મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૭.ગંગાસતી


૬૭.ગંગાસતી

ગંગાસતી (ઈ. ૧૮મી સદી): ગંગાસતી કે ગંગાબાઈ એવી નામછાપ ધરાવતાં એમનાં પદો ભક્તિ, બોધ, યોગસાધના, સાક્ષાત્કાર એવી વિવિધભૂમિકાઓ નિરૂપાઈ છે. એમનાં ચાળીસેક પદો પૈકી અરધા જેટલાં પદો પાનબાઈ એવું સંબોધન ધરાવે છે. એ પાનબાઈ ગંગાસતીની પુત્રવધૂ હોવાનું મનાય છે. ભાવની માર્મિકતા અને તન્મય કરી શકતી લયાત્મકતા એમનાં પદોની વિશેષતા છે.