વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો
અનુક્રમ
- કાવ્યમાં અલંકારનું સ્થાન
- વત્સલનાં નયનો : પારિજાતનું ફૂલ
- વ્હાલેશરી, કવિ હરીશ મીનાશ્રુ
- સિતાંશુ યશશ્ચન્દ્ર : ક્રાંતદર્શી કુદ્ધ કવિ.
- ‘દર્શક’ની અમર પાત્રસૃષ્ટિ
- ‘કુરુક્ષેત્ર’ એ જ ધર્મક્ષેત્ર
- બકુલ ત્રિપાઠી – સર્જકતાનો અંતઃસ્રોત
- જીવનના ઉપાસક જૉસેફભાઈ
- સમૃદ્ધ વાચનયાત્રા (મહેન્દ્ર મેઘાણી)
- ગદ્યદેહે વિહરતું મહાકાવ્ય (નારાયણ દેસાઈ)
- ‘રામાયણ : માનવતાનું મહાકાવ્ય’ (ગુણવંત શાહ)
- પત્રચર્ચા : ગુણવંતભાઈનો પત્ર, રામાયણના અવલોકન પછી
- મકરંદ દવે : અભીપ્સા અને આરતની કવિતા
- ભગવતીકુમાર શર્મા
- સમીપે (ડૉ. ભરત શાહ)
- એક નોંધપાત્ર સંકલન (ડૉ. પ્રીતિ શાહ)
- પેન્સિલવેનિયા એવન્યૂ: નટવર ગાંધી
- ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન (ઉમાશંકર)
- સુખનું સરનામું - આસ્વાદ (શ્યામલ મુનશી)
- પ્રકૃતિના અને હૃદયના રંગોની લીલા- આસ્વાદ (પન્ના નાયક)
- કેટલી જલદી - આસ્વાદ (ચંદ્રેશ ઠાકોર)
- वादे वादे जायते तत्त्वबोधः
- ઈયોનેસ્કો
- એકૅડેમી દશાબ્દી પ્રસંગે - એક સિંહાવલોકન
- કત અજાનારે* (* એકેડેમીના સક્રિય પદેથી નિવૃત્ત સમયે)
પરિશિષ્ટ-૧ કાન્ત શતાબ્દી
- કવિ કાન્ત જન્મ શતાબ્દીની થયેલી ગૌરવપૂર્ણ ઉજવણી
- ગુજરાતી જ નહિ, સમસ્ત ભારતીય સાહિત્યમાં કવિ કાન્તનું અવિચલ સ્થાન છે.
પરિશિષ્ટ-ર મધુસૂદન કાપડિયા : વ્યક્તિત્વ
- અદ્ભુતના અવધૂત : પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયા
- એકલાં પુસ્તકોથી જીવનારાં - રઘુવીર ચૌધરી
- હાથમાં માઈક સાથે જન્મેલ એક માણસ - મધુ રાય
પરિશિષ્ટ-૩ અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો – અવલોકનો
- ગુર્જર ભારતીની વીણાના સૂર અને અમેરિકી ગિટારના ઝંકાર - ભોળાભાઈ પટેલ
- અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો - દીપક મહેતા
- અમેરિકાના કેટલાક ગુજરાતી સર્જકોનો પરિચય મધુસૂદન કાપડિયાની કલમે - રમેશ તન્ના
- વર્જિલ સાથે વિદેશયાત્રા (ઇન્ફર્નોના ઊંડાણથી પારાડીઝોના પાદર સુધી?) - સિતાંશુ યશશ્ચંદ્ર
- અમેરિકાવાસી ગુજરાતી સર્જકોનું સાહિત્ય : અભ્યાસ અને મૂલ્યાંકન – મણિલાલ હ. પટેલ
- ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ : નિરીક્ષા અને પરીક્ષા – બળવંત જાની
- અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો — પર્યાલોચન અને પ્રતિભાવ
- પત્રસેતુ
- ચર્ચાપત્ર
- પત્રચર્ચા : મધુસૂદન કાપડિયા, રાજેન્દ્ર નાણાવટી, બાબુ સુથાર, બળવંત જાની
| શતાબ્દીનું વર્ષ હતું. મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના સભાગૃહમાં કાન્તની જન્મશતાબ્દીને દિવસે, નવેમ્બરની ૨૦મીએ એનો ઉત્સવ ઉજવાયેલો. પ્રમુખસ્થાને મુનશીજી હતા અને વક્તાઓમાં ગગનવિહારી મહેતા, જિતુભાઈ મહેતા, અમૃતલાલ યાજ્ઞિક અને રવિશંકર ભટ્ટ હતા. તે જમાનામાં એવો એક ચાલ હતો કે આવા પ્રસંગોએ એકાદ જુવાનડાને તક આપવી. આમાં મારો નંબર લાગ્યો હતો. હું ત્યારે નવોસવો અધ્યાપક થયો હતો. મારી ગંભીર મુશ્કેલી હતી કે કાન્ત ઉપર બોલવું શું? મને ખાત્રી હતી કે બોલવામાં મારો નંબર છેલ્લો જ હશે. હવે કાન્ત ઉત્તમ કવિ તે નિર્વિવાદ પણ એમણે ખૂબ જ થોડાં કાવ્યો લખ્યાં છે, એટલે કે ઉત્તમ કાવ્યો બહુ થોડાં લખ્યાં છે. મારા વિદ્યાગુરુ મનસુખલાલ ઝવેરીના શબ્દોમાં કહું તો ‘થોડાં પણ અતીવ સુંદર’. ખંડકાવ્યોમાં ગણીને ચાર : ‘અતિજ્ઞાન’, ‘ચક્રવાકમિથુન’, ‘વસંતવિજય’ અને ‘દેવયાની’. આવાં જ ઉત્કૃષ્ટ થોડાંક ટૂંકાં ઊર્મિકાવ્યો: ‘સાગર અને શશી’, ‘ઉદ્ગાર’, ‘ઉપહાર’, ‘મત્ત મયૂર’, ‘મનોહર પૂર્તિ’, ‘આપણી રાત’ અને અલબત્ત, ‘વત્સલનાં નયનો’. ઊર્મિકાવ્યોમાં ‘સાગર અને શશી’ સુપ્રસિદ્ધ પણ બીજાં ઓછાં જાણીતાં અને ‘વત્સલનાં નયનો’ સાવ જ અજાણ્યું અને દુર્બોધ. હવે મારી આગળના વક્તાઓ એકથી વધુ વાર ‘વસંતવિજય’ અને ‘સાગર અને શશી’ની વાત કરી ગયા હોય પછી એકની એક વાત હું કેટલામી વાર દોહરાવું? એટલે મેં ‘વત્સલનાં નયનો’ની પસંદગી કરી. ‘વત્સલનાં નયનો’નો મારો ઊંડો અભ્યાસ તમે અહીં પ્રકટ થયેલા લેખમાં જોઈ શકશો. વાક્છટાની તો મને કોઈ દહાડો ખોટ નથી પડી. બીજે દિવસે મુંબઈનાં એકેએક છાપામાં મારા નામનો જયજયકાર! અરે, અંગ્રેજી ‘ટાઈમ્સ ઑવ ઇન્ડિયા’એ પણ આ કાર્યક્રમની ટૂંકી નોંધ આપેલી. |