ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
'''તેમનું વિલક્ષણ વ્યક્તિત્વ'''
'''તેમનું વિલક્ષણ વ્યક્તિત્વ'''
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણા અર્વાચીન સાહિત્યક્ષેત્રમાં નરસિંહરાવ એક વ્યક્તિ અને સાહિત્યકાર લેખે સાવ વિલક્ષણ તરી આવે છે. અસાધારણ પર્યેષક બુદ્ધિ અને પ્રખર સાક્ષરતા સાથે તેમનામાં ઉત્કટ સંવેદનશીલતાનો યોગ થયો હતો. તેમની આંતરચેતનાને અત્યંત સુંદર રીતે પ્રકાશિત કરી આપે એવી એક ઘટના તેમની ‘રોજનીશી’માંથી જ સાંપડે છે. પ્રસંગ આ પ્રમાણે છે :૧ “પેંટ-તા. ૪-૫-૧૯૦૦ શુક્રવાર : રાત્રે બંગલામાં દક્ષિણ વરંડામાં બેઠે બેઠે ફરતી ત્ર્યંબકની પર્વતમાળા ધુમ્મસમાં અને સુદ ચોથ પાંચમના ચંદ્રમાં અર્ધગૂઢ, અર્ધદૃશ્ય, તથા તેની અને આ પેંટ ગામની ઊભય ભૂમિ વચ્ચેની અનેક ખીણો તથા પર્વતોની ભૂલભૂલામણી, હાવી જ અદૃશ્ય અને અદૃશ્ય, જોતો જોતો ગંભીર આનંદમાં હું પડ્યો. ખરે, ખરા કવિની કવિતારચના પણ હાવી જ દૃશ્યાદૃશ્ય હોય છે, અને તો પછી ઉત્તમોત્તમ મહાન કવિની આ સૃષ્ટિરચના હાવી હોય હેમાં શી નવાઈ. આધ્યાત્મિક જગતના દૃશ્યાદૃશ્ય સ્વરૂપની કાંઈ ગૂઢ રચના કરનારી આ પ્રતિમૂર્તિ જ હોય એમ ભાસે છે. જગનિયંતા, જગદાત્મના મ્હારો આત્મા કાંઈ અસાધારણ ઉલ્લાસથી ઉત્સાહમય થઈ એ ગૂઢતાનો સ્પર્શ કરવાને અત્યહારે તત્પર થઈ રહ્યો છે. પણ ધુમ્મસનો પડદો ત્યારે છેદાશે? ત્હારા ચરણ આગળ હું, આ જીવનયાત્રા પૂરી કરીને, આવીશ ત્યારે જ. માટે હાલ તો દીન મૌનથી જ રહું. પેલા તારાઓ આ દૃશ્યાદૃશ્ય ગૂઢ તત્ત્વ જોઈ શકે છે. છતાં કહેવા માન ધરીને જોતા રહ્યા છે! તો પછી હું કોણ?” પ્રસ્તુત નિવેદનમાં નરસિંહરાવની રોમેન્ટિક મનોવૃત્તિનું કેવું સ્વચ્છ અને સુરેખ પ્રતિબિંબ ઝિલાયું છે! રહસ્યામયવૃત્ત પ્રકૃતિનાં સત્ત્વોમાં, કવિ નરસિંહરાવની પરમ ગૂઢ તત્ત્વની ઝંખના અને તેની ક્ષણિક ઝાંખી થતાં તેમનું આત્મનિવેદન કેવાં પ્રગટ થઈ ઊઠ્યાં છે! કહો કે તેમની કવિતાનો સ્રોત અને સાચી કવિતા વિશેની તેમની વિભાવના ય અહીં ધ્વનિત થઈ ઊઠ્યાં છે. ધુમ્મસના આવરણમાં અર્ધગૂઢ, અર્ધદૃશ્ય પ્રકૃતિ જે લોકોત્તર રહસ્યાનુભવ કરાવે છે એવો જ રહસ્યાનુભવ સાચી કવિતામાં ય થાય, થવો જોઈએ, એવી તેમની ભાવના ય અહીં મૂર્ત થઈ છે. અને કદાચ, તેમના આધ્યાત્મિક માનસનું ચિત્ર પણ અહીં પારદર્શક બન્યું છે. સાક્ષર નરસિંહરાવમાં વસેલા રોમેન્ટિક કવિની ગતિ એમાં જરૂર જોઈ શકાય.
આપણા અર્વાચીન સાહિત્યક્ષેત્રમાં નરસિંહરાવ એક વ્યક્તિ અને સાહિત્યકાર લેખે સાવ વિલક્ષણ તરી આવે છે. અસાધારણ પર્યેષક બુદ્ધિ અને પ્રખર સાક્ષરતા સાથે તેમનામાં ઉત્કટ સંવેદનશીલતાનો યોગ થયો હતો. તેમની આંતરચેતનાને અત્યંત સુંદર રીતે પ્રકાશિત કરી આપે એવી એક ઘટના તેમની ‘રોજનીશી’માંથી જ સાંપડે છે. પ્રસંગ આ પ્રમાણે છે :૧<ref>૧. ‘નરસિંહરાવની રોજનીશી’ : સં : ધનસુખલાલ મહેતા અને રામપ્રસાદ બક્ષી ગુજરાત વિદ્યાસભા-અમદાવાદ : આવૃત્તિ ૧લી : ઈ. સ. ૧૯૫૩ પૃ. ૧૬૦ <br>{{gap}}નોંધ : નરસિંહરાવને પોતાના વ્યવસાય અંગે મહારાષ્ટ્રમાં અનેક સ્થળે પ્રવાસ કરવાના પ્રસંગો આવેલા. એ પ્રદેશમાં ઠામ ઠામ વ્યાપેલા પ્રકૃતિના સૌંદર્યનું તેમણે આકંઠ પાન કર્યું હતું. પ્રકૃતિનાં રમ્ય ભવ્ય તત્ત્વોમાં તેમની ચેતના ઊંડો આનંદ અનુભવે છે. જાણે કશીક આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત થઈ હોય તેમ તેમની ચેતના ઉચ્ચ ભૂમિમાં વિહરતી જણાય છે. ‘રોજનીશી’માં આ પ્રકારના અનુભવોનાં અનેક બયાનો મળે છે. તેમની કાવ્યસિદ્ધિના પ્રશ્નને બાજુએ રાખીને એમ કહી શકાય કે તેમની જિંદગીમાં તેમણે પ્રકૃતિના સાન્નિધ્યમાં અનેક ક્ષણોએ શાંતિ, સમાધાન પ્રાપ્ત કર્યાં છે. ‘રોજનાશી’માં પૃ. ૪૨ પર પ્રકૃતિનું વર્ણન પણ એવી જ રહસ્યાનુભૂતિનું દ્યોતક હોઈ નોંધપાત્ર છે. “રાત્રે ધુમ્મસ પડ્યે જ જતું હતું. : ટપક ટપક અવાજ સંભળાતો હતો, અને ચન્દ્ર આખી રાત્ય આ પર્વતની ઝાડીમાં આંસુ પડતાં જોયા કરતો હતો. બધું શાન્ત હતું; નદી પણ શાન્ત હતી; માત્ર ખળખળ થતી એક ઠેકાણેથી ચાલ્યા જતી હતી. ખરું જોતાં શાન્તમાં શાન્ત સ્થિતિ તે પણ અશાન્ત સંચલનની જ સ્થિતિ છે. શાન્ત મધ્યરાત્રે પણ નદીઓ પોતાનો સતત પ્રવાહનો ઉદ્યોગ ચાલુ જ રાખે છે; સ્વપ્નમાં સૂતેલા જણાંતા પર્વતનાં અરણ્યો પણ શ્વાસોચ્છ્‌વાસ અને અનેક જીવજંતુના સંચલનથી અને પવન સાથે રમત કરતાં જાગતાં હોય છે.”</ref> “પેંટ-તા. ૪-૫-૧૯૦૦ શુક્રવાર : રાત્રે બંગલામાં દક્ષિણ વરંડામાં બેઠે બેઠે ફરતી ત્ર્યંબકની પર્વતમાળા ધુમ્મસમાં અને સુદ ચોથ પાંચમના ચંદ્રમાં અર્ધગૂઢ, અર્ધદૃશ્ય, તથા તેની અને આ પેંટ ગામની ઊભય ભૂમિ વચ્ચેની અનેક ખીણો તથા પર્વતોની ભૂલભૂલામણી, હાવી જ અદૃશ્ય અને અદૃશ્ય, જોતો જોતો ગંભીર આનંદમાં હું પડ્યો. ખરે, ખરા કવિની કવિતારચના પણ હાવી જ દૃશ્યાદૃશ્ય હોય છે, અને તો પછી ઉત્તમોત્તમ મહાન કવિની આ સૃષ્ટિરચના હાવી હોય હેમાં શી નવાઈ. આધ્યાત્મિક જગતના દૃશ્યાદૃશ્ય સ્વરૂપની કાંઈ ગૂઢ રચના કરનારી આ પ્રતિમૂર્તિ જ હોય એમ ભાસે છે. જગનિયંતા, જગદાત્મના મ્હારો આત્મા કાંઈ અસાધારણ ઉલ્લાસથી ઉત્સાહમય થઈ એ ગૂઢતાનો સ્પર્શ કરવાને અત્યહારે તત્પર થઈ રહ્યો છે. પણ ધુમ્મસનો પડદો ત્યારે છેદાશે? ત્હારા ચરણ આગળ હું, આ જીવનયાત્રા પૂરી કરીને, આવીશ ત્યારે જ. માટે હાલ તો દીન મૌનથી જ રહું. પેલા તારાઓ આ દૃશ્યાદૃશ્ય ગૂઢ તત્ત્વ જોઈ શકે છે. છતાં કહેવા માન ધરીને જોતા રહ્યા છે! તો પછી હું કોણ?” પ્રસ્તુત નિવેદનમાં નરસિંહરાવની રોમેન્ટિક મનોવૃત્તિનું કેવું સ્વચ્છ અને સુરેખ પ્રતિબિંબ ઝિલાયું છે! રહસ્યામયવૃત્ત પ્રકૃતિનાં સત્ત્વોમાં, કવિ નરસિંહરાવની પરમ ગૂઢ તત્ત્વની ઝંખના અને તેની ક્ષણિક ઝાંખી થતાં તેમનું આત્મનિવેદન કેવાં પ્રગટ થઈ ઊઠ્યાં છે! કહો કે તેમની કવિતાનો સ્રોત અને સાચી કવિતા વિશેની તેમની વિભાવના ય અહીં ધ્વનિત થઈ ઊઠ્યાં છે. ધુમ્મસના આવરણમાં અર્ધગૂઢ, અર્ધદૃશ્ય પ્રકૃતિ જે લોકોત્તર રહસ્યાનુભવ કરાવે છે એવો જ રહસ્યાનુભવ સાચી કવિતામાં ય થાય, થવો જોઈએ, એવી તેમની ભાવના ય અહીં મૂર્ત થઈ છે. અને કદાચ, તેમના આધ્યાત્મિક માનસનું ચિત્ર પણ અહીં પારદર્શક બન્યું છે. સાક્ષર નરસિંહરાવમાં વસેલા રોમેન્ટિક કવિની ગતિ એમાં જરૂર જોઈ શકાય.
નરસિંહરાવની સાહિત્યિક કારકિર્દીમાં તેમની કાવ્યપ્રવૃત્તિ એક વિલક્ષણ આવિષ્કાર બની રહે છે. છેક ઈ.સ. ૧૮૮૭માં પ્રગટ થયેલા તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’માં પ્રકૃતિનાં સત્ત્વો જ કાવ્યવિષય બન્યાં છે તે સ્વાભાવિક જણાય છે. પ્રકૃતિનાં કોઈ ને કોઈ સત્ત્વોમાં તેમણે ગૂઢ તત્ત્વની ઝાંખી કરવાની વૃત્તિ દાખવી છે. અને એમાં રુદ્ર કે ભવ્ય તત્ત્વ માટેનો આગ્રહ પણ વરતાઈ આવે છે. સાહિત્યના અભ્યાસીઓએ એમ પણ નોંધ્યું છે કે ‘કુસુમમાળા’ની રચનામાં અંગ્રેજ રોમેન્ટિક કવિઓ વર્ડ્‌ઝવર્થ, શેલી આદિની પ્રકૃતિવિષયક કવિતાઓનું અનુરણન સંભળાય છે. એમાંની કવિતાની રસસિદ્ધિની બાબતમાં તો તે જમાનાના વિદ્વાનોમાં ય ઘણાં મતમતાંતરો રહ્યા છે. (આપણે રમણભાઈ નીલકંઠની કાવ્યવિચારણાની તપાસ પહેલાં તેની પ્રાસ્તાવિક ચર્ચામાં એ વિશે થોડી ચર્ચા કરી છે.)૨ આમ છતાં, આપણે માટે અગત્યનો મુદ્દો એ છે કે ‘કુસુમમાળા’ની ઊર્મિકવિતા આપણી કવિતાના વિકાસમાં એક નવતર બળ બની છે. ઈ.સ. ૧૯૫૯માં નરસિંહરાવની જન્મશતાબ્દી પ્રસંગે બોલતાં ઉમાશંકર જોષીએ કહ્યું : “અર્વાચીન ઊર્મિકવિતાના પિતા નરસિંહરાવ છે. ‘કુસુમમાળા’ની બે વરસ પહેલાં પ્રગટ થયેલ બાલાશંકરનું ‘ક્‌લાન્ત કવિ’ એર્વાચીન ગુજરાતીનું પ્રથમ ઉત્તમ કાવ્ય છે, તેમ છતાં તે અર્વાચીન ગુજરાતી કવિતાની રફતારથી નિરાળું જ રહી જાય છે. બાલાશંકરને માર્ગે ગુજરાતી કવિતાની યાત્રા આગળ વધવા નિર્માઈ ન હતી. ન હતી બાલાશંકરની પાશ્ચાત્ય રીતની ઊર્મિકવિતા આપવાની સજ્જતા. કવિતામાં ઊંચી સિદ્ધિ મેળવનાર કેટલીક વાર કવિતારચનાના વહેણને વાળવામાં ભાગ ભજવતો હોતો નથી અને કવિતામાં સિદ્ધિ એટલી ન હોય તેવાને નવા ચીલા આંકવાનું ઐતિહાસિક મહત્ત્વ પ્રાપ્ત થતું હોય છે.”૩ અહીં ઉમાશંકર જોશીએ બાલાશંકરની કાવ્યસિદ્ધિનો સ્વીકાર કર્યો છે, પરંતુ બાલાશંકરની કવિતા આપણી કવિતાના વિકાસનું બળ બની શકી નથી એ મુદ્દો રેખાંકિત કરી આપ્યો છે, અને તેઓ પણ એમ માને છે કે નરસિંહરાવની કવિતામાં કાવ્યત્વની દૃષ્ટિએ ઊણપ છતાં આપણી નવી કવિતાને વિકાસદિશા એમાં જ પ્રકટ થાય છે.
નરસિંહરાવની સાહિત્યિક કારકિર્દીમાં તેમની કાવ્યપ્રવૃત્તિ એક વિલક્ષણ આવિષ્કાર બની રહે છે. છેક ઈ.સ. ૧૮૮૭માં પ્રગટ થયેલા તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’માં પ્રકૃતિનાં સત્ત્વો જ કાવ્યવિષય બન્યાં છે તે સ્વાભાવિક જણાય છે. પ્રકૃતિનાં કોઈ ને કોઈ સત્ત્વોમાં તેમણે ગૂઢ તત્ત્વની ઝાંખી કરવાની વૃત્તિ દાખવી છે. અને એમાં રુદ્ર કે ભવ્ય તત્ત્વ માટેનો આગ્રહ પણ વરતાઈ આવે છે. સાહિત્યના અભ્યાસીઓએ એમ પણ નોંધ્યું છે કે ‘કુસુમમાળા’ની રચનામાં અંગ્રેજ રોમેન્ટિક કવિઓ વર્ડ્‌ઝવર્થ, શેલી આદિની પ્રકૃતિવિષયક કવિતાઓનું અનુરણન સંભળાય છે. એમાંની કવિતાની રસસિદ્ધિની બાબતમાં તો તે જમાનાના વિદ્વાનોમાં ય ઘણાં મતમતાંતરો રહ્યા છે. (આપણે રમણભાઈ નીલકંઠની કાવ્યવિચારણાની તપાસ પહેલાં તેની પ્રાસ્તાવિક ચર્ચામાં એ વિશે થોડી ચર્ચા કરી છે.)૨<ref>૨. જુઓ પ્રકરણ-૯ : “રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા” પૃ. ૨૦૨–૨૦૪ </ref> આમ છતાં, આપણે માટે અગત્યનો મુદ્દો એ છે કે ‘કુસુમમાળા’ની ઊર્મિકવિતા આપણી કવિતાના વિકાસમાં એક નવતર બળ બની છે. ઈ.સ. ૧૯૫૯માં નરસિંહરાવની જન્મશતાબ્દી પ્રસંગે બોલતાં ઉમાશંકર જોષીએ કહ્યું : “અર્વાચીન ઊર્મિકવિતાના પિતા નરસિંહરાવ છે. ‘કુસુમમાળા’ની બે વરસ પહેલાં પ્રગટ થયેલ બાલાશંકરનું ‘ક્‌લાન્ત કવિ’ એર્વાચીન ગુજરાતીનું પ્રથમ ઉત્તમ કાવ્ય છે, તેમ છતાં તે અર્વાચીન ગુજરાતી કવિતાની રફતારથી નિરાળું જ રહી જાય છે. બાલાશંકરને માર્ગે ગુજરાતી કવિતાની યાત્રા આગળ વધવા નિર્માઈ ન હતી. ન હતી બાલાશંકરની પાશ્ચાત્ય રીતની ઊર્મિકવિતા આપવાની સજ્જતા. કવિતામાં ઊંચી સિદ્ધિ મેળવનાર કેટલીક વાર કવિતારચનાના વહેણને વાળવામાં ભાગ ભજવતો હોતો નથી અને કવિતામાં સિદ્ધિ એટલી ન હોય તેવાને નવા ચીલા આંકવાનું ઐતિહાસિક મહત્ત્વ પ્રાપ્ત થતું હોય છે.”૩<ref>૩. પ્રતિશબ્દ : વોરા એન્ડ કંપની પબ્લિશર્સ પ્રા. લિ. પ્રથમ આવૃત્તિ ૧૯૬૭ : પૃ. ૧૦૯–૧૧૦</ref> અહીં ઉમાશંકર જોશીએ બાલાશંકરની કાવ્યસિદ્ધિનો સ્વીકાર કર્યો છે, પરંતુ બાલાશંકરની કવિતા આપણી કવિતાના વિકાસનું બળ બની શકી નથી એ મુદ્દો રેખાંકિત કરી આપ્યો છે, અને તેઓ પણ એમ માને છે કે નરસિંહરાવની કવિતામાં કાવ્યત્વની દૃષ્ટિએ ઊણપ છતાં આપણી નવી કવિતાને વિકાસદિશા એમાં જ પ્રકટ થાય છે.
‘કુસુમમાળા’ પછી નરસિંહરાવની કાવ્યપ્રવૃત્તિ ઠીક ઠીક વિકસતી જાય છે. એને પરિણામે ‘હૃદયવીણા’ (પ્રકાશન ઈ.સ. ૧૮૯૬) અને ‘નૂપુરઝંકાર’ (ઈ.સ. ૧૯૧૪) જેવા બે કાવ્યસંગ્રહો ઉપરાંત, ‘સ્મરણસંહિતા’ જેવું કરુણપ્રશસ્તિકાવ્ય (ઈ.સ. ૧૯૧૫) અને ‘બુદ્ધચરિત’ જેવી અનુવાદિત કૃતિ (ઈ.સ. ૧૯૩૪) આપણને પ્રાપ્ત થયાં છે. એમાં ‘હૃદયવીણા’ અને ‘નૂપુરઝંકાર’માં તેમની કવિતાએ ઠીકઠીક વિકાસ દાખવ્યો છે. ખાસ કરીને, ‘નૂપુરઝંકાર’નાં ખંડકાવ્યોમાં તેમના ‘નિરૂપણની પુખ્તતા વધી છે’ એમ સુન્દરમે નોંધ્યું છે.૪ ‘સ્મરણસંહિતા’ એ રચના આપણા સાહિત્યની થોડીક ઉત્તમ કરુણપ્રશસ્તિઓમાંની એક છે. એમાં પુત્રના મૃત્યુ વિશે કવિ નરસિંહરાવનો ગૂઢ શોક રમણીય કાવ્યત્વ પામ્યો છે. એમાં નરસિંહરાવની કાવ્યકળાનાં લગભગ બધાં જ રમણીય તત્ત્વોનો સુભગ સમન્વય સધાયો છે. આમ, તેમની કાવ્યપ્રવૃત્તિ એક વિલક્ષણ આવિષ્કાર જેવી બની રહી છે. પરંતુ નરસિંહરાવની તેજસ્વી પ્રતિભા માત્ર કવિતાના ક્ષેત્રમાં જ સીમિત થઈ નથી. તેમણે કવિતા ઉપરાંત ગદ્યસાહિત્યમાં ઘણું મોટું અર્પણ કર્યું છે. વિવેચન, ભાષાશાસ્ત્ર, ચરિત્રસાહિત્ય, તત્ત્વવિચાર આદિ અનેક ક્ષેત્રોમાં તેમની સાક્ષરપ્રતિભા વિહાર કરતી રહી છે. અને એ સર્વમાં તેમના વિલક્ષણ વ્યક્તિત્વની મુદ્રા ઓછીવત્તી અંકિત થયેલી હોય છે. એ પૈકી ‘મનોમુકુર’ના ચાર ગ્રંથોમાં તેમનાં વિવેચનાત્મક લખાણો ગ્રંથસ્થ થયાં છે. જો કે એમાં કેટલાંક પ્રકીર્ણ લખાણો ય સ્થાન પામ્યાં છે. નરસિંહરાવે ઈ.સ. ૧૮૮૩થી ઈ.સ. ૧૯૩૪ના ગાળામાં કરેલાં ગ્રંથાવલોકનો અને તેમનાં કલા અને સાહિત્યને લગતી સિદ્ધાંતચર્ચા આ ચાર ભાગોમાં સમાઈ જાય છે. ‘સ્મરણમુકુર’ એ તેમનો વિલક્ષણ ગ્રંથ છે. એમાં તેમણે પોતાના સમકાલીન સાહિત્યકારો અને વ્યક્તિવિશેષોનો સુંદર રેખાચિત્રોમાં પરિચય કરાવ્યો છે. ‘અભિનયકલા’ એ તેમનો બીજો વિલક્ષણ ગ્રંથ છે. એમાં તેમણે રંગભૂમિ અને ખાસ તો અભિનયકલાને લગતી અભ્યાસપૂર્ણ ચર્ચાવિચારણા પ્રગટ કરી છે. વળી, ‘વિવર્તલીલા’ જેવા ગ્રંથમાં તેમની કેટલીક તત્ત્વચર્ચા જોવા મળે છે. આ બધા સાહિત્ય ઉપરાંત, તેમના સાહિત્યમાં “વિલ્સન ભાષાશાસ્ત્ર વિષયક વ્યાખ્યાનો” અતિ મૂલ્યવાન ગ્રંથો છે. આપણી ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિના મૂળભૂત નિયમોનું એમાં અતિ સૂક્ષ્મ અને વિદ્વત્તાપૂર્ણ નિરૂપણ થયું છે.
‘કુસુમમાળા’ પછી નરસિંહરાવની કાવ્યપ્રવૃત્તિ ઠીક ઠીક વિકસતી જાય છે. એને પરિણામે ‘હૃદયવીણા’ (પ્રકાશન ઈ.સ. ૧૮૯૬) અને ‘નૂપુરઝંકાર’ (ઈ.સ. ૧૯૧૪) જેવા બે કાવ્યસંગ્રહો ઉપરાંત, ‘સ્મરણસંહિતા’ જેવું કરુણપ્રશસ્તિકાવ્ય (ઈ.સ. ૧૯૧૫) અને ‘બુદ્ધચરિત’ જેવી અનુવાદિત કૃતિ (ઈ.સ. ૧૯૩૪) આપણને પ્રાપ્ત થયાં છે. એમાં ‘હૃદયવીણા’ અને ‘નૂપુરઝંકાર’માં તેમની કવિતાએ ઠીકઠીક વિકાસ દાખવ્યો છે. ખાસ કરીને, ‘નૂપુરઝંકાર’નાં ખંડકાવ્યોમાં તેમના ‘નિરૂપણની પુખ્તતા વધી છે’ એમ સુન્દરમે નોંધ્યું છે.૪<ref>૪. અર્વાચીન કવિતા : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૫૩ : પૃ. ૨૩૯</ref> ‘સ્મરણસંહિતા’ એ રચના આપણા સાહિત્યની થોડીક ઉત્તમ કરુણપ્રશસ્તિઓમાંની એક છે. એમાં પુત્રના મૃત્યુ વિશે કવિ નરસિંહરાવનો ગૂઢ શોક રમણીય કાવ્યત્વ પામ્યો છે. એમાં નરસિંહરાવની કાવ્યકળાનાં લગભગ બધાં જ રમણીય તત્ત્વોનો સુભગ સમન્વય સધાયો છે. આમ, તેમની કાવ્યપ્રવૃત્તિ એક વિલક્ષણ આવિષ્કાર જેવી બની રહી છે. પરંતુ નરસિંહરાવની તેજસ્વી પ્રતિભા માત્ર કવિતાના ક્ષેત્રમાં જ સીમિત થઈ નથી. તેમણે કવિતા ઉપરાંત ગદ્યસાહિત્યમાં ઘણું મોટું અર્પણ કર્યું છે. વિવેચન, ભાષાશાસ્ત્ર, ચરિત્રસાહિત્ય, તત્ત્વવિચાર આદિ અનેક ક્ષેત્રોમાં તેમની સાક્ષરપ્રતિભા વિહાર કરતી રહી છે. અને એ સર્વમાં તેમના વિલક્ષણ વ્યક્તિત્વની મુદ્રા ઓછીવત્તી અંકિત થયેલી હોય છે. એ પૈકી ‘મનોમુકુર’ના ચાર ગ્રંથોમાં તેમનાં વિવેચનાત્મક લખાણો ગ્રંથસ્થ થયાં છે. જો કે એમાં કેટલાંક પ્રકીર્ણ લખાણો ય સ્થાન પામ્યાં છે. નરસિંહરાવે ઈ.સ. ૧૮૮૩થી ઈ.સ. ૧૯૩૪ના ગાળામાં કરેલાં ગ્રંથાવલોકનો અને તેમનાં કલા અને સાહિત્યને લગતી સિદ્ધાંતચર્ચા આ ચાર ભાગોમાં સમાઈ જાય છે. ‘સ્મરણમુકુર’ એ તેમનો વિલક્ષણ ગ્રંથ છે. એમાં તેમણે પોતાના સમકાલીન સાહિત્યકારો અને વ્યક્તિવિશેષોનો સુંદર રેખાચિત્રોમાં પરિચય કરાવ્યો છે. ‘અભિનયકલા’ એ તેમનો બીજો વિલક્ષણ ગ્રંથ છે. એમાં તેમણે રંગભૂમિ અને ખાસ તો અભિનયકલાને લગતી અભ્યાસપૂર્ણ ચર્ચાવિચારણા પ્રગટ કરી છે. વળી, ‘વિવર્તલીલા’ જેવા ગ્રંથમાં તેમની કેટલીક તત્ત્વચર્ચા જોવા મળે છે. આ બધા સાહિત્ય ઉપરાંત, તેમના સાહિત્યમાં “વિલ્સન ભાષાશાસ્ત્ર વિષયક વ્યાખ્યાનો” અતિ મૂલ્યવાન ગ્રંથો છે. આપણી ગુજરાતી ભાષાની ઉત્ક્રાન્તિના મૂળભૂત નિયમોનું એમાં અતિ સૂક્ષ્મ અને વિદ્વત્તાપૂર્ણ નિરૂપણ થયું છે.
નરસિંહરાવના સમગ્ર સાહિત્યમાં તેમનું બહુશ્રુત જ્ઞાન, તેમની પર્યેષક સાક્ષરબુદ્ધિ અને તેમની અઠંગ અભ્યાસનિષ્ઠાનો સતત પરિચય થાય છે. તેમણે જે સિદ્ધાન્તચર્ચાઓ રજૂ કરી છે તેમાં અધ્યયનવિષયની વિસ્તૃત આમૂલ વિચારણા અને તેના સમર્થન માટે અનેક દાખલાદલીલો રજૂ કરવાનો તેમનો આગ્રહ વરતાઈ આવે છે. એકંદરે, તેમના ચિન્તનાત્મક ગદ્યમાં એક સમર્થ પર્યેષક પંડિત અને અઠંગ વિધાઅભ્યાસીનાં દર્શન થાય છે. જો કે તેમની વિચારણાઓમાં વિશેષતઃ ‘મનોમુકુર’ના ચાર ગ્રંથો અને ‘વિવર્તલીલા’માંની ચર્ચામાં, તેમનામાં રહેલા રોમેન્ટિક કવિનો પ્રબળ અભિનિવેશ છતો થઈ જાય છે. તેમણે કાવ્યમીમાંસા કરતાં અનેક પ્રસંગે હૃદયની પ્રતીતિમાંથી જન્મતા વિચારોને કાવ્યાત્મક રૂપ આપ્યું છે. રમણભાઈ નીલકંઠે પોતાની કાવ્યતત્ત્વવિચારણાને બુદ્ધિની ભૂમિકા પર જ પ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન કર્યો તો નરસિંહરાવમાં એ કાવ્યચર્ચા સહજ રમણીય કલ્પનામાં સરી પડતી દેખાય છે. (આપણે નરસિંહરાવની કાવ્યમીમાંસાની છણાવટ કરવાના પ્રસંગે યથાવાકાશ તેનો નિર્દેશ કરીશું). રમણભાઈની સાક્ષરપ્રતિભાથી નરસિંહરાવની વિલક્ષણતા દર્શાવતાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી નોંધે છે, “રમણભાઈ શુદ્ધ વિચારક છે; માત્ર બુદ્ધિની ભૂમિ ઉપર રહી સૂક્ષ્મ પર્યેષણ તે કરે છે. નરસિંહરાવની દૃષ્ટિ કવિની છે. એક ભાષાશાસ્ત્ર સિવાય કોઈ પણ વિષયમાં કેવળ વિજ્ઞાની કે વિચારક પેઠે ચિન્તન કરવામાં તેમને તૃપ્તિ થતી નથી. તેમનું આર્દ્ર હૃદય સુકુમાર લાગણીમાં, અદ્‌ભુત કલ્પનામાં રાચે છે. તેથી તેમની બધી વિચારણા ચિત્રમય રીતિમાં પ્રગટ થાય છે, અથવા તેને કવિતાની ભાવના દેવાય છે. વળી, તે ચિન્તનના પ્રાથમિક સ્વરૂપમાં હોય છે. તેથી મૂલ્યવાન છતાં કાચા માલ જેવી છે. ‘વિવર્તલીલા’નો આખો ગ્રંથ આ રીતિનું રમણીય નિદર્શન છે. તેનું એક ભેદસૂચક પરિણામ એ છે કે રમણભાઈને વાંચતાં રમણભાઈનું વ્યક્તિત્વ ભૂલી જવાય છે. નરસિંહરાવના વ્યક્તિત્વનો પરામર્શ ‘મનોકુમાર’માં, ‘સ્મરણમુકુર’માં, ‘વિવર્તલીલા’માં પદેપદે થાય છે. રમણભાઈની વાણીમાં બુદ્ધિનો નિશ્ચય છે; નરસિંહરાવમાં હૃદયની શ્રદ્ધા.”૫ પ્રસ્તુત ચર્ચામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નરસિંહરાવની પ્રતિભાની ઓળખ કરાવતાં એમ નોંધ્યું છે કે નરસિંહરાવમાં હૃદયની શ્રદ્ધા છે અને હકીકત તેમની કાવ્યમીમાંસાને સમજવામાં ઉપયોગી છે. આપણે તેમનાં વિવેચનાત્મક લખાણોમાંથી સૈદ્ધાન્તિક વિચારણાનું અવલોકન કરતાં જોઈશું કે તેમણે અનેક સ્થાને પોતાનાં મંતવ્યો હૃદયની પ્રતીતિરૂપે જ સીધેસીધાં રજૂ કર્યાં છે, અને રમણભાઈની જેમ, તેમાંથી શાસ્ત્રીય વિચાર વ્યાખ્યા કરવા કરતાં, પોતાનાં મન્તવ્યોનું પ્રસંગે પ્રસંગે પુનરાવર્તન જ કર્યું છે. એ કારણે તેમાંનાં સિદ્ધાંન્તચર્ચાનાં લખાણોમાં અનેક મૂળભૂત વિચારો ફરી ફરીને પ્રગટ થતા રહ્યા છે. એટલે આપણો પ્રયત્ન તો એ સર્વ લખાણોમાંથી તેમનો વિશિષ્ટ કાવ્યસિદ્ધાંત રચવાનો હશે.
