સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/શીલ અને સાહિત્ય: Difference between revisions

Jump to navigation Jump to search
inverted comas corrected
(+1)
(inverted comas corrected)
 
Line 11: Line 11:
તેથી જ વિવેચનશાસ્ત્રનું એક સર્વસ્વીકૃત મહાસૂત્ર છે કે જેવું શીલ તેવી શૈલી- The style is the Marn. શૈલી એટલે લેખકના શીલનો કોઈ અદ્ભુત આવિષ્કાર, એના માનસની કોઈ વિલક્ષણ મૂર્તિ, એના અનુભવ, આચાર, વિચાર, રાગ, દ્વેષ, ભાવના, કલ્પના આદિ સર્વનું કોઈ ગૂઢ લિપિમાં લખાએલું અને છતાં એકવાર એ લિપિની ચાવી મળી જાય કે તરત જ સુસ્પષ્ટ બની જાય એવું અકલવિશદ દફતર, શૈલી અને શીલ વચ્ચે એટલો અવિયોજય સંબંધ છે કે માણસ ગમે તેટલો સમર્થ છતાં જયાં સુધી પોતાના શીલને બદલે નહિ ત્યાં સુધી પોતાની શૈલીને પણ કદી બદલી શકતો નથી. પોતાનું શીલ હોય તેથી સુન્દર શૈલીએ ગમે તેટલું કરે તો પણ સરજી શકતો નથી, તેમ બીજી બાજુ પોતાના શીલની ક્ષતિઓને એમાં આવિષ્કૃત થતી રોકી પણ શકતો નથી. યથાર્થ સ્વરૂપમાં સમજવામાં આવે તો શૈલી આવી અનિવાર્ય વસ્તુ છે. હવે શૈલી એ તો આપણે જાણીએ છીએ તેમ અતિ સૂક્ષ્મ તત્ત્વ છે નજરે ન દેખાય અને છતાં પ્રતિક્ષણ અનુભવાય એવી સાહિત્યની સૂક્ષ્મ ફોરમ છે. વર્ઝવર્થના શબ્દોનો જરા જુદી રીતે ઉપયોગ કરીએ તો the breath and the finer spirit of literature છે. અર્થાત્ શૈલી એ તો સાહિત્યનો સૂક્ષ્મ પ્રાણ અને આત્મા છે. ત્યારે સાહિત્યના સૂક્ષ્મ પ્રાણ અને આત્મારૂપ શૈલીને પણ જો એના સર્જકના શીલ સાથે આટલો અનિવાર્ય સંબંધ હોય, તો પછી એ શૈલી જેનો પ્રાણ અને આત્મા છે એવું જે સાહિત્ય તેને એ સર્જકના શીલ સાથે અનિવાર્ય સંબંધ હોય એમાં તો શંકા જ શી? શૈલી જો શીલનો આવિષ્કાર હોય તો એ શૈલી જેના અંશે અંશમાં વ્યાપી રહેલી છે એવી સાહિત્યકૃતિ શીલનો અનિવાર્ય આવિષ્કાર હોય એમાં સવાલ જ શો?
તેથી જ વિવેચનશાસ્ત્રનું એક સર્વસ્વીકૃત મહાસૂત્ર છે કે જેવું શીલ તેવી શૈલી- The style is the Marn. શૈલી એટલે લેખકના શીલનો કોઈ અદ્ભુત આવિષ્કાર, એના માનસની કોઈ વિલક્ષણ મૂર્તિ, એના અનુભવ, આચાર, વિચાર, રાગ, દ્વેષ, ભાવના, કલ્પના આદિ સર્વનું કોઈ ગૂઢ લિપિમાં લખાએલું અને છતાં એકવાર એ લિપિની ચાવી મળી જાય કે તરત જ સુસ્પષ્ટ બની જાય એવું અકલવિશદ દફતર, શૈલી અને શીલ વચ્ચે એટલો અવિયોજય સંબંધ છે કે માણસ ગમે તેટલો સમર્થ છતાં જયાં સુધી પોતાના શીલને બદલે નહિ ત્યાં સુધી પોતાની શૈલીને પણ કદી બદલી શકતો નથી. પોતાનું શીલ હોય તેથી સુન્દર શૈલીએ ગમે તેટલું કરે તો પણ સરજી શકતો નથી, તેમ બીજી બાજુ પોતાના શીલની ક્ષતિઓને એમાં આવિષ્કૃત થતી રોકી પણ શકતો નથી. યથાર્થ સ્વરૂપમાં સમજવામાં આવે તો શૈલી આવી અનિવાર્ય વસ્તુ છે. હવે શૈલી એ તો આપણે જાણીએ છીએ તેમ અતિ સૂક્ષ્મ તત્ત્વ છે નજરે ન દેખાય અને છતાં પ્રતિક્ષણ અનુભવાય એવી સાહિત્યની સૂક્ષ્મ ફોરમ છે. વર્ઝવર્થના શબ્દોનો જરા જુદી રીતે ઉપયોગ કરીએ તો the breath and the finer spirit of literature છે. અર્થાત્ શૈલી એ તો સાહિત્યનો સૂક્ષ્મ પ્રાણ અને આત્મા છે. ત્યારે સાહિત્યના સૂક્ષ્મ પ્રાણ અને આત્મારૂપ શૈલીને પણ જો એના સર્જકના શીલ સાથે આટલો અનિવાર્ય સંબંધ હોય, તો પછી એ શૈલી જેનો પ્રાણ અને આત્મા છે એવું જે સાહિત્ય તેને એ સર્જકના શીલ સાથે અનિવાર્ય સંબંધ હોય એમાં તો શંકા જ શી? શૈલી જો શીલનો આવિષ્કાર હોય તો એ શૈલી જેના અંશે અંશમાં વ્યાપી રહેલી છે એવી સાહિત્યકૃતિ શીલનો અનિવાર્ય આવિષ્કાર હોય એમાં સવાલ જ શો?
ત્યારે આટલી પ્રાથમિક વિચારણા પણ પુરવાર કરે છે કે શીલ અને સાહિત્ય વચ્ચે સ્વાભાવિક રીતે જ અનિવાર્ય સંબંધ હોય છે. જગતના સાહિત્યમાંથી થોડાં ઉદાહરણો પહેલાં અન્વય પદ્ધતિનાં અને પછી વ્યતિરેક પદ્ધતિનાં એમ ઉભય પ્રકારનાં લઈશું.
ત્યારે આટલી પ્રાથમિક વિચારણા પણ પુરવાર કરે છે કે શીલ અને સાહિત્ય વચ્ચે સ્વાભાવિક રીતે જ અનિવાર્ય સંબંધ હોય છે. જગતના સાહિત્યમાંથી થોડાં ઉદાહરણો પહેલાં અન્વય પદ્ધતિનાં અને પછી વ્યતિરેક પદ્ધતિનાં એમ ઉભય પ્રકારનાં લઈશું.
