ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(18 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:


* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કક્ક | કક્ક ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કક્ક | કક્ક ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કક્ક_સૂરિ-શિષ્ય-૧ | કક્ક(સૂરિ)શિષ્ય - ૧ ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કક્ક_સૂરિ-શિષ્ય-૨ | કક્ક(સૂરિ)શિષ્ય - ૨ ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કચરાય | કચરાય ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કચરો | કચરો ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કજોડાનો વેશ’ | ‘કજોડાનો વેશ’ ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કડવા-કડુઆ | કડવા/કડુઆ ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કતીબશા_બાદશાહ | કતીબશા (બાદશાહ) ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનક | કનક ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનક-૧ | કનક-૧ ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનક-૨ | કનક-૨ ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકકીર્તિ | કનકકીર્તિ ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકકીર્તિ_વાચક-૧ | કનકકીર્તિ(વાચક)-૧ ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકકુશલ | કનકકુશલ ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકતિલક | કનકતિલક ]]
 
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકધર્મ | કનકધર્મ
 
 
 
 
 
 
{{Poem2Open}}
<span style="color:#0000ff">'''કક્ક'''</span> [ઈ.૧૬૮૦ સુધીમાં] : ‘યોગીવાણી’ (લે. ઈ.૧૬૮૦)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[પા.માં.]}}
<br>
<span style="color:#0000ff">'''કક્ક(સૂરિ)શિષ્ય - ૧'''</span> [ઈ.૧૫૪૦માં હયાત]: કોરંટગચ્છના જૈન સાધુ. ૧૮૫/૧૯૦ કડીની ‘વિક્રમલીલાવતી-ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, વૈશાખ સુદ ૧૪, બુધવાર)ના કર્તા.
સંદર્ભ: ૧. જૈગૂકવિઓ:(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[કી.જો.]}}
<br>
 
