કવિલોકમાં/કૃષ્ણભક્તિની કવિતાની એક મહત્ત્વની કડી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| કૃષ્ણભક્તિની કવિતાની એક મહત્ત્વની કડી | }} {{Poem2Open}} {{Block center|'''<poem> '''મધ્યકાલીન ભક્તકવિ રાજેકૃત કાવ્યસંગ્રહ, સંપા.ડૉ. રમેશ'''   '''જાની, પ્રકા. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૯૧''' </poem>'''}} ભક...")
 
No edit summary
Line 19: Line 19:
સંપાદનની આ પદ્ધતિ યોગ્ય હતી કે કેમ એ પ્રશ્ન જરૂર થાય. પણ લહિયાના ઉચ્ચારો-જોડણીઓમાં ફેરફાર કરવાનું કામ પણ ઘણી સૂઝ ને ઘણો વિવેક માગે. ડૉ. જાનીના અવસાન પછી એ કોણ કરે? એવી સજ્જતાવાળા મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીઓ દીવો લઈને શોધવા જવા પડે એવી આપણી સ્થિતિ છે. એવો લોભ રાખવા જઈએ તો રાજેની આ કાવ્યસમૃદ્ધિથી વંચિત રહેવાની જ સ્થિતિ આવે. માટે જે થયું તે જ ગનીમત. પણ રાજેનો નાનકડો લોકભોગ્ય કાવ્યસંચય થાય ત્યારે આ ઉચ્ચાર-જોડણીવ્યવસ્થા સુધારી લેવાની રહે. (અહીં હવે પછી ઉદ્ધૃત કરેલી કાવ્યપંક્તિઓમાં થોડુંક એવું કર્યું છે.)
સંપાદનની આ પદ્ધતિ યોગ્ય હતી કે કેમ એ પ્રશ્ન જરૂર થાય. પણ લહિયાના ઉચ્ચારો-જોડણીઓમાં ફેરફાર કરવાનું કામ પણ ઘણી સૂઝ ને ઘણો વિવેક માગે. ડૉ. જાનીના અવસાન પછી એ કોણ કરે? એવી સજ્જતાવાળા મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીઓ દીવો લઈને શોધવા જવા પડે એવી આપણી સ્થિતિ છે. એવો લોભ રાખવા જઈએ તો રાજેની આ કાવ્યસમૃદ્ધિથી વંચિત રહેવાની જ સ્થિતિ આવે. માટે જે થયું તે જ ગનીમત. પણ રાજેનો નાનકડો લોકભોગ્ય કાવ્યસંચય થાય ત્યારે આ ઉચ્ચાર-જોડણીવ્યવસ્થા સુધારી લેવાની રહે. (અહીં હવે પછી ઉદ્ધૃત કરેલી કાવ્યપંક્તિઓમાં થોડુંક એવું કર્યું છે.)