પહેલું ઉદાહરણ ગુજરાતી સાહિત્યના મહાગ્રંથ 'સરસ્વતીચંદ્ર'નું લઈએ. એના ગુણદોષ વિષે આજની પેઢીને જે કહેવું હોય તે ભલે કહે, પણ એના અંગે અંગમાં એના કર્તાનું શીલ ધબકી રહ્યું છે એની કોઈ પણ ના પાડી શકશે? એના નાયકના ગૃહત્યાગમાં એના કર્તાનો પોતાનો જ એક જીવનપ્રસંગ નથી પ્રતિબિંબિત થયો? એનાં રજવાડી ચિત્રો તેમ ચિંતનોમાં એના કર્તાનો ભાવનગર વગેરે દેશી રાજ્યોનો સ્વાનુભવ જ નથી પ્રકટ થઈ રહ્યો? એના ત્રિવેણી સંગમના નિરૂપણમાં આજના સંક્રાંતિકાળમાં દેશ સમક્ષ ખડા થએલા પ્રશ્નો અધ્યયન મનન દ્વારા પોતાના દેશબાંધવોની યથાશક્તિ સેવા કરવાનું એના કર્તાનું જીવનવ્રત જ નથી મૂર્ત થયું? એની ભાષાશૈલી એક બાજુથી બાણભટ્ટાદિનું સંસ્કૃત સાહિત્ય તેમ બીજી બાજુથી પશ્ચિમનું સર્વોત્તમ સાહિત્ય એ બન્નેનું પરિશીલન કરનાર એના મહારસિક પંડિત કર્તાનું પદે પદે સ્મરણ નથી કરાવતી? અને સરસ્વતીચંદ્ર, કુમુદ, ચંદ્રાવલી આદિ જેવાં ચારિત્ર્ય સૌન્દર્યથી ઝગી રહેલાં એનાં અનેક પાત્રોમાં પણ એના કર્તાની અનુપમ શીલસંપત્તિ, વિરલ સાધુતા, all for others, nothing for myself એવું જીવનસૂત્ર સ્વીકારનાર Practical asceticism-એ બધું જ વ્યક્ત નથી થઈ રહ્યું?
પહેલું ઉદાહરણ ગુજરાતી સાહિત્યના મહાગ્રંથ ‘સરસ્વતીચંદ્ર'નું લઈએ. એના ગુણદોષ વિષે આજની પેઢીને જે કહેવું હોય તે ભલે કહે, પણ એના અંગે અંગમાં એના કર્તાનું શીલ ધબકી રહ્યું છે એની કોઈ પણ ના પાડી શકશે? એના નાયકના ગૃહત્યાગમાં એના કર્તાનો પોતાનો જ એક જીવનપ્રસંગ નથી પ્રતિબિંબિત થયો? એનાં રજવાડી ચિત્રો તેમ ચિંતનોમાં એના કર્તાનો ભાવનગર વગેરે દેશી રાજ્યોનો સ્વાનુભવ જ નથી પ્રકટ થઈ રહ્યો? એના ત્રિવેણી સંગમના નિરૂપણમાં આજના સંક્રાંતિકાળમાં દેશ સમક્ષ ખડા થએલા પ્રશ્નો અધ્યયન મનન દ્વારા પોતાના દેશબાંધવોની યથાશક્તિ સેવા કરવાનું એના કર્તાનું જીવનવ્રત જ નથી મૂર્ત થયું? એની ભાષાશૈલી એક બાજુથી બાણભટ્ટાદિનું સંસ્કૃત સાહિત્ય તેમ બીજી બાજુથી પશ્ચિમનું સર્વોત્તમ સાહિત્ય એ બન્નેનું પરિશીલન કરનાર એના મહારસિક પંડિત કર્તાનું પદે પદે સ્મરણ નથી કરાવતી? અને સરસ્વતીચંદ્ર, કુમુદ, ચંદ્રાવલી આદિ જેવાં ચારિત્ર્ય સૌન્દર્યથી ઝગી રહેલાં એનાં અનેક પાત્રોમાં પણ એના કર્તાની અનુપમ શીલસંપત્તિ, વિરલ સાધુતા, all for others, nothing for myself એવું જીવનસૂત્ર સ્વીકારનાર Practical asceticism-એ બધું જ વ્યક્ત નથી થઈ રહ્યું?
It is a poor centre of man's action, himself એ બેકનના મહાવાક્યને પણ એક ડગલું આગળ વધી It is a poisonous centre of man's action himself એવા રૂપમાં સુધારનાર સાચા નિષ્કામ કર્મયોગી અને ધર્મરાયના ખરેખરા પાર્ષદની જ આ સઘળી સૃષ્ટિ નથી લાગતી? સરસ્વતીચંદ્રમાં જે રસવૈભવ ભર્યો છે, સાહિત્યની દૃષ્ટિએ એમાં જે ચારુતા અને ઉત્કૃષ્ટતા રહેલી છે તે સઘળું એ સર્જકના શીલનો જ સીધે સીધો વારસો નથી લાગતું? ગોવર્ધનરામના મહા ઉદાત્ત શીલ સિવાય બીજું કોઈ જ એ ગ્રંથમણિ સર્જી ન શકે એમ શું એનું અંગેઅંગ અસંદિગ્ધ રીતે પુરવાર નથી કરી રહ્યું?  
It is a poor centre of man's action, himself એ બેકનના મહાવાક્યને પણ એક ડગલું આગળ વધી It is a poisonous centre of man's action himself એવા રૂપમાં સુધારનાર સાચા નિષ્કામ કર્મયોગી અને ધર્મરાયના ખરેખરા પાર્ષદની જ આ સઘળી સૃષ્ટિ નથી લાગતી? સરસ્વતીચંદ્રમાં જે રસવૈભવ ભર્યો છે, સાહિત્યની દૃષ્ટિએ એમાં જે ચારુતા અને ઉત્કૃષ્ટતા રહેલી છે તે સઘળું એ સર્જકના શીલનો જ સીધે સીધો વારસો નથી લાગતું? ગોવર્ધનરામના મહા ઉદાત્ત શીલ સિવાય બીજું કોઈ જ એ ગ્રંથમણિ સર્જી ન શકે એમ શું એનું અંગેઅંગ અસંદિગ્ધ રીતે પુરવાર નથી કરી રહ્યું?  