નરસિંહરાવના સમગ્ર સાહિત્યમાં તેમનું બહુશ્રુત જ્ઞાન, તેમની પર્યેષક સાક્ષરબુદ્ધિ અને તેમની અઠંગ અભ્યાસનિષ્ઠાનો સતત પરિચય થાય છે. તેમણે જે સિદ્ધાન્તચર્ચાઓ રજૂ કરી છે તેમાં અધ્યયનવિષયની વિસ્તૃત આમૂલ વિચારણા અને તેના સમર્થન માટે અનેક દાખલાદલીલો રજૂ કરવાનો તેમનો આગ્રહ વરતાઈ આવે છે. એકંદરે, તેમના ચિન્તનાત્મક ગદ્યમાં એક સમર્થ પર્યેષક પંડિત અને અઠંગ વિધાઅભ્યાસીનાં દર્શન થાય છે. જો કે તેમની વિચારણાઓમાં વિશેષતઃ ‘મનોમુકુર’ના ચાર ગ્રંથો અને ‘વિવર્તલીલા’માંની ચર્ચામાં, તેમનામાં રહેલા રોમેન્ટિક કવિનો પ્રબળ અભિનિવેશ છતો થઈ જાય છે. તેમણે કાવ્યમીમાંસા કરતાં અનેક પ્રસંગે હૃદયની પ્રતીતિમાંથી જન્મતા વિચારોને કાવ્યાત્મક રૂપ આપ્યું છે. રમણભાઈ નીલકંઠે પોતાની કાવ્યતત્ત્વવિચારણાને બુદ્ધિની ભૂમિકા પર જ પ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન કર્યો તો નરસિંહરાવમાં એ કાવ્યચર્ચા સહજ રમણીય કલ્પનામાં સરી પડતી દેખાય છે. (આપણે નરસિંહરાવની કાવ્યમીમાંસાની છણાવટ કરવાના પ્રસંગે યથાવાકાશ તેનો નિર્દેશ કરીશું). રમણભાઈની સાક્ષરપ્રતિભાથી નરસિંહરાવની વિલક્ષણતા દર્શાવતાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી નોંધે છે, “રમણભાઈ શુદ્ધ વિચારક છે; માત્ર બુદ્ધિની ભૂમિ ઉપર રહી સૂક્ષ્મ પર્યેષણ તે કરે છે. નરસિંહરાવની દૃષ્ટિ કવિની છે. એક ભાષાશાસ્ત્ર સિવાય કોઈ પણ વિષયમાં કેવળ વિજ્ઞાની કે વિચારક પેઠે ચિન્તન કરવામાં તેમને તૃપ્તિ થતી નથી. તેમનું આર્દ્ર હૃદય સુકુમાર લાગણીમાં, અદ્‌ભુત કલ્પનામાં રાચે છે. તેથી તેમની બધી વિચારણા ચિત્રમય રીતિમાં પ્રગટ થાય છે, અથવા તેને કવિતાની ભાવના દેવાય છે. વળી, તે ચિન્તનના પ્રાથમિક સ્વરૂપમાં હોય છે. તેથી મૂલ્યવાન છતાં કાચા માલ જેવી છે. ‘વિવર્તલીલા’નો આખો ગ્રંથ આ રીતિનું રમણીય નિદર્શન છે. તેનું એક ભેદસૂચક પરિણામ એ છે કે રમણભાઈને વાંચતાં રમણભાઈનું વ્યક્તિત્વ ભૂલી જવાય છે. નરસિંહરાવના વ્યક્તિત્વનો પરામર્શ ‘મનોકુમાર’માં, ‘સ્મરણમુકુર’માં, ‘વિવર્તલીલા’માં પદેપદે થાય છે. રમણભાઈની વાણીમાં બુદ્ધિનો નિશ્ચય છે; નરસિંહરાવમાં હૃદયની શ્રદ્ધા.”૫<ref>૫. અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય : મુંબઈ યુનિવર્સિટી : આવૃત્તિ પ્રથમ : ઈ.સ. ૧૯૫૦, પૃ. ૮૬</ref> પ્રસ્તુત ચર્ચામાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નરસિંહરાવની પ્રતિભાની ઓળખ કરાવતાં એમ નોંધ્યું છે કે નરસિંહરાવમાં હૃદયની શ્રદ્ધા છે અને હકીકત તેમની કાવ્યમીમાંસાને સમજવામાં ઉપયોગી છે. આપણે તેમનાં વિવેચનાત્મક લખાણોમાંથી સૈદ્ધાન્તિક વિચારણાનું અવલોકન કરતાં જોઈશું કે તેમણે અનેક સ્થાને પોતાનાં મંતવ્યો હૃદયની પ્રતીતિરૂપે જ સીધેસીધાં રજૂ કર્યાં છે, અને રમણભાઈની જેમ, તેમાંથી શાસ્ત્રીય વિચાર વ્યાખ્યા કરવા કરતાં, પોતાનાં મન્તવ્યોનું પ્રસંગે પ્રસંગે પુનરાવર્તન જ કર્યું છે. એ કારણે તેમાંનાં સિદ્ધાંન્તચર્ચાનાં લખાણોમાં અનેક મૂળભૂત વિચારો ફરી ફરીને પ્રગટ થતા રહ્યા છે. એટલે આપણો પ્રયત્ન તો એ સર્વ લખાણોમાંથી તેમનો વિશિષ્ટ કાવ્યસિદ્ધાંત રચવાનો હશે.
નરસિંહરાવની વિપુલ વિવેચનામાં ગ્રંથાવલોકનો તેમ સાહિત્ય-તત્ત્વચર્ચા (અને કેટલીક કલાતત્ત્વવિચારણા ) સ્થાન પામ્યાં છે. ગઈ સદીનો છેલ્લો દોઢેક દાયકો અને આ સદીના ત્રણ દાયકા સુધી ચાલેલી તેમની વિવેચનપ્રવૃત્તિ આપણા સાહિત્યક્ષેત્રમાં એક મહત્ત્વનું ઘડતરબળ બની જણાય છે. તેમણે આપણી મધ્યકાલીન કવિતાને ય મૂલવી છે અને અર્વાચીન યુગના આરંભથી રચાવા લાગેલી નવી કવિતાને ય અવલોકી છે. ન્હાનાલાલ, ખબરદાર, બળવંતરાય ઠાકોર કે કનૈયાલાલ મુનશી જેવા અનેક સાહિત્યસર્જકોની કોઈ ને કોઈ કૃતિનું તેમણે વિસ્તૃત પાંડિત્યપૂર્ણ અવલોકન કર્યું છે. અને આવશ્યક લાગે ત્યાં એ સાહિત્યકારોની પ્રાણપ્રતિષ્ઠા કરી છે. ત્રીસીના પ્રમુખ કવિ ઉમાશંકર જોશીના ‘વિશ્વશાંતિ’ કાવ્યનો સત્કાર પણ તેમણે જ કરેલો. આમ, આપણી અર્વાચીન કવિતાના અનેકવિધ ઉન્મેષોની કડક પરીક્ષા તેમના દ્વારા થયેલી છે. એને આપણે એમ કહી શકીએ કે તેમણે એક પ્રખર ન્યાયાધીશની અદાથી આપણી સાહિત્યપ્રવૃત્તિનાં વૃત્તિલક્ષણો વિશે અનેક પ્રસંગે ચુકાદાઓ આપ્યા છે. ન્હાનાલાલની ‘ડોલનશૈલી’ વિશેનો તેમનો અભિપ્રાય કે ચુકાદો એનું એક જવલંત ઉદાહરણ છે. તેમની પીઢ વિવેચક તરીકેની આણ આ સદીના ગાંધીયુગના આરંભ સુધી પ્રવર્તતી રહી છે. તે જોતાં લાગે છે કે તેમની વિવેચના આપણા સાહિત્યનું ખરેખર એક મોટું પ્રભાવક બળ બની રહી છે
નરસિંહરાવની વિપુલ વિવેચનામાં ગ્રંથાવલોકનો તેમ સાહિત્ય-તત્ત્વચર્ચા (અને કેટલીક કલાતત્ત્વવિચારણા ) સ્થાન પામ્યાં છે. ગઈ સદીનો છેલ્લો દોઢેક દાયકો અને આ સદીના ત્રણ દાયકા સુધી ચાલેલી તેમની વિવેચનપ્રવૃત્તિ આપણા સાહિત્યક્ષેત્રમાં એક મહત્ત્વનું ઘડતરબળ બની જણાય છે. તેમણે આપણી મધ્યકાલીન કવિતાને ય મૂલવી છે અને અર્વાચીન યુગના આરંભથી રચાવા લાગેલી નવી કવિતાને ય અવલોકી છે. ન્હાનાલાલ, ખબરદાર, બળવંતરાય ઠાકોર કે કનૈયાલાલ મુનશી જેવા અનેક સાહિત્યસર્જકોની કોઈ ને કોઈ કૃતિનું તેમણે વિસ્તૃત પાંડિત્યપૂર્ણ અવલોકન કર્યું છે. અને આવશ્યક લાગે ત્યાં એ સાહિત્યકારોની પ્રાણપ્રતિષ્ઠા કરી છે. ત્રીસીના પ્રમુખ કવિ ઉમાશંકર જોશીના ‘વિશ્વશાંતિ’ કાવ્યનો સત્કાર પણ તેમણે જ કરેલો. આમ, આપણી અર્વાચીન કવિતાના અનેકવિધ ઉન્મેષોની કડક પરીક્ષા તેમના દ્વારા થયેલી છે. એને આપણે એમ કહી શકીએ કે તેમણે એક પ્રખર ન્યાયાધીશની અદાથી આપણી સાહિત્યપ્રવૃત્તિનાં વૃત્તિલક્ષણો વિશે અનેક પ્રસંગે ચુકાદાઓ આપ્યા છે. ન્હાનાલાલની ‘ડોલનશૈલી’ વિશેનો તેમનો અભિપ્રાય કે ચુકાદો એનું એક જવલંત ઉદાહરણ છે. તેમની પીઢ વિવેચક તરીકેની આણ આ સદીના ગાંધીયુગના આરંભ સુધી પ્રવર્તતી રહી છે. તે જોતાં લાગે છે કે તેમની વિવેચના આપણા સાહિત્યનું ખરેખર એક મોટું પ્રભાવક બળ બની રહી છે
કાવ્યતત્ત્વવિચારણાના ક્ષેત્રમાં નરસિંહરાવની ચર્ચાવિચારણા પણ એટલી જ, બલ્કે એથી વધુ મહત્ત્વની જણાય છે. તેમણે કવિતાની ઉત્પત્તિ અને તેના સ્વરૂપની બાબતમાં આગવી સૂઝ કેળવેલી છે. અલબત્ત, તેમના સમકાલીન રમણભાઈની કાવ્યચર્ચા જોડે સરખાવવામાં તેમની કાવ્યવિચારણામાં કેટલુંક મૂલગત સામ્ય પણ છે. ખાસ કરીને તેમણે ટૂંકા ઊર્મિકાવ્ય વિશેની જે વિભાવના રજૂ કરી તેની વિચારણામાં અનેક ખ્યાલો રમણભાઈની જોડે તંતોતંત સંબંધ પણ દાખવે છે. નરસિંહરાવની કાવ્યભાવના પર પણ અંગ્રેજ રોમેન્ટિક કવિઓનો જ વધુ પ્રભાવ રહ્યો છે. અહીં એક વાત એ પણ નોંધવી જોઈએ કે તેમણે “રસિક કલાઓ” (Fine Arts)નું સ્વરૂપ, ‘સૌંદર્ય’નો તત્ત્વવિચાર, પાશ્ચાત્ય ‘સૌન્દર્ય’ અને ભારતીય અલંકારશાસ્ત્રના ‘રસ’ના સંપ્રત્યયનો સંબંધ આદિ કલામીમાંસાના અનેક પ્રશ્નોને પોતાની રીતે છણવાનો પ્રયત્ન કર્યો છે. ‘મનોમુકુર’ના ગ્રંથોમાંની તેમની વિવેચના ઉપરાંત ‘અભિનયકલા’, ‘વિવર્તલીલા’ અને ‘રોજનીશી’ની નોંધોમાંય, તેમની કવિતા અને અન્ય કલા વિષયક પર્યેષણાના ફલરૂપે કોઈ ને કોઈ મુદ્દાની ચર્ચા સાંપડે છે. એ સર્વ લખાણોને સમગ્રતયા અવલોકતાં એમ લાગે છે કે તેમના ચિત્તમાં વિવેચનાને અનુલક્ષીને અનેક પાયાના પ્રશ્નો સતત ઘોળાતા રહ્યા છે. કાવ્યશાસ્ત્ર અને કલામીમાંસાના પાયાના અનેક પ્રશ્નો છણવાનો તેમણે મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન કર્યો છે.
કાવ્યતત્ત્વવિચારણાના ક્ષેત્રમાં નરસિંહરાવની ચર્ચાવિચારણા પણ એટલી જ, બલ્કે એથી વધુ મહત્ત્વની જણાય છે. તેમણે કવિતાની ઉત્પત્તિ અને તેના સ્વરૂપની બાબતમાં આગવી સૂઝ કેળવેલી છે. અલબત્ત, તેમના સમકાલીન રમણભાઈની કાવ્યચર્ચા જોડે સરખાવવામાં તેમની કાવ્યવિચારણામાં કેટલુંક મૂલગત સામ્ય પણ છે. ખાસ કરીને તેમણે ટૂંકા ઊર્મિકાવ્ય વિશેની જે વિભાવના રજૂ કરી તેની વિચારણામાં અનેક ખ્યાલો રમણભાઈની જોડે તંતોતંત સંબંધ પણ દાખવે છે. નરસિંહરાવની કાવ્યભાવના પર પણ અંગ્રેજ રોમેન્ટિક કવિઓનો જ વધુ પ્રભાવ રહ્યો છે. અહીં એક વાત એ પણ નોંધવી જોઈએ કે તેમણે “રસિક કલાઓ” (Fine Arts)નું સ્વરૂપ, ‘સૌંદર્ય’નો તત્ત્વવિચાર, પાશ્ચાત્ય ‘સૌન્દર્ય’ અને ભારતીય અલંકારશાસ્ત્રના ‘રસ’ના સંપ્રત્યયનો સંબંધ આદિ કલામીમાંસાના અનેક પ્રશ્નોને પોતાની રીતે છણવાનો પ્રયત્ન કર્યો છે. ‘મનોમુકુર’ના ગ્રંથોમાંની તેમની વિવેચના ઉપરાંત ‘અભિનયકલા’, ‘વિવર્તલીલા’ અને ‘રોજનીશી’ની નોંધોમાંય, તેમની કવિતા અને અન્ય કલા વિષયક પર્યેષણાના ફલરૂપે કોઈ ને કોઈ મુદ્દાની ચર્ચા સાંપડે છે. એ સર્વ લખાણોને સમગ્રતયા અવલોકતાં એમ લાગે છે કે તેમના ચિત્તમાં વિવેચનાને અનુલક્ષીને અનેક પાયાના પ્રશ્નો સતત ઘોળાતા રહ્યા છે. કાવ્યશાસ્ત્ર અને કલામીમાંસાના પાયાના અનેક પ્રશ્નો છણવાનો તેમણે મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન કર્યો છે.
આપણા સાહિત્યના ઇતિહાસમાં નરસિંહરાવની કાવ્યપ્રવૃત્તિ કરતાં યે તેમની વિવેચનપ્રવૃત્તિ વિશેષ મહત્ત્વની છે એવો એક મત આપણા પ્રસિદ્ધ કવિ-વિવેચક સુંદરમે દર્શાવ્યો છે. ‘અર્વાચીન કવિતા’માં નરસિંહરાવની સમસ્ત કવિતાપ્રવૃત્તિની આલોચના કરી અંતે તેઓ નોંધે છે, “ગુજરાતી કવિતાના ઇતિહાસમાં નરસિંહરાવનું સ્થાન પ્રતિભાશીલ કવિ કરતાં કવિતાના એક અતિ સહૃદય ભક્ત તરીકેનું, એક ઘણા ઉચ્ચાગ્રહી કળાભક્ત તરીકેનું વિશેષ રહેશે. તેમણે ઘણા ઉમળકાપૂર્વક અર્વાચીન ગુજરાતી કવિતાની પ્રશસ્ય એવી વિવેચના આપી છે અને તેમનું એ કાર્ય તેમની કવિતા જેટલું જ મહત્ત્વનું છે. તેમને હાથે ગુજરાતી અર્વાચીન કવિતાના બધા ઉન્મેષો પુરસ્કાર, સત્કાર, અંજલી કે કડક નિરીક્ષણ પામ્યા છે. જો કે એ પ્રવૃત્તિમાં તેમણે કેટલીક વાર ગાણિતિક શાસ્ત્રજડતા, તથા કેટલાક અનુચિત રુચિપ્રવાહો બતાવેલા છે, તેમનું અવલોકન પૂરતું વ્યાપક પણ નથી બનેલું, છતાં તેમની, વિવેચનપ્રવૃત્તિ સમગ્રતાએ ઘણી મૂલ્યવાન છે. તેમની વિવેચનાએ અર્વાચીન કવિતાને વિકસાવવામાં તેમની કવિતા કરતાં યે વધારે ફાળો આપ્યો છે.”૬ સુંદરમ્‌નું આ મંતવ્ય એકંદરે સાચું લાગે છે. નરસિંહરાવની ઊર્મિકવિતા દ્વારા આપણી કવિતાનો નવો ઉન્મેષ પ્રગટ્યો એ સાચું, પણ તેથી વિશેષ તો તેમની વિવેચનાનું મહત્ત્વ છે. આપણી અર્વાચીન કવિતાના ઘડતરમાં તેમની વિવેચના એક અતિ મોટું બળ બની રહે છે.
આપણા સાહિત્યના ઇતિહાસમાં નરસિંહરાવની કાવ્યપ્રવૃત્તિ કરતાં યે તેમની વિવેચનપ્રવૃત્તિ વિશેષ મહત્ત્વની છે એવો એક મત આપણા પ્રસિદ્ધ કવિ-વિવેચક સુંદરમે દર્શાવ્યો છે. ‘અર્વાચીન કવિતા’માં નરસિંહરાવની સમસ્ત કવિતાપ્રવૃત્તિની આલોચના કરી અંતે તેઓ નોંધે છે, “ગુજરાતી કવિતાના ઇતિહાસમાં નરસિંહરાવનું સ્થાન પ્રતિભાશીલ કવિ કરતાં કવિતાના એક અતિ સહૃદય ભક્ત તરીકેનું, એક ઘણા ઉચ્ચાગ્રહી કળાભક્ત તરીકેનું વિશેષ રહેશે. તેમણે ઘણા ઉમળકાપૂર્વક અર્વાચીન ગુજરાતી કવિતાની પ્રશસ્ય એવી વિવેચના આપી છે અને તેમનું એ કાર્ય તેમની કવિતા જેટલું જ મહત્ત્વનું છે. તેમને હાથે ગુજરાતી અર્વાચીન કવિતાના બધા ઉન્મેષો પુરસ્કાર, સત્કાર, અંજલી કે કડક નિરીક્ષણ પામ્યા છે. જો કે એ પ્રવૃત્તિમાં તેમણે કેટલીક વાર ગાણિતિક શાસ્ત્રજડતા, તથા કેટલાક અનુચિત રુચિપ્રવાહો બતાવેલા છે, તેમનું અવલોકન પૂરતું વ્યાપક પણ નથી બનેલું, છતાં તેમની, વિવેચનપ્રવૃત્તિ સમગ્રતાએ ઘણી મૂલ્યવાન છે. તેમની વિવેચનાએ અર્વાચીન કવિતાને વિકસાવવામાં તેમની કવિતા કરતાં યે વધારે ફાળો આપ્યો છે.”૬<ref>૬. ‘અર્વાચીન કવિતા’ : ગુજરાત વિદ્યાસભાઃ અમદાવાદઃ આવૃત્તિ બીજી ઈ.સ. ૧૯૫૩, પૃ. ૨૪૬</ref> સુંદરમ્‌નું આ મંતવ્ય એકંદરે સાચું લાગે છે. નરસિંહરાવની ઊર્મિકવિતા દ્વારા આપણી કવિતાનો નવો ઉન્મેષ પ્રગટ્યો એ સાચું, પણ તેથી વિશેષ તો તેમની વિવેચનાનું મહત્ત્વ છે. આપણી અર્વાચીન કવિતાના ઘડતરમાં તેમની વિવેચના એક અતિ મોટું બળ બની રહે છે.
નરસિંહરાવની વિવેચનામાંના કાવ્યવિચારનું વિગતે અવલોકન આરંભીએ તે પૂર્વે અહીં તેમની વિવેચનપ્રવૃત્તિ અંગે એક બે બાબતો નોંધવાની જરૂર છે. પ્રથમ તો, આગળ નોંધ્યું છે તેમ, નરસિંહરાવની કાવ્યચર્ચા રમણભાઈની જેમ બૌદ્ધિક વિચારણાનો વ્યવસ્થિત ઉપક્રમ દાખવતી લાગતી નથી. તેમણે કેટલીક વાર કાવ્યચર્ચાના પ્રશ્નોને સીધે-સીધા રજૂ કર્યા છે, કેટલીક વાર કોઈક પ્રાસંગિક વિચારણા નિમિત્તે તેની સૈદ્ધાન્તિક ભૂમિકા બાંધી છે, તો કેટલીક વાર આપણી કાવ્યપ્રવૃત્તિનાં અવલોકનો નિમિત્તે તેને માટે આવશ્યક કાવ્યવિચાર સ્પષ્ટ કરી લેવાનો ઇરાદો રાખ્યો જણાય છે. પરિણામે, તેમની કાવ્યચર્ચા, તેમના ચાર સાડા ચાર જેટલા દાયકાના ગાળાનાં જુદાં-જુદાં લખાણોમાં વ્યસ્તરૂપમાં પથરાયેલી પડી જણાય છે. તેમની કાવ્યભાવના ફરી ફરીને સ્પષ્ટ થતી રહી છે. અથવા તેમાંના કોઈ ને કોઈ મુદ્દાઓ જુદા જુદા સંદર્ભમાં પુનર્વ્યાખ્યા પામતા રહ્યા છે. વળી જુદી જુદી વિચારણાના સંદર્ભમાં તેમણે તેમની કાવ્યચર્ચાના કોઈ એક યા બીજા પાસા પર ભાર મૂક્યો છે. એટલે તેમનો ઇષ્ટ કાવ્યવિચાર સમજવાને તેમની વિસ્તૃત કાવ્યચર્ચામાં પ્રધાન સ્થાન લેતાં વિશિષ્ટ કાવ્યતત્ત્વોને વધુ લક્ષમાં લેવાં જોઈએ.
નરસિંહરાવની વિવેચનામાંના કાવ્યવિચારનું વિગતે અવલોકન આરંભીએ તે પૂર્વે અહીં તેમની વિવેચનપ્રવૃત્તિ અંગે એક બે બાબતો નોંધવાની જરૂર છે. પ્રથમ તો, આગળ નોંધ્યું છે તેમ, નરસિંહરાવની કાવ્યચર્ચા રમણભાઈની જેમ બૌદ્ધિક વિચારણાનો વ્યવસ્થિત ઉપક્રમ દાખવતી લાગતી નથી. તેમણે કેટલીક વાર કાવ્યચર્ચાના પ્રશ્નોને સીધે-સીધા રજૂ કર્યા છે, કેટલીક વાર કોઈક પ્રાસંગિક વિચારણા નિમિત્તે તેની સૈદ્ધાન્તિક ભૂમિકા બાંધી છે, તો કેટલીક વાર આપણી કાવ્યપ્રવૃત્તિનાં અવલોકનો નિમિત્તે તેને માટે આવશ્યક કાવ્યવિચાર સ્પષ્ટ કરી લેવાનો ઇરાદો રાખ્યો જણાય છે. પરિણામે, તેમની કાવ્યચર્ચા, તેમના ચાર સાડા ચાર જેટલા દાયકાના ગાળાનાં જુદાં-જુદાં લખાણોમાં વ્યસ્તરૂપમાં પથરાયેલી પડી જણાય છે. તેમની કાવ્યભાવના ફરી ફરીને સ્પષ્ટ થતી રહી છે. અથવા તેમાંના કોઈ ને કોઈ મુદ્દાઓ જુદા જુદા સંદર્ભમાં પુનર્વ્યાખ્યા પામતા રહ્યા છે. વળી જુદી જુદી વિચારણાના સંદર્ભમાં તેમણે તેમની કાવ્યચર્ચાના કોઈ એક યા બીજા પાસા પર ભાર મૂક્યો છે. એટલે તેમનો ઇષ્ટ કાવ્યવિચાર સમજવાને તેમની વિસ્તૃત કાવ્યચર્ચામાં પ્રધાન સ્થાન લેતાં વિશિષ્ટ કાવ્યતત્ત્વોને વધુ લક્ષમાં લેવાં જોઈએ.
અહીં એક વાત એ પણ નોંધવી જોઈએ કે નરસિંહરાવની વિવેચન-પદ્ધતિ તેમની સૈદ્ધાન્તિક ભૂમિકાનું સ્પષ્ટ આકલન કરવામાં થોડી અંતરાયરૂપ બનતી જણાય છે. તેમણે પોતાનાં લખાણોમાં અનેક સ્થાને મુખ્ય વિષયની સાથે સાથે અનેક ગૌણ અને પ્રાસંગિક મુદ્દાઓને ફરી ફરીને વણી લીધા છે. એમાં ક્યારેક તો મુખ્ય વિષયનો કેન્દ્રીય વિચારતંતુ વિચ્છિન્ન થઈ જતો જણાય છે. તો ક્યારેક ગૌણ મુદ્દાઓ એક જ લેખમાં ફરી ફરીને ઘૂંટાતા દેખાય છે. આ કારણે તેમની કાવ્યચર્ચા વધુ ને વધુ વિસ્તારી અને વ્યસ્ત રૂપની બની છે. ઉ.ત. ઈ.સ. ૧૮૯૮માં લખાયેલા “કવિતા અને સંગીત” લેખમાં તેમનું મુખ્ય વક્તવ્ય તો “પ્રયોજિત સંગીત” (Applied Music)નું સ્વરૂપ અને તેનો આદર્શ રજૂ કરવાનું છે. પણ એ પ્રશ્ન નિમિત્તે તેમણે રસિક કલાઓનું સ્વરૂપ, સૌંદર્યતત્ત્વની વ્યાખ્યા, ભવ્ય, ઉન્નત કે સુંદરતત્ત્વરૂપ સૌંદર્યની વિભિન્ન કોટિઓ આદિ ગૌણ મુદ્દાઓને ય વિગતે ચર્ચવાનો આગ્રહ રાખ્યો છે. એમાં પાશ્ચાત્ત્વ દેશોની કવિતા અને સંગીતના ઐતિહાસિક સંબંધોનો પ્રશ્ન એકથી વધુ વાર રજૂ થયો છે. પરિણામે એમાંનો પ્રયોજિત સંગીતનો કેન્દ્રસ્થ મુદ્દો તો ઠીક ઠીક વ્યસ્ત બની જાય છે. (વળી, આ લેખમાં સ્પર્શાયેલા અનેક મુદ્દાઓ તેમની ઉત્તરકાલીન કાવ્યચર્ચામાં અનેક સ્થાને પુનરાવર્તન પામતા રહ્યા છે.) આ જ રીતે તેમનો બીજો મહત્ત્વનો લેખ “કાવ્યની શરીરઘટના” પણ વિસ્તારી અને વિકેન્દ્રિત બન્યો જણાય છે. આ સંજોગોમાં નરસિંહરાવની કાવ્યભાવના સમજવાને તેમનાં વિવેચનાત્મક લખાણોમાં પથરાઈને પડેલા મૂલ્યવાન વિચારોનું યથાર્થ પરિપેક્ષ્યમાં આક્લન થવું જરૂરી છે. આપણો પ્રયત્ન નરસિંહરાવની સમગ્ર કાવ્યચર્ચાના સંદર્ભમાંથી તેમનો ઇષ્ટ કાવ્યવિચાર તારવવાનો રહેશે. એમાં જે જે વિચારણા વિકાસ દાખવતી રહી હોય તેનો ય સમુચિત નિર્દેશ કરીશું અને એ રીતે, નરસિંહરાવની કાવ્યચર્ચાની ઉત્તમ સિદ્ધિઓને પામવા પ્રયત્ન કરીશું.
અહીં એક વાત એ પણ નોંધવી જોઈએ કે નરસિંહરાવની વિવેચન-પદ્ધતિ તેમની સૈદ્ધાન્તિક ભૂમિકાનું સ્પષ્ટ આકલન કરવામાં થોડી અંતરાયરૂપ બનતી જણાય છે. તેમણે પોતાનાં લખાણોમાં અનેક સ્થાને મુખ્ય વિષયની સાથે સાથે અનેક ગૌણ અને પ્રાસંગિક મુદ્દાઓને ફરી ફરીને વણી લીધા છે. એમાં ક્યારેક તો મુખ્ય વિષયનો કેન્દ્રીય વિચારતંતુ વિચ્છિન્ન થઈ જતો જણાય છે. તો ક્યારેક ગૌણ મુદ્દાઓ એક જ લેખમાં ફરી ફરીને ઘૂંટાતા દેખાય છે. આ કારણે તેમની કાવ્યચર્ચા વધુ ને વધુ વિસ્તારી અને વ્યસ્ત રૂપની બની છે. ઉ.ત. ઈ.સ. ૧૮૯૮માં લખાયેલા “કવિતા અને સંગીત” લેખમાં તેમનું મુખ્ય વક્તવ્ય તો “પ્રયોજિત સંગીત” (Applied Music)નું સ્વરૂપ અને તેનો આદર્શ રજૂ કરવાનું છે. પણ એ પ્રશ્ન નિમિત્તે તેમણે રસિક કલાઓનું સ્વરૂપ, સૌંદર્યતત્ત્વની વ્યાખ્યા, ભવ્ય, ઉન્નત કે સુંદરતત્ત્વરૂપ સૌંદર્યની વિભિન્ન કોટિઓ આદિ ગૌણ મુદ્દાઓને ય વિગતે ચર્ચવાનો આગ્રહ રાખ્યો છે. એમાં પાશ્ચાત્ત્વ દેશોની કવિતા અને સંગીતના ઐતિહાસિક સંબંધોનો પ્રશ્ન એકથી વધુ વાર રજૂ થયો છે. પરિણામે એમાંનો પ્રયોજિત સંગીતનો કેન્દ્રસ્થ મુદ્દો તો ઠીક ઠીક વ્યસ્ત બની જાય છે. (વળી, આ લેખમાં સ્પર્શાયેલા અનેક મુદ્દાઓ તેમની ઉત્તરકાલીન કાવ્યચર્ચામાં અનેક સ્થાને પુનરાવર્તન પામતા રહ્યા છે.) આ જ રીતે તેમનો બીજો મહત્ત્વનો લેખ “કાવ્યની શરીરઘટના” પણ વિસ્તારી અને વિકેન્દ્રિત બન્યો જણાય છે. આ સંજોગોમાં નરસિંહરાવની કાવ્યભાવના સમજવાને તેમનાં વિવેચનાત્મક લખાણોમાં પથરાઈને પડેલા મૂલ્યવાન વિચારોનું યથાર્થ પરિપેક્ષ્યમાં આક્લન થવું જરૂરી છે. આપણો પ્રયત્ન નરસિંહરાવની સમગ્ર કાવ્યચર્ચાના સંદર્ભમાંથી તેમનો ઇષ્ટ કાવ્યવિચાર તારવવાનો રહેશે. એમાં જે જે વિચારણા વિકાસ દાખવતી રહી હોય તેનો ય સમુચિત નિર્દેશ કરીશું અને એ રીતે, નરસિંહરાવની કાવ્યચર્ચાની ઉત્તમ સિદ્ધિઓને પામવા પ્રયત્ન કરીશું.
Line 22: Line 22:
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહરાવના વિવેચનસાહિત્યમાં (અને તેમનાં અન્ય ચિંતનાત્મક લખાણમાં) ‘રસિક કલાઓ’ (Fine Arts) અને સૌંદર્યતત્ત્વને લગતી ચર્ચાવિચારણા ધ્યાનપાત્ર સ્થાન રોકે છે. ખાસ કરીને, ‘મનોમુકુર’ના ચાર ગ્રંથોનાં લખાણોમાં, ‘વિવર્તલીલા’ના ચિન્તનાત્મક ગદ્યમાં અને ‘રોજનીશી’નાં ટાંચણિયાં લખાણોમાં, પ્રસંગોપાત્ત, આ વિષયની ચર્ચાવિચારણા સાંપડે છે. એમાંની કેટલીક વિચારણા સર્વથા સ્વતંત્ર રૂપમાં વિકસી છે, તો કેટલીક વિચારણા કાવ્યમીમાંસાના કોઈ ને કોઈ પ્રશ્નની ચર્ચાના સંદર્ભમાં વિકસી છે. (આગળ નોધ્યું છે તેમ તેમની આ પ્રકારની વિચારણામાં ઘણુંબધું પુનરાવર્તન થયેલું છે. અને એ પણ ખાસ્સો પથરાટ દર્શાવે છે.) પણ તે કરતાંય વધુ તો, તેમણે એ રસિક કલાઓ અને સૌન્દર્યવિચારને જે રીતે કાવ્યચર્ચામાં સાંકળવાનો પ્રયત્ન કર્યો છે તે હકીકત વિશેષ ધ્યાનપાત્ર જણાય છે. આપણા કાવ્યવિવેચનના ઇતિહાસમાં એ એક અતિ મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન જણાય છે.