પુસ્તકમાં રજૂ થયેલી કાવ્યસામગ્રીનો સૌથી મોટો અને મહત્ત્વનો અંશ તે ૩૭૩ પદો છે. એ બધાં પદો કૃષ્ણભક્તિનાં છે. આઠદશ પદો કૃષ્ણના ઉદ્ગાર રૂપે મળે છે, કોઈક પદ દાણલીલા જેવા પ્રસંગવર્ણનનું છે, કોઈક પદ ભક્તિબોધનું છે, બાકીનાં સર્વ પદો ગોપીમુખે મુકાયેલાં છે અને એની કૃષ્ણ પ્રત્યેની પ્રેમભક્તિ વ્યક્ત કરે છે. આ પદોની ઊડીને આંખે વળગે એવી એક લાક્ષણિકતા એ છે કે એમાં નરસિંહ જેવામાં પ્રચુરપણે જોવા મળતું સ્થૂળ શૃંગારચેષ્ટાવર્ણન ક્યાંય નથી. એમાં હરિના આગમને થયેલા ઉમળકા અને આનંદની અભિવ્યક્તિ છે, પણ 'તનનાં તાપ સમા સરવે'થી વાત આગળ વધતી નથી. 'સૂશું આપણ એકાંતે, રંગ રમશું રળિયાત' એવી અભિલાષા છે, ને ‘ગોવિંદજી સાથે ગેલ' 'ભૂદર શું ભેલાભેલ' ને 'રંગની રેલ'ની વાત છે તથા 'મોહન-મધુકર તેમ માણે, જેમ કામની કંચન-વેલ' એવું સંયોગશૃંગારનું સૂચક આલંકારિક ચિત્ર છે, પણ રતિસુખનું ઉઘાડું વર્ણન - કામચેષ્ટાઓનું ચિત્રણ તો લગભગ નથી. રાજેનો ભક્તિશૃંગાર મધુર મર્યાદારસે ઓપતો ભક્તિશૃંગાર છે. ઝાઝેરાં પદો તો કૃષ્ણવિરહના વિવિધ મનોભાવોનાં છે તેને લઈને પણ ભક્તિશૃંગારના આ સ્વરૂપને ઉઠાવ મળ્યો છે. કોઈ પદો દાણપ્રસંગની વડછડનાં છે, કોઈ કુબ્જાપ્રસંગને અનુલક્ષી કરેલા કટાક્ષનાં છે, કોઈ અન્યત્ર રમી આવેલા કૃષ્ણ પ્રત્યેના ઉપાલંભનાં છે. – પણ કોઈક પદો જ. સર્વવ્યાપ્ત ભાવ તો નિર્મળ, નરવી પ્રેમભક્તિનો જ છે. વિરહદુઃખ અને સ્મરણસુખ, આસક્તિ અને અપરાધભાવ વગેરેના માર્મિક સંદર્ભોથી એ પુષ્ટ થયો છે. આ ભાવસૃષ્ટિ કંઈ કવિની મૌલિક નથી. પરંપરાપ્રાપ્ત છે. પણ આપણા મનમાં વસી જાય એવી ઘણી ઉક્તિઓ એમાં જરૂર સાંપડે છે. જુઓ :
પુસ્તકમાં રજૂ થયેલી કાવ્યસામગ્રીનો સૌથી મોટો અને મહત્ત્વનો અંશ તે ૩૭૩ પદો છે. એ બધાં પદો કૃષ્ણભક્તિનાં છે. આઠદશ પદો કૃષ્ણના ઉદ્ગાર રૂપે મળે છે, કોઈક પદ દાણલીલા જેવા પ્રસંગવર્ણનનું છે, કોઈક પદ ભક્તિબોધનું છે, બાકીનાં સર્વ પદો ગોપીમુખે મુકાયેલાં છે અને એની કૃષ્ણ પ્રત્યેની પ્રેમભક્તિ વ્યક્ત કરે છે. આ પદોની ઊડીને આંખે વળગે એવી એક લાક્ષણિકતા એ છે કે એમાં નરસિંહ જેવામાં પ્રચુરપણે જોવા મળતું સ્થૂળ શૃંગારચેષ્ટાવર્ણન ક્યાંય નથી. એમાં હરિના આગમને થયેલા ઉમળકા અને આનંદની અભિવ્યક્તિ છે, પણ 'તનનાં તાપ સમા સરવે'થી વાત આગળ વધતી નથી. 