સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/વિવેચક પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:


{{Heading|વિવેચક પરિચય|}}
{{Heading|વિવેચક પરિચય|}}
 
[[File:Raman-Soani.jpg|center|200px]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
રમણ સોની બહુમુખી પ્રતિભાવાળા સાહિત્યકાર છે. અધ્યાપનમાં લાંબો સમય ગાળીને અત્યારે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિનો આનંદ માણે છે. ગુજરાતી વિવેચનમાં સાતમા આઠમા દાયકામાં પ્રવેશનાર રમણ સોની એક પ્રતિબદ્ધ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. એમને વિવેચન જગત સાફસૂથરી વિવેચના કરનાર તરીકે ઓળખે છે. સાતમા આઠમા દાયકામાં એમને ઉમાશંકર જોશી,  સુરેશ જોષી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી જેવા પૂર્વસૂરિઓની વિવેચનાનો આદર્શ સાંપડ્યો. આ સમયગાળાથી આરંભાયેલી એમની વિવેચનયાત્રા આજપર્યંત શરૂ છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમણે વિવેચન, સંપાદન ઉપરાંત અનુવાદ, નિબંધ, હાસ્ય એમ વિવિધ સાહિત્યસ્વરૂપોમાં પોતાની કલમ અજમાવી છે. એમનું વિવેચન મરમાળી અભિવ્યિક્તિ સાફસૂથરી લખાવટના કારણે ધ્યાનપાત્ર રહ્યું છે. એ વિવેચન માટે જે મુદ્દો પસંદ કરે છે તેનું મૂલ્ય સાહિત્યક્ષેત્રે અગત્યનું અને સમયોચિત હોય છે. એમના મનમાં લેખ લખ્યા પહેલા આગોતરું આયોજન હોય છે અને આ આયોજનને એ આરંભથી લઈ અંત સુધી પૂરેપૂરા વફાદાર રહે છે. આ ખાસિયતનો ગુજરાતી સાહિત્યના મોટાભાગના વિવેચકોમાં અભાવ જોવા મળે છે ત્યારે રમણ સોનીની વિવેચનાના આ વિશેષની ખાસ નોંધ લેવી રહી. એમના વિવરણમાં ક્યાંય રસળતાં કે મનમાં આવ્યાં એવાં વાયવ્ય વિધાનો આવતાં નથી. નિ:સંકોચપણે નિર્ભીક વિવેચન  કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે.  ‘પ્રત્યક્ષ’ નામના  માત્ર પુસ્તક-સમીક્ષાના સામયિકને દીર્ઘકાળ સુધી સંપાદિત કરનાર આ વિવેચકનું સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન રહ્યું છે.  
રમણ સોની બહુમુખી પ્રતિભાવાળા સાહિત્યકાર છે. અધ્યાપનમાં લાંબો સમય ગાળીને અત્યારે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિનો આનંદ માણે છે. ગુજરાતી વિવેચનમાં સાતમા આઠમા દાયકામાં પ્રવેશનાર રમણ સોની એક પ્રતિબદ્ધ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. એમને વિવેચન જગત સાફસૂથરી વિવેચના કરનાર તરીકે ઓળખે છે. સાતમા આઠમા દાયકામાં એમને ઉમાશંકર જોશી,  સુરેશ જોષી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી જેવા પૂર્વસૂરિઓની વિવેચનાનો આદર્શ સાંપડ્યો. આ સમયગાળાથી આરંભાયેલી એમની વિવેચનયાત્રા આજપર્યંત શરૂ છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમણે વિવેચન, સંપાદન ઉપરાંત અનુવાદ, નિબંધ, હાસ્ય એમ વિવિધ સાહિત્યસ્વરૂપોમાં પોતાની કલમ અજમાવી છે. એમનું વિવેચન મરમાળી અભિવ્યિક્તિ સાફસૂથરી લખાવટના કારણે ધ્યાનપાત્ર રહ્યું છે. એ વિવેચન માટે જે મુદ્દો પસંદ કરે છે તેનું મૂલ્ય સાહિત્યક્ષેત્રે અગત્યનું અને સમયોચિત હોય છે. એમના મનમાં લેખ લખ્યા પહેલા આગોતરું આયોજન હોય છે અને આ આયોજનને એ આરંભથી લઈ અંત સુધી પૂરેપૂરા વફાદાર રહે છે. આ ખાસિયતનો ગુજરાતી સાહિત્યના મોટાભાગના વિવેચકોમાં અભાવ જોવા મળે છે ત્યારે રમણ સોનીની વિવેચનાના આ વિશેષની ખાસ નોંધ લેવી રહી. એમના વિવરણમાં ક્યાંય રસળતાં કે મનમાં આવ્યાં એવાં વાયવ્ય વિધાનો આવતાં નથી. નિ:સંકોચપણે નિર્ભીક વિવેચન  કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે.  ‘પ્રત્યક્ષ’ નામના  માત્ર પુસ્તક-સમીક્ષાના સામયિકને દીર્ઘકાળ સુધી સંપાદિત કરનાર આ વિવેચકનું સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન રહ્યું છે.  

Navigation menu