા વાંચ્યા પછી એક પ્રશ્ન થાય. આ બધી બહેનો સામે ટૂંકી વાર્તાના ઉત્તમ નમૂનાઓ છે, શાસ્ત્રીય ચર્ચાઓ છે, અસંખ્ય વાર્તાશિબિરો છે છતાં નર્યો વાર્તારસ ધરાવતી, છાપાળવી વાર્તાઓ જ કેમ લખાઈ? જેમને છાપાળવી વાર્તાઓ જ લખવી છે એમને મારે કંઈ નથી કહેવું પણ જેમને ખરેખર ટૂંકી વાર્તા લખવી છે એમણે થોડીક સારી વાર્તાઓ વાંચવી જ રહી. પોતાની ભાષાને મઠારવી જ રહી. આ વાર્તાકારોએ લખ્યું છે ખરું પણ વાર્તાની પરંપરા કે શાસ્ત્ર કશું જાણ્યા વગર. છપાવવું હવે અઘરું નથી. ગમે તે સોશલ મિડિયા પર પાંચ-દસ વખાણ કરનારા મળી જ રહે છે.  
‘લેખિની’ ઑક્ટોબર, 2023નો વાર્તા વિશેષાંક અને બીજી સો-દોઢસો વાર્તા વાંચ્યા પછી એક પ્રશ્ન થાય. આ બધી બહેનો સામે ટૂંકી વાર્તાના ઉત્તમ નમૂનાઓ છે, શાસ્ત્રીય ચર્ચાઓ છે, અસંખ્ય વાર્તાશિબિરો છે છતાં નર્યો વાર્તારસ ધરાવતી, છાપાળવી વાર્તાઓ જ કેમ લખાઈ? જેમને છાપાળવી વાર્તાઓ જ લખવી છે એમને મારે કંઈ નથી કહેવું પણ જેમને ખરેખર ટૂંકી વાર્તા લખવી છે એમણે થોડીક સારી વાર્તાઓ વાંચવી જ રહી. પોતાની ભાષાને મઠારવી જ રહી. આ વાર્તાકારોએ લખ્યું છે ખરું પણ વાર્તાની પરંપરા કે શાસ્ત્ર કશું જાણ્યા વગર. છપાવવું હવે અઘરું નથી. ગમે તે સોશિયલ મીડિયા પર પાંચ-દસ વખાણ કરનારા મળી જ રહે છે.  
થોડાંક એવાં નામો છે જેમની વાર્તાઓએ પ્રથમ વાંચને જ મન પ્રસન્ન કરી દીધું હોય. દા.ત. માના વ્યાસ, છાયા ત્રિવેદી, કાલિન્દી પરીખ, વર્ષા તન્ના, સમીરા દેખૈયા પાત્રાવાલા, છાયા ઉપાધ્યાય, આશા વીરેન્દ્ર, કલ્પના દેસાઈ, રેણુકા દવે, લતા હિરાણી, રેના સુથાર, દિના રાયચુરા, રાજશ્રી વળિયા, સ્વાતિ ધ્રુવ નાયક, કોશા રાવલ, દક્ષા પટેલ, યામિની પટેલ, મીતા ત્રિવેદી, ગીરા ભટ્ટ, મલયા પાઠક, ગીતા દેવદત્ત શુક્લ, નીતિ દવે વગેરે.
થોડાંક એવાં નામો છે જેમની વાર્તાઓએ પ્રથમ વાંચને જ મન પ્રસન્ન કરી દીધું હોય. દા.ત. માના વ્યાસ, છાયા ત્રિવેદી, કાલિન્દી પરીખ, વર્ષા તન્ના, સમીરા દેખૈયા પાત્રાવાલા, છાયા ઉપાધ્યાય, આશા વીરેન્દ્ર, કલ્પના દેસાઈ, રેણુકા દવે, લતા હિરાણી, પારુલ ખખ્ખર, રેના સુથાર, દિના રાયચુરા, રાજશ્રી વળિયા, સ્વાતિ ધ્રુવ નાયક, કોશા રાવલ, દક્ષા પટેલ, યામિની પટેલ, મીતા ત્રિવેદી, ગીરા ભટ્ટ, મલયા પાઠક, ગીતા દેવદત્ત શુક્લ, નીતિ દવે વગેરે.
ગુજરાતી ટૂંકી વાર્તાની એક ભવ્ય પરંપરા હોય આપણી સામે, ’90 પછી ત્રણ-ત્રણ અકાદમી પુરસ્કાર ટૂંકી વાર્તાનાં સ્વરૂપને મળ્યાં હોય, શાસ્ત્રીય સમજ આપતાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી હોય ત્યારે બહેનો પાસેથી સારી વાર્તાની આશા રાખી જ શકાય. પોતીકી પરંપરાને પચાવી, દુનિયાભરની ઉત્તમ વાર્તાઓને વાંચીને કલમ ઉપાડનારી બહેનોને શુભેચ્છાઓ.
ગુજરાતી ટૂંકી વાર્તાની એક ભવ્ય પરંપરા હોય આપણી સામે, ’90 પછી ત્રણ-ત્રણ અકાદમી પુરસ્કાર ટૂંકી વાર્તાનાં સ્વરૂપને મળ્યાં હોય, શાસ્ત્રીય સમજ આપતાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી હોય ત્યારે બહેનો પાસેથી સારી વાર્તાની આશા રાખી જ શકાય. પોતીકી પરંપરાને પચાવી, દુનિયાભરની ઉત્તમ વાર્તાઓને વાંચીને કલમ ઉપાડનારી બહેનોને શુભેચ્છાઓ.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
* આ લેખ કરવા માટે શક્ય તેટલી તમામ વાર્તાઓ મેળવવાની કોશિશ કરી છે, છતાં કોઈ સ્ત્રીસર્જકની સારી વાર્તાની નોંધ ન લેવાઈ હોય તો ધ્યાન દોરવા વિનંતી.
* સંમતિ ન મળવાને કારણે પન્ના ત્રિવેદીની વાર્તા અહીં નથી સમાવી શકાઈ.
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = બે વાત
|previous = બે વાત
|next = સર્જક-પરિચય
|next = સંપાદક-પરિચય
}}
}}

Navigation menu