'સૂશું આપણ એકાંતે, રંગ રમશું રળિયાત' એવી અભિલાષા છે, ને ‘ગોવિંદજી સાથે ગેલ' 'ભૂદર શું ભેલાભેલ' ને 'રંગની રેલ'ની વાત છે તથા 'મોહન-મધુકર તેમ માણે, જેમ કામની કંચન-વેલ' એવું સંયોગશૃંગારનું સૂચક આલંકારિક ચિત્ર છે, પણ રતિસુખનું ઉઘાડું વર્ણન - કામચેષ્ટાઓનું ચિત્રણ તો લગભગ નથી. રાજેનો ભક્તિશૃંગાર મધુર મર્યાદારસે ઓપતો ભક્તિશૃંગાર છે. ઝાઝેરાં પદો તો કૃષ્ણવિરહના વિવિધ મનોભાવોનાં છે તેને લઈને પણ ભક્તિશૃંગારના આ સ્વરૂપને ઉઠાવ મળ્યો છે. કોઈ પદો દાણપ્રસંગની વડછડનાં છે, કોઈ કુબ્જાપ્રસંગને અનુલક્ષી કરેલા કટાક્ષનાં છે, કોઈ અન્યત્ર રમી આવેલા કૃષ્ણ પ્રત્યેના ઉપાલંભનાં છે. – પણ કોઈક પદો જ. સર્વવ્યાપ્ત ભાવ તો નિર્મળ, નરવી પ્રેમભક્તિનો જ છે. વિરહદુઃખ અને સ્મરણસુખ, આસક્તિ અને અપરાધભાવ વગેરેના માર્મિક સંદર્ભોથી એ પુષ્ટ થયો છે. આ ભાવસૃષ્ટિ કંઈ કવિની મૌલિક નથી. પરંપરાપ્રાપ્ત છે. પણ આપણા મનમાં વસી જાય એવી ઘણી ઉક્તિઓ એમાં જરૂર સાંપડે છે. જુઓ :
<poem>
* વાહાલપણું જે વાટ તણું હાવે તે કેમ વીસરી જાએ?
* વાહાલપણું જે વાટ તણું હાવે તે કેમ વીસરી જાએ?
* હાવે નગરનિવાસી કાહાવે, ગોવિંદ ગામડે નહીં આવે.
* હાવે નગરનિવાસી કાહાવે, ગોવિંદ ગામડે નહીં આવે.
Line 33: Line 34:
* હું અહીં ભાળુ, તમે અહીં ભાળુ, મીટ તણા થાયે મેલા.
* હું અહીં ભાળુ, તમે અહીં ભાળુ, મીટ તણા થાયે મેલા.
* બરછીની અણિયું છે નાથજી, એ નેણ તારાં
* બરછીની અણિયું છે નાથજી, એ નેણ તારાં
લાખીણા, તાહારા બહુ લટકા, જાણે કૈં સાકરના કટકા,  
* લાખીણા, તાહારા બહુ લટકા, જાણે કૈં સાકરના કટકા,  
આવે જેમ અમ્રતના ઘટકા.
* આવે જેમ અમ્રતના ઘટકા.
* નેણાં મારાં નીર નથી ઝીલતાં રે
* નેણાં મારાં નીર નથી ઝીલતાં રે
* રાજેના પ્રભુ અંતરજામી, ટાલુ વ્રેહેના વલોણા.
* રાજેના પ્રભુ અંતરજામી, ટાલુ વ્રેહેના વલોણા.
* રંગરંગીલુ છેલછબીલુ મીટે લીધા માગી રે.
* રંગરંગીલુ છેલછબીલુ મીટે લીધા માગી રે.
* રાજેના પ્રભુ અંતરજામી, જ્યારે ત્યારે તમથી તરવું.
* રાજેના પ્રભુ અંતરજામી, જ્યારે ત્યારે તમથી તરવું.
