અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/આત્માનાં ખંડેર: યથાર્થનો સેતુબન્ધ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
(+1)
Line 12: Line 12:


‘આત્માનાં ખડેર’ એક સંવેદનશીલ યુવાન ચિત્તને જીવનમાં ને જગતમાં ડૂબકી મારતાં થયેલા અનુભવનો આલેખ છે. મુગ્ધ ઉત્સાહમાં વ્યક્તિને આખું જગત ૨ંગબેરંગી ઉલ્લાસમય દેખાય છે ને એની ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપવાનો ઓરતે થાય છે. પણ એના અહમ્‌ને જેમ જેમ વસ્તુજગત ને જીવનવાસ્તવ સાથે સંપર્કસંઘર્ષમાં આવવાનું બનતું જાય છે તેમ તેમ એની મુગ્ધ કલ્પનાની, કુંવારા ઉત્સાહની પાંખો શિથિલ થતી જાય છે. વ્યક્તિને ધીમે ધીમે જગતની ને જીવનની અનિવાર્ય પરિસ્થિતિઓની વાસ્તવિકતા સમજાતી જાય છે. એક વાર જે ભૂમિની ભભકથી કાવ્યનાયક અંજાયો હતો, જેના ઉપર વિજય મેળવવાની મહત્ત્વાકાંક્ષા સેવતો હતો તે ભૂમિ તેને જીર્ણ ખંડેરોથી ખીચોખીચ ભરેલી દેખાય છે. જીવન અને જગતના આકર્ષક રંગરોગાનની નીચેના કટાઈખવાઈ ગયેલા પડને એ ભાળે છે ને એની વિજયની આકાંક્ષા ઓસરી જાય છે. અહીં એના અહમ્‌નો એને પરાજય થતો સમજાય છે. એટલું જ નહિ પણ એવા પરાજયના, હતાશાના ગર્ભમાં નિહિત સત્યની પણ એને ઝાંખી થાય છે. એ સત્ય એટલે વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેના સંબંધનું યથાર્થદર્શન. આવા દર્શનને પરિણામે વ્યક્તિમાં એક સમજ ઊગે છે. આ સમજ એને મુગ્ધ ઉત્સાહની મહત્ત્વાકાંક્ષાઓથી અશક્યાકાંક્ષાઓ સુધીના અનુભૂતિફલકને નજરમાં રાખવાની ને તે અનુસાર જીવનનો પંથ ખેડવાની શીખ આપે છે. ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ (સોનેટ-૧) એવા દર્પોદ્ગાર કાઢનાર વ્યક્તિનો અહમ્ છેવટે યથાર્થ ને ઈષ્ટ જીવનગતિ ને જીવનરીતિને સ્વીકાર કરે છે.
‘આત્માનાં ખડેર’ એક સંવેદનશીલ યુવાન ચિત્તને જીવનમાં ને જગતમાં ડૂબકી મારતાં થયેલા અનુભવનો આલેખ છે. મુગ્ધ ઉત્સાહમાં વ્યક્તિને આખું જગત ૨ંગબેરંગી ઉલ્લાસમય દેખાય છે ને એની ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપવાનો ઓરતે થાય છે. પણ એના અહમ્‌ને જેમ જેમ વસ્તુજગત ને જીવનવાસ્તવ સાથે સંપર્કસંઘર્ષમાં આવવાનું બનતું જાય છે તેમ તેમ એની મુગ્ધ કલ્પનાની, કુંવારા ઉત્સાહની પાંખો શિથિલ થતી જાય છે. વ્યક્તિને ધીમે ધીમે જગતની ને જીવનની અનિવાર્ય પરિસ્થિતિઓની વાસ્તવિકતા સમજાતી જાય છે. એક વાર જે ભૂમિની ભભકથી કાવ્યનાયક અંજાયો હતો, જેના ઉપર વિજય મેળવવાની મહત્ત્વાકાંક્ષા સેવતો હતો તે ભૂમિ તેને જીર્ણ ખંડેરોથી ખીચોખીચ ભરેલી દેખાય છે. જીવન અને જગતના આકર્ષક રંગરોગાનની નીચેના કટાઈખવાઈ ગયેલા પડને એ ભાળે છે ને એની વિજયની આકાંક્ષા ઓસરી જાય છે. અહીં એના અહમ્‌નો એને પરાજય થતો સમજાય છે. એટલું જ નહિ પણ એવા પરાજયના, હતાશાના ગર્ભમાં નિહિત સત્યની પણ એને ઝાંખી થાય છે. એ સત્ય એટલે વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેના સંબંધનું યથાર્થદર્શન. આવા દર્શનને પરિણામે વ્યક્તિમાં એક સમજ ઊગે છે. આ સમજ એને મુગ્ધ ઉત્સાહની મહત્ત્વાકાંક્ષાઓથી અશક્યાકાંક્ષાઓ સુધીના અનુભૂતિફલકને નજરમાં રાખવાની ને તે અનુસાર જીવનનો પંથ ખેડવાની શીખ આપે છે. ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ (સોનેટ-૧) એવા દર્પોદ્ગાર કાઢનાર વ્યક્તિનો અહમ્ છેવટે યથાર્થ ને ઈષ્ટ જીવનગતિ ને જીવનરીતિને સ્વીકાર કરે છે.
 
