અનુક્રમ/(કૃતિનું) શીલ અને શૈલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| (કૃતિનું) શીલ અને શૈલી | ‘આપણો ઘડીક સંગ’ લે. દિગીશ મહેતા, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૨ }} {{Poem2Open}} શીલ અને શૈલી એ બન્નેને શબ્દકોશમાં સંબંધ છે તો વ્યવહારમાં પણ હોવ...")
 
No edit summary
Line 10: Line 10:
થોડા સમય પહેલાં પ્રસિદ્ધ થયેલ શ્રી દિગીશ મહેતાની નવલકથા ‘આપણો ઘડીક સંગ’નો રંગ માણનાર કેટલાક મિત્રો પણ એને અંગે થોડી દ્વિધામાં પડેલા જણાય છે. એની શૈલીનો સ્વાદ સૌને દાઢે રહી ગયો છે, પણ વસ્તુતત્ત્વના સત્ત્વ વિષે કેટલાક સાશંક રહે છે. આ નવલકથામાં દેખાતા ભાષા અને શૈલીના વિલક્ષણ આવિર્ભાવને અભિનંદવાનું મન થાય છે, પરંતુ મુખ્ય વસ્તુના અતિસામાન્યપણાને લીધે, આડપ્રસંગો અને ચિત્રોનો મુખ્ય વસ્તુમાં શો હેતુ છે તે સ્પષ્ટ ન થવાને લીધે, સમગ્ર વાર્તામાંથી શબ્દોમાં બાંધી શકાય એવું રહસ્ય કે વક્તવ્ય હાથ નહિ આવવાને લીધે લેખકે જાણે વસ્તુની ખોટ શૈલીથી પૂરવાનો પ્રયત્ન કર્યો હોય એવી છાપ પડે છે, અને આને નવલકથા – લઘુનવલ પણ – કહેવી કે કેમ એવો પ્રશ્ન ઊઠે છે. આથી વાર્તાવસ્તુના સ્વરૂપ કે શીલ અને શૈલીના સંબંધની સાર્થકતાનો સવાલ આ કૃતિના સંદર્ભમાં ચર્ચવા જેવો બની જાય છે.
થોડા સમય પહેલાં પ્રસિદ્ધ થયેલ શ્રી દિગીશ મહેતાની નવલકથા ‘આપણો ઘડીક સંગ’નો રંગ માણનાર કેટલાક મિત્રો પણ એને અંગે થોડી દ્વિધામાં પડેલા જણાય છે. એની શૈલીનો સ્વાદ સૌને દાઢે રહી ગયો છે, પણ વસ્તુતત્ત્વના સત્ત્વ વિષે કેટલાક સાશંક રહે છે. આ નવલકથામાં દેખાતા ભાષા અને શૈલીના વિલક્ષણ આવિર્ભાવને અભિનંદવાનું મન થાય છે, પરંતુ મુખ્ય વસ્તુના અતિસામાન્યપણાને લીધે, આડપ્રસંગો અને ચિત્રોનો મુખ્ય વસ્તુમાં શો હેતુ છે તે સ્પષ્ટ ન થવાને લીધે, સમગ્ર વાર્તામાંથી શબ્દોમાં બાંધી શકાય એવું રહસ્ય કે વક્તવ્ય હાથ નહિ આવવાને લીધે લેખકે જાણે વસ્તુની ખોટ શૈલીથી પૂરવાનો પ્રયત્ન કર્યો હોય એવી છાપ પડે છે, અને આને નવલકથા – લઘુનવલ પણ – કહેવી કે કેમ એવો પ્રશ્ન ઊઠે છે. આથી વાર્તાવસ્તુના સ્વરૂપ કે શીલ અને શૈલીના સંબંધની સાર્થકતાનો સવાલ આ કૃતિના સંદર્ભમાં ચર્ચવા જેવો બની જાય છે.
<center> ૨ </center>
<center> ૨ </center>
આમ તો, આ વાર્તાની શૈલી તે વાતચીતની શૈલી છે, અને વાતચીત આકર્ષક ક્યારે બને એ વિશે લેખક સભાન છે, વાતચીતની આકર્ષકતાનું ધોરણ લેખક નવલકથામાં એક સ્થળે હળવેથી સરકાવી પણ દે છે : “વાતચીત – શબ્દેશબ્દે અર્થો-અનર્થોના ફુવારા ફૂટતા હોય, વ્યંજનાઓની વણઝાર ચાલતી હોય, અલંકારોની આતશબાજી આંખોને આંજી નાખતી હોય ત્યારે તે આકર્ષક બને.” આશ્વાસક વાત એ છે કે અર્થો-અનર્થોના ફુવારા અને અલંકારોની આતશબાજી પાસેથી લેખક પોતાની વાતને આકર્ષક બનાવવા ઉપરાંતનું પણ કામ લઈ શક્યા છે.
