આત્મપરિચય/આત્મપરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Poem2Open}}  
{{Poem2Open}}  
મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે. એ ગામના સીમાડા અદ્ભુત અને ભયાનક રસથી બંધાયેલા હતા એટલો જ હું એનો ભૌગોલિક પરિચય આપીશ. નામ તો જરઠ સ્થવિરોની શોધ છે. મને લાગે છે કે વ્યાકરણની શરૂઆત પણ ક્રિયાપદથી થઈ હશે, એ ક્રિયાના કરનારને ક્રિયા કર્યા બદલનું અભિમાન ઊપજ્યું હશે, ત્યાર પછી જ કર્તા, કર્તાનું નામ, વિશેષણ વગેરેનો પ્રપંચ વિસ્તર્યો હશે. નામની દાબડીમાં પદાર્થને મૂકીને બંધ કરી દેવાનું બાળકને રુચતું કે પરવડતું નથી. નામની જડ નિશ્ચિતતા એના સ્વૈરવિહારને સીમિત કરી દે છે, ને શિશુ તો સ્વભાવથી જ કવિ હોય છે. પ્રસ્તુત-અપ્રસ્તુત વચ્ચેના રમણીય ગોટાળામાંથી એ સદા અલંકારો રચ્યા જ કરે છે. બાળપણની રમતનું સૌથી મોટું રમકડું તે ઉત્પ્રેક્ષા છે : ‘હું જાણે રાજા હોઉં, ને તું જાણે રાણી હોય,’ આમ ‘જાણે કે’ની ચાવીથી નવાં નવાં જગત ખૂલતાં જ જાય. પછી આપણે મોટા થઈએ. ડાહ્યાડમરા થઈએ ત્યારે અર્થાન્તરન્યાસનાં પોટલાં બાંધતાં થઈ જઈએ.
મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે. એ ગામના સીમાડા અદ્ભુત અને ભયાનક રસથી બંધાયેલા હતા એટલો જ હું એનો ભૌગોલિક પરિચય આપીશ. નામ તો જરઠ સ્થવિરોની શોધ છે. મને લાગે છે કે વ્યાકરણની શરૂઆત પણ ક્રિયાપદથી થઈ હશે, એ ક્રિયાના કરનારને ક્રિયા કર્યા બદલનું અભિમાન ઊપજ્યું હશે, ત્યાર પછી જ કર્તા, કર્તાનું નામ, વિશેષણ વગેરેનો પ્રપંચ વિસ્તર્યો હશે. નામની દાબડીમાં પદાર્થને મૂકીને બંધ કરી દેવાનું બાળકને રુચતું કે પરવડતું નથી. નામની જડ નિશ્ચિતતા એના સ્વૈરવિહારને સીમિત કરી દે છે, ને શિશુ તો સ્વભાવથી જ કવિ હોય છે. પ્રસ્તુત-અપ્રસ્તુત વચ્ચેના રમણીય ગોટાળામાંથી એ સદા અલંકારો રચ્યા જ કરે છે. બાળપણની રમતનું સૌથી મોટું રમકડું તે ઉત્પ્રેક્ષા છે : ‘હું જાણે રાજા હોઉં, ને તું જાણે રાણી હોય,’ આમ ‘જાણે કે’ની ચાવીથી નવાં નવાં જગત ખૂલતાં જ જાય. પછી આપણે મોટા થઈએ. ડાહ્યાડમરા થઈએ ત્યારે અર્થાન્તરન્યાસનાં પોટલાં બાંધતાં થઈ જઈએ.
મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું, વનમાં વાઘ હતા, રીંછ હતાં. એક નદી હતી. એનું નામ ઝાંખરી. સંસ્કૃત નામોનો ઝંકાર એમાં નથી. ઝાંખરામાં થઈને રસ્તો કરી વહેતી વહેતી આવતી માટે ઝાંખરી. અહીં ક્રિયા અને સંજ્ઞા વચ્ચેનો સમ્બન્ધ નિકટનો છે, માટે એ નામ ગમ્યું અને માટે એ તમને કહ્યું. તાપી તો દૂર, સાતકાશીના ગાઢ વનમાં થઈને વહે. પણ આ ઝાંખરીનાં છીછરાં પાણીમાં પગ ઝબકોળીએ કે તરત ધરતી સાથે જકડાયેલા પગ પણ પ્રવાહી થઈને વહી જાય, એના અસ્ખલિત ખળખળ નાદમાં તાપીની વાણી સંભળાય. એના શીતલ સ્પર્શમાં સાતકાશીના નિબિડ અરણ્યમાં ઘંેટાયેલા મસૃણ અન્ધકારના સ્પર્શની સ્મૃતિ હતી. દુંદાળા ગણપતિ આનન્દચૌદશને દિવસે એમાં ડૂબકી મારીને અલોપ થઈ જતા ને દશેરાના દિવસે માતાના જવારાની સોનાની સળીઓ એનાં પાણીમાં તરી રહેતી. એ ઝાંખરીએ ધરાએલો વાઘ પાણી પીવા આવતો, શરૂશરૂમાં બીડી પીવાનું સાહસ કરવા શીખેલા કેટલાક સોબતીઓએ, રખે ને એમના આ અપલક્ષણની ચાડી ખાઈ દઉં એ બીકે, મારા મોઢામાંય બીડી ખોસી દીધેલી તે પણ આ ઝાંખરીની સાક્ષીએ. મોટી મોટી યોજનાઓના આ દિવસોમાં પણ એ ઝાંખરી એની નગણ્યતાને જાળવી રહી છે. ગામને પૂર્વ છેડે ‘સતીનું વન’ એ નામથી ઓળખાતું આંબાવાડિયું હતું. એ આંબાવાડિયામાં એક ચોતરો હતો. પાસે એક દેરી હતી ને એમાં સતીનાં પગલાં હતાં. એ સતીના મહિમાની ત્યારે અમને કશી ખબર નહોતી, પણ એ પગલાંની છાપ મન પર આજ સુધી અંકાયેલી રહી છે. દંતકથાઓની ફળદ્રુપ ભૂમિમાં એ પગલાં અમને દોરી જતાં હતાં. એ આંબાવાડિયા પર શાખિયાં તૈયાર થયાં છે એ સમાચાર વીજળીવેગે પ્રસરી જતા ને અમારી ટોળી નીકળી પડતી. રખેવાળને કેમ ભોળવવો, કેમ ખોટી દિશામાં દોડાવવો, આગલી હરોળમાં કોણ રહે — આ બધાંની પાકી વ્યવસ્થા થતી, વ્યૂહ રચાતો ને અન્તે મિષ્ટ કેરીમાં સાહસની ઓર મીઠાશ ભેળવીને અમે થોડે દૂર, રેલવેના પાટા પાસેના ઝરણની ઠંડકમાં, ઊમરાના ઝાડની ઘટામાં, આરોગવા બેસતા. એ પાતાળઝરણું અદ્ભુત રસનું પણ ઝરણું હતું. એ ઝરણાએ ચિત્તમાંનાં કેટલાંય પાતાળઝરણાંને, ત્યાર પછી તો, વહેતાં કરી દીધાં છે.
મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું, વનમાં વાઘ હતા, રીંછ હતાં. એક નદી હતી. એનું નામ ઝાંખરી. સંસ્કૃત નામોનો ઝંકાર એમાં નથી. ઝાંખરામાં થઈને રસ્તો કરી વહેતી વહેતી આવતી માટે ઝાંખરી. અહીં ક્રિયા અને સંજ્ઞા વચ્ચેનો સમ્બન્ધ નિકટનો છે, માટે એ નામ ગમ્યું અને માટે એ તમને કહ્યું. તાપી તો દૂર, સાતકાશીના ગાઢ વનમાં થઈને વહે. પણ આ ઝાંખરીનાં છીછરાં પાણીમાં પગ ઝબકોળીએ કે તરત ધરતી સાથે જકડાયેલા પગ પણ પ્રવાહી થઈને વહી જાય, એના અસ્ખલિત ખળખળ નાદમાં તાપીની વાણી સંભળાય. એના શીતલ સ્પર્શમાં સાતકાશીના નિબિડ અરણ્યમાં ઘંટાયેલા મસૃણ અન્ધકારના સ્પર્શની સ્મૃતિ હતી. દુંદાળા ગણપતિ આનન્દચૌદશને દિવસે એમાં ડૂબકી મારીને અલોપ થઈ જતા ને દશેરાના દિવસે માતાના જવારાની સોનાની સળીઓ એનાં પાણીમાં તરી રહેતી. એ ઝાંખરીએ ધરાએલો વાઘ પાણી પીવા આવતો, શરૂશરૂમાં બીડી પીવાનું સાહસ કરવા શીખેલા કેટલાક સોબતીઓએ, રખે ને એમના આ અપલક્ષણની ચાડી ખાઈ દઉં એ બીકે, મારા મોઢામાંય બીડી ખોસી દીધેલી તે પણ આ ઝાંખરીની સાક્ષીએ. મોટી મોટી યોજનાઓના આ દિવસોમાં પણ એ ઝાંખરી એની નગણ્યતાને જાળવી રહી છે. ગામને પૂર્વ છેડે ‘સતીનું વન’ એ નામથી ઓળખાતું આંબાવાડિયું હતું. એ આંબાવાડિયામાં એક ચોતરો હતો. પાસે એક દેરી હતી ને એમાં સતીનાં પગલાં હતાં. એ સતીના મહિમાની ત્યારે અમને કશી ખબર નહોતી, પણ એ પગલાંની છાપ મન પર આજ સુધી અંકાયેલી રહી છે. દંતકથાઓની ફળદ્રુપ ભૂમિમાં એ પગલાં અમને દોરી જતાં હતાં. એ આંબાવાડિયા પર શાખિયાં તૈયાર થયાં છે એ સમાચાર વીજળીવેગે પ્રસરી જતા ને અમારી ટોળી નીકળી પડતી. રખેવાળને કેમ ભોળવવો, કેમ ખોટી દિશામાં દોડાવવો, આગલી હરોળમાં કોણ રહે — આ બધાંની પાકી વ્યવસ્થા થતી, વ્યૂહ રચાતો ને અન્તે મિષ્ટ કેરીમાં સાહસની ઓર મીઠાશ ભેળવીને અમે થોડે દૂર, રેલવેના પાટા પાસેના ઝરણની ઠંડકમાં, ઊમરાના ઝાડની ઘટામાં, આરોગવા બેસતા. એ પાતાળઝરણું અદ્ભુત રસનું પણ ઝરણું હતું. એ ઝરણાએ ચિત્તમાંનાં કેટલાંય પાતાળઝરણાંને, ત્યાર પછી તો, વહેતાં કરી દીધાં છે.
<center>*
<center>*
એક બપોરે ગપ્પાં હાંકતાં અમે બેઠા હતા. ભાઈ પુષ્કર ચંદરવાકરે ત્યાં સોનગઢ વ્યારાના ગામીત ચોધરાની વાત કાઢી. એકાએક છેલ્લાં વીસેક વરસથી છોડેલી એ ધરતીની માયા જાગી, જીવ હિજરાવા લાગ્યો.
એક બપોરે ગપ્પાં હાંકતાં અમે બેઠા હતા. ભાઈ પુષ્કર ચંદરવાકરે ત્યાં સોનગઢ વ્યારાના ગામીત ચોધરાની વાત કાઢી. એકાએક છેલ્લાં વીસેક વરસથી છોડેલી એ ધરતીની માયા જાગી, જીવ હિજરાવા લાગ્યો.

Navigation menu