બીજું ઉદાહરણ કાર્લાઇલ જેને Moral king of English Literature એવું બિરુદ આપે છે એ મિલ્ટનનું લઈએ. ગોવર્ધનરામ અને મિલ્ટન વચ્ચે અનેક રીતે એટલું બધું સામ્ય છે કે એકના નામ પછી બીજાનું યાદ આવ્યા વિના રહે જ નહિ. આ વિષયમાં મિલ્ટનનું નામ લઈએ કે તરત જ એના જીવન સર્જનથી પરિચિત સાહિત્યરસિકો તો પોતાની મેળે જ બોલી ઊઠશે કે શીલ એવું સાહિત્ય એ સત્યનું એના જેવું સચોટ ઉદાહરણ બીજું ભાગ્યે જ મળશે. કેમકે એણે જે કંઈ લખ્યું છે તે ઘણે અંશે આત્મકથાત્મક-પોતાના જીવનપ્રસંગો, અનુભવો, આપવીતિઓ, વિચારો મંતવ્યો આદિથી રંગાએલું છે એટલું જ નહિ, પણ એ રસ, રુચિ, ભાવના આદિરૂપ એના શીલથી અનેકધા અંકિત થએલું છે. સર્જકના શીલની એની રચનાઓ પર ઊંડી અસર થાય છે . સિદ્ધાન્તનું એને પોતાને ભાન પણ થએલું, અને તે બહુ નાની વયે, એટલે એણે પોતાના શીલની રક્ષા પણ બહુ જતનપૂર્વક કરેલી, The life of one aspiring to write great poetry must be a true poem એ એનું ઊગતી અવસ્થાનું વાક્ય બહુ જાણીતું છે. અને એ પોતે તો પહેલેથી જ Great poetry લખવાની મહત્ત્વાકાંક્ષા રાખતો જ હતો, તેથી એણે પોતે તો પોતાનું જીવન સાચા કાવ્યના જેવું સુન્દર બનાવવાનો પહેલેથી જ આદર્શ રાખ્યો હતો અને પોતાનો આખો જીવનક્રમ તદનુસાર જ યોજ્યો હતો. વિદ્યાર્થી દશામાંથી જ, સતી જેટલી ચીવટ પોતાના શિયળ રક્ષાને માટે રાખે એટલી ચીવટ એ પોતાની આચારશુદ્ધિને માટે રાખતો હતો. આથી તેમ એના સુકુમાર સૌન્દર્યને લીધે એ કૉલેજમાં હતો ત્યારે સૌએ એનું નામ Lady પાડયું હતું. કૉલેજ છોડ્યા પછી પણ આપણી ભાષામાં જેને આપણે ગદ્ધાપચીસી કહીએ છીએ એ કપરા કાળમાં પણ એ અત્યંત સંયમપૂર્વક એનું જીવન ગાળતો હતો અને ઉદાત્ત કાવ્યરચનાને અર્થે પોતાના શીલને બને તેટલું ઉદાત્ત કરવાને સતત રીતે મથતો હતો. એના એ દિવસોનું એક અંગ્રેજ વિવેચકે વર્ણન કર્યું છે કે Milton at Horton made up his mind to be a great poet; neither more nor less, and with that end in view he toiled unceasingly. A more solemn dedication of a man by himself to the poetical office cannot be imagined. Everything about him became, as it were, pontificial, almost sacramental, A poet's soul must contain the perfect shape of all things good, wise, and just, His body must be spotless and without blemish, his life pure, his thoughts high, his studies intense. There was no drinking at the 'Mermaid' for John Milton. આવી કઠોર શીલસાધનાનું મહાફળ તે જ Paradise Lost. વર્ષોની સાધનાને પરિણામે જે વિશિષ્ટ ચારિત્ર્યસૌન્દર્ય મિલ્ટને સિદ્ધ કરેલું તેનો જ અક્ષરાવતાર તે  Pardise Lost, Samson Agonistes, Comus આદિ સાહિત્યકૃતિઓ. મિલ્ટનનું શીલ આટલું અભિજાત ન હોત તો આવી ઉચ્ચ સાહિત્યકૃતિઓ એ રચી જ ન શક્યો હોય અને સાહિત્યમાં એનું જે મહાગૌરવવંતુ સ્થાન છે તે એ પ્રાપ્ત પણ કરી ન શક્યો હોત એમાં લેશ માત્ર શંકા નથી.
બીજું ઉદાહરણ કાર્લાઇલ જેને Moral king of English Literature એવું બિરુદ આપે છે એ મિલ્ટનનું લઈએ. ગોવર્ધનરામ અને મિલ્ટન વચ્ચે અનેક રીતે એટલું બધું સામ્ય છે કે એકના નામ પછી બીજાનું યાદ આવ્યા વિના રહે જ નહિ. આ વિષયમાં મિલ્ટનનું નામ લઈએ કે તરત જ એના જીવન સર્જનથી પરિચિત સાહિત્યરસિકો તો પોતાની મેળે જ બોલી ઊઠશે કે શીલ એવું સાહિત્ય એ સત્યનું એના જેવું સચોટ ઉદાહરણ બીજું ભાગ્યે જ મળશે. કેમકે એણે જે કંઈ લખ્યું છે તે ઘણે અંશે આત્મકથાત્મક-પોતાના જીવનપ્રસંગો, અનુભવો, આપવીતિઓ, વિચારો મંતવ્યો આદિથી રંગાએલું છે એટલું જ નહિ, પણ એ રસ, રુચિ, ભાવના આદિરૂપ એના શીલથી અનેકધા અંકિત થએલું છે. સર્જકના શીલની એની રચનાઓ પર ઊંડી અસર થાય છે . સિદ્ધાન્તનું એને પોતાને ભાન પણ થએલું, અને તે બહુ નાની વયે, એટલે એણે પોતાના શીલની રક્ષા પણ બહુ જતનપૂર્વક કરેલી, The life of one aspiring to write great poetry must be a true poem એ એનું ઊગતી અવસ્થાનું વાક્ય બહુ જાણીતું છે. અને એ પોતે તો પહેલેથી જ Great poetry લખવાની મહત્ત્વાકાંક્ષા રાખતો જ હતો, તેથી એણે પોતે તો પોતાનું જીવન સાચા કાવ્યના જેવું સુન્દર બનાવવાનો પહેલેથી જ આદર્શ રાખ્યો હતો અને પોતાનો આખો જીવનક્રમ તદનુસાર જ યોજ્યો હતો. વિદ્યાર્થી દશામાંથી જ, સતી જેટલી ચીવટ પોતાના શિયળ રક્ષાને માટે રાખે એટલી ચીવટ એ પોતાની આચારશુદ્ધિને માટે રાખતો હતો. આથી તેમ એના સુકુમાર સૌન્દર્યને લીધે એ કૉલેજમાં હતો ત્યારે સૌએ એનું નામ Lady પાડયું હતું. કૉલેજ છોડ્યા પછી પણ આપણી ભાષામાં જેને આપણે ગદ્ધાપચીસી કહીએ છીએ એ કપરા કાળમાં પણ એ અત્યંત સંયમપૂર્વક એનું જીવન ગાળતો હતો અને ઉદાત્ત કાવ્યરચનાને અર્થે પોતાના શીલને બને તેટલું ઉદાત્ત કરવાને સતત રીતે મથતો હતો. એના એ દિવસોનું એક અંગ્રેજ વિવેચકે વર્ણન કર્યું છે કે Milton at Horton made up his mind to be a great poet; neither more nor less, and with that end in view he toiled unceasingly. A more solemn dedication of a man by himself to the poetical office cannot be imagined. Everything about him became, as it were, pontificial, almost sacramental, A poet's soul must contain the perfect shape of all things good, wise, and just, His body must be spotless and without blemish, his life pure, his thoughts high, his studies intense. There was no drinking at the ‘Mermaid' for John Milton. આવી કઠોર શીલસાધનાનું મહાફળ તે જ Paradise Lost. વર્ષોની સાધનાને પરિણામે જે વિશિષ્ટ ચારિત્ર્યસૌન્દર્ય મિલ્ટને સિદ્ધ કરેલું તેનો જ અક્ષરાવતાર તે  Pardise Lost, Samson Agonistes, Comus આદિ સાહિત્યકૃતિઓ. મિલ્ટનનું શીલ આટલું અભિજાત ન હોત તો આવી ઉચ્ચ સાહિત્યકૃતિઓ એ રચી જ ન શક્યો હોય અને સાહિત્યમાં એનું જે મહાગૌરવવંતુ સ્થાન છે તે એ પ્રાપ્ત પણ કરી ન શક્યો હોત એમાં લેશ માત્ર શંકા નથી.