આમ તો, આ વાર્તાની શૈલી તે વાતચીતની શૈલી છે, અને વાતચીત આકર્ષક ક્યારે બને એ વિશે લેખક સભાન છે, વાતચીતની આકર્ષકતાનું ધોરણ લેખક નવલકથામાં એક સ્થળે હળવેથી સરકાવી પણ દે છે : “વાતચીત – શબ્દેશબ્દે અર્થો-અનર્થોના ફુવારા ફૂટતા હોય, વ્યંજનાઓની વણઝાર ચાલતી હોય, અલંકારોની આતશબાજી આંખોને આંજી નાખતી હોય ત્યારે તે આકર્ષક બને.” આશ્વાસક વાત એ છે કે અર્થો-અનર્થોના ફુવારા અને અલંકારોની આતશબાજી પાસેથી લેખક પોતાની વાતને આકર્ષક બનાવવા ઉપરાંતનું પણ કામ લઈ શક્યા છે.
આખી નવલકથામાં હળવાશની હવા વ્યાપેલી છે. આ હવા જ્માવવામાં શબ્દનો નવીન સંદર્ભમાં પ્રયોગ —
આખી નવલકથામાં હળવાશની હવા વ્યાપેલી છે. આ હવા જ્માવવામાં શબ્દનો નવીન સંદર્ભમાં પ્રયોગ —
* “મિસ અર્વાચીના બૂચ! અંદર છોડી મૂક.”
* “મિસ અર્વાચીના બૂચ! અંદર છોડી મૂક.”
Line 28: Line 28:
“પણ... પણ મારે તેમની સાથે ન પરણવું હોય તો પણ...”  
“પણ... પણ મારે તેમની સાથે ન પરણવું હોય તો પણ...”  
અને વસ્તુના તંતુને બેહદ ખેંચી જઈ કરેલી અત્યુકિત —
અને વસ્તુના તંતુને બેહદ ખેંચી જઈ કરેલી અત્યુકિત —
* સુધરાઈએ મુંબઈથી આગળ જવાની આતુરતા ન બતાવી ત્યારે રણધીરરાયે પોતે સુધરાઈને પોતાની સામે લડવા પૈસા આપવાની ‘ચેલેન્જ’ આપી...
* સુધરાઈએ મુંબઈથી આગળ જવાની આતુરતા ન બતાવી ત્યારે રણધીરરાયે પોતે સુધરાઈને પોતાની સામે લડવા પૈસા આપવાની ‘ચેલેન્જ’ આપી...
* “વિમળાબહેન જ આવતાં લાગે છે.” વિનાયકે જાહેર કર્યું...તેનો અણિયાળો ચહેરો પળેપળે સુકાતો ચાલ્યો હતો. અને પ્રોફેસર ધૂર્જટિ!
* “વિમળાબહેન જ આવતાં લાગે છે.” વિનાયકે જાહેર કર્યું...તેનો અણિયાળો ચહેરો પળેપળે સુકાતો ચાલ્યો હતો. અને પ્રોફેસર ધૂર્જટિ!
“ઓ બા! ચંદ્રાબા!” એણે પોતાનાં પચ્ચીસેય વર્ષ અને સર્વે ઉપાધિઓ બાજુ પર મૂકી દીધાં : “ઓ બા!!”
“ઓ બા! ચંદ્રાબા!” એણે પોતાનાં પચ્ચીસેય વર્ષ અને સર્વે ઉપાધિઓ બાજુ પર મૂકી દીધાં : “ઓ બા!!”
જ્યાં સડકોએ લોરેન્સ વાંચેલો હોય, પટાવાળો રાજકારણ અને સર્વોદયની અસરો ઝીલતો હોય, ત્યાં બુદ્ધિલક્ષી વિનોદ કે વિનોદી બુદ્ધિવ્યાપાર, ચબરાકિયાં, માર્મિક હળવી ટકોર આપણી ‘મનની આંખે’ ટકરાયા કરે જ —
જ્યાં સડકોએ લોરેન્સ વાંચેલો હોય, પટાવાળો રાજકારણ અને સર્વોદયની અસરો ઝીલતો હોય, ત્યાં બુદ્ધિલક્ષી વિનોદ કે વિનોદી બુદ્ધિવ્યાપાર, ચબરાકિયાં, માર્મિક હળવી ટકોર આપણી ‘મનની આંખે’ ટકરાયા કરે જ —
* હું મૃત્યુ પહેલાંની જિંદગીમાં માનું છું.