{{Poem2Close}}
{{Block center|'''<poem>યથાર્થ જ સુપથ્ય એક સમજ્યાં જવું શક્ય જે.
{{Block center|'''<poem>યથાર્થ જ સુપથ્ય એક સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈ ય તે. (સોનેટ-૧૭)</poem>'''}}{{Poem2Open}}
અજાણ રમવું કશું! સમજવું રિબાઈ ય તે. (સોનેટ-૧૭)</poem>'''}}{{Poem2Open}}
 
{{Poem2Open}}
આવા સ્વીકારને પરાજય ન કહીએ, એને જીવનનું એક યથાર્થ દર્શન કહીએ, જીવનની એક ઉપલબ્ધિ કહીએ, આધ્યાત્મિક અનુભૂતિ કહીએ. સામાન્યતઃ ‘નિશીથ’ની કવિતાના ને વિશેષતઃ ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સંદર્ભમાં કવિની કેફિયત મહત્ત્વતી, દ્યોતક હોઈ અહીં ઉતારીએ. “…અહીં વ્યક્તિની અશાંતિ કદાચ વિષય બને છે. બુલંદ અભીપ્સાને વિવિધરંગી જીવનના સંસ્પર્શથી પહેલ પડે છે, અને યથાર્થ-નર્યા યથાર્થ, કેવળ યથાર્થનું સ્વાગત કરવામાં એ પરિણમે છે. વિશ્વશાંતિ અને વ્યક્તિ-અશાંતિ એ બે વિરોધી વસ્તુ રહેતી નથી બંને યથાર્થના સેતુથી સંધાય છે. સોનેટમાળાના (‘આત્માનાં ખંડેર’) અંત ભાગમાં એક જાતના સંશયવાદ, નિરાશાવાદ, શૂન્યવાદ (Nihilism), સ્વપ્નો, આદર્શો, ભાવનાઓ અગેના પરાજયવાદ (Defeatism) અને પાછળથી આપણને પાશ્ચાત્ય સાહિત્યે એકાગ્ર રૂપે બતાવેલા નિઃસારતાવાદ (The absurd), અસ્તિત્વવાદ (Existentialism) એ બધાંનાં ઇંગિતો છે, પણ પરિણામે ઊગરે છે એક જાતની કોઈ એક આધ્યાત્મિક અનુભૂતિ. વ્યક્તિ દબાઈ ટીપાઈ તવાઈ બહાર આવે છે, પણ યથાર્થને મુક્ત હૃદયે આવકારતી, અપનાવતી. મોકળે હૈયે, મકળે ચિરો યથાર્થનો સ્વીકાર એ પોતે જ એક આધ્યાત્મિક વિજયની ભૂમિકા છે.” (કવિનો શબ્દ, સં. સુરેશ દલાલ પૃ. ૨૩૭) કવિનું આ દર્શન ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સમસ્ત રચનાપ્રપંચમાં કેવી રીતે પ્રત્યક્ષ ને સિદ્ધ થતું આવે છે, કેવી રીતે નિખરી આવે છે એ જોવું રસપ્રદ થાય એમ છે.
આવા સ્વીકારને પરાજય ન કહીએ, એને જીવનનું એક યથાર્થ દર્શન કહીએ, જીવનની એક ઉપલબ્ધિ કહીએ, આધ્યાત્મિક અનુભૂતિ કહીએ. સામાન્યતઃ ‘નિશીથ’ની કવિતાના ને વિશેષતઃ ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સંદર્ભમાં કવિની કેફિયત મહત્ત્વતી, દ્યોતક હોઈ અહીં ઉતારીએ. “…અહીં વ્યક્તિની અશાંતિ કદાચ વિષય બને છે. બુલંદ અભીપ્સાને વિવિધરંગી જીવનના સંસ્પર્શથી પહેલ પડે છે, અને યથાર્થ-નર્યા યથાર્થ, કેવળ યથાર્થનું સ્વાગત કરવામાં એ પરિણમે છે. વિશ્વશાંતિ અને વ્યક્તિ-અશાંતિ એ બે વિરોધી વસ્તુ રહેતી નથી બંને યથાર્થના સેતુથી સંધાય છે. સોનેટમાળાના (‘આત્માનાં ખંડેર’) અંત ભાગમાં એક જાતના સંશયવાદ, નિરાશાવાદ, શૂન્યવાદ (Nihilism), સ્વપ્નો, આદર્શો, ભાવનાઓ અગેના પરાજયવાદ (Defeatism) અને પાછળથી આપણને પાશ્ચાત્ય સાહિત્યે એકાગ્ર રૂપે બતાવેલા નિઃસારતાવાદ (The absurd), અસ્તિત્વવાદ (Existentialism) એ બધાંનાં ઇંગિતો છે, પણ પરિણામે ઊગરે છે એક જાતની કોઈ એક આધ્યાત્મિક અનુભૂતિ. વ્યક્તિ દબાઈ ટીપાઈ તવાઈ બહાર આવે છે, પણ યથાર્થને મુક્ત હૃદયે આવકારતી, અપનાવતી. મોકળે હૈયે, મકળે ચિરો યથાર્થનો સ્વીકાર એ પોતે જ એક આધ્યાત્મિક વિજયની ભૂમિકા છે.” (કવિનો શબ્દ, સં. સુરેશ દલાલ પૃ. ૨૩૭) કવિનું આ દર્શન ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલાના સમસ્ત રચનાપ્રપંચમાં કેવી રીતે પ્રત્યક્ષ ને સિદ્ધ થતું આવે છે, કેવી રીતે નિખરી આવે છે એ જોવું રસપ્રદ થાય એમ છે.