ત્રીજું નાનકડું ઉદાહરણ સ્વ. રમણભાઈના 'રાઈનો પર્વત' નું લઈએ. એમાં ગોવર્ધનરામ કે મિલ્ટનની કૃતિઓના જેટલું ગૌરવ તો નથી જ, છતાં શીલ તેવું સાહિત્ય એ સત્યનું એ નાનું છતાં સચોટ દૃષ્ટાંત છે. 'રાઈનો પર્વત' એટલે સ્વ. રમણભાઈના જીવન અને શીલની આબેહૂબ લઘુમૂર્તિ. સ્વ. રમણભાઈના જીવન તેમ પ્રકૃતિનાં સઘળાં મુખ્ય મુખ્ય પાસાં એમાં સુસ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયાં છે. સ્વ. રમણભાઈ એટલે કર્તવ્યપરાયણ, નીતિપ્રેમી, ઈશ્વરનિષ્ઠ, સ્ત્રીદાક્ષિણ્યવાદી, સંસારસુધારક સજ્જન પુરુષ. એમના શીલના આ સઘળા અંશોનું સાહિત્યીકરણ એ જ 'રાઈનો પર્વત' કે બીજું કંઈ?
ત્રીજું નાનકડું ઉદાહરણ સ્વ. રમણભાઈના ‘રાઈનો પર્વત' નું લઈએ. એમાં ગોવર્ધનરામ કે મિલ્ટનની કૃતિઓના જેટલું ગૌરવ તો નથી જ, છતાં શીલ તેવું સાહિત્ય એ સત્યનું એ નાનું છતાં સચોટ દૃષ્ટાંત છે. ‘રાઈનો પર્વત' એટલે સ્વ. રમણભાઈના જીવન અને શીલની આબેહૂબ લઘુમૂર્તિ. સ્વ. રમણભાઈના જીવન તેમ પ્રકૃતિનાં સઘળાં મુખ્ય મુખ્ય પાસાં એમાં સુસ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયાં છે. સ્વ. રમણભાઈ એટલે કર્તવ્યપરાયણ, નીતિપ્રેમી, ઈશ્વરનિષ્ઠ, સ્ત્રીદાક્ષિણ્યવાદી, સંસારસુધારક સજ્જન પુરુષ. એમના શીલના આ સઘળા અંશોનું સાહિત્યીકરણ એ જ ‘રાઈનો પર્વત' કે બીજું કંઈ?
જેવું શીલ તેવું સાહિત્ય, શીલની ઉદાત્તતા હોય તો જ સાહિત્યમાં ઉદાત્તના આવે, જયાં જ્યાં ઉચ્ચ સાહિત્ય રચાયું છે ત્યાં ત્યાં એની પાછળ એના રચનારનું ઉચ્ચ શીલ જ પ્રેરકબળ રૂપે કામ કરી રહ્યું હતું એ સત્યનાં આ ઉપરાંત પણ બીજાં અનેક ઉદાહરણો આપી શકાય એમ છે. પરંતુ આ નાનકડા લેખમાં એ બધાને માટે અવકાશ નથી. પણ આખા જગતનું સાહિત્ય તપાસી વળો, જ્યાં જ્યાં સર્જનની અસંદિગ્ધ સર્વમાન્ય ઉદાત્તતા જોવામાં આવી છે ત્યાં ત્યાં એને અનુરૂપ એવી એના કર્તાના શીલની ઉદાત્તતા પણ એની પાછળ કામ કરી રહેલી સર્વત્ર નહિ તો ઘણે ખરે ઠેકાણે તો અવશ્ય જણાશે. આનો અર્થ એમ નહિ કે કેવળ શીલ કે સાધુતા ઉચ્ચ સર્જનને માટે પર્યાપ્ત છે. અથવા માણસ ચારિત્ર્યશાળી થયો એટલે લાગલો જ ઉચ્ચ કોટિનો સાહિત્યકાર થઈ જવાનો. ના, એમ નહિ જ. સાહિત્યસર્જનની બુદ્ધિ, વિદ્વત્તા, પ્રતિભા આદિ સામાન્ય અનિવાર્ય સાધનસંપત્તિ તો એનામાં પ્રથમ જ જોઈશે. સર્જવું હોય તો મુક પ્રકાર (પરાંત પણ સાવશે એ આંહી કહેવાનું તાત્પર્ય છે. શીલની અમકથા એની સુન્દરતા વગર કે ઉચ્ચતા વગર સાહિત્યમાં સુન્દરતા કે ઉચ્ચતા આવી શકતી જ નથી એમ ગતસાહિત્યના અભ્યાસથી વારણાં ખરાં દૃષ્ટાંતો તો અચૂક બતાવી આપશે. થોડા અપવાદો અવશ્ય નીકળશે, અને પણ અપવાદો વિષે શો ખુલાસો કરવો, એ દૃષ્ટાંતોમાં શીલ અને સાહિત્ય વચ્ચે જે વિસંવાદ દેખાય છે તેને કઈ રીતે ઘટાવવો તેનો વીગતવાર વિચાર આપણે આગળ કરવાના જ છીએ. પણ એ અપવાદો હાલ તરત જરા બાજુ પર રાખીને બોલીએ તો જગતના સઘળા નહિ તો મોટા ભાગના શિષ્ટ સાહિત્યગ્રંથોની મહત્તાનું મૂળ એમના સર્જકના શીલની કોઈ નહિ ને કોઈ પ્રકારની ઉચ્ચતામાં જ રહેલું હતું એમ કહેવામાં વાંધો નથી.  
જેવું શીલ તેવું સાહિત્ય, શીલની ઉદાત્તતા હોય તો જ સાહિત્યમાં ઉદાત્તના આવે, જયાં જ્યાં ઉચ્ચ સાહિત્ય રચાયું છે ત્યાં ત્યાં એની પાછળ એના રચનારનું ઉચ્ચ શીલ જ પ્રેરકબળ રૂપે કામ કરી રહ્યું હતું એ સત્યનાં આ ઉપરાંત પણ બીજાં અનેક ઉદાહરણો આપી શકાય એમ છે. પરંતુ આ નાનકડા લેખમાં એ બધાને માટે અવકાશ નથી. પણ આખા જગતનું સાહિત્ય તપાસી વળો, જ્યાં જ્યાં સર્જનની અસંદિગ્ધ સર્વમાન્ય ઉદાત્તતા જોવામાં આવી છે ત્યાં ત્યાં એને અનુરૂપ એવી એના કર્તાના શીલની ઉદાત્તતા પણ એની પાછળ કામ કરી રહેલી સર્વત્ર નહિ તો ઘણે ખરે ઠેકાણે તો અવશ્ય જણાશે. આનો અર્થ એમ નહિ કે કેવળ શીલ કે સાધુતા ઉચ્ચ સર્જનને માટે પર્યાપ્ત છે. અથવા માણસ ચારિત્ર્યશાળી થયો એટલે લાગલો જ ઉચ્ચ કોટિનો સાહિત્યકાર થઈ જવાનો. ના, એમ નહિ જ. સાહિત્યસર્જનની બુદ્ધિ, વિદ્વત્તા, પ્રતિભા આદિ સામાન્ય અનિવાર્ય સાધનસંપત્તિ તો એનામાં પ્રથમ જ જોઈશે. સર્જવું હોય તો મુક પ્રકાર (પરાંત પણ સાવશે એ આંહી કહેવાનું તાત્પર્ય છે. શીલની અમકથા એની સુન્દરતા વગર કે ઉચ્ચતા વગર સાહિત્યમાં સુન્દરતા કે ઉચ્ચતા આવી શકતી જ નથી એમ ગતસાહિત્યના અભ્યાસથી વારણાં ખરાં દૃષ્ટાંતો તો અચૂક બતાવી આપશે. થોડા અપવાદો અવશ્ય નીકળશે, અને પણ અપવાદો વિષે શો ખુલાસો કરવો, એ દૃષ્ટાંતોમાં શીલ અને સાહિત્ય વચ્ચે જે વિસંવાદ દેખાય છે તેને કઈ રીતે ઘટાવવો તેનો વીગતવાર વિચાર આપણે આગળ કરવાના જ છીએ. પણ એ અપવાદો હાલ તરત જરા બાજુ પર રાખીને બોલીએ તો જગતના સઘળા નહિ તો મોટા ભાગના શિષ્ટ સાહિત્યગ્રંથોની મહત્તાનું મૂળ એમના સર્જકના શીલની કોઈ નહિ ને કોઈ પ્રકારની ઉચ્ચતામાં જ રહેલું હતું એમ કહેવામાં વાંધો નથી.  
