મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૩.મુક્તાનંદ


૯૩.મુક્તાનંદ

મુક્તાનંદ (૧૮મી ઉ. –૧૯મી પૂ. ૧૭૫૮-૧૮૩૦) રામાનંદ સ્વામીના આ શિષ્યે ગુરુના કહેવાથી,પોતાનાથી નાની વયના સહજાનંદ સ્વામીનું આનંદપૂર્વક શિષ્યત્વ સ્વીકારેલું. ચરિત્રાત્મક લાંબી કૃતિઓ ઉપરાંત એમણે રાધાકૃષ્ણ-વિષયક મધુર પદોની રચના કરેલી છે.