</poem>
પરિશિષ્ટમાં મુકાયેલ ચાર પદો સંતવાણીની લાક્ષણિક અભિવ્યક્તિતરાહો ધરાવતાં હોઈ જુદાં તરી આવે છે. એ. આમ, પરિશિષ્ટમાં શા માટે મૂક્યાં છે એનો કશો ખુલાસો પ્રાપ્ત થતો નથી. એમાંની થોડી પંક્તિઓ જોવા જેવી છે :
પરિશિષ્ટમાં મુકાયેલ ચાર પદો સંતવાણીની લાક્ષણિક અભિવ્યક્તિતરાહો ધરાવતાં હોઈ જુદાં તરી આવે છે. એ. આમ, પરિશિષ્ટમાં શા માટે મૂક્યાં છે એનો કશો ખુલાસો પ્રાપ્ત થતો નથી. એમાંની થોડી પંક્તિઓ જોવા જેવી છે :
<poem>
* સાહેબ, આ રે અંધારી એક ઓરડી,  
* સાહેબ, આ રે અંધારી એક ઓરડી,  
લોઢે જડીઆં કમાડ, રતને જડીઆં કમાડ,  
લોઢે જડીઆં કમાડ, રતને જડીઆં કમાડ,  
Line 53: Line 56:
* મનવા, ખેતર ટુવો પ્રીતે, ટોયા વિના ભેલાય નિત્યે.  
* મનવા, ખેતર ટુવો પ્રીતે, ટોયા વિના ભેલાય નિત્યે.  
કાળકાગડો અધર ભમે છે, હરખી જુએ છે તે,  
કાળકાગડો અધર ભમે છે, હરખી જુએ છે તે,  
દિનદિન આયુષ્ય ઓછું થાય છે, તાકી રહ્યો એક ચિત્તે.  
દિનદિન આયુષ્ય ઓછું થાય છે, તાકી રહ્યો એક ચિત્તે.
</poem>
'દાક્તર' જેવા અર્વાચીન શબ્દ, તળપદા વાણીપ્રયોગો ને રૂપકાત્મકતા જ્ઞાનવિચારને સચોટ રીતે મૂર્તિમંત કરે છે.
'દાક્તર' જેવા અર્વાચીન શબ્દ, તળપદા વાણીપ્રયોગો ને રૂપકાત્મકતા જ્ઞાનવિચારને સચોટ રીતે મૂર્તિમંત કરે છે.
કવિની અન્ય કૃતિઓમાં ‘વ્રેહે-ગીતા' ૪૪ કડવાંની કૃતિ છે અને ભાગવતના ઉદ્ધવપ્રસંગને રસાળતાથી આલેખે છે. એમાં જશોદાના અને ખૂબ વિસ્તારથી ગોપીઓના મનોભાવો આલેખાયા છે. એમાં અપૂર્વતા નથી પણ આસ્વાદ્યતા તો છે જ. થોડાં ઉદાહરણ જોઈએ :
કવિની અન્ય કૃતિઓમાં ‘વ્રેહે-ગીતા' ૪૪ કડવાંની કૃતિ છે અને ભાગવતના ઉદ્ધવપ્રસંગને રસાળતાથી આલેખે છે. એમાં જશોદાના અને ખૂબ વિસ્તારથી ગોપીઓના મનોભાવો આલેખાયા છે. એમાં અપૂર્વતા નથી પણ આસ્વાદ્યતા તો છે જ. થોડાં ઉદાહરણ જોઈએ:
<poem>
* ઉદ્ધવજી, કોઈ વાંસલડી વાએ રે, માડીના મનમાં ઝૂરણ થાએ રે
* ઉદ્ધવજી, કોઈ વાંસલડી વાએ રે, માડીના મનમાં ઝૂરણ થાએ રે
* (ગોપી ઉદ્ધવને)  
* (ગોપી ઉદ્ધવને)  
Line 65: Line 70:
* ઉધવ, જેમ વેલવ-છોઆં પાંન રે,  
* ઉધવ, જેમ વેલવ-છોઆં પાંન રે,  
અમારાં એમ મુરઝાઈયાં માંન રે.
અમારાં એમ મુરઝાઈયાં માંન રે.