નરસિંહરાવના વિવેચનસાહિત્યમાં (અને તેમનાં અન્ય ચિંતનાત્મક લખાણમાં) ‘રસિક કલાઓ’ (Fine Arts) અને સૌંદર્યતત્ત્વને લગતી ચર્ચાવિચારણા ધ્યાનપાત્ર સ્થાન રોકે છે. ખાસ કરીને, ‘મનોમુકુર’ના ચાર ગ્રંથોનાં લખાણોમાં, ‘વિવર્તલીલા’ના ચિન્તનાત્મક ગદ્યમાં અને ‘રોજનીશી’નાં ટાંચણિયાં લખાણોમાં, પ્રસંગોપાત્ત, આ વિષયની ચર્ચાવિચારણા સાંપડે છે. એમાંની કેટલીક વિચારણા સર્વથા સ્વતંત્ર રૂપમાં વિકસી છે, તો કેટલીક વિચારણા કાવ્યમીમાંસાના કોઈ ને કોઈ પ્રશ્નની ચર્ચાના સંદર્ભમાં વિકસી છે. (આગળ નોધ્યું છે તેમ તેમની આ પ્રકારની વિચારણામાં ઘણુંબધું પુનરાવર્તન થયેલું છે. અને એ પણ ખાસ્સો પથરાટ દર્શાવે છે.) પણ તે કરતાંય વધુ તો, તેમણે એ રસિક કલાઓ અને સૌન્દર્યવિચારને જે રીતે કાવ્યચર્ચામાં સાંકળવાનો પ્રયત્ન કર્યો છે તે હકીકત વિશેષ ધ્યાનપાત્ર જણાય છે. આપણા કાવ્યવિવેચનના ઇતિહાસમાં એ એક અતિ મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન જણાય છે.
પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસા (Aesthetics)માં જેને સામાન્ય રીતે Fine Arts તરીકે ઓળખવામાં આવે છે એ માટે નરસિંહરાવે “રસિક કલાઓ” એ શબ્દપ્રયોગ યોજ્યો છે, અને તે પણ સાભિપ્રાય જ.૭ તેમના મતે કવિતા, સંગીત, ચિત્ર, શિલ્પ એ સર્વ કળાઓમાં૮ ‘રસ’ તત્ત્વ એ જ એક સર્વસાધારણ તત્ત્વ છે. આ સર્વ કળોઓને તેના વ્યાવર્તક એવા રસતત્ત્વથી જ ઓળખી શકાય છે. અને એ ખ્યાલને લક્ષમાં રાખીને તેમણે ‘રસિકકલાઓ’ એવો શબ્દપ્રયોગ યોજ્યો છે. આપણે માટે કદાચ મહત્ત્વની હકીકત એ છે કે અહીં નરસિંહરાવે ‘રસ’ના સંપ્રત્યયને કવિતા ઉપરાંત અન્ય કળાઓ જોડે સાંકળ્યો છે, સભાનપણે સાંકળ્યો છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં પ્રથમ નાટ્ય અને પાછળથી કવિતાના જીવાતુભૂત તત્ત્વ લેખે પ્રતિષ્ઠા પામેલું રસતત્ત્વ અહીં સર્વ કલાઓનો સંદર્ભમાં સ્થાન પામ્યું છે, એ હકીકત નોંધપાત્ર છે.
પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસા (Aesthetics)માં જેને સામાન્ય રીતે Fine Arts તરીકે ઓળખવામાં આવે છે એ માટે નરસિંહરાવે “રસિક કલાઓ” એ શબ્દપ્રયોગ યોજ્યો છે, અને તે પણ સાભિપ્રાય જ.૭<ref>૭. “કવિતા, સંગીત, ચિત્ર, શિલ્પ-સર્વ કલાઓમાં એક સમાનસૂત્ર રૂપે, તત્ત્વ છે; તે કયું? રસ અને રસિકકલા એમ સંજ્ઞા એ સર્વે કલાઓ માટે આ કારણથી આપવામાં આવી છે.” – ‘મનોમુકુર - ભાગ-૩’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : આવૃત્તિ ૧લી : ઈ.સ. ૧૯૩૭ : (‘પ્રકૃતિ અને કલા’) : પૃ. ૨૫૬.</ref> તેમના મતે કવિતા, સંગીત, ચિત્ર, શિલ્પ એ સર્વ કળાઓમાં૮<ref>૮. નરસિંહરાવની કળા મીમાંસામાં, ઘણું કરીને કવિતા, સંગીત, ચિત્ર, શિલ્પપ્રસંગો, નૃત્ય આદિ કળાઓનો જ નિર્દેશ જોવા મળે છે. એ જોતાં એમ લાગે છે કે સ્થાપત્ય-કળાને તેઓ પોતાની કળામીમાંસામાં સ્થાન આપતા નથી.</ref> ‘રસ’ તત્ત્વ એ જ એક સર્વસાધારણ તત્ત્વ છે. આ સર્વ કળોઓને તેના વ્યાવર્તક એવા રસતત્ત્વથી જ ઓળખી શકાય છે. અને એ ખ્યાલને લક્ષમાં રાખીને તેમણે ‘રસિકકલાઓ’ એવો શબ્દપ્રયોગ યોજ્યો છે. આપણે માટે કદાચ મહત્ત્વની હકીકત એ છે કે અહીં નરસિંહરાવે ‘રસ’ના સંપ્રત્યયને કવિતા ઉપરાંત અન્ય કળાઓ જોડે સાંકળ્યો છે, સભાનપણે સાંકળ્યો છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં પ્રથમ નાટ્ય અને પાછળથી કવિતાના જીવાતુભૂત તત્ત્વ લેખે પ્રતિષ્ઠા પામેલું રસતત્ત્વ અહીં સર્વ કલાઓનો સંદર્ભમાં સ્થાન પામ્યું છે, એ હકીકત નોંધપાત્ર છે.
ભારતીય ‘રસ’ના સંપ્રત્યયને તેમણે એકથી વધુ સ્થાને પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસાના સૌંદર્યતત્ત્વ જોડે સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે તે નોંધપાત્ર છે. ‘પ્રકૃતિ અને કલા’ એ લેખમાં તેઓ કહે છે : “રસનું બીજ તો સૌંદર્યમાં જડે છે.”૯ તેમનું આ વિધાન ખૂબ જ માર્મિક દૃષ્ટિવાળું જણાય છે. અહીં તેમણે ‘રસ’ અને ‘સૌંદર્ય’ એ બે તત્ત્વો વચ્ચે જીવાતુભૂત સંબંધ હોવાનું સૂચવ્યું છે. સૌંદર્ય એ બીજભૂત અણવિકસિત તત્ત્વ છે, તો રસ એ તેમાંથી જ વિકસતું, પ્રફુલ્લતું અને પરિણત થતું તત્ત્વ છે. રસ એ સૌંદર્યબીજનો જ સૂક્ષ્મ સંકુલ વિકસિત ભાવ છે. બીજા શબ્દોમાં કહીએ તો સૌંદર્ય અને રસ એ બંને વિશિષ્ટ રૂપનો ચૈતન્યબોધ છે. પણ સૌંદર્ય એ અપરણિત રૂપ છે તો રસ એમાંથી જ પરિણિત પામેલું સંકુલ તત્ત્વ છે. નરસિંહરાવની સૌંદર્યમીમાંસામાં આ એક મૂલ્યવાન અંશ છે. અહીં ભારતીય ‘રસ’ અને પાશ્ચાત્ય ‘સૌંદર્ય’ તત્ત્વને સાંકળવાનો પ્રશસ્ય પ્રયત્ન થયો છે.૧૦
ભારતીય ‘રસ’ના સંપ્રત્યયને તેમણે એકથી વધુ સ્થાને પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસાના સૌંદર્યતત્ત્વ જોડે સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે તે નોંધપાત્ર છે. ‘પ્રકૃતિ અને કલા’ એ લેખમાં તેઓ કહે છે : “રસનું બીજ તો સૌંદર્યમાં જડે છે.”૯<ref>૯. મનોમુકુર : ભા. ૩ : (આગળ નિર્દેશેલી આવૃત્તિ) : પૃ. ૨૫૬</ref> તેમનું આ વિધાન ખૂબ જ માર્મિક દૃષ્ટિવાળું જણાય છે. અહીં તેમણે ‘રસ’ અને ‘સૌંદર્ય’ એ બે તત્ત્વો વચ્ચે જીવાતુભૂત સંબંધ હોવાનું સૂચવ્યું છે. સૌંદર્ય એ બીજભૂત અણવિકસિત તત્ત્વ છે, તો રસ એ તેમાંથી જ વિકસતું, પ્રફુલ્લતું અને પરિણત થતું તત્ત્વ છે. રસ એ સૌંદર્યબીજનો જ સૂક્ષ્મ સંકુલ વિકસિત ભાવ છે. બીજા શબ્દોમાં કહીએ તો સૌંદર્ય અને રસ એ બંને વિશિષ્ટ રૂપનો ચૈતન્યબોધ છે. પણ સૌંદર્ય એ અપરણિત રૂપ છે તો રસ એમાંથી જ પરિણિત પામેલું સંકુલ તત્ત્વ છે. નરસિંહરાવની સૌંદર્યમીમાંસામાં આ એક મૂલ્યવાન અંશ છે. અહીં ભારતીય ‘રસ’ અને પાશ્ચાત્ય ‘સૌંદર્ય’ તત્ત્વને સાંકળવાનો પ્રશસ્ય પ્રયત્ન થયો છે.૧૦<ref>૧૦. નોંધ : આ પૂર્વે નવલરામે પણ સૌંદર્ય અને રસતત્ત્વને સાંકળવાનો એક પ્રયત્ન કરેલો. જુઓ પ્રકરણ ૪માં પૃ. ૧૫૭-૯ ની ચર્ચા.</ref>
“કવિતા અને સંગીત” લેખમાં નરસિંહરાવે સૌંદર્યની ભવ્ય, ઉન્નત અને સુન્દર એ ત્રણ કોટીઓ૧૧ સ્વીકારી તેને રસતત્ત્વ જોડે સાંકળવાનો યત્ન કર્યો છે.”... રસિકકલાના વિષયો તરીકે ભવ્ય, ઉન્નત અને સુન્દર, એ તત્ત્વો જે વખતે વપરાય છે – કલાનો વ્યાપાર એ તત્ત્વો ઉપર જે વખતે ચાલે છે—તે વખતે તો એ ત્રણે તત્ત્વોમાં અંતર્ગૂઢ રહેલો અંશ- રસનિષ્પાદક અંશ—સૌંદર્યનો જ હોય છે.”૧૨ અહીં પણ તેઓ ‘સૌંદર્ય’ ને ‘રસનિષ્પાદક’ લેખાવે છે. ભવ્ય, ઉન્નત અને સુંદર એ ત્રણેમાં વ્યાપક સૌંદર્યતત્ત્વ જ રસતત્ત્વોના મૂળમાં રહ્યુ છે એ ખ્યાલ અહીં પ્રતિષ્ઠિત થયો છે.૧૩
“કવિતા અને સંગીત” લેખમાં નરસિંહરાવે સૌંદર્યની ભવ્ય, ઉન્નત અને સુન્દર એ ત્રણ કોટીઓ૧૧<ref>૧૧. આ વિશે આગળ ઉપર વિગતે વિચારણા કરવાનો ઉપક્રમ છે.</ref> સ્વીકારી તેને રસતત્ત્વ જોડે સાંકળવાનો યત્ન કર્યો છે.”... રસિકકલાના વિષયો તરીકે ભવ્ય, ઉન્નત અને સુન્દર, એ તત્ત્વો જે વખતે વપરાય છે – કલાનો વ્યાપાર એ તત્ત્વો ઉપર જે વખતે ચાલે છે—તે વખતે તો એ ત્રણે તત્ત્વોમાં અંતર્ગૂઢ રહેલો અંશ- રસનિષ્પાદક અંશ—સૌંદર્યનો જ હોય છે.”૧૨<ref>૧૨. મનોમુકુર ભા. ૪ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : આવૃત્તિ ૧લી : ઈ.સ. ૧૯૩૮ પૃ. ૪૩.</ref> અહીં પણ તેઓ ‘સૌંદર્ય’ ને ‘રસનિષ્પાદક’ લેખાવે છે. ભવ્ય, ઉન્નત અને સુંદર એ ત્રણેમાં વ્યાપક સૌંદર્યતત્ત્વ જ રસતત્ત્વોના મૂળમાં રહ્યુ છે એ ખ્યાલ અહીં પ્રતિષ્ઠિત થયો છે.૧૩<ref>૧૩. નરસિંહરાવે આનંદશંકરની એક ચર્ચાના અનુસંધાનમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં નોંધ્યું છે તે આ હકીકતનું સમર્થન કરે છે.
“But one may contend that he has to take the word Beauty to represent this common principle for want of a better expression, and that Beauty or this common principle (which may be well indicated by our word રસ or રસતત્ત્વ) is not the same as what marks out the Beautyful as a distinct division. N.B.D.” – એજન પૃ. ૪૨.</ref>
અહીં એક સ્પષ્ટતા કરી લેવી જોઈએ. ઉપરોક્ત વિચારણામાં ‘રસ’ અને ‘સૌંદર્ય’ એ બે તત્ત્વોને સાંકળવાનો અહીં જે પ્રયત્ન છે તેમાં એ બંને તત્ત્વોનું ચોક્કસ અધિષ્ઠાન તે પ્રકૃત્તિ, કૃતિ કે ભાવક એ વિશે નિરાકરણ નથી. આપણે આગળ ઉપર તેમની અન્ય ચર્ચાવિચારણાનું અવલોકન કરતાં જોઈશું કે તેમણે સૌંદર્યને પ્રકૃતિમાં તેમ કળાકૃતિમાં અધિષ્ઠાનભૂત તત્ત્વ ગણ્યું છે. તો રસને કળાકૃતિમાં તેમ ભાવકમાં અધિષ્ઠાનભૂત ગણ્યું છે. એટલે તેમની એ વિશેની વિચારણામાં આરંભથી જ કોઈ પૂર્વનિશ્ચિત ભૂમિકા સ્વીકારીને ચાલવાનું યોગ્ય નથી.
અહીં એક સ્પષ્ટતા કરી લેવી જોઈએ. ઉપરોક્ત વિચારણામાં ‘રસ’ અને ‘સૌંદર્ય’ એ બે તત્ત્વોને સાંકળવાનો અહીં જે પ્રયત્ન છે તેમાં એ બંને તત્ત્વોનું ચોક્કસ અધિષ્ઠાન તે પ્રકૃત્તિ, કૃતિ કે ભાવક એ વિશે નિરાકરણ નથી. આપણે આગળ ઉપર તેમની અન્ય ચર્ચાવિચારણાનું અવલોકન કરતાં જોઈશું કે તેમણે સૌંદર્યને પ્રકૃતિમાં તેમ કળાકૃતિમાં અધિષ્ઠાનભૂત તત્ત્વ ગણ્યું છે. તો રસને કળાકૃતિમાં તેમ ભાવકમાં અધિષ્ઠાનભૂત ગણ્યું છે. એટલે તેમની એ વિશેની વિચારણામાં આરંભથી જ કોઈ પૂર્વનિશ્ચિત ભૂમિકા સ્વીકારીને ચાલવાનું યોગ્ય નથી.
સંભવતઃ પ્રાચીન ગ્રીકોની વિચારણાને અનુસરીને, નરસિંહરાવે, આ બ્રહ્માંડમાં સત્ય, શ્રેય અને સૌંદર્ય એ ત્રણ તત્ત્વો વ્યાપી રહ્યાં હોવાનું સ્વીકાર્યુ છે. “આ બ્રહ્માંડમાં વ્યાપી રહેલાં સત્ય, સૌંદર્ય અને શ્રેય (Truth Beauty and Good)નાં તત્ત્વોનું દર્શન તે દર્શનને મૂર્ત રૂપ આપવાનાં સાધનોમાં સર્વથી શ્રેષ્ઠ વાણી છે; છતાં એ ગૂઢ તત્ત્વોની અપ્રાપ્યતા હેવી છે કે વાણીમાં તેનું પૂર્ણ પ્રતિબિંબ આપવા જતે વાણી અસમર્થ બનીને અટકી પડે છે. આ ત્રણે તત્ત્વોનો પરસ્પર સંબન્ધ જોનારા ચિન્તકો ત્રણેને એકરૂપ માને છેઃ પરંતુ અન્વેષણમાં એ ભિન્ન દર્શન કરવાથી સગવડ થાય છે. માટે આપણે રસાન્વેષણોના પ્રસંગ માટે સૌંદર્યતત્ત્વને જ આજ જોઈશું”૧૪ અહીં નરસિંહરાવે સત્ય, સૌંદર્ય અને શ્રેયને એક બિંદુએ એકરૂપ થતાં સ્વીકાર્યાં છે, પણ અન્વેષણની સગવડ ખાતર તેમણે સૌંદર્યને અલગ તત્ત્વ લેખે તારવ્યું છે. આ તત્ત્વ ગૂઢ સૂક્ષ્મ છે અને તેને સ્થૂળ વાણી કે અન્ય ઉપાદાનો દ્વારા ‘પ્રકટ’ કરવાનું દુષ્કર છે. આમ, સૌંદર્યની લોકોત્તરતાનો તેમણે મૂળથી જ સ્વીકાર કર્યો છે એ હકીકત ખૂબ જ નોંધપાત્ર છે. તેમની રસિક કલોઓની કે કાવ્ય તત્ત્વવિચારની ચર્ચામાં આ મૂળભૂત ભૂમિકા સર્વત્ર જોવા મળે છે.
સંભવતઃ પ્રાચીન ગ્રીકોની વિચારણાને અનુસરીને, નરસિંહરાવે, આ બ્રહ્માંડમાં સત્ય, શ્રેય અને સૌંદર્ય એ ત્રણ તત્ત્વો વ્યાપી રહ્યાં હોવાનું સ્વીકાર્યુ છે. “આ બ્રહ્માંડમાં વ્યાપી રહેલાં સત્ય, સૌંદર્ય અને શ્રેય (Truth Beauty and Good)નાં તત્ત્વોનું દર્શન તે દર્શનને મૂર્ત રૂપ આપવાનાં સાધનોમાં સર્વથી શ્રેષ્ઠ વાણી છે; છતાં એ ગૂઢ તત્ત્વોની અપ્રાપ્યતા હેવી છે કે વાણીમાં તેનું પૂર્ણ પ્રતિબિંબ આપવા જતે વાણી અસમર્થ બનીને અટકી પડે છે. આ ત્રણે તત્ત્વોનો પરસ્પર સંબન્ધ જોનારા ચિન્તકો ત્રણેને એકરૂપ માને છેઃ પરંતુ અન્વેષણમાં એ ભિન્ન દર્શન કરવાથી સગવડ થાય છે. માટે આપણે રસાન્વેષણોના પ્રસંગ માટે સૌંદર્યતત્ત્વને જ આજ જોઈશું”૧૪<ref>૧૪. મનોમુકુર : ભા. ૩ : (‘કાવ્યની શરીરઘટના’) : પૃ. ૨૭૦</ref> અહીં નરસિંહરાવે સત્ય, સૌંદર્ય અને શ્રેયને એક બિંદુએ એકરૂપ થતાં સ્વીકાર્યાં છે, પણ અન્વેષણની સગવડ ખાતર તેમણે સૌંદર્યને અલગ તત્ત્વ લેખે તારવ્યું છે. આ તત્ત્વ ગૂઢ સૂક્ષ્મ છે અને તેને સ્થૂળ વાણી કે અન્ય ઉપાદાનો દ્વારા ‘પ્રકટ’ કરવાનું દુષ્કર છે. આમ, સૌંદર્યની લોકોત્તરતાનો તેમણે મૂળથી જ સ્વીકાર કર્યો છે એ હકીકત ખૂબ જ નોંધપાત્ર છે. તેમની રસિક કલોઓની કે કાવ્ય તત્ત્વવિચારની ચર્ચામાં આ મૂળભૂત ભૂમિકા સર્વત્ર જોવા મળે છે.
રસિક કલાઓનો સૌંદર્ય જોડેનો સંબંધ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરતાં તેઓ કહે છે કે : “સર્વ રસિકકલા-કવિતાઓ, ચિત્રકલા, સંગીત, ઇત્યાદિ રસિકકલાઓ—સૌંદર્યના તત્ત્વનું દર્શન કરનાર કલાવિધાયકની કૃતિમાં થતા એ તત્ત્વના પ્રકટીકરણની ચર્ચા કરે છે.૧૫ પ્રસ્તુત વિધાનમાં તેમણે યોજેલા એક પાયાના સંપ્રત્યય ‘પ્રકટીકરણ’ની વ્યાખ્યા કરતાં તેઓ આગળ કહે છે : “પ્રકટીકરણ શબ્દ અહીં હેતુપુરઃસર હું વાપરું છું. સંસ્કૃત વ્યાકરણમાં અભ્ત તદભાવેચ્ચિઃ એમ પ્રત્યય વાપરતાં જે ના હોય તે તહેવું બને એ અર્થ દર્શાવાય છે, તે આ પ્રકટીકરણમાં અર્થ છેઃ જે પ્રકટ નહિં તે પ્રકટ કરવું, એટલે કે જે ગૂઢ તત્ત્વ સામાન્ય જનને પ્રત્યક્ષ ના થાય, પ્રકટ ના હોય, તેને પ્રકટ પ્રત્યક્ષવત્‌ કરવું : આ અર્થની સાથે એ તત્ત્વને પ્રગટ કરવાની વાણીની અસમર્થતા પણ ત્ત્વ પ્રત્યયના રૂપમાં સૂચવાય છે.”૧૬ અહીં નરસિંહરાવે ‘પ્રકટીકરણ’૧૭ એ શબ્દને જે રીતે સ્પષ્ટ કર્યો તેમાં રસિક કલાઓના સ્વરૂપ અને કાર્યના વિચારને અણસારો મળી રહે છે. બ્રહ્માંડમાં જે ગૂઢ લોકોત્તર સૌંદર્યતત્ત્વ સર્વવ્યાપી બનીને રહ્યું છે તેને કવિની પ્રતિભા આકલિત કરવા સમર્થ હોય છે. સામાન્ય માનવીની સ્થૂળ દૃષ્ટિ માટે જે સૌંદર્ય અપ્રત્યક્ષ છે તેને સર્જકની પ્રતિભા સહજમાં જ પ્રત્યક્ષ કરી લે છે.૧૮ વળી સર્જકપ્રતિભાનો વિશેષ તો એ પ્રત્યક્ષ થયેલા સૌંદર્યતત્ત્વને કળાકૃતિનું રૂપ અર્પવામાં રહ્યો છે. વળી, આ સૌંદર્યતત્ત્વ સ્વયં એક સૂક્ષ્મ તત્ત્વ છે. અને તેથી તેને ભાષા (કે રંગરેખા આદિ સ્થૂળ ઉપાદાનો)માં ‘પ્રકટ’ કરવાનું દુષ્કર છે.૧૯ બીજા શબ્દોમાં કહીએ તો, સૌંદર્ય જેવું અતિ સૂક્ષ્મ તત્ત્વ સ્થૂળ ઉપાદાનોમાં ‘પ્રકટ’ કરવા જતાં તેનું અખિલ રૂપ ઉપલબ્ધ કરવાનું મુશ્કેલ છે. નરસિંહરાવની પ્રસ્તુત ચર્ચાવિચારણા-માંથી ત્રણ મુખ્ય મુદ્દાઓ ફલિત થાય છે. (અ) સૌંદર્ય એ સર્વ બ્રહ્માંડમાં વ્યાપી રહેલું અતિ સૂક્ષ્મ તત્ત્વ છે. (બ) એ સૂક્ષ્મ તત્ત્વનું આકલન સર્જક-પ્રતિભા દ્વારા જ સંભવે છે. (ક) એ સૂક્ષ્મ તત્ત્વને સ્થૂળ ઉપાદાનોમાં ‘પ્રકટ’ કરવાનું મુશ્કેલ છે.
રસિક કલાઓનો સૌંદર્ય જોડેનો સંબંધ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરતાં તેઓ કહે છે કે : “સર્વ રસિકકલા-કવિતાઓ, ચિત્રકલા, સંગીત, ઇત્યાદિ રસિકકલાઓ—સૌંદર્યના તત્ત્વનું દર્શન કરનાર કલાવિધાયકની કૃતિમાં થતા એ તત્ત્વના પ્રકટીકરણની ચર્ચા કરે છે.૧૫<ref>૧૫. એજન : પૃ. ૨૭૦</ref> પ્રસ્તુત વિધાનમાં તેમણે યોજેલા એક પાયાના સંપ્રત્યય ‘પ્રકટીકરણ’ની વ્યાખ્યા કરતાં તેઓ આગળ કહે છે : “પ્રકટીકરણ શબ્દ અહીં હેતુપુરઃસર હું વાપરું છું. સંસ્કૃત વ્યાકરણમાં અભ્ત તદભાવેચ્ચિઃ એમ પ્રત્યય વાપરતાં જે ના હોય તે તહેવું બને એ અર્થ દર્શાવાય છે, તે આ પ્રકટીકરણમાં અર્થ છેઃ જે પ્રકટ નહિં તે પ્રકટ કરવું, એટલે કે જે ગૂઢ તત્ત્વ સામાન્ય જનને પ્રત્યક્ષ ના થાય, પ્રકટ ના હોય, તેને પ્રકટ પ્રત્યક્ષવત્‌ કરવું : આ અર્થની સાથે એ તત્ત્વને પ્રગટ કરવાની વાણીની અસમર્થતા પણ ત્ત્વ પ્રત્યયના રૂપમાં સૂચવાય છે.”૧૬<ref>૧૬. મનોમુકુરઃ ભા. ૩જો : પૃ. ૨૭૦</ref> અહીં નરસિંહરાવે ‘પ્રકટીકરણ’૧૭<ref>૧૭. ‘પ્રકટીકરણ’ શબ્દનો અર્થ અંગ્રેજી Reveal કે Revelation એ શબ્દની જોડે સામ્ય ધરાવે છે. Reveal make know by inspiriation or supernatural means. Oxford English Dictionary (The concise Oxford Dictionary of current English)</ref> એ શબ્દને જે રીતે સ્પષ્ટ કર્યો તેમાં રસિક કલાઓના સ્વરૂપ અને કાર્યના વિચારને અણસારો મળી રહે છે. બ્રહ્માંડમાં જે ગૂઢ લોકોત્તર સૌંદર્યતત્ત્વ સર્વવ્યાપી બનીને રહ્યું છે તેને કવિની પ્રતિભા આકલિત કરવા સમર્થ હોય છે. સામાન્ય માનવીની સ્થૂળ દૃષ્ટિ માટે જે સૌંદર્ય અપ્રત્યક્ષ છે તેને સર્જકની પ્રતિભા સહજમાં જ પ્રત્યક્ષ કરી લે છે.૧૮<ref>૧૮. રાજશેખરે કવિપ્રતિભાને વર્ણવતાં રજૂ કેરલો ખ્યાલ સરખાવો<br>
નરસિંહરાવની પ્રસ્તુત વિચારણામાં ‘સૌંદર્ય’ એ બ્રહ્માંડવ્યાપી તત્ત્વ હોવાનું સ્વીકારાયું છે અને તેમની કાવ્યતત્ત્વચર્ચામાં આ ભૂમિકા વ્યાપક રૂપમાં વિનિયોગ પામતી રહેલી છે. વળી, તેમણે સૌંદર્યનું અધિષ્ઠાન તે બાહ્ય વિશ્વમાત્ર કે સર્જક ચેતનામાત્ર એ પ્રશ્ન વિશેય કેટલીક ચર્ચા કરેલી છે. અને તેમની વિવેચનામાં એ મૂલ્યવાન વિચારણા બની રહે છે. “કવિતા અને સંગીત” એ લેખમાં તેઓ કહે છે : “રસમીમાંસાને સંબંધે રચેલા પુસ્તકને ‘Philosophy of the Beautiful’ એમ નામ પ્રો. નાઇટ આપે છે, તે પણ સૂચવે છે કે – રસિકકલાનું પરતમ નિદાન સૌંદર્યના તત્ત્વમાં જ છે. એ તત્ત્વ પદાર્થોમાં અન્તર્ગત છે કે કવિ અથવા બીજો કલાવિધાયક પોતાના અન્તરમાંથી તે ૫દાર્થો ઉપર તેનું પ્રતિબિમ્બ પાડે છે, એ જુદો અને ગહન વિષય છે.”૨૦ આટલી ભૂમિકા બાંધી તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે : “પરંતુ એટલું તો કહેવું જોઈએ કે – “The light that never was on sea or land; The poet’s consecration and the dream.” એ વચનમાં સત્યનું એકદેશી સ્વરૂપ જ છે. જે જ્યોતિ ભૂમિ ઉપર અથવા સાગર ઉપર કદી પણ વસ્તુસ્થિતિમાં હોતો નથી તે કવિ પોતાની તરફથી પોતાની કલ્પનાની સ્વપ્રસૃષ્ટિમાંથી બાહ્ય પદાર્થો ઉપર આરોપે છે. એમ કહેવાની મતલબ એમ નથી કે બાહ્ય જગતમાં સૌંદર્યનું તત્ત્વ અન્તર્ગઢ છે જ નહિ. કવિ જે સ્વરૂપે એ તત્ત્વ પોતાની શક્તિથી જોઈ શકે છે, તે સામાન્ય રીતે પ્રત્યક્ષ જણાતું નથી, અને કવિ પોતાની કલાના જાદુથી એ તત્ત્વ બાહ્ય જગતમાંથી કાઢીને જ પાછું તે તે જગત ઉપર વિશેષ ચમત્કારથી પાથરે છે, એમ જ આશય છે. માટે સૌંદર્યનું તત્ત્વ સર્વત્ર વ્યાપ્ત છે, એ નિઃસંશય છે. અને સૌંદર્ય તે દિવ્યતાનું બીજું સ્વરૂપ છે. આ રીતે જોતાં જેમ અન્ય કલાવિધાયકની તેમજ કવિની દૃષ્ટિ સ્થળે સ્થળે સૌંદર્ય દેખે એટલે દિવ્યતા પણ દેખે જ.”૨૧ સૌંદર્ય એ બાહ્ય વિશ્વથી નિરપેક્ષ માત્ર સર્જકચિત્તમાં વસતું એવું કોઈ તત્ત્વ નથી, એ તો (સર્જક સહિત) સમગ્ર વિશ્વમાં વ્યાપેલું છે. નરસિંહરાવની આ મૂળભૂત શ્રદ્ધા છે. એને સ્પષ્ટ કરતાં તેઓ એમ કહે છે કે સૌંદર્ય એ દિવ્ય અંશ છે. કવિની પ્રતિભા એ સૌંદર્યતત્ત્વનું સહજમાં આકલન કરવા સમર્થ બને છે. અને કલાવિધાન દ્વારા તેને ‘પ્રકટીકરણ’ સાધી આપે છે. કળાકૃતિમાં પ્રકટતું સૌંદર્ય એ નૂતન ઉન્મેષ લાગે અને એ અંશ કવિચિત્તમાંથી સ્ફુર્યો હોય એમ લાગે, પણ વાસ્તવમાં તો એ વિશ્વવ્યાપી સૌંદર્યતત્ત્વનો જ વિલક્ષણ ઉન્મેષ છે. કવિ તો એ વિશ્વવ્યાપી સૌંદર્યને જ કળાકૃતિ દ્વારા ‘પ્રકટ’ કરી તેને પાછો જગત પર “વિશેષ ચમત્કારથી પાથરે છે.” અર્થાત્‌ સર્જકચિત્તમાં પ્રકાશિત થતું સૌંદર્ય એ અંતે તો વિશ્વવ્યાપી સૌંદર્યનો જ ઉન્મેષ માત્ર છે.