<span style="color:#0000ff">'''કક્ક(સૂરિ)શિષ્ય - ૨'''</span> [ઈ.૧૫૭૦ સુધીમાં] : જૈન. ઉપકેશગચ્છના કક્કસૂરિના શિષ્ય. ૩૫૮/૩૬૫ કડીના શીલમહિમાવિષયક ‘કુલધ્વજકુમાર-પ્રબંધ/રાસ/શીલ-પ્રબંધ’ (લે. ઈ.૧૫૭૦)ના કર્તા. આ કવિ કક્કસૂરિશિષ્ય કીર્તિહર્ષ હોવાની સંભાવના કરવામાં આવી છે પણ એ માટે કોઈ સ્પષ્ટ આધાર નથી.
સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨ - ‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ૨. કાપડિયા;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[કી.જો.]}}
<br>
<span style="color:#0000ff">'''કચરાય'''</span> : જુઓ બુધરાજ.
<br>
<span style="color:#0000ff">'''કચરો'''</span> [ઈ.૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. લાકડિયા(કચ્છ)ના શ્રીમાળી. ભંડારી જસરાજના પુત્ર. ૨૫ કડીની ‘અધિકમાસ-ચોપાઈ’ તથા તેના પરના સ્તબક (૨. ઈ.૧૮૧૦)ના કર્તા.
સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[પા.માં.]}}
<br>
<span style="color:#0000ff">'''‘કજોડાનો વેશ’'''</span> : મધ્યકાલીન ગુજરાતી સમાજના એક અનિષ્ટ પર કટાક્ષ કરતો આ ભવાઈવેશ (મુ.) “અસાઈત મુખથી ઓચરે, કજોડો રમતો થયો” એ પંક્તિને કારણે અસાઈત નાયકે રચેલો અથવા ભજવેલો હોવાથી સંભાવના થઈ શકે છે.
આ વેશમાંની કથા નાની વયના ઠાકોર અને મોટી વયનાં ઠકરાણાંના કજોડાની છે, પરંતુ એમાં ગૂંથાતાં ગોરમાના ગરબા જેવાં ગીતોમાં વૃદ્ધ પતિને પનારે પડેલી યુવાન સ્ત્રીની મનોવેદના પણ વ્યક્ત થઈ છે. વેશ ૩ વિભાગોમાં સ્વાભાવિક રીતે વહેંચાઈ જાય છે : ૧. ઠાકોર-રંગલાનો સંવાદ, ૨. ઠકરાણાં આવતાં, એમના મનોભાવોનું ગાન તથા ઠાકોર-ઠકરાણાં-રંગલાનો સંવાદ, ૩. ઠાકોર-ઠકરાણાંનાં ઉપરાણાં તરીકે બન્નેની માતાઓનું આગમન અને એમની વચ્ચેનો ઝઘડો. આ ઝઘડા સાથે વેશ પૂરો થાય છે.
ઠકરાણાંની કેડે બેસતા કે એમને ચુંબન કરવા માટે પેંગડું કે નિસરણી માગતા ઠાકોર પતિનાં બાલિશ ગાંડાઈભર્યાં વર્તનો અને કજોડાની વિશિષ્ટ પરિસ્થિતિમાંથી નીપજતું હાસ્ય અહીં પ્રધાન સ્થાને છે. એ હાસ્ય સ્થૂળ કોટિનું છે, પણ એમાં કેટલાક રસપ્રદ અંશો છે - જેમ કે, “એક ઠકરાણાંનો બાપ ને એક અમારો સસરો; એક ઠકરાણાંનો ભાઈ એ એક અમારો સાળો” એમ ૪ મહેમાનો હોવાની ગણતરી, નગ્ન દશા માટે “જળપોતિયાં કર્યાં” કે “ધોતિયું કાઢીને માથે બાંધ્યું” જેવા ભાષાપ્રયોગો, વગેરે. આનાથી જુદી રીતે, કજોડાનો ભોગ બનેલી સ્ત્રીની કરુણ દશા, પ્રસંગો દ્વારા નહીં પણ ગીતો દ્વારા વર્ણવાયેલી છે. ઠકરાણાં કજોડાંનું ‘વગોણું’ ગાય છે, તે ઉપરાંત આ વેશમાં ઉપર નર્દેશેલો ગોરમાનો ગરબો તથા મામલિયા/સામલિયા-સુત(ભાણજી ?) કૃત, વડનગરની નાગર યુવતીએ કજોડાના દુ:ખે કરેલી મસ્તકપૂજાને વર્ણવતો ગરબો પણ ગાવામાં આવે છે. ઠકરાણાંની અતૃપ્ત પ્રેમભાવનાને વ્યક્ત કરતાં ગીત ‘સનેડા’ તરીકે ઓળખાવાયેલાં છે. એમાં નાના નાવલાને ગોળરોટલી વગેરે ખવડાવી વહેલો મોટો કરવાની તાલાવેલી પણ નિરૂપાયેલી છે, જે પરિસ્થિતિને અનુરૂપ છે.