Line 21: Line 21:


‘દે પયઘૂંટ મૈયા!’માં કવિની વિશ્વજનનીને, સર્વ ચૈૈતન્યસ્પંદની આદ્ય જનનીને, એ જનનીના વાત્સલ્યને આરતભરી પ્રાર્થના છે, માગણી છે. આ જનનીથી વિખૂટા પડીને તે વ્યક્તિથી કશું થાય એવી માન્યતા પણ એક ભ્રાન્તિ છે. સોનેટના ષટ્કમાં કવિએ વિશ્વજનનીનું ચૈતન્યસ્રોતની આદિ ધારિણીના માનવી રૂપનું રમ્યભવ્ય ચિત્ર આલેખ્યું છે. એના તેજઅંબાર પાછળ ધડકતાં થાનની, રવિહીરલાના તેજઅંબાર પાછળ છુપાઈ રહેલી છાતીની પયધારાનો ઘૂંટ પામીને જ વિકાસ કરી શકાય એમ છે. ‘એ દૂધથી છૂટી ભ્રમે જ થવાય મોટા’ એવી કાવ્યનાયકની સમજ છે. પ્રજ્ઞાપુરુષ થવા માટે જોઈતી વિકાસશકિત આ વિશ્વચૈતન્ય પાસેથી જ પામવાની છે. આ ચૈતન્ય સમગ્ર વિશ્વમાં, સચરાચરમાં વ્યાપ્ત છે, પણ તે અધિક સભાનતામાં ને સ્વભાનતામાં પ્રગટ્યું છે તે તો પ્રકૃતિમાં નહિ તેટલું મનુષ્યમાં. ‘કુંજ ઉરની’માં એટલે જ કવિ પ્રકૃતિનાં રમણીય રૂપો કરતાં મનુષ્યહૃદયની સંપત્તિ-સમૃદ્ધિ ભણીનો પક્ષપાત, મનુષ્ય પ્રતિને અધિક પ્રેમ પ્રગટ કરે છે. ‘પ્રણય જગને અર્પણ કર્યો’માં ‘જગ’ એટલે મનુષ્યજગત. ભલે મનુષ્ય પોતાને ચાહે કે ધિક્કારે, ગણે કે અવગણે, પણ એ જ આરાધ્ય, એમાં જ જીવનના અમૃતનો સંભવ. કવિ સોનેટની છેલ્લી બે પંક્તિઓમાં કાવ્યોચિત વિધાનની રીતે આ વાત કહે છે:
‘દે પયઘૂંટ મૈયા!’માં કવિની વિશ્વજનનીને, સર્વ ચૈૈતન્યસ્પંદની આદ્ય જનનીને, એ જનનીના વાત્સલ્યને આરતભરી પ્રાર્થના છે, માગણી છે. આ જનનીથી વિખૂટા પડીને તે વ્યક્તિથી કશું થાય એવી માન્યતા પણ એક ભ્રાન્તિ છે. સોનેટના ષટ્કમાં કવિએ વિશ્વજનનીનું ચૈતન્યસ્રોતની આદિ ધારિણીના માનવી રૂપનું રમ્યભવ્ય ચિત્ર આલેખ્યું છે. એના તેજઅંબાર પાછળ ધડકતાં થાનની, રવિહીરલાના તેજઅંબાર પાછળ છુપાઈ રહેલી છાતીની પયધારાનો ઘૂંટ પામીને જ વિકાસ કરી શકાય એમ છે. ‘એ દૂધથી છૂટી ભ્રમે જ થવાય મોટા’ એવી કાવ્યનાયકની સમજ છે. પ્રજ્ઞાપુરુષ થવા માટે જોઈતી વિકાસશકિત આ વિશ્વચૈતન્ય પાસેથી જ પામવાની છે. આ ચૈતન્ય સમગ્ર વિશ્વમાં, સચરાચરમાં વ્યાપ્ત છે, પણ તે અધિક સભાનતામાં ને સ્વભાનતામાં પ્રગટ્યું છે તે તો પ્રકૃતિમાં નહિ તેટલું મનુષ્યમાં. ‘કુંજ ઉરની’માં એટલે જ કવિ પ્રકૃતિનાં રમણીય રૂપો કરતાં મનુષ્યહૃદયની સંપત્તિ-સમૃદ્ધિ ભણીનો પક્ષપાત, મનુષ્ય પ્રતિને અધિક પ્રેમ પ્રગટ કરે છે. ‘પ્રણય જગને અર્પણ કર્યો’માં ‘જગ’ એટલે મનુષ્યજગત. ભલે મનુષ્ય પોતાને ચાહે કે ધિક્કારે, ગણે કે અવગણે, પણ એ જ આરાધ્ય, એમાં જ જીવનના અમૃતનો સંભવ. કવિ સોનેટની છેલ્લી બે પંક્તિઓમાં કાવ્યોચિત વિધાનની રીતે આ વાત કહે છે:
 
