સાહિત્યચર્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 6: Line 6:


{{ContentBox
{{ContentBox
|heading =
|heading = કૃતિ-પરિચય
|text =  
|text =  
{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 21:23, 22 July 2022

SahityaCharya Title Front.jpg


સાહિત્યચર્યા

નિરંજન ભગત


કૃતિ-પરિચય

૧૯૪૯થી ગદ્યલેખનમાં પ્રવૃત્ત થયેલા નિરંજન ભગત, ગદ્યને ગ્રંથસ્થ કરવામાં હંમેશા શિથિલ અભિગમ ધરાવતા હતા. ૧૯૯૭માં ‘સ્વાધ્યાયલોક’ના ૮ ભાગમાં ૪૮ વર્ષમાં લખેલાં મોટા ભાગનાં લખાણોને પ્રગટ કર્યા પછી, ૨૦૦૪માં, તેઓ ‘સાહિત્યચર્યા’ પ્રગટ કરે છે જેમાં ૧૯૯૭ પહેલાં લખાયેલાં પણ ‘સ્વાધ્યાયલોક’માં ન સમાવાયેલા તેમ જ ૧૯૯૭ અને ૨૦૦૪ વચ્ચે લખાયેલા લેખોનો સમાવેશ કરે છે. લેખક નિવેદનમાં કહે છે કે,

‘સ્વાધ્યાયલોક’નાં લખાણોની લખાવટ, એમાંનાં પુનરાવર્તનો, અવતરણો આદિ અંગે એ શ્રેણીના ‘નિવેદન’માં જે નોંધ હતી એ ‘સાહિત્યચર્યા’નાં લખાણો અંગે પણ એટલી જ પ્રસ્તુત છે.'

— શૈલેશ પારેખ