32,301
edits
(+1) |
(+1) |
||
| Line 62: | Line 62: | ||
૭:૨ આર્નલ્ડ માને છે કે ધર્મ, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન કરતાં કવિતાને ઊંચે આસને સ્થાપવામાં એની આ વિશિષ્ટ વિવેચનાત્મક શક્તિ કારણરૂપ છે. કવિતામાં પ્રગટ થતું જીવનવિવેચન આદર્શો-વિચારોને વ્યક્ત કરે છે એ સાચું, પણ આદર્શો-વિચારોને કવિતામાં કેવળ વ્યક્ત કરવામાં જ કવિની સર્ગશક્તિની સફળતા સમાઈ જતી નથી. સૂક્ષ્મ સિદ્ધાન્તો, જડ વીગતો, કાચા પ્રસંગો કે વાસ્તવનાં જાડાં ચિત્રો પ્રસ્તુત કરવાથી જીવનનું વિવેચન સિદ્ધ થતું નથી, પરંતુ કવિતા તો જીવનની સંકુલતા ને જટિલતાનાં ચિત્રો સરહસ્ય પ્રસ્તુત કરતી રહે છે. જીવનના નિર્ણાયક અને નિયામક સિદ્ધાંતોની કે નિયમોની આદેશાત્મક વા સૂત્રાત્મક રજૂઆત તો તત્ત્વજ્ઞાન કે નીતિશાસ્ત્રના વિષય હોઈ શકે. કોરા સિદ્ધાંતો, આદર્શો કે વિચારોનું શુષ્ક વ્યાપ્તિબંધન પણ જીવનવિવેચનરૂપ કવિતામાં ઉદિષ્ટ નથી. કવિતા તો જીવનસ્થિતિનાં અનેકવિધ ચિત્રોની ભાતીગળ સૃષ્ટિમાં આ અમૂર્ત આદર્શો -વિચારોને ગૂઢ પણ ધ્વન્યાત્મક રૂપે આલેખે છે. વળી, કવિતા જીવનનાં ભાવાત્મક સ્થિત્યંતરોને કેવળ ચિત્રરૂપે આલેખીને બેસી રહેતી નથી; એના અંતગૂઢ અર્થોને પણ, પોતાના સ્વકીય કાનૂનો - સત્ય અને સૌન્દર્યના કાવ્યનિયમો - ની મર્યાદામાં રહીને, ઉકેલી આપે છે. પ્રકીર્ણ, પૃથક્ ને ખંડરૂપ દીસતી સંકુલ અને અવિશદ ભાવસ્થિતિઓમાં પ્રચ્છન્નરૂપે ગુંથાયેલા આદર્શો-વિચારોને તે વિશદ અને પારદર્શીરૂપે વ્યંજિત કરી આપે છે; ને આ રીતે આદર્શોનો સરળ સુગમરૂપે જીવનની પ્રત્યક્ષતામાં અનુવાદ થતાં, ભાવસ્થિતિઓ જીવનની અપૃથસ્તા, સમગ્રતા ને અવિકલતાનો અર્થબોધ કરાવી આપતી હોય છે. આ પ્રકારે, કવિતારૂપ વિવેચનનો મહત્ત્વનો પ્રદેશ છે અર્થઘટનનો.૨૯<ref>૨૯. ‘.... poetry to interpret life for us. Essays in Criticism, Second Series, 2</ref> | ૭:૨ આર્નલ્ડ માને છે કે ધર્મ, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન કરતાં કવિતાને ઊંચે આસને સ્થાપવામાં એની આ વિશિષ્ટ વિવેચનાત્મક શક્તિ કારણરૂપ છે. કવિતામાં પ્રગટ થતું જીવનવિવેચન આદર્શો-વિચારોને વ્યક્ત કરે છે એ સાચું, પણ આદર્શો-વિચારોને કવિતામાં કેવળ વ્યક્ત કરવામાં જ કવિની સર્ગશક્તિની સફળતા સમાઈ જતી નથી. સૂક્ષ્મ સિદ્ધાન્તો, જડ વીગતો, કાચા પ્રસંગો કે વાસ્તવનાં જાડાં ચિત્રો પ્રસ્તુત કરવાથી જીવનનું વિવેચન સિદ્ધ થતું નથી, પરંતુ કવિતા તો જીવનની સંકુલતા ને જટિલતાનાં ચિત્રો સરહસ્ય પ્રસ્તુત કરતી રહે છે. જીવનના નિર્ણાયક અને નિયામક સિદ્ધાંતોની કે નિયમોની આદેશાત્મક વા સૂત્રાત્મક રજૂઆત તો તત્ત્વજ્ઞાન કે નીતિશાસ્ત્રના વિષય હોઈ શકે. કોરા સિદ્ધાંતો, આદર્શો કે વિચારોનું શુષ્ક વ્યાપ્તિબંધન પણ જીવનવિવેચનરૂપ કવિતામાં ઉદિષ્ટ નથી. કવિતા તો જીવનસ્થિતિનાં અનેકવિધ ચિત્રોની ભાતીગળ સૃષ્ટિમાં આ અમૂર્ત આદર્શો -વિચારોને ગૂઢ પણ ધ્વન્યાત્મક રૂપે આલેખે છે. વળી, કવિતા જીવનનાં ભાવાત્મક સ્થિત્યંતરોને કેવળ ચિત્રરૂપે આલેખીને બેસી રહેતી નથી; એના અંતગૂઢ અર્થોને પણ, પોતાના સ્વકીય કાનૂનો - સત્ય અને સૌન્દર્યના કાવ્યનિયમો - ની મર્યાદામાં રહીને, ઉકેલી આપે છે. પ્રકીર્ણ, પૃથક્ ને ખંડરૂપ દીસતી સંકુલ અને અવિશદ ભાવસ્થિતિઓમાં પ્રચ્છન્નરૂપે ગુંથાયેલા આદર્શો-વિચારોને તે વિશદ અને પારદર્શીરૂપે વ્યંજિત કરી આપે છે; ને આ રીતે આદર્શોનો સરળ સુગમરૂપે જીવનની પ્રત્યક્ષતામાં અનુવાદ થતાં, ભાવસ્થિતિઓ જીવનની અપૃથસ્તા, સમગ્રતા ને અવિકલતાનો અર્થબોધ કરાવી આપતી હોય છે. આ પ્રકારે, કવિતારૂપ વિવેચનનો મહત્ત્વનો પ્રદેશ છે અર્થઘટનનો.૨૯<ref>૨૯. ‘.... poetry to interpret life for us. Essays in Criticism, Second Series, 2</ref> | ||
૭:૩ પરંતુ એકલા અર્થઘટનમાં કવિતાગત વિવેચનકાર્ય પૂરું થતું નથી. અર્થઘટનની સાથે તારતમ્ય ને મૂલ્યાંકનની કામગીરી પણ કવિતારૂપ જીવનવિવેચનમાં થવા પામતી હોય છે. કવિતામાં વ્યક્ત થતાં જીવનનાં વિવિધ ને અનેકરંગી આદર્શચિત્રોનાં પરસ્પર તેમ જ પ્રત્યક્ષ જીવન સાથેનાં સાદૃશ્ય અને વિરોધ, જીવનસ્થિતિમાંના તરતમભાવ ને સારાસાર દર્શનનો ખ્યાલ રજૂ કરે છે. આ જ કારણે, આર્નલ્ડ કવિતામાં ઉચ્ચ-અવચ; સઘન-અર્ધધન-રિક્ત; સત્ય-અસત્ય-અર્ધસત્ય; આ સૌ વચ્ચેના ભેદને મહત્ત્વનો માને છે. એટલું જ નહિ પણ, ‘'કવિતા, અવચને મુકાબલે ઉચ્ચ, રિક્ત કે અર્ધધનને મુકાબલે સઘન અને અસત્ય કે અર્ધસત્યને મુકાબલે સત્યઃ આ સૌ તત્ત્વોનું જેટલા પ્રમાણમાં વહન કરી શકે તેટલા પ્રમાણમાં તેની જીવનવિવેચન ક્ષમતાનો આધાર રહેશે.’૩૦<ref>૩૦. 'And the criticism of life will be of power in proportion as poetry conveying it is excellent rather than inferior, sound rather than unsound or half-true.' એજન, ૩</ref> આમ, અહીં જીવનસત્ત્વ અને જીવનતત્ત્વના તારતમ્યનો ખ્યાલ મુખ્યતઃ વ્યક્ત થાય છે. ઉચ્ચ, સઘન ને સત્યની તારવણી આખરે તો, વિરોધી ને નકારાત્મક અંશોને પડછે ઉપસાવીને વિશેષ દૃઢ પ્રકારે થાય. આ રીતે, કવિતારૂપ જીવનવિવેચન એકદેશીય નહિ, અનેકદેશીય પાર્શ્વભૂમિકામાં તારતમ્યનો આધાર લઈ મૂલ્યાંકનનું રૂપ ધારણ કરે. | ૭:૩ પરંતુ એકલા અર્થઘટનમાં કવિતાગત વિવેચનકાર્ય પૂરું થતું નથી. અર્થઘટનની સાથે તારતમ્ય ને મૂલ્યાંકનની કામગીરી પણ કવિતારૂપ જીવનવિવેચનમાં થવા પામતી હોય છે. કવિતામાં વ્યક્ત થતાં જીવનનાં વિવિધ ને અનેકરંગી આદર્શચિત્રોનાં પરસ્પર તેમ જ પ્રત્યક્ષ જીવન સાથેનાં સાદૃશ્ય અને વિરોધ, જીવનસ્થિતિમાંના તરતમભાવ ને સારાસાર દર્શનનો ખ્યાલ રજૂ કરે છે. આ જ કારણે, આર્નલ્ડ કવિતામાં ઉચ્ચ-અવચ; સઘન-અર્ધધન-રિક્ત; સત્ય-અસત્ય-અર્ધસત્ય; આ સૌ વચ્ચેના ભેદને મહત્ત્વનો માને છે. એટલું જ નહિ પણ, ‘'કવિતા, અવચને મુકાબલે ઉચ્ચ, રિક્ત કે અર્ધધનને મુકાબલે સઘન અને અસત્ય કે અર્ધસત્યને મુકાબલે સત્યઃ આ સૌ તત્ત્વોનું જેટલા પ્રમાણમાં વહન કરી શકે તેટલા પ્રમાણમાં તેની જીવનવિવેચન ક્ષમતાનો આધાર રહેશે.’૩૦<ref>૩૦. 'And the criticism of life will be of power in proportion as poetry conveying it is excellent rather than inferior, sound rather than unsound or half-true.' એજન, ૩</ref> આમ, અહીં જીવનસત્ત્વ અને જીવનતત્ત્વના તારતમ્યનો ખ્યાલ મુખ્યતઃ વ્યક્ત થાય છે. ઉચ્ચ, સઘન ને સત્યની તારવણી આખરે તો, વિરોધી ને નકારાત્મક અંશોને પડછે ઉપસાવીને વિશેષ દૃઢ પ્રકારે થાય. આ રીતે, કવિતારૂપ જીવનવિવેચન એકદેશીય નહિ, અનેકદેશીય પાર્શ્વભૂમિકામાં તારતમ્યનો આધાર લઈ મૂલ્યાંકનનું રૂપ ધારણ કરે. | ||