</poem>
‘પ્રકાશગીતા' હરિભક્તિનો મહિમા વર્ણવતી ૪૫ કડવાંની કૃતિ છે. એમાં અનેક ભક્તોનાં અનેક દૃષ્ટાંતો છે, પણ અદ્ભુત મહિમા તો કર્યો છે ગોપીની ભક્તિનો. વ્રજનારની ભક્તિને નવધાથી ન્યારી એવી દશધા (દશમા પ્રકારની) ભક્તિ કહી છે, એની સમોવડ બીજી કોઈ ભક્તિ ન આવે. ‘પ્રભુ કહે મારો પ્રાણ ગોપી, બીજા તો પગહાથ છે' એમ પ્રભુને મન પણ આ ભક્તિનું માહાત્મ્ય છે. કવિની ભાવાર્દ્રતાનો પુટ પણ આ બોધકવિતાને ચડેલો છે :
‘પ્રકાશગીતા' હરિભક્તિનો મહિમા વર્ણવતી ૪૫ કડવાંની કૃતિ છે. એમાં અનેક ભક્તોનાં અનેક દૃષ્ટાંતો છે, પણ અદ્ભુત મહિમા તો કર્યો છે ગોપીની ભક્તિનો. વ્રજનારની ભક્તિને નવધાથી ન્યારી એવી દશધા (દશમા પ્રકારની) ભક્તિ કહી છે, એની સમોવડ બીજી કોઈ ભક્તિ ન આવે. ‘પ્રભુ કહે મારો પ્રાણ ગોપી, બીજા તો પગહાથ છે' એમ પ્રભુને મન પણ આ ભક્તિનું માહાત્મ્ય છે. કવિની ભાવાર્દ્રતાનો પુટ પણ આ બોધકવિતાને ચડેલો છે :
<poem>
બાપજી, જેમ બોલાવશો હું તેમ બોલીશ બાપડો,
બાપજી, જેમ બોલાવશો હું તેમ બોલીશ બાપડો,
આ ભાવ ભગત ભજાવવા મારે ચંતમાં આવી ચઢો.  
આ ભાવ ભગત ભજાવવા મારે ચંતમાં આવી ચઢો.  
શબદે શબદે શેરડો, કર લાકડી જેમ અંધને...
શબદે શબદે શેરડો, કર લાકડી જેમ અંધને...
</poem>
આ કૃતિમાં પદસાંકળી અનેક સ્થાને સિદ્ધ કરવામાં આવી છે તે નોંધપાત્ર છે.
આ કૃતિમાં પદસાંકળી અનેક સ્થાને સિદ્ધ કરવામાં આવી છે તે નોંધપાત્ર છે.
‘ભ્રમરગીતા' એ ૨૪ પદની કૃતિમાં ગોપીએ ઉદ્ધવને કહેલો સંદેશો રજૂ થયો છે. આસક્તિ, આર્દ્રતા, આકુલતા, અસૂયા ને નર્મમર્મનું રસપ્રદ સંમિશ્રણ એમાં છે.
‘ભ્રમરગીતા' એ ૨૪ પદની કૃતિમાં ગોપીએ ઉદ્ધવને કહેલો સંદેશો રજૂ થયો છે. આસક્તિ, આર્દ્રતા, આકુલતા, અસૂયા ને નર્મમર્મનું રસપ્રદ સંમિશ્રણ એમાં છે.
'રાધિકાજીનો વિવાહ' બે ઢાળ અને ૩૬ કડીની નાનકડી કૃતિ છે. એમાં રાધાનો માતા સાથેનો સંવાદ છે. માતા રાધિકાના કાન સાથેના વિવાહ વિશે જાતજાતના પ્રશ્નો કરે છે, પિતાની બીક બતાવે છે, પણ માતાને સ્વીકારવું પડે છે કે 'કુંવરી, તેં તો કુળમાં લગાડી નથી ખામી, તુને મલો રાજનો સ્વામી' અને રાધા નિશ્ચયપૂર્વક કહે છે કે ‘માતાજી, મારી પરણા તે ફોક કેમ થાસે?, તારે સૂરજ પશ્ચિમે જાશે રે’. લોકગીતની ભાષાલઢણો, પદ્યઘલઢણો ને સ્ફૂર્તિ આ નાનકડી રચના ધરાવે છે.