* હું મૃત્યુ પહેલાંની જિંદગીમાં માનું છું.
* તેમાં અનિવાર્ય રીતે જ પ્રેમ વિશે કંઈક હતું, કેમ કે તે કવિતા હતી.
* તેમાં અનિવાર્ય રીતે જ પ્રેમ વિશે કંઈક હતું, કેમ કે તે કવિતા હતી.
સ્થૂળ શબ્દચમત્કારનો સહારો હાસ્ય નિપજાવવામાં લેખક ભાગ્યે જ લે છે – “રેડિયો, રિક્ષાઓ, રમખાણો – એ તેમના જીવનના ચઢતા-ઊતરતા સૂરો છે. સિનેમા એ તેમની સમાધિ છે...” ‘વિષય’ શબ્દ પર લેખકે કરેલો સસ્તો શ્લેષ પણ આ કૃતિમાં વિરલ છે. પણ શૈલીના ઉપર-કથ્યા વિલક્ષણ અંશો આ નવલકથામાં ડગલેપગલે એટલા તો અથડાયા કરે છે કે પહેલી દૃષ્ટિએ તો આપણે સાહિત્યના કોઈ અજાયબ-ઘરમાં આવી પડ્યા હોઈએ એવો ભાવ થાય છે, નવલકથા અવાસ્તવિકતાની આબોહવામાં જ ઊછરતી હોય એવું લાગે છે, અને ઝીણવટથી જોતાં કથાના અને શૈલીના લાક્ષણિક અંશોની રચનામાં રહેલી કૃત્રિમતા અને સભાનપૂર્વકતા અછતી રહેતી નથી. અવારનવાર આવતી અનર્થલીલા ચાતુર્યના ચકલા સિવાય બીજું કોઈ નિશાન તાકતી લાગે છે ખરી?
સ્થૂળ શબ્દચમત્કારનો સહારો હાસ્ય નિપજાવવામાં લેખક ભાગ્યે જ લે છે – “રેડિયો, રિક્ષાઓ, રમખાણો – એ તેમના જીવનના ચઢતા-ઊતરતા સૂરો છે. સિનેમા એ તેમની સમાધિ છે...” ‘વિષય’ શબ્દ પર લેખકે કરેલો સસ્તો શ્લેષ પણ આ કૃતિમાં વિરલ છે. પણ શૈલીના ઉપર-કથ્યા વિલક્ષણ અંશો આ નવલકથામાં ડગલેપગલે એટલા તો અથડાયા કરે છે કે પહેલી દૃષ્ટિએ તો આપણે સાહિત્યના કોઈ અજાયબ-ઘરમાં આવી પડ્યા હોઈએ એવો ભાવ થાય છે, નવલકથા અવાસ્તવિકતાની આબોહવામાં જ ઊછરતી હોય એવું લાગે છે, અને ઝીણવટથી જોતાં કથાના અને શૈલીના લાક્ષણિક અંશોની રચનામાં રહેલી કૃત્રિમતા અને સભાનપૂર્વકતા અછતી રહેતી નથી. અવારનવાર આવતી અનર્થલીલા ચાતુર્યના ચકલા સિવાય બીજું કોઈ નિશાન તાકતી લાગે છે ખરી?
