સાહિત્યચર્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
SahityaCharya Title Front.jpg


સાહિત્યચર્યા

નિરંજન ભગત


કૃતિ-પરિચય

૧૯૪૯થી ગદ્યલેખનમાં પ્રવૃત્ત થયેલા નિરંજન ભગત, ગદ્યને ગ્રંથસ્થ કરવામાં હંમેશા શિથિલ અભિગમ ધરાવતા હતા. ૧૯૯૭માં ‘સ્વાધ્યાયલોક’ના ૮ ભાગમાં ૪૮ વર્ષમાં લખેલાં મોટા ભાગનાં લખાણોને પ્રગટ કર્યા પછી, ૨૦૦૪માં, તેઓ ‘સાહિત્યચર્યા’ પ્રગટ કરે છે જેમાં ૧૯૯૭ પહેલાં લખાયેલાં પણ ‘સ્વાધ્યાયલોક’માં ન સમાવાયેલા તેમ જ ૧૯૯૭ અને ૨૦૦૪ વચ્ચે લખાયેલા લેખોનો સમાવેશ કરે છે. લેખક નિવેદનમાં કહે છે કે,

‘સ્વાધ્યાયલોક’નાં લખાણોની લખાવટ, એમાંનાં પુનરાવર્તનો, અવતરણો આદિ અંગે એ શ્રેણીના ‘નિવેદન’માં જે નોંધ હતી એ ‘સાહિત્યચર્યા’નાં લખાણો અંગે પણ એટલી જ પ્રસ્તુત છે.'

— શૈલેશ પારેખ