{{gap}}‘અપ્રતિભસ્ય પદાર્થસાર્થઃ પરોક્ષ ઇવ, પ્રતિભાવતઃ પુનરપશ્યતોઽપિ પ્રત્યક્ષ ઇવ | Kavyamimansa : IV Adhyaya : Chaukhamba Vidyabhavan : ૧st Eds. ૧૯૬૪ pp. ૩૦</ref> વળી સર્જકપ્રતિભાનો વિશેષ તો એ પ્રત્યક્ષ થયેલા સૌંદર્યતત્ત્વને કળાકૃતિનું રૂપ અર્પવામાં રહ્યો છે. વળી, આ સૌંદર્યતત્ત્વ સ્વયં એક સૂક્ષ્મ તત્ત્વ છે. અને તેથી તેને ભાષા (કે રંગરેખા આદિ સ્થૂળ ઉપાદાનો)માં ‘પ્રકટ’ કરવાનું દુષ્કર છે.૧૯<ref>૧૯. સરખાવો : “કવિ, ચિત્રકાર, સંગીત વિધાયક, વગેરે કલા નિપુણ પુરુષોની સંયોજક રચનાને વિશે તો સૌંદર્યતત્ત્વની સૂક્ષ્મરૂપતા અને અગ્રાહ્યતાના અનુભવીઓ અને રસજ્ઞો ખાતરી આપે છે, અને આ સ્થિતિનું દ્વિરૂપ કારણઃ સૌંદર્યતત્ત્વનું અતીન્દ્રિય સ્વરૂપ અને માનવવાણીની (તેમજ અન્ય કલા સાધનોની)કુંઠિત શક્તિ, – એ જ છે."<br>
‘વિવર્તલીલા’માં નરસિંહરાવે આ જ મુદ્દાને ફરીથી સ્પર્શ્યો છે પરંતુ એ સ્થાને તેમણે તેની દાર્શનિક ભૂમિકા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ આ પ્રશ્નને માંડી આપતાં કહે છે : “પ્રકૃતિનાં સ્વરૂપો – સૌંદર્ય, ભવ્યતા અને ઉન્નત ભાવ એ ત્રણ ગુણોનાં બોધક સ્વરૂપો – આ વિશ્વઘટનામાં શી સેવા કરે છે. વિશ્વમાં આ સ્વરૂપોનો ગુણભોક્તા માનવપ્રાણી સરજ્યો હોત નહિ તો એ સ્વરૂપો વન્ધ્ય જ થાત કની! દૃષ્ટિસૃષ્ટિવાદી કહેશે : એ સ્વરૂપ માનવપ્રાણીના અન્તરમાં રહેલાં બ્હાર પ્રગટ થાય છે. બ્હાર સ્વતંત્ર અસ્તિત્વ ધારણ કરનાર પદાર્થ એ છે જ નહિ; એટલે માનવપ્રાણી પૃથ્વીના પટ ઉપર હોત નહિ; તો એ સ્વરૂપો વન્ધ્ય થાત એ કલ્પનાને ઉત્પન્ન થવાનો અવકાશ જ નથી. ભલે; પણ અન્તરમાંથી બહાર પ્રગટ થયેલી દશામાં તો એ સ્વરૂપોને અસ્તિત્વ છે જ અને તેમ થાય પછી એ સ્વરૂપો માનવહૃદયને નવી છાપ પાડીને એક પ્રકારનો પરાવૃત્ત વ્યાપાર (Reflex Action) કરે છે, એમ આ પૂર્વપક્ષ કરનારને ઉત્તર દઈ શકાશે. હું તો એ વાદનો પૂજક નથી, એટલે તુરત જ કહીશ કે એ સ્વરૂપો માનવહૃદયનો વિકાસ સાધવામાં સહાયભૂત થાય છે, તે સેવા અમૂલ્ય છે. આપણો માયાવાદી કહેશેઃ એ સર્વ હમારા હૃદયમાંથી બહાર વિક્ષિપ્ત કરેલી જ સૃષ્ટિ છે. બાહ્ય પદાર્થ કાંઈ જ નથી. કવિતાના ચમત્કારદર્શન વિશે પણ વિવેચકોની એક ટુકડી કહે છે કે we receive but what we give (આપણે અર્પણ કરીએ છિયે તે જ આપણે લઈએ છિયે.) આ સ્વરૂપદર્શન સર્વાંશે સત્ય નથી; અથવા તો હેનું શબ્દશઃ ગ્રહણ કરવાનું નથી. બાહ્ય પદાર્થમાં વસ્તુતઃ કાંઈ જ સૌંદર્યાદિક અંશ નથી અને આપણને ભાસ થાય છે તે માત્ર આપણી જ કલ્પનાસૃષ્ટિ છે, એમ તાત્પર્ય નથી. બાહ્ય સૌંદર્યનું અસ્તિત્વ તો છે જ; પણ આપણી માનસિક ઘટનામાં તે સૌંદર્યનાં બીજ હોય, એ સૌંદર્યનાં પ્રતિયોગી સ્વરૂપો હોય, તો જ આપણે બાહ્ય સૌંદર્ય જોઈ સકિયે નહિં તો બાહ્ય સૌંદર્ય વન્ધ્ય જ રહેવાનું; એ સૌંદર્ય હતું અને નહતું સરખું જ.”૨૨
{{right|મનોમુકુરઃ ભા. ૩ : (કાવ્યની શરીરઘટના) : પૃ. ૨૭૨.}} </ref> બીજા શબ્દોમાં કહીએ તો, સૌંદર્ય જેવું અતિ સૂક્ષ્મ તત્ત્વ સ્થૂળ ઉપાદાનોમાં ‘પ્રકટ’ કરવા જતાં તેનું અખિલ રૂપ ઉપલબ્ધ કરવાનું મુશ્કેલ છે. નરસિંહરાવની પ્રસ્તુત ચર્ચાવિચારણા-માંથી ત્રણ મુખ્ય મુદ્દાઓ ફલિત થાય છે. (અ) સૌંદર્ય એ સર્વ બ્રહ્માંડમાં વ્યાપી રહેલું અતિ સૂક્ષ્મ તત્ત્વ છે. (બ) એ સૂક્ષ્મ તત્ત્વનું આકલન સર્જક-પ્રતિભા દ્વારા જ સંભવે છે. (ક) એ સૂક્ષ્મ તત્ત્વને સ્થૂળ ઉપાદાનોમાં ‘પ્રકટ’ કરવાનું મુશ્કેલ છે.
નરસિંહરાવની પ્રસ્તુત વિચારણામાં ‘સૌંદર્ય’ એ બ્રહ્માંડવ્યાપી તત્ત્વ હોવાનું સ્વીકારાયું છે અને તેમની કાવ્યતત્ત્વચર્ચામાં આ ભૂમિકા વ્યાપક રૂપમાં વિનિયોગ પામતી રહેલી છે. વળી, તેમણે સૌંદર્યનું અધિષ્ઠાન તે બાહ્ય વિશ્વમાત્ર કે સર્જક ચેતનામાત્ર એ પ્રશ્ન વિશેય કેટલીક ચર્ચા કરેલી છે. અને તેમની વિવેચનામાં એ મૂલ્યવાન વિચારણા બની રહે છે. “કવિતા અને સંગીત” એ લેખમાં તેઓ કહે છે : “રસમીમાંસાને સંબંધે રચેલા પુસ્તકને ‘Philosophy of the Beautiful’ એમ નામ પ્રો. નાઇટ આપે છે, તે પણ સૂચવે છે કે – રસિકકલાનું પરતમ નિદાન સૌંદર્યના તત્ત્વમાં જ છે. એ તત્ત્વ પદાર્થોમાં અન્તર્ગત છે કે કવિ અથવા બીજો કલાવિધાયક પોતાના અન્તરમાંથી તે ૫દાર્થો ઉપર તેનું પ્રતિબિમ્બ પાડે છે, એ જુદો અને ગહન વિષય છે.”૨૦<ref>૨૦. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૬.</ref> આટલી ભૂમિકા બાંધી તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે : “પરંતુ એટલું તો કહેવું જોઈએ કે – “The light that never was on sea or land; The poet’s consecration and the dream.” એ વચનમાં સત્યનું એકદેશી સ્વરૂપ જ છે. જે જ્યોતિ ભૂમિ ઉપર અથવા સાગર ઉપર કદી પણ વસ્તુસ્થિતિમાં હોતો નથી તે કવિ પોતાની તરફથી પોતાની કલ્પનાની સ્વપ્રસૃષ્ટિમાંથી બાહ્ય પદાર્થો ઉપર આરોપે છે. એમ કહેવાની મતલબ એમ નથી કે બાહ્ય જગતમાં સૌંદર્યનું તત્ત્વ અન્તર્ગઢ છે જ નહિ. કવિ જે સ્વરૂપે એ તત્ત્વ પોતાની શક્તિથી જોઈ શકે છે, તે સામાન્ય રીતે પ્રત્યક્ષ જણાતું નથી, અને કવિ પોતાની કલાના જાદુથી એ તત્ત્વ બાહ્ય જગતમાંથી કાઢીને જ પાછું તે તે જગત ઉપર વિશેષ ચમત્કારથી પાથરે છે, એમ જ આશય છે. માટે સૌંદર્યનું તત્ત્વ સર્વત્ર વ્યાપ્ત છે, એ નિઃસંશય છે. અને સૌંદર્ય તે દિવ્યતાનું બીજું સ્વરૂપ છે. આ રીતે જોતાં જેમ અન્ય કલાવિધાયકની તેમજ કવિની દૃષ્ટિ સ્થળે સ્થળે સૌંદર્ય દેખે એટલે દિવ્યતા પણ દેખે જ.”૨૧<ref>૨૧. મનોમુકુર : ભા. ૮ : પૃ. ૪૬.</ref> સૌંદર્ય એ બાહ્ય વિશ્વથી નિરપેક્ષ માત્ર સર્જકચિત્તમાં વસતું એવું કોઈ તત્ત્વ નથી, એ તો (સર્જક સહિત) સમગ્ર વિશ્વમાં વ્યાપેલું છે. નરસિંહરાવની આ મૂળભૂત શ્રદ્ધા છે. એને સ્પષ્ટ કરતાં તેઓ એમ કહે છે કે સૌંદર્ય એ દિવ્ય અંશ છે. કવિની પ્રતિભા એ સૌંદર્યતત્ત્વનું સહજમાં આકલન કરવા સમર્થ બને છે. અને કલાવિધાન દ્વારા તેને ‘પ્રકટીકરણ’ સાધી આપે છે. કળાકૃતિમાં પ્રકટતું સૌંદર્ય એ નૂતન ઉન્મેષ લાગે અને એ અંશ કવિચિત્તમાંથી સ્ફુર્યો હોય એમ લાગે, પણ વાસ્તવમાં તો એ વિશ્વવ્યાપી સૌંદર્યતત્ત્વનો જ વિલક્ષણ ઉન્મેષ છે. કવિ તો એ વિશ્વવ્યાપી સૌંદર્યને જ કળાકૃતિ દ્વારા ‘પ્રકટ’ કરી તેને પાછો જગત પર “વિશેષ ચમત્કારથી પાથરે છે.” અર્થાત્‌ સર્જકચિત્તમાં પ્રકાશિત થતું સૌંદર્ય એ અંતે તો વિશ્વવ્યાપી સૌંદર્યનો જ ઉન્મેષ માત્ર છે.
‘વિવર્તલીલા’માં નરસિંહરાવે આ જ મુદ્દાને ફરીથી સ્પર્શ્યો છે પરંતુ એ સ્થાને તેમણે તેની દાર્શનિક ભૂમિકા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ આ પ્રશ્નને માંડી આપતાં કહે છે : “પ્રકૃતિનાં સ્વરૂપો – સૌંદર્ય, ભવ્યતા અને ઉન્નત ભાવ એ ત્રણ ગુણોનાં બોધક સ્વરૂપો – આ વિશ્વઘટનામાં શી સેવા કરે છે. વિશ્વમાં આ સ્વરૂપોનો ગુણભોક્તા માનવપ્રાણી સરજ્યો હોત નહિ તો એ સ્વરૂપો વન્ધ્ય જ થાત કની! દૃષ્ટિસૃષ્ટિવાદી કહેશે : એ સ્વરૂપ માનવપ્રાણીના અન્તરમાં રહેલાં બ્હાર પ્રગટ થાય છે. બ્હાર સ્વતંત્ર અસ્તિત્વ ધારણ કરનાર પદાર્થ એ છે જ નહિ; એટલે માનવપ્રાણી પૃથ્વીના પટ ઉપર હોત નહિ; તો એ સ્વરૂપો વન્ધ્ય થાત એ કલ્પનાને ઉત્પન્ન થવાનો અવકાશ જ નથી. ભલે; પણ અન્તરમાંથી બહાર પ્રગટ થયેલી દશામાં તો એ સ્વરૂપોને અસ્તિત્વ છે જ અને તેમ થાય પછી એ સ્વરૂપો માનવહૃદયને નવી છાપ પાડીને એક પ્રકારનો પરાવૃત્ત વ્યાપાર (Reflex Action) કરે છે, એમ આ પૂર્વપક્ષ કરનારને ઉત્તર દઈ શકાશે. હું તો એ વાદનો પૂજક નથી, એટલે તુરત જ કહીશ કે એ સ્વરૂપો માનવહૃદયનો વિકાસ સાધવામાં સહાયભૂત થાય છે, તે સેવા અમૂલ્ય છે. આપણો માયાવાદી કહેશેઃ એ સર્વ હમારા હૃદયમાંથી બહાર વિક્ષિપ્ત કરેલી જ સૃષ્ટિ છે. બાહ્ય પદાર્થ કાંઈ જ નથી. કવિતાના ચમત્કારદર્શન વિશે પણ વિવેચકોની એક ટુકડી કહે છે કે we receive but what we give (આપણે અર્પણ કરીએ છિયે તે જ આપણે લઈએ છિયે.) આ સ્વરૂપદર્શન સર્વાંશે સત્ય નથી; અથવા તો હેનું શબ્દશઃ ગ્રહણ કરવાનું નથી. બાહ્ય પદાર્થમાં વસ્તુતઃ કાંઈ જ સૌંદર્યાદિક અંશ નથી અને આપણને ભાસ થાય છે તે માત્ર આપણી જ કલ્પનાસૃષ્ટિ છે, એમ તાત્પર્ય નથી. બાહ્ય સૌંદર્યનું અસ્તિત્વ તો છે જ; પણ આપણી માનસિક ઘટનામાં તે સૌંદર્યનાં બીજ હોય, એ સૌંદર્યનાં પ્રતિયોગી સ્વરૂપો હોય, તો જ આપણે બાહ્ય સૌંદર્ય જોઈ સકિયે નહિં તો બાહ્ય સૌંદર્ય વન્ધ્ય જ રહેવાનું; એ સૌંદર્ય હતું અને નહતું સરખું જ.”૨૨<ref>૨૨. વિવર્તલીલા : ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ, મુંબઈ : ઈ.સ. ૧૯૩૩. પૃ. ૮૯-૯૦</ref>
આ વિસ્તૃત કંડિકામાંની નરસિંહરાવની વિચારણા વિશેષ ધ્યાનપાત્ર છે. એમાંના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :
આ વિસ્તૃત કંડિકામાંની નરસિંહરાવની વિચારણા વિશેષ ધ્યાનપાત્ર છે. એમાંના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :
(અ) સૌંદર્ય એ બ્રહ્માંડવ્યાપી તત્ત્વ છે. સર્જકચિત્તમાં તેમ જ ઇતર સર્વ બ્રહ્માંડવ્યાપી પદાર્થોમાં એક જ સૌંદર્યતત્ત્વ વ્યાપી રહ્યું છે. આ રીતે સૌંદર્યને બાહ્ય એવું અસ્તિત્વ પણ છે જ.૨૩
(અ) સૌંદર્ય એ બ્રહ્માંડવ્યાપી તત્ત્વ છે. સર્જકચિત્તમાં તેમ જ ઇતર સર્વ બ્રહ્માંડવ્યાપી પદાર્થોમાં એક જ સૌંદર્યતત્ત્વ વ્યાપી રહ્યું છે. આ રીતે સૌંદર્યને બાહ્ય એવું અસ્તિત્વ પણ છે જ.૨૩<ref>૨૩. નરસિંહરાવે કવિ-સર્જક સામે પડેલી બ્રહ્માંડ-સૃષ્ટિને સૌંદર્યનું અધિષ્ઠાન ગણ્યું છે. એ ખ્યાલ તેમણે અન્યત્ર કલ્પનોત્થ વાણીમાં મૂક્યો છે તે સરખાવો : “કવિની કવિતાસૃષ્ટિ તે પણ માયાસૃષ્ટિ નહિ તો બીજું શું?.... આ વિચારમાંથી આગળ વધુ ક્રમ ભરિયે. આ Phenomenal world (દશ્ય જગત) તે પેલા આદ્ય ચિત્રકારની ચિત્રસૃષ્ટિ છે, આદ્ય કવિની કવિતાસૃષ્ટિ છે. અને તે દૃષ્ટિયે માયાસૃષ્ટિ, સુન્દર માયા સૃષ્ટિ જ છે.” અહીં કવિની કાવ્યસૃષ્ટિ અને વિશ્વસર્જકની ‘કવિતાસૃષ્ટિ’ વચ્ચે જે સામ્ય રજૂ થયું છે તેમાં એવો ખ્યાલ અભિપ્રેત છે કે વિશ્વસર્જકની કવિતાસૃષ્ટિ જે સુંદર છે તે જ કવિની સૃષ્ટિમાં સ્થાન પામે છે. આગળ ઉપર નવલરામની કાવ્યવિચારણામાં જોયું છે કે તેમણે પણ કુદરતમાં અને કવિતામાં રસનો વ્યાપક સ્વીકાર કર્યો છે. તે ખ્યાલ પણ આને મળતો આવે છે.</ref>
(બ) દૃષ્ટિસૃષ્ટિવાદીના મતે સૌંદર્ય માનવદૃષ્ટિમાં રહ્યું છે. માનવદૃષ્ટિથી નિરપેક્ષ તેને કોઈ સત્તા નથી. એટલે માનવજીવનના અભાવમાં સૌંદર્યની કોઈ સત્તા જ રહેતી નથી. એનું તાત્પર્ય એ જ કે માનવપ્રાણીનું અસ્તિત્વ જ ના હોત તો (બાહ્ય સંભાવિત) સૌંદર્યતત્ત્વના વેડફાઈ જવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. માયાવાદી પણ કંઈક આવી જ દલીલ આગળ ધરે છે. તેઓ એમ માને છે કે સૌંદર્યાદિ તત્ત્વને કોઈ બાહ્ય સત્તા છે જ નહિ. નરસિંહરાવને આ બંને ‘વાદી’ઓની ભૂમિકા અસ્વીકાર્ય છે. તેઓ બંનેને રદિયો આપતાં કહે છે કે બાહ્ય સૌંદર્યનું અસ્તિત્વ તો છે જ. માનવની માનસિક ઘટનામાં એ બાહ્ય સૌંદર્યને ઉપલબ્ધ કરી આપનાર “સૌદર્યનાં બીજ” જોઈએ. એ વિના બાહ્ય સૌંદર્યને કોઈ મૂલ્ય નથી. બીજા શબ્દોમાં, સૌંદર્ય એ પ્રમાતા અને પ્રમેય બંનેમાં રહ્યું છે. પ્રમાતા કે પ્રમેયના અભાવમાં સૌંદર્યદર્શન શક્ય નથી. પ્રમાતા-દૃષ્ટા(સર્જક), એ વિશ્વવ્યાપી સૌંદર્યને પોતાની કૃતિ દ્વારા પુનઃ પ્રગટ કરી આપે છે.
(બ) દૃષ્ટિસૃષ્ટિવાદીના મતે સૌંદર્ય માનવદૃષ્ટિમાં રહ્યું છે. માનવદૃષ્ટિથી નિરપેક્ષ તેને કોઈ સત્તા નથી. એટલે માનવજીવનના અભાવમાં સૌંદર્યની કોઈ સત્તા જ રહેતી નથી. એનું તાત્પર્ય એ જ કે માનવપ્રાણીનું અસ્તિત્વ જ ના હોત તો (બાહ્ય સંભાવિત) સૌંદર્યતત્ત્વના વેડફાઈ જવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. માયાવાદી પણ કંઈક આવી જ દલીલ આગળ ધરે છે. તેઓ એમ માને છે કે સૌંદર્યાદિ તત્ત્વને કોઈ બાહ્ય સત્તા છે જ નહિ. નરસિંહરાવને આ બંને ‘વાદી’ઓની ભૂમિકા અસ્વીકાર્ય છે. તેઓ બંનેને રદિયો આપતાં કહે છે કે બાહ્ય સૌંદર્યનું અસ્તિત્વ તો છે જ. માનવની માનસિક ઘટનામાં એ બાહ્ય સૌંદર્યને ઉપલબ્ધ કરી આપનાર “સૌદર્યનાં બીજ” જોઈએ. એ વિના બાહ્ય સૌંદર્યને કોઈ મૂલ્ય નથી. બીજા શબ્દોમાં, સૌંદર્ય એ પ્રમાતા અને પ્રમેય બંનેમાં રહ્યું છે. પ્રમાતા કે પ્રમેયના અભાવમાં સૌંદર્યદર્શન શક્ય નથી. પ્રમાતા-દૃષ્ટા(સર્જક), એ વિશ્વવ્યાપી સૌંદર્યને પોતાની કૃતિ દ્વારા પુનઃ પ્રગટ કરી આપે છે.
નરસિંહરાવની સૌંદર્યમીમાંસાની આ પ્રથમ ભૂમિકા ગણાય. અહીં તેમણે વિશ્વવ્યાપી ગૂઢ દિવ્ય સૌંદર્યની સત્તાનો સ્વીકાર કર્યો છે. એ સૌંદર્યતત્ત્વ અતિ સૂક્ષ્મ હોઈ તે સર્જકનાં સ્થૂળ ઉપાદાનો દ્વારા વ્યક્ત કરવાનું દુષ્કર છે.
નરસિંહરાવની સૌંદર્યમીમાંસાની આ પ્રથમ ભૂમિકા ગણાય. અહીં તેમણે વિશ્વવ્યાપી ગૂઢ દિવ્ય સૌંદર્યની સત્તાનો સ્વીકાર કર્યો છે. એ સૌંદર્યતત્ત્વ અતિ સૂક્ષ્મ હોઈ તે સર્જકનાં સ્થૂળ ઉપાદાનો દ્વારા વ્યક્ત કરવાનું દુષ્કર છે.
નરસિંહરાવની આ સૌંદર્યમીમાંસામાં જ્યાં કળાકૃતિના સૌંદર્યનો વિચાર આરંભાયો છે ત્યાંથી એક નવું દૃષ્ટિબિંદુ પ્રકટતું જોવા મળે છે. કળાકૃતિ પણ સૌંદર્યની દ્યોતક છે (અને એમાં વિશ્વવ્યાપી સૌંદર્ય જ અનુસ્યૂત રહ્યું છે) તો એ સૌંદર્યનું સ્વરૂપ કેવું છે? આ પ્રશ્નની ચર્ચાવિચારણા તેમની સૌંદર્યમીમાંસામાં કેટલાક પાયાના ખ્યાલોને કસોટીએ ચઢાવે છે. એ રીતે આ વિષયની વિચારણા કરતાં નરસિંહરાવને સૌંદર્યના સ્વરૂપ વિશે ફેરવિચારણા કરવાના પ્રસંગો આવ્યા છે.
નરસિંહરાવની આ સૌંદર્યમીમાંસામાં જ્યાં કળાકૃતિના સૌંદર્યનો વિચાર આરંભાયો છે ત્યાંથી એક નવું દૃષ્ટિબિંદુ પ્રકટતું જોવા મળે છે. કળાકૃતિ પણ સૌંદર્યની દ્યોતક છે (અને એમાં વિશ્વવ્યાપી સૌંદર્ય જ અનુસ્યૂત રહ્યું છે) તો એ સૌંદર્યનું સ્વરૂપ કેવું છે? આ પ્રશ્નની ચર્ચાવિચારણા તેમની સૌંદર્યમીમાંસામાં કેટલાક પાયાના ખ્યાલોને કસોટીએ ચઢાવે છે. એ રીતે આ વિષયની વિચારણા કરતાં નરસિંહરાવને સૌંદર્યના સ્વરૂપ વિશે ફેરવિચારણા કરવાના પ્રસંગો આવ્યા છે.
સૌંદર્યનું બીજભૂત તત્ત્વ તો ‘સમપ્રમાણતા’ (symmetry) છે એ ગ્રીક તત્ત્વજ્ઞોનો ખ્યાલ નરસિંહરાવને સ્વીકાર્ય બન્યો જણાય છે. પોતાના છેક આરંભકાળના લેખ “કવિતા અને સંગીત”માં સૌંદર્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે : “સામાન્ય રીતે સર્વ રસિક કલાઓમાં એક સર્વસાધારણ અંશ છે, જેથી કરીને એ સર્વ કલાઓ રસિકતાના સામાન્ય વર્ગમાં આવી શકે છે. અવયવની સમપ્રમાણતા, અર્થાત્‌ અંગ વચ્ચે—ઉપાદાનભૂત અંશ વચ્ચે—પરસ્પર સમતોલતા એ આ સર્વસાધારણ અંશ છે; અર્થાત્‌ સૌંદર્ય.”૨૪ તેમના “વસંતોત્સવ ઉપર ચર્ચા” એ લેખમાં આ જ વિચાર ફરીથી ઘૂંટાયો છેઃ “કલાવિધાનનું પ્રેરક બળ તેમ જ લક્ષ્ય સૌંદર્યમાં છે અને સૌંદર્યનું તત્ત્વ અવયવની સમપ્રમાણતા (symmetry)માં છે. ચિત્રકલા, શિલ્પકલા, નૃત્યકલા વગેરે સર્વ રસિક કલામાં જોવા જઈશું તો આ ધોરણનો અનાદર કરવાનું પરિણામ મૂલક્ષતિકર થયા વિના રહેશે નહિ.”૨૫ આમ, તેમણે રસિક કલાઓના સૌંદર્યતત્ત્વની વ્યાખ્યા કરતાં તેના બીજભૂત તત્ત્વ લેખે સમપ્રમાણતા (symmetry)ના સિદ્ધાંતને પુરસ્કાર્યો છે. પરંતુ આ ‘સમપ્રમાણતા’ના સિદ્ધાંતની સાથે જ તેમને એક બાજું નવપ્લેટોવાદી-(Neo-platonic) ઓના ભાવનાવાદનો તો બીજી બાજુ પ્રકૃતિના સૂક્ષ્મ સૌંદર્યના સ્વરૂપનો વિચાર કરવાનો પ્રસંગ આવ્યો છે. પ્રથમ આપણે નવપ્લેટોવાદી (Neo-platonic)ઓની ભૂમિકા પરત્વે નરસિંહરાવે જે દૃષ્ટિકોણ રાખ્યો છે તેની ચર્ચા આરંભીશું.
સૌંદર્યનું બીજભૂત તત્ત્વ તો ‘સમપ્રમાણતા’ (symmetry) છે એ ગ્રીક તત્ત્વજ્ઞોનો ખ્યાલ નરસિંહરાવને સ્વીકાર્ય બન્યો જણાય છે. પોતાના છેક આરંભકાળના લેખ “કવિતા અને સંગીત”માં સૌંદર્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે : “સામાન્ય રીતે સર્વ રસિક કલાઓમાં એક સર્વસાધારણ અંશ છે, જેથી કરીને એ સર્વ કલાઓ રસિકતાના સામાન્ય વર્ગમાં આવી શકે છે. અવયવની સમપ્રમાણતા, અર્થાત્‌ અંગ વચ્ચે—ઉપાદાનભૂત અંશ વચ્ચે—પરસ્પર સમતોલતા એ આ સર્વસાધારણ અંશ છે; અર્થાત્‌ સૌંદર્ય.”૨૪<ref>૨૪. મનોમુકુરઃ ભા. ૪ : પૃ. ૩૯</ref> તેમના “વસંતોત્સવ ઉપર ચર્ચા” એ લેખમાં આ જ વિચાર ફરીથી ઘૂંટાયો છેઃ “કલાવિધાનનું પ્રેરક બળ તેમ જ લક્ષ્ય સૌંદર્યમાં છે અને સૌંદર્યનું તત્ત્વ અવયવની સમપ્રમાણતા (symmetry)માં છે. ચિત્રકલા, શિલ્પકલા, નૃત્યકલા વગેરે સર્વ રસિક કલામાં જોવા જઈશું તો આ ધોરણનો અનાદર કરવાનું પરિણામ મૂલક્ષતિકર થયા વિના રહેશે નહિ.”૨૫<ref>૨૫. મનોમુકુર : ભા. ૧ : ‘ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ : આવૃત્તિ ૧ લી, ઈ. સ. ૧૯૨૪ : પૃ.૧૨૬-૧૨૭</ref> આમ, તેમણે રસિક કલાઓના સૌંદર્યતત્ત્વની વ્યાખ્યા કરતાં તેના બીજભૂત તત્ત્વ લેખે સમપ્રમાણતા (symmetry)ના સિદ્ધાંતને પુરસ્કાર્યો છે. પરંતુ આ ‘સમપ્રમાણતા’ના સિદ્ધાંતની સાથે જ તેમને એક બાજું નવપ્લેટોવાદી-(Neo-platonic) ઓના ભાવનાવાદનો તો બીજી બાજુ પ્રકૃતિના સૂક્ષ્મ સૌંદર્યના સ્વરૂપનો વિચાર કરવાનો પ્રસંગ આવ્યો છે. પ્રથમ આપણે નવપ્લેટોવાદી (Neo-platonic)ઓની ભૂમિકા પરત્વે નરસિંહરાવે જે દૃષ્ટિકોણ રાખ્યો છે તેની ચર્ચા આરંભીશું.
“કવિતા અને સંગીત” એ લેખમાં સૌંદર્યના બીજભૂત તત્ત્વ લેખે સમપ્રમાણતા (symmetry)નો વિચાર રજૂ કરી નરસિંહરાવે તેની પાદટીપની ચર્ચામાં આ વિષય છણ્યો છે. ‘Philosophy of the Beautiful’ એ નામના અંગ્રેજી ગ્રંથની ચર્ચાવિચારણા તેમને પ્રેરક નીવડી છે એટલે એ ગ્રંથની મુખ્ય ચર્ચાને પૂર્વપક્ષ લેખે સ્થાપી તેમણે પોતાના અભિપ્રાયને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રસ્તુત વિચારણાની માંડણી કરતાં તેઓ કહે છે :
“કવિતા અને સંગીત” એ લેખમાં સૌંદર્યના બીજભૂત તત્ત્વ લેખે સમપ્રમાણતા (symmetry)નો વિચાર રજૂ કરી નરસિંહરાવે તેની પાદટીપની ચર્ચામાં આ વિષય છણ્યો છે. ‘Philosophy of the Beautiful’ એ નામના અંગ્રેજી ગ્રંથની ચર્ચાવિચારણા તેમને પ્રેરક નીવડી છે એટલે એ ગ્રંથની મુખ્ય ચર્ચાને પૂર્વપક્ષ લેખે સ્થાપી તેમણે પોતાના અભિપ્રાયને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રસ્તુત વિચારણાની માંડણી કરતાં તેઓ કહે છે :
“સૌંદર્યના તત્ત્વ માટે મુખ્ય બે સિદ્ધાંત છે; (૧) Neo Platonic Philosophy એ સ્વીકારેલા Idealism (ભાવનાવાદ)નો અને (૨) Aristotleની શાળાએ સ્વીકારેલા Materialism (જડવાદ)નો. આ જડવાદ પ્રમાણે સૌંદર્યનું મૂળ symmetry (સમપ્રમાણતા)માં છે. ભાવનાવાદને મતે એ મૂળ જડસ્વરૂપની પાર રહેનાર કોઈ સૂક્ષ્મ ભાવનામય તત્ત્વના અનુપ્રણનમાં છે. Jouffroy નામનો ચિંતક આ બંને મતનું નિરીક્ષણ કરીને સૌંદર્યનું લક્ષણ હેવું સ્થાપે છે કે જેથી એ બંને સિદ્ધાંત સુઘટિત રીતે મિશ્ર થાય. The expression of the invisible by the natural signs which manifest it૨૬ (અદૃશ્ય તત્ત્વનું ત્હેને પ્રગટ કરવાને માટે સ્વાભાવિક રીતે સમર્થ ચિન્હોથી પ્રદર્શન) એમ સૌંદર્યનું લક્ષણ એ આપે છે.” Philosophy of the Beautiful”ના બીજા ખંડમાં Prof. Knight પણ સૌંદર્યના તત્ત્વનું સ્વરૂપ કાંઈક એવું જ આપે છે, કે -જે Aristotleના જડવાદી સિદ્ધાંત અને Neo-platonistના પ્રતિનિધિભૂત Platonist ભાવનાવાદી સિદ્ધાંતના મધ્યવર્તી સત્યનો સ્વીકાર કરે છે.”૨૭
“સૌંદર્યના તત્ત્વ માટે મુખ્ય બે સિદ્ધાંત છે; (૧) Neo Platonic Philosophy એ સ્વીકારેલા Idealism (ભાવનાવાદ)નો અને (૨) Aristotleની શાળાએ સ્વીકારેલા Materialism (જડવાદ)નો. આ જડવાદ પ્રમાણે સૌંદર્યનું મૂળ symmetry (સમપ્રમાણતા)માં છે. ભાવનાવાદને મતે એ મૂળ જડસ્વરૂપની પાર રહેનાર કોઈ સૂક્ષ્મ ભાવનામય તત્ત્વના અનુપ્રણનમાં છે. Jouffroy નામનો ચિંતક આ બંને મતનું નિરીક્ષણ કરીને સૌંદર્યનું લક્ષણ હેવું સ્થાપે છે કે જેથી એ બંને સિદ્ધાંત સુઘટિત રીતે મિશ્ર થાય. The expression of the invisible by the natural signs which manifest it૨૬<ref>૨૬. નરસિંહરાવની ઉત્તરકાલીન સૌંદર્યચર્ચામાં, ખાસ કરીને “પ્રકૃતિ અને કલા,” “કાવ્યની શરીરઘટના” લેખોની ચર્ચામાં, તેમજ ‘વિવર્તલીલા’માં આ વિચાર ફરીથી પુરસ્કાર પામતો રહ્યો છે. એ વિશે આગળ ઉપર ચર્ચા કરવાનો ઉપક્રમ </ref> (અદૃશ્ય તત્ત્વનું ત્હેને પ્રગટ કરવાને માટે સ્વાભાવિક રીતે સમર્થ ચિન્હોથી પ્રદર્શન) એમ સૌંદર્યનું લક્ષણ એ આપે છે.” Philosophy of the Beautiful”ના બીજા ખંડમાં Prof. Knight પણ સૌંદર્યના તત્ત્વનું સ્વરૂપ કાંઈક એવું જ આપે છે, કે -જે Aristotleના જડવાદી સિદ્ધાંત અને Neo-platonistના પ્રતિનિધિભૂત Platonist ભાવનાવાદી સિદ્ધાંતના મધ્યવર્તી સત્યનો સ્વીકાર કરે છે.”૨૭<ref>૨૭. મનોમુકુર : ભાગ ૪ : પૃ ૩૯–૪૦</ref>
અહીં નરસિંહરાવે “philosophy of the Beautiful” એ ગ્રંથમાંથી Jouffroy અને Prof Knight એ બે ચિંતકોની સૌંદર્યભાવના ટૂંકમાં નોંધી છે. એ બંને ચિંતકોએ એરિસ્ટોટલના જડવાદ અને નવ પ્લેટોવાદીઓના ભાવનાવાદનો સમન્વય કરવાનો પ્રયત્ન કરતાં એમ કહ્યું છે કે સૌંદર્ય એ “અદૃશ્યતત્ત્વનું બાહ્ય સ્થૂળ ‘ચિન્હ’ દ્વારા ‘પ્રકટીકરણ’ માત્ર છે. પરંતુ આ ચિંતકોએ સમન્વય કરતાં જે વિચારણા રજૂ કરી તેમાં સ્થૂળ ‘ચિન્હો’ની સમપ્રમાણતાનો કોઈ નિર્દેશ નથી. એટલે નરસિંહરાવે એ ચિંતકોની વિચારણાને નવેસરથી ઘટાવવાનો કે મઠારવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ કહે છે : “પરંતુ આપણે જોવાનું એ છે કે અદૃશ્ય ભાવનાજગતનું દર્શન કરાવવાનું સામર્થ્ય જડ ચિન્હોમાં શા કારણથી આવે છે? આ પ્રશ્નનો ઉત્તર Symmetry (સમપ્રમાણતા)માં જ અંતે આવશે. ચિત્રકળામાં, શિલ્પકળામાં, નૃત્યકળામાં, તેમજ કવિતા અને સંગીતની કળામાં સૌંદર્યની ઉત્પત્તિનું સાધન આ રીતે અવયવની સમપ્રમાણતામાં જ જણાશે.”૨૮ અહીં નરસિંહરાવનો પ્રયત્ન એ સ્થૂળ-દેહની કળાકૃતિમાં (જડ ચિહ્નોમાં) સમપ્રમાણતાના સિદ્ધાંતનો આદર કરવાનો છે. Jouffroy અને Prof. Knight જેવા ચિંતકોએ જે સમન્વિત સૌંદર્યતત્ત્વવિચાર રજૂ કર્યો તેમાં સૌંદર્યનું સ્થૂળ પ્રતીકમાં મૂર્ત થાય એવો ખ્યાલ અભિમત છે અને એ સૌંદર્યના મૂળમાં તેના સર્જકની ભાવના રહેલી છે એ ખ્યાલ પણ તેમાં અભિપ્રેત છે જ. એ દૃષ્ટિએ તેઓ સમપ્રમાણતાના સિદ્ધાંતને અવગણી સૌંદર્યના મૂળતત્ત્વ લેખે સર્જકની ભાવનાનો જ મહિમા કરે છે. એટલું જ કે એ ભાવના તેના સૂક્ષ્મ ચૈતન્ય રૂપમાં સ્વયં કળા નથી, તે સ્થૂળ ઉપાદાનરૂપે મૂર્ત થવી જોઈએ. નરસિંહરાવ, સર્જકની ભાવનાનો સ્વીકાર કરતા છતાં, કળાકૃતિના સૌંદર્યતત્ત્વ માટે તેની સમપ્રમાણતા પર પણ એટલો જ ભાર મૂકવા ચાહે છે. જો કે ‘સમપ્રમાણતા’ એ માત્ર કૃત્રિમ ભૌમિતિક કોટિની એવી સમપ્રમાણતા નહિ પણ સૌંદર્યસાધક ‘સુપ્રમાણતા’ છે. તેઓ એ મુદ્દો સ્પષ્ટ કરતાં કહે છેઃ “સમપ્રમાણતાનો અર્થ કેવળ માપેમાપ સરખાપણું એમ ના લેતાં એકબીજાને રસિક સંવાદ આપનારી સુપ્રમાણતા એમ લઈએ, તેમજ સૌંદર્યઘટનામાં એ સુપ્રમાણતા ઉપરાંત ભાવનાનું તત્ત્વ પુરાય છે એ સૌંન્દર્યનું મિશ્ર લક્ષણ સ્મરણમાં રાખીએ તો ઉપરનો સિદ્ધાંત અબાધિત રહેશે.”૨૯ અહીં તેમણે ‘સમપ્રમાણતા’ને વધુ અનુનેય સૌંદર્યસાધક તત્ત્વ લેખે ઘટાવવાનો પ્રયત્ન કર્યો છે.