{{Poem2Close}}
{{Block center|'''<poem>મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે
{{Block center|'''<poem>મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.
{{right|(સોનેટ-૬)}}</poem>'''}}{{Poem2Open}}
{{right|(સોનેટ-૬)}}</poem>'''}}
 
{{Poem2Open}}
આ ઉરકુંજની, વ્યક્તિહૃદયની સંપત્તિ જગતમાં વેચવી છે, વહેંચવી છે, લૂંટાવવી છે. જેવું છે તેવું આ હૃદય, હૃદયનો પ્રેમ જગતને ચરણે ધરવો છે, પણ નાયકને સંકોચ છે, ન્યૂનતાની નમ્રતા સાથે એને અવગણનાને કે વગોવણીનો ભય પણ છે. એટલે જ નિજની હૃદયસંપત્તિને જગત સમક્ષ ખુલ્લી મૂકતાં તે આર્જવભરી વિનંતી કરે છે: ‘પીજો, ભલાં પણ ન ચંચુપ્રહાર દેજો.” (સોનેટ-૭) અકિંચન, તુચ્છ, અલ્પસત્ત્વ છતાં મોંઘેરું એવું માનવહૃદય છે, એમાંથી ભલે જે મળે તે લેજો પણ એને કાચશોપીડશો નહિ. આવી ઉરની દેખાતી લઘુતામાં ખરેખર તો વિરાટનું દર્શન પામવાની ક્ષમતા રહેલી છે, અથવા એમ કે વિરાટનું દર્શન કરવા વિરાટ સ્વરૂપની અપેક્ષા નથી, આપણી અ૫ દૃષ્ટિશક્તિમાં પણ વિરાટનું આકલન કરવાનું સામર્થ્ય છે, એટલે અલ્પતા અંગે અસંતોષ સેવવાનું કારણ નથી. આખા વિશ્વને વ્યક્તિ એની સામેની સૃષ્ટિના આછાઓછા દર્શનથી પામી શકે છે ને એણે પામવું જોઈએ. કવિ મનુષ્યની આ અલ્પ પણ સર્વસમર્થ શક્તિને અનુલક્ષીને કહે છે:
આ ઉરકુંજની, વ્યક્તિહૃદયની સંપત્તિ જગતમાં વેચવી છે, વહેંચવી છે, લૂંટાવવી છે. જેવું છે તેવું આ હૃદય, હૃદયનો પ્રેમ જગતને ચરણે ધરવો છે, પણ નાયકને સંકોચ છે, ન્યૂનતાની નમ્રતા સાથે એને અવગણનાને કે વગોવણીનો ભય પણ છે. એટલે જ નિજની હૃદયસંપત્તિને જગત સમક્ષ ખુલ્લી મૂકતાં તે આર્જવભરી વિનંતી કરે છે: ‘પીજો, ભલાં પણ ન ચંચુપ્રહાર દેજો.” (સોનેટ-૭) અકિંચન, તુચ્છ, અલ્પસત્ત્વ છતાં મોંઘેરું એવું માનવહૃદય છે, એમાંથી ભલે જે મળે તે લેજો પણ એને કાચશોપીડશો નહિ. આવી ઉરની દેખાતી લઘુતામાં ખરેખર તો વિરાટનું દર્શન પામવાની ક્ષમતા રહેલી છે, અથવા એમ કે વિરાટનું દર્શન કરવા વિરાટ સ્વરૂપની અપેક્ષા નથી, આપણી અ૫ દૃષ્ટિશક્તિમાં પણ વિરાટનું આકલન કરવાનું સામર્થ્ય છે, એટલે અલ્પતા અંગે અસંતોષ સેવવાનું કારણ નથી. આખા વિશ્વને વ્યક્તિ એની સામેની સૃષ્ટિના આછાઓછા દર્શનથી પામી શકે છે ને એણે પામવું જોઈએ. કવિ મનુષ્યની આ અલ્પ પણ સર્વસમર્થ શક્તિને અનુલક્ષીને કહે છે:


Line 32: Line 32:
અને હૃદય, દેશકાલવિધિવક્રતા ભાંડવી
અને હૃદય, દેશકાલવિધિવક્રતા ભાંડવી
તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું ઘટે.
તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું ઘટે.
{{right|(સોનેટ-૮)}}</poem>}}
{{right|(સોનેટ-૮)}}</poem>}}{{Poem2Open}}


‘અનંત ક્ષણ’ (સોનેટ-૯) અને, આ સોનેટમાળાના રચનાસમયની દૃષ્ટિએ છેલ્લું (૧૯૩૬માં) લખાયેલું ‘સમય-તૃષા’ (સોનેટ-૧૦) કાળને, સમયને વિષય કરે છે. કોઈને કદાચ આ રચનાઓની ગોઠવણીને ક્રમ ઉલટાવવાનું, એટલે કે ‘સમય-તૃષા’ને ૯મા ને ‘અનંત ક્ષણને ૧૦મા મણકા તરીકે ગણવાનું ઠીક લાગે. ‘સમય-તૃષા’માં સમયની સાથે સમયના વાયરામાં આમતેમ ઊડવાની દશાનું ને સમયને નવે નવે રૂપે ભોગવવાનું આકર્ષણ વ્યક્ત થાય છે. વર્ષો જાય છે, ક્ષણે અતીતમાં સરી જાય છે, પણ એ બધીને સમજીને, ઓળખીને જીવનવિકાસમાં પ્રયોજવાનું બનતું નથી, એમ કરવાનું શાણપણ હજી ઊગ્યું નથી, એટલે હૈયાને એનો સ્પર્શ થતો નથી. સમયની સાથેના નાયકના આવા બેખબર, બેદરકાર સંબંધનું સૂચન ‘સમયની સુરા, ઢીંચ્યે રાખી અહર્નિશાલીમાં’ એ પંક્તિમાં ગાઢપણે થાય છે. ‘અનંત ક્ષણ’માં ક્ષણની અનંતતાને કંઈક ઠાવકાઈથી ક્યારેક ગદ્યનિબંધ લખાતો હોય એ રીતે સમજાવાઈ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યના સળંગ સમયતંતુનો અનુભવ ક્ષણોની જ ગતિનું’ ગતિશીલ ક્ષણોનું જ સજન છે, પરિણામ છે. જે ક્ષણો ગઈ તે વર્તમાનમાં ફરી જીવવી પડે છે ને ભવિષ્યની પળ પણ વર્તમાનમાં આશા બનીને રહેલી સમજાય છે. આમ ક્ષણના અનુભવમાં ત્રિકાલના અનુભવો નવે નવે રૂપે સ્ફુરતા અનુભવાય છે. કાલ વિશેનું મનુષ્યનું આવું જ્ઞાન એનામાં જીવનસાતત્યનો ભાવ જગાડે છે, આશા જગાડે છે ને એને ક્રિયામાં પ્રેરે છે.
‘અનંત ક્ષણ’ (સોનેટ-૯) અને, આ સોનેટમાળાના રચનાસમયની દૃષ્ટિએ છેલ્લું (૧૯૩૬માં) લખાયેલું ‘સમય-તૃષા’ (સોનેટ-૧૦) કાળને, સમયને વિષય કરે છે. કોઈને કદાચ આ રચનાઓની ગોઠવણીને ક્રમ ઉલટાવવાનું, એટલે કે ‘સમય-તૃષા’ને ૯મા ને ‘અનંત ક્ષણને ૧૦મા મણકા તરીકે ગણવાનું ઠીક લાગે. ‘સમય-તૃષા’માં સમયની સાથે સમયના વાયરામાં આમતેમ ઊડવાની દશાનું ને સમયને નવે નવે રૂપે ભોગવવાનું આકર્ષણ વ્યક્ત થાય છે. વર્ષો જાય છે, ક્ષણે અતીતમાં સરી જાય છે, પણ એ બધીને સમજીને, ઓળખીને જીવનવિકાસમાં પ્રયોજવાનું બનતું નથી, એમ કરવાનું શાણપણ હજી ઊગ્યું નથી, એટલે હૈયાને એનો સ્પર્શ થતો નથી. સમયની સાથેના નાયકના આવા બેખબર, બેદરકાર સંબંધનું સૂચન ‘સમયની સુરા, ઢીંચ્યે રાખી અહર્નિશાલીમાં’ એ પંક્તિમાં ગાઢપણે થાય છે. ‘અનંત ક્ષણ’માં ક્ષણની અનંતતાને કંઈક ઠાવકાઈથી ક્યારેક ગદ્યનિબંધ લખાતો હોય એ રીતે સમજાવાઈ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યના સળંગ સમયતંતુનો અનુભવ ક્ષણોની જ ગતિનું’ ગતિશીલ ક્ષણોનું જ સજન છે, પરિણામ છે. જે ક્ષણો ગઈ તે વર્તમાનમાં ફરી જીવવી પડે છે ને ભવિષ્યની પળ પણ વર્તમાનમાં આશા બનીને રહેલી સમજાય છે. આમ ક્ષણના અનુભવમાં ત્રિકાલના અનુભવો નવે નવે રૂપે સ્ફુરતા અનુભવાય છે. કાલ વિશેનું મનુષ્યનું આવું જ્ઞાન એનામાં જીવનસાતત્યનો ભાવ જગાડે છે, આશા જગાડે છે ને એને ક્રિયામાં પ્રેરે છે.
Line 48: Line 48:
વક્રદંત અતિચંડ ધમંડ ભરેલ વિષાદે
વક્રદંત અતિચંડ ધમંડ ભરેલ વિષાદે
મુખ ઉઘાડ તુજ, શાંત ચિત્ત તવ દૂત ગણીશ હું.
મુખ ઉઘાડ તુજ, શાંત ચિત્ત તવ દૂત ગણીશ હું.
{{right|(સોનેટ-૧૨)}}</poem>}}
{{right|(સોનેટ-૧૨)}}</poem>}}{{Poem2Open}}


સોનેટમાળાના આ વળાંકે આવતાં ભાવકને નાયકચિત્તમાં અંતે સ્થિર થયેલા ને યથાર્થ સમજવાસ્વીકારવાના નિશ્ચયભાવના પ્રગટીકરણનો આરંભ પણ થતો જણાશે. આશા-આકાંક્ષા, જીવન-મૃત્યુ જેવા વિષયમાં નાયક હવે નિશ્ચિંત થતો જાય છે, યથાર્થ ને સામનો કરવા તત્પર થતો જાય છે.
સોનેટમાળાના આ વળાંકે આવતાં ભાવકને નાયકચિત્તમાં અંતે સ્થિર થયેલા ને યથાર્થ સમજવાસ્વીકારવાના નિશ્ચયભાવના પ્રગટીકરણનો આરંભ પણ થતો જણાશે. આશા-આકાંક્ષા, જીવન-મૃત્યુ જેવા વિષયમાં નાયક હવે નિશ્ચિંત થતો જાય છે, યથાર્થ ને સામનો કરવા તત્પર થતો જાય છે.
Line 55: Line 55:


{{Poem2Close}}{{Block center|'''<poem>‘જા રે તારે જગ, ઉભયથી કે ન સંબંધ મારે.’
{{Poem2Close}}{{Block center|'''<poem>‘જા રે તારે જગ, ઉભયથી કે ન સંબંધ મારે.’
{{right|(સોનેટ-૧૩)}}</poem>}}
{{right|(સોનેટ-૧૩)}}</poem>}}{{Poem2Open}}
નિરાશા, હતાશા, ઉપેક્ષા, વૈફલ્યથી ઘવાયેલું વ્યક્તિત્વ હવે મનુષ્યને લાચાર બિચારો જુએ છે. આ જગતમાં એણે કેટકેટલા સપ્રયત્નો કર્યા, સૌન્દર્યની, પ્રેમની કેટકેટલી ઝંખના ને સાધના કરી, પણ એ બધું અવરથા ગયું, એટલું જ નહિ એમ કરતાં જે આભાસનું, ભ્રાન્તિનું સુખ હતું તે પણ ગયું. આખરે નિયતિએ, વિષમ વિરોધી તત્ત્વો–સત્ત્વોએ એને છેતર્યો, એની પાસેથી મૃગજળની રમ્ય ભ્રમણા પણ ખૂંચવી લીધી.
નિરાશા, હતાશા, ઉપેક્ષા, વૈફલ્યથી ઘવાયેલું વ્યક્તિત્વ હવે મનુષ્યને લાચાર બિચારો જુએ છે. આ જગતમાં એણે કેટકેટલા સપ્રયત્નો કર્યા, સૌન્દર્યની, પ્રેમની કેટકેટલી ઝંખના ને સાધના કરી, પણ એ બધું અવરથા ગયું, એટલું જ નહિ એમ કરતાં જે આભાસનું, ભ્રાન્તિનું સુખ હતું તે પણ ગયું. આખરે નિયતિએ, વિષમ વિરોધી તત્ત્વો–સત્ત્વોએ એને છેતર્યો, એની પાસેથી મૃગજળની રમ્ય ભ્રમણા પણ ખૂંચવી લીધી.


{{Poem2Close}}{{Block center|'''<poem>બિચારો નિચોવે મનુજ વિધિની રેત અમથો;
{{Poem2Close}}{{Block center|'''<poem>બિચારો નિચોવે મનુજ વિધિની રેત અમથો;
વૃથા યત્ને ખુએ મૃગજળની યે રમ્ય ભ્રમણા.
વૃથા યત્ને ખુએ મૃગજળની યે રમ્ય ભ્રમણા.
{{right|(સોનેટ-૧૪)}}</poem>}}
{{right|(સોનેટ-૧૪)}}</poem>}}{{Poem2Open}}


આવા અનુભવને અંતે એ એક સમજણમાં આવીને ઠરે છે. આ સમજણ એટલે જીવન નહિ, પણ મૃત્યુ, સુખ નહિ, પણ દુઃખ જ યથાર્થ છે. આનંદો બધા અસત્ છે, મિથ્યા છે ને એ મિથ્યાના સુખની મદિરા કરતાં તો યથાર્થના દુ:ખનાં આંસુ જ વધારે સારાં એવી સમજ એનામાં ઊગે છે. આ યથાર્થના અસ્વીકારમાં રહેલી વંચનાની અકળામણમાં એ જાણે પોતાને જ ટોકતો હોય, ઠપકો આપતો હોય એમ કહે છે:
આવા અનુભવને અંતે એ એક સમજણમાં આવીને ઠરે છે. આ સમજણ એટલે જીવન નહિ, પણ મૃત્યુ, સુખ નહિ, પણ દુઃખ જ યથાર્થ છે. આનંદો બધા અસત્ છે, મિથ્યા છે ને એ મિથ્યાના સુખની મદિરા કરતાં તો યથાર્થના દુ:ખનાં આંસુ જ વધારે સારાં એવી સમજ એનામાં ઊગે છે. આ યથાર્થના અસ્વીકારમાં રહેલી વંચનાની અકળામણમાં એ જાણે પોતાને જ ટોકતો હોય, ઠપકો આપતો હોય એમ કહે છે:
Line 66: Line 66:
{{Poem2Close}}{{Block center|'''<poem>અસત્ આનંદોની પરબ રચી વહેંચો ન મદિરા,
{{Poem2Close}}{{Block center|'''<poem>અસત્ આનંદોની પરબ રચી વહેંચો ન મદિરા,
ભલાં શોકપ્રેર્યાં દૃગજલ યથાર્થે વિહરતાં.
ભલાં શોકપ્રેર્યાં દૃગજલ યથાર્થે વિહરતાં.
{{right|(સોનેટ-૧૫)}}</poem>}}
{{right|(સોનેટ-૧૫)}}</poem>}}{{Poem2Open}}


૧૬મા સોનેટ ‘અફર એક ઉષા’ના સ્વતંત્ર સોનેટ ઘટક તરીકે નભવા સંબંધમાં કવિને ભલે અંદેશો હોય (જુઓ. ‘નિશીથ’ ત્રી.આ.નું વિવરણ, પૃ. ૧૭૨), પણ માલામાં આ કૃતિ પ્રથમ સોનેટ ‘ઊગી ઉષા’ના સંદર્ભમાં ખૂબ મહત્ત્વની છે. બન્ને સેનેટની કલ્પન–સામગ્રીની સમાનતા ને ભાવ-વિરોધ સમગ્ર સોનેટમાલાના વસ્તુ-વિષયનું કેન્દ્ર છે. જે ભૂમિ ઉપર ઊભા રહીને નાયકે પોતાના અહમ્‌નો વિસ્તાર અનુભવ્યો હતો, વિજેતા થવાનો ઓરતો સેવ્યો હતો તે જ ભૂમિ હવે જીવન અને જગતના પ્રાપ્ત અનુભવે પછી એને ખંડેર લાગે છે. અહમ્‌ને જે પછાડ મળી તેનાથી હતપ્રભ થઈને હવે એ રૂદનનો આશ્રય લે છે, દિલાસો શોધે છે. આ દિલાસો ગીતમાંથી મેળવવો એ મથે છે, પણ માત્ર ખંડેરનું કરુણ ગીત એને આશ્વાસન આપી શકે એમ નથી. હાર ખાઈને નાયક ગીત ગાવામાં દિલાસો શોધીને અટકી ગયા હોત તે તો માળાનું આ છેલ્લું સોનેટ હોત, પણ એમ બન્યું નથી. પછડાટમાંથી ઊભા થઈને એણે જીવનને માર્ગ શોધવાનો છે, ને એ માર્ગે ગતિ કરવાની છે. આ માર્ગ, આવા માર્ગની સમજ એ અંતે પામે છે. ૧૭મા છેલ્લા સોનેટ ‘યથાર્થ જ સુપથ એક’માં કવિએ એવી સમજને નાયકના સંકલ્પરૂપે રજૂ કરી છે. હવે માણસ, પ્રકૃતિ કે નિયતિ પાસે કશી આશા અપેક્ષા રાખવાની નથી, એમના થકી મળેલી ઉપેક્ષા, અવગણના, વિફલતાને ગાયાં કરવાનું વ્યર્થ છે; કટુ અનુભવો વિશે ફરિયાદ કર્યા કરવાને પણ કશો અર્થ નથી. હવે રાવફરિયાદ, અજંપો, શક્તિની યાચના, આદર્શ, દુરિતલોપની ઝંખના—બધું છોડીને યથાર્થના સ્વીકારમાં જ સમાધાન શોધવું રહ્યું. એ જ ઇષ્ટ છે, એ જ અનિવાર્ય છે ને એ જ ભાવિ જીવનના પંથનું પ્રેરક ચાલક તત્ત્વ, બલ બની શકે એમ છે. નાયક જાણે એક નિર્ણય-નિશ્ચય જાહેર કરતા હોય એમ કહે છે:
૧૬મા સોનેટ ‘અફર એક ઉષા’ના સ્વતંત્ર સોનેટ ઘટક તરીકે નભવા સંબંધમાં કવિને ભલે અંદેશો હોય (જુઓ. ‘નિશીથ’ ત્રી.આ.નું વિવરણ, પૃ. ૧૭૨), પણ માલામાં આ કૃતિ પ્રથમ સોનેટ ‘ઊગી ઉષા’ના સંદર્ભમાં ખૂબ મહત્ત્વની છે. બન્ને સેનેટની કલ્પન–સામગ્રીની સમાનતા ને ભાવ-વિરોધ સમગ્ર સોનેટમાલાના વસ્તુ-વિષયનું કેન્દ્ર છે. જે ભૂમિ ઉપર ઊભા રહીને નાયકે પોતાના અહમ્‌નો વિસ્તાર અનુભવ્યો હતો, વિજેતા થવાનો ઓરતો સેવ્યો હતો તે જ ભૂમિ હવે જીવન અને જગતના પ્રાપ્ત અનુભવે પછી એને ખંડેર લાગે છે. અહમ્‌ને જે પછાડ મળી તેનાથી હતપ્રભ થઈને હવે એ રૂદનનો આશ્રય લે છે, દિલાસો શોધે છે. આ દિલાસો ગીતમાંથી મેળવવો એ મથે છે, પણ માત્ર ખંડેરનું કરુણ ગીત એને આશ્વાસન આપી શકે એમ નથી. હાર ખાઈને નાયક ગીત ગાવામાં દિલાસો શોધીને અટકી ગયા હોત તે તો માળાનું આ છેલ્લું સોનેટ હોત, પણ એમ બન્યું નથી. પછડાટમાંથી ઊભા થઈને એણે જીવનને માર્ગ શોધવાનો છે, ને એ માર્ગે ગતિ કરવાની છે. આ માર્ગ, આવા માર્ગની સમજ એ અંતે પામે છે. ૧૭મા છેલ્લા સોનેટ ‘યથાર્થ જ સુપથ એક’માં કવિએ એવી સમજને નાયકના સંકલ્પરૂપે રજૂ કરી છે. હવે માણસ, પ્રકૃતિ કે નિયતિ પાસે કશી આશા અપેક્ષા રાખવાની નથી, એમના થકી મળેલી ઉપેક્ષા, અવગણના, વિફલતાને ગાયાં કરવાનું વ્યર્થ છે; કટુ અનુભવો વિશે ફરિયાદ કર્યા કરવાને પણ કશો અર્થ નથી. હવે રાવફરિયાદ, અજંપો, શક્તિની યાચના, આદર્શ, દુરિતલોપની ઝંખના—બધું છોડીને યથાર્થના સ્વીકારમાં જ સમાધાન શોધવું રહ્યું. એ જ ઇષ્ટ છે, એ જ અનિવાર્ય છે ને એ જ ભાવિ જીવનના પંથનું પ્રેરક ચાલક તત્ત્વ, બલ બની શકે એમ છે. નાયક જાણે એક નિર્ણય-નિશ્ચય જાહેર કરતા હોય એમ કહે છે:
Line 72: Line 72:
{{Poem2Close}}{{Block center|'''<poem>યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.
{{Poem2Close}}{{Block center|'''<poem>યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.
{{right|(સોનેટ-૧૭)}}</poem>}}
{{right|(સોનેટ-૧૭)}}</poem>}}{{Poem2Open}}