'રાધિકાજીનો વિવાહ' બે ઢાળ અને ૩૬ કડીની નાનકડી કૃતિ છે. એમાં રાધાનો માતા સાથેનો સંવાદ છે. માતા રાધિકાના કાન સાથેના વિવાહ વિશે જાતજાતના પ્રશ્નો કરે છે, પિતાની બીક બતાવે છે, પણ માતાને સ્વીકારવું પડે છે કે 'કુંવરી, તેં તો કુળમાં લગાડી નથી ખામી, તુને મલો રાજનો સ્વામી' અને રાધા નિશ્ચયપૂર્વક કહે છે કે ‘માતાજી, મારી પરણા તે ફોક કેમ થાસે?, તારે સૂરજ પશ્ચિમે જાશે રે’. લોકગીતની ભાષાલઢણો, પદ્યઘલઢણો ને સ્ફૂર્તિ આ નાનકડી રચના ધરાવે છે.
બે-બે પત્રોને સમાવતું ૫૪ કડીનું ‘રૂખમણીહરણ' પણ રુકિ્મણીના માતા સાથેના સંવાદનો ખાસ્સો લાભ લે છે અને કથાકથન તો સંક્ષેપમાં જ કરે છે. પ૦ કવિતછપૈ પદસાંકળી ધરાવતી હરિભક્તિ-બોધની કૃતિ છે. એની તળપદી અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. થોડાક મર્મસ્પર્શી ઉદ્ગારો જુઓ :
બે-બે પત્રોને સમાવતું ૫૪ કડીનું ‘રૂખમણીહરણ' પણ રુકિ્મણીના માતા સાથેના સંવાદનો ખાસ્સો લાભ લે છે અને કથાકથન તો સંક્ષેપમાં જ કરે છે. પ૦ કવિતછપૈ પદસાંકળી ધરાવતી હરિભક્તિ-બોધની કૃતિ છે. એની તળપદી અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. થોડાક મર્મસ્પર્શી ઉદ્ગારો જુઓ :
<poem>
* વીશ્રવ ને વેહેવાર બને નહીં બે-બે વાતે.
* વીશ્રવ ને વેહેવાર બને નહીં બે-બે વાતે.
* હરિનામ-હોડી તજીને ફીણે વલગુ કાંએ?
* હરિનામ-હોડી તજીને ફીણે વલગુ કાંએ?
Line 78: Line 87:
* ગધો કરે હૂકાર ને ઘી તે ઘોડા ખાએ.
* ગધો કરે હૂકાર ને ઘી તે ઘોડા ખાએ.
* કેલકંદ કાહાનડ તજીને શું બાવલ શું બાથ?
* કેલકંદ કાહાનડ તજીને શું બાવલ શું બાથ?
