31,395
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
(checked text replacement) |
||
| Line 4: | Line 4: | ||
[[File:Raman-Soani.jpg|center|200px]]<br> | [[File:Raman-Soani.jpg|center|200px]]<br> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રમણ સોની બહુમુખી પ્રતિભાવાળા સાહિત્યકાર છે. અધ્યાપનમાં લાંબો સમય ગાળીને અત્યારે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિનો આનંદ માણે છે. ગુજરાતી વિવેચનમાં | રમણ સોની બહુમુખી પ્રતિભાવાળા સાહિત્યકાર છે. અધ્યાપનમાં લાંબો સમય ગાળીને અત્યારે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિનો આનંદ માણે છે. ગુજરાતી વિવેચનમાં સાતમાઆઠમા દાયકામાં પ્રવેશનાર રમણ સોની એક પ્રતિબદ્ધ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. એમને વિવેચનજગત સાફસૂથરી વિવેચના કરનાર તરીકે ઓળખે છે. સાતમાઆઠમા દાયકામાં એમને ઉમાશંકર જોશી, સુરેશ જોષી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી જેવા પૂર્વસૂરિઓની વિવેચનાનો આદર્શ સાંપડ્યો. આ સમયગાળાથી આરંભાયેલી એમની વિવેચનયાત્રા આજપર્યંત ચાલુ છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમણે વિવેચન, સંપાદન ઉપરાંત અનુવાદ, પ્રવાસ, હાસ્યનિબંધ એમ વિવિધ સાહિત્યસ્વરૂપોમાં પોતાની કલમ અજમાવી છે. એમનું વિવેચન મરમાળી અભિવ્યિક્તિ સાફસૂથરી લખાવટના કારણે ધ્યાનપાત્ર રહ્યું છે. એ વિવેચન માટે જે મુદ્દો પસંદ કરે છે તેનું મૂલ્ય સાહિત્યક્ષેત્રે અગત્યનું અને સમયોચિત હોય છે. એમના મનમાં લેખ લખ્યા પહેલા આગોતરું આયોજન હોય છે અને આ આયોજનને એ આરંભથી લઈ અંત સુધી પૂરેપૂરા વફાદાર રહે છે. આ ખાસિયતનો ગુજરાતી સાહિત્યના મોટાભાગના વિવેચકોમાં અભાવ જોવા મળે છે ત્યારે રમણ સોનીની વિવેચનાના આ વિશેષની ખાસ નોંધ લેવી રહી. એમના વિવરણમાં ક્યાંય રસળતાં કે મનમાં આવ્યાં એવાં વાયવ્ય વિધાનો આવતાં નથી. નિ:સંકોચપણે નિર્ભીક વિવેચનકરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યોછે. ‘પ્રત્યક્ષ’નામના માત્ર પુસ્તક-સમીક્ષાના સામયિકને દીર્ઘકાળ સુધી સંપાદિત કરનાર આ વિવેચકનું સાહિત્યિકપત્રકારત્વના ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. | ||
એમની વિવેચનામાં એક અધિકારી વિવેચક તરીકે એમણે આપેલાં પ્રમાણ પ્રતીતિકર અને પ્રમાણભૂત હોય છે. એટલે એમના નિરીક્ષણને આપણે આ સમયગાળાનાં વિવેચનવલણો નક્કી કરવા માટે ઉપયોગમાં લઈએ તો વાંધો આવતો નથી, આ બાબત તેમને ગુજરાતી સાહિત્યના એક અદના વિવેચક ઠરાવે છે. | એમની વિવેચનામાં એક અધિકારી વિવેચક તરીકે એમણે આપેલાં પ્રમાણ પ્રતીતિકર અને પ્રમાણભૂત હોય છે. એટલે એમના નિરીક્ષણને આપણે આ સમયગાળાનાં વિવેચનવલણો નક્કી કરવા માટે ઉપયોગમાં લઈએ તો વાંધો આવતો નથી, આ બાબત તેમને ગુજરાતી સાહિત્યના એક અદના વિવેચક ઠરાવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|'''–પ્રવીણ કુકડિયા'''}} | {{right|'''–પ્રવીણ કુકડિયા'''}} | ||