ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 52: Line 52:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમો | ખેમો ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમો | ખેમો ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખોડો | ખોડો ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખોડો | ખોડો ]]
{{Poem2Open}}
<span style="color:#0000ff">'''ખઈપતિ'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુકીર્તિ(અવ. ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતા, એમના જીવનકાળમાં રચાયેલા ‘સાધુકીર્તિજયપતાકા-ગીત’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ. {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખનુદાસ'''</span> [ઈ.૧૬મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્તકવિ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સમકાલીન. એમણે દમલાજી/દામોદરદાસ હરસાનીજીની પ્રેરણાથી ‘વલ્લભચરિત્રનું ધોળ’ રચ્યું હતું.
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭ - મહદ્મણિ શ્રી મોહનભાઈ. {{Right|[કી.જો.]}}
<br>
<span style="color:#0000ff">'''‘ખંભાતણ(લોડણ) ને ખીમરોની લોકકથાના દુહા’'''</span> : જુઓ ‘લોડણ-ખીમરોની લોકકથાના દુહા.’
<br>
<span style="color:#0000ff">'''ખાતુભાઈ(ભગત)'''</span>  [               ]: ‘ગીતાસાર’ તથા કેટલાંક પદોના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખીમ- '''</span>: જુઓ ક્ષમા-, ક્ષેમ- અને ખેમ-.
<br>
<span style="color:#0000ff">'''ખીમ/ખીમો'''</span> : ખીમના નામે ૭ કડીનું ‘જયણા-ગીત’ (લે.ઈ.૧૬૭૯) તથા ખીમોને નામે ૩૨ કડીની ‘ચૈત્યવંદનપરિપાટી/શત્રુંજય-ચૈત્યપરિપાટી’ (લે.ઈ.૧૫૬૩; મુ.), ૭ કડીની ‘જીવદયા-ભાસ’ (લે.ઈ.૧૫૧૮), ૪ કડીની ‘શત્રુંજય-ભાસ’ (લે.ઈ.૧૫૧૮), ૭ કડીની ‘જીરાઉલા-ભાસ’, ૯ કડીની ‘શત્રુંજયભાસ-ગીત’, ૫ કડીની ‘સીમંધરસ્વામી-ભાસ’ - એ જૈન કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
ખીમોને નામે નોંધાયેલી ‘ચોવીસ તીર્થંકરોના આંતરાનું સ્તવન’ (ર.ઈ.૧૬૭૭) સમયની દૃષ્ટિએ જોતાં ખેમ(મુનિ)/ખેમસીની કૃતિ હોવાનો સંભવ લાગે. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું શક્ય નથી.
જૈનેતર કવિ ખીમોને નામે ‘રામઅવતાર-અંગ’, ‘કરમ-અંગ’, ‘વિશ્વાસ-અંગ’ વગેરે કેટલાંક અંગો (લે.ઈ.૧૭૦૬ આસપાસ) તથા ‘ત્રિકમનું કીર્તન’ (લે.ઈ.૧૭૮૨) એ જૈનેતર કૃતિઓ નોંધાયેલી છે તે ખીમસ્વામી કે કોઈ ખીમદાસ કે ખેમદાસ છે એ નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ ખેમો.
કૃતિ : પ્રાતીસંગ્રહ:૧.
સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. જૈગૂકવિઓ:૧, ૩(૧,૨); ૩. ફાહનામાવલિ; ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખીમ(સાહેબ)-૧'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૦૧] : જુઓ ખીમદાસ-૧.
<br>
<span style="color:#0000ff">'''ખીમ(સ્વામી)-૨'''</span> [ઈ.૧૮૬૦ સુધીમાં] : ‘જ્ઞાનઘોડો’ (લે.ઈ.૧૮૬૦) એ નામની ગદ્યકૃતિના કર્તા. જુઓ હરિખીમ.