</poem>
છ ગુજરાતી અને ૧૫૧ હિંદી સાખીઓમાં જ્ઞાનવૈરાગ્યનો બોધ વણાયેલો છે. હિંદી સાખીઓમાં સાંકળીનો પ્રયોગ નજરે પડે છે. એમાંનું હિંદી તે લૌકિક હિંદી છે - ‘રઝળી રઝળી'નું 'રઝલ રઝલ' કરીને કામ ચલાવ્યું છે, પણ કેટલાક લાક્ષણિક હિંદી પ્રયોગો પણ મળે છે. ગુરુમહિમા, મૂર્ખને ઉપદેશ વગેરે અનેક વિષયોને આવરી લેતી આ સાખીઓનો જ્ઞાનવિચાર તો પરંપરાપગત છે પણ કેટલીક મનોરમ ઉક્તિઓ મળે છે :
છ ગુજરાતી અને ૧૫૧ હિંદી સાખીઓમાં જ્ઞાનવૈરાગ્યનો બોધ વણાયેલો છે. હિંદી સાખીઓમાં સાંકળીનો પ્રયોગ નજરે પડે છે. એમાંનું હિંદી તે લૌકિક હિંદી છે - ‘રઝળી રઝળી'નું 'રઝલ રઝલ' કરીને કામ ચલાવ્યું છે, પણ કેટલાક લાક્ષણિક હિંદી પ્રયોગો પણ મળે છે. ગુરુમહિમા, મૂર્ખને ઉપદેશ વગેરે અનેક વિષયોને આવરી લેતી આ સાખીઓનો જ્ઞાનવિચાર તો પરંપરાપગત છે પણ કેટલીક મનોરમ ઉક્તિઓ મળે છે :
<poem>
* ગરથ ગાંઠકુ જાત હૈ મૂરખ દેતાં મત (=મતિ),  
* ગરથ ગાંઠકુ જાત હૈ મૂરખ દેતાં મત (=મતિ),  
રૂખ આગે, રાજે કહે, છતી ન કીજે છત (=શક્તિ).
રૂખ આગે, રાજે કહે, છતી ન કીજે છત (=શક્તિ).
Line 87: Line 98:
* કેહે રાજેકુ ના ભયે જમાનાંજીકી રેત,
* કેહે રાજેકુ ના ભયે જમાનાંજીકી રેત,
નહાણેકુ કભી આવતે, તુ પ્રભુજી પગ દેત.  
નહાણેકુ કભી આવતે, તુ પ્રભુજી પગ દેત.  
</poem>
છેલ્લાં ઉદાહરણો બતાવે છે તેમ આ સાખીઓમાં રાજેનો પોતાનો આર્દ્ર ભક્તિભાવ પણ કેટલેક સ્થાને વાચા પામ્યો છે.
છેલ્લાં ઉદાહરણો બતાવે છે તેમ આ સાખીઓમાં રાજેનો પોતાનો આર્દ્ર ભક્તિભાવ પણ કેટલેક સ્થાને વાચા પામ્યો છે.
હિંદી સવૈયા બે વિભાગમાં વહેંચાયેલા છે. ‘નરવાણી વાતડ’ (નિર્વાણી – જ્ઞાનીની વાતો)ના ૨૫ સવૈયામાં સંસારનું મિથ્યાત્વ, કર્મની અપરિહાર્યતા, હરિભક્તિનો મહિમા વગેરે વિષયો પરંપરાનું ચોખ્ખું અનુસંધાન દેખાય એવી રીતે રજૂ થયાં છે. જેમકે,
હિંદી સવૈયા બે વિભાગમાં વહેંચાયેલા છે. ‘નરવાણી વાતડ’ (નિર્વાણી – જ્ઞાનીની વાતો)ના ૨૫ સવૈયામાં સંસારનું મિથ્યાત્વ, કર્મની અપરિહાર્યતા, હરિભક્તિનો મહિમા વગેરે વિષયો પરંપરાનું ચોખ્ખું અનુસંધાન દેખાય એવી રીતે રજૂ થયાં છે. જેમકે,
<poem>
એકકુ બહુત હી માલ ખજીના, ને એકકી પાસ મલે નહી કુડી,  
એકકુ બહુત હી માલ ખજીના, ને એકકી પાસ મલે નહી કુડી,  
એક તુ રાગ છતીસુ હી જાંને ને એકકુ એક પીછાંને ન ગુડી.  
એક તુ રાગ છતીસુ હી જાંને ને એકકુ એક પીછાંને ન ગુડી.  
એકકે કણ કોઠાર નહીં માતે, એક કીડી દર જાત હૈ જુડી,  
એકકે કણ કોઠાર નહીં માતે, એક કીડી દર જાત હૈ જુડી,  
પે દાસ રાજે પ્રભુકે બસ જૈએ જે કેરમકી બાત સો આવત કૂડી.  