અહીં નરસિંહરાવે “philosophy of the Beautiful” એ ગ્રંથમાંથી Jouffroy અને Prof Knight એ બે ચિંતકોની સૌંદર્યભાવના ટૂંકમાં નોંધી છે. એ બંને ચિંતકોએ એરિસ્ટોટલના જડવાદ અને નવ પ્લેટોવાદીઓના ભાવનાવાદનો સમન્વય કરવાનો પ્રયત્ન કરતાં એમ કહ્યું છે કે સૌંદર્ય એ “અદૃશ્યતત્ત્વનું બાહ્ય સ્થૂળ ‘ચિન્હ’ દ્વારા ‘પ્રકટીકરણ’ માત્ર છે. પરંતુ આ ચિંતકોએ સમન્વય કરતાં જે વિચારણા રજૂ કરી તેમાં સ્થૂળ ‘ચિન્હો’ની સમપ્રમાણતાનો કોઈ નિર્દેશ નથી. એટલે નરસિંહરાવે એ ચિંતકોની વિચારણાને નવેસરથી ઘટાવવાનો કે મઠારવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ કહે છે : “પરંતુ આપણે જોવાનું એ છે કે અદૃશ્ય ભાવનાજગતનું દર્શન કરાવવાનું સામર્થ્ય જડ ચિન્હોમાં શા કારણથી આવે છે? આ પ્રશ્નનો ઉત્તર Symmetry (સમપ્રમાણતા)માં જ અંતે આવશે. ચિત્રકળામાં, શિલ્પકળામાં, નૃત્યકળામાં, તેમજ કવિતા અને સંગીતની કળામાં સૌંદર્યની ઉત્પત્તિનું સાધન આ રીતે અવયવની સમપ્રમાણતામાં જ જણાશે.”૨૮<ref>૨૮. મનોમુકુર : ભા. ૪ : : પૃ. ૪૦</ref> અહીં નરસિંહરાવનો પ્રયત્ન એ સ્થૂળ-દેહની કળાકૃતિમાં (જડ ચિહ્નોમાં) સમપ્રમાણતાના સિદ્ધાંતનો આદર કરવાનો છે. Jouffroy અને Prof. Knight જેવા ચિંતકોએ જે સમન્વિત સૌંદર્યતત્ત્વવિચાર રજૂ કર્યો તેમાં સૌંદર્યનું સ્થૂળ પ્રતીકમાં મૂર્ત થાય એવો ખ્યાલ અભિમત છે અને એ સૌંદર્યના મૂળમાં તેના સર્જકની ભાવના રહેલી છે એ ખ્યાલ પણ તેમાં અભિપ્રેત છે જ. એ દૃષ્ટિએ તેઓ સમપ્રમાણતાના સિદ્ધાંતને અવગણી સૌંદર્યના મૂળતત્ત્વ લેખે સર્જકની ભાવનાનો જ મહિમા કરે છે. એટલું જ કે એ ભાવના તેના સૂક્ષ્મ ચૈતન્ય રૂપમાં સ્વયં કળા નથી, તે સ્થૂળ ઉપાદાનરૂપે મૂર્ત થવી જોઈએ. નરસિંહરાવ, સર્જકની ભાવનાનો સ્વીકાર કરતા છતાં, કળાકૃતિના સૌંદર્યતત્ત્વ માટે તેની સમપ્રમાણતા પર પણ એટલો જ ભાર મૂકવા ચાહે છે. જો કે ‘સમપ્રમાણતા’ એ માત્ર કૃત્રિમ ભૌમિતિક કોટિની એવી સમપ્રમાણતા નહિ પણ સૌંદર્યસાધક ‘સુપ્રમાણતા’ છે. તેઓ એ મુદ્દો સ્પષ્ટ કરતાં કહે છેઃ “સમપ્રમાણતાનો અર્થ કેવળ માપેમાપ સરખાપણું એમ ના લેતાં એકબીજાને રસિક સંવાદ આપનારી સુપ્રમાણતા એમ લઈએ, તેમજ સૌંદર્યઘટનામાં એ સુપ્રમાણતા ઉપરાંત ભાવનાનું તત્ત્વ પુરાય છે એ સૌંન્દર્યનું મિશ્ર લક્ષણ સ્મરણમાં રાખીએ તો ઉપરનો સિદ્ધાંત અબાધિત રહેશે.”૨૯<ref>૨૯. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૧</ref> અહીં તેમણે ‘સમપ્રમાણતા’ને વધુ અનુનેય સૌંદર્યસાધક તત્ત્વ લેખે ઘટાવવાનો પ્રયત્ન કર્યો છે.
પરંતુ ‘સમપ્રમાણતા’નો આ સિદ્ધાંત તેમણે પ્રકૃતિમાં બ્રહ્માંડમાં વ્યાપી રહેલા સૌંદર્યતત્ત્વને લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાં તેમને એ સિદ્ધાંત અનુકૂળ નીવડ્યો નથી. ‘વસન્તોત્સવ’ ઉપર ચર્ચા એ લેખમાં એ વિશેની વિચારણા અવલોકન માગે છે. તેઓ રસિક કલાઓની સમપ્રમાણતાની વાત કરી એ મુદ્દાને વિકસાવતાં કહે છે : “કલા વિધાનનું પ્રેરક બળ તેમજ લક્ષ્ય સૌંદર્યમાં છે અને સૌંદર્યનું તત્ત્વ અવયવની સમપ્રમાણતા (symmetry)માં છે. ચિત્રકલા, શિલ્પકલા, નૃત્યકલા વગેરે રસિક કલામાં જોવા જઈશું તો આ ધોરણનો અનાદર કરવાનું પરિણામ મૂલક્ષતિકર થયા વિના રહેશે નહિ." ચિત્રકાર કોઈ સુંદર સ્ત્રીનું શરીર અથવા કોઈપણ ચિત્રાનુકૂલ દેખાવ વગેરેનું આલેખન કરવામાં એક અવયવ એક ઠેકાણે ચીતરે, બીજો બીજે ઠેકાણે ચીતરે, તેમજ એ સર્વ અવયવોને સમતોલ રાખનારું તત્ત્વ ચિત્રમાં દાખલ ન કરે, તો સ્પષ્ટ છે કે સુંદર ચિત્રરચના ઉત્પન્ન ન થતાં માત્ર છિન્નભિન્ન લિસોટા જ નજરે પડવાના. શિલ્પકલામાં પણ તે જ પ્રમાણે જોઈ લેવું. નૃત્યકલામાં તો વિશેષે કરીને સમપ્રમાણનો અનાદર કર્યાથી નૃત્યનું નૃત્યત્વ જ તૂટી જાય, કેમકે તેમાં તો કાલમાનના રૂપમાં સમપ્રમાણતાનું તત્ત્વ વધારે પરિસ્ફુટ રીતે આવે છે. સંગીતકલામાં પણ એ તત્ત્વ સૂરના માધુર્યના બંધારણમાં સમાયેલું હોવાથી તેમાં પણ ‘પ્રેમભક્તિ’ બે કાવ્યકલામાં સ્વીકારેલો સમપ્રમાણતાનો ઉદ્ધત અનાદર સેવ્યાથી માધુર્યભંગ, બેસૂરાપણું પ્રત્યક્ષ ફલિત થશે. પ્રકૃતિ પોતે પણ પોતાનાં સૌંદર્યનાં નિર્માણોમાં-સુંદર માનુષ આકૃતિમાં, નદી, સમુદ્ર, પર્વત વગેરેની રસિક રચનામાં – સૌંદર્યના મૂલભૂત સમપ્રમાણતાના તત્ત્વનો આશ્રય સૂક્ષ્મ રીતે કરે છે. એ નિર્માણોમાં જે જે પ્રસંગે વિષમતાનો આભાસ જણાય છે તે તે પ્રસંગે માનુષકલા પોતાના રસિક ધર્મને તાબે થઈને સમપ્રમાણતાનું તત્ત્વ અંદરથી જ ખેંચી કાઢીને પોતાની અનુપમ સુંદર પદ્ધતિથી પાછું પ્રકૃતિ ઉપર સમર્પે છે.”૩૦
પરંતુ ‘સમપ્રમાણતા’નો આ સિદ્ધાંત તેમણે પ્રકૃતિમાં બ્રહ્માંડમાં વ્યાપી રહેલા સૌંદર્યતત્ત્વને લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાં તેમને એ સિદ્ધાંત અનુકૂળ નીવડ્યો નથી. ‘વસન્તોત્સવ’ ઉપર ચર્ચા એ લેખમાં એ વિશેની વિચારણા અવલોકન માગે છે. તેઓ રસિક કલાઓની સમપ્રમાણતાની વાત કરી એ મુદ્દાને વિકસાવતાં કહે છે : “કલા વિધાનનું પ્રેરક બળ તેમજ લક્ષ્ય સૌંદર્યમાં છે અને સૌંદર્યનું તત્ત્વ અવયવની સમપ્રમાણતા (symmetry)માં છે. ચિત્રકલા, શિલ્પકલા, નૃત્યકલા વગેરે રસિક કલામાં જોવા જઈશું તો આ ધોરણનો અનાદર કરવાનું પરિણામ મૂલક્ષતિકર થયા વિના રહેશે નહિ." ચિત્રકાર કોઈ સુંદર સ્ત્રીનું શરીર અથવા કોઈપણ ચિત્રાનુકૂલ દેખાવ વગેરેનું આલેખન કરવામાં એક અવયવ એક ઠેકાણે ચીતરે, બીજો બીજે ઠેકાણે ચીતરે, તેમજ એ સર્વ અવયવોને સમતોલ રાખનારું તત્ત્વ ચિત્રમાં દાખલ ન કરે, તો સ્પષ્ટ છે કે સુંદર ચિત્રરચના ઉત્પન્ન ન થતાં માત્ર છિન્નભિન્ન લિસોટા જ નજરે પડવાના. શિલ્પકલામાં પણ તે જ પ્રમાણે જોઈ લેવું. નૃત્યકલામાં તો વિશેષે કરીને સમપ્રમાણનો અનાદર કર્યાથી નૃત્યનું નૃત્યત્વ જ તૂટી જાય, કેમકે તેમાં તો કાલમાનના રૂપમાં સમપ્રમાણતાનું તત્ત્વ વધારે પરિસ્ફુટ રીતે આવે છે. સંગીતકલામાં પણ એ તત્ત્વ સૂરના માધુર્યના બંધારણમાં સમાયેલું હોવાથી તેમાં પણ ‘પ્રેમભક્તિ’ બે કાવ્યકલામાં સ્વીકારેલો સમપ્રમાણતાનો ઉદ્ધત અનાદર સેવ્યાથી માધુર્યભંગ, બેસૂરાપણું પ્રત્યક્ષ ફલિત થશે. પ્રકૃતિ પોતે પણ પોતાનાં સૌંદર્યનાં નિર્માણોમાં-સુંદર માનુષ આકૃતિમાં, નદી, સમુદ્ર, પર્વત વગેરેની રસિક રચનામાં – સૌંદર્યના મૂલભૂત સમપ્રમાણતાના તત્ત્વનો આશ્રય સૂક્ષ્મ રીતે કરે છે. એ નિર્માણોમાં જે જે પ્રસંગે વિષમતાનો આભાસ જણાય છે તે તે પ્રસંગે માનુષકલા પોતાના રસિક ધર્મને તાબે થઈને સમપ્રમાણતાનું તત્ત્વ અંદરથી જ ખેંચી કાઢીને પોતાની અનુપમ સુંદર પદ્ધતિથી પાછું પ્રકૃતિ ઉપર સમર્પે છે.”૩૦<ref>૩૦. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૧૪૬–૧૪૭</ref>
પ્રસ્તુત અવતરણ ઝીણવટભર્યું અવલોકન માગે છે. રસિક કલાઓમાં ચિત્ર, શિલ્પ, નૃત્ય, સંગીત કવિતા આદિ કલાઓમાં ‘સમપ્રમાણતા’ (symmetry)નું તત્ત્વ જ સૌંદર્યસાધક છે. (એનો અર્થ એ નથી કે માત્ર ‘સમપ્રમાણતા’ જ સૌંદર્યસાધક છે.) પરંતુ આ ‘સમપ્રમાણતા’ તો પ્રકૃતિનાં સૌંદર્યતત્ત્વોમાંય પ્રકટ થાય છે એવી નરસિંહરાવની શ્રદ્ધા છે. જો કે સામાન્યતઃ નદી, સમુદ્ર, પર્વત આદિ સત્ત્વોમાં તો કોઈ ‘સમપ્રમાણતા’નું તત્ત્વ પકડમાં આવતું નથી. નરસિંહરાવ એ વિશે નિરાકરણ કરતાં એમ કહે છે કે “એ નિર્માણોમાં જે જે પ્રસંગે વિષમતાનો આભાસ જણાય છે તે તે પ્રસંગે માનુષકલા પોતાના રસિક ધર્મને તાબે થઈને સમપ્રમાણતાનું તત્ત્વ અંદરથી જ ખેંચી કાઢીને પોતાની અનુપમ સુંદર પદ્ધતિથી પાછું પ્રકૃતિ ઉપર સમર્પે છે.” આ કથનમાં ‘સમપ્રમાણતા’નો સિદ્ધાંત સ્પષ્ટ રીતે નિર્બળ બની જતો જણાય છે. હકીકતમાં નદી, સમુદ્ર આદિ પ્રકૃતિનાં ભવ્યરમ્ય સત્ત્વોમાં જે સૌંદર્યાનુભવ થાય છે તેમાં એ સત્ત્વોની બાહ્ય ‘સમપ્રમાણતા’ કે ‘વિષમતા’ કરતાં યે તેની સમગ્ર સત્તા પ્રભાવક નીવડે છે એમ જણાય છે. નરસિંહરાવે એમ અર્થ ઘટાવવાનો પ્રયત્ન કર્યો છે કે સર્જક “પોતાના રસિક ધર્મને તાબે થઈ” પ્રકૃતિમાંથી ‘સમપ્રમાણતા’નું તત્ત્વ ખેંચી કાઢે છે. પરંતુ એમાં તેમની વિચારણાની શિથિલતા તરત જ વરતાઈ આવે છે. કળાકારની કૃતિમાં જે ‘સમપ્રમાણતા’ પ્રકટ થઈ છે તે તો સર્જક-દૃષ્ટિની નીપજ છે. મૂળ પ્રકૃતિના સત્ત્વના અનુભવમાંથી તેણે જે આકૃતિ નિર્માણ કરી છે તેમાં હવે મૂળ સત્ત્વનું તો પુનઃ આયોજન થયું છે. એટલે મૂળ પ્રકૃતિમાં એ આકૃતિની ‘સમપ્રમાણતા’ અનુસ્યૂત હતી એમ માનવું સયુક્તિક લાગતું નથી. આ મુદ્દાને બીજી રીતે ય મૂકી શકાય. જો પ્રકૃતિનાં સત્ત્વોમાં ‘સમપ્રમાણતા’ સૂક્ષ્મ રૂપે પણ પૂર્વસ્થિત હોય તો તો દરેક સર્જકની કૃતિમાં એકની એક પ્રકૃતિનો પ્રતિભાવ સમાન હોત. પણ વાસ્તવમાં એમ બનતું નથી.
પ્રસ્તુત અવતરણ ઝીણવટભર્યું અવલોકન માગે છે. રસિક કલાઓમાં ચિત્ર, શિલ્પ, નૃત્ય, સંગીત કવિતા આદિ કલાઓમાં ‘સમપ્રમાણતા’ (symmetry)નું તત્ત્વ જ સૌંદર્યસાધક છે. (એનો અર્થ એ નથી કે માત્ર ‘સમપ્રમાણતા’ જ સૌંદર્યસાધક છે.) પરંતુ આ ‘સમપ્રમાણતા’ તો પ્રકૃતિનાં સૌંદર્યતત્ત્વોમાંય પ્રકટ થાય છે એવી નરસિંહરાવની શ્રદ્ધા છે. જો કે સામાન્યતઃ નદી, સમુદ્ર, પર્વત આદિ સત્ત્વોમાં તો કોઈ ‘સમપ્રમાણતા’નું તત્ત્વ પકડમાં આવતું નથી. નરસિંહરાવ એ વિશે નિરાકરણ કરતાં એમ કહે છે કે “એ નિર્માણોમાં જે જે પ્રસંગે વિષમતાનો આભાસ જણાય છે તે તે પ્રસંગે માનુષકલા પોતાના રસિક ધર્મને તાબે થઈને સમપ્રમાણતાનું તત્ત્વ અંદરથી જ ખેંચી કાઢીને પોતાની અનુપમ સુંદર પદ્ધતિથી પાછું પ્રકૃતિ ઉપર સમર્પે છે.” આ કથનમાં ‘સમપ્રમાણતા’નો સિદ્ધાંત સ્પષ્ટ રીતે નિર્બળ બની જતો જણાય છે. હકીકતમાં નદી, સમુદ્ર આદિ પ્રકૃતિનાં ભવ્યરમ્ય સત્ત્વોમાં જે સૌંદર્યાનુભવ થાય છે તેમાં એ સત્ત્વોની બાહ્ય ‘સમપ્રમાણતા’ કે ‘વિષમતા’ કરતાં યે તેની સમગ્ર સત્તા પ્રભાવક નીવડે છે એમ જણાય છે. નરસિંહરાવે એમ અર્થ ઘટાવવાનો પ્રયત્ન કર્યો છે કે સર્જક “પોતાના રસિક ધર્મને તાબે થઈ” પ્રકૃતિમાંથી ‘સમપ્રમાણતા’નું તત્ત્વ ખેંચી કાઢે છે. પરંતુ એમાં તેમની વિચારણાની શિથિલતા તરત જ વરતાઈ આવે છે. કળાકારની કૃતિમાં જે ‘સમપ્રમાણતા’ પ્રકટ થઈ છે તે તો સર્જક-દૃષ્ટિની નીપજ છે. મૂળ પ્રકૃતિના સત્ત્વના અનુભવમાંથી તેણે જે આકૃતિ નિર્માણ કરી છે તેમાં હવે મૂળ સત્ત્વનું તો પુનઃ આયોજન થયું છે. એટલે મૂળ પ્રકૃતિમાં એ આકૃતિની ‘સમપ્રમાણતા’ અનુસ્યૂત હતી એમ માનવું સયુક્તિક લાગતું નથી. આ મુદ્દાને બીજી રીતે ય મૂકી શકાય. જો પ્રકૃતિનાં સત્ત્વોમાં ‘સમપ્રમાણતા’ સૂક્ષ્મ રૂપે પણ પૂર્વસ્થિત હોય તો તો દરેક સર્જકની કૃતિમાં એકની એક પ્રકૃતિનો પ્રતિભાવ સમાન હોત. પણ વાસ્તવમાં એમ બનતું નથી.
પ્રકૃતિમાં જ્યાં જ્યાં રમણીયતાનું દર્શન થાય છે ત્યાં ત્યાં ‘સમપ્રમાણતા’નો સિદ્ધાંત લાગુ પાડવાનો નરસિંહરાવનો પ્રયત્ન બરાબર લાગતો નથી. એવા અલૌકિક સૌંદર્યાનુભવની ક્ષણે તો સત્ત્વની ‘સમપ્રમાણતા’ કે ‘વિષમતા’ માત્ર નહિ પણ એ સત્ત્વની સમગ્ર સત્તાનો પ્રભાવ અનુભવાય છે. એ સત્ત્વમાં અનુસ્યૂત કોઈક ગૂઢ અનિર્વાચીનય અંશનો એમાં યોગ થતો પ્રતીત થાય છે. પ્રકૃતિમાં અનુભવાતું સૌંદર્ય અને કળાકૃતિના રસાસ્વાદમાં પ્રતીત થતું સૌંદર્ય તત્ત્વતઃ એકરૂપ છે કે તેમાં ક્યાંક ભેદ છે એ વિશે વિદ્વાનોમાં મતભેદ રહ્યો છે. અને સૌંદર્યશાસ્ત્ર (Aesthetics)નો એ અતિ જટિલ કોયડો છે. અહીં તો આપણે એટલું જ નોંધીશું કે રસિક કલાઓમાં પ્રતીત થતી સમપ્રમાણતા (Symmetry) પ્રકૃતિમાં સર્વત્ર પ્રતીત થતી નથી. અને સૌંદર્યનું તત્ત્વ એ કળાકૃતિ કે પ્રકૃતિની સમપ્રમાણતામાં બંધાઈ જતું તત્ત્વ નથી, એ તો ક્યાંક એ સમપ્રમાણતાને અતિક્રમીને વ્યાપી રહેલા ગૂઢ અંશમાં રહ્યું છે.
પ્રકૃતિમાં જ્યાં જ્યાં રમણીયતાનું દર્શન થાય છે ત્યાં ત્યાં ‘સમપ્રમાણતા’નો સિદ્ધાંત લાગુ પાડવાનો નરસિંહરાવનો પ્રયત્ન બરાબર લાગતો નથી. એવા અલૌકિક સૌંદર્યાનુભવની ક્ષણે તો સત્ત્વની ‘સમપ્રમાણતા’ કે ‘વિષમતા’ માત્ર નહિ પણ એ સત્ત્વની સમગ્ર સત્તાનો પ્રભાવ અનુભવાય છે. એ સત્ત્વમાં અનુસ્યૂત કોઈક ગૂઢ અનિર્વાચીનય અંશનો એમાં યોગ થતો પ્રતીત થાય છે. પ્રકૃતિમાં અનુભવાતું સૌંદર્ય અને કળાકૃતિના રસાસ્વાદમાં પ્રતીત થતું સૌંદર્ય તત્ત્વતઃ એકરૂપ છે કે તેમાં ક્યાંક ભેદ છે એ વિશે વિદ્વાનોમાં મતભેદ રહ્યો છે. અને સૌંદર્યશાસ્ત્ર (Aesthetics)નો એ અતિ જટિલ કોયડો છે. અહીં તો આપણે એટલું જ નોંધીશું કે રસિક કલાઓમાં પ્રતીત થતી સમપ્રમાણતા (Symmetry) પ્રકૃતિમાં સર્વત્ર પ્રતીત થતી નથી. અને સૌંદર્યનું તત્ત્વ એ કળાકૃતિ કે પ્રકૃતિની સમપ્રમાણતામાં બંધાઈ જતું તત્ત્વ નથી, એ તો ક્યાંક એ સમપ્રમાણતાને અતિક્રમીને વ્યાપી રહેલા ગૂઢ અંશમાં રહ્યું છે.