જ્યાં જ્યાં ઉદાત્ત સાહિત્ય હોય છે ત્યાં ત્યાં તેની પાછળ ઉદાત્ત શીલ હોય છે એ અન્વયવ્યાપ્તિના થોડાં ઉદાહરણો આપણે જોઈ ગયા. હવે જ્યાં જ્યાં શીલની ઉદાત્તતા નથી હોતી, ત્યાં ત્યાં સાહિત્ય પણ ઉદાત્ત નથી હોતું, અથવા શીલની જેટલી અનુદાત્તતા તેટલી સાહિત્યની પણ અનુદાત્તતા, એ વ્યતિરેકવ્યાપ્તિનાં થોડાં ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ આપણા નર્મદનું લઇએ. શીલની ઉદાત્તતા સર્જકની પ્રતિભાના
જ્યાં જ્યાં ઉદાત્ત સાહિત્ય હોય છે ત્યાં ત્યાં તેની પાછળ ઉદાત્ત શીલ હોય છે એ અન્વયવ્યાપ્તિના થોડાં ઉદાહરણો આપણે જોઈ ગયા. હવે જ્યાં જ્યાં શીલની ઉદાત્તતા નથી હોતી, ત્યાં ત્યાં સાહિત્ય પણ ઉદાત્ત નથી હોતું, અથવા શીલની જેટલી અનુદાત્તતા તેટલી સાહિત્યની પણ અનુદાત્તતા, એ વ્યતિરેકવ્યાપ્તિનાં થોડાં ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ આપણા નર્મદનું લઇએ. શીલની ઉદાત્તતા સર્જકની પ્રતિભાના
પ્રમાણમાં એના સાહિત્યને કેવું ઉદાત્ત બનાવી શકે તેમ એની અનુદાત્તતા એને કેવું વણસાડે એ બન્નેનું નર્મદના જેવું સ્પષ્ટ પારદર્શક દૃષ્ટાંત ગુજરાતી સાહિત્યમાં બીજું જવલ્લે જ જડશે. એની ‘હિંદુઓની પડતી', 'વીરસિંહ’ શૌર્યોદ્બોધનનાં કાવ્યો, રાષ્ટ્રભક્તિનાં કાવ્યો આદિ સઘળી કૃતિઓને એની પ્રકૃતિની અંદરની સ્વદેશપ્રેમ, સ્વાતંત્ર્યપ્રેમ, શૌર્ય, ટેક, સ્વમાન, લડાયક જુસ્સો એ બધા એના ઉદાત્ત અંશોએ જ ઉચ્ચ બનાવેલ છે. પણ બીજી બાજુથી એના શીલમાં અનુદાત્ત પણ કેટલુંક હતું, અને તે એના સાહિત્યમાં આવ્યા વગર રહ્યું નથી. 'રુદનરસિક' 'ધમધમ લોહી વહે ને ઇશકડો મહાલે.' 'આહા શી તગતગતી તસવીર તાકતા તીર,' વગેરે અશ્લીલ શૃંગાર કાવ્યો, 'ઋતુવર્ણન,’ ‘વૈધવ્યચિત્ર' વગેરેમાં એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એની કવિતાને કેવળ નીતિની જ નહિ પણ શુદ્ધ રસ અને કલાની દૃષ્ટિએ દૂષિત કરી તે એની આ અનુદાત્ત કામુકતાએ જ. એના શીલમાં જો લાંપટ્ય ન હોત અથવા ઉદામ કામવૃત્તિ ન હોત તો એની કવિતા અત્યારે છે એ કરતાં અનેકગણી ઉચ્ચ કોટિની બની શકી હોત એ ચોક્કસ છે. લેખકના શીલની ક્ષતિ એને સાહિત્યના ક્ષેત્રમાં પણ સદાને માટે કેવો ભયંકર ફટકો લગાવે છે એનું આ ભારે મનનીય ઉદાહરણ છે. કેવળ સાહિત્ય કીર્તિને ખાતર પણ શીલરક્ષા કેટલી આવશ્યક છે તે નર્મદ જેટલું કદાચ બીજું કોઈ જ નહિ શીખવે.  
પ્રમાણમાં એના સાહિત્યને કેવું ઉદાત્ત બનાવી શકે તેમ એની અનુદાત્તતા એને કેવું વણસાડે એ બન્નેનું નર્મદના જેવું સ્પષ્ટ પારદર્શક દૃષ્ટાંત ગુજરાતી સાહિત્યમાં બીજું જવલ્લે જ જડશે. એની ‘હિંદુઓની પડતી', ‘વીરસિંહ’ શૌર્યોદ્બોધનનાં કાવ્યો, રાષ્ટ્રભક્તિનાં કાવ્યો આદિ સઘળી કૃતિઓને એની પ્રકૃતિની અંદરની સ્વદેશપ્રેમ, સ્વાતંત્ર્યપ્રેમ, શૌર્ય, ટેક, સ્વમાન, લડાયક જુસ્સો એ બધા એના ઉદાત્ત અંશોએ જ ઉચ્ચ બનાવેલ છે. પણ બીજી બાજુથી એના શીલમાં અનુદાત્ત પણ કેટલુંક હતું, અને તે એના સાહિત્યમાં આવ્યા વગર રહ્યું નથી. ‘રુદનરસિક' ‘ધમધમ લોહી વહે ને ઇશકડો મહાલે.' ‘આહા શી તગતગતી તસવીર તાકતા તીર,' વગેરે અશ્લીલ શૃંગાર કાવ્યો, ‘ઋતુવર્ણન,’ ‘વૈધવ્યચિત્ર' વગેરેમાં એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એની કવિતાને કેવળ નીતિની જ નહિ પણ શુદ્ધ રસ અને કલાની દૃષ્ટિએ દૂષિત કરી તે એની આ અનુદાત્ત કામુકતાએ જ. એના શીલમાં જો લાંપટ્ય ન હોત અથવા ઉદામ કામવૃત્તિ ન હોત તો એની કવિતા અત્યારે છે એ કરતાં અનેકગણી ઉચ્ચ કોટિની બની શકી હોત એ ચોક્કસ છે. લેખકના શીલની ક્ષતિ એને સાહિત્યના ક્ષેત્રમાં પણ સદાને માટે કેવો ભયંકર ફટકો લગાવે છે એનું આ ભારે મનનીય ઉદાહરણ છે. કેવળ સાહિત્ય કીર્તિને ખાતર પણ શીલરક્ષા કેટલી આવશ્યક છે તે નર્મદ જેટલું કદાચ બીજું કોઈ જ નહિ શીખવે.  
