ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ

Revision as of 15:40, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)



મકન : આ નામે કેટલાંક પદો અને ૧૭ કડીની ‘શિખામણ (અકરમ અધિકાર)’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મકન છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ.[કી.જો.]

મકન-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના શ્રાવક. વિજ્યધર્મના શિષ્ય રાજવિજયના શિષ્ય. પિતાનામ મોહન. ૯ ઢાળની ‘શિયળની નવવાડોની સઝાયો’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, શ્રાવણ સુદ ૯, ગુરુવાર; મુ.), ૧૨ કડીના ‘બારમાસ’ (ર.ઈ.૧૭૯૨/સં.૧૪૮, ફાગણ સુદ ૧૦; મુ.), ૪ કડીની ‘મહાવીરજિનસ્તુતિ (આધ્યાત્મિકવિચારગર્ભિત)-સ્તબક’ના કર્તા. આ કવિના ૨ ઢાળ અને ૪૩ કડીના ‘ગજસુકુમાલનું દ્વિઢાળિયું’ (મુ.)ની ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ફાગણ સુદ ૬, સોમવાર મળે છે જે કવિનો આયુષ્યકાળ લક્ષમાં લેતાં સાચી લાગતી નથી. કવિનું અપરનામ ‘મુકુંદ મોનાણી’ હોવાની વાત પણ બહુ ઉચિત નથી લાગતી, કારણ કે ‘જૈન ગૂર્જર કવિઓ’માં આપેલો ‘શિયળની નવવાડ’ના અંતનો પાઠ ‘મકન મુખવાણી’ વધારે ઉચિત લાગે છે. કૃતિ : ૧. * જૈન પ્રભાકર સ્તવનાવલી, ભી. મા; ૨. જૈસમાલા (શા) : ૧; ૩. જૈસસંગ્રહ (જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. સજઝાયમાલા(શ્રા.) : ૧. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

મકનચંદ [                ] : ૮ કડીની ‘એકાદશીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : મોસસંગ્રહ. [શ્ર.ત્રિ.]

મગન [                ] : સ્વરૂપનાથના શિષ્ય. હિંદીની છાંટવાળા ૭ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : નકાસંગ્રહ. [શ્ર.ત્રિ.]

મગનીદાસ [                ] : ૬ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]

મઘો [ઈ.૧૮૩૦માં હયાત] : રજપૂત. પચ્છે/કથારીઆ ગામના રહેવાસી. ૭૫ કડીના ‘પછેગામનો સલોકો’ (ર.ઈ.૧૮૩૦; મુ.)ના કર્તા. કૃતિ : ૧. કૌમુદી, ઑગસ્ટ અને નવે. ૧૯૩૪-‘શલુકો’, સં. ધીરસિંહજી વ્હો. ગોહિલ; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ-માર્ચ ૧૯૫૭-‘મેઘોરચિત પછેગામનો સલોકો.’ [શ્ર.ત્રિ.]

‘મડાપચીશી/વેતાલપચીશી’ [ર.ઈ.૧૭૪૫] : જેનું પગેરું ક્ષેમેન્દ્રની ‘બૃહત્કથામંજરી’ તથા સોમદેવના ‘કથાસરિતસાગર’ સુધી અને કદાચ તેથીય આગળ સુધી જાય છે એવી, ભારતની અનેક ભાષાઓની પેઠે ગુજરાતીમાં પણ જ્ઞાનચંદ્ર, દેવશીલ, હેમાણંદ, સિંહપ્રમોદ અને હાલૂ જેવા પુરોગામીઓને હાથે ઉતારાયેલી આ વાર્તામાળા(મુ.)ને શામળે પોતાની ‘સિંહાસન-બત્રીશી’ સાથે તેની બત્રીસમી વાર્તા તરીકે જોડી દીધી છે. સંસ્કૃતકથા દક્ષિણના પ્રતિષ્ઠાના વિક્રમસેનના પુત્ર ત્રિવિક્રમસેનને વાર્તાનાયક બનાવતી હતી, પણ શામળે તેને ઉજેણીના પરદુ:ખભંજન વિક્રમ સાથે જોડી એ કારણે ‘પંચદંડ’ની માફક ‘સિંહાસન-બત્રીશી’ના વિક્રમચરિત્ર ભેગી ભેળવી દેવાની તક ઝડપી છે. જેમ આ બાબતમાં તેમ વાર્તાઓમાંનાં સ્થળો અને પાત્રોના નામ તથા વાર્તાઓના વસ્તુ અને ક્રમમાં તેમજ કથાપીઠ તરીકેની પ્રાસ્તાવિક વાર્તામાં સિદ્ધ (એને શામળે જૈન બનાવ્યો છે) અને તેના બ્રાહ્મણપુર ચેલા વચ્ચેની કાતિલ સ્પર્ધા યોજી અંતે વિક્રમના હાથે થતા બેઉ ઉપરના ઉપકારથી સાધેલા સુખાન્તમાં પોતાની સૂઝ પ્રમાણે ચાલી શામળે વાર્તાકાર તરીકે સ્વતંત્ર સર્જકતા દાખવી છે. સિદ્ધ માટે વડ પરના શબને નીચે ઉતારી પીઠ પાછળ ઊંચકી લઈ જવા જતા વિક્રમને તે શબ એક વાર્તા જેવો કિસ્સો કહે અને તેને અંગે તેનો નિર્ણયાત્મક જવાબ માગે અને મોં ન ખોલવાની સિદ્ધની સૂચના છતાં વિક્રમથી ઉત્તર અપાઈ જાય કે તરત શબ તેની પાસેથી છટકી પાછું વડ પર જઈ ચોંટી જાય, એમ ચોવીસ વાર બનવાની યોજનાથી આ વાર્તામાળા આપણને મળે છે. આ શબ તે પેલા સિદ્ધના ચેલાનું છે એમ શામળે ગોઠવ્યું છે. મૂળ કથામાં વેતાળ તેનો કબજો લઈ બેસી રોજ પેલા કિસ્સા વિક્રમને કહી તેમાંથી નિષ્પન્ન થતા કોયડા તેને પૂછતો હોય છે, જે કારણથી આ વાર્તામાળાને ‘વેતાલપચીશી’ નામ મળેલું છે. શામળની રચનામાં વેતાળ સિદ્ધને ઊકળતા તેલના કઢામાં ફેંકવામાં વિક્રમનું મિત્રકાર્ય કરે છે એ રીતે એનો ઉપયોગ થયો છે. બધી વાર્તાઓ એક રીતે સહેજ નિમ્ન સ્તરના લોકવ્યાવહારના સામાજિક ને વ્યક્તિગત કોયડા રજૂ કરતી હોઈ, આખી રચનામાં તે સમસ્યાનો રસ પૂરે છે, એ રીતે વિશિષ્ટ કહેવાય. ‘સિંહાસનબત્રીશી’ સાથે જોડી હોઈ શામળે એને અન્તે તે કૃતિનો અન્ત તે કૃતિનો અન્ત કે સમાપન યોજેલ છે. એ રચના ઈ.૧૭૪૫માં પૂરી થયાનો ઉલ્લેખ આને અન્તે આવતો હોઈ આ રચના તે અને તેની પહેલાંનાં ૨-૩ વર્ષની માની શકાય. શામળના કેટલાક જાણીતા છપ્પા આ રચનામાં જોવા મળે છે. [અ.રા.]

‘મણિઉદ્યોત’ : જુઓ મણિવિમલશિષ્ય ઉદ્યોતવિમલ.

મણિચંદ : જુઓ મણિચંદ્ર-૧.

મણિચંદ્ર  : આ નામે ૮ કડીની ‘ક્રોધ-સઝાય’, ૧૦૯ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ અને ૮ કડીનું ‘સાતવારદોધક’ - એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મણિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

મણિચંદ્ર-૧/મણિચંદ [ઈ.૧૬૭૮ સુધીમાં] : જૈન. કુલ ૧૪૨ કડીની ૨૧ ‘આધ્યાત્મિક-સઝાયો/વૈરાગ્યાદિ-સઝાયો/સ્વાધ્યાય-સંગ્રહ’ (લે.ઈ.૧૬૭૮; મુ.)ના કર્તા. ૫ કડીની ‘ચેતના-સઝાય’, ૧૦ કડીની ‘પરમાર્થ-સઝાય’, ૮ કડીની ‘હિતોપદેશ-સઝાય’ આદિ અલગ-અલગ નામે પણ આમાંની સઝાયો નોંધાયેલી છે. ૫ કડીની ૧૧મી સઝાય ‘આત્મશિક્ષાની સઝાય/વૈરાગ્યની સઝાય’ એ નામે અનેક સ્થળે મુદ્રિત મળે છે. લે.ઈ.૧૬૭૮ હોવાને લીધે ૮ કડીના ‘પરમાર્થગીત’ અને ૬ કડીના ‘સુમતિનાથ-ગીત’ના કર્તા પણ પ્રસ્તુત મણિચંદ હોવાની સંભાવના છે. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ૨’માં મણિચંદ્ર-૧ અને મણિચંદ્ર-૨ એમ જુદા જુદા કર્તાને નામે ‘આધ્યાત્મિક-સઝાયો’નો ઉલ્લેખ છે તે માટે અન્ય કોઈ આધાર મળતો નથી. રચનાસયમ જોતાં ૯૧ કડીના ‘સપ્તનરકસ્થિતિ-વિવરણ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૭)ના કર્તા પ્રસ્તુત મણિચંદ્ર હોવાની શક્યતા છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા : ૩; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. મોસસંગ્રહ; ૬. સજઝાયમાલા(શ્રા) : ૧; ૭. સજઝાયમાળા (૫). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] મણિરામ [ઈ.૧૭૯૯ સુધીમાં] : કેટલાંક પદ (લે.ઈ.૧૭૯૯)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

મણિવિજય [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં કપૂરવિજય (અવ.ઈ.૧૭૧૯)ના શિષ્ય. ૧૭ ઢાળના ‘ચતુર્દશ-ગુણસ્થાનક-સઝાય/ચૌદગુણ સ્થાનકનું સ્તવન’ (મુ.), ૪૦ કડીના ‘વાસુપૂજ્ય-સલોકો’ (અંશત: મુ.) અને ૪૩ કડીના ‘શાંતિનાથ ભગવાનનો સલોકો’ (અંશત: મુ.)ના કર્તા. ‘ચૌદગુણસ્થાનકનું સ્તવન’ની પ્રથમ ૨ ઢાળ ‘એકસો અઠ્ઠાવનકર્મપ્રકૃતિની સઝાય’ નામે પણ મુદ્રિત મળે છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિભપ્રકાશ; ૩. પ્રવિસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ;  ૫. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૭-‘શલોકાસંચયમાં વધારો’, સં. શ્રી લક્ષ્મીભદ્રવિજયજી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

મણિવિમલશિષ્ય [ઈ.૧૮૮૫ સુધીમાં] : જૈન સાધુ. ૧૫ અને ૧૬ કડીના ૨ ‘સિદ્ધાચલ-સ્તવન’ (લે.ઈ.૧૮૮૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

મણિસાગર [ઈ.૧૭૯૭ સુધીમાં] : જૈન. પૃથુયશાના મૂળ સંસ્કૃત ગ્રંથ ‘ષટ્પંચાશિકા’ના સ્તબક (લે.ઈ.૧૭૯૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.] મતિ [ ] : જૈન. ૧૦ કડીની ‘વંક્ચૂલની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨. જૈસસંગ્રહ(ન).[કી.જો.]

મતિકીર્તિ [ઈ.૧૭મી સદી પૂર્વર્ધમાં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસોમ ઉપાધ્યાયની પરંપરામાં ગુણવિનયના શિષ્ય. ૨૭૨ કડીની ‘અઘટકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૮/૧૬૨૧), લખમસીને કરેલા પ્રશ્નોના ઉત્તર રૂપે કરેલી રચના ‘પ્રશ્નોત્તર-સંવાદ’ (ર.ઈ.૧૬૩૪/સં.૧૬૯૧, કારતક વદ ૬), ‘ધર્મબુદ્ધિ મંત્રીશ્વર/ધર્મબુદ્ધિ સુબુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૧), ૬૧ કડીની ‘લુંપકમતોત્થાપક-ગીત’, ‘નિર્યુક્તિ સ્થાપન’ (ર.ઈ.૧૬૨૬), ‘ગુણકવિત્વશોડષિકા’, ‘લલિતાંગ-રાસ’ તથા અન્ય સ્તવનાદિ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). [કી.જો.]

મતિકુશલ [ઈ.૧૬૭૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણકીર્તિની પરંપરામાં મતિવલ્લભના શિષ્ય. ૨૯ ઢાળ અને ૬૨૪ કડીની ‘ચંદ્રલેખા-ચતુષ્પદી/ચંદ્રલેખા-રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, આસો વદ ૧૦, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ડિકૅટલૉગભાઈ : ૧૦(૨); ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

મતિચંદ્ર  : આ નામે ‘સપ્તનય-બાલાવબોધ’ તથા લઘુસંગ્રહણી-બાલાવબોધ’ મળે છે. તેમના કર્તા કયા મતિચંદ્ર છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જો.]

મતિચંદ્ર-૧ [ઈ.૧૭૦૯ સુધીમાં] : અંચલગચ્છના જૈન સાધુ. ‘શતકનામપંચકર્મગ્રંથ-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૦૯) તથા ‘નવતત્ત્વ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

મતિચંદ્ર-૨ [       ]: જૈન સાધુ. ગુણચંદ્રના શિષ્ય. ‘કર્મગ્રંથબંધસ્વામિત્વ-બાલાવબોધ’ તથા ‘ષડશીતિ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]

મતિભદ્ર [ઈ.૧૫૬૫માં હયાત] : જૈન સાધુ. ‘ચતુ:શરણપ્રકીર્ણ-સંધિ’ (ર.ઈ.૧૫૬૫)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

મતિરત્ન [ઈ.૧૭૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દીપચંદની પરંપરામાં દેવચંદ્રના શિષ્ય. ઐતિહાસિક અને કચરાકીકાના સંઘનું વર્ણન કરતી ૫ ઢાળની ‘સિદ્ધાચલ તીર્થયાત્રા’ (ર.ઈ.૧૭૪૮; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૨. પ્રાતીસંગ્રહ; ૩. સૂર્યપુર રાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોક્સી, ઈ.૧૯૪૦. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

મતિલાભ/મયાચંદ [ઈ.૧૭૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ઋષિવલ્લભના શિષ્ય. ૪૫ કડીના ‘નવતત્ત્વ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૬/સં.૧૮૧૨, જેઠ સુદ ૪) તથા ૧૩ કડીના ‘જિનેશ્વરના ચોત્રીસ અતિશયનો છંદ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]

મતિશેખર (વાચક) : આ નામે ૯ કડીનું ‘ઉત્તરાધ્યયન દશમાધ્યયન-ગીત’, ૭/૮ કડીનું ‘આલોચના-ગીત/સઝાય’, ૯ કડીની ‘ગૌતમ-ગણધર-સઝાય’, ‘જંબૂદ્વીપક્ષેત્ર સમાસપ્રકરણ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૨૭), ૫૩ કડીની ‘માાઇબાવની-ચોપાઈ’ (લે.ઈ.૧૬૧૩), ૭ કડીની ‘ગુરુ-ભાસ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા મતિશેખર-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

મતિશેખર(વાચક)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંરામાં શીલસુંદરના શિષ્ય. ૨૨૫/૨૩૫ કડીનો ચોપાઈબદ્ધ ‘ધન્નાઋષિ-રાસ’ (ર.ઈ.૧૪૫૮), ૨૪૫ કડીની ‘કુરગડુની ચોપાઈ/કુરગડુ(ક્રૂરઘટ)મહર્ષિ-રાસ’ (ર.ઈ.૧૪૮૧), ૩૬૦/૩૭૬ કડીની ‘મયણરેખાસતી-ચરિત્ર/ચોપાઈ/રાસ’, ૧૬૪ કડીની ‘ઇલાપુત્ર-ચરિત્ર/પ્રબંધ/રાસ, ૫ કડીનું ‘નેમિ-ગીત’, ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’ તથા ‘નેમિનાથવસંત ફૂલડાં’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો : ૨. દેસુરાસમાળા; ૩. નયુકવિઓ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

મતિસાગર : આ નામે ૭ કડીનું ‘શીલ-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૩ કડીની ‘સીતારામ/સીતાસતી-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મતિસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]

મતિસાગર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : આગમગચ્છના જૈન સાધુ. સોમરત્નસૂરિની પરંપરામાં પંડિત ગુણમેરુના શિષ્ય. ૬ ઉલ્લાસને ૫૭૮ કડીની તથા દુહા, વસ્તુછંદ, ઢાલ વગેરેનો વિનિયોગ કરતી ‘ક્ષેત્રસમાસવિવરણ-ચોપાઈ/લઘુક્ષેત્રમાસ-ચોપાઈ/ક્ષેત્રસમાસ-રાસ’ (ર.ઈ.૧૫૩૮/સં.૧૫૯૪, આસો-, બુધવાર); ૭ ઉલ્લાસની ‘સંગ્રહિણી-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, પોષ-); આદીશ્વર, નેમિજિન, પદ્માવતી, મહાવીરજિન, શાંતિજિન, સંભવજિન, સીમંધરજિન વગેરે વિશેનાં લગભગ ચારથી ૧૧ કડીનાં ટૂંકાં ગીતો તથા અંબડ, આર્દ્રમુનિ, વંકચૂલ, સૂલસા વગેરે વિષેનાં લગભગ ચારથી ૧૦ કડીનાં ‘ભાષા’ નામક ટૂંકાં પદો-એ કૃતિઓની તેમણે રચના કરી છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]

મતિસાગર-૨ [ઈ.૧૫૪૯માં હયાત] : જૈન સાધુ.૩૮૮ કડીના ‘ચંપકસેન-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, શ્રાવણ-)ના કર્તા. આ કર્તા મતિસાગર-૩ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫.હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

મતિસાગર-૩ [ઈ.૧૫૬૦માં હયાત] : જૈન સાધુ. ૫૪/૫૬ કડીની ‘માલવીઋષિ-સઝાય/રાસ’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]

મતિસાગર-૪/મતિસાર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિના શિષ્ય. ૮૭ કડીની ‘સમેતશિખર-સ્તવન’ (ર.ઈ.૧૬૦૮), ‘ગુણધર્મ-રાસ’ (ર.ઈ.૧૬૪૩) તથા ૬૫૬ કડીની ‘ચંદરાજા-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]

મતિસાગર-૫ [ઈ.૧૬૨૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. પંડિત લલિતસાગરના શિષ્ય. મતિસાગરની ઈ.૧૬૨૩માં રચાયેલી ૪૭ કડીની કૃતિ મળે છે. ચારથી ૧૧ કડીનાં આદિજિન, અજિતજિન, શાંતિજિન, નેમિજિન, પાર્શ્વનાથ અને મહાવીર વિષયક ટૂંકાં સ્તવનોનની રચના તેમણે કરી છે. તેમણે ૨૫થી ૪૮ કડીના ‘પાર્શ્વનાથ(ચિંતામણિ)-સ્તવન’ અને ૨૮થી ૩૯ કડીનાં ૨ ‘મહાવીર-સ્તવન’ની પણ રચના કરી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]

મતિસાગર-૬ [ઈ.૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ‘ખંભાતતીર્થ માળા’ (ર.ઈ.૧૬૪૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [ચ.શે.]

મતિસાગર(ઉપાધ્યાય)-૭ [ઈ.૧૭૯૦ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. વીરસુંદરના શિષ્ય. સોમેશ્વરકૃત ‘લઘુજાતક(જ્યોતિષ)’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) (ગદ્યમાં વચનિકા)ના કર્તા. મૂળગ્રંથ ઈ.૧૫૪૯ આસપાસ રચાયો હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]

મતિસાર(પંડિત)-૧ [ઈ.૧૫૪૯માં હયાત] : આ કવિ જૈન છે કે જૈનેતર તે સ્પષ્ટ થતું નથી. કૃતિમાંના નિર્દેશો બંને સંભવનું સમર્થન કરે એવા મળે છે. ચિમનલાલ દલાલ તેમને જૈનેતર તો ભોગીલાલ સાંડેસરા તેમને જૈન કવિ માને છે. વળી ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ મતિસાર તે આગમગચ્છના પંડિત ગુણમેરુના શિષ્ય મતિસાગર હોવાનો તર્ક કર્યો છે. આ મતિસારની આશરે ૪૧૧ કડીની કૃતિ ‘કર્પૂરમંજરી-રાસ’ (ર.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, ચૈત્ર સુદ ૧૧, રવિવાર; મુ.) મળે છે. મુખ્યત્વે દુહા-ચોપાઈબંધની આ કૃતિમાં વાર્તારસ પ્રધાન છે અને કથાનકને ગુજરાતના પ્રતાપી રાજવી સિદ્ધરાજ જયસિંહ તથા રૂદ્રમહાલયની પૂતળી સાથે જોડવામાં આવ્યું છે તેથી ધ્યાને ખેંચે છે. કૃતિ : કર્પૂરમંજરી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨.ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૭. જૈગૂકવિઓ : ૩(૧); ૮. મુપુગૂહસૂચી. [ચ.શે.]

મતિસાર-૨ : જુઓ મતિસાગર-૪.

મતિસુંદર  : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ‘સરસ્વતી છંદ’ (લે.સં.૧૭મી સદી) તથા ‘વિક્રમવેલિ’ એ કૃતિઓ મળે છે. આ મતિસુંદર-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહસૂચી : ૧.[કી.જો.]

મતિસુંદર-૧ [ઈ.૧૫૬૫માં હયાત] : જૈન સાધુ. અસાઇતકૃત ‘હંસાઉલી’ના પ્રથમ ખંડના આધાર પર એમણે દુહા-ચોપાઈની ૧૪૨ કડીમાં ‘હંસાઉલીપૂર્વભવ-ચરિત’ (ર.ઈ.૧૫૬૫; મુ.) કૃતિ રચી છે. અસાઇતની કૃતિમાં નાયક-નાયિકાના વર્તમાન અવતારની સાથે તેમના પૂર્વના પોપટ-પોપટીના ૧ અવતારની એટલે કે કુલ ૨ અવતારની કથા રજૂ થઈ છે. જ્યારે મતિસુંદરે પોપટ-પોપટીનાય પૂર્વભાવના રાજકુંવર કૂપુ અને રસોયણની પુત્રી ગંગાના પ્રેમસંબંધની ત્રીજી અવતારકથા ઉમેરી પોતાની કૃતિને જન્મજન્માંતરના પ્રેમની કથા બનાવી છે. કૃતિ : હંસાઉલી, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૪૫. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત કામાવતીની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ.૧૯૭૬; ૩. ગુસારસ્વતો; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ગૂહાયાદી. [કી.જો.]

મતિહંસ [ઈ.૧૬૯૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. તિલકહંસની પરંપરામાં તત્ત્વહંસના શિષ્ય. ૧૧ કડીની ‘પજુષણની સઝાય’(મુ.), ૫૧ કડીની ‘પાર્શ્વનાથનો સલોકો’ (ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, આસો સુદ ૮; મુ.) તથા ૭/૮ કડીની ‘પાર્શ્વનાથની આરતી’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ; ૩. સઝાયમાલા (પં.); ૪. સઝાયમાલા(જા); ૫. સલોકાસંગ્રહ; ૧, શા. કેશવલાલ સવાભાઈ, ઈ.૧૯૧૨; ૬. સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કી.જો.]

મદન-૧ [ઈ.૧૭૧૭માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. વિજયક્ષમાસૂરિના શિષ્ય. જ્ઞાતિએ ઓસવાલ. ૧૫ ઢાલ ને ૧૦૮ કડીના ગુજરાતમાં થયેલા મુસ્લિમ અત્યાચારોની ઐતિહાસિક ઘટનાનો પણ નિર્દેશ કરતા ‘સીમંધરસ્વામી-સ્તવન’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૮૩, મૌન એકાદશી, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૫૫-‘મદનરચિત ‘સીમંધર સ્તવન’ મેં ઐતિહાસિક ઉલ્લેખ’, અગરચંદ નાહટા.[ર.સો.]

મદન-૨/મયણ [                ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. આ કવિની ૩૪/૪૦ કડીની ‘મયણ-છંદ’ કૃષ્ણ અને રાધાના વિયોગ-મિલનને શબ્દાલંકારની ચાતુરીથી નિરૂપતી, નાયિકાના દેહસૌન્દર્યને તથા એના શૃંગારભાવોને મનોહર રીતે આલેખતી કૃતિ છે. કૃતિનો રચનાબંધ છપ્પયનો છે. એની ભાષાને આધારે તથા પરવર્તી કૃતિઓ પર આ લોકપ્રિય કૃતિની અસર હોવાને આધારે ઈ.૧૫મી સદી પૂર્વાર્ધમાં એ રચાયાનું અનુમાન થયું છે. આ કવિના નામે ૨૭ કડીની ‘મયણ કુતૂહલ’ નામની એક કૃતિ પણ નોંધાયેલી છે. ‘રણધવલ રી વાત’ નામની એક રચનામાં મયણ ભટ્ટના કેટલાક શ્લોકો સામાવાયા હોવાની માહિતી પણ મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧, ૨; ૨. ગુસાસ્વરૂપો; ૩. નયુકવિઓ; ૪. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ૧૯૮૦;  આલિસ્ટઑઇ : ૨; ૫. ગૂહાયાદી; ૬. મુપુગૂહસૂચી. [ર.સો.]

મદન-૩ [                ] : ૬ કડીના ૧ પદ (મુ.)ના કર્તા. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩(ત્રીજી આ.).[શ્ર.ત્રિ.]

‘મદનમોહના’ : રચ્યાસાલના ઉલ્લેખ વિનાની, શામળની સ્વતંત્ર કહેવાય એવી, છતાં વસ્તુત: પરંપરાપ્રાપ્ત વાર્તાભંડારમાંથી અનુકૂળ કથાઘટકો ઉપાડી તેના સંયોજનથી રચાયેલી, તેની વાર્તાકળાની પ્રતિનિધિરૂપ ગણાય એવી દુહા-ચોપાઈ-છપ્પામાં નિબદ્ધ ૧૩૧૭ કડીની વાર્તા(મુ.). યુક્તિપૂર્વક રાજકુંવરી મોહનાની નજરથી અદીઠ રખાયેલા પંડિત સુકદેવ વડે વિદ્યાભ્યાસને અંતે થતી મોહનાની પરીક્ષા વેળા જામી પડેલી તકરારનું ત્યાં આવી ચડતા વણિક પ્રધાનપુત્ર મદને બેઉને સાચાં ઠરાવી કરી આપેલું સમાધાન, મદનના દર્શન સાથે જ તેને વરવાનો મોહનાનો નિશ્ચય, સમજાવટ છતાં અડગ રહેતાં થતું એમનું સ્નેહલગ્ન, એની જાણ થતાં રાજા તરફથી મળતાં દેશવટામાં ગણિકાના પંજામાંથી છટક્યા બાદ બળતા નાગને બચાવ્યા બદલ મળતા મણિના ઉપયોગથી કરેલા પાંચ ઉપકારના બદલામાં કન્યાઓ સાથે થતાં પુરુષવેશી મોહનાનાં લગ્ન, મદનની ભાળ માટેના તેના પ્રયાસ, મદનનું રાજકન્યા અરુણા સાથેનું લગ્ન, અને મદન તથા મોહનાનું મિલન અને ગૃહાગમન : આટલું રજૂ કરતી આ વાર્તાનું પદ્ગળ દૃષ્ટાંત તરીકે કહેવાતી ૬ ઉપકથાઓ, મોહનાનાં ૫ લગ્નોની કથા દ્વારા મળતી ૫ વાર્તાઓ, ૨ લાંબી સમસ્યાબાજી અને કથામાં જરાક તક મળી કે ઠાલવાતાં વ્યવહાર-નીતિ-બોધક-સુભાષિતાભાસી અનુભવવાક્યોને લીધે ઠીક ઠીક વિપુલ બની ગયું છે. વાર્તામાં નાયક કરતાં નાયિકાનું પાત્ર વધુ તેજસ્વી આલેખાયું છે. વાર્તામાં શામળનું કવિત્વ ક્યાંક ક્યાં આગિયાના જેવા ચમકારા બતાવે છે.[અ.રા.]

મધુસૂદન-૧ [ઈ.૧૬મી સદી] : પદ્યવાર્તાકાર. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંકે વ્યાસ. ખેડા જિલ્લાના સારસામાં એમણે પોતાની કૃતિની કથા કરેલી એવો નિર્દેશ કૃતિમાં જ મળતો હોવાથી સારસા એમનું વતન હોવાનું અનુમાન થયેલું છે. એમની કૃતિ ‘હંસાવતી વિક્રમકુમાર-ચરિત્ર/હંસાવતીવિક્રમચરિત્ર-ચોપાઈ/વિવાહ’(મુ.)ની વિવિધ હસ્તપ્રતો ઈ.૧૩૬૦/સં.૧૪૧૬, શ્રાવણ સુદ/વદ ૩, રવિવાર; ઈ.૧૫૫૦; ઈ.૧૫૬૦/સં.૧૬૧૬ રચનાવર્ષ તરીકે નભી શકે તેમ નથી. બાકીનામાંથી કૃતિમાંના કેટલાક ઐતિહાસિક સંદર્ભોને તેમ જ કૃતિની ભાષાને લક્ષમાં લઈ ઈ.૧૫૬૦નું રચનાવર્ષ વધુ આધારભૂત મનાયું છે. એટલે કવિને પણ ઈ.૧૬મી સદીમાં હયાત ગણી શકાય. ત્રંબાવતીની રાજકુંવરી હંસાવતી અને ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્ર વચ્ચેના પ્રણય-પરિણયને આલેખતી કવિની આ પદ્યવાર્તા તેની રસાળ શૈલી અને અન્ય વિશિષ્ટતાઓને લીધે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લોકપ્રિય કૃતિ હોવાનું દેખાય છે. ઈ.૧૫૬૦માં મધુસૂદને રચેલી ‘સિંહાસન-બત્રીશી’ મળે છે તે આ કવિની જ છે કે કેમ એ માટે અત્યારે આધારભૂત રીતે કંઈ કહી શકાય એમ નથી. કૃતિ : હંસાવતી વિક્રમચરિત્ર-વિવાહ, સં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ.સ.૧૯૩૫ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. ફાહનામાવલી : ૨. [ર.સો.]

મધુસૂદન-૨ : જુઓ ઉદ્ધવદાસ-૧/ઓધવદાસ.

મધુરેશ્વર [                ] : પિતાનું નામ રત્નેશ્વર. ‘વિરહના દ્વાદશ-માસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]

મનજી(ઋષિ)/માણેકચંદ્ર [ઈ.૧૫૯૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન કવિ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વિનયકીર્તિના શિષ્ય. પાર્શ્વચંદ્રના શિષ્ય અને સુધર્મગચ્છના સ્થાપક વિજયદેવસૂરિ તથા વિનયદેવસૂરિના ચરિત્રને વિષય બનાવી દુહા અને ચોપાઈમાં રચાયેલો ૨૪૩ કડીનો, ૪ પ્રકાશમાં વિભક્ત, દ્વારિકાના સંઘના તથા સામૈયાનાં સુંદર આલંકારિક વર્ણનવાળો ‘વિનયદેવસૂરિ-રાસ’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, પોષ સુદ ૭, મંગળવાર/શુક્રવાર; મુ.) તથા ભાષામાં ક્યાંક ક્યાંક રાજસ્થાનીની છાંટવાળો, ગુરુમહિમાને વર્ણવતો ૧૩ કડીનો ‘પાર્શ્વચંદ્રસૂરિ-ભાસ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩ (+સં.);  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧.[ગી.મુ.]

મનમોહન [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]

મનસત્ય : જુઓ વેલામુનિ.

મનસારામ [                ] : પદોના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [કી.જો.]

મનસુખ [ઈ.૧૮૩૪માં હયાત] : જૈન ૧૫૦ કડીની ‘કચરાજી-તપસીનો ચોઢાલિયો’ (ર.ઈ.૧૮૩૪) એ કૃતિના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.[ગી.મુ.]

‘મન:સંયમ’ [ર.ઈ.૧૭૭૨/સં.૧૮૨૮, મહા સુદ ૧૧] : ‘તત્ત્વસારનિરૂપણ’ એવા અપરનામથી પણ ઓળખાવાયેલી રવિદાસકૃત આ રચના(મુ.) પૂર્વછાયા-ચોપાઈબંધના ૭ અધ્યાયમાં વહેંચાયેલી છે. કૃતિનો આરંભ રૂપકગ્રન્થિવાળી કથાથી થાય છે, અને પછી ત્રિવિધ દેશના રાજા (સંભવત: આત્મા) અને એને મહારણ્યમાં મળેલા સંન્યાસી સર્વાનંદ વચ્ચેના સંવાદ રૂપે એ વિસ્તરે છે. ધર્મ એટલે કે શ્રેષ્ઠ કર્મ તે નિષ્કર્મ થવું તે, જોગ તે સાક્ષીભાવે રહેવું તે, પરમસાધન તે ચિત્તની સ્થિરતા, દેવ તે અજન્મા અગુણ પૂર્ણબ્રહ્મ, તીર્થ તે બ્રહ્મજળનું દર્શન-એવાં મુખ્ય પ્રતિપાદનો પછી કૃતિમાં જીવનમુકતનાં લક્ષણો, ધ્યાનયોગની પ્રક્રિયા, વૈરાગ્ય-ભક્તિ-જ્ઞાન-આત્મા-સમાધિનાં સ્વરૂપ, સર્વ ભૂતનાં ઉત્પત્તિલયની ક્રિયા તથા સ્વપ્નાદિ અવસ્થાઓનું વિવરણ થયેલું છે. છેલ્લા અધ્યાયમાં ત્યાગના સંદર્ભે કૃષ્ણચરિત્ર વિશે ઉઠાવાયેલો પ્રશ્ન અને પરીક્ષિત-શુક વચ્ચેના સંવાદ રૂપે એનું થયેલું સમાધાન તેમ જ “ધ્યાન ધરાવા યોગ્ય તે કૃષ્ણ ઠાકુર ગોલોક મઝાર” એવી પ્રસ્તુત થયેલી સ્પષ્ટતા ખાસ ધ્યાન ખેંચે છે. ધ્યાનયોગની પરિણતિ ગોલોકમાં સ્થિત થવા રૂપે આવે છે એ રીતે અહીં ગોલોકનું વર્ણન પણ મળે છે. જ્ઞાન, ભક્તિ અને યોગમાર્ગનો વિલક્ષણ સમન્વય કરતું આ દર્શન પરંપરાગત અને ક્યારેક તાજગીભર્યા અર્થદ્યોતક દૃષ્ટાંતાદિકના વિનિયોગે રસાવહ પણ બન્યું છે. આત્માની અલિપ્તતા દર્શાવવા યોજાયેલું, કોઈને વૃક્ષની ડાળ પર તો કોઈને પંખીની જોડ પર રહેલા દેખાતા પણ વસ્તુત: એ બધાથી અળગા બીજના ચંદ્રનું ઉપમાન આનું એક સુંદર ઉદાહરણ છે.[જ.કો.]

મનાપુરી : જુઓ માનપુરી.

મનોહર/મનોહરદાસ  : આ નામે ૧૨ કડીની ‘શિખામણ-સઝાય’ મળે છે. તે મલ્લિદાસશિષ્ય મનોહર છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. બીજું ‘ભવાનીનો છંદ’ નામનું ૧ પદ (મુ.) મળે છે. તેના કર્તા પણ કયા મનોહરદાસ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ગી.મુ.; ર.સો.]

મનોહર-૧ [ઈ.૧૬૨૦માં હયાત] : વિજયગચ્છના જૈન સાધુ. ગુણસૂરિની પરંપરામાં મલ્લિદાસના શિષ્ય. ૪૭ કડીના ‘યશોધર-ચરિત્ર’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬; શ્રાવણ વદ ૬, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧. [ગી.મુ.]

મનોહર-૨ [જ.ઈ.૧૬૨૬-] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : ગોપ્રભકવિઓ. [ર.સો.]

મનોહર(સ્વામી)-૩/સચ્ચિદાનંદ [જ.ઈ.૧૭૮૮-અવ. ઈ.૧૮૪૫/સં.૧૯૦૧, વૈશાખ સુદ ૧૪] : જ્ઞાનમાર્ગી કવિ. પિતાનું નામ ન્હાનકડા દેસાઈ.એક મત મુજબ ભાવનગર પાસેના મહુવાના વડનગરા નાગર ને જન્મ મોસાળ વસાવડ (સૌરાષ્ટ્ર)માં. અન્ય મત મુજબ જૂનાગઢના નાગર ગૃહસ્થ ને જન્મ જૂનાગઢમાં. ઈ.૧૮૩૮માં ભાવનગરના નીલકંઠ મહાદેવના સ્થાનકમાં સંન્યાસદીક્ષા લઈ સચ્ચિદાનંદ નામ ધારણ કર્યું. ઈ.૧૮૪૫માં ભાવનગરમાં સમાધિ લીધી. મામા કાલિદાસ (વસાવડના) પાસેથી કાવ્યસંસ્કાર મળેલા. ફારસી અને સંસ્કૃતનું સારું જ્ઞાન ધરાવતા. ઉપનિષદ, ન્યાયશાસ્ત્ર વગેરેનો અભ્યાસ પણ કરેલો. ગગા ઓઝા તેમના શિષ્ય હતા. આ કૈવલાદ્વૈત-વેદાન્તી કવિને નામે મહાભારતમાંનાં ‘સનત્સુ-જાતીય-આખ્યાન’ અને ‘બંદી-આખ્યાન’ના અનુવાદ, ‘ભગવદ્ગીતા’ અને ‘રામગીતા’ની ટીકા, ‘પુરાતનકથા’, ‘નિત્યકર્મ’, પંચકલ્યાણ’, ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ અને ‘વલ્લભમતખંડન’ તથા વેદાન્તરહસ્ય પરના સંસ્કૃત ગ્રંથો-એમ ઘણી કૃતિઓ નોંધાયેલી છે, પણ ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ મુજબ કોઈની હસ્તપ્રત મળતી નથી. જોકે ‘અખાની વાણી અને મનહરપદ’માં જણાવ્યા મુજબ કવિએ ઈ.૧૮૪૨માં લખેલાં ‘સનત્સુજાતીય-આખ્યાન’ અને ‘બંદી-આખ્યાન’ મુદ્રિત થયેલાં, પણ એ પ્રાપ્ત નથી. આ કવિનાં ૨૨૫ જેટલાં ગુજરાતી અને હિંદી પદો મુદ્રિત છે. એમાં આખાના જેવી પ્રહારક વાણીમાં મૂર્તિપૂજા, કર્મકાંડ, તપતીરથ વગેરે સાધનો દ્વારા થતી લૌકિક ભક્તિને ચાબખા લગાવતી, જ્ઞાનોપદેશ અને વૈરાગ્યબોધની નોંધપાત્ર કવિતા મળે છે. મનોહરદાસ નિરંજનને નામે મળતી ‘પંચીકરણ’ કૃતિ પણ પ્રસ્તુત કવિની હોવા સંભાવના છે. કૃતિ : ૧. મનહરપદ, પ્ર. નર્મદાશંકર લાલશંકર, ઈ.૧૮૬૦; ૨. એજન, સં. ભવાનીશંકર ન. ત્રિવેદી, ઈ.૧૮૮૭; ૩. અખાની વાણી અને મનહરપદ, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ.૧૯૧૬ (+સં.)  . ૩. બૃકાદોહન : ૩. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે. [ર.સો.]

મનોહર-૪ [સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]

મનોહરદાસ-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : મહાભારતના આદિપર્વનો મૂલાનુસારી સાર આપતા આ કવિના ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૦૪)ની ૪૩ કડવાંની તૂટક પ્રત મળે છે. અન્ય પ્રતોમાં હરિદાસના ‘આદિપર્વ’નાં કડવાં સાથે આ કૃતિનાં કડવાંનો સંકર કરેલી રચના મળે છે. જુઓ હરિદાસ-૩. સંદર્ભ : ૧. મહાભારત પદબંધ : ૧, કે. કા. શાસ્ત્રી, ૧૯૩૩-પ્રસ્તાવના;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [ર.સો.]

મન્થ/મન્ય : જુઓ રામદાસસુત.

મયણ : જુઓ મદન.

મયરચંદ્ર [ઈ.૧૫૮૯માં હયાત] : જૈન. ‘વિચાર-છત્તીસી’ (ર.ઈ.૧૫૮૯/સં.૧૬૪૫, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોકી સૂચી’, અગરચંદજી નાહટા.[શ્ર.ત્રિ.]

મયાચંદ-૧ : જુઓ મતિલાભ.

મયાચંદ-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : લોંકાગચ્છના જૈન સાધુ. કૃષ્ણદાસજીની પરંપરામાં લીલાધરજીના શિષ્ય. ૨૭ ઢાળના ‘ગજસિંહરાજાનો રાસ’ (ર.ઈ.૧૭૫૯/સં.૧૮૧૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર), ૧૧ કડીની ‘દ્રૌપદીની સઝાય’(મુ.), અને ૧૫ કડીની ‘સુદર્શનશેઠની સઝાય’ (ર.ઈ.૧૭૫૯/સં.૧૮૧૫, શ્રાવણ-; મુ.)ના કર્તા. સંસ્કૃત રચના ‘જ્ઞાનક્રિયાવાદ’ (ર.ઈ.૧૭૪૮) મયાચંદ્રની છે તેવો ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ ઉલ્લેખ કરે છે. તે અને પ્રસ્તુત મયાચંદ એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

મયાચંદ-૩ [                ] : જૈન સાધુ. રત્નસિંહના શિષ્ય. ૪૪ કડીના ‘બુદ્ધિરાસ યા સવાસો શીખ-સઝાય’ના કર્તા. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’માં કૃતિની ર.ઈ.૧૭૦૩ મળે છે પણ તેને માટે કોઈ આધાર મળતો નથી. ‘જૈન ગૂર્જર કવિઓ : ૩ આ કર્તાને સં. ૧૯મી સદીમાં મૂકે છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

મયારામ(ભોજક)-૧ [ઈ.૧૭૬૨માં હયાત] : જૈન. અમીચંદ રાયચંદના પુત્ર. વડનગરનિવાસી. ‘પ્રદ્યુમ્નકુમાર-રાસ/સાંબપ્રદ્યુમ્ન-રાસ’ (ર.ઈ.૧૭૬૨/ર.ઈ.૧૮૩૨/સં. ૧૮૧૮/સં.૧૮૮૮, ફાગણ સુદ ૬, સોમવાર)ના કર્તા. ‘દેવાનંદ સુવર્ણાંક’ આ કૃતિ ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, ફાગણ સુદ ૬માં રચાઈ હોવાનું નોંધે છે, પરંતુ તેમાં સાલ ખોટી હોવા સંભવ છે. ‘ગુજરાતી-સાહિત્યનો ઇતિહાસ’ ‘શત્રુંજ્ય-મહાત્મ્ય’ (ર.ઈ.૧૭૬૧) એવી તેમની બીજી કૃતિ ગણાવે છે પણ તે ‘પ્રદ્યુમ્નકુમાર-રાસ’ જ હોય એમ લાગે છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

મયારામ(મેવાડી)-૨ [ઈ.૧૭૯૧માં હયાત] : દયારામના સમકાલીન કવિ. તેમણે દયારામની સ્પર્ધામાં સર્જનકર્મ કર્યું હતું એમ કહેવાય છે, પરંતુ એમના સર્જનમાં દયારામ જેવું કવિત્વ નથી. કવિની સઘળી કૃતિઓમાં શિવસ્તુતિ છે. ‘કવિચરિત’ આ કવિએ ઈ.૧૭૯૧માં ‘શિવવિવાહ’ કાવ્ય રચ્યું હોવાનું નોંધે છે. ‘શિવપદસંગ્રહ’માં મુખ્યત્વે મુદ્રિત આ કવિની રચનાઓ સાથે ૬ પદ ને ૬૮ કડીનું ‘શિવવિવાહ’ કાવ્ય ‘શિવદાસ’ની નામછાપવાળું મળે છે. ‘શિવદાસ’ શબ્દ શિવનો દાસ એ વ્યાપક અર્થમાં વપરાયું હોવાની શક્યતા સ્વીકારીએ તો આ રચના આ કવિની હોવાનું માનવું પડે. એ સિવાય ૧૫ પદ ને ૧૮૯ કડીની સતી સીમંતિનીની શિવભક્તિનો મહિમા ગાતી ‘સોમપ્રદોષવ્રત’(મુ.), વ્રજની અસરવાળાં ૬ પદની ‘શિવજીનો ફાગ’(મુ.), ૭ પદમાં રચાયેલાં ‘શિવજીના સાતવાર’(મુ.), ૩૨ કડીની ‘શિવભક્તમાલ’(મુ.), ૨૫ કડીની ‘શિવ-પંચાક્ષરમાહાત્મ્ય’ (મુ.) તથા અન્ય શિવભક્તિનાં પદ(મુ.) કવિની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. શિવપદસંગ્રહ : ૧, અંબાલાલ શં.પાઠક, ઈ.૧૯૨૦;  ૨. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૦-‘શિવજીનો ફાગ’ (મયારામકૃત), ભૂપેન્દ્ર બા. ત્રિવેદી. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ.[કી.જો.]

મયાવિજ્ય [                ] : જૈન. ૯ કડીની ‘મૂર્ખને પ્રતિબોધની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. સજઝાયમાળા(પં).[શ્ર.ત્રિ.]

મયાસાગર [ઈ.૧૭૧૩માં હયાત] : જૈન સાધુ. વિવેકના શિષ્ય. ગીરનાર તીર્થનાં જુદાં જુદાં સ્થળોનું વર્ણન કરતી ૧૦૨ કડીની ‘ગિરનારજીની તીર્થમાળા’ (ર.ઈ.૧૭૧૩/સં.૧૭૭૩, વૈશાખ સુદ ૬, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : આઠ દૃષ્ટિની સઝાય વગેરે સંગ્રહ, પ્ર. જૈનધર્મ પ્રસારક સભા, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]

મયો [                ] : ૩૮ કડીની કાલિકાની ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]

મલયકીર્તિ [          ] : ‘ચંદ્રાયણા-કથા’ (લે.સં. ૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૧. [કી.જો.]

મલયચંદ્ર : આ નામે ૧૧૦ કડીની ‘કયવન્ના ચોપાઈ’ મળે છે. તેના કર્તા મલયચંદ્ર-૧ હોવાની શક્યતા છે, પણ એ વિશે કંઈ નિશ્ચિત કહી શકાય એમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન ગ્રંથભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા.[ભા.વૈ.]

મલયચંદ્ર-૧ [ઈ.૧૪૬૩માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. રત્નસૂરિના શિષ્ય. કવિના જીવન અને સર્જન વિશે વધારે માહિતી ઉપલબ્ધ થતી નથી, પરંતુ ગોપમંડલીમાં રહી એક જ વર્ષમાં કવિએ રચેલી ૩ ધ્યાનપાત્ર કૃતિઓ મળી આવે છે. એટલે આ સિવાય પણ કવિએ બીજી કૃતિઓ રચી હોય એવું અનુમાન થઈ શકે. કવિની ૩ કૃતિઓ તે ‘સિંહાસનબત્રીસી’ પરથી ગુજરાતીમાં ઉપલબ્ધ પહેલી, ૩૭૪ કડીમાં રચાયેલી, ‘સિંહાસનબત્રીસી/સિંધાસણ બત્રીસી-ચઉપઈ’ (ર.ઈ.૧૪૬૩; મુ.), રાજપુત્ર સિંહલસિંહના પરાક્રમની અદભુત રસિક કથા કહેતી દુહા-ચોપાઈબંધની ૨૨૦ કડીની ‘સિંઘલસીચરિત્ર/ધનદત્તધનદેવચરિય/પ્રબંધ’ (ર.ઈ.૧૪૬૩; મુ.) અને ૧૨૮ કડીની ‘દેવરાજવત્સરાજપ્રબંધ’ (ર.ઈ.૧૪૬૩). કૃતિ ૧. મલયચંદ્રકૃત સિંહાસનબત્રીસી, સં. રણજિત મો. પટેલ, ઈ.૧૯૭૦ (+સં.); ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૩-‘મલયચંદ્રકૃત સિંધલસીચરિત્ર’, રણજિત પટેલ (અનામી) (+સં.). સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. લીંહસૂચી; ૬. મુપુગૂહસૂચી. [ભા.વૈ.]

મલુક/મલુકચંદ : આ નામે ૬ કડીની ‘પજૂસણની ગહૂંલી’(મુ.), અન્ય પાંચથી ૮ કડીની ૩ ગહૂંલીઓ(મુ.), ‘સૂક્ત’, હિન્દીમિશ્ર ‘વૈદ્યહુલાસ’, અવળવાણીવાળું ૬ કડીનું પદ(મુ.) અને હિંદીની છાંટવાળું ૬ કડીનું ‘આત્મશિક્ષા-પદ’(મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા મુલક/મલુકચંદ છે તે સ્પષ્ટ થતું નથી. ‘વૈદ્યહુલાસ’ના કર્તા મલુકચંદ શ્રાવક તરીકે ઉલ્લેખાયા છે. કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. સસન્મિત્ર(મુ.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

મલુકચંદ-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, મહા/વૈશાખ, સુદ ૧૦; મુ.), ૬ કડીના ‘(માંડલપુર મંડણ) શ્રીગાડલીયા-પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૬ કડીના ‘ગિરનારતીર્થનેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, ફાગણ સુદ ૫; મુ.), ૭ કડીના ‘શત્રુંજ્ય તીર્થ-સ્તવન’(મુ.)ના કર્તા. તેમની પાસેથી સંસ્કૃતમાં ‘શ્રી પાર્શ્વનાથાષ્ટક’(મુ.) અને ‘ચિંતામણિ પાર્શ્વજિન-સ્તોત્ર’ મળે છે. કૃતિ : ૧. જિનેન્દ્રગુણ રત્નમાલા : ૧. પ્ર. શાહ કેસવજી રાજપાળ, વીર સં. ૨૪૩૧; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. પ્રકરણરત્નાકર :૧; પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬. [શ્ર.ત્રિ.]

મલુકચંદ-૨ [                ] : વિજ્યગચ્છની ચંદશાખામાં પદમજીની પરંપરામાં આણંદજીના શિષ્ય. ભૂલથી મુરારી સોહનને નામે નોંધાયેલ ‘વૈદ્યવલ્લભ-સ્તબક’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

મલ્લદાસ/મલ્લિદાસ : મલ્લદાસને નામે ૪ કડીનું ૧ ‘ઉપદેશ-પદ’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને મલ્લિદાસને નામે ૩ કડીનું ૧ હિંદી પદ (મુ.) મળે છે. આ મલ્લદાસ/મલ્લિદાસ એક જ કવિ છે કે કેમ અને જો તે એક જ કવિ હોય તો તે મલ્લિદાસ-૧ છે કે કેમ આને વિશે કંઈ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

મલ્લિદાસ-૧ [ઈ.૧૫૬૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. નૂનો-વિજયરાજની પરંપરામાં દેવરાજના શિષ્ય. ‘જંબૂસ્વામી-રાસ/પંચભવ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૩/સં.૧૬૧૯; આસો સુદ ૩, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

મલ્લિદેવ [ઈ.૧૫૯૨માં હયાત] : જૈન સાધુ. ‘કર્મવિપાક-રાસ’ (ર.ઈ.૧૫૯૨)ન કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧. [કી.જો.]

મસ્તાન [                ] : ગુજરાતી-હિંદી પદોના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]

મહંમદ(કાજી) [                ] : મુસ્લિમ કવિ. બાબા દીનદરવેશના શિષ્ય. પ્રેમલક્ષણા ભક્તિની અસર ઝીલતા હિંદીમાં રચાયેલા વિરહભાવના ‘મહિના’(મુ.) તથા અધ્યાત્મરંગી ગુજરાતી પદો (૩ પદ મુ.) તેમને નામે મળે છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ૧૯૫૭; ૨. કાફીસંગ્રહ, પ્ર. ક. જા. ઈ.૧૮૮૪; ૩. નકાસંગ્રહ; ૪. પ્રાકાવિનોદ : ૧; ૫. ભજનસાગર : ૨; ૬. સતવાણી; ૭. સોસંવાણી. સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, મે ૧૯૭૫-‘ગુજરાતી સાહિત્યના મુસ્લિમ કવિઓ’, કુ. ભૂલિકા જી. ત્રિવેદી. [કી.જો.]

મહા(મુનિ)  : આ નામે ૮ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ મળે છે. તેના કર્તા મહાનંદ-૨ હોવાની શક્યતા છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

મહાતમરામ [                ] : સંતકવિ. બોરસદ તાલુકાના સીમરડા ગામના વતની. ‘મહાતમજ્ઞાન-પ્રકાશ’ના કર્તા. સંદર્ભ : અસંપરંપરા.[કી.જો.]

મહાદેવ-૧ [ઈ.૧૫૭૨માં હયાત] : કચ્છ-ભૂજના વતની. ‘ગીત-ગોવિંદ’ (ર.ઈ.૧૫૭૨) તથા ‘રસમંજરી’ના અનુવાદ એમણે કર્યા છે. સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. ગુસારસ્વતો;  ૩. સાહિત્ય, ઓક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’;  ૪. ગૂહાયાદી. [કી.જો.]

મહાદેવ-૨ [ઈ.૧૭૫૦ સુધીમાં] : અવટંકે ભટ્ટ. જ્યોતિષવિષયક ‘સારસંગ્રહ’ નામક સંસ્કૃત ગ્રંથ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૫૦)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

મહાદેવદાસ [                ] : હિંદોલાનું ૧ ગુજરાતી તથા બાકીનાં હિંદી પદોના કર્તા. સંદર્ભ : ફૉહનામાવલિ. [કી.જો.]

મહાનંદ : આ નામે ૨૪ કડીની ‘કુમતિસુમતિની સઝાય’(મુ.), ૬ કડીનું ‘ધર્મજિન-સ્તવન’(મુ.), ૧૦ કડીનું ‘મહાવીર-અષ્ટક’(મુ.), ૧૩ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.), ૭ કડીની ‘રાજુલની સઝાય’ (મુ.), ૧૧ અને ૧૯ કડીની ‘સ્થૂલભદ્રજીની સઝાય’ (મુ.) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા મહાનંદ-૨ હોવાની શક્યતા છે, પણ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. પ્રાસપસંગ્રહ : ૧; ૩. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

મહાનંદ-૧ [ઈ.૧૬૫૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ૨૧ કડીના ‘મંત્રતંત્રયંત્રદોષ-સઝાય’ (લે.ઈ.૧૬૫૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

મહાનંદ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપની પરંપરામાં મોટાના શિષ્ય. ૪૭ કડીની ‘સ્ત્રીઓના કૂથલાની સઝાય’ (ર.ઈ.૧૭૫૪/સં.૧૮૧૦, આસો-;મુ.), પ્રેમાનંદની અસર ઝીલતો અને દુહા, યમક સાંકળીના સંસ્કારવાળો ૮૦ કડીનો ‘નેમરાજુલ-બારમાસ’ (ર.ઈ.૧૭૮૯/સં.૧૮૪૫, મહાસુદ ૮; મુ.), ૫ ખંડનો ‘રૂપસેન-રાસ’ (ર.ઈ.૧૭૫૩/સં.૧૮૦૯, વૈશાખ સુદ ૭, સોમવાર), ‘સનત્કુમારનો રાસ’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, વૈશાખ સુદ ૩), ૪ ઢાળમાં ‘૨૪ જિનદેહવરણ-સ્તવન’ (ર.ઈ. ૧૭૮૩), ‘શીયલ સઝાય’ (ર.ઈ. ૧૭૮૯), ‘કલ્યાણ-ચોવીશી’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, આસો સુદ ૧૫, રવિવાર), ૪ ઢાળની ‘જ્ઞાનપંચમી-સઝાય’ (ર.ઈ.૧૭૯૩), ૧૨૧૬ ગ્રંથાગ્રના ‘કલ્પસૂત્ર’ પરનો કુલ ૯૦૦૦ ગ્રંથાગ્રનો ટબો (લે.ઈ.૧૭૭૮/લે.સં.૧૮૩૪, વૈશાખ વદ ૫; કવિના સ્વહસ્તાક્ષરની પ્રત), ‘ચોવીસી’, ૭૫ કડીનો ‘મેઘકુમાર શલોકો’ (ર.ઈ.૧૭૬૭); ‘નેમિફાગુ’, ‘સંજમ-ફાગુ’ (ર.ઈ.૧૭૫૯) અને અન્ય અનેક સ્તવનો-સઝાયોના કર્તા. મૂળ સંસ્કૃતના ‘ત્રિષષ્ટિ-સપ્તમ-પર્વ-રામાયણ’ ઉપરના કુલ ૪૦૩૨ કડીના સ્તબક (લે.ઈ.૧૮૪૨)ના કર્તા પણ પ્રસ્તુત મહાનંદ હોવાની શક્યતા છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા (શા.) : ૨; ૩. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬-‘મહાનંદ મુનિકૃત નેમરાજુલ-બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પ્રાકારૂપરંપરા; ૬. મરાસસાહિત્ય;  ૭. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૮. મુપુગૂહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

મહાનંદ-૩ [જ.ઈ.૧૮૧૫-અવ.ઈ.૧૮૫૪] : અવટંકે મહેતા પિતાનામ મૂળજી મહેતા. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. સંસ્કૃત અને વ્રજભાષાના અભ્યાસી. કવિએ પદો-ગરબી(મુ.), ‘હાટકેશ્વરના પ્રતિષ્ઠોત્સવ વિશે’(મુ.), ૩૪ કડીની ‘રાસવર્ણન’, ૧૫ કડીની ‘ઉદ્ધવ પ્રતિ ગોપિકાના ઉદ્ગાર’(મુ.) એ કૃતિઓની રચના કરી છે. આ ઉપરાંત ‘કશ્યપાખ્યાન’ નામની કૃતિની રચના પણ કવિએ કરી છે એમ કહેવાય છે. કૃતિ : ૧. અહિછત્ર કાવ્યકલાપ, દયાશંકર ભા. શુકલ, ઈ.૧૯૧૪ (+સં.); ૨. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. મારા અક્ષર જીવનનાં સંસ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪.[કી.જો.]

મહાનુભાવાનંદ(સ્વામી) [જ.ઈ.૧૭૮૭-અવ. ઈ.૧૮૪૭] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. જ્ઞાતિએ બ્રાહ્મણ. આ કવિએ ‘હરિલીલામૃત’ નામની સંસ્કૃત રચના કરી છે અને ‘હરિલીલામૃત’ એ જ શીર્ષકથી વરસ અને તિથિની વીગતો આપતી અને શ્રી હરીલાલનું વર્ણન કરતી ગુજરાતી રચના પણ કરી છે. સંદર્ભ : ૧. સત્સંગના સંતો, રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯; ૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી આ.).[કી.જો.]

‘મહામત/મહામતિ’ : જુઓ ‘ઇન્દ્રાવતી’.

મહાવજી(મુનિ) [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : કડવાગચ્છના જૈન સાધુ. રતનપાલ શાહના શિષ્ય. ૩૨૯ કડીના ‘નર્મદાસુંદરી-રાસ’ના કર્તા. આ કૃતિની રચના સંભવત: ઈ.૧૫૯૪માં થઈ એમ ‘જૈન ગૂર્જર કવિઓ’ નોેંધે છે, પરંતુ ‘કડુઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ’માં કૃતિની રચનાસાલ ઈ.૧૬૦૭, કવિનું અવસાન ઈ.૧૬૧૧માં અને તેમણે ૨૩ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હોવાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો;  ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડૂઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]

મહાવદાસ/માહાવદાસ/માવદાસ-૧ [ઈ.૧૭૪૦માં હયાત] : કવિ વૈષ્ણવધર્મના અનુયાયી હતા. તેમની જ્ઞાતિ વિશે બે જુદા જુદા સંદર્ભો જુદીજુદી માહિતી આપે છે. ‘ફાહનામાવલિ’ કવિને જ્ઞાતિએ વણિક હોવાનું અને ‘ગોકુલેશ પ્રભુના ભક્તકવિઓ’ કવિને જ્ઞાતિએ ઔદિચ્ય સીહોરા બ્રાહ્મણ હોવાનું નોંધે છે. કવિ નવાનગર પાસેના વલા ગામના વતની હતા. પરંતુ આખું જીવન તેઓ ગોકુળમાં જ રહેલા. તેમણે ગુજરાતી તેમ જ સંસ્કૃત બંને ભાષામાં રચનાઓ કરી છે. કવિની ગુજરાતી રચનાઓ આ મુજબ છે : ૧૪ શોભન/કડવાંની ‘ગોકુલનાથજીનો વિવાહ/ખેલ’, ‘બાલ-ચરિત્ર’ (લે.ઈ.૧૭૮૦), ૨૩ કડવાંનું ‘ઓખાહરણ’ (લે.ઈ.૧૭૮૦), ‘ગૂઢરસ’, ‘રસાલય’, કુંડળિયા, સવૈયા તથા ચંદ્રાવળામાં રચાયેલ ગદ્યપદ્યાત્મક કાવ્ય ‘રસસિંધુ’, ‘રસકોષ’, ‘શ્રીવલ્લભચરિત્ર/નિત્યચરિત્ર’, ‘તીર્થમાળા/તીર્થાવલી’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬ આસો વદ ૮ ઉપર ૯, રવિવાર), ‘કૃષ્ણચરિત્ર’(મુ.), ‘સ્વરૂપવર્ણન’, ‘ચટાઈસમયનું ધોળ’ તથા કેટલીક વિનંતીઓ અને અષ્ટકો. કવિની સંસ્કૃત રચનાઓ આ મુજબ છે : ‘રસાર્ણવ’, ‘તાત્પર્યબોધ’, ‘સજ્જનમંડન’ તથા ગીતગોવિંદની પદ્ધતિએ અષ્ટપદીમાં રચાયેલી ‘શ્રીવલ્લભ-ગીત’(મુ.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો;૩. ગોપ્રભકવિઓ; ૪. પ્રાકકૃતિઓ; ૫. સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭-જાન્યુ. ૧૯૭૮-‘કવિ માયા-માવજી રચિત વૈષ્ણવભક્તપ્રબંધ-ચોપાઈ’, સં. અમૃતલાલ મો. ભોજક;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ. [કી.જો.]

મહાવદાસ-૨/માવદાસ [ ]  : ૩ કડીનો ‘બહુચરાજીનો ગરબો’(મુ.) અને ૭ કડીનો ‘સલખનપુરીનો ગરબો(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૩. ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]

મહાશંકર [                ] : ‘પંચપદાર્થજ્ઞાન’ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી.[કી.જો.]

મહિચંદ [ઈ.૧૫૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન-રાજસૂરિની પરંપરામાં કમલચંદના શિષ્ય. ૨૦૪ કડીની ‘ઉત્તમચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૫/સં.૧૫૯૧, ચૈત્ર સુદ ૩, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧,૨).[ગી.મુ.]

મહિચંદ્ર(ભટ્ટારક) [ઈ.૧૬૬૩માં હયાત] : ‘લવકુશ-આખ્યાન’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

‘મહિના’ [ર.ઈ.૧૭૩૯/સં. ૧૭૯૫, માગસર સુદ ૧૧, સોમવાર] : ઉદ્ધવની સાથે કૃષ્ણને સંદેશો મોકલતી રાધાના કૃષ્ણવિરહને અધિકમાસ સહિત કારતકથી આસો માસ સુધીના ૧૩ મહિનામાં આલેખતી દુહા-સાખીમાં નિબદ્ધ ૮૩ કડીની રત્નાની આ કૃતિ(મુ.) મધ્યકાલીન સાહિત્યની મનોરમ બારમાસી છે. દરેક મહિનાની સાથે સંકળાયેલી ઋતુગત વિશિષ્ટતાઓ ને તેનાથી ઉત્કટ બનતી રાધાની વિરહાવસ્થાને કવિએ ખૂબ કોમળ વાણીમાં વાચા આપી છે. “કારતક રસની કુંપળી, નયણામાં ઝળકાય” જેવી પંક્તિની ચિત્રાત્મકતા, “ડશિયો શ્યામ ભુજંગ”માં રહેલો વિરહોત્કટતાદ્યોત શ્લેષ, ફાગણ, વૈશાખ, અસાડ અને ભાદરવો એ મહિનાઓનાં ટૂંકાં પણ મનોહર પ્રકૃતિચિત્રો ને ઘણી કડીઓનું મુક્તકની કોટિએ પહોંચતું સુઘટ્ટ પોત આ રચનાને ગુજરાતી કવિતાની બેત્રણ ઉત્તમ બારમાસીમાં મૂકી આપે છે.[જ.ગા.]

મહિમ [ઈ.૧૭૧૭ પહેલાં હયાત] : તપગચ્છની સાગરશાખાના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં અજિતસાગરના શિષ્ય વિજ્યરત્નસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૭૬ થી ૧૭૧૭)માં રચાયેલી વિજયરત્નસૂરિની પ્રશસ્તિ કરતી ૮ કડીની ‘શ્રીવિજ્યરત્નસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧(+સં.).[ર.ર.દ.]

મહિમરાજ [ ] : જૈન. ‘જિનચંદ્રસૂરિ-ગીત’ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

મહિમસિંહ/મહિમાસિંહ/મહિમાસેન/માનચંદ/માનસિંહ : [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. શિવનિધાનના શિષ્ય. ૫૩ કડીની ‘કીર્તિધરસુકોશલપ્રબંધ’ (ર.ઈ.૧૬૧૪), ૧૪૯ કડીની ‘ક્ષુલ્લકકુમાર-ચોપાઈ-સાધુસંબંધ’, ‘ઉત્તરાધ્યયન-ગીતા (૩૬, અધ્યયનનાં)’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, શ્રાવણ વદ ૮, રવિવાર), ‘અગડદત્તકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯), ‘મેતાર્યઋષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૪), ‘અર્હદાસ-પ્રબંધ’, ૧૦૭ કડીની ‘રસમંજરી’, ૫૮૦ કડીની ‘હંસરાજવચ્છરાજ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૧૯) તથા સંસ્કૃતકૃતિ ‘મેઘદૂતવૃત્તિ’ (ર.ઈ.૧૬૦૭)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૬. જૈહાપ્રોસ્ટા. [કી.જો.]

મહિમસુંદર/મહિમાસુંદર(ગણિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સાધુકીર્તિના શિષ્ય. ‘નેમિ-વિવાહલો’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, ભાદરવા સુદ ૯), ૧૧૬/૧૧૭ કડીનો ‘શત્રુંજ્યતીર્થરાસ/શત્રુંજ્યતીર્થોદ્ધાર’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, જેઠ સુદ ૯) તથા ૧૫૧ કડીની ‘સનત્કુમાર ચક્રવર્તી ધમાલ’ - એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પ્રાકારૂપરંપરા; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

મહિમા : આ નામે ૩-૩ કડીનાં ૪ ‘ઉપદેશક-ગીતો’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા મહિમા-છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

મહિમા/મહિમા(સૂરિ)-૧ [ઈ.૧૬૬૬માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. ગુજરાત અને મારવાડની તીર્થયાત્રાના નિરૂપણ સાથે જૈન મંદિરો તથા મૂર્તિઓની સંખ્યા આપતી ૫૪ કડીની ‘ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ-૩, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧, ૩; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૨.[ર.ર.દ.]

મહિમા(મુનિ)-૨ [                ] : જૈન સાધુ. વિજ્યમાનસૂરિના શિષ્ય. ૧૪ કડીના ‘નેમિદ્વાદશ-માસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

મહિમાઉદય [ઈ.૧૬૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં મતિહંસના શિષ્ય. ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, માગશર સુદ ૧૩, ગુરુવાર), ‘ષટપંચાશિકાવૃત્તિ બાલાવબોધ’, રાજસ્થઆની ભાષામાં રચાયેલ ‘ખેટસિદ્ધિ’, ‘ગણિત સાઠી સો દોહા’, ‘પ્રેમજ્યૌતિષ’ તથા સંસ્કૃત ભાષામાં રચાયેલા ‘જ્યોતિષરત્નાકર’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૨; ૬. રાપુહસૂચી : ૪૨; ૭. રાહસૂચી : ૧. [ર.ર.દ.]

મહિમાણંદ [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૨૩ કડીની ‘અંગસ્ફુરણવિચાર’ (ર.ઈ.૧૫૮૩; મુ.) નામની રચનાના કર્તા. કૃતિ : જૈસમાલા(શા) : ૨. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

મહિમાપ્રભ(સૂરિ) : આ નામે ૧૪ કડીની ‘તેર કાઠિયા-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૧૧ કડીની ‘નવવાડ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) તથા મધુબિંદુ, અઢારનાતરાં અને ધન્નાશાલિભદ્ર આદિની સઝાયો મળે છે. આ મહિમાપ્રભ તે મહિમાપ્રભ-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

મહિમાપ્રભ(સૂરિ)-૧ : જુઓ મહિમાપ્રભશિષ્ય ભાવપ્રભ.

મહિમામેરુ [ઈ.૧૬૧૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વાચક સુખનિધાનના શિષ્ય. ‘નેમિરાજુલ-ફાગ’ના કર્તા. કવિ મહિમામેરુએ ઈ.૧૬૧૫માં પદ્મરાજકૃત ‘ચોવીસજિનકલ્યાણક-સ્તવન’ની પ્રત લખી હતી એવો ઉલ્લેખ ‘જૈન ગૂર્જર કવિઓ’માં મળે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

મહિમાવર્ધન [ઈ.૧૭૪૦માં હયાત] : જૈન સાધુ. કુલવર્ધનના શિષ્ય. ‘ધનદત્ત-રાસ’ (ર.ઈ.૧૭૪૦/સં.૧૭૯૬, જેઠ વદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]

મહિમાસમુદ્ર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, જેઠ વદ-), ‘ઉત્તમકુમાર (નવરસસાગર)’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, કારતક વદ ૧૨), ‘વસુદેવ-ચોપાઈ’, ‘રુક્મિણીચોપાઈ’ તથા ‘ઋષિદત્તા-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [ર.ર.દ.] મહિમાસાગર : આ નામે ‘ગજસુકુમાલઋષિ-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૨૧ કડીની ‘પાર્શ્વનાથનાથ-કલશ’ નામની કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મહિમાસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

મહિમાસાગર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જ્યકેસરીસૂરિ (અવ. ઈ.૧૪૮૬)ના શિષ્ય. ૨૩૭૫ કડીના ‘શ્રાવક-ષડાવશ્યકસૂત્ર’ ગ્રંથ પરના ‘બાલાવબોધ વિવહરણ સંક્ષેપાર્થ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

મહિસાગર(વાચક)-૨ [ઈ.૧૫૪૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ખેમકલશના શિષ્ય. ૫૮ કડીની ‘નવવાડ-સઝાય’ [લે.ઈ.૧૫૪૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

મહિમાસાગર-૩ [ઈ.૧૬૬૩માં હયાત ] : જૈન સાધુ. ‘ચતુર્વિંશતિ જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]

મહિમાસિંહ  : જુઓ મહિમસિંહ.

મહિમાસુંદર  : આ નામે ૧૦ કડીની ‘મેતરાજમુનિ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) મળે છે તેના કર્તા કયા મહિમાસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી.[ર.ર.દ.]

મહિમાસુંદર(ગણિ)-૧ : જુઓ મહિમસુંદર.

મહિમાસેન : જુઓ મહિમસિંહ.

મહિમાહર્ષ [                ] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. ૩ કડીના ‘જિનસમુદ્રસૂરિ-ગીત’(મુ.) તથા ૮ ઢાળ અને ૩૨ કડીના ‘ગુરુજિનગર્ભિત ચતુર્વિંશતિ-સ્તોત્ર’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.);  ૨. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-સપ્ટે. ૧૯૧૫-‘ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી’, હરગોવિંદદાસ ત્રિ. શેઠ. [ર.ર.દ.]

મહિમાહંસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. ૧૧ કડીના ‘જિનહર્ષસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ જિનહર્ષસૂરિની હયાતીમાં, તેમને ઈ.૧૮૦૦/સં.૧૮૫૬ જેઠ સુદ ૧૫ના દિવસે સૂરિપદ મળ્યું તે પછીની તેમની બીકાનેર યાત્રાસમયે રચાઈ છે. આ હકીકતને લક્ષમાં લેતાં કવિ મહિમાહંસ ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં હયાત હશે એવું અનુમાન થઈ શકે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).[ર.ર.દ.]

મહીકલશ [                ] : જૈન સાધુ. જિનસોમસુંદરસૂરિના શિષ્ય. ૨૩ કડીના ‘આદિનાથ-સ્તવન’ (વડનગરમંડન-જીવિતસ્વામી)’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ગી.મુ.]

મહીદાસ [અવ.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦ આસો સુદ ૧૧] : કવિ મોરબી નજીક આવેલા બગથળા ગામના રહેવાસી હતા. તેમણે કૃષ્ણ અર્જુનના સંવાદ રૂપે ક્યાં કુકર્મો કરવાથી કયાં દુ:ખ ભોગવવાં પડે છે તે વિશેની માહિતી આપતી ૧૨૦ કડીની ‘કર્મગીતા’(મુ.) તથા અન્ય પદોની રચના કરી છે. કૃતિ : સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૮૬-‘મહીદાસ રચિત કર્મગીતા’ સં. દેવદત્ત જોશી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, સં. ૨૦૧૭;  ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાત પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ.[કી.જો.]

મહીન્દ્રસિંહ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૭ કડીની ગહૂંલી(મુ.)ના કર્તા. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ; ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧.[કી.જો.]

મહીમેરુ [                ] : અંચલગચ્છના જૈન સાધુ. ૯૪૩ કડીના ‘આરાધનાવિધિ’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]

મહીરત્ન [                ] : જૈન. ‘નવતત્ત્વ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ગી.મુ.]

મહીરાજ : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘આબુધરા-છત્રીસી/આબુધરા-બત્રીસી’ (લે. સં. ૧૮મી સદી) મળે છે તેના કર્તા મહીરાજ-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨, ૫૧; ૨. રાહસૂચી : ૧, ૨. [કી.જો.]

મહીરાજ(પંડિત)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ/શ્રાવક. ધર્મરત્નસૂરિની પરંપરામાં વિનયમંડનગણિ ઉપાધ્યાયના શિષ્ય. જૈન પરંપરાની નલકથાનું નિરૂપણ કરતા, હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ તથા દેવપ્રભસૂરિકૃત ‘પાંડવચરિત્ર’ પર આધારિત, ઋષિવર્ધનના ‘નલરાયદવદંતી-ચરિત’નો સ્પષ્ટ પ્રભાવ દાખવતી, તેમ છતાં સ્વકીય કવિત્વશક્તિનો અત્રતત્ર પરિચય આપતી દુહા, ચોપાઈ અને અન્ય ઢાળોમાં બદ્ધ ૧૨૫૪ કડીની ‘નલદવદંતી-રાસ’(ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, ભાદરવા સુદ ૯; મુ.) તથા ૫૩૨ કડીની ‘અંજના સુંદરી-રાસ’ (ર.ઈ.૧૫૫૮) એ કૃતિઓના કર્તા. ‘નલદવદંતી-રાસ’ કવિએ પોતે જ ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, કારતક વદ ૨, સોમવારના રોજ લખ્યાનું આ રાસની પુષ્પિકામાંથી જાણવા મળે છે. આ રાસ પૂર્વે આ વિષય પર રચાયેલા ગુજરાતી રાસોમાં ગુણવત્તા ને રસવત્તાએ ચડિયાતો છે. કૃતિ : મહીરાજકૃત નલ-દવદંતીરાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪ (+સં.). સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૭૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦; ૪. સાહિત્યસંસ્પર્શ, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, ઈ.૧૯૭૯;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૧-‘મહીરાજકૃત નલદવદંતી-રાસ’, રમણલાલ ચી. શાહ;  ૬. મુપુગૂહસૂચી.[ભો.સાં.]

મહેરાજ  : જુઓ ‘ઇન્દ્રાવતી’.

મહેશ(મુનિ) [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ગુજરાતી-હિન્દી-મિશ્ર ભાષામાં ૩૪ કડી, દુહાબદ્ધ ‘અઢાર-બત્રીસી/કક્કા-બત્રીસી’ (ર.ઈ.૧૬૬૯; મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

મહેશ્વર-૧ [                ] : ૪૦ કડીની ‘કામણિયા’ નામક કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.[કી.જો.]

મહેશ્વર(સૂરિ)-૨ [                ] : જૈન સાધુ. ૩૫ કડીની ‘સંજમમંજરી’ એ કૃતિના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૧-‘એક અલભ્ય મહાકાવ્ય કે ખોજકી આવશ્યકતા’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]

મહેશ્વર(સૂરિ)શિષ્ય [ઈ.૧૫૭૪માં હયાત] : દેવાનંદગચ્છના જૈન સાધુ. ૨૫૫ કડીના ‘ચંપકસેન-રાસ’ (ર.ઈ.૧૫૭૪/સં.૧૬૩૦, અસાડ સુદ ૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]

મહોદયવિમલ [ઈ.૧૮૩૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઋષિવિમલની પરંપરામાં વીરવિમલના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૨; મુ.) ૬ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’(મુ.) તથા ૭ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, સં. ૧૯૭૨; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [શ્ર.ત્રિ.]


મંગલ(સૂરિ)-૧ : જુઓ જયમંગલ(સૂરિ)-૧. મંગલ-૨[ ] : ‘ઘ્રુવાખ્યાન’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[કી.જો.]

‘મંગલકલશચરિત્ર-ચોપાઈ/રાસ’ : મુખ્યત્વે દુહા-ચોપાઈમાં રચાયેલા ૧૩૫ કડીના આ રાસનો રચનાસમય ઉપલબ્ધ નથી. એના કર્તા સર્વાનંદસૂરિ છે, પરંતુ એ સર્વાનંદસૂરિ કયા તે નિશ્ચિત કરવું મુશ્કેલ છે. ‘ગુજરાતના સારસ્વતો’ એ ધનપ્રભસૂરિશિષ્ય કોઈ સર્વાનંદસૂરિ આ કૃતિના રચયિતા હોવાનું જણાવ્યું છે. પરંતુ એના પરથી કર્તૃત્વની કોઈ વિશેષ સ્પષ્ટતા કરી શકાય એવું નથી. કૃતિની ભાષા અને તેની જૂનામાં જૂની ઈ.૧૪૫૮ની ઉપલબ્ધ થતી પ્રતને આધારે કૃતિ ઈ.૧૪મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન થયું છે. અવંતીનગરીના રાજા વયરસિંઘના પુત્ર મંગલકલશના વિલક્ષણ સંજોગોમાં ચંપાપુરની રાજકુંવરી ત્રિલોકસુંદરી સાથે થયેલા લગ્નની કથાને આલેખતી આ કૃતિમાં મંગલકલશ અને ત્રિલોકસુંદરીનાં પાત્રો ઠીકઠીક ઊપસ્યાં છે. તત્કાલીન સમાજચિત્ર એમાં કેટલુંક ઊપસતું હોવાને લીધે પણ એ ધ્યાનાર્હ બને છે. [જ.ગા.]

‘મંગલકલશ-રાસ’ [ર.ઈ.૧૬૯૩] : માનવિજયશિષ્ય દીપવિજય/દીપ્તિવિજયની ૩ અંક (=ખંડ) અને દુહાદેશીબદ્ધ ૩૧ ઢાળોમાં વિસ્તરેલી, કથાઆલેખનની દૃષ્ટિએ રસપ્રદ કૃતિ(મુ.) છે. પ્રધાનપુત્ર કોઢિયો હોવા છતાં એ અતિસ્વરૂપવાન હોવાની વાત ફેલાવી ગોત્રજા દેવીની મદદથી ઉજ્જયિનીના શ્રેષ્ઠીપુત્ર મંગલકલશને ઉપાડી લાવી રાજકુંવરી ત્રૈલોક્યસુંદરી સાથે એને પરણવા બેસાડી દેવાય છે. મંગલકલશ કુંવરીને કેટલાક સંકેતો આપી લગ્ન પછી દૂર દેશમાં જતો રહે છે. એ પછી કોઢિયા પતિને જોતાં જ ત્રૈલોક્યસુંદરીને મંગલકલશના સંકેતનો અર્થ સમજાઈ જાય છે ને એ પુરુષવેશે એને શોધવા નીકળે છે. બહુ મુશ્કેલીઓ પછી બંને મળે છે. લગ્ન કરે છે. જીવનમાં પડેલાં દુ:ખોનું કારણ પૂર્વજન્મનાં પાપ હતાં એ જાણી અંતે બંને દીક્ષા ગ્રહે છે. મંગલકલશ ત્રૈલોક્યસુંદરીનો વિયોગ ને એમનાં પુનર્મિલન વચ્ચેની કથામાં કવિએ લોકવાર્તાની રીતે અનેક ઉપકથાનકો ગૂંથ્યાં છે. શૃંગાર, અદ્ભુત ને શાન્તરસનું વૃતાન્ત ધરાવતી આ કૃતિ કૌતુકભર્યા ને ચમત્કારપૂર્ણ પ્રસંગોથી તેમજ પ્રાસાદિક વર્ણનાદિકથી રસપ્રદ બનેલી છે. આ કૃતિ બીજા ખંડને અંતે ર.સં.૧૭૪૯ (ઈ.૧૬૯૩) ઉપરાંત આસો સુદ ૧૫ એ તિથિ પણ બતાવે છે. [ર.સો.]

મંગલધર્મ/જ્ઞાનરુચિ [ઈ.૧૪૬૯માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં ઉદયધર્મના શિષ્ય. ૩૨૧ કડીના ‘મંગલકલશ-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૬૯)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય: રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. કૅટલૉગગુરા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[કી.જો.]

મંગલપ્રભ : જુઓ વિનયપ્રભસૂરિ.

મંગલમાણિક્ય/મંગલમાણેક(વાચક) [ઈ.૧૫૮૨માં હયાત] : આગમગચ્છની વિડાલંબશાખાના જૈન સાધુ. મુનિરત્નસૂરિની પરંપરામાં ઉદયસાગરના શિષ્ય. ભાનુભટ્ટ કવિના વિદ્યાગુરુ હતા. ૭ આદેશની ૨૬૪૧ કડીમાં કૌતુકરસ જાળવતી ‘આંબડકથાનક-ચોપાઈ/અંબડ વિદ્યાધર-રાસ’  (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૯, કારતક સુદ ૧૩; મુ.) તથા ૪૩૨ કડીની ‘વિક્રમરાજ અને ખાપરાચોરનો રાસ/વિક્રમખાપરાતસ્કર-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, મહા સુદ ૭, રવિવાર)ના કર્તા. કૃતિ : અંબડ વિદ્યાધરરાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ઈ.૧૯૫૩ (+સં.). સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી.

મંગળદાસ [       ]: પદોના કર્તા. સંદર્ભ: ૧. ગૂહાપાદી, ૨. ફૉહનામાવલિ.[કી.જો.]

મંગળીબાઈ [                ] : પાટણનાં વતની. જ્ઞાતિએ નાગર. તેમણે કેટલાંક છૂટક પદોની રચના કરી છે. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]

મંછારામ : આ નામે આદ્યશક્તિની સ્તુતિ કરતું ૧ પદ(મુ.) તથા અન્ય ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા મંછારામ છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કૃતિ : ૧. શ્રીમદ્ભગવતીકાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૨. સમાલોચક, પુ. ૧૬ અંક-૩. સંદર્ભ : સતસંદેશ શક્તિઅંક-.[દ.દ. , ર.સો.]

મંછારામ-૧ [ઈ.૧૮૦૧માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. વડોદરાની પાસે વાઘોડિયાના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. નિરાંતે તેમને પદ રૂપે લખેલા પત્ર (ર.ઈ.૧૮૦૧) પરથી એમનો સમય નિશ્ચિત થઈ શકે છે. પ્રારંભમાં નિરાંતના ટીકાકાર, પરંતુ પાછળથી નિરાંતના શિષ્ય. કૃષ્ણગોપીના વિરહનું ૧ ‘તિથિકાવ્ય’ તથા બીજાં કાવ્યો તેમણે રચ્યાં હોવાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકામાળા : ૧૦;  ૩. ગૂહાયાદી. [દ.દ. , ર.સો.]

મંછારામ-૨ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : જ્ઞાનમાર્ગી કવિ. સુરતના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. નિરાંતના પ્રમુખ શિષ્યોમાંના એક. સુરતની દૂધારા શેરીની જ્ઞાનગાદીના સ્થાપક. ‘ગુરુમુખવાણી’એ ઈ.૧૮૭૭/સં.૧૯૩૩, અધિક જેઠ વદ ૩, બુધવારને એમના અવસાનદિવસ તરીકે નોંધ્યો છે. તેમનાં હિન્દી-ગુજરાતી ૧૮ પદ(મુ.) મળે છે. કૃતિ : ૧. ગુમાવાણી; ૨. જ્ઞાનોદય પદસંગ્રહ, સં. કેવળરામ કાળુરામ ભગત,- સંદર્ભ : ૧. નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૫૯.[દ.દ. , ર.સો.]

મંજુકેશાનંદ [ઈ.૧૯મી સદીનો પૂર્વાર્ધ-અવ. ઈ.૧૮૬૩/સં. ૧૯૧૯, કારતક વદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. વતન માણાવદર. પિતા વાલાભાઈ પટેલ. માતા જેતબાઈ.મૂળનામ ભીમજીભાઈ હોવાનું અનુમાન. વૈદકનું ઊંડું જ્ઞાન. સત્સંગના પ્રચારાર્થે ઘણાં ગામોમાં મંદિર બંધાવ્યાં. તેમણે રચેલી કૃતિઓમાં કામક્રોધાદિરૂપ અધર્મનું ક્ષમાસંતાષાદિ ધર્મ સાથે યુદ્ધ અને ધર્મની જીતને ૧૧ વિશ્રામોમાં વર્ણવતી ‘ધર્મપ્રકાશ’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, કારતક સુદ ૨; મુ.), ૫૦૦થી વધારે દીક્ષા પામેલા સંતોનાં નામોને દુહા-ચોપાઈ, અને મોતીદામ છંદમાં વર્ણવતી ‘નંદમાલા’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, આસો વદ ૩૦; મુ.), સહજાનંદ સ્વામીના ઇશ્વરીય ચરિત્રને ઉપસાવતી દુહા, સોરઠા, ચોપાઈના ૨૭ અધ્યાયની ‘ઐશ્વર્યપ્રકાશ’ (ર.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, ચૌત્ર સુદ ૯; મુ.), શ્રી હરિ અને પ્રેમાવતી માતાના સંવાદ રૂપે સત્પુરુષલક્ષણ, વર્ણાશ્રમધર્મ, જ્ઞાનવૈરાગ્યભક્તિનું સ્વરૂપ વર્ણવતી, ૫ અધ્યાયની ‘હરિગીતા-ભાષા’ (ર.ઈ.૧૮૩૯/સં.૧૮૯૫, પોષ વદ ૩૦, મંગળવાર; મુ.), પુરાણોમાંથી એકાદશી મહિમાની કથાઓને ૮૪ કડવાં અને વિવિધ રાગનાં ૧૯ પદોમાં રજૂ કરતી ‘એકાદશી-મહાત્મ્ય’ (મુ.)નો સમાવેશ થાય છે. ‘કીર્તનસંગ્રહ’(મુ.)માં કવિનાં ગુજરાતી-હિન્દી પદો સંગૃહિત થયાં છે. ગરબી, ધોળ, તિથિ, થાળ, મહિના ઇત્યાદિ રૂપે મળતાં આ પદોમાં સહજાનંદભક્તિ અને લીલા તથા ભક્તિશૃંગારનું ગાન છે. કેટલાંક જ્ઞાનવૈરાગ્યબોધનાં પદોમાં દૃષ્ટાંતોનો આશ્રય લઈ કવિની વાણી ધર્મને નામે ચાલતાં અનિષ્ટો પર પ્રહાર કરે છે. સંસ્કૃતમાં ‘સ્તોત્રાણિ’ નામથી કેટલાંક સ્તોત્ર કવિએ રચ્યાં છે. કૃતિ : ૧. મંજુકેશાનંદકાવ્યમ્, સં. કૃષ્ણસ્વરૂપદાસ, જ્ઞાનપ્રકાશદાસ, ઈ.૧૯૭૧ (+સં.);  ૨. કીરતનસંગ્રહ, પ્ર. મંછરામ ઘેલાભાઈ, ઈ.૧૮૯૦; ૩. ગુકાદોહન; ૪. બૃકાદોહન : ૧; ૫. ભક્તિ, નીતિ તથા વૈરાગ્યબોધક કવિતા : ૧, પ્ર. મુંબઈ સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૬. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસાપઅહેવાલ : ૫; ૫. ગુસામધ્ય; ૬. ગુસારસ્વતો; ૭. પ્રાકકૃતિઓ : ૮. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૯. મસાપ્રવાહ; ૧૦. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯;  ૧૧. ગૂહાયાદી.[ચ.મ. , શ્ર.ત્રિ.]

માઇદાસ : આ નામે રાજસ્થાની-ગુજરાતી ભાષામાં ‘અંબરિષિ-રાસ’ મળે છે તેના કર્તા માઇદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧.[શ્ર.ત્રિ.]

માઇદાસ-૧[                ] : ખરતરગચ્છના વેગડશાખાના જૈન સાધુ. ૮ કડીની ‘જિનસમુદ્રસૂરિ-ગતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. સૂર્યપૂરરાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૩. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-સપ્ટે. ૧૯૧૫-‘ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી’, હરગોવિંદદાસ ત્રિ. શેઠ.[શ્ર.ત્રિ.]

માઉણ(?) [                ] : ‘શામલશેઠ’ કૃતિના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]

માણક(મુનિ) [ ] : જૈન સાધુ. જિનલાભ-સૂરિના શિષ્ય. ૧૧ કડીની ‘જિનલાભસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. આ કૃતિ જિનલાભસૂરિ (અવ.ઈ.૧૭૭૮)ની હયાતીમાં રચાઈ હોવાની શક્યતા છે અને તે પરથી કર્તા ઈ.૧૮મી સદીમાં હયાત હોઈ શકે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. [ર.ર.દ.]

માણદાસ/માણવદાસ [                ] : કેટલાંક પદો (૧ મુ.)ના કર્તા. કૃતિ : ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ. [શ્ર.ત્રિ.]

માણંદ(ભગત) [ઈ.૧૯મી સદી] : હરિજન કવિ. જ્ઞાતિએ ચમાર. કામરોળ (જિ.ભાવનગર)માં નિવાસ. બાળકસાહેબ (જ.ઈ.૧૮૦૧-અવ. ઈ.૧૯૦૬)ના શિષ્ય. કેટલાંક ભજનો (૫ કડીનું ૧ ભજન મુ.)ના કર્તા. કૃતિ : સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭.[શ્ર.ત્રિ.]

માણિક/માણિક્ય(મુનિ) (સૂરિ) : આ નામે ૭ કડીની ‘માંકણ-ભાસ/સઝાય’ (મુ.), ફાગબદ્ધ ‘નેમિ-ચરિત્ર’ (લે.ઈ.૧૭૦૭), ૧૩૫૦ કડીની ‘યશોધરચરિત્ર-સ્તબક’ (લે.ઈ.૧૭૪૨), ૧૮ કડીની ‘રાજિમતી ઉપાલંભ-સ્તુતિ’, ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૭૮૨), ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’, ૭ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૫ કડીની ‘બાહુબલ-સઝાય’, ૨૫ કડીની ‘ઇલાચીકુમાર-સઝાય’, ૨૩ કડીની ‘અણગસવર્ણન-ગીત/આશ કી વેણ’, ‘અમલવર્ધન/અફિણ-સઝાય’, ‘નવતત્ત્વપ્રકરણ-વાર્તિક’ (ર.ઈ.૧૭૭૧) તથા ૮ કડીની ‘ચોવીશ તીર્થંકરની આરતી’(મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા માણિક/માણિક્ય છે તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. સમજઝાયમાલા(શ્રા) : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈમગૂકરચનાએં : ૧; ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

માણિકરાજ [ઈ.૧૪૩૪માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નશેખરની પરંપરામાં સંયમરાજસૂરિના શિષ્ય. ૪૮૩/૪૮૭ કડીના ‘દમયંતી-રાસ/નલદમયંતીચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૪૩૪)ના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

માણિક્યવિજ્ય [ઈ.૧૬૭૩માં હયાત] : જૈન સાધુ. મેરુવિજ્યના શિષ્ય. ‘કયરવાડા વીર-સ્તુતિ’ના કર્તા. કવિ ઈ.૧૬૭૩માં હયાત હોવાની માહિતી મળે છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કી.જો.]

માણિક્ય(ગણિ) [ઈ.૧૬૮૮ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જિનહંસના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૬૮૮)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[કી.જો.]

માણિક્યચંદ્ર(સૂરિ) : જુઓ માણિક્યસુંદર-૧.

માણિક્યરત્ન [                ] : જૈન સાધુ. ૧૩૭ કડીના ‘મહાવીરજિનસ્તવન’ના ક્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

માણિક્યવિજ્ય/માણેકવિજ્ય [ઈ.૧૬૮૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક શાંતિવિજ્યની પરંપરામાં ક્ષમાવિજ્ય/ખિવાવિજ્ય-હેમવિજ્યના શિષ્ય. ૧૪ ઢાળમાં ૧૦૭ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’ (ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર; મુ.) ૨૨/૨૩ કડીની ‘અમલવર્ણન-સઝાય’(મુ.), ‘ચોવીશી’, ‘નેમિરાજિમતી પંદરતિથિ’ તથા ૧૧ ઢાળમાં ૧૨૭ કડીની ‘પર્યુષણપર્વનાં નવ વ્યાખ્યાનો અથવા કલ્પસૂત્રની સઝાય/પર્યુષણપર્વ વ્યાખ્યાનની સઝાય’(મુ.) ‘વૈરાગ્ય-ગીત’ નામની કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. જૈસસંગ્રહ; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રામબાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસાસ્વરૂપો; ૩. જૈગૂસારત્નો : ૧; ૪. જૈસાઇતિહાસ;  ૫. સ્વાધ્યાય, નવે. ૧૯૭૨-‘નેમરાજુલબારમાસા’, શિવલાલ જેસલપુરા;  ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી. [ર.ર.દ.]

માણિક્યવિમલ/માણેકવિમલ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દેવવિમલની પરંપરામાં વિનયવિમલના શિષ્ય. ૭ ઢાળની ‘શાશ્વતજિનભુવન-સ્તવન/શાશ્વતાશાશ્વતજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર; મુ.) તથા ૮૪ કડીની ‘અતીતઅનાગત-વર્તમાન-ચોવીસી/બહોંતેરજિન-સ્તવન’ના કર્તા. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

માણિક્યસાગર-૧ : જુઓ જ્ઞાનસાગર-૪.

માણિક્યસાગર-૨ [ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિના ભાઈ ક્ષીરસાગરના શિષ્ય. ૭ ઢાલના ‘કલ્યાણસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, ફાગણ વદ ૫, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : જેઐકાસંચય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).[ર.ર.દ.]

માણિક્યસુંદર(સૂરિ)-૧/માણિક્યચંદ્ર(સૂરિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. મેરુતુંગસૂરિના શિષ્ય. કર્તા સંસ્કૃતના વિદ્વાન તથા સમર્થ ગુજરાતી ગદ્યકાર હતા. તેમની કૃતિઓ આ પ્રમાણે છે : કથાસરિતસાગર પર આધારિત રાજા પૃથ્વીચંદ્ર અને રાણી રત્નમંજરીના ચરિત્રોના આશ્રયે પુણ્યકર્મોના સત્પ્રભાવને બોલીબદ્ધ અદ્ભુતરસરંગી ગદ્યાત્મક ધર્મકથા રૂપે નિરૂપતી ૫ ઉલ્લાસમાં વિભાજિત ‘પૃથ્વીચંદ્રચરિત્ર/વાગ્વિલાસ’ (ર.ઈ.૧૪૨૨/સં.૧૪૭૮, શ્રાવણ સુદ ૫, રવિવાર; મુ.), અનુષ્ટુપ, આર્યા, શાર્દૂલવિક્રીડિત અને શિખરિણીના ૧૭ સંસ્કૃત શ્લોક અને અઢૈઉ, ફાગુ તથા રાસ જેવા છંદોમાં ગુજરાતી ૭૪ શ્લોક એમ કુલ ૯૧ શ્લોકની અર્થાલંકારો અને મંજુલ પદાવલીયુક્ત ‘નેમિનાથકુમારરાજિમતી-ચરિત્ર-ફાગ/નેમીશ્વરચરિત-ફાગ’ (ર.ઈ.૧૪૨૨ આસપાસ; મુ.), ‘સુબાહુ-ચરિત્ર’, ‘સત્તરભેદી/સપ્તપ્રકારકથા’ (ર.ઈ.૧૪૨૮), ૨૨ કડીનું ‘વિચારસાર-સ્તવન’, ‘પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘અજાપુત્ર કથાનક’ એમની ગુજરાતી કૃતિઓ છે. એ ઉપરાંત ૯ સર્ગમાં વિભાજિત ૧૬૮૫ કડીઓ ધરાવતું મહાકાવ્ય ‘શ્રીધર-ચરિત્ર’(ર.ઈ.૧૪૦૭), ‘ચંદ્રધવલ-ધર્મદત્ત-કથા’ (ર.ઈ.૧૪૨૨; મુ.), ભગવાન મહાવીરે રાજગૃહનગરમાં રાજા શ્રેણિકને ઉપદેશ રૂપે કહેલ કથાઓને વર્ણવની ૧૯૪૮ કડીની ‘ગુણવર્મચરિત’ (ર.ઈ.૧૪૨૭), ‘ચતુ:પર્વીચમ્પુ/કથા’(ર.ઈ.૧૪૨૮ પહેલાં), ૪ સર્ગનું ‘મહાબલમલયસુંદરી-ચરિત’, ૧૪ સર્ગનું મહાકાવ્ય ‘યશોધર-ચરિત’ તથા ‘શુરાજ-કથા’ એ સંસ્કૃત કૃતિઓ છે. ‘જૈનકુમારસંભવ’ તથા જૈન મેઘદૂત ઉપરની અનુક્રમે જ્યશેખરસૂરિ અને શીલરત્નસૂરિ(ર.ઈ.૧૪૪૫) એ રચેલ સંસ્કૃત ટીકાના સંશોધનો એમણે કર્યા છે. માણિક્યસૂરિને નામે નોંધાયેલી ‘સાહિત્યસંગ્રહકથાવાર્તા’(ર.ઈ.૧૪૪૪) કૃતિ પણ એમની હોવાની શક્યતા છે. કૃતિ : ૧. પૃથ્વીચંદ્રચરિત, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી, અનસૂયા ત્રિવેદી, ઈ.૧૯૬૬; ૨. આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ (+સં.); ૩. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬ (+સં.); ૪. પ્રાગૂકાસંગ્રહ : ૩; ૫. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ, સં. જિનવિજ્યજી, સં. ૧૯૮૬;  ૬. વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૭૧-‘પૃથ્વીચંદ્રચરિત્ર’. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૬; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વરૂપો; ૬. જૈસાઇતિહાસ; ૭. પ્રાકારૂપરંપરા; ૮. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫;  ૯. સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૭૯-‘માણિક્યસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્રચરિત્ર’, બિપિન ઝવેરી;  ૧૦. આલિસ્ટઑઇ : ૨; ૧૧. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૧૨. જૈમગૂકરચનાએં-૧; ૧૩. ડિકૅટલૉગભાવિ; ૧૪. દેસુરાસમાળા; ફૉહનામાવલિ; ૧૫. મુપુગૂહસૂચી; ૧૬. રાહસૂચી : ૧; ૧૭. લીંહસૂચી.[ર.ર.દ.]

માણિક્યસુંદર(ગણિ)-૨ [ઈ.૧૪૫૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. ‘ભવભાવનાસૂત્ર-બાલાવબોધ, (ર.ઈ.૧૪૪૫/સં.૧૫૦૧, કારતક સુદ ૧૩, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૨).[ર.ર.દ.]

માણેક/માણેકવિજ્ય : આ નામે ૩૭ કડીની ‘નિસાણીસ્તવન’, ૬ કડીની ‘આદિજિન/આદિનાથ-આરતી’ (મુ.), ૧૮ કડીની ‘સ્ત્રીના અવગુણની સઝાય’(મુ.), ૬ કડીનું ‘સિદ્ધાચલનું સ્તવન’(મુ.), ૭/૯ કડીનું ‘પરસનાથ/પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૮ કડીનું ‘સિદ્ધચક્રનું ચૈત્યવંદન’(મુ.), ૪/૫ કડીનાં ૨ ‘જિનસ્તવન’, ‘અષ્ટકર્મ પ્રવૃત્તિવિચાર’, ૯ કડીનું ‘પર્યુષણા-સ્તવન’ તથા કેટલાક સુભાષિત (મુ.) મળે છે, પરંતુ આ કૃતિઓના કર્તા કયા માણેક/માણેકવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિનગુણ પદ્યાવલી, પ્ર. શાહ વેણીચંદ સુ; ઈ.૧૯૨૫; ૩. જિસ્તમાલા; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈકાસંગ્રહ; ૬. જેરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(જૈ); ૮. જૈસસંગ્રહ(ન); ૯. પ્રાસપસંગ્રહ; ૧૦. મોસસંગ્રહ;  ૧૧. જૈનયુગ, અષાડ-શ્રાવણ અને બંને શ્રાવણ ૧૯૮૪-‘જૂનાં સુભાષિતો’ સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

માણેકચંદ્ર : જુઓ મનજી (ઋષિ).

માણેકદાસ [                ] : ૫૨ કડીની ‘અજગર-પ્રહ્લાદ-સંવાદ’ કૃતિના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]

માણેકવિજ્ય-૧ : જુઓ માણિક્યવિજ્ય. માણેકવિજ્ય-૨ [ઈ.૧૭૬૯માં હયાત] : તપગચ્છના હીરવિજ્યસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૫ કડીની ‘નેમરાજુલની પંદર તિથિ’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, આસો સુદ ૮) તથા ૧૩ કડીના ‘ઋષભદેવજિનનું પારણું’(મુ.). એ કૃતિઓના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

માણેકવિજ્ય-૩ [ઈ.૧૮૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજ્યના શિષ્ય. ૧૭ ઢાળની ‘સ્થૂલિભદ્રકોશ્યાસંબંધરસવેલિ’ (ર.ઈ.૧૮૧૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૨(૧).[ર.ર.દ.]

માણેકવિજ્ય(મુનિ)-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : આ નામે મળતી ‘ચોવીસી’ (લે.સં.૧૭૮૮), ૭ કડીનું ‘સીમંધરજિન-ચૈત્યવંદન/સિમંધરસ્વામીનું સ્તવન’(મુ.) તથા ૭ કડીનું ‘સિદ્ધચક્રનું ચૈત્યવંદન’(મુ.)માં રૂપવિજ્યનો ગુરુ તરીકે ઉલ્લેખ છે. ૫ કડીની ‘જ્ઞાનરસપીજોની સઝાય’, ૪ ચોકમાં ૧૬/૧૮ કડીની ‘નેમિનાથની લાવણી/નેમિરાજુલચારચોક’(મુ.), ‘પંચમીતિથિ સ્તુતિ-ચતુષ્ક, (મુ.), ‘પુણ્યની સઝાય’(મુ.), ૧૩ કડીનું મૌન એકાદશીનાં દોઢસો કલ્યાણકનાં નામનું ચૈતન્યવંદન (મુ.) ૫ કડીનું ‘સિદ્ધાચલજીનું સ્તવન’(મુ.) અને ૫ કડીની ‘સુણ પ્રાણીડાની સઝાય’(મુ.)માં રૂપકીર્તિનો ગુરુ તરીકે ઉલ્લેખ છે તથા ૭ કડીના ‘ઋષભજિન-સ્તવન/શત્રુંજ્ય-સ્તવન/સિદ્ધાચલજીનું સ્તવન’(મુ.)માં ગુરુનામ કીર્તિ મળે છે. તપગચ્છનાં જિનવિજ્ય-ઉત્તમવિજ્ય-પદ્મવિજ્ય-રૂપવિજ્ય(અવ.ઈ.૧૮૫૪)-કીર્તિવિજય આમ ગુરુપરંપરા મળે છે. આ પરથી માણેકવિજ્ય જિનવિજયની પરંપરામાં રૂપવિજય/રૂપકીર્તિના શિષ્ય જણાય છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧ : ૧, ૩; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. જિસ્તમાલા; ૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૫. બૃકાદોહન : ૭; ૬. મોસસંગ્રહ; ૭. રત્નસાર : ૩; ૮. સિસ્તવનાવલી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

માણેકવિજ્ય-૫ [ઈ.૧૯૦૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘ચૌદગુણઠાણાની ભાષા’ (લે.ઈ.૧૯૦૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

માણેકવિજ્ય-૬ [                ] : જૈન સાધુ. વિજ્યરાજસૂરિના શિષ્ય. ‘સોમકરણ મણિયાશાનો રાસ’(મુ.)ના કર્તા. કૃતિ: જિનેન્દ્રગુણપ્રકાશક સ્તવનાદિ સંગ્રહ: ૧, પ્ર. ભોગીલાલ સાકલચંદ, ઈ.૧૯૩૩.[કી.જો.]

માણેકવિજ્યશિષ્ય [                ] : જૈન સાધુ. ૨૫૩ કડીની ‘હરિશ્ચંદ્રપ્રબંધ-રાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

માણેકવિમલ : જુઓ માણિક્યવિમલ


માધવ/માધવદાસ/માધોદાસ : માધવને નામે કૃષ્ણવિરહના ‘સાત વાર’(મુ.), ‘કૃષ્ણવિરહના બારમાસ’, ‘કૃષ્ણનું પારણું’, ‘કક્કો’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, આસો વદ ૯, મંગળવાર) અને પદો મળે છે, તથા ૨૩ કડીનો ‘કલ્યાણજીનો સલોકો’ નામે જૈન કૃતિ મળે છે. માધવદાસને નામે મળતી ૧૦ પદનો ‘વિઠ્ઠલનાથજીનો વિવાહ’(મુ.) ને ‘કૃષ્ણરાધાની સોગઠી’(લે.ઈ.૧૭૯૯) કૃતિઓ માધવદાસ-૨ની હોવાની સંભાવના છે. એ સિવાય આ નામે ૨૬ કડીની ‘ગોકુળલીલા’(મુ.), ‘શ્રીનાથજી મહારાજના શણગારનું પદ’ તથા કેટલાંક પદ(મુ.) મળે છે. મધોદાસને નામે વ્રજમાં રચાયેલાં કૃષ્ણભક્તિનાં પદ(૮ મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા માધવ/માધવદાસ/મધોદાસ છે તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ (માસ્તર), ઈ.૧૯૨૬; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, સં. અમરચંદ ભોવાન. ઈ.૧૮૭૬; ૩. નકાદોહન; ૪. પુષ્ટિપ્રસાદી, પ્ર. શ્રી ગોવર્ધન સત્સંગ મંડળ, ઈ.૧૯૬૬; ૫. ભસાસિંધુ; ૬. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬. સંદર્ભ  : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.સો.; કી.જો.]

માધવ-૧[ઈ.૧૫૬૫માં હયાત] : આખ્યાનકાર. ‘ચંદ્રહાસ-આખ્યાન’ (ર.ઈ.૧૫૬૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી.[ર.સો.]

માધવ-૨ [ઈ.૧૬૫૦માં હયાત] : પદ્યવાર્તાકાર. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. આ કવિની ‘રૂપસુંદર-કથા’(ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, અધિક અસાડ સુદ ૧૨, રવિવાર; મુ.) સમાસપ્રચુર, સંસ્કૃતમય અને આલંકારિક શૈલીમાં ઘેરા શૃંગારને આલેખતી, વિવિધ અક્ષરમેળ છંદોની ૧૯૨ કડીઓમાં લખાયેલી પ્રેમકથા છે. એનું કથાવસ્તુ પરંપરાપ્રચલિત હોવા છતાં એમાં પ્રસંગ અને ભાવના પલટા મુજબ બદલાતા છંદો પરનું કવિનું પ્રભુત્વ, એમાંની સંસ્કૃત કાવ્યસાહિત્યની અસરવાળી ધૃષ્ટ ને પ્રગલ્ભ રસિકતા, ભાષાની સમૃદ્ધિ, કવિત્વપૂર્ણ શૈલી ઇત્યાદિથી આ કૃતિ મધ્યકાલીન સાહિત્યની એક લાક્ષણિક અને નોંધપાત્ર પદ્યવાર્તા ઠરી છે. કૃતિ : રૂપસુંદરકથા, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૩૪; ઈ.૧૯૭૩ (બીજી આ. , શ્રી યશવંત શુક્લના લેખ સાથે). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પાંગુહસ્તલેખો;  ૫. સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૭૮-‘રૂપસુંદરકથા એક અભ્યાસ’, જિતેન્દ્ર કા. વ્યાસ. [ર.સો.]

માધવ(ઋષિ)-૩ [                ] : એમને નામે ૫ કડીનાં અધ્યાત્મ અનુભવનો મહિમા આલેખતાં ૨ પદ(મુ.) મળે છે એમાં મળતી “કહે માધવ મુનિ જીજી, સંત ભાણ પ્રતાપે રે” પંક્તિ પરથી કવિ રવિભાણ સંપ્રદાયની પરંપરાના હોય એમ લાગે છે. કૃતિ : ૧. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૨. સંતસમાજભજનાવળી : ૨, પ્ર. નાનાલાલ ધ. શાહ,-. [ર.સો.]

માધવ-૪ [                ] : જૈન સાધુ. જ્ઞાનહર્ષના શિષ્ય. ૭ કડીના ‘જિનધર્મસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. [કી.જો.]

માધવજી [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ‘શારદાના શણગારનો ગરબો’ (ર.ઈ.૧૭૨૦/સં.૧૭૭૬, ચૈત્ર-૨, સોમવાર; મુ.) તથા ‘આશાપુરીનો છંદ’ (ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, ચૈત્ર-૧૩, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ.[ર.સો.]

માધવદાસ-૧ [ઈ.૧૫૧૧માં હયાત] : રામકબીર સંપ્રદાયના સંતકવિ. પદ્મનાભના પુત્ર હોવાનું કહેવાય છે, પરંતુ તે માટે આધારભૂત રીતે કહેવું મુશ્કેલ છે. તેમણે પદમવાડીમાં બેસી પદ્મનાભનું ચરિત્ર આલેખતો ‘પદ્મ-કથા’(ર.ઈ.૧૫૧૧, અંશત: મુ.) ગ્રંથ રચ્યો છે. કૃતિ : પદ્મનાભપુરાણ, પ્ર. વૈદ્ય જ્યેષ્ટારામ ગો. જોષી, ઈ.૧૯૧૬. સંદર્ભ : રામકબીરસંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [ર.સો.]

માધવદાસ-૨ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખંભાતના પુષ્ટિમાર્ગીય વણિક વૈષ્ણવ કવિ. અવટંક દલાલ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬) સાથે અડેલમાં પ્રથમ મેળાપ તથા સંભવત: ઈ.૧૫૨૪માં જન્મ અને ઈ.૧૬૦૪માં મૃત્યુ એ એમનાં જીવન વિશે નોંધાયેલાં વર્ષ પરથી તેમનો આયુષ્યકાળ ઈ.૧૬મી સદી અને ૧૭મી સદી પૂર્વાર્ધ વચ્ચે અનુમાની શકાય. સંપ્રદાયમાં મોટા માધવદાસ તરીકે ઓળખાતા ને કોમળ વાણીમાં રસીલાં પદોના રચિયતા તરીકે જાણીતા થયેલા આ કવિએ ગુજરાતી અને વ્રજમાં કૃષ્ણલીલાનાં અને વિઠ્ઠલનાથજી ને ગોકુલનાથજીની સ્તુતિ કરતાં ૧૫ કડીના “વ્હાલો ભલે આવ્યા રે” (મુ.), ૧૮ કડીના ‘કૃષ્ણસ્વરૂપ’(મુ.) કે ૯ કડીના ‘રુક્મિણી-વિવાહ’(મુ.) જેવાં ઘણાં પદોની રચના કરી છે. કૃતિ : ૧. પુષ્ટિપ્રસાદી, પ્ર. શ્રી ગોવર્ધન સત્સંગ મંડળ, ઈ.૧૯૬૬; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૬; ૪. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, સં. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૫. શ્રી રુક્મિણી વિવાહનાં પદ, પ્ર. પંડ્યાબ્રધર્સ, -;  ૬. અનુગ્રહ, એપ્રિલ ૧૯૫૭-‘વ્હાલો ભલે આવ્યા’(કાવ્ય), સં. ચિમનલાલ મ. વૈદ્ય (+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી.[ર.સો.]

માધવદાસ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. જ્ઞાતિએ વાલ્મીક કાયસ્થ. પિતાનું નામ સુંદરરાસ. અંકલેશ્વરના વતની. પછીથી સૂરતનિવાસી. આ કવિની ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, આસો સુદ ૧૪, રવિવાર) અને ‘દશમસ્કંધ’(ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, ભાદરવા વદ ૨, સોમવાર)-એ કૃતિઓનાં રચનાવર્ષોને આધારે કવિ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એમ કહી શકાય. આ કવિની છૂટક છૂટક પ્રાપ્ત થતી આખ્યાનકૃતિઓ-૨૮ કડવાંનું ‘ઓખાહરણ’(મુ.), ૧૭ કડવાંનું ‘કંસવધ’, ‘નાગદમણ’, ૪૧ કડવાંની ‘ભ્રમર-ગીતા’, પદબંધ ‘રાસ-પંચાધ્યાયી’, ૧૭ કડવાંનું ‘રામ-ચરિત્ર/કૃષ્ણબલરામચરિત્ર’ પણ ‘દશમસ્કંધ’(મુ.) તથા ‘લક્ષ્મણાહરણ’(મુ.)-એમના ‘દશમસ્કંધ’ના જ ભાગરૂપ છે. ૨૪ કડવાંનું ‘રામ-ચરિત્ર/કૃષ્ણબલરામચરિત્ર’ પણ ‘દશમસ્કંધ’નો જ ભાગ હોવાની શક્યતા છે. ‘પ્રાચીન કાવ્યસુધા : ૨’માં મુદ્રિત ૨ પદ આ કવિનાં ગણવામાં આવ્યાં છે, પરંતુ વાસ્તવમાં એ પદો માધવદાસ-૨નાં છે. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કવિચરિત : ૧;  ૨. ‘ગુજરાત શાળાપત્ર’, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ રાવળ;  ૩. ૪. કદહસૂચિ : ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે.[ર.સો.]

માધવદાસ-૪ [ઈ.૧૬૮૪માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. શ્રી હરિરાયજીના ભક્ત. ‘રાસવિલાસ’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, માગશર સુદ ૧, શનિવાર; *અંશત: મુ.)ના કર્તા. ‘અનુગ્રહ’, એપ્રિલ ૧૯૫૭ના અંકમાં ‘રાસવિલાસ’ના કર્તા માધવાદાસ તથા શ્રીનાથજી સં. ૧૭૨૮માં વ્રજ છોડી મેવાડ પધાર્યા ત્યારે એ ઐતિહાસિક પ્રસંગને અનુરૂપ કાવ્ય રચનાર માધવદાસને જુદા ગણ્યા છે, પરંતુ ‘પુષ્ટિમાર્ગીય જૂના ગુજરાતી સાહિત્યકારો વિશે કંઈક’ બંને માધવદાસને એક ગણતા લાગે છે. કૃતિ : *અનુગ્રહ, મે ૧૯૫૨-, સં. ચિમનલાલ મ. વૈદ્ય. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. અનુગ્રહ, એપ્રિલ ૧૯૫૭-‘વ્હાલો ભલે આવ્યા’(કાવ્ય), સં. ચિમલાલ મ. વૈદ્ય (+ સં.). [ર.સો.]

માધવદાસ-૫ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથના ભક્ત. સુલતાનપુરના વતની. શ્રી ગોકુળનાથના અવસાન (સં.૧૬૯૭) વખતે તેઓ વિદ્યમાન હતા એમ નોંધાયું છે. નાના માધવદાસ તરીકે સંપ્રદાયમાં જાણીતા આ કવિએ ગોકુલેશ પ્રભુના ભક્તોની નામાવલિ અને બીજાં ધોળની રચના કરી છે. સંદર્ભ : ૧. ગોપ્રભકકવિઓ; ૨. પુગુસાહિત્યકારો;  ૩. ડિકૅટલૉગભાવિ.[ર.સો.]

માધવદાસ-૬ [સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[ર.સો.]

માધવરામ(મહારાજ)-૧ [જ.ઈ.૧૮૦૩-અવ.ઈ.૧૮૭૮/સં. ૧૯૩૪, માગશર વદ ૩૦, ગુરુવાર] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંતશિષ્ય. જ્ઞાતિએ લેઉઆ પાટદાર. વડોદરા તાલુકાના હરણી ગામના વતની. પિતાનું નામ બાપુભાઈ.માતાનું નામ સૂરજબા. વડોદરાની ફત્તેહપુરાની ગાદીના સ્થાપક. તેમનાં વૈરાગ્યબોધનાં ૪ પદો મુદ્રિત રૂપે મળે છે. એમાં ‘એકડા’ના ૧ પદમાં એકથી ૧૦ સુધીની સંખ્યામાં જીવશિવના તત્ત્વને આંકડા દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે. કૃતિ : ગુમુવાણી. સંદર્ભ : ૧. નિરાંત કાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૩૯;  ૨. ગૂહાયદી.[દે.દ.]

માધવરામ-૨ [ઈ.૧૮૩૦માં હયાત] : પુષ્ટિમાર્ગીય કવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંક વ્યાસ. વતન અમદાવાદ. જદુનાથજીના શિષ્ય. આ કવિએ દયારામને ઇશ્વરસંનિધિનો સાચો ઉપાય જાણવા એક પદ્યપત્ર (ર.ઈ.૧૮૩૦/સં.૧૮૮૬, માગશર વદ ૭, ગુરુવાર; મુ.) લખેલો એમાં એમનાં શાસ્ત્રજ્ઞાતા અને મર્મજ્ઞતા પ્રગટ થાય છે. કૃતિ : પ્રાકાસુધા : ૩(સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી.[ર.સો.]

‘માધવાનલ કામકંદલાદોગ્ધક-પ્રબંધ’ (ર.ઈ.૧૫૧૮ કે ૧૫૨૮/સં.૧૫૭૪ કે ૧૫૮૪, શ્રાવણ સુદ ૭, મંગળવાર] : નરસાસુત ગણપતિએ ૧૭ દિવસમાં રચેલી ૮ અંગ અને ૨૫૦૦ દુહામાં વિસ્તરતી આ કૃતિ(મુ.) મધ્યકાલીન વાર્તાપરંપરામાં પુરુષરૂપનો માપદંડ બની ગયેલ માધવાનલ અને કામકંદલાની પ્રેમકથા વર્ણવે છે. વેદવ્યાસના કહેવાથી શુકમુનિનો તપોભંગ કરવા જતાં રતિ અને કામ એમના શાપથી પૃથ્વી પર માધવ અને કામકંદલા રૂપે અવતરે છે. માધવ અમરાવતીમાં બ્રાહ્મણને ત્યાં જન્મે છે, પણ નાનપણમાં એને જક્ષણી ઉપાડી જાય છે અન પછી જ્યાં જાય છે ત્યાં મહિલાઓ એના પ્રત્યે આસક્ત થાય છે તેથી એને દેશવટો મળે છે. કાંતિનગરમાં શ્રીપતિ શાહને ત્યાં અવતરેલી અને વેશ્યા દ્વારા ઉપાડી જવાયેલી કામા કમાવતી નગરીની રાજસભામાં પ્રવેશ પામે છે પણ પોતાનું શીલ અખંડ રાખે છે. રાજસભામાં પોતાના નૃત્ય વખતે ત્યાં આવી ચડેલા માધવની કલાભિજ્ઞતાથી જિતાયેલી કામા-માધવના અવિનયથી રાજાએ એને દેશવટો આપ્યો હતો તેથી-રાત ગાળવા પોતાને ત્યાં આમંત્રણ આપે છે. એક રાતના ઉત્કટ અનુરાગભર્યા રતિવિલાસને અંતે જુદાં પડેલાં માધવ અને કામા કેટલાક સમયને અંતે વિક્રમ રાજાની સહાયથી પુનર્મિલન પામે છે. મંગલાચરણમાં સરસ્વતી અને ગણેશની પણ પહેલાં કામદેવની સ્તુતિ થયેલી છે અને કવિએ અવારનવાર વાક્પાટવથી ને દૃષ્ટાંતોના સમર્થન સાથે પ્રગલ્ભતાપૂર્વક સંભોગસુખનો મહિમા ગાયો છે એ આ કૃતિની ધ્યાન ખેંચતી વિલક્ષણતા છે. રસિક-ચતુર વર્ગને સંતોષ આપવા રસરંગ ને બુદ્ધિવિનોદભરી કથા રચવાની કવિની નેમ એટલી સુંદર રીતે પાર પડી છે કે આ કૃતિ મધ્યકાલીન પદ્યવાર્તાસાહિત્યમાં જુદી જ ભાત પાડે છે. ૩ વાર આવતો અને ૨૦૦ જેટલી કડીઓમાં વિસ્તરતો સમસ્યા વિનોદ મધ્યકાલીન ગુજરાતી કૃતિઓમાં વિરલ એવી વિદગ્ધતા પ્રગટ કરે છે ને મનોવૃત્તિઓ તથા ભાવાવસ્થાઓનાં તાદૃશ, હૃદયંગમ ને કલ્પનાસમૃદ્ધ આલેખનોનો પ્રસ્તાર પણ આસાધરણ કવિત્વનો ઉદ્રેક બતાવે છે. માધવ-કામકંદલા-મિલનપ્રસંગ ૨૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરે છે અને કામકંદલાની વિરહાવસ્થાનું આલેખન તો કવિએ વૈવિધ્યપૂર્ણ પ્રસંગોના આલેખનથી ૮૦૦ જેટલી કડી સુધી પૂરી રસિકતાથી જમાવ્યું છે. કામકંદલાની વિરહાવસ્થાની બારમાસી ઉપરાંત પુરુષ માધવની વિરહાવસ્થાની તેમ બંનેના ભોગવિલાસની બારમાસી પણ વર્ણવાય છે એ આ કૃતિની વિશેષતા છે. લૌકિક વૃત્તાંત ધરાવતી આ કૃતિની નિરૂપણશૈલી મહાકાવ્યોચિત ઠાઠવાળી અને વૈધિક પ્રકારની છે. એમાં વેષ, આભૂષણ, સમાજના વર્ગો, મંત્રતંત્ર, ભોજન, આવાસ, ક્રીડાપ્રકાર, દ્રવ્યમાહાત્મ્ય, વૃક્ષ, કંદ, શાકવ્યંજન, પ્રાણીપક્ષી, હસ્તી-અશ્વ-સુભટ-શિલ્પસામગ્રી-વ્યવસ્થાયીઓયુક્ત સેના વગેરેનાં અનેક વર્ણનો આવે છે, જે ક્યારેક કેવળ નામસૂચિથી, ક્યારેક સ્વભાવોક્તિથી તો ક્યાંક અલંકારછટાથી થયેલાં છે. કવિની સજ્જતા આમાં ને કેટલાક પ્રસંગોએ દૃષ્ટાંત લેખે પોતાનું પૌરાણિક જ્ઞાન પ્રગટ કર્યું છે એમાં દેખાઈ આવે છે. આ જ્ઞાનરાશિ, કૃતિની રસસૃષ્ટિની જેમ, સંસ્કૃતની સાહિત્યપરંપરાને કવિએ મુગ્ધકર રીતે આત્મસાત્ કર્યાનું બતાવી આપે છે. [જ.કો.]

માધોદાસ [ઈ.૧૮૩૯માં હયાત] : સૌરાષ્ટ્રમાં લીમડી ગામના વતની. ‘કૃષ્ણચરિત્ર’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[ર.સો.]

માન(કવિ) : આ નામે ‘જયાનંદકેવલી-રાસ’, ‘આર્દ્રકુમાર-રાસ’ (લે.ઈ.૧૭૬૩), ૧૮ કડીની ‘પુત્ર-સઝાય’, ૬ કડીનું ‘રોહિણીતપ-ચૈત્યવંદન’(મુ.) તથા ૨ કડીનું સુભાષિત (લે.ઈ.૧૭૦૩) મળે છે. આ કૃતિઓના કર્તા કયા માન છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. રાહસૂચી : ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ :[ર.ર.દ.]

માન(મુનિ)-૧/માનવિજ્ય [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં શાંતિવિજ્યના શિષ્ય. આ કવિની કૃતિઓ આ મુજબ છે : હેમચંદ્રસૂરિકૃત ૩૪૨૫ ગ્રંથાગ્રની કૃતિ પર ૩૬૦૦ ગ્રંથાગ્રનો ‘ભવભાવના-બાલવબોધ’ (ર.ઈ.૧૬૬૯), ૨૧ કડીનું ટબાસહિત ‘સુમતિકુમતિ (જિનપ્રતિમા)-સ્તવન’ (ર.ઈ.૧૬૭૨), ૧૭ કડીનો ‘ગુરુતત્ત્વપ્રકાશ-રાસ’(ર.ઈ.૧૬૭૫; મુ.), ૧૪ ઢાળ અને ૭૫ કડીનું ‘તત્ત્વવિચારબોધકસપ્તનયવિચારગર્ભિત-સ્તવન/સપ્તનયવિવરણરાસ’(ર.ઈ.૧૬૭૫ આસપાસ; મુ.), ૧૩૫૦ સર્વગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ. ૧૬૭૯), ઉત્તરાધ્યયનસૂત્ર-બાલાવબોધ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૪૧, પોષ સુદ ૧૩), ૧૦ કડીની ‘આઠ મદની સઝાય’(મુ.), ૪ ઢાળનું ‘આદિત્યનાથ-સ્તવન’ ૨૫ કડીનું ૪ ઢાળમાં વિભાજિત ‘આંબિલતપશ્રીસિદ્ધચક્ર-સ્તવન’ (મુ.), ૮૫ કડીનું ‘ગુણસ્થાનગર્ભિત શાંતિનાથવિજ્ઞપ્તિરૂપ-સ્તવન’, ‘ચોવીશ જિનનમસ્કાર’, ‘ચોવીશી’(મુ.), ૩૦ કડીનો ‘નમસ્કાર-છંદ’(મુ.), ૫૬ કડીની ‘નમસ્કાર-સઝાય’, ‘પચ્ચકખાણ-સઝાય’, ૯ કડીની ‘પાર્શ્વનાથસ્થવિર-સઝાય’, ૩૩ ‘ભગવતીસૂત્રની સઝાયો/સઝાયસંગ્રહની પોથી’ (મુ.-આમાંની કેટલીક સઝાયો સ્વતંત્રરૂપે પણ મુદ્રિત છે), ૧૭ કડીની ‘માર્ગાનુસારી ગુણી સઝાય’(મુ.), ૬ ઢાળ ને ૫૩ કડીનું ‘શ્રાવકના બારવ્રતની સઝાય’ (મુ.), ‘મોહરાજકથાગર્ભિત જિનને વિનંતિરૂપ મહાવીરજિન-સ્તવન’ (મુ.) ૧૧ કડીની ‘શ્રાવકના ૨૧ ગુણની સઝાય’ (મુ.) ૫૬ કડીની ‘શ્રાવકના બારવ્રતની સઝાય’ (મુ.) ૧૭ કડીની ‘શ્રી-સઝાય’, ૭ કડીની ‘સાધુગુણ-૨૧ સઝાય’ તથા સંસ્કૃતગ્રંથ ‘ધર્મસંગ્રહ’. કૃતિ : ૧. ઉપદેશમાળા પ્રકરણ, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૦૯; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિસ્તકાસંદોહ : ૨; ૪. જૈકાસંગ્રહ; ૫. જૈગૂકવિઓ : ૧; ૬. જૈરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(જૈ); ૮. જૈસસંગ્રહ(ન); ૯. નસ્વાધ્યાય; ૧૦. મોસસંગ્રહ;  જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, મે ૧૯૧૭-‘સાતનયનો રાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગગુરા; ૮. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

માન(મુનિ)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. નવલઋષિના શિષ્ય. ૪૨ કડીની ‘સંયોગ-બત્તીસી’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૬૩૧, ચૈત્ર સુદ ૬), હિન્દીમિશ્ર ગુજરાતીમાં રચાયેલી ૧૨૬ કડીની ‘જ્ઞાનરસ’ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, આનંદ માસ-) તથા ‘સવૈયામાન-બાવની’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.ર.દ.]

માનચંદ : જુઓ મહિમસિંહ.

માનચંદ્ર : આ નામે ૨૨ કડીનું ‘ભાવિચોવીસી-સ્તવન’ (લે.ઈ.૧૮૧૯) તથા ૨૨ કડીની ‘પ્રસન્નચંદ્રરાજર્ષિની સઝાય’(મુ.) મળે છે. આ માનચંદ્ર કયા તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં.૧૯૬૯. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

માનચંદ્ર-૧ [ઈ.૧૫૭૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૮ કડીની ‘પાર્શ્વચંદ્ર-સઝાય’ના કર્તા. સમરચંદ્ર પછી પાટે આવેલા રાયચંદ્રના આચાર્ય પદપ્રાપ્તિના મહોત્સવ (ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, વૈશાખ સુદ ૯)માં આ માનચંદ્ર ઉપસ્થિત હતા તેવું જયચંદ્રગણિકૃત ‘રસરત્ન-રાસ’ પરથી સમજાય છે. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧;  ૨. શ્રી પાર્શ્વચંદ્રગચ્છ ટૂંક રૂપરેખા; પ્ર. જૈન હઠીસીંગ સારસ્વતીસભા, સં. ૧૯૯૭;  ૩. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]

માનદાસ [ ] : પદોના કર્તા. સંદર્ભ : ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]

માનપુરી/મનાપુરી [                ] : ગોસાંઈ બાવો હોવાની શક્યતા છે. ૧૯ કડવાંએ અધૂરા મળતા ‘ઉષાહરણ/ઓખાહરણ’ (ર.ઈ.૧૬૯૪ અનુ.)ના કર્તા. ‘કૃષ્ણલીલાનાં પદો’ પણ આ માનપુરીનાં હોવાની શક્યતા છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘વીરસિંહકૃત ઉષાહરણ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા;  ૪. કદહસૂચિ; ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

માનબાઈ [                ] : પદોનાં કર્તા. તેમને નામે મુદ્રિત રૂપે મળતાં ૩ પદમાં ૨ પદો નરસિંહની ગણાતી કૃતિ ‘ઝારીનાં પદ’માંનાં જ છે. કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર; પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬; ૨. નકાદોહન : ૪; ૩. બૃકાદોહન : ૭. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સમાલોચક, એપ્રિલ-જૂન ૧૯૦૮-‘ગુજરાતી જૂની કવિતા’, સં. છગનલાલ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]

માનવિજ્ય  : આ નામે ૬૨૫ કડીની સ્વોપજ્ઞસ્તબક સહિત ‘આગમપ્રેરણારૂપ-સઝાય’ (ર.ઈ.૧૬૭૮), ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’, ‘ચૈત્યવંદન’, ૧૨ કડીનું ‘જિનપૂજાફલ-સ્તવન’, ૪ કડીની ‘પર્યુષણ-સ્તુતિ’ (લે.ઈ.૧૮૧૩; મુ.), ૬૦ ગ્રંથાગ્રની ‘પંચબાણ-સઝાય’ (લે.ઈ.૧૮૨૬), ૬૧ કડીનું બાલાવબોધ સહિતનું ‘પ્રતિભાસ્થાપન-સ્તવન’, ‘સામયિકદોષ-સઝાય’ તથા ૫ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. આ ઉપરાંત ઉપાધ્યાય અને વાચકની પદવી ધરાવતા માનવિજ્યને નામે ૫ કડીની ‘અધ્યાત્મશ્રીઋષભદેવ નમસ્કાર’(મુ.), ૫ કડીનું ‘ગૌતમસ્વામીનું પ્રભાતિયું’(મુ.) તથા ૧૧ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’(મુ.) તથા માનવિજ્ય પંડિતના નામે ૪ કડીની ‘નવતત્ત્વ-સ્તુતિ’(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા માનવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૨; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ.૧૯૩૧; ૫. સસન્મિત્ર. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

માનવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં જયવિજ્યના શિષ્ય. ૭૦૦ ગ્રંથાગ્રના ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૪૬/૧૬૪૮/સં.૧૭૦૨/૪, આસો સુદ ૧૦, સોમવાર), ‘સ્થૂલિભદ્ર-કોશા-બારમાસ ઢાળો’ (ર.ઈ.૧૬૪૯), ‘નવતત્ત્વનો રાસ’(ર.ઈ.૧૬૫૨/સં.૧૭૧૮, વૈશાખ સુદ ૧૦) તથા ૨૮ કડીની ‘નેમિનાથ-બારમાસ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રામબાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

માનવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ‘દ્વાદશભાવના’ (ર.ઈ.૧૬૪૭), ‘અંજનાસુંદરી-સઝાય’(ર.ઈ.૧૬૬૦), ૬ ઉલ્લાસ, ૯૨ ઢાળ અને ૩૮૯૨ કડીની ‘વિક્રમાદિત્ય-ચરિત્ર/વિક્રમાદિત્ય પંચદંડ-ચોપાઈ /લીલાવતી(વિક્રમપત્ની)-રાસ’(ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, પોષ સુદ ૮, બુધવાર), ૪૨ કડીની ‘ચંદ્રોદય-સઝાય’(ર.ઈ.૧૬૮૨), ‘નવપદ-સ્તવન’ વગેરે કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો : ૩. જૈસાઇતિહાસ; ૪. જૈનરાસમાળા (પુરાવણી), સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૧૪;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. લીંહસૂચી. [ર.ર.દ.]

માનવિજ્ય(પંડિત)-૩ [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં સકલવિજ્યના શિષ્ય. ૩ ઢાલ અને ૩૨ કડીની ‘ગુણઠાણાવિચાર-બત્રીસી’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, મહા સુદ ૧૫; મુ.)ના કર્તા. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. [ર.ર.દ.]

માનવિજ્ય-૪ : જુઓ માન(મુનિ)-૧.

માનવિજ્ય-૫ [ઈ.૧૬૮૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કીર્તિવિજ્યવાચકના શિષ્ય. ૩. ઢાળની ‘દસ ચંદરવાની સઝાય’ (ર.ઈ.૧૬૮૨/સં.૧૭૩૮,-વદ ૧૦, બુધવાર; મુ.)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં શાંતિવિજ્યશિષ્ય માનવિજ્યને નામે નોંધાયેલી ‘ચંદ્રુઆ-સઝાય’ આ માનવિજ્યની હોવાની સંભાવના છે. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

માનવિજ્ય-૬ [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. વિજ્યમાનસૂરિના રાજ્યકાળમાં ગુણવિજ્યના શિષ્ય. ૩. ઢાળ ને ૪૮ કડીનું ‘અષ્ટકર્મ-સ્તવન’(ર.ઈ.૧૭૨૨; મુ.) તથા ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’ના કર્તા. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૬-‘અષ્ટકર્મ સ્તવન’, સં. જયંતવિજ્યજી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

માનવિજ્ય-૭ [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરાના સાધુ. ૪ ઢાળ અને ૪૩ કડીની ‘ઝાંઝરિયામુનીની સઝાય’ (ર.ઈ.૧૭૨૫/સં.૧૭૮૧, શ્રાવણ સુદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : સજઝાયમાળા(પં).[ર.ર.દ.]

માનવિજ્ય-૮ [ઈ.૧૭૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરાજસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૭/સં. ૧૮૫૩, ફાગણ સુદ ૨) તથા ‘માનતુંગમાનવતી-રાસ’ના કર્તા. ‘ગજસિંહકુમાર-રાસ’ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ‘ગુજરાતના સારસ્વતો’ તથા ‘મધ્યકાલીન રાસસાહિત્ય’માં ‘રાજસિંહકુમાર રાસ’ના નામે ઉલ્લેખાયેલ છે, જે ‘જૈન ગૂર્જર કવિઓ’ : ૩(૧)’માં થયેલી ભૂલનું પરિણામ છે. ખરેખર તે ‘ગજસિંહકુમાર-રાસ’ જ છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧)૨; ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[ર.ર.દ.]

'માનવિજ્ય-૯ [ ] : તપગચ્છના જૈન સાધુ. દેવવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય. ૯ કડીના ‘નેમિ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘માનવિજ્યકૃત અને ભાવવિજયકૃત નેમિસ્તવન’, મોહનલાલ દ. દેશાઈ. [ર.ર.દ.]

માનવિજય-૧૦ [                ]: જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૪ કડીની ‘એકાદશીની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ : ૨. સસન્મિત્ર. [ર.ર.દ.]

માનવિજ્યશિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૪ કડીની ‘સિદ્ધચક્રચૈત્યવંદન-સ્તુતિ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

માનસાગર : આ નામે ૩૯ કડીની ‘લીલાવતી રાણીની ઢાલ’ (લે.ઈ.૧૭૬૭) મળે છે તે કયા માનસાગરની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ: ડિકેટલૉગભાવિ.[ર.ર.દ.]

માનસાગર-૧ [ઈ.૧૬૧૩માં હયાત]: જૈન સાધુ. ‘ચોવીસજિનદેવદેવીસહિત-સ્તુતિ’ (ર.ઈ.૧૬૧૩)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

માનસાગર-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં બુદ્ધિસાગરના શિષ્ય. છપ્પાબંધમાં ૧૬ કડીની ‘ગુરુ-સઝાય’(ર.ઈ.૧૬૫૨થી ૧૬૭૨ વચ્ચે)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

માનસાગર-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં જિતસાગરના શિષ્ય. ૧૫૦૦ ગ્રંથાગ્ર અને ૫૨ ઢાળની ‘વિક્રમસેનકુમાર-ચોપાઈ/વિક્રમાદિત્યસુત વિક્રમસેન-ચોપાઈ’(ર.ઈ.૧૬૬૮/સં.૧૭૨૪, કારતક-), ‘સુરપતિ-ચોપાઈ’(ર.ઈ.૧૬૭૩), ૭ ઢાળની ‘અષાઢભૂતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૪/૧૬૮૦), ૨૫ કડીની ચોપાઈબદ્ધ ‘આર્દ્રકુમારઋષિ-સઝાય’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૭૩૧, માગશર-; મુ.), ૯ ઢાળની ‘કાન્હડ કઠિયારા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૯૦; મુ.) તથા ૧૬ ઢાળની ‘સિંહલકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨/સં.૧૭૪૮, ફાગણ સુદ ૫) તથા ૬૭ કડીનું ‘સુભદ્રાસતીચોઢાલિયું’ (ર.ઈ.૧૭૦૩)ના કર્તા. કૃતિ : ૧. કાન્હડ કઠિયારાનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૮૯૯;  ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૩-‘મુનિશ્રી માનસાગરજી વિરચિત ‘સિંહલકુમાર ચોપાઈ’નો પરિચય’, કાંતિસાગરજી;  ૪. જૈગૂકવિઓ : ૨; ૩(૨); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

માનસિંહ(પંડિત)-૧ [ઈ.૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. ‘અષાઢ ભૂતિ ધમાલ-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

માનસિંહ-૨  : જુઓ મહિમસિંહ.

માનસિંહ-૩  : [ઈ.૧૭૭૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. કરમશીના શિષ્ય. ૪ ઢાળ ને ૫૨ કડીની ‘કલાવતીની સઝાય/કલાવતીનું ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, શ્રાવણ સુદ ૫; મુ.)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કર્તા ભૂલથી માલસિંહ નામે નોંધાયા છે. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૧; ૨. સજઝાયમાલા(શ્રા.) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

માનો [ઈ.૧૭૦૫ સુધીમાં] : ‘ટપૂહરિયાલી’ (લે.ઈ.૧૭૦૫) નામની કૃતિના કર્તા. આ કૃતિ ભોલેરામને નામે પણ નોંધાયેલી છે. જુઓ ભોલેરામ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

માનોદાસ [                ] : ભુજંગી છંદમાં રચાયેલ ‘અંબિકાષ્ટક’ના કર્તા. સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮.[શ્ર.ત્રિ.]

મામલિયા/સામલિયા-સુત : ‘મસ્તકપૂજા’(મુ.)ના કર્તા. ભવાઈના ‘કજોડાનો વેશ’માં આ પ્રસંગ મળે છે. વડનગરની નાગર યુવતીએ કજોડાના દુ:ખને લીધે મસ્તકપૂજા કરી એવો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. આ પ્રસંગકથા અલગ હસ્તપ્રત રૂપે પણ ઉપલબ્ધ થાય છે. મુદ્રિત પ્રસંગકથામાં ક્યાંક કૃતિના કર્તા તરીકે મામલિયાસુત ભાણજીનું નામ મળે છે, પરંતુ અન્યત્ર વીરમદે એવું કર્તાનામ પણ મળે છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’માં મામલીઆસુત ભીમને નામે આ કૃતિ નોંધાયેલી છે. કૃતિ : ૧. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈપ્રકાશ, સં. હરમણિશંકર ઘ. મુનશી, ઈ.-; ૩. ભવાઈના વેશની વાર્તાઓ, સં. ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪;  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

‘મામેરું’-૧ [લે. ઈ.૧૭૪૭] : અજ્ઞાત કવિકૃત ૪ કડવાં અને ૨૧૭ કડીની આ કૃતિ(મુ.) કુંવરબાઈના મામેરાના પ્રસંગને પરંપરાગત રીતે ને સંક્ષેપમાં રજૂ કરે છે, પરંતુ થોડીક નવતર માહિતીને કારણે ધ્યાનપાત્ર બને છે. ‘એક પુત્રીનો પરિવાર’ એટલે કે નરસિંહને પુત્ર ન હોવો, પુત્રીનું નામ સુરસેના, તે ૯ વર્ષની થતાં નવાનગરના વિશ્વનાથ ભટ્ટના પુત્ર ગોપાલ સાથે તેનું લગ્ન, સુરસેનાને ઓરમાન મા હોવી એટલે કે નરસિંહ બીજી વાર પરણ્યાનો નિર્દેશ-પરંપરામાં ન મળતી આ હકીકતો છે; જો કે મીરાંના મનાતા ‘નરસિંહરા માહ્યરા’માં નરસિંહ બીજી વાર પરણ્યાનો ઉલ્લેખ આવે છે. ભગવાન દોશી રૂપે આવ્યા ત્યારે તેની સાથે કુબેર પણ હતા, જેમણે ધનની ગુણ વાપરવા માટે આપી એવું પણ અહીં નિરૂપણ છે. કૃતિની ભાષા પરથી કવિ પ્રેમાનંદના પુરોગામી એટલે ઈ.૧૭મી સદી મધ્યભાગમાં થયા હોવાનું અનુમાન થયું છે. મંગલાચરણમાં ‘કમલાપતિ’નું સ્મરણ કરતા કવિ જૈનેતર હોવાનું સમજાય છે. કૃતિ : ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૮મું અધિવેશન, ઈ.૧૯૭૬-‘અજ્ઞાતકૃત કુંવરબાઈનું મામેરું’, સં. કનુભાઈ વ્ર. શેઠ. [શ્ર.ત્રિ.]

‘મામેરું’-૨ : સ્વજીવનના પ્રસંગને વિષય તરીકે લઈ ‘મામેરું’ શીર્ષકથી આત્મચરિત્રાત્મક ૨૦/૨૫ પદની પદમાળા(મુ.) નરસિંહને નામે મળે છે. ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા ગાવા કવિએ આ કૃતિ રચી હોય એમ મનાય છે. નરસિંહની પુત્રી કુંવરબાઈને સીમંત આવ્યું તે વખતે ઈશ્વરે મામેરું પૂરી નિર્ધન નરસિંહને કેવી સહાય કરી એ ચમત્કારિક પ્રસંગ એનો મુખ્ય વિષય છે. વેવાઈને ઘરે નરસિંહની નિર્ધન સ્થિતિની ઉડાવવામાં આવતી ઠેકડી, નરસિંહની ભક્તિની મજાક કરવાના પ્રયત્નો ઇત્યાદિના આલેખનથી કૃતિમાં ભક્તિરસથી સાથે બીજા રસ પણ ભળે છે. ‘હારમાળા’ની જેમ આ કૃતિના નરસિંહકર્તૃત્વ વિશે પણ વિદ્વાનોમાં શંકા પ્રવર્તે છે. જયંત કોઠારીએ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મામેરાવિષયક અન્ય કવિઓની કૃતિઓ સાથે તુલના કરી એવું પ્રતિપાદિન કર્યું છે કે આ કૃતિનું કર્તૃત્વ નરસિંહનું હોવાની સંભાવના ઓછી છે.[જ.ગા.]

‘મામેરું-૩ [ર. ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, આસો સુદ ૯, રવિવાર] : પ્રેમાનંદકૃત આખ્યાન. પંદરમાં સૈકામાં થઈ ગયેલા ભક્ત નરસિંહ મહેતાના જીવનમાં ભીડના પ્રસંગોએ ભગવાને સહાય કર્યાની પુરાકલ્પ-કથાઓ(મિથ) અનેક કવિઓને મુખે ગવાઈ છે. કુંવરબાઈને સીમંતનો પ્રસંગ આવ્યો ત્યારે ભગવાન દામોદર દોશી બનીને બધી સામગ્રી લઈ આવી મામેરું રૂડી રીતે પાર પાડી આપે છે તે કથા ‘મામેરું’(મુ.) આખ્યાનનાં ૧૬ કડવાંની ૬૦૨ પંક્તિઓ (કૃતિ રચ્યા પછી સોળ વરસે લખાયેલી હસ્તપ્રત ઉપરથી ચૈતન્યબાળા દિવેટિયા સંપાદિત આવૃત્તિ)માં પ્રેમાનંદે નિરૂપી છે. નરસિંહનાં મનાતાં ‘આત્મચરિતનાં પદો’માં આ કથાનું માળખું મળે છે (એ પદો નરસિંહનાં ન ઠરે તો પણ મરાઠી ‘ચી’ પ્રત્યય અને ‘વિસારિલા’ જેવા ક્રિયારૂપને લીધે કોઈ જૂના, અભિવ્યક્તિનો પ્રભાવ જોતાં, નરસિંહ જેવા મોટા કવિની રચના જરૂર લાગે છે.). મરાઠીમાં નરસિંહ મહેતાચરિત્ર નામદેવને નામે ચઢેલું મળે છે. પણ નામદેવ એકાદ સૈકા વહેલા થઈ ગયા છે. મીરાંબાઈના નામે ‘નરસિંહરા માહ્યરા’ કૃતિ નોંધાઈ છે. સોએક વરસ પછી વિષ્ણુદાસ આ પ્રસંગમાં રહેલી કાવ્યની શક્યતાઓ જરાતરા ખીલવીને કુંવરબાઈનું ‘મોસાળું’ આપે છે. તે પછી કૃષ્ણદાસ, ગોવિંદ, તુલસીદાસ, મોતીરામ અને વિષ્ણુએ પણ આ પ્રસંગને આલેખ્યો છે. પ્રેમાનંદે કાવ્યરસભરી કૃતિ ‘મામેરું’ ઈ.૧૬૭૯માં આપી તેની ૨૭ વરસ પૂર્વે ઈ.૧૬૫૨માં વિશ્વનાથ જાનીએ પ્રેમાનંદની સાથે ક્યાંકક્યાંક સરસાઈ ભોગવે એવું ‘મોસાળાચરિત્ર’ આપ્યું છે. મધ્યકાલીન કવિઓ પોતાની અગાઉના કવિઓમાંથી કથાઘટકો, પ્રસંગો, વીગતો, પંક્તિઓ સુદ્ધાં વિનાસંકોચે સ્વીકારે છે તેમ પ્રેમાનંદ પણ લે છે, પણ તેમની પ્રતિભાનો સ્પર્શ હંમેશાં વરતાઈ આવે છે. મહેતાની માંગીતાગી વહેલનાં વિષ્ણુદાસ, ગોવિંદ, વિશ્વનાથનાં વર્ણન કરતાં પ્રેમાનંદનું વર્ણન હૂબહૂપણામાં નોખું તરી આવે છે. ગૃહસ્થની નિર્ધનતા અને મા વગરની દીકરી ઉપરની અગાઉની જેવી પદ્યકંડિકાઓ પ્રેમાનંદ પણ યોજે છે. ઊકળતાં પાણીમાં સમોવણ ઉમેરવાનો પ્રસંગ, મામેરા માટે વીગતે યાદી, ભગવાનનું દોશી રૂપે આગમન, સ્ત્રીઓનું તેમ જ તેમને મળેલાં વસ્ત્રો-આભૂષણોનું રમતિયાળ નામસંકીર્તન, અરે, છેક છેલ્લે નણંદની દીકરી નાનબાઈ માટે આકાશમાંથી પડેલું વસ્ત્ર-એ બધું અગાઉ કરતાં વધુ સજીવ, આખી કૃતિ સાથે સપ્રમાણતાથી સમરસ બનેલું જોવા મળે છે. ભાભીએ કઠણ વચન કહ્યું અને મહેતા વનમાં ગયા, તપસ્યા કરી અને શ્રીકૃષ્ણગોપીનાં રાસનાં દર્શન પામ્યાં તેનો ઉલ્લેખ ગોવિંદ કૃતિને અંતે કરે છે, તો વિશ્વનાથે ‘મોસાળાચરિત્ર’નાં ૨૩ કડવાં પૂર્વે ૧૭ કડવાં વિસ્તૃત નરસિંહચરિત્રનાં આપ્યાં છે. પ્રેમાનંદે આરંભમાં ૨ કડવાંમાં નરસિંહને તપસ્યાના પરિણામે થયેલા અખંડ રાસનાં દર્શનની અને દુ:ખવેળાએ સંભારવાથી તત્કાળ ‘હું ધાઈ આવીશ’ એવાં કૃષ્ણનાં વચનની કથા ટૂંકમાં આપી કાવ્યની ભૂમિકા રચી છે. પૂર્વાર્ધ વડસાસુએ કરાવેલી મામેરા માટેની ગંજાવર યાદી પછી કુંવરબાઈના “ડોશીએ ડાટ વાળ્યો રે” એવા સાતમા કડવાના આક્રંદ સુધી ચાલે છે. અને ઉત્તરાર્ધ તે પછી એ જ કડવામાં આવતા નરસિંહના આતંકરહિત સરળ સહજ ઉદ્ગાર ‘ડોશીએ સારું કીધું રે’થી આરંભાય છે. “પિતાજી, તમે ગામ પધારો, આંહાં રહ્યે ઇજ્જત જાશે રે’. મહેતાજી કહે : “મારી પુત્રી, રહેજે તું વિશ્વાસે રે-ડોશીએ સારું કીધું રે.” શ્રદ્ધા, આસ્થા, પ્રતીતિ એવા ભારેખમ શબ્દને બદલે કવિ સાદો ‘વિશ્વાસ’ શબ્દ વારંવાર (આખી કૃતિમાં અગિયાર વાર) યોજે છે. વિશ્વાસના મૂલ્યને નરસિંહના અને ઇજ્જત (લોક-નામના)ના મૂલ્યને કુંવરબાઈના માધ્યમ દ્વારા ઉઠાવ આપવામાં આવ્યો છે અને ‘વિશ્વાસ હૃદયમાં’ આણી કુંવરબાઈ કસોટીમાં પસાર થાય છે તેમતેમ એ જુએ છે કે ઇજ્જત પણ જળવાવાની હોય તો વિશ્વાસ દ્વારા જળવાય છે અને પ્રભુમાં વિશ્વાસ રાખનારનો ઉપહાસ કરનારાં-નાગરી નાત, ખાસ તો સાસરિયાં - પોતે ઉપહસનીય બની રહે છે. યાદીમાં “એ લખ્યાથી અધિક કરશો તો તમારા ઘરની લાજ, વહુજી” એમ વડસાસુ બોલેલાં. પણ પછી કુંવરબાઈનો કહેવાનો વારો આવે છે : “જો લખ્યા થકી આશા હોય ઘણી, તે માગી લો બાઈ પહેરામણી.” કૃતિના આરંભની ૪ લીટીમાં બે વાર ‘મામેરું મહેતા તણું’ એ રીતે એનો ઉલ્લેખ છે, પણ આપણી વાઙ્મય પરંપરામાં એને ‘કુંવરબાઈનું મામેરું’ એવી સંજ્ઞા મળી દેખાય છે તે સાર્થક છે, એ અર્થમાં કે કૃતિને રસથી ભરી દેવામાં મહા સુદ છઠ ને શનિવારના મધ્યાહ્નથી સાતમ ને રવિવારની સાંજ સુધીની કુંવરવાઈની કરુણ મથામણો-મૂંઝવણો (જે “સાધુ બાપને દુ:ખ દેવાને મારે સીમંત [શાને] આવ્યું” એ ઉદ્ગારમાં કરુણની પરાકોટીએ પહોંચે છે)નો ફાળો સૌથી વધુ છે. નરસિંહનું ચરિત્ર નિર્લેપ (દામોદર દોશી વિદાય થયા પછી નાનબાઈના પ્રસંગ વખતે તે કહી છૂટે છે, ‘એક તાંતણો હુંથી ન મળે’) અને અક્ષુણ્ણ મહિમાવાળું ઊપસે છે. ‘મામેરું’માં પ્રેમાનંદની શૈલી અપૂર્વ લાઘવયુક્ત છે. દૃઢબંધ રચના, ઘરેળુ સરળ રસદ્યોતક બાની, સમકાલીન ગુજરાતી સમાજની તાદૃશ ભાતીગળ છબી, જરાસરખા ગૌરવભંગ વગર સાંસારિક કટોકટીમાં પસાર થતા (પાર ઊતરતા નહીં, કેવળ નિર્મમપણે સહજ પસાર થતા), સૌ વચ્ચે ઊભા રહીને શંખ ફૂંકતા નરસિંહની બ્રહ્મખુમારીની આભા-કવિ પ્રેમાનંદની આ ખરેખર ‘મનમુદા’ ભરી રચના છે તેની પદેપદે સાક્ષીપૂરે છે. [ઉ.જો.]

‘મારુઢોલાની ચોપાઈ’ [ર.ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, વૈશાખ સુદ ૩, ગુરુવાર] : કુશલલાભ-૧ની દુહા-ચોપાઈની આશરે ૪૦૦ કડી તથા ‘વાત’ નામક ગદ્યમાં રચાયેલી આ કૃતિ(મુ.) રાજસ્થાનના એક અત્યંત લોકપ્રિય કથાનકને આલેખે છે. રાજકુમાર ઢોલા સાથે જેનું લગ્ન થયું છે તે મારુવણી નાની હોવાથી તેને સાસરે મોકલવામાં આવતી નથી. દરમ્યાન ઢોલો માલવણી નામની બીજી કન્યાને પરણે છે. સમય જતાં યૌવનમાં આવેલી મારુવણી ઢોલા માટે ઝૂરે છે, પણ માલવણી તેને ઢોલા સુધી પહોંચવા દેતી નથી. છેવટે ઢોલાને સંદેશો મળતાં તે મારુવણીના નગરમાં મળે છે. પાછા આવતાં મારુવણીને સાપ કરડે છે પણ કોઈ યોગી એને સજીવન કરે છે. ઢોલા, મારુવણી અને માલવણીના સુખપૂર્વક સહજીવન સાથે કૃતિનો અંત આવે છે. રાજસ્થાનનાં વિરહપ્રેમના અત્યંત ઉત્કટ અને તાજગીભર્યા ઉદ્ગારો સમા ઢોલા-મારુના દુહા ખૂબ જાણીતા છે. આ કવિએ પોતાના દુહામાં એ પ્રચલિત સાહિત્યનો લાભ ઉઠાવ્યો છે તેથી આ કૃતિનો એ સૌથી વધુ કાવ્યમય ભાગ છે. દુહા “ઘણા પુરાણા” અને ચોપાઈબંધ પોતાનું હોવાનો ઉલ્લેખ કવિએ પોતે કર્યો છે. ટેકણરૂપ દુહા પછી ચોપાઈમાં થોડું વીગતે પ્રસંગવર્ણન અને ‘વાત’માં સંવાદ ઇત્યાદિ દ્વારા કથાવિસ્તાર એ જાતનો રચનાબંધ કવિએ સ્વીકાર્યો છે. આ કારણે દુહા-ચોપાઈની તથા ‘વાત’ની સામગ્રી થોડી સમાન પણ ચાલે છે. ‘વાત’ની ચારણી કથનશૈલી, એમાં વણાતું રાજદરબારી વસ્તુ અને એનું સૌથી પ્રબળ રાજસ્થાની ભાષાસ્વરૂપ કુશલલાભના કર્તૃત્વ વિશે શંકા જગાવે એવું છે. ‘વાત’ પણ એણે પરંપરામાંથી સંકલિત કરેલ હોય એમ બને. કુશલલાભે ઢોલામારુની લોકકથાને ધાર્મિક રંગ આપ્યો નથી એ ખાસ નોંધપાત્ર છે. આ કૃતિ જાદવ રાઉલ હરિરાજ (રાજ્યકાળ ઈ.૧૫૬૨-ઈ.૧૫૭૮)ના આનંદ માટે પોતે રચી હોવાનો નિર્દેશ કર્યો છે. દંતકથા એવી છે કે હરિરાજે યુવરાજ હતા ત્યારે અને તે પછી પણ ઢોલામારુના પ્રાચીન દુહાઓનો ઉપયોગ કરી જુદાજુદા કવિઓ પાસે વાર્તા બનાવડાવેલી અને અકબર પાસે એ વાર્તાઓ રજૂ કરેલી. આ હકીકતનું સમર્થન કરતી આ વિષયની અન્ય રચનાઓની પ્રતો ઉપલબ્ધ થયેલી છે. આ કૃતિની રચનાસંવત ૧૬૧૫ તેમ જ ૧૬૧૬ પણ કેટલીક હસ્તપ્રતોમાં મળે છે અને ‘સત્તોત્તર’ ‘સત્યોત્તર’ જેવા પાઠને કારણે રચનાસંવત ૧૬૦૭ હોવાની પણ સંભાવના થઈ શકે છે. કવિએ પોતે આ કૃતિનું ૭૦૦ ગાથાનું પ્રમાણ કહ્યું છે,પરંતુ મુદ્રિત કૃતિમાં દુહાચોપાઈની ૪૦૦થી વધારે કડીઓ જણાતી નથી. એમણે ગદ્ય સાથેનું ગ્રંથાગ્રપ્રમાણ આપ્યું હોય તો જુદી વાત છે. [શ્ર.ત્રિ.]

માલ/માલદેવ/મુનિમાલ : માલ કે માલમુનિને નામે ૧૯/૨૦ કડીનું ‘મનભમરા-ગીત/ભમરા-ગીતમ્’(લે. ઈ.૧૬૪૫), ૧૦ કડીનું ‘શીલ-ગીત’(લે. ૧૬૪૪), ૪ કડીનું ‘સૂઆ-ગીત’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૦ કડીની ‘પરનારી પરિહાર-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ‘અંજનાસતી-રાસ/ચોપાઈ (લે.ઈ.૧૬૦૭), ૯૦ કડીની ‘ગયસુકુમાલ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘મહાવીર-સઝાય’ (લે. ઈ.૧૬૪૫), ૧૫ કડીની ‘રાજિમતીનેમ-સઝાય’ (લે.ઈ.૧૬૪૫), ૫૫ કડીનું ‘મૌન એકાદશી-સ્તવન’ (લે. ઈ.૧૬૭૪), ૫/૧૯ કડીનું ‘વૈરાગ્ય-ગીત’, ૭ કડીની ‘આત્મશિક્ષા-સઝાય’, ૧૦ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ મળે છે. તેમના કર્તા કયા માલ/માલમુનિ છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. માલદેવ/મુનિલાલને નામે ૨૮/૩૧ કડીની હિંદી-રાજસ્થાનીની છાંટવાળી, પ્રથમ ૩ કડી દુહામાં અને બાકીની ચોપાઈમાં લખાયેલી ‘જીરણશેઠની સઝાય/મહાવીર-સ્વામીના પારણાનું સ્તવન/મહાવીર સ્વામીનું તપપારણું/વીરપારણા-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ; મુ.), ૫ કડીનું ‘સીમંધરનું પદ’(મુ.) તથા ‘પદમસીપદ્માવતી-ચોપાઈ’ (લે. સં. ૧૮મી સદી) મળે છે. આ કૃતિઓ ભાવદેવશિષ્ય માલદેવની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસસંગ્રહ(ન.). સંદર્ભ : ૧. કેટલૉગગુરા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

માલ(મુનિ)-૧ [ઈ ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ખૂબચંદ સંતાનીય નાથાજીના શિષ્ય. ‘અષાઢભૂતિનું ચોઢાળિયું/અષાઢમુનિનો રાસ’ (ર.ઈ.૧૭૫૪/ઈ.૧૭૬૧/સં. ૧૮૧૦/સં. ૧૮૧૭, અસાડ સુદ ૨; મુ.), ૧૭ કડીની ‘રાજમતિ-સઝાય’ (ર.ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, કારતક સુદ ૧૫; મુ.), ધન્નાકાકડીનું ચોઢાળઇયું’ (ર.ઈ.૧૭૬૯; મુ.), નટડીમાં મોહેલા પણ પછી એક જૈન સાધુનો વિરક્તિ ભાવ જોઈ મોહત્યાગ કરતા એલાચીકુમારની કથા કહેતી ‘એલાચીકુમાર છઢાળિયું’ (ર.ઈ.૧૭૯૯/સં. ૧૮૫૫, જેઠ-; મુ.), ‘ઈષુકાર કમલાવતી ષટઢાળિયું’ (ર.ઈ.૧૭૯૯/સં. ૧૮૫૫, જેઠ વદ ૩; મુ.), હિંદી ભાષામાં ‘અંતરંગકરણી’, ગજસુકુમાર અને કૃષ્ણના અન્ય ૬ ભાઈઓની રસપ્રદ અને બોધકથા કહેતી ૨૧ ઢાળનો ‘ષટબંધવનો (છ ભાઈનો)-રાસ’ (ર.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭, કારતક-) અને ‘આષાઢભૂતિ-સઝાય’ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૧, ૩; ૨. જૈસસંગ્રહ(જૈ); ૩. જૈસસંગ્રહ(ન); ૪. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેવકી છ ભાયારો રાસ, સં. બિપિન ઝવેરી, ઈ.૧૯૫૮; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. મુપૂગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

માલદે/માલદેવ [ઈ.૧૬૩૦ સુધીમાં] : બહોરાગોત્રીય જૈન શ્રાવક. તપગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય. ૪૭/૫૪ કડીની ‘નંદીશ્વર પદ્યીપ-ચોપાઈ/નંદીશ્વરસ્થપ્રતિમા-સ્તવન/નંદીશ્વર-સ્તવન/નંદીશ્વર-સ્તોત્ર’ (લે. ઈ.૧૬૩૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

માલદેવ/બાલ(મુનિ) [ઈ.૧૬મી સદીનો ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. ભાવદેવસૂરિના શિષ્ય. વિલાસપુરના રાજા સિંઘરથના પુત્ર પુરંદર અને તેની પત્ની કનકવતીની કથા કહેતી, સુભાષિતોથી યુક્ત ૩૫૬/૩૬૪ કડીની ‘પુરંદરકુમાર-ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૯૬ પહેલાં); ૧૫૮૩ કડીની ‘ભોજપ્રબંધ’(અપૂર્ણ); ચોપાઈ, દુહા ગાથા અને દેશીઓમાં રચાયેલી, પ્રચૂર પ્રમાણમાં ગૂંથાયેલાં સુભાષિતોને કારણે સુભાષિત-સંગ્રહ જેવી છાપ પાડતી, ભાષા, ભાવ અને છંદની પ્રૌઢિ તેમ જ શબ્દાલંકાર અને અર્થાલંકારના ઐચિત્યપૂર્ણ ઉપયોગવાળી, ૧૭૩૭ ગ્રંથાગ્રની ‘વિક્રમચરિત્રપંચદંડ-કથા’; ‘દેવદત્ત ચોપાઈ’ (લે. ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, ચૈત્ર વદ ૧૩); શીલવિષયક ‘પદ્મરથ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦); ૬૫૨/૬૬૯ કડીની ‘સુરસુંદરી-ચોપાઈ’ (લે. ઈ.૧૬૩૪ પહેલાં); ૭૦૮ કડીની વિજયપુરના રાજા સુરાંગદના પુત્ર વીરાંગદ અને તેની પત્ની વીરમતીની કથા કહેતી પુણ્યવિષયક ‘વીરાંગદ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૬/સં. ૧૬૧૨, જેઠ સુદ ૯); ૬૯ કડીની ‘માલદેવશિક્ષા-ચોપાઈ’; ૧૦૭ કડીની સળંગ એક જ દેશીમાં રચાયેલી ‘સ્થૂલિભદ્રફાગધમાલિ’ (લે. ઈ.૧૫૯૪/સં. ૧૬૫૦, ફાગણ વદ ૧૪; મુ.); ૬૫ કડીની ‘રાજુલનેમિનાથ-ધમાલ’ (લે. ઈ.૧૬૦૩ પહેલાં); ‘શીલ-બત્રીસી’, ૪૩૧ કડીની વજ્રબાહુના પુત્રો કીર્તિધર અને સુકોશલની કથા કહેતી ‘કીર્તિધર-સુકોશલસંબંધ’ (લે. સં. ૧૯મી સદી); ૨૩૦ કડીનો ૨૨મા તીર્થંકર નેમિનાથના નવ જન્મોની કથા કહેતો ‘નેમિનાથ-નવભવ-રાસ’ (લે. સં. ૧૮મી સદી); વિશાલાના રાજા ચેદની પુત્રી ત્રિશલા જે કુંડપુરના રાજા સિદ્ધાર્થની પત્ની છે તેના પુત્ર સત્યકીના જીવનનું એટલે કે મહાવીરસ્વામીના જન્મ અને જીવનનું વૃત્તાંત આપતી ‘સત્યકી સંબંધ’ તથા ૩૭ કડીની ‘બૃહદ્ગચ્છ-ગુર્વાવલી’ (લે. ઈ.૧૬૯૫; મુ.)ના કર્તા. કૃતિ : ૧. પસમુચ્ચય : ૩; ૨. પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ-એક અધ્યયન, વાડીલાલ ચોકસી, ઈ.૧૯૭૯; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ પારેખ, ઈ.૧૯૭૯;  ૫. કેટલૉગગુરા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

માલવિજય [                ] : તપગચ્છના જૈન સાધુ. ‘નવતત્ત્વઅર્થ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોં કી સૂચી’, અગરચંદ નાહટા.[કી.જો.]

માલશિષ્ય [                ] : ‘માલસેવક’ને નામે મળતી ૩૦ કડીની ‘સમસરણમહિલા-ભાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કા.શા.]

માલીબાઈ [                ] : ગુરુમહિમાને વર્ણવતાં ૫ અને ૪ કડીનાં ૨ ભજનો(મુ.)નાં કર્તા. કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]

માલો [                ] : માર્ગી પંથના કવિ. માલો રાવળને નામે અલખની ઉપાસના કરવાનો બોધ આપતું ૫ કડીનું ભજન(મુ.) મળે છે. કૃતિ : ખોજાવૃત્તાંત, સ. સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.).[ર.ર.દ.]

માવજી-૧ : જુઓ માવા-૧.

માવજી-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : બ્રાહ્મણ. અવટંકે જોષી. પિતા પુંજા. આધોઈ ગામના રહીશ. ઈ. ૧૮૨૪ સુધી હયાત હોવાનું મનાય છે. મારવાડીની છાંટ ઝીલતા ૭ કુંડળીઆ(મુ.)ના કર્તા. કૃતિ : ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૬-‘અપ્રસિદ્ધ લોકસાહિત્ય’, સં. કચરાલાલ શ. સોની (+સં.).[શ્ર.ત્રિ.]

માવજી-૩ [                ] : જૈન. રવિવિજયના શિષ્ય. જુદાં જુદાં ગામના પાર્શ્વનાથનું વર્ણન કરતા ૧૦૧ કડીના ‘પાર્શ્વનાથ-છંદ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.] માવા-૧/માવજી [ઈ.૧૫૩૧માં હયાત] : ૫૧ કડીની ‘વૈષ્ણવભક્તપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૧/૧૫૮૭, આસો સુદ ૧૩; મુ)ના કર્તા. કૃતિ : સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭-જાન્યુ. ૧૯૭૮-‘કવિ માવા-માવજી રચિત વૈષ્ણવ ભક્ત પ્રબંધચોપાઈ’, સં. અમૃતલાલ મો. ભોજક. [શ્ર.ત્રિ.]

માવા(ભક્ત)-૨/માવજી [                ] : ૮ કડીનાં ૮ ભજનો(મુ.)ના કર્તા. માવજીને નામે નોંધાયેલાં પદો પણ આ જ કર્તાના હોવાની શક્યતા છે. કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શા. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮. સંદર્ભ : કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

માહાવદાસ : જુઓ મહાવદાસ-૧.

માહુદાસ [                ] : પદોના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

માહેશ્વર(દાસ) : આ નામે પદ નોંધાયેલાં છે. તેમના કર્તા કયા મહેશ્વર(દાસ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

માહેશ્વર-૧ [જ. ઈ.૧૭૯૦-અવ.ઈ.૧૮૭૧] : પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ. પિતા મંગલજી. માતા ગલાલબાઈ.સંસ્કૃતના વિદ્વાન. અવસાન લીંબડીમાં.

શિવભક્તિશિવભક્તિને વ્યક્ત કરતી ૪ કડીની ‘શિવ-સ્તુતિ’(મુ.), ૮ કડીના ‘શિવના સાતવાર’(મુ.) અને ૩૫ કડીનું ‘વારાણસી-માહાત્મ્ય’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : અહિચ્છત્ર-કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુક્લ. ઈ.૧૯૧૪ (+સં.). સંદર્ભ : મારા અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪.[શ્ર.ત્રિ.]

માંગજી/માંગદાસ [ઈ.૧૭૭૫ સુધીમાં] : પદોના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨. [શ્ર.ત્રિ.]

માંગલબાઈ [                ] : ૪ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬(સુલભ આ.).[શ્ર.ત્રિ.]

માંગુ [સં. ૧૭મી સદી પૂર્વાર્ધ] : તેમની પૂર્વછાયો અને દુહા-ચોપાઈમાં રચાયેલી ‘અશ્વમેધ’ કૃતિ મુખ્યત્વે જૈમિનીના ‘અશ્વમેધ’ના અનુવાદરૂપ છે. કવિએ પોતાના નામની સાથે ભક્તિવાચક ‘વિષ્ણુદાસ’ એવું નામ જોડ્યું છે. એટલે કોઈને એ કૃતિ વિષ્ણુદાસકૃત હોવાનું પણ લાગે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

માંડણ/માંડણદાસ : આ નામે ‘મનને બોધ’ (મુ.), ૧૦ કડીનો ‘નંદલાલજીનો ગરબો’ તથા અન્ય કેટલાંક પદ મળે છે એ કૃતિઓ કયા માંડણની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : બૃકાદોહન : ૭. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે; ૩. ડિકૅટલૉગભાવિ.[નિ.વો.]

માંડણ-૧ [ઈ.૧૪૪૨માં હયાત] : કડવાગચ્છના શ્રાવક કવિ. ૨૫૮ કડીના ‘શ્રીપાલ/સિદ્ધચક્ર-રાસ’ (ર.ઈ.૧૪૪૨/સં. ૧૪૯૮, કારતક સુદ ૫, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા. કેટલાક સંદર્ભોમાં ‘નલદમયંતી-રાસ’ આ કર્તાને નામે મુકાયો છે, પરંતુ તે ખરેખર આ કર્તાની રચના નથી. એક જ હસ્તપ્રતમાં બે કૃતિઓ એક સાથે હોવાને કારણે આમ બન્યું છે. કૃતિ : જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૫ જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

માંડણ-૨ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જ્ઞાનમાર્ગી સંત કવિ. કવિની કૃતિઓમાંથી ઉપલબ્ધ થતી માહિતીને આધારે વતન રાજસ્થાનનું શિરોહી. જ્ઞાતિએ બંધારા. પિતાનું નામ હરિ કે હરિદાસ હોવાની સંભાવના. માતા મેધૂ. કવિની ષટ્પદી ચોપાઈવાળી ૨૦-૨૦ કડીની ૩૨ વીશીઓમાં સંકલિત ગુજરાતીની પહેલી ઉખાણાગ્રથિત ‘પ્રબોધ-બત્રીશી/‘માંડણ બંધારાનાં ઉખાણાં’(મુ.)ની અખાના છપ્પા પર અસર છે. લોકોના દંભી ધર્માચાર તેમ જ તેમની બુદ્ધિજડતા પર કટાક્ષ કરી જ્ઞાનબોધ આપવાનો આમ તો કવિનો હેતુ છે, પરંતુ તત્કાલીન પ્રજાજીવનમાં પ્રચલિત અનેક ઉખાણાંને કથયિતવ્યમાં સમાવવાના આગ્રહને લીધે ઘણે સ્થળે કૃતિની પ્રાસાદિકતા જોખમાય છે. કબીરના શિષ્ય જ્ઞાનીજીની હિન્દી કૃતિ ‘જ્ઞાન-બત્તીસી’થી પ્રભાવિત થઈ કવિએ આ કૃતિ રચી હોવાનું મનાય છે. એ સિવાય ૭૦-૭૫ કડીઓવાળા ૭૦ ખંડમાં ચોપાઈ અને દુહાબંધમાં રચાયેલું ‘રામાયણ’ અને એ પ્રકારના જ કાવ્યબંધમાં રચાયેલું ‘રુકમાંગદ-કથા/એકાદશી મહિમા’ (લે.ઈ.૧૫૧૮) કવિની આખ્યાનકોટિની રચનાઓ છે. રોળા અને ઉલાલાના મિશ્રણવાળા છપ્પયછંદમાં રચાયેલી ‘પાંડવવિષ્ટિ’ પણ તૂટક રૂપે કવિની મળે છે. ‘સતભામાનું રૂસણું’ મનાતી કૃતિ કવિએ રચી હોવાનું મનાય છે, પરંતુ એની કોઈ પ્રત ઉપલબ્ધ થઈ નથી. કવિની નામછાપવાળાં, પણ મરાઠીની અસર બતાવતાં ૨ પદ(મુ.) આ કવિનાં હોય એમ મનાય છે. કૃતિ : ‘પ્રબોધબત્રીશી અથવા માંડણ બંધારાનાં ઉખાણાં’ અને કવિ શ્રીધરકૃત ‘રાવણમંદોદરી-સંવાદ’ સં. મણિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૩૦ (+સં.). સંદર્ભ : ૧. અખો-એક અધ્યયન, ઉમાશંકર જોશી, ઈ.૧૯૨૭; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારૂપરેખા : ૧; ૬. ગુસાસ્વરૂપો; ૭. પ્રાકકૃતિઓ;  ૮. સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૮૨ - ‘માંડણ અને સંતમત’, કાન્તિકુમાર ભટ્ટ;  ૯. ગૂહાયાદી.[નિ.વો.]

માંડણ-૩ [ઈ.૧૫૫૧ સુધીમાં] : માંડણ નાયકને નામે ‘ઝંદાઝૂલણનો વેશ’  (મુ.) એ ભવાઈ-વેશ મળે છે. એની કેટલીક વાચનાઓમાં મળતી પંક્તિઓને આધારે એમ લાગે છે કે કૃતિ એના મૂળ સ્વરૂપે ઈ.૧૫૫૧ સુધીમાં રચાયેલી છે, એટલે કવિ એ સમય સુધીમાં થઈ ગયા એમ અનુમાન કરી શકાય. એક માન્યતા મુજબ આ માંડણ નાયક અસાઇતના પુત્ર હતા. ‘અડવા વાણિયાનો વેશ’ તરીકે પણ ઓળખાતો આ વેશ ૨ ભાગમાં વહેંચાઈ જાય છે. તેના પૂર્વ ભાગમાં તેજા મોદીનું અડવા એટલે કે મૂર્ખ વાણિયા તરીકેનું પૂર્વવયનું વૃત્તાંત રજૂ થાય છે. બીજા ભાગમાં મુસ્લિમ સરદાર ઝંદા તથા તેજાંના પરસ્પરના અનુરાગ,પ્રતીક્ષા, મિલન અને વિરહદુ:ખના ભાવો તળપદી છટાથી વ્યક્ત થાય છે. કથાની વચ્ચે વિપુલ પ્રમાણમાં, મૂળ કથા સાથે સંબંધ ન ધરાવતાં, હિન્દી પદ્યો મુકાયાં છે. જેમાંનાં ઘણાં પદ્ય અન્ય કવિઓની નામછાપ દર્શાવે છે. કૃતિ : ૧. દેશી ભવાઈનો ભોમિયો, સં. મયાશંકર શુક્લ, -; ૨. ભવાઈ, સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨ (સં.); ૩. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૪. શ્રી ભવાની ભવાઈપ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-. સંદર્ભ : ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪.[નિ.વો.]

માંડણ-૪ [ઈ.૧૫૮૬ સુધીમાં] : કેટલાંક સુભાષિતોથી બદ્ધ ‘સુક્તાવલી’ (લે. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, માગશર સુદ ૨)ના કર્તા. ‘પ્રબોધ-બત્રીસી’ના કર્તા અને આ માંડણ એક છે કે જુદા તે સ્પષ્ટ થઈ શકતું નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [નિ.વો.]

માંડણ(ગૂગલી-૫) [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [નિ.વો.]

‘માંડણ બંધારાનાં ઉખાણાં’  : જુઓ ‘પ્રબોધબત્રીશી.’

મીઠાચંદ્ર [ઈ.૧૭૪૨માં હયાત] : ‘મીઠાચંદ્ર’ નામછાપ ધરાવતા ૯ કડીના ‘પાર્શ્વનાથ-ગીત’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, મહા સુદ ૧૫, સોમવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]

મીઠુ-૧ [ઈ.૧૫૩૧માં હયાત] : વૈષ્ણવ કવિ. ‘રામપ્રબંધ’ (ર.ઈ.૧૫૩૧)ના કર્તા. આ કૃતિમાંથી સાચા વૈષ્ણવનાં લક્ષણો વર્ણવતું, માત્રામેળ છંદમાં રચાયેલું ૫૧ કડીનું ‘વૈષ્ણવ-ગીત’ (ર.ઈ.૧૫૩૧/સં. ૧૫૮૭, આસો સુદ ૧૩) અલગ મુદ્રિત રૂપે મળે છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૫૧ - ‘વૈષ્ણવ-ગીત’, સં. મંજુલાલ મજમુદાર (+સં.). સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૪. ડિકેટલૉગભાવિ.[ર.સો.]

મીઠુ-૨/મીઠુઓ [જ.ઈ.૧૭૩૮-અવ. ઈ.૧૭૯૧) : શાકતભક્ત. ખેડા જિલ્લાના મહીસાના વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. અવટંકે શુક્લ. પિતા કૃપારામ. માતા મણિ. મીઠુ મહારાજને નામે જાણીતા થયેલા આ કવિએ ઉપનિષદો, તંત્રો ને સંગીતનો અભ્યાસ કરેલો એમ કહેવાય છે. કવિ જનીબાઈ તેમની શિષ્યા હોવાનું પણ કહેવાયું છે. આ કવિએ ગુજરાતી, હિન્દી તેમ જ સંસ્કૃતમાં કાવ્યરચના કરી છે. ગુજરાતી કૃતિઓમાં ‘શ્રીલહરી/લીલાલહરી’(મુ.) શંકરાચાર્યકૃત ‘સૌૈંદર્યલહરી’ના કંઈક ક્લિષ્ટ તથા અસહજ છંદોવહનવાળી પણ પ્રથમ ગુજરાતી સમશ્લોકી અનુવાદ તરીકે નોંધપાત્ર કૃતિ છે. અર્ધનારીશ્વરની ભાવના પર શ્રીચક્રની પદ્ધતિ અનુસાર રાસવર્ણન આપતી ૩૨ ઉલ્લાસની ‘રાસરસ’ પણ આ કવિની મહત્ત્વની કૃતિ ગણાઈ છે. આ ઉપરાંત ’પરમશિવસ્તોત્ર’, ‘બ્રાહ્મણાષ્ટક’, ‘ભક્તિતરંગિણી’, ‘ભગવદગીતા’નો અનુવાદ, ‘રસિકવૃત્તિવિનોદ’, ‘રસિકાષ્ટક’, ૧૨ ઉલ્લાસની ‘શ્રીરસ’, ૧૩ ઉલ્લાસની ‘શક્તિવિલાસ-લહરી’, ૧૫ કડીનું ‘અર્ધનારીશ્વરનું ગીત’(મુ.) અને ગુજરાતી-હિન્દી પદો તેમણે રચ્યાં છે. ‘શિવ-શક્તિરાસાનુક્રમ’ એમની ગદ્યકૃતિ છે. ‘ગુરુસ્તોત્ર’, ‘સ્ત્રીતત્ત્વ’ વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે. કૃતિ : ૧. લીલાલહરી, સં. હિંમતરામ મ. જાની, સં. ૨૦૧૦;  ૨. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૩, ઈ.૧૯૬૩. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. શાક્તસંપ્રદાય, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૨;  ૬. પ્રસ્થાન, જેઠ ૧૯૯૧-‘ગુજરાતમાં અર્ધનારીશ્વરની ઉપાસના’, મંજુલાલ મજમુદાર;  ૭. કદહસૂચિ; ૮. ગૂહયાદી; ૯. ડિકૅટલૉગબીજે.[ર.સો.]

મીઠો [અવ.ઈ.૧૮૭૨] : પદકવિ. વતન લીંબડી. જ્ઞાતિએ ઢાઢી મુસલમાન. પિતાનું નામ સાહેબો. એમનો જન્મ ઈ.૧૭૯૪ આસપાસ થયો હોવાનું અનુમાન થયું છે. તેમનું મન વૈષ્ણવ ધર્મથી રંગાયેલું છે. તેમણે કૃષ્ણકીર્તન અને જ્ઞાનબોધની ગરબી, રાસ, થાળ, ભજન જેવી પદપ્રકારની ઘણી કૃતિઓ (કેટલીક મુ.) રચી છે. તેમની ‘સાંભળ સૈયર વાતડી’ જેવી ઘણી કૃતિઓ લોકપ્રિય છે. કૃતિ : ૧. લીંબડી નિવાસી ભક્ત મીઠાનાં કેટલાંક કાવ્ય, પ્ર. અમૃતલાલ દે. પંડ્યા, ઈ.૧૯૨૭ (+સં.);  ૨. અભમાલા; ૩. ગુસાપઅહેવાલ : ૩ - ‘ગુજરાતી જૂનાં ગીતો, સં. કવિ ભવાનીશંકર નરસિંહરામ; નકાદોહન : ૩; ૪. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક. ઈ.૧૯૬૧; ૫. પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૬. બૃકાદોહન : ૫, ૭; ૭. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૭; ૮. ભસાસિંધુ; ૯. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯; ૧૦. સતવાણી. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ફૉહનામાવલિ.[ર.સો.]

મીરાં/મીરાંબાઈ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ]: પ્રેમલક્ષણા ભક્તિની કવિતા રચનાર એક ઉત્તમ પદકવિ. મીરાં ૧૬મી સદીમાં થઈ ગયાં અને એ રાજસ્થાનના રાજપરિવારનાં હતાં એ સિવાયની મળતી એમની જીવનવિગતો અચોક્કસ છે. કેટલીક વિગતો લોકવાયકાથી ઘેરાયેલી છે. મુખ્યત્વે હરમાન ગેત્સ (Goetze)ના સંશોધનને આધારે વિદ્વાનોએ મીરાંની જે જીવનરેખા આલેખી છે એ મુજબ − ઈ.૧૫મી સદીનાં અંતિમ વર્ષોમાં કે ૧૬મી આરંભે એમનો જન્મ મેડતાના કુડકી ગામમાં, દૂદાજીના પુત્ર રત્નસિંહની પુત્રી તરીકે થયેલો; રાણા સંગ (રાજ્યકાળ ઈ. ૧૫૦૯-૧૫૨૮)ના મોટા પુત્ર ભોજ સાથે ઈ. ૧૫૧૬ આસપાસ એમનું લગ્ન થયેલું; એ પછી કેટલાંક જ વર્ષોમાં મીરાં વિધવા થયેલાં. બાળપણમાં દાદા પાસેથી મળેલા વૈષ્ણવ ભક્તિના સંસ્કારે તેમજ મનની કોઈ ઊંડી આરતને કારણે મીરાંનું ચિત્ત સંસારી સુખોથી વિમુખ થઈને કૃષ્ણની પ્રીતિમય ભક્તિમાં જ લીન થયું હતું, એવું એમનાં પદો પરથી પણ સમજાય છે. શ્વસુરગૃહ મેવાડ અને પિયર મેડતાના રાજપરિવારો વચ્ચેના સારા સંબંધોને લીધે મીરાંના ભક્તિમય જીવનને બહુ આંચ નહીં આવી હોય પરંતુ પતિ અને સસરાના અવસાન પછી ચિતોડની ગાદી પર આવેલા મીરાંના દિયર વિક્રમાદિત્યે મીરાંની કનડગત શરૂ કરી હશે; એની પાછળ વિધવા રાજરાણી મીરાંની સાધુસંતો સાથેની ઊઠબેસ અને કંઈક અંશે રાજખટપટો પણ કારણભૂત હશે. મીરાંનાં પદોમાં મળતા ઉલ્લેખો પરથી લાગે છે કે વિષ આપીને કે નાગ કરડાવીને એમની હત્યા કરવાના પ્રયાસો થયા હશે. ભક્તિમય જીવન પર આવા દાબ અને અવરોધો આવવાથી મેવાડત્યાગનું વિદ્રોહી પગલું ભરીને મીરાં ઈ.૧૫૩૨ આસપાસ પિયર મેડતા ચાલી ગયાં. એ પછી સંન્યાસિની મીરાં કૃષ્ણધામ દ્વારકા ગયાં. ત્યાંથી પછી વૃંદાવન આદિ તીર્થોની યાત્રાએ ગયાં ને પુન: દ્વારકા આવ્યાં. એમનું અવસાન દ્વારકામાં થયું કે અન્યત્ર એ સ્પષ્ટ થતું નથી. ઈ. ૧૫૬૩-૬૫ દરમ્યાન એમનું અવસાન થયાનું અનુમાન થયું છે. અવસાનપૂર્વે મીરાં અજ્ઞાતવાસમાં ચાલી ગયેલાં એવી પણ એક સંભાવના કરવામાં આવી છે. મેવાડ-મેડતાના ત્યાગ પછી મીરાંએ એક સાધ્વી તરીકે યાત્રામય જીવન સ્વીકાર્યું. રાજસ્થાનથી ગુજરાતમાં દ્વારકા આવીને પછી ત્યાંથી ઉત્તર ભારતમાં વૃંદાવન સુધીની ને સંભવત: ભારતનાં અન્ય તીર્થોની યાત્રાએ એ જઈ આવેલાં. આ યાત્રાઓ દરમ્યાન મીરાં વિવિધ સંપ્રદાયના સંતો અને આચાર્યોના સંપર્કમાં આવ્યાં હોવાનું મનાય છે. એમાં રામભક્ત દેવાજી, વલ્લભ સંપ્રદાયના કૃષ્ણદાસ અને રામદાસ, રાધાવલ્લભ સંપ્રદાયના હિતહરિવંશજી, ચૈતન્યસંપ્રદાયના જીવ ગોસ્વામી અને રૂપ ગોસ્વામી સાથેના મેળાપ મુખ્ય છે. મીરાંબાઈના ગુરુ અંગે પણ ઘણી અટકળો થઈ છે, એમાં જીવ ગોસ્વામી અને રૈદાસનાં નામ વધુ પ્રચલિત છે. જીવ ગોસ્વામી અને મીરાંબાઈનો મેળાપ થયેલો એ સ્વીકૃત હકીકત છે પણ તે મીરાંના ગુરુ હતા એ વાતને કોઈ સમર્થન નથી. રૈદાસ સાથે મીરાંનો મેળાપ થયાની વિગતને કોઈ ચોક્કસ આધાર નથી એટલે એમના ગુરુ-શિષ્ય-સંબંધની સંભાવના ટકી શકે એમ નથી. મીરાંબાઈને અકબર સાથે મેળાપ થયો હતો કે એમને તુલસીદાસ અને નરસિંહ સાથે પત્રવ્યવહાર થયેલો એ વિગતો ઉપજાવેલી છે, એને કોઈ અધિકૃત ટેકો નથી. મીરાંનાં પદો પર અન્ય સંપ્રદાયોના ભજનસાહિત્યનો પ્રભાવ જોવાના પ્રયત્ન પણ થયા છે. “જોગી હોવા જુગ તણા જાણા, ઉલટ જણમ રાં ફાંસી” જેવાં દૃષ્ટાંતોને આધારે નાથસંપ્રદાયની; “ગગનમંડપ પૈ સેજ પિયા કી, કિસવિધ મિલણા હોય”-ને આધારે નિર્ગુણ ભક્તિસંપ્રદાયની; ને ‘રામ’, ‘રઘુનાથ’ જેવા શબ્દપ્રયોગોને આધારે રામાનંદી સંપ્રદાયની અસર એમની ભક્તિભાવના પર થઈ હોવાનાં અનુમાન થયાં છે. પરંતુ મીરાંનાં આવાં પદો કે પદપંક્તિઓ પ્રક્ષિપ્ત હોવાની સંભાવના વધારે છે. મીરાંના રાજસ્થાન, ગુજરાત, ઉત્તર ભારતમાંના નિવાસને લીધે રાજસ્થાની, ગુજરાતી ને વ્રજ ત્રણે ભાષાઓમાં એમની પદરચનાઓ મળે છે ને તે તે ભાષાનાં સન્માન્ય કવિ તરીકે એમની ગણના થયેલી છે. એ ત્રણે ભાષાઓમાંની પદરચનાઓની કુલ સંખ્યા ૧૪૦૦ ઉપરાંતની ગણાવાઈ છે પરંતુ એમાં પ્રક્ષિપ્ત પદોની સંખ્યા પણ ઠીકઠીક છે. મીરાંનાં કેટલાંક ખૂબ જ પ્રચલિત પદો ત્રણે ભાષા-પ્રદેશોમાં જાણીતાં છે. ને ગવાતાં-સંભળાતાં તેમજ છપાતાં રહ્યાં છે. એટલે ઓછું સર્જન છતાં મીરાંનો કવિ તરીકેનો ભૌગોલિક વ્યાપ મોટો છે. મીરાં એક રીતે ભારતીય કવયિત્રી પણ છે. હસ્તપ્રતોના આધારવાળાં ને કેટલાક શબ્દફેર સાથેના ઓછા-વધારે પરિવર્તનોવાળાં મીરાંબાઈનાં ગુજરાતી પદો  (મુ.)ની સંખ્યા ૪૦૦ જેટલી છે. એ પદોનું ભાવજગત મહદંશે એકલક્ષી છે, કૃષ્ણપ્રીતિકેન્દ્રી છે. અલબત્ત, એમાં કેટલાક વિવર્તો છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી...’, ‘સાધુનો સંગ મીરાં છોડી દિયો રે...’, ‘સંસારીનું સુખ કાચું’, એથી ‘પરણું તો પ્રીતમ પ્યારો...’ જેવા કાવ્યોદ્ગારોમાં મીરાંની આત્મચરિત્રાત્મક બાબતો પણ નિર્દેશ પામી છે તો ‘હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું’, ‘શામળો ઘરેણું મારે સાચું... વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી’, ‘ઉપાડી ગાંસડી વેઠની રે’, ‘દિલ તો ખોલીને દીવો કરો રે’, ‘રામ રાખે તેમ રહીએ’ − વગેરેમાં રૂપકો ગૂંથતી સંતવાણી ને ભક્તિબોધની લહર પણ દેખાય છે. યાત્રાઓ દરમ્યાન થયેલા સંતો-કવિઓની વાણીના સંસ્કાર એમના પર પડેલા છે. આ બે છેડા વચ્ચેની મીરાંની કવિતા કૃષ્ણ-સમર્પણભાવની નિતાન્ત પ્રેમ-સંવેદનની કવિતા છે. એમાં સમરસ થયેલો ગોપીભાવ છે : “પૂર્વ જનમની હું વ્રજતણી ગોપી, ચૂક થતાં અહીં આવી રે” એવા પ્રગટ ભાવોદ્ગાર ઉપરાંત “નંદલાલ નહીં રે આવું...”, ‘વૃંદાવન મોરલી વાગે છે...’, ‘હાં રે કોઈ માધવ લ્યો...’, ‘રાધે તારા ડુંગરિયા પર...’ એવા અનેક ભાવવાહી ઉદ્ગારો એમાં છે. મિલનની આરત, રિસામણાં, વિયોગની તીક્ષ્ણ વેદના મીરાંબાઈનાં પદોનો પ્રધાન સૂર છે. મીરાંની કવિતા આવા સુકુમાર ભાવોની એક નૈસર્ગિક સરવાણી જેવી છે એટલે સંવેદનની પારદર્શકતા ઉપરાંત એમાં પ્રીતિભાવનું, સ્ત્રીહૃદયનું માધુર્ય પણ છે. એમની કવિતાની સહજ રચનામાં વર્ણમધુર લયાન્વિતતા પણ છે : “મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા”માં ‘મ’નું અનુરણન કે ‘પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની’ તથા “વાગે છે રે વાગે છે, વનરાવન મોરલી વાગે છે”માં શબ્દપુનરાવર્તનથી આવતો, મનની લગનીવાળો લય સંભળાય છે. વળી ‘કાનુડો ન જાણે મોરી પીર’માં “કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઊડ્યાં ફરરર રરર રે” જેવી વર્ણલયાત્મક પંક્તિઓ ભાવસૌંદર્ય સાથે રચનાસૌંદર્ય પણ પ્રગટાવે છે. એથી મીરાંનાં પદો સંગીતક્ષમ બન્યાં છે ને ભારતનાં ઉત્તમ ગાયક-કલાકારો દ્વારા એ સ્મરણીય બન્યાં છે. મીરાંબાઈની કવિતાની ઊર્મિ-સુષમાએ એમને પ્રેમલક્ષણાભક્તિનાં ઉત્તમ સ્ત્રીકવિ તરીકે પ્રતિષ્ઠિત કર્યાં છે. પદો સિવાયની જે કેટલીક લાંબી રચનાઓ મીરાંબાઈને નામે મળે છે એમાં દુહા-ચોપાઈના બંધવાળી ને સંવાદરીતિએ લખાયેલી ‘નરસીજીકા માયરા/નરસી રો માયરો’ (મુ.) ધ્યાનપાત્ર છે. કેટલાક વિદ્વાનો માને છે કે આ કૃતિમાંથી ઘણો ક્ષેપક અંશ કાઢી નાખીએ તો બાકીના અંશોનું કર્તૃત્વ મીરાંબાઈનું ગણી શકાય. પરંતુ આખી રચના જ મીરાંકૃત નથી એવો વિદ્વાનમત સાચો લાગે છે. રામાનંદી સંપ્રદાયનાં મંદિરોમાંથી જ મળતી આ કૃતિની પ્રતો, કૃતિના આરંભે રામાનંદની થયેલી અતિપ્રશસ્તિ, કૃતિ પર જોવા મળતો તુલસીદાસના ‘રામચરિત માનસ’નો પ્રભાવ અને ઘણી પંક્તિઓ પર જોવા મળતી પ્રેમાનંદકૃત ‘મામેરું’ની અસર − વગેરે બાબતો આ કૃતિ પાછળના સમયમાં કોઈ રામાનંદી સાધુ મીરાંદાસ દ્વારા રચાઈ હશે એવા તર્કને સાચો માનવા પ્રેરે એમ છે. ‘(પિપાજીનું) ચરિત્ર’ નામની કૃતિ પણ આ મીરાંદાસની જ હોવાની સંભાવના છે. ૮૦ કડીની ‘સતભામાનું રૂસણું’ (મુ.) એનો ગરબાપ્રકાર, એની ભાષાનું ઘણું અર્વાચીન રૂપ અને મીરાંની પ્રચલિત નામછાપનો અભાવ − એ બધાથી મીરાંકૃત લાગતી નથી. એ જ પ્રમાણે ૫૮ કડીની ‘નરસિં મહતાચી હૂંડી’, ‘ગીતગોવિંદની ટીકા’ − એ કૃતિઓ પણ મીરાંબાઈની હોવાની સંભાવના નથી. મીરાંનો સંપૂર્ણ કવિયશ એમનાં ઉત્તમ પદોથી ઉજ્જ્વવળ છે. કૃતિ : ૧. મીરાં કી પ્રામાણિક પદાવલિ (હિંદી), ભગવાનદાસ તિવારી, ઈ. ૧૯૭૪ (+ સં.); ૨. મીરાંનાં પદો, સં. ભૂપેદ્ર ત્રિવેદી, ૧૯૬૨. (મીરાંબાઈનાં વધુ ગુજરાતી પદો, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી, ૧૯૬૯ - ને સમાવી લેતી, મીરાંનાં પદોની બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી અને અનસૂયા ત્રિવેદી, ૧૯૭૬); ૩. મીરાંનાં પદો, સં. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૮૪; ૪. મીરાં-બૃહદ-પદ-સંગ્રહ (હિંદી), સં. પદ્માવતી શબનમ, ઈ. ૧૯૫૩ (+સં.); ૫. મીરાંબાઈનાં ભજનો, સં. હરસિદ્ધભાઈ દિવેટિયા, ઈ. ૧૯૭૬ (૧૦મી આ.); ૬. મીરાંબાઈ - એક મનન, મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૭૫ (+સં.);  ૭. બૃહત્કાવ્યદોહન : ૧, ૨, ૫, ૬, ૭ (+સં.). સંદર્ભ : ૧. મીરાં, રતિલાલ મો. ત્રિવેદી, ઈ. ૧૯૫૯; ૨. મીરાં, હસિત હ. બૂચ, ઈ. ૧૯૭૮; ૩. મીરાં, નિરંજન ભગત, ઈ.૧૯૮૨; ૪. મીરાં સ્મૃતિગ્રન્થ (હિંદી), સં. ઘનશ્યામ શલભ, વગેરે, ઈ. ૧૯૭૨; ૫. મીરાંબાઈ, ભાનુસુખરામ મહેતા, ઈ. ૧૯૧૮; ૬. મીરાંબાઈ (હિંદી), ડૉ. પ્રભાત, ઈ. ૧૯૬૫;  ૭. આપણાં સાક્ષરરત્નોે : ૧, ન્હાનાલાલ દ. કવિ, ઈ. ૧૯૩૪ - ‘મહારાણી મીરાં’; ૮. આરાધના, ચૈતન્યબહેન જ. દિવેટિયા, ઈ.૧૯૬૮ - ‘પ્રેમમૂર્તિ મીરાં’; ૯. કવિચરિત : ૧-૨; ૧૦. કાવ્યતત્ત્વવિચાર, આનંદશંકર ધ્રુવ, ઈ. ૧૯૩૭ (બીજી આ.) - ‘નરસિંહ અને મીરાં’, ‘મીરાં અને તુલસીદાસ’; ૧૧. ક્લાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત (અંગ્રેજી), ગોવર્ધનરામ ત્રિપાઠી, ઈ. ૧૯૧૬ (બીજી આ.) પહેલી, ૧૮૯૨); ૧૨. ગુલિટરેચર; ૧૩. ગુસાઇતિહાસ : ગ્રંથ: ૨, ખંડ : ૧ (શોધિત-વર્ધિત આવૃત્તિ) ૨૦૦૩; ૧૪. ગુસામધ્ય; ૧૫. ગુસારૂપરેખા-૧; ૧૬. થોડાંક રસદર્શનો, ક.મા. મુનશી, ઈ. ૧૯૩૩ - ‘ભક્તિનો મધ્યાહ્ન અને ગુજરાતી સાહિત્ય’; ૧૭. નભોવિહાર, રા. વિ. પાઠક ૧૯૬૧ - ‘મીરાં અને અખો’; ૧૮. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ. ૧૯૭૫ની આવૃત્તિ - ‘કવિચરિત્ર’; ૧૯. ભાવલોક, ચિમનલાલ ત્રિવેદી, ઈ. ૧૯૭૬ - ‘નરસિંહ મીરાંની ઉપમા’; ૨૦. વાગીશ્વરનાં કર્ણફૂલો, દર્શક, ઈ. ૧૯૬૩ - ‘મીરાંની સાધના;  ૨૧. Journal of Gujarat Research Society, April ૧૯૫૬ - Mirabai by Hermann Goetze. આ લેખનો અનુવાદ - ‘મીરાંબાઈ’ - ભૂપેન્દ્ર ત્રિવેદી, પરિશિષ્ટ, મીરાંનાં પદો (સંવર્ધિત આ.) ૧૯૭૬; ૨૨. ફાત્રૈમાસિક, એપ્રિલ જૂન ૧૯૫૮ - ‘મીરાં’, હીરાબહેન પાઠક; ૨૩. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૮૬ - ‘મીરાંનું કવિકર્મ’, જયંત કોઠારી;  ૨૪. ગૂહાયાદી; ૨૫. ડિકૅટલૉગબીજે; ૨૬. ડિકૅટલૉગભાવિ, ૨૭. મુપુગૂહસૂચી.[ર.સો.]

મીરાં મહમદશાહ [ ] : સૈયદ ખોજા કવિ. ૧૩ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪.[ર.ર.દ.]

મીરાં મહેદી [  ] : સૈયદ ખોજા કવિ. ૧૦ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. [ર.ર.દ.]

મુકુન્દ-૧ [ઈ.૧૬૨૪માં હયાત] : આખ્યાનકાર, સુભટમોહનના શિષ્ય. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે ૧૧ કડવાંના ‘ભીષણ પ્રેમલાનું આખ્યાન’(ર.ઈ.૧૬૨૪/સં.૧૬૮૨, કારતક-૧૩)ની રચના તેમણે કરી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહયાદી; ૩. ફાહનામાવલિ : ૨.[ર.સો.]

મુકુન્દ-૨ (ઈ.૧૬૫૨માં હયાત) : દ્વારકાના વતની. જ્ઞાતિએ ગૂગળી બ્રાહ્મણ. કેશવાનંદના શિષ્ય. એમની પાસે હિંદીનો અભ્યાસ કરેલો. ગુરુની પ્રેરણાથી એમણે રચેલી ગણાતી ‘ભક્તમાળા’ના પહેલા મણકારૂપ ૧૫ કડવાંનું, બહુધા હિંદીમાં લખાયેલું ‘કબીરચરિત્ર’ (ર.ઈ.૧૫૬૨) અને આઠમા મણકારૂપ, ૯ કડવાંનું હિંદીની છાંટવાળું ‘ગોરક્ષચરિત્ર’ (ર.ઈ.૧૬૫૨) મુદ્રિત થયેલાં છે. આ કૃતિઓમાં ઝડઝમક અનુપ્રાસ જેવી યુક્તિઓની અતિશયતા ધ્યાન ખેંચે એવી છે. આ કાવ્યોની કોઈ હસ્તપ્રત મળતી ન હોવાથી એમનું કર્તૃત્વ કેટલાકને શંકાસ્પદ લાગ્યું છે. કૃતિ : પ્રાકામાળા : ૧૧. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો, કૃષ્ણલાલ મો. ઝવેરી, ઈ.૧૯૫૮ (સંવર્ધિત આ.); ૩. ગુહિવાણી; ૪. પ્રાકકૃતિઓ; ૫. મગુઆખ્યાન;  ૬. ગૂહાયાદી.[ર.સો.]

મુકુન્દ-૩ [ઈ.૧૬૮૬માં હયાત] : આખ્યાનકાર. ખંભાતના વતની. જગદત્ત વ્યાસના પુત્ર જગદીશના શિષ્ય. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે આ કવિએ ૧૬ કડવાંના ‘વીરવર્માનું આખ્યાન’ (ર.ઈ.૧૬૮૭)ની રચના કરી છે. આ કૃતિમાંના એક ઉલ્લેખ પરથી ‘ચંદ્રહાસ-આખ્યાન’ નામની એક અન્ય કૃતિ પણ આ કવિએ રચી હોવાનું સમજાય છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂજૂકહકીકત; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયદી; ૫. ફાહનામાવલિ : ૨. [ર.સો.]

મુકુન્દ-૪ [ઈ.૧૭૨૧માં હયાત] : મુકુન્દ ભક્ત તરીકે ઓળખાયેલા આ કવિની, વ્રજનારીના મથુરાવાસી કૃષ્ણ પરના પત્ર રૂપે રચેલી એક પદ્યકૃતિ ‘ગોપીકાએ લખેલો કાગળ/મથુરાનો કાગળ’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, માગશર સુદ ૫, રવિવાર) મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [ર.સો.]

મુકુન્દ-૫ [જ.ઈ.૧૭૯૬-અવ.ઈ.૧૮૬૬] : સૌરાષ્ટ્રના ચાવંડના વતની. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. પિતા નૃસિંહ. માતા જીવીમા. કૃષ્ણલીલાનાં, શિવસ્તુતિનાં તથા ભક્તિવૈરાગ્યબોધનાં ગુજરાતી અને વ્રજમાં ઘણાં પદો એમણે રચ્યાં છે, જેમાંના કેટલાંક મુદ્રિત છે. ‘બૃહત્કાવ્યદોહન : ૬’માં મુદ્રિત ‘રાધાવિનોદ’ એમની કૃતિ છે. એટલે ૨૮ કડીનો ‘કહાન-ગોપીસંવાદ’ અને ‘બાળલીલા’ પણ એમની કૃતિ હોવાની સંભાવના કરી શકાય. ‘બૃહત્કાવ્યદોહન : ૫’માં એમના નામે મુદ્રિત હિંદીમાં રચાયેલા ઓગણોતેર કાળના કુંડળિયામાં ‘મુકુંદાનંદ’ છાપ મળે છે. કૃતિ : ૧. *મુકુન્દ પદમાળા, -;  ૨. અહિચ્છત્ર કાવ્યકલાપ, પ્ર. દયાશંકર મા. શુક્લ, ઈ.૧૯૧૪ (+સં.); ૩. પ્રાકાવિનોદ : ૧; ૪. પ્રાકાસુધા : ૧, ૨; ૫. બૃકાદોહન : ૫, ૬. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂજૂકહકીકત; ૩. ગુસારસ્વતો  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ.[ર.સો.]

મુકુન્દ-૬ [                ] : સંતરામ મહારાજના શિષ્ય. નડિયાદના વતની. પદો (ર પદ મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન ઈ.૧૯૭૭. સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી.[ર.સો.]

મુક્તગિરિ [                ] : આ નામે ‘બારમાસી’ અને ‘પ્રાસ્તાવિક દુહા’ મળે છે. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[શ્ર.ત્રિ.]

મુક્તાનંદ [જ.ઈ.૧૭૫૮/સં.૧૮૧૪, પોષ વદ ૭-અવ. ઈ.૧૮૩૦/સં.૧૮૮૬, અસાડ વદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતકવિ. જન્મ સૌરાષ્ટ્રના અમરેલીમાં. પિતા આનંદરામ. માતા રાધા. સરવરીઆ બ્રાહ્મણ. પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ. મહાત્મા મૂળદાસના શિષ્યો પાસેથી સંગીત, વૈદક અને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. માતાપિતાની ઇચ્છાથી લગ્ન. પરંતુ નાની ઉંમરથી કેળવાયેલા વૈરાગ્યભાવને લીધે ગૃહત્યાગ કરી ધ્રાંગધ્રાના દ્વારકાદાસના, ત્યાંથી વાંકાનેરના કલ્યાણદાસના અને પછી સરધારમાં તુલસીદાસના શિષ્ય બન્યા. રામાનંદ સ્વામી સાથે મેળાપ થતાં તેમના પ્રત્યે આકર્ષાયા અને ઈ.૧૭૮૬માં એમની પાસેથી દીક્ષા લઈ ‘મુક્તાનંદ’ બન્યા. રામાનંદ સ્વામીએ મુક્તાનંદથી ઘણી નાની ઉંમરના સહજાનંદ સ્વામીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા ત્યારે મુક્તાનંદે આનંદપૂર્વક સહજાનંદ સ્વામીનું શિષ્યપદ સ્વીકાર્યું અને મૃત્યુપર્યંત સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસારમાં એમને મદદ કરી. ગઢડામાં ક્ષયની બીમારીથી અવસાન. ‘મુક્તાનંદ’ અને ‘મુકુંદદાસ’ નામથી આ વિદ્વાન કવિએ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં અનેક નાનીમોટી રચનાઓ સાંપ્રદાયિક ભાવનાને અનુકૂળ રહી લખી છે. જેમાં ભાગવતાશ્રિત અને હિન્દી-સંસ્કૃત કૃતિઓનું પ્રમાણ મોટું છે. એમની ગુજરાતી કૃતિઓમાં ૧૦૮ કડવાં અને ૨૭ પદોમાં રચાયેલી ‘ઉદ્ધવગીતા’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર; મુ.) સૌથી વિશેષ ધ્યાનાર્હ છે. ભગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવગોપીપ્રસંગનું આલેખન કરતી આ કૃતિ એમાં વિસ્તારથી નિરૂપાયેલા સીતાત્યાગના વૃત્તાંતને લીધે અને એમાં પ્રગટ થતી કવિત્વશક્તિથી એ પ્રકારની અન્ય રચનાઓથી જુદી તરી આવે છે. ગોલોકધામમાં સપરિવાર બિરાજમાન રાધાકૃષ્ણનું ૧૮ ચાતુરીઓમાં વર્ણન કરતી ‘ધામવર્ણન-ચાતુરી’(મુ.), ૧૧ પદોમાં કૃષ્ણ અને રુક્મિણીના વિવાહપ્રસંગને વર્ણવતી અને અંતિમ ૪ ફટાણાં રૂપ પદોમાં કૃષ્ણભક્તિનો મહિમા કરતી ૧૫ પદોની ‘રુક્મિણીવિવાહ’(મુ.) અન્ય ભાગવતાશ્રિત રચનાઓ છે. ૧૩૨ કડવાં અને ૩૩ પદોમાં પ્રાસાદિક વાણીમાં સહજાનંદ સ્વામીના ઇશ્વરીય રૂપને ઉપસાવવા છતાં એમનું અધિકૃત ચરિત્ર બની રહેતી ‘ધર્માખ્યાન’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, શ્રાવણ સુદ ૩; મુ.) કવિની બીજી મહત્ત્વની કૃતિ છે. ‘સત્સંગી જીવન’ના ચોથા પ્રકરણના ૨૮થી ૩૩ અધ્યાયમાં વર્ણવાયેલા-ભક્તરાજ સચ્ચિદાનંદ મુનિ પર અનુગ્રહ કરી શ્રીકૃષ્ણે વડતાલમાં કરેલા નિવાસપ્રસંગનો સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ આપતી ૧૧૨ પદની ‘કૃષ્ણપ્રસાદ’ (ર.ઈ.સંભવત: ૧૮૨૫;મુ.) તથા સહજાનંદ સ્વામીએ બતાવેલા સંપ્રદાયનુસારી સ્ત્રીધર્મોને અનુસરી ૮૮ કડવાં અને ૧૨ પદોમાં સતી સ્ત્રીઓના ધર્મને વર્ણવતી ‘સતીગીતા’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, જેઠ સુદ ૨, ગુરુવાર; મુ.) કવિની સાંપ્રદાયિક કૃતિઓ છે. ગુજરાતી-હિન્દીમાં કવિએ ઘણાં પદો (મુ.) રચ્યાં છે. ભજન, કીર્તન, આરતી ઇત્યાદિ સ્વરૂપે મળતાં ને વિવિધ રાગમાં ગાઈ શકાય એ રીતે રચાયેલાં આ પદોમાં પ્રેમલક્ષણા ભક્તિનાં પદોની સંખ્યા મોટી છે. કૃષ્ણની પ્રતીક્ષા; એને ઉપાલંભ, ઇજન; કૃષ્ણરૂપવર્ણન એમ કૃષ્ણગોપીજીવન સાથે સંકળાયેલી વિવિધ અવસ્થાઓ પદોનો વિષય બને છે. કેટલાંક પદોમાં ભક્તિનો મહિમા ને વૈરાગ્યબોધ છે. સહજ સરળતા એમનાં પદોનો ગુણ છે. ‘વિવેકચિંતામણિ’, ‘સત્સંગ શિરોમણિ’, ‘મુકુન્દ-બાવની’, ‘વાસુદેવાવતારચરિત્ર’, ‘પંચરત્ન’, ‘અવધૂતગીત’, ‘ગુરુ-ચોવીશી’, ‘ભગવદ્ગીતા ભાષાટીકા’, ‘કપિલ-ગીતા’, ‘નારાયણ-ગીતા’ વગેરે એમની હિન્દી તથા ‘નિર્ણાયપંચકમ્’, ‘સત્સંગિજીવન માહાત્મ્યમ્’, ‘હનૂમત્કવચમંત્રપુરશ્ચરણ-જયવિધિસ્તોત્રગણિ’ ઇત્યાદિ સંસ્કૃત રચનાઓ છે. કૃતિ : ૧. મુક્તાનંદકાવ્યમ્ સં, હરિજીવનદાસ શાસ્ત્રી, ઈ.૧૯૫૫;  ૨. કીર્તન મુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮; ૩. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ શ્રીભગવતપ્રસાદજી મહારાજ, સં. ૧૯૪૧; ૪. બૃકાદોહન : ૨, ૩, ૬; ૫. શ્રી ભજનરત્નાવલી, પ્ર. આત્મારામ જ. છતીઆવાલા, ઈ.૧૯૨૫. સંદર્ભ : ૧. મુક્તાનંદની અક્ષરઆરાધના, રઘુવીર ચૌધરી, ઈ.૧૯૭૯; ૨. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, શાસ્ત્રી સત્યપ્રિયદાસ, ઈ.૧૯૭૯;  ૩. કવિચરિત : ૩; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુમાસ્તંભો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ.[ચ.મ. , શ્ર.ત્રિ.]

મુક્તિ : જુઓ મુક્તિસાગર-૨.

મુક્તિવિજ્યશિષ્ય [                ] : જૈન સાધુ. ધર્મવિજ્યને નામે મુકાયેલી પરંતુ મુક્તિવિજ્યશિષ્યની જ ૧૯ કડીની ‘ગુણ-સ્થાન-સઝાય’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]

મુક્તિસાગર-૧/રાજસાગર(પંડિત) [જ.ઈ.૧૫૮૧-અવ.ઈ.૧૬૬૫/સં.૧૭૨૧, ભાદરવા સુદ ૬] : તપગચ્છના જૈન સાધુ. લબ્ધિસાગરના શિષ્ય. પિતાનામ દેવીદાસ. માતા કોડાં/કોડમદે. મૂળનામ મેઘજી. આચાર્યપદ મળ્યા પછી કવિ રાજસાગર નામથી ઓળખાતા હતા. ઈ.૧૬૨૩માં કવિને ઉપાધ્યાયપદ મળ્યું હતું. તપગચ્છની સાગરશાખાની સ્થાપના તેમણે કરી હતી. ૬૮ કડીની ‘કેવલીસ્વરૂપ-સઝાય’ (ર.ઈ.૧૬૧૬થી ઈ.૧૬૩૦ સુધીમાં; મુ.)ના કર્તા. કૃતિ : જિનાજ્ઞાસ્તોત્ર તથા કેવલિસ્વરૂપસ્તવન, સં. લાભસાગર, સં. ૨૦૨૪. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલી’  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[કી.જો.]

મુક્તિસાગર-૨/મુક્તિ [જ.ઈ.૧૮૦૧-અવ.ઈ.૧૮૫૮] : અંચલગચ્છના જૈન સાધુ. પિતા શા. ખીમચંદ. માતા ઉમેદબાઈ.કવિનું મૂળ નામ મોતીચંદ. દીક્ષા ઈ.૧૮૧૧/સં.૧૮૬૭, વૈશાખ સુદ ૩ને દિવસે મળી હતી. આચાર્યપદ અને ગચ્છેશપદ ઈ.૧૮૩૬/સં.૧૮૯૨, વૈશાખ સુદ ૧૨ને દિવસે મળ્યું હતું. ૧૧ કડીનું ‘પરકીખામણા-સ્તવન’(મુ.) ૬ કડીની ‘જીવાભિગમ સૂત્રની ગહૂંલી’(મુ.) ‘ષડાવશ્યક-ગહૂંલી’(મુ.) તથા અન્ય કેટલીક ગહૂંલીઓ (મુ.), ૮૧ કડીનું ‘નારકીની સાત ઢાલોનું સ્તવન’ (ર.ઈ.૧૮૫૭) એ કૃતિઓના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧; ૨. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૩. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧-‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’ [કી.જો.]

મુનિકીર્તિ [ઈ.૧૬૨૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૦ ગ્રંથાગ્રના ‘પુણ્યસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા.[શ્ર.ત્રિ.]

મુનિચંદ્ર : આ નામે ૮ કડીની ‘આદીશ્વર-હરિયાલી’ (લે.સં.૧૮મું શતક અનુ.), ૯ કડીની ‘વૈરાગ્યરંગ-સઝાય’, હિંદી-ગુજરાતીમિશ્ર ૧૪ કડીની ‘ભાવિભાવનો સ્વાધ્યાય’(મુ.), ૨૪ કડીનો ‘ઉપદેશામૃતકુલક’, સિદ્ધચક્ર-ચોપાઈ’ અને ‘તીર્થમાલા’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા આ મુનિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. સઝાયમાલા (શ્રા) : ૧. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પાંગુહસ્તલેખો;  ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

મુનિચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ‘રાત્રિભોજન-સઝાય’ના ક્રતા. પ્રાકૃતમાં ‘રસાઉલો’ (લે.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, શ્રાવણ વદ ૧૧, સોમવાર) કૃતિ મળે છે, જેના કર્તા પૂર્ણિમાગચ્છના જૈન સૂરિ છે. પ્રસ્તુત કૃતિના કર્તા પણ સંભવત: તે જ હોવાની શક્યતા છે. સંદર્ભ : જૈગૂકવિઓ ૧, ૩(૧). [શ્ર.ત્રિ.]

મુનિનાથ [                ] : વડનગરા નાગર બ્રાહ્મણ. ચારથી ૨૦ કડીના માતાજીના ગરબા, છંદ, ઠુમરી, ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]

મુનિપ્રભ(સૂરિ) [ઈ.૧૬મી સદી સુધીમાં] : અપભ્રંશની અસરવાળી, ૧૦૮ જૈન મંદિરોનો ઉલ્લેખ કરતી, ૨૪ કડીની ‘અષ્ટોત્તરી તીર્થમાળા’ (લે.ઈ.૧૬મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૫૪-‘શ્રી મુનિપ્રભસૂરિકૃત અષ્ટોત્તરી તીર્થમાળા’, સં. ભંવરલાલ નાહટા. [શ્ર.ત્રિ.]

મુનિમાલ : જુઓ માલ/માલદેવ.

મુનિરત્ન(સૂરિ)શિષ્ય [                ] : જૈન સાધુ. ૪ કડીના ‘ચૌદસ્વપ્ન-ભાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

મુનિરત્ન(ગણિ)શિષ્ય [                ] : જૈન સાધુ. ૧૧ કડીની ‘તપગચ્છગુરુ-નામાવલિ’ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧.[કી.જો.]

મુનિવિમલ : આ નામે ૨૯ કડીની ‘શાશ્વત-સિદ્ધાયતનપ્રતિમા-સંખ્યા-સ્તવન’ (લે.ઈ.૧૬૮૬ પહેલાં) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિવિમલ છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

મુનિવિમલ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવજ્યસૂરિની પરંપરામાં વિમલહર્ષ (ઈ.૧૬૦૨માં હયાત)ના શિષ્ય. ૨ ઢાળ અને ૩૩ કડીના ‘શ્રીઆદિનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. વિજ્યતિલકની હયાતીમાં રચાયેલ ૫ કડીની ‘વિજ્યતિલકસૂરિ-સઝાય’(મુ.) ને ૬૧ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭) એ કૃતિઓ રચનાસમય જોતાં આ જ કર્તાની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ઐસમાળા : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૨-‘મ્હેસાણા મંડન શ્રી આદિનાથ સ્તવન’, સં. શ્રી જયંત વિજ્યજી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

મુનિવિમલશિષ્ય [                ] : જૈન સાધુ. ૧૨ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

મુનિશીલ : આ નામે ૧૯ કડીની ‘કસ્તૂરિકપૂર-સંવાદ’ નામક કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિશીલ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬-‘જૈન કવિયોંકી ‘સંવાદ’ સંજ્ઞક રચનાયેં’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]

મુનિશીલ-૧ [ઈ.૧૬૦૨માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ.વિદ્યાશીલની પરંપરામાં વિવેકમેરુના શિષ્ય. ‘જિનપાલ-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૬૦૨/સં.૧૬૫૮ મહાવદ ૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[શ્ર.ત્રિ.]

મુનિસુંદર(સૂરિ)-૧ [ઈ.૧૩૮૪ આસપાસમાં હયાત] : ‘વીર-સ્તવ’ (ર.ઈ.૧૩૮૪ આસપાસ)ના કર્તા. સંદર્ભ : પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન (સૂચિ), બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮. [શ્ર.ત્રિ.]

મુનિસુંદર-૨ [જ.ઈ.૧૩૮૦-અવ.ઈ.૧૪૪૭/સં.૧૫૦૩, કારતક સુદ ૧] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિની પરંપરામાં સોમસુંદરસૂરિના શિષ્ય. ઈ.૧૩૮૭માં દીક્ષા. ઈ.૧૪૨૨માં સોમસુંદરસૂરિ દ્વારા વાચકપદમાંથી સૂરિપદ. દાક્ષિણાત્ય રાજાએ ‘કાલિસરસ્વતી/શ્યામસરસ્વતી’ અને ખંભાતના નવાબ દફરખાને ‘વાદિગોકુલષંઢ’ બિરુદ આપી તેમને નવાજેલા. ‘યોગશાસ્ત્ર’ના ચતુર્થપ્રકાશ પરના બાલાવબોધ (ર.ઈ.૧૪૩૫)ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ઘણી રચનાઓ કરી છે : ‘અધ્યાત્મકલ્પદ્રુમ/શાંતરસ-ભાવના’; ન્યાય, વ્યાકરણ અને કાવ્યનો પરિચય આપતી ‘ત્રૈવિદ્ધગોષ્ઠી’; વિજ્ઞપ્તિગ્રંથ/ત્રિદશતરંગિણી’; તેના એક ભાગ રૂપે ઉપલબ્ધ થતી ‘ગુર્વાવલિ/તપગચ્છ પટ્ટાવલી’; પોતાની ટીકા સહિત ‘ઉપદેશરત્નાકર’; ‘જિનસ્તોત્ર-રત્નાકોષ’ વગેરે. તેમની પાસેથી પ્રાકૃતમાં ‘અંગુલીસત્તરી’, ‘પાક્ષિકસત્તરી’ અને ‘વનસ્પતિસત્તરી’ આદિ કૃતિઓ મળે છે. ‘અંગુલી-સત્તરી’ અને ‘જયાનંદ-ચરિત્ર’ને કેટલાક ૪૦મા પટ્ટધર મુનિચંદ્રસૂરિની ગણાવે છે. મુનિસુંદરને નામે મળતું ૨૨ કડીનું ‘નવસારી મંડન શ્રી પાર્શ્વનાથ-સ્તોત્ર,(મુ.) કૃતિની અંતિમ પંક્તિઓને કારણે તેમના શિષ્યનું હોવા વધુ સંભવ છે. કૃતિ : ૧* અધ્યાત્મકલ્પદ્રુમ, પ્ર. જૈન ધર્મ પ્રચારક સભા,-;  ૨. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૭-‘શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત નવસારીમંડન શ્રી પાર્શ્વનાથ-સ્તોત્ર’, સં. અંબાલાલ પ્રે. શાહ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈન સાહિત્ય, મનસુખભાઈ કી. મહેતા, ઈ.૧૯૫૯ (બીજી આ.); ૩. જૈસાઇતિહાસ. [શ્ર.ત્રિ.]

મુનિસુંદર(સૂરિ)-૩ [ઈ.૧૩૮૯(?)માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શાંત-રાસ’ (ર.ઈ.૧૩૮૯(?)ના કર્તા. તેઓ મુનિસુંદર-૨ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

મુનિસુંદર(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘જૈન ગૂર્જર કવિઓ’માં સંઘવિમલ/શુભશીલને નામે નોંધાયેલો ૫ ઢાળ અને ૨૫૭ કડીનો ‘સુદર્શન શ્રેષ્ઠિનો રાસ(શીલવિષય)/પ્રબંધ’ (ર.ઈ.૧૪૪૫/સં. ૧૫૦૧, જેઠ સુદ ૪, ગુરુવાર) વસ્તુત: મુનિસુંદરશિષ્યનો છે. એ સિવાય આ કવિએ ‘સમ્યકત્વરાસ’, ‘કલ્યાણમંદિરસ્તોત્ર-બાલાવબોધ’ તથા ‘નેમ-ચરિત્ર/નેમિ-સ્તવન’ એ કૃતિઓ પણ રચી છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. નયુકવિઓ; ૩. પાંગુહસ્તલેખો; ૪. મરાસસાહિત્ય;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧ - ‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ડિકૅટલૉગભાવિ; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

મુરલીધર/મોરલીધર : મુરલીધરને નામે ૪ કડીનું ૧ પદ (લે.ઈ.૧૬૭૩) અને મોરલીધરને નામે ‘બારમાસી’ નામક કૃતિ મળે છે. આ આ બંને કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨; ૩. ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]

મુરારિ [ ઈ.૧૬૧૯ સુધીમાં] : આખ્યાનકાર. પિતા જગન્નાથ સ્વામી. સૌરાષ્ટ્રના વતની. ૪૦ કડવાંના ‘ઈશ્વર-વિવાહ’ લે.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, અસાડ વદ ૩૦, શનિવાર; મુ.)ના કર્તા. શિવપાર્વતીના લગ્નના વિષયને સામાજિક રીતરિવાજોની ઝીણી વીગતોથી વર્ણવતું અને કથાપ્રસંગને હળવાશથી નિરૂપતું આ આખ્યાન લોકપ્રિય બનેલું છે. કૃતિ : બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય, ૪. પ્રાકકૃતિઓ;  ગૂહાયાદી.[ર.સો.]

મુરારિસોહન : જુઓ મલુકચંદ-૨. મુલાદાસ [                ] : તત્ત્વજ્ઞાનવિષયક ‘સાત ભૂમિકાની પતાકા’ નામક કૃતિના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

મુંજ [                ] : ૪ કડીના ‘આદિનાથ-ભાસ’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

મૂલ  : જુઓ મૂળ -

મૂલ(ઋષિ)-૧/મૂલા(વાચક) [ ઈ.૧૫૬૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં રત્નપ્રભના શિષ્ય. ૧૩૪/૧૩૭ કડીની ‘ગજસુકુમાલ-સંધિ’ (ર.ઈ.૧૫૬૮/સં. ૧૬૨૪, ફાગણ સુદ ૧૧), ૮ ઢાળના ‘વૃદ્ધ-ચૈત્યવંદન/કેવળનાણીબૃહત્-ચૈત્યવંદન/શાશ્વતાશાશ્વતાજિન-ચૈત્યવંદન-સ્તવન’(મુ.) તથા ૪ ઢાળની ‘વીસું પંજોસણ હુંડી’ (ર.ઈ.૧૫૬૮ આસપાસ; મુ.)ના કર્તા. કૃતિ : ૧. શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯; ૨. જૈપ્રપુસ્તક : ૧; ૩. રત્નસાર : ૩, પ્ર. શા. લખમસી શિવજી, ઈ.૧૮૭૨. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી.[કી.જો.]

મૂલ-૨ [ઈ.૧૬૪૪ સુધીમાં] : જૈન. ‘ચૈત્યવંદન’ (લે.ઈ.૧૬૪૪) તથા ‘સણતકુમાર-ભાસ’ (લે. ઈ.૧૬૪૪)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

મૂલચંદ/મૂલચંદ્ર/મૂળચંદ : મૂલચંદ/મૂલચંદ્રને નામે ૨ ‘અજિતનાથચરિત-સ્તવન’, ૧૬ કડીની ‘અજિતવિનતિ(જીવના ૫૬૩ ભેદગર્ભિત)’ (ર.ઈ.૧૭૬૯), ૬ કડીની ‘(ઋષભદેવ/આદિનાથની) આરતી’(મુ.), ૩ કડીનું ‘ઋષભજિન-સ્તવન’(મુ.), ૩૦૦ ગ્રંથાગ્રનો ‘ઋષભદેવજીનો છંદ’, ૧૫ કડીની ‘ઋષભદેવ-બારમાસા’ તથા મૂળચંદને નામે ૮ કડીની ‘નેમિનાથના સાતવાર/સાતવાર-સઝાય’ (મુ.) એ કૃતિઓ મળે છે, અને મૂળચંદ/મૂલચંદ્ર/મૂળચંદ છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. જૈપ્રપુસ્તક : ૧; ૪. જૈરસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

મૂલચંદજી-૧ [ઈ.૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના કચ્છ સંઘાડાના જૈન સાધુ હોવાની સંભાવના. કૃષ્ણજીશિષ્ય ડાહ્યાજીના શિષ્ય. ૩૮ કડીની ‘દિવાળી-છત્રીસી’ (ર.ઈ.૧૮૦૨; મુ.) અને ‘નેમબહોંતેરી’(મુ.)ના કર્તા. કૃતિ : વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. પૂનમચંદજી, ઈ.૧૯૮૨.[શ્ર.ત્રિ.]

મૂળચંદજી(ઋષિ)-૨ [ઈ.૧૮૨૯માં હયાત] : જૈન સાધુ. સંભવત: લોંકાગચ્છના ગોંડલ સંઘાડાના નેણશીસ્વામીના શિષ્ય. ‘દીવાનું દ્વિઢાળિયું’ (ર.ઈ.૧૮૨૯; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૨; ૨. જૈસસંગ્રહ(જૈ). [કી.જો.]

મૂલચંદજી શિષ્ય : જુઓ ધર્મદાસ-૫.

મૂલણદાસ [                ] : ૨૯૯ કડીના ‘હમીરપ્રબંધ/દેશભાષા-નિબંધ’ના કર્તા. રણથંભોરના કિલ્લા અંગે હમીર અને દિલ્હીના ખીલજી વંશના બાદશાહ અલાઉદ્દીન વચ્ચેના યુદ્ધપ્રસંગને વર્ણવતું આ એક ઐતિહાસિક કાવ્ય છે. હિન્દી તથા ભાટચારણી ભાષાના દુહા, છપ્પય, કવિત ઇત્યાદિના પદબંધવાળી આ કૃતિ તેમાં સચવાઈ રહેલી જૂની ભાષા અને કેટલાક વ્યાકરણના જૂના પ્રયોગોને લીધે ધ્યાનાર્હ છે. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧. [શ્ર.ત્રિ.]

મૂલદાસ/મૂળદાસ [                ] : આ નામે મળતાં ૬ કડીના ‘દાણલીલાનો ગરબો’(મુ.) તથા ૫ કડીના કૃષ્ણભક્તિના ૧ પદ(મુ.)ને અંતે “અમે ભેટ્યા રવિ ગુરુ ભાણ ત્રિકમ અમને તારો રે” કે “મળ્યા ખેમ રવિ ભાણ રવિરામ” એવા ઉલ્લેખ મળે છે. તેના પરથી કવિ રવિભાણ સંપ્રદાયના અને મૂળદાસ-૧થી જુદા હોવાની સંભાવના છે. કૃતિ : નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૨. ભસાસિંધુ.[શ્ર.ત્રિ.]

મૂલપ્રભ [                ] : જૈન સાધુ. ઢાળ બંધમાં લખાયેલી ‘ગજસુકુમાલસંધિ’ (ર.ઈ.૧૪૯૭(?)ના કર્તા. કૃતિના આરંભ-અંતમાં કર્તાનામનો નિર્દેશ નથી, પરંતુ ‘જૈન ગૂર્જર કવિઓ : ૧’ અને ‘જૈન સાહિત્યનો ઇતિહાસ’ ‘ગજસુકુમાલ-સંધિ’ના કર્તા તરીકે ‘મૂલપ્રભ’ નામ સૂચવે છે, જ્યારે ‘જૈન ગૂર્જર કવિઓ : ૩’માં ‘મૂલપ્રભ’ નામ વિશે પ્રશ્ન કરી ‘ભાવપ્રભ’ નામ સૂચવાયું છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]

મૂલા(વાચક) : જુઓ મૂલ(ઋષિ)-૧.

મૂળ/મૂળજી : ‘મૂળ/મૂળદાસ’ એવી નામછાપ દર્શાવતાં પણ ‘મૂળજી ભક્ત’ એવા નામ હેઠળ કૃષ્ણભક્તિ, ને વૈરાગ્યબોધનાં ગુજરાતી તેમ જ ગુજરાતી-હિંદીમિશ્ર (ક્યાંક અરબીફારસીની છાંટવાળાં) ૭૮ પદો(મુ.) અને લીંબડીના ઠાકોર હરભમજીએ કાઠીઓ પર લીધેલા વેર અંગેનો, વીરરસયુક્ત અને ગદ્યપદ્યમિશ્રિત ભાષામાં લખાયેલ ‘કાઠીઓ ઉપર વેરનો સલોકો’ના કર્તા કયા મૂળજી છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ભજનિક કાવ્ય સંગ્રહ, સં.શા.વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧.[ર.સો.]

મૂળચંદ [                ] : જૈન. પિતાનામ પ્રભુદાસ. રાજુલના વિરહભાવને વ્યક્ત કરતી ૧૫ તિથિઓની ‘ગરબી’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુધા : ૨.[કી.જો.]

મૂળચંદજી [ઈ.૧૭૯૯માં હયાત] : જૈન સાધુ. ‘ઇલાચીકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૯)ના કર્તા. તેઓ મૂલચંદજી-૧ હોવાની સંભાવના છે. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]

મૂળચંદવિજ્ય [                ] : જૈન સાધુ. ૮ કડીના ‘કેસરિયાજીનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. [કી.જો.]

મૂળજી-૧ [ઈ.૧૭૫૫માં હયાત] : આખ્યાનકાર. જ્ઞાતિએ રૈકવ બ્રાહ્મણ. પિતા ભાઈભટ્ટ વ્યાસ. વતન અમદાવાદ. ૧૬ કડવાંના આખ્યાન ‘નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, ચૈત્ર સુદ ૧૧, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાસ્તંભો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી.[ર.સો.]

મૂળજી-૨ [                ] : ‘દરુજી/કીદરુજીસુત મૂળજી’ એવી નામછાપવાળા ૭ કડીના જ્ઞાનબોધના રૂપકાત્મક ૧ પદ (મુ.)ના કર્તા. કોઈ રૂદરજીસુતનાં વેદાન્તનાં પદની હસ્તપ્રત ગુજરાતી પ્રેસમાં હોવાનો ઉલ્લેખ મળે છે, તે આ કવિની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ચોથો’, છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી. [ર.સો.]

મૂળદાસ-૧ [જ.ઈ.૧૬૫૫/ઈ.૧૬૭૫/સં.૧૭૧૧/સં.૧૭૩૧, કારતક સુદ ૧૧, સોમવાર-અવ. ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯] : જૂનાગઢ જિલ્લાના આમોદરામાં સોરઠિયા લુહાર જ્ઞાતિમાં જન્મ. પિતા કૃષ્ણજી. માતા ગંગાબાઈ.લગ્ન પછી સંસાર તરફ વૈરાગ્ય જન્મતાં ગૃહત્યાગ. ગોંડલમાં રામાનુજી સંપ્રદાયના કોઈ સાધુ જીવણદાસજી સાથે મેળાપ અને તેમના શિષ્ય. ગુરુના આદેશથી પત્નીને સાથે લઈ અમરેલીમાં વસવાટ અને ત્યાં જીવત્સમાધિ. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ મુક્તાનંદની માતાને આત્મહત્યા કરતાં એમણે બચાવેલાં એવું મનાય છે. મહાત્મા મૂળદાસને નામે જાણીતા આ સંતકવિની ગરબી, આરતી, ભજન, કીર્તન, બારમાસી જેવી પદપ્રકારની ગુજરાતી-હિંદી રચનાઓ અત્યારે મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. ભક્તિ અને જ્ઞાનવૈરાગ્યના સમન્વયરૂપ એમનાં આ પદોમાં કૃષ્ણભક્તિ, વૈરાગ્યબોધ અને ગુરુમહિમા છે. ‘અનુપમચુંદડી’(મુ.) જેવાં એમનાં ઘણાં પદ લોકપ્રિય છે. આ સિવાય ગુરુ દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા તેના હિંદીમાં ૩૦ કવિત(મુ.), ‘મર્કટીનું આખ્યાન’, ‘હરિનામ-લીલા’, ‘સાસુવહુનો સંવાદ’, ભાગવતનો બીજો સ્કંધ તથા ભગવદ્ગીતાનો અનુવાદ (ર.ઈ.૧૭૬૧) વગેરે એમને નામે મળતી બીજી રચનાઓ છે. કૃતિ : ૧. ભક્તિવૈરાગ્યતત્ત્વ, પ્ર. શ્રી વૈષ્ણવ સાધુ ઓધવદાસજી, ઈ.૧૯૦૩;  ૨. અભમાલા; ૩. કાદોહન : ૨, ૩; ૪. ગુસાપઅહેવાલ : ૩-‘ગુજરાતી જૂનાં ગીતો’માંથી ઉદ્ધૃત (+સં.); ૫. ગુહિવાણી (+સં.); ૬. નકાસંગ્રહ; ૭. પ્રાકાસુધા : ૨; ૮. બૃકાદોહન : ૭; ૯. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ; ૫. સતવાણી (પ્રસ્તાવના); ૬. સોરઠની વિભૂતિઓ, કાલિદાસ મહારાજ, ઈ.૧૯૬૧; ૭. સોસંવાણી;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ફૉહનામાવલિ.[ર.સો.]

મૂળદાસ-૨ : જુઓ મૂલદાસ.

મેગલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર. અપરનામ નારાયણદાસ. જ્ઞાતિ કરડુઆ. પિતાનું નામ ગોવિંદ. ‘ઉગ્રસેનકૃત નગર’(?)ના વતની. એમની કૃતિઓ ઈ.૧૫૭૩ અને ઈ.૧૫૮૧ વચ્ચેનાં રચનાવર્ષ દર્શાવે છે. એ ઉપરથી કવિ ઈ.૧૬મી સદીના છેલ્લા ચરણમાં હયાત હોવાનું કહી શકાય. મૂળ કથાવસ્તુનો બહુધા સંક્ષેપમાં સરળ સાર આપતી એમની ચારે કૃતિઓ-૧૮ કડવાંનું ‘જાલંધરાખ્યાન’ (ર.ઈ.૧૫૭૩/સં.૧૬૨૯, ફાગણ સુદ ૧૧, ગુરુવાર; મુ.), ૧૬ કડવાંનું ‘પરીક્ષિતાખ્યાન’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, મહા સુદ ૫, ગુરુવાર; મુ.), ભાલણની તદ્વિષયક કૃતિની અસર દેખાડતું ૧૦ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, આસો સુદ ૫, રવિવાર; મુ.), નચિકેતાના ચરિત્રને ૧૫/૧૮ કડવામાં આલેખતું ‘નાસિકેતાખ્યાન’ (મુ.)-વર્ણનરીતિની દૃષ્ટિએ કંઈક નોંધપાત્ર ગણાય એવી છે; વિશેષ રૂપે ‘નાસિકેતાખ્યાન’. આ કવિનું ૬૬ કડવાંનું ‘વિરાટપર્વ’ (ર.ઈ.૧૫૮૩/સં. ૧૬૩૯, આસો સુદ ૧૦, બુધવાર; અંશત: મુ.) મળ્યું છે. તેમાંના પહેલાં ૫૫ કડવાં નાકરની તદ્વિષયક કૃતિની છાયા જેવાં છે. કૃતિ : ૧. કવિ મેગલકૃત ‘જાલંધરાખ્યાન અને પરીક્ષિતાખ્યાન’, સં. જ. કા. પટેલ, ઈ.૧૯૫૮; ૨. નાસિકેતાખ્યાન અને ધ્રુવાખ્યાન, સં. ભ. ભા. મહેતા, ઈ.૧૯૨૬; ૩.  વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૮૨-‘મેગલકૃત વિરાટપર્વના કેટલાંક અપ્રગટ કડવાં’, સં. ઉષા અ. ભટ્ટ. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે. [ર.સો.]

મેઘ(મુનિ) : આ નામે ૮ કડીની ‘ચૂનડી’(મુ.) અને ૨૩ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે. આ કર્તા કયા મેઘ મુનિ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : શ્રી શત્રુંજ્યતીર્થાદિ સ્તવનસંગ્રહ, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[શ્ર.ત્રિ.]

મેઘ-૧/મેહો [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન. ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ અને મારવાડનાં ૧૨૦ તીર્થોનું વર્ણન કરતી ૮૯/૯૧ કડીની ‘તીર્થમાલા’(મુ.), ૪૦ કડીનું ‘રાણકપુર-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩), ‘ચંડિકા-છંદ’ (ર.ઈ.૧૪૪૪ આસપાસ) અને ‘નવસારી-સ્તવન’એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. પ્રાતીસંગ્રહ : ૧;  ૨. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩-‘મેઘાકૃત તીર્થમાળા’ સં. તંત્રી. સંદર્ભ : ૧. પ્રાચીન ગીજરાતી સાહિત્યમાં સમાજજીવન; બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

મેઘ-૨ [ઈ.૧૫૫૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યના શિષ્ય. ‘પરિગ્રહ-પરિભાષ્યચોપાઈ’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાન ભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]

મેઘ(મુનિ)-૩ [ઈ.૧૬૩૪માં હયાત] : જૈન સાધુ. ‘સાહ રાજસી-રાસ’ (ર.ઈ.૧૬૩૪/સં.૧૬૯૦, પોષ વદ ૮)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૩-‘શ્રી મેઘમુનિ રચિત સાહ રાજસી રાસકા ઐતિહાસિક સાર’, ભંવરલાલ નાહટા. [શ્ર.ત્રિ.]

મેઘ-૪ [                ] : જૈન સાધુ કાંતિવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘છઠા આરાની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. સઝાયમાળા(પં); ૨. સસંપમહાત્મ્ય. [શ્ર.ત્રિ.]

મેઘ-૫ [                ] : જૈન સાધુ. નેમના શિષ્ય ૭ કડીના સ્તવન(મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧ [શ્ર.ત્રિ.]

મેઘ-૬ [                ] : જૈન. ૫ કડીના સંભવનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિની અંતિમ પંક્તિને કારણે કર્તાનામ ‘મેઘ’ છે કે ‘મેઘવિશાળ’ એ સ્પષ્ટ થતું નથી. કૃતિ : જિસ્તમાલા. [શ્ર.ત્રિ.]

મેઘ(ધારુવા)-૭ [                ] : ૩૧ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. મેઘચંદ્ર: આ નામે ૪ કડીની ‘રોહિણી-વાસુપૂજ્યની સ્તુતિ’ (મુ.) અને ૭ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ મળે છે. આ કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : દેસ્તસંગ્રહ. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

મેઘજી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પિતા કાશી. ખંભાતના વતની. ‘રુક્મિણીહરણ’ (ર.ઈ.૧૫૬૧), ‘હનુમાનચરિત્ર’ (ર.ઈ.૧૫૯૧) તથા ‘સુદામા-આખ્યાન’ના કર્તા. સદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ.[કી.જો.]

મેઘનિધાન [ઈ.૧૬૩૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનતિલકસૂરિની પરંપરામાં રત્નસુંદરના શિષ્ય. ‘ક્ષુલ્લકકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૨/સં. ૧૬૮૮, માગશર સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

મેઘરત્ન : આ નામે ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૩૦), ૮ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (જગવલ્લભ)’ અને ૯ કડીનું ‘નેમમનાથરાજુલ-ગીત’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

મેઘરાજ(મુનિ)  : આ નામે ૬ કડીનો ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ/સ્તુતિ’(મુ.), ૧૧ કડીની ‘શાલિભદ્રશેઠની સઝાય’(મુ.), ૩૨ કડીની ‘જીભ-બત્રીસી’ (લે.ઈ.૧૫૭૫), ૮ કડીની ‘અહંકાર-સઝાય’, ૧૨ કડીની ‘રાજબાઈમાતા-છંદ’, ૧૧ કડીનું ‘સ્તંભન-પાર્શ્વનાથ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ ઉપરાંત રાજસ્થાની-ગુજરાતી મિશ્રમાં ‘જ્યોતિષ (સારદુહા)’ (લે.ઈ.૧૮૧૦) અને ‘સદ્ગુરુવર્ણન-ભાષા’ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા મેઘરાજ છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. પ્રાછંદસંગ્રહ; ૩. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧, ૨. [શ્ર.ત્રિ.]

મેઘરાજ-મેઘમંડલ(બ્રહ્મ)-૧ [ઈ.૧૫૬૧ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. શાંતિના શિષ્ય. જુદી જુદી ભાસ રૂપ દેશીઓમાં નિબદ્ધ ‘શાંતિનાથચરિત્ર’ (લે.ઈ.૧૫૬૧/સં.૧૬૧૭, માઘ(મહા?) સુદ ૩, શનિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

મેઘરાજ(મુનિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં ભાનુલબ્ધિ (ઉપાધ્યાય)ના શિષ્ય. ‘ઋષભજન્મ’ અને દુહા ને ગેય ઢાળોમાં રચાયેલી ૧૭ ઢાળની ‘સત્તરભેદી-પૂજા’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. વિવિધ પૂજાસંગ્રહ : ૧થી ૧૧, પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯; ૨. વિસ્નાપૂજાસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

મેઘરાજ(વાચક)-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં શ્રવણ/સરવણ ઋષિના શિષ્ય. પાર્શ્વચંદ્રસૂરિથી પોતાની પરંપરા ગણાવતા હોવાથી પાર્શ્વગચ્છના હોવાની શક્યતા. ૫ ખંડનો ‘ઋષિદત્તામહાસતી-રાસ’ (ર.ઈ.૧૬૦૧); દુહા, ચોપાઈ અને જુદી જુદી દેશીઓના ઢાળમાં લખાયેલો, ૬ ખંડ અને લગભગ ૬૫૦ કડીનો, ઋષિવર્ધનના તદ્વિષયક કાવ્યની અસર ઝીલતો ‘નળદમયંતી-રાસ’ (ર.ઈ.૧૬૦૮; મુ.); ૩૫૦ કડીનો ‘સોળ-સતીનો રાસ’(મુ.) તેમની રાસકૃતિઓ છે. એ ઉપરાંત તેમની પાસેથી ‘ઠાણાંગની દીપિકા/સ્થાનાંગની દીપિકા’ (ર.ઈ.૧૬૦૩), ‘સમવાયાંગસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૩ આસપાસ), ‘ક્ષેત્રસમાસ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૧૪), મૂળ પ્રાકૃત ગ્રંથ ‘રાજપ્રશ્નીય ઉપાંગ-સૂત્ર’ પર ૩૨૮૧ કડીનો સ્તબક (ર.ઈ.૧૬૧૪ આસપાસ), ૯૦૦૦ ગ્રંથાગ્રનો ‘ઉત્તરાધ્યાયનસૂત્ર-બાલાવબોધ/સ્તબક’, ‘ઔપપાતિક-સૂત્ર-બાલાવબોધ’, ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’, રાયપસેણીનો બાલાવબોધ’, રત્નશેખરસૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘લઘુક્ષેત્ર-સમાસ-પ્રકરણ’ પર ૨૬૬ કડીનો બાલાવબોધ, ૧૪૦ કડીનો ‘રાજચંદ્રસૂરિ-પ્રવહણ’ (ર.ઈ.૧૬૦૫), ‘સાધુ-સમાચારી’ (ર.ઈ.૧૬૧૩), ૧૦ કડીનું ‘અનુયોગદ્વારસૂત્રાર્થ-ગીત (શંખેશ્વર-સ્તવન-ગર્ભિત)’, ૯/૧૧ કડીનું ‘ગુરુ-ગીત/ભાસ’, ૨૫ કડીની ‘ચતુર્વિંશતિનામ-ગુંથિતરાગ-પચવીશી’, ૩ ઢાળમાં વહેંચાયેલ ‘જ્ઞાતધર્મ-કથાંગસૂત્ર-૧૯ અધ્યયન ૧૯-ભાસ/જ્ઞાતાસૂત્ર-સઝાયો’ (મુ.), ‘૧૩ કાઠિયાનો તેર-ભાસ’, ૨. ઢાળની ‘મેઘકુમાર-સઝાય’(મુ.) ૭ કડીની ‘સતી સુભદ્રાની સઝાય’(મુ.), ૭૫ કડીની ‘સુબાહુકુમાર-સંધિ’, ૧૧ કડીની ‘સતી અંજનાસુંદરીની સઝાય’(મુ.), ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઈ.૧૬૯૩; અંશત: મુ.) અને પાર્શ્વચંદ્ર-વિષયક ગીત, શલોકો, સ્તુતિ આદિ તેમની પાસેથી મળ્યાં છે. કૃતિ : ૧. આકમહોદધિ : ૩; ૨. ષટદ્રવ્યનય વિચરાદિ પ્રકરણ-સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯; ૩. સઝાય-સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮;  ૪. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧ (પ્રસ્તા.); ૨. ગુસાપઅહેવાલ : ૨૦; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. દેસુરાસમાળા; ૬. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ૧૯૮૦; ૭. પ્રાકારૂપરંપરા;  ૮. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧,૨); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગભાઈ : ૧૭(૧); ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

મેઘરાજ(બ્રહ્મ)-૪ [ઈ.૧૬૯૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં સુમતિકીર્તિના શિષ્ય. ‘કોહલા બારસીશ્રવાણ દ્વાદશી-રાસ’ (લે.ઈ.૧૬૯૮ પહેલાં)ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

મેઘરાજ-૫ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૭૮૬/સં.૧૮૪૩, કારતક વદ ૩૦] : લોંકાગચ્છની ગુજરાતી શાખાના જૈન સાધુ. રૂપની પરંપરામાં જગજીવનજીના શિષ્ય. પિતા દંતારાઈપુરના ઓસવાલ વૃદ્ધ ગોત્રી દલોસાહ. માતા સાંમા. ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, પોષ વદ ૧૩ના દિવસે પદવી. ૫ ઢાળના ‘જ્ઞાનપંચમી-સ્તવન’ (ર.ઈ.૧૭૭૪) અને ૯ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’(ર.ઈ.૧૭૮૫)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨)-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]

મેઘલાભ : આ નામે ૪ કડીનું ‘ઘૃતકલ્લોલ-પાર્શ્વજિન-સ્તવન’(મુ.) મળે છે. આના કર્તા કયા મેઘલાભ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જૈપ્રપુસ્તક: ૧. [શ્ર.ત્રિ.]

મેઘલાભ-૧ [ઈ.૧૮૧૮માં હયાત] : જૈન સાધુ. તેજલાભના શિષ્ય. ૩ ઢાળનો ‘નેમનાથનો રાસડો’ (ર.ઈ.૧૮૧૮; મુ.) અને ૨૫ કડીની ‘વૈરાગ્ય-પચીશી’ (ર.ઈ.૧૮૧૮; મુ.)ના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [શ્ર.ત્રિ.]

મેઘવર્ધન [                ] : જૈન. ૭ કડીના ‘ઋષભજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

મેઘવાચકશિષ્ય [                ] : તપગચ્છના જૈન સાધુ. ૨૪ ઢાળની ‘શોભનસ્તુતિ-સ્તબક’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

મેઘવિજ્ય : આ નામે ૧૨ કડીની ‘જ્ઞાનવિવેક-સઝાય’, ૭ કડીની ‘થાવચ્ચાકુમાર-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૩૭ કડીની ‘સંવેગઉપલક્ષણ-સઝાય’ (લે.સં. ૨૦મી સદી અનુ.), ૪ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’ અને ૫ કડીની ‘મહાવીરસ્વામીની સ્તુતિ’(મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા મેઘવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જિસ્તમાલા. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]

મેઘવિજ્ય-૧ [ઈ.૧૬૬૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિવેકવિજ્યની પરંપરામાં માણિક્યવિજ્યના શિષ્ય. ‘મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૭; કવિના સ્વહસ્તાક્ષરમાં)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]

મેઘવિજ્ય-૨ [ઈ.૧૬૮૩માં હયાત] : જૈન સાધુ. લાભવિજ્યની પરંપરામાં ગંગવિજ્યના શિષ્ય. ‘ચોવીશી/ચોવીસીજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૮૩; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[શ્ર.ત્રિ.]

મેઘવિજ્ય-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં કૃપાવિજ્યના શિષ્ય વિજ્યપ્રભસૂરિને હસ્તે ઉપાધ્યાયપદ. યશોવિજ્યના સમકાલીન. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ અને આધ્યાત્મિક વિષયોમાં પારંગત. તેમની પાસેથી ગુજરાતી અને સંસ્કૃતમાં ઘણાં રાસાદિ કાવ્યો, ચરિત્રો અને નાટકો મળ્યાં છે. ૫ ઢાલમાં ૧૦૮ ગામના પાર્શ્વનાથના મહિમાને નિરૂપતી ‘પાર્શ્વનાથનામમાલા/તીર્થમાળા’ (ર.ઈ.૧૬૬૫, કવિના સ્વહસ્તાક્ષરમાં પ્રત; મુ.), ‘આહારગવેષણા સઝાય’, દિગંબરોના વિરોધરૂપ ૩૯ કડીનું ‘કુમતિનિરાકરણ હુંડી-સ્તવન’, ‘ચોવીસી’(મુ.), ૪ ઢાળમાં વહેંચાયેલ ‘શ્રીવિજ્યદેવસૂરિનિર્વાણ-સ્વાધ્યાય’(મુ.), ‘પંચાખ્યાન’, ‘વર્ષમહોદય’, ‘શાસનદીપક-સઝાય’, ‘જૈનધર્મદીપક-સઝાય’ અને ‘દશમત-સ્તવન’-એ એમની કૃતિઓ છે. સંસ્કૃતમાં પણ તેમણે અનેક કૃતિઓ રચી છે, જેમાં ‘દેવાનંદાભ્યુદયકાવ્ય’ (ર.ઈ.૧૬૭૧), ‘માતૃકાપ્રસાદ’ (ર.ઈ.૧૬૯૧), ‘ઉદયદીપિકા-જ્યોતિષ’ (ર.ઈ.૧૬૯૬), ‘હેમકૌમુદી-ચંદ્રપ્રભા’ (ર.ઈ.૧૭૦૧), ‘શાંતિનાથ-ચરિત્ર’, ‘લઘુત્રિષષ્ઠિ-ચરિત્ર’, ‘યુક્તિપ્રબોધ-નાટક’ અને અન્ય કૃતિઓનો સમાવેશ થાય છે. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. જૈઐરાસમાળા : ૧; ૪. જૈગૂસારત્નો : ૧(+સં.); ૫. પ્રાતીસંગ્રહ : ૧;  ૬. જૈન સત્યપ્રકાશ, જુલાઈ, ઑગ. , ડિસે. ૧૯૪૧ અને જાન્યુ. ૧૯૪૨-‘ચોવીશજિનસ્તવનમાલા’, સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩ (પ્રસ્તા.); ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

મેઘવિજ્ય-૪ [ઈ.૧૮૦૧ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. રંગવિજ્યના શિષ્ય. ‘મેઘકાજલસંધ્યાદિનું સ્તવન’ (લે.ઈ.૧૮૦૧/સં.૧૮૫૭, માગશર વદ ૯, મંગળવાર), ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ અને ૮ કડીના ‘શાંતિજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

મેઘવિજય(ગણિ) શિષ્ય [                ]: જૈન સાધુ. ૭ કડીની ‘ઇરિયાવાહિની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ: પ્રાસપસંગ્રહ: ૧. [શ્ર.ત્રિ.]

મેણ [                ] : બનાસકાંઠામાં રાધનપુરની બાજુમાં આવેલા વારાઈ ગામના રહીશ. કવિ ઈ.૧૭૪૪ આસપાસ થયા હોવાની માહિતી મળે છે. તેઓ મુખ્યત્વે વંશાવળીઓ લખવાનું, મીઠા સાદે તે વંશાવળીઓને બોલવાનું તથા તેમને સાચવવાનું કામ કરતા હતા. તેમણે ભજન, છપ્પા તથા કવિત (૭મુ.)ની રચના કરી છે. તમના છપ્પા હરિજનોના મામેરા અને છાબના પ્રસંગે ગવાય છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.).[કી.જો.]

મેરામજી [                ] : મોતીરામના શિષ્ય. ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ભજનસાગર : ૨. [કી.જો.]

મેરુ(મુનિ) : આ નામે ૭ કડીનું ‘એકાદશીનું સ્તવન’(મુ.) તથા ૨૫ કડીનું ‘નંદીશ્વર-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા મેરુ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]

મેરુ(પંડિત)-૧[ ] : જૈન. ‘પુણ્યસાર-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[ર.ર.દ.]

મેરુ(મુનિ)-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. ‘ચઉસરણ ટબા’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]

મેરુ-૩ [                ] : મુંજાના શિષ્ય. ૪ કડીના ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અભમાલા; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦(છઠ્ઠી આ.).[કી.જો.]

મેરુઉદય [ઈ.૧૮૫૮ સુધીમાં] : જૈન સાધુ. ૫ કડીના ‘મહાવીર-સ્તવન (ખીમણાદિ)’ (લે.ઈ.૧૮૫૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

-- મેરુતુંગ(સૂરિ) [                ] : સંસ્કૃત ગ્રંથો પરના ‘વ્યાકરણચતુષ્ક-બાલાવબોધ’ તથા ‘તદ્ધિત-બાલાવબોધ’ના કર્તા. આ મેરુતુંગસૂરિ જો અંચલગચ્છના હોય તો એ મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય અને ઈ.૧૩૪૭/૪૯થી ૧૪૧૫/૧૭ વચ્ચે થયેલા સંસ્કૃતના વિદ્વાન મેરુતંગ હોવાનું અનુમાન થઈ શકે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

મેરુતુંગ(સૂરિ)શિષ્ય [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. મૂળ પ્રાકૃત કૃતિ ‘નવતત્ત્વ પ્રકરણ’ પરના વિવરણના કર્તા. મેરુતુંગસૂરિનો સમય ઈ.૧૩૪૭/૪૯-ઈ.૧૪૧૫/૧૭ મળે છે. તેને આધારે તેમના શિષ્યનો સમય ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધથી ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ સુધીનો ગણી શકાય. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

મેરુનંદન : આ નામે ‘જિનચંદ્રસૂરિ-ગીત’ મળે છે. તેના કર્તા કયા મેરુનંદન છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩-‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, સં. અગરચંદ નાહટા. [ર.ર.દ.]

મેરુનંદન(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૩૭૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જિનોદયસૂરિના શિષ્ય. ૬૦ કડીના આંતરપ્રાસવાળા દુહાબંધમાં રચાયેલા ‘જિરાઉલી/જિરાપલ્લી પાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૭૬; મુ.), જિનોદય થયા પૂર્વેના કિશોર સમયના સંયમશ્રી સાથેના દીક્ષા-વિવાહનું વર્ણન કરતું ઘાત અને ભાસમાં વિભાજિત ઝુલણાબંધની ૪૪ કડીનું ‘જિનોદયસૂરિ-વિવાહલઉ’ (ર.ઈ.૧૩૭૬ના અરસામાં; મુ.), ૩૩ કડીનું ‘અજિતનાથ-સ્તવન/અજિત-વિવાહલો’(મુ.), ૧૦/૧૧ કડીનો ‘ગૌતમસ્વામી-છંદ’, ૮ અને ૨૫ કડીની ૨ ‘સ્થૂલિભદ્રમુનીન્દ્રચ્છંદાંસિ’ તથા ૩૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’-એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૩. પ્રાફાગુસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. પ્રાકારૂપરંપરા; ૭. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

મેરુલાભ [ઈ.૧૬૪૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિનયલાભના શિષ્ય. ૩૦૩ કડીના ‘ચંદ્રલેખાસતી-રાસ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, માગશર વદ ૮, ગુરુવાર)ના કર્તા. કૃતિને અંતે ‘મુનિ મહાવજી કહિ’ એવી પંક્તિ છે, તેમાં ‘મુનિ મહાવજી’ કર્તાનું અપરનામ છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૨; ડિકૅટલૉગભાવિ. [ર.ર.દ.]

મેરુવિજ્ય : આ નામે ‘ગહૂંલી’, ‘ધન્યાનગર-સઝાય’, ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’, ૨૭ કડીની ‘વલ્કલચીરી-પ્રસન્નચંદ્રઋષિ-સઝાય’, ૩૪ કડીની ‘સાધુધર્માધિકાર-સઝાય’, ૯ કડીની ‘મુહપતિ-સઝાય’ નામની રચનાઓ મળે છે. એમના કર્તા કયા મેરુવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

મેરુવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. પંડિત જયવિજ્યના શિષ્ય. ૨૭/૩૯ કડીની ‘નવવાડ-સઝાય/સં.૧૭૦૨, શ્રાવણ-; મુ.), ચોપાઈબદ્ધ ૩૧ કડીની ‘પરદેશી રાજાના દસ પ્રશ્નોની સઝાય’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, અસાડ સુદ ૩; મુ.), ૧૫ કડીની ‘શ્રાવકના ૩૬ ગુણની સઝાય’ (ર.ઈ.૧૬૮૫; મુ.), ૧૬ કડીની ‘ઇરિયાવહીની સઝાય/ઇર્યાપથિકીમિથ્યાદુષ્કૃત્ય-સઝાય/મિચ્છામિદુક્કડ-સઝાય’(મુ.) એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી રાજસ્થાનીગુજરાતીમિશ્ર ભાષામાં ‘નેમીશ્વર રાગમાલા-સ્તવન’ (ર.ઈ.૧૬૪૭) પણ મળે છે. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. જૈસમાલા(શા) : ૨; ૩. જૈસસંગ્રહ(જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. મોસસંગ્રહ; ૬. સઝાયમાલા (પં.); ૭. સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ કરમચંદ, સં. ૧૯૨૧. સંદર્ભ : ૧. દેસ્તસંગ્રહ;  ૨. મુપુગૂહસૂચી; ૩. રાપુહસૂચી : ૪૨; ૪. લીંહસૂચી , ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

મેરુવિજ્ય-૨[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં રંગવિજ્યગણિના શિષ્ય. ‘વસ્તુપાલતેજપાલનો રાસ’ (ર.ઈ.૧૬૬૫/સં. ૧૭૨૧, ચૈત્ર સુદ ૨, બુધવાર; મુ.), ૫૦૩ કડીનો ‘નવપદ-રાસ/શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, આસો સુદ ૧૦, ગુરુવાર) ૧૩૪૬ કડીનો ‘ઉત્તમકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૭૬) તથા *‘નર્મદાસુન્દરી-રાસ (ર.ઈ.૧૬૯૮; મુ.)ના કર્તા. કૃતિ : ૧. *નર્મદાસુંદરી રાસ,-; ૨. વસ્તુપાલ તેજપાલનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૯૦૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૨;૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

મેરુવિજય-૩ [ઈ.૧૭૦૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયગણિના શિષ્ય ગજસારમુનિકૃત ૪૩ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘દંડકપ્રકરણ’ પરના સ્તબક (લે.ઈ.૧૭૦૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

મેરુવિજય-૪ [                ] : જૈન સાધુ. લાલવિજયના શિષ્ય. ૫ કડીની ‘સચિતઅચિતપૃથ્વીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા(પં.). [ર.ર.દ.]

મેરુવિજય-૫ [                ] : જૈન સાધુ. જિનવિજયના શિષ્ય. ૧૫ કડીની ‘ધનાજીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : મોસસંગ્રહ. [ર.ર.દ.]

મેરુવિમલ [ઈ.૧૮૫૨ સુધીમાં] : જૈન સાધુ. ‘યુગપ્રધાનત્રેવીસઉદય-સઝાય’ (લે.ઈ.૧૮૫૨)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી.[ર.ર.દ.]

મેરુસુંદર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વાચનાચાર્ય રત્નમૂર્તિના શિષ્ય. કુશળ બાલાવબોધકાર. ૫૪૧ કડીના ‘ઋષભદેવ-સ્તવન/શત્રુંજય-સ્તવન-બાલાવબોધ/શત્રુંજયમંડનશ્રીયુગાદિદેવ-સ્તવન પરનો વાર્તારૂપ બાલાવબોધ’ (ર.ઈ.૧૪૬૨), જયકીર્તિસૂરિકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ૬૦૦૦/૭૭૫૫ ગ્રંથાગ્રનો ‘શીલોપદેશમાલા-પ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૯), ‘ષડાવશ્યકસૂત્ર/શ્રાવકપ્રતિક્રમણસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૬૯/સં. ૧૫૨૫, વૈશાખ સુદ ૫), ગુજરાતી આલંકારિક સોમપુત્ર વાગ્ભટકૃત અલંકારગ્રંથ પર ‘વાગ્ભટાલંકાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૭૯), નંદિષેણકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ‘અજિતશાંતિ-સ્તવન-બાલાવબોધ’, ‘કર્પૂરપ્રકરણ-બાલાવબોધ’, અભયદેવસૂરિકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ૫૦૦ ગ્રંથાગ્રનો ‘પંચનિર્ગ્રંથી સંગ્રહણી પ્રકરણ-બાલાવબોધ’, ‘પ્રશ્નોત્તર-પદશતક કિંચિત્ પૂર્ણ’, મલધારી હેમચંદ્રસૂરિકૃત પ્રાકૃત ગ્રંથ પર ૬૦૦૦/૮૩૩૪ ગ્રંથાગ્રનો ‘પુષ્પમાલાપ્રકરણ-બાલાવબોધ’, ‘સંબોધસત્તર-બાલાવબોધ’, મુનિ માનતુંગસૂરિકૃત ‘ભક્તામરમહાસ્તોત્ર’ પર ‘ભક્તામરકથા/ભક્તામર-પ્રાકૃતવાર્તાવૃત્તિ/ભક્તામરસ્તોત્રવાર્તારૂપબાલાવબોધ’, ‘ભાવારિવારણ-બાલાવબોધ’, હેમચંદ્રસૂરિકૃત મૂળ સંસ્કૃત ગ્રંથ પર ૨૫૦૦ ગ્રંથાગ્રનો ‘યોગશાસ્ત્ર-બાલાવબોધ’, બૌદ્ધ વિદ્વાન ધર્મદાસગણિકૃત અલંકારગ્રંથ પર ‘વિદગ્ધમુખમંડન-બાલાવબોધ’, ૧૧૭૬ ગ્રંથાગ્રનો ‘વૃત્તરત્નાકર-બાલાવબોધ’ તથા નેમિચંદ્રકૃત ‘ષષ્ટિશતક’ પરનો ૭૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ(મુ.)-એ કૃતિઓના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’માં ‘શીલોપદેશમાલા-બાલાવબોધ’ની ર.ઈ.૧૩૫૭ નોંધાઈ છે જે ભૂલ હોવા સંભવ છે. કૃતિ : નેમિચન્દ્ર ભંડારી વિરચિત ષષ્ટિશતક પ્રકરણ-ત્રણ બાલાવબોધ સહિત, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૫૩ (+સં.). સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩, ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપઅહેવાલ : ૨૦; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. મસાપ્રવાહ;  ૮. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૯. જૈગૂકવિઓ : ૧, ૨ ૩(૨); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

મેરુસુંદર(ગણિ)-૨ [                ] : જૈન સાધુ. મહિમાસુંદરના શિષ્ય. ૧૬૩ કડીની ‘કયવન્ના-સંબંધ’ એ કૃતિના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]

મેહમૂદ દરિયાઈ(સાહેબ) [જ. ઈ.૧૪૬૮-અવ. ૧૫૩૪] : મુસ્લિમ કવિ. વતન બીરપુર. મશાયખોની પરંપરામાં શેખ ચાંદબિન શેખ મહમ્મદ ગુજરાતી/કાઝી હમીદ (ઉર્ફે આલંદા)ના પુત્ર. ગુજરાતના સુલતાન બહાદુરશાહના અમલ દરમ્યાન કાઝી. ઈ.૧૫૧૪માં સુલતાન નારાજ થતાં હોદ્દો છોડી વતન બીરપુરમાં સ્થાયી વસવાટ કર્યો. વફાત પહેલાં પિતાએ ખિલાફતનો ઝભ્ભો અર્પણ કરીને તેમના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. હિંદીની છાંટવાળી ગુજરાતી ભાષામાં, માનવજીવનને ખેતરનું રૂપક આપી મનુષ્ય અવતારને ઉજાળવાનો ઉપદેશ આપતાં ૨ ભજનો(મુ.) ઉપરાંત ‘મકામાતે હિન્દીયા’(મુ.) નામના સંગ્રહમાં આ કર્તાની ‘જિકરી’ નામની લોકપ્રિય થયેલી હિન્દી કૃતિઓ સંગૃહીત થયેલી છે. કૃતિ : બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૬૬ - ‘પંદરમા સૈકાના સૂફી સંતકવિ કાઝી મેહમૂદ દરિયાઈ સાહેબ’, સૈયદ ઇમામુદ્દીન દરગાહવાલા. (+સં.) [ર.ર.દ.]

મેહો : જુઓ મેઘ-૧.

મોકમ/મોહોકમ [                ] : દુહા અને છપ્પામાં આવેલી ‘લક્ષ્મી-ઉમા-સંવાદ/લક્ષ્મી-પાર્વતી-સંવાદ’(મુ.)ના કર્તા. ‘આલ્ફાબેટિકલ લિસ્ટ ઑવ્ મેન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ : ૨’ પ્રસ્તુત કૃતિની ર.ઈ.૧૭૯૨ નોંધે છે, પરંતુ મુદ્રિત કૃતિમાં ક્યાંય તે ઉપલબ્ધ નથી. કૃતિ : ૧. લક્ષ્મી પારવતિનો સંવાદ તથા કેવળરસ, પ્ર. કસ્તૂરચંદ મુ. શા. ઈ.૧૮૭૮; ૨. નકાસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી.[કી.જો.]

મોટાભાઈ [જ. ઈ.૧૭૦૪/સં. ૧૭૬૦, ભાદરવા વદ ૫-] : પુષ્ટિમાર્ગીય ભરૂચી વૈષ્ણવ ભક્તકવિ. જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ. વતન ગોધરા. મોટાભાઈનું મૂળનામ વજેરામભાઈ હતું. તેમના જન્મદિવસે ભગવદીઓ તેમનો ઉત્સવ કરે છે. તેમણે વ્યારાવાળા ગોપાલદાસભાઈ, મહદ્મણિ મોહનભાઈ, ગોકુલભાઈ તથા બહેનજીરાજનાં આધિદૈવિક સ્વરૂપનાં કાવ્યગ્રંથો તથા ધોળ રચ્યાં છે. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [કી.જો.]

મોતી/મોતીરામ : આ નામે શક્તિવિષયક ગરબા અને પદો મળે છે. એમના રચયિતા માતાના કોઈ ભક્ત હોવાની સંભાવના છે. પણ એ કોઈ એક કવિ છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. મોતીરામ જતિને નામે ‘ષટપંચાશિકા’ નામની કૃતિ મળે છે. તેના કર્તા પણ કયા મોતીરામ તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો. [ર.સો.]

મોતી-૧ [                ] : હરિજન લોકકવિ. જ્ઞાનનાં પદ (૨ પદ મુ.)ના કર્તા. કૃતિ: હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [ર.સો.]

મોતીમાલુ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭૩ કડીના ‘નેમિજિન-શલોકો’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૯૭૮; આસો વદ ૩૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]

મોતીરામ-૧ [ઈ.૧૮૩૪માં હયાત] : ભરૂચના શ્રીમાળી વણિક. એમની કાફી રાગના નિર્દેશવાળી, ૨૩ પદની ‘નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ’(મુ.) તથા ૯ પદની ‘સુદામાચરિત્ર/સુદામાપુરી’(મુ.) એમ ૨ પદમાળાઓ પ્રેમાનંદની તદ્વિષયક આખ્યાનકૃતિઓ સાથે નિરૂપણની દૃષ્ટિએ કેટલુંક સામ્ય ધરાવે છે. એ સિવાય ‘શામળદાસનો વિવાહ’, ‘કુંવરબાઈનું મોસાળું/મામેરું’ તથા અન્ય પદોની રચના પણ એમણે કરી છે. કૃતિ : ૧. બૃકાદોહન : ૭; ૨. મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨;  ૩. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૦૨-‘સુદામાચરિત્ર અથવા સુદામાપુરી’, ચમનલાલ આ. પારધી (+સં.);  ૪. ડિકૅટલૉગભાવિ.[ર.સો.]

મોતીરામ-૨ [                ] : ગોધરા તાલુકાના શિવપુર (શહેરા)ના ચિત્રોડા નાગર બ્રાહ્મણ. પિતા કડુજી. માતા કુશાલબાઈ.તેમનો આયુષ્યકાળ (જ. ઈ.૧૭૮૧/૧૭૮૮ અને અવ. ઈ.૧૮૩૬/૧૮૫૮) નોંધાયો છે. પરંતુ એને કોઈ ચોક્કસ આધાર નથી. તેમણે ‘દાણલીલા’, ‘દ્વાદશ-મહિના’, કેટલાંક પદો અને ગરબીઓ (સર્વ મુ.) તથા ‘ચાતુરીભાવલીલા’, ‘રાસલીલા’ (ગરબીઓ), શૃંગાર અને વૈરાગ્યનાં સો ઉપરાંત પદો, નીતિબોધના છપ્પા, તિથિ, વાર, કુંડળિયા(હિંદી)-એ કૃતિઓની રચના કરી છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨ (+સં.), ૩, ૪; ૨. બૃકાદોહન : ૭; ૩. ભજનરત્નાવલી, આત્મારામ જ. છતીઆવાલા, ઈ.૧૯૨૫. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસામધ્ય; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી.[ર.સો.]

મોતીવિજય-૧ [ઈ.૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નેમવિજય-ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની ‘વિવેક મંજરીપ્રકરણવૃત્તિ’ પરના સ્તબક (ર.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ના કર્તા. આ સ્તબક પૂરો કરવામાં ચતુરવિજય અને ભક્તિવિજય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલો છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

મોતીવિજય-૨ [                ] : જૈન સાધુ. કીર્તિવિજયની પરંપરામાં કમલવિજયના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભ-સ્તવન’(મુ.) તથા તીર્થંકરોનાં ૯ સ્તવનના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨.. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

મોભારામ [                ] : આ સંત કવિ ઈ.૧૭માં સદીના અંતમાં સુરતમાં થયા હોવાની માહિતી મળે છે. તેમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને પ્રેમ વિશે દિવ્યજ્ઞાનાત્મક પદો(૯મુ.) રચ્યાં છે. કૃતિ : ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૮-‘સંત મોભારામ અને તેમનું અપ્રસિદ્ધ સાહિત્ય’, માણેકલાલ શં. રાણા (+સં.). [કી.જો.]

મોરલીધર : જુઓ મુરલીધર.

મોરાર(સાહેબ) [જ. ઈ.૧૭૫૮-અવ. ઈ.૧૮૪૯/સં. ૧૯૦૫, ચૈત્ર સુદ ૨] : રવિભાણ સંપ્રદાયના કવિ. રાજસ્થાનના થરાદમાં જન્મ. પૂર્વાશ્રમમાં થરાદના રાજપુત્ર માનસિંહજી. અવટંકે વાઘેલા. રવિ(સાહેબ)ની વાણીથી પ્રભાવિત થઈ શેરખી અથવા જામનગરમાં ભેખ લઈ ઈ.૧૭૭૯માં તેમના શિષ્ય બન્યા. જામનગર પાસેના ખંભાળિયામાં કે ધ્રોળ પાસેના ખંભાળીયામાં જીવત્સમાધિ. પ્રેમલક્ષણા ભક્તિ, આત્મબોધ, જ્ઞાનબોધ, વૈરાગ્ય-ઉપદેશ, કૃષ્ણ, રામ ને શિવનો મહિમા આદિ વિવિધ વિષયો પરનાં માર્મિક ને ઊર્મિરસિત ૧૬૫ ઉપરાંત પદો(મુ.) આ કવિનું મહત્ત્વનું સર્જન છે. વિવિધ અલંકારો ને પ્રચલિત દૃષ્ટાંતોનો વિનિયોગ કરતાં તથા જુદા જુદા રાગોને પ્રયોજતાં આ સુગેય પદોનું સોરઠી-ગુજરાતી, હિન્દી અને અરબી-ફારસી શબ્દોવાળું ભાષાપોત પણ નોંધપાત્ર છે. તેમનાં ઘણાં પદો લોકપ્રિય થયેલાં છે. પદો ઉપરાંત આ કવિની, જ્ઞાનબોધ ને ભક્તિપ્રેમની અન્ય રચનાઓ પણ મળે છે. એમાં ગરબી પ્રકારના ઢાળમાં રચાયેલી પ્રેમલક્ષણા ભક્તિની કૃતિ ‘બારમાસી’(મુ.) સિવાયની કૃતિઓ મહદંશે હિંદીની કહી શકાય એવી છે. ચોપાઈ ને ભુજંગીમાં રચાયેલી ૨૪ કડીની ‘ગુરુમહિમા’, દશાશ્વરી છંદમાં રચાયેલી ૪૩ કડીની જ્ઞાનચર્ચાની કૃતિ ‘ચિંતામણિ’ (મુ.) અને જ્ઞાનબોધના ૮ કુંડળિયા(મુ.) આવી ગુજરાતીમિશ્ર હિંદી કૃતિઓ છે. કૃતિ : ૧. ગુહિવાણી (+સં.); ૨. દુર્લભ ભજનસંગ્રહ, ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. ભાણલીલામૃત (+સં.); ૪. યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુ; ઈ.૧૯૭૬ (ચોથી આ.) (+સં.); ૫. રવિ, ભાણ અને મોરારસાહેબની વાણી, સં. નાનાલાલ પ્રા. વ્યાસ, ઈ.૧૯૫૦; ૬. રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૮૯; ૭. સોસંવાણી(+સં.). સંદર્ભ : ૧. આગુસંતો; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. ગુહિદેન.[ર.સો.]

મોલ્હક/મોલ્હા/મોહન [ઈ.૧૬૦૬માં હયાત] : જૈન સાધુ. જીવર્ષિગણિના શિષ્ય. ‘ઔપપાતિક-સૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, બીજો ચૈત્ર વદ ૧૧), ૩૨ કડીના ‘લોકનાાલિકાદ્વાત્રિંશિકા-પ્રકરણ’ ઉપરના બાલાવબોધ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ : ૩’માં મોહન(માલ્હ)ને નામે નોંધાયેલ ‘અનુયોગ દ્વારસૂત્ર’ પરના બાલાવબોધના કર્તા પણ આ કવિ લાગે છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

‘મોસાળા-ચરિત્ર’ [ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, ચૈત્ર વદ ૧૩, શનિવાર] : ચોપાઈ, દુહા અને સવૈયાની દેશીઓમાં રચાયેલું ૧૮/૨૧ કડવાંનું વિશ્વનાથ જાનીનું આ આખ્યાન(મુ.) નરસિંહજીવનના મામેરાના પ્રસંગ પર આધારિત છે. પ્રેમાનંદ પૂર્વે મામેરા-વિષયક રચાયેલી કૃતિઓમાં કથાપ્રસંગને વિશેષ રૂપે બરોબર ખીલવી કડવાંબંધવાળી કદાચ આ પહેલી કૃતિ છે. નરસિંહના રથનું વર્ણન, સાસરિયાં ને નાગરસ્ત્રીઓની હાંસી, કુંવરબાઈની ચિંતા, નરસિંહની ઈશ્વરશ્રદ્ધા, સમોવણ માટે ભગવાને વરસાવેલો વરસાદ, પહેરામણીની યાદીમાં લખાવાયેલા ૨ પથ્થર વગેરે મહત્ત્વના પ્રસંગબીજ એકસાથે આ કૃતિમાં મળે છે, જેને પછી પ્રેમાનંદે પોતાના ‘મામેરું’માં વધારે રસિક રીતે ખીલવ્યાં. જો કે ઘણી જગ્યાએ કથાનાં રસબિંદુઓને ખીલવવામાં કે પાત્રમનની લાગણીને નિરૂપવામાં કવિ પ્રેમાનંદની બરોબરી કરે છે અને ક્યારેક પ્રેમાનંદથી પણ વધારે અસરકારક બને છે. નરસિંહજીવનના આ પ્રસંગમાં રહેલા ચમત્કારના અંશોને ગૌણ કરી નરસિંહના વ્યક્તિત્વમાં રહેલાં કૃષ્ણસમર્પણભાવને વધારે ઉપસાવી કવિએ એને ભક્તિરસની કૃતિ બનાવી છે. એક તરફ ભક્તની શ્રદ્ધા, અને બીજી તરફ શ્વસુરગૃહના સંબંધીઓનો અને સમસ્ત નાગર જ્ઞાતિનો ઉપહાસ એ બેની વચ્ચે મુકાયેલી કુંવરબાઈ પ્રેમાનંદની કુંવરબાઈને મુકાબલે ઓછાબોલી અને વધારે શાલીન છે. હાસ્યમાં પ્રેમાનંદ જેટલી શક્તિ કવિ અહીં બતાવતા નથી, તો પણ નરસિંહની વ્હેલનું ચિત્ર ને નાગરસ્ત્રીઓએ મામેરાના નિમંત્રણ વખતે કંઈક હસીમજાકનો ખેલ જોવા મળશે એની ખુશાલીમાં બતાવેલી ઉતાવળ એ આલેખનમાં કવિએ હાસ્યની કેટલીક શક્તિ જરૂર બતાવી છે.[જ.ગા.]

મોહન/મોહન(મુનિ)/મોહનવિજ્ય [                ] : જૈન સાધુ. મોહનને નામે હિન્દી-ગુજરાતી-મિશ્ર ભાષામાં ૧૬૨ દુહામાં રચાયેલી ‘ષષ્ટિશતકના દોહા/ષષ્ટિશતક ભાષા-દુહા’ (લે.ઈ.૧૮૭૫), ૫ કડીનું ‘અજિતનાથ-સ્ત્વન’(મુ.), ૬ કડીનું ‘શાંતિનાથજિન-સ્તવન’(મુ.), ૨૬ કડીની ‘રુક્મિણીની સઝાય’(મુ.), ૭ કડીની જંબૂસ્વામી વિષયક ‘ગહૂંલી’(મુ.), મોહનમુનિને નામે ૨૭ કડીની ‘ખંધકઋષિ-સઝાય’ (લે.ઈ.૧૮૪૨; મુ.) અને મોહનવિજ્યને નામે ૯ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-સઝાય’(મુ.), ૪ કડીની ‘વિમલાચલ-વસંત’ (લે.સં. ૧૯મું શતક અનુ.)-એ કૃતિઓ મળે છે, પણ તે કયા મોહન/મોહન(મુનિ)/મોહનવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. નાનજી સાધુને નામે મુકાયેલું ૫ કડીનું ‘ઋષભજિન-સ્તવન’ મોહન(મુનિ) અથવા નારાયણની કૃતિ જણાય છે. જુઓ નરાયણ. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. ગંહૂલી સંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧; ૩. જિનગુણપદ્યાવલી, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૨૫; ૪. જિભપ્રકાશ; ૫. જિસ્તસંગ્રહ; ૬. જૈરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(ન); ૮. મોસસંગ્રહ; ૯. સજઝાયમાલા (શ્રા) : ૧; ૧૦. સજ્ઝાયમાાળા (પં); ૧૧. સમન્મિત્ર (ઝ). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

મોહન(માલ્હન)-૧ : જુઓ મોલ્હક/મોલ્હા.

મોહન-૨ [ઈ.૧૬૧૩માં હયાત] : અવટંકે ભટ્ટ. રામકબીર સંપ્રદાયના સંતકવિ. સંત પદ્મનાભના ચરિત્રનો ઇતિહાસ આપતું ૨૮ કડવાંનું ‘પદ્મનાભ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, કારતક સુદ ૧૫, ગુરુવાર; મુ.) અને ‘પદમવાડીનું વર્ણન’ (ર.ઈ.૧૬૧૪/સં.૧૬૭૦, માગશર સુદ ૫, રવિવાર; મુ.)-એ કૃતિઓના કર્તા. કૃતિ : જીવણવાણી, આસો-કારતક ૨૦૩૩-૩૪-‘ભગવાન પદ્મનાભ ચરિત્ર’, ‘પદમવાડીનું વર્ણન’, સં. ભક્ત જગમોહનભાઈ શામળભાઈ. સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [કી.જો.]

મોહન(જનમોહન)-૩ [ઈ.૧૭૮૨ સુધીમાં] : ‘સ્નેહલીલા’ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]

મોહન-૪/મોહનવિજ્ય [ઈ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં કીર્તિવિજ્ય-માનવિજ્ય-રૂપવિજ્યના શિષ્ય. ૩૧ ઢાળનો ‘હરિવાહનરાજા-રાસ’ (ર.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, કારતક વદ ૯), ‘રત્નરાસો/વિજ્યરત્નસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૦૨), સત્ય વચનનો મહિમા દર્શાવતો ૪૭ ઢાળનો ‘માનતુંગમાનવતી-રાસ’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, અધિક માસ સુદ ૮; મુ.), ૪ ખંડમાં વિભક્ત ૬૬ ઢાળ ને ૧૩૭૨ કડીનો ‘રત્નપાલચરિત્ર/રત્નપાલ-રાસ/રત્નપાલઋષિ-રાસ/રત્નપાલ વ્યવહારિયાનો રાસ’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, માગશર સુદ ૫; મુ.), શીલમહિમાનો બોધ કરતો ‘ગુણ સુંદરીનો રાસ/પુન્યપાલગુણસુંદરી-રાસ’ (ર.ઈ.૧૭૦૭/સં. ૧૭૬૩,-સુદ ૧૧), ૬૩ ઢાળનો ‘નર્મદાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૭૦૮/સં.૧૭૬૪, પોષ વદ ૧૩; મુ.), ‘પ્રશ્નોત્તર-સમુચ્ચય’ (ર.ઈ.૧૭૨૬/સં.૧૭૮૨, વૈશાખ સુદ ૧૫), માણસ જે કંઈ સારુંનરસું ભોગવે છે એ પૂર્વજન્મનાં કૃત્યોને પરિણામે જ એવો બોધ આપતો, ૪ ઉલ્લાસમાં વિભક્ત, ૧૦૭ ઢાળ ને ૨૬૮૫ કડીનો ચંદ્રકુમારની રસિક પણ પ્રસ્તારી કથા રજૂ કરતો ‘ચંદ્ર-ચરિત્ર/ચંદનૃપતિ-રાસ/ચંદરાજાનો રાસ’(ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, પોષ સુદ ૫; મુ.), ૪ કડીનું ‘ગોડીપાર્શ્વનાથનું સ્તવન’(મુ.), ‘ચોવીશી’(મુ.), ૬ કડીનું ‘નેમિનાથ-સ્તવન’(મુ.), બહેનના મર્મવચનથી વીંધાઈને અભિમાન રૂપી ગજ પરથી નીચે ઊતરી, શેષ કર્મોનો ક્ષય કરી મોક્ષસુખ પામતા બાહુબલિની ૧૨ કડીની ‘બાહુબલિની સઝાય’ (મુ.), પાટણના જૈન સંઘે શ્રી વિજ્યરત્નસૂરિને પોતાને આંગણે પધારવા વિનંતિ કરી એને વિષય બનાવતી ૧૯ કડીનાં અનુક્રમે ૨ ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન/સિદ્ધાચલ-સ્તવન’(મુ.) તેમ જ વસંત વિશેનાં કેટલાંક છૂટક કાવ્યો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચંદરજાનો રાસ, પ્ર. શ્રાવક ભીમજી માણેક, ઈ.૧૮૮૮; ૨. ચંદરાજાનો રાસ, સં. અમૃતલાલ સંઘવી, ઈ.૧૯૩૯; ૩. નર્મદાસુંદરીનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૮; ૪. માનતુંગમાનવતી-રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, -; ૫. માનતુંગ રાજા અને માનવતી રાણીનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ; ૬. રત્નપાલ વ્યવહારિયાનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, -;  ૭. આત્મહિતશિક્ષાભાવના, સં. કર્પૂરવિજ્યજી મહારાજ, ઈ.૧૯૧૮; ૧૦. ઐસમાલા : ૧; ૧૧. કવિતાસારસંગ્રહ, પ્ર. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૧૨. ચૈત્યવંદન ચોવીશી, પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ઈ.૧૯૪૦; ૧૩. ચૈસ્તસંગ્રહ : ૨; ૧૪. ચોવીસ્તસંગ્રહ; ૧૫. જિનગુણપદ્યાવલી, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૨૫; ૧૬. જિભપ્રકાશ; ૧૭. જિસ્તમાલા; ૧૮. જિસ્તસંગ્રહ; ૧૯. જૈકાપ્રકાશ : ૧; ૨૦. જૈકાસંગ્રહ; ૨૧. જૈકાસાસંગ્રહ; ૨૨. જૈપ્રપુસ્તક : ૧; ૨૩. જૈરસંગ્રહ; ૨૪. દેસ્તસંગ્રહ; ૨૫. પ્રાસપસંગ્રહ : ૧; ૨૬. લઘુચોવીશી વીશી સંગ્રહ, પ્ર. કુંવરજી આણંદજી, -; ૨૭. શંસ્તવનાવલી; ૨૮. સસન્મિત્ર(ઝ); ૨૯. જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન’, સં. તંત્રી. સંદર્ભ : ૧. કવિચરિત્ર; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫ ગુસારસ્વતો; ૬ મરાસસાહિત્ય;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. કૅટલૉગગુરા; ૯. જૈગૂકવિઓ : ૨; ૩(૨); ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૧૩. ડિકૅટલૉગભાવિ; ૧૪. મુપુગૂહસૂચી; ૧૫. લીંહસૂચી; ૧૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]

મોહન-૫ [                ] : જૈન સાધુ. ઉત્તમના શિષ્ય. ૬ કડીના ‘શંખેશ્વર-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ શંસ્તવનાવલી. [કા.શા.]

મોહન-૬ [                ] : વિદ્યાથી પ્રાપ્ત થતા ગુણોનો બોધ આપતી ચોપાઈની ૨૧૨ કડીની ‘શિક્ષા’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહયાદી; ૨. ફાહનામાવલિ : ૨.[શ્ર.ત્રિ.]

મોહનદાસ [                ] : પદોના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]

મોહનવિજ્ય-૧ : જુઓ મોહન-૪

મોહનવિજ્ય-૨ [                ] : જૈન સાધુ. કમલવિજ્યના શિષ્ય. ૬ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ૭ કડીના ‘શાંતિનાથનું સ્તવન’(મુ.) અને ૫ કડીના ‘શ્રેયાંસનાથજિન-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. દેસ્તસંગ્રહ.[કા.શા.]

મોહનવિજ્ય-૩ [                ] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજ્યના શિષ્ય. ૧૫ કડીની પ્લવંગમ છંદની દેશીમાં રચાયેલી, આંતરપ્રાસ, પ્રાસાનુપ્રાસ જાળવતી શ્રાવણથી અસાડ સુધીના બાર માસના નેમિવિરહને વર્ણવતી ‘નેમરાજિમતી-બારમાસા’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ. [કા.શા.]

મોહનવિજ્ય-૪ [                ] : જૈન સાધુ. રત્નવિજ્યના શિષ્ય. ૧૪ કડીના ‘શંખેશ્વરજીને વિનતિ રૂપે સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૨. [કા.શા.]

મોહનવિજ્ય-૫ [                ] : જૈન સાધુ. રત્નસુંદરના શિષ્ય.૯ કડીના ‘સિદ્ધિચક્ર-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ: ૧. પૂજાસંગ્રહ, પ્ર. ધીરજલાલ પ્રા. શ્રોફ, ઈ. ૧૯૩૬; ૨. સસન્મિત્ર (ઝ.) [કા.શા.]

મોહનવિજય-૬ [                ]: જૈન સાધુ. હંસવિજયના શિષ્ય. ૯ કડીની ‘ઓળીની સઝાય/શ્રીપાળમયણાધ્યાન-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ. ; મુ.)ના કર્તા. કૃતિ : મોસસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

મોહનવિમલ [ઈ.૧૭૦૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. માનવિમલ-રામવિમલ-જ્ઞાનવિમલના શિષ્ય. ‘વૈરીસિંહકુમાર (બાવનાચંદની)-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, કારતક સુદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]

મોહનશીલ(ગણિ) [ઈ.૧૭૨૫ સુધીમાં] : જૈન સાધુ. ‘ધૃર્તાખ્યાન-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૨૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

મોહનસાગર [                ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસૂરિના શિષ્ય. જુદાં જુદાં તીર્થક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત થયેલ પાર્શ્વનાથનું સ્મરણ કરતી ૧૫ કડીની ‘પાર્શ્વનાથજીનો છંદ’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : લીંહસૂચી. [કા.શા.]

મોહોકમ : જુઓ મોકમ.

મૌજુદ્દીન [                ] : પઠાણ જ્ઞાતિના સંતકવિ. કચ્છના રહેવાસી. રવિભાણ સંપ્રદાયના અનુયાયી. તેમનાં પદોમાં ગુરુભક્તિનો મહિમા અને જ્ઞાનની ખુમારી દેખાય છે. સંદર્ભ : ઊર્મિનવરચના, મે ૧૯૭૫-‘ગુજરાતી સાહિત્યના મુસ્લિમ કવિઓ’, ભૂલિકા જી. ત્રિવેદી.[કી.જો.]

‘મૃગાવતીચરિત્ર-ચોપાઈ/રાસ’ [ર.ઈ.૧૬૧૨] : ખરતરગચ્છના જૈન સાધુ સકલચંદ્રના શિષ્ય સમયસુંદરકૃત દુહા અન સંગીતના રાગનિર્દેશવાળી ચોપાઈની વિવિધ દેશીઓના ૩૮ ઢાળની, ત્રણ ખંડમાં વિભક્ત ને કવિ દ્વારા ‘મોહનવેલ’ એવા અપરનામથી ઓળખાવાયેલી આ રાસકૃતિ(મુ.) ભગવાન મહાવીરના સમયમાં થઈ ગયેલા કૌશામ્બીનરેશ શતાનીકની રાણી મૃગાવતીના, જૈનોમાં સુપ્રસિદ્ધ, ઐતિહાસિક ચરિત્ર પર આધારિત છે. સગર્ભા મૃગાવતીને લોહીની વાવમાં સ્નાન કરવાનો જાગેલો દોહદ, ભારંડ પક્ષી દ્વારા થયેલું મૃગાવતીનું અપહરણ, ૧૪ વર્ષે રાજા-રાણીનું થયેલું પુનર્મિલન, મૃગાવતીના ચિત્રમાં સાથળનો તલ બતાવવા નિમિત્તે રાજાએ ચિત્રકારનો જમણો હાથ કાપી નાખવાની કરેલી શિક્ષા, મૃગાવતીથી કામમોહિત બનેલા ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોતની કૌશામ્બીનરેશ પર ચડાઈ, શતાનીકના મૃત્યુ પછી મહાવીર સ્વામીના સમવરણ પ્રસંગે મૃગાવતીએ લીધેલી દીક્ષા અને અંતે તેને પ્રાપ્ત થયેલું કેવળજ્ઞાન-એ મૃગાવતીજીવનના મુખ્ય કથાપ્રસંગોની વચ્ચે કેટલીક અવાંતરકથાઓ ગૂંથી કવિએ આ કૃતિને કામ પર શીલના વિજ્યની ધર્મબોધક કથા બનાવી છે. મૃગાવતીસૌંદર્યવર્ણન, મૃગાવતીનો વિરહવિલાપ કે કૌશામ્બીનગરીવર્ણન, શબ્દ ને અર્થના અલંકારો, રૂઢિપ્રયોગો, કહેવતોનો યથેચ્છ વિનિયોગ, સિંધ પ્રાંતની બોલી અને અન્ય ભાષાઓના ઉપયોગ એ સૌમાં કવિની કવિત્વશક્તિ અને ભાષાપ્રભુત્વ પ્રગટ થાય છે. સીધા પ્રચારબોધથી પણ મહદ્અંશે કવિ મુક્ત રહ્યા છે.[જ.ગા.]

‘મૃગાંકલેખા-રાસ’  : વડતપગચ્છના જ્ઞાનસૂરિના શિષ્ય જૈન કવિ વચ્છના ૪૦૧ કડીના આ રાસની ઈ.૧૪૮૮ની પ્રત મળે છે, એટલે એની રચના એ પૂર્વે થઈ હોવાનું માની શકાય. દુહા, રોળા, ચોપાઈની દેશીઓમાં રચાયેલા આ રાસમાં રામભક્ત હનુમાનની માતા અંજનાસુંદરીની જૈનકથાને અનુસરી મૃગાંકલેખાનું ચરિત્ર આલેખાયું છે. ઉજ્જૈની નગરીના શ્રેષ્ઠિ ધનસાગરની પુત્રી મૃગાંકલેખા સાગરચંદ્ર નામના શ્રેષ્ઠિપુત્ર સાથે પરણી કેટલીક ગેરસમજોનો ભોગ બની પતિ અને શ્વસુરગૃહથી તરછોડાઈ વિકટ પરિસ્થિતિઓમાં મુકાયા છતાં પોતાના શીલને કેવી રીતે પવિત્ર રાખે છે અને અંતે પતિના પ્રેમને પામે છે એ બતાવી કવિએ કેટલાક ચમત્કાર અંશોથી યુક્ત આ કથામાં ધૈર્ય અને શીલનું મહાત્મ્ય ગાયુ છે. પ્રારંભકાળના નાના અને બોધાત્મક અંશોના પ્રાધાન્યવાળા રાસાઓ ઈ.૧૫મી સદી આસપાસ વિશેષ પ્રસંગબહુલ અને વિસ્તારી બન્યા તે પરિવર્તનને સૂચવતો આ મહત્ત્વનો રાસ છે.[ભા.વૈ.]