વેશના જૂના પાઠમાં ઠાકોર રંગલાને પોતાની આપવીતી વર્ણવે છે તેમાં સીધા કથનનો આશ્રય ઘણો લેવાયો છે. ભવાઈની આ એક માન્ય પદ્ધતિ હતી. પછીથી ઠાકોર-રંગલાના સંવાદને ઉઠાવ આપવામાં આવ્યો છે અને એનું વિસ્તરણ પણ થયું છે; તેમાં રજપૂતના ઘરની ઢાંકેલી દરિદ્રતાનું હાસ્યરસિક ચિત્રણ પણ થઈ ગયું છે. વેશના પાઠોમાં વિવિધ દુહા-સાખીઓ પણ ગૂંથાયેલાં જોવા મળે છે. એ સુભાષિતરૂપ છે ને યુવતીના ઓરતા દૃષ્ટાન્તોથી રજૂ કરે છે. એમાં “ઊંચે ટીંબે આંબો મોરિયો, કોને મેલું રખવાળ ? મેલું પાડોશી પાતળો, મારો પરણ્યો નાનેરું બાળ” જેવી માર્મિક પંક્તિઓ ધ્યાન ખેંચે છે. {{Right|[કા.જા.]}}
<br>
<span style="color:#0000ff">'''કડવા/કડુઆ'''</span> [જ. ઈ.૧૪૩૯ - અવ. ઈ.૧૫૦૮] : કડવાગચ્છના મૂલપુરુષ. નાડુલાઈના વીસા નગર. પિતા મહેતા ક્હાનજી. માતા કનકાદે. વૈષ્ણવધર્મી કુટુંબમાં જન્મેલા કડવાને બાળપણથી જૈન ધર્મનો રંગ લાગ્યો હતો અને ઈ.૧૪૫૮માં અમદાવાદ આવી ત્યાંના રૂપપુરમાં આગમગચ્છના પંન્યાસ હરિકીર્તિ આદિનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. પંન્યાસ હરિકીર્તિ પાસે વિવિધ શાસ્ત્રોનું અધ્યયન કરી, એમના ઉપદેશથી વર્તમાનકાળે ખરા સાધુઓ છે અહીં એવી સમજણ સાથે સંવરી - ભાવસાધુપણે રહેવાનું શરૂ કર્યું અને પછીથી શિષ્યો પણ બનાવ્યા. ઈ.૧૪૬૮થી ઈ.૧૫૦૮ સુધી એમણે સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ અને છેક આગ્રા સુધી વિહાર કરી ઘણા લોકોને શ્રાવકો બનાવ્યા તે દરમ્યાન ઈ.૧૫૦૬માં કડવામતની સ્થાપના કરી. પાટણમાં અનશનપૂર્વક શાહ કલ્યાણે ઈ.૧૬૨૯માં રચેલી ‘કડુઆમત-પટ્ટાવલી’માં ઉલ્લેખાયા મુજબ એમની રચનાઓ ઈ.૧૪૫૮ પહેલાંથી ઈ.૧૫૦૭ સુધીની મળે છે, જેમાં ‘વીર-સ્તવન’ (૨.ઈ.૧૪૮૬), ‘વિમલગિરિ-સ્તવન’ (૨. ઈ.૧૪૮૯), ‘લુંપક્ચચ્ચરી-પૂજાસંવરરૂપસ્થાપના’ (૨.ઈ.૧૪૯૧), ‘પાર્શ્વ-સ્તવન’ (૨. ઈ.૧૪૯૨) ઉપરાંત ‘સાધુવંદના’, ‘શીલપાલનના એકસો ચાર બોલ’, ‘એક્સો તેર બોલ સ્ત્રી-શીલપાલનના’ તથા અન્ય કેટલાંક બોલ, પદો, સ્તવનો અને ગીતો તેમ જ ‘હરિહરાદિક પદ’ જેવી હિંદી રચનાઓનો પણ સમાવેશ થાય છે. ઉક્ત પટ્ટાવલીમાં કડવાએ ૬૦૦૦ જેટલી કૃતિઓ પાટણમાં રહીને રચી હોવાનો નિર્દેશ મળે છે.
હરિહર વિશેનાં પદો એમની બાળપણની રચનાઓ હોવાનું પણ નોંધાયું છે.
ઉપર્યુક્ત પટ્ટાવલીથી અતિરિક્ત, ‘જૈન ગૂર્જર કવિઓ’ ‘કડુઉ’ નામછાપ ધરાવતા, દુહા-ચોપાઈમાં રચાયેલ ‘લીલાવતીસુમતિવિલાસ-રાસ’ (લે. ઈ.૧૬૫૨)ને પ્રસ્તુત કર્તાની કૃતિ ગણાવે છે.
સંદર્ભ : ૧. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૨. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩ - ‘કડુઆમત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<span style="color:#0000ff">'''કતીબશા (બાદશાહ)'''</span> [ઈ.૧૪૫૦ આસપાસ] : પૂરું નામ કુતુબુદ્દીન હોવાની સંભાવના. અજમેરમાં કતીબશાનું નામ ‘બડાપીરકા તકિયા’ નામથી જાણીતું હતું. રામદેવ-પીરના ભક્તો મારફતે એમને પરચો મળેલો અને હૃદયપરિવર્તન થયેલું એવી કથા મળે છે. રૂપાદે-માલદે, જેસલ-તોરલ, નવનાથ, રામદેવ-પીર સાથે જ ભજનસૃષ્ટિમાં એમનું સ્થાન છે. રાણા માલદેને સંબોધીને રચેલું ૧ ભજન (મુ.) તેમના નામે મળે છે.
કૃતિ : આપણી લોકસંસ્કૃતિ, સં. જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.).
સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ સાયલાકર, ઈ.૧૯૮૦. {{Right|[નિ

Latest revision as of 09:14, 4 August 2022