નરસિંહરાવની ઉત્તરકાલીન સૌંદર્યવિચારણામાં આગળ ઉલ્લિખિત ગ્રંથ Philosophy of the Beautifulમાંની Jouffroy નામના ચિંતકની સૌંદર્યવ્યાખ્યા જ પુરસ્કાર પામતી રહી છે. ઈ.સ. ૧૯૨૧માં લખાયેલા “પ્રકૃતિ અને કલા” એ લેખમાં તેઓ કહે છે : “સૌંદર્ય એટલે શું? એ પ્રશ્નનું અન્વેષણ અનેક ચિંતકોએ કર્યું છે; કેટલાંક સૌંદર્યને વસ્તુની અવયવ ઘટનામાં-સમપ્રમાણતામાં-જુવે છે; કેટલાક વસ્તુના ભૌતિક સ્વરૂપની પેલી પાર રહેલી કોઈક અવર્ણ્ય ભાવનામાં જુવે છે; આ બંને મતનો સમન્વય કરીને ત્રીજો પક્ષ સૌંદર્યનું લક્ષણ એવું આપે છે કે અદૃશ્ય તત્ત્વને પ્રત્યક્ષ કરવાને સમર્થ સ્વાભાવિક ચિહ્નો વડે એ અદૃશ્ય તત્ત્વનો સાક્ષાત્કાર તે સૌંદર્ય. આ લક્ષણને બળે સમપ્રમાણતાના ભૌતિક અંશનો તેમજ ભાવનાવાદના અતિભૌતિક અંશનો સાથેલાગો સંગ્રહ થાય છે. પરિણામ એ થાય છે કે ભાવનાવાદે સ્વીકારેલા અતિભૌતિક અંશ રૂપ આત્મા જે ઘટનામાં ના હોય તે સમપ્રમાણ હોવા છતાં નિર્જીવ, જડ, શબવત્‌ થવાની”૩૧ અહીં તેમણે આમ તો Jouffroyના સમન્વિત વિચારનું જ સમર્થન કર્યું છે, અથવા તેનું સમર્થન કરવાનો પ્રયત્ન છે. પરંતુ તેમના છેલ્લા વિધાન ‘ભાવનાવાદ’નો મહિમા થયો છે. અહીં “અતિભૌતિક અંશ રૂપ આત્મા”ના અભાવમાં, માત્ર ‘સમપ્રમાણતા’ સૌંદર્યનિષ્પાદક નહિ થાય એવો ખ્યાલ રજૂ થયો છે તેનું તાત્પર્ય એટલું જ કે કૃતિના મૂળમાં તેમ સિદ્ધ થયેલી કૃતિમાં સર્જકના ‘આત્મા’નો પ્રવેશ હોવો જ જોઈએ. આ ચર્ચાને વિકસાવતાં તેઓ કહે છે : “સંગીતકલામાં, ચિત્રકલામાં, શિલ્પકલામાં, સર્વત્ર આ બંને પ્રકારોનું (‘સમપ્રાણતા’ રૂપ જડવાદ અને આત્મારૂપ ભાવનાનું)દર્શન થાય છે. અને સર્વ રસિક કલામાં બંને અંશોને સાચવનારી કૃતિઓ જડે છે ત્યારે આપણને અપૂર્વ આનંદ થાય છે; આપણા અતંરાત્માના ઊંડાણમાં રહેલા રસિકતાના તાર ઉપર અદૃશ્ય સૌંદર્યની અનિલલહરી અથડાઈ દિવ્ય સંગીત પ્રગટ થાય છે, જે આપણે એકલા જ અનુભવી શકીએ. બીજાને એનું વર્ણન કરી બતાવાતું નથી.”૩૨ (નરસિંહરાવની કાવ્યવિચારણા અહીં હળવેકથી કવિત્વમય નિરૂપણમાં સરતી જણાય છે.) આ ચર્ચાનું મંતવ્ય એટલું જ કે ઉત્તમ પ્રકારની કળાકૃતિઓમાં સર્જકની ‘ભાવના’ અને અભિવ્યક્ત કૃતિના સ્વરૂપની ‘સમપ્રમાણતા’ એ બંને તત્ત્વોનો સુભગ સમન્વય સધાયો હોય છે. નરસિંહરાવની આ વિચારણામાંનો Jouffroyનો મત ફરી ફરીને રજૂ થયો છે.૩૩
નરસિંહરાવની ઉત્તરકાલીન સૌંદર્યવિચારણામાં આગળ ઉલ્લિખિત ગ્રંથ Philosophy of the Beautifulમાંની Jouffroy નામના ચિંતકની સૌંદર્યવ્યાખ્યા જ પુરસ્કાર પામતી રહી છે. ઈ.સ. ૧૯૨૧માં લખાયેલા “પ્રકૃતિ અને કલા” એ લેખમાં તેઓ કહે છે : “સૌંદર્ય એટલે શું? એ પ્રશ્નનું અન્વેષણ અનેક ચિંતકોએ કર્યું છે; કેટલાંક સૌંદર્યને વસ્તુની અવયવ ઘટનામાં-સમપ્રમાણતામાં-જુવે છે; કેટલાક વસ્તુના ભૌતિક સ્વરૂપની પેલી પાર રહેલી કોઈક અવર્ણ્ય ભાવનામાં જુવે છે; આ બંને મતનો સમન્વય કરીને ત્રીજો પક્ષ સૌંદર્યનું લક્ષણ એવું આપે છે કે અદૃશ્ય તત્ત્વને પ્રત્યક્ષ કરવાને સમર્થ સ્વાભાવિક ચિહ્નો વડે એ અદૃશ્ય તત્ત્વનો સાક્ષાત્કાર તે સૌંદર્ય. આ લક્ષણને બળે સમપ્રમાણતાના ભૌતિક અંશનો તેમજ ભાવનાવાદના અતિભૌતિક અંશનો સાથેલાગો સંગ્રહ થાય છે. પરિણામ એ થાય છે કે ભાવનાવાદે સ્વીકારેલા અતિભૌતિક અંશ રૂપ આત્મા જે ઘટનામાં ના હોય તે સમપ્રમાણ હોવા છતાં નિર્જીવ, જડ, શબવત્‌ થવાની”૩૧<ref>૩૧. મનોમુકુર ભાગ. ૩ : પૃ. ૨૫૯</ref> અહીં તેમણે આમ તો Jouffroyના સમન્વિત વિચારનું જ સમર્થન કર્યું છે, અથવા તેનું સમર્થન કરવાનો પ્રયત્ન છે. પરંતુ તેમના છેલ્લા વિધાન ‘ભાવનાવાદ’નો મહિમા થયો છે. અહીં “અતિભૌતિક અંશ રૂપ આત્મા”ના અભાવમાં, માત્ર ‘સમપ્રમાણતા’ સૌંદર્યનિષ્પાદક નહિ થાય એવો ખ્યાલ રજૂ થયો છે તેનું તાત્પર્ય એટલું જ કે કૃતિના મૂળમાં તેમ સિદ્ધ થયેલી કૃતિમાં સર્જકના ‘આત્મા’નો પ્રવેશ હોવો જ જોઈએ. આ ચર્ચાને વિકસાવતાં તેઓ કહે છે : “સંગીતકલામાં, ચિત્રકલામાં, શિલ્પકલામાં, સર્વત્ર આ બંને પ્રકારોનું (‘સમપ્રાણતા’ રૂપ જડવાદ અને આત્મારૂપ ભાવનાનું)દર્શન થાય છે. અને સર્વ રસિક કલામાં બંને અંશોને સાચવનારી કૃતિઓ જડે છે ત્યારે આપણને અપૂર્વ આનંદ થાય છે; આપણા અતંરાત્માના ઊંડાણમાં રહેલા રસિકતાના તાર ઉપર અદૃશ્ય સૌંદર્યની અનિલલહરી અથડાઈ દિવ્ય સંગીત પ્રગટ થાય છે, જે આપણે એકલા જ અનુભવી શકીએ. બીજાને એનું વર્ણન કરી બતાવાતું નથી.”૩૨<ref>૩૨. મનોમુકુર ભાગ ૩ : પૃ. ૨૫૭</ref> (નરસિંહરાવની કાવ્યવિચારણા અહીં હળવેકથી કવિત્વમય નિરૂપણમાં સરતી જણાય છે.) આ ચર્ચાનું મંતવ્ય એટલું જ કે ઉત્તમ પ્રકારની કળાકૃતિઓમાં સર્જકની ‘ભાવના’ અને અભિવ્યક્ત કૃતિના સ્વરૂપની ‘સમપ્રમાણતા’ એ બંને તત્ત્વોનો સુભગ સમન્વય સધાયો હોય છે. નરસિંહરાવની આ વિચારણામાંનો Jouffroyનો મત ફરી ફરીને રજૂ થયો છે.૩૩<ref>૩૩. (અ) “કાવ્યની શરીરઘટના” એ લેખમાં પૃ. ૨૭૧-૨૭૨ પરની ચર્ચા : “સૌદર્યતત્ત્વના આ સ્વરૂપને પરિણામે ચિંતકો સૌંદર્યનું લક્ષણ સંપૂર્ણ આપવાને અસમર્થ થયા છે. ભિન્ન ભિન્ન લક્ષણો અપાયાં છે, તે સર્વનો અહીં સંગ્રહ કરવાની જરૂર નથી. મુખ્ય બે મત, અને તે બંનેનો સમન્વય કરનારો ત્રીજો નિષ્કર્ષરૂપ સિદ્ધાંત દર્શાવીશું તો બસ છે : એરિસ્ટોટલના જડવાદ પ્રમાણે સૌંદર્યનું મૂળ symmetry (સમપ્રમાણતા)માં છે. Neo-Platonic ફિલસૂફીએ સ્વીકારેલા Idealism એટલે ભાવનાવાદ પ્રમાણે સૌંદર્યનું મૂળ જડ સ્વરૂપની પાર રહેલા કોઈ સૂક્ષ્મ ભાવના તત્ત્વથી મળતા અનુપ્રાણન છે. આ ભૌતિક અને અતિભૌતિક સ્વરૂપદર્શનનો સમન્વય ઝ્યૂફ્રવા Jouffroy નામનો ફ્રેંચ ચિન્તક કહે છે. અને સૌંદર્યનું લક્ષણ આમ સ્થાપે છે : The expression of the invisible by the natural signs which manifest it. (અદૃશ્યતત્ત્વનું ત્હેને પ્રગટ કરવાને માટે સ્વાભાવિક રીતે સમર્થ ચિહ્નો વડે પ્રદર્શન.)<br>
રસિક કલાઓમાં ‘ભાવનાવાદી’ અને ‘જડવાદી’ સૌંદર્ય વિચારોના સમન્વયનું મહત્ત્વ દર્શાવી નરસિંહરાવ કહે છે : “રસિક કલાઓનું ખરું સ્વરૂપ આ પ્રકારનું હોવાને લીધે પ્રકૃતિના નિર્જીવ અનુકરણમાં સૌંદર્યનું પ્રતિબિંબ આવી શકતું નથી. પ્રકૃતિમાં સૌંદર્યનું તત્ત્વ વ્યાપકરૂપે વશેલું છે, તેનું પ્રતિબિંબ ફોટોગ્રાફ વડે નહિં પણ કલાવિધાનના જાદુ વડે જ લઈ સકાય એમ છે. પ્રકૃતિ અને કલા વચ્ચે વિરોધ નથી; જડ અનુકરણ અને કલા વચ્ચે વિરોધ છે.”૩૪ અહીં રજૂ થયેલી લાઘવયુક્ત વિચારણામાં નરસિંહરાવની કલામીમાંસાના પાયાના ખ્યાલો સાંકળી લેવાયેલા જણાય છે. આગળ તેમણે નોંધ્યું છે તેમ, રસિક કલાઓમાં તેના સર્જકની ભાવના તેમ કળાકૃતિની સમપ્રમાણતા (symmetry) એ બંને વસ્તુઓનો યોગ થવો આવશ્યક છે. રસિક કલાઓનું સાચું સ્વરૂપ એ રીતે જ પ્રગટ થાય છે. વળી, અહીં નરસિંહરાવની બીજી એક મૂળભૂત શ્રદ્ધા પ્રગટ થઈ છે કે સૌંદર્યનું તત્ત્વ આ પ્રકૃતિમાં વ્યાપી રહ્યું છે, પરંતુ એ સૌંદર્યના આકલનમાં સર્જકની દૃષ્ટિનો યોગ થવો જરૂરી છે. એનું સ્થૂળ ફોટોગ્રાફિક પ્રતિબિંબ પાડવાથી કળાકૃતિ સિદ્ધ થઈ જતી નથી. (જો કે હવે તો ફોટોગ્રાફી પણ વિકાસ પામી છે અને એમાંયે સર્જનાત્મક તત્ત્વનો અનુભવ સંભવે એ રીતે એનો ઉપયોગ થતો જોવા મળે છે). અહીં નરસિંહરાવની વિચારણા એક ક્રમ આગળ વધી છે. કવિ સર્જક-ની સૃષ્ટિ એ પ્રકૃતિના પદાર્થોનું ભાવનાત્મક નિરૂપણ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સર્જકની કૃતિમાં જેમ સ્થૂળ દેહપક્ષે “સમપ્રમાણતા”નું તત્ત્વ જરૂરી છે તેમ સૂક્ષ્મ દેહ પરત્વે સર્જકની દૃષ્ટિનો યોગ થવો જરૂરી છે. આ રીતે પ્રકૃતિમાં વ્યાપક સૌંદર્યનું આકલન થઈ શકે અને તેનું કળાત્મક રૂપનિર્માણ સંભવે. નરસિંહરાવ એમ કહે છે કે પ્રકૃતિ અને કલા વચ્ચે વિરોધ નથી, પણ પ્રકૃતિનું જડ અનુકરણ અને કલા વચ્ચે વિરોધ છે. એનો અર્થ એટલો જ કે પ્રકૃતિમાં વ્યાપ્ત સૌંદર્ય કલાકૃતિમાં મંડિત થાય છે એ દૃષ્ટિએ એ બેમાં વિરોધ નથી. (સર્જકની દૃષ્ટિ એ પ્રકૃતિના સૌંદર્યને આકલિત કરી આપે છે.) પણ પદાર્થોનું જડ એવું અનુકરણ પ્રકૃતિના સૌંદર્યનું આકલન કરી શકતું નથી.
{{gap}}(બ) ‘વિવર્તલીલા’માં પૃ. ૯૧ પર પ્રસ્તુત વિચાર લગભગ આ જ શબ્દાવલિમાં રજૂ થયો છે :<br>
{{gap}}“સૌંદર્યનું બીજ પદાર્થની ભૌતિક ઘટનામાં જોનારા ચિંતકોનો મત, અને પદાર્થની પાર રહેલી અતિભૌતિક ભાવનામાં જોનારા ચિંતકોનો મત, એ બંનેનો સમન્વય એરિસ્ટોટલનો જડવાદ અને નીઓ-પ્લેટોનિક ફિલસૂફીનો ભાવનાવાદ એ બેનો સમન્વય) યુકવા નામના ફ્રેન્ચ ચિંતકે કર્યો છે કે “અદૃશ્ય તત્ત્વનું, તેને પ્રગટ કરવાને માટે સ્વાભાવિક રીતે સમર્થ ચિહ્નો વડે પ્રદર્શન તે સૌંદર્ય.” આ સૌંદર્યતત્ત્વનું મૂળ બિંબ અતિભૌતિક ભાવનાના અધિષ્ઠાનભૂત માનવહૃદયમાં અને હેવું પ્રતિબિંબ બાહ્ય પદાર્થોની સ્વરૂપઘટનામાં, એમ ઊભયનિષ્ઠ તત્ત્વનું દર્શન આ પંક્તિઓમાં અર્કરૂપે રચેલી વાણીમાં કરાવ્યું છે.”<br>
{{gap}}નોંધ :– આ સર્વ ચર્ચાવિચારણાને લક્ષમાં લેતાં જણાશે કે નરસિંહરાવની વિવેચનામાંના અનેક પાયાના ખ્યાલો ફરી ફરીને ઘૂંટાતા રહ્યા છે. આપણે નરસિંહરાવ વિશેની પ્રારંભિક વિચારણામાં નોંધ્યું છે કે નરસિંહરાવનાં લખાણોમાં અનેક ખ્યાલોનું પુનરાવર્તન થયું છે. (તેમાં પ્રધાનગૌણ મુદ્દાઓ ફરી ફરીને સ્થાન પામતા રહ્યા છે.) એ ખ્યાલનું અહીં સ્પષ્ટ સમર્થન મળશે.</ref>
રસિક કલાઓમાં ‘ભાવનાવાદી’ અને ‘જડવાદી’ સૌંદર્ય વિચારોના સમન્વયનું મહત્ત્વ દર્શાવી નરસિંહરાવ કહે છે : “રસિક કલાઓનું ખરું સ્વરૂપ આ પ્રકારનું હોવાને લીધે પ્રકૃતિના નિર્જીવ અનુકરણમાં સૌંદર્યનું પ્રતિબિંબ આવી શકતું નથી. પ્રકૃતિમાં સૌંદર્યનું તત્ત્વ વ્યાપકરૂપે વશેલું છે, તેનું પ્રતિબિંબ ફોટોગ્રાફ વડે નહિં પણ કલાવિધાનના જાદુ વડે જ લઈ સકાય એમ છે. પ્રકૃતિ અને કલા વચ્ચે વિરોધ નથી; જડ અનુકરણ અને કલા વચ્ચે વિરોધ છે.”૩૪<ref>૩૪. મનોમુકુર ભા. ૩ : પૃ. ૨૫૭</ref> અહીં રજૂ થયેલી લાઘવયુક્ત વિચારણામાં નરસિંહરાવની કલામીમાંસાના પાયાના ખ્યાલો સાંકળી લેવાયેલા જણાય છે. આગળ તેમણે નોંધ્યું છે તેમ, રસિક કલાઓમાં તેના સર્જકની ભાવના તેમ કળાકૃતિની સમપ્રમાણતા (symmetry) એ બંને વસ્તુઓનો યોગ થવો આવશ્યક છે. રસિક કલાઓનું સાચું સ્વરૂપ એ રીતે જ પ્રગટ થાય છે. વળી, અહીં નરસિંહરાવની બીજી એક મૂળભૂત શ્રદ્ધા પ્રગટ થઈ છે કે સૌંદર્યનું તત્ત્વ આ પ્રકૃતિમાં વ્યાપી રહ્યું છે, પરંતુ એ સૌંદર્યના આકલનમાં સર્જકની દૃષ્ટિનો યોગ થવો જરૂરી છે. એનું સ્થૂળ ફોટોગ્રાફિક પ્રતિબિંબ પાડવાથી કળાકૃતિ સિદ્ધ થઈ જતી નથી. (જો કે હવે તો ફોટોગ્રાફી પણ વિકાસ પામી છે અને એમાંયે સર્જનાત્મક તત્ત્વનો અનુભવ સંભવે એ રીતે એનો ઉપયોગ થતો જોવા મળે છે). અહીં નરસિંહરાવની વિચારણા એક ક્રમ આગળ વધી છે. કવિ સર્જક-ની સૃષ્ટિ એ પ્રકૃતિના પદાર્થોનું ભાવનાત્મક નિરૂપણ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સર્જકની કૃતિમાં જેમ સ્થૂળ દેહપક્ષે “સમપ્રમાણતા”નું તત્ત્વ જરૂરી છે તેમ સૂક્ષ્મ દેહ પરત્વે સર્જકની દૃષ્ટિનો યોગ થવો જરૂરી છે. આ રીતે પ્રકૃતિમાં વ્યાપક સૌંદર્યનું આકલન થઈ શકે અને તેનું કળાત્મક રૂપનિર્માણ સંભવે. નરસિંહરાવ એમ કહે છે કે પ્રકૃતિ અને કલા વચ્ચે વિરોધ નથી, પણ પ્રકૃતિનું જડ અનુકરણ અને કલા વચ્ચે વિરોધ છે. એનો અર્થ એટલો જ કે પ્રકૃતિમાં વ્યાપ્ત સૌંદર્ય કલાકૃતિમાં મંડિત થાય છે એ દૃષ્ટિએ એ બેમાં વિરોધ નથી. (સર્જકની દૃષ્ટિ એ પ્રકૃતિના સૌંદર્યને આકલિત કરી આપે છે.) પણ પદાર્થોનું જડ એવું અનુકરણ પ્રકૃતિના સૌંદર્યનું આકલન કરી શકતું નથી.
નરસિંહરાવની સૌંદર્યમીમાંસામાંની આ ભૂમિકા તેમની સમગ્ર કાવ્યચર્ચામાં યે પ્રતિષ્ઠિત થયેલી જણાય છે. અહીં તેમણે સર્જકની ભાવના સાથે કળાકૃતિની સમપ્રમાણતાનો સમન્વય કરવાને આગ્રહ રાખ્યો. આગળ ઉપર આપણે જોઈશું કે તેમણે કવિતાના સ્વરૂપની ચર્ચામાં કવિતાના સૂક્ષ્મદેહ લેખે રસ (કે સૌંદર્ય) તત્ત્વ અને તેના સ્થૂળ દેહ લેખે શબ્દાર્થના સમન્વયનો આદર્શ રજૂ કર્યો છે.
નરસિંહરાવની સૌંદર્યમીમાંસામાંની આ ભૂમિકા તેમની સમગ્ર કાવ્યચર્ચામાં યે પ્રતિષ્ઠિત થયેલી જણાય છે. અહીં તેમણે સર્જકની ભાવના સાથે કળાકૃતિની સમપ્રમાણતાનો સમન્વય કરવાને આગ્રહ રાખ્યો. આગળ ઉપર આપણે જોઈશું કે તેમણે કવિતાના સ્વરૂપની ચર્ચામાં કવિતાના સૂક્ષ્મદેહ લેખે રસ (કે સૌંદર્ય) તત્ત્વ અને તેના સ્થૂળ દેહ લેખે શબ્દાર્થના સમન્વયનો આદર્શ રજૂ કર્યો છે.
કવિ ન્હાનાલાલના ‘વસન્તોત્સવ’ની ડોલનશેલીની ચર્ચા-વિચારણા કરતાં નરસિંહરાવે ‘સમપ્રમાણતા’ના ખ્યાલને આંદોલનના અર્થમાં ઘટાવવાનો પ્રયત્ન કર્યો છે તે પણ નોંધપાત્ર છે. “આંદોલનનું આ તત્ત્વ સર્વ કલામાં પ્રવર્તમાન હોઈ- સંગીતકલામાં સૂર અને તાલના માપમાં, નૃત્યકલામાં ગતિરૂપ કાલમાપમાં, ચિત્રકલામાં જ્યોતિ અને છાયાના સંબંધરૂપ માપમાં, કાવ્યકલામાં અન્તસ્તત્ત્વમાં ભાવોના પરસ્પર સંબંધના પોષણમાં તેમ જ બાહ્ય સ્વરૂપમાં શબ્દોના સ્વસંબંધમાં અને સ્વરમાનમાં, અર્થાત્‌ સર્વત્ર અવયવોના પ્રમાણમાં-સમપ્રમાણતા (symmetry)ની, સંવાદિતાની, સ્વાભાવિક અપેક્ષા રાખે છે. આ ઉપરથી એમ ઠરાવી દેવાનું નથી કે યાન્ત્રિક અને ગણિતના તાળા જેવી સંવાદિતા ઇષ્ટ છે. કલાની રસિકતા માગી જ લે છે કે ભિન્નતાનો અંશ પણ આવવો જોઈયે. પરંતુ કલાનું ચાતુર્ય એ ભિન્નતાને પણ સંવાદિતા સાથે અવરોધે રાખવામાં છે.”૩૫ અહીં રસિક કળાઓમાં પ્રવર્તતા ‘આંદોલન’નાં તત્ત્વને સ્પષ્ટ કરવા નરસિંહરાવે, પ્રથમ સંગીત, નૃત્ય આદિ કલાઓ, અને તે પછી ચિત્ર અને કાવ્યકલાનો વિચાર રજૂ કર્યો છે તે ધ્યાનપાત્ર છે. સંગીતકલામાં સૂરોની સંવાદિતા કે તેની સમપ્રમાણતાનું તત્ત્વ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે અને સંગીતકલાનું જાણે કે જીવિતતત્ત્વ બની રહે છે. એ કલામાં ‘આંદોલન’ (કે ‘સમપ્રમાણતા’)ના તત્ત્વનો સૌથી વધુ વિનિયોગ થતો હોવાથી અહીં નરસિંહરાવે તેનો પ્રથમ વિચાર કર્યો જણાય છે. નૃત્યકલામાં યે નૃત્યકારની અભિનયકલામાં સર્વાંગી સંવાદિતાનું તત્ત્વ પ્રકટતું હોવું જોઈએ. ચિત્રકલામાંયે આલેખ્ય પદાર્થો કે તેની રેખાઓમાં ‘આંદોલન’ કે ‘સંવાદ’નું તત્ત્વ આવશ્યક છે. અને કાવ્યકલામાંયે ભાવનિરૂપણમાં તેમ તેના નાદતત્ત્વમાં સમુચિત સંવાદ જોઈએ.
કવિ ન્હાનાલાલના ‘વસન્તોત્સવ’ની ડોલનશેલીની ચર્ચા-વિચારણા કરતાં નરસિંહરાવે ‘સમપ્રમાણતા’ના ખ્યાલને આંદોલનના અર્થમાં ઘટાવવાનો પ્રયત્ન કર્યો છે તે પણ નોંધપાત્ર છે. “આંદોલનનું આ તત્ત્વ સર્વ કલામાં પ્રવર્તમાન હોઈ- સંગીતકલામાં સૂર અને તાલના માપમાં, નૃત્યકલામાં ગતિરૂપ કાલમાપમાં, ચિત્રકલામાં જ્યોતિ અને છાયાના સંબંધરૂપ માપમાં, કાવ્યકલામાં અન્તસ્તત્ત્વમાં ભાવોના પરસ્પર સંબંધના પોષણમાં તેમ જ બાહ્ય સ્વરૂપમાં શબ્દોના સ્વસંબંધમાં અને સ્વરમાનમાં, અર્થાત્‌ સર્વત્ર અવયવોના પ્રમાણમાં-સમપ્રમાણતા (symmetry)ની, સંવાદિતાની, સ્વાભાવિક અપેક્ષા રાખે છે. આ ઉપરથી એમ ઠરાવી દેવાનું નથી કે યાન્ત્રિક અને ગણિતના તાળા જેવી સંવાદિતા ઇષ્ટ છે. કલાની રસિકતા માગી જ લે છે કે ભિન્નતાનો અંશ પણ આવવો જોઈયે. પરંતુ કલાનું ચાતુર્ય એ ભિન્નતાને પણ સંવાદિતા સાથે અવરોધે રાખવામાં છે.”૩૫<ref>૩૫. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૧૫૧</ref> અહીં રસિક કળાઓમાં પ્રવર્તતા ‘આંદોલન’નાં તત્ત્વને સ્પષ્ટ કરવા નરસિંહરાવે, પ્રથમ સંગીત, નૃત્ય આદિ કલાઓ, અને તે પછી ચિત્ર અને કાવ્યકલાનો વિચાર રજૂ કર્યો છે તે ધ્યાનપાત્ર છે. સંગીતકલામાં સૂરોની સંવાદિતા કે તેની સમપ્રમાણતાનું તત્ત્વ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે અને સંગીતકલાનું જાણે કે જીવિતતત્ત્વ બની રહે છે. એ કલામાં ‘આંદોલન’ (કે ‘સમપ્રમાણતા’)ના તત્ત્વનો સૌથી વધુ વિનિયોગ થતો હોવાથી અહીં નરસિંહરાવે તેનો પ્રથમ વિચાર કર્યો જણાય છે. નૃત્યકલામાં યે નૃત્યકારની અભિનયકલામાં સર્વાંગી સંવાદિતાનું તત્ત્વ પ્રકટતું હોવું જોઈએ. ચિત્રકલામાંયે આલેખ્ય પદાર્થો કે તેની રેખાઓમાં ‘આંદોલન’ કે ‘સંવાદ’નું તત્ત્વ આવશ્યક છે. અને કાવ્યકલામાંયે ભાવનિરૂપણમાં તેમ તેના નાદતત્ત્વમાં સમુચિત સંવાદ જોઈએ.
અહીં નોંધવું જોઈએ કે રસિક કલાઓના સ્થૂળ પ્રતીકાત્મક રૂપમાં ‘આંદોલન’ કે ‘સમપ્રમાણતા’ના સિદ્ધાંતને ઘટાવવાનો પ્રયત્ન કરતાં ‘આંદોલન’ના ખ્યાલને વધુ સૂક્ષ્મ બનાવવાના પ્રસંગો આવ્યા છે. ખાસ કરીને કવિતાકલાના સંદર્ભમાં તેમનું અર્થઘટન વિચારણીય છે. કાવ્યકલામાં “અન્તસ્તત્ત્વમાં ભાવોના પરસ્પર સંબંધના પોષણમાં” જો ‘આંદોલન’ કે ‘સમપ્રમાણતા’નું તત્ત્વ અનુસ્યૂત હોય તો તેનું આકલન કરવાનું દુષ્કર છે. અહીં તેઓ કાવ્યકલાના ઊગમ રૂપ (કવિના) ભાવતત્ત્વના ‘આંદોલન’નો મુદ્દો જે રીતે સ્પર્શે છે, તે જોતાં એમ જ કહેવું જોઈએ કે તેમાં ‘આંદોલન’ શબ્દની થોડી ભિન્ન અર્થચ્છાયાઓ પ્રગટ થતી જોવા મળે છે. ચિત્રકળાનું ‘આંદોલન’ કવિતાનું ‘આંદોલન’ કે સંગીતકલાનું ‘આંદોલન’ એ દરેક કળામાં વિશિષ્ટ રૂપમાં પ્રતીત થાય છે.
અહીં નોંધવું જોઈએ કે રસિક કલાઓના સ્થૂળ પ્રતીકાત્મક રૂપમાં ‘આંદોલન’ કે ‘સમપ્રમાણતા’ના સિદ્ધાંતને ઘટાવવાનો પ્રયત્ન કરતાં ‘આંદોલન’ના ખ્યાલને વધુ સૂક્ષ્મ બનાવવાના પ્રસંગો આવ્યા છે. ખાસ કરીને કવિતાકલાના સંદર્ભમાં તેમનું અર્થઘટન વિચારણીય છે. કાવ્યકલામાં “અન્તસ્તત્ત્વમાં ભાવોના પરસ્પર સંબંધના પોષણમાં” જો ‘આંદોલન’ કે ‘સમપ્રમાણતા’નું તત્ત્વ અનુસ્યૂત હોય તો તેનું આકલન કરવાનું દુષ્કર છે. અહીં તેઓ કાવ્યકલાના ઊગમ રૂપ (કવિના) ભાવતત્ત્વના ‘આંદોલન’નો મુદ્દો જે રીતે સ્પર્શે છે, તે જોતાં એમ જ કહેવું જોઈએ કે તેમાં ‘આંદોલન’ શબ્દની થોડી ભિન્ન અર્થચ્છાયાઓ પ્રગટ થતી જોવા મળે છે. ચિત્રકળાનું ‘આંદોલન’ કવિતાનું ‘આંદોલન’ કે સંગીતકલાનું ‘આંદોલન’ એ દરેક કળામાં વિશિષ્ટ રૂપમાં પ્રતીત થાય છે.
આપણે જોયું કે નરસિંહરાવે “રસિક કલાઓ”ની મીમાંસા કરતાં સર્જકના ભાવનાતત્ત્વ સાથે કૃતિની ‘સમપ્રમાણતા’ (કે ‘આંદોલન’)ના સમન્વયનો આગ્રહ રાખ્યો. કૃતિના અંતસ્તત્ત્વ રૂપે કવિની ભાવનાનો પ્રવેશ હોય તો તેના બાહ્ય રૂપમાં ‘સમપ્રમાણતા’નું તત્ત્વ પ્રગટ થતું હોય. એ રીતે આંતરબાહ્ય સંવાદની સિદ્ધિ દ્વારા જ કળાત્મક્તા સાધી શકાય એવો તેમનો દૃઢ આગ્રહ રહ્યો જણાય છે. નરસિંહરાવની સૌંદર્યમીમાંસામાં આમ કલાના સૌંદર્ય તેમ પ્રકૃતિના સૌંદર્યતત્ત્વનો વિચારવિમર્શ જોવા મળે છે. આ વિશે આપણે એમ જોયું છે કે પ્રકૃતિના સૌંદર્યતત્ત્વના સંદર્ભમાં ‘સમપ્રમાણતા’નો સિદ્ધાંત લાગુ પાડવાનો પ્રયત્ન કરતાં એ સિદ્ધાંતની ન્યૂનતા તરત જ છતી થઈ જાય છે.
આપણે જોયું કે નરસિંહરાવે “રસિક કલાઓ”ની મીમાંસા કરતાં સર્જકના ભાવનાતત્ત્વ સાથે કૃતિની ‘સમપ્રમાણતા’ (કે ‘આંદોલન’)ના સમન્વયનો આગ્રહ રાખ્યો. કૃતિના અંતસ્તત્ત્વ રૂપે કવિની ભાવનાનો પ્રવેશ હોય તો તેના બાહ્ય રૂપમાં ‘સમપ્રમાણતા’નું તત્ત્વ પ્રગટ થતું હોય. એ રીતે આંતરબાહ્ય સંવાદની સિદ્ધિ દ્વારા જ કળાત્મક્તા સાધી શકાય એવો તેમનો દૃઢ આગ્રહ રહ્યો જણાય છે. નરસિંહરાવની સૌંદર્યમીમાંસામાં આમ કલાના સૌંદર્ય તેમ પ્રકૃતિના સૌંદર્યતત્ત્વનો વિચારવિમર્શ જોવા મળે છે. આ વિશે આપણે એમ જોયું છે કે પ્રકૃતિના સૌંદર્યતત્ત્વના સંદર્ભમાં ‘સમપ્રમાણતા’નો સિદ્ધાંત લાગુ પાડવાનો પ્રયત્ન કરતાં એ સિદ્ધાંતની ન્યૂનતા તરત જ છતી થઈ જાય છે.
એમ લાગે છે કે નરસિંહરાવે બ્રહ્માંડવ્યાપી સૌંદર્ય તત્ત્વનો સ્વીકાર કર્યા પછી તેના બીજભૂત તત્ત્વ લેખે તેમાં ‘સમપ્રમાણતા’નું તત્ત્વ શોધવાનો જે પ્રયત્ન કર્યો તે બરાબર નથી. બીજા શબ્દોમાં કહીએ તો કલાકૃતિના સંદર્ભમાં તેમણે ‘સમપ્રમાણતા’નો જે વિચાર રજૂ કર્યો તે સીધેસીધો પ્રકૃતિના સૌંદર્યમાં લાગુ પાડવા જતાં તેમાંથી કશીજ મૂલ્યવાન ચર્ચા પ્રાપ્ત થતી નથી. રસિક કલાઓના આસ્વાદમાં પ્રતીત થતું સૌંદર્ય અને પ્રકૃતિનાં રુદ્રરમ્ય સત્ત્વોના સાન્નિધ્યમાં અનુભવાતો સૌંદર્યોન્મેષ તત્ત્વતઃ અભિન્ન છે કે નહિ એ બાબતમાં મતમતાંતર દાખવે છે. અહીં એ વિશેની સર્વ વિચારણાને રજૂ કરવાનું શક્ય નથી. એ અંગે એટલું જ નોંધીશું કે પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસા (Aesthetics)માં ‘સમપ્રમાણતા’ (symmetry)નો સિદ્ધાંત હવે એટલો આદરપાત્ર રહ્યો નથી. ખાસ કરીને છેલ્લા બે અઢી સૈકામાં, યુરોપમાં સાંસ્કૃતિક અને વૈચારિક ક્રાંતિ આવી, તેના સહજ પરિણામ રૂપે ત્યાંની કલામીમાંસા (Aesthetics)માં ય નવા અભિગમથી વિચારણાઓ ઉદ્‌ભવી. ગઈ સદીના આરંભે રોમેન્ટિક કવિઓએ પોતાની રહસ્યાનુભૂતિને જ કાવ્યવિષય બનાવ્યો. કવિતા તેમ કલાના ક્ષેત્રમાં સર્જકચિત્તનું સંવેદન અભિવ્યક્તિ પામે એ આદર્શ વ્યાપક સ્વીકાર પામ્યો. ક્રોચે જેવા કલામીમાંસકે તો સર્જકની સંવેદનાત્મક ‘અંતઃપ્રેરણા’નો મહિમા કર્યો. એ ‘અંતઃપ્રેરણા’ની પૂર્ણ અભિવ્યક્તિમાં જ સૌંદર્યતત્ત્વ નિહિત રહ્યું છે એમ તેમણે પ્રતિપાદિત કર્યું. આમ, આધુનિક કલામીમાંસામાં સર્જકના ‘અંતઃવિશ્વ’નો મહિમા થયો. એ સંજોગોમાં ‘સમપ્રમાણતા’નો સિદ્ધાંત અર્થસભર રહ્યો નથી. નરસિંહરાવ માને છે તેમ, બાહ્ય વિશ્વના પદાર્થોની ‘સમપ્રમાણતા’નો, એમાં કોઈ પ્રશ્ન જ નથી.
એમ લાગે છે કે નરસિંહરાવે બ્રહ્માંડવ્યાપી સૌંદર્ય તત્ત્વનો સ્વીકાર કર્યા પછી તેના બીજભૂત તત્ત્વ લેખે તેમાં ‘સમપ્રમાણતા’નું તત્ત્વ શોધવાનો જે પ્રયત્ન કર્યો તે બરાબર નથી. બીજા શબ્દોમાં કહીએ તો કલાકૃતિના સંદર્ભમાં તેમણે ‘સમપ્રમાણતા’નો જે વિચાર રજૂ કર્યો તે સીધેસીધો પ્રકૃતિના સૌંદર્યમાં લાગુ પાડવા જતાં તેમાંથી કશીજ મૂલ્યવાન ચર્ચા પ્રાપ્ત થતી નથી. રસિક કલાઓના આસ્વાદમાં પ્રતીત થતું સૌંદર્ય અને પ્રકૃતિનાં રુદ્રરમ્ય સત્ત્વોના સાન્નિધ્યમાં અનુભવાતો સૌંદર્યોન્મેષ તત્ત્વતઃ અભિન્ન છે કે નહિ એ બાબતમાં મતમતાંતર દાખવે છે. અહીં એ વિશેની સર્વ વિચારણાને રજૂ કરવાનું શક્ય નથી. એ અંગે એટલું જ નોંધીશું કે પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસા (Aesthetics)માં ‘સમપ્રમાણતા’ (symmetry)નો સિદ્ધાંત હવે એટલો આદરપાત્ર રહ્યો નથી. ખાસ કરીને છેલ્લા બે અઢી સૈકામાં, યુરોપમાં સાંસ્કૃતિક અને વૈચારિક ક્રાંતિ આવી, તેના સહજ પરિણામ રૂપે ત્યાંની કલામીમાંસા (Aesthetics)માં ય નવા અભિગમથી વિચારણાઓ ઉદ્‌ભવી. ગઈ સદીના આરંભે રોમેન્ટિક કવિઓએ પોતાની રહસ્યાનુભૂતિને જ કાવ્યવિષય બનાવ્યો. કવિતા તેમ કલાના ક્ષેત્રમાં સર્જકચિત્તનું સંવેદન અભિવ્યક્તિ પામે એ આદર્શ વ્યાપક સ્વીકાર પામ્યો. ક્રોચે જેવા કલામીમાંસકે તો સર્જકની સંવેદનાત્મક ‘અંતઃપ્રેરણા’નો મહિમા કર્યો. એ ‘અંતઃપ્રેરણા’ની પૂર્ણ અભિવ્યક્તિમાં જ સૌંદર્યતત્ત્વ નિહિત રહ્યું છે એમ તેમણે પ્રતિપાદિત કર્યું. આમ, આધુનિક કલામીમાંસામાં સર્જકના ‘અંતઃવિશ્વ’નો મહિમા થયો. એ સંજોગોમાં ‘સમપ્રમાણતા’નો સિદ્ધાંત અર્થસભર રહ્યો નથી. નરસિંહરાવ માને છે તેમ, બાહ્ય વિશ્વના પદાર્થોની ‘સમપ્રમાણતા’નો, એમાં કોઈ પ્રશ્ન જ નથી.