૭:૪ કવિતા સંકુલ-સૂક્ષ્મ જીવનઘટનાનું અર્થઘટન ને મૂલ્યાંકન કરી આપે છે તદ્વિષયક વિવેચન વ્યાપાર દ્વારા, પરંતુ ભાવકજગત સાથે એનો નિકટનો નાતો થવા પામે છે વિવેચનાંતર્ગત નિરાકર્તૃવ્યાપારને કારણે. અર્થઘટન ને મૂલ્યાંકનમાં જીવનવિવેચનની પૂર્ણતા નથી. જીવનસ્થિતિના આંતરિક ને પારસ્પરિક અર્થો ઉકેલી આપીને, એની હેયોપાદેયતાને એ સ્પષ્ટપણે પ્રસ્તુત કરે છે, અને એમ કરતાં કરતાં જીવનની કૂટ સમસ્યાઓનો તોડ કાઢી આપી એના નિરાકરણનો માર્ગ પણ એ ચીંધી આપે છે. અને એ રીતે, કાવ્યરૂપ જીવનવિવેચન સમાધાનાત્મક અર્થ પણ ધરાવે છે. અમૂર્ત આદર્શો અને વાસ્તવવ્યવહાર વચ્ચેનું અંતર પૂરી, પ્રત્યક્ષ આચારમાં પણ આદર્શો કઈ રીતે વ્યવહૃત થઈ શકે એની જાણકારી પ્રાપ્ત કરાવવાની શક્તિને, આર્નલ્ડ, કવિતાની એક મહત્ત્વની શક્તિ તરીકે ઘટાવે છે. આદર્શોને જીવન સાથે સાંકળી દેવાના કાર્યને કવિની કવિત્વશક્તિની ચરમતા તરીકે એ અવારનવાર ઉલ્લેખે છે. મહાન વિચારો, સિદ્ધાંતો કે આદર્શોની રજૂઆત જ પર્યાપ્ત નથી; પણ આ આદર્શો-વિચારોના જીવનલક્ષી વિનિયોગની સ્પષ્ટ સૂઝ પણ કવિતા આપી રહેતી હોય છે. અને એ રીતે, ‘માનવી વિશે, પ્રકૃતિ વિશે, અને માનવ જીવન વિશે’ના(On man, on nature, and on human life- Wordsworth) આદર્શોનો અન્વય સાધી આપીને, 'કેમ જીવવું' (how to live)ના પ્રશ્નનું નિરાકરણ કરીને, જીવનને અર્થપૂર્ણ મે સવિશેષ રઢિયાળું બનાવે છે. એટલું જ નહિ કવિતાની આ વિવેચનશક્તિ જ શતઘા વ્યાધિથી પીડાતી વેદનાકુલ માનવજાતને, ચોગરદમ વિપત્તિ ને વિષણતાના વાતાવરણ વચ્ચે 4, ઊંડું આશ્વાસન ને જીવનબળ આપતી રહે છે. કવિતાની નોળવેલ જ ફુગ્સ માનવ-તાના ઊંડા ધાને રુઝાવી, વિશ્રાંતિ ને વિશ્રબ્ધિનો શીતળ અનુભવ કરાવીને પ્રાણધારણશક્તિની કામગીરી પણ બજાવે છે. કવિતામાંથી સાંપડતાં, 'સાંત્વન અને વિશ્રાંતિ તેની વિવેચનશક્તિના પ્રમાણ પર નિર્ભર રહેશે, | ૭:૪ કવિતા સંકુલ-સૂક્ષ્મ જીવનઘટનાનું અર્થઘટન ને મૂલ્યાંકન કરી આપે છે તદ્વિષયક વિવેચન વ્યાપાર દ્વારા, પરંતુ ભાવકજગત સાથે એનો નિકટનો નાતો થવા પામે છે વિવેચનાંતર્ગત નિરાકર્તૃવ્યાપારને કારણે. અર્થઘટન ને મૂલ્યાંકનમાં જીવનવિવેચનની પૂર્ણતા નથી. જીવનસ્થિતિના આંતરિક ને પારસ્પરિક અર્થો ઉકેલી આપીને, એની હેયોપાદેયતાને એ સ્પષ્ટપણે પ્રસ્તુત કરે છે, અને એમ કરતાં કરતાં જીવનની કૂટ સમસ્યાઓનો તોડ કાઢી આપી એના નિરાકરણનો માર્ગ પણ એ ચીંધી આપે છે. અને એ રીતે, કાવ્યરૂપ જીવનવિવેચન સમાધાનાત્મક અર્થ પણ ધરાવે છે. અમૂર્ત આદર્શો અને વાસ્તવવ્યવહાર વચ્ચેનું અંતર પૂરી, પ્રત્યક્ષ આચારમાં પણ આદર્શો કઈ રીતે વ્યવહૃત થઈ શકે એની જાણકારી પ્રાપ્ત કરાવવાની શક્તિને, આર્નલ્ડ, કવિતાની એક મહત્ત્વની શક્તિ તરીકે ઘટાવે છે. આદર્શોને જીવન સાથે સાંકળી દેવાના કાર્યને કવિની કવિત્વશક્તિની ચરમતા તરીકે એ અવારનવાર ઉલ્લેખે છે. મહાન વિચારો, સિદ્ધાંતો કે આદર્શોની રજૂઆત જ પર્યાપ્ત નથી; પણ આ આદર્શો-વિચારોના જીવનલક્ષી વિનિયોગની સ્પષ્ટ સૂઝ પણ કવિતા આપી રહેતી હોય છે. અને એ રીતે, ‘માનવી વિશે, પ્રકૃતિ વિશે, અને માનવ જીવન વિશે’ના(On man, on nature, and on human life- Wordsworth) આદર્શોનો અન્વય સાધી આપીને, 'કેમ જીવવું' (how to live)ના પ્રશ્નનું નિરાકરણ કરીને, જીવનને અર્થપૂર્ણ મે સવિશેષ રઢિયાળું બનાવે છે. એટલું જ નહિ કવિતાની આ વિવેચનશક્તિ જ શતઘા વ્યાધિથી પીડાતી વેદનાકુલ માનવજાતને, ચોગરદમ વિપત્તિ ને વિષણતાના વાતાવરણ વચ્ચે 4, ઊંડું આશ્વાસન ને જીવનબળ આપતી રહે છે. કવિતાની નોળવેલ જ ફુગ્સ માનવ-તાના ઊંડા ધાને રુઝાવી, વિશ્રાંતિ ને વિશ્રબ્ધિનો શીતળ અનુભવ કરાવીને પ્રાણધારણશક્તિની કામગીરી પણ બજાવે છે. કવિતામાંથી સાંપડતાં, 'સાંત્વન અને વિશ્રાંતિ તેની વિવેચનશક્તિના પ્રમાણ પર નિર્ભર રહેશે, ૩૧<ref>૩૧. ‘...the consolation and stay will be of power in proportion to the power of criticism of life.'<br>- Essays in Criticism, Second Series, 3</ref> એવા આર્નલ્ડના કથનના ગર્ભમાં, કવિતારૂપ વિવેચનની સાંત્વનામૂલક નિરાકર્તૃશક્તિ અને વિશ્રાંતિમૂલક ધારણશક્તિના અર્થો સંનિહિત છે. | ||
૭:૫ ‘પણ સર્જકતાની શ્રેષ્ઠ સિદ્ધિ માટે આદર્શોના જીવનલક્ષી વિનિયોગ કરતાંયે કંઈક વિશેષ અપેક્ષિત છે. આ વિનિયોગ કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોને વશવર્તી હોવો જોઈએ.’૩૨ એટલે કવિતાગત જીવનવિવેચન વ્યુત્પન્ન વિદ્વત્તાનો ભાર વહેતી કેવળ તર્કપૂત સિદ્ધાંતચર્ચા કે શાસ્ત્રમીમાંસા નથી, આ વિવેચનવ્યાપારનું પ્રવર્તન તો નિશ્ચિત પ્રકારની શરતને અનિવાર્ય લેખે છે. આ શરત છે કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોની સતત હાજરી. કાવ્યગત સત્ય અને સૌન્દર્યના નિયમોની શિસ્ત તળે અભિવ્યક્ત થવાનું કબૂલે તો જ આદર્શોના જીવનલક્ષી વિનિયોગનું નિરૂપણ (કે વિવેચન) કવિતારૂપ પામી શકે. આર્નલ્ડની કવિતા વ્યાખ્યામાંની આ શરત પ્રત્યે અનવધાનને કારણે એનો ખ્યાલ કેટલીક વાર નિંદાયો પણ છે. પરંતુ વિવેચનપ્રવર્તનની નિયત ભૂમિકાની આ અનિવાર્ય અપેક્ષા તરફ એણે વારંવાર ધ્યાન દોર્યું છે. કવિતાની પ્રભાવકતાની વાત કરતાં એ નોંધે છે. “ઉત્તમ કવિતામાં.. રચનાત્મક, ધારણાત્મક અને આનંદાત્મક શક્તિ જોવા મળશે.!'૩૩ અહીં કવિતાંતર્ગત જીવનવિવેચનનું મર્મસ્વરૂપ પ્રગટ થાય છે. કવિતાની રચનાત્મક ને ધારણાત્મક શક્તિનું અધિષ્ઠાન છે કાવ્યગત સત્ય, અને આનન્દાત્મક શક્તિનું ધારક બળ છે કાવ્યગત સૌન્દર્ય. આપણને પરિચિત એવી પરિભાષામાં કહીએ તો ‘કાન્તાસમ્મિતતયોપદેશ' કવિતામાંથી જડતો હોય છે જીવન વિવેચનમાંના કાવ્યગત સત્યને કારણે; અને પરનિવૃત્તિ લાઘતી હોય છે કાવ્યગત સૌન્દર્યને કારણે. એ રીતે જોઈએ તો નકરો ઉપદેશ કે સાવ એકાકી આનંદ, આર્નલ્ડની વિચારણામાં કાવ્યફલ તરીકે સ્વીકાર્ય ગણાય નહિ. સત્ય અને સૌંદર્યના કાવ્યનિયમોની ખડી ચોકી હેઠળ બિરાજમાન કવિતામાં ઉપદેશ અને આનંદની સહોપસ્થિતિ અને સાયુજ્ય ઇષ્ટ છે. આ સત્યપ્રસૂત ઉપદેશ ભાવકને રચના અને સ્થિરતાનું સામર્થ્ય બક્ષે, જ્યારે સૌન્દર્યપ્રસૂત આનંદ, સંરચના અને સુસ્થિતતાને રસાત્મક પુટ આપી રહે. કવિતાગત જીવનવિવેચનની આ વિશિષ્ટ લાક્ષણિકતા છે. સત્ય ને સૌન્દર્યના નિયમોની ગેરહાજરીમાં જીવનવિવેચન કારગત નીવડી શકે નહિ. તત્ત્વજ્ઞાન અને ઈતિહાસ કરતાં કવિતાની ભેદકતા આ સત્ય સૌંદર્યના નિયમોના પ્રયોજનમાં રહી છે. કોઈ પણ કવિ જીવનની ગાઢ અને ગહન અનુભૂતિને, સત્ય-સૌંદર્યના પરિવેશમાં વ્યંજનાગર્ભ રીતે પ્રગટ કરી શકવાની જેટલી ક્ષમતા રાખે તેટલે અંશે તેની કવિતા સાચી દિશામાં ગતિ કરતી બને. | ૭:૫ ‘પણ સર્જકતાની શ્રેષ્ઠ સિદ્ધિ માટે આદર્શોના જીવનલક્ષી વિનિયોગ કરતાંયે કંઈક વિશેષ અપેક્ષિત છે. આ વિનિયોગ કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોને વશવર્તી હોવો જોઈએ.’૩૨<ref>૩૨. 'But for supreme poetical success more is required than the pow erful application of ideas to life it must be an application under the conditions fixed by the law of poetical truth and poetical beauty.' એજન, ૨૮-૨૯</ref> એટલે કવિતાગત જીવનવિવેચન વ્યુત્પન્ન વિદ્વત્તાનો ભાર વહેતી કેવળ તર્કપૂત સિદ્ધાંતચર્ચા કે શાસ્ત્રમીમાંસા નથી, આ વિવેચનવ્યાપારનું પ્રવર્તન તો નિશ્ચિત પ્રકારની શરતને અનિવાર્ય લેખે છે. આ શરત છે કાવ્યગત સત્ય અને કાવ્યગત સૌન્દર્યના નિયમોની સતત હાજરી. કાવ્યગત સત્ય અને સૌન્દર્યના નિયમોની શિસ્ત તળે અભિવ્યક્ત થવાનું કબૂલે તો જ આદર્શોના જીવનલક્ષી વિનિયોગનું નિરૂપણ (કે વિવેચન) કવિતારૂપ પામી શકે. આર્નલ્ડની કવિતા વ્યાખ્યામાંની આ શરત પ્રત્યે અનવધાનને કારણે એનો ખ્યાલ કેટલીક વાર નિંદાયો પણ છે. પરંતુ વિવેચનપ્રવર્તનની નિયત ભૂમિકાની આ અનિવાર્ય અપેક્ષા તરફ એણે વારંવાર ધ્યાન દોર્યું છે. કવિતાની પ્રભાવકતાની વાત કરતાં એ નોંધે છે. “ઉત્તમ કવિતામાં.. રચનાત્મક, ધારણાત્મક અને આનંદાત્મક શક્તિ જોવા મળશે.!'૩૩<ref>૩૩. ‘...the best poetry will be found to have a power of forming. sustaing and delighting... 'એજન, ૩</ref> અહીં કવિતાંતર્ગત જીવનવિવેચનનું મર્મસ્વરૂપ પ્રગટ થાય છે. કવિતાની રચનાત્મક ને ધારણાત્મક શક્તિનું અધિષ્ઠાન છે કાવ્યગત સત્ય, અને આનન્દાત્મક શક્તિનું ધારક બળ છે કાવ્યગત સૌન્દર્ય. આપણને પરિચિત એવી પરિભાષામાં કહીએ તો ‘કાન્તાસમ્મિતતયોપદેશ' કવિતામાંથી જડતો હોય છે જીવન વિવેચનમાંના કાવ્યગત સત્યને કારણે; અને પરનિવૃત્તિ લાઘતી હોય છે કાવ્યગત સૌન્દર્યને કારણે. એ રીતે જોઈએ તો નકરો ઉપદેશ કે સાવ એકાકી આનંદ, આર્નલ્ડની વિચારણામાં કાવ્યફલ તરીકે સ્વીકાર્ય ગણાય નહિ. સત્ય અને સૌંદર્યના કાવ્યનિયમોની ખડી ચોકી હેઠળ બિરાજમાન કવિતામાં ઉપદેશ અને આનંદની સહોપસ્થિતિ અને સાયુજ્ય ઇષ્ટ છે. આ સત્યપ્રસૂત ઉપદેશ ભાવકને રચના અને સ્થિરતાનું સામર્થ્ય બક્ષે, જ્યારે સૌન્દર્યપ્રસૂત આનંદ, સંરચના અને સુસ્થિતતાને રસાત્મક પુટ આપી રહે. કવિતાગત જીવનવિવેચનની આ વિશિષ્ટ લાક્ષણિકતા છે. સત્ય ને સૌન્દર્યના નિયમોની ગેરહાજરીમાં જીવનવિવેચન કારગત નીવડી શકે નહિ. તત્ત્વજ્ઞાન અને ઈતિહાસ કરતાં કવિતાની ભેદકતા આ સત્ય સૌંદર્યના નિયમોના પ્રયોજનમાં રહી છે. કોઈ પણ કવિ જીવનની ગાઢ અને ગહન અનુભૂતિને, સત્ય-સૌંદર્યના પરિવેશમાં વ્યંજનાગર્ભ રીતે પ્રગટ કરી શકવાની જેટલી ક્ષમતા રાખે તેટલે અંશે તેની કવિતા સાચી દિશામાં ગતિ કરતી બને. | ||
૭:૬ ભાવકને સાંત્વન ને સમાશ્રય પ્રદાન કરવાની કવિતાની શક્તિનો આધાર, મહીંથી પ્રગટ થતી જીવનવિવેચનની શક્તિ પર અવલંબે છે; ને આ કવિતાગત વિવેચનને આલંબન છે કાવ્યગત સત્ય અને સૌંદર્યના નિયમોનું. એટલે કવિતાનો આખોયે ઠાઠ આખરે મંડાય છે સત્ય-સૌંદર્યના નિયમો ઉપર, તો પછી આ કાવ્યગત સત્ય અને સૌંદર્યના નિયમો વળી શી ચીજ છે? આર્નલ્ડે નામ પાડીને વાત કરી નથી, પણ આદર્શોના કાવ્યાત્મક નિરૂપણ માટે 'આવશ્યક શરત' જેવા આ કાવ્યનિયમો ઉચ્ચ ગાંભીર્યને કારણે સાંપડતા હોવાનું વ્યવહિત સૂચન એના લખાણમાંથી મળે છે. અને આ ઉચ્ચ ગાંભીર્ય સિદ્ધ થતું હોય છે કવિ-સર્જકની માનવી તરીકેની સંપૂર્ણ જીવન-નિષ્ઠામાંથી. આ રીતે જોઈએ તો ઉત્તમ કવિતા વિશેનો આર્નલ્ડનો અભિપ્રાય આખરે ઠરે છે કવિની માનવી તરીકેની આંતરનિષ્ઠાની ભોંય પર. | ૭:૬ ભાવકને સાંત્વન ને સમાશ્રય પ્રદાન કરવાની કવિતાની શક્તિનો આધાર, મહીંથી પ્રગટ થતી જીવનવિવેચનની શક્તિ પર અવલંબે છે; ને આ કવિતાગત વિવેચનને આલંબન છે કાવ્યગત સત્ય અને સૌંદર્યના નિયમોનું. એટલે કવિતાનો આખોયે ઠાઠ આખરે મંડાય છે સત્ય-સૌંદર્યના નિયમો ઉપર, તો પછી આ કાવ્યગત સત્ય અને સૌંદર્યના નિયમો વળી શી ચીજ છે? આર્નલ્ડે નામ પાડીને વાત કરી નથી, પણ આદર્શોના કાવ્યાત્મક નિરૂપણ માટે 'આવશ્યક શરત' જેવા આ કાવ્યનિયમો ઉચ્ચ ગાંભીર્યને કારણે સાંપડતા હોવાનું વ્યવહિત સૂચન એના લખાણમાંથી મળે છે. અને આ ઉચ્ચ ગાંભીર્ય સિદ્ધ થતું હોય છે કવિ-સર્જકની માનવી તરીકેની સંપૂર્ણ જીવન-નિષ્ઠામાંથી. આ રીતે જોઈએ તો ઉત્તમ કવિતા વિશેનો આર્નલ્ડનો અભિપ્રાય આખરે ઠરે છે કવિની માનવી તરીકેની આંતરનિષ્ઠાની ભોંય પર. | ||
૭:૭ આર્નલ્ડના કવિતાલક્ષણમાંનો જીવનવિવેચન વિષયક ખ્યાલ સાવ અકબંધ રૂપે સ્વીકાર્ય નીવડતો નથી. કાવ્યસિદ્ધાંત તરીકેની એની અપૂર્ણતા ને ત્રુટિઓ નિર્દેશીને એલિયટ અને લિટન સ્ટ્રેચ એની આકરી ટીકા કરે છે. ‘Poetry is at bottom a criticism of life' માંના 'bottom' શબ્દને પકડીને એલિયટ, કાવ્ય-લક્ષણમાંની અસંગતિ ખુલ્લી કરે છે. જીવનના ગહનગંભીર પાતાળને છેક તળિયે ભાગ્યે જ કોઈની નજર પહોંચે; અને નજર પહોંચ્યા પછીયે એનું સતત અવલોકન કેટલો સમય ટકી શકે? આ સ્થિતિમાં, 'જીવન' પદ દ્વારા - જો એના આમૂલાગ્ર (from top to bottom) વિસ્તાર આપણને અભિપ્રેત હોય તો, એના ભીષણગંભીર અકલ રહસ્યો વિશે અંતિમ કથન શક્ય છે ખરું? અને, અપૂર્ણ કથનને 'વિવેચન' કહી શકાય? જીવનનો આપણો સંપર્ક પણ અત્યંત નિકટવર્તી અતિપરિચિત ટૂંકા વર્તુળ પૂરતો સીમિત હોય છે. આ સીમિત નિરીક્ષણજન્ય ઉદ્ગારો ‘વિવેચન' નથી. આદર્શોના જીવનલક્ષી વિનિયોગ અંગે પણ એ દાઢમાંથી ભારે મરમ ભર્યાં વચનો ઓચરે છે: ‘આદર્શો જાણે કે વેદનાગ્રસ્ત માનવજાતની દાઝેલી ચામડી પર લગાડવાનો શીતળ લેપ ન હોય’ ૩૪ તો, બીજી બાજુ, પ્રો.જે.ડી.જમ્ય જેવા અભ્યાસીઓ આર્નલ્ડના ઉક્ત ખ્યાલને સમભાવપૂર્વક નિહાળી એની અન્વર્થકતા પ્રમાણવાનો પ્રયાસ કરે છે. 'વિવેચન' અંગેનો આર્નલ્ડનો અભિપ્રેતાર્થ, એમની દૃષ્ટિએ, આ મતલબનો છે : વિવેચન એટલે ‘પદાર્થને એના યથાઅર્થ રૂપે નિહાળવાનો નિરપેક્ષ પ્રયત્ન. આ પ્રક્રિયા દરમ્યાન જ અસંપ્રજ્ઞાત અને સહજરૂપે મૂલ્યનિર્ધારણા એની મેળે ધડાતી આવે છે.’૩૫ પ્રો, જમ્પના મંતવ્યાનુસાર, જીવનનું નિર્મમ ભાવે નિરીક્ષણ થતાં થતાં, એમાંથી મૂલ્યનિર્ણયોનું સ્વયંપ્રકટન સહજભાવે બનતું રહે છે. એટલે કવિતામાંના value judgementથી સુગાવાની કશી જરૂર નથી. વળી, સર્જક કળાકારના પોતાના સર્જનાનુભવ પરત્વેના આદર્શ વલલના વર્ણન તરીકે આ વિવેચનલક્ષણમાં કશું અજુગતું નથી. હકીકતે તો, આઈ.એ. રિચર્ઝ સાહિત્યને ‘our storehouse of recorded values' તરીકે, અને એઝરા પાઉન્ડ કવિતાના કાર્ય તરીકે incite humanity to continue living' ને જે અર્થમાં ઘટાવે છે તે જ અર્થમાં આર્નલ્ડ કવિતાને ‘criticism of life' તરીકે ઓળખાવે છે, એવો જમ્પનો અભિપ્રાય છે. | ૭:૭ આર્નલ્ડના કવિતાલક્ષણમાંનો જીવનવિવેચન વિષયક ખ્યાલ સાવ અકબંધ રૂપે સ્વીકાર્ય નીવડતો નથી. કાવ્યસિદ્ધાંત તરીકેની એની અપૂર્ણતા ને ત્રુટિઓ નિર્દેશીને એલિયટ અને લિટન સ્ટ્રેચ એની આકરી ટીકા કરે છે. ‘Poetry is at bottom a criticism of life' માંના 'bottom' શબ્દને પકડીને એલિયટ, કાવ્ય-લક્ષણમાંની અસંગતિ ખુલ્લી કરે છે. જીવનના ગહનગંભીર પાતાળને છેક તળિયે ભાગ્યે જ કોઈની નજર પહોંચે; અને નજર પહોંચ્યા પછીયે એનું સતત અવલોકન કેટલો સમય ટકી શકે? આ સ્થિતિમાં, 'જીવન' પદ દ્વારા - જો એના આમૂલાગ્ર (from top to bottom) વિસ્તાર આપણને અભિપ્રેત હોય તો, એના ભીષણગંભીર અકલ રહસ્યો વિશે અંતિમ કથન શક્ય છે ખરું? અને, અપૂર્ણ કથનને 'વિવેચન' કહી શકાય? જીવનનો આપણો સંપર્ક પણ અત્યંત નિકટવર્તી અતિપરિચિત ટૂંકા વર્તુળ પૂરતો સીમિત હોય છે. આ સીમિત નિરીક્ષણજન્ય ઉદ્ગારો ‘વિવેચન' નથી. આદર્શોના જીવનલક્ષી વિનિયોગ અંગે પણ એ દાઢમાંથી ભારે મરમ ભર્યાં વચનો ઓચરે છે: ‘આદર્શો જાણે કે વેદનાગ્રસ્ત માનવજાતની દાઝેલી ચામડી પર લગાડવાનો શીતળ લેપ ન હોય’ ૩૪<ref>૩૪. ‘... as if ideas were a lotion for the inflamed skin of suffering humanity.<br>- The Use of Poetry and the Use of Criticism, 112</ref> તો, બીજી બાજુ, પ્રો.જે.ડી.જમ્ય જેવા અભ્યાસીઓ આર્નલ્ડના ઉક્ત ખ્યાલને સમભાવપૂર્વક નિહાળી એની અન્વર્થકતા પ્રમાણવાનો પ્રયાસ કરે છે. 'વિવેચન' અંગેનો આર્નલ્ડનો અભિપ્રેતાર્થ, એમની દૃષ્ટિએ, આ મતલબનો છે : વિવેચન એટલે ‘પદાર્થને એના યથાઅર્થ રૂપે નિહાળવાનો નિરપેક્ષ પ્રયત્ન. આ પ્રક્રિયા દરમ્યાન જ અસંપ્રજ્ઞાત અને સહજરૂપે મૂલ્યનિર્ધારણા એની મેળે ધડાતી આવે છે.’૩૫<ref>૩૫. '(criticism) a disinterested attempt to see things as they are, in the course of which value judgements naturally and almost in sensibly from themselves.'<br>'Mathew Arnold' by J.D.Jump, 165</ref> પ્રો, જમ્પના મંતવ્યાનુસાર, જીવનનું નિર્મમ ભાવે નિરીક્ષણ થતાં થતાં, એમાંથી મૂલ્યનિર્ણયોનું સ્વયંપ્રકટન સહજભાવે બનતું રહે છે. એટલે કવિતામાંના value judgementથી સુગાવાની કશી જરૂર નથી. વળી, સર્જક કળાકારના પોતાના સર્જનાનુભવ પરત્વેના આદર્શ વલલના વર્ણન તરીકે આ વિવેચનલક્ષણમાં કશું અજુગતું નથી. હકીકતે તો, આઈ.એ. રિચર્ઝ સાહિત્યને ‘our storehouse of recorded values' તરીકે, અને એઝરા પાઉન્ડ કવિતાના કાર્ય તરીકે incite humanity to continue living' ને જે અર્થમાં ઘટાવે છે તે જ અર્થમાં આર્નલ્ડ કવિતાને ‘criticism of life' તરીકે ઓળખાવે છે, એવો જમ્પનો અભિપ્રાય છે. | ||
૭:૮ આર્નલ્ડની કાવ્યવિવેચનમાંની અન્ય સંજ્ઞાઓની માફક 'વિવેચન' સંજ્ઞાના ભિન્નાર્થવાચી સંકેતો મતભેદ અને તકરારનું મૂળ કારણ રહ્યા છે. 'વિવેચન' પદમાંની વિભિન્ન અર્થછાયાઓના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં એને જો તપાસીએ તો આ ‘જીવન વિવેચન' વર્ણનાત્મક કે વ્યાખ્યાત્મક સ્તરને વળોટીને અર્થઘટન, તારતમ્ય, મૂલ્યાંકન, નિરાકરણ, સાંત્વન, સમાધાન - આ સૌ ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વિચરતું લાગશે. આર્નલ્ડની કવિતાભાવનામાંના જીવનવિવેચન વિષયક મર્મને પામવાનો, કદાચ, એ જ ઇષ્ટ માર્ગ ગણાવ: | ૭:૮ આર્નલ્ડની કાવ્યવિવેચનમાંની અન્ય સંજ્ઞાઓની માફક 'વિવેચન' સંજ્ઞાના ભિન્નાર્થવાચી સંકેતો મતભેદ અને તકરારનું મૂળ કારણ રહ્યા છે. 'વિવેચન' પદમાંની વિભિન્ન અર્થછાયાઓના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં એને જો તપાસીએ તો આ ‘જીવન વિવેચન' વર્ણનાત્મક કે વ્યાખ્યાત્મક સ્તરને વળોટીને અર્થઘટન, તારતમ્ય, મૂલ્યાંકન, નિરાકરણ, સાંત્વન, સમાધાન - આ સૌ ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વિચરતું લાગશે. આર્નલ્ડની કવિતાભાવનામાંના જીવનવિવેચન વિષયક મર્મને પામવાનો, કદાચ, એ જ ઇષ્ટ માર્ગ ગણાવ: | ||
૮:૧ આર્નલ્ડ કહે છે કે કવિતા અને કળાની સમર્થ શક્તિનો તો સૌ સ્વીકાર કરે છે, પણ આ શક્તિનું પ્રાણભૂત તત્ત્વ શામાં રહ્યું છે એ તરફ ઘણે ભાગે આપણી નજર જતી નથી.. એમના અભિપ્રાયે, કવિતાનું આ સામથ્ર્ય મુખ્યત્વે 'વસે છે ઉચ્ચ અને વિરલ ઉત્તમતાથી સંભૂત મહાન શૈલી વડે થતી ભાવકચિત્તની સ્ફટિક સદ્શ વિમલશુચિતા અને ઉજ્જવળ ઉન્નતિમાં૩૬ કવિતા કેવળ રસાત્મક પરિતોષ આપીને અટકી જતી નથી, ભાવકની સંપ્રજ્ઞતા ને સંવિત્તિના ઉત્થાન-વિસ્તાર પણ સાધી આપે છે. આ પ્રકારની કાર્યસાધકતા અર્થે અભિવ્યક્તિવિષયની ગંભીરતા-મહત્તા તો આવશ્યક છે, અભિવ્યક્તિ-રીતિ-શૈલી- ની ઉદાત્તતા પણ અનિવાર્ય છે. હોમરના અનુવાદની ચર્ચા કરતી વેળાએ, તેના ચતુર્વિધ ગુણોમાં ‘શૈલીની સરળતા' (simplicity of style)ને પણ તે ગણાવે છે. છેક ૧૮૫૩માં 'કાવ્યો'ની પ્રસ્તાવનામાં પણ 'ભવ્ય શૈલી'ને કવિતાની વિશિષ્ટ લાક્ષણિકતા તરીકે ઉલ્લેખે છે. 'અભિજાત પ્રકૃતિનો, પ્રતિભાદત્ત કવિ, જ્યારે ગંભીર વિષયને, સરળ વા સંયત પ્રકારે, નિરૂપવાનો પ્રયાસ કરે ત્યારે તેની કવિતામાં આ 'ભવ્ય શૈલી'નો ઉદય થતો” જોવા મળે છે. ૩૭ આ 'ભવ્ય શૈલી' લાગણીને સ્પર્શીને કે સંચરિત કરીને વિરમી જતી નથી, પણ ચરિત્રની ઘટનામાં પણ નિર્ણાયક નીવડતી હોય છે. એ દૃષ્ટિએ તો, શૈલી, કવિતાના શિલ્પગત સંવિધાન કે રૂપઘટનાનું કેવળ અંગ નહિ, પણ કાવ્યાનન્દથી ઇતર નીતિપ્રયોજનને સંપડાવતું કોઈ ઉપકરણ પણ હોય એ પ્રકારનો ખ્યાલ અભિપ્રેત લાગે છે; તો બીજી તરફ, ખુદ કવિના સકલ વ્યક્તિત્વની આચારમુદ્રાનો સૂક્ષ્મ સ્પર્શ શૈલીને લાગતો હોવાના અભિપ્રાયમાં, કવિસર્જકની વ્યક્તિ તરીકેની આંતરનિષ્ઠા પર શૈલીની ભવ્યતા નિર્ભર હોવાનું પણ સમજાય. આર્નલ્ડના શૈલી વિશેના ખ્યાલમાં સરળતા, સંયતતા, કઠોરતા, આભિજાત્ય, ચારિત્ર્યનિર્મિતિ, જ્ઞાનોપલબ્ધિ, ઊર્મિસંચલનક્ષમતા : આ સૌ ભિન્ન ભિન્ન - કેટલીક વાર તો વિરોધાભાસી અંશોની ભેળસેળ થઈ જવાને કારણે, 'ઉદાત્ત 'કે 'ભવ્ય', 'ઉત્તમ' જેવા વિશેષણોના બોધ સિવાય, કોઈ નક્કર ને મૂર્ત ખ્યાલ તદ્વિષયક ચર્ચામાંથી ઊપસતો નથી. | ૮:૧ આર્નલ્ડ કહે છે કે કવિતા અને કળાની સમર્થ શક્તિનો તો સૌ સ્વીકાર કરે છે, પણ આ શક્તિનું પ્રાણભૂત તત્ત્વ શામાં રહ્યું છે એ તરફ ઘણે ભાગે આપણી નજર જતી નથી.. એમના અભિપ્રાયે, કવિતાનું આ સામથ્ર્ય મુખ્યત્વે 'વસે છે ઉચ્ચ અને વિરલ ઉત્તમતાથી સંભૂત મહાન શૈલી વડે થતી ભાવકચિત્તની સ્ફટિક સદ્શ વિમલશુચિતા અને ઉજ્જવળ ઉન્નતિમાં૩૬<ref>૩૬. ‘...resides chiefly in the refining and elevation wrought in us by the high and rare excellence of the great style. Essays in Criticism, Second Series, 38</ref> કવિતા કેવળ રસાત્મક પરિતોષ આપીને અટકી જતી નથી, ભાવકની સંપ્રજ્ઞતા ને સંવિત્તિના ઉત્થાન-વિસ્તાર પણ સાધી આપે છે. આ પ્રકારની કાર્યસાધકતા અર્થે અભિવ્યક્તિવિષયની ગંભીરતા-મહત્તા તો આવશ્યક છે, અભિવ્યક્તિ-રીતિ-શૈલી- ની ઉદાત્તતા પણ અનિવાર્ય છે. હોમરના અનુવાદની ચર્ચા કરતી વેળાએ, તેના ચતુર્વિધ ગુણોમાં ‘શૈલીની સરળતા' (simplicity of style)ને પણ તે ગણાવે છે. છેક ૧૮૫૩માં 'કાવ્યો'ની પ્રસ્તાવનામાં પણ 'ભવ્ય શૈલી'ને કવિતાની વિશિષ્ટ લાક્ષણિકતા તરીકે ઉલ્લેખે છે. 'અભિજાત પ્રકૃતિનો, પ્રતિભાદત્ત કવિ, જ્યારે ગંભીર વિષયને, સરળ વા સંયત પ્રકારે, નિરૂપવાનો પ્રયાસ કરે ત્યારે તેની કવિતામાં આ 'ભવ્ય શૈલી'નો ઉદય થતો” જોવા મળે છે. ૩૭<ref>૩૭. 'The grand style arises in poetry, when a noble nature, poetically gifted, treats with simplicity or with severity a serious subject. Last Words.</ref> આ 'ભવ્ય શૈલી' લાગણીને સ્પર્શીને કે સંચરિત કરીને વિરમી જતી નથી, પણ ચરિત્રની ઘટનામાં પણ નિર્ણાયક નીવડતી હોય છે. એ દૃષ્ટિએ તો, શૈલી, કવિતાના શિલ્પગત સંવિધાન કે રૂપઘટનાનું કેવળ અંગ નહિ, પણ કાવ્યાનન્દથી ઇતર નીતિપ્રયોજનને સંપડાવતું કોઈ ઉપકરણ પણ હોય એ પ્રકારનો ખ્યાલ અભિપ્રેત લાગે છે; તો બીજી તરફ, ખુદ કવિના સકલ વ્યક્તિત્વની આચારમુદ્રાનો સૂક્ષ્મ સ્પર્શ શૈલીને લાગતો હોવાના અભિપ્રાયમાં, કવિસર્જકની વ્યક્તિ તરીકેની આંતરનિષ્ઠા પર શૈલીની ભવ્યતા નિર્ભર હોવાનું પણ સમજાય. આર્નલ્ડના શૈલી વિશેના ખ્યાલમાં સરળતા, સંયતતા, કઠોરતા, આભિજાત્ય, ચારિત્ર્યનિર્મિતિ, જ્ઞાનોપલબ્ધિ, ઊર્મિસંચલનક્ષમતા : આ સૌ ભિન્ન ભિન્ન - કેટલીક વાર તો વિરોધાભાસી અંશોની ભેળસેળ થઈ જવાને કારણે, 'ઉદાત્ત 'કે 'ભવ્ય', 'ઉત્તમ' જેવા વિશેષણોના બોધ સિવાય, કોઈ નક્કર ને મૂર્ત ખ્યાલ તદ્વિષયક ચર્ચામાંથી ઊપસતો નથી. | ||