બીજું ઉદાહરણ ઝોલાનું લઈએ. જીવનની, જીવનનાં અમુક ગણતર વરસોની પણ, સર્જકની સમસ્ત સાહિત્ય પ્રવૃત્તિ પર કેવી વજ્રલેપ જેવી છાપ પડે છે. અને એ વરસોમાં ઘડાઈ ગએલું એનું શીલ એના જીવનભરના સર્જનને પોતાના રંગથી કવું આબાદ રંગી દે છે એવું એમિલ ઝોલા જેવું બીજું દૃષ્ટાંત ભાગ્યે જ મળશે. એમિલ ઝોલા એટલે આપણા સાહિત્યનાં પાત્રનામો આપીને પરિચય કરાવીએ તો 'દિવ્યચક્ષુ'માંના ધના ભગતનો કિસન જુવાની સુધીની ઉંમર ઢેઢવાડે પસાર કર્યા પછી મોટી ઉંમરે મહાસર્જક બન્યો હોય એવો સાહિત્યકાર. ધનાભગતના ઢેઢવાડાનું વાતાવરણ તો આપણા હિંદુ હરિજનોનું હોય છે એવું શુદ્ધ, પવિત્ર, ધર્મપરાયણ હતું, પણ ઝોલાને જે ઢેઢવાડામાં જુવાનીનાં વરસો ગાળવાં પડેલાં તે તો ખરેખરો ગંધાતો ચીતરી ચડે એવો ઢેઢવાડો હતો. એવા બીભત્સ ઢેઢવાડાની બીભત્સતા યુવાનીના દિવસોમાં એના અંતરમાં અંકાઈ ગઈ, એનું શીલ ત્યારથી એ બીજા બીભત્સતામય બની ગયું. એટલે પછી પોતાનું આખું જીવન એણે એ બીભત્સતા ચીતરવામાં જ ગાળ્યું. ભ્રષ્ટતા, નગ્નતા, વાસ્તવવાદનો આ મહાન આચાર્ય કંઈ પહેલેથી એવો નહોતો. યુવાવસ્થામાં તો એ પણ સઘળા યુવકો હોય છે એવો આદર્શવાદી, ભાવનાવિહારી, સ્વપ્નદૃષ્ટા હતો. આમાંથી એનું જે પરિવર્તન થયું તે ઊગતી જુવાનીનાં જે બે વરસ એને Latin Qucartrsમાં ભારે કંગાલિયતમાં ગાળવા પડ્યાં તેને લીધે આંહીં એને ખાવાનાં સાંસાં પડતાં, શિયાળાની કડકડતી ઠંડીમાં કાવ્ય લખવાનો વિચાર આવ્યો હોય તો પોતાની ખોલીમાં ગરમી રાખવાનું સાઘન ન હોવાને લીધે, પથારીમાં ધાબળા ઓઢી, એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં કલમ રાખી, પથારીમાં પડ્યા પડ્યા જ તેને લખવું પડતું. આંહી એને વેશ્યાઓની બાજુમાં જ રહવું પડતું. પોતે રહેતો હતો એની આજુબાજુની સઘળી ખોલીઓમાં વેશ્યાઓનો દુરાચાર ચાલી રહ્યો હોય, અને વચ્ચેનાં પાતળાં પાર્ટિશનોમાંથી એમના દુરાચાર સમયના સિત્કાર શબ્દો આખી રાત એને સંભળાયા કરતા હોય, એવી રીતે એને જીવન ગાળવું પડેલું. આવી સ્થિતિમાં એનો આદર્શવાદ ક્યાં સુધી ટકે? એનો ચરિત્રકાર કહે છે તેમ Poverty, Hunger, Squalor. Under the deadly scourge of these things, the flood of romanticism was waning. આ દિવસોમાં એને એવાં ગંદા ફાટલાં તૂટલાં કપડાં પહેરવા પડતાં કે રસ્તા પર થઈને નીકળે તો પણ સૌ કોઈ એનો તિરસ્કાર કરતું. અને મૂળે એનું અંતર આળું, એટલે એવે પ્રસંગે એને ખૂબ વસમું લાગતું. અને એનું અભિમાન ઊછળી. આવતું. એ પોતે કહે છે : I felt the crowd moved apart from me, and point its finger at me. Derision! Sarcasms were hurled at me. I bowed my head for a time and wondered what crime I could have committed, I so young, and my soul so affectionate.... Then I lifted my brow and a great pride came to my heart. I felt myself great beside these dwarfs, I addressed my self to the Muse, and thought that if Heaven should preserve a name for me, I would fell delight in hurling this name back at their faces, like a supreme retort to their stupid scorn. ઝોલાની સમસ્ત સાહિત્યપ્રવૃત્તિનાં બીજ આ મનોદશામાં રહેલાં છે. આવો માણસ જયારે સાહિત્યકાર બને ત્યારે પોતાને જ્યાં આટલું આટલું સહન કરવું પડેલું એ ઢેઢવાડાની બીભત્સતાનાં જ ચિત્રો દોરે ને? પોતાને જે કંગાલિયતે રિબાવેલો તે કંગાલિયતને જ એ નવલકથાઓની પરંપરા દ્વારા અમર કરે ને?  જે વૈશ્યાઓના સિત્કાર શબ્દો વચ્ચે એને કડકડતી ઠંડીમાં રાત્રિઓ ગાળવી પડેલી તે વેશ્યાઓની જ વાર્તાઓ એ પછી લખેને? એમિલ ઝોલાનું જીવન સાહિત્યકારના શીલમાં જે અનુદાત્ત અંશો આવી ગયા હોય તે એના સર્જનમાં કેવા અમર થઈ જાય છે એનું જ નહિ, પણ સાહિત્યકારની સમાજ પૂરતી સંભાળ ન રાખે અને
બીજું ઉદાહરણ ઝોલાનું લઈએ. જીવનની, જીવનનાં અમુક ગણતર વરસોની પણ, સર્જકની સમસ્ત સાહિત્ય પ્રવૃત્તિ પર કેવી વજ્રલેપ જેવી છાપ પડે છે. અને એ વરસોમાં ઘડાઈ ગએલું એનું શીલ એના જીવનભરના સર્જનને પોતાના રંગથી કવું આબાદ રંગી દે છે એવું એમિલ ઝોલા જેવું બીજું દૃષ્ટાંત ભાગ્યે જ મળશે. એમિલ ઝોલા એટલે આપણા સાહિત્યનાં પાત્રનામો આપીને પરિચય કરાવીએ તો ‘દિવ્યચક્ષુ'માંના ધના ભગતનો કિસન જુવાની સુધીની ઉંમર ઢેઢવાડે પસાર કર્યા પછી મોટી ઉંમરે મહાસર્જક બન્યો હોય એવો સાહિત્યકાર. ધનાભગતના ઢેઢવાડાનું વાતાવરણ તો આપણા હિંદુ હરિજનોનું હોય છે એવું શુદ્ધ, પવિત્ર, ધર્મપરાયણ હતું, પણ ઝોલાને જે ઢેઢવાડામાં જુવાનીનાં વરસો ગાળવાં પડેલાં તે તો ખરેખરો ગંધાતો ચીતરી ચડે એવો ઢેઢવાડો હતો. એવા બીભત્સ ઢેઢવાડાની બીભત્સતા યુવાનીના દિવસોમાં એના અંતરમાં અંકાઈ ગઈ, એનું શીલ ત્યારથી એ બીજા બીભત્સતામય બની ગયું. એટલે પછી પોતાનું આખું જીવન એણે એ બીભત્સતા ચીતરવામાં જ ગાળ્યું. ભ્રષ્ટતા, નગ્નતા, વાસ્તવવાદનો આ મહાન આચાર્ય કંઈ પહેલેથી એવો નહોતો. યુવાવસ્થામાં તો એ પણ સઘળા યુવકો હોય છે એવો આદર્શવાદી, ભાવનાવિહારી, સ્વપ્નદૃષ્ટા હતો. આમાંથી એનું જે પરિવર્તન થયું તે ઊગતી જુવાનીનાં જે બે વરસ એને Latin Qucartrsમાં ભારે કંગાલિયતમાં ગાળવા પડ્યાં તેને લીધે આંહીં એને ખાવાનાં સાંસાં પડતાં, શિયાળાની કડકડતી ઠંડીમાં કાવ્ય લખવાનો વિચાર આવ્યો હોય તો પોતાની ખોલીમાં ગરમી રાખવાનું સાઘન ન હોવાને લીધે, પથારીમાં ધાબળા ઓઢી, એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં કલમ રાખી, પથારીમાં પડ્યા પડ્યા જ તેને લખવું પડતું. આંહી એને વેશ્યાઓની બાજુમાં જ રહવું પડતું. પોતે રહેતો હતો એની આજુબાજુની સઘળી ખોલીઓમાં વેશ્યાઓનો દુરાચાર ચાલી રહ્યો હોય, અને વચ્ચેનાં પાતળાં પાર્ટિશનોમાંથી એમના દુરાચાર સમયના સિત્કાર શબ્દો આખી રાત એને સંભળાયા કરતા હોય, એવી રીતે એને જીવન ગાળવું પડેલું. આવી સ્થિતિમાં એનો આદર્શવાદ ક્યાં સુધી ટકે? એનો ચરિત્રકાર કહે છે તેમ Poverty, Hunger, Squalor. Under the deadly scourge of these things, the flood of romanticism was waning. આ દિવસોમાં એને એવાં ગંદા ફાટલાં તૂટલાં કપડાં પહેરવા પડતાં કે રસ્તા પર થઈને નીકળે તો પણ સૌ કોઈ એનો તિરસ્કાર કરતું. અને મૂળે એનું અંતર આળું, એટલે એવે પ્રસંગે એને ખૂબ વસમું લાગતું. અને એનું અભિમાન ઊછળી. આવતું. એ પોતે કહે છે : I felt the crowd moved apart from me, and point its finger at me. Derision! Sarcasms were hurled at me. I bowed my head for a time and wondered what crime I could have committed, I so young, and my soul so affectionate.... Then I lifted my brow and a great pride came to my heart. I felt myself great beside these dwarfs, I addressed my self to the Muse, and thought that if Heaven should preserve a name for me, I would fell delight in hurling this name back at their faces, like a supreme retort to their stupid scorn. ઝોલાની સમસ્ત સાહિત્યપ્રવૃત્તિનાં બીજ આ મનોદશામાં રહેલાં છે. આવો માણસ જયારે સાહિત્યકાર બને ત્યારે પોતાને જ્યાં આટલું આટલું સહન કરવું પડેલું એ ઢેઢવાડાની બીભત્સતાનાં જ ચિત્રો દોરે ને? પોતાને જે કંગાલિયતે રિબાવેલો તે કંગાલિયતને જ એ નવલકથાઓની પરંપરા દ્વારા અમર કરે ને?  જે વૈશ્યાઓના સિત્કાર શબ્દો વચ્ચે એને કડકડતી ઠંડીમાં રાત્રિઓ ગાળવી પડેલી તે વેશ્યાઓની જ વાર્તાઓ એ પછી લખેને? એમિલ ઝોલાનું જીવન સાહિત્યકારના શીલમાં જે અનુદાત્ત અંશો આવી ગયા હોય તે એના સર્જનમાં કેવા અમર થઈ જાય છે એનું જ નહિ, પણ સાહિત્યકારની સમાજ પૂરતી સંભાળ ન રાખે અને
એને કંગાલિયતમાં સડવા દે તો કેવું પરિણામ આવે એનું પણ આપણને સૌને વિચારમાં નાખી દે એવું પ્રબળ દૃષ્ટાંત છે.
એને કંગાલિયતમાં સડવા દે તો કેવું પરિણામ આવે એનું પણ આપણને સૌને વિચારમાં નાખી દે એવું પ્રબળ દૃષ્ટાંત છે.
ત્રીજું ઉદાહરણ ટોલ્સ્ટોયનું લઈએ. અનુદાત્તશીલના ઉદાહરણમાં આ મહાત્માનું નામ અપાતું જોઈને કેટલાક વાચકો કદાચ ચમકશે, પણ આ મહાત્માના શીલમાં પણ અનુદાત્તતા કંઈ ઓછી નહોતી અને એટલી અનલ્પ અનુદાત્તતા છતાં એણે અંત સુધી ઉદાત્તતાને માટે મથ્યા કર્યું અને શુદ્ધિ અને ઉન્નત જીવનનો જ આગ્રહ રાખ્યા કર્યો એમાં જ એની મહાત્મતા રહેલી છે. ટૉલ્સ્ટોય એટલે એક રીતે કહીએ તો કાદવમાંથી ઊગી નીકળેલું કમળ, એના જન્મ સમયનું રશિયાનું અને યૂરોપનું વાતાવરણ નીતિદૃષ્ટિએ કાદવ જેવું જ. આજૂબાજૂ સર્વત્ર ભ્રષ્ટાચાર વ્યાપી ગએલો, જીવનની નિત્ય વસ્તુ રૂપ બની ગએલો. આવી પરિસ્થિતિ વચ્ચે એ ઊછરેલો, એટલે એના જીવન અને ચારિત્ર્ય પર પણ એની ભારે અસર થએલી, એના જીવનમાં અધઃપતનના પ્રસંગો ઘણા આવે છે પણ એનો આત્મા મૂળે ઉચ્ચલક્ષી એટલે પ્રબળ આસુરી સંપત્તિનાં આક્રમણો સામે પણ અંતે એની દૈવીસંપત્તિનો જ વિજય થએલો. એના સર્જનમાં આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એની સાહિત્યકૃતિઓમાં પાપ, ગુના, દુરાચાર, ભ્રષ્ટતા એ બધું એટલી બધી વાર આવે છે અને એવા ભયંકર સ્વરૂપમાં આવે છે કે મહાત્મા ગણાતા આ સાહિત્યકારમાં આ બધું ક્યાંથી આવ્યું એમ જ વાંચનારને પ્રથમ દૃષ્ટિએ તો થાય છે. ઘણીવાર તો એમ જ લાગે છે કે જાણે આખું નરક જ વિકરાળ રૂપમાં એની કૃતિઓમાં ખડું થએલું છે. આવા સાધુ પુરુષના સર્જનમાં આવું ભયંકર નરક દેખીને એનો ભક્ત પહેલાં તો મૂંઝાઈ જ જાય છે. પણ પછી જયારે એના જીવનની વિગતો જાણે છે, એના પોતાના શીલનાં શુભાશુભ બન્ને તત્ત્વોનો પરિચય પામે છે, અને એ બન્ને તત્ત્વો અંત સુધી એના અંતરમાં સામસામે કેવાં ઝઘડ્યાં કરતાં હતાં એ જયારે એ જાણે છે, ત્યારે એને બધી વાતનો ખુલાસો થઈ જાય છે. ત્યારે એને સમજાય છે કે એની સાહિત્યકૃતિઓની અંદરનું આ બધું નરક એ તો ખુદ ટોલ્સ્ટોયના પોતાના જ શીલની અંદર જે કેટલાક આસુરી અંશો હતા તેનું જ આવિષ્કરણ છે. ખરું છે કે આ બધાં આસુરી તત્ત્વો એના સર્જનમાં સિદ્ધાન્તપક્ષમાં નહિ પણ પૂર્વપક્ષમાં જ રહે છે. એ તત્ત્વોનો પોતાની સાહિત્યકૃતિઓમાં એ કદી યે વિજય થએલો બતાવતો નહિ, પણ આખરે એનો વિનાશ થએલો એ ચીતરે છે છતાં એના જેવા ભાવનાથી ભરપૂર અને ધર્મપરાયણ આધ્યાત્મિક સાહિત્યકારની કૃતિઓમાં પૂર્વપક્ષરૂપે પણ આટલી બધી ભ્રષ્ટતા આવી એ એના શીલની અંદરની અનુદાત્તતાનું પરિણામ, સર્જક પાછળથી સાધુ પુરૂષ થાય છતાં જીવનના પૂર્વભાગમાં પણ જો એના શીલમાં કંઈ સડો પેસી ગયો હોય, કંઈ વિકૃતિ દાખલ થઈ ગઈ હોય, તો એની ઉત્તરાવસ્થાની સાચી સાધુતા છતાં અને એકંદરે તો એના જીવનમાં દૈવીપ્રકૃતિનું પ્રાધાન્ય હોવા છતાં પેલું એક વાર દાખલ થઈ ગએલું અનુદાત્ત તત્ત્વ એના સર્જનમાં ક્યાંક ક્યાંક તો ફૂટી નીકળ્યા વગરે રહેતું જ નથી એ ટોલ્સ્ટોયની કૃતિઓ પગલે પગલે પુરવાર કરે છે, સર્જકના જીવન અને સ્વભાવની અશુદ્ધિ એના સર્જનને અમુક રૂપમાં તો રંગ્યા વિના રહેતી જ નથી. એનું એનો કૃતિસમૂહ આ રીતે સુંદર ઉદાહરણ છે.  
