અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર



અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર

સંપાદક:
ગુણવંત વ્યાસ
હૃષીકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ
અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ
બી. બી. વાઘેલા, કનુભાઈ વાળા



અનુક્રમ

ચંદ્રકાન્ત મહેતા

ઉશનસ્

યશવંત શુક્લ

જયન્ત પાઠક

ભોળાભાઈ પટેલ

જયન્ત પાઠક

ધીરેન્દ્ર મહેતા

શિરીષ પંચાલ

ઉશનસ્

ચંદ્રકાન્ત શેઠ

નગીનદાસ પારેખ

જયંત કોઠારી

તપસ્વી નાન્દી

પ્રમોદકુમાર પટેલ

ધીરુ પરીખ

ડૉ. ચિમનલાલ ત્રિવેદી

ડૉ. હસુ યાજ્ઞિક

અજિત ઠાકોર

ડૉ. પ્રભાશંકર તેરૈયા

બળવંત જાની

ડૉ. એસ. એસ. રાહી

ડૉ. હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’

ધીરુ પરીખ

સતીશ વ્યાસ

વિજય શાસ્ત્રી

ચિનુ મોદી

મણિલાલ હ. પટેલ

ચંદ્રકાન્ત ટોપીવાળા

બિપિન આશર

નાથાલાલ ગોહિલ

દક્ષા વ્યાસ

વિજય પંડ્યા

ડૉ. નૂતન જાની

વિનોદ ગાંધી

બળવંત જાની

રાજેશ પંડ્યા

મણિલાલ હ. પટેલ

ડૉ. ભરત સોલંકી

ડૉ. કિશોરસિંહ સોલંકી

સંજય મકવાણા

ઉષા ઉપાધ્યાય

દક્ષા વ્યાસ

ડૉ. અરુણા ત્રિવેદી

પ્રવીણ દરજી

મણિલાલ હ. પટેલ

ભગીરથ બ્રહ્મભટ્ટ

શકીલ કાદરી

નીતિન વડગામા

ડૉ. ગિરજાશંકર એસ. જોષી

સંજય મકવાણા

ગિરીશ ચૌધરી

ચંદ્રકાન્ત ટોપીવાળા

ગુણવંત વ્યાસ

સંજુ વાળા

હૃષીકેશ રાવલ

સુરેશ ગઢવી

‘કવિ ભાષામાં કૃતિ રચે છે, દર્શનને વર્ણનમાં ઢાળવા પ્રેરાય છે એ હકીકત જ દર્શાવે છે કે કવિને ભાવકની અપેક્ષા રહે છે. ભાવકની અપેક્ષા એટલે જ પ્રત્યાયનની અપેક્ષા. એવું ન હોય તો કવિનું દર્શન એની એક અંગત બાબત જ રહી જાય.’
- જયંત પાઠક


‘ગીત ગઝલ લખનારા કવિઓને કેન્દ્રમાં રાખીને એમ કહેવાયું છે કે આજનો કવિ ભાવકની વચ્ચે જઈને બેઠો છે પણ ગીતગઝલની પ્રકૃતિ કંઈક અંશે આ પ્રકારની છે. આમ છતાં આ ગીતગઝલો પરંપરાથી જુદા તો પડી જ આવ્યાં છે બાકી અત્યારે લખાતી ઘણી રચનાઓ કૃતક હશે એની ના નહીં. અતિ વાસ્તવવાદના આગમન પછી તો મગનછગનને પણ કવિ બનવાનો અધિકાર મળી ગયો.’

- શિરીષ પંચાલ


‘એ તો સ્વીકારવું જ પડશે કે છંદની એકવિધતાથી યાંત્રિકતા આવે છે અને એ યાંત્રિકતા કવિતાને નીરસ પણ બનાવે છે. આ એકવિધતાથી નિરસતા અટકાવવા કવિ તેમાં વૈવિધ્ય લાવતો હોય છે. આ વૈવિધ્ય આણવા કવિ વર્ણયોજના, શબ્દયોજના, વાક્યયોજના, વિરામ, યતિ, વ્યાક્યાન્ત, પ્રાસ આદિની સહાય લેતો હોય છે. એના પરિણામે કોઈ પણ કાવ્યપંક્તિનું વાચન એકદમ યાંત્રિક નથી થતું, એક જ છંદની અનેક પંક્તિ હોય ત્યાં પણ.’.

-ભોળાભાઈ પટેલ


‘આખ્યાન જેવું સ્વરૂપ કે તેની કોઈ કૃતિઓનું અધ્યાપન કરીએ-કરાવીએ છીએ ત્યારે એક એવા સ્વરૂપનું અધ્યયન કરાવવાનું થાય છે જેને સાંપ્રતનું સાતત્ય નથી.’

-હસુ યાજ્ઞિક


‘આધુનિક કવિતાના પ્રતિષ્ઠાપક તથા પુરસ્કર્તા શ્રી સુરેશ જોશી એમના અનુ-કાલીનોની શક્તિ, સજ્જતા અને નિષ્ઠાની ઊણપ પામી ગયા હતા. એમણે એ ઊણપ પ્રમાણી-ઉચ્ચારી પણ હતી. સાહિત્યની એવી ખેવના સાથે કે એમની પેઢી આ વાતને પ્રમાણીને પૂરી નિષ્ઠાથી પ્રવર્તશે. પરંતુ કમભાગ્યે મુંબઈથી અમદાવાદ સુધીના સમકાલીન કવિઓએ એમની અવહેલના કરી.‘રે’ મઠે તો એમને ફાંસી પણ આપી.’

-અજિત ઠાકોર


‘કવિતાને વર્ગમાં ઘણા બધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્ર ક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે. તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિ:સીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે.’

-પ્રવીણ દરજી


‘કોઈપણ વિકાસ અને એનાં સીમાસ્થાનો વિશે વાત કરવી એટલા માટે અઘરી છે કે એના નિરીક્ષકનો પોતીકો વિભાવ પણ એમાં ભળેલો હોય છે. છતાં આવા વખતે સભાન લેખક બને તેટલો તટસ્થ રહી પોતાનાં નિરીક્ષણો, અવલોકનો નિર્દેશતો હોય છે.’

-સંજુ વાળા