‘આત્માનાં ખંડેર’ સોનેટમાલામાંના આવા વ્યક્તિના અંતિમ ઉદ્ઘાટને કવિ નાસ્તિવાચક નહિ, અસ્તિવાચક, મૂલ્યોદ્બોધક, આધ્યાત્મિકતા ભણી લઈ જનાર આત્મપ્રતીતિના ઉદ્ગાર તરીકે ઓળખે છે, જગત સાથેના સંઘર્ષમંથનમાંથી સારવેલા નવનીતરૂપ દર્શને તરીકે જાણે છે; એથી જ ‘આત્માનાં ખંડેર’ કૃતિ નાસ્તિકતાની અભિવ્યક્તિ નહીં પણ કવિની જીવનઆસ્થાની અભિવ્યક્તિ છે. અહી નાયકનું ચિત્ત સ્વસ્થ છે, અખંડ ને એકાગ્ર છે. એક રચના તરીકે જોઈશું તો ‘આત્માનાં ખંડેર’નાં સોનેટ જેવાં એક જ ભાવ-ભાવનાથી અન્વિત તેવાં માલામાં ચુસ્ત રીતે નિબુધ્ધ નથી લાગતાં. એમાં આપણી ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’ (સુન્દરમ્) કે ‘અનહદની સરહદે’ (ઉશનસ્) ને કદાચ ‘પ્રેમનો દિવસ’ (ઠાકોર) સોનેટમાળામાં છે તેવી તીવ્રતા ને સધનતાને અનુભવ થતો નથી.
‘આત્માનાં ખંડેર’ સોનેટમાલામાંના આવા વ્યક્તિના અંતિમ ઉદ્ઘાટને કવિ નાસ્તિવાચક નહિ, અસ્તિવાચક, મૂલ્યોદ્બોધક, આધ્યાત્મિકતા ભણી લઈ જનાર આત્મપ્રતીતિના ઉદ્ગાર તરીકે ઓળખે છે, જગત સાથેના સંઘર્ષમંથનમાંથી સારવેલા નવનીતરૂપ દર્શને તરીકે જાણે છે; એથી જ ‘આત્માનાં ખંડેર’ કૃતિ નાસ્તિકતાની અભિવ્યક્તિ નહીં પણ કવિની જીવનઆસ્થાની અભિવ્યક્તિ છે. અહી નાયકનું ચિત્ત સ્વસ્થ છે, અખંડ ને એકાગ્ર છે. એક રચના તરીકે જોઈશું તો ‘આત્માનાં ખંડેર’નાં સોનેટ જેવાં એક જ ભાવ-ભાવનાથી અન્વિત તેવાં માલામાં ચુસ્ત રીતે નિબુધ્ધ નથી લાગતાં. એમાં આપણી ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’ (સુન્દરમ્) કે ‘અનહદની સરહદે’ (ઉશનસ્) ને કદાચ ‘પ્રેમનો દિવસ’ (ઠાકોર) સોનેટમાળામાં છે તેવી તીવ્રતા ને સધનતાને અનુભવ થતો નથી.

Navigation menu