નરસિંહરાવની સૌંદર્યમીમાંસામાં, ખાસ તો આરંભકાલીન ચર્ચામાં, ‘સમપ્રમાણતા’ માટેનો પક્ષવાદ દેખાઈ આવે છે. તેમની ઉત્તરકાલીન ચર્ચામાં ય ‘સમપ્રમાણતા’નો અનાદર નથી થયો, પરંતુ તેમાં ‘ભાવનાવાદ’ને અભિમત સૌંદર્યસિદ્ધાંતનો સ્વીકાર થયો છે. તેમણે છેવટ સુધી કળાકૃતિના આંતરબાહ્ય સંવાદની જે હિમાયત કરી છે તે લક્ષ્યપાત્ર છે. તેમણે કલાઓની લોકોત્તર સૃષ્ટિનો અને વિશેષતઃ સૌંદર્યની દિવ્યતાનો જે ખ્યાલ કેળવ્યો છે તેના સંદર્ભમાં તેમની આ હિમાયત સમજી શકાય. તેમણે કવિતાની વ્યાખ્યા કરતાં આ બંને પાસાંનો નિર્દેશ કરવાનો પ્રયત્ન કર્યો છે, એટલું જ નહિ, કવિતાની પદ્યરચનાની ચર્ચાવિચારણા કરતાંયે તેના સ્થૂળ સૂક્ષ્મ સૌંદર્યની જે ભાવના પ્રતિષ્ઠિત કરી છે તે આ રીતે સમજી શકાય તેમ છે.
નરસિંહરાવની સૌંદર્યમીમાંસામાં, ખાસ તો આરંભકાલીન ચર્ચામાં, ‘સમપ્રમાણતા’ માટેનો પક્ષવાદ દેખાઈ આવે છે. તેમની ઉત્તરકાલીન ચર્ચામાં ય ‘સમપ્રમાણતા’નો અનાદર નથી થયો, પરંતુ તેમાં ‘ભાવનાવાદ’ને અભિમત સૌંદર્યસિદ્ધાંતનો સ્વીકાર થયો છે. તેમણે છેવટ સુધી કળાકૃતિના આંતરબાહ્ય સંવાદની જે હિમાયત કરી છે તે લક્ષ્યપાત્ર છે. તેમણે કલાઓની લોકોત્તર સૃષ્ટિનો અને વિશેષતઃ સૌંદર્યની દિવ્યતાનો જે ખ્યાલ કેળવ્યો છે તેના સંદર્ભમાં તેમની આ હિમાયત સમજી શકાય. તેમણે કવિતાની વ્યાખ્યા કરતાં આ બંને પાસાંનો નિર્દેશ કરવાનો પ્રયત્ન કર્યો છે, એટલું જ નહિ, કવિતાની પદ્યરચનાની ચર્ચાવિચારણા કરતાંયે તેના સ્થૂળ સૂક્ષ્મ સૌંદર્યની જે ભાવના પ્રતિષ્ઠિત કરી છે તે આ રીતે સમજી શકાય તેમ છે.
નરસિંહરાવે કલાસર્જનની પ્રવૃત્તિનું અપૂર્વ ગૌરવ કર્યું છે. કલાસર્જન એ કોઈ સામાન્ય સ્થૂળ પ્રવૃત્તિ નથી, પરંતુ માનવીની આધ્યાત્મિક જરૂરિયાતમાંથી ઉદ્‌ભવતી એક અસાધારણ પ્રવૃત્તિ છે. તેઓ કહે છે કે રોજિંદા જીવનવ્યવહારનાં ભૌતિક સુખો માનવઆત્માની ઊંડી ઝંખનાને સંતોષી શકતાં નથી. માનવીનો અંતરાત્મા આ ભૌતિક જીવનની ક્ષુદ્ર ઘટમાળમાંથી ઊંચે ઊઠવા ચાહે છે અને કલાની સૃષ્ટિ એવી ઊર્ધ્વ પ્રાંતની સૃષ્ટિ છે. તેઓ આ મુદ્દાને સ્પષ્ટ કરતાં કહે છે : “...માનવહૃદય કાંઈક ઊંચે ઊડવાને મથે છે, પોતાના ભૌતિક વાતાવરણને ભેદીને કોઈ ભાવના સૃષ્ટિના, સૌંદર્યના, રસિકતાના પ્રદેશમાં વિચરવાને તલપે છે. હાવી હૃદયસ્થિતિમાં માનવની પ્રવૃત્તિ રસિક કલાનાં આશ્વાસનોનો, ઉલ્લાસોનો આશ્રય લે છે. અને ત્હેવી પ્રવૃત્તિ થાય છે ત્યહારે જ કલાવિધાન ઇચ્છાપૂર્વક નહિ, પણ આપોઆપ સ્વયંભૂ પ્રભાવથી, પ્રગટ થાય છે. આ સ્વયંભૂકલાવિધાન માનવહૃદયના ઊંડાણમાંથી પ્રવૃત્ત થતાં સૌંદર્યના તત્ત્વને શોધી લે છે, પોતાનું કરી લે છે. આ ક્રિયા જેટલે અંશે આત્મલક્ષી છે, તેટલે અંશે કલાના ફલની દૃષ્ટિથી પરલક્ષી પણ બનવી શક્ય છે.”૩૬ અહીં નરસિંહરાવે રજૂ કરેલી વિચારણામાં કેટલાક મહત્ત્વના ખ્યાલો બીજરૂપે સંકળાયેલા પડ્યા છે. સર્જક તેની આસપાસના જગતની રેઢિયાળ જિંદગીથી મુક્ત થવા ઝંખે છે, તેનો આત્મા ઉન્નત ભાવનાની સૃષ્ટિની હવામાં શ્વાસ લેવા તલપે છે, અને આવી ઉત્કટ અનુભૂતિમાંથી સ્વયંભૂ કલાનું નિર્માણ થાય છે. બીજું, સર્જકની અનુભૂતિ એવું તો compulsion લાવે છે કે સમગ્ર કૃતિ જાણે કે અનાયાસ રચાઈ જાય છે, અને એમાંનું ‘કલાવિધાન’ એ કોઈ બૌદ્ધિક ઘટના નથી. એમાં તેના અંતરાત્માની ગૂઢ ઝંખના વ્યક્ત થાય છે. ત્રીજું, આ રચનાકલાની પ્રવૃત્તિમાં જ તેના સર્જકનો આત્મલક્ષી ભાવ એ અંગત ભાવ મટી સર્વના આસ્વાદનો વિષય બને છે. આ રચનાકલામાં આપોઆપ ‘સમપ્રમાણતા’ કે ‘સંવાદ’નું તત્ત્વ પ્રવેશે છે.
નરસિંહરાવે કલાસર્જનની પ્રવૃત્તિનું અપૂર્વ ગૌરવ કર્યું છે. કલાસર્જન એ કોઈ સામાન્ય સ્થૂળ પ્રવૃત્તિ નથી, પરંતુ માનવીની આધ્યાત્મિક જરૂરિયાતમાંથી ઉદ્‌ભવતી એક અસાધારણ પ્રવૃત્તિ છે. તેઓ કહે છે કે રોજિંદા જીવનવ્યવહારનાં ભૌતિક સુખો માનવઆત્માની ઊંડી ઝંખનાને સંતોષી શકતાં નથી. માનવીનો અંતરાત્મા આ ભૌતિક જીવનની ક્ષુદ્ર ઘટમાળમાંથી ઊંચે ઊઠવા ચાહે છે અને કલાની સૃષ્ટિ એવી ઊર્ધ્વ પ્રાંતની સૃષ્ટિ છે. તેઓ આ મુદ્દાને સ્પષ્ટ કરતાં કહે છે : “...માનવહૃદય કાંઈક ઊંચે ઊડવાને મથે છે, પોતાના ભૌતિક વાતાવરણને ભેદીને કોઈ ભાવના સૃષ્ટિના, સૌંદર્યના, રસિકતાના પ્રદેશમાં વિચરવાને તલપે છે. હાવી હૃદયસ્થિતિમાં માનવની પ્રવૃત્તિ રસિક કલાનાં આશ્વાસનોનો, ઉલ્લાસોનો આશ્રય લે છે. અને ત્હેવી પ્રવૃત્તિ થાય છે ત્યહારે જ કલાવિધાન ઇચ્છાપૂર્વક નહિ, પણ આપોઆપ સ્વયંભૂ પ્રભાવથી, પ્રગટ થાય છે. આ સ્વયંભૂકલાવિધાન માનવહૃદયના ઊંડાણમાંથી પ્રવૃત્ત થતાં સૌંદર્યના તત્ત્વને શોધી લે છે, પોતાનું કરી લે છે. આ ક્રિયા જેટલે અંશે આત્મલક્ષી છે, તેટલે અંશે કલાના ફલની દૃષ્ટિથી પરલક્ષી પણ બનવી શક્ય છે.”૩૬<ref>૩૬. મનોમુકુર ભા. ૩ : પૃ. ૨૫૮</ref> અહીં નરસિંહરાવે રજૂ કરેલી વિચારણામાં કેટલાક મહત્ત્વના ખ્યાલો બીજરૂપે સંકળાયેલા પડ્યા છે. સર્જક તેની આસપાસના જગતની રેઢિયાળ જિંદગીથી મુક્ત થવા ઝંખે છે, તેનો આત્મા ઉન્નત ભાવનાની સૃષ્ટિની હવામાં શ્વાસ લેવા તલપે છે, અને આવી ઉત્કટ અનુભૂતિમાંથી સ્વયંભૂ કલાનું નિર્માણ થાય છે. બીજું, સર્જકની અનુભૂતિ એવું તો compulsion લાવે છે કે સમગ્ર કૃતિ જાણે કે અનાયાસ રચાઈ જાય છે, અને એમાંનું ‘કલાવિધાન’ એ કોઈ બૌદ્ધિક ઘટના નથી. એમાં તેના અંતરાત્માની ગૂઢ ઝંખના વ્યક્ત થાય છે. ત્રીજું, આ રચનાકલાની પ્રવૃત્તિમાં જ તેના સર્જકનો આત્મલક્ષી ભાવ એ અંગત ભાવ મટી સર્વના આસ્વાદનો વિષય બને છે. આ રચનાકલામાં આપોઆપ ‘સમપ્રમાણતા’ કે ‘સંવાદ’નું તત્ત્વ પ્રવેશે છે.
નરસિંહરાવે ભારપૂર્વક પ્રતિપાદિત કર્યું છે કે સૌંદર્યતત્ત્વની ઉપલબ્ધિ એ જ સર્વ ‘રસિકકલા’ઓનું કાર્ય છે અને એ સૌંદર્યતત્ત્વ સ્વયં ‘અતિભૌતિક’ છે. એટલે ‘રસિક કલાઓ’માં દેખીતી રીતે જ રોજિંદા જીવનના ક્ષુદ્ર સ્થૂળ વિષયોને સ્થાન હોય જ નહિ. તેઓ કહે છે : “કલાનો પાયો જે સૌંદર્યની ભાવનામાં છે તે ભૌતિક, આધ્યાત્મિક, ભાવનાના આદિ ઝરણમાંથી જ વહે છે, તેથી જ એ મૂલ ભાવનાઓનું સ્મરણ કરવું પડ્યું. જેવી રીતે એ મૂલ ભાવના, ધાર્મિક ભાવના, સાંસારિક ભાવનાની જોડે જોડવાથી, ભ્રષ્ટ થવાનો ભય છે, તે જ રીતે કલાની રસભાવનાને માનવજીવનના ક્ષુદ્ર વ્યવહાર સાથે ભેળવવાથી, તેવા વ્યવહારની સેવા કલા કને કરાવવાથી કલાનું દિવ્ય સ્વરૂપ ભ્રષ્ટ થઈ જાય છે, એ વાતનું સ્મરણ કરાવવું અસ્થાને નથી.”૩૭ આમ, નરસિંહરાવે “રસિક કલાઓ”ને ઉચ્ચતર કોટિનું કાર્ય સોંપ્યું છે. કલા જેવી પ્રવૃત્તિ તો આધ્યાત્મિક કોટિની છે અને તેની પવિત્રતા જોખમાય એ ન ચાલે. માત્ર વિશ્વજીવનની ઉચ્ચ ગંભીર ભાવનાઓના નિરૂપણ માટે જ તે પ્રયોજાય એમ તેમણે આગ્રહ રાખ્યો છે.
નરસિંહરાવે ભારપૂર્વક પ્રતિપાદિત કર્યું છે કે સૌંદર્યતત્ત્વની ઉપલબ્ધિ એ જ સર્વ ‘રસિકકલા’ઓનું કાર્ય છે અને એ સૌંદર્યતત્ત્વ સ્વયં ‘અતિભૌતિક’ છે. એટલે ‘રસિક કલાઓ’માં દેખીતી રીતે જ રોજિંદા જીવનના ક્ષુદ્ર સ્થૂળ વિષયોને સ્થાન હોય જ નહિ. તેઓ કહે છે : “કલાનો પાયો જે સૌંદર્યની ભાવનામાં છે તે ભૌતિક, આધ્યાત્મિક, ભાવનાના આદિ ઝરણમાંથી જ વહે છે, તેથી જ એ મૂલ ભાવનાઓનું સ્મરણ કરવું પડ્યું. જેવી રીતે એ મૂલ ભાવના, ધાર્મિક ભાવના, સાંસારિક ભાવનાની જોડે જોડવાથી, ભ્રષ્ટ થવાનો ભય છે, તે જ રીતે કલાની રસભાવનાને માનવજીવનના ક્ષુદ્ર વ્યવહાર સાથે ભેળવવાથી, તેવા વ્યવહારની સેવા કલા કને કરાવવાથી કલાનું દિવ્ય સ્વરૂપ ભ્રષ્ટ થઈ જાય છે, એ વાતનું સ્મરણ કરાવવું અસ્થાને નથી.”૩૭<ref>૩૭. મનોમુકુર ભા. ૩ : (પ્રકૃતિ અને કલા) : પૃ. ૨૫૯</ref> આમ, નરસિંહરાવે “રસિક કલાઓ”ને ઉચ્ચતર કોટિનું કાર્ય સોંપ્યું છે. કલા જેવી પ્રવૃત્તિ તો આધ્યાત્મિક કોટિની છે અને તેની પવિત્રતા જોખમાય એ ન ચાલે. માત્ર વિશ્વજીવનની ઉચ્ચ ગંભીર ભાવનાઓના નિરૂપણ માટે જ તે પ્રયોજાય એમ તેમણે આગ્રહ રાખ્યો છે.
નરસિંહરાવે પોતાના ‘વિશ્વરચના’ નામે લેખમાં એક વિશિષ્ટ મુદ્દો નોંધ્યો છે. એમાં તેઓ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે સૌંદર્યબોધ એ માનવચેતનાની એક વિલક્ષણ પ્રવૃત્તિ છે અને જગતસ્રષ્ટાએ તેને જન્મથી જ સૌંદર્યની અનુભૂતિ માટે વિશિષ્ટ રૂપની સૂક્ષ્મ ઇંદ્રિય આપી છે. તેમની એ વિશેની વિચારણાની મુખ્ય ભૂમિકા આ શબ્દોમાં રજૂ થઈ છે : “સૌદર્યની ભૌતિક તેમજ આધ્યાત્મિક સૌંદર્યની છાપ મનુષ્ય ઉપર પડે છે તે છાપ લેવા માટે ઇન્દ્રિય વિશિષ્ટ પ્રકારનું છે, જેને sense of Beauty (સૌંદર્યેન્દ્રિય) એવું નામ અપાય, સૃષ્ટિના બાહ્ય દેખાવોની સુંદરતા, મનુષ્યદેહની સુંદરતા, વગેરે સર્વ સૌંદર્યનો પરામર્શ કરાવનારા આ સાધનના પછી પેટાવિભાગ, વિષય પરત્વે થઈ શકશે. આ સાધન વડે ચેતનતત્ત્વના વિશેષ સ્વરૂપમાં કાંઈક પ્રવેશ થઈ શકે છે, તેની જ સાથે જડથી ભિન્ન ચેતનતત્ત્વનું અસ્તિત્વ એથી જણાય છે. અમુક વસ્તુ, ગુણ વગેરે સુંદર અથવા અસુંદર શા માટે એ પ્રશ્નનો ઉત્તર વિજ્ઞાન નથી આપી શકવાનું, અને એ પ્રશ્ન તપાસતાં જ જડ પદાર્થની પેલે પાર જવું પડશે. સુંદરતાની ભાવના જ ચેતનતત્ત્વને માગી લે છે.”૩૮ પ્રસ્તુત ચર્ચામાં નરસિંહરાવે આ સમગ્ર વિશ્વજીવનની યોજનામાંના સૌંદર્યસર્જન અને સૌંદર્યાનુભવનું પ્રયોજન સ્પષ્ટ કરાવાનો પ્રયત્ન કર્યો છે, એટલું જ નહિ, એ સૌંદર્યતત્ત્વના અવબોધ માટે માનવમાત્રમાં નિહિત ‘સૌંદર્યેન્દ્રિય’નો ય તેઓ સ્વીકાર કરે છે. આ વિશ્વજીવનના કોઈક ખૂણાનું રહસ્ય તો સૌંદર્યબોધ દ્વારા જ સંભવે એવી તેમની શ્રદ્ધા છે અને એ કારણે જ કલાસર્જનની પ્રવૃત્તિને સ્વાયત્તતા પ્રાપ્ત થાય છે. આમ, નરસિંહરાવ વિશ્વજીવનનાં રહસ્યોના અભિજ્ઞાન માટે સૌંદર્યબોધનો વિશિષ્ટ મહિમા કરે છે. તેમની વિવેચનામાં સૌંદર્યતત્ત્વ પર જે ભાર મુકાયો છે તે આ કારણે સમજી શકાશે.
નરસિંહરાવે પોતાના ‘વિશ્વરચના’ નામે લેખમાં એક વિશિષ્ટ મુદ્દો નોંધ્યો છે. એમાં તેઓ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે સૌંદર્યબોધ એ માનવચેતનાની એક વિલક્ષણ પ્રવૃત્તિ છે અને જગતસ્રષ્ટાએ તેને જન્મથી જ સૌંદર્યની અનુભૂતિ માટે વિશિષ્ટ રૂપની સૂક્ષ્મ ઇંદ્રિય આપી છે. તેમની એ વિશેની વિચારણાની મુખ્ય ભૂમિકા આ શબ્દોમાં રજૂ થઈ છે : “સૌદર્યની ભૌતિક તેમજ આધ્યાત્મિક સૌંદર્યની છાપ મનુષ્ય ઉપર પડે છે તે છાપ લેવા માટે ઇન્દ્રિય વિશિષ્ટ પ્રકારનું છે, જેને sense of Beauty (સૌંદર્યેન્દ્રિય) એવું નામ અપાય, સૃષ્ટિના બાહ્ય દેખાવોની સુંદરતા, મનુષ્યદેહની સુંદરતા, વગેરે સર્વ સૌંદર્યનો પરામર્શ કરાવનારા આ સાધનના પછી પેટાવિભાગ, વિષય પરત્વે થઈ શકશે. આ સાધન વડે ચેતનતત્ત્વના વિશેષ સ્વરૂપમાં કાંઈક પ્રવેશ થઈ શકે છે, તેની જ સાથે જડથી ભિન્ન ચેતનતત્ત્વનું અસ્તિત્વ એથી જણાય છે. અમુક વસ્તુ, ગુણ વગેરે સુંદર અથવા અસુંદર શા માટે એ પ્રશ્નનો ઉત્તર વિજ્ઞાન નથી આપી શકવાનું, અને એ પ્રશ્ન તપાસતાં જ જડ પદાર્થની પેલે પાર જવું પડશે. સુંદરતાની ભાવના જ ચેતનતત્ત્વને માગી લે છે.”૩૮<ref>૩૮. મનોમુકુર : ભા. ૧લો : પૃ. ૩૫૪</ref> પ્રસ્તુત ચર્ચામાં નરસિંહરાવે આ સમગ્ર વિશ્વજીવનની યોજનામાંના સૌંદર્યસર્જન અને સૌંદર્યાનુભવનું પ્રયોજન સ્પષ્ટ કરાવાનો પ્રયત્ન કર્યો છે, એટલું જ નહિ, એ સૌંદર્યતત્ત્વના અવબોધ માટે માનવમાત્રમાં નિહિત ‘સૌંદર્યેન્દ્રિય’નો ય તેઓ સ્વીકાર કરે છે. આ વિશ્વજીવનના કોઈક ખૂણાનું રહસ્ય તો સૌંદર્યબોધ દ્વારા જ સંભવે એવી તેમની શ્રદ્ધા છે અને એ કારણે જ કલાસર્જનની પ્રવૃત્તિને સ્વાયત્તતા પ્રાપ્ત થાય છે. આમ, નરસિંહરાવ વિશ્વજીવનનાં રહસ્યોના અભિજ્ઞાન માટે સૌંદર્યબોધનો વિશિષ્ટ મહિમા કરે છે. તેમની વિવેચનામાં સૌંદર્યતત્ત્વ પર જે ભાર મુકાયો છે તે આ કારણે સમજી શકાશે.
નરસિંહરાવે ‘સૌન્દર્ય’ (Beauty)ની ત્રણ કોટિઓ સ્વીકારી છે. (અ) ભવ્ય—એ માટે તેમણે દર્શાવેલો અંગ્રેજી પર્યાય Grande૩૯ (બ) ઉન્નત—એ માટે તેમણે જ દર્શાવેલો પર્યાય Sublime૪૦ (ક) સુંદર—એ માટેનો પર્યાય beautiful૪૧ એ ત્રણ તત્ત્વોનું સ્વરૂપ કરતાં તેઓ કહે છે : “ભવ્યના દર્શનથી હૃદયમાં ગંભીર, ભયાનક નહિ પણ ભયાનક સમસ્વરૂપ આદરયુક્ત, ભાવ ઉત્પન્ન થાય છે. સુંદર દર્શનથી પરિણામ ભવ્ય અને સુંદર બંનેના પરિણામમાંથી કાંઈક કંઈક અંશ લઈને ત્રીજા પ્રકારનું જ બને છે. ઉન્નતના સ્વરૂપમાં કાંઈક અંશ ભવ્યનો અને કાંઈક અંશ સુંદરનો એમ મિશ્ર થાય છે; સુંદરના અંશથી ભવ્યની ઉત્કૃષ્ટતાને કોમળ સ્વરૂપ મળે છે, અને ભવ્યના અંશને લીધે સુન્દરના લલિત અને મૃદુ ભાગને ગંભીર છાયા મળે છે. આમ બંનેના અંશ મિશ્ર થાય છે, છતાં પોતાની સ્વંતત્ર અસર અને શક્તિને લીધે ઉન્નત એ ત્રીજું ભિન્ન જ તત્ત્વ સ્વીકારવું યોગ્ય છે.”૪૨ નરસિંહરાવની સૌંદર્યમીમાંસામાં ‘ભવ્ય’ તત્ત્વ ગંભીર અને કરાલતત્ત્વનું ભાન કરાવે છે, ‘સુંદર’ તો હૃદયને પ્રફુલ્લતું કોમળ તત્ત્વ છે; જ્યારે ‘ઉન્નત’ એ બેના યોગથી ઉદ્‌ભવતું વચલી કક્ષાનું ત્રીજું તત્ત્વ છે.
નરસિંહરાવે ‘સૌન્દર્ય’ (Beauty)ની ત્રણ કોટિઓ સ્વીકારી છે. (અ) ભવ્ય—એ માટે તેમણે દર્શાવેલો અંગ્રેજી પર્યાય Grande૩૯<ref name="૩૯-૪૦-૪૧">૩૯-૪૦-૪૧ : મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) પૃ. ૪૦–૪૧.</ref> (બ) ઉન્નત—એ માટે તેમણે જ દર્શાવેલો પર્યાય Sublime૪૦<ref name="૩૯-૪૦-૪૧"/> (ક) સુંદર—એ માટેનો પર્યાય beautiful૪૧<ref name="૩૯-૪૦-૪૧"/> એ ત્રણ તત્ત્વોનું સ્વરૂપ કરતાં તેઓ કહે છે : “ભવ્યના દર્શનથી હૃદયમાં ગંભીર, ભયાનક નહિ પણ ભયાનક સમસ્વરૂપ આદરયુક્ત, ભાવ ઉત્પન્ન થાય છે. સુંદર દર્શનથી પરિણામ ભવ્ય અને સુંદર બંનેના પરિણામમાંથી કાંઈક કંઈક અંશ લઈને ત્રીજા પ્રકારનું જ બને છે. ઉન્નતના સ્વરૂપમાં કાંઈક અંશ ભવ્યનો અને કાંઈક અંશ સુંદરનો એમ મિશ્ર થાય છે; સુંદરના અંશથી ભવ્યની ઉત્કૃષ્ટતાને કોમળ સ્વરૂપ મળે છે, અને ભવ્યના અંશને લીધે સુન્દરના લલિત અને મૃદુ ભાગને ગંભીર છાયા મળે છે. આમ બંનેના અંશ મિશ્ર થાય છે, છતાં પોતાની સ્વંતત્ર અસર અને શક્તિને લીધે ઉન્નત એ ત્રીજું ભિન્ન જ તત્ત્વ સ્વીકારવું યોગ્ય છે.”૪૨<ref>૪૨. એજન : પૃ. ૪૩</ref> નરસિંહરાવની સૌંદર્યમીમાંસામાં ‘ભવ્ય’ તત્ત્વ ગંભીર અને કરાલતત્ત્વનું ભાન કરાવે છે, ‘સુંદર’ તો હૃદયને પ્રફુલ્લતું કોમળ તત્ત્વ છે; જ્યારે ‘ઉન્નત’ એ બેના યોગથી ઉદ્‌ભવતું વચલી કક્ષાનું ત્રીજું તત્ત્વ છે.
આના સંદર્ભમાં પ્રસિદ્ધ અંગ્રેજી વિદ્વાન એ. સી. બ્રેડલીએ સ્વીકારેલી ‘સૌંદર્ય’ની પાંચ કોટિઓનો ટૂંકો ઉલ્લેખ જરૂરી છે. એ વિદ્વાને ‘સૌંદર્ય’ની પાંચ ક્રમિક કોટિઓ આ પ્રમાણે સ્વીકારી છે :૪૩ (૧) Sublime (૨) Grand (૩) Beautiful (૪) Graceful (૫) Pretty આ પૈકીનાં પ્રથમ ત્રણ તત્ત્વો નરસિંહરાવની ચર્ચામાં પ્રવેશ્યાં છે. પણ તેના સ્વરૂપવિચારમાં કેટલોક ભેદ છે. બ્રેડલીએ ‘સુંદર’ની ત્રણ કોટિઓ Beautiful, graceful, pretty એ ત્રણનો સ્વીકાર કર્યો છે ત્યાં નરસિંહરાવે તેને એક જ ‘સુંદર’ની કોટિમાં મૂક્યાં છે.
આના સંદર્ભમાં પ્રસિદ્ધ અંગ્રેજી વિદ્વાન એ. સી. બ્રેડલીએ સ્વીકારેલી ‘સૌંદર્ય’ની પાંચ કોટિઓનો ટૂંકો ઉલ્લેખ જરૂરી છે. એ વિદ્વાને ‘સૌંદર્ય’ની પાંચ ક્રમિક કોટિઓ આ પ્રમાણે સ્વીકારી છે :૪૩<ref>૪૩. Oxford Lectures on Poetry : Macmillan and Co. Ltd. London ૧૯૬૨ : pp.૪૦</ref> (૧) Sublime (૨) Grand (૩) Beautiful (૪) Graceful (૫) Pretty આ પૈકીનાં પ્રથમ ત્રણ તત્ત્વો નરસિંહરાવની ચર્ચામાં પ્રવેશ્યાં છે. પણ તેના સ્વરૂપવિચારમાં કેટલોક ભેદ છે. બ્રેડલીએ ‘સુંદર’ની ત્રણ કોટિઓ Beautiful, graceful, pretty એ ત્રણનો સ્વીકાર કર્યો છે ત્યાં નરસિંહરાવે તેને એક જ ‘સુંદર’ની કોટિમાં મૂક્યાં છે.
એ. સી. બ્રેડલીએ sublime, grand, beautiful એ ત્રણની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે : “Whatever strikes us as sublime produces an impression, of greatness, and more of exceeding or even overwhelming greatness. And this greatness, further, is apparantly no more accompaniment of sublimity, but essential to it : remove the great-ness in imagination and the sublimity vanishes. Grandeur, too, seems always to possess greatness, though not in this superlative degree; while ’beauty’ neither invariably possesses it nor tends like prettiness and grace, to exclude it.”૪૪
એ. સી. બ્રેડલીએ sublime, grand, beautiful એ ત્રણની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે : “Whatever strikes us as sublime produces an impression, of greatness, and more of exceeding or even overwhelming greatness. And this greatness, further, is apparantly no more accompaniment of sublimity, but essential to it : remove the great-ness in imagination and the sublimity vanishes. Grandeur, too, seems always to possess greatness, though not in this superlative degree; while ’beauty’ neither invariably possesses it nor tends like prettiness and grace, to exclude it.”૪૪<ref>૪૪. Ibid pp. ૪૧</ref>
નરસિંહરાવ અને બ્રેડલીની વિચારણામાં પ્રથમના બે સંપ્રત્યયોના નામાભિધાનમાં અને અંશતઃ તેના સ્વરૂપમાં ભેદ દેખાય છે. બ્રેડલીએ Sublimeનું વર્ણન કરતાં જે પ્રતિભાવ સ્પષ્ટ કર્યો તે પ્રકારનું વર્ણન નરસિંહરાવના ‘ભવ્ય’ (અને તે માટે નરસિંહરાવે યોજેલો શબ્દ Grandને મળતું આવે છે. જો કે બ્રેડલીએ Sublimeની વ્યાખ્યામાં એ ભાવ જગાડનાર વિભૂતિના નિઃસીમ પરિમાણ પર ભાર મૂક્યો છે, તો નરસિંહરાવે ગાંભીર્ય અને કરાલ તત્ત્વ પર ભાર મૂક્યો છે. બ્રેડલીએ Sublime અને beautiful એ બેની વચલી કક્ષાએ Grandને મૂક્યું છે, તો નરસિંહરાવે બ્રેડલીને અભિમત Grandના સ્વરૂપને મળતું વર્ણન કરી તે માટે ‘ઉન્નત’ (અને તે માટે તેમણે મૂકેલો અંગ્રેજી પર્યાય Sublime) શબ્દ યોજ્યો છે. આમ બ્રેડલીમાં જે Sublimeનો સંકેત છે તેને ઘણે અંશે મળતા આવતા ખ્યાલ માટે નરસિંહરાવે Grand શબ્દ યોજ્યો છે; એથી ઊલટું, જ્યાં બ્રેડલીએ grand શબ્દનો જે (વચલી કક્ષાનો) સંકેત પ્રગટ કર્યો છે તે માટે નરસિંહરાવે Sublimeનો પ્રયોગ કર્યો છે. અહીં બ્રેડલીથી નરસિંહરાવ માત્ર નામકરણ પૂરતા જ ભિન્ન નથી, ‘સૌંદર્ય’ની કોટિઓના સ્વરૂપવિચારમાંયે ભેદ દાખવે છે. પાશ્ચાત્ય મીમાંસામાં Sublimeનો સંપ્રત્યય ખૂબ જ પ્રાચીન છે. નિઃસીમ પરિમાણવાળી વિભૂતિ કે પ્રકૃતિના સત્ત્વના દર્શનથી સહૃદયના ચિત્તમાં જે અદ્‌ભુત, કરાલનો પ્રતિભાવ જાગે તે જ સાચા અર્થમાં Sublime એ રીતે બ્રેડલી Sublimeને વધુ યથાર્થ રૂપમાં સ્પષ્ટ કરે છે અથવા Sublimeના મૂળ સંકેતની નજીક રહે છે. નરસિંહરાવે એ માટે grand શબ્દ યોજ્યો તે કંઈક બરાબર નથી લાગતો.