૯:૧ વસ્તુ-અંતસ્તત્વ અને શૈલી-રીતિના ચતુર્વિધ સમન્વયમાંથી પ્રગટતી, 'સત્ય અને ગાંભીર્ય'થી સંપન્ન, જીવનવિવેચનરૂપ ઉત્તમ કવિતાની કસોટીનું ધોરણ શું? આર્નલ્ડ માને છે કે કવિતાની ઉત્તમતા અને મહીંથી પ્રાપ્ત થતા આનંદનો આછો અણસાર કાવ્યવાચન વેળાએ ભાવકના મનમાં હોવો જોઈએ. એની આ કવિતાસૂઝ કાવ્યપદાર્થના યથાર્થ મૂલ્યાંકનમાં નિર્ણાયક નીવડતી હોય છે. જો ભાવક પૂરો જાગ્રત ન હોય તો, મૂલ્યાંકનનાં અન્ય 'ભ્રામક કે છેતરામણાં' (fallacious) ધોરણો કવિતાનો અવળો તોલ કરાવી બેસે. અહીં આર્નલ્ડ કવિ અને કવિતાના મૂલ્યાંકન માટે યથાર્થ (real), ઐતિહાસિક (historical) અને વૈયક્તિક (personal) એમ ત્રણ પ્રકારનાં ધોરણાની ચર્ચા કરે છે. કોઈ પણ રાષ્ટ્રનાં ભાષા, વિચાર, કવિતાના વિકાસનો ઐતિહાસિક પ્રવાહ રસપ્રદ હોય છે. એ વિકાસપ્રવાહના નિશ્ચિત વળાંક તરીકે કોઈ કવિની અમુક્તમુક રચના વિશેષ મહત્ત્વની લાગે ત્યારે એવી કૃતિ માટે પ્રશસ્તિનાં બે વેણ વધારે બોલી જવાય. આ છે ઐતિહાસિક મૂલ્યાંકન રીતિની ખામી. તો એનાથી ઊલટું, આપણા વ્યક્તિગત ગમા-અણગમા, રુચિ, સંજોગો વગેરેના પાસને કારણે 'વૈયક્તિક રીતિ' પણ દૂષિત બનવાની. આ સ્થિતિમાં, પ્રાચીન કવિઓની પ્રશિષ્ટ કૃતિઓનાં મૂલ્યાંકનમાં ઐતિહાસિક પદ્ધતિ અને સમકાલીન કે આધુનિક કવિની કૃતિના મૂલ્યાંકનમાં 'વૈયક્તિક પદ્ધતિ' વિશેષ અનુકૂળ ગણાય. તો પછી ‘ઉત્તમતાના વર્ગમાં મૂકી શકાય તેવી કવિતા' (...Poetry belongs to the class of excellent)ના મૂલ્યાંકન માટેનું ધોરણ શું હોઈ શકે? આવી રચનાઓની કસોટી માટે, આર્નલ્ડ, મહાન સર્જકોની નીવડેલી રચનાઓના સૌન્દર્યપ્રકાશમાં, પ્રસ્તુત કૃતિની, તુલના કરવાનું સૂચવે છે. મહાન કવિઓની કાવ્યપંક્તિઓ કે કાવ્યકંડિકાઓ અધિકારી ભાવકની સ્મૃતિમાં હંમેશા રમતી રહેતી હોય છે. આ કાવ્યપંક્તિઓ, મૂલ્યાંકન-વિષય રચનામાં, ‘ઊંચેરા કાવ્યગુણના ભાવ કે અભાવ અને તે કાવ્યગુણની માત્રાની શોધ માટે અભ્રામક કસોટી' રૂપે કામ આપવામાં સમર્થ નીવડતી હોય છે. ૩૮ આર્નલ્ડ તો ત્યાં સુધી કહે છે કે ટૂંકા ખંડો - અરે એકલદોકલ પંક્તિઓ સુદ્ધાં - આ યથાર્થ મૂલ્યાંકન માટે પર્યાપ્ત ગણાય. ૩૯ આવી સ્મૃતિક્ષમ પંક્તિઓ, અવતરણોનો કાળજીપૂર્વકનો ઉપયોગ, કવિતા વિશેના આપણા મૂલ્યાંકનને સાફ અને યથાર્થ બનાવે છે. હોમર, દાન્તે જેવા સમર્થ સર્જકોની રચનાઓમાંથી પંક્તિઓ ટાંકીને એ, પોતાના અભિપ્રાયને સાધાર ઠરાવવાનો પ્રયાસ કરે છે. | ૯:૧ વસ્તુ-અંતસ્તત્વ અને શૈલી-રીતિના ચતુર્વિધ સમન્વયમાંથી પ્રગટતી, 'સત્ય અને ગાંભીર્ય'થી સંપન્ન, જીવનવિવેચનરૂપ ઉત્તમ કવિતાની કસોટીનું ધોરણ શું? આર્નલ્ડ માને છે કે કવિતાની ઉત્તમતા અને મહીંથી પ્રાપ્ત થતા આનંદનો આછો અણસાર કાવ્યવાચન વેળાએ ભાવકના મનમાં હોવો જોઈએ. એની આ કવિતાસૂઝ કાવ્યપદાર્થના યથાર્થ મૂલ્યાંકનમાં નિર્ણાયક નીવડતી હોય છે. જો ભાવક પૂરો જાગ્રત ન હોય તો, મૂલ્યાંકનનાં અન્ય 'ભ્રામક કે છેતરામણાં' (fallacious) ધોરણો કવિતાનો અવળો તોલ કરાવી બેસે. અહીં આર્નલ્ડ કવિ અને કવિતાના મૂલ્યાંકન માટે યથાર્થ (real), ઐતિહાસિક (historical) અને વૈયક્તિક (personal) એમ ત્રણ પ્રકારનાં ધોરણાની ચર્ચા કરે છે. કોઈ પણ રાષ્ટ્રનાં ભાષા, વિચાર, કવિતાના વિકાસનો ઐતિહાસિક પ્રવાહ રસપ્રદ હોય છે. એ વિકાસપ્રવાહના નિશ્ચિત વળાંક તરીકે કોઈ કવિની અમુક્તમુક રચના વિશેષ મહત્ત્વની લાગે ત્યારે એવી કૃતિ માટે પ્રશસ્તિનાં બે વેણ વધારે બોલી જવાય. આ છે ઐતિહાસિક મૂલ્યાંકન રીતિની ખામી. તો એનાથી ઊલટું, આપણા વ્યક્તિગત ગમા-અણગમા, રુચિ, સંજોગો વગેરેના પાસને કારણે 'વૈયક્તિક રીતિ' પણ દૂષિત બનવાની. આ સ્થિતિમાં, પ્રાચીન કવિઓની પ્રશિષ્ટ કૃતિઓનાં મૂલ્યાંકનમાં ઐતિહાસિક પદ્ધતિ અને સમકાલીન કે આધુનિક કવિની કૃતિના મૂલ્યાંકનમાં 'વૈયક્તિક પદ્ધતિ' વિશેષ અનુકૂળ ગણાય. તો પછી ‘ઉત્તમતાના વર્ગમાં મૂકી શકાય તેવી કવિતા' (...Poetry belongs to the class of excellent)ના મૂલ્યાંકન માટેનું ધોરણ શું હોઈ શકે? આવી રચનાઓની કસોટી માટે, આર્નલ્ડ, મહાન સર્જકોની નીવડેલી રચનાઓના સૌન્દર્યપ્રકાશમાં, પ્રસ્તુત કૃતિની, તુલના કરવાનું સૂચવે છે. મહાન કવિઓની કાવ્યપંક્તિઓ કે કાવ્યકંડિકાઓ અધિકારી ભાવકની સ્મૃતિમાં હંમેશા રમતી રહેતી હોય છે. આ કાવ્યપંક્તિઓ, મૂલ્યાંકન-વિષય રચનામાં, ‘ઊંચેરા કાવ્યગુણના ભાવ કે અભાવ અને તે કાવ્યગુણની માત્રાની શોધ માટે અભ્રામક કસોટી' રૂપે કામ આપવામાં સમર્થ નીવડતી હોય છે. ૩૮<ref>૩૮. ‘...an infalliable touchstone for detecting the presence or absence of high poetic quality, and also the degree of the quality’ એજન, ૧૦</ref> આર્નલ્ડ તો ત્યાં સુધી કહે છે કે ટૂંકા ખંડો - અરે એકલદોકલ પંક્તિઓ સુદ્ધાં - આ યથાર્થ મૂલ્યાંકન માટે પર્યાપ્ત ગણાય. ૩૯<ref>૩૯. જુઓ : short passages, even single lines, will serve our turn quite sufficiently. એજન, ૧૦</ref> આવી સ્મૃતિક્ષમ પંક્તિઓ, અવતરણોનો કાળજીપૂર્વકનો ઉપયોગ, કવિતા વિશેના આપણા મૂલ્યાંકનને સાફ અને યથાર્થ બનાવે છે. હોમર, દાન્તે જેવા સમર્થ સર્જકોની રચનાઓમાંથી પંક્તિઓ ટાંકીને એ, પોતાના અભિપ્રાયને સાધાર ઠરાવવાનો પ્રયાસ કરે છે. | ||
૯:૨ આર્નલ્ડ, ઉત્તમ કવિતાની કસોટી માટે, આ યથાર્થ મૂલ્યાંકન રીતિ (real estimate)ને એક માત્ર સર્વથા ઉચિત પદ્ધતિ તરીકે ગણાવે છે. સત્ય ને ગાંભીર્યના કાવ્યગુણો જેમાં તંતોતંત ઊપસી આવ્યા હોય તે પ્રકારની નીવડેલી રચનાઓની પંક્તિઓ કે તે ખંડકોની સાથે વિવેચ્ય કૃતિની પંક્તિઓ કે ખંડકોને સરખાવીને પ્રસ્તુત કૃતિની ઉત્તમતા અંગેનો નિર્ણય આપી શકાય. એવો એનો અભિપ્રાય છે. પરંતુ આ અભિપ્રાયની સ્વીકાર્યતા સંદેહાસ્પદ છે. | ૯:૨ આર્નલ્ડ, ઉત્તમ કવિતાની કસોટી માટે, આ યથાર્થ મૂલ્યાંકન રીતિ (real estimate)ને એક માત્ર સર્વથા ઉચિત પદ્ધતિ તરીકે ગણાવે છે. સત્ય ને ગાંભીર્યના કાવ્યગુણો જેમાં તંતોતંત ઊપસી આવ્યા હોય તે પ્રકારની નીવડેલી રચનાઓની પંક્તિઓ કે તે ખંડકોની સાથે વિવેચ્ય કૃતિની પંક્તિઓ કે ખંડકોને સરખાવીને પ્રસ્તુત કૃતિની ઉત્તમતા અંગેનો નિર્ણય આપી શકાય. એવો એનો અભિપ્રાય છે. પરંતુ આ અભિપ્રાયની સ્વીકાર્યતા સંદેહાસ્પદ છે. | ||
