સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભોળી ભરવાડણ
૩. ભોળી ભરવાડણ
નરસિંહ મહેતા
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
અનાથના નાથને વેચે આહીરની નારી;
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા, કૌતક એ પેખે;
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;