પે દાસ રાજે પ્રભુકે બસ જૈએ જે કેરમકી બાત સો આવત કૂડી.
</poem>
પે'નો લટકો એ આ સવૈયાની એક લાક્ષણિકતા છે.
પે'નો લટકો એ આ સવૈયાની એક લાક્ષણિકતા છે.
‘વિજોગી વાતડ' (વિયોગની વાતો)ના ૧૯ સવૈયામાં વિરહભક્તિનો ભાવ શબ્દબદ્ધ થયો છે. આ ચિરપરિચિત ભાવસૃષ્ટિમાં કેટલાક મનગમતા ઉદ્ગારો તો સાંપડે જ છે :
‘વિજોગી વાતડ' (વિયોગની વાતો)ના ૧૯ સવૈયામાં વિરહભક્તિનો ભાવ શબ્દબદ્ધ થયો છે. આ ચિરપરિચિત ભાવસૃષ્ટિમાં કેટલાક મનગમતા ઉદ્ગારો તો સાંપડે જ છે :
<poem>
* પ્રીતમમાં જબ પ્રાન બસા તબ દેહકી કુન ગવેસ કરેગા?
* પ્રીતમમાં જબ પ્રાન બસા તબ દેહકી કુન ગવેસ કરેગા?
* એકકુ મંન ને એકકુ નાંહી, એ દીપક પ્રીત પતંગકે જેસુ.
* એકકુ મંન ને એકકુ નાંહી, એ દીપક પ્રીત પતંગકે જેસુ.
Line 100: Line 115:
* પે દાસ રાજે પ્રભુ પ્રીતકી બાત અચેતકુ નાંહી, ચેતનકુ દાગે.
* પે દાસ રાજે પ્રભુ પ્રીતકી બાત અચેતકુ નાંહી, ચેતનકુ દાગે.
* ઊધો કહે સબ માધોકી આગે, એ ગોપીકુ પ્રેમ કહુ નહીં જાતુ,  
* ઊધો કહે સબ માધોકી આગે, એ ગોપીકુ પ્રેમ કહુ નહીં જાતુ,  
સાગર આગલ ગાગર રાખીએ, એસુ મેં ઊનકી આગે પોસાતુ.  
* સાગર આગલ ગાગર રાખીએ, એસુ મેં ઊનકી આગે પોસાતુ.
</poem>
બન્ને પ્રકારના સવૈયામાં સાંકળીબંધ જોવા મળે છે.  
બન્ને પ્રકારના સવૈયામાં સાંકળીબંધ જોવા મળે છે.  
રાજેના મધ્યકાલીન શબ્દપ્રયોગો, પદોમાં પ્રયોજાયેલ ધ્રુવાઓ વગેરેમાં અભ્યાસીઓને રસ પડે એવી ઘણી સામગ્રી છે. અહીં તો રાજેની કાવ્યસૃષ્ટિની એક ઝાંખી જ રજૂ કરી છે. આ ઝાંખી પણ બતાવી આપશે કે પ્રેમલક્ષણાભક્તિના આ ગાયક આપણા મધ્યકાલીન સાહિત્યમાં જરા ઊંચેરા સ્થાનના અધિકારી છે.
રાજેના મધ્યકાલીન શબ્દપ્રયોગો, પદોમાં પ્રયોજાયેલ ધ્રુવાઓ વગેરેમાં અભ્યાસીઓને રસ પડે એવી ઘણી સામગ્રી છે. અહીં તો રાજેની કાવ્યસૃષ્ટિની એક ઝાંખી જ રજૂ કરી છે. આ ઝાંખી પણ બતાવી આપશે કે પ્રેમલક્ષણાભક્તિના આ ગાયક આપણા મધ્યકાલીન સાહિત્યમાં જરા ઊંચેરા સ્થાનના અધિકારી છે.
19,010

edits

Navigation menu