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખીમ(મુનિ)-૩'''</span> [               ]: જૈન સાધુ. ઉપાધ્યાય કાનમુનિના શિષ્ય. ૫. ઢાળની ‘પંચમહાવ્રત-સઝાય’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<span style="color:#0000ff">'''ખીમચંદ'''</span> [               ]: જૈન સાધુ. દેવરાજના શિષ્ય. ૧ કડીના ‘ઋષભદેવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૩૨ કડીના ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<span style="color:#0000ff">'''ખીમડો/ખીમરો/ખીમો-૧'''</span> [ઈ.૧૫મી સદી પછી) : માર્ગી કે નિજિયાપંથી સંત. કોટવાળ તરીકે ઓળખાવાયેલા આ સંત મેઘવાળ(હરિજન) ચમાર કે વણકર હોવાનું નોંધાયું છે. મૂળ રાજસ્થાનના પોકરણ તરફના વતની ને પછી ઢેલડી(આજનું મોરબી કે એની પાસેનું ગામ)માં નિવાસ. રામદેવ-પીર(ઈ.૧૫મી સદી)ની પરંપરાના આ સંતનો સમય ચોક્કસ નિશ્ચિત થઈ શકે તેમ નથી. મોરબીના રાવત રણસિંહે કુદૃષ્ટિ કરેલી એથી જીવત્સમાધિ લેતાં પત્ની દાડલદે સાથે ખીમડાએ પણ સમાધિ લીધી હોવાના તથા પશ્ચાત્તાપ પામેલા રાવતને એમણે દીક્ષા આપી હોવાના ઉલ્લેખો ધરાવતાં ૨ પદો(મુ.) મળે છે તે આ સંતનાં રચેલાં હોવાનું માનવામાં મુશ્કેલી છે.
આ સિવાય, આગમવાણીનાં તથા રૂપકાત્મક અધ્યાયબોધનાં ૩ પદ (મુ.) આ સંતની નામછાપવાળાં મળે છે.
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૨. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦;  ૩. સત્ સંદેશ, ડિસે. ૧૯૫૨ - ‘ખીમડો અને દાડલદે’, સંતદાસ મોહન(+સં.).
સંદર્ભ : સોરઠી સ્ત્રીસંતો, કાલિદાસ મહારાજ, સં. ૨૦૧૪. {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખીમણ'''</span>  [               ]: નિજિયાપંથના ભજનિક કવિ. જ્ઞાતિએ મેઘવાળ. ‘મેઘા ખીમણ’ એવી નામછાપ ધરાવતા હિંદી-રાજસ્થાનીની છાંટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલા આ કવિના ૪ કડીના ૧ પદ(મુ.)માં યોગમાર્ગી પદાવલિમાં અધ્યાત્મઅનુભવનું વર્ણન થયેલું છે.
કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, સં. શા. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૭. {{Right|[કી.જો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખીમદાસ-૧/ખીમ(સાહેબ)'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૦૧] : રવિભાણસંપ્રદાયના સંતકવિ. રવિસાહેબના શિષ્ય. જ્ઞાતિએ લોહાણા. ભાણસાહેબના પુત્ર. માતા ભાણબાઈ. જન્મ વારાહીમાં. જન્મવર્ષ ઈ.૧૭૩૪ નોંધાયું છે પણ બધા સંદર્ભોનો એને ટેકો નથી. હરિજનજ્ઞાતિના ત્રિકમભગતને શિષ્ય તરીકે સ્વીકારી એમણે પોતાની સમદૃષ્ટિનો પરિચય કરાવેલો. માછીમારોમાં રામકબીર સંપ્રદાયનો પ્રચાર કરેલો એથી આ કવિ ‘દરિયાપીર’ તરીકે ઓળખાયેલા. ઈ.૧૭૮૧માં રાપર(કચ્છ)માં જગ્યા બાંધી ત્યાં નિવાસ કર્યો. ત્યાં જ જીવત્સમાધિ લીધી.
કાફી, ગરબી, આરતી વગેરે પ્રકારો બતાવતાં ખીમસાહેબનાં પદો (કેટલાંક મુ.) વધારે હિંદીમાં, થોડા ગુજરાતીમાં અને ક્વચિત્ કચ્છીમાં મળે છે. યોગની પરિભાષા અને રૂપકાદિ અલંકારોનો આશ્રય લેતાં આ પદોમાં કબીરપરંપરાના તત્ત્વજ્ઞાન, અધ્યાત્મઅનુભવનું તથા સદ્ગુરુમહિમાનું આલેખન છે તેમ જ બાહ્યાચારો પર આકરી ટકોર પણ છે. કવિનાં પદોમાં ‘ખીમદાસ’ ઉપરાંત ‘ખીમ/ખેમ’ એવી નામછાપ પણ મળે છે એટલે ખેમના નામે નોંધાયેલાં પદો પૈકી કેટલાંક આ કવિનાં હોવા સંભવ છે.
સાખી ને ચોપાઈબંધની ૫૮ કડીની જ્ઞાનમાર્ગી હિંદી કૃતિ ‘ચિંતામણિ’ (ર.ઈ.૧૭૭૦/સં. ૧૮૨૬, ચૈત્ર સુદ ૭, ગુરુવાર; મુ.) આ કવિની અન્ય રચના છે.