આટલું જ હોત તો તો લેખકની શૈલીને એક જાતનો ‘વાગ્વિલાસ’ અને એમની કથાને રમૂજી ટૂચકાઓનો સંગ્રહ સહેલાઈથી ગણી શકાત, પરંતુ આશ્ચર્ય અને આકર્ષકતાની સીમા ઓળંગીને લેખકની શૈલી અવારનવાર કંઈક ઊંચાં નવાં નિશાન તાકે છે અને વીંધે છે પણ ખરી; બહુધા પાત્રોના મનોભાવોને અને વ્યક્તિત્વને વ્યંજિત કરવા માટે, પદાર્થો અને પરિસ્થિતિઓ પર નવીન પ્રકાશ ફેંકવા માટે, કોઈ જીવનમર્મનું ઉદ્‌ઘાટન કરવા માટે શૈલીના વિલક્ષણ અંશોને લેખક પ્રયોજે છે. થોડાં ઉદાહરણો —
આટલું જ હોત તો તો લેખકની શૈલીને એક જાતનો ‘વાગ્વિલાસ’ અને એમની કથાને રમૂજી ટૂચકાઓનો સંગ્રહ સહેલાઈથી ગણી શકાત, પરંતુ આશ્ચર્ય અને આકર્ષકતાની સીમા ઓળંગીને લેખકની શૈલી અવારનવાર કંઈક ઊંચાં નવાં નિશાન તાકે છે અને વીંધે છે પણ ખરી; બહુધા પાત્રોના મનોભાવોને અને વ્યક્તિત્વને વ્યંજિત કરવા માટે, પદાર્થો અને પરિસ્થિતિઓ પર નવીન પ્રકાશ ફેંકવા માટે, કોઈ જીવનમર્મનું ઉદ્‌ઘાટન કરવા માટે શૈલીના વિલક્ષણ અંશોને લેખક પ્રયોજે છે. થોડાં ઉદાહરણો —
Line 68: Line 68:
એ ખરું છે કે આખી કથા તારસ્વર પર ચાલે છે. એટલે સુધી કે જે પ્રસંગો છૂટા પાડીને જોતાં કૃત્રિમ અને ગોઠવેલા લાગે તે કથાના સંદર્ભમાં તો હળીભળી જાય છે. ઊલટાનું, ચંદ્રાબા અને બૂચસાહેબ – દરેક એક વખતે નવા જમાનાને પૂરી ગંભીરતાથી ચેતવણી આપે છે તે અંશ કથામાં કંઈક વિસંગત સૂર ઊભો કરતો જણાય છે.
એ ખરું છે કે આખી કથા તારસ્વર પર ચાલે છે. એટલે સુધી કે જે પ્રસંગો છૂટા પાડીને જોતાં કૃત્રિમ અને ગોઠવેલા લાગે તે કથાના સંદર્ભમાં તો હળીભળી જાય છે. ઊલટાનું, ચંદ્રાબા અને બૂચસાહેબ – દરેક એક વખતે નવા જમાનાને પૂરી ગંભીરતાથી ચેતવણી આપે છે તે અંશ કથામાં કંઈક વિસંગત સૂર ઊભો કરતો જણાય છે.
વળી, લેખકે અહીં ઉડાઉગીરી પણ ઠીક કરી છે. એમણે પોતાના ધ્યાનને કંઈક કેન્દ્રિત કર્યું હોત તો વધારે સારું પરિણામ ન આવ્યું હોત? છતાં અત્યુક્તિ-અવાસ્તવિકતા, હાસ્ય-મજાક દ્વારા જીવનની સમજ વ્યક્ત કરવાનો એક મજાનો પ્રયત્ન લેખકે કર્યો છે એ ખૂબ નોંધપાત્ર છે. એમાં એમને પૂરી સફળતા પ્રાપ્ત ન થઈ હોય, એ પોતે શૈલીના પ્રવાહમાં ખેંચાઈ ગયા હોય અને કેટલેક ઠેકાણે નિષ્પ્રયોજન નિરૂપણો એમનાથી થઈ ગયાં હોય એ સંભવિત છે, પરંતુ શીલ–શૈલીના ઔચિત્યનું ધોરણ આપણે સમજ્યા હોઈએ તો આ કૃતિને ન્યાય કરવામાં આપણને થોડી મદદ મળે ખરી.
વળી, લેખકે અહીં ઉડાઉગીરી પણ ઠીક કરી છે. એમણે પોતાના ધ્યાનને કંઈક કેન્દ્રિત કર્યું હોત તો વધારે સારું પરિણામ ન આવ્યું હોત? છતાં અત્યુક્તિ-અવાસ્તવિકતા, હાસ્ય-મજાક દ્વારા જીવનની સમજ વ્યક્ત કરવાનો એક મજાનો પ્રયત્ન લેખકે કર્યો છે એ ખૂબ નોંધપાત્ર છે. એમાં એમને પૂરી સફળતા પ્રાપ્ત ન થઈ હોય, એ પોતે શૈલીના પ્રવાહમાં ખેંચાઈ ગયા હોય અને કેટલેક ઠેકાણે નિષ્પ્રયોજન નિરૂપણો એમનાથી થઈ ગયાં હોય એ સંભવિત છે, પરંતુ શીલ–શૈલીના ઔચિત્યનું ધોરણ આપણે સમજ્યા હોઈએ તો આ કૃતિને ન્યાય કરવામાં આપણને થોડી મદદ મળે ખરી.
{{Right |[સંસ્કૃતિ, ઓગસ્ટ, ૧૯૬૩] }} <br>
{{Right |[સંસ્કૃતિ, ઓગસ્ટ, ૧૯૬૩] }} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu