ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| જ | }} {{Poem2Open}} જગ(ઋષિ)/જગા(ઋષિ)[ઈ.૧૫૪૭માં હયાત] : તપગચ્છના જૈન સા...")
 
No edit summary
 
(47 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:
{{Heading| જ  |  }}
{{Heading| જ  |  }}


{{Poem2Open}}
જગ(ઋષિ)/જગા(ઋષિ)[ઈ.૧૫૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં શ્રીપતિઋષિના શિષ્ય. ૧૨૬/૧૩૬ કડીના, ૨૪ દંડકનું વર્ણન આપતા ‘દંડકવિચાર-સ્તવન/વિચારમંજરી-સ્તવન’ (ર.ઈ.૧૫૪૭)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસિચિ : ૧. [ચ.શે.]
જગચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ૧૭મી સદી પૂર્વાર્ધ] : પાર્શ્વચન્દ્રગચ્છના જૈન સાધુ. રાજચંદ્રસૂરિ (જ.ઈ.૧૫૫૦ - અવ. ઈ.૧૬૧૩)ના શિષ્ય. ૭ કડીની ‘ગુરુગુણની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ષટ્દ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩. [શ્ર.ત્રિ.]
જગચંદ્ર-૨ [               ]: જૈન. હરિચંદ્રના શિષ્ય. ૫ કડીની ‘અવંતીસુકુમાલની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈરસંગ્રહ. [શ્ર.ત્રિ.]
જગજીવન : આ નામે ‘ચિત્તવિચાર-સંવાદ’, કૃષ્ણ-ભક્તિનાં તથા અન્ય પદ (૪ મુ.) મળે છે. તેના કર્તા કયા જગજીવન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧ (શ્રી) પદસંગ્રહ પ્રભાકર:૨, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૨. બૃકાદોહન:૮; ૩. સંતસમાજ ભજનાવળી, સં. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧. [ચ.શે.]
જગજીવન-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. મૂળ ચરોતરના. પછી ઘણો વખત ભાવનગરમાં ગાળ્યો. છેલ્લે તેઓ અમદાવાદ પાસે રાજપુરના પુષ્કર તળાવ નજીક રામનાથ મહાદેવમાં રહેતા હતા. તેમણે સંન્યસ્ત સ્વીકાર્યું હતું.
વેદાંતની જાણકારી અને તેને વિશદ રીતે તાર્કિકતાથી રજૂ કરવાની ફાવટ ધરાવતા આ કવિની જ્ઞાનમાર્ગી કૃતિઓમાં વેદાંતના આધારે બ્રહ્મ, જીવ, દેહ, ભક્તિ, વૈરાગ્ય, મોક્ષ ઇત્યાદિની ગુરુશિષ્ય-સંવાદ રૂપે મીમાંસા કરતી ૯ અધ્યાયની ‘નરબોધ’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, મહા વદ ૭, શુક્રવાર; મુ.), એ જ પ્રકારની ગુરુશિષ્ય-સંવાદરૂપ ‘સપ્તાધ્યાયી’ (મુ.), ૨૧૬/૨૧૭ કડીની ‘જ્ઞાનમૂળ/જ્ઞાનપ્રકાશ’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, કારતક વદ ૭, સોમવાર), ‘જ્ઞનગીતા’ તથા શંકરાચાર્યની સંસ્કૃત ‘મણિરત્ન-માળા’નો સટીપ્પણ ગદ્યાનુવાદ (ર.ઈ.૧૭૧૭/સં. ૧૭૭૩, જેઠ સુદ ૭) એ કૃતિઓનો સમાવેશ થાય છે.
૨ સર્ગની ‘રામકથા’ તથા ‘શિવવિવાહ’ એમની ચરિત્રાત્મક કૃતિઓ છે, પરંતુ ‘રામકથા’માં તો રામ એટલે આત્મા એ જાતની રૂપકશ્રેણીથી ‘રામાયણ’ ના કથાવસ્તુનું આધ્યાત્મિક અર્થઘટન થયેલું છે.
કૃતિ: ૧. મણિરત્નમાળા, પ્ર. હરજીવન પુરુષોત્તમ, ઈ.૧૮૬૮; ૨. સપ્તધ્યાયી તથા નરબોધ, સં. રમણ હ. કાંટાવાળા, ઈ.૧૯૨૨;  ૩. કાદોહન : ૧
સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨; ગુસાપઅહેવાલ:૨૬ - ‘રામકથા - જગજીવનની એક અપ્રગટ કૃતિ’, અનિલકુમાર યો. ત્રિપાઠી; ૩. પ્રાકકૃતિઓ; ૪. સાહત્યકાર અખો, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૪૯ - ‘મધ્યકાલીન કવિતામાં જ્ઞાનપરંપરા’, રવિશંકર ન. પાઠક;  ૫. કદહસૂચિ; ૬. ગૂહાયાદી; ૭. હેજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]
જગજીવન-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ - અવ.ઈ.૧૭૭૧] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપસિંહની પરંપરામાં જગરૂપના શિષ્ય. પિતાનું નામ જોઈતા. માતાનું નામ રતના. ઈ.૧૭૪૩માં પાટે આવ્યા. તેમની પાસેથી ૭ કડીનું ‘સંભવજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૫૧/સં. ૧૮૦૭, આસો -), ૭ કડીનું ‘મલ્લિ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૮), ૧૧ કડીનું ‘ઋષભ-સ્તવન’ (ર.ઈ.૧૭૪૫ કે ૧૭૬૮/સં. ૧૮૦૧ કે ૧૮૨૪, શ્રાવણ-), ‘જિનસ્તવન-ચોવીસી’ (ર.ઈ.૧૭૬૮) અને ૮ કડીનું ‘નેમ-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, આસો -) એ કૃતિઓ મળે છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’,  ૨. જૈગૂકવિઓ:૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
જગજીવન-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : નર્મદાતટ પરના સિનોરના નિવાસી અને જ્ઞાતિએ ટોળકિયા ઔદીચ્ય બ્રાહ્મણ. તેમનું અવસાન ઈ.૧૮૨૬ની આસપાસમાં થયાનું અનુમાન છે. ચૈત્ર માસમાં વાંચવા માટે લોકપ્રિય પ્રસિદ્ધ રાગોમાં ૧૭ ગરબામાં રચાયેલ ‘ઓખારાણીના ગરબા/ઓખાહરણ’ (લે. ઈ.૧૮૪૮), ‘અનસૂયાજી માતાનો ગરબો’ અને ‘જ્ઞાન-ગરબો’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. સાહિત્ય, ફેબ્રુઆરી ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ રાવળ;  ૨. કદહસૂચિ;૩. ગૂહાયાદી. [ચ.શે.]
જગજીવન-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. દાદા નારાયણજીની પુત્રીઓના વંશમાં આશરે ઈ.૧૮૦૪માં જન્મ. આરંભમાં આગ્રામાં નિવાસ. ઈ.૧૮૪૪માં ભરૂચ આવી વસ્યા. તેમની પાસેથી પદ તથા ધોળ જેવી રચનાઓ મળે છે.
સંદર્ભ : ગોપ્રભકવિઓ. [કી.જો.]
જગડુ [ઈ.૧૩મી સદી] : જૈન શ્રાવક. ખરતરગચ્છના જિનેશ્વરસૂરિના આચાર્યકાળ (ઈ.૧૨૨૨થી ઈ.૧૨૭૫)માં રચાયેલી, ‘તાલારાસ’ ને ‘લકુટારાસ’ના ઉલ્લેખવાળી, લોકોક્તિમૂલક દૃષ્ટાંતાદિકના થોડાક વિનિયોગપૂર્વક કવિએ “હાસા મિસિ” (=રંજનાથે) રચેલી, ચોપાઈની ૬૪ કડીઓ ધરાવતી ‘સમ્યક્ત્વમાઈ-ચોપાઈ’ (મુ.) નામની સમ્યક્ત્વવિષયની માતૃકાના કર્તા.
કૃતિ : પ્રાગૂકાસંગ્રહ:૧.
સંદર્ભ : ૧. આકવિઓ:૧;  ૨. આલિસ્ટઑઇ:૨; ૩. જૈગૂકવિઓ:૧,૩(૧). [ચ.શે.]
જગતપાવનદાસ (શાસ્ત્રી) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. તેમને નામે ‘ભાગવતઅષ્ટમસ્કંધની ટીકા’, ‘ધર્મરત્નાકર’ અને ‘સતી-ગીતા’ નોંધાયેલ છે. પાછળની બંને કૃતિઓ પણ ટીકાઓ હોવાની માહિતી મળે છે.
સંદર્ભ : ગુસાપઅહેવાલ:૫ - ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી. [હ.ત્રિ.]
જગન્નાથ/જગન્નાથરાય : ‘જગન્નાથરાય’ની નામછાપથી ‘કૃષ્ણચરિત્ર’ (મુ.) ‘જગન્નાથ’ની નામછાપ ધરાવતી પણ જગન્નાથરાયને નામે મુકાયેલી ‘થાળ’(મુ.) તથા ‘જગન્નાથ’ને નામે કૃષ્ણપ્રીતિનું ૧ પદ (મુ.) અને ‘રાસલીલાનું કાવ્ય’ એ કૃતિઓ મળે છે. તે કયા જગન્નાથ કે જગન્નાથરાય છે તે નિશ્ચિત થતું નથી.
જગન્નાથને નામે ‘માર્કંડેય-આખ્યાન’ (ર.ઈ.૧૬૯૬) નોંધાયેલ મળે છે તે કદાચ જગન્નાથ-૧ હોય.
જગન્નાથને નામે ૩૩ કડીની ‘ગુરુ-ચરિત્ર’ (ર.ઈ.૧૭૦૪) એ કૃતિ પણ નોંધાયેલી છે. એના કર્તા જૈન હોવાનું સમજાય છે. અને તે જગન્નાથ-૨ હોવાની શક્યતા છે.
કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા:૨.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો; શ્ર.ત્રિ.]
જગન્નાથ-૧ [ઈ.૧૭૦૫ સુધીમાં] : દામોદરસુત. રોળા-દોહરાની ૬૮ કડીના, યમકસાંકળી, પ્રાસ તથા અલંકારયુક્ત ‘સુદામાચરિત્ર/સુદામો’ (લે.ઈ.૧૭૦૫; મુ.)ના કર્તા.
કૃતિ : મહાકવિ પ્રેમાનંદ અને બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૨૨ (+સં.).
સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]
જગન્નાથ-૨ [ઈ ૧૭૦૫માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ઋષિ સેખાના શિષ્ય ‘સુકોશલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧ ભાદરવા)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]
જગન્નાથરાય: જુઓ જગન્નાથ.
જગમાલ [               ]: જૈન. ૭ કડીના ‘સાધ્વીકનકલક્ષ્મી- ગીત’ના કર્તા. ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધમાં થયેલા ઋષિ જગમાલ અને આ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ:૪, દર્શનવિજયજી વગેરે, ઈ.૧૯૮૩;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
જગરૂપ [               ]: જૈન. ૧૨ કડીની ‘નેમિનાથ-વિનતી’ (લે.સં. ૧૯મી સદી અનુ.) તથા ૫ કડીના ‘સીમંધર-સ્તવન’ના કર્તા.
સંદર્ભ: ૧. મુપુગુહસૂચિ; ૨. હેજૈજ્ઞાસૂચિ: ૧ [શ્ર.ત્રિ.]
જગન્નાથરાય : જુઓ જગન્નાથ.
જગવલ્લભ [               ]: તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિના શિષ્ય. ૧૬ કડીની ‘હિતશિક્ષોપદેશની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ). ૨. સસંપમાહાત્મ્ય; [શ્ર.ત્રિ.]
જગા(ઋષિ) : જુઓ જગઋષિ.
જગુદાસ [               ]: પદોના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
જતુબાઈ-૧[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહારાજનાં શિષ્યા. વતન નડિયાદ. સંતરામ-મહારાજ વિશે કેટલાંક પદ તેમણે રચ્યાં છે. ૫ કડીનું વિનંતિનું ૧ પદ મુદ્રિત મળે છે.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૦૩ (ચોથી આ.).
સંદર્ભ : ૧. ગુજૂકહીકકત; ૨. પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]


જતુબાઈ-૨ [               ]: રેવારામભારથીનાં શિષ્યા. એમનાં ૨ પદ મુદ્રિત મળે છે તેમાં યોગમાર્ગની અધ્યાત્મભક્તિ છે ને ભાષામાં રૂપકાત્મકતા છે.
કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, સં. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.). [કી.જો.]
જદુરામદાસ : જુઓ યદુરામદાસ.
જનદાસ [ઈ.૧૬૨૧માં હયાત] : ગોપિકાના કૃષ્ણ પરના પત્ર રૂપે રચાયેલા ૪૧ કડીના એમના કાવ્ય(ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, માગશર સુદ-, સોમવાર)માં આખા દશમસ્કંધનો સાર આવી જાય છે. જનદાસને નામે વ્રજ-ગુજરાતી પદો નોંધાયેલાં છે તે આ જ કવિનાં છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [કી.જો.]
જનભગત [ઈ.૧૮૫૧ સુધીમાં) : ૩૩ કડવાંના ‘અભિમન્યુ-આખ્યાન’-(લે.ઈ.૧૮૫૧)ના કર્તા. કૃતિમાં “વીનવે જનભગત હરિના દાસ રે” એવી પંક્તિ મળે છે જેથી ‘જનભગત’ એ કર્તાનામ છે કે સામાન્ય ઓળખ એ વિશે સંશય રહે છે. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’ આ કૃતિને અજ્ઞાતકર્તૃક ગણે છે.
સંદર્ભ : ૧ ગુસાપઅહેવાલ:૨૧ - ‘ગુજરાતી સાહિત્યમાં ઉત્તરા-અભિમન્યુની કથા’, શિવલાલ જેસલપુરા;  ૨.કદહસૂચિ.
[કી.જો.]
જનાર્દન-૧ [ઈ.૧૪૯૨માં હયાત] : અવટંકે ત્રવાડી, નિમ્બાના પુત્ર. જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ. પોતાની કૃતિ ‘ઉષાહરણ’ એમણે અમરાવતીમાં રચી છે, એ પરથી એ અમરાવતી(ઉમરેશઠ)ના વતની હોવાનું અનુમાન થયું છે.
કડવાબદ્ધ આખ્યાનપદ્ધતિના આરંભના સમયના ગણાતા એમના ‘ઉષાહરણ’ (ર.ઈ.૧૪૯૨/સં. ૧૫૪૮, અધિક કારતક - ૧૧, ગુરુવાર; મુ-)માં ‘કડવાં’ નામધારી નાનાંનાનાં ૩૨ પદો અને ૨૨૨ કડી છે. એમણે પ્રયોજેલા આઠેક વિવિધ દેશીબંધો અને આંતરપ્રાસવાળી રચના કાવ્યની વિશેષતાઓ ગણાય.
આ ઉપરાંત, ‘દૂતી-સંવાદ’ (લે.ઈ.૧૬૮૭) પણ એમને નામે નોંધાયેલ છે.
કૃતિ : પંગુકાવ્ય.
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨;૩. ગુસામધ્ય;  ૪. ગૂહાયાદી. [ર.સો.]


જનાર્દન-૨ [  ] : જ્ઞાતિએ શ્રીગૌડ બ્રાહ્મણ, જંબુસરના વતની. ‘ઓખાહરણ’ના કર્તા.
‘નરસિંહયુગના કવિઓ’એ આ કાવ્યની જનાર્દન-૧ના ‘ઉષાહરણ’ સાથે ભેળસેળ કરી છે, પરંતુ એમણે આપેલો કવિપરિચય અને ઉદ્ધૃત કરેલી પંક્તિઓ કવિ તથા કૃતિ બંને અલગ હોવાનું બતાવે છે. આ ‘ઓખાહરણ’ સળંગ દોહરાની રચના હોય એવું લાગે છે.
સંદર્ભ : નયુકવિઓ. [ર.સો.]
જનીબાઈ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : શાક્ત સંપ્રદાયના મીઠુમહારાજ [જ.ઈ.૧૭૩૮-અવ. ઈ.૧૭૯૧)નાં શિષ્યા. ‘જની’ નામ છે કે તખલ્લુસ તે નક્કી થઈ શકતું નથી. ઈ.૧૮૦૧માં ગુરુનું પુર્નદર્શન, ઈ.૧૮૦૨માં ‘નવનાયિકાવર્ણન’ની રચના, ઈ.૧૮૦૪માં યુગલસ્વરૂપનાં તથા ઈ.૧૮૧૨માં બાળાદેવીનાં દર્શન અને ઈ.૧૮૧૨/સં. ૧૮૬૮, પોષ વદ ૧૩, રવિવારે દેહવિલય - એમની કૃતિઓમાં જણાવાયેલી આ માહિતીને આધારે જનીબાઈનો સમય ઈ.૧૮મી સદીના ઉત્તરાર્ધ અને ઈ.૧૯મીના પૂર્વાર્ધ વચ્ચેનો ગણી શકાય. કવયિત્રીએ પોતે આપેલ પોતાના દેહવિલયનો સમય કેટલો અધિકૃત ગણવો તે પ્રશ્ન છે.
મીઠુ ભક્તની ચરિત્રાત્મક વીગતો ધરાવતું ગુરુમહિમાનું પદબંધ કાવ્ય ‘નાથજીપ્રાગટ્ય’, ‘નવનાયિકાવર્ણન’, શાક્તસિદ્ધાન્ત અનુસારના તત્ત્વજ્ઞાનનાં અને અધ્યાત્મબોધનાં કેટલાંક રૂપકાત્મક અને સુગમ-સરલ ગુજરાતી-હિંદી પદો અને ગરબીઓ - એમની જણાવાયેલી આ કૃતિઓમાંથી કોઈની હસ્તપ્રત આજે પ્રાપ્ય નથી, પણ ‘નાથજીપ્રાગટ્ય’માંનાં તથા અન્ય કેટલાંક છૂટક પદો મુદ્રિત થયેલાં છે.
કૃતિ : ૧. ગુસાપઅહેવાલ:૬ - ‘જનીબાઈ’, ડાહ્યાભાઈ પી. દેરાસરી (કેટલાંક પદો મુ.);  ૨. સમાલોચક, જાન્યુ. ૧૯૨૧ - ‘જનીબાઈ’, ડાહ્યાભાઈ પી. દેરાસરી (કેટલાંક પદો મુ.)  ૨. સમાલોચક, જાન્યુ. ૧૯૨૧ - ‘જનીબાઈ’, ડાહ્યાભાઈ પી. દેરાસરી (કેટલાંક પદો મુ.). [ર.સો.]
જમુનાદાસ : આ નામે કેટલાંક પદો મળે છે પરંતુ તે ગોધરાવાળા મોટાભાઈએ એ નામછાપથી રચ્યાં હોવાનો તર્ક થયેલો છે.
સંદર્ભ: ગોપ્રભકવિઓ. [કી.જો.]


જમુનાદાસ-૧ [ઈ.૧૬૪૩માં હયાત] : અવટંકે જાની. ગોપાલદાસ વ્યારાવાળાના ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ના ગુજરાતપ્રસંગ વિષયક બીજા તરંગ ‘રસિકરસ’ (ર.ઈ.૧૬૪૩; મુ.)નાં પહેલાં ૫ માંગલ્યોની પુષ્પિકામાં આ કવિનું સહકર્તૃત્વ નિર્દેશાયેલું છે.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગ_ઋષિ_જગા_ઋષિ | જગ(ઋષિ)/જગા(ઋષિ) ]]
કૃતિ : અનુગ્રહ, નવે. તથા ડિસેં. ૧૯૫૪ - ‘રસિકરસ ગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.). [કી.જો.]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગચંદ્ર-૧ | જગચંદ્ર-૧ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગચંદ્ર-૨ | જગચંદ્ર-૨ ]]
જમુનાબાઈ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવયિત્રી. જ્ઞાતિએ ચોરાશી મેવાડા બ્રાહ્મણ. નિરાંતમહારાજનાં શિષ્યા. અધ્યાત્મ વિચારનાં તેમનાં ૩ પદો (મુ.) મળે છે, જેમાં સરળતા સાથે ભાવની મૃદુતાયે જોવા મળે છે.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગજીવન | જગજીવન ]]
કૃતિ : ગુમુવાણી. [દે.દ.]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગજીવન-૧ | જગજીવન-૧ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગજીવન-૨ | જગજીવન-૨ ]]
જયકલ્યાણ(સૂરિ) [               ]: જૈન સાધુ. ૧૩ કડીની ‘ઢંઢણઋષિની સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગજીવન-૩ | જગજીવન-૩ ]]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ :૧. [શ્ર.ત્રિ.]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગજીવન-૪ | જગજીવન-૪ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગડુ | જગડુ ]]
જયકલ્યાણ(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જૈન લઘુતપગચ્છની કમલકલશ શાખાના જયકલ્યાણસૂરિ(ઈ.૧૫૧૦માં હયાત)ના શિષ્ય.૩૫ કડીની ‘તપગચ્છકમલકલશશાખા-ગુર્વાવલી’ (મુ.)ના કર્તા.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગતપાવનદાસ_શાસ્ત્રી | જગતપાવનદાસ (શાસ્ત્રી) ]]
કૃતિ : પસમુચ્ચય:૨.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગન્નાથ-જગન્નાથરાય | જગન્નાથ/જગન્નાથરાય ]]
સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ:૩, દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪. [કી.જો.]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગન્નાથ-૧ | જગન્નાથ-૧ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગન્નાથ-૨ | જગન્નાથ-૨ ]]
જયકીર્તિ : આ નામે ૫ કડીનું ‘વૈરાગ્ય-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે, તે કયા જયકીર્તિ છે તે નક્કી થઈ શકે તેમ નથી.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગન્નાથરાય | જગન્નાથરાય ]]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગમાલ
જયકીર્તિ(ભટ્ટારક)-૧[ઈ.૧૬૩૦માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘અમરદત્તનો રાસ’ (ર.ઈ.૧૬૩૦)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
જયકીર્તિ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુન્દરના શિષ્ય વાદી હર્ષનંદનના શિષ્ય. ૯ ઢાળ અને ૨૫૫ કડીના જિનરાજસૂરિના જીવનવૃત્તાંતને વર્ણવતા ‘જિનરાજસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં. ૧૫૮૧, શ્રાવણ સુદ ૧૫; મુ.), ૯ ઢાળ અને ૨૫૫ કડીના હિન્દી ભાષાની કૃતિ ‘પૃથ્વીરાજ કૃષ્ણવેલી’ ઉપરના બાલાવબોધ (ર.ઈ.૧૬૩૦), ‘પ્રતિક્રમણસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૩૭/સં. ૧૬૯૩, ચૈત્ર વદ ૧૩) તથા ૮ કડીના ‘જિનસાગરસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ(+સં.); ૨. જિનરાજસૂરિ કૃતિ કુસુમાંજલિ, અગરચંદ નાહટા, સં. ૨૦૧૭.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ર.ર.દ.]
જયકીર્તિ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં અમરવિમલના શિષ્ય અમૃતસુંદરના શિષ્ય. કીર્તિરત્નસૂરિની પ્રશસ્તિ કરતાં તેમનાં ૨ ગીત (મુ.) મળે છે. તેમાંથી ૧ ગીતમાં કીર્તિરત્નસૂરિની સ્મૃતિમાં ગડાલા ગામમાં ઈ.૧૮૨૩માં પ્રસાદ રચાયો તેનો ઉલ્લેખ મળે છે, એટલે કવિ એ અરસામાં હયાત જણાય છે. ‘ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ’ આ કવિને નામે ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૮૧૨) તથા ‘ચૈત્રીપૂનમવ્યાખ્યાન’ એ કૃતિઓ મૂકે છે, જે સંસ્કૃત હોવાનો સંભવ જણાય છે, તે ઉપરાંત ઈ.૧૮૧૨નું ‘શ્રીપાલ-ચરિત્ર’ ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ ખરતરગચ્છના જિનકીર્તિને નામે નોંધે છે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.).
સંદર્ભ : જૈસાઇતિહાસ. [ર.ર.દ.]
જયકીર્તિ(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન. અંચલગચ્છના જયકીર્તિસૂરિ(ગચ્છનાયકપદ ઈ.૧૪૧૭માં)ના શિષ્ય. આંતરયમકવાળા દુહાનો ઉપયોગ કરતી, સં. ૧૪૭૩માં પાટણમાં જયકીર્તિસૂરિને ગચ્છનાયકપદ મળ્યું તે પ્રસંગે તેમના ગુણાનુવાદ કરતી ૧૭ કડીની ‘અંચલગચ્છેશ્વર શ્રીજયકીર્તિસૂરિ-ફાગુ’ (મુ.) એ કૃતિના કર્તા.
કૃતિ : આર્ય-કલ્યાણ-ગૌતણ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘અંચલગચ્છેશ્વરશ્રી જયકીર્તિસૂરિ અને કવિ-ચક્રવર્તી પૂજ્ય શ્રી જયશેખરસૂરિ પર ફાગુકાવ્યો’, સં. કલાપ્રભસાગરજી. (+સં.). [કી.જો.]
જયકુલ [ઈ.૧૫૯૮માં હયાત] : લઘુતપગચ્છના જૈન સાધુ. હેમસોમ સૂરિની પરંપરામાં લક્ષ્મીકુલના શિષ્ય. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૯૨ કડીના ‘તીર્થમાલા/ત્રૈલોક્યભુવનપ્રતિમાસંખ્યા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૮/સં. ૧૬૫૪, આસો વદ ૧૦, સોમવાર; મુ.)ના કર્તા.
કૃતિ : જૈનસત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩ - ‘સત્તરમી સદીની એક અપ્રકટ તીર્થમાળા’, સં. કાંતિસાગરજી.
સંદર્ભ - જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]
જયકૃષ્ણ/જેકૃષ્ણ : [               ]: જયકૃષ્ણને નામે કૃષ્ણભક્તિનું ૧ પદ મુદ્રિત મળે છે જેમાં વસ્તુત: નામછાપ ‘દાસ જેકૃષ્ણ’ મળે છે. તે ઉપરાંત જયકૃષ્ણે ગણપતિની પ્રાર્થનાનાં, ફાગનાં અને વૈરાગ્યનાં પદો રચ્યાં હોવાની માહિતી મળે છે.
કૃતિ : પ્રાકાસુધા:૨.
સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય - ૩’, સં. છગનલાલ વિ. રાવળ. [કૌ.બ્ર.]
 
જયકેસર(મુનિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. અભયસિંહસૂરિશિષ્ય જયતિલકસૂરિ(ઈ.૧૪૦૩)ના શિષ્ય. જયતિલકસૂરિની હયાતીમાં રચાયેલી જણાતી ૩૨ કડીની ‘જયતિલકસૂરિચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’  ૨. જૈમગૂકરચનાએં: ૧. [શ્ર.ત્રિ.]
જયચંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કર્પૂરચંદના શિષ્ય.

Latest revision as of 04:27, 15 August 2022