કૃતિ : ૧. ગુહિવાણી (+સં.); ૨. ભજનસાગર:૧; ૩. ભસાસિંધુ; ૪. યોગવેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (+સં.); ૫. રવિભાણ સંપ્રદાયની વાણી:૧, પ્ર. મંછારામ મોતી, -; ૬. સતવાણી.
સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ:૧, દુલેરાય કારાણી, સં. ૨૦૧૫; ૨. ભાણલીલામૃત, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૬૫; ૩. રામકબીર સંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨; ૪. સોસંવાણી - પ્રસ્તાવના. {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખીમદાસ-૨'''</span> [               ]: વાવ(જિ. બનાસકાંઠા)ના વતની. ‘આદિત્યના બારમાસ’ને નામે ઓળખાવેલ પરંતુ વસ્તુત: કૃષ્ણવિરહે ઝૂરતી રાધાનું વર્ણન કરતા અને હરિગીતની દેશીમાં રચાયેલા ‘બારમાસ’ (અંશત: મુ.)ના કર્તા.
કૃતિ : ગુસાસ્વરૂપો (+સં.). {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખીમરાજ'''</span> [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન. ૫ કડીના ‘જીવદયા-ગીત’ (લે.ઈ.૧૪૭૯)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખીમરો'''</span> : જુઓ ખીમડો.
<br>
<span style="color:#0000ff">'''ખીમારતન'''</span> : જુઓ ક્ષમારત્ન-૨.
<br>
<span style="color:#0000ff">'''ખીમાવિજય'''</span> : આ નામે ૧૩ કડીનું ‘અરિહંતભગવાનનું સ્તવન’ (મુ.) મળે છે તેના કર્તા ખીમાવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : જૈકાપ્રકાશ:૧. {{Right|[કી.જો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખીમાવિજય-૧/ક્ષેમવિજય'''</span> [ઈ.૧૬૫૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દેવવિજયની પરંપરામાં શાંતિવિજયના શિષ્ય. ભદ્રબાહુસ્વામીના પ્રાકૃત કલ્પસૂત્ર પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, વૈશાખ સુદ-, ગુરુવાર) તથા ૩૫ કડીના ‘સૂક્તમાલા’ પરના સ્તબકના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખીમો'''</span>: જુઓ ખીમ.
<br>
<span style="color:#0000ff">'''ખીમો-૧'''</span> [ઈ.૧૫મી સદી પછી] : જુઓ ખીમડો.
<br>
<span style="color:#0000ff">'''ખુશાલ(મુનિ)'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. અખયચંદ્રસૂરિ (ઈ.૧૭૦૧માં હયાત)ના શિષ્ય. ‘ચોવીસી’ (મુ.), ૫ ઢાળની ‘જ્ઞાનપંચમીની ઢાળો’ (મુ.), અખયચંદ્રસૂરિ વિશેની ‘ગુરુ-ભાસ’ તથા ૭ કડીની ‘રાજુલની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અસ્તમંજૂષા; ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જૈસસંગ્રહ(ન.); ૪. પ્રાસ્તસંગ્રહ.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ચ.શે.]}}
<br>
<span style="color:#0000ff">'''ખુશાલચંદ-૧'''</span> [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન. ‘ચંદખુશાલ’ની નામછાપ ધરાવતા, એમના રાજિમતીના વિરહોદ્ગારો રૂપે રચાયેલા દુહા-ઢાળબદ્ધ ૨૮ કડીના ‘નેમિજિન-બારમાસા’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, મહા સુદ ૧૧, ગુરુવાર; મુ.) રાજસ્થાની-હિન્દીની છાંટવાળી ભાવમધુર ભાષાભિવ્યક્તિ અને સુગેયતાથી ધ્યાનપાત્ર બને છે. ‘પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ’ આ કવિનું નામ ‘ચંદ્રખુશાલ’ આપે છે.
કૃતિ : પ્રામબાસંગ્રહ:૧.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). {{Right|[ચ.શે.]}}
<br>
<span style="color:#0000ff">'''ખુશાલચંદ-૨'''</span> [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ધર્મદાસજીની પરંપરામાં રાયચંદના શિષ્ય. ૬૪ ઢાળની ‘અરદાસચરિત્ર/અર્હદાસ-ચરિત્ર/સમ્યક્ત્વકૌમુદી-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, વૈશાખ સુદ ૧૩, ગુરુવાર) તથા ‘દેવસેન-રાસ’ના કર્તા.
ખુશાલચંદને નામે હિંદીમિશ્ર ગુજરાતી ભાષાની ૧૬ કડીની ‘જંબૂસ્વામીની લાવણી’ (ર.ઈ.૧૮૧૪/સં ૧૮૭૦, અસાડ ધુરપક્ષ -; મુ.) તથા ખુશાલચંદજીને નામે ૧૬ કડીની ‘કામદેવની સઝાય’ (ર.ઈ.૧૮૩૦; મુ.) મળે છે તે સમયદૃષ્ટિએ જોતાં આ જ ખુશાલચંદ હોવા સંભવ છે.
કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨.જૈસસંગ્રહ (જૈ.); ૩. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}}
<br>
<span style="color:#0000ff">'''ખુશાલદાસ-૧'''</span> [ઈ.૧૭૨૭માં હયાત] : જૈન સાધુ. ‘પદ્મ-પુરાણ’ (ર.ઈ.૧૭૨૭) નામક દિગંબર જૈન કથાના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખુશાલદાસ-૨/ખુશાલભાઈ'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ] : નિરાંત-સંપ્રદાયના કવિ. નિરાંત-મહારાજ (જ.ઈ.૧૭૪૭-અવ. ઈ.૧૮૫૨)ના પુત્ર. જ્ઞાતિએ ગોહેલ રાજપૂત. નિરાંત-મહારાજ પછી દેથાણની ગાદી પર આવેલા. અધ્યાત્મવિષયક પદો(કેટલાંક મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ગુમુવાણી (+સં.); ૨. જ્ઞાનોદય પદ સંગ્રહ, સં. ભગત કેવળરામ કાલુરામ, -.
સંદર્ભ : નિરાંત કાવ્ય, સં. ગોપાળરામ શર્મા, ઈ.૧૯૩૯.{{Right|[દે.દ.]}}
<br>
<span style="color:#0000ff">'''ખુશાલરત્ન'''</span> [ઈ.૧૮૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દાનરત્નની પરંપરામાં શિવરત્નના શિષ્ય. ૧૩ કડીની ‘હોકાની સઝાય’ (ર.ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, શ્રાવણ સુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસમાલા(શા.): ૨; ૩. જૈસસંગ્રહ(ન.).{{Right|[ચ.શે.]}}
<br>
<span style="color:#0000ff">'''ખુશાલવિજય'''</span> : આ નામે ‘શ્રીપાલ-રાસ’ (લે.ઈ.૧૭૪૭) તથા ‘નેમિનાથચરિત્ર-બાલાવબોધ’ એ કૃતિઓ મળે છે. આ ખુશાલવિજય કયા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦ - ‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, કાંતિસાગરજી;  ૨. જૈગૂકવિઓ: ૩(૨).  {{Right|[ચ.શે.]}}
<br>
<span style="color:#0000ff">'''ખુશાલવિજય-૧'''</span> [  ] : જૈન સાધુ. પંન્યાસ હસ્તિવિજયના શિષ્ય. ૧૩ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. પ્રાસપસંગ્રહ:૧. {{Right|[ચ.શે.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેત'''</span> [ઈ.૧૬૭૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. દામોદરના શિષ્ય. ખેતોને નામે નોંધાયેલ ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૭૬//સં. ૧૭૩૨, વૈશાખ-)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેતસી'''</span> [ઈ.૧૬૦૩ સુધીમાં] : જૈન સાધુ. ૩૫૮ કડીની ‘પંચમિત્ર-કથા’ (લે.ઈ.૧૬૦૩)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેતો'''</span> [ઈ.૧૭૪૧માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. જયપ્રભની પરંપરામાં ખેમાના શિષ્ય. ભૂલથી ખરતરગચ્છના જ્ઞાતો કવિને નામે નોંધાયેલી ‘સામસુંદરનૃપ-રાસ’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, અસાડ સુદ ૧૩, સોમવાર)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમ-'''</span> : જુઓ ક્ષમા-, ક્ષેમ - અને ખીમ-.
<br>
<span style="color:#0000ff">'''ખેમ(મુનિ)'''</span> : આ નામે ‘સુમિતિજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ જૈન કૃતિ નોંધાયેલી છે. તે કયા ખેમ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : રાહસૂચી :૧.{{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમ-૧'''</span> [ઈ.૧૫૪૦માં હયાત) : જૈન સાધુ. ૩૩ કડીના ‘નેમિરાસ’ (ર.ઈ.૧૫૪૦)ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમ-૨'''</span> [ઈ.૧૬૪૪માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની ‘અનાથી-સઝાય’ (ર.ઈ.૧૬૪૪)ના કર્તા. આ કૃતિને ખેતસીશિષ્ય ખેમને નામે ભૂલથી મૂકવામાં આવી છે.