ત્રીજું ઉદાહરણ ટોલ્સ્ટોયનું લઈએ. અનુદાત્તશીલના ઉદાહરણમાં આ મહાત્માનું નામ અપાતું જોઈને કેટલાક વાચકો કદાચ ચમકશે, પણ આ મહાત્માના શીલમાં પણ અનુદાત્તતા કંઈ ઓછી નહોતી અને એટલી અનલ્પ અનુદાત્તતા છતાં એણે અંત સુધી ઉદાત્તતાને માટે મથ્યા કર્યું અને શુદ્ધિ અને ઉન્નત જીવનનો જ આગ્રહ રાખ્યા કર્યો એમાં જ એની મહાત્મતા રહેલી છે. ટૉલ્સ્ટોય એટલે એક રીતે કહીએ તો કાદવમાંથી ઊગી નીકળેલું કમળ, એના જન્મ સમયનું રશિયાનું અને યૂરોપનું વાતાવરણ નીતિદૃષ્ટિએ કાદવ જેવું જ. આજૂબાજૂ સર્વત્ર ભ્રષ્ટાચાર વ્યાપી ગએલો, જીવનની નિત્ય વસ્તુ રૂપ બની ગએલો. આવી પરિસ્થિતિ વચ્ચે એ ઊછરેલો, એટલે એના જીવન અને ચારિત્ર્ય પર પણ એની ભારે અસર થએલી, એના જીવનમાં અધઃપતનના પ્રસંગો ઘણા આવે છે પણ એનો આત્મા મૂળે ઉચ્ચલક્ષી એટલે પ્રબળ આસુરી સંપત્તિનાં આક્રમણો સામે પણ અંતે એની દૈવીસંપત્તિનો જ વિજય થએલો. એના સર્જનમાં આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એની સાહિત્યકૃતિઓમાં પાપ, ગુના, દુરાચાર, ભ્રષ્ટતા એ બધું એટલી બધી વાર આવે છે અને એવા ભયંકર સ્વરૂપમાં આવે છે કે મહાત્મા ગણાતા આ સાહિત્યકારમાં આ બધું ક્યાંથી આવ્યું એમ જ વાંચનારને પ્રથમ દૃષ્ટિએ તો થાય છે. ઘણીવાર તો એમ જ લાગે છે કે જાણે આખું નરક જ વિકરાળ રૂપમાં એની કૃતિઓમાં ખડું થએલું છે. આવા સાધુ પુરુષના સર્જનમાં આવું ભયંકર નરક દેખીને એનો ભક્ત પહેલાં તો મૂંઝાઈ જ જાય છે. પણ પછી જયારે એના જીવનની વિગતો જાણે છે, એના પોતાના શીલનાં શુભાશુભ બન્ને તત્ત્વોનો પરિચય પામે છે, અને એ બન્ને તત્ત્વો અંત સુધી એના અંતરમાં સામસામે કેવાં ઝઘડ્યાં કરતાં હતાં એ જયારે એ જાણે છે, ત્યારે એને બધી વાતનો ખુલાસો થઈ જાય છે. ત્યારે એને સમજાય છે કે એની સાહિત્યકૃતિઓની અંદરનું આ બધું નરક એ તો ખુદ ટોલ્સ્ટોયના પોતાના જ શીલની અંદર જે કેટલાક આસુરી અંશો હતા તેનું જ આવિષ્કરણ છે. ખરું છે કે આ બધાં આસુરી તત્ત્વો એના સર્જનમાં સિદ્ધાન્તપક્ષમાં નહિ પણ પૂર્વપક્ષમાં જ રહે છે. એ તત્ત્વોનો પોતાની સાહિત્યકૃતિઓમાં એ કદી યે વિજય થએલો બતાવતો નહિ, પણ આખરે એનો વિનાશ થએલો એ ચીતરે છે છતાં એના જેવા ભાવનાથી ભરપૂર અને ધર્મપરાયણ આધ્યાત્મિક સાહિત્યકારની કૃતિઓમાં પૂર્વપક્ષરૂપે પણ આટલી બધી ભ્રષ્ટતા આવી એ એના શીલની અંદરની અનુદાત્તતાનું પરિણામ, સર્જક પાછળથી સાધુ પુરૂષ થાય છતાં જીવનના પૂર્વભાગમાં પણ જો એના શીલમાં કંઈ સડો પેસી ગયો હોય, કંઈ વિકૃતિ દાખલ થઈ ગઈ હોય, તો એની ઉત્તરાવસ્થાની સાચી સાધુતા છતાં અને એકંદરે તો એના જીવનમાં દૈવીપ્રકૃતિનું પ્રાધાન્ય હોવા છતાં પેલું એક વાર દાખલ થઈ ગએલું અનુદાત્ત તત્ત્વ એના સર્જનમાં ક્યાંક ક્યાંક તો ફૂટી નીકળ્યા વગરે રહેતું જ નથી એ ટોલ્સ્ટોયની કૃતિઓ પગલે પગલે પુરવાર કરે છે, સર્જકના જીવન અને સ્વભાવની અશુદ્ધિ એના સર્જનને અમુક રૂપમાં તો રંગ્યા વિના રહેતી જ નથી. એનું એનો કૃતિસમૂહ આ રીતે સુંદર ઉદાહરણ છે.  

Navigation menu