કોઈ પણ કૃતિની એકલદોકલ પંક્તિઓ કે ખંડકો કેટલીક વાર રસદૃષ્ટિએ સ્વયંપર્યાપ્ત હોય, આમ છતાં, એનું કલાગત મૂલ્ય તો કૃતિના સમગ્ર સંદર્ભમાં, પ્રસ્તુત અંશોની સ્વાભિપ્રાયતા કે ઉપકારકતામાં રહેલું હોય છે. કૃતિના પ્રકીર્ણ અંશ તરીકે એની આસ્વાદ્યતા સ્વીકારવા છતાં, રચનાની અખંડતા ને એકાત્મકતાને જ આવા અંશો પોષક તથા સમર્પક નીવડતા હોય છે. આનાથી ઊલટું, કેટલીક વાર એવું પણ બનતું હોય કે કેટલાક સર્જકોની કૃતિવિશેષના પ્રકીર્ણ ખંડો કે ફુટકળ પંક્તિઓ અત્યંત ચમત્કારક ને આકર્ષક હોય પરંતુ એવા પ્રકીર્ણ ખંડો કે પંક્તિઓની સંવિધાનાત્મક ગૂંથણી શિથિલ પણ હોય; એ કારણે આવા પ્રકીર્ણ અંશો રસાત્મક લાગવા છતાં આખી કૃતિનું કલાત્મક પુદ્ગલ બંધાવા પામતું નથી. આવી સ્થિતિમાં, કૃતિવિશેષના પ્રકીર્ણ અંશોને, મૂળમાંથી સાવ નોખા તારવીને, અન્ય કૃતિના પ્રકીર્ણ અંશો સાથે વિભક્ત રસવત્તાને આધારે સરખાવીને કૃતિની ઉત્તમતાનો ચુકાદો આપવામાં ભારે જોખમ છે. સાચી રીતે તો, કાવ્યપરીક્ષણ માટે, આંશિક તુલના કે ખંડ-કસોટી નહિ પરંતુ કૃતિની એકતાલક્ષી સમગ્રતાને જ નજરમાં રાખવી જોઈએ. આર્નલ્ડ પોતે પણ આ પ્રકારના ‘સમગ્ર પ્રભાવ (total impression)'નો ખ્યાલ ઉલ્લેખે તો છે, ૪૦ પણ મૂલ્યાંકન ચર્ચામાં એની સાર્થકતાની વાત ટાળે છે. | કોઈ પણ કૃતિની એકલદોકલ પંક્તિઓ કે ખંડકો કેટલીક વાર રસદૃષ્ટિએ સ્વયંપર્યાપ્ત હોય, આમ છતાં, એનું કલાગત મૂલ્ય તો કૃતિના સમગ્ર સંદર્ભમાં, પ્રસ્તુત અંશોની સ્વાભિપ્રાયતા કે ઉપકારકતામાં રહેલું હોય છે. કૃતિના પ્રકીર્ણ અંશ તરીકે એની આસ્વાદ્યતા સ્વીકારવા છતાં, રચનાની અખંડતા ને એકાત્મકતાને જ આવા અંશો પોષક તથા સમર્પક નીવડતા હોય છે. આનાથી ઊલટું, કેટલીક વાર એવું પણ બનતું હોય કે કેટલાક સર્જકોની કૃતિવિશેષના પ્રકીર્ણ ખંડો કે ફુટકળ પંક્તિઓ અત્યંત ચમત્કારક ને આકર્ષક હોય પરંતુ એવા પ્રકીર્ણ ખંડો કે પંક્તિઓની સંવિધાનાત્મક ગૂંથણી શિથિલ પણ હોય; એ કારણે આવા પ્રકીર્ણ અંશો રસાત્મક લાગવા છતાં આખી કૃતિનું કલાત્મક પુદ્ગલ બંધાવા પામતું નથી. આવી સ્થિતિમાં, કૃતિવિશેષના પ્રકીર્ણ અંશોને, મૂળમાંથી સાવ નોખા તારવીને, અન્ય કૃતિના પ્રકીર્ણ અંશો સાથે વિભક્ત રસવત્તાને આધારે સરખાવીને કૃતિની ઉત્તમતાનો ચુકાદો આપવામાં ભારે જોખમ છે. સાચી રીતે તો, કાવ્યપરીક્ષણ માટે, આંશિક તુલના કે ખંડ-કસોટી નહિ પરંતુ કૃતિની એકતાલક્ષી સમગ્રતાને જ નજરમાં રાખવી જોઈએ. આર્નલ્ડ પોતે પણ આ પ્રકારના ‘સમગ્ર પ્રભાવ (total impression)'નો ખ્યાલ ઉલ્લેખે તો છે, ૪૦<ref>૪૦. જુઓ....there is such a thing as a total impression to be derived from a poem at all, or to be demanded from a poet;<br>-The Poetical Works of Mathew Arnold. preface. XXIII</ref> પણ મૂલ્યાંકન ચર્ચામાં એની સાર્થકતાની વાત ટાળે છે. | ||
૯:૩ કવિતાની કસોટી માટે યથાર્થ મૂલ્યાંકન રીતિને મુકાબલે ઐતિહાસિક અને વૈયક્તિક રીતિઓનો આંક ઊતરતો મૂક્યો છે. આ અભિપ્રાય પણ ચિંત્ય બની રહે. જોઈ જોઈને જોઈએ તો કોઈ પણ કૃતિનું મૂલ્યાંકન વૈયક્તિક કે અંગત રુચિ અને અનુભૂતિને સાવ ઉવેખીને કરવાનું શક્ય લાગતું નથી. ભાવકના કેળવાયેલા રુચિતંત્રનો હિસ્સો કવિતાનિર્ણયમાં મહત્ત્વનો હોય છે. આર્નલ્ડ જેનો પુરસ્કાર કરે છે તે સ્મૃતિક્ષમ પંક્તિઓ- ખંડકોની સાહેદી સ્વીકારીને ચાલતી યથાર્થ મૂલ્યાંકન રીતિ (real estimate)ની ઘટનામાં પણ, પટાંતરે અધિકારી ભાવકની સંસ્કારપૂત અંગત કાવ્યરુચિનું પ્રવર્તન હોય છે, કહો કે કસોટી રૂપ પદ્ધતિના આ મૂળમાં પણ પ્રચ્છન્નપણે વૈયક્તિક પદ્ધતિ પ્રવર્તી રહી હોય છે. | ૯:૩ કવિતાની કસોટી માટે યથાર્થ મૂલ્યાંકન રીતિને મુકાબલે ઐતિહાસિક અને વૈયક્તિક રીતિઓનો આંક ઊતરતો મૂક્યો છે. આ અભિપ્રાય પણ ચિંત્ય બની રહે. જોઈ જોઈને જોઈએ તો કોઈ પણ કૃતિનું મૂલ્યાંકન વૈયક્તિક કે અંગત રુચિ અને અનુભૂતિને સાવ ઉવેખીને કરવાનું શક્ય લાગતું નથી. ભાવકના કેળવાયેલા રુચિતંત્રનો હિસ્સો કવિતાનિર્ણયમાં મહત્ત્વનો હોય છે. આર્નલ્ડ જેનો પુરસ્કાર કરે છે તે સ્મૃતિક્ષમ પંક્તિઓ- ખંડકોની સાહેદી સ્વીકારીને ચાલતી યથાર્થ મૂલ્યાંકન રીતિ (real estimate)ની ઘટનામાં પણ, પટાંતરે અધિકારી ભાવકની સંસ્કારપૂત અંગત કાવ્યરુચિનું પ્રવર્તન હોય છે, કહો કે કસોટી રૂપ પદ્ધતિના આ મૂળમાં પણ પ્રચ્છન્નપણે વૈયક્તિક પદ્ધતિ પ્રવર્તી રહી હોય છે. | ||
૧૦:૧ આર્નલ્ડની સમગ્ર કાવ્યવિચારણા ઉત્તમતા, પ્રભાવકતા ને વ્યાપકતાના ખ્યાલમાં સવિશેષ રાચતી રહે છે. કવિતાનું એકચક્રી શાસન સ્થાપવાના વ્યામોહમાં કવિતાને જ તે માનવસંસ્કૃતિની કેવળ યથાર્થ સત્તા તરીકે પ્રમાણે છે. તત્ત્વજ્ઞાનને તો ભ્રાન્તિરૂપ આભાસી જ્ઞાનની કોટિઓમાં જ લેખે છે, એટલું જ નહિ, વિજ્ઞાન, ધર્મ અને વિજ્ઞાન તત્ત્વજ્ઞાનને મુકાબલે કવિતાની સ્થાયી પ્રભાવકતા અને સાંત્વનક્ષમતા દર્શાવીને, ધર્મ-તત્ત્વજ્ઞાન કરતાં ઊંચેરી પંગતની અધિકારિણી ઠરાવે છે. વર્ડઝવર્થ અને શેલી જેવા એના પુરોગામીઓ કવિતાને તત્ત્વજ્ઞાનના માધ્યમ તરીકે સ્વીકારીને ચાલે છે, જ્યારે આર્નલ્ડ, કવિતાને તત્ત્વજ્ઞાનના આ વૈતરામાંથી છોડાવીને, જાણે કે. સ્વાયત્ત અને સાર્વભૌમ પ્રદેશની ઘણીરણી તરીકે સ્થાપે છે. એટલાથીયે સંતોષ ન વળતાં, ધર્મ-તત્ત્વજ્ઞાનનાં વળતાં પાણીની વેળાએ, એ ઉભયની કામગીરી પણ કવિતાને ભળાવે છે. એમ કરવામાં કવિતાનું માહાત્મ્ય વધે ખરું, પણ ધર્મ અને તત્ત્વજ્ઞાન જીવનસંસ્કૃતિના એવા હીણા ઉન્મેષો છે ખરા કે કવિતા જેવો વિલક્ષણ પ્રકૃતિ ધરાવતો જીવનવ્યાપાર પેલાં બંનેની અવેજીમાં એની કામગીરી નભાવતો રહે? ધર્મ અને તત્ત્વજ્ઞાનને પણ કવિતા જેટલી જ -રતિભાર પણ ઓછી અદકી નહી એવી -પોતપોતાની સુદીર્ઘ પરંપરા અને આગવી હેસિયત છે. સંસ્કૃતિના આરંભકાળથી જ તત્ત્વજ્ઞાન 'અથાતો બ્રહ્મજિજ્ઞાસા'ના સત્યશોધન વ્યાપાર રૂપે અને ધર્મ જીવનસાધનાના હૃદયવ્યાપાર રૂપે સાથે સાથે ગતિ કરતાં રહ્યાં છે. કવિતા ક્યારેક દર્શનગર્ભરૂપે, ક્યારેક ધમ્મ શરણં ગચ્છામિ રૂપે, તો ક્યારેક પ્રજ્ઞા - હૃદયના ઉભય પ્રવાહોને સમન્વિત રૂપે ધારીને ચાલતી રહી છે; પરંતુ એનો અર્થ એવો નથી કે ધર્મ - તત્ત્વજ્ઞાનનો આત્યંતિક અંતર્ભાવ કવિતા ધરાવે છે-વા ધરાવી શકે. ધર્મ કે તત્ત્વજ્ઞાનની કોઈ માન્યતા(belief)માંથી માનવીની આસ્થા(confidence) ઊઠી જાય ત્યારે એ અવકાશને જ વેંઢારવાનો રહે છે. ધર્મ - તત્ત્વજ્ઞાન પોતે જ એવા સશક્ત ઉન્મેષો છે કે એની અવેજી રૂપે કવિતા કે અન્ય કશા પદાર્થો કામ ન આપી શકે. એ કારણે, ધર્મ- તત્ત્વજ્ઞાનનાં પ્રયોજનો(functions)ની કવિતાને થતી ભળામણીનો આર્નલ્ડનો ખ્યાલ સમુચિત લાગતો નથી. | ૧૦:૧ આર્નલ્ડની સમગ્ર કાવ્યવિચારણા ઉત્તમતા, પ્રભાવકતા ને વ્યાપકતાના ખ્યાલમાં સવિશેષ રાચતી રહે છે. કવિતાનું એકચક્રી શાસન સ્થાપવાના વ્યામોહમાં કવિતાને જ તે માનવસંસ્કૃતિની કેવળ યથાર્થ સત્તા તરીકે પ્રમાણે છે. તત્ત્વજ્ઞાનને તો ભ્રાન્તિરૂપ આભાસી જ્ઞાનની કોટિઓમાં જ લેખે છે, એટલું જ નહિ, વિજ્ઞાન, ધર્મ અને વિજ્ઞાન તત્ત્વજ્ઞાનને મુકાબલે કવિતાની સ્થાયી પ્રભાવકતા અને સાંત્વનક્ષમતા દર્શાવીને, ધર્મ-તત્ત્વજ્ઞાન કરતાં ઊંચેરી પંગતની અધિકારિણી ઠરાવે છે. વર્ડઝવર્થ અને શેલી જેવા એના પુરોગામીઓ કવિતાને તત્ત્વજ્ઞાનના માધ્યમ તરીકે સ્વીકારીને ચાલે છે, જ્યારે આર્નલ્ડ, કવિતાને તત્ત્વજ્ઞાનના આ વૈતરામાંથી છોડાવીને, જાણે કે. સ્વાયત્ત અને સાર્વભૌમ પ્રદેશની ઘણીરણી તરીકે સ્થાપે છે. એટલાથીયે સંતોષ ન વળતાં, ધર્મ-તત્ત્વજ્ઞાનનાં વળતાં પાણીની વેળાએ, એ ઉભયની કામગીરી પણ કવિતાને ભળાવે છે. એમ કરવામાં કવિતાનું માહાત્મ્ય વધે ખરું, પણ ધર્મ અને તત્ત્વજ્ઞાન જીવનસંસ્કૃતિના એવા હીણા ઉન્મેષો છે ખરા કે કવિતા જેવો વિલક્ષણ પ્રકૃતિ ધરાવતો જીવનવ્યાપાર પેલાં બંનેની અવેજીમાં એની કામગીરી નભાવતો રહે? ધર્મ અને તત્ત્વજ્ઞાનને પણ કવિતા જેટલી જ -રતિભાર પણ ઓછી અદકી નહી એવી -પોતપોતાની સુદીર્ઘ પરંપરા અને આગવી હેસિયત છે. સંસ્કૃતિના આરંભકાળથી જ તત્ત્વજ્ઞાન 'અથાતો બ્રહ્મજિજ્ઞાસા'ના સત્યશોધન વ્યાપાર રૂપે અને ધર્મ જીવનસાધનાના હૃદયવ્યાપાર રૂપે સાથે સાથે ગતિ કરતાં રહ્યાં છે. કવિતા ક્યારેક દર્શનગર્ભરૂપે, ક્યારેક ધમ્મ શરણં ગચ્છામિ રૂપે, તો ક્યારેક પ્રજ્ઞા - હૃદયના ઉભય પ્રવાહોને સમન્વિત રૂપે ધારીને ચાલતી રહી છે; પરંતુ એનો અર્થ એવો નથી કે ધર્મ - તત્ત્વજ્ઞાનનો આત્યંતિક અંતર્ભાવ કવિતા ધરાવે છે-વા ધરાવી શકે. ધર્મ કે તત્ત્વજ્ઞાનની કોઈ માન્યતા(belief)માંથી માનવીની આસ્થા(confidence) ઊઠી જાય ત્યારે એ અવકાશને જ વેંઢારવાનો રહે છે. ધર્મ - તત્ત્વજ્ઞાન પોતે જ એવા સશક્ત ઉન્મેષો છે કે એની અવેજી રૂપે કવિતા કે અન્ય કશા પદાર્થો કામ ન આપી શકે. એ કારણે, ધર્મ- તત્ત્વજ્ઞાનનાં પ્રયોજનો(functions)ની કવિતાને થતી ભળામણીનો આર્નલ્ડનો ખ્યાલ સમુચિત લાગતો નથી. | ||
૧૦:૨, આર્નલ્ડની કવિતા વિવેચના કવિતાની ઉત્તમતાને સિદ્ધ કરી આપતાં અનુપાન ઔષધોની અતિ સૂક્ષ્મ, પુનરુક્ત, ને એ કારણે દીર્ઘસૂત્રી ચર્ચા કરે છે, પરંતુ ક...વિ...તાને અસ્તિત્વમાં લાવતાં મૂળ રસાયણો -દ્રવ્યોના ઊહાપોહમાં ઊતરવાની ઝાઝી દરકાર કરતી નથી; રચનાત્મક, ધારણાત્મક ને આનન્દાત્મક શક્તિઓની ત્રિગુણી સંપદા ધરાવતી ઉત્તમ કવિતા બીજી કે અન્ય કક્ષાની ઊતરતી કવિતા કરતાં કયા કારણે જુદી પડે છે એનો સવિસ્તર ખ્યાલ એ રજૂ કરે છે, પણ સાક્ષાત્ કવિતા પંડે શો પદાર્થ છે, કલાસરજત તરીકે કવિતાની વ્યાવર્તકતા, કાવ્યનું સર્જન ને કવિકર્મની સંકુલ પ્રક્રિયા : આ સૌનો તાગ લેવાનો પ્રયત્ન ઐની કાવ્યવિચારણામાં જોવા મળતો નથી. એલિયટ અને ડેવિડ ડેચીઝ જેવા કાવ્યમીમાંસકોએ, આર્નલ્ડની કાવ્યવિવેચનાની આ નિર્બળતા તરફ યોગ્ય રીતે ધ્યાન દોર્યું છે. ૪૧ એની કાવ્યવિભાવનામાં ભાવનિષ્ઠ સામાજિક ઉપકારકતાનો ઉપક્રમ મૂળમાં જ ગુંથાયેલો રહે છે, એ કારણે જ જીવન-વિવેચન, નીતિ, આદર્શો વગેરે તત્ત્વોને કવિતામાં પાયાની શરત તરીકે માનીને એ આગળ ચાલે છે. આ સંજોગોમાં, કવિતાની નિતાન્ત નિરપેક્ષ ચિકિત્સા-કાવ્યસર્જનની બારીક આંટીઘૂંટી, કાવ્યઘટનામાં મૂળભૂત લઘુતમ લક્ષણોનો પૂરો ખ્યાલ એની વિચારણામાંથી જડતો નથી. આ સામાજિક ઉપકારકતા ને જીવનલક્ષિતાના અતિ આગ્રહને કારણે જ, આર્નલ્ડનો કવિતાવિચાર, ‘ઉત્તમ કવિતા'ની આસપાસ ફરતો રહ્યો છે. કવિતાની ઉત્તમતાની જિકર કરવામાંથી જ, ગૌણ કે ઊતરતી કક્ષાની કવિતા તરફ અમથી નજર સુદ્ધાં નાખવાની ફુરસદ એને મળતી નથી! ઉત્તમ કવિતા એ સમગ્ર કવિતા નથી. કવિતાસૃષ્ટિમાં ઉત્તમતાને શિખરે બિરાજતી ગણીગાંઠી રચનાઓ સિવાય અલંકાર, ચાતુરી, કલ્પના, ચમત્કાર, એકાકી ઊર્મિ, ભાવ, ચિત્ર- આવાં હજાર હજાર બુબુદોને ઊંચી નીચી સપાટી પર લહેરાવતી, અસંખ્ય નાની મોટી કવિતાઓ પણ, પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વને કારણે, સાહિત્યજગતમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. ઉત્તમ કવિતાયે મૂળમાં કવિતા તો છે જ. કવિતા તરીકેના એના આ સર્વસાધારણ સ્વરૂપનો બહુ ઓછો ખ્યાલ આર્નલ્ડની વિચારણામાં મળે છે. કવિતાની ઉત્તમતાની ચર્ચાના ધખારામાં આ કવિતાસાધારણની અને સાધારણ કવિતાની લગભગ ઉપેક્ષા થતી રહી છે. કવિતા સૃષ્ટિમાં, ઉત્તમ કવિતાના આ લગભગ એકાધિકારની સ્થાપનાના આર્નલ્ડના અભિનિવેશને કારણે જ, સ્કોટ જેમ્સ, ‘બધી ટેકરીઓએ આલ્પ્સ પર્વત થવું જોઈએ, એવી અપેક્ષા યોગ્ય છે ખરી?'- એવો મમરો વાજબી રીતે જ મૂકે છે.”૪૨ 'કવિતા' સંજ્ઞા દ્વારા પણ એને ઉદિષ્ટ છે સર્જનાત્મક સાહિત્ય માત્ર. કલ્પનોત્થ સાહિત્યના પ્રકાર વિશેષ તરીકે 'કવિતા'ની ચર્ચા, ઘણે ભાગે, સ્પષ્ટરેખ બનતી નથી. આ ઉપરાંત, સત્ય અને ગાંભીર્યની અમૂર્ત ચર્ચામાં પણ તેની કાવ્યવિચારણા ઘણી વખત અટવાતી રહે છે. | ૧૦:૨, આર્નલ્ડની કવિતા વિવેચના કવિતાની ઉત્તમતાને સિદ્ધ કરી આપતાં અનુપાન ઔષધોની અતિ સૂક્ષ્મ, પુનરુક્ત, ને એ કારણે દીર્ઘસૂત્રી ચર્ચા કરે છે, પરંતુ ક...વિ...તાને અસ્તિત્વમાં લાવતાં મૂળ રસાયણો -દ્રવ્યોના ઊહાપોહમાં ઊતરવાની ઝાઝી દરકાર કરતી નથી; રચનાત્મક, ધારણાત્મક ને આનન્દાત્મક શક્તિઓની ત્રિગુણી સંપદા ધરાવતી ઉત્તમ કવિતા બીજી કે અન્ય કક્ષાની ઊતરતી કવિતા કરતાં કયા કારણે જુદી પડે છે એનો સવિસ્તર ખ્યાલ એ રજૂ કરે છે, પણ સાક્ષાત્ કવિતા પંડે શો પદાર્થ છે, કલાસરજત તરીકે કવિતાની વ્યાવર્તકતા, કાવ્યનું સર્જન ને કવિકર્મની સંકુલ પ્રક્રિયા : આ સૌનો તાગ લેવાનો પ્રયત્ન ઐની કાવ્યવિચારણામાં જોવા મળતો નથી. એલિયટ અને ડેવિડ ડેચીઝ જેવા કાવ્યમીમાંસકોએ, આર્નલ્ડની કાવ્યવિવેચનાની આ નિર્બળતા તરફ યોગ્ય રીતે ધ્યાન દોર્યું છે. ૪૧<ref>૪૧. જુઓ (अ) ‘...Arnold's account seems to me to err in putting the emphasis upon the poet's feelings; instead of upon the poetry.'<br> | ||
-The Use of Poetry & the Use of Criticism. T.S.Eliot, 115 <br> | |||
(ब) 'His preoccupations..... makes him too exclusively concerned with great poetry, and with the greatness of it.' એજન, ૧૧૮ <br> | |||
(क) ‘...it is far too general to be of much help.... finding out precisely what is that poetry does and how it does it..... But on this question of the relation of poetry...... he only comments in the most general terms.’<br> | |||
- Critical Approaches to Literature By David Daiches. 131</ref> એની કાવ્યવિભાવનામાં ભાવનિષ્ઠ સામાજિક ઉપકારકતાનો ઉપક્રમ મૂળમાં જ ગુંથાયેલો રહે છે, એ કારણે જ જીવન-વિવેચન, નીતિ, આદર્શો વગેરે તત્ત્વોને કવિતામાં પાયાની શરત તરીકે માનીને એ આગળ ચાલે છે. આ સંજોગોમાં, કવિતાની નિતાન્ત નિરપેક્ષ ચિકિત્સા-કાવ્યસર્જનની બારીક આંટીઘૂંટી, કાવ્યઘટનામાં મૂળભૂત લઘુતમ લક્ષણોનો પૂરો ખ્યાલ એની વિચારણામાંથી જડતો નથી. આ સામાજિક ઉપકારકતા ને જીવનલક્ષિતાના અતિ આગ્રહને કારણે જ, આર્નલ્ડનો કવિતાવિચાર, ‘ઉત્તમ કવિતા'ની આસપાસ ફરતો રહ્યો છે. કવિતાની ઉત્તમતાની જિકર કરવામાંથી જ, ગૌણ કે ઊતરતી કક્ષાની કવિતા તરફ અમથી નજર સુદ્ધાં નાખવાની ફુરસદ એને મળતી નથી! ઉત્તમ કવિતા એ સમગ્ર કવિતા નથી. કવિતાસૃષ્ટિમાં ઉત્તમતાને શિખરે બિરાજતી ગણીગાંઠી રચનાઓ સિવાય અલંકાર, ચાતુરી, કલ્પના, ચમત્કાર, એકાકી ઊર્મિ, ભાવ, ચિત્ર- આવાં હજાર હજાર બુબુદોને ઊંચી નીચી સપાટી પર લહેરાવતી, અસંખ્ય નાની મોટી કવિતાઓ પણ, પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વને કારણે, સાહિત્યજગતમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. ઉત્તમ કવિતાયે મૂળમાં કવિતા તો છે જ. કવિતા તરીકેના એના આ સર્વસાધારણ સ્વરૂપનો બહુ ઓછો ખ્યાલ આર્નલ્ડની વિચારણામાં મળે છે. કવિતાની ઉત્તમતાની ચર્ચાના ધખારામાં આ કવિતાસાધારણની અને સાધારણ કવિતાની લગભગ ઉપેક્ષા થતી રહી છે. કવિતા સૃષ્ટિમાં, ઉત્તમ કવિતાના આ લગભગ એકાધિકારની સ્થાપનાના આર્નલ્ડના અભિનિવેશને કારણે જ, સ્કોટ જેમ્સ, ‘બધી ટેકરીઓએ આલ્પ્સ પર્વત થવું જોઈએ, એવી અપેક્ષા યોગ્ય છે ખરી?'- એવો મમરો વાજબી રીતે જ મૂકે છે.”૪૨<ref>૪૨. ‘...whether it is fair to demand that all hills should be Alps.' - The Making of Literature R.A.Scott-James, 281<br> | |||
‘ફલશ્રુતિ’ પૃ. ૧૪૮ થી ૧૭૨.</ref> 'કવિતા' સંજ્ઞા દ્વારા પણ એને ઉદિષ્ટ છે સર્જનાત્મક સાહિત્ય માત્ર. કલ્પનોત્થ સાહિત્યના પ્રકાર વિશેષ તરીકે 'કવિતા'ની ચર્ચા, ઘણે ભાગે, સ્પષ્ટરેખ બનતી નથી. આ ઉપરાંત, સત્ય અને ગાંભીર્યની અમૂર્ત ચર્ચામાં પણ તેની કાવ્યવિચારણા ઘણી વખત અટવાતી રહે છે. | |||
* ૧૧:૧ જો કે એફ.આર.લેવિસ, આર્નલ્ડના વિવેચનને 'સહેજ ચડિયાતા ચોપાનિયા ' ૪૩ તરીકે ઓળખાવે છે, આમ છતાં કાવ્યવિવેચનની પરંપરામાં આર્નલ્ડની વિવેચનાનો સાવ કાંકરો કાઢી નખાય તેમ તો, નથી; પલટાતી જતી કાવ્યવિભાવનાના વિકાસમાં, આર્નલ્ડનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. એમણે કવિતાની સમગ્ર વિચારણા સમાજ ને જીવનની ભૂમિકા પર રહીને કરી છે. વિજ્ઞાનની કેટલીક આશ્ચર્યકારક ઉપલબ્ધિઓને કારણે બદલાતા જતા સામાજિક અને વૈયક્તિક જીવનસંદર્ભના એ સાક્ષી હતા. ધર્મ તથા વિજ્ઞાનની પરિવર્તિત સ્થિતિના પ્રકાશમાં કવિતાની ઉપકારકતાને નિહાળવાની એમની દૃષ્ટિ, એકલા કાવ્યવિચારકની નહિ, સમાજચિંતકની પણ રહી છે. એ કારણે જ સત્ય અને ગાંભીર્ય, નીતિ અને આદર્શો : આ સૌ ખ્યાલો એની કવિતાવિચારણામાં કેન્દ્રસ્થાને ‘Wheher it is fair to demand that all hills should be Alps.' કવિતાની આ પ્રકારની થોડીક એકાંગી કહી શકાય તેવી ચર્ચાની ઊણપ અંગે આર્નલ્ડના મનમાં પણ સંદેહ તો છે જ. 'Poems'ની બીજી આવૃત્તિની પ્રસિદ્ધિટાણે (૧૮૫૪) પ્રસ્તાવનાની પૂર્તિ રૂપે જોડેલી ‘જાહેરાત'માં એનો નિર્દેશ પણ એણે કર્યો છે. એ કબૂલે છે કે કાવ્યવિષય અંગેના પોતાના અભિપ્રાયો ઊર્મિકવિતા(Lyrical)ને કેવી રીતે અને કેટલે અંશે લાગુ પડે તે વણસ્પકર્યો પ્રશ્ન રહી ગયો છે. એ સ્થળે ઉક્ત ચર્ચા પ્રસ્તુત નથી અને તે માટે સમય પણ નથી એમ કહીને એની ચર્ચા તત્પૂરતી તો ટાળે છે; પરંતુ પાછળના સમયમાં પણ, 'ઉત્તમ કવિતા' સિવાયની સાધારણ કવિતા - ઊર્મિકવિતા સંબંધે 'વણસ્પરર્યો પ્રશ્ન' વણસ્પશ્યોં જ રહી ગયો છે.રહે છે. કવિતાની આકૃતિ, અભિવ્યક્તિ, અન્ય કળાઓનાં ઉપકરણો સાથે એનો ભેદ- આ સૌ તરફ એણે ઓછું ધ્યાન આપ્યું છે, એ તો આપણી આજની વિકસિત કાવ્યદૃષ્ટિને ખૂંચે. | * ૧૧:૧ જો કે એફ.આર.લેવિસ, આર્નલ્ડના વિવેચનને 'સહેજ ચડિયાતા ચોપાનિયા ' ૪૩ તરીકે ઓળખાવે છે, આમ છતાં કાવ્યવિવેચનની પરંપરામાં આર્નલ્ડની વિવેચનાનો સાવ કાંકરો કાઢી નખાય તેમ તો, નથી; પલટાતી જતી કાવ્યવિભાવનાના વિકાસમાં, આર્નલ્ડનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. એમણે કવિતાની સમગ્ર વિચારણા સમાજ ને જીવનની ભૂમિકા પર રહીને કરી છે. વિજ્ઞાનની કેટલીક આશ્ચર્યકારક ઉપલબ્ધિઓને કારણે બદલાતા જતા સામાજિક અને વૈયક્તિક જીવનસંદર્ભના એ સાક્ષી હતા. ધર્મ તથા વિજ્ઞાનની પરિવર્તિત સ્થિતિના પ્રકાશમાં કવિતાની ઉપકારકતાને નિહાળવાની એમની દૃષ્ટિ, એકલા કાવ્યવિચારકની નહિ, સમાજચિંતકની પણ રહી છે. એ કારણે જ સત્ય અને ગાંભીર્ય, નીતિ અને આદર્શો : આ સૌ ખ્યાલો એની કવિતાવિચારણામાં કેન્દ્રસ્થાને ‘Wheher it is fair to demand that all hills should be Alps.' કવિતાની આ પ્રકારની થોડીક એકાંગી કહી શકાય તેવી ચર્ચાની ઊણપ અંગે આર્નલ્ડના મનમાં પણ સંદેહ તો છે જ. 'Poems'ની બીજી આવૃત્તિની પ્રસિદ્ધિટાણે (૧૮૫૪) પ્રસ્તાવનાની પૂર્તિ રૂપે જોડેલી ‘જાહેરાત'માં એનો નિર્દેશ પણ એણે કર્યો છે. એ કબૂલે છે કે કાવ્યવિષય અંગેના પોતાના અભિપ્રાયો ઊર્મિકવિતા(Lyrical)ને કેવી રીતે અને કેટલે અંશે લાગુ પડે તે વણસ્પકર્યો પ્રશ્ન રહી ગયો છે. એ સ્થળે ઉક્ત ચર્ચા પ્રસ્તુત નથી અને તે માટે સમય પણ નથી એમ કહીને એની ચર્ચા તત્પૂરતી તો ટાળે છે; પરંતુ પાછળના સમયમાં પણ, 'ઉત્તમ કવિતા' સિવાયની સાધારણ કવિતા - ઊર્મિકવિતા સંબંધે 'વણસ્પરર્યો પ્રશ્ન' વણસ્પશ્યોં જ રહી ગયો છે.રહે છે. કવિતાની આકૃતિ, અભિવ્યક્તિ, અન્ય કળાઓનાં ઉપકરણો સાથે એનો ભેદ- આ સૌ તરફ એણે ઓછું ધ્યાન આપ્યું છે, એ તો આપણી આજની વિકસિત કાવ્યદૃષ્ટિને ખૂંચે. | ||
૧૧:૨ કાવ્યમીમાંસાની લાંબી પરંપરામાં આર્નલ્ડ, પૂર્વ પક્ષે, કૉલરિજ, વર્ઝવર્થ જેવા રંગદર્શી ને કૌતુકરાગી વિવેચકો તો ઉત્તરપક્ષે, એલિયટ, રિચર્ડ્ઝ જેવા નિરપેક્ષ વસ્તુવાદી કાવ્યચિંતકોની મધ્યમાં - કળાદૃષ્ટિએ અને વિચારદૃષ્ટિએ – ઊભે છે. કળાકૃતિ તરીકે કવિતાની અખંડતા ને એકતા, સત્ય ને ગાંભીર્યના ખ્યાલો પુરોગામી વિવેચન પરંપરામાંથી તેને સાંપડયા છે; તો સામાજિક જીવનસંદર્ભમાં કવિતાની ઉપકારકતા, જીવનવિવેચનની મહત્તાનો ખ્યાલ એણે પોતે ઉપસાવ્યો છે. કવિતાની ઉત્તમતાનાં કેટલાંક ધોરણો પણ આ વિશિષ્ટ સંદર્ભમાં એણે બાંધી આપ્યાં છે, અને એમ કરીને કવિતાને કૌતુકરાગના સ્વચ્છંદ પ્રવાહમાંથી ઊંચકીને સૌષ્ઠવપ્રિયતાના પ્રાંગણમાં પ્રતિષ્ઠિત કરી છે. | ૧૧:૨ કાવ્યમીમાંસાની લાંબી પરંપરામાં આર્નલ્ડ, પૂર્વ પક્ષે, કૉલરિજ, વર્ઝવર્થ જેવા રંગદર્શી ને કૌતુકરાગી વિવેચકો તો ઉત્તરપક્ષે, એલિયટ, રિચર્ડ્ઝ જેવા નિરપેક્ષ વસ્તુવાદી કાવ્યચિંતકોની મધ્યમાં - કળાદૃષ્ટિએ અને વિચારદૃષ્ટિએ – ઊભે છે. કળાકૃતિ તરીકે કવિતાની અખંડતા ને એકતા, સત્ય ને ગાંભીર્યના ખ્યાલો પુરોગામી વિવેચન પરંપરામાંથી તેને સાંપડયા છે; તો સામાજિક જીવનસંદર્ભમાં કવિતાની ઉપકારકતા, જીવનવિવેચનની મહત્તાનો ખ્યાલ એણે પોતે ઉપસાવ્યો છે. કવિતાની ઉત્તમતાનાં કેટલાંક ધોરણો પણ આ વિશિષ્ટ સંદર્ભમાં એણે બાંધી આપ્યાં છે, અને એમ કરીને કવિતાને કૌતુકરાગના સ્વચ્છંદ પ્રવાહમાંથી ઊંચકીને સૌષ્ઠવપ્રિયતાના પ્રાંગણમાં પ્રતિષ્ઠિત કરી છે. | ||
| Line 80: | Line 85: | ||
'''સંદર્ભ''' | '''સંદર્ભ''' | ||
{{reflist}] | {{reflist}] | ||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સર્જક-પરિચય | ||
|next = | |next = ટી. એસ. એલિયેટનો કવિતાવિચાર | ||
}} | }} | ||