નરસિંહરાવ અને બ્રેડલીની વિચારણામાં પ્રથમના બે સંપ્રત્યયોના નામાભિધાનમાં અને અંશતઃ તેના સ્વરૂપમાં ભેદ દેખાય છે. બ્રેડલીએ Sublimeનું વર્ણન કરતાં જે પ્રતિભાવ સ્પષ્ટ કર્યો તે પ્રકારનું વર્ણન નરસિંહરાવના ‘ભવ્ય’ (અને તે માટે નરસિંહરાવે યોજેલો શબ્દ Grandને મળતું આવે છે. જો કે બ્રેડલીએ Sublimeની વ્યાખ્યામાં એ ભાવ જગાડનાર વિભૂતિના નિઃસીમ પરિમાણ પર ભાર મૂક્યો છે, તો નરસિંહરાવે ગાંભીર્ય અને કરાલ તત્ત્વ પર ભાર મૂક્યો છે. બ્રેડલીએ Sublime અને beautiful એ બેની વચલી કક્ષાએ Grandને મૂક્યું છે, તો નરસિંહરાવે બ્રેડલીને અભિમત Grandના સ્વરૂપને મળતું વર્ણન કરી તે માટે ‘ઉન્નત’ (અને તે માટે તેમણે મૂકેલો અંગ્રેજી પર્યાય Sublime) શબ્દ યોજ્યો છે. આમ બ્રેડલીમાં જે Sublimeનો સંકેત છે તેને ઘણે અંશે મળતા આવતા ખ્યાલ માટે નરસિંહરાવે Grand શબ્દ યોજ્યો છે; એથી ઊલટું, જ્યાં બ્રેડલીએ grand શબ્દનો જે (વચલી કક્ષાનો) સંકેત પ્રગટ કર્યો છે તે માટે નરસિંહરાવે Sublimeનો પ્રયોગ કર્યો છે. અહીં બ્રેડલીથી નરસિંહરાવ માત્ર નામકરણ પૂરતા જ ભિન્ન નથી, ‘સૌંદર્ય’ની કોટિઓના સ્વરૂપવિચારમાંયે ભેદ દાખવે છે. પાશ્ચાત્ય મીમાંસામાં Sublimeનો સંપ્રત્યય ખૂબ જ પ્રાચીન છે. નિઃસીમ પરિમાણવાળી વિભૂતિ કે પ્રકૃતિના સત્ત્વના દર્શનથી સહૃદયના ચિત્તમાં જે અદ્‌ભુત, કરાલનો પ્રતિભાવ જાગે તે જ સાચા અર્થમાં Sublime એ રીતે બ્રેડલી Sublimeને વધુ યથાર્થ રૂપમાં સ્પષ્ટ કરે છે અથવા Sublimeના મૂળ સંકેતની નજીક રહે છે. નરસિંહરાવે એ માટે grand શબ્દ યોજ્યો તે કંઈક બરાબર નથી લાગતો.
નરસિંહરાવનાં વિવેચનાત્મક લખાણોમાં, આમ, “રસિક કલાઓ” અને તેના સંદર્ભમાં ‘સૌંદર્ય’નો વિચાર પ્રતિષ્ઠા પામ્યો છે. તેમણે “રસિક કલાઓ”ના ઊગમ રૂપ સૌંદર્યાનુભવનો મુદ્દો ય નોંધ્યો છે અને એ મૂળ અનુભવમાંથી જ સર્વ કળાઓમાં સૌંદર્યતત્ત્વ પ્રવેશે છે એ વિચાર પણ સ્થાપ્યો છે. પરંતુ, આ કલાઓ પોતપોતાના માધ્યમને કેવી રીતે પ્રયોજે છે, અથવા સર્જકનો સૌંદર્યાનુભવ કોઈ એક ચોક્કસ માધ્યમની અપેક્ષા લઈને જન્મે છે કે નહિ, એ પ્રશ્નો તેમની ચર્ચામાં સ્થાન પામ્યા નથી. સર્વકલાઓમાં ‘રસ’ કે ‘સૌંદર્ય’ તત્ત્વ સમાન છે એમ કહી, તેમણે સર્વ કલાઓની એકતા નિર્દેશી, પરંતુ એ દરેક કલાના માધ્યમની વિલક્ષણતાને કારણે દરેકના આગવા પ્રશ્નો છે, એ હકીકતને અવગણી છે. વળી શિલ્પકલા, ચિત્રકલા આદિ કલાઓ કરતાં કાવ્યકલાના આગવા પ્રશ્નો છે. એટલે કલામીમાંસા (Asthetics) ના સર્વસામાન્ય પ્રશ્નોની ચર્ચાવિચારણા કાવ્યકલાના વિશિષ્ટ પ્રશ્નોને સમજવા એટલી મહત્ત્વની પુરવાર થઈ શકે નહિ એવો ય એક પ્રચલિત મત છે. આપણે ત્યાં રામનારાયણ પાઠકે નોંધેલું : “પણ માત્ર કલામીમાંસા સાહિત્યકલાના વિવેચનને એકદમ ઉપકારક થઈ જાય એ અત્યારે સંભવિત નથી. કલામીમાંસા પોતે જ હજી ઘણી અપૂર્ણ છે. પાશ્ચાત્ય કલામીમાંસકોએ અત્યારસુધી અનેક પરસ્પર વિરોધી મતો જ આપ્યા કર્યા છે. પણ એ સિવાય વિશેષ કારણ એ છે કે કલામીમાંસા કલાસામાન્યની જ ચર્ચા કરી શકે. હવે કલાઓ એકબીજીથી એટલી બધી ભિન્ન છે, ભિન્ન ઉપાદાનોથી કલા કલાની શક્તિ, તેની મર્યાદા, હૃદયગમ્ય થવાની રીતિ અને તેનાથી ઊપજતા સંસ્કારો એટલા ભિન્ન ભિન્ન હોય છે, કે માત્ર કલાસામાન્યની ચર્ચાથી હરકોઈ એક કલાની શક્તિનો ખાસ ખ્યાલ આવી શકે નહિ.”૪૫ આ કારણે સર્વ સામાન્ય કલામીમાંસાની ચર્ચા કાવ્યવિચારણામાં સીધેસીધી ઉપયોગમાં આવી શકે નહિ એમ અર્થ થયો. નરસિંહરાવની સૌંદર્યમીમાંસામાં ‘સૌંદર્ય’નો વિચાર થયો છે પણ એ સંપ્રત્યય કાવ્યના વિશિષ્ટ સૌંદર્યનું રહસ્ય આકલિત કરી શકે અથવા કાવ્યના આગવા સૌંદર્યતત્ત્વનું રહસ્ય દર્શાવી શકે એટલો તે વિકસી શક્યો નથી. જો કે આપણી વિવેચનામાં એ પ્રકારની વિચારણા ઘણી મહત્ત્વાકાંક્ષી જણાય છે.
નરસિંહરાવનાં વિવેચનાત્મક લખાણોમાં, આમ, “રસિક કલાઓ” અને તેના સંદર્ભમાં ‘સૌંદર્ય’નો વિચાર પ્રતિષ્ઠા પામ્યો છે. તેમણે “રસિક કલાઓ”ના ઊગમ રૂપ સૌંદર્યાનુભવનો મુદ્દો ય નોંધ્યો છે અને એ મૂળ અનુભવમાંથી જ સર્વ કળાઓમાં સૌંદર્યતત્ત્વ પ્રવેશે છે એ વિચાર પણ સ્થાપ્યો છે. પરંતુ, આ કલાઓ પોતપોતાના માધ્યમને કેવી રીતે પ્રયોજે છે, અથવા સર્જકનો સૌંદર્યાનુભવ કોઈ એક ચોક્કસ માધ્યમની અપેક્ષા લઈને જન્મે છે કે નહિ, એ પ્રશ્નો તેમની ચર્ચામાં સ્થાન પામ્યા નથી. સર્વકલાઓમાં ‘રસ’ કે ‘સૌંદર્ય’ તત્ત્વ સમાન છે એમ કહી, તેમણે સર્વ કલાઓની એકતા નિર્દેશી, પરંતુ એ દરેક કલાના માધ્યમની વિલક્ષણતાને કારણે દરેકના આગવા પ્રશ્નો છે, એ હકીકતને અવગણી છે. વળી શિલ્પકલા, ચિત્રકલા આદિ કલાઓ કરતાં કાવ્યકલાના આગવા પ્રશ્નો છે. એટલે કલામીમાંસા (Asthetics) ના સર્વસામાન્ય પ્રશ્નોની ચર્ચાવિચારણા કાવ્યકલાના વિશિષ્ટ પ્રશ્નોને સમજવા એટલી મહત્ત્વની પુરવાર થઈ શકે નહિ એવો ય એક પ્રચલિત મત છે. આપણે ત્યાં રામનારાયણ પાઠકે નોંધેલું : “પણ માત્ર કલામીમાંસા સાહિત્યકલાના વિવેચનને એકદમ ઉપકારક થઈ જાય એ અત્યારે સંભવિત નથી. કલામીમાંસા પોતે જ હજી ઘણી અપૂર્ણ છે. પાશ્ચાત્ય કલામીમાંસકોએ અત્યારસુધી અનેક પરસ્પર વિરોધી મતો જ આપ્યા કર્યા છે. પણ એ સિવાય વિશેષ કારણ એ છે કે કલામીમાંસા કલાસામાન્યની જ ચર્ચા કરી શકે. હવે કલાઓ એકબીજીથી એટલી બધી ભિન્ન છે, ભિન્ન ઉપાદાનોથી કલા કલાની શક્તિ, તેની મર્યાદા, હૃદયગમ્ય થવાની રીતિ અને તેનાથી ઊપજતા સંસ્કારો એટલા ભિન્ન ભિન્ન હોય છે, કે માત્ર કલાસામાન્યની ચર્ચાથી હરકોઈ એક કલાની શક્તિનો ખાસ ખ્યાલ આવી શકે નહિ.”૪૫<ref>૪૫. કાવ્યની શક્તિ : શ્રી સયાજી સાહિત્યમાળાઃ પહેલી આવૃતિઃ ૧૯૩૯, પૃ. ૨ </ref> આ કારણે સર્વ સામાન્ય કલામીમાંસાની ચર્ચા કાવ્યવિચારણામાં સીધેસીધી ઉપયોગમાં આવી શકે નહિ એમ અર્થ થયો. નરસિંહરાવની સૌંદર્યમીમાંસામાં ‘સૌંદર્ય’નો વિચાર થયો છે પણ એ સંપ્રત્યય કાવ્યના વિશિષ્ટ સૌંદર્યનું રહસ્ય આકલિત કરી શકે અથવા કાવ્યના આગવા સૌંદર્યતત્ત્વનું રહસ્ય દર્શાવી શકે એટલો તે વિકસી શક્યો નથી. જો કે આપણી વિવેચનામાં એ પ્રકારની વિચારણા ઘણી મહત્ત્વાકાંક્ષી જણાય છે.
હવે આપણે નરસિંહરાવની કાવ્યતત્ત્વચર્ચાના મુદ્દાઓનું અવલોકન આરંભીશું.  
હવે આપણે નરસિંહરાવની કાવ્યતત્ત્વચર્ચાના મુદ્દાઓનું અવલોકન આરંભીશું.  
{{Poem2Close}}
{{Poem2Close}}
'''કવિપ્રતિભાનું સ્વરૂપ અને કવિતાનું ક્ષેત્ર'''
'''કવિપ્રતિભાનું સ્વરૂપ અને કવિતાનું ક્ષેત્ર'''
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહરાવની સમગ્ર કાવ્યવિચારણામાં કવિપ્રતિભાનો ખ્યાલ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અન્ય રસિક કલાઓની જેમ કવિતા પણ લોકોત્તર સૌંદર્યનું આકલન કરે છે અને સમગ્ર સર્જનપ્રવૃત્તિ એક પ્રકારની આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. આવી ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને તેમણે કવિપ્રતિભાનો આગવો ખ્યાલ વિકસાવ્યો છે. કાવ્યની વ્યાખ્યા કરતાં તેમણે નોંધ્યું છે : “કવિતા તે કવિના હૃદયનું, આત્માના બંધારણનું, બાહ્ય સ્વરૂપ, મૂર્ત સ્વરૂપ છે.”૪૬ કવિતા જો કવિના “આત્માના બંધારણ”નું જ મૂર્તરૂપ હોય તો, એ ‘આત્મા’ ઉન્નત ભાવનાવાળો હોય એ ઇષ્ટ છે. તેમણે પોતાની કવિપ્રતિભાની ભાવના, કાર્લાઇલના ‘The Hero as Poet’ “કવિ-ક્રાન્ત-દૃષ્ટાપુરુષ”ની કલ્પનામાં સાકાર થતી જોઈ છે. એટલે તેમણે કાર્લાઇલના એ વિશેના નોંધપાત્ર ખ્યાલો ટાંકી તેની વ્યાખ્યા વિચારણા ચલાવી છે.
નરસિંહરાવની સમગ્ર કાવ્યવિચારણામાં કવિપ્રતિભાનો ખ્યાલ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અન્ય રસિક કલાઓની જેમ કવિતા પણ લોકોત્તર સૌંદર્યનું આકલન કરે છે અને સમગ્ર સર્જનપ્રવૃત્તિ એક પ્રકારની આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. આવી ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને તેમણે કવિપ્રતિભાનો આગવો ખ્યાલ વિકસાવ્યો છે. કાવ્યની વ્યાખ્યા કરતાં તેમણે નોંધ્યું છે : “કવિતા તે કવિના હૃદયનું, આત્માના બંધારણનું, બાહ્ય સ્વરૂપ, મૂર્ત સ્વરૂપ છે.”૪૬<ref>૪૬. મનોમુકુર ભા. ૩ : (‘કાવ્યની શરીરઘટના’) : પૃ. ૨૭૩</ref> કવિતા જો કવિના “આત્માના બંધારણ”નું જ મૂર્તરૂપ હોય તો, એ ‘આત્મા’ ઉન્નત ભાવનાવાળો હોય એ ઇષ્ટ છે. તેમણે પોતાની કવિપ્રતિભાની ભાવના, કાર્લાઇલના ‘The Hero as Poet’ “કવિ-ક્રાન્ત-દૃષ્ટાપુરુષ”ની કલ્પનામાં સાકાર થતી જોઈ છે. એટલે તેમણે કાર્લાઇલના એ વિશેના નોંધપાત્ર ખ્યાલો ટાંકી તેની વ્યાખ્યા વિચારણા ચલાવી છે.
કાર્લાઇલના ખ્યાલો ટાંકી નરસિંહરાવ એમ નોંધે છે કે કવિ એ ક્રાન્ત-દૃષ્ટા પુરુષ છે,૪૭ પ્રાજ્ઞપુરુષ છે. ધર્મદૃષ્ટાઓની જેમ તે પણ ‘દિવ્ય’ લોકનો જ્ઞાતા છે.૪૮ આ બ્રહ્માંડમાં નિહિત ગૂઢ દિવ્ય તત્ત્વો તેમને સહજોપલબ્ધિ રૂપે એકદમ પ્રાપ્ત થાય છે.૪૯ ધર્મદૃષ્ટાનું કાર્યક્ષેત્ર ધર્મ, નીતિ અને સદાચાર પૂરતું સીમિત છે તો કવિનું કાર્યક્ષેત્ર વિશ્વનાં સૌંદર્યતત્ત્વો પૂરતું સીમિત છે.૫૦ તેઓ આ વિશેની પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહે છે : “કવિની હૃદયઘટનાનું આ દર્શન ધ્યાનમાં રાખીશું તો જણાશે કે કવિનું કાર્યક્ષેત્ર આખું બ્રહ્માંડ છે, જીવનનાં, આલોક ને પરલોકનાં, પરમ તત્ત્વો, ઇત્યાદિ સનાતન સૌંદર્યતત્ત્વો છે; માનવના ઇતિહાસમાં સંકુચિત વ્યવહારો જોડે સ્થાયી સંબંધ કવિને નથી; કવિ અગાધ સત્યોના સિંધુમાં નાવ ખેડે છે; માનવના સંકુચિત વ્યવહારનાં ખાબોચિયામાં કવિની કિશ્તી બોળાતી નથી.”૫૧ (નરસિંહરાવની કાવ્યચર્ચા અહીં પણ કવિત્વમય નિરૂપણમાં સરી પડતી જણાય છે.) પ્રસ્તુત ખંડમાં નરસિંહરાવે કવિપ્રતિભાનું ક્ષેત્ર સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. કવિપ્રતિભા વિશ્વજીવનનાં પરમ રહસ્યોનું આકલન કરવા સમર્થ છે અને આ વિશ્વનાં પરમ સુંદર તત્ત્વોય તેનું ક્ષેત્ર છે. વ્યવહારજીવનની ક્ષણિક ક્ષુદ્ર પ્રપંચી ઘટનાઓ તેને વિહરવાની ભૂમિ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, કવિ આ ‘બ્રહ્માંડ’ની સર્વથા લૌકિક ઘટનાઓના નિરૂપણ માટે પ્રવૃત્ત થતો જ નથી. અહીં જે કંઈ ‘દિવ્ય’ કે ‘ઊર્જસ્વી’ વિભૂતિરૂપે પમાય તે જ કવિતાનો સાચો વિષય બની શકે છે. (આવી સમજણથી પ્રેરાઈને તેમણે પોતાની કાવ્યપ્રવૃતિ, ઘણુંખરું તો, રોજિંદી સ્થૂળ લાગણીઓ કે જીવનઘટનાઓથી વેગળી, પેલે પારનાં સત્ત્વો પૂરતી મર્યાદિત કરવાનો પ્રયત્ન કરેલો, તે જાણીતી વાત છે.)
કાર્લાઇલના ખ્યાલો ટાંકી નરસિંહરાવ એમ નોંધે છે કે કવિ એ ક્રાન્ત-દૃષ્ટા પુરુષ છે,૪૭<ref>૪૭. “કાર્લાઇલ કહે છે ધર્મદૃષ્ટા કે કવિ આ તત્ત્વ જોવાને પોતે મથતો નથી, હેનાથી જોવાઈ જ જાય છે, હેમાં જ એ જીવનમાં વાસ કરે છે; આપણાં મન ઉપર એ રહસ્યની છાપ પાડવાનો ઈશ્વરે મોકલેલો એ દૂત છે.” – એજનઃ પૃ. ૨૭૪. </ref> પ્રાજ્ઞપુરુષ છે. ધર્મદૃષ્ટાઓની જેમ તે પણ ‘દિવ્ય’ લોકનો જ્ઞાતા છે.૪૮<ref name="૪૮-૪૯">૪૮-૪૯. એજન : પૃ. ૨૭૪.</ref> આ બ્રહ્માંડમાં નિહિત ગૂઢ દિવ્ય તત્ત્વો તેમને સહજોપલબ્ધિ રૂપે એકદમ પ્રાપ્ત થાય છે.૪૯<ref name="૪૮-૪૯"/> ધર્મદૃષ્ટાનું કાર્યક્ષેત્ર ધર્મ, નીતિ અને સદાચાર પૂરતું સીમિત છે તો કવિનું કાર્યક્ષેત્ર વિશ્વનાં સૌંદર્યતત્ત્વો પૂરતું સીમિત છે.૫૦<ref>૫૦. “ધર્મદૃષ્ટા પવિત્ર રહસ્યના કર્તવ્ય પક્ષનું ગ્રહણ કરે છે, હિત અને અહિત અથવા પુણ્ય અને પાપ, વિધિ અને નિષેધ-એ પક્ષનું ગ્રહણ કરે છે; કવિ, રસતત્ત્વના પક્ષનું ગ્રહણ કરે છે, સૌંદર્ય ને હેવી ભાવનાનું ગ્રહણ કરે છે.” એજન પૃ. ૨૭૫.</ref> તેઓ આ વિશેની પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહે છે : “કવિની હૃદયઘટનાનું આ દર્શન ધ્યાનમાં રાખીશું તો જણાશે કે કવિનું કાર્યક્ષેત્ર આખું બ્રહ્માંડ છે, જીવનનાં, આલોક ને પરલોકનાં, પરમ તત્ત્વો, ઇત્યાદિ સનાતન સૌંદર્યતત્ત્વો છે; માનવના ઇતિહાસમાં સંકુચિત વ્યવહારો જોડે સ્થાયી સંબંધ કવિને નથી; કવિ અગાધ સત્યોના સિંધુમાં નાવ ખેડે છે; માનવના સંકુચિત વ્યવહારનાં ખાબોચિયામાં કવિની કિશ્તી બોળાતી નથી.”૫૧ (નરસિંહરાવની કાવ્યચર્ચા અહીં પણ કવિત્વમય નિરૂપણમાં સરી પડતી જણાય છે.) પ્રસ્તુત ખંડમાં નરસિંહરાવે કવિપ્રતિભાનું ક્ષેત્ર સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. કવિપ્રતિભા વિશ્વજીવનનાં પરમ રહસ્યોનું આકલન કરવા સમર્થ છે અને આ વિશ્વનાં પરમ સુંદર તત્ત્વોય તેનું ક્ષેત્ર છે. વ્યવહારજીવનની ક્ષણિક ક્ષુદ્ર પ્રપંચી ઘટનાઓ તેને વિહરવાની ભૂમિ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, કવિ આ ‘બ્રહ્માંડ’ની સર્વથા લૌકિક ઘટનાઓના નિરૂપણ માટે પ્રવૃત્ત થતો જ નથી. અહીં જે કંઈ ‘દિવ્ય’ કે ‘ઊર્જસ્વી’ વિભૂતિરૂપે પમાય તે જ કવિતાનો સાચો વિષય બની શકે છે. (આવી સમજણથી પ્રેરાઈને તેમણે પોતાની કાવ્યપ્રવૃતિ, ઘણુંખરું તો, રોજિંદી સ્થૂળ લાગણીઓ કે જીવનઘટનાઓથી વેગળી, પેલે પારનાં સત્ત્વો પૂરતી મર્યાદિત કરવાનો પ્રયત્ન કરેલો, તે જાણીતી વાત છે.)
ઈ.સ. ૧૯૨૨માં લખેલા લેખ “રાજકીય સંચલનમાં સાહિત્યને શા માટે ઘસડવું?”૫૨ એમાં નરસિંહરાવે સાહિત્યકારોના ઉન્નત ધર્મની હિમાયત કરતાં કહેલું કે સાચી કલા રાષ્ટ્રીયતાની સાંકડી સીમામાં બંધાય નહિ.૫૩ તેમણે તે સમયમાં પ્રચારમાં આવેલાં ‘રાષ્ટ્રગીત’ નામધારી રચનાઓનો તિરસ્કાર કરેલો અને એમ કહેલું કે શુદ્ધ વીરરસની કૃતિઓ દ્વારા સાચી ભાવના પ્રગટ થઈ શકે.૫૪ એ વિચારણાના સમર્થનમાં તેમણે આચાર્ય આનંદશંકરની કાવ્યભાવનાની પોતાની રીતે વ્યાખ્યા કરી છે : “આત્માની અમર કલા” આ લક્ષણમાં વાગ્દેવીને આત્માની એટલે માનવના સ્વરૂપમાં દિવ્ય અંશ પ્રગટ કરનારી પરમાત્માની ‘કલા’ કહી છે : (વાગ્દેવી તે અહિં કવિતાની અધિષ્ઠાત્રી દેવી જ.) દિવ્ય આત્મિક તત્ત્વની પૂર્ણ પ્રતિમા તો આ માનવવ્યાપારમાં પ્રગટ ના જ થઈ શકે; માત્ર ‘કલા’ ચન્દ્રની સોળ કલામાંની એક કલાની પેઠે, અંશમાત્ર પ્રગટ થાય છે તે માનવની કવિતાપ્રવૃત્તિ. પરંતુ એ કલાનું મૂળ દિવ્યતામાં હોવાને લીધે, આત્મતત્ત્વમાં હોવાને લીધે, એ અમૃત, અમર, કલા કહી છે. એ ‘કલા’—દિવ્ય આત્માની પરમાત્માની—અમર કલા, શી સામગ્રીનો ઉપયોગ કરે? અસ્થિર, સંકુચિત, બાહ્યઘોષી, ભાવોનો એ કદી પણ સ્પર્શ કરે? નહિ જ. હેનો વિલાસ તો માનવજીવનનાં ગંભીર, સનાતન સ્વરૂપો સાથે, મનુજ હૃદયનાં ઊંડાણોમાં નજર નંખાવનારાં તત્ત્વો સાથે, સંભવે. આત્માની આ અમર કલા આજ છે અને કાલ્ય નથી હેવી સંકુચિત વૃત્તિયોને વિકસાવનારી, રાજકીય ‘ભાવના’ એ બેનો સંયોગ કરવામાં એ ‘અમૃતા આત્માનઃ કલા’ કેવા ગર્તમાં ઘસડાય તે રસતત્ત્વના દૃષ્ટાઓને સમજાવવાની જરૂર જ નથી.”૫૫ આ મુદ્દાને આગળ ઉપર સહેજ જુદી રીતે સમજાવતાં તેઓ કહે છે : “આત્મન એટલે પરમાત્મા બહ્મની; બ્રહ્મનું સ્વરૂપ એક દૃષ્ટિએ ‘રસો વૈ સઃ’ એ વચનમાં સુઘટિત રીતે બતાવાયું છે; રસનું બીજ સૌંદર્ય : સૌંદર્યનું નિયામક તત્ત્વ નિયમસંયમ : અર્થાત્‌ રાજકીય સંચલનના ઉચ્છૃંખલ ઘોષાતિઘોષ આ નિયમસંયમના વિરોધી હોવાથી સૌંદર્ય, રસ, ‘આત્મનઃ કલા’ કવિતા એ સર્વની જોડે ઉચિત રીતે જોડાશે નહિં.”૫૬ અને પ્રસ્તુત ચર્ચાના સમાપનમાં તેઓ કહે છે : “કવિતા પાર્થિવ ભાવનાની ક્ષુદ્રતામાં હોળી રમતી નથી : દિવ્ય ભૂમિમાં વિહાર કરે છે; તેટલું ના બને તો પણ એ ભૂમિના બારણા આગળ જઈ કંકુના થાપા મારી આવે છે.”૫૭ (અને અહીં પણ નરસિંહરાવની કાવ્યવિચારણા સુંદર કલ્પનાત્મક રૂપે પ્રગટી છે.)
ઈ.સ. ૧૯૨૨માં લખેલા લેખ “રાજકીય સંચલનમાં સાહિત્યને શા માટે ઘસડવું?”૫૨ એમાં નરસિંહરાવે સાહિત્યકારોના ઉન્નત ધર્મની હિમાયત કરતાં કહેલું કે સાચી કલા રાષ્ટ્રીયતાની સાંકડી સીમામાં બંધાય નહિ.૫૩ તેમણે તે સમયમાં પ્રચારમાં આવેલાં ‘રાષ્ટ્રગીત’ નામધારી રચનાઓનો તિરસ્કાર કરેલો અને એમ કહેલું કે શુદ્ધ વીરરસની કૃતિઓ દ્વારા સાચી ભાવના પ્રગટ થઈ શકે.૫૪ એ વિચારણાના સમર્થનમાં તેમણે આચાર્ય આનંદશંકરની કાવ્યભાવનાની પોતાની રીતે વ્યાખ્યા કરી છે : “આત્માની અમર કલા” આ લક્ષણમાં વાગ્દેવીને આત્માની એટલે માનવના સ્વરૂપમાં દિવ્ય અંશ પ્રગટ કરનારી પરમાત્માની ‘કલા’ કહી છે : (વાગ્દેવી તે અહિં કવિતાની અધિષ્ઠાત્રી દેવી જ.) દિવ્ય આત્મિક તત્ત્વની પૂર્ણ પ્રતિમા તો આ માનવવ્યાપારમાં પ્રગટ ના જ થઈ શકે; માત્ર ‘કલા’ ચન્દ્રની સોળ કલામાંની એક કલાની પેઠે, અંશમાત્ર પ્રગટ થાય છે તે માનવની કવિતાપ્રવૃત્તિ. પરંતુ એ કલાનું મૂળ દિવ્યતામાં હોવાને લીધે, આત્મતત્ત્વમાં હોવાને લીધે, એ અમૃત, અમર, કલા કહી છે. એ ‘કલા’—દિવ્ય આત્માની પરમાત્માની—અમર કલા, શી સામગ્રીનો ઉપયોગ કરે? અસ્થિર, સંકુચિત, બાહ્યઘોષી, ભાવોનો એ કદી પણ સ્પર્શ કરે? નહિ જ. હેનો વિલાસ તો માનવજીવનનાં ગંભીર, સનાતન સ્વરૂપો સાથે, મનુજ હૃદયનાં ઊંડાણોમાં નજર નંખાવનારાં તત્ત્વો સાથે, સંભવે. આત્માની આ અમર કલા આજ છે અને કાલ્ય નથી હેવી સંકુચિત વૃત્તિયોને વિકસાવનારી, રાજકીય ‘ભાવના’ એ બેનો સંયોગ કરવામાં એ ‘અમૃતા આત્માનઃ કલા’ કેવા ગર્તમાં ઘસડાય તે રસતત્ત્વના દૃષ્ટાઓને સમજાવવાની જરૂર જ નથી.”૫૫ આ મુદ્દાને આગળ ઉપર સહેજ જુદી રીતે સમજાવતાં તેઓ કહે છે : “આત્મન એટલે પરમાત્મા બહ્મની; બ્રહ્મનું સ્વરૂપ એક દૃષ્ટિએ ‘રસો વૈ સઃ’ એ વચનમાં સુઘટિત રીતે બતાવાયું છે; રસનું બીજ સૌંદર્ય : સૌંદર્યનું નિયામક તત્ત્વ નિયમસંયમ : અર્થાત્‌ રાજકીય સંચલનના ઉચ્છૃંખલ ઘોષાતિઘોષ આ નિયમસંયમના વિરોધી હોવાથી સૌંદર્ય, રસ, ‘આત્મનઃ કલા’ કવિતા એ સર્વની જોડે ઉચિત રીતે જોડાશે નહિં.”૫૬ અને પ્રસ્તુત ચર્ચાના સમાપનમાં તેઓ કહે છે : “કવિતા પાર્થિવ ભાવનાની ક્ષુદ્રતામાં હોળી રમતી નથી : દિવ્ય ભૂમિમાં વિહાર કરે છે; તેટલું ના બને તો પણ એ ભૂમિના બારણા આગળ જઈ કંકુના થાપા મારી આવે છે.”૫૭ (અને અહીં પણ નરસિંહરાવની કાવ્યવિચારણા સુંદર કલ્પનાત્મક રૂપે પ્રગટી છે.)
નરસિંહરાવની વિવેચનામાંનો આ વિશિષ્ટ ખ્યાલ આપણી આરંભકાલીન વિવેચનાનો આત્યંતિક કોટિનો ઉન્મેષ જણાય છે. પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓની જેમ તેઓ કવિતાની દિવ્યતા કે લોકોત્તરતાનો આગ્રહ સેવે છે. સ્થૂલ પાર્થિવ ધૂલિરજથી કવિતા ન અભડાય એ વિશે તેમણે સતત ટકોર કરી છે. રાજકારણની પ્રપંચી ઘટનાઓ કે વ્યવહારજીવનની ક્ષુદ્ર સ્થિતિ એ કાવ્યનો વિષય બની શકે જ નહિ, એવી તેમની દૃઢ માન્યતા છે. આ દુન્યવી જીવનમાં વાદવિવાદ, પ્રતિસ્પર્ધા, રાગદ્વેષ અને હૂંસાતૂંસી પ્રર્વતે છે. ક્ષણિક અસ્તિત્વમાં આવતા પક્ષવાદીઓના “ઉચ્છૃંખલ ઘોષાતિઘોષ” પ્રવર્તે છે અને સમગ્ર જાહેરજીવન એ સંઘર્ષ, વિસંવાદ અને વ્યભિચારથી દૂષિત છે. કવિતા એવા ઝેરીલા વાતાવરણમાં પાંગરી જ ન શકે. જે સાચો ‘કાવ્યરસ’ છે તે તો આ પ્રકારના દોષથી મુક્ત, શાશ્વત વિશ્વસૌંદર્યના રહસ્યાનુભવમાં છે. એની શુભ્ર નિર્મળ હવામાં જ કવિતા શ્વસી શકે. એ દિવ્યલોકના પ્રાંતમાં કવિતાને સંપૂર્ણ પ્રવેશ ન મળે તો યે તે ‘દિવ્યલોક’ને દ્વારે “કંકુના થાપા”મારી આવે છે જ.
નરસિંહરાવની વિવેચનામાંનો આ વિશિષ્ટ ખ્યાલ આપણી આરંભકાલીન વિવેચનાનો આત્યંતિક કોટિનો ઉન્મેષ જણાય છે. પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓની જેમ તેઓ કવિતાની દિવ્યતા કે લોકોત્તરતાનો આગ્રહ સેવે છે. સ્થૂલ પાર્થિવ ધૂલિરજથી કવિતા ન અભડાય એ વિશે તેમણે સતત ટકોર કરી છે. રાજકારણની પ્રપંચી ઘટનાઓ કે વ્યવહારજીવનની ક્ષુદ્ર સ્થિતિ એ કાવ્યનો વિષય બની શકે જ નહિ, એવી તેમની દૃઢ માન્યતા છે. આ દુન્યવી જીવનમાં વાદવિવાદ, પ્રતિસ્પર્ધા, રાગદ્વેષ અને હૂંસાતૂંસી પ્રર્વતે છે. ક્ષણિક અસ્તિત્વમાં આવતા પક્ષવાદીઓના “ઉચ્છૃંખલ ઘોષાતિઘોષ” પ્રવર્તે છે અને સમગ્ર જાહેરજીવન એ સંઘર્ષ, વિસંવાદ અને વ્યભિચારથી દૂષિત છે. કવિતા એવા ઝેરીલા વાતાવરણમાં પાંગરી જ ન શકે. જે સાચો ‘કાવ્યરસ’ છે તે તો આ પ્રકારના દોષથી મુક્ત, શાશ્વત વિશ્વસૌંદર્યના રહસ્યાનુભવમાં છે. એની શુભ્ર નિર્મળ હવામાં જ કવિતા શ્વસી શકે. એ દિવ્યલોકના પ્રાંતમાં કવિતાને સંપૂર્ણ પ્રવેશ ન મળે તો યે તે ‘દિવ્યલોક’ને દ્વારે “કંકુના થાપા”મારી આવે છે જ.

Navigation menu