સંદર્ભ : જૈગૂકવિઓ:૧. {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમ(મુનિ)-૩/ખેમસી/ખેમો'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : નાગોરીગચ્છના જૈન સાધુ. રાયસિંહશિષ્ય ખેતસીના શિષ્ય. ‘અનાથીઋષિ-સંધિ’ (ર.ઈ.૧૬૮૯), ૪ ઢાળની ‘ઇષુકારસિદ્ધ-ચોપાઈ’(ર.ઈ.૧૬૯૧), ૧૨ કડીની ‘મૃગાપુત્ર-સઝાય’ અને ૧૯ કડીની ‘સોળ સતવાદી-સઝાય’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમ-૪'''</span> [ઈ.૧૭૭૭માં હયાત] નાગોરી લોંકાગચ્છના જૈન સાધુ. જ્ઞાનચંદ્ર મુનિના શિષ્ય ચંદ્રકિશોર(કિશોરચંદ્ર ?)ના શિષ્ય. ભૂલથી ચંદ્રકિશોરશિષ્યને નામે મુકાયેલ ‘અવંતીસુકુમાલ-ચોઢાળિયાં’ (ર.ઈ.૧૭૭૭)ના કર્તા.
સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમ-૫'''</span> [               ]: જૈન સાધુ. રત્નસમુદ્રસૂરિના શિષ્ય. ‘ક્ષેત્રસમાસ-બાલાવબોધ’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા. {{Right|[કી.જો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમચંદ'''</span> [ઈ.૧૭૦૫ના અરસામાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં મુક્તિચંદ્રના શિષ્ય. એમના ‘ચોવીસ-જિન-સ્તવન’ (લે. ઈ.૧૭૦૫)ની હસ્તપ્રત એમના શિષ્ય મુનિ વીરચંદ્રે લખેલી છે, તેથી એમને ઈ.૧૭૦૫ના અરસામાં હયાત ગણી શકાય.
સંદર્ભ : જૈગૂકવિઓ:૨. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમદાસ'''</span>  [               ]: રામભક્તિના ૧ પદ (મુનિ.)ના કર્તા.
કૃતિ : પ્રાકાસુધા :૨.{{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમરતન'''</span>  : જુઓ ક્ષમારત્ન-૨.
<br>
<span style="color:#0000ff">'''ખેમરાજ(ગણિ)'''</span>  : જુઓ ક્ષેમરાજ(ઉપાધ્યાય)-૧.
<br>
<span style="color:#0000ff">'''ખેમવિજય-૧'''</span> [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન કવિ. ‘અષાઢભૂતિ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમવિજય-૨/ક્ષેમવિજય'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. જિતવિજયશિષ્ય વિનયવિજયના શિષ્ય અને દીપવિજયના ગુરુબંધુ. આ કવિએ દુહા-દેશીબદ્ધ ૧૫ ઢાળનું ‘શાંતિનાથના પંચકલ્યાણકનું સ્તવન’ (ર.ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, જૈત્ર વદ ૧૧, રવિવાર; મુ.), ‘કુમતિઅઠાવનપ્રશ્નોત્તર-રાસ/પ્રતિમાપૂજા-વિચાર-રાસ’ (ર.ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, આસો વદ ૧૩, મંગળવાર) તથા અધૂરી ચોવીસી(૨ સ્તવન મુ.)ની રચના કરેલી છે.
કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧(+સં.); ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમસાગર'''</span> [               ]: જૈન સાધુ. ગુજરાતી-ઉર્દૂ મિશ્ર ભાષાના ૪૧ કડીના ‘પશ્ચિમાધીશ-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમહર્ષ'''</span> : જુઓ ક્ષેમહર્ષ.
<br>
<span style="color:#0000ff">'''ખેમહંસ(ગણિ)શિષ્ય'''</span> [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. ખેમહંસના નામે મુકાયેલા, જિનમાણિક્યસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૩૬-ઈ.૧૫૫૬)માં રચાયેલા, ૧૬ કડીના ‘ગુર્વાવલી-ફાગ’ (મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખેમો'''</span> [ઈ.૧૪૪૦ પછી] : જૈન. ઈ.૧૪૪૦માં પ્રતિષ્ઠા પામેલા તીર્થનો ઉલ્લેખ ધરાવતા ૮ કડીના ‘વૃદ્ધ-ચૈત્યવંદન’(મુ.) નામની કૃતિના કર્તા. જુઓ ખીમ/ખીમો.
કૃતિ : ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, સં. શાર્લોટે ક્રાઉઝે, ઈ.૧૯૫૧ (+સં.) {{Right|[ર.સો.]}}
<br>
<span style="color:#0000ff">'''ખોડો'''</span> [               ]: કેટલાંક પદોના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}
{{Poem2Close}}

Latest revision as of 07:30, 5 August 2022