રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વિવેચક રા. વિ. પા.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨<br>વિવેચક રા. વિ. પા.}}
{{Heading|૨<br>વિવેચક રા. વિ. પા.}}
 
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિવેચકોમાં રામનારાયણ યોગ્ય રીતે જ સ્થાન પામ્યા છે. વિપુલતા તેમ જ ગુણવત્તા – ઉભય દૃષ્ટિએ એમનું વિવેચનકાર્ય ધ્યાનાર્હ છે. તેમણે તેમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ વિવેચનથી કર્યો એ તો ખરું જ, પરંતુ એ સર્જનને મુકાબલે એમની વધુ ઉપાસ્ય એવી પ્રવૃત્તિ, એમની જીવનભરની મુખ્ય ને પ્રિય પ્રવૃત્તિ રહી. પ્રકટપણે એમની વિવેચન-કારકિર્દી ૧૯૨૨થી ૧૯૫૫ સુધીના ગાળાને આવરી લે છે. આ દરમ્યાન એમણે દસેક ગ્રંથોમાં, બે હજારથીયે વધુ પૃષ્ઠોની વિવેચન-સામગ્રી મુદ્રિત સ્વરૂપે આપી; આ ઉપરાંતની અગ્રંથસ્થ-અમુદ્રિત વિવેચન-સામગ્રી રહી તે જુદી. વળી પિંગળાદિનું કાર્ય તેય જુદું.
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિવેચકોમાં રામનારાયણ યોગ્ય રીતે જ સ્થાન પામ્યા છે. વિપુલતા તેમ જ ગુણવત્તા – ઉભય દૃષ્ટિએ એમનું વિવેચનકાર્ય ધ્યાનાર્હ છે. તેમણે તેમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ વિવેચનથી કર્યો એ તો ખરું જ, પરંતુ એ સર્જનને મુકાબલે એમની વધુ ઉપાસ્ય એવી પ્રવૃત્તિ, એમની જીવનભરની મુખ્ય ને પ્રિય પ્રવૃત્તિ રહી. પ્રકટપણે એમની વિવેચન-કારકિર્દી ૧૯૨૨થી ૧૯૫૫ સુધીના ગાળાને આવરી લે છે. આ દરમ્યાન એમણે દસેક ગ્રંથોમાં, બે હજારથીયે વધુ પૃષ્ઠોની વિવેચન-સામગ્રી મુદ્રિત સ્વરૂપે આપી; આ ઉપરાંતની અગ્રંથસ્થ-અમુદ્રિત વિવેચન-સામગ્રી રહી તે જુદી. વળી પિંગળાદિનું કાર્ય તેય જુદું.
રામનારાયણના વિવેચક તરીકેના વિકાસમાં, એમની સાહિત્યિક વિભાવનાઓના ઘડતરમાં ભારતીય કાવ્યમીમાંસાનો ઊંડો પ્રભાવ વરતાય છે. અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ તેમણે યથાવશ્યક ઉપયોગમાં લીધો છે, પરંતુ ‘પૂર્વનાં કાવ્યશાસ્ત્રોનું મનનાત્મક અધ્યયન અને તે રીતનું અન્વેષણ એ જ તેમના વિવેચનનું બળ છે.’<ref>૧. હીરા ક. મહેતા, આપણું વિવેચન સાહિત્ય, ૧૯૩૯, પૃ. ૨૬૦.</ref>  તેમણે ‘કાવ્યની શક્તિ’માં ‘પશ્ચિમનું વિવેચન સાહિત્ય જેમ લાંબા ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થયું છે તેમ આપણું પણ આપણા પ્રાચીન ઇતિહાસ ઉપર થવું જોઈએ.’ એવી જે માન્યતા વ્યક્ત કરી તેનાં કારણોયે અન્યત્ર આપ્યાં છે. તેમણે મમ્મટની રસમીમાંસા, ક્ષેમેન્દ્રની ઔચિત્ય-વિચારચર્ચા આદિ પર જે કંઈ લખ્યું છે તેમાં ભારતીય કાવ્યમીમાંસાનું જ અનુસંધાન-સાતત્ય છે. ‘કાવ્યની શક્તિ’ કે ‘કાવ્ય અને સત્ય’ જેવા લેખોમાંયે એ અનુસંધાન-સાતત્ય સ્પષ્ટ છે.
રામનારાયણના વિવેચક તરીકેના વિકાસમાં, એમની સાહિત્યિક વિભાવનાઓના ઘડતરમાં ભારતીય કાવ્યમીમાંસાનો ઊંડો પ્રભાવ વરતાય છે. અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ તેમણે યથાવશ્યક ઉપયોગમાં લીધો છે, પરંતુ ‘પૂર્વનાં કાવ્યશાસ્ત્રોનું મનનાત્મક અધ્યયન અને તે રીતનું અન્વેષણ એ જ તેમના વિવેચનનું બળ છે.’<ref>૧. હીરા ક. મહેતા, આપણું વિવેચન સાહિત્ય, ૧૯૩૯, પૃ. ૨૬૦.</ref>  તેમણે ‘કાવ્યની શક્તિ’માં ‘પશ્ચિમનું વિવેચન સાહિત્ય જેમ લાંબા ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થયું છે તેમ આપણું પણ આપણા પ્રાચીન ઇતિહાસ ઉપર થવું જોઈએ.’ એવી જે માન્યતા વ્યક્ત કરી તેનાં કારણોયે અન્યત્ર આપ્યાં છે. તેમણે મમ્મટની રસમીમાંસા, ક્ષેમેન્દ્રની ઔચિત્ય-વિચારચર્ચા આદિ પર જે કંઈ લખ્યું છે તેમાં ભારતીય કાવ્યમીમાંસાનું જ અનુસંધાન-સાતત્ય છે. ‘કાવ્યની શક્તિ’ કે ‘કાવ્ય અને સત્ય’ જેવા લેખોમાંયે એ અનુસંધાન-સાતત્ય સ્પષ્ટ છે.
Line 211: Line 211:
રામનારાયણ સાહિત્યકૃતિનું ઊંડું ને વ્યાપક રીતે દર્શન કરતાં-કરાવતાં એમની વિવેચનામાં તત્ત્વલક્ષિતા ને સૌન્દર્યલક્ષિતા, વસ્તુલક્ષિતા ને રીતિ-લક્ષિતા, આંતરદર્શન ને બહિર્દર્શન—આ બધાંનું એક સમન્વિત પ્રતિભાવરૂપ આપે છે; એમાં યથાવશ્યક દેશકાળની પરંપરાનાં તેમ તુલનાયોગ્ય પરિસ્થિતિઓનાં સંદર્ભપરિમાણોય ઉમેરાતાં – પ્રસ્તુત થતાં જણાય છે; અને એ બધાને પરિણામે એમનું વિવેચન કલાકૃતિના સૌન્દર્યબળનો યથાશક્ય ખ્યાલ આપી સ્વધર્મપૂત બનતું અનુભવાય છે. આ અનુભવમાં રામનારાયણની ગદ્યશૈલીનોયે ફાળો ઓછો નથી. સુંદરમે એમના વિવેચનાત્મક નિબંધોની આ શૈલીનું સુંદર શબ્દોમાં બયાન કર્યું છે. તેઓ લખે છે :
રામનારાયણ સાહિત્યકૃતિનું ઊંડું ને વ્યાપક રીતે દર્શન કરતાં-કરાવતાં એમની વિવેચનામાં તત્ત્વલક્ષિતા ને સૌન્દર્યલક્ષિતા, વસ્તુલક્ષિતા ને રીતિ-લક્ષિતા, આંતરદર્શન ને બહિર્દર્શન—આ બધાંનું એક સમન્વિત પ્રતિભાવરૂપ આપે છે; એમાં યથાવશ્યક દેશકાળની પરંપરાનાં તેમ તુલનાયોગ્ય પરિસ્થિતિઓનાં સંદર્ભપરિમાણોય ઉમેરાતાં – પ્રસ્તુત થતાં જણાય છે; અને એ બધાને પરિણામે એમનું વિવેચન કલાકૃતિના સૌન્દર્યબળનો યથાશક્ય ખ્યાલ આપી સ્વધર્મપૂત બનતું અનુભવાય છે. આ અનુભવમાં રામનારાયણની ગદ્યશૈલીનોયે ફાળો ઓછો નથી. સુંદરમે એમના વિવેચનાત્મક નિબંધોની આ શૈલીનું સુંદર શબ્દોમાં બયાન કર્યું છે. તેઓ લખે છે :
“પંડિતયુગની અભ્યાસનિષ્ઠા, ગાંધીયુગની સંયમિતતા અને તેમની પોતાની જ વિશદ અને અનાચ્છાદિત બુદ્ધિશક્તિનો મેળ તેમનાં લખાણોમાં જોવા મળે છે, તેમની સુસંપન્ન તર્કશક્તિ તેમના લખાણમાં વિચારની એક પારદર્શક સુરેખતા પ્રગટાય છે. વાણીનાં ઓજસ કે શૈલીના ત્રિભંગો કરતાં તેઓ પોતાના તત્ત્વના નિર્મળ નિરાડંબર આલેખનથી જ પોતાનું કાર્ય સાધે છે. તેમના લખાણને અંતે તત્ત્વનો હમેશાં વિશદ અધિગમ થાય છે... નિર્મલ અને નિરભ્ર રીતે રજૂ થતા વિચારનો પોતાનો પણ એક રસ હોય છે, સમર્થ રીતે સીધે સીધો વસ્તુનો પ્રકાશ કરતી લખાવટ તત્ત્વપ્રાપ્તિનો એક દ્યુતિમય શાન્ત ભાવ જન્માવે છે. અને તે પણ એક નાનોસૂનો રસ નથી. ‘કાવ્યની શક્તિ’ તથા ‘આપણા વિવેચનના કેટલા કૂટ પ્રશ્નો’માં પાઠકની આ શક્તિનો પરિચય થાય છે.”
“પંડિતયુગની અભ્યાસનિષ્ઠા, ગાંધીયુગની સંયમિતતા અને તેમની પોતાની જ વિશદ અને અનાચ્છાદિત બુદ્ધિશક્તિનો મેળ તેમનાં લખાણોમાં જોવા મળે છે, તેમની સુસંપન્ન તર્કશક્તિ તેમના લખાણમાં વિચારની એક પારદર્શક સુરેખતા પ્રગટાય છે. વાણીનાં ઓજસ કે શૈલીના ત્રિભંગો કરતાં તેઓ પોતાના તત્ત્વના નિર્મળ નિરાડંબર આલેખનથી જ પોતાનું કાર્ય સાધે છે. તેમના લખાણને અંતે તત્ત્વનો હમેશાં વિશદ અધિગમ થાય છે... નિર્મલ અને નિરભ્ર રીતે રજૂ થતા વિચારનો પોતાનો પણ એક રસ હોય છે, સમર્થ રીતે સીધે સીધો વસ્તુનો પ્રકાશ કરતી લખાવટ તત્ત્વપ્રાપ્તિનો એક દ્યુતિમય શાન્ત ભાવ જન્માવે છે. અને તે પણ એક નાનોસૂનો રસ નથી. ‘કાવ્યની શક્તિ’ તથા ‘આપણા વિવેચનના કેટલા કૂટ પ્રશ્નો’માં પાઠકની આ શક્તિનો પરિચય થાય છે.”
{{right|(સાહિત્યચિંતન, ૧૯૭૮, પૃ. ૩૪૦-૩૪૧)}}
{{Poem2Close}}
{{right|(સાહિત્યચિંતન, ૧૯૭૮, પૃ. ૩૪૦-૩૪૧)}}<br>
<hr>
<hr>
{